________________
છઠ્ઠું પ્રકરણ
છ દ્રવ્યોનું વિવેચન
છ દ્રવ્યો
દ્રવ્યનું સામાન્ય લક્ષણ આ છે - જે મૌલિક પદાર્થ પોતાના પર્યાયોને ક્રમશઃ પ્રાપ્ત થાય તે દ્રવ્ય છે. દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય છે.` તેનું વિશેષ વિવેચન પહેલાં કરી દીધું છે. દ્રવ્યના મૂળ છ ભેદ છે - (૧) જીવ, (૨) પુદ્ગલ, (૩) ધર્મ, (૪) અધર્મ, (૫) આકાશ અને (૬) કાલ. આ છયે દ્રવ્ય પ્રમેય છે.
(૧) જીવદ્રવ્ય
જેને આત્મા પણ કહેવામાં આવે છે તે જીવ દ્રવ્યને જૈનદર્શનમાં એક સ્વતન્ત્ર મૌલિક માન્યું છે. તેનું સામાન્ય લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે ચૈતન્યપરિણતિ. ચૈતન્ય જ જીવનો અસાધારણ ગુણ છે જેના કારણે તે સમસ્ત જડ દ્રવ્યોથી પોતાનું પૃથક્ અસ્તિત્વ ધરાવે છે. બાહ્ય અને આભ્યન્તર કારણોથી આ ચૈતન્યનાં જ્ઞાન અને દર્શનરૂપે બે પરિણમન થાય છે. જે સમયે ચૈતન્ય સ્વથી ભિન્ન કોઈ શેયને જાણે છે તે સમયે તે જ્ઞાન કહેવાય છે અને જ્યારે ચૈતન્ય માત્ર ચૈતન્યાકાર રહે છે ત્યારે તે દર્શન કહેવાય છે. જીવ અસંખ્યાત પ્રદેશોવાળો છે. કેમ કે એનો અનાદિ કાળથી સૂક્ષ્મ કાર્યણ શરીર સાથે સંબંધ છે એટલે તે કર્મોદયથી પ્રાપ્ત શરીરના આકાર અનુસાર નાનોમોટો આકાર ધારણ કરે છે. તેનું સ્વરૂપ નિમ્નલિખિત ગાથામાં બહુ સ્પષ્ટ દર્શાવ્યું છે.
૧. અપવિત્તસત્તાવેજીખાયયયુવત્તસંગુત્ત |
મુળવં ચ સરખાય ન ત વં તિ યુજ્યંતિ રૂ।। પ્રવચનસાર.
નિયર્િ રાજ્કવિ તારૂં તારૂં સન્માનપયાડું કૈં । પંચાસ્તિકાય, ગાથા ૯.
૨. ૩પયોનો લક્ષળમ્ । તત્ત્વાર્થસૂત્ર, ૨.૮.