________________
પ્રમાણમીમાંસા
૨૧૫ વિશેષાવશ્યકભાષ્ય અને લધીયસ્રય ગ્રન્થોમાં ઈન્દ્રિય અને મનોજન્ય જ્ઞાનને સંવ્યવહારપ્રત્યક્ષ તરીકે સ્વીકાર્યું છે. તેનાં કારણો પણ આ છે - એક તો લોકવ્યવહારમાં તથા બધાં અન્ય દર્શનોમાં આ પ્રત્યક્ષ તરીકે પ્રસિદ્ધ છે અને બીજું એ કે પ્રત્યક્ષતાના પ્રયોજક વૈશદ્ય(સ્પષ્ટતા યા નિર્મલતા)નો અંશ એમાં મળે છે. આ રીતે ઉપચારનું કારણ મળવાથી ઇન્દ્રિય પ્રત્યક્ષમાં પ્રત્યક્ષતાનો ઉપચાર કરવામાં આવ્યો છે. વસ્તુતઃ આધ્યાત્મિક દ્રષ્ટિમાં આ જ્ઞાન પરોક્ષ જ છે. તત્ત્વાર્થસૂત્રમાં (૧.૧૩) મતિજ્ઞાનના મતિ, તિ, સંજ્ઞા, ચિત્તા અને અભિનિબોધ આ પર્યાયોનો નિર્દેશ મળે છે. તેમનામાંથી મતિ એ ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતું જ્ઞાન છે. તેની ઉત્પત્તિમાં જ્ઞાનાન્તરની આવશ્યકતા હોતી નથી. આગળ ગણાવેલાં સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા આદિ જ્ઞાનોમાં ક્રમશઃ પૂર્વાનુભવ, સ્મરણ અને પ્રત્યક્ષ, સ્મરણ પ્રત્યક્ષ અને પ્રત્યભિજ્ઞાન, લિંગદર્શન અને વ્યાપ્તિસ્મરણ, આદિ જ્ઞાનાન્તરોની અપેક્ષા રહે છે
જ્યારે ઇન્દ્રિયપ્રત્યક્ષ અને માનસપ્રત્યક્ષમાં કોઈ પણ અન્ય જ્ઞાન અપેક્ષિત નથી. આ વિશેષતાના કારણે ઇન્દ્રિયપ્રત્યક્ષ અને માન પ્રત્યક્ષરૂપ મતિને સંવ્યવહાપ્રત્યક્ષનું પદ મળ્યું છે.
(૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ સાવ્યવહારિક પ્રત્યક્ષ
પાંચ ઇન્દ્રિયો અને મન આ છે કારણોથી સંવ્યવહાર પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. તેના મૂળ બે ભેદ છે - (૧) ઈન્દ્રિયસંવ્યવહાર પ્રત્યક્ષ અને (૨) અનિક્રિયસંવ્યવહાર પ્રત્યક્ષ. અનિન્દ્રિયપ્રત્યક્ષ કેવળ મનથી ઉત્પન્ન થાય છે, જ્યારે ઈન્દ્રિયપ્રત્યક્ષમાં ઇન્દ્રિયોની સાથે મન પણ કારણ હોય છે.
ઇન્દ્રિયોની પ્રાપ્યકારિતા
ઇન્દ્રિયોમાં ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે અર્થાત તે બન્ને પદાર્થને પ્રાપ્ત કર્યા વિના જ દૂરથી જ તેનું જ્ઞાન કરી લે છે. સ્પર્શન, રસના અને ધ્રાણ આ ત્રણ ઇન્દ્રિયો પદાર્થો સાથે જોડાઈને તેમને જાણે છે. કાન શબ્દને સ્પર્શતાં તેને સાંભળે
૧. વિયમોમવં ગં તે સંવવારપક્વવં વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૯૫. ૨. તત્ર સાંવ્યવહારિકનું ન્દ્રિયાનિન્દ્રિયપ્રત્યક્ષમ્ | લયસ્રયસ્વવૃત્તિ, શ્લોક ૪. 3. पुढे सुणेइ सदं अपुढे पुणवि पस्सदे रूपं ।
સં સં ર ય વધ્વં પુä વિનાનાદ્રિ || આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૫.