________________
૧૧૨
જૈનદર્શન એક દીર્ઘકાલિક ધારાના રૂપમાં જ રહેનારો અસ્થાયી પદાર્થ કર્યો. તેનું પોતાનું મૌલિકત્વ પણ સાર્વકાલિક ન રહ્યું. પરંતુ આ રીતે એક સ્વતંત્ર પદાર્થનો સર્વથા ઉચ્છદ સ્વીકારવો એ તો યુક્તિ અને અનુભવ બન્નેથી વિરુદ્ધ છે. જો કે બુદ્ધ નિર્વાણના સ્વરૂપના સંબંધમાં પોતે મૌન રહીને આ પ્રશ્નને અવ્યાકૃતની કોટિમાં સ્થાન આપ્યું હતું, પરંતુ આગળના આચાર્યોએ તેની પ્રદીપનિર્વાણ તુલ્ય હોવાની જે વ્યાખ્યા કરી છે તેનાથી નિર્વાણનું ઉચ્છદાત્મક સ્વરૂપ જ ફલિત થાય છે. જેમ કે – दिशं न काञ्चित् विदिशं न काञ्चित्
नैवावनिं गच्छति नान्तरिक्षम् । दीपो यथा निर्वृतिमभ्युपेत:
__स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥ दिशं न काञ्चित् विदिशं न काञ्चित्
___ नैवावनिं गच्छति नान्तरिक्षम् । आत्मा तथा निर्वृतिमभ्युपेतः
ઉત્તેરાશયાત વસતિ શાન્તિ | સૌન્દરનન્દ, ૧૬.૨૮-૨૯. અર્થાત જેવી રીતે ઓલવાઈ ગયેલો દીપક ન કોઈ દિશામાં જાય છે, ન વિદિશામાં, ન આકાશમાં કે ન પાતાળમાં, પરંતુ તેલનો ક્ષય થઈ જવાથી કેવળ ઓલવાઈ જાય છે, તેવી જ રીતે નિર્વાણાવસ્થામાં ચિત્ત ન કોઈ દિશામાં જાય છે, ન વિદિશામાં, ન આકાશમાં કે ન પાતાલમાં, પરંતુ ક્લેશોનો ક્ષય થઈ જવાથી કેવળ શાન્ત થઈ જાય છે. ઉચ્છદાત્મક નિર્વાણ અપાતીતિક છે
આમ જ્યારે ઉચ્છદાત્મક નિર્વાણમાં ચિત્તનો સન્તાન પણ સમાપ્ત થઈ જાય છે ત્યારે તો તે મૃષા સન્તાનના બળ ઉપર સંસારની અવસ્થામાં કર્મફલસંબંધ, બન્ધ, મોક્ષ, સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞાન આદિની વ્યવસ્થાઓ ઘડવી એ તો કાચા પાયા ઉપર મકાન ચણવા સમાન છે. મૃષા સન્તાનમાં કર્મવાસનાનો સંસ્કાર માનીને તેમાં કપાસનાં બીજમાં લાખના સંસ્કારથી રંગભેદની કલ્પનાની જેમ ફલની સંગતિ બેસાડવી પણ જામી શકતી નથી. કપાસના બીજના જે પરમાણુઓને લાખનો રંગ સીંચ્યો હતો તે જ સ્વરૂપસતુ પરમાણુઓ પર્યાય બદલીને કપાસના છોડના રૂપમાં
૧. યમ્બિન્નેવ તુ સત્તાને માહિતી ફર્મવાસના |
કન્ન તરૈવ સભ્યત્તે 1Íરે રજૂતા યથા II તત્ત્વસંગ્રહપજિકા, પૃ. ૧૮રમાં ઉદ્ભૂત