________________
પદાર્થનું સ્વરૂપ
૧૧૩ વિકસિત થયા છે, અને તેમનામાં તે સંસ્કારનું ફળ વિલક્ષણ લાલ રંગના રૂપમાં આવ્યું છે. અર્થાત આ દષ્ટાન્તમાં બધી ચીજો વસ્તૃસત્ છે, મૃષા નથી, એટલે જે સત્તાન પર બૌદ્ધ કર્મવાસનાઓનો સંસ્કાર દેવા ઇચ્છે છે અને જેને તેનું ફળ ભોગવાવવા ઇચ્છે છે તે સન્તાનને પંક્તિ સમાન બુદ્ધિકલ્પિત અર્થાત મૃષા માની શકાય જ નહિ, કે ન તો તેનો નિર્વાણાવસ્થામાં સમૂલોચ્છેદ સ્વીકારી શકાય. તેથી નિર્વાણનું જો કોઈ યુક્તિસિદ્ધ અને તાત્ત્વિક સ્વરૂપ ઘટી શકતું હોય તો તે નિરાફ્સવ ચિત્તોત્પાદરૂપ જ ઘટે છે, જેવું કે તત્ત્વસંગ્રહની પંજિકામાં (પૃષ્ઠ ૧૮૪) ઉદ્ભૂત નિમ્નલિખિત શ્લોકમાંથી ફલિત થાય છે –
चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ અર્થાત - રાગ આદિ ક્લેશોથી દૂષિત ચિત્ત જ સંસાર છે અને રાગ આદિથી રહિત વીતરાગ ચિત્ત જ ભવાન્ત અર્થાત્ મોક્ષ છે.
જ્યારે તે જ ચિત્ત સંસારાવસ્થાથી બદલાતું બદલાતું મુક્તિઅવસ્થામાં નિરાસ્રવ બની જાય છે, ત્યારે તેની પરંપરારૂપ સત્તતિને સર્વથા અવાસ્તવિક ન કહી શકાય. તેવી જ રીતે દ્રવ્યનું પ્રતિક્ષણ પર્યાયરૂપે પરિવર્તન થતું હોવા છતાં પણ જે તેની અનાદિ-અનન્ત સ્વરૂપસ્થિતિ છે અને જેના કારણે તેનો સમૂલોછેદ થઈ શકતો નથી તે સ્વરૂપાસ્તિત્વ યા ધ્રૌવ્ય છે. તે કાલ્પનિક નથી પણ પરમાર્થસત્ છે. તેને ઊર્ધ્વતાસામાન્ય કહે છે. બે સામાન્યો – ઊર્ધ્વતા અને તિર્યક | સામાન્ય બે છે – એક ઊર્ધ્વતા સામાન્ય અને બીજું તિર્યક્સામાન્ય. ઊર્ધ્વતાસામાન્યની વાત તો આપણે કરી. હવે તિર્યક્સામાન્યની વાત આપણે કરીએ. બે વિભિન્ન દ્રવ્યોમાં અનુગતવ્યવહાર કરાવનારું સાદેશ્યાસ્તિત્વ છે, તેને તિર્યક્ષામાન્ય યા સાદેશ્યસામાન્ય કહે છે. અનેક સ્વતંત્ર સત્તા ધરાવતાં દ્રવ્યોમાં ગાય ગાય” કે “મનુષ્ય મનુષ્ય” આ જાતના અનુગતવ્યવહાર માટે કોઈ નિત્ય એક અને અનેકાનુગત ગો યા મનુષ્યત્વ નામના સામાન્યની કલ્પના કરવી ઉચિત નથી કેમ કે બે સ્વતન્ન સત્તાવાળાં દ્રવ્યોમાં અનુસ્મૃત કોઈ એક પદાર્થ હોઈ શકે જ નહિ. તેને તે બે દ્રવ્યોનો સંયુક્ત પર્યાય તો કહી ન શકાય કેમ કે એક પર્યાયમાં બે અતિભિન્નક્ષેત્રવર્તી દ્રવ્યો ઉપાદાન હોતાં નથી. વળી, અનુગતવ્યવહાર તો સતગ્રહણ પછી થાય છે. જે વ્યક્તિએ અનેક મનુષ્યોમાં ઘણા અવયવોની સમાનતા જોઈને સાદેશ્યની કલ્પના કરી છે તેને તે સાદૃશ્યના સંસ્કારના કારણે “મનુષ્ય મનુષ્ય