________________
૪૯
ભારતીય દર્શનને જૈનદર્શનનું પ્રદાન આપોધાતુ શાયદ આભ્યન્તર અને શાયદ બાહ્ય નથી કે સંભવતઃ આભ્યન્તર અને સંભવતઃ બાહ્ય નથી, કે કદાચિત આભ્યન્તર અને કદાચિત્ બાહ્ય નથી, પરંતુ સુનિશ્ચિતપણે આભ્યન્તર અને બાહ્ય ઉભય ભેદવાળો છે. “ચાત્' શબ્દ અવિવક્ષિતનો સૂચક
આમ પ્રત્યેક ધર્મવાચી શબ્દની સાથે જોડાયેલો “સ્માત’ શબ્દ એક સુનિશ્ચિત દૃષ્ટિકોણથી તે ધર્મનું વર્ણન કરીને પણ અન્ય અવિવણિત ધર્મોનું અસ્તિત્વ પણ વસ્તુમાં દ્યોતિત કરે છે. કોઈ એવો શબ્દ નથી જે વસ્તુના પૂર્ણ રૂપને સ્પર્શી શકે. પ્રત્યેક શબ્દ એક નિશ્ચિત દૃષ્ટિકોણથી પ્રયુક્ત થાય છે અને પોતાને વિવણિત ધર્મનું કથન કરે છે. આ રીતે જ્યારે શબ્દમાં વિભાવતઃ વિવક્ષા અનુસાર અમુક ધર્મનું જ પ્રતિપાદન કરવાની શક્તિ છે ત્યારે એ આવશ્યક બની જાય છે કે અવિવક્ષિત શેષ ધર્મોનું સૂચન કરવા માટે એક “પ્રતીક અવશ્ય હોય જે વક્તા અને શ્રોતાને ભૂલવા ન દે કે વસ્તુમાં વિવણિત ધર્મ ઉપરાંત અન્ય અનેક અવિવણિત ધર્મો પણ છે જ. “સ્યાત્” શબ્દ આ જ કાર્ય કરે છે. તે શ્રોતાને વિવણિત ધર્મનું પ્રધાનપણે જ્ઞાન કરાવીને પણ અવિવણિત ધર્મોના અસ્તિત્વનું ભાન કરાવે છે. આ રીતે ભગવાન મહાવીરે સર્વથા એકાંશપ્રતિપાદિકા વાણીને પણ “સ્માતુ' સંજીવની દ્વારા તે શક્તિ આપી છે જેનાથી તે અનેકાન્તને મુખ્ય-ગૌણ ભાવથી પ્રકટ યા વ્યક્ત કરી શકે. આ “સ્યાદ્વાદજૈનદર્શનમાં સત્યનું પ્રતીક બની ગયો છે. ધર્મજ્ઞતા અને સર્વજ્ઞતા
ભગવાન મહાવીર અને બુદ્ધની સામે એક સીધો પ્રશ્ન એ હતો કે ધર્મ જેવો જીવંત પદાર્થ, જેના ઉપર ઈહલોક અને પરલોકને સુધારવો કે બગાડવો નિર્ભર કરે છે, શું કેવળ વેદ દ્વારા જ નિર્તીત થાય કે તેના વિષયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદા અનુસાર અનુભવી પુરુષ પણ પોતાનો નિર્ણય આપે ? વૈદિક પરંપરાને આ બાબતમાં દઢ અને નિબંધ શ્રદ્ધા છે કે ધર્મમાં અન્તિમ પ્રમાણ વેદ છે અને જ્યારે ધર્મ જેવો અતીન્દ્રિય પદાર્થ કેવળ વેદ દ્વારા જ જાણી શકાય છે તો ધર્મ જેવા અતિસૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અન્ય પદાર્થો પણ વેદ દ્વારા જ જાણી શકાશે, તેમનામાં પુરુષનું જ્ઞાન સાક્ષાત્ પ્રવૃત્તિ કરી શકતું નથી. પુરુષો પ્રાયઃ રાગ, ષ અને અજ્ઞાનથી દૂષિત હોય છે. તેમનો આત્મા એટલો નિષ્કલંક અને જ્ઞાનવાન હોઈ શકતો નથી કે જે પ્રત્યક્ષ વડે અતીન્દ્રિયદર્શી બની શકે. ન્યાય-વૈશેષિક અને યોગ પરંપરાઓએ વેદને પેલા નિત્ય જ્ઞાનવાનું ઈશ્વરની કૃતિ માનેલ છે, જે સ્વયં