Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ગ્રંથ ૪
[ ન્હાનાલાલથી મેઘાણી ]
શિlહe
RENE
પદાય,
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ,
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
ગ્રંથ ૪
[ન્હાનાલાલથી ઝવેરચંદ મેઘાણી ]
સંપાદકા માશકર જોશી અનંતરાય રાવળ યશવન્ત શુક્લ
સહાયક સંપાદક
ચિમનલાલ ત્રિવેદી
સાહિ
ગુજરાતી
જ
TENE
અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક રઘુવીર ચૌધરી મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાછળ આશ્રમ રેડ અમદાવાદ-૩૮૦ ૦૦૯
પ્રથમ આવૃત્તિ ૧૯૮૧
કિંમત રૂ. ૩૨–૫૦
મુદ્રક ડાહ્યાભાઈ એમ. પટેલ મધુ પ્રિન્ટરી દૂધવાળી પળ, ઘીકાંટા અમદાવાદ-૩૮૦ ૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનના અનેક નાનામોટા પ્રયતને આ પૂર્વે થયા છે, પરંતુ ચાર ગ્રંથમાં અને અઢી હજાર જેટલાં પૃષ્ઠોમાં, વિવિધ વિદ્વાનોના સહકારથી, ગુજરાતી સાહિત્યને બૃહદ્ ઇતિહાસ આલેખવાને પ્રયાસ આ પ્રથમ વાર જ થાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસનાં જે બે સ્પષ્ટ સ્થિત્યંતરે છે એને લક્ષમાં રાખીને આ ઈતિહાસલેખન હાથ ધરાયું છે.
પહેલા સ્થિત્યંતરને બે ગ્રંથોમાં વહેંચી નાખ્યું છે. પહેલા ગ્રંથમાં ગુજરાતની ભૌગોલિક અને રાજકીય-સાંસ્કૃતિક ભૂમિકા, ગુજરાતી ભાષાને વિકાસ અને સાહિત્યિક પૂર્વપરંપરા એટલું સમાવતાં ઈ. સ. ૧૧૫૦થી ઈ. સ. ૧૪૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના પ્રાચીનકાળને એમાં આવરી લેવામાં આવ્યો છે. બીજા ગ્રંથમાં ઈ.સ. ૧૪૫૦થી ઈ.સ. ૧૮૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના મધ્યકાળને આવરી લેવામાં આવે છે. એના બીજા સ્થિત્યંતરને પણ એ જ રીતે બે ગ્રંથોમાં વહેંચ્યું છે. ત્રીજા ગ્રંથમાં ગુજરાતમાં અંગ્રેજોના રાજઅમલની શરૂઆતથી પણ વિશેષતઃ દલપતરામથી કલાપી સુધીનો સમય આવરી લેવામાં આવ્યો છે. ચોથા ગ્રંથમાં ન્હાનાલાલથી ઝવેરચંદ મેઘાણી સુધીના અર્વાચીન સમયને આવરી લેવામાં આવ્યો છે. આ રીતે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને આ બૃહદ્ ઈતિહાસ એમાંની માહિતી અને માવજતથી આપણી વણપુરાયેલી જરૂરિયાતને સંતોષશે એવી આશા છે. આ થઈ કાલક્રમની દૃષ્ટિએ કરેલા કાર્યની વાત.
ઈતિહાસ કદી પૂરે થતો નથી એટલે ક્યાંક તો અટકવું જોઈએ એમ કરીને સ્વ. ઝવેરચંદ મેઘાણી આગળ આવીને આ ઇતિહાસ અટકે છે. તેમ છતાં પાંચમા ભાગ માટે જે સરકાર તરફથી આર્થિક સહાય મળશે તે અઘતન સમય સુધી આવવાની પરિષદની ભાવને છે. આ માટે પ્રયત્ન ચાલુ છે. તદુપરાંત ભિન્નભિન્ન સાહિત્યસ્વરૂપનો વિકાસઈતિહાસ પણ તેમાં સમાવાશે, અને છતાં માહિતી ઝાઝી બેવડાય નહિ એની કાળજી રખાશે.
આ ઈતિહાસ-લેખન આપણા ભિન્નભિન્ન વિદ્વાન લેખકે દ્વારા થયું છે. એટલે, એક કલમે લખાતા સળંગ ઈતિહાસ-લેખન કરતાં આ પ્રયત્ન સ્વાભાવિક રીતે જ જુદે પડવાને. અલબત્ત, સંપાદન દ્વારા એમાં શક્ય એટલી એકવાક્યતા સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે. વાચકની સહાયથી મનભાવની એકવાક્યતા. જળવાશે એવી શ્રદ્ધા પણ છે. તેમ છતાં, સર્વત્ર એ જળવાય એ અપેક્ષા સંપૂર્ણ પણે સંતોષી ન પણ શકાય, પણ એમાં વ્યક્ત થયેલ વિવિધ દૃષ્ટિકો અને
Page #5
--------------------------------------------------------------------------
________________
અભિરુચિઓ પણ એક આનુષંગિક લાભ જ છે. આ કાર્યને ન્યાય આપી શકે એવા લગભગ બધા ઉત્તમ વિવેચકોને સહકાર ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રાર્થેલે છે. અમને જણાવતા આનંદ થાય છે કે આપણું વિદ્વાનોએ આ કાર્યમાં ઉમંગભેર સહકાર અમને આપ્યો છે. એ સર્વ વિદ્વાનેને પરિષદ તરફથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
સાહિત્યનો ઈતિહાસ આલેખવો એ એક સાહસ છે. જીવંત લેખકની મનઃસૃષ્ટિને પાર પામવો એ જ જે દોહ્યલું કામ હોય તે જેઓ હયાત નથી એમને વિશે માહિતી તારવવી અને અનુમાન સારવવાં એ તો ખરેખરું કપરું કામ છે. પરિણામે, સર્જનને સામાજિક સંદર્ભમાં મૂકી આપીને સમગ્ર પ્રજાના જીવનમાં તેના, આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવકથિત, “વાય ચિંતન્ય’ના આવિભવને આલેખ આપીને કૃતાર્થતા અનુભવી રહે છે. સાહિત્યના ઈતિહાસે કર્તા અને કૃતિની મુલવણીનું વિવેચનકાર્ય પણ કરવાનું રહે છે. અનેક લેખકોને સહકાર મેળવીને સાહિત્યને ઈતિહાસ તૈયાર કરવાનું હોય ત્યારે એને વિવેચનઅંશ વિશેષપણે એકધારે કેટલે ઊપસી આવે એ જોવાનું રહે. બાકી ઝાઝા હાથે તૈયાર થયેલે ઈતિહાસ તત્ત્વતઃ વર્ણનાત્મક રહેવાને.
આ કાર્યમાં પરિષદને પ્રેરવાને માટે સૌ પ્રથમ આભાર ગુજરાત રાજ્યના એ સમયના મુખ્ય મંત્રીશ્રી સ્વ. બળવંતરાય મહેતાને માનવાનો રહે છે. પરિષદના કાર્યવાહકેને સામેથી સંપર્ક સાધીને એમણે કરવા જેવાં કામોની અને કામ ઉપાડી શકે એવી સંસ્થાઓની ટીપ માગેલી અને ધરખમ આર્થિક સહાયનું વચન પણ આપેલું. એ પ્રમાણે અનેક સંસ્થાઓ પાસેથી એમણે સૂચને પણ માગેલાં. ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઈતિહાસનું આ કાર્ય એમના પ્રોત્સાહનનું જ એક ફળ છે. સામાન્ય વહીવટવિભાગના તા. ૭–૧૦–૧૯૬૭ના સરકારી ઠરાવ નં. પરચ-૧૦૬૬-૬૭૯૭–આ–થી ગુજરાત સરકારે ચોથી પંચવર્ષીય યેજના હેઠળની યેજના નં. ૫૦૩ અનુસાર વિધિસર આ કાર્ય પરિષદને સોંપ્યું હતું. આ સ્થાને અમે સ્વ. બળવંતરાય મહેતાની સાહિત્ય-સંસ્કારપ્રીતિનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ અને ગુજરાત સરકારને માતબર આર્થિક અનુદાન માટે આભાર માનીએ છીએ.
સરકારશ્રીની આ અનુદાનયોજના મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદની એ સમયની કાર્યવાહક સમિતિએ એમની તા. ૧૪-૧૧-૬૭ની બેઠકમાં સાહિત્યના ઈતિહાસલેખન અંગે માર્ગદર્શન આપવા નીચેના સભ્યોની નિયુક્તિ કરી હતી?
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શ્રી રસિકલાલ પરીખ
શ્રી જયાતીન્દ્ર દવે
શ્રી ઉમાશકર જોશી
શ્રી ડેાલરરાય માંકડ
શ્રી અન"તરાય રાવળ
શ્રીયશવન્ત શુકલ શ્રી રામપ્રસાદ બક્ષી
શ્રી ભાગીલાલ સાંડેસરા શ્રી મનસુખલાલ ઝવેરી
શ્રી કેશવરામ શાસ્ત્રી શ્રી હરિવલ્લભ ભાયાણી
આ સમિતિએ પ્રથમ શ્રી ઉમાશ`કર જોશી અને શ્રી યશવન્ત શુકલની મુખ્ય સંપાદકા તરીકે નિયુક્તિ કરી હતી અને પાછળથી શ્રી અનંતરાય રાવળની સેવાએ પણ સપાદનકાર્ય માટે માગી લીધી હતી. સલાહકાર સમિતિએ વખતાવખત ચર્ચાવિચારણા કરીને આ યેાજના હેઠળ ચાર ગ્રંથેામાં ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત, પ્રત્યેક ગ્રંથની રૂપરેખા તૈયાર કરીને જુદાજુદા વિદ્વાનાને આ કામ માટે નિમ ંત્રણ આપવાનું ઠરાવ્યું હતું. એ મુજબ આપણા વિદ્વાન અભ્યાસીઓને ગુજરાતી સાહિત્યના તિહાસનાં જુદાંજુદાં પ્રકરણા કે એના અશા તૈયાર કરી આપવાની વિનંતી કરવામાં આવી હતી. સલાહકાર સમિતિના માર્ગદર્શન મુજબ તૈયાર થયેલી યેાજનાનેા આ ચેાથા
ગ્રંથ આજે પ્રગટ થાય છે.
ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રીની કચેરીએ તથા તેના અધિકારીઓએ અમને વખતાવખત માદન અને સહકાર આપીને અમારું કામ સરળ બનાવ્યું છે, એ માટે અમે એમના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સ્વ. જયન્તી દલાલે તેમ જ ગુજરાત રાજ્યના અનેક મંત્રીશ્રીઓએ તથા સચિવશ્રીઓએ સસ્કારપ્રીતિને વશ થઈ આ કાને આગળ ધપાવવામાં પુષ્કળ અંગત રસ લીધેા હતા એ માટે એમના અમે ઋણી છીએ. મધુ પ્રિન્ટરીના સંચાલકોએ આ ગ્રંથના છાપકામ અંગે કરી આપેલી સુવિધા માટે એમના પણ અમે આભારી છીએ.
ગુજરાતની સાહિત્યરસિક પ્રજાને આ ઇતિહાસગ્રન્થેા ઉપયેગી લાગશે તા ગુજરાતી સાહિત્ય પરિષદ કૃતાતા અનુભવશે.
અમદાવાદ
૨-૧૦-૧૯૮૧
ઉસાશકર જોશી અને તરાય રાવળ યશવન્ત શુલ
સપાદકા
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ ભૂમિકા
ર
3
४
૫
ન્હાનાલાલ
ક્રમ
અને તરાય રાવળ
ખબરદાર અને અન્ય કવિએ
ખબરદાર ૧૦૧
અને તરાય રાવળ
કનૈયાલાલ મુનશી
અન્ય ગદ્યલેખકે–૧
ધર્મેન્દ્ર માસ્તર
એટાદકર’ આદિ કવિએ ૧૧૫
ચન્દ્રશકર ભટ્ટ
‘લલિત' આદિ કવિએ ૧૩૫
ચિમનલાલ ત્રિવેદી
વિનેદ અધ્વર્યું
‘મલયાનિલ’ આદિ વાર્તાકાર ખટુભાઈ આદિ નાટચલેખકા
૨૦૦
જ્યાતીન્દ્ર આદિ હાસ્યલેખકા ૨૦૪. નવલકથા-લેખકા ૨૧૩
ચરિત્ર-લેખકા ૨૧૬
સ્ત્રી-લેખકા ૨૧૮
અન્ય લેખકા ૨૨૦
-નિબંધ, વિવેચન, સશોધન-સપાદન આદિ ૨૨૦
૧૯૮
ધીરુભાઈ પરીખ, ભૂપેન્દ્ર ઉપાધ્યાય, ચિમનલાલ ત્રિવેદી
જૂની રંગભૂમિના લેખકા ૨૩૯
જશવંત ઠાકર
પૃષ્ઠ
૧
૧૨
૧૦૧
૧૫૫
૧૯૮
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૫૭
૩૩૮
૬ ગાંધીજી
ચી. ન. પટેલ ૭ કાલેલકર
પ્રમોદકુમાર પટેલ ૮ કિશોરલાલ મશરૂવાળા
અમૃતલાલ યાજ્ઞિક ૯ અન્ય ગદ્યલેખકે-૨
પંડિત સુખલાલ સંઘવી ક૬૦ સ્વામી આનંદ ૩૬૩ મુનિ જિનવિજયજી ૩૬૭ બેચરદાસ દેશી ૩૭૧ મહાદેવભાઈ દેસાઈ ૩૭ર અન્ય લેખકો ૩૮૩ -કેળવણી, બાલસાહિત્ય આદિ ૩૮૩ -ચરિત્ર, અનુવાદ, સંપાદન આદિ ૩૯૧
ભોગીલાલ સાંડેસરા, કૃષ્ણવીર દીક્ષિત,
મોહનભાઈ પટેલ, ચિમનલાલ ત્રિવેદી ૧૦ રામનારાયણ પાઠક
ચન્દ્રકાન્ત શેઠ ૧૧ રામપ્રસાદ બક્ષી, વિજયરાય વૈદ્ય,
રસિકલાલ પરીખ, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ
રામપ્રસાદ ૪૩૭ વિજયરાય ૪૪૧ રસિલાલ ૪૫૦ વિશ્વનાથ ૪૫૭ વિષષ્ણુપ્રસાદ ૪૬૪ ડોલરરાય ૪૩૦
રમણ સોની ૧૨ રમણલાલ વ. દેસાઈ, ચૂનીલાલ વ. શાહ, ગુણવંતરાય આચાર્ય
રમણલાલ ૪૭૯ ચૂનીલાલ ૫૦૪ ગુણવંતરાય ૫૦૬
મધુસૂદન પારેખ
૪૦૧
૪૩૭
४७८
Page #9
--------------------------------------------------------------------------
________________
૫૦૯
૫૩૬
૧૩ ધૂમકેતુ
દિલાવરસિંહ જાડેજા ૧૪ ઝવેરચંદ મેઘાણી -
દિનેશ કોઠારી સંદર્ભસૂચિ શબ્દસૂચિ (કર્તા અને કૃતિ) -સામયિકે ૬૩૯ -અંગ્રેજી શબ્દસૂચિ ૬૪૧ શુદ્ધિપત્રક
૫૬૪
૫૭૦
૬૪૨
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧
ભૂમિકા “કલાપી'ના અવસાન અને ન્હાનાલાલના સાહિત્યક્ષેત્રે પ્રાગટયની સાથે આપણે ઈસવી વીસમા શતકમાં પ્રવેશીએ છીએ. બ્રિટિશ શાસનના આરંભ પછી મિશનરીઓની તેમ સરકારી નિશાળે, યુનિવર્સિટીશિક્ષણ, મુદ્રણયંત્ર, છાપખાનાં, વર્તમાનપત્રો ને સામયિકો, નાટકશાળા ને રંગભૂમિ, પુસ્તકાલયો, કેળવણી, સંસારસુધારો, ધર્મજાગૃતિ અને સાહિત્યના વિકાસ અથે શરૂ થયેલી સંસ્થાઓ – એ સર્વને પ્રતાપે આપણું “અચલાયતનને દરવાજે ઊઘડી જઈ નવી પ્રાણદાયી હવાને સંચાર થતાં દેશ સમસ્તમાં તેમ આપણે ત્યાં ફુરેલી નવજાગૃતિને ઉત્સાહી મૌધ્યકાળ પૂરો થઈ ગત શતકના સમાપ્તિકાળે જૂના-નવાને દષ્ટિભેદ વિગ્રહ પતાવી સ્વસ્થતા, સમતુલા અને સમન્વયને માર્ગે ચાલતો થઈ ગયો હતો. સંસારસુધારાએ ઉત્તરવયના નર્મદ અને મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર આદિને પ્રતાપે પોતાનું ઉચ્છેદક સ્વરૂપ છેડી યુગાનુરૂપ આચારપરિવર્તન અને વિવેકપૂત બુદ્ધિવાદની દિશા પકડી હતી. ધર્મક્ષેત્રે નર્મદ, મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર, નૃસિંહાચાર્ય, નથુરામ શર્મા આદિ પુરુષવિશેષોની. લેખનપ્રવૃત્તિને લીધે પરંપરાગત ધર્મ-તત્ત્વજ્ઞાન પ્રતિ સમજદારીપૂર્વકની અભિમુખતા વધતી જવાની સાથે નવી કેળવણી પામેલા આસ્તિકોને આકર્ષનારી બંગાળની બ્રહ્મસમાજને અનુસરતી પ્રાર્થનાસમાજ, સ્વામી દયાનંદસ્થાપિત આર્યસમાજ અને થિયોસોફિકલ સોસાયટીએ પ્રેરેલા ચેતનને જુવાળ પણ ઓસર્યો ન હતો. રાષ્ટ્રીય અસ્મિતાને ઉદય થવા માંડતાં રાષ્ટ્રીય મહાસભા, જે પ્રથમ તે પ્રજાની અગવડો તથા ફરિયાદ વિદેશી રાજકર્તાઓને કાને નાખવા સ્થપાઈ હતી, તે રાજકીય સુધારા અને પ્રજાને માટે વિશેષ હક માગતી થવા માંડી હતી. આપણું સાહિત્ય યુનિવર્સિટીશિક્ષણને લીધે અંગ્રેજી, સંસ્કૃત અને ફારસી સાહિત્યને વ્યાપક તેમ ઊંડો અભ્યાસ વધતો જતાં તે ત્રણેની ગ્રાહ્ય અસરો ઝીલી ગદ્ય અને પદ્ય ઉભય ક્ષેત્રે નવું તેજ બતાવવા સાથે આવી સામાજિક, ધાર્મિક, રાજકીય પ્રવૃત્તિઓ અને વિચારપ્રવાહની પ્રેરણું ઝીલતું અને પિતાનામાં તેને પ્રતિબિંબિત કરતું જતું હતું.
સંકે પટાયો તે પહેલાં ગુજરાતી સાહિત્ય કેટલીક નોંધપાત્ર પ્રગતિ કરી
Page #11
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ લીધી હતી. કવિતામાં રાસા, પ્રબંધ, ફાગુ, આખ્યાન, પદ્યવારતા, કાકા, મહિના કે બારમાસી, થાળ, આરતી વગેરેનું સ્થાન પાશ્ચાત્ય શિલીનાં ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, કરુણપ્રશસ્તિ, સોનેટ, ગઝલ વગેરે નવાં સ્વરૂપ લીધું તે સાથે કવનવિષયો અને કવિઓની દષ્ટિ પણ પલટાયાં. વૈરાગ્ય, ભક્તિ અને નીતિઉપદેશનું મધ્યકાળનું લગભગ એકવિધ ગાણું સાવ અદશ્ય તો ન થયું, પણ કવિતાએ ઈશ્વર ઉપરથી નજર માનવી ભણું વાળતાં સંસારી રસનું ગાન કશાં શરમ સંકોચ વિના ગવાતું થયું અને પ્રતિષ્ઠા પણ પામ્યું. જીવનના આનંદની ઉપાદાનભૂત સામગ્રી જેવાં પ્રણય અને પ્રકૃતિ કવિતાના કવનવિષય તરીકે પ્રતિષ્ઠિત બન્યાં. રાષ્ટ્રીય અસ્મિતાના ઉદયે સ્વભૂમિનાં સૌંદર્ય-ગૌરવના ગાનને વિષય પણ ઉમેરી આપ્યો. આ સાથે અર્વાચીન ગુજરાતી કવિતાએ ઈશ્વરને સાવ વિસારે પાડી દીધે નહિ, પરંતુ ભક્તિભાવની એની નિરૂપણરીતિ નવી જીવન-હવાને અનુરૂપ અવશ્ય બદલાઈ. દલપતરામ, નર્મદાશંકર, ભેળાનાથ, બાળાશંકર, મણિલાલ, હરિલાલ, ભીમરાવ, નરસિંહરાવ, ગોવર્ધનરામ, કાન્ત', “કલાપી” આદિના કાવ્યસર્જન દ્વારા ગુજરાતી કવિતાએ પિતાની વિકાસક્ય આરંભી દીધી હતી. ગદ્યમાં નર્મદની તેજસ્વી શરૂઆત પછી નંદશંકર, નવલરામ, મણિલાલ, ગોવર્ધનરામ, નરસિંહરાવ, કેશવલાલ ધ્રુવ, રમણભાઈ, આનંદશંકર અને કાન્ત” આદિની કલમે ગુજરાતી ગશે ચમત્કારિક વિકાસ સાધી બતાવ્યો હતો. ગદ્ય-સાહિત્યપ્રકારોમાં નવલકથામાં નંદશંકર અને ગોવર્ધનરામ, નાટકમાં રણછોડભાઈ, નવલરામ તથા મણિલાલે, ચરિત્રમાં મહીપતરામ, નવલરામ અને ગોવર્ધનરામે, નિબંધમાં નર્મદ, નવલરામ, મણિલાલ, રમણભાઈ અને નરસિંહરાવે અને સાહિત્યવિવેચનમાં નર્મદની જરા જેવી શરૂઆત પછી નવલરામ, મણિલાલ, રમણભાઈ, નરસિંહરાવ અને આનંદશંકરે ગણનાપાત્ર ફાળો ગત શતકના અંત પહેલાં નોંધાવી દીધો હતો. ભાષાના અભ્યાસમાં વ્રજલાલ શાસ્ત્રી, કેશવલાલ ધ્રુવ આદિની અને ઈતિહાસ-પુરાતત્ત્વમાં ભગવાનલાલ ઇંદ્રજીને હાથે કેટલુંક ઉપયોગી કામ થયું હતું. રમણભાઈ પાસેથી કાવ્યતત્ત્વચર્ચા ઉપરાંત “ભદ્રભદ્ર' દ્વારા હાસ્યરસની લહાણ ગુજરાતને મળી હતી. મેઘદૂત’, ‘માલતીમાધવ’, ‘ઉત્તરરામચરિત’, ‘શાકુન્તલ', “મુદ્રારાક્ષસ”, “ગીતગોવિંદ', કાદંબરી' આદિ સંસ્કૃત કાવ્યનાટકાદિના અનુવાદ પણ ગુજરાતને મળ્યા હતા.
ગત શતકના ઉત્તરાર્ધથી શરૂ થયેલ અર્વાચીન ગુજરાતી સાહિત્ય પ્રારંભના પાંચ દાયકામાં બે પ્રકારને લેખકવર્ગ દેખાડે છે. ઈ. સ. ૧૮૫થી ૧૮૮૦ સુધીના ગાળામાં લેખકે અંગ્રેજી પદ્ધતિની પણ ગુજરાતી ભાષા દ્વારા શાળાકેળવણુ પામેલા અને અંગ્રેજી ભાષા સાથે તેવું શિક્ષણ પામેલા એમ બે પ્રકારના હતા. એ ઉભય વગે હાથમાં કલમ પકડેલી તે નવશિક્ષણજન્ય જાગૃતિ અને
Page #12
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
[ ૩ ઉત્સાહથી પ્રેરાઈને અને લેકેને સુધારવા અને પ્રગતિને પંથે ચડાવવાની ભાવનાથી. આથી તે ગાળાનું કવિતા, વાર્તા, નાટક, નિબંધ વગેરેમાં થયેલું સર્જન બહુધા લેકશિક્ષણના ધ્યેય કે ઉદ્દેશને વરેલું અને તેથી સુધારાલક્ષી કે લેકબેધક બન્યું હતું. સંસારસુધારે જ સાહિત્યનું મોટું પ્રેરક બળ બની જઈએ ગાળાનું આપણું સાહિત્ય એ યુગધર્મનું જ વાહન કે પ્રચારસાધન બની ગયું હતું. ૧૮૮૦ પછી યુનિવર્સિટીના પદવીધો સાહિત્યક્ષેત્રે પ્રવેશ્યા તેની સાથે સાહિત્યદષ્ટિ એટલે કલાદષ્ટિ વધતી ચાલી અને લખાણમાં પ્રગટ થતી વિચારણુમાં મુગ્ધ ઉત્સાહને સ્થાને સ્વસ્થતા અને પફવતા, તથા વિદ્વત્તામાં ઊંડાણ તથા વ્યાપકતા આવ્યાં, જે કારણે તેમના લેખનકાળને પંડિતયુગ” એવું આદરસૂચક નામ આપણે ત્યાં આ શતકમાં અપાયું ને વપરાતું થયું છે. એને મુકાબલે જેને જગૃતિયુગ કે સંસારસુધારાયુગ કહેવાય છે તે આગલા અઢીત્રણ દાયકાના સાહિત્યમાં વિષય પરવે કશા વિધિનિષેધ કે નિયંત્રણ વિનાની પૂરી લોકશાહી પ્રવર્તતી હતી અને ભાષા પણ બેલચાલની નજીકની આમવર્ગની મોટેભાગે હતી. પંડિતયુગમાં રસરુચિ વધુ પરિષ્કૃત બનતાં કવિતા તેમ અન્ય સર્જનાત્મક સાહિત્યમાં વિષય પરત્વે કાવ્યોચિત કે સાહિત્યચિત કક્ષાને આગ્રહ વધતાં પસંદગી અને સીમિતતા આવ્યાં અને ભાષા પર શિષ્ટતા અને ગૌરવ માટે પક્ષપાત વધતાં તેમાં સંસ્કૃતપ્રચુરતા આવી. “ભદ્રંભદ્ર'ના લેખકને એના અતિગની મશ્કરી કરવી પડી હતી.
૧૯મા શતકના અંત સાથે પંડિતયુગની સમાપ્તિ થઈ ગઈ નહિ, એણે એક શતકમાંથી બીજામાં પદાર્પણ કર્યું એટલું જ. એના મહારથીઓમાંથી મણિલાલે ૧૮૯૮માં અને ગોવર્ધનરામે ૧૯૦૭માં વિદાય લીધી, પણ નરસિંહરાવ, કૃશવલાલ, રમણભાઈ, આનંદશંકર, બળવંતરાય આદિની લેખિની ચાલુ શતકમાં ચાલતી રહી. કેશવલાલ ધ્રુવનાં “વિક્રમોર્વશીય અને ભાસનાં નાટકોનાં ભાષાંતર તથા અભ્યાસ-સંશાધન-પૂર્ણ ઉપઘાતો અને ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના'ને ગ્રંથ, રમણભાઈનું “રાઈને પર્વત' નાટક તથા સાહિત્યવિવેચન, ધર્મ અને સંસારસુધારા પરના લેખે, આનંદશંકરના ધર્મ, સાહિત્ય, કેળવણી આદિ પરના લેખો અને તેમનાં પુસ્તકે, નરસિંહરાવના વિલ્સન-ભાષાશાસ્ત્ર વ્યાખ્યાને, “સ્મરણમુકુર', “મનમુકુર', “અભિનયકલા આદિ પુસ્તકો, બળવંતરાય ઠાકોરના કાવ્યસંગ્રહે, વાર્તાસંગ્રહ, અનુવાદ અને સાહિત્યવિવેચનનાં પુસ્તકે, નર્મદાશંકર મહેતાના ભારતીય તત્વજ્ઞાનના તથા ઉપનિષવિચારણું અને શાક્ત સંપ્રદાય પરનાં પુસ્તકે ચાલુ શતકના પૂર્વાર્ધમાં મળ્યાં છે. ન્હાનાલાલનું સમગ્ર સર્જન પણ આ સમયાવધિનું. એમની જેમ જેમના કાવ્યસર્જનની
Page #13
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ગ્રં. ૪ શરૂઆત ઈ. સ. ૧૯૦૦ પહેલાં થઈ ચૂકેલી તે ખબરદાર, બેટાદકર, લલિત આદિની ખરી કવિતાપ્રવૃત્તિને કાળ પણ આ. પંડિતયુગના ‘કાન્ત’ની કવિતા પૂર્વાલાપરૂપે સાહિત્યરસિકેના હાથમાં આવી તે આ જ કાળમાં. આ કાળમાં રણજિતરામ, ચંદ્રશંકર પંડ્યા, ઉત્તમલાલ ત્રિવેદી, કાન્તિલાલ પંડયા, અંબાલાલ જાની આદિએ પંડિતયુગની પ્રણાલીને પિતાપિતાની શક્તિ ને રીત મુજબ ચાલુ રાખી, તે ૧૯૨૦ પછી શરૂ થયેલા ગાંધીયુગે પણ પંડિત સુખલાલ, મુનિ જિનવિજય, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, રામનારાયણ પાઠક, રસિકલાલ પરીખ, દુર્ગાશંકર શાસ્ત્રી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય, રામલાલ મોદી, ઉમાશંકર જોશી, ભોગીલાલ સાંડેસરા, કેશવરામ શાસ્ત્રી આદિ જેવા વિદ્વાને દેખાડ્યા છે.
ભારતમાં અંગ્રેજોના આગમન પછીને બીજે મહત્ત્વને બનાવ આ સમયવધિમાં ભારતના વિચારક્ષેત્ર તથા કાર્યક્ષેત્રમાં થયેલું ગાંધીજીનું આગમન છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં વિજયી સત્યાગ્રહથી ભારતનું ગૌરવ વધારીને સ્વદેશને પિતાની કર્મભૂમિ બનાવવા ૧૯૧૫માં ભારત આવ્યા ત્યારથી તેમના ૧૯૪૮માં થયેલા અવસાન સુધીને ત્રણ દાયકા ઉપરને ગાળો ૧૯૨૦-૨૨, ૧૯૩૦-૩૨ અને ૧૯૪રની રાષ્ટ્રના મુક્તિસંગ્રામની તેમના નેતૃત્વ નીચે લડાયેલી પ્રજાની ત્રણ સત્યાગ્રહ-લડતો અને તેના ફલસ્વરૂપ સ્વરાજપ્રાપ્તિથી તેમ એમના વિચારોના પ્રભાવથી એવો ભર્યોભર્યો છે કે તેને ગાંધીયુગ નામથી નિસંકેચ નવાજી શકાય, ઈતિહાસ તેમ સાહિત્ય બંનેમાં. ગુજરાત માટે એ આનંદ અને ગૌરવને વિષય છે કે ગાંધીજીનું ઘણું કામ ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં થયેલું, છે. હિંદ સ્વરાજ' પુસ્તિકામાં સ્વરાજની પિતાની ભાવના પ્રગટ કરી તેના છેલ્લા વાક્યમાં એને ખાતર આ દેહ અર્પણ છે એવા સંકલ્પ કે પ્રતિજ્ઞા સાથે ભારતમાં આવતાં પિતાને પ્રજને કંઈક કહેવું છે એવા આત્મવિશ્વાસથી એમણે ‘નવજીવન’ શરૂ કર્યું તેમાં ભાષાનું ધારણ અલ્પશિક્ષિત અને અશિક્ષિત માણસ પણ તે સમજી શકે એવું તેમણે રાખ્યું. એમના શીલને પ્રતિબિંબતી સીંધી, સાદી, અનાડંબરી, મિતાક્ષરી અને છતાં ચોટ ને ભાવવાહિતામાં જરાય ઊણી ન ઊતરતી એવી એમની ગદ્યશૈલીએ ભાષાની સાદાઈને ન જ આદર્શ પૂરો પાડી શબ્દવિલાસી, આડંબરી અને ભારેખમ પાંડિત્યશૈલીને મોહ દૂર કરવાનું કાર્ય સાહિત્યક્ષેત્રે બજાવ્યું છે. એ શૈલીમાં લખાયેલ એમની “સત્યના પ્રયોગો' નામક આત્મકથા અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ” એ બે સર્જનાત્મક અંશથી દીપતી કૃતિઓ ઉપરાંત જીવનની સર્વક્ષેત્રી વિચારણા કરતા ચિંતનાત્મક લેખો અને પાનું તેમનું વિપુલ સાહિત્ય પણ ગુજરાતી વાડ્મયને તેમનું સ્મરણીય.
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્ર.૧].
ભૂમિકા અર્પણ છે. એમના પિતાના લેખન ઉપરાંત મહાદેવ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર આદિ તેમના અંતેવાસીઓના તેમ જ એમણે સ્થાપેલી રાષ્ટ્રીય શિક્ષણની ગૂજરાત વિદ્યાપીઠે આપેલા રામનારાયણ પાઠક, “સ્નેહરશ્મિ', સુંદરમ' આદિ સાહિત્યકારોના સાહિત્યનો લાભ ગુજરાતને મળ્યો છે તે પણ ઓછા નથી. આ સૌથી વિશિષ્ટ સેવા ગાંધીજીની એ કહેવાય કે તેમની ઈચ્છા, સૂચના અને આગ્રહથી તૈયાર થયેલા જોડણીકોશ” દ્વારા ગુજરાતી ભાષાની જોડણીમાં એકરૂપતા આવી અને તેમાંની અતંત્રતા, મનસ્વિતા કે વિવિધતા કાયમ માટે અદશ્ય થઈ.
લેખકની ભાષામાંથી વાણીવિલાસ અને મેદ ઓછાં થવાનું વલણ ચાલુ શતકના આરંભથી શરૂ થઈ ગયું હતું, જેણે ગાંધીજીના આગમન પહેલાં ભાષાની સાદગી માટેની હવા કે વાતાવરણ ઊભું કરવામાં ઠીક ભાગ ભજવ્યો છે. ગોવધનરામના અવસાનવર્ષ ૧૯૦૭થી એક દાયકા સુધી સામાજિક નવલકથાઓ આપનાર ભેગીન્દ્રરાવ દિવેટિયાની ભાષા અને લખાવટ સાદાઈ અને સરળતાનું દર્શન કરાવે છે. બીજા દશકાથી સાહિત્યક્ષેત્રે પ્રવેશનાર કનૈયાલાલ મુનશીએ પણ સાદી અને ઓછી સંસ્કૃતમય ભાષામાં પણ કથનની સરસતા અને સચેતા તથા અંગ્રેજી ગદ્યની વાછટા લાવી શકાય છે એ પિતાને સાહિત્યસર્જનથી બતાવ્યું છે. યુનિવર્સિટીની જ્ઞાનગંગાને પ્રજાના આંગણા સુધી પહોંચાડવાના અભિલાષને વરેલું આનંદશંકર ધ્રુવનું ‘વસંત” પંડિતભાગ્ય હતું તેટલું લેકભોગ્યા બનવા પણ મથતું હતું, અને બંધુસમાજના “સુંદરી સુબોધે તથા મટુભાઈ કાંટાવાળાના “સાહિત્ય લેકભોગ્ય સરળતાને ઉપાસી અને અપનાવી હતી. હાજી મહમદના લોકપ્રિય માસિક વીસમી સદીને પંડિતશૈલી પોસાય એમ હતું નહિ. વાંધીજી આવતાં રહ્યો સહ્યો પાંડિત્યમહ પણ ગયો.
