________________
૧૩૩
છ દ્રવ્યોનું વિવેચન સ્કન્ધ આદિ ચાર ભેદો
પુદ્ગલદ્રવ્યના સ્કલ્પ, સ્કન્ધદેશ, સ્કન્ધપ્રદેશ અને પરમાણુ એ ચાર વિભાગ પણ થાય છે. અનન્તાનન્ત પરમાણુઓથી સ્કન્ધ બને છે, તેનાથી અડધો સ્કન્ધદેશ અને સ્કન્ધદેશનો અડધો સ્કન્ધપ્રદેશ હોય છે. પરમાણુ સર્વતઃ અવિભાગી હોય છે. ઇન્દ્રિયો, શરીર, મન, ઇન્દ્રિયોના વિષયો અને શ્વાસોચ્છવાસ આદિ બધાં પુદ્ગલદ્રવ્યનાં જ વિવિધ પરિણમનો છે.
બન્ધની પ્રક્રિયા
પરમાણુઓમાં સ્વાભાવિક સ્નિગ્ધતા અને રૂક્ષતા હોવાના કારણે પરસ્પર બંધ થાય છે, જેનાથી સ્કન્ધોની ઉત્પત્તિ થાય છે. સ્નિગ્ધ અને રૂક્ષ ગુણોના શાંશની અપેક્ષાએ અસંખ્ય ભેદો થાય છે અને તેમનામાં તારતમ્ય પણ થતું રહે છે. એક શકત્સંશ(જઘન્યગુણ")વાળા સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓનો પરસ્પર બન્ય (રાસાયનિક મિશ્રણ) નથી થતો. સ્નિગ્ધ અને સ્નિગ્ધ, રૂક્ષ અને રૂક્ષ, સ્નિગ્ધ અને રૂક્ષ, તથા રૂક્ષ અને સ્નિગ્ધ પરમાણુઓમાં બંધ ત્યારે જ થશે જ્યારે તેમનામાં પરસ્પર ગુણોના સત્યશો બે અધિક હશે અર્થાત્ બે ગુણવાળા (શકત્યશોવાળા) સ્નિગ્ધ યા રૂક્ષ પરમાણુનો બન્ધ ચાર ગુણવાળા (સત્યશોવાળા) સ્નિગ્ધ યા રૂક્ષ પરમાણુ સાથે થશે. બન્ધકાળમાં જે અધિક ગુણવાળા (શત્મશવાળા) પરમાણુ છે તે કમ ગુણવાળા પરમાણુનું પોતાનાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ રૂપે પરિણમન કરાવી લે છે. આ રીતે બે પરમાણુઓથી ત્યણુક, ત્રણ પરમાણુઓથી ચણક અને ચાર, પાંચ આદિ પરમાણુઓથી ચતુરણક,પંચાણુક, આદિ સ્કન્ધો ઉત્પન્ન થતા રહે છે. મહાસ્કન્ધોના ભેદથી પણ બે નાના સ્કન્ધો બની શકે છે. આનો અર્થ એ કે સ્કન્ધો સંઘાત અને ભેદ બન્નેથી બને છે. સ્કન્ધાવસ્થામાં પરમાણુઓનું પરસ્પર એટલું સૂક્ષ્મ પરિણમન થઈ જાય છે કે થોડીક જગામાં અસંખ્ય પરમાણુઓ સમાઈ १. खंधा य खंधदेसा खंधपदेसा य होति परमाणू ।
રૂઢિ તે રશ્વિયUા પુIRાયા મુયળ્યા | પંચાસ્તિકાય ગાથા ૭૪. ૨. શરીરવામન:પ્રાપાના: પુનાનામ્ ! તત્ત્વાર્થસૂત્ર, ૫.૧૯. 3. स्निग्धरूक्षत्वाद् बन्धः । न जघन्यगुणानाम् । गुणसाम्ये सदृशानाम् । द्वयधिकादिगुणानां
તુ વષેડધિ પરિણમવી ા તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૩-૩૭. ૪. અહીં ગુણ શબ્દ qualityના અર્થમાં વપરાયો છે. ૫. અહીં ગુણ શબ્દ માત્રા (degree) કે શકટ્યૂશના અર્થમાં વપરાયો છે.