________________
૨૨૬
જૈનદર્શન ધર્મનો અર્થાત મોક્ષમાર્ગનો સાક્ષાત્કાર માનીને પ્રત્યક્ષ દ્વારા થનારી ધર્મશતાનું ભારપૂર્વક સમર્થન કર્યું.
ધર્મકીર્તિના ટીકાકાર પ્રજ્ઞાકરગુપ્ત સુગતને ધર્મજ્ઞની સાથે સાથે જ સર્વજ્ઞ - ત્રિકાલવાર્તા યાવત્ પદાર્થોના જ્ઞાતા - પણ સિદ્ધ કર્યા છે અને લખ્યું છે કે સુગતની જેમ અન્ય યોગીઓ પણ સર્વજ્ઞ બની શકે છે, જો તેઓ પોતાની સાધકાવસ્થામાં રાગાદિનિમુક્તિની જેમ સર્વજ્ઞતા માટે પણ યત્ન કરે. જેમણે વીતરાગતા પ્રાપ્ત કરી લીધી છે તેઓ ઇચ્છે તો થોડાક પ્રયત્નથી સર્વજ્ઞ બની શકે છે. આચાર્ય શાન્તરક્ષિત પણ આ જ રીતે ધર્મજ્ઞતાની સાથે સાથે જ સર્વજ્ઞતા સિદ્ધ કરે છે અને સર્વજ્ઞતાને તે શક્તિરૂપે બધા વીતરાગોમાં માને છે. કોઈ પણ વીતરાગ જ્યારે ઇચ્છે ત્યારે કોઈ પણ વસ્તુનો સાક્ષાત્કાર કરી શકે છે.'
યોગદર્શન અને વૈશેષિક દર્શનમાં આ સર્વજ્ઞતા અણિમા આદિ ઋદ્ધિઓની જેમ એક વિભૂતિ છે જે બધા વીતરાગો માટે અવશ્ય પ્રાપ્તવ્ય નથી. હા, જે વીતરાગ તેની સાધના કરશે તેને તે પ્રાપ્ત થશે.
જૈન દાર્શનિકોએ શરૂઆતથી જ ત્રિકાલવર્તી અને ત્રિલોકવર્તી સમસ્ત શેયોના પ્રત્યક્ષદર્શનના અર્થમાં સર્વજ્ઞતા માની છે અને તેનું સમર્થન પણ કર્યું છે. જો કે તર્કયુગ પહેલાં ‘ને ને ગાળ; રે સર્વે નાળ આચારાંગસૂત્ર, ૧.૨૩ એટલે કે “જે એક આત્માને જાણે છે તે બધા પદાર્થોને જાણે છે ઇત્યાદિ १. ततोऽस्य वीतरागत्वे सर्वार्थज्ञानसंभवः ।
समाहितस्य सकलं चकास्तीति विनिश्चितम् ॥ सर्वेषां वीतरागाणामेतत् कस्मान्न विद्यते ? । रागादिक्षयमाने हि तैर्यत्नस्य प्रवर्तनात् ।। पुन: कालान्तरे तेषां सर्वज्ञगुणरागिणाम् ।
પ્રયત્નેન સર્વત્વસ્ય સિદ્ધિવારિતા | પ્રમાણવાર્તિકાલકર, પૃ. ૩૨૯. २. यद् यद् इच्छति बोधुंवा तत् तद् वेत्ति नियोगतः ।
શરિવંવિધા તસ્ય પ્રદીળાવાળો દાસ | તત્ત્વસંગ્રહ, કારિકા ૩૩૨૮. 3. सई भगवं उप्पण्णणाणदरिसी...सव्वलोए सव्वजीवे सव्वभावे सम्म समं जाणदि પતિ વિદ્યારિત્તિ પખંડાગમ, પડિ. સૂત્ર ૭૮. से भगवं अरहं जिणे केवली सव्वन्नू सव्वभावदरिसी..सव्वलोए सव्वजीवाणं સવ્માવડું નાણમાને સમાને પર્વ ૨ | વિદા | આચારાંગસૂત્ર, ૨.૩. પૃ. ૪૨૫.