વિષયની દષ્ટિએ સમાજસુધારણું એ દલપત-નર્મદયુગ કે જાગૃતિયુગના સાહિત્યનું પ્રધાન લક્ષણ કે સંદેશ હતો, તે ત્યાર પછીના પંડિતયુગ અને ગાંધીયુગમાં પણ ચાલુ રહે છે. ગોવર્ધનરામનાં “સ્નેહમુદ્રા” અને “સરસ્વતીચંદ્ર', રમણભાઈનાં “ભદ્રંભદ્ર' અને “રાઈને પર્વત', ભોગીન્દ્રરાવની નવલકથાઓ, ન્હાનાલાલનાં ‘વસંત્સવ', “ઈન્દુકુમાર” અને “જય અને જયંત', મુનશીની નવલિકાઓ તથા “વેરની વસૂલાત’, ‘કાને વાંક' જેવી નવલકથાઓ, મેઘાણીની “ચિતાના અંગારા'ની વાર્તાઓ અને પેટલીકર સુધીના ઘણા લેખકોની કૃતિઓ એ બતાવી આપે છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં શરૂ થયેલ સંક્રાન્તિકાળ કંઈ પૂરો થઈ ગયો નથી અને આપણું સામાજિક પ્રશ્નો બહુધા એના એ જ
Page #15
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[
. ૪
રહ્યા છે. ગાંધીજી દ્વારા થયેલી વિચારક્રાતિમાં પણ સમાજસુધારણું આવી જતી હતી.
ધર્મક્ષેત્રે ગયા શતકના ઉત્તરાર્ધમાં પ્રાર્થનાસમાજ, આર્ય સમાજ અને થિયોસેફિકલ સોસાયટીએ આણેલ ચેતન ચાલુ શતકના પહેલા બેઅઢી દાયકા સુધી સક્રિય રહ્યું જણાય છે. “જ્ઞાનસુધા'ની સામગ્રી અને ભોળાનાથ દિવેટિયા તથા તેમના પુત્રો અને રમણભાઈનું સાહિત્ય તેમ જ ન્હાનાલાલનું શરૂઆતનું સાહિત્ય પ્રાર્થનાસમાજની અસર દેખાડે છે. થિયોસેફીએ મણિલાલને અને ખ્રિસ્તી ધર્મ ‘કાન્ત’ને આકર્ષે લા. પણ હિંદુ ધર્મની જીવન્તતાએ પ્રગટાવેલા રામકૃષ્ણ પરમહંસ, એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ અને તેમના સમકાલીન
સ્વામી રામતીર્થ જેવા નવી કેળવણી પામેલા સંન્યાસીઓની, તેમ જ ગુજરાતના નૃસિંહાચાર્ય અને નથુરામ શર્માની અસરે સનાતની આરિતકતાને સંસ્કારી દઢાવ્યાનું ત્યાર પછી ગુજરાતમાં બન્યું છે. ગાંધીજીએ પણ સનાતન હિંદુ ધર્મને પિતાના વિવેકપૂત આચરણથી જીવી બતાવી તેમ પિતાનાં લખાણોથી ધર્મશુદ્ધિ કરી છે. તેમના સાથીઓમાં વિનોબા ભાવે, કિશોરલાલ મશરૂવાળા અને કાકા કાલેલકરનાં લખાણોએ પણ એવી જ સેવા બજાવી છે. એ પછી શ્રી અરવિંદનાં તત્વજ્ઞાન અને સાધનાપ્રણાલીની અસર પણ શ્રી અંબાલાલ પુરાણી, સુંદરમ', પૂજાલાલ આદિ દ્વારા ગુજરાતમાં પહોંચી છે. ચાલુ શતકના પૂર્વાર્ધનું ગુજરાતી સાહિત્ય ધર્મશુદ્ધિ અને ધર્મશાધનની આવી વિકસતી રહેતી પ્રવૃત્તિ પણ તેનું એક પ્રેરક બળ બન્યું હોવાનું દેખાડે છે.
ગયા શતકના ઉત્તરાર્ધમાં જાગેલી રાષ્ટ્રીય અમિતા ઉત્તરોત્તર સક્રિય બનતી ચાલુ શતકે દેખાડી છે તે આ શતકના સાહિત્યનું એથીય મોટું પ્રેરકબળ અને વિષય બન્યા વગર રહે એમ તે બને જ નહિ. દલપત-નર્મદનાં કાવ્યો, “હમુદ્રા ને “સરસ્વતીચંદ્ર' ભાગ ૩-૪, “હિંદ અને બ્રિટાનિયા', હરિલાલ ધ્રુવનું નાટક “આર્યોત્કર્ષ” અને આવેશભર્યા રાષ્ટ્રભકિતનાં કાવ્યો, બળવંતરાય ઠાકોરના “આરોહણ” કાવ્યમાંના અમુક ઉદ્દગાર અને ખેતી કાવ્ય, ન્હાનાલાલની “રાજયુવરાજને સત્કાર” અને “ઈન્દુકુમાર’ –૧ જેવી કૃતિઓ, અને “ભારતને ટંકાર'નાં ખબરદારનાં કાવ્ય જેવા સાહિત્ય આપણી રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઝીલી, કેરી અને સંવધી તે પછી ભારતના રાજકારણમાં ગાંધીજીને પ્રવેશ થતાં આપણું રાજકારણ ભાષણો અને અરજીઓમાંથી સ્વરાજ માટેની સક્રિય લડતને પંથે વળ્યું. ૧૮૯૮માં પરદેશી શાસને પહેલી વાર દેખાડેલો પોતાનો પરચો, ૧૯૦૩માં ટચૂકડા જાપાને મહાકાય રશિયાને આપેલી શિકસ્ત આણેલી એશિયાઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
[ ૭
પ્ર. ૧].
ભૂમિકા અમિતાની પ્રેરણા, ૧૯૦૫ના બંગભંગે જગાડેલ પ્રચંડ પ્રજાક્ષોભ, રાષ્ટ્રીય મહાસભામાં બાળગંગાધર ટિળક, અરવિંદ ઘોષ આદિને લીધે નરમની સામે ગરમ દળને વધવા માંડેલો પ્રભાવ, હિંસાને માર્ગે અંગ્રેજો સામે શરૂ થયેલું ત્રાસવાદી આંદોલન, ઍની બિસેન્ટ અને ભારતીય સ્વરાજ્યવાદીઓએ પહેલા વિશ્વયુદ્ધ વેળા ઉપાડેલી હોમરૂલની હિલચાલ – આ બધાંએ એને માટે વચગાળામાં ભૂમિકા તૈયાર કરી હતી જ. જલિયાંવાલા બાગના હત્યાકાંડે તથા રૉલેટ કાયદાએ અંગ્રેજ સત્તા સામે તીવ્ર વિરોધ અને વિદ્રોહ જન્માવતાં રાષ્ટ્રીય મહાસભાનું નેતૃત્વ ગાંધીજીના હાથમાં આવ્યું અને તેમની સરદારી નીચે પ્રજાએ ત્રણ ત્રણ વાર વ્યાપક અહિંસક મુક્તિસંગ્રામ ખેડ્યો, જેને સાહિત્યકારોનું માનસિક અનુમોદન અને સક્રિય સાથ મળતાં આપણે ત્યાં સાહિત્યમાં ગાંધીજી અને સ્વરાજલડત તથા તેણે પ્રેરેલી રાષ્ટ્રભક્તિ, શૌર્ય, યુયુત્સા, સ્વાતંત્ર્ય અને બલિદાનની ભાવનાઓ કવનવિષય બનતાં મોટું પૂર આવ્યું. બીજા દેશોનાં વિતા અને મુક્તિ-સંગ્રામોનું, આપણા દેશમાં ખેલાયેલા જુદા જુદા સત્યાગ્રહોનું, અને જેલ તથા જેલજીવનના અનુભવનું સાહિત્ય પણ એ ઓઘમાં ગુજરાતને મળ્યું.
ગાંધીજીએ સ્વદેશીની જે ભાવના પ્રચારી તેની હવામાં એ પૂર્વે અ૫શિષ્ટ મનાયેલા કંઠપરંપરાથી સચવાતા રહેલા લોકસાહિત્ય પ્રત્યેની ઉપેક્ષા કે સૂગ નીકળી જઈ તેના પ્રત્યે મમત્વ જાગતાં લોકસાહિત્યના સંશોધન, સંપાદન, પ્રકાશન તથા સમાદરને વેગ મળ્યો છે. ગાંધીજીપ્રેરિત સત્યાગ્રહાશ્રમની શાળા, ગૂજરાત વિદ્યાપીઠ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન જેવી રાષ્ટ્રીય શિક્ષણની ભાવનાથી ચાલતી સંસ્થાઓની શિક્ષણપ્રવૃત્તિઓ કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ આદિની કલમે શિક્ષણવિચારણાનું સાહિત્ય અને ગિજુભાઈ બધેકા તથા જુગતરામ દવે જેવા પાસેથી બાળશિક્ષણને લગતી વિચારણા તથા નમૂનારૂપ બાળસાહિત્ય પણ સારા પ્રમાણમાં મળ્યું છે. ગાંધીજીના ‘નવજીવન’ અને અમૃતલાલ શેઠના “સૌરાષ્ટ્ર' સાપ્તાહિએ ગુજરાતી પત્રકારત્વને નિભક, લોકલક્ષી અને પાણીદાર બનાવવામાં નોંધપાત્ર ફાળો આપે તે પણ ગાંધીજીપ્રેરિત નવચેતનની સ્કૂર્તિદાયક હવામાં.
કેશિયે પણ સમજી શકે એવા લખાણને સાહિત્ય ગણવાની ગાંધીજીની માન્યતાએ તેમ જ દેશમાં એમના વિચારો તથા પ્રવૃત્તિઓ પ્રગટાવેલી આવી નવચેતનાએ સાહિત્યને લોકાભિમુખ અને જીવનાર્ભિમુખ કરવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભય રીતે સારો એવો ફાળે છે. ગાંધીજીએ ગામડાં તથા દરિદ્રનારાયણની સેવા ઉપર ભાર મૂકતાં, ગરીબ, અભણ, નીચલા થરનાં અને ગામડાંનાં માનવીઓનાં
Page #17
--------------------------------------------------------------------------
________________
< ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[થ ૪
જીવન તથા તેમના પ્રશ્નો ઉપાડી માનવતાપ્રેમી દષ્ટિથી તેનું નિરૂપણ કરવા તરફ વળતાં, સાહિત્યસ કાની તેમ તેમના વાયકાની સહાનુભૂતિના પ્રદેશ વિશાળ બનવા લાગ્યા. ઉજળિયાત મધ્યમ વર્ગનાં શ્રીમંત, ભણેલાં ને શહેરી પાત્રો ને તેમનું જીવન એકલાં આલેખનવિષય ન રહ્યાં. ગામડું સાહિત્યમાં આવ્યું અથવા સાહિત્ય ગામડે ગયું અને ખેડૂત, ખેતમજૂર, મિલમજૂર, અસ્પૃશ્યો, વેશ્યાઓ જેવા સાહિત્યમાં વર્ષોં સુધી ઉપેક્ષિત રહેલા વર્ગ સાહિત્યમાં નિરૂપણને વિષય બનતા ગયા. ગાંધીજીપ્રેરિત માનવતાપ્રેમમાં સમાજવાદી વિચારસરણીના પ્રભાવ ઉમેરાતાં સામાજિક અભિજ્ઞતા કે વેદનશીલતા વધતી જતાં પણ આ વલણને વેગ મળ્યા. પશ્ચિમની ઔદ્યોગિક ક્રાન્તિના સ્પર્શ આપણી ભૂમિનેય થતાં તેનાં અનુભવાતાં જતાં પિરણામાએ, મૂડીદાર અને અકિંચના વચ્ચે વધતા જતા અંતરે, તા અને અર્થની અસમાન વહેંચણીવાળી શેાણુમૂલક સમાજવ્યવસ્થામાં રહેલા સામાજિક અન્યાયે, વવિહીન સમાજરચનાના રશિયન ક્રાન્તિએ આગળ ધરેલા મેાહક સ્વપ્ન, અને વધુ કપરા બનતા જતા જીવનવિ×હે સમાજવાદ અને સામ્યવાદ ભણી ભાવનાશાળી વર્ગનું આકર્ષણુ વધારતાં આમ બને તે સ્વાભાવિક પણ હતું. ગુજરાતી સાહિત્યમાં ૧૯૩૦-૪૦ના દાયકામાં દલિતગાન અને ક્રાન્તિગાન એક પ્રધાન સૂર બની ગયાનું કારણ આ છે. સાહિત્યમાં વિષયવસ્તુના વિસ્તાર અને તાગી આવતાં તેના શહેરી ઍનિમિયા ગયા અને તેમાં નવા લેાહીના પ્રાણવંતા સંચાર થયાનેા અનુભવ ગુજરાતને આ સમયાવધિમાં આમ થયા છે. પ્રગતિશીલ સાહિત્યના નારા પણ
આ વાતાવરણમાં જેમ દેશમાં તેમ ગુજરાતમાં પણ ઊઠેલા. સરાતા સાહિત્યની આવી વાસ્તવદર્શિતા અને જીવનલક્ષિતાને જ જાણે મદદ કરવા આવતા હેાય તેવા ‘ધૂમકેતુ' અને મેઘાણી પછીના પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઈશ્વર પેટલીકર, પુષ્કર ચંદરવાકર જેવા ગ્રામજીવનની હવા ફેફસાંમાં ભરીને આવેલા જુવાન લેખકે ગુજરાતને આ સમયે મળી રહ્યા છે.
સન ૧૯૪૦થી ૧૯૫૦ના દાયકા તા કેટલા બધા અનુભવ પ્રજાને કરાવી ગયા છે! ૧૯૩૯થી ૧૯૪૫ સુધી ચાલેલું ખીજુ વિશ્વયુદ્ધ, તેની સરજતરૂપ માંધવારી, રનિંગ, અંધારપટ, કાળાં ખાર, ૧૯૪૨ની ‘હિંદ છેડા'ની જલદ લડત, ભારત બહાર · આઝાદ હિદ ફાજની સ્થાપના અને તેની કામગીરી, સરકારી દમન, અણુબોમ્બે આણેલા વિશ્વયુદ્ધના અંત, ૧૯૪૭ની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, તેની સાથે જ થયેલા દેશના ભારત અને પાકિસ્તાન એ બે ભાગલા ને તેનાં દુષ્પરિણામરૂપ દ્રેષ, હિંસા, લૂંટ, બળાત્કાર, ધર્માંતર, હિજરત, નિર્વાસિતાનું પુનઃસ્થાપન, ગાંધીજીની મનેાવેદના, અંતિમ તપસ્યા અને હત્યા, દેશી રાજ્યેાના વિલીનીકરણની આરંભાયેલી પ્રક્રિયા — આ સ રામાંચક ઘટનાએ વચ્ચે જીવતા સાહિત્યકારા એના આધાત
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧ ]
ભૂમિકા
[ ૯
પ્રત્યાધાતાથી મુક્ત રહી શકે એ અશકય હતું. આ ઘટનાઓ અને તેનું વાતાવરણ આછાવધતા પ્રમાણમાં ગુજરાતી સાહિત્યમાં ઝિલાયાં છે,
યુનિવર્સિટીશિક્ષણમાં અંગ્રેજી સાથે પ્રાચીન પૂર્વીય ભાષાઓ તરીકે સંસ્કૃત અને ફારસીને તેમનાં સાહિત્ય સમેત સ્થાન મળ્યુ. હેાવાથી અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરમાં એ ત્રણે ભાષાનાં સાહિત્યની અસરે કામ કર્યું` છે. એ અસર પ્રથમ તે તે સાહિત્યની શિષ્ટ કૃતિનાં ગુજરાતી ભાષાંતરારૂપે અને પછી સ્વતંત્ર સર્જનમાં ઊતરતા તેમના સંસ્કારા દ્વારા થયેલી જોઈ શકાય. સંસ્કૃત કાવ્યનાટકાદિનાં ભાષાંતર ગયા શતકથી આરંભાઈ આ શતકમાં પણ મળતાં રહ્યાં છે. હાફીઝની ગઝલાને ગુજરાતીમાં ઉતારવાના બાળાશંકરના પ્રયાસ પછી ઉમર ય્યામની રુબાયતને એકથી વધુ ગુજરાતીઓએ ગુજરાતીમાં ઉતારી છે. અંગ્રેજી અને તે દ્વારા યુરાપીય સાહિત્યકૃતિના તેમ જ ભારતની બંગાળી, હિંદી, મરાઠી જેવી ગિનીભાષાઓની નોંધપાત્ર કૃતિઓના સ્વાદ સંખ્યાબંધ ગુજરાતી અનુવાદકાએ ગુજરાતને ચખાડયો છે. સ્વતંત્ર સર્જનમાં સંસ્કૃત સાહિત્યની અસર કવિતામાં અક્ષરમેળ સંસ્કૃત વૃત્તોના પડિતયુગમાં અને તે પછી ગાંધીયુગમાં વધતા ગયેલા વપરાશમાં, ‘કાન્તા' અને ‘રાઈના પત' જેવાં નાટકામાં, અત્રત્ય વિદ્વાનોએ કરેલી ભરત-મમ્મટ-જગન્નાથાર્દિને અનુસરતી કાવ્યતત્ત્વચર્ચામાં, ગુજરાતી ગદ્યમાં, ખાસ કરીને પંડિતયુગના ગદ્યમાં તથા પૃથ્વીરાજરાસા', 'ઇન્દ્રજિતવધ કાવ્ય’ જેવા મહાકાવ્યના ગુજરાતી પ્રયાગામાં સ્પષ્ટ જોઈ શકાય. ફારસી સાહિત્યની અસરે ગુજરાતીમાં ગઝલનું... કાવ્યસ્વરૂપ અને સૂફી પદ્ધતિની ઇસ્કેમિનજી અને ઇસ્કેહકીકીની માનુષી પ્રેમ અને પ્રભુપ્રેમની કવિતા ગુજરાતી સાહિત્યને અપાવ્યાં છે. પણ સંસ્કૃત અને ફારસી જીવંત ભાષાએ રહી ન હેાવાથી ખીજા સાહિત્ય પર પ્રભાવ પાડી શકે એવા વાડ્મયસર્જનનુ લગભગ તેમાં પૂર્ણવિરામ આવી ગયું હોઈ એ ભાષાનાં વાડ્મયમાં નવે વિકાસ થયે। નહાતા.
આથી નિત્ય વિકસતા અંગ્રેજી સાહિત્યની અને તે દ્વારા પશ્ચિમના સાહિત્યની અસર જ ગુજરાતી સાહિત્ય ઉપર ત્યાર પછી ઉત્તરાત્તર વધતી રહી છે. ગયા શતકમાં કૅલેજમાં અભ્યાસવિષય બનેલ પાન્ગ્રેવની ‘ગાલ્ડન ટ્રેઝરી’નાં ઊર્મિ કાવ્યા દ્વારા નરસિંહરાવ, ‘કાન્ત’, ‘કલાપી’ને ન્હાના લાલ જેવા કવિએ વર્ડ્ઝવર્થ, રોલી, કીટ્સ, બાયરન, કૈારિજ, ટેનિસન આદિ કૌતુકરાગી આંદોલન( Romantic movement)ના અંગ્રેજ કવિઓની કવિતાના પ્રભાવ તળે આવ્યા. આપણી કાવ્યભાવના પણ છંદ અને જનમનરંજક કલ્પનાની લપતરામી સમજથી ઊં ́ચી ચડી જોસ્સા અને અંતઃક્ષેાભ નામે ઓળખાવાયેલ ઊર્મિસ`વેદનને અને ચિંતનને પ્રાધાન્ય
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ . ૪ આપતી થઈ. ચાલુ શતકમાં વિકટેરિયન કવિઓને ભાવ ઘટી પહેલા વિશ્વયુદ્ધ પછી કવિતા બ્રાઉનિંગ અને હેપકિન્સ જેવા કવિઓની પાછળ ચાલી પછી ફેંચ ઇમેજિસ્ટ કવિઓ અને એલિયટ તથા પાઉન્ડની અસર ઝીલતી થઈ તેની અસર ગુજરાતમાં બળવંતરાય ઠાકોરના તથા તેમની અસર તળે આવેલા ગાંધીયુગના કવિઓના કાવ્યસર્જન પર વિષય, નિરૂપણરીતિ, કાવ્યબાની (diction), પ્રાસ, લય, પ્રતીક, અલંકાર વગેરેમાં, અંગ્રેજી કવિતા જેટલા પ્રગભ પ્રમાણમાં નહિ તેય ઠીક ઠીક પ્રગશીલતા અને નવીનતા દેખાડતી, થયેલી જોવા મળે છે. નવલકથામાં ઑટ-ૌલીની “કરણઘેલેથી દુમા-શૈલીની મુનશીની નવલકથાત્રિપુટી સુધીમાં વસ્તુનિરૂપણમાં વર્ણનાત્મક કે કથનાત્મક કરતાં નાટયાત્મક પદ્ધતિ પર, અને ત્યાર પછી ઘટના કરતાં પાત્રપ્રાધાન્ય, વાસ્તવિકતા, સ્થાનિક અને જાનપદી રંગ, અને પાત્રગત આંતરવૃત્તિપ્રવાહનિરૂપણ પર ભાર ઉત્તરોત્તર વધત ગયો છે. “નવલિકા”ના ભ્રામક નામે ઓળખાતી ટૂંકી વાર્તા ચાલુ શતકમાં જ આપણે ત્યાં વિકસી પ્રતિષ્ઠા પામી છે અને તેમાં મપાસાં અને ચેખોવની શૈલીની તેમ ત્યાર પછીના યુરોપી-અમેરિકી વાર્તાકારોના વાર્તાસજનની અસર જોઈ શકાય તેમ છે. ગુજરાતી નાટક શેકસૂપિયરી અને સંસ્કૃત પદ્ધતિને અનુસર્યા પછી ન્હાનાલાલને હાથે શેલી ને ગઈથેના નાટયપ્રકારને અપનાવી, પશ્ચિમના ગદ્યનાટકને, ઇસનશૈલીને નાટકને અને તે પછી એકાંકી નાટકના પ્રકારને અજમા-ઉપાસે, અને રંગભૂમિ તથા શિષ્ટ નાટક વચ્ચેનું અંતર સંધાઈ અવેતન રંગભૂમિ ઉદય પામે, એ ચાલુ શતકમાં જોવા મળ્યું છે. નિબંધનિબંધિકાર, ચરિત્ર-આત્મકથા અને પ્રવાસવર્ણન સર્જનાત્મક અને રસાત્મક બનતાં ચાલ્યાં તેમાં અને સૌદ્ધાન્તિક તાત્વિક સાહિત્યચર્ચા અને પ્રત્યક્ષ કૃતિવિવેચન એ ઉભય પ્રકારના સાહિત્યવિવેચનમાં પણ પશ્ચિમના સાહિત્યના વધતા જતા પરિચય અને પરિશીલનની જ અસર પારખવી મુશ્કેલ નથી. કાવ્યલક્ષણો, કાવ્યની સર્જનપ્રક્રિયા, કવિતાના આત્મલક્ષી અને પરલક્ષી પ્રકારે, અસત્યભાવારે પણ કે વૃત્તિમય ભાવાભાસ, સાહિત્યકલા અને નીતિ વચ્ચે સંબંધ, સાહિત્ય અને પ્રજજીવનનો સંબંધ, કલાસિકલ’ અને ‘રોમેન્ટિક' સાહિત્યનાં લક્ષણે, જુદાં જુદાં સાહિત્યસ્વરૂપનાં ઘટક તત્તવો, “લિરિક'નાં લક્ષણે તે પ્રકાર, શૈલી, કાવ્યમાં છંદ અને પ્રાસનું મહત્ત્વ, વિવેચનનું શાસ્ત્ર અને કલાત્વ, કાવ્યનું પ્રયોજન, કાવ્યનું સત્ય અને એવા સાહિત્યમીમાંસાના તાત્વિક પ્રશ્નોની આપણે ત્યાં થયેલી ચર્ચા પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાથી પ્રભાવિત છે.
પાશ્ચાત્ય સાહિત્યની પ્રગતિ સાથે આપણું સાહિત્ય પિતાને કદમ ને તાલ મેળવતું રહ્યું હોવાની પ્રતીતિ ચાલુ શતકને પૂર્વાર્ધ અભ્યાસને
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧ ] ભૂમિકા
[ ૧૧ સહેલાઈથી કરાવે તેમ છે. પશ્ચિમમાં પ્રાચીન પરંપરાના “શિષ્ટ' (કલાસિકલ) સાહિત્ય પછી “કૌતુકરાગી (રોમેન્ટિક) સાહિત્યને અને તેની પછી વાસ્તવદર્શી સાહિત્યને સમય આવ્યો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસગતિ પણ એ જ પ્રકારની રહી હોવાનું પંડિતયુગ અને ગાંધીયુગનું આ ગ્રંથમાં સમીક્ષાનું સાહિત્ય દેખાડી આપે છે. “કલા ખાતર કલા'ના વાદનું તેટલું જ તે પછી સાહિત્યકારની સામાજિક સંવેદના કે સમાજધર્મનું ગાંધી અને માકર્સપ્રેરિત પુરસ્કરણ, અને વાર્તા, નવલકથા ને નાટકના કથાત્મક સાહિત્યપ્રકારોમાં પાત્રોના મનોવૈજ્ઞાનિક નિરૂપણ પર ભાર વધતો ગયેલ છે. ફેઈડપ્રેરિત ભાર કે ઝુકાવ એ જ કથા કહે છે. ચાલુ શતકને પહેલા પાંચ દાયકાની ગુજરાતી સાહિત્યની કમાણી આગલા પાંચ દાયકાની સિદ્ધિ કરતાં ઘણી વધારે છે. લગભગ બધાં સાહિત્યસ્વરૂપ, ઇયત્તા અને ગુણવત્તા બેઉની બાબતમાં સાધેલો વિકાસ એ બતાવી આપે છે. ટૂંકી. વાર્તા આ ગાળામાં જ ખીલી અને વિકસી છે. હળ નિબંધ ને નિબંધિકા, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન વિશે પણ તેમ કહી શકાય. નાટકે સ્થગિતતા છોડી વિકાસમાગે સફૂર્તિલી ગતિ શરૂ કરી તેને જશ પણ આ ગાળાને આપી શકાય. હાસ્યસાહિત્ય, લેકસાહિત્યનું સંપાદન-પ્રકાશન-આસ્વાદન, ભાષાશાસ્ત્ર, ઈતિહાસપુરાતત્ત્વ, મધ્યકાલીન કૃતિઓનું સંપાદન, વગેરે ક્ષેત્રોમાં થયેલ કાર્ય અને જ્ઞાન વિશનને લલિતેતર શાસ્ત્રીય કે બેધક વાડ્મયનું લેખનપ્રકાશન પણ આ ગાળાના વાયપુરુષાર્થને ઊજળ ઠરાવે એવાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા), ફૉર્બસ ગુજરાતી સભા, ગુજરાત સાહિત્ય સભા, સાહિત્ય સંસદ, ગૂજરાત વિદ્યાપીઠ અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓને તથા બુદ્ધિપ્રકાશ', “જ્ઞાનસુધા', “વસંત', “સુંદરીસુબેધ”, “વીસમી સદી', “સાહિત્ય”, “ગુજરાત”, “કુમાર”, “કૌમુદી', “યુગધર્મ', “પ્રસ્થાન', માનસી”, “મિ', ફૉબ્લેસભા ટૌમાસિક, અને “સંસ્કૃતિ' જેવાં સામયિકો તેમ જ “ગુજરાતી” “નવજીવન”, “સૌરાષ્ટ્ર”, “પ્રજાબંધુ' અને “ફૂલછાબ” જેવાં સાપ્તાહિકનો અને પુસ્તક-પ્રકાશકને એને સહાયક અને પેષક બનેલ સહયોગી ફાળે એમાં ઓછે નોંધપાત્ર નથી. જેમની પ્રતિભા અને સાહિત્યપાસનાએ આ સિદ્ધિ શક્ય બનાવી છે તેમને વિશે તે હવે પછીનાં પૃષ્ઠો વીગતે વાત કરવાનાં છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
હાનાલાલ (ઈ. સ. ૧૮૭૭–૧૯૪૬)
જીવન
રાજ્ય તેમ પ્રજ ઉભયે “કવીશ્વર' કહી સન્માનેલા કવિ દલપતરામ પચાસથી વધુ વર્ષોની સાહિત્યસેવા બજાવી સને ૧૮૯૮માં અવસાન પામ્યા તેના ત્રણચાર માસ પછી તે વેળા પૂનામાં જુનિયર બી.એ.ના વર્ગમાં ભણતા તેમના પુત્ર -ન્હાનાલાલે ‘વસંતોત્સવ'ની અભિનવ કાવ્યરચના કરી, જે ૧૮૯૯માં અમદાવાદની પ્રાર્થનાસમાજના મુખપત્ર “જ્ઞાનસુધા'ના જે અંકમાં દલપતરામ માટેની મૃત્યુનેધ છપાઈ તેમાં જ તેનાં સહેદર લખાણો લગ્નનેહને વિશ્વક્રમમાં હતું એ લેખ તથા “પ્રિયકાન્ત” નામક નવલકથાનાં પ્રારંભિક પ્રકરણ (લખાયા સાલ ૧૮૯૬-૯૭) સાથે પ્રગટ થઈ. જેની ભાવિ કારકિર્દી પિતાને આશાસ્પદ નહિ, ઊલટું ચિંતાજનક લાગેલી એવા પુત્રને દલપતરામની જીવનવિદાય વેળાયે આમ આશાસ્પદ કવિજન્મ થઈ ચૂક્યો હતો. કેમ જાણે પિતાનું કવિમિશન પુત્રે નિષ્ઠાપૂર્વક ઉપાડી લીધું હોય ! અને દલપતરામ એક દશકે જ વધુ જીવ્યા હોત તો તેઓ પોતાના આ પુત્રને તેના એક મુરબી કવિમિત્ર વડે જાહેરમાં “ઊગ્ય પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ એ તેની જ પંક્તિથી ગુજરાતના એક નવોદિત પ્રતિભાશાળી કવિ તરીકે વધાવાતો – સકારાતે જઈને કેવાં હર્ષાશ્રુ સારત ! સને ૧૯૪૬ના જાન્યુઆરીમાં ન્હાનાલાલની આયુષ્યલીલા પૂરી થઈ ત્યાં સુધીમાં તેમની પણ પચાસ વર્ષની સાહિત્યસેવા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસના ચોપડામાં જમા થઈ હતી, અને તે એવી ઊજળી અને સર્વસમૃદ્ધ કે “કવીશ્વર' બિરુદને મુગટ પિતાને માથેથી ઉતારી તેમના પુત્રને માથે મૂકવું પડે. એક જ ઘરમાંથી પિતા
અને પુત્રની, એક કરતાં બીજાની સવાઈ, એવી સેથી વધુ વર્ષોની સાહિત્યસેવા કઈ ભાષાને અને પ્રજાને મળે, એવી આના જેવી ઘટના એવી જવલ્લે જ બનતી હોય છે કે એને તે ભાષા અને પ્રજાનું એક વિશિષ્ટ સદ્ભાગ્ય જ કહેવું પડે. આ પિતા-પુત્રની સેવા એક્સી ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા ન હતી, સાથે સાથે અને તે દ્વારા બેઉએ પ્રજાના સંસ્કાર શિક્ષક કે હદયશિક્ષકનું કાર્ય પણ બજવ્યું છે. એ રીતે ગુજરાત એમનું બેવડી રીતે ઋણી છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨ ]
હાનાલાલ
| [ ૧૩
શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં કવિ-પિતા દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં ન્હાનાલાલને જન્મ વિક્રમ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૧ ને ગુડી પડવાને દિવસે અને ઈસવી સંવત પ્રમાણે સને ૧૮૭૭ના માર્ચ માસની સોળમી તારીખે થયે હતું. દલપતરામના પાંચ પુત્રોમાં એ ચોથા, ન્હાનાલાલને જન્મ આમ કલાપી” પછી ત્રણ વર્ષે. બેઉના કાવ્યસર્જનના પ્રારંભમાં પણ એટલું જ સમયફેર. કલાપીને છંદશિક્ષુકાળ ૧૮૯૦થી ૧૮૯૨ સુધીને, જે પછી તેને હાથ કવિતા પર બરાબર બેઠે. ન્હાનાલાલને એવો કાવ્યલેખનની પૂર્વ સાધનાને કાળ ૧૮૯૩થી ૧૮૯૬ સુધી. “કલાપી” ગયા શતકના છેલ્લા દાયકાના કવિ બન્યા, અને અકાળ અવસાનને લીધે વીસમા શતકમાં તેમની પાસેથી કંઈ ન મળ્યું, છતાં ૧૯૦૩માં “કેકારવ'ના પ્રકાશન પછી તે આ શતકના પહેલા બે દાયકાના એક કપ્રિય કવિ બની ગયા. નેહાનાલાલનું કાવ્યસર્જન આરંભાયું ગયા શતકના છેલ્લા દાયકાના ઉત્તરાર્ધમાં, પણ તેણે ધ્યાન ખેંચવા માંડયું આ શતકના પહેલા દાયકામાં. એમના પ્રથમ કાવ્યસંગ્રહનું પ્રકાશન ૧૯૦૩માં “કલાપીના
કેકારવીના જ પ્રકાશન-વર્ષમાં થયું અને “કલાપીની માફક કવિતાક્ષેત્રે એમના આગમન કે પ્રવેશને વધાવવાનું સત્કાર્ય એ બંનેના (ડાંક વરસે મુરબ્બી) મિત્ર ‘કાન્ત’ પાસે જ વિધાતાએ કરાવ્યું. ‘કાન્ત’ જેવા કવિ અને કાવ્યરે કરેલી આ બેઉ “રોમેન્ટિક કવિઓની કવિપ્રતિભાની પુરસ્કૃતિ લેશ પણ ખોટી ન હતી, તે આ બેઉ કવિઓને વરેલી બહોળી લોકપ્રિયતાએ સિદ્ધ કરી બતાવ્યું છે. ગુજરાતના હૃદયને કાવ્યભીનું અને રસભીનું કરવામાં ગદ્યક્ષેત્રે જેમ “સરસ્વતીચંદ્ર નવલકથાને તેમ કવિતાક્ષેત્રે “કલાપી” અને નેહાનાલાલની કવિતાને ફાળે અ-- વિસ્મરણીય છે. એમના અવસાન-વર્ષની રચના “નવ સૈકાની પહેલી ત્રણ કડીમાં ન્હાનાલાલીય પદાવલિને રમ્ય ઘોષ અને કલ્પનભવ્યતાની ચમત્કૃતિ દેખાડતા “કલાપી' એ પછી વધુ જીવ્યા હોત તો હાનાલાલને તેમ તેમને પિતાને એક સબળ પ્રતિસ્પધી કે સહપંથી મળત અને ગુજરાતને બેવડો લાભ થાત, પણ વિધાતાને એ મંજૂર ન હતું.
