________________
४८
જૈનદર્શન વિરોધી ધર્મ તે વસ્તુમાં મળે જ છે. તેથી વિવણિત ધર્મવાચી શબ્દના પ્રયોગકાળે આપણે અન્ય અવિવલિત અશેષ ધર્મોના અસ્તિત્વને સૂચવતા “સ્માત’ શબ્દનો પ્રયોગ કરવાનું ન ભૂલવું જોઈએ. આ “સ્મા’ શબ્દ વિવણિત ધર્મવાચી શબ્દને સમસ્ત વસ્તુ પર અધિકાર જમાવતાં રોકે છે અને કહે છે કે “ભાઈ, આ સમયે શબ્દ દ્વારા ઉચ્ચારિત હોવાના કારણે જો કે તમે મુખ્ય છો, તેમ છતાં એનો અર્થ એ નથી કે પૂર્ણ વસ્તુ પર તમારો જ અધિકાર છે. તમારા અનન્ત ધર્મભાઈઓ આ જ વસ્તુના તેવી જ રીતે સમાન અધિકારી છે જેવી રીતે તમે.” સ્યા એક પ્રહરી
“સ્થાત” શબ્દ એક એવો પ્રહરી છે જે શબ્દની મર્યાદાને સંતુલિત રાખે છે. તે સંદેહ કે સંભાવનાને સૂચવતો નથી પરંતુ એક નિશ્ચિત સ્થિતિને બતાવે છે કે વસ્તુ અમુક દૃષ્ટિએ અમુક ધર્મવાળી છે જ. તેમાં અન્ય ધર્મો તે સમયે ગૌણ છે. જો કે હમેશા “યાત શબ્દના પ્રયોગનો નિયમ નથી તેમ છતાં તે સમસ્ત વાક્યોમાં અન્તર્નિહિત રહેતો હોય છે. કોઈ પણ વાક્ય પોતાના પ્રતિપાદ્ય અંશનું અવધારણ કરીને પણ વસ્તુગત શેષ અશોને ગૌણ તો બનાવી શકે છે પરંતુ તેમનું નિરાકરણ કરીને વસ્તુને સર્વથા ઐકાન્તિક બનાવી શકતું નથી કેમ કે વસ્તુ સ્વરૂપથી અનેકાન્ત અર્થાત અનેક ધર્મવાળી છે. ચાત શબ્દનો અર્થ શાયદ નથી.
સ્યા' શબ્દ હિંદી ભાષામાં બ્રાન્તિવશ “શાયદનો પર્યાયવાચી સમજાવા લાગ્યો છે. પ્રાકૃત અને પાલીમાં “સ્માતનું “સિયા' રૂપ થાય છે. તે સિયારૂપ) વસ્તુના સુનિશ્ચિત ભેદોની સાથે સદા પ્રયુક્ત થતું રહ્યું છે, જેમ કે મઝિમનિકાયના મહારાહુલોવાદસુત્તમાં આપોધાતુનું વર્ણન કરતાં લખ્યું છે કે- “તમ ગાપધાતુ?” “માધાતુ શિયા મત્તિ શિયા વહિ'' અર્થાત્ આપોધાતુ (જળ) કેટલા પ્રકારનો છે? આપોધાતુ સ્યાત્ આભ્યન્તર છે અને સ્માત બાહ્ય છે. અહીં આભ્યન્તર આપોધાતુની સાથે બસિયા' શબ્દનો પ્રયોગ આપોધાતુના આભ્યન્તર ભેદના સિવાય બીજા બાહ્ય ભેદને સૂચવવા માટે છે, અને બાહ્યની સાથે સિયા' શબ્દનો પ્રયોગ બાહ્યના સિવાય આભ્યન્તર ભેદને સૂચવે છે. અર્થાત્ આપોધાતુ ન તો કેવળ બાહ્યરૂપ છે કે ન તો કેવળ આભ્યન્તરરૂપ છે. આ ઉભયરૂપતાનું સૂચન “સિયા'-“સ્માત” શબ્દ કરે છે. અહીં ન તો “સ્યાત” શબ્દનો શાયદ અર્થ છે, ન તો સંભવ' અર્થ છે કે ન તો “કદાચિત” અર્થ છે કેમ કે