________________
૧૧૪
જેનદર્શન એવી અનુગતપ્રતીતિ થાય છે. તેથી બે વિભિન્ન દ્રવ્યોમાં અનુગતપ્રતીતિના કારણભૂત સાદેશ્યાસ્તિત્વને માનવું જોઈએ જે પ્રત્યેક દ્રવ્યમાં પરિસમાપ્ત થાય છે. બે વિશેષ
આ જ પ્રમાણે એક દ્રવ્યના પર્યાયોમાં કાલક્રમથી વ્યાવૃત્તપ્રત્યય કરાવનાર પર્યાય નામનો વિશેષ છે. બે દ્રવ્યોમાં વ્યાવૃત્ત પ્રત્યય કરાવનાર વ્યતિરેક નામનો વિશેષ છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યના બે પર્યાયોમાં અનુગત પ્રત્યય ઊર્ધ્વતા સામાન્યના કારણે થાય છે અને વ્યાવૃત્તપ્રત્યય પર્યાય નામના વિશેષના કારણે થાય છે. બે વિભિન્ન દ્રવ્યોમાં અનુગપ્રત્યય તિર્યસામાન્યના (સાદેશ્યાસ્તિત્વના) કારણે થાય છે તથા વ્યાવૃત્તપ્રત્યય વ્યતિરેક નામના વિશેષના કારણે થાય છે.' સામાન્યવિશેષાત્મક અર્થાત્ દ્રવ્યપર્યાયાત્મક
જગતનો પ્રત્યેક પદાર્થ આ રીતે સામાન્ય વિશેષાત્મક છે. પદાર્થનું સામાન્યવિશેષાત્મક વિશેષણ ધર્મરૂપ છે જે અનુગપ્રત્યય અને વ્યાવૃત્તપ્રત્યયનો વિષય બને છે. પદાર્થની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતા પરિણમન સાથે સંબંધ ધરાવે છે. ઉપર જે સામાન્ય અને વિશેષ ધર્મ કહ્યા છે તે તિર્યસામાન્ય અને વ્યતિરેક વિશેષ સાથે જ સબંધ ધરાવે છે. દ્રવ્યના ધ્રૌવ્યાંશને જ ઊર્ધ્વતાસામાન્ય અને ઉત્પાદવ્યયને જ પર્યાય નામનો વિશેષ કહે છે. વર્તમાન પ્રતિ અતીતનું અને ભવિષ્ય પ્રતિ વર્તમાનનું ઉપાદાન હોવું, એ સિદ્ધ કરે છે કે ત્રણે ક્ષણોની અવિચ્છિન્ન કાર્યકારણપરંપરા છે. પ્રત્યેક પદાર્થની આ સામાન્યવિશેષાત્મક્તા તેના અનન્તધર્માત્મત્વનું જ લઘુ સ્વરૂપ છે.
તિર્થસ્સામાન્યરૂપ સાદેશ્યની અભિવ્યક્તિ જો કે પરસાપેક્ષ છે પરંતુ તેનું આધારભૂત પ્રત્યેક દ્રવ્ય જુદું જુદું છે. તે ઉભયનિઇ ન હોતાં પ્રત્યેકમાં પરિસમાપ્ત છે.
પદાર્થ ન તો કેવલ સામાન્યાત્મક જ છે કે ન તો કેવલ વિશેષાત્મક જ છે. જો કેવળ ઊર્ધ્વતાસામાન્યાત્મક અર્થાત્ સર્વથા નિત્ય અધિકારી પદાર્થનો સ્વીકાર કરવામાં આવે તો તે ત્રિકાલમાં સર્વથા એકરસ, અપરિવર્તનશીલ અને કૂટસ્થ જ બની રહે. એવા પદાર્થમાં કોઈ જ પરિવર્તન ન થવાથી જગતનો સમસ્ત વ્યવહાર ૧. પાપવિવર્તવ્ય દ્રવ્ય કર્ધ્વતા કૃત્રિવ થાસતિષ પરીક્ષામુખ, ૪.૫. २. एकस्मिन् द्रव्ये क्रमभाविनः परिणामाः पर्याया: आत्मनि हर्षविषादादिवत् ।
પરીક્ષામુખ, ૪.૮ . ૩. શાળાતિર્યf gvમુણ્ડવિપુ નોર્વવત્ / પરીક્ષામુખ, ૪.૪ ૪. અર્થાન્તરતો વિપરિણામો ઐતિ મહિષાવિતું પરીક્ષામુખ, ૪.૯.