કલાપી' આમ પંડિતયુગના કવિ, પણ તેઓ યુનિવર્સિટી-શિક્ષણથી વંચિત રહેલા. ન્હાનાલાલે પોતાને “નવકેળવણીનું જ ફળ” કહી “મુંબઈ યુનિવર્સિટી છે તે ન્હાનાલાલ છે' એમ સ્પષ્ટ સ્વીકાર્યું છે. પણ પંદરમા વર્ષ સુધીના વિદ્યાર્થી જીવનમાં નેહાનાલાલે વિદ્યા-અર્થ-પણું કે વિદ્યાભિમુખતા ઝાઝી દાખવેલી નહિ. માતા પાસેથી રાત્રે ઘરના ચોકમાં ધ્રુવ, પ્રલાદ કે અભિમન્યુની વાર્તા સાંભળવી ગમે, શેરીના છેકરાઓ સાથે ઋતુ ઋતુની રમતમાં રસ પડે, ઘરની
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચં. ૪
નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સાયં-આરતીની ઝાલર વગાડવા, કથા સાંભળવા, માળા ફેરવવા અને મંદિરના ઉત્સવો વેળા ભગવાનના પ્રતિહાર બની છડી પોકારવા પોતે હોંસથી તત્પર થઈ જાય, બંધુ છોટાલાલનું લખેલું વનરાજ ચાવડાનું નાટક ઘરમાં ભજવવામાંય ઊલટથી ભાગ લે, બારની ઉંમરથી ક્રિકેટ રમવાને ચસકે લાગે પણ શાળાના રોજિંદા ભણતરમાં વિદ્યાર્થી ન્હાનાલાલને એટલે રસ નહિ. શેરીમાંથી લડાઈઓ વહોરી લાવવી, નિશાળે જવાનું કહી જતી-આવતી આગગાડીઓ જોવા ચાલ્યા જવું, કોઈને મારી આવવું ને માર ખાવો, સાંજે જમવા જવાનું હોય ત્યારે ક્રિકેટ રમવા ઊપડી જવું, ઠપકે મળે તો ઘર છોડી ભાગી જવું – આવાં પિતાનાં “કંઈ કંઈ અળવીતરાંની તેમણે પિતે જ પિતાના પિતૃચરિત્રમાં વાત કરી છે. ઘેરથી રિસાઈને નાસી જવાનું
ન્હાનાલાલે સોળમા વરસ સુધીમાં ત્રણ વાર કરેલું ! પુત્રના ભણતર માટે ચિંતાતુર દલપતરામે ન્હાનાલાલને તેના મૅટ્રિકના વર્ષમાં મોરબી કાશીરામ દવેની નિગાહબાની નીચે રહેવા અને ભણવા મેકલતાં ચમત્કાર સરજાય. ન્હાનાલાલ અભ્યાસાભિમુખ બન્યા અને મેટ્રિકની પરીક્ષામાં પાસ પણ થઈ ગયા. એમને કિશોર અને તરુણ અવસ્થાને ઉધમાત શમી જઈ એમનામાં જવાબદારીનું ભાન અને વિદ્યાનુરાગ આવ્યાં. કાશીરામ દલપતરામના સત્સંગી ધર્મબંધુ સેવકરામ દવેના પુત્ર હતા અને ચોવીસની વયે મોરબી હાઈસ્કૂલના હેડમાસ્તર નિમાયેલા. ન્હાનાલાલે વર્ષો પછી જેમને “નવયુગના આંગ્લ સંસ્કારીઓમાંના અજોડ સંસારી સન્તપ કહી અને “કેટલાંક કાવ્યો' – ભાગ ૨ ના ઉતાભાવે એમને કરાયેલા અર્પણમાં “ગુરુદેવ” શબ્દથી સંબંધી બિરદાવ્યા છે તે એ કાશીરામ દવેએ, ન્હાનાલાલના શબ્દોમાં, “ઊંચી આંખ કર્યા વિના, ઊંચે બેલ કહ્યા વિના એમને વિપથેથી પંથે વાળ્યા અને ખરાબ લાધતી એમની “નૌકાને વાળી વહેણમાં મૂકી.મોરબી ખાતે ગાળેલા એ ઈ. સ. ૧૮૯૩ના વર્ષને ન્હાનાલાલ આ કારણે પિતાના “જીવનપલટાને સંવત્સર' કહેતા.
એ જીવનપલટ બે રીતને થયો. એક એ કે ન્હાનાલાલનું ચિત્ત અભ્યાસ તરફ વળ્યું. તેણે એમને મૅટ્રિક પાસ કરાવી પછી વિના હરકતે એમ.એ.ની પદવી સુધી અને એલએલ.બી.ના ઉંબરા સુધી પહોંચાડ્યા, અને વ્યવહાર જીવનમાં ભણેલાને શોભતી આજીવિકા માટેની યોગ્યતા એમને સંપડાવી. બીજી વાત એ કે વિદ્યાથી બનવા સાથે જુવાન ન્હાનાલાલને સાહિત્યની લગની લાગી, જે એમને ભાવિ ભાવનાજીવન અને કવિજીવન માટે સજજ કરતી ચાલી. એમણે જ નોંધ્યું છે: “વર્ષના (૧૮૯૩ના) વસંતસત્રમાં દુકાળિયાને અન્ન મળે ને અકરાંતિયા ભાવે આરોગે એમ
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૧૫
ગુજર નવસાહિત્ય રહે... વાંચ્યું ને વાગાળ્યું.’૮ એમનું સમકાલીન ગુર્જર નવસાહિત્ય એટલે ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા,' હરિલાલ ધ્રુવ અને નરસિંહરાવની કવિતા, મણિલાલ અને બાલાશંકરની ગઝલા, ‘કાન્ત' અને ‘કલાપી'ના પ્રથમ કાવ્યફાલ, તેમ જ ‘સુદર્શન,’‘ચંદ્ર,' ‘સ્વદેશવત્સલ’ તથા ‘ગુજરાતી' સામયિકામાં પ્રગટ થતું રહેતુ સર્જાતું સાહિત્ય. એ પહેલાં આગલે વરસે સને ૧૮૯૨માં ‘પ્રવીણસાગર’ અને દલપતશૈલીના કાવ્યકૌસ્તુભ'માંના ચિત્રપ્રભધાનુ...ઘૂટામણુ-અનુકરણ પણ પોતે કર્યું હાવાનું જણાવ્યું છે, જે એ ખતાવે છે કે પિતાને 'કવીશ્વર' તરીકે મળતાં યશ-સન્માને તરુણુ ન્હાનાલાલના અંતરમાં એમને કવિ-વારસેા સાચવી તેનું તેજસ્વી સાતત્ય સાધી એવું કવિપદ અને એવા કવિયશ કમાવાની સાસના કે મહત્ત્વાકાંક્ષા અંકુરાવી હેાવી જોઈએ. પૈતૃક અટક તા હતી શ્રીમાળી બ્રાહ્મણેાની જાણીતી અટક ત્રિવેદી, પણ દલપતપુત્રોએ શાળાના ચેપડામાં તે નોંધાવી હતી ‘વિ’: જેને સાર્થ ઠરાવવાના ભાર પણ પેાતાને માથે આવ્યા હેાવાનુ એને કમ લાગ્યું ન હેાય? એણે જ પ્રેયુ. હેાવુ જોઈએ પેલુ સમકાલીન ગુર નવસાહિત્યનુ ‘અકરાંતિયું” વાચન, અને ન્હાનાલાલે એ જ શ્વાસે જણાવ્યું છે તેવું પ્રારભિક કાચુ પાકું લેખન પણ જુએ એમના શબ્દો : પછી ગ્રીષ્મની રજાએ ઊધડચે શાળાનું વર્ણસત્ર મંડાયું. હુંચે વર્ષાની પેઠે સાહિત્યસૃજનની લતે હડયો. એવા હડયો કે સરસ્વતીચંદ્ર'ની સ્પર્ધા કરતી (!) નવલકથા ત્યારે ચીતરવા ખેઢા : ‘સ્નેહમુદ્રા' ને ‘કુસુમમાળા'ને ઝંખવે (!) એવી કાવ્યમાળાના, અક્ષરા નહિ, લીટા છૂટવાને ખેડે... ઢગલે ને ઢગલે તા નહિ, પણ ખેાબલે ને ખેાબલે એવું નવસાહિત્ય ત્યારે મ્હેં સરજવા માંડયુ હતુ..૧૦ જાગરૂક હિતરક્ષક કાશીરામ દવેએ વિદ્યાથી ન્હાનાલાલનાં એ પ્રાથમિક ચિતરામણુની નેટબુક તેની ગેરહાજરીમાં પેાતાને હસ્તક લઈ લઈ ‘હમણાં તા પરીક્ષાનું વાંચા' એવી શીખ આપી એટલે જ તા એમાં લેખન-વિરામ આવ્યા. પણ એ અલ્પ કે અવિરામ જ હતા. ન્હાનાલાલ મૅટ્રિક પરીક્ષા પાસ કરી કૅાલેજના વિદ્યાથી બન્યા એટલે એમને લેખનવ્યાયામ પુનઃ ચાલુ થઈ ઉત્તરાત્તર વેગ પકડતા રહ્યો. ૧૮૯૫માં ‘પ્રેમભક્તિ’ ઉપનામ પર પસંદગી ઢાળી અને ૧૮૯૬માં ઇન્ટરના વમાં ગુજરાત કૅલેજમાં એમને દિશાનિર્ણુય થયે સાહિત્યના અને જીવનના, જે પાછળથી ‘બ્રહ્મજન્મ’ નામક કાવ્યમાં લાક્ષણિક ન્હાનાલાલીય અભિવ્યક્તિ પામ્યો છે. ખી,એ. અને એમ.એ.નાં વર્ષોમાં તા અભ્યાસની સાથે સાહિત્યસર્જન પણ એટલા જ રસથી સમાન્તરે ચાલ્યું હતું. ‘વસ ંતેાત્સવ' કાવ્ય અને ‘ઇન્દુકુમાર' નાટકનેા પ્રથમ અંક પેાતે જુનિયર ખી.એ.ના વિદ્યાથી હતા ત્યારે એમણે લખ્યાં હતાં.
કાલેજના અભ્યાસ ન્હાનાલાલે પ્રીવિયસના વર્ગના મુંબઈની એલ્ફિન્સ્ટન
――
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ કોલેજમાં, ઈન્ટરને અમદાવાદની ગુજરાત કોલેજમાં અને બી.એ.નાં બે વર્ષને પૂનાની ડેક્કન કોલેજમાં કર્યો. પ્રીવિયસમાં એક વર્ષ તે નાપાસ થયેલા તે ક્રિકેટના. રસને લીધે હશે. તે વર્ષની એલ્ફિન્સ્ટન કોલેજની ક્રિકેટ ટીમમાં દસ પારસી ખેલાડી
સાથે જે એકલે હિંદુ ગુજરાતી ખેલાડી હતો તે ન્હાનાલાલ પિતે. હતા. બીજી ભાષા તેમણે ફારસી લીધેલી, જે “જહાંગીર-નૂરજહાં', અને “શાહનશાહ અકબરશાહ' એ મેગલ નાટકમાં તેમને ઠીક ખપ લાગી છે. “વસંતત્સવ” અને “ઇન્દુકુમાર' – ૧ જેવી ન્હાનાલાલની પ્રારંભની પણ યશોદાયી કૃતિઓ જોઈને
ઈને વહેમ સરખે ન આવે કે યુનિવર્સિટીના અભ્યાસમાં એના રચનારની બીજી ભાષા ફારસી હશે. સંકપેલી કાવ્યસાધના માટે તેમણે પેલા સાહિત્ય-વાચનથી તેમ. બીજી રીતે સંસ્કૃત શબ્દભંડોળ હસ્તગત કરી લઈ કેળવી લીધેલી સજજતાને પ્રતાપે આમ બન્યું છે. બી.એ.માં તેમણે મુખ્ય વિષય તરવજ્ઞાન અને એમ.એ માટે ઇતિહાસ, રાખેલા. ૧૮૯૯માં તે બીએ. અને ૧૯૦૧માં એમ.એ. થયા એ પછી પિતે એલએલ.બી માટે અભ્યાસ કરી પહેલા વર્ષની પરીક્ષા તે પાસ પણ કરી હતી. બીજા વર્ષની પરીક્ષા ટર્મ ભરવા છતાં તેમણે આપેલી નહિ. ૧૯૧૩માં રાજકોટ સંસ્થાનના ઠાકોરસાહેબે તેમને સરન્યાયાધીશ નીમ્યા હતા, તેમાં એમનું કાયદાનું આ જ્ઞાન કામ લાગ્યું હોવાનું મનાય.
યુનિવર્સિટી-શિક્ષણનું એમના પરનું ઋણ બે પ્રકારનું છેઃ એક એમને. જીવનઘડતરને પિષક બન્યું તે, બીજુ એમના કવિ તરીકેના ઘડતરને પોષક બન્યું છે. ભગુવામાં આવેલા ગ્રીસ રેમ, હિંદ અને ઈંગ્લાંડના ઈતિહાસે, કાયદાના અભ્યાસ માટે મેઈનના “એશ્યન્ટ લોના, બેજહેટના ઇગ્લિશ રાજ.. બંધારણ” તથા “ધ સ્ટેટીનાં વાચન-પરિશીલને તથા ધર્મ-તત્ત્વજ્ઞાનના અને. ખાસ તે માટિનેના અભ્યાસે ૧૧ એમને જ્ઞાનકેશ સમૃદ્ધ કરી એમને પાછળથી. એમના સાહિત્યસર્જનને પણ અત્યંત ઉપકારક નીવડનાર દષ્ટિવિકાસ સંપડાવ્યું. એમાં પાઠય અભ્યાસક્રમનાં પુસ્તકોના વાચન જેટલ, અને કદાચ. તેના કરતાં વધારે ફાળો તે તે વિષયના નિષ્ઠાવાન સુશિક્ષકે કાશીરામ દવે
– તેઓ ૧૮૯૫થી ગુજરાત કોલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે આવ્યા હતા – અને પૂનાની ડેક્કન કૅલેજના તત્વજ્ઞાનના અધ્યાપકે છે. બેઈન તથા પ્રો. સેલ્વીનાં દૃષ્ટિમન્ત અધ્યાપનને પણ ખરા. નહાનાલાલની ઘરના સ્વામિનારાયણ આચારવિચારે રોપેલી અને અન્તઃસંસ્કારે પિપેલી ધર્મભાવના કાશીરામ દવે જેવા સાધુચરિત ધર્મપરાયણ ગૃહસ્થ ભક્તના પ્રત્યક્ષ જોવા-અનુભવવા મળેલા આચરણે તેમ જ માટિનનાં ધર્મદર્શન અને નીતિભાવનાએ પરિશુદ્ધ કરી દઢમૂલ અને નીતિનિષ્ટ બનાવી, જે એમના શબ્દમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
ન્હાનાલાલ
પ્ર. ૨ ]
[ ૧૭
‘શુભ્રભાવના' તરીકે જેમ એમના જીવનમાં તેમ એમનાં સમગ્ર સાહિત્યસર્જનમાં અનુચૂત રહી છે અને મુખર પણ બની છે. જુવાન ન્હાનાલાલની અંતરની ધર્માભિમુખતાએ એમના કૅાલેજોના વિદ્યાર્થીકાળમાં મુંબઈ, પૂના ને અમદાવાદની પ્રાર્થનાસમાજોને સંપર્ક કેળવવા પણ તેમને પ્રેર્યા હતા. એમની સાહિત્યરુચિ અને કાવ્યભાવનાના તથા એમના કવિ તરીકેના ઘડતરમાં ગઈ સદીની રેમૅિન્ટિક અભિગમવાળી અંગ્રેજ કવિએની જે કવિતા ભણવામાં આવી તેનેા પ્રભાવ સારે એવેા પડયો છે, ખાસ કરીને ટેનિસનની કવિતાના. ધ્વનિગુ ંજતી શબ્દાવલિનો ઘટના ને સુમુર સમાસ-રચનાને માટે ત્યારે ટેનિસનને ને પછી કાલિદાસને હું ઋણી છું' એમ એમણે પેાતાની ઘડતરકથામાં એનેા સ્વીક!ર કર્યા છે. સ્ત્રીની પ્રેરણાશક્તિ અને પુરુષની કાર્યશક્તિના સંવાદી સહયાગની, તેમના વિશુદ્ધ સ્નેહ પર રચાતા લગ્નની અને લગ્નસ્નેહની એમની પ્રિય ભાવના માટે પણ ટેનિસન પાસેથી ન્હાનાલાલને ઓછી પ્રેરણા મળી નથી. ‘લગ્નસ્નેહના વિશ્વક્રમમાં હેતુ' એ એમના ૧૮૯૯ના ‘જ્ઞાનસુધા'માં ‘વસતાત્સવ' સાથે છપાયેલા ગદ્યલેખ, જેમાં તેમણે ટેનિસનની ‘પ્રિન્સેસ’માંની પંક્તિએ પણ છૂટથી ટાંકી છે, તે એ સ્પષ્ટ બતાવે છે. ટેનિસનની ધાર્મિકતા પણ આપણા ભાવિ કવિને જચી જાય તેવી હતી. શેક્સપિયરે એમને આકર્ષ્યા નહિ એ એમની અનેાખી તાસીર બતાવી આપે છે. વિદ્યાર્થીકાળે એમણે કરેલા ગુજરાતી સાહિત્યના વાચનમાંથી એમના પર પડેલી અસરમાં એક નરસિંહરાવ, ‘કલાપી’ અને 'કાન્ત'ની કવિતાની અને બીજી ગેાવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર'ની. આગલી એમના પ્રારંભના કાવ્યસર્જન કેટલાંક કાવ્યા'(પહેલા ભાગ)માંથી અને ખીજી ‘ઇન્દુકુમાર' અને ‘જયા અને જયન્ત જેવાં નાટકાંમાંથી તારવી બતાવી શકાય તેમ છે.
સને ૧૮૯૪માં પેાતાને માટે પ્રેમભક્તિ' ઉપનામ વિદ્યાથી ન્હાનાલાલને સૂઝયું, અને તે પહેલાં કાવ્યલેખનના કાચાકેારા અખતરા પણ તેણે શરૂ કરી દીધા હતા, પણ સાહિત્યને અને જીવનના' દિશાનિર્ગુ ય તેણે ગભીરતાથી કર્યા સને ૧૮૯૬માં. આ નિણૅયે ન્હાનાલાલને ત્યાર પછી પેાતાની કવિ તરીકેની સજ્જતા વધારતા રહેતા રાખ્યા. યુનિવર્સિટી-શિક્ષણમાંથી પોતાના સાહિત્યઘડતર માટેનાં પેષણ અને પ્રેરણા મેળવી તેના પેાતાનાં સાહિત્ય-સનમાં અને સંદેશમાં ઉપર જોયુ તેવા શકય ઉપયોગ કરનાર આ કવિએ સંસ્કૃત ભાષાના જ્ઞાન અને પ્રભુત્વ પરત્વેની પેાતાની ઊણપ પૂરવા આપમેળે તેમ શાસ્ત્રીની સહાય લઈને જે સ્વાધ્યાય-સાધના કરી, તેણે એમની કાવ્યભાષાને સંસ્કૃતસભર, શિષ્ટ—
ગુ–સાર
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ મધુર અને ગૌરવાન્વિત શબ્દાવલિ સંપડાવી એટલું જ નહિ, પ્રથમ “શ્રીમદ્ ભગવદ્ગીતાનો અને પછી તે “મેઘદૂત', “શાકુન્તલ', “ઉપનિષદ', “શિક્ષાપત્રી અને વૈષ્ણવી પડશ ગ્રંથોનો ગુજરાતીમાં સમલૈકી અનુવાદ કરવા પણ એમને પ્રેર્યા. જહાંગીર, અકબર અને હર્ષને નાયક બનાવીને લખેલાં નાટકોની તેમ કરક્ષેત્ર” અને “હરિસંહિતા'ની તથા “ઉપનિષપંચકીની તેમની પ્રસ્તાવના દેખાડી આપે છે કે નહાનાલાલે સર્જનની સાથે સાથે પોતાની અભ્યાસશીલતા પણ પર્યાપ્ત પ્રમાણમાં પંડિતયુગને કવિજનને છાજે એ રીતે સક્રિય અને સતેજ રાખી તેનો લાભ પોતાના સર્જનને યથેચ્છ આપ્યો છે. એમના પિતૃચરિત્ર “કવીશ્વર દલપતરામનાં ચાર પુસ્તકે, “જગતકાદંબરીઓમાં “સરસ્વતીચંદ્ર'નું સ્થાન અને સંખ્યાબંધ વ્યાખ્યાને તે એમના વિશાળ સ્વાધ્યાય-વાચન-મનનની પ્રતીતિ અભ્યાસીને તરત કરાવી રહે તેમ છે.
એમ. એ. થતાં ન્હાનાલાલ એમણે ઈચ્છેલું ગુજરાત કોલેજનું અધ્યાપકપદ (એ પદે ભૂલાભાઈ દેસાઈ નિમાતાં) મેળવી ન શકતાં સાદરાની કૅટ કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા અને ત્યાં અઢી વર્ષ રહી ૧૯૦૪ના જુલાઈમાં રાજકોટની રાજકુમાર કોલેજમાં ગયા. યુનિવર્સિટી-ક્ષેત્રના અધ્યાપક ન બની શક્યા તે
જીવનદેવતાએ ન્હાનાલાલને તાલુકદારોના પુત્રો – સાદરાની કોલેજ એમને માટેની શિક્ષણશાળા હતી – અને રાજકુમારના અધ્યાપક બનાવ્યા. રાજકુમાર કોલેજમાં ૧૯૧૨ સુધી પતિ ભણાવ્યું. તે પછી ૧૯૧૩માં તેઓ રાજકોટ રાજ્યના નાયબ દીવાન અને સરન્યાયાધીશપદે નિમાયા, જ્યાંથી ૧૯૧૬માં રાજકુમાર કોલેજમાં ઉપાચાર્યપદે પાછા આવ્યા. ૧૯૧૮માં તેઓ કાઠિયાવાડ એજન્સીના શિક્ષણ ખાતાના ઉપરી નિમાયા, જે પદે ત્રણ વર્ષ પૂરાં થાય તે પહેલાં એમણે અસહકાર આંદોલનની હવામાં એ સરકારી નોકરીનું રાજીનામું આપી ૧૯૨૧થી અમદાવાદને જ પિતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું.
બે દાયકા જેટલે એ નેકરીકાળ કવિ ન્હાનાલાલના જીવનને ભૌતિક દષ્ટિએ સુખદ અને સમૃદ્ધ કાળ હતો. સાદરા-રાજકેટની કોલેજોની કામગીરી અભ્યાસખંડે પછી ક્રિકેટના મેદાન પર તેમને રોકી રાખે એવી હતી. એવી પ્રાપ્ત ફરજેને અપાય તે પછી બચત સમય તેમને જાહેર સેવા-સંસ્કાર-પ્રવૃત્તિઓમાં જતો. એમના જ શબ્દો જુઓ: “રાજકોટવાસનાં આદિ વર્ષોમાં જ ત્યાંના... એ સેવાભાવી થિયોસેફ મંડળને ગાઢ પરિચય થયે...એ સૌની સંગાથે અંત્યજ શાળા કહા, રાત્રિશાળા કહાડી, હિંદુ કન્યાશાળા કહાડી... આર્ય સમાજના ને થિયોસોફીના ધર્મોપદેશકોને જમવા નહેાતરતો. રાજકુમારો જમવા આવતા. હિંદુ ઇસ્લામી પારસી અંગ્રેજનું પાટલે બેસી પાયસનું જમણ થયું હતું.
Page #28
--------------------------------------------------------------------------
________________
. ૨]
ન્હાનાલાલ
[ ૧૯
પ્રાર્થનાસમાજ સ્થપાઈ હતી. થેાડાક માસ આઠ-દસેકના Students' Brotherhood ને ટેનિસનનું Akbar's Dream ભણાવ્યું હતું...' '૧૭ રજાઓમાં પાતે ‘કાન્ત’, ત્રિભુવનદાસ ગજ્જર આદિ મિત્રોને ત્યાં જાય, એમને ત્યાં મિત્રો આવે. ૧૯૧૪માં શિંદેની સાથે બ્રહ્મસ'પ્રદાયના પ્રચારાર્થે સૌરાષ્ટ્રનાં મુખ્ય મુખ્ય શહેરામાં ફરી તેમનું વક્તવ્ય ગુજરાતીમાં તેમણે સમજાવ્યું. ૧૯૩૭માં વડાદરામાં ચંદ્રજયંતીમાં પ્રમુખ થઈ આવ્યા; ૧૯૧૮માં ‘કાઠિયાવાડ સેવા સમાજના પ્રથમ પ્રમુખ થયા; રવીન્દ્રનાથ ટાગારને નિમંત્રી તેમની સાથે સૌરાષ્ટ્રના પ્રવાસ કર્યો; ૧૯૧૯માં ઢસા ખાતે તેમની જ પ્રેરણાથી યેાાયેલ કાઠિયાવાડ અંત્યજ પરિષદના પ્રમુખ બન્યા; ૧૯૨૦માં પાલિતાણા ખાતે જૈન સાહિત્ય પરિષદના પ્રમુખ થયા; ૧૯૧૯માં કાઠિયાવાડના દુષ્કાળના વર્ષમાં રાહત-સહાયતા અર્થે` મુ`બઈથી આવેલ સન્નારી મંડળ તથા તેના આગેવાનને પેાતાને ત્યાં મુકામ રખાવી તેમને તેમના પ્રવાસમાં ઉતારા ને વાહનાની સગવડ બધે લખી કરાવી આપી; પહેલી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં નેપથ્યમાં રહી માદક બન્યા ઃ આમ સામાજિક સેવાને તે રાજકોટનિવાસ દરમિયાન સારે। સમય આપતા. એમને આતિથ્યપ્રેમ એમનાં પત્નીને પણ ઠીક રાકી રાખતા. એ મેટા પ્રવાસ પણ તેમણે આ વર્ષમાં કરેલા : એક ૧૯૦૯માં સિલેાનના, ખીજો ૧૯૧૪માં કાશ્મીરના. ૧૯૨૦માં શેઠ સુરજી વલ્લભદાસ સાથે ઇંગ્લાંડ જવાનું થતું થતું રહી ગયું. એમને સાફાવાળા ફાટે! એ માટેના પાસપોર્ટને છે.
આ બે દાયકાએ આમ બહારથી ન્હાનાલાલને પ્રવૃત્તિરત રાખ્યા તા તેની સાથે સાહિત્યસર્જનમાં પણ પૂરા સક્રિય રાખ્યા, એ ખાસ નેાંધપાત્ર છે. નેકરી-ધંધા તા સ્થૂલ આજીવિકા અથે જ ખપના, બાકી જીવનનેા પ્રધાન આનંદ કે કૃતાર્થતા તે। સાહિત્યસર્જનમાંથી જ મેળવવાના પુણ્ય સંકલ્પ વિદ્યાથીકાળમાં સને ૧૮૯૬માં એમણે કરી લીધેલેા, એવું જ આ પરિણામ. નિત્ય રાતના પાલૢા પ્રહરાનો બ્રાહ્મમુના સમય એમણે પોતાના જીવનકાર્ય ( mission ) જેવી આ નિજાનદી કાવ્યેાપાસના માટે અઘ્યાતિપણે અનામત રાખ્યા હતા. આથી નિષ્ઠાભરી નેાકરી અને ઉત્સાહભરી જાહેર પ્રવૃત્તિઓની સાથેાસાથ તેમનું સાહિત્યસર્જન અજબ સ્ફૂર્તિથી અવિરામ ચાલ્યાં કર્યું. લંકા અને કાશ્મીરના પ્રવાસેા વેળા પણ એને માટે સમય મેળવી લેવા પોતે ચૂકેલા નહિ. એમનું ‘કુલયેાગિની' ક્રાવ્ય લંકામાં અને પ્રેમકથા ઉષા' કાશ્મીરની સહેલગાહમાં વીસ દિવસમાં, એમના કહેવા પ્રમાણે stolen hoursમાં લખાયેલાં. પરિણામે, નાકરીના બે દાયકા દરમિયાન એમની કવિપ્રતિભા અને કાવ્યસિદ્ધિના ગુજરાતને આનદાશ્ચર્યજનક
Page #29
--------------------------------------------------------------------------
________________
ર૦ ]. ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ j* ૪ અનુભવ થયો. પોતે ૧૯૦૧માં એમ. એ. થઈ અભ્યાસ પૂરો કર્યો ત્યારે એક સંગ્રહ થાય એટલાં કાવ્યો એમની પાસે તૈયાર હતાં. ૧૯૦૩માં “કેટલાંક કાવ્યોના સાદા નામથી એ પ્રગટ થતાંની સાથે એમનું પ્રકાશન-પર્વ શરૂ થયું. ‘કાન્ત’ પાસેથી જાહેરમાં પ્રશંસા-સત્કાર પામતાં એમની સર્જન-પ્રકાશન પ્રવૃત્તિએ તેજી પકડી. ૧૯૦૫માં પુસ્તકાકારે ‘વસંતોત્સવ', ૧૯૦૮માં કેટલાંક કાવ્યો'– ભાગ ૨, ૧૯૦૯માં ઇન્દુકુમાર'-અંક ૧, ૧૯૧૦માં “હાના ન્હાના રાસ” અને “ભગવદ્ ગીતાને સમશ્લોકી અનુવાદ, ૧૯૧૪માં જયા અને જયંત' નાટક, ૧૯૧૭માં “મેઘદૂત'નું સમલૈકી ભાષાંતર, ૧૯૧૮માં લઘુનવલ ‘ઉષા'—એમ પુસ્તકે ઉત્તરોત્તર પ્રગટ થતાં ગયાં. ૧૯૧૯માં ગાંધીજીની પચાસમી જન્મજયંતીએ “ગુજરાતને તપસ્વી” એ પ્રશરિતકાવ્ય અને ૧૯૨૨ સુધીમાં ચિત્રદર્શને' સંગ્રહ, અને “રાજર્ષિ ભરત” તથા “પ્રેમકુંજ' એ બે નાટકે પણ એમની પાસેથી ગુજરાતને મળ્યાં. બે દાયકામાં કવિ ન્હાનાલાલને કીર્તિભાનું ઊગી ઝડપથી આગળ વધી મધ્યાકાશે પહોંચી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં એજન્સીના શિક્ષણાધિકારી તરીકેની એમની નેકરી આમ તે ત્રણેક વરસની, પણ તે એ રીતે વિશિષ્ટ સ્મરણની અધિકારી બની છે કે એમણે તાલુકદારોને તથા નાનાં રજવાડાંને તેમ જ એજન્સી-અધિકારીઓને પ્રેમાગ્રહપૂર્વક સમજાવીને એજન્સીને શિક્ષણ ખાતાના તમામ શિક્ષકોના પગારમાં ૩૩ ટકાનો વધારો કરાવી તેમનું પગારધોરણ સુધરાવી આપ્યું તેમ જ ખાતાના શિક્ષકે માટે પ્રેવિડન્ટ ફંડની યોજના પણ ઘડી. શિક્ષકવર્ગના આશીર્વાદ આ રીતે મેળવનાર કવિએ તેમને જાગ્રતપણે કર્તવ્યાભિમુખ બનાવવા માટે સમસ્ત સૌરાષ્ટ્રમાં રેલવે, બાઈસિકલ અને પાછળથી એ માટે તે વસાવેલી મોટર દ્વારા નજીકની તેમ દરની એકેએક શાળાની ઓચિંતી મુલાકાત લઈ, ગેરહાજર તેમ કર્તવ્યશિથિલ જણાતા શિક્ષક સામે સખ્તીનાં પગલાં પણ ભરી, શાળાઓના કામકાજને વ્યવસ્થિત બનાવવા તેમ ઊંચે લઈ જવા કર્તવ્યબુદ્ધિથી જે પ્રયાસ કર્યો હતો તે આદરથી સંભારાય છે.૧૪ સરકારી નોકરીને ત્યાગ કર્યો ન હતો તે એમને હાથે સૌરાષ્ટ્રમાં થયું તેથી વિશેષ કામ થાત અને નિશાળ વિનાનાં ઘણાં ગામો નિશાળવાળાં બન્યાં હતા. પણ એમની દેશભક્તિ, જેણે “રાજમહારાજ એડવર્ડને.” (૧૯૦૨), રાજયુવરાજને સત્કાર' (૧૯૦૫) અને “રજરાજેન્દ્રને' (૧૯૧૧) જેવાં કાવ્યોમાં સવિનય પણ આત્મગૌરવ સાથે આ દેશનાં આશા-અપેક્ષાઓને સ્પષ્ટવકતૃત્વથી અંકિત ભાષામાં એમની પાસે વાચા અપાવી હતી અને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની ભાવનાની ગળથૂથી બાળવિદ્યાથીઓને પાવા તાકતું “સાચના સિપાઈ એ બાળકાવ્ય એમની પાસે લખાવેલું, તે ચૂપ ન રહેતાં
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
-
ન્હાનાલાલ
1 ૨૧ ગાંધીજીની પચાસમી જન્મજયંતીના વર્ષમાં ૧૯૧૯માં ગુજરાતનો તપસ્વી' કાવ્ય લલકારી ઊઠી. એ માટે સરકારી વડાએ માગેલ હશે તે ખુલાસે ગૌરવભેર આપ્યા પછી, ૧૯૧૯ પછી રૉલેટ કાયદાના ખરડાએ તથા જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા પ્રચંડ રાષ્ટ્રકોપ અને ગાંધીજીપ્રેરિત ત્રિવિધ અસહકારની હવામાં ન્હાનાલાલે સરકારી નેકરીનું રાજીનામું ૧૯૨૧માં આપી દીધું અને રાજકોટ કાયમ માટે છોડયું.
| નેકરીત્યાગ પછી તેમની રાષ્ટ્રભક્તિ, ભાવના અને ઉત્સાહને રાષ્ટ્રીય શિક્ષણમાં જોતરાવાનો લાભ મળી શક્યો હોત તો સારું થાત. પણ એમ બનવું નિમિત ન હતું. અમદાવાદ આવતાં થોડો સમય એમણે ફાવતી રીતની જાહેર સંસ્કારપ્રવૃત્તિ કરી. એક સર્વધર્મસમન્વયની સંસ્થા સ્થાપવા તેમ જ વિદ્યાથીસંઘની સ્થાપનાથી શહેરમાં યુવકપ્રવૃત્તિ વિકસાવવા તેમણે પ્રયત્ન કર્યો, અને ઉત્સાહપૂર્વક એક ગુજરાત કળાપ્રદર્શન યોજાવી તેને પોતાના સુંદર વ્યાખ્યાનને લાભ આપ્યો. પણ બે-અઢી વર્ષમાં આવી પ્રવૃત્તિમાંથી રસ ઉઠાવી લઈ તેમ રાજકીય અસહકાર – ચળવળથી આઘા ખસી જઈ, આયુષ્યની અર્ધશતાબ્દીને અવસરે ગુણજ્ઞ ગુજરાત પાસેથી કેટલાંક મુખ્ય શહેરોમાં સુવર્ણ મહોત્સવની ઉજવણીનું માન-સન્માન પામી, તે વખતનાં કઈ કઈ વ્યાખ્યાન વેળાના પિતાના ઉદ્દગારોથી અમુક વર્ગની નારાજગી પણ વહોરી, પછીને બધો સમય પતે એકાન્તિક સાહિત્યસર્જનને જ સમપી દીધો. જીવના ઉદાર, જબરા અતિથિ વત્સલ અને મૈત્રીસંબંધો ઉષ્માભેર જાળવનાર કવિ નેકરીનાં વર્ષોમાં પગારમાંથી બહુ બચાવી શક્યા હોય એ સંભવિત નથી. પુત્રનો અભ્યાસ તથા જીવનમાં તેમનું ગોઠવાવું બાકી, એવા સંજોગોમાં બહોળા કુટુંબ પરિવારને નિર્વાહ માત્ર કલમ ઉપર જીવીને કરવાનું આવતાં, આર્થિક સંકડામણ એમને ઓછી વેઠવી પડી નહિ હોય. પણ એને કશે કચવાટ ક્યારેય દેખાડ્યા વિના, એકબે સારી નોકરીનાં નિમંત્રણો સામાર અસ્વીકારીને, અંતરની અખૂટ પ્રભુશ્રદ્ધા અને સર્જક કલાકારની ખુમારીને સહારે એમણે જીવનની છેલ્લી પચીસી ગુજરી કાઢી. એ ખુમારી કે આત્મગૌરવ એવું કે પોતાના એક પુત્રના વેપારી સાહસે સરજેલું દેવું પિતાનાં પુસ્તક ખંડાવી લઈ પોતે વાળી આપ્યું, વ્યાખ્યાને માટે જાય ત્યાંથી ભાડું ભથું કદી ન સ્વીકારતાં પોતે પિતાના ખચે ત્રીજા વર્ગની મુસાફરી કરી, અને પોતાના વાણુસ્વાતંત્ર્ય પર કંઈક નિયંત્રણ મુકાવાના ઈશારામાત્રથી રાજકોટ ખાતે થનાર સન્માન સમારંભ અને મળનાર મોટી થેલી તેમણે જતાં કર્યા હતાં. બાહ્ય જીવનની પ્રતિકૂળતાઓથી અક્ષુબ્ધ રહી નિજાનંદી સાહિત્યસર્જનને જીવનને અંતિમ સપ્તાહ સુધી તેમણે જે અનન્ય નિષ્ઠાથી સતતવાહી
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ ૪.
