________________
લોકવ્યવસ્થા
૭૩ સ્પષ્ટ લખ્યું છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવ અનુસાર ઉત્પન્ન થાય છે.” પ્રત્યેક દ્રવ્યમાં તત્કાલમાં પણ વિકસિત થનારા અનેક સ્વભાવ અને શક્તિઓ છે. તેમનામાંથી અમુક સ્વભાવનું પ્રકટ થવું યા પરિણમન થવું તત્કાલીન સામગ્રી ઉપર આધાર રાખે છે. ભવિષ્ય અનિશ્ચિત છે. કેટલાંક સ્થૂળ કાર્યકારણભાવો બતાવી શકાય છે, પરંતુ કારણે અવશ્ય જ કાર્યને ઉત્પન્ન કરવું એ તો સામગ્રીની સમગ્રતા અને અવિકલતા પર આધાર રાખે છે, “નવયૅ રનિ માર્યવન્તિ ભવન્તિ” - કારણો અવશ્ય જ કાર્યવાળાં હોય એવો નિયમ નથી. પરંતુ તે કારણો અવશ્ય જ કાર્યને ઉત્પન્ન કરશે જેમની સમગ્રતા (અવિકલતા) અને નિબંધતાની ગેરંટી હોય.
આચાર્ય કુન્દકુન્દ જ્યાં પ્રત્યેક પદાર્થના સ્વભાવાનુસાર પરિણમનની ચર્ચા કરી છે ત્યાં દ્રવ્યોના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવનો પણ સ્વીકાર કર્યો છે. આ પરાકર્તુત્વ નિમિત્તના અહંકારની નિવૃત્તિ માટે છે. કોઈ નિમિત્ત એટલે અહંકારી ન બની જાય છે તે સમજી બેસે કે મેં જ આ દ્રવ્યનું બધું જ કરી દીધું છે. વસ્તુતઃ નવું કંઈ થયું જ નથી કે તેમાં હતું જ નહિ, જે તેમાં હતું તેનો જ એક અંશ પ્રકટ થયો છે. જીવ અને કર્મપુદ્ગલના પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવની ચર્ચા કરતાં આચાર્ય કુન્દકુન્દ પોતે જ લખ્યું છે કે
जीवपरिणामहेर्नु कम्मत्तं पुग्गला परिणमंति । पुग्गलकम्मणिमित्तं तहेव जीवोवि परिणमदि ।। णवि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्तं तु कत्ता आदा सएण भावेण । પુત્રિમાણે જ હું ત્તા સવમવાનું સમયસાર, ગાથા ૮૬-૮૮.
અર્થાત્ જીવોના ભાવોના નિમિત્તથી પુદ્ગલોનો કર્મરૂપ પર્યાય થાય છે અને પુદ્ગલકર્મોના નિમિત્તથી જીવ રાગ આદિ રૂપે પરિણમન કરે છે. એટલું વિશેષ છે કે જીવ ઉપાદાન બનીને પુદ્ગલના ગુણોરૂપે પરિણમન કરી શકતો નથી અને પુદ્ગલ ઉપાદાન બનીને જીવના ગુણોરૂપે પરિણત થઈ શકતું નથી. કેવલ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સમ્બન્ધ અનુસાર બન્નેનું પરિણમન થાય છે. તેથી આત્મા ઉપાદાનદષ્ટિએ પોતાના ભાવોનો કર્યા છે, તે પુદ્ગલકર્મના જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મરૂપ પરિણમનનો કર્તા નથી. -
૧. ન્યાયબિન્દુટીકા, ૨,૪૯.- -