________________
૬૮
જૈનદર્શન રૂ કપાસનાં બીજમાંથી સફેદ રંગનું ઉત્પન્ન થાય છે. પરંતુ જો કુશળ ખેડૂત લાખના રંગથી કપાસના બીજોને રંગી નાખે તો તે રંગેલાં કપાસનાં બીજમાંથી રંગીન રૂ ઉત્પન્ન થાય છે. આજ વૈજ્ઞાનિકોએ વિભિન્ન પ્રાણીઓની નસલ પર અનેક પ્રયોગો કરીને તેમના રંગ, સ્વભાવ, ઊંચાઈ અને વજન આદિમાં વિવિધ પ્રકારનો વિકાસ કર્યો છે. તેથી “ વીમવારોડક્તિ મૃત: પ્રયત્ન ?' જેવા નિરાશાવાદથી પ્રેરાઈને સ્વભાવવાદનું અવલંબન લેવું ઉચિત નથી. હા, સકલ જગતના એક નિયત્તાની ઇચ્છા અને પ્રયત્નનો જો આ સ્વભાવવાદ દ્વારા વિરોધ કરાય છે તો તેના પરિણામની બાબતમાં સહમતિ હોવા છતાં પણ પ્રક્રિયામાં અત્તર છે. અન્વય અને વ્યતિરેક દ્વારા અસંખ્ય કાર્યોના અસંખ્ય કાર્યકારણભાવ નિશ્ચિત થાય છે અને પોતપોતાની કારણસામગ્રીથી અસંખ્ય કાર્યો વિભિન્ન વિચિત્રતાઓ સાથે જોડાઈને ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી સ્વભાવનિયતતા હોવા છતાં પણ કારણસામગ્રી અને જગતના નિયત કાર્યકારણભાવ પ્રતિ આંખો બંધ કરી શકાય નહિ. નિયતિવાદ
નિયતિવાદીઓનું કહેવું છે કે જેનું જે સમયે જ્યાં જે થવાનું હોય છે તે થાય છે જ. તીક્ષ્ણ શસ્ત્રપ્રહાર થવા છતાં પણ જો મરણ થવાનું ન હોય તો વ્યક્તિ જીવિત જ રહે છે, બચી જાય છે અને જ્યારે મરવાની ઘડી આવે છે ત્યારે વિના કોઈ જ કારણ જીવનનું ઘડિયાળ બંધ પડી જાય છે.
'प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा। भूतानां महति कृतेऽपि प्रयत्ने नाभाव्यं भवति न भाविनोऽस्ति नाश: ॥
અર્થાત્ મનુષ્યોને નિયતિના કારણે જે કંઈ શુભ કે અશુભ પ્રાપ્ત થવાનું છે તે અવશ્ય જ પ્રાપ્ત થશે. પ્રાણી ગમે તેટલો પ્રયત્ન કરે પણ જે નથી બનવાનું તે નહિ જ બને અને જે બનવાનું છે તેને કોઈ રોકી શકવાનું નથી. બધા જીવોનું બધું જ નિયત છે, તે પોતાની ગતિથી થશે જ.
૧. ઉદ્ભૂત - સૂત્રકૃતાંગટીકા, ૧.૧.૨ લોકતત્વનિર્ણય, અ. ૨૯. ૨. તથા વોન્ -
“नियतेनैव रूपेण सर्वे भावा भवन्ति यत् । ततो नियतिजा ह्येते तत्स्वरूपानुवेधतः । यद् यदैव यतो यावत् तत् तदैव ततस्तथा । નિયત નાતે ચાયતુ ાન વધતું લ: '' નન્દી સૂત્રટીકા.