રાખ્યું તેણે જ ગુજરાતને સંપડાવ્યાં બાદશાહનામાનાં બે તથા ખીન્ન છસાત નાટકા, શાકુન્તલ'ના તથા ‘શિક્ષાપત્રી,' ‘વૈષ્ણવી પેડશ ગ્રંથા' તથા પાંચ ઉપનિષદેાના અનુવાદ, મહત્ત્વાકાંક્ષી કૃતિ ‘વિશ્વગીતા,' કુરુક્ષેત્ર'નું મહાકાવ્ય અને હરિસંહિતા'નું એથીય માટા કદનું પુરાણકાવ્ય, ચાર ગ્રંથમાં વિસ્તરતું પિતૃચરિત્ર ‘કવીશ્વર દલપતરામ’, કેટલાક નાના કાવ્યસંગ્રહાની કાવ્યરચના, તેમ જ રાજકીય નવલકથા અને ટૂંકી વાર્તાના પ્રયાગા જેવાં ‘સારથી’ અને ‘પાંખડીએ’ તથા આઠેક વ્યાખ્યાનસંગ્રહા. સાહિત્યસર્જન આ કવિને માટે, જેમ ગાંધીજીને માટે રેટિયા બન્યા હતા તેમ, ઉત્પાદક શ્રમ અને જીવનરસ બની ગયેલ. કવિ ન્હાનાલાલની સ્વેચ્છાસ્વીકૃત નિવૃત્તિ કે શારદ સંન્યાસ ગુજરાતી સાહિત્ય માટે તે! આમ લદાયી નીવડયો છે. રાજકાનિવાસનાં વર્ષા જો આ કવિના ઉલ્લાસકાળ હતા, તેા આ અમદાવાદને નિવૃત્તિનિવાસ એમના જીવનનેા તપસ્યાકાળ બન્યા હતા. ન્હાનાલાલની નિવૃત્તિને નર્મદના શારદા-શરણ અને ગેાવર્ધનરામની સ્વેચ્છાનિવૃત્તિની સાથે જ સરખાવાય તે મુલવાય.
૧૯૨૧થી આરંભાયેલા અમદાવાદ ખાતેના નિવૃત્તિનિવાસનું પચીસમુ વ પૂરું કરી ઈ. સ. ૧૯૪૬ના વર્ષનું ખાતું કૃષ્ણકનૈયાના આગમન-દર્શનના એક ગીતથી ખાલી, તે પછી સાત દિવસની મૂર્છા-માંદગી ભાગવી, નવમી જાન્યુઆરીના રાજ કવિએ પેાતાના ક્ષર દેહ છેાડી દીધા અને પેાતે પેાતાના અક્ષર દેહ અહી મૂકતા ગયા.
સાહિત્યસર્જન : [૧] કવિતા
દલપતરામપુત્રન્હાનાલાલને ઈસુની વીસમી સદીના નવવિ તરીકે રાશન કરતા ૧૯૦૩માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ધેટલાંક કાવ્યા'માં પાંચ કાવ્યા અંગ્રેજીમાંથી કરેલા કાવ્યાનુવાદ છે, અને કેટલાંક ‘કલાપી', ‘કાન્ત', ગેાવનરામ અને નરસિંહરાવની કવિતાની અનુકરણ કે અનુરણનના પ્રકારની અસર દેખાડી આપે છે, તેમ છતાં કાવ્યક્ષેત્રે નવી પ્રતિભાના ઉદયની આનંદદાયક ઝાંખી પણ તેણે ગુજરાતને અવસ્ય કરાવી. મુરિત બનેલી આત્મલક્ષિતા અને પત્નીપ્રેમ, કુટુ બ સ્નેહ, પ્રકૃતિસૌંદર્ય, પ્રભુ તથા મૃત્યુના તેમાં કવિ-સંવેદન અને કવનનું વસ્તુ બનેલા વિષયેા ન્હાનાલાલના નજીકના પુરોગામી કવિએ કરતાં એમને બહુ નિરાળા કે અલગ ચેાકાના દેખાડે એવાં ન હતાં, પણ એમનું નિરાળાપણું અને એમની કવિપ્રતિભાના વિશિષ્ટ ચમકાર અવિલ બે પ્રગટ થતાં દેખાયાં એમની કાવ્યખાનીમાં. તત્ત્વમાં કવિતા વાણીની કલા હેાઈ, સર્જકની પ્રતિભાના મૂર્ત આવિષ્કાર તેની ભાષા અને લખાવટની અપૂર્વ તામાં પ્રથમ જોવાય. પ્રત્યેક પ્રતિભાશાળી કવિ
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨ ]
[ ૨૩
પેાતાની અનેાખી માની લઈને આવતા હેાય છે. ન્હાનાલાલના કવિ તરીકે પ્રવેશ થયેા ગુજરાતી ભાષાને અજબ કુમાશ અને મીઠાશથી કવિતામાં પ્રયાજી શકનાર સર્જક તરીકે. કેટલાંક કાવ્યા'ના પહેલા ભાગનાં કાવ્યેામાંની
ન્હાનાલાલ
જો! ફાડયુ. મેઘપટ કેાક્લિની લાએ; કીકી સમુ ધરી શશાંક, ભ્રૂકુટી પાડી, ઊગ્યા. પ્રફુલ્લ અમીવર્ષીણ ચંદ્રરાજ. (અણુકા૦૨) ğાં આત્મની ન વિરમે છલકન્તી મળે.’ (કિરીટ)
કાલાહલે મનુજજીવનને ભરીને
ગભીર ઘેરું ભવસાગર કાંઈ ગામે :
એ ગાન પી વિચરતી મનુ કેરી સૃષ્ટિ પ્રારબ્ધપથ ધપતી પ્રભુના પ્રચાણે (લગ્નતિથિ) બ્રહ્મભરેલ વિશ્વ.
આનન્દકાન્ત હતું
*
*
*
સધ્યા ચૂમે વિમલહાસિની ચંદ્રિકાને, ખેલે વિહાર સખીએ રસનાં વનેમાં;
સામા શુદ્ધ પ્રિય મંજરીનું મધુ પી ડાલન્ત દિવ્ય સુકુમાર અનિલ આવે. (ચૈત્ર સુદ ત્રીજ)
ઝાંખુ પ્રકાશિત સ્ટુડયુ. વન જો ! હિંડાળે, ગભીર ધીર સહકાર અને ડાલે; પંખીકુલે મધુ પ્રાશી પ્રકાશપાત છેડે
પ્રભાતતણું સભ્ય પ્રવૃત્તિગાન, (પ્રભાત)
સખિ ! મ્હારાં કંકણામાં પ્રલયગીત ગાજે છે જો;
રસે ભરી રાજમાળ, હાય હું તે વીરાંગના રૂ. (વીરાંગના)
પ્રાયશ્ચિત્ત કઈ વિષે પ્રભુ ! પાપ ધાર” ?
તા જો સતત પ્રકાશ સમીપ હારા ? પી પ્રેમનેત્ર પ્રિયનાં, ઉર ધેાઈ ધાઈ, હારી જગાવુ. ધુનિ, દર્શન તે। દઈશ ? (જન્મતિથિ)
જેવી પક્તિએ સહદયાને અચૈવ હાડપિ રના વષનાવીનાના સાનંદ સાક્ષાત્કાર કરાવે એવી હતી. જાણકારાએ તા ૧૮૯૯ના ‘જ્ઞાનસુધા'માં ચાખેલી, પણુ ગુજરાતના વધુ બહેાળા સાહિત્યજગતને આની પછી એ જ વર્ષમાં ૧૯૦૫માં ચાખવા મળી વસ તાત્સવ’ની
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
ગ્યાં. દિશાચીર વધુની વિશુદ્ધિરંગે, અર્ચા પ્રભુની અરચા દિનને દિનેશે, નવગ ધકાષ કંઈ ગધવતી ઉંઘાડે; ઉઘાડીને ધટ ગાવ, વસન્ત સખિ ! પધારે...
[ 4. ૪
ઉપર જ્હાં અનહદ બાજે સાજ, હુરવ હાં ચાયો ! રસખાલ !... રમેરચે ચૌદ ભુવનને દઉં ભારતરણ અખબૂત કાલ, પડધેા હાં પડથો, રસખાલ. જેવી પદ્યપ`ક્તિની અશ્રુતપૂ` માધુરી અને નવીન ડેાલનશૈલીની તાજગીભરી શબ્દલીલા. ૧૯૦૮માં પ્રગટ થયેલ કેટલાંક કાવ્યા'ના ખીન્ન ભાગે
આનંદકંદ ડાલે સુંદરીનાં વૃંદ ને મીઠા મૃદંગ પડછંદા રે ;
મંદ મંદ હેરે મીટડી મચ’કની,
હેરે. મ્હારા મધુરસચન્દા ! (જીણા ઝીણા મેહ) આદ્યન્તમાં જીવન આ જગનું ભરીને ધારે અધારનીર સાગર કાલ કેશ; તે સિન્ધુના જલ તણી દલપાંદડીમાં મેધા ખિ ! પરમ બ્રહ્મપરાગ ઊડે. (ગિરનારને ચરણે) ધીરા સુગધી અનિલે વહી વારવારે આકાશને। વિમળ વાળી પ્રદેશ કીધેા; ને તેજના રજતમેધ ઢળી-ઢળીને રૂપેરી હાં લલિતàાલ ધરા ઉગાવી. (વિલાસની શાભા)
જેવી ક મધુર વર્ણાનુપ્રાસ અને દીર્ધ સ્વરા તથા અનુસ્વારના રમણીય સંગીતથી રસબસ પંક્તિથી કાવ્યરસિકાને મુગ્ધ કરી નાખ્યા. કશીક નવી જ અભિવ્યક્તિ લઈને આવતા આ કવિની પ્રતિભાના સ્પર્શે ગુજરાતી ભાષાએ અનેરી દીપ્તિ અને મીઠાશ ધારી બતાવી.
નરસિંહરાવ, ‘કાન્ત’, ‘કલાપી' આદિ જેવા મુરખ્ખી સમકાલીનેાની કાવ્યભાષા કરતાં ન્હાનાલાલની કાવ્યભાષા આમ વિશિષ્ટ સ્વકીયતા દેખાડે છે. સને ૧૯૦૯માં છપાયેલા નવીન શૈલીના નાટક ઇન્દુકુમાર' -- ૧, અને પછીના વર્ષ છપાયેલાં ‘ન્હાના ન્હાના રાસ’– ૧ અને ‘ભગવદ્ગીતા'ના સમશ્લોકી અનુવાદે, તેમાંય ખાસ તેના અણુકાવ્ય ‘પિતૃતપણે' તેના કવિની આ સિદ્ધિને વિશેષ અનુભવ કરાવ્યા.
'
એવી જ વિશિષ્ટ સ્વકીયતા ન્હાનાલાલે પેાતાના કવનના પ્રારંભથી જ બતાવી પદ્યરચનાની બાબતમાં, એમના પ્રથમ કાવ્યસંગ્રહ 'કેટલાંક કાવ્યેા'માં વસંતતિલકા, મંદાક્રાન્તા, શિખરિણી આદિ અક્ષરમેળ વૃત્તો પ્રયાજવાની સાથે તેમણે લયમેળ ગીતા, ગઝલ, અંજની ગીત, ડાલનશૈલી અને સીધા ગદ્યનાય
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨ ] હાનાલાલ
[૨૫ ઉપયોગ કર્યો છે. કેટલાંક કાવ્યોનો ભીજો ભાગ પણ એવું જ પદ્યવૈવિધ્ય બતાવે છે. એમાં સવૈયાને અક્ષરમેળ અને હરિણને માત્રામેળ કરવાનો પ્રયાસ પણ થયો છે. પહેલા ભાગની પ્રસ્તાવનામાં ન્હાનાલાલે લખ્યું છે : '...કંઈક શતક ઉપર પિંગળ ઋષિએ ઘડેલાં છંદનાં ઝાંઝર આપણી નવયૌવના કવિતાએ વર્તમાન યુગમાં પહેર્યા છે, પણ હાનાં પડતાં દીસે છે. દિશદિશમાં દેખાતી નવી નવી છંદરચનાઓને એ અર્થ છે. છંદના ગુણાકાર ભાગાકાર, છંદોના સરવાળા તેમ જ બાદબાકી આ કાવ્યમાં છે.” આ કવિને એનાં કાવ્યપૂરને માર્ગ આપવા નિયમબદ્ધ વૃત્તોના ખંડ અને અભ્યસ્ત પ્રયોગ કરવા ઉપરાંત તેમનાં મિશ્રણો અને આવાં તરેહ તરેહનાં રૂપાંતર અજમાવવાં પડ્યાં છે તેને નવીનતાની ખાતર નવીનતાને મોહ કે પ્રગખોરી કહીને કાઢી નખાય તેમ નથી. સ્વત્વની વિશેષ માત્રા લઈને આવતા પ્રતિભાશાળી સર્જકની હોય તેવી, પોતીકી અભિવ્યક્તિ અને માધ્યમ પરત્વેની સર્જક તરીકેની ઉત્કટ સભાનતાએ જ એમની પાસે એ માર્ગ લેવડાવ્યા છે. કવિએ પોતે જ વિલાસની ભા” કાવ્યની ટિપ્પણમાં એમાં પ્રયોજેલ ઢાળ વિશે લખતાં “દોનાં સ્વરૂપ ક્યારે બદલવાં જોઈએ અને કેમ બદલાય છે એ કવિના મનોવ્યાપારની ઊંડી અને અગોચર કથા” પ્રત્યે આંગળી ચીંધી સ્પષ્ટ જણાવ્યું છે : “નવીનતાને ખાતર જ કવિઓએ છંદવિપર્યય કરવાના નથી, તેમ જ નવીનતાને ખાતર જ છંદવિપર્યય સઉ થાય છે એમ કહેવું યે અન્યાયી છે.'
વિશિષ્ટ અભિવ્યક્તિની મથામથમાં આરંભકાળમાં પદ્યની પ્રયોગશાળા જ ખોલી બેઠેલા ન્હાનાલાલે, “કેટલાંક કાવ્યો'ના પહેલા બંને ભાગમાં “વસંતતિલકાને તે મનમાં સ્વાદ રહી જઈ અનુરણ્યા કરે એવો અને અન્ય અક્ષરમેળ વૃત્તોને પણ તેમ જ “પિતૃતર્પણ”માં પ્રાસયુક્ત અનુષ્યપને સુંદર વિનિયોગ કરી જાણનાર કવિએ, દેનાં મિશ્રણ તથા ભાગાકાર-ગુણાકાર-સરવાળા-બાદબાકીના અખતરા તે કરી જોયા જ, પણ પદ્યમુક્તિનું સાહસ પણ આદર્યું તે પોતે જેને તેલનશિલી કહી છે તેની શોધ દ્વારા. કવિતામાં છંદને નહિ પણ ડોલનને, ભાવનાં તેમ તેની સાથે વાણીમાં ઊતરતા ડોલનને, ન્હાનાલાલ કવિતામાં આવશ્યક માને છે. આ ડોલન તે લય. છંદ વિના કવિતાને ચાલે, લય વિના નહિ. પોતાની સૂઝના લયને માન આપી પદ્યમુક્તિ સાધવા જતાં અપદ્ય-અગદ્ય એવી જે શેલી કવિએ ઉપજાવી તે પ્રથમ તે પદ્ય કરતાં મોકળાશવાળા છતાં કોઈક રીતે લયાન્વિત વાણી માગતા નાટકના સંવાદ માટે, “ઇન્દુકુમાર'-૧ના સર્જન વેળા. પણ તે કવિતા માટે પણ અનુકૂળ જણાતાં તરત આરંભાયેલા “વસંતોત્સવ'માં અને પછી તે “શ્રાવણું અમાસને “કેટલાંક કાવ્યો'-૧નાં કાવ્યમાં, કવિ જેને
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ ચિત્રકાવ્યો' કહે છે તેવાં યૌવના” અને “સૌભાગ્યવતી' જેવાં તેમ “રાજયુવરાજને સત્કાર' જેવાં પ્રાસંગિક કાવ્યમાં “કેટલાંક કાવ્યોમાં , ‘વસંતોત્સવની'ની માફક “એજ અને અગર તથા દ્વારિકા પ્રલય' જેવાં કથાકાવ્યોમાં, અને “કુરુક્ષેત્ર જેવી મહાકાવ્ય બનાવવા લક્ષેલી કૃતિમાં ન્હાનાલાલે શિલી ઉત્સાહથી વિનાસંકોચ પ્રયોજી છે. કેટલંક કાવ્ય'-૧ ના પિતાના પ્રથમ કાવ્યસંગ્રહમાં જ આથીય આગળ વધી ન્હાનાલાલ “જીવનનાં વર્ષ” અને “વાંછના' જેવી રચનાઓમાં તો સીધી ગદ્ય તરફ દોટ મૂકી તેનેય કવિના ભાવનું માધ્યમ બનવાની પ્રતિષ્ઠા કેમ ન ઘટે, એવો પ્રશ્ન જાણે કાવ્યરસિકાની સમક્ષ ધરતા જણાય છે.
કવિતાના માધ્યમ પર આવી પ્રગભતા દાખવનાર આ કવિને પ્રભુએ બક્ષેલી આંતર કણેન્દ્રિય, સંગીત અને લય માટેના કાને, એમને આપણી મધ્યકાલીન કવિતાએ કડવાં તથા પદોમાં વિપુલ પ્રમાણમાં પ્રયોજેલી દેશીઓના બહુસંખ્ય ઢાળો અને રાત્રે ભણી, જેને ગુજરાતનું લકસંગીત કહી શકીએ તેની ભણી એટલા જ ઉત્સાહથી વાળ્યા. એમને “ન્હાના ન્હાના રાસ-૧ ને સંગ્રહ પ્રગટ થયે સને ૧૯૧૦માં, પણ એમાંની ઘણી રચનાઓ “કેટલાંક કાવ્યો'ના પહેલા બે ભાગ(૧૯૦૩, ૧૯૦૮)માં છપાયેલી અને કેટલીક “ઇન્દુકુમાર', ‘જયા-જયન્ત” જેવાં નાટકમાં પછી મૂકેલી રચનાઓ છે. આ એ બતાવે છે કે ન્હાનાલાલે પુરગામી ગેય કાવ્યસ્ત્રોતને વારસે પૂરે ઝીલી તેને આત્મસાત કરી લઈ, નવા યુગના ભાવોને તેમાં ગાવાનું કરીને, તેને નવકવિતાના લાભાર્થે રચનાત્મક ઉપયોગ કરી, પ્રતિભાશાળી નવસર્જકનું સામર્થ્ય પ્રગટ કર્યું છે. એ તેમની સેવાને, આરંભ પણ તેમને કવનને પ્રારંભકાળમાં, પેલા પદ્યમુક્તિના સાહસની સાથે જ સમાન્તરે થયો હતો, જે પછી એક એમના કવનકાળને અન્ત સુધી વૃત્તબદ્ધ તેમ જ ડોલનશૈલીની રચનાઓની સાથેસાથ સમાન્તરે ચાલ્યાં કર્યો હતે. ‘ન્હાના ન્હાના રાસ'–૧ની જ અંદર અને પછી તો એના અનુગામી ભાગે તથા કાવ્યનાટકાદિનાં પુસ્તકમાં કવિએ પિતાની લયમેળ ગીતરચનાઓના જે મૂળ ઢાળો બતાવ્યા છે તેની વિપુલ સંખ્યા જ કવિની એની વિશિષ્ટ જાણકારી તેમ જ એમની પોતાની ગીતરચનાઓનું સંગીતવૈવિધ્ય સિદ્ધ કરી આપે છે. “ગેયતા કવિતાને આવશ્યક નથી” એમ ઉષતા કવિની ગીતસિદ્ધિ અર્વાચીનથી આધુનિક ગુજરાતી કવિતા સુધી અજોડ રહી છે, જે એ દર્શાવી આપે છે કે એ ઉષ એમની ગીતે રચવાની અશક્તિનું પરિણામ ન હતું, જેમ એમની ડોલનશૈલી એમની વૃત્તિમાં લખી શકવાની અસમર્થતાનું ચિહ્ન ન હતું. એમનું ધસમસતું કાવ્યપૂર આ બધાં વહેણમાં ધસી આવીને વહ્યું છે એટલું જ.
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨ હાનાલાલ
[ ૨૭ એની પાછળ કામ કરી રહી હતી ન્હાનાલાલની મસ્ત કે રંગરાગી (“રોમૅન્ટિક) કવિપ્રકૃતિ. એવી પ્રવૃતિ કવિને પિતાના ખ્યાલમાં મસ્ત રાખી એની કવિતાને દર એની પ્રેરણાના હાથમાં જ રખાવે. આત્માભિવ્યક્તિ પરંપરામાં થઈ શક્તી હોય ત્યાં સુધી એને ખપમાં લેવાને આવી પ્રકૃતિના કવિને વાંધો. નહિ, પણ એ નવી કેડીએ માગતી હોય તો પ્રણાલિકાને ચાતરીને નવા પ્રયોગો કરવાનાં જોખમ ને સાહસના માર્ગને, પોતાના વ્યક્તિ સ્વાતંત્ર્યને, એ વિશેષ વફાદાર વતે. જૂની ગેય કવિતાને વારસો પૂરે ઝીલી, અક્ષરમેળ વૃત્તોમાં સારું એવું પ્રભુત્વ દાખવી, છંદના નિયમોની આણમાં રહીને વધઘટ મિશ્રણ વગેરેથી. તેમને આમતેમ વાળવાના અને તેનાં રૂપાન્તર સાધવાના અખતરા કરતા રહી, તેથીય વધુ મોકળાશ અથે તેને નિયંત્રણમાંથી નીકળી જઈ પિતાને મતે કાવ્યના. જનકરૂપ ભાવના ડોલનને લયગર્ભ રસાત્મક વાણીમાં ઉતારવા ડોલનશૈલીને પ્રયોગ ન્હાનાલાલે કર્યો, તેમાં એમની આવી રંગરાગી, આત્મછંદી કે કૌતુકપ્રિય પ્રકૃતિના પ્રભાવનું જ દર્શન થાય. “ઈન્દુકુમાર–૧ માં મૂકેલા ધૂમકેતુના ગીતમાંની. દીધું વિધિએ તે પીધું, લીધું રૂ૫ અબધૂત ઘોર,
તોડી જગતના તોર; ભયભૂલણી જગજીભ છે ભાખે હવે ભૂંડું
હું એકલો ઊડું. એ કરીને તેનો કવિ પિતાને માટે જ આ લત હોય એમ ઘટાવી શકાય તેમ છે. દીધું વિધિએ એટલે પરંપરાપ્રાપ્ત કાવ્યવારસો, છંદબદ્ધ કવિતાને. એ તો પોતે. પીધે એટલે સત્કારી પચાવી લીધો છે. પણ એમ કર્યા પછી કવિતાજગતના તોર. એટલે અક્કડ નિયમબંધન તોડી અવગણ અછાંદસ અપદ્યાગદ્યના નિર્માતા તરીકેનું નિયમબાહ્ય તેથી ઘર અને અબધૂત એટલે મસ્ત એવું કવિસ્વરૂપ પોતે પ્રગટાવ્યું છે. કવિતા પદ્યમાં જ હોય, આ કવિતા નથી, એમ કહી છળી ઊઠી કડવી ટીકા કરનારી જગજીભ, એટલે પરંપરાપૂજક સાહિત્યજગત, ભલે ગમે તેમ બેલે, હું તે મારી મસ્તીમાં એકલવિહારી એકલો ઊડું છું, મેં પકડેલા માગે, બધા. ગ્રહો નક્ષત્રોથી અલગ ગગનપથે ઘૂમતા ધૂમકેતુની માફક એમ જાણે ન્હાનાલાલ પણ મોજમાં લલકારતા ત્યાં કપાય. છંદમાં ગુરુને સ્થાને બે લઘુથી કામ. ચલાવવાની ને હસ્વદીર્ધની છૂટ, વાગ્મિતા અને શબ્દછાકને અતિરેક, વ્યાકરણ અર્થ ને ઔચિત્યની બેપરવાઈ, વસ્તુસ્પશી મૂર્તતાને સ્થાને ભાવનાવિહાર તથા મોહક કલ્પનાલીલાની સરજતરૂપ મુલાયમ હવાઈ તત્ત્વ, વનિની અસ્પષ્ટતા વગેરે જેવા ક્યારેક ડોકાઈ જતા દેષો પણ તેમના આવા મસ્તવેગી કવિતાપૂર કે કાવ્ય
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ 2', ૪
છાકની નીપજ ગણાય. ઉપર ગણાવેલાં તેમના ચાલુ સદીના પહેલા દાયકાનાં કાવ્યપ્રકાશના કવિની પ્રતિભા અને તેના કવિવ્યક્તિત્વની આવી મુદ્રાથી અંકિત હાઈ એમની કવિતાનાં આકર્ષણ, સામર્થ્ય અને કચાશેાના જે પ્રથમ પરિચય કરાવી રહે છે, તેમાં પછીના એમના વિપુલ સાહિત્યસર્જનથી તાત્ત્વિક વધઘટ થતી નથી, એ પરિચયને દઢતર કરનારી વિશેષ સામગ્રી સાંપડે છે એટલું જ.
આવા કવિનાં નાનાંમેાટાં મળીને કવિતાનાં પ્રકાશનાની સ ંખ્યા પિસ્તાળીસ જેટલી થવા જાય છે. અલબત્ત, એમાં ન્હાના ન્હાના રાસ'ના ત્રણ અને ‘ગીતમ’જરી’ના બે ભાગમાં તથા ‘ચિત્રદર્શના’‘દાંપત્યસ્તાશ્ત્રા' અને પ્રેમભક્તિ ભજનાવલિ'માં એમના અન્ય કાવ્યસ ંગ્રહેા તથા નાટકામાં છપાયેલાં કેટલાંક કાવ્યો પુનર્મુદ્રિત થયાં છે. તેમ છતાં એમનું કાવ્યસર્જન નિઃશંક વિપુલ કહેવાય એટલુ છે. એમાં પ્રકારદૃષ્ટિએ ઘણું વૈવિધ્ય પણ છે. એમાં બાળકાવ્યા છે, હાલરડાં છે, લગ્નગીતા છે, કવિ જેને ‘રાસ' કહે છે તેવાં ગીતા છે, ભજનેા છે, ચિત્રકાવ્યા છે, ખંડકાવ્યા કે કથાકાવ્યા છે, મહાકાવ્ય છે, કવિના શબ્દમાં ‘વિરાટકાવ્ય’ પણ છે, અને અંગ્રેજી કાવ્યાનાં તથા ‘મેઘદૂત' અને ‘ભગવદ્ગીતા' જેવી સંસ્કૃત કૃતિનાં ભાષાંતરા પણ છે. ગેાપકાવ્ય, કરુણપ્રશસ્તિ, અર્ધ્ય કે અંજલિ કાવ્યા, ગઝલ-કવ્વાલીએ પણ એમાં જોવા મળે છે. શકય તેટલા કાવ્યપ્રકાશ અજમા વવાની મહત્ત્વાકાંક્ષા કવિએ સેવી છે ને તે પાર પણ પાડી છે : બાળકા માટે, કન્યાઓ માટે, ગરબા ગાતી ગુજરાતણેા માટે, સાહિત્યમનું રસિકા માટે, દેશભક્તિના ભાવ અનુભવતા યુવાને માટે અને ઈશ્વરાભિમુખ પ્રૌઢા માટે તેમને ભાવતી કવિતા રચવાનેા અને એ રીતે પિતા દલપતરામને પેાતાની રીતે અનુસરવાને કેમ જાણે પુણ્ય સંકલ્પ એમણે કર્યો હાય.
૮ કેટલાંક કાવ્યા’ના પહેલા ભાગ (૧૯૦૩)માં ગોવર્ધનરામની, નરસિંહરાવની, ‘કલાપી'ની અને એક જ કાવ્યમાં વૃત્તવૈવિધ્ય લાવવાની બાબતમાં ‘કાન્ત'ની એમ અસર કવિ બતાવે છે, અને પાંચ કાવ્ય અંગ્રેજી કાવ્યેાનાં ભાષાંતર છે, તેમ છતાં કવિની નિજી કાવ્યસંપત એમાં એછી દેખાતી નથી, જે આગળ બતાવી તેવી એમાં જોવાતી તેમની વિશિષ્ટતાની ઝલકથી સિદ્ધ થાય છે. એમાંનાં પિતાની મૃત્યુ સંવત્સરી (‘સ્મરણ'), પોતાની લગ્નતિથિ અને જન્મતિથિ, ભાઈનું લગ્ન, ભાઈની બીમારી અને મૃત્યુ (‘શ્રાવણી અમાસ' અને ‘બ્રહ્મદીક્ષા')એ જન્માવેલાં કાવ્યા તથા પત્નીને સંગ્રહના કરાયેલા અર્પણનું તથા તેને સંખેાધીને લખાયેલાં અને લગ્નસ્નેહનાં વિવિધ ભાવસ વેદને ગાતાં કાવ્યા એમાં આત્મલક્ષી કવિતાનું પ્રમાણ સારું હેાવાનુ જણાવે છે. ‘જન્મલસ-મૃત્યુના આધાત
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨ ]
ન્હાનાલાલ
[ ૨૯
પ્રત્યાઘાત'ના ‘સ્વાનુભવ' ગાનાર કવિ તેમની સમગ્ર કવિતાના ગાનવિષય તેમની સમકાલીન ગુજરાતી કવિતાના તેમ જગતની કવિતાના સનાતન વનવિષય. પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ છે, એ આ પહેલા જ સંગ્રહથી બતાવી આપે છે. પ્રણયને ગાવાનું પહેલા સંગ્રહનાં કાવ્યામાં સખી-પત્નીને સંખેાધી-ઉદ્દેશીને કર્યું છે, તા પછીના કાવ્યસર્જનમાં અન્ય માનવવ્યક્તિઓના હૃદયમાં પ્રવેશ કરી તેમનાં ભાવેમિએને શબ્દબદ્ધ કરીને કર્યું છે.
કેટલાંક કાવ્યા’–ર (૧૯૦૮)ની પ્રસ્તાવનામાં પાતે આત્મલક્ષિતામાંથી નીકળી પરલક્ષિતા ભણી પેાતાની કવિતાને વાળવાની તૈયારીના ઇશારા આમ કહીને આપ્યા છે : ...જેમ જેમ સર્વાનુભવી ન હેાય એવાં સ્વાનુભવનાં ગીતને બદલે લેાકસંસ્થાના પ્રશ્નોને, પ્રજાના આશઅભિલાષના, ગુજરાત હિંદ અને દુનિયામાં અંકુરતી નવચેતનાને કવિતામાં વધારે પ્રભાવ પડવા લાગશે, જેમ જેમ જગતનાં સર્વોત્તમ કાવ્યેાની હારમાં ઊભવું છે એ લક્ષ્યમાં લાવી પયગમ્બરાની પેઠે આપણા કવિએ સ્વર્ગના સંદેશ જેવાં ઉત્સાહી પ્રેરણાભર્યાં પરમ શ્રેય દાખવતાં કલ્યાણુ. સ્તાત્રા ગાવા માંડશે, તેમ તેમ, મ્હારી શ્રદ્ધા છે કે લેાકસમૂહ નવી કવિતાને વધારે ને વધારે આદર આપશે.' આ પંક્તિ એમની એકમની આત્મલક્ષિતામાં પુરાઈ ન રહેતાં પ્રજાલક્ષી બનવા તાકતી વધુ વિશાળ કાવ્યભાવનાનેા તથા કવિધર્મના એમના મહત્ત્વાકાંક્ષી ખ્યાલ રજૂ કરવા સાથે કેટલાંક કાવ્યા'ના પહેલા ભાગ પછીના એમની કવિતાના પ્રસ્થાનને સમજાવી દે છે. ખીજા ભાગમાં આત્મલક્ષી કાવ્યા નથી એમ નિહ પણ તેની સંખ્યા ઘટી ગઈ છે, ભાષાંતર ને અનુકરણ કે અસર પણ ઓછાં થઈ ગયાં છે, પાત જેને પ્રથમ ચિત્રકાવ્યા પણ પાછળથી ચિત્રદર્શીના કહ્યાં છે, તેવી કાવ્યરચનાએ આવી છે અને કવિના અંગત કૌટુંબિક ભાવેશને બદલે સાધારણીકૃત માનવ-ભાવસંવેદનેા ગવાવા લાગ્યાં છે, અને રાજ-યુવરાજને સત્કાર' એ પ્રાસગિક કાવ્યમાં પ્રજાની આશા-અભિલાષા વિનય પણ બલિષ્ઠ વાચા પામી છે. કવિ ખંડકાવ્યા, કથાકાવ્યા, નાટક, મહાકાવ્ય આદિ તરફ વળ્યા તે તેમાં સર્વાનુભવરસિક કલાકારની રીતે જુદાં જુદાં માનવ-પાત્રોનાં ઉદ્ગાર અને આચરણ પ્રદર્શિત કરી શકવાની તેમાં મળતી સગવડને લીધે, એમ સમજી શકાય છે. વસ્તુતઃ પેાતાની આવી કાવ્યભાવનાને અને કવિકર્તવ્યના ખ્યાલને કવિએ કેટલાંક કાવ્યા' – ૨ની પ્રસ્તાવનામાં શબ્દબદ્ધ કર્યા' છે એટલું જ, બાકી એ તેમના સાહિત્ય-સર્જનનાં પ્રેરક બળ તા તેમના કાવ્યારભના કાળથી જ હેાવાનું ‘વસંતોત્સવ' અને ‘ઇન્દુકુમાર’–૧ (બેઉનુ' જન્મવર્ષાં સને ૧૮૯૮)થી. પ્રતીત થાય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ગ્રં. ૪ સૌદર્યદર્શન બહિરંગ પરથી ન્હાનાલાલની કવિતાના અંતરંગ પર આવતાં પ્રથમ ધ્યાન ખેંચવું જોઈએ એમાંના સૌંદર્યગાને. સર્જનહારે ન્હાનાલાલને કવિનું હૃદય, કવિની કલ્પના અને કવિની શબ્દભક્તિની સાથે સૃષ્ટિમાં પથરાયેલા પ્રભુના સુંદરસ્વરૂપ ઉપર તરત જઈ ઠરતાં સૌંદર્યદર્શક કવિચક્ષુ બયાં હતાં. કિશોર વયે રેલવેના પાટા પરથી પુલ ઉપરથી નીચે ગુજરાતની એક નદીમાં પ્રતિબિંબિત આકાશ અને તીર પરની વૃક્ષઘટાના સૌંદર્યદર્શનને તેમણે હૈયામાં એવું કાયમ માટે સંધરી દીધું કે કેટલાંક વરસ પછી શ્રીલંકામાં દીઠેલા એક સરોવરની પાળે થયેલા એવા જ પ્રકૃતિસૌંદર્યચિત્રના દર્શને તેને સંભારી આપ્યું અને તેમની પાસે “કુલોગિની' કાવ્યની પેલી મનહર પંક્તિઓ ઉદ્ગારાવીઃ “જેવી તમારા જલમાં વનશ્રી, તેવી જ મહારા ઉરમાં કુલશ્રી'. કોલેજના વિદ્યાર્થી તરીકે વર્ષઋતુમાં વરસાદ બંધ પડે કે તરત ઘરમાંથી બહાર નીકળી પડી લીલીછમ ધરાનું દશ્ય પીતા જઈ ઝાડ પર ચડી ખિસ્સામાંથી ટેનિસનની કવિતાને ગુટકે કાઢી કલાકેક વાંચી પોતે ઘેર પાછા ફરતા. રાજકોટના નેકરીકાળે કેટલીય શનિ રવિની દોઢ દિવસની રજા ગિરનાર પર્વત પર પોતે ગાળ્યાનું એમણે જણાવ્યું છે. આ પ્રકૃતિપ્રેમે વસંતેસવ'માં ગુજરાતનાં આંબાવાડિયાંને, “સરોવરમાં શત્રુંજય પરથી દેખાતા શીત સરોવરને, “આભલાથી ચીતરેલ વ્યોમ” તથા “ચંદનીએ ચીતર્યા સમીર એવું હૃદયહર ચિત્ર રજૂ કરતા પંચાસર કને રણકાંઠાના પાલી રાતને અજવાળિયાના દશ્યને (“હે રણને કાંઠડલે રે), સૌરાષ્ટ્રની ટેકરિયાળ ઊંચીનીચી “સાગર સમ', “હિલોળા લેતી ભોમને (“કાઠિયાણીનું ગીત)), ગિરનાર પરના સૂર્યોદયને (‘ગિરનારને ચરણે') અને “ચારુ વાટિકાની પહેલી કડીમાં સૌરાષ્ટ્ર નાઘેર અને ચોરવાડને, થ્રી-સાતમી કડીઓમાં ચોરવાડની વાડીઓને તથા પાનવેલોના માંડવાઓને અને આઠમી કડીમાં ત્યાંના સાગરની જળલીલાને આ કવિ પાસે ઉલ્લાસથી ઊભરાતી અને ચિત્રો ઉપસાવતી વાણીમાં ગવડાવ્યાં છે. પ્રભાતના સૌંદર્યને
જાયું ઉષાનું અનિલે ચૂમ્યું નેત્ર પેલું..
