________________
૫૮
" જૈનદર્શન છે કે તેણે પ્રતિક્ષણ પરિણમન કરવું જોઈએ અને પોતાની અવિચ્છિન્ન ધારામાં અસંકરભાવે અનાદ્યનન્ત રૂપે પરિણત થતા રહેવું જોઈએ. આ પરિણમન ક્યારેક સંદશ પણ હોય છે અને ક્યારેક વિસદશ પણ હોય છે. આ પરિણમનો ક્યારેક એકબીજાના નિમિત્તથી પ્રભાવિત પણ થાય છે. આ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યરૂપ પરિણમનની પરંપરા કોઈક સમયે દીપનિર્વાણની જેમ બુઝાઈ જતી નથી. બુઝાઈ શકતી નથી. આ જ ભાવ ઉપરોક્ત ગાથામાં બાવક્સ Oિ Iણો પદોમાં દર્શાવાયો છે. કેટલુય પણ પરિવર્તન કેમ ન થાય, પરિવર્તનોની અનન્ત સંખ્યા થવા છતાં પણ વસ્તુની સત્તા નાશ પામતી નથી. તેનું મૌલિક તત્ત્વ અર્થાત્ દ્રવ્યત્વ નાશ પામી શકતું નથી. અનન્ત પ્રયત્નો કરવા છતાં પણ જગતના રંગમંચ ઉપરથી એક પણ અણુને વિનષ્ટ કરી શકાતો નથી, તેની હસ્તીને મિટાવી શકાતી નથી. વિજ્ઞાનની તીવ્રતમ ભેદક શક્તિ અણુ દ્રવ્યનો ભેદ કરી શકતી નથી. આજ જેને વિજ્ઞાને “એટમ” માન્યો છે અને જેનો ઈલેક્ટ્રોન અને પ્રોટોન રૂપે ભેદ કરીને તે એમ સમજે છે કે અમે અણુનો ભેદ કરી નાખ્યો છે, વસ્તુતઃ તે અણુ ન હોતાં સૂક્ષ્મ સ્કન્ધ જ છે અને એટલે જ તેનો ભેદ શક્ય બન્યો. પરમાણુનું તો લક્ષણ છે કે –
अंतादि अंतमज्झं अंतंतं णेव इंदिए गेज्मं । નં વિમાની રä તં પરમાણુ પતિ II નિયમસાર, ગાથા ૨૬.
અર્થાત્ પરમાણુનો આદિ પણ તે જ છે, અન્ત પણ તે જ છે અને મધ્ય પણ તે જ છે. તે ઈન્દ્રિયો વડે ગૃહીત થતો નથી, તે ઈન્દ્રિયાગોચર છે. તે સર્વથા અવિભાગી છે, તેનો ભેદ કરી શકાતો નથી, તેના ટુકડા થઈ શકતા નથી. આવા અવિભાગી દ્રવ્યને પરમાણુ કહે છે. -
सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । સો સો સો રે વિમા મુરિમવો | પંચાસ્તિકાય, ૧૭૭.
સમસ્ત સ્કન્ધોનો જે અંતિમ ભેદ છે તે પરમાણુ છે. તે શાશ્વત છે, શબ્દરહિત છે, એક છે, સદા અવિભાગી છે. અને મૂર્તિક છે. તાત્પર્ય એ કે પરમાણુ દ્રવ્ય અખંડ અવિભાગી છે. તેને છિન્નભિન્ન કરી શકાતો નથી. જ્યાં સુધી છેદન-ભેદન સંભવે છે તે સૂક્ષ્મ સ્કન્ધનાં હોઈ શકે છે, પરમાણુના નહિ. પરમાણુની દ્રવ્યતા અને અખંડતાનો સીધો અર્થ છે – તેનું અવિભાગી એક સત્તા હોવું અને મૌલિક હોવું. તે છેદાઈ ભેદાઈ બે સત્તાવાળો બની શકતો નથી. જો બને તો સમજવું કે તે પરમાણુ નથી. આવા અનન્ત મૌલિક અવિભાગી