________________
લોકવ્યવસ્થા
૭૯ તમૂલક કાર્યકારણભાવની પરંપરાનું જ કામ છે. તેના બળે પદાર્થના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય કરી શકાય છે.
કર્મવાદ
જગતના પ્રત્યેક કાર્યમાં કર્મ કારણ છે. ઈશ્વર પણ કર્મ અનુસાર જ ફળ આપે છે. કર્મ વિના તો પાંદડું પણ હાલતું નથી. આ કર્મવાદ છે જે ઈશ્વર ઉપર આવતા વિષમતાના દોષને પોતાના ઉપર લઈ લે છે અને જે નિરીશ્વરવાદીઓનો ઈશ્વર બની બેઠો છે. પ્રાણીની પ્રત્યેક ક્રિયા કર્મથી થાય છે. જેવું કર્મ જેણે બાંધ્યું છે તેના વિપાક અનુસાર તે તે પ્રકારની તેની મતિ અને પરિણતિ સ્વયં થતી જાય છે. પુરાણું કર્મ પાકે છે અને તેના અનુસાર નવું બંધાતું જાય છે. આ કર્મનું ચક્કર અનાદિથી છે. વૈશેષિકના મતે કર્મ અર્થાત્ અદષ્ટ જગતના પ્રત્યેક અણુ-પરમાણુની ક્રિયાનું કારણ બને છે. અદષ્ટ વિના પરમાણુ પણ હલતો નથી. અગ્નિનું બળવું, વાયુનું વહેવું, અણુ અને મનની ક્રિયા આ બધું ઉપભોક્તાઓના અદષ્ટથી થાય છે. એક કાપડ જે અમેરિકામાં બની રહ્યું છે, તેના પરમાણુઓમાં ક્રિયા પણ તે કપડાના પહેરનારાઓના અદષ્ટથી જ થઈ છે. કર્મ, વાસના, સંસ્કાર અને અદષ્ટ આદિ આત્મામાં પડેલા સંસ્કારને જ કહે છે. આપણી મન, વચન અને કાયાની પ્રત્યેક ક્રિયા આત્મા પર એક સંસ્કાર છોડી જાય છે જે દીર્ઘ કાળ સુધી ટકી રહે છે અને પોતાના પરિપાકકાળમાં ફળ આપે છે. જ્યારે આ આત્મા સમસ્ત સંસ્કારોથી રહિત થઈ વાસનાશન્ય બની જાય છે ત્યારે તે મુક્ત કહેવાય છે. એક વાર મુક્ત થઈ ગયા પછી પુનઃ કર્મસંસ્કાર આત્મા ઉપર પડતા નથી.
આ કર્મવાદનું મૂળ પ્રયોજન છે જગતમાં દેખાતી વિષમતાની સમસ્યાને ઉકેલવાનું. જગતની વિચિત્રતાનું સમાધાન કર્મને માન્યા વિના થઈ શકતું નથી. આત્મા પોતાના પૂર્વકૃત યા ઈસ્કૃત કર્મો અનુસાર એવાં સ્વભાવ અને પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે જેમની અસર બાહ્યસમાગ્રી પર પણ પડે છે જેના અનુસાર તેનું પરિણમન થાય છે. આ એક વિચિત્ર વાત છે કે પાંચ વર્ષ પહેલાં બનેલા રમકડામાં હજુ તો જન્મ પણ ન પામેલા બાળકનું અદષ્ટ (કર્મ) કારણ હોય. એ તો કદાચ સમજમાં આવી પણ જાય કે કુંભાર ઘડો બનાવે છે અને તેને વેચી તે પોતાની આજીવિકા ચલાવે છે એટલે ઘડાના નિર્માણમાં કુંભારનું અદષ્ટ (કર્મ) પણ
१. अनेरूद्धज्वलनं वायोस्तिर्यग्गमनमणुमनसोश्चाद्यं कर्म तददृष्टकारितम् ।
પ્રશસ્તપાદભાગ્યબોમવતીટીકા, પૃ.૪૧૧.