અને
ઝાંખું પ્રકાશિત અહડધું વન ના હિંડોળે, ગંભીર ધીર સહકાર અને ડેલે ( “પ્રભાત' ) રજનીની ચૂંદડીને છેડાના હીરલા શા ડૂબે છે તારલા આજ ધીમે ધીમે.
Page #40
--------------------------------------------------------------------------
________________
હાનાલાલ
[ ૩૧
પ્ર. ૨ ] - જેવી પંક્તિઓમાં ગાતા કવિએ સંધ્યાની તેજ-અંધારની લીલાને
દૈવી બ્રહ્માંડ-ફરતી ઝીણી અબરખ શી ગેબી અંધારી નાખી
ભેદી તેજે જગતલીંપતી સંધિકા જાય ઊંડું. (“
ઉધન”) અને
અહે આ જ કુકુમ ઢોળાયેલ આભમાં ( કુરુક્ષેત્ર ) સાંધ્યરંગી સાળુ મંહીં મેઘશ્યામ વાદળી
રૂપેલી પાલવનાં ચીર. (“વિહંગરાજ' ) જેવી પંક્તિઓમાં એવા જ કવિસામર્થ્યથી ગાઈ છે. અમાસની મધ્યરાત્રિના અંધકારને “શ્રાવણી અમાસ” અને “બ્રહ્મજન્મમાં તેમ જ “તિમિર ઝીણું ઝીણું ઊડે અનિલમાં ગેબી કઈ નાંખી ભૂરકીથી “મંદ મંદ ઘનરંગી તરંગ ભૂરા વ્યોમતટ ઊંડા ચૂમે એ બધીર સમર' કાવ્યની ચાર પંક્તિઓમાં કવિએ કાવ્યરસિત કરીને શબ્દચિત્રિત કર્યો છે. વસંતની પ્રકૃતિશ્રીને વસંતોત્સવ' અને અન્ય કાવ્યમાં ગાતા કવિએ વર્ષા, શરદ, આકાશ, તારાઓ, સાગર વગેરેને પણ સારી રીતે કાવ્યાભિષિક્ત કર્યાનું એમની કવિતા અનેક સ્થળે દેખાડે છે. ચંદ્ર અને ચાંદનીને તો કવિએ એટલી બધી વાર અને એટલાં બધાં કાવ્યોમાં ચિત્રવિષય તેમ અલંકારસામગ્રી તરીકે મન મૂકીને પ્રજ્યાં છે કે તેમને ચંદ્ર અને ચાંદનીના કવિ કહેવાનું દિલ થઈ જાય. “ક્ષિતિજસરોવરને જળતરંગે ચન્દીનું દેવપોયણું રહડથું' એ પંક્તિમાંનું અંધારિયાની છેલ્લી ચંદ્રકલાના ઉદયની “બ્રહ્મજન્મ કાવ્યમાંની, અને “પૂર્ણિમાના શશીરાજ'ના અને “પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ'ના ઉદયના અનુક્રમે “વસંતોત્સવ” અને “કેટલાંક કાવ્યો'–૧ ને અર્પણુકાવ્યમાંનાં ચિત્રોની તેમ જ “અટારીએ રહડન્ત' “શશીરાજ'ની અને “નભની અટારીએ ચડતી શરદ પૂનમની ચન્દીની અનુક્રમે એ દિવસો” અને “શરદપૂનમ એ બે કાવ્યમાંનાં ચિની આસ્વાદ્યતા અનેરી જ છે. ન્હાનાલાલ કવિ તરીકેના ભાવવિશ્વમાં પ્રકૃતિસૌંદર્ય મહત્ત્વનું સ્થાન રોકે છે તેની પ્રતીતિ માટે આટલા ઉલેખ બેસ થશે.
વસંતને વધાવતાં આવ્યાં ને તે દેવી! આવજે માનવદેશ જો!” અને પછી તે ‘વસંત જનમંડળે રમવા ઊતરી એમ “વસંતોત્સવ'માં કહેતા અને પ્રકૃતિના સૌંદર્યને માનવકનું, માનવજીવનનું, સૌંદર્ય બનાવવા ચાહતા ન્હાનાલાલ “નવયૌવના” અને “સૌભાગ્યવતી' જેવાં ચિત્રાત્મક કાવ્યમાં તથા ‘વસંતોત્સવમાં અમુક પરિવેશમાં ઓપતા માનવ સૌંદર્યનેય કાવ્યર્થથી સત્કાર
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ વધાવે છે. “ઈન્દુકુમાર'–૧માં કાન્તિકુમારીના દર્શને એના સૌંદર્યથી થતા આનંદસંવેદનને પ્રગટ કરતા જે ઉગારે ઈન્દુકુમારના મુખમાં કવિએ મૂક્યા છે તેનો પ્રકાર પણ એ જ છે. ગિરનારને ચરણેમાં
ગાલે ઢળે નમણી પાંપણ અધમીંચી, ઢાંકી વળી વળી જ પાલવ કરદેશ;
સંકોરી કોર સરતી કરવેલડીએ : હેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો ? એ કડીમાંનું તથા “શરદપુનમમાંનું
લજનમેલું નિજ મંદ પોપચું કે મુગ્ધ બાલા શરમાતી આવશે ને શોભી રહે નિર્મળ નેનની લીલા : એવી ઊગી ચંદ્રકલા ધીરે ધીરે.
એ કડીમાંનું, એમ મુગ્ધાના નિર્મળ સૌંદર્યનાં સહદોની સ્મૃતિને બાઝી જાય એવાં બે શબ્દચિત્ર આ કવિ સજીવ સૃષ્ટિના, માનવીના, બાહ્યાભંતર સોંદર્યનાય કેવા પૂજકગાયક બન્યા છે તે દેખાડે છે. એમનાં નારી સૌંદર્યવર્ણનેમાં એક પ્રકારની સાત્ત્વિક સૌંદર્યભક્તિ હોય છે, વિકારોત્તેજક્તા-લેશ પણ નહિ. શ્રીમત તત્વને ઈશ્વરીય વિભૂતિરૂપે પૂજવાની કવિની વૃત્તિ હોય છે, આગલી કડીમાંનું ચિત્ર “શું થૂલમાં ન ઉભરાય અદશ્ય સૂક્ષ્મ ?” એ વિચારને સમર્થન માટેના દષ્ટાંતરૂપ હતું; બીજુ પૂર્ણિમાના ચંદ્રોદયને સાક્ષાત્કારક રીતે વર્ણવવા માટે ઉપમાનરૂપ હતું. પ્રકૃતિ સૌંદર્યને આલેખતાં માનવસદર્યને અને માનવ પાત્રોનાં સૌંદર્યને આલેખતાં પ્રકૃતિસૌંદર્યને કવિ આ રીતે એમનાં અનેક કાવ્યમાં ઉપયોજે છે. એમણે પ્રયોજેલા ઉપમા, ઉપ્રેક્ષા, રૂપક જેવા સદશ્યવાચક અર્થાલંકારેનો અભ્યાસ કરવાથી આ તરત દેખાઈ આવશે. એ અલંકારોમાં કવિની સૌંદર્યદષ્ટિ એમની સર્જક-કપનાને કેવી રમણે ચડાવે છે તે જોવા બેત્રણ નમૂના જ બસ થશે. વસંતોત્સવ'માંની નીચેની પંક્તિઓ જુઓ : બીજની વિધુરેખ/તીરછી દષ્ટિપાતે જગ વધાવી/સહચરીઓ સંગે પરવર / સ્નેહનમણાં સ્મિતકિરણ ફેંકી/ સુમરા તેમ સખીઓમાં ગઈ. / ગારરંગી સલુણ બાલાઓ | ન્હાનકડા પુષ્પરાશિઓ સમી ? જલતીરે | ઊભી હતી.
*
પરાગની પ્રગલ્સ સરિતા શે | કુમારિકાઓ પાછળ પાલવ ઊડતો. | આછીવાદળીઓમાંથી ફૂટતી / ચંદ્રકિરણની વેલ જેવા | સાળુડે સન્તાતા કરદંડ | અને હેના મણિકંકણ ! નેત્રનેત્રમાં મનહરતા આંજતાં. | સ્ફટિકલ શી હસ્તસ્થલીઓમાં સુમનહન્ત છાબે હતી. | આહલાદક શશિયરવદને નિર્મળ રત્ન શાં નયન રાજતાં.
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[૩૩
મેઘમાઈવે ઉપર તરતા/ઈન્દ્રધનુષના હાનકડા ખંડ શી
સુકુમાર બાલિકાઓ પરિમલમાં રમવા લાગી. એમાંની પહેલી પાંચ પંક્તિઓમાં છે તેવાં ઉપમાચિત્રો એટલે વાક્ય ઉપમાઓ એ કૃતિમાં અનેક છે, અને શબ્દગા ઉપમાઓને તે સુમાર નથી. અલંકારોના ગુલાલથી કવિએ વસંતરાવ ત્યાં ઊજવે છે. “વસંતત્સવની પ્રથમ પંક્તિમાં બાલિકાને “ગુલછડી સમોવડી' એ ઉપમાથી અને સૌભાગ્યવતી'ની સૌભાગ્યવતીને જાણે ફૂલની લટકતી સેર' એ ઉપેક્ષાથી વધાવતા કવિએ એ બેઉ કૃતિઓમાં સાદશ્યમૂલક અલંકારો કેટલા બધા પ્રયોજ્યા છે ! ચિત્રદર્શનાત્મક કાવ્યમાં શરદપૂનમ'માં શરદને સુંદરીના રૂપકથી અને સજીવારોપણથી અને ચંદ્રીને એમનીરમાં ખીલેલું કમલ કહી રૂપકથી અને માનવ સુંદરીને વર્ણવતાં ચાર ચાર ઉપમાચિત્રાથી નવાજતા કવિ તાજમહેલના સૌદર્યને સાક્ષાત્કરાવવા
ઊંચા મિનારા સમ ઉર્વ હસ્તથી ચન્દ્રાનની ઘુમ્મટશીષ ટેકતી,
ઢાળી ટા પાલવ વાડીક શા; રસીલી કો નાચતી નિત્યરાસ આ. એ પંક્તિઓમાં ઉપમા અને રૂપકની જે સુંદર સંસૃષ્ટિ પ્રયોજે છે, અને “ચાર વાટિકા'માં લીલી નાઘેરને હિન્દદેવીની “સુભગ ઢળતી સાડીની કેર શી', ચોરવાડને “એ કરે બુટ્ટીના કે લીલમ સરિખડું' એ ઉપમાઓથી, ત્યાંની આંબા, કેળ્યો, પપૈયાં, જાંબુની વાડીઓ ને નાગરવેલનાં પાનની વેલેના માંડવાઓને રમણીઓની ઉપમાગર્ભ ઉપેક્ષાથી અને સુચારુ સજીવારોપણથી, ત્યાંના સાગરનાં ફીણ-મોજાંની જળલીલાને
ઘાઘરના ઘેર જેવી ઊજળી ઊછળતી છીણની ઝાલર, ને હૈયે પાલવ પડેલી કરચલી સરિખી ડોલતી ઊમિમાલા, છુટ્ટી મેલી શું લાંબી મણિમય અલકો કાલિકા ઘર નાચે,
માયાની મૂર્તિ શી ત્યહાં જલનટડી રમે વ્યોમની છાંયડીમાં. એ પંક્તિઓમાંના નર્તકીના ઉપમાગર્ભ રૂપકથી, અને ત્યાંની ભીના વાન ને ભરેલા અવયવની “અલબેલડીઓને “ઉજળી વાદળી શી રસા” તથા “સિન્ધની લક્ષ્મી જેવી’ કહી જે મનહર કલ્પનાલીલાથી ભાવકને ઇદ્રિયપ્રત્યક્ષ કરાવે છે, તે એમની આ બાબતની તેમ ચિત્રનિર્માણશક્તિની વિશિષ્ટતા તેમ સિદ્ધિના અડીખમ પુરાવા
બને છે.
પ્રકૃતિના અને માનવીય સૌંદર્યને નિરૂપવા એકમેકની સહાય લેતા કવિ પ્રકૃતિનાં રમ્ય અને ભવ્ય સરવો અને દાનું તેમને પિતાને જ ખાતર સીધું
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ . ૪ આલેખન પણ કરે છે, “ધણ” જેવાં કાવ્યમાં પ્રાકૃતિક આલેખનની સાથે માનવીનેય સાંકળે છે, અને કેટલાંક કાવ્યોમાં વિચાર કે ભાવના વાહન કે સાધન કે પૃષ્ઠભૂ તરીકે પ્રકૃતિને ઉપયોગ કરે છે, એ પણ તેમનાં કેટલાંક કાવ્યો દેખાડે છે. વિલાસની શોભામાં મંદાકિની, ચંદ્રકલા અને તારિકાને સૌભાગ્યકાંક્ષિણી કુમારી, સૌભાગ્યવતી તથા વિધવાનાં પ્રતિરૂ૫ બનાવી નારીજીવનને અભિલાષા ને કારુણ્યનું દર્શન કરાવાયું છે. ધૂમકેતુનું ગીત' અને વિહંગરાજ'માં દુનિયાદારીથી ઊફરા ચાલતા વ્યક્તિવિશે અને તેમનાં માનસ અને કાર્ય વ્યંજનાથી ઉપસાવવા પ્રકૃતિને ઉપયોગ થયો છે. જીવનમાં અનુભવાતા આનંદ-વિષાદના વારાફેરા ચૈત્ર સુદ ત્રીજ' જેવા કાવ્યમાં પ્રકૃતિની સામગ્રીથી સૂચવાયા છે. સિધુને અને “સાગર” પણ અમુક માનવભાવને ખાતર પ્રકૃતિ વિનિજયાનું દેખાડે છે.
આ બતાવે છે કે ન્હાનાલાલને પ્રકૃતિ પછી માનવી તેના અનેકવિધ ભાવઅનુભવ સાથે કવનવિષય તરીકે આકર્ષક લાગે છે. માનવભાવના આલેખનમાં તેમને પ્રણયનું સૌથી વધુ ગાવું રુચ્યું છે. એમાંય પ્રણયજીવનની જુદી જુદી અવસ્થાના સંદર્ભમાં નારીહૃદયની સંવેદનાનું કવન તે એમને કવિ વિશેષ બની ગયેલ છે. “ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ” અને “બહેનનું ગીતમાં બહેનને ભાઈ માટે હૃદયભાવ સફળતાથી ગાતા કવિ “ઝીણા ઝીણા મેહમાં અને “વીણ વીણાને ફૂલડાંના ફાલ'માં મુગ્ધા કુમારીના પ્રથમ પ્રણયોદ્ગમને, અજબ કે વેણુ વાગી’, ‘ફૂલ હું તે ભૂલી', હૈયાની વાંસળી’, ‘હલકે હાથે તે નાથ ! મહિડાં લેવજે’, ‘જાવા દે જોગીરાજ', “કંથકેડામણી', “જે જો સાહેલી, હારો કંથ, “સ્નેહપર્વણ', ગેપિકાની ગોરસી', “પ્રેમસરોવર', “સ્વર્ગનાં મૃદંગ' જેવાં કાવ્યોમાં રસીલાના સ્નેહછલકાટને, “વિષઘેનમાં દર્દભર્યા સ્નેહસંવેદનને, એ રત'માં રસિકાની પ્રિયતમ–“રાજ' માટેની મિલનસુકતાને, “એ દિવસોમાં માણેલા “રસદિવસોને આહલાદક સ્મરણને, “માયા ઉતારી', “દીઠે તે પહાર', સંભારણું, “સૂનાં સૂનાં સ્નેહધામ, નભે આભમાં અંધાર” ને “સખિ આજે ઝંદગચંગ સાજે..'માં વિગિનીના વિરહને, “વીરને વિદાય', “કાઠિયાણીનું ગીત” અને “કસુંબલા કીધા નાલિયા'માં, “સાવજશૂરા', “કેસરભીના વીર કંથનાં વિયોગ ને વિદાય વેળાના એની રસિકાના ભાવને, “વ્હાલપની વાંસલડી'માં નારીના કુટુંબનેહને, “રંગધેલી'માં રાસે રમતી સાહેલડીને, “વહાલાં વિરાજે મારા પ્રાણમાં રે લોલ”, “પ્રાણ ! જરી પેઢીને, પેઢાને” અને “ફૂલ હારું પોઢે છે, પોઢે છે' જેવાં હાલરડાંમાં માતાના શિશુવાત્સલ્યને અને “તાદાયે સેનેટમાં શિશુવાત્સલ્ય સાથે પતિપ્રેમના તાદાત્મ્યને જે કાવ્યદ્રકથી ગાય-વધાવે છે તે
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૩૫ તેમને બોટાદકર પહેલાંના નારીહદયના મધુર ગાયક એવા સ્તુતિવચનના અધિકારી ઠરાવે છે.
રસગી ન્હાનાલાલ
પ્રણયમાધુરીને આમ પિતાને કવનવિશેષ બનાવીને ન્હાનાલાલે પિતાનું “પ્રેમભક્તિ' ઉપનામ એના પૂર્વાર્ધ પૂરતું અન્વર્થક સિદ્ધ કર્યું છે. આ “પ્રેમ-ભક્તિ કવિનામની પ્રેરણા એમને નર્મદના મુદ્દામંત્ર “પ્રેમશૌર્યમાંથી કે સ્વામિનારાયણ સંતકવિ પ્રેમાનંદ સ્વામીના “પ્રેમ-સખી' કવિનામમાંથી મળી હોય, પણ વસ્તુતઃ “પ્રેમ” અને “ભક્તિ' એ બે શબ્દોમાં એમની પ્રિય ભાવના, કવિદર્શન કે કવિમિશન સમાઈ જાય છે. એ દર્શન કે મિશન એમની હૃદયભૂમિમાં બહુ વહેલું ઊગેલું. ૧૯૦૩માં પ્રગટ થયેલા એમના પહેલા કાવ્યસંગ્રહ “કેટલાંક કાવ્યો'ને, જન્મતિથિ' કાવ્ય આ પ્રાર્થનામાં પરિણમે છે :
વૈરાગ્ય ખેલું પ્રિય સંગ વિશુદ્ધિાળે, ને સ્નેહને સદન ત્યાગની ઝીલ ઝીલું; કર્તવ્યસાર રસપૂજનમાં સમાય, એવું પ્રભો ! જીવનને ૨ચજે રસીલું. સેહે પ્રભાતશીલ નિમળ પ્રેમશોભા, આકાશકાન્ત મહીં ભક્તિની છાંય ડૂબી
એ પ્રેમભક્તિ સરમાં ઊજવું પ્રવૃત્તિઃ હારી પ્રભા ! વધુ શું પ્રભુ! જીવનને રચજે રસીલું. રસપૂજન સાથે ભક્તિનેય એક શ્વાસે “રસીલા' જીવનનાં ઉપાસ્ય માનતા ન્હાનાલાલ ૧૯૦૬માં પ્રથમ લખાયેલા અને ૧૯૨૫ તથા ૧૯૭૪માં સંસ્કારાયેલા પિતાના કવિજન્મ કે કાવ્યદીક્ષાની કથા કાવ્યોચિત રીતે આલેખતા “બ્રહ્મજન્મ” (“કેટલાંક કાવ્ય'- ૩) કાવ્યમાં “પ્રેરણાની દેવી', કવિતાની જનની', “બ્રહ્મકુમારી શારદાનેપિતાની Muse ને સંબોધી તેને ચરણે પિતાનો પુણ્ય સંકલ્પ આ શબ્દોમાં ધરાવે છે:
કવિતા એટલે વિશ્વની રસપ્રભા,અને પરબ્રહ્મની આનંદલાલ
કાળની દીવાદાંડી સમું,/ અવનીના અવધૂત જેવું, દેવનાં દેવત્વે રંગેલું, કડામણી કવિતાના કેડભર્યું/ માંડીશ બ્રહ્મમંદિર સમું રસમંદિર, જગતની રસગંગોત્રીને ઘાટે. રોગીઓને પુણ્યપંથ દાખવતાતુજદીધી વિભૂતિઓના કુવારા ઉડાવીશ./ પૃથ્વી પગથારે પાથરીશ, પ્રેરણા પુષ્ય ને પ્રકાશ. કવિ પિતે જ આવા “રસોગી હોઈ જીવનમાં માનવીને આનંદાનુભૂતિ કરાવતા “રસના એટલે પ્રકૃતિના તેમ માનવીઓના બાહ્યાભ્યતર સૌંદર્યના તેમ જ સ્નેહમાધુર્યના ઉત્સાહી ગાયક બન્યા વિના એ રહી શક્યા નથી. કવિતાની માફક
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
સ્નેહને પણ કવિ વિશ્વની રસપ્રભા અને પરબ્રહ્મની આનંદકલા માનતા હોઈ પિતાના કવનકાળની વસંતમાં સ્નેહને જ પિતાને ગાનવિષય બનાવી બેઠા તેની નવાઈ લાગવી નહિ જોઈએ. પુરુષહૃદયના સ્નેહ ગાન માટે કવિએ સ્વપત્નીની ભાવના રસી મૂર્તિને સંબોધતાં કેટલાંક કાવ્યો' ભાગ ૧-૨-૩માંનાં કાવ્યો તેમ જ પ૭૭ પંક્તિની પાછલી વયની કૃતિ “સંહાગણ' અને નારીહૃદયના એતવિષયક ભાવોના ગાન માટે આગળ નિદેયાં તેવાં ગીતકાવ્યોનો આશ્રય લીધે છે. પ્રણયમાધુરીના અધિષ્ઠાન અને અધિષ્ઠાત્રી તરીકે નારીનો મહિમા પિછાણતા. કવિને નારીહૃદયનાં પ્રણયસંવેદને અને અનુભૂતિઓને ગાવાનું વિશેષ રુચ્યું ને ફાવ્યું છે.
ન્હાનાલાલના સ્નેહગાનમાં લગ્ન મહત્ત્વનું સ્થાન રોકે છે એ તેમના સાહિત્યસર્જનના અભ્યાસીઓના ધ્યાનમાં તરત આવશે. એનું રહસ્ય પડયું છે ન્હાનાલાલના અંતરમાં નાનપણથી ધરબાયેલી ધાર્મિકતામાં. આગળ ટાંકેલી પંક્તિઓમાં પ્રિયસંગના “રસપૂજન'માં વિશુદ્ધિ વૈરાગ્ય ને ત્યાગની તથા પ્રેમની સાથે જ ભક્તિની તેમ જ “રસમંદિરને “દેવોને દેવત્વે રંગેલું, અને “બ્રહ્મમંદિર’ સમું બનાવવાની કવિની અભિલાષા એ ધાર્મિકતાએ જન્માવેલી છે. “પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી” એ કવિનું સૂત્રવાક્ય તેમ જ રસકલામાં ધર્મ કલા' માંડવાના “ઇન્દુકુમાર' નાટકની જોગણન મેંમાં મુકાયેલા શબ્દ પણ એ ભાવનાનાં જ શબ્દાન્તર છે. સ્નેહના રસસાગરને પુણ્યની પાળ બાંધી આપે છે. માનવીની લગ્ન સંસ્થા. ધમથી અવિરુદ્ધ કામની વ્યવસ્થા લેકહિતચિંતક પ્રાજ્ઞોએ સ્ત્રીપુરુષના લગ્નમાં કરી છે. સ્ત્રી વિના પુરુષ અને પુરુષ વિના સ્ત્રી એકલાં અધૂરાં છે, સ્નેહપૂર્ણ સહયોગ અને હૃદયગમાં જ એમના જીવનની કૃતાર્થતા અને આનંદ, અને એમાં જ બેઉનું “સૃષ્ટિવિકાસમાં સહાયક’: આ ન્હાનાલાલની “લગ્નસ્નેહને વિશ્વકમમાં હેતુ” એ ૧૮૯૮ના લેખમાં વ્યક્ત થતી માન્યતા જેટલી ટેનિસનીખવી હતી તેટલી જ તેમની ધર્મભાવનાની પણ નીપજ હતી. આથી કવ લગ્નભાવનાના હસીલા ગાયક બની બેઠા છે. લગ્નને ધમ્ય બંધન કે નિયમન વિનાના નિબંધ વિલાસની તો એમણે “ઈન્દુકુમાર’, ‘જયા-જયન્ત', “વિશ્વગીતા', “શાહનશાહ અકબરશાહ” અને અન્ય કૃતિઓમાં સખત ઝાટકણી કાઢી છે.
સ્ત્રીની દૃષ્ટિથી લગ્ન અને દાંપત્યની બાબતમાં એને અભિલાષ અને કારુણ્યને ન્હાનાલાલે વિલાસની ભા' કાવ્યમાં કવિની રીતે ઉપસાવેલ છે, કવિકલ્પના અંતરિક્ષમાં ચંદ્રિકાધીત તેજ સૃષ્ટિમાં કન્યા, સૌભાગ્યવતી અને વિધવા નારીજીવનની એ ત્રણ અવસ્થાઓને અનુક્રમે મન્દાકિની, ચંદ્રકલા અને ઝાંખી તારિકાનાં મૂર્ત
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૩૭ સુંદરીસ્વરૂપે અને તેમની ઉગારો દ્વારા હૃદયસ્પર્શી શાબ્દિક અભિવ્યક્તિ અપાવે છે. કન્યાને જોઈ ઠરે મુજ આંખ, ઠરે મુજ આત્મન પ્રેમની ભરતી રહડે' એ પુણ્યપરાથી ઉદાર બહાદુર વર મેળવવાના કેડ અને “રૂપ દીધું, રસ, દીધ રસિક ન દીધ' એ વિધિની ક્રૂરતા, સૌભાગ્યવતીની સ્વામીના સનેહ અને સંનિધ્યના અભાવે નિત્યવિજોગણ રસગણુ” જેવી કરુણ દશા અને અકાળે “સુખવૃદ્ધ બનેલી વિધવાના “સૌંદર્ય ને રસ જે કુંજ શોભે, ત્યહાં જ વૈધવ્યવિયોગ વડાંથી સંતપ્ત કવિએ “વિલાસની પવિત્ર જ સાધુ શોભાનું સંતૃપ્તિકર દર્શન પ્રિયાયન'માં “ત્યહાં હસન્તી કીકીને જ બુલન્દ તત્તે કર્યું અને તેમાં નેહદેવલો આ “રસમંત્ર' વાંચ્યો :
સંચું હમારું સહુ ભદ્ર જ સ્નેહલગ્ન, ને લગ્નસ્નેહ મહિં દિવ્ય વિલાસશભા. આ વિચાર કે ભાવના કે સંદેશને રજૂ કરવા કવિએ કરેલા કાવ્ય-આયોજનમાં તેમની સર્જક પ્રતિભાના વિલાસની જે શેભા જોવા મળે છે તે એ કાવ્યને તેમનાં પ્રથમ પંક્તિનાં કાવ્યોમાં સમાવેશ કરાવે એવી છે. એ કાવ્ય પછી ત્રણ દાયકા બાદ અનુષ્કુપાદિ છે માં બદ્ધ તેમ જ વચમાં આવતાં દસ ગીતની મળીને કુલ ૪૫ પંક્તિઓની કાવ્યકૃતિ “પાનેતરને કવિએ એનું નામ સૂચવે છે તેમ સમગ્ર લગ્નવિધિનું, એ પણ નવોઢાની દષ્ટિએ વિવિધ પ્રસંગોએ અનુભવાતા તેના હૃદયભાવ સાથે, ઉલ્લાસપૂર્ણ કાવ્ય બનાવ્યું છે. એને આગલે વર્ષે પિતાની દષ્ટિથી એટલે પુરુષનાં સંવેદનથી પિતાના સાડા ચાર દાયકાના દાંપત્યને પત્ની માણેકબાઈને પૂજાસ્થાને બેસાડી ગાતી એથીય લાંબી કાવ્યરચના “સોહાગણ” કવિએ પ્રગટ કરી હતી. એ પહેલાં “કુલગિની કાવ્યમાં પત્નીને અને એમની દ્વારા જગતની સર્વ કુલગિનીઓને – ગૃહિણીઓને એમણે ભાવભરી અંજલિ આપી જ હતી. “દાંપત્યસ્તોત્રો સંચય કવિના દાંપત્યવાનને પરિચય કરાવી આપે છે. | સ્નેહ અને લગ્નનો મહિમા કરવા અને કઈ મિશનરીની હૃદયવૃત્તિથી તેને પિતાના કવિસંદેશ તરીકે રજૂ કરવા આ કવિએ ગીતા અને લાંબાટૂંકાં છંદબદ્ધ ઊર્મિકાવ્યોને કાવ્યસ્વરૂપને ઉપયોગ કર્યો છે, તેમ ‘વસંતોત્સવ” તથા “ઓજ અને અગર” જેવાં વર્ણનાત્મક કથાકાવ્ય, “ઈન્દુકુમાર” ને “જયાજયન્ત’ જેવાં નાટક અને “ઉષા જેવી ગદ્યકથાઓનેય તેનાં વાહન બનાવ્યાં છે. એ કથાત્મક સાહિત્યપ્રકારો પર પછી આવીશું.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [4. ૪ ભક્તિગાન
પ્રેમભક્તિ' કવિનામના પૂર્વાર્ધને સર્વથા ઉચિત તેમ સહેતુક અને સાથે ઠરાવે એવા એમના પ્રેમગાનની જેવું જ એમના કવિનામને ઉત્તરાર્ધને ઉચિત ઠરાવે એવું એમનું ભક્તિગાન છે. એના મૂળમાં છે નેહાનાલાલની એમના સાહિત્યમિત્ર રણજિતરામે પ્રશંસેલી “સતેજ ધામિક્તા કે ગીતાના અઢારમા અધ્યાયમાં શબ્દ વાપરીએ તો એમનું “આસ્તિક્ય’. એ એમના હૃદયમાં રોપનાર હશે ઘરના. અને નજીકના સ્વામિનારાયણ મંદિરના ધર્મવિધિઓના સંસ્કાર, અને એના પર જલસિંચન કરનાર બન્યાં આદર્શ સ્વામિનારાયણી કાશીરામ દવેનું ધર્મપરાયણ ભક્ત તરીકેનું પ્રત્યક્ષ જોવા મળેલું આચરણ, કોલેજમાં કરેલે તત્વજ્ઞાનને અને ખાસ તે માર્ટિનને અભ્યાસ, ગવર્ધનરામની અને ટેનિસનની અસર, અમદાવાદ, મુંબઈ ને પૂનાની પ્રાર્થનાસમાજને સક્રિય સંપર્ક અને ગીતાને અનુવાદ નિમિત્ત થયેલું ગીતાનું વાચન-મનન, એ બધાં. પૂર્વભવમાંથી આ ભવમાં આવે ઊતરેલા સંસ્કારે નિમી રાખેલી અનુકૂળ બીજભૂમિ તે પહેલેથી હતી જ.
એમના પ્રથમ પહેલા કાવ્યસંગ્રહ “કેટલાંક કાવ્યોમાં પ્રેમલક્ષી ઘણું કાવ્યો વચ્ચે એમને અંત:સ્થ ભક્તિભાવ પ્રદર્શિત કરતાં પાંચ કાવ્ય દેખાય છે. પાંચે પ્રભુને સંબેધાયેલાં છે. “જન્મતિથિમાં સંસારના વિકાસમાં પ્રભુને વિચાર્યાનું દુઃખ વ્યક્ત કરતા કવિ “એક વ્યર્થ યાચનામાં સાધુતા અને ભક્તિની ઝંખના, અને “વાંછના' કાવ્યમાં “પ્રભો ! હારી ઇચ્છા પૂર્ણ થાવ !' એમ કહી “પ્રભે ! હારી ઈચ્છા હારી થાવ !' એવી યાચના પ્રભુ કને કરે છે. “અહાલેક' ગઝલમાં પિતાનું નાચીજ પણું દર્શાવી પ્રભુ પાસે “અણુ શું તે અમીકણ દે એમ પ્રાર્થ છે. ન્હાનાલાલને આ ભક્તિરંગ ઉપરછલે નથી, પણ ભીતરને પાકે રંગ છે એ “કેટલાંક કાવ્યો' – ૨નાં પ્રેમનો સંચાર' અને “સિંધુનીરે એ બે બ્રહ્મસમાજી બંગાળી ભજનોના અનુવાદ, “સ્તુતિનું અષ્ટક” તથા “હરિનાં દર્શન અસંદિગ્ધ રીતે દેખાડી આપે છે. “પ્રભે અંતર્યામી’ શબ્દોથી શરૂ થતા શિખરિણીને આઠ કલેકે ગીતા, ઉપનિષદ ને ભાગવતની સ્તુતિવાણીને ગુજરાતી વાણીમાં ઉતારે છે પણ એની પસંદગી, સંયોજન તથા ભાવાક વાણીમાં એના અનુરણનમાં કવિહૃદયનો ભક્તિભાવ જ પ્રવર્ચે સ્પષ્ટ વરતાય. એ કાવ્ય વર્ષોથી ગુજરાતની ઘણું શાળાઓ અને ઘણાં કુટુંબ તથા વ્યક્તિઓનું પ્રિય પ્રાર્થનાગીત બની તેનાં ગાનારાંઓને ભક્તિભીનાં બનાવતું રહ્યું છે. કવિની મૌલિક રચના “હરિનાં દર્શન તે તેમાં ચોટદાર અને હૃદયંગમ અભિવ્યક્તિ સાધતી કવિની વ્યાકુળતા, આત્મનિર્ભર્સના, આરત અને જ્ઞાનદષ્ટિને બળે અર્વાચીન ગુજરાતી કવિતાનું એક ઉત્તમ કોટિનું ભક્તિગીત બની ગઈ છે. એના જેવા જ
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૩૯ જૂના લોકઢાળમાં ઢાળેલ “હરિ આવે ને એવી જ હરિદર્શનની આરતભરી કવિની જાણીતી રચના છે. ૧૯૧૦માં પ્રગટ થયેલ “ન્હાના ન્હાના રાસમાં “મંદિર ધો' એ ગીતમાં કવિ દેવ' પાસે “માનવી માનવીને હૈયે દેહ છતાંય દેવ થઈએ એવું “મંદિર” અને “હો ગીન્દ્રમાં “અંધારાં ઉજાળે એ ઉજાશ”, “પ્રાણ પ્રાણ પ્રભુજીના વાસ' અને “બ્રહ્મલ' માગે છે. “ગહન આત્મિક વાણી બેલત બ્રહ્મબંસરીને એટલે પરબ્રહ્મની બ્રહ્માંડ-લીલામાંથી સૂક્ષ્મ રીતે આંતર શ્રવણપટે જ શ્રાવ્ય એ “પરમ શબ્દ સુણવા અધિકારીઓને અનુરોધ કરતા આ કવિની રાજરાજેન્દ્રને એ પ્રાસંગિક રચનામાંના વક્તવ્યને સહસા ઊંચી સપાટી પર ઊંચકી જતી
જામ્યો છે એ મહારાસ, વાગે વેણુ સનાતન;
સુણે છે બ્રહ્મભીનાં તે, રમે તેમાં હરિ-જન. એ પંક્તિઓ એના ગાયકને બ્રહ્મબંસરીને પરમ શબ્દ સુણનારા “બ્રહ્મભીનાં” હરિજન'ની જમાતના જીવ ઠરાવી આપે છે. એવા કવિની આ રચનાઓમાં તથા “ગિરનારને ચરણેમાં તેમ જ નીચેની
બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડીયે ન થાય કદા... (“હરિનાં દર્શન”)
વડાં પાથર્યા આભનાં પત્ર કાળાં, લખી તેજના શબ્દથી મંત્રમાળા, દિશાકાળદોરે ગૂંચ્યા સૌ ખોળે મહાગ્રંથ બ્રહ્માંડને બ્રહ્મ લે.
