________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૪૭ અભાવનું નામ પ્રાગભાવ છે. ઉત્પત્તિ પછી થનારો વિનાશ પ્રધ્વસાભાવ છે. પરસ્પર પદાર્થોના સ્વરૂપનો અભાવ અન્યોન્યાભાવ છે અને સૈકાલિક સંસર્ગનો નિષેધ કરનારો અત્યન્તાભાવ છે. આ રીતે જેટલા પ્રકારની પ્રતીતિઓ પદાર્થોમાં થાય છે તેટલા પ્રકારના પદાર્થો વૈશેષિકો માને છે. વૈશેષિકને સમ્પ્રત્યયોપાધ્યાય કહેવામાં આવેલ છે. એનો અર્થ એ કે વૈશેષિક પ્રત્યયના અર્થાત્ પ્રતીતિના આધારે પદાર્થની કલ્પના કરનારા ઉપાધ્યાય છે.
પરંતુ વિચાર કરીને જોઈશું તો જણાશે કે ગુણ, ક્રિયા, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ બધાં દ્રવ્યના પર્યાયો જ છે. દ્રવ્યના સ્વરૂપની બહાર ગુણ આદિનું કોઈ અસ્તિત્વ નથી. દ્રવ્યનું લક્ષણ છે – ગુણપર્યાયવાળા હોવું. જ્ઞાનાદિ ગુણોનું આત્માથી તથા રૂપાદિ ગુણોનું પુદ્ગલથી પૃથફ અસ્તિત્વ ન તો જોવામાં આવે છે કે ન તો યુક્તિસિદ્ધ છે. ગુણ અને ગુણીને, ક્રિયા અને ક્રિયાવાનને, સામાન્ય અને સામાન્યવાનને, વિશેષ અને નિત્ય દ્રવ્યોને ખુદ વૈશેષિક જ અયુતસિદ્ધ માને છે અર્થાત ઉક્ત પદાર્થો પરસ્પર પૃથક કરી શકાતા નથી. ગુણ આદિને છોડીને દ્રવ્યનું પોતાનું પૃથફ અસ્તિત્વ ક્યાં છે? તેવી જ રીતે દ્રવ્ય વિના ગુણ આદિ નિરાધાર રહેશે ક્યાં? તેમનો દ્રવ્ય સાથે કથંચિત્ તાદાભ્ય સંબંધ છે. એટલે જ ક્યાંક પુણસન્દ્રાવો દ્રવ્ય એવું પણ દ્રવ્યનું લક્ષણ મળે છે.*
એક જ દ્રવ્ય જેમ અનેક ગુણોનો અખંડ પિંડ છે તેમ જે દ્રવ્ય સક્રિય છે તેનામાં થનારી ક્રિયા પણ તે જ દ્રવ્યનો પર્યાય છે, સ્વતન્ત્ર નથી. ક્રિયા યા કર્મ ક્રિયાવાથી પૃથફ પોતાનું અસ્તિત્વ ધરાવતી નથી.
તેવી જ રીતે પૃથ્વીત્વ આદિ ભિન્ન દ્રવ્યવર્તી સામાન્યો સદેશપરિણામરૂપ જ છે. કોઈ એક, નિત્ય અને વ્યાપક સામાન્ય અનેક દ્રવ્યોમાં, મોતીઓમાં પરોવેલા દોરાના જેવું, હોતું નથી. જે દ્રવ્યોમાં જે રૂપે સાદગ્ધ પ્રતીત થાય છે તે દ્રવ્યોનું તે સામાન્ય માની લેવામાં આવે છે. તે કેવળ બુદ્ધિકલ્પિત પણ નથી પરંતુ સારશ્યરૂપે વસ્તુનિઇ છે અને વસ્તુની જેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યશાલી છે.
સમવાય સમ્બન્ધ છે. જેમનામાં તે હોય છે તે બન્ને પદાર્થોનો જ તે પર્યાય છે. જ્ઞાનનો સમ્બન્ધ આત્મામાં માનવાનો એ જ અર્થ છે કે જ્ઞાન અને તેનો સંબંધ આત્માની જ સમ્પત્તિ છે, આત્માથી ભિન્ન તેમનું અસ્તિત્વ નથી. કોઈ પણ સંબંધ
૧. અપર્ચયવત્ દ્રવ્યમ્ ! તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૮. ૨. કન્વર્ય ઉત્કૃષ્ટ નિર્વવન ગુણસન્દ્રાવો દ્રવ્યતિ પાતંજલમહાભાષ્ય, ૫.૧.૧૧૯.