________________
૧૧૯
છ દ્રવ્યોનું વિવેચન આદિ પદાર્થોને સડાવવાથી દારૂ બને છે અને તેમાં માદક શક્તિ સ્વયં આવી જાય છે તેમ ભૂતચતુષ્ટયના વિશિષ્ટ સંયોગથી ચૈતન્યશક્તિ પણ ઉત્પન્ન થઈ જાય છે. તેથી ચૈતન્ય આત્માનો ધર્મ ન હોતાં શરીરનો જ ધર્મ છે અને એટલે જ જીવનની ધારા ગર્ભથી લઈને મરણ સુધી જ ચાલે છે. મરણકાળે શરીરયેત્રમાં વિકૃતિ આવી જવાથી જીવનશક્તિ સમાપ્ત થઈ જાય છે. આ દેહાત્મવાદ બહુ પ્રાચીન કાળથી પ્રચલિત છે અને તેનો ઉલ્લેખ ઉપનિષદોમાં પણ જોવા મળે છે.
દેહથી ભિન્ન આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે અપ્રત્યય જ સૌથી મોટું પ્રમાણ છે, જે “અહ (હું) સુખી, અહં દુઃખી' આદિ રૂપે પ્રત્યેક પ્રાણીના અનુભવમાં આવે છે. મનુષ્યોમાં પોતપોતાના જન્માન્તરીય સંસ્કારો હોય છે, જેમના અનુસાર તેઓ આ જન્મમાં પોતાનો વિકાસ કરે છે. જન્માન્તરસ્મરણની અનેક ઘટનાઓ સાંભળવામાં આવી છે, જેમનાથી સિદ્ધ થાય છે કે આ વર્તમાન શરીરને છોડીને આત્મા નવું શરીર ધારણ કરે છે. એ સાચું કે આ કર્મપરતત્ર આત્માની સ્થિતિ ઘણું ખરું શરીર અને શરીરના અવયવોને અધીન બની રહી છે. મસ્તિષ્કના કોઈ રોગથી વિકૃત થઈ જતાં સમસ્ત અતિ જ્ઞાન વિસ્મૃતિના ગર્ભમાં ચાલ્યું જાય છે. લોહીનું દબાણ ઘટી જવાથી તેની અસર હૃદયની ગતિ અને મનોભાવો પર પડે છે. આધુનિક ભૂતવાદીઓએ પણ થાયરોડ (thyroid) અને પિટ્યુટરી (pituitary) ગ્રન્થિઓમાંથી ઉત્પન્ન થનારા હોરમોન (homone) નામક દ્રવ્યની કમી થઈ જવાથી જ્ઞાન આદિ ગુણોમાં કમી આવી જાય છે એ સિદ્ધ કર્યું છે. પરંતુ આ બધું દેહપરિમાણવાળા સ્વતંત્ર આત્મતત્ત્વને માનવામાં આવે તો જ સંભવ બની શકે છે કેમ કે સંસારી દશામાં આત્મા એટલો પરતત્ર છે કે તેના પોતાના નિજી ગુણોનો વિકાસ પણ ઇન્દ્રિયાદિની સહાયતા વિના થઈ શકતો નથી. આ ભૌતિક દ્રવ્યો તેના ગુણવિકાસમાં તેવી રીતે સહારો આપે છે જેવી રીતે ઝરૂખામાંથી જોનારા પુરુષને જોવામાં ઝરૂખો સહારો આપે છે. ક્યાંક ક્યાંક જૈન ગ્રન્થોમાં જીવના સ્વરૂપનું વર્ણન કરતી વખતે પુદ્ગલ વિશેષણ પણ જીવને આપ્યું છે, આ એક નવી વાત છે. વસ્તુતઃ અહીં એનું તાત્પર્ય એટલું જ છે કે જીવનો વર્તમાન વિકાસ અને જીવન જે આહાર, શરીર, ઈન્દ્રિય, ભાષા અને મન પર્યાપ્તિઓના સહારે થાય છે તે બધાં પૌદ્ગલિક છે. આ રીતે નિમિત્તની દષ્ટિએ જીવને પુદ્ગલ વિશેષણ આપવામાં આવ્યું છે, સ્વરૂપની દષ્ટિએ નહિ. આત્મવાદના પ્રસંગમાં જૈનદર્શને તેને શરીરરૂપ ન માનીને પૃથક દ્રવ્ય તરીકે સ્વીકારીને પણ શરીરપરિમાણ માનવામાં પોતાની અનોખી સૂઝ દેખાડી છે, અને એનાથી ભૌતિકવાદીઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપોનું નિરાકરણ થઈ જાય છે. ૧. ગીવો રા ય વા ય પાછળ મો પોપાત્ત | ધવલાટીકામાં ઉદ્ભૂત, પ્ર.પુ.પૃષ્ઠ ૧૧૮