અહો, ધન્ય ધન્ય હે ! | બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે.
બ્રહ્માંડે ભર્ચા બ્રહ્મનાં અમી.. (જયા-જયન્ત') નામે રૂપે ગુણે વિધ વિધ વિધિથી ખેલતો બહુરૂપી એ : gશેડરું બેલ બેલી વહુ થઈ રમતો બ્રહ્મ બ્રહ્માંડરૂપે.
(વૈષ્ણવી પડશ ગ્રંથોમાં – અર્પણ) બ્રહ્માંડો સજી બ્રહ્મ રસબસ રચિયો રાસ રાસેશ્વરે આ...
આ લોક લોક રસલોલ ઘુમાવી બેલે
બ્રહ્માંડ સંગ પરિબ્રહ્મન બ્રહ્મલીલા.. તેજ તેજના ગોળા રે, ગગનમાં ઘુમતા હો
દીઠા મેં ત્યાં રુમઝુમતા દીનદયાળ.
(“વણુવિહાર')
!
(“જગપ્રેરણા)
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ . ૪ જેવી પાછળનાં કાવ્યોની પંક્તિઓમાં “બ્રહ્મ અને વિરાટ’ શબ્દોને પ્રયોગ હરિનાં દર્શન’, ‘હરિ ! આવોને એ કાવ્યમાં તથા પાછળની “વેણુવિહાર', હરિદર્શન’ અને ‘હરિસંહિતા' એ કૃતિઓમાં “હરિ” અને “હરિવર' એ શબ્દોના એટલા જ વિપુલ પ્રમાણમાં થયેલા વપરાશથી તત્વમાં ભિન્ન નથી. કવિને મન બ્રહ્મ' અને ‘વિરાટ’ના જ પર્યાય છે “હરિ અને “હરિવર'. “બ્રહ્મ” શબ્દ પ્રત્યે કવિનું આકર્ષણ પ્રાર્થનાસમાજ દ્વારા થયેલા બ્રહ્મસમાજના સંસ્કારસંપર્કનું અને “હરિ' શબ્દ માટેની મમતા એમના સ્વામિનારાયણ વિષ્ણવ ભક્તિસંસ્કારનું ફળ મનાય. એમની આવી આસ્તિક ભક્તની દૃષ્ટિ અને વૃત્તિ દેખાડનારાં કાવ્ય અને ગીતે એમની કથાત્મક રચનાઓમાં પણ અવારનવાર નજરે ચડવાનાં. પરમ ધન પ્રભુનાં લેજે, લેક !' (‘જયા-જયન્ત), “હારે જવું પેલે પાર' (‘જહાંગીર-નૂરજહાં'), “એ હરિ! આશીર્વાદ' (ગેપિકા'), “અનંતદર્શન” (“જગતપ્રેરણા'), ‘તૂટું હરિ ! અસ્થિરે મહીં સ્થિર’ ‘વેણુવિહાર'), “આભપરો મેહુલે ગાજે મલ્હાર” (“શાહનશાહ અકબરશાહ'), “વિરાટને હિંડોળે', “પારકાં કેમ કીધાં, બ્રહ્મરાસ” (“વિશ્વગીતા'), હરિ હારે કીકીને હિન્ડાળ' (દ્વારિકાપ્રલય'), બ્રહ્મવીંજણો” (“ઇન્દુકુમાર’ – ૨), “સન્તન ! ઝાંખી કરે રી', 'પ્રિયંવર, શું તરછોડો હાથ’ વગેરે જેવાં કાવ્યોને નામનિદેશ આ સંબંધમાં કરી શકાય. ઉત્તરવયમાં હરિદર્શન” ને “વેણુવિહાર' જેવાં કથાત્મક આમલક્ષી પ્રસંગકાવ્યોમાં, દ્વારિકાપ્રલય” જેવા કથાકાવ્યમાં, “કુરુક્ષેત્ર મહાકાવ્યમાં અને છેલ્લે “હરિસંહિતા'ના વિરાટકાવ્યમાં ન્હાનાલાલને ભક્તિભાવ અને ભક્તિકવિતા વધુ બુલંદ બની રહે છે. “હરિસંહિતા'ના મહાનાયક તે શ્રીકૃષ્ણ છે જ, પણ કુરુક્ષેત્રમાં પણ પોતે શ્રીકૃષ્ણને – હરિને જ કેન્દ્રમાં રાખ્યાનું જણાવ્યું છે.
આ બધું બતાવે છે કે ન્હાનાલાલના આસ્તિક હૃદય અને કવિ તથા ભક્તનાં કપનાચક્ષુએ એમને જગતમાં, બ્રહ્માંડમાં, એનાં શ્રીમત તથા ઊજિત સ્વરૂપમાં બ્રહ્મનાં, બૃહતનાં, ભૂમાનાં, વિરાટનાં, હરિનાં, એની વિભૂતિનાં તથા લીલાનાં દર્શન કરાવ્યાં છે, જેને વૈખરીમાં સોલ્લાસ ગાતાં એમને અનેક વાર અનવદ્ય પદરચના મળી આવી છે, તે ક્યારેક બ્રહ્મ” ને “વિરાટ’ જેવા શબ્દોને નિવાર્ય અતિરેક પણ એમનાથી થઈ ગયો છે. એને કવિનું કવિદર્શન (aesthetic vision) જ ગણવું હોય તો તેમ, અને કોઈ ભીતરી આધ્યાત્મિક અનુભૂતિએ ઉઘાડી નાખેલી દષ્ટિ કહેવી હોય તે તેમ. પણ એમના અંતરતમને તથા પ્રતિભાનયનને કાઈક રીતે ક્યારેક બ્રહ્મસંસ્પર્શ થઈ ગયો છે એટલું તે માન્યા વગર એમની ભક્તિકવિતાના અભ્યાસીઓને છૂટકો નથી. એમાં આનંદની વાત એ છે કે કવિ ક્યારેય કવિ મટી જતા નથી. એમનું ભક્તિગાન આમ નવી અર્વાચીન
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૪૧ અભિવ્યક્તિ સાથે ભક્તિ-કવિતાની મધ્યકાલીન પરંપરાને લંબાવી આપે છે. એમનું અંતિમ સર્જન કૃષ્ણ કનૈયાના દર્શન-આગમનને વધાવતું ઊર્મિગીત હતું. પણ એ ને “નંદને દુલારો” ને “હે વ્રજરાજ ! હારી વાંસળિયે' જેવાં કાવ્યો લખનાર આ કવિના ઉપાસ્ય કૃષ્ણ તે ગીતાને ગાનાર ને કુરુક્ષેત્રને યુદ્ધ વેળાના અને તે પછીના યોગેશ્વર જ્ઞાનેશ્વર કૃષ્ણ હતા, વ્રજવાળા કૃષ્ણ નહિ. આથી નરસિંહ ને દયારામ જેવા ઘણું મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિઓના જેવી પ્રેમલક્ષણ ભક્તિશૃંગારની કવિતાથી તેમ સૂફીવાદી પ્રકારની કવિતાથી એ દૂર રહ્યા છે. પ્રાર્થનાસમાજ–બ્રહ્મસમાજની અસર તેમ અર્વાચીન યુગના શિક્ષણ-સંસ્કાર જેણે એમને શુભ્રભાવના (puritanism)ના ઉપાસક બનાવ્યા છે તે એમાં કારણભૂત હેય. સ્વદેશભક્તિની કવિતા
પરદેશી અંગ્રેજી અમલ બાદ દુનિયાની નવી હવાના સ્પર્શ આપણે ત્યાં નવું ભણતર ભણેલા વર્ગમાં રાષ્ટ્રીય અસ્મિતાની સભાનતા આવી, તેણે અર્વાચીન ગુજરાતી સાહિત્યને સ્વદેશભક્તિનો એક નવો વિષે સંપડાવ્યું હોવાની હકીકત પ્રસિદ્ધ છે. દલપતરામ, નર્મદ, હરિલાલ ધ્રુવ, ભીમરાવ દિવેટિયા, મણિલાલ, ગોવર્ધનરામ, ઠાકર આદિએ પોતપોતાની સૌમ્ય કે ઉત્કટ રીતે પિતાની દેશવત્સલતાને પોતાના સાહિત્યમાં પ્રગટ કરી છે. નવયુગને વિશેષ ઉત્સાહથી વધાવનાર અને વીસમી સદીના આગમનની હવામાં કવિ તરીકે પરિયાણ આદરનાર ન્હાનાલાલ દેશભક્તિના દિનકર'('ઈન્દુકુમાર' – ૧)ના ઉદયને વધાવવામાં પાછા ન પડયાનું જેમ એમનું જીવન કહે છે તેમ એમની કવિતા પણ દેખાડે છે. કવિની દેશભક્તિ ૧૯૦૨, ૧૯૦૫ અને ૧૯૧૧માં લખેલાં પ્રાસંગિક “રાજમહારાજ એડવર્ડ ને, રાજયુવરાજને” અને “રાજરાજેન્દ્રને” એ ત્રણ આમ રાજભક્તિ દેખાડતાં પણ અંદર આત્મગૌરવ સાથે ભારતની બ્રિટન પાસેની અપેક્ષાઓને સવિનય છતાં નિર્ભક રીતે “વાવશો એવું લણશે' જેવી સ્પષ્ટભાષી વાણીમાં ઉચ્ચારતાં કાવ્યોમાં સ્પષ્ટ મૂર્ત થતી દેખાય છે. એમાંને બીજા કાવ્યમાંની
કવિતા, ભક્તિ, ધમની જનેતા, ઋષિ, દ્રષ્ટા, યોગીઓનું વતન, પ્રજાઓનું હિન્દ મહાતીર્થ છે...
પ્રજાઓની માતામહી અમ પ્રજા છે. એ પંક્તિઓમાંની અને ત્રીજાની
અનેરી વસ્તુનું એક રાખ્યું સંગ્રહસ્થાન આ...
અમારા દેશમાં રાજન, ખીલે છે માનવી પ્રા. જેવી પંક્તિઓમાંની “ધર્મખંડ હિન્દની આત્મગૌરવભરી પ્રશસ્તિ “ઈન્દુકુમાર' –
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ગં. ૪ અંક ૧, પ્ર. પમાંની ભારતપ્રશસ્તિ સાથે વાંચતાં કવિની સ્વદેશભક્તિની ઉત્કટતાને.
ખ્યાલ આવશે. ભારતને મહિમા ગાતાં બીજાં પણ કાલે આ કવિએ પાછળથી. લખ્યાં છે, જેવાં કે “ઊઠ, ઓ ભરતગોત્ર', “ભારત : એક ઐતિહાસિક કાવ્ય” ('ગાઓ એ મહાકથા મનુષ્યમાહિની અહા ભારતકુલ'), અને “આર્યત્વને ઝુડે. (! ઝંડા)', જેમાં ભારતીયોને ભારતનું પ્રાચીન ગૌરવ સંભારી આપી તે પુનઃ પ્રાપ્ત કરવા અને તેને સંસ્કૃતિસંદેશ જગતભરમાં ફેલાવવાની હાકલ કવિ કરે છે. એમાં ઉત્સાહ છે એટલી કવિતા નથી. “જય ક્ષત્રિયતીર્થ ચિતડ' કાવ્ય પણ કવિની દેશભક્તિનું ગણાય, જેમ ગુજરાતપ્રશસ્તિનાં ‘ગુજરાતઃ એક એતિહાસિક કાવ્ય” અને “ગુર્જરી કુંજે' જેવાં કાવ્યો પણ. “ધન્ય હે ! ધન્ય જ પુણ્ય પ્રદેશ ! અમારો ગુણિયલ ગુર્જર દેશ” એ ધ્રુવપંક્તિવાળું દશ કડીની લાવણમાં લખાયેલ ગુજરાત પરનું પહેલું કાવ્ય ગુજરાતનાં ઈતિહાસ-ભૂગોળ, એની પ્રકૃતિભા, એનાં નગરો ને જનપદ, એની પ્રજા ને તેની વિશિષ્ટતાઓને ભાવથી ગાય છે. એમાંનું પાંચમી કડીનું
ચોળી, ચણિયે, પાટલીનો ઘેર, સેંથલે સાળુની સેનલ સેર; છેડલે આચ્છાદી ઉરભાવ, લલિત લજજાને વદન જમાવ; અંગ આખેયે નિજ અલબેલ, સાળુમાં ઢાંકતી રૂપની વેલ, રાણક્તનયા, ભાવાભના,
સુંદરતાને શું છોડ! આર્ય સુંદરી ! નથી અવનીમાં
તુજ રૂપગુણની જોડ ! ભાલ કુંકુમ, કર કંકણુ સાર,
કન્યના સજ્યા તેજશણગાર, રૂપગુણવતી અલબેલી ગુજરાતણનું શબ્દચિત્ર અને “ભારતીએ કંઈ ફૂલફૂવારે અંજલિમાં શું લીધ' એ છેલ્લી કડીમાંની ચિત્રાત્મક ઉઝેક્ષા એ કાવ્યનાં આકર્ષણસ્થાને છે. ગુજરાતણની એવી જ પ્રશસ્તિ “અમ ગુજરાતણનાં બાણું અને “કાઠિયાણીનું ગીતમાં પણ છે. એ બીજા કાવ્યમાં ગીરનું જંગલ, ભાદર નદી, ચારણોના નેસ, “આડાં ન આવે ઝાડવાં એવા લાંબા લાંબા પંથ', “સાગર સમ સોરઠ તણું રે હિલોળા લેતી ભોમ', સાથી ગિરિઓથી વીંટળાયેલો ગિરનાર, આ બધાં સાથે સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂ તેમ જ કાઠિયાણી અને તેના “કન્થડનાં ચિત્ર સુંદર આલેખન પામ્યાં છે. દસ કડીનું “ગુર્જરી કે જેનું ગુજરાતના ઇતિહાસ,
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
૫ ૪૩.
ભૂંગાળ, પ્રકૃતિ, માનવવિભૂતિઓ, તીર્થા ઇ.નું ભાવછલકતું મહિમ્નઃસ્તોત્ર તથા. એ જ શીર્ષકની ગઝલ ભારતભક્ત ન્હાનાલાલની એવી જ ઉત્કટ ગુજરાતભક્તિનાં નિદર્શક છે. ‘હા ! રણને કાંઠલડે રે'માં પંચાસર, વર્ધમાનપુરી'માં વઢવાણુ અને ‘ચારુ વાટિકા’માં ચારવાડની પ્રકૃતિશ્રીને કવિએ જે અંજલિ આપી છે તેમાં પણુ એમની વતનભક્તિનું દર્શન થાય. ચારુ વાટિકા'માં ચેરવાડ ને તેની આસપાસની ભૂગાળ, ત્યાંના સાગરખેડુએ ને સ્ત્રીઓ, ને ત્યાંના અમૃતલાલ પઢિયાર જેવા માનવિવશેષોની પણ ત્યાંની પ્રકૃતિશાભાની સાથે માહિતી આપતાં કવિ ચૂકયા નથી. ન્હાનાલાલ ગુજરાતની ભૂમિના સાચા ભક્ત છે. એમણે બહુ ભાવથી ગુજરાતને ગાયુ છે.
ન્હાનાલાલ
ન્હાનાલાલની સ્વદેશપ્રીતિએ ચાલુ શતકના આરંભના બે દાયકામાં આવેલી રાષ્ટ્રીય જાગૃતિ અને તેનાં ચિહ્નરૂપ ભગમ ગ, હેામરૂલ અને અસહકારનાં આદેાલને સાથે હૃદયની સહાનુભૂતિ ઓછીવત્તી સક્રિયતા સાથે એમને અનુભવાવી છે અને એને પેાતાનું કવિ તરીકેનું ભાવાત્મક અનુમેાદન અપાવડાવ્યું છે એ ‘રણુગીતા’ નામથી એમણે પાછળથી સંગ્રહસ્થ કરેલાં કાવ્યેા પરથી જણાય છે. ૧૯૦૪માં લખાયેલ ‘સાયના સિપાઈ' દક્ષિણ આફ્રિકામાં ભારતીયેાએ ગાંધીજીની સરદારી નોંચે આપેલી સત્યાગ્રહ-લડતના અને
સિંહને શસ્ત્ર શાં? વીરને મૃત્યુ શાં?... સુભટ છે. સજ્જનનિઃશસ્રતાથી; ધર્માંત્રજ તમ ખડા, શસ્ત્ર હામાં વડાં; શ્રી હરિ સત્યના સમરસાથી
એ પ્રસિદ્ધ પ`ક્તિએમાં ધર્મના વીર' આ પૂત’ને ‘શાન્તિભાથાં ભરી' યુદ્ધવાટે સંચરવાની હાકલ કરતા શુકુનની ઘડીએ' એ કાવ્ય ૧૯૨૦-૨૧ની અહિંસક સ્વાતંત્ર્યલડતના કવિ-અનુમેાદનનાં જ ગીત છે. ‘નથી પરતું લેવું-લૂંટવું જો’/ અમારું અમને નહિ લેવા દ્યો ?” અને ‘શસ્ત્રધાવ કાનૂન બંદૂકના/નિઃશસ્ત્રની ઢાલે જ ઝીલન્તાં' જેવી પંક્તિએ દેખાડતું ‘રણવાજા' કાવ્ય પણ ‘શુકનનો ઘડીઆ’ના જ ભાવને રણકાવે છે. ‘કુરુક્ષેત્ર'માંનું કુન્તીસ દેશનુંપા ને કહે। હડાવે બાણુ’
એ કાવ્યમાંની
ભીખ્યાં, ભટકચાં, વિષ્ટિ, વિનવણી,—કીધાં સુજનનાં ક્રમ',
આ સુજનતા દૈન્ય ગણી તા યુદ્ધ એ જ યુગધ
એ પંક્તિઓમાં પણ ૧૯૨૮ના બારડાલી સત્યાગ્રહ અને ૧૯૩૦ના સ્વાતંત્ર્ય-સંગ્રામને કવિએ આપેલું ભાવાત્મક સમન વિનાસકાચ વાંચી શકીએ તેમ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
કવિની વાણી તે આવા સંગ્રામોને ગજબનું બળ આપી તેના લડવૈયાઓને નૈતિક પીઠબળ આપી તેમના જેસ્સા(morale)ને દઢાવવાની સેવા બજાવતી હોય છે. “રણગીતો'માંની “ઓ ભારતની માતાઓ', “સુણે એ હિંદની હાકલ', ચલ', “જયડંકા ને “શુભનાં શુકુન જેવી રચનાઓ પહેલા વિશ્વયુદ્ધ (૧૯૧૪– ૧૮) વેળાની ભારતીય સ્વદેશભક્તિની નીપજ છે. જો કે કવિતા તરીકેની દીપ્તિ તેમાં નજેવી વરતાય છે. એ અનુભવાય છે કેસરભીના કંથ હે !”, “કસુંબલા કીધા નાલિયા', કેસરિયા વીર, કેસરિયાં છે !” અને ચારણી છંદનું સફળ રણસંગીત લલકારતા “જય ! કેસરચીર રણધીર રમે એ રણબંકા રજપૂતોના રણશૌર્યને બિરદાવતા અને મધ્યકાલીન ક્ષાત્રેદ્રકનું ગૌરવ કરતા “શાહનશાહ અકબરશાહ'માં મુકાયેલા કાવ્યમાં. મધ્યકાલીન રાજપૂતીને એટલે કે ક્ષાત્ર વીરત્વને ન્હાનાલાલની એ કાવ્યાચના છે. પ્રણય, પ્રકૃતિસૌંદર્ય અને ભક્તિના આ કવિને વીરરસની કવિતા પણ કેવી ફાવે છે તેનું દર્શન પણ એ કાવ્યો સાથે “વીરાંગના અને “કાઠિયાણીનું ગીત” વાંચતાં સહેદોને થયા વિના રહેશે નહિ. આ શૌર્યગાનની ગંગોત્રી પણ ન્હાનાલાલની સ્વદેશભક્તિ છે એ કહેવાની જરૂર નથી. ન્હાનાલાલની યુદ્ધવર્ણનશક્તિ “કુરુક્ષેત્ર” મહાકાવ્યમાં તેમ બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૮૧૯૪૫)ની ભીષણતાને આલેખતા ધરણીધર ! ધીંગી ધ્રુજે છે ધરા, ક્ષણકમ્પ અજંપ ભૂકંપ થયા” અને “રણઘેર ચઢે ઘૂમતો નભમાં, હરિ ! કાળની નોબત બાજી રહી” એ ધ્રુવપંક્તિઓ ગજાવતા સંગ્રામચેક' જેવા “પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞા બિન્દુ સંગ્રહના કાવ્યમાં સારી જોવા મળે છે. વીગતો કરતાં યુદ્ધની ભીષણતાનું સમગ્રચિત્ર તેઓ સારું ઉપસાવી શકે છે તે એમાંથી જણાય છે. બાળકાવ્યું અને અંજલિકા
ન્હાનાલાલના વિપુલ કાવ્યસર્જનમાં બાળકાવ્યો પણ જોવા મળે છે એ નોંધપાત્ર ગણવું જોઈએ. “...બાળકાવ્ય લખવાં કપરાં છે અને દલપતરામને એ હથોટી બેઠી હતી એટલી અન્ય કાને બેઠેલી આ પણ વર્ષમાં તે દીઠી નથી' એમ સ્વીકારતા છતાં ન્હાનાલાલ પિતાનાં પગલાંમાં પગ મૂકવાનો પ્રયત્ન કર્યા વિના રહ્યા નથી. એ વખતના મુંબઈ ઇલાકાની સરકારી ગુજરાતી વાચનમાળા માટે એમણે ૧૯૦૪માં રચી મોકલેલાં સાતઆઠ કાવ્યોમાંથી ચાર બાળપોથીમાં કવિના નામે લેખ વિના વર્ષો સુધી છપાયાં કર્યા હતાં, જેમાંનાં તારા” અને “ચાંદલિયો' કક્કો-બારાખડી શીખતાં બાળ વડે સારાં ઝિલાયાં હતાં. એ બેઉ બાળકાવ્યોના પૂર્વાર્ધ, અનુક્રમે ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ અને “મા ! મને ચાંદલિયે હાલે' એ પંક્તિઓથી શરૂ થતા,
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
- ન્હાનાલાલ
[૪૫.
જેટલા બાળગમ્ય બનેલા તેટલા એના ઉત્તરાર્ધ મહેતા બન્યા, પણ ન્હાનાલાલનું કવિશિષ્ટ -
આકાશે પલકે ને ઝીણું ઝીણું મલકે; અંધારી રાતે એ દેવ કેરી આંખો,
ન્હાનકડી ઉધાડે તેજ કેરી પાંખો. એ ‘તારાના ઉત્તરાર્ધમાં આહલાદક રીતે ચમક્યા વિના રહ્યું નથી. બાળકે સુધી એ પહોંચી શક્યું ન હોય તો એમાં વાંક એમને શિક્ષકેને જ ગણાય. “બાળકાવ્યો” પુસ્તિકામાં કવિએ મૂકેલાં બધાં કાવ્યોને બાળકાવ્ય કહી શકાય તેમ નથી. જેને તેવાં ને સફળ બાળકાવ્ય કહી શકાય તેમાં ઉપર ગણાવ્યાં તે ઉપરાંત મધમાખી, કેયલ, ડાંગરનાં ખેતર”, “લણણી” અને “નાવને કપ્તાન” એટલાંને ખુશીથી. ગણાવી શકાય. ડાંગરનાં ખેતર જળભરેલા ક્યારા, ચિંચો, “ઉપર કેસરવર્ણા ફૂલંવાળી “હરિયાળી સળીઓ,” લીલી પીળી ઝૂલવાળા ‘હાથી શા” ડોલતા આંબા– એ બધાં સાથે ચંડોળ ને કોયલના પણ ઉલ્લેખ ખેતરનું બાળગમ્ય પ્રભાતચિત્ર અછું આલેખી આપે છે. “લણણી લણે'ના શ્રમગાન સાથે લણણને સહયોગ નિમંત્રનું ‘લણણી બાળકે માટેનું સારું અભિનયગીત બની શકે એવું છે. “જેજે કહું છું, થઈશ ખરે ! હું કઈક દિન કપ્તાન અને “ભરતી છે કે ઓટ ભલે હા, સિધ્ધ મહારું સુકાન જેવી પંક્તિઓવાળું ‘નાવનો કપ્તાન” બાળકોમાં એવી મહત્ત્વાકાંક્ષા રોપે એવું છે. આ કવિએ આવાં કાવ્યોથી ગુજરાતની ઊગતી બાળપેઢીનેય કંઈક ગાવા જેવું આપ્યું ગણાશે.
ન્હાનાલાલના ઊર્મિકાવ્ય-સમુદાયમાં એમને પ્રેમાકરને પાત્ર વ્યક્તિવિશેષોને માટે લખાયેલાં અંજલિકાવ્યો ધ્યાન ખેંચ્યા વિના રહેતાં નથી. બાવા લિંગરાજનું શબ્દચિત્ર ગરબીના ઢાળમાં આલેખતા લેલિંગરાજ' કાવ્યને તે યૌવના', સૌભાગ્યવતી’ના વર્ગને “રાજવીર જેવું ચિત્રદર્શનાત્મક વ્યક્તિ-કાવ્ય ગણવામાં વાંધો નથી. ખરાં અંજલિકાવ્યમાં “પિતૃતર્પણ”, “ગુરુદેવ', “ગુજરાતનો તપસ્વી', અને “સૌરાષ્ટ્રને સાધુ” એ ચાર કાવ્યો આવે. એમાં સર્વોત્તમ ઠરે એવું પિતૃતર્પણ” કવિપુત્ર ન્હાનાલાલે પિતા દલપતરામને પિતાને “ભગવદ્ગીતાના સમશ્લોકી ગુજરાતી અનુવાદનું કરેલું અર્પણકાવ્ય છે. ગંભીરઘાણી પ્રાસબદ્ધ અનુ
પમાં પિતાના સ્થળ અને લક્ષણ શરીરને પુત્રસહજ ભક્તિ-ભાવભરી અને કવિતાઈ વાણીમાં સ્તવતા કવિ નાનપણમાં પોતાનાં “અળવીતરાંઓથી એમને, કચવ્યા દૂભવ્યા હેવાને પશ્ચાત્તાપ જે લાગણીભીની ભાષામાં વ્યક્ત કરી અંગતા
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪
ઊર્મિત લાવે છે તેને લીધે એ કાવ્ય કરુણપ્રશસ્તિકાવ્ય(elegy)નું રૂપ પણ પકડે છે – જેમ “શ્રાદ્ધતિથિ એ “સંઘમિત્રા'નું અર્પણકાવ્ય પણ ગત પુત્રી માટેનું કરુણપ્રશસ્તિકાવ્ય બન્યું છે. કાવ્યના એ પશ્ચાત્તાપના ભાવને અંગત કાટિમાંથી ઊંચકી, તેમાં અર્વાચીન યુગના નવજાગૃતિકાળની ઉસહિ-અધીરી જુવાન પેઢીને અનાદરેલી આગલી પિતૃપેઢી આગળ વ્યક્ત થતો પશ્ચાત્તાપ બળવંતરાય ઠાકોરે જોયો છે. એ કાવ્યના ખંડ ૧ અને પમાનાં ભાવ-ભાષા ભાવકના કાનમાં ગુંજ્યા કરે એવાં છે. બાકીનાં ત્રણ કાવ્ય અછાંદસ ડોલનશૈલીમાં લખાયાં છે, જેમાં એ શૈલીને વાગ્વિલાસ “વસંતોત્સવ' અને “ઈન્દુમાર' – ૧ની જેટલે નહિ તોય એની જેવો જોવા મળે છે. એ સાથે જોવા મળે છેકવિને કાશીરામ દવે પ્રત્યેને ગુરુભાવ, ગાંધીજીની સાધુતા અને સેવાગ પ્રત્યેનો આદરભાવ અને અમૃતલાલ પઢિયાર માટેના પ્રેમાદરભર્યો મૈત્રીભાવ, જે તે કાવ્યને ઊર્મિની ભીનાશ અને ઉષ્મા આપે છે. અંજલિવિષય વ્યક્તિઓની ગુણપ્રશસ્તિ તથા એમાંને સ્વજનવિરહને કરુણ ભાવ એમાંના ‘ગુરુદેવ” અને “સૌરાષ્ટ્રને સાધુ” એ બે કાવ્યોને કરુણપ્રશસ્તિ કાવ્યના વર્ગમાં મૂકવા લલચાવે એવાં છે. ગુજરાતનો તપસ્વી' એ કર્મવીર મહાત્મા ગાંધીને ગુજરાતના એ સમયના સમર્થ પ્રતિભાશાળી કવિએ એમની પચાસમી જન્મજયંતીને અવસરે અપેલી એમની દેશસેવાને અભિનંદતી-અનુદતી ઉત્સાહભરી અંજલિ ગાંધીજીને અપાયેલી અંજલિઓમાં અગ્રસ્થાનની અધિકારી છે. એ કાવ્યમાં ગાંધીજીની સાથે કસ્તુરબા ગાંધીને પણ કવિએ સંભાર્યા ને આદરથી વધાવ્યાં છે, જેમ પિતૃતર્પણમાં પિતા ભેગાં માતાને પણ તેમણે સંભાર્યા-સંપૂજ્યાં છે. પોતાને મળતાં માન-સન્માન વિળા સ્વપત્ની માણેકબાઈને તેની અર્ધભાગિની બનાવ્યાં કરનાર કવિ ન્હાનાલાલને નારીગૌરવના કવિ' કાકા કાલેલકરે અમસ્તા નથી કહ્યા. “સાધે સત્યનાથે આગ્રહ ન હોય' એવી તથા મુખ પર વિષાદઘેરા ગાંભીર્ય માટે ગાંધીજીને કવિએ એ કાવ્યમાં ઉમળકાભરી પ્રશસ્તિથી નવાજ્યા પછી કરેલી મીઠી ટકોર ન્હાનાલાલના પણ કવિવ્યક્તિત્વની અને જીવનદર્શનની પિછાણ કરાવી રહે છે.
કવિએ લખેલાં ballad પ્રકારનાં કહી શકાય તેવાં કથાગીતને પણ અત્ર સંભારી લઈએ. “સરવરિયાં ડોલ્યાં” એ મધ્યકાલીન વીરતાનાં બહેનની માગણીથી તેના માડીયા ક્ષત્રિય વીરે ખેલેલા ધિંગાણુના પ્રસંગને વર્ણવતું કરુણાન્ત કાવ્ય પારસીઓના ગુજરાતમાં થયેલા પ્રથમ આગમનને પ્રસંગને વર્ણવતા ‘દૂધમાં સાકર” નામના કાવ્ય કરતાં કથાગીતના રાસડા તરીકે વધારે સફળ છે. આવા રાસડાની પણ અજમાયશ કવિએ સફળતાથી કરી હોવાનું આ બે અને
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૪૭ પાટણના પરધાને અમને બેન કહી બોલાવ્યાં જે “પિકા') જેવી રચનાઓ બતાવે છે.
પ્રસંગકાવ્યનું કાઠું કવિના કેટલાંક કાવ્યો'-૩ની ત્રણ ડોલનશૈલીની રચનાનું પણ દેખાય છે. “હારો મોર” અને “પારેવડાં' એ મિત્ર ત્રિભુવનદાસ ગજરને ત્યાં લખાયેલ બે રચનાઓમાં પહેલીમાં સાગરતીરના મહેલની મહારાણીને તેના પાળેલા મોરના મૃત્યુપ્રસંગે યોગીએ આપેલ સમાધાસક બોધ તેને જ ખાતર પ્રસંગ યોજાયો હોવાનું દેખાડે, અને બીજીમાં ગજજર-દંપતીના જીવનને અણસાર પારેવડાંના પ્રતીકાત્મક વિનિયોગથી કળાય. પહેલી રચનામાં મોર પણ સંતાનના પ્રતીક તરીકે પ્રજા હોવાનું સ્પષ્ટ છે. “બ્રહ્મજન્મ' એ બેઉ કરતાં વધુ આસ્વાદ્ય કૃતિ આત્મલક્ષી રચના છે. કવિ પિતાના કવિજન્મની જ વાત તેમાં બ્રહ્મજન્મ એટલે બ્રાહ્મણ – દ્વિજ તરીકેનાં નવસંસ્કાર ને દીક્ષાની વાતના ઢાંકણમાં કરે છે. એમાંના અંધકાર, ચંદ્રોદય, ચંદ્રબિંબમાં દેખાયેલાં બ્રહ્મકુમારી શારદાનાં ચિત્રવર્ણન કવિતા લેખે સુંદર છે અને કાવ્યમાંના નવ-બ્રહ્મકુમારે બ્રહ્મકુમારી સન્મુખ લીધેલી પ્રતિજ્ઞા કે કરેલ પુણ્ય સંક૯પ ન્હાનાલાલની કાવ્યભાવના કે કવિધર્મના એમના આદર્શને દીપ્તિમંત ભાષામાં મૂકી આપે છે. એ પ્રતિજ્ઞા, સંક૯પ કે કવિધ ન્હાનાલાલે તેમને સમગ્ર સાહિત્યસર્જનમાં નકશા પ્રમાણે ચણાતી ઇમારત પેઠે અક્ષરશઃ પાળ્યો છે એ હકીકત છે. ત્રણે કાવ્યમાંની પ્રસંગની ઝાંખી પાતળી રેખાઓ આ કવિને વિગતસ્પષ્ટ અને મૂર્ત વસ્તુસંવિધાનમાં બહુ રસ નથી, એ દેખાડી આપે છે. કથાત્મક કવિતા
હાનાલાલના જે કાવ્યસર્જનની અત્યાર સુધી વાત કરી તે તેમનાં મિકાવ્યને લગતી હતી. એમાં એમની અનન્ય સિદ્ધિથી ગુજરાતને મુગ્ધ કરનાર આ કવિએ કથાત્મક (narrative) કવિતાને પણ પિતાની કાવ્યસાધનામાં એટલું જ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. એ પ્રકારની કવિતામાં વસંત્સવ” અને “ઓજ અને અગર' જેવાં ખંડકાવ્ય, દ્વારિકાપ્રલય' જેવું કથાકાવ્ય, “કુરુક્ષેત્ર' જેવું મહાકાવ્ય અને “હરિસિંહતા” જેવું તેથીય મોટા માપકદનું, કવિના શબ્દમાં, કવિરાટકાવ્ય” કે આપણે જેને “પુરાણકાવ્ય” કહીએ તે ચાલે, તેને સમાવેશ થાય છે. બંસી મૂકી પાંચજન્ય શંખ હાથમાં લેનાર શ્રીકૃષ્ણ “સુંદર મટી ભવ્ય' બન્યા એમ કહેતા કવિ પોતે પણ સુંદર મટી ભવ્યની આરાધના કરવા માટે ઊર્મિકાવ્યમાંથી કથાત્મક કવિતા ભણી વળ્યા હોય એમ આપણને લાગે, પણ વસ્તુતઃ ઊર્મિકાવ્યની સાથે કથાત્મક કવિતાની સાધના એમણે આરંભથી જ આદરી હેવાનું વસંતેત્સવ” અને “ઈન્દુકુમાર'-૧ પરથી જણાય છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪.
વસંતેત્સવ કવિએ પિતાના પ્રિય કવિ ટેનિસનના “ઇનોક આર્ડનીને નજર સમક્ષ રાખી લખવા ધારેલું પણ પછી તેની પોતાની જ ચાલે ચાલેલું ખંડકાવ્ય. છે. એ નેંધપાત્ર બન્યું છે ડોલનશૈલીના એમાં ગુજરાત સમક્ષ મુકાયેલા પ્રથમ પ્રાગથી, વસંતેત્સવ ઊજવવાના પ્રજા સમક્ષ સદષ્ટાંત સૂચન રૂપે રજૂ થતા એના નવ-કવિના કવિસંદેશથી, એ નિમિત્તે એમાં ગુજરાતનાં વાડી-ખેતર, આંબાવાડિયાં, તળાવ, કેલકૂજન, નિર્મળ આકાશ ને લીલમલીલી ધરા, એનાં સવાર બપોર સાંજ ને ચાંદનીનાં દશ્યો સાથે જે કવિતારટું ચિત્રણ તેમાં પામ્યાં છે તેનાથી, તેમાં આલેખાયેલા તરુણ-તરુણીને અને તે દ્વારા રજૂ થતી
નેહલગ્નની ભાવનાથી, તેમ જ કાવ્યની અંતિમ પંક્તિઓમાં કવિને જ પાછળથી બતાવ્યા પ્રમાણે સૂચવાયેલા જગતના અને ભારતના નવયુગને વધાવવાના વિનિથી. ન્હાનાલાલીય કલ્પના, રસિકતા, કવિતા અને શબ્દભવને પહેલે સ્વાદ આ કૃતિએ ગુજરાતને ચખાડ્યો હતો. રમણ-સુભગા, વિધવા વિલસુ અને સૌભાગ્યચંદ્ર, અને નાનાં કુસુબી અને નયનના સ્નેહસંવનનની એમાં વણાયેલી કથા આછીપાતળી જ છે. રોમેન્ટિક કવિની મનસ્વિતાથી કવિ બધું કહેતા નથી, કથાવસ્તુમાંનું કેટલુંક વાચકોની કલ્પના પર પૂરવા માટે છોડી દેતા હોય છે. કાવ્યમાં વિલસુ વડે ગવાતું વસંતગીત તેની ત્રીજી કડીમાં કવિની ભૂમા-દૃષ્ટિ અને કલ્પનાબળને પ્રતાપે કેટલું ઊંચું ઊંચકાય છે તે જોવાનું સહૃદયથી ચુકાયા નહિ એવું છે. “પ્રાણપ્રાણની રસકથા તે સ્નેહ', “પ્રાણની પરમ ચેતના તે પ્રેમ છે, “સ્વર્ગ ને સ્નેહ શું જૂજવાં છે?” અને “પ્રેમલગ્નની વિધવાને પુનર્લગ્ન સમું પાપ નથી; દેહલગ્નની વિધવાને પ્રેમલગ્ન સમી મુક્તિ નથી” જેવી એ કાવ્યની પંક્તિઓ ગુજરાતને મઢે ચડી ગયેલી.
“આજ અને અગર ઉપરના કાવ્ય પછી છ વર્ષે રચાયેલું પણ પાછળથી સુધારાઈ ૧૯૩૩માં પ્રગટ થયું હતું. એમાંની શશપર ગામનાં ઓજ અને અગરની તથા શિવ મહારાજ (મૂળ નામ મેઘ) અને શરદની, એમ બે
હકથા સ્નેહના પ્રથમ ઉઘાડથી આરંભાઈ આખરે કરુણાત બને છે. આજની બાબતમાં કરુણાન્ત એ રીતે કે અગર સંસારલગ્નને ભોગ બની કસૂવાવડમાં મૃત્યુ પામે છે, અને શિવ મહારાજની બાબતમાં એ રીતે કે શરદે એની માફક જોગ ઓઢો છે. પોતે ન પામ્યાં તે સંસારનાં બ્રહ્મસંગીત જયા અને જયન્તની માફક ગવરાવવાના એ ત્રણે પાત્રાને અને કવિએ પેલા મિશનમાં લગ્નમાં ન પરિણમી શકતા શુદ્ધ હૃદય સ્નેહને ઊર્વીકરણને સમાધાનકારક આદર્શ કવિએ ચી મનાય. આ ખંડકાવ્યમાં ગ્રામપ્રકૃતિનું અને તેના પર શહેરી સંસ્કૃતિ(!)ના
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ve
આક્રમણનું ચિત્ર થાવુક આવે છે પણ કવિનું લક્ષ સ્ત્રી-પુરુષને નિનિજના દૈતાદ્વૈતના ધર્મ પ્રત્યેાધવા ઉપર વિશેષ રહ્યું હાઈ એવાં ખાધક પ્રવચનેાનું તત્ત્વ કૃતિમાં આગળ થઈ ગયું છે. વસ્તુસંવિધાન પરત્વે કવિની બેપરવાઈ અહી પણ છતી થાય છે.
ઉપલી બે કૃતિએ જો ‘પ્રેમ-ભક્તિ'ના પ્રેમ-પાસાનું સર્જન છે તેા ‘હરિદર્શન’ અને વેવિહાર' એ બે પ્રસંગવર્ણનનાં આત્મલક્ષી ખંડકાવ્યા એમના ભક્તિ-પાસાનું સર્જન છે. એમાં આગલી કૃતિને વસ્તુવિષય કવિ-પત્ની માણેકબાને દ્વારકા અને ખેટની જાત્રામાં ખેટના મ ંદિરમાં મૂર્તિ આડે ટેરા (પડદા) પડી ગયા હતા તે નીચે ઢળી પડતાં ઠાકારજીની મૂર્તિનુ થયેલું દર્શન છે. એ કાવ્ય વિશે નોંધપાત્ર વાત એ મધ્યકાલીન આખ્યાનશૈલીમાં લખાયેલુ છે અને એમાં કડવાંને (તેને ‘મીઠાં' કહેનાર દયારામને અનુસરી) કવિએ ‘મધુરાં' કહ્યાં છે એ છે. એનુ... ૧૬મુ ‘નંદવરાય નયણે ઝીલ્યો રે લેાલ'ના આનંદ ગાતું મધુરુ" કાવ્યદષ્ટિએ કૃતિનું ઉત્તમાંગ છે. ‘હેરખડા હરની એ હસતી મુદ્રામાં દીઠી હતી મુદ્રા હમારી' એવી છેલ્લા મધુરાની પક્તિમાં, ભક્તિને ગાતા કવિ પેાતાની પ્રિય પ્રેમ-ભાવનાનેય ટહુકાવ્યા વિના રહ્યા નથી એ પણ ધ્યાન ખેંચશે. બુદ્ધિવાદી કે નાસ્તિકને જે અકસ્માત જ લાગે તેમાં પ્રભુકૃપાના ચમત્કાર માનતી પત્નીની ભાળી શ્રદ્ધાને આ કાવ્યમાં કવિએ અનુમેાદી અને બિરદાવી છે એમ કહેનારને ખીજી કૃતિ ‘વેવિહાર'થી તેા કવિ નિરુત્તર કરી આસ્તિક બનાવી દે એવું છે. એમાં કવિએ નિરૂપેલે પ્રસંગ એમની સ્વાનુભૂતિના છે. ૧૯૩૫ના ડિસેમ્બરમાં મરણેાન્મુખ જેવી દશાની એક બીમારીમાં લાગટ ત્રણ દિવસ સુધી - પીળું પીતાંબર, મારપીચ્છને મુગટ, વાદળવણૢ ઉપરણા, વીજળીની કાર, મેઘલસ્યામ દેહપ્રભા, (હાથમાં) કાળી ને કાયલ જેવડી વાંસળી', એવા બાલકૃષ્ણનુ પેાતાને થયેલુ. દર્શન કવિએ એમાં ‘ગીતગાવિંદ’કાર જયદેવના ‘શબ્દ-રણકારનું આધુ અનુરણન' ગુજારતી છંદેાબદ્ધ અને ગીતાની મળી કુલ ૫૯૦ ૫ક્તિમાં પૂ ભક્તિભાવથી કર્યું છે. એનાં બ’સીનાદ (મધુરાં ૩, ૧૦), બાલકૃષ્ણનાં નૃત્ય (મધુરુ ૧૩), રૂપ-શેાભા (મધુરું ૧૫) અને અદર્શન (મધુરું ૧૬)નાં વર્ણન માટે યેાાયેલાં ગીતા તથા અંતિમ મધુરામાંની ‘જય જગયેાત હિર !'ની આરતીમાં ન્હાનાલાલનુ કવિત્વ સાળે કળાએ વિલસતું અનુભવાય છે. ગીતાના લાલિત્યમાં
૩. ૪
હાં તા તેજલ વેલ કા ઝળહળી, વાળા વિરાટે ઢળી, લન્તા ઝબકાર એક ઝબકથો, વેણુ થઈ
વીજળી;
ખૂલ્યાં દ્વાર અનન્તનાં : હરિ ગયા – હૈયે શુ' ? વા યેામમાં ?
*
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦] . ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ આવ્યો આંગણિયે, ર, શમી ગયો અભ્યાધિ અમ્બોધિમાં. જે ભવ્યતાનુવતી છંદ-ઘોષ અજબ સંવાદથી ભળી જાય છે. કાવ્યલાલિત્ય અને ભવ્યતા બંનેની એકસરખી સિદ્ધિ આ કવિની દેખાડે છે. “ન નિરખ્યા હરિને જરીને પરિતાપ અને વ્યાકુળતા ગાનાર કવિને પિતે ઝંખેલું હરિદર્શન થયાને આનંદ આ કાવ્યમાં સલાસ ઝળકી રહ્યો છે.
ચાર ખંડમાં વિસ્તરતું દ્વારિકાપ્રલય) કવિએ કુરુક્ષેત્રના બધા કાંડા લખી લીધા પછી જાણે તેને અનુસંધાન કે પરિશિષ્ટરૂપે લખ્યું હોય એવું કથાકાવ્ય છે. એમાં દ્વારિકા, પ્રભાસનું સોમનાથ મંદિર, સાગરકિનારે યદુકુમારને આનંદોત્સવ ને તેમાંથી ઉદ્દભવેલી જાદવાસ્થળી, બલભદ્રને સાગરવિલય – આ સર્વને વર્ણવતા પહેલા બે ખંડ કરતાં કૃતિને ભાવદષ્ટિએ આકર્ષક ભાગ છે શ્રીકૃષ્ણના દેહોત્સર્ગને વિષય બનાવતો ત્રીજો ખંડ, અને કવિના શબ્દપ્રભુત્વ અને વર્ણનસામર્થ્યની દૃષ્ટિએ અધિક આકર્ષક ભાગ છે દ્વારિકાના સાગરનિમજ્જનને સાક્ષાત્કરાવતે ચોથે ખંડ. દ્વારિકાને પ્રસવા આવતાં સાગરનાં ધસતાં પ્રલયંકર મોજાંની રૌદ્રલીલાનું કૃતિની છેલ્લી પાંચસોએક ડોલન-પંક્તિએમાં કવિએ કરેલું વર્ણન એમાંના વર્ણનના પૌનઃ પુન્યના દોષ છતાં એમને એક સાહિત્યવિજય ગણાવા પાત્ર છે. એમાં મહાકાવ્યોચિત ભવ્યતાને સંસ્પર્શ પણ અનુભવાય.
કરક્ષેત્ર : નેહાનાલાલની એથી વધુ મહત્વાકાંક્ષી કૃતિ “કુરુક્ષેત્ર છે. મહાકાવ્ય રચવાનો મને રથ નર્મદની એવી મહત્ત્વાકાંક્ષામાંથી પિતાનામાં ઊગ્યો હોવાનું તેમણે એની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. નર્મદે મહાકાવ્ય માટે યોગ્ય છંદ માટે ફાંફાં મારી વિરવૃત્ત યોજેલ, તે પ્રમાણે કવિએ પણ તેવા છંદની શોધમાં ડોલનશૈલી ઘડી પણ તેને પ્રયોગ નાટક “ઈન્દુકુમાર' માટે ને ખંડકાવ્ય “વસંતોત્સવ' માટે કર્યો, જોકે “ઈન્દુકુમારના ત્રણ અંકને પિતે મહાકાવ્ય કહી ઓળખાવવાનો પ્રયાસ પાછળથી કર્યો છે. વસ્તુતઃ પિતાને પૂરતો કવિયશ આપી “મહાકવિ' કહી વધાવનાર ગુજરાતને મહાકાવ્ય આપી જવાની અને એ રીતે પિતાને “મહાભારતકાર વ્યાસના પરાશરગોત્રને એ સાહિત્યકાર્યથી પણ ગૌરવવંતા વારસ સિદ્ધ કરાવવાના અભિલાષે એમને મહાકાવ્યનો આ પ્રયાસ હાથ ધરવા પ્રેર્યા હોવાનું સમજાય છે. કુરુક્ષેત્રના યુદ્ધના પ્રસંગ ઉપર એમણે વસ્તુ માટે ઢળેલી પસંદગી પણ એ સૂચવે છે. બીજી બાજુ, પિતે જેને મહાભારત યુદ્ધના મહાનાયક માને છે એ ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખી એમનું મહિમાગાન કરવાની તક પણ એથી એમની ભક્ત-વૃત્તિને મળતી હતી. વસ્તુ એટલે પાત્રો અને પ્રસંગો વ્યાસનાં લેવાં, પણ નિરૂપણ અને કવિતામાં તો નિજી સંપત્તિ દાખવવી એવા સંકલ્પ
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૫૧ સાથે કવિએ આ મહાકાવ્ય બાર કાંડામાં લખી “સમન્તપંચકીના ઉપોદઘાત તથા “મહાપ્રસ્થાનનાં ઉપસંહાર કાવ્ય તેની સાથે પાછળથી જેડ્યાં છે. એમની નજર સમક્ષ નમૂના માટે મિટનને “પેરેડાઇઝ લાસ્ટ’નું મહાકાવ્ય (epic) તથા હેમરનું “ઇલિયડ” (કુરુક્ષેત્રનું મહાભારત યુદ્ધ એમાં વસ્તુવિષય હેવાથી) હશે – કુરુક્ષેત્રના બાર કાંડ મિલ્ટનના મહાકાવ્યના બાર સર્ગની વ્યવસ્થાની યાદ આપે – તેમ ટેનિસનનું “આઈડિલ્સ ઑફ ધ કિન્ગ પણ હતું. બારે કાંડ કવિએ સમયાનુક્રમ પ્રમાણે નહિ, કવિના નિરંકુશ આત્મછંદ પ્રમાણે ચાલી આડાઅવળા લખેલા અને જેમ તે લખાતા ગયેલા તેમ છપાવતા ગયેલા.
યુગપલટ' નામક પ્રથમ કાંડના પ્રસંગનું આયોજન કવિનું મૌલિક છે. આથમતી પૂર્ણિમાના દર્શને પૂર્વાનુભૂત રાસપૂર્ણિમાના સ્મરણે બંસી બજાવતા બંધુ શ્રીકૃષ્ણને બહેન સુભદ્રા દ્વાપર અને કલિની સંધ્યાએ યુગપલટો માગત હતે તે મુજબ બંસી છોડાવી તેના હાથમાં પાંચજન્ય શંખ મૂકી તેને સુંદરમાંથી ભવ્ય બનાવે એ આ કવિને જ સૂઝે એવી સુંદર કલ્પના હતી. બીજા બે કાંડમાં કૃષ્ણવિષ્ટિ અને યુદ્ધનિર્ધારના પ્રસંગ પતાવી કાંડો ૪ થી ૧૦ મહાભારતયુદ્ધના કેન્દ્રવતી મહાપ્રસંગને આપી કવિએ કાંડ ૧૧ મો શરશય્યા પરથી ભીમે યુધિષ્ઠિરને આપેલા રાજધર્મના “શાતિપર્વમાંના ઉપદેશ માટે રોક્યો છે. “મહાસુદર્શન” નામના બારમા કાંડમાં પહેલા કાંડ જેવી કવિની મૌલિક્તાનું તૃપ્તિકર દર્શન થાય છે. યુદ્ધાતે વિજેતા પાંડવોના હૈયામાં પોતે કરેલા સંહાર માટે ઊભરાયેલા વિષાદ અને પશ્ચાત્તાપમાંથી એમને બહાર કાઢી, સંહાર પણ સર્જનના જેવી પરબ્રહ્મની જગકલ્યાણકારણી લીલા છે એવી સમજનું સમાધાન એમનાં હૈયામાં રોપવા મહામુનિ વ્યાસ એમને પિતાના તપોબળના પ્રભાવે અદ્ભુત દર્શન જેગણુઓનું, પિતલકનું અને સર્જન તથા સંહારના દાંતાવાળા વિરાટના મહાસુદર્શનચક્રનું કરાવે છે તેનું એના અંતિમ ભાગમાં આવતું વર્ણન કવિની ગણનારોહી વિરાટસ્પર્શી અને ચિત્રો સર્જતી કલ્પનાના પ્રભાવનું તેમ એમની જ્ઞાનદષ્ટિનું દર્શન કરાવવા સાથે ડોલનશૈલીને કવિપૂરતા સામર્થ્યનું પણ ભાન કરાવે એવું છે. આખા કાવ્યનું રહસ્ય બતાવવાની પણ તક કવિએ એમાં લીધી છે; નહિતર, માત્ર યુદ્ધ અને માનવસંહારની જ કથામાં જેને રસ પડે એવા આ કવિ હતા જ નહિ. ન્હાનાલાલમાંના સદા જાગ્રત તત્વચિંતકે પિતાનું વર્ચસ્વ ત્યાં બતાવ્યું છે, જેમ તે બતાવ્યું છે ૧૧મા કાંડના ભીષ્યબાધમાં પણ એમાં રજૂ થતે ભીષ્મને ઉપદેશ “મહાભારતનો નહિ એટલે ન્હાનાલાલને છે એ કહેવાની જરૂર પડે તેવું નથી. “મહાપ્રસ્થાનને ઉપસંહાર કૃતિનું રેગ્ય સમાપન સાધી આપી વિવિધ રસોની શાન્તરસમાં પરિસમાપ્તિ લાવે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પર] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ. ૪ કુરુક્ષેત્ર' વસ્તુપ્રધાન કથાકાવ્ય હાઈ કવિને માથે એમાં બધી ઘટનાઓ યથાક્રમ વર્ણવવાને ભાર રહ્યો છે. આમ હાઈ કવિનાં વર્ણન-કૌશલ અને ચિત્રકલાને એમાં સારો અવકાશ મળે છે. આઠમા કાંડમાં રાત્રિયુદ્ધમાં
કાળમીંઢ કાળી અંધાર સાંકળોએ
મધરાત ખાતી'તી હીંચકા હારે. એ શબ્દોમાં થતું રાત્રિનું વર્ણનઃ યુધિષ્ઠિર અને દુર્યોધનના સંગ્રામને વર્ણવતી નવમા કાંડની
આજે પૂરે હળ્યાં'તાં પાણી / ને ભાગતાંતાં ભેખડોને. | સામસામા અથડાય બે પવધધ / બે ગિરિકરાડેથી પડતા ને પછડાતા, / એ ધપૂરનાં ઊડે જળકણો તે દિશાઓને છાંટતા ને વધાવતા : / એવા અથડાયા બે મહારથો | પુરુમુગટના મને રથિયાઓના./ મહારના ઊછળ્યા અણુઅણુઓ, આભવિડારતો થયે વજકાટકો,/ અશ્વો ઊછળી પડથા દશ ધનુષ્યવા, / ને ઉંબાડિયાં રહ્યાં મહારનાં | કુરુક્ષેત્રને રણયજ્ઞ જણાવવાને. એ પંક્તિઓ અને દુર્યોધન તથા ભીમના ગદાયુદ્ધને વર્ણવતી દશમ કાંડની
ગ્રહ ગ્રહને અથડાય એમ | ગદાઓ અથડાતી ને વાયુ ગાજતો. પરસ્પરને હાથી સંઢ સપાટે કે શૈલશિખરે શિલાઓ વરસાવે ! એવા ગદાના ઘાવ પડતા./ વૃક્ષડાળી વૃક્ષડાળે અથડાય, ને મહીંથી તણખા ઝરે ! એમ તણખા ઝરતી ગદાઓ પછડાતી. | શિખર શિખરને ભેટવા જાય / એવા યોધરાજે ભયંકર ભાસતા.
એ પંક્તિઓ કવિએ મન સાથે લીધેલી મહાકાવ્યોચિત ઉપમાઓ (Homeric/ epic similes) આ કૃતિમાં નિજવાની પ્રતિજ્ઞાને કેવાં ભવ્ય ઉપમાચિત્રાથી પાર પાડી છે તેની વાનગીરૂપ છે. જેમ પિતાનાં આગળ ઉલ્લેખેલાં ખંડકાવ્યોમાં અને નાટકમાં તેમ આ મહાકાવ્ય કોટિની કથાત્મક કૃતિમાં કોઈ કેઈ કાંડમાં ઉચિત રીતે પ્રસંગલક્ષી તેમ ભાવદ્યોતક ગીતે પણ મૂક્યાં છે. શ્રીકૃષ્ણની સૌજન્યપૂર્ણ વિષ્ટિ નિષ્ફળ જતાં કુંતીએ તેમની જોડે મેકલેલા સંદેશાનું “પાર્થને કહો ચહડાવે બાણ, યુદ્ધાતે સંભળાવાતું “હરિ હારે યુગ ઉછળ નયનનમાં', ઉદ્વિગ્ન પાંડવોને પરમાત્માની સર્જન-પ્રલયની લીલા સમજાવતું ગણીઓનું હરિની રમણએ અમે નિસર્યા રે લોલ', અને એ જ રહસ્ય બીજી રીતે કહેતું કૃતિનું સમાપ્તિગીત “નકુળ ફુદડી ફરે રે લેલ આ મહાકાવ્યનાં તેમ કવિ ન્હાનાલાલનાં અને અર્વાચીન ગુજરાતી કવિતાનાં પણ પ્રથમ પંક્તિનાં ઊર્મિગીતા છે. - આમ સમર્થ કવિની પ્રતિભાને સંસ્પર્શ અનેક સ્થળે દેખાડતું “કુરુક્ષેત્ર’ સમગ્રપણે જતાં અભ્યાસીઓને મહાકાવ્ય તરીકે સંતોષ આપી ન શક્યું હોય તો તેને માટે વસ્તુવિધાનમાં ક્યાંક ક્યાંક વરતાતી અસંગતિ, મહાભારતીય પાત્રોના
Page #62
--------------------------------------------------------------------------
________________
સ્ર. ૨]
[ ૫૩
નિરૂપણમાં કચારેક પેસી ગયેલી પ્રાકૃતતા, પાત્રાલેખનમાં જીવન્તતા અને ઊંડાણુની ઊણપ, ભાવનિરૂપણુ અને રસનિષ્પત્તિની કેટલીક ગુમાવાયેલી તક, વાગ્મિતાના અતિરેક, શૈલીદાસ્યની ચાડી ખાતાં એકલઢણિયાં શબ્દપ્રયોગા અને વર્ણના, નિવાર્ય પુનરુક્તિ, સૂક્ષ્મ ઔચિત્યવિવેકના અભાવ, કૃતિમાં ભાષા, શૈલી, કવિદર્શન વગેરેમાં નવી વિશિષ્ટતા કે ચમકનુ અદન - આ બધાંને જવાબદાર ગણી શકાય. સામે પક્ષે, પેાતાને થતા આસ્વાદને આધારે તેમ જ શાસ્ત્રલક્ષણના આધારે પણ' આ કૃતિને મહાકાવ્ય ઠરાવતા રસિકલાલ છે. પરીખના અભિપણ ધ્યાનપાત્ર છે.
-
પ્રાય ૧૭
ન્હાનાવાલ
હરિસંહિતા' : જેને કવિએ પેાતાની ‘કાવ્યયાત્રાનું મહાતીર્થં' કહી આળખાવી છે એ ‘હરિસ’હિતા’ (૧/૧૯૫૯, ૨-૩/૧૯૬૦) તેમની કથાત્મક કવિતાની સૌથી વિપુલકાય કૃતિ છે. કવિ આયુષ્યનાં છેલ્લાં સાડાત્રણ વર્ષ એના પર મડવા રહેવા છતાં એનાં નિર્ધારેલાં ખાર મ`ડળમાંથી આઠ જ તેએ પેાતાના અવસાન પહેલાં પૂરાં કરી શકયા હતા. એમની મરણાત્તર પ્રકાશન બનેલી ત્રણ ભાગનાં ત્રણ પુસ્તકાની આ કૃતિમાં ૩, ૫, ૬ ને ૧૦ એ ચાર મંડળ તેમજ બાકીનાં મંડળામાંથી કાઈ કાઈના કેટલાક અધ્યાય લખાયા નથી. કુરુક્ષેત્રના સંગ્રામ વેળા ૮૪ વર્ષના શ્રીકૃષ્ણે ત્યાર બાદ સેાળ વર્ષે સેા વર્ષના થયા ત્યારે ઊજવાયેલા તેમના શતાબ્દી મહે।ત્સવ પછી અર્જુન-સુભદ્રા તથા યાદવ પરિવારને સાથે લઈ “ માટા સોંઘ કાઢી સેાળમે વરસે પૂરી થયેલી ભારતયાત્રા સહ સંસ્થાપનાથે તેમણે કરી એવી કલ્પના ચલાવી પેાતાના આરાધ્ય હરિવરની એ ધર્મયાત્રા કવિએ વિસ્તારથી વર્ણવી છે. દ્વારિકાથી સૌરાષ્ટ્ર વટાવી નર્મદા, વિ ંધ્યાચળ, ગેાદાવરી, મલયપ્રદેશ, કેરળ, કન્યાકુમારી, રામેશ્વર, ઉત્કલ, કામરૂપ, મિથિલા, હિમાલય, કાશી, અયેાધ્યા, હસ્તિનાપુર, વ્રજ, આરાવલી, શ્રીમાળ થઈ ત્યાંથી સૌરાષ્ટ્રના અત્યારના દ્વીપકલ્પની ઉત્તરની સાગરપટ્ટીના જળમાર્ગે પાછાં દ્વારિકા, એવે! એ યાત્રાનેા ક્રમ કવિએ પેાતાના ભૂગાળજ્ઞાનની મદદથી ગાઠવ્યા છે. આવડા લાંબા પુરાણકાવ્યમાં પ્રસંગાનું બાહુલ્ય અને તેમની સુગ્રથિત રજૂઆતની જે અપેક્ષા રખાય તેને ન્હાનાલાલની કવિપ્રવૃત્તિ બહુ સ ંતાષી શકે એવી ન હતી. છતાં ધીરજથી ગ્રંથના વાચનપ્રવાસ કરનારને કથારસ પણ મળી રહે એમ છે. પાત્રોમાં શ્રીકૃષ્ણ, અર્જુન, રુકિમણી, સુભદ્રા, ત્રજબાળા અને નારદજી વિશેષ ધ્યાન ખેંચે છે, જોકે તેઓ તથા સંધ જુદે જુદે સ્થળે જેમના સંપર્કમાં આવે છે તેવાં પાત્રો કથામાં ઘણાં આવે છે, જેમાં માતંગ અને ભારુડ જેવા ઋષિએ તેમની પૂર્વકથાને લીધે આકર્ષક લાગે છે. કવિને વિશેષ ફાવ્યું છે જુદાં જુદાં
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [4. ૪ સ્થળેના એકલવ્યના વંશજો જેવા જીભના કરડા પણ હદયના મીઠા અડબંગ વરુ આટવિકેનું તેમની લાક્ષણિક વાણી સાથે આલેખન, જે એકબે દાખલા પછી થોડુંક એકધારું લાગે છે.
પણ પ્રસંગો ને પાત્રાલેખન કરતાં કવિને વિશેષ ફાવ્યાં છે વર્ણને, જેમાં સાગરઝાડીઓ ને તેમાંની નૌકાયાત્રા, નર્મદા, વિંધ્યવન, દંડકારણ્ય, સીતાશ્રમ, કાવેરીને ધેધ, સાગર, કામરૂપની વિલાકુંજે ને રમણીઓ, હિમાલયની નિસર્ગશ્રી આદિનાં કવિના શબ્દભવ ને કવિત્વને બળે આકર્ષક બન્યાં છે. કથામાં બહુધા શ્રીકૃષ્ણને મુખેથી તથા ક્યારેક નારદ, વ્રજબાળા તથા તીર્થસ્થળોએ સંઘને મળતા ઋષિતપસ્વીઓને મુખેથી જ્ઞાનભક્તિપોષક ધર્મવાર્તા આખા પ્રવાસ દરમ્યાન થયાં જ કરતી હોય છે. કાંચનગંગાને ઘાટે હિમાલયમાં શ્રીકૃષ્ણમુખે કવિએ નવ-ઉષાસ્તોત્રો તથા ચંદ્રગાયત્રી ઉદ્ગારાવ્યાં છે. કવિની બધી પ્રિય ભાવનાઓ પણ કથામાં પુનરુચ્ચારણ પામે છે. એમની પ્રિય દાંપત્યભાવનાને શ્રીકૃષ્ણ રુકિમણી અને અજુન-સુભદ્રાની જોડીની ઓથે તેમ જ પંચવટી, રામસેતુ અને અયોધ્યાનાં તથા ભારુંડ મુનિના દર્શને કવિ ઉત્સાહથી ગાય છે. વિલાસ વિરુદ્ધ સંયમના એમને પ્રિય આગ્રહને કામરૂપની યાત્રામાં તથા કલાસ પરની હરિહરની ગોષ્ઠી વેળા ફરી રજૂ થવાને અવકાશ મળ્યો છે. શ્રીકૃષ્ણ સંઘને કામરૂપ લઈ ગયા છે, તે “રૂપની આ ભેમમાંયે “શીલ-સંયમ’ વાવવા માટે. પાપ, પુણ્ય, ભક્તિ, જ્ઞાન, અહિંસા, સદાચાર ઇમાટેનું કવિનું જાણીતું વલણ ફરી ઉદ્ઘોષતા ઉદ્ગારો “હરિસંહિતા' ઠેરઠેર સંભળાવે છે.
કૃતિના કાવ્યતત્ત્વ પર નજર કરતાં, મંડળીના અધ્યાયના આરંભે અને અંતમાં (પ્રેમાનંદ આખ્યાના કડવાંને મુખબંધ અને વલણની જેમ) મૂકેલા લેકે સિવાય સમસ્ત કૃતિ કવિએ પ્રવાહી અનુષ્કપમાં લખી છે, જોકે “પિતૃતર્પણ” ને ગરો પ્રાસબદ્ધ અનુષ્યપ ત્યાં નથી દેખાતે. નાટક અને “કુરુક્ષેત્રની પેઠે વચમાં બધાં થઈને સે ઉપર ગીત પણ કવિએ એમાં મૂક્યાં છે (તેઓ એમ ન કરે તો જ નવાઈ). કેટલીક વાર આખા અધ્યાય ગીતરૂપે લખાયા છે. બીજા મંડળમાં સત્યભામાના સંદેશામાં, ચોથામાં નારદગીતમાં, આઠમામાં શ્રીકૃષ્ણનાં ઉષાસ્તોત્રોમાં, અગિયારમામાં વ્રજપંચાધ્યાયીમાં અને કૃતિના છેલ્લા અધ્યાયમાં કવિતા લહેરાવવા મહેકાવવાના મળતા અવસરને કવિએ ઠીક લાભ ઉઠાવ્યો કહેવાય એમ છે. શ્રીકૃષ્ણનાં ઉષાસ્તોત્રો તથા હિમાલયની શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપની સ્તુતિમાં અને કઈ કઈ ઉપનિષદમાં કવિએ આષ છંદરચના પણ ઠીકઠીક સફળતાપૂર્વક અજમાવી છે. એમ તો પેલાં બે વાર ઉચ્ચારાયેલાં
Page #64
--------------------------------------------------------------------------
________________
31.]
ન્હાનાલાલ
[ ૫૫
ઉપનિષદેોમાં કેટલાંકમાં ઔપનિષદિક ગદ્ય લાવવાનેાય પ્રયાસ તેમણે કર્યો છે, પણ તે એટલા સળ નથી. એ ઉપનિષદ્યા દ્વારા કવિએ નવાં ઉપનિષદો લખવાના મહત્ત્વાકાંક્ષી ઉત્સાહ દાખવ્યા છે એટલુ` જ, એમાં એના ઔપનિષદિક બહિર ંગને બાદ કરતાં આંતરિક દર્શન કે વિચારમાં કાઈ અપૂર્વ તા વરતાતી નથી. કંઈક ધ્યાન ખેંચશે એમાં વિકાસેાપનિષદ' અને સાગરાપનિષદ', ખીજું ખાસ તા એમાંના ગભીરઘાજી સાગરવનને લીધે. શ્રીકૃષ્ણના યોગેશ્વર-સ્વરૂપની પ્રતીતિ અર્થે કેટલાક આતિભૌતિક ચમત્કારા તેમના સંબંધમાં વર્ણવ્યા છે. એને લીધે તેમના માહાત્મ્યને પેાષક અદ્ભુત રસ કાવ્યમાં કવિ લાવ્યા છે.
હરિસંહિતામાં ખૂંચે એવી એક બાબત એમાંના કાલવ્યુત્ક્રમના દેષને પાત્ર અનેક ઉલ્લેખે છે, ભલે આવુ... આવુ અહીં ભવિષ્યમાં બનશે એવા ભાવિદશ નના રૂપમાં એ મૂકયા હેાય. વલભીપુર ને તેને વિનાશ; રામેશ્વરના ગંગાદકના કાવિડયા, મંદિર તથા આરતી : કામરૂપનું લેાકમાન્યતાનુ સ્ત્રીરાજ્ય અને ગાર-મત્સ્યેન્દ્રની કથા : નાલંદા, નદિયા ને કાશીનાં વિદ્યાતીર્થી : પૃથ્વીરાજ ચૌહાણુ, જયશિખર, વનરાજ, સિદ્ધરાજ, મીરાં, સ્વામી દયાનંદ, પાટણ, ઝાલા, જાડેજાએ આ બધાના શ્રીકૃષ્ણમુખે થતા ઉલ્લેખ ઔચિત્યબુદ્ધિને આધાત ઉપર્જાવે એવા કહેવાય. કવિના તિહાસ-રસ એમને આમ કરવા ખેંચી ગયા છે.
:
‘હરિસંહિતા’ની એકંદર છાપ ‘કુરુક્ષેત્ર'ની છાપને દઢાવે કે એવડાવે એવી પડે છે, તેના સકને એ ભક્તિ-કવિ તરીકે આળખાવે છે એટલા મહાકાવ્યના વિ તરીકે ઓળખાવી શકતી નથી. તે એ પણ બતાવે છે કે વનું લક્ષ ગુણવત્તા અને ક્લાતત્ત્વ કરતાં યત્તા ઉપર વિશેષ કેન્દ્રિત થયું છે, અને કવિ ઉત્તર વયમાં આત્મમુગ્ધ કે આત્મમસ્ત રહી પોતાનું જ અનુકરણ કે પુનરાવર્તન કરી રહ્યા છે. સુગ્રથિત વીગતસ્પષ્ટ વસ્તુસ ંવિધાન અને પાત્રોના વાસ્તવિક માનવ્યનું અપ્તર’ગી સંકુલતાભર્યું જીવન અને જગતનું કાઈ વ્યાસ, કાલિદાસ, શેક્સ્પિયર કે પ્રેમાનંદના જેવું દર્શન-નિરૂપણું આ કાવની પ્રકૃતિને માફક આવતાં સાહિત્યિક કૌશલ્યેા નથી. એથી મહા એટલે સમર્થ કે ઈશ્વરી બક્ષિસવાળા પ્રતિભાશાળી વિની ધી આત્મસંપત્તિ ઠેરઠેર વેરતા જતા છતાં પાતે મહાકાવ્યના કવિ (epic poet) બની શકતા નથી. એમની પ્રતિભા ઊર્મિકાવ્યના કવિની જ છે, જે એમની કથાત્મક કવિતાને પણ અંદરનાં ગીતાથી જ નહિ, સમગ્ર અંતઃસ્વરૂપ કે સૂરમાં ઊર્મિકવિતા બનાવી દે છે. પણ કવિને પક્ષે એટલુ અવસ્ય કહી શકાય કે આમ છતાં એક એકથી માટી લંગા ભરી મેાટા પટની પરલક્ષી કથાત્મક કવિતા ગુજરાતને આપી જવાનેા મહત્ત્વાકાંક્ષી કવિપુરુષા એમણે ખેડવો એ
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ ૪ કંઈ ઓછા મહત્ત્વની વાત નથી, એને અનુરૂપ સિદ્ધિ ભલે એમને પર્યાપ્ત પ્રમાણ માં સાંપડી શકી ન હોય.
[૨] નાટકે ન્હાનાલાલના સર્જનાત્મક સાહિત્યમાં કવિતા પછી તરત ગણાવી શકાય તે છે એમણે લખેલાં ચૌદ નાટકે. એ બધાં ડોલનશૈલીમાં લખાયાં છે. યુરોપમાં ગઈ સદીમાં ગદ્યનાટક આરંભાયા તે પહેલાં નાટક માટે પદ્યને ઉપયોગ થતો હતા તેવું ગુજરાતી સાહિત્યમાં નાટક પરત કરવાની કવિની હાંસીલી સાહસ વૃત્તિનું ફળ એને કહેવાય. એમના ધસમસતા કાવ્યપૂરે પકડેલું નવું વહેણ પણ એને ગણી શકાય. કવિના ધર્મ કે કર્તવ્યની જે ભાવનાને પતે વર્યા હતા – પ્રજાનું મુખ, તેનાં મન-હૃદયના ધન્વન્તરિ અને તેને “સ્વર્ગને સંદેશ સંભળાવનાર પયગમ્બર બનવાની, – તેને માટે નાટકને પરલક્ષી સાહિત્યપ્રકાર એમને અનુકૂળ વાહન કે માધ્યમ લાગ્યું હોય, એ પણ એક કારણ હોય.
એમનાં ચૌદ નાટક વસ્તુદૃષ્ટિએ “ઈન્દુકુમાર' (૧–ર–૩: ૧૯૦૯, ૧૯ર૭, ૧૯૩૨), “પ્રેમકુંજ' (૧૯૨૨), ગોપિકા' (૧૯૩૫), 'પુણ્યકંથા' (૧૯૩૭),
જગપ્રેરણા' (૧૯૪૩), ‘અજિત-અજિતા' (૧૯૫૨) અને “અમરવેલ' (૧૯૫૪) સામાજિક છે; “જય અને જયન્ત' (૧૯૧૪) પ્રાચીન કાળનું કાપનિક નાટક છે; “વિશ્વગીતા' (૧૯ર૭) પૌરાણિક અને પ્રાચીન-મધ્યકાલીન ભારતીય વસ્તુવાળું નાટક છે; અને “રાજર્ષિ ભરત' (૧૯૨૨), “જહાંગીર-નૂરજહાં' (૧૯૨૮), “શાહનશાહ અકબરશાહ' (૧૯૩૦), “સંઘમિત્રા' (૧૯૩૧) અને શ્રી હર્ષદેવ' (૧૯૫૨) ઐતિહાસિક નાટકે છે. એમાં “સંઘમિત્રા” અને “શ્રી હર્ષદેવ' સંસ્કૃત નાટકશૈલીમાં લખાયાં હોઈ તેમાં પ્રવેશે નથી પણ સાત સાત અંકે છે, અને વચમાં વૃત્તબદ્ધ લેંકે આવે છે, જોકે તે સાથે કવિનાં બીજાં નાટકની માફક ગીત પણ મુકાયાં છે. બીજાં બધાં નાટક ત્રિઅંકી છે, જેમાં દરેક અંકને પ્રવેશો પણ હોય છે. એમાં એક ગાપિકાને અપવાદ છે. તેમાં સંસ્કૃત નાટકની માફક પ્રવેશ વિનાના પાંચ અંકે છે. પણ અંકે કે પ્રવેશની સંખ્યા કે વ્યવસ્થા ગમે તે હોય, કવિનાં બધાં નાટકનું સ્વરૂપ સરખું જ છે.
પિતાના મૂરતવંતા પહેલા નાટક ઇન્દ્રકુમારના પહેલા અંકની પ્રસ્તાવિનામાં પોતાના નાટકને ઓળખાવતાં કવિએ કહ્યું છે : “ભરત નાટયશાસ્ત્રમાંના ભેદ વિચારતાં આ દશ્ય નહિ પણ શ્રાવ્ય નાટક છે. વળી યુરોપીય રસશાસ્ત્રની દષ્ટિએ અવક્તાં આ કાવ્ય ગ્રીસની Classical કહેવાતી પદ્ધતિનું નથી પણ Romantic પદ્ધતિનું છે... આ નાટક ગાઈથેની ને શેલીની શિલીને મળતું છે,
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૫૭
શેકસપિયર શૈલીનું નથી.” શૈલીના પ્રેામિથિયસ અન્બાન્ડ'ને કવિ ત્યાં ‘ભાવપ્રધાન કાવ્ય' કહે છે, અને પેાતાની રચના માટેય કાવ્ય' શબ્દ વાપરે છે એ ધ્યાનમાં લઈએ, તેમ જ ગાઇથેનું ફાસ્ટ' નાટકના પાર'પરિક સુધટિત શિલ્પની પરવા ન કરતું કવિ-ફિલસૂફનું મહાકાવ્યની કાટિનું નાટક છે એ વિચારીએ, તા કવિ ન્હાનાલાલનાં નાટકા નાટકડી કવિતાના નામને વિશેષ લાયક છે એ સમજાશે. ‘કુરુક્ષેત્ર'ની પ્રસ્તાવનામાં તા એમણે કહી પણ નાખ્યું છે: “હું તેા કહી કહીને થાકયો કે મ્હારાં બારે નાટકા કાવ્યા છે.” અંગ્રેજી સાહિત્યમાં કવિતાપ્રધાન નાટકજાતિના Poetic Drama અને Lyrical Drama એવા જે બે મુખ્ય પ્રકાર ગણાય છે, તેમાં પહેલામાં કૃતિ સ્વરૂપ ને પ્રાણમાં નાટક જ હેાય છે, એના વસ્તુ, સંવાદ ઈમાં કાવ્યાત્મકતાને અંશ હેાય છે એટલું... જ, નાટચલેખક તટસ્થ રહી પાત્રા અને તેમના આશય તથા આચરણને પરલક્ષો કળાથી રજૂ કરે છે. બીજા પ્રકારમાં, નાટયલેખક પ્રાર ંભમાં એવી તટસ્થતા જાળવવા જાય પણ તરત એ આત્મલક્ષિતામાં સરી પડી પાત્રો, તેમનાં આશય, વાણી તથા કાર્યા દ્વારા પેાતાને જ વ્યક્ત કરવા મંડી પડે છે. એમાં લાંખી સ્વગત એકાક્તિએ આવે છે તેનું કારણુ આ. પાત્રો એના સર્જકના જ અવાજો (Voices) પ્રેામિથિયસ અબ્બાઉન્ડ'માં બન્યુ છે તેમ આથી તેમાં બની જાય. ન્હાનાલાલની ‘ઇન્દુકુમાર’–૧, ‘પ્રેમકુંજ', ‘પુણ્યકથા', ‘જગત્પ્રેરણા' જેવી કૃતિને Lyrical અને ‘જયા-જયન્ત’, ‘ગાપિકા', ‘જહાંગીર-નૂરજહાં', 'શાહાનશાહ અકબરશાહ’ જેવી વસ્તુની સહેજ વધુ માત્રાવાળી કૃતિને Poetic નાટકના વર્કીંમાં મૂકવી હાય તા તેમ થઈ શકે એમ છે. પણ બધે પાત્રમુખે કવિના જ પ્રસન્ન આત્મા પેાતાનાં જીવનદર્શન, અનુભવ, ચિંતન અને હૃયરસમાં ખેાળેલી ભાવનાઓને ગુજારતા અનુભવાતા હેાવાથી અને નાટયોચિત સંવિધાન આછુ પાતળુ` હેાવાથી Lyrical Dramaનાં તત્ત્વા એમાં વિશેષ જણાય છે, તેથી ‘ભાવપ્રધાન’ વિશેષણથી તેમનાં નાટકાને ઓળખવાં સુગમ પડશે.
આ ‘ભાવપ્રધાન’ તે ‘ભાવનાપ્રધાન’ના અર્થમાં પણ ખરું.. આગળ સૂચવ્યું છે તેમ પાતે માનેલે પોતાના કવિધ અદા કરવા પેાતાના કવિસ...દેશ જેવી કાઈ ભાવના કે વક્તવ્યને નાટકમાં વણવા ને ઉપસાવવા ઉપર જ ન્હાનાલાલનું લક્ષ આ નાટકામાં કેન્દ્રિત રહે છે. પરિણામે, વસ્તુ, પાત્રાલેખન, સંવાદ વગેરે એ કવિને હાથે સાધ્ય બની ખેસતી એ ભાવનાનાં જ સાધન બનવું પડે છે. પેાતાના ઉદ્દેશ સારે એવું પ્રસંગાદિનું માળખું મનમાં નક્કી કરી લીધા પછી તેના શિલ્પવિધાન પર કવિ બહુ ધ્યાન આપતા નથી. અભિપ્રેત સંદેશ વસ્તુના નાટયનિ ણુથી જ સૂચિત કે પ્રગટ થાય એવા વસ્તુલક્ષી સાહિત્યપ્રકારમાં અનિવાર્ય
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર. ૪ અને પરલક્ષી કૃતિના સર્જક પાસે હેવા અનિવાર્ય સંવિધાનકૌશલ પ્રત્યે એમની રોમેન્ટિક કવિ-પ્રકૃતિએ એમને બેપરવા બનાવ્યા હેઈ, એમનાં નાટકમાં વસ્તુ આડીઅવળી લહેરાતી ધૂપની ધૂમ્રસેર જેવું પાંખું પાતળું અને ક્યારેક અધ્યાહત કે અ-સુગમ અંશેવાળું, પાત્ર ક્રિયાશીલ નહિ તેટલાં ઉદ્દગારશીલ અને વ્યક્તિ નહિ પણ જાતિ કે પ્રકાર (Type) જેવાં અને કાર્ય (action) ઝાઝું તથા ત્વરિત કે એકધારી સતતવાહી ગતિવાળું નહિ પણ સંવાદે ને ગીતાની ઝાડી વચ્ચે ધીમેથી ચાલતું મંથરગતિ હોય છે. જયા-જયન્તીને રંગભૂમિયોગ્ય બનાવવા ધાર્યું હતું એટલે તેમાં વસ્તુસંકલના પર સહેજ વધુ ધ્યાન અપાયું જણાય છે, અને પેલાં ઐતિહાસિક નાટકમાં તે કવિને ઈતિહાસે પૂરું પાડેલું વસ્તુ વાપરવાનું હતું. પણ અન્ય નાટકમાં સમગ્રપણે ઉપરકહ્યા જેવી સ્થિતિ છે. વસ્તુવિકાસ નાટકમાં સધાતું હોય તે સૂકમ નજરે જ જે શક્ય બને છે. પાત્રો વાસ્તવસૃષ્ટિમાં જોવા મળતાં જીવન્ત માનવીઓ કરતાં નાટકપ્રતિપાદ્ય ભાવનાને મિત્રભાવે ઉચ્ચારતાં કે શત્રુભાવે વખેડતાં તેનાં પ્રતિનિધિ કે વિરોધીઓ બની જાય છે. એમનાં પિશાક, ભાષા, વૈયક્તિક ખાસિયત વગેરેની પરિચાયક વિગતે પાનાં ભરીને આજના નાટક લેખકે આપતા હોય છે અને તેને સુસંગત વર્તન એમની પાસે કરાવતા હોય છે તેવું આ કવિનાં નાટકોમાં જોવા મળે જ નહિ. નૃત્યદાસી ને વામાચાર્ય દેહવાસના, વિલાસ અને વૈરાચારનાં પૂતળાં જેવાં ચીતરાય, તે જયા અને જયન્ત કામવિજય અને આત્મલગ્નની દુર્ગમ સિદ્ધિની શક્યતા બતાવતા માનવ-નમૂન બની જાય એવું પાત્રનિરૂપણ જેમ “જયા-જયન્તમાં તેમ કવિનાં ઘણાં નાટકમાં બતાવી શકાય. પાત્રે ઘણી વાર સાવ ઊજળાં, કાં પૂરાં કાળાં આ નાટકમાં કવિની કલમે આલેખાય છે. એમનાં મંથન, સંધર્ષ ઈ. (જેમ કે કાન્તિકુમારી, ઈન્દુકુમાર, જયા ને જયન્તનાં) તેમ જ એમનાં વિકાસ, પરિવર્તન વગેરે (નૃત્યદીસી, વિલાસ, અગ્નિરાજ આદિનાં) નથી દર્શાવાતાં એમ નથી, પણ મનોવૈજ્ઞાનિક ઝીણવટથી એને સુરેખ ક્રમ યોજી બતાવવાની કળા કવિ દેખાડતા નથી.
કવિ ન્હાનાલાલની આવી કૃતિઓમાં દેશકાળને અમુક પરિવેશવાળી સૃષ્ટિ જે ખડી થાય છે તે આ ભાવનાવિહારી અને કલ્પનાબળિયા આત્મરત મસ્ત પ્રકૃતિના કવિને ભાવલેક કે કાવ્યલોક જ કહેવાય એવું હોય છે. પાત્ર બનાવેલાં માનવીઓની લીલા સરોવર, વનઘટા, આમ્રકુંજ, ગિરિશિખરે, સાગર ઈની રમ્ય-ભવ્ય નિસર્ગશ્રીને ખોળે ખેલાતી બતાવવાનું કવિને ગમે છે. અમૃતપુર, પ્રેમેરિયું, રામેરિયું જેવાં ગામ, હિમાલયને ઉત્તુંગ પ્રદેશ, ગિરનારનાં શિખરે, ઝરણાં, ખડકે, ગુફાઓ, શેષાવન, આબુનાં ઘાટી, ખીણ, ઝાડી, નખી સરોવર,
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] હાનાલાલ
[૫૯ ગુફાઓ, સાગર, ટાપુ, ખડકે, વન, નદીને સાગરસંગમ, ભવેશ્વરીની ગુફાઓ – આ સૌને પિતાનાં નાટકની સૃષ્ટિમાં માનભર્યું સ્થાન મળ્યું છે. “જગપ્રેરણમાં કવિ સિંહને અને અપ્સરાઓને ને “અજિત અને અજિતા'માં વાઘણને, તથા કાળકાની સહિયરનેય નાટકની રંગભૂમિ પર લાવે છે“જગપ્રેરણમાં કવિ ગોરખનાથ, રાણકદેવડી અને નરસિંહ મહેતા-માણેક મહેતાને, અને “અજિત અને અજિતા'માં અંતર્નાટકને મિષે ભીમદેવ સોલંકી અને માઘ કવિનેય પારૂપે અર્વાચીન પાત્રો ભેગાં રંગભૂમિ પર લાવે છે અને એમ કરીને એ નાટકને ત્રિકાળનાં નાટક બનાવવાની હેશ દાખવે છે!
કાળમાં, બધાં ઐતિહાસિક નાટકમાં એમાંનાં પાત્રો અને પ્રસંગને લીધે ઇતિહાસપ્રસિદ્ધ સમય કવિને બતાવવો અને જાળવવો પડ્યો છે. પણ બાકીનાં કલ્પિત નાટકમાં ‘જયા-જયન્ત’ સિવાય ચોકસ સમય નિર્દેશને અભાવે વાંચનારે તેમાંની આંતરિક સામગ્રી પરથી તેના કાળ વિશે પિતાપૂરતો નિર્ણય બાંધી લેવો પડે એવી સ્થિતિ હોય છે. “જયા-જયન્તીને સમય દૂર દૂર, દ્વાપર અને કલિની સંધ્યાને નિર્દિષ્ટ કરાયો છે, જેથી તે આકાશવાણી ને અપ્સરાઓ ને સ્વર્ગ તથા પૃથ્વીલોકને સંબંધ ને કેટલાક ચમત્કારોને તેમાં લાવવાની કવિને તક કે સગવડ મળી છે.
આ નાટકમાં પાત્રોને સંવાદ નાટકનું મહત્વનું અંગ બની જાય છે. કવિને રસ જેના પર કેન્દ્રિત થયો હોય છે એ નાટકના ધ્યેય જેવી કવિની પ્રિય કે ઈષ્ટ ભાવનાને સમજાવવા – રજૂ કરવાનું મુખ્ય સાધન, પ્રસંગે ઓછા હોય છે એટલે, એ જ બાકી રહે છે. આવા સંવાદની ëમાં કવિ પિતે નાટક લખી રહ્યા છે એ જાણે થોડી વાર ભૂલી જાય છે. સંવાદ ઝાઝે હોવાથી નાટકમાં કાર્ય મંદગતિ રહે છે કે કાર્ય ત્વરિતગતિ ન હોવાને કારણે સંવાદને વધુ મોકળાશ મળે છે એ પ્રશ્ન છે, પણ આટલું તો ખરું કે કવિનાં નાટકમાં બને છે એના કરતાં બોલાય છે વધુ. કવિ પોતે જ પાત્રોને સંવાદમાં એકના અનેક થઈ પિતાને કવિસંદેશ ઉદ્દગારતા-ઉષતા સંભળાય છે. કવિ બોલે છે માટે જ એ સંવાદની ભાષા પણ સામાન્ય વ્યવહારુ ગદ્યની ભાષા કરતાં ઊંચી ભૂમિકાની, કવિતાની સીમમાં જઈ પહોંચવા મથતી એક વિશિષ્ટ વાક્છટાવાળી અને ક્યારે ક્યારેક કાવ્યમય કે આલંકારિક બનતી હોય છે, જેમાં એ ખાતર જ એમણે શોધેલી-સરજેલી ડોલનશૈલીએ એમને સારું કામ આપ્યું છે. પાત્રોનાં અભિલાષ, ઉલ્લાસ, વ્યથા, મંથન, વિરોધ, પશ્ચાત્તાપ આદિને કેવી સચોટ અને છટાદાર વાણી એ શૈલીમાં મળી શકી છે. “ઈન્દુકુમારના પહેલા અંકના પહેલા પ્રવેશના ઇન્દુકુમારના કાન્તિકુમારીના દર્શન વેળાના તેમ ત્યાર પછી સ્વગત ઉદ્ગારો, ત્રીજા
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ ૪
પ્રવેશમાંની યશદેવીના મુખેથી વહેતી ઉલ્લાસ-ઊભરાતી ભાષા તથા છઠ્ઠા પ્રવેશમાંના કાન્તિકુમારીની આંતરવ્યથા અને મંથનને વાચા આપતા સ્વગત દ્બારા, “જયા-જયન્ત'ના રાજરાણી અને ગિરિરાજ વચ્ચેના, જયા અને નૃત્યદાસી વચ્ચેના, અને જયા અને જયન્ત વચ્ચેના સંવાદો, વિશ્વગીતા’માં ‘ભરતગેાત્રનાં લજજાચીર’માં દ્રૌપદીના મુખેથી નીકળતી આગ અને વેદના-નીતરતી વાણી, ‘જહાંગીરનૂરજહાં'ના ‘સિકંદરાની પિતૃયાત્રા' પ્રવેશમાંની જહાંગીરની પશ્ચાત્તાપભરી હૃદયસ્પશી` એકાક્તિ અને શાદાનશાહ અકબરશાહ'ના ત્રીજા અંકના પાંચમા પ્રવેશમાંની અકબરની જીવનસ ધ્યાકાળની વિષાદધેરી એકલતાને મૂર્ત કરી આપતી સ્વગતાક્તિ એટલાં તા આના સમર્થનમાં તરત બતાવી શકાય તેમ છે. ખીજા નાટકામાંથી પણ આવી ઘણી કવિની સવાટા બતાવતી સામગ્રી તારવી શકાય તેમ છે. સમકાલીન ધંધાદારી ગુજરાતી રંગભૂમિનાં નાટકાની સંવાદશૈલીએ કવિને સંવાદૃષ્ટાની (અલબત્ત એમની વિશિષ્ટ, કવિની, રીતે) સાધના કરવામાં દૂરની પ્રેરણા તરીકે કામ કર્યુ. હેાવાના સંભવ એટ્ટે નથી. નાટક માટે યેાજાયેલી ડાલનશૈલીના નિર્માણમાં પણ એના પરાક્ષ હિસ્સા થાડા હેાય. ઊર્મિના આરાહુઅવરાહને અને પ્રસંગચિત મને ભાવના સાવેશ ઉચ્ચારણને અનુકૂળ ભાષાભિવ્યક્તિ એ શૈલીથી કવિનાં નાટકામાં મળી છે. સંવાદની આવી ભાષા પાત્રોચિત ન બની શકે એમ કહેવાયુ છે તેમાં તથ્યાંશ છે, પણ પાત્રોના વ્યક્તિત્વ, સંસ્કાર ઇને અનુરૂપ ભાષા એમની પાસે ખેલાવવાના પ્રયાસ કવિએ નાટકામાં કર્યા તા છે. ‘જયા-જયન્ત’માં પારધીની, ‘ઇન્દુકુમાર’– ૩માં આનંદ ભગતની, ‘શાહાનશાહ અકબરશાહ'માં નગરશેઠની, મહારાણા પ્રતાપની ને દર્શાજી આઢાની, ‘ગાપિકા’માં જોબનપગીની અને અજિત અને અજિતા'માં આહીરની ભાષા ઘેાડાક નમૂના લેખે જોવાથી આની ખાતરી થશે, જોકે ખીન પાત્રોની ભાષા ભેગી બધી વખત એ ભળી શકતી નથી. નાટકપ્રતિપાદ્ય ભાવના કે કવિસ દેશ માટે ડાલનશૈલીની વાગ્મિતા આ બધાની સાથે સારી ખપમાં લાગી છે. તાર્કિક લીલા કરતાં પયગંબરી અદાથી વેરાતાં કવિશાઈ ઉચ્ચારણ અને સૂત્ર માટે વિ ન્હાનાલાલના હાથમાં એ અનુકૂળ વાહન બની છે.
-
બધાં નાટકામાં કવિએ છૂટથી પ્રસ ંગેાચિત ભાવેાચિત ગીતા મૂકયાં છે તે નાટકાનાં વાતાવરણુ, ભાષા, પાત્રસૃષ્ટિ, ભાવના એ સર્વની સમગ્રપણે ઊપસતી કાવ્યમયતાને પોષે અને વધારે છે. નાટકામાં પાત્રોના મનાભાવ, કવિની લયભૂત ભાવના, નાટકમાંની વસ્તુગત પરિસ્થિતિ વગેરેને સમજાવી, અજવાળી કે પાષી, કાઈ વાર પાત્રાના હૃદયભાવને કે મંથનને પશ્ચાદ્ભૂમિકા પૂરી પાડીને તા કાઈ વાર તેના પર સૂચિત ભાષ્યરૂપ બનીને, તા કાઈ વાર બનતી ઘટના સાથે
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૬૧સંવાદી સૂર પુરાવીને ઘણી વાર આ ગીતે ગ્રીક નાટકનાં “કેરસ' જેવી કામગીરી પણ બજાવે છે. ઊર્મિકાવ્યની ઉત્તમ સિદ્ધિ ન્હાનાલાલે જેટલી છંદોબદ્ધ કાવ્યોમાં તેટલી જ ગીતમાં દાખવી છે. ગીત પાસેથી એમણે ત્રિવિધ કામગીરી લીધી છે. પિતાના કાવ્યસંગ્રહ અને ગીતસંગ્રહોમાં સ્થાન તે આપ્યું છે જ, તે સાથે કુરક્ષેત્ર અને “હરિસંહિતા' જેવી કથાત્મક કવિતામાં તેમ જ આ બધાં નાટકોમાં એમને યથાસ્થાને મૂકીને એ રચનાઓનેય એકંદરે “લિરિક' એમણે બનાવી છે. ગીતાને નાટકમાં ગોઠવવામાં કવિ થેડીક કલાકારીગરી વાપરે છે. ગાનારને અદશ્ય. રાખી તેના ગીતટહુકારને હવામાં આઘેથી તરત આવતા સંભળાવી, એની સંગીતમય પશ્ચાદ્ભૂમાં પાત્રોના સંવાદ મૂકી, વચ્ચે વચ્ચે સંવાદને એનાથી આંતરીને ઉદિષ્ટ ભાવ કે વાતાવરણને એ ગીતે વડે કવિ જમાવે છે. કેટલાંક નાટકે ગીતથી શરૂ થઈ ગીતની સૂરાવલિ તરતી મૂકીને સમાપ્ત થાય છે. ગીત દ્વારા સમકાલીન રંગભૂમિ પરનાં નાટકોની જેમ પોતાનાં નાટકમાં સંગીતનું તત્વ કવિ લાવ્યા છે, અને એ ગીતાની વિશિષ્ટતા એ છે કે તેમાં ગુજરાતી દેશ્ય સંગીતના સંખ્યાબંધ મનોહર ઢાળની કર્ણમધુર ગેયતા આવી છે તે સાથે કવિના પ્રતિભા-- સ્પર્શથી તે કવિતા પણ રહે છે, જેમ રંગભૂમિનાં ગાયનેમાં બનતું ન હતું.
જયા-જયન્તીને રંગભૂમિને અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરતાં તેના આરંભમાં કલ્યાણ રાગમાં ગાઈ શકાય એવું “પરમ પ્રેમ પરબ્રહ્મ'નું મંગળાચરણ જેવું ગીત અને “ગાવ ગાય ગીત મદનરાજનાં સખિ” અને “ચાલો ચાલે સલૂણી રસકુંજમાં જેવાં રંગભૂમિના બરનાં ઇંગીત કવિએ તેમાં મૂક્યાં છે. અન્યત્ર એવાં નાટકિયાં ગીતો તેમનાં નાટકમાં દેખાતાં નથી.
આવાં કવિતાઈ નાટકે વિશાળ લોકસમુદાય આગળ કવિતાને લઈ જવાનું એક સૌથી વધુ સફળ નીવડે એવું સાધન છે ખરું, પણ તેમાં બધું કામ કવિને જ કરવાનું આવે. પ્રેક્ષકે કે શ્રોતાઓ એમાં સહયોગ કરવા ઓછી આગળ આવે. કવિને માટે જેમ આ ભારે કામ છે, તેવું જ તેના અભ્યાસીઓ કે વિવેચકે માટે પણું અઘરું કામ છે. અભ્યાસીને તેને કવિતા તરીકે તેમ નાટક તરીકે એમ બેઉ રીતે જોવાનું આવે. પણ એને તેઓ કાં તો નાટક તરીકે, કાં તે કવિતા તરીકે, એમ એક સ્વરૂપે જ વધુ તે જોવા પ્રેરાવાના. સર્જક પક્ષે પણ એના સર્જક કવિ તેમ નાટકકાર બેઉની એકસરખી શક્તિ બતાવી શકે એવા ભાગ્યે જ હોય.
ન્હાનાલાલને કવિપણું તો નિઃશંક સિદ્ધ છે, પણ એમનાં નાટકોમાં તે કવિ વિશેષ ' છે, નાટયકાર ઓછી. એમની પાસે નાટયદૃષ્ટિ સમૂળગી હતી જ નહિ એમ કહેવું
એ દુઃસાહસ ઠરે. “ઈન્દુકુમાર’– ૧માં ઇન્દુકુમાર અને કાતિકુમારીના પરસ્પર દર્શન અને દર્શનેત્તર સંવેદનનું તથા કાન્તિકુમારીના હૃદયમાં લગ્ન અને
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ પતિના આદર્શ તથા તેની સામેની એની વાસ્તવિક સંસારી પરિસ્થિતિના સૂચનનું, એમ બેવડું કામ સાધી આપતા પહેલો પ્રવેશ નાટયદષ્ટિ અને નાટ્યકૌશલ વિનાના માણસથી લખી શકાય જ નહિ. એ જ નાટકના ત્રીજ અંકનો સાતમો પ્રવેશ કવિની નાટયદષ્ટિને ખ્યાલ આપી રહે છે. “જયા-જયન્તના પહેલા અંકનો સાતમે અને બીજા અંકને સાતમાં પ્રવેશ સમકાલીન રંગભૂમિનાં નાટકના દરેક અંકની સમાપ્તિના જવનિકાપતન પહેલાંનાં વધુ કાર્ય પૂર્ણ દશ્યોની ટેકનિકને કેમ સફળતાપૂર્વક કવિ ત્યાં અપનાવી શક્યા છે તે બતાવે છે. એ નાટકનું જયા અને જયન્તને પૂર્ણિમાની રાત્રિએ ગંગાના મધ્ય વહેણમાં બે હેડલાંમાં વાતો કરતાં અને “જાહૂનવી જગની ઘૂમે રે' એ ગીતની સૂરાવલી લલકારતાં “અનન્તતાની મહાયાત્રાએ સરતાં દેખાડતું અંતિમ દશ્ય એકલું કાવ્યમય નથી, આજની ચિત્રપટ-કલા જેને કુશળતાથી કસ કાઢે એવું રંગભૂમિ પર દશ્ય તરીકે પ્રેક્ષકોને આનંદાવી જાય તેવું કવિની નાટયદષ્ટિ દેખાડતું દશ્ય છે. જહાંગીરે ધબણને આપેલા ઇન્સાફને પ્રસંગ નાટયપૂર્ણ રીતે રજૂ કરતે “જહાંગીર-નૂરજહાન’ના પહેલા અંકને ક્કો પ્રવેશ, “વિશ્વગીતા'નો “ભરતગોત્રનાં લજજાચીરવાળા પ્રવેશ (અંક ૧, પ્રવેશ ૫) અને “બ્રહ્માંડમંડલને મહારાસવાળે અંતિમ પ્રવેશ: ‘શાહનશાહ અકબરશાહના મધ્યભારતની મહારાણીઓ”, “ચિતોડગઢ, “વૃંદાવનની સંતમંડળી', નવરત્ન દરબાર”, “અરાવલીનાં કેતરોમાં, “હાફીઝગાહ', “મહામૃથ્યા', “એકલવા બાદશાહ’ અને ‘અનન્તની યાત્રાએ' એ પ્રવેશેઃ ગિપિકાને પાંચમો અંક આ અને એવા બીજાં નાટકના પણ કોઈ કઈ પ્રવેશ પ્રત્યે અંગુલિનિર્દેશ કરી એ અવશ્ય સિદ્ધ કરી શકાય તેમ છે કે ન્હાનાલાલ પાસે નાયદષ્ટિ પણ ગણનાપાત્ર પ્રમાણમાં હતી. પરંતુ એ છૂટક પ્રવેશમાં દેખાય છે તેવી નાટકનાં સમગ્ર વસ્તુસંવિધાનમાં કળાતી નથી. ન્હાનાલાલ જેમ મહાકાવ્યના કવિતepic poet)ની પ્રતિભાના ચમકારા “કુરુક્ષેત્ર” ને “હરિસિંહતા'માં દેખાડે છે, પણ સમગ્રતયાં તેમને તેવા કવિ કહેવામાં સંકોચ થાય છે, તેમ એમના નાટય સર્જન પરત્વે પણ કહી શકાય તેમ છે કે તેમની પાસે છૂટક પ્રવેશામાં પ્રકાશે છે તેવી નાટ્યદષ્ટિ છે ખરી, છતાં એકંદરે તેમને સમર્થ નાટકકાર તરીકે પ્રશંસી શકાય તેવું નથી. એનું પ્રધાન કારણ એ જ કે તેમનાં નાટકોમાં પણ નાટકકાર તરીકેના અંશ કરતાં તેમનો કવિ-અંશ વધુ આગળ પડતા હોય છે.
આમ છતાં, ગુજરાતની અભિનયકલા અને ધંધાદારી તેમ અવૈતનિક રંગભૂમિ જો વિશેષ પ્રાણવાન, ગતિશીલ, સાહસિક, અને સાહિત્યદષ્ટિમંત હેત તે કવિને જ કથે એમનાં નાટકને શ્રાવ્ય કવિતા માની લેવાયાં છે તેને બદલે તેમનામાંથી યોગ્ય જણાય તેવાં કેટલાંકને રંગભૂમિ ઉપર ઉતારવાના પ્રયોગ તેણે ભલે અજમાયશ
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
1 ૬૩ દાખલ પણ ઠીક સંખ્યામાં કર્યા હોત. પશ્ચિમમાં રૂપકાત્મક ને કાવ્યાત્મક નાટક તો ખરાં, પણ હાડીએ પોતે જેને મને રંગ પરની ભજવણી (mental performance)ને જ લાયક કહ્યું હતું તે Dynasts પણ, ભજવણીનાં સાહસ નેતરી શક્યાં છે. બંગાળમાં રવીન્દ્રનાથનાં કેટલાંય નાટક (‘ચિત્રાંગદા', “પૂજારિણું',
અચલાયતને, “ડાકઘર', “રક્ત કરબી' જેવાં) શાંતિનિકેતનમાં તેમ અન્યત્ર રંગભૂમિપ્રવેગ પામ્યાં છે. નેહાનાલાલનાં નાટકોને નિર્ણય બાંધવા જેવી રંગભૂમિપ્રયાગની ચકાસણી ઝાઝી મળી નથી. અભિનેતા કે તખ્તાલાયકીને નાટકનું તેને અન્ય કથાત્મક સાહિત્યપ્રકારોથી જુદું પાડતું વ્યાવર્તક લક્ષણ માનવામાં આવે છે એ ખરું છે, પણ રંગભૂમિને સ્થૂળ સ્પર્શ જેને પિગળાવી નાખે યા વિકત કરી બેસે એવી નાજુક નાટયકૃતિઓ તેમ જ રંગભૂમિનું ચોકઠું જેને સાંકડું પડે એવી વિશાળફલકા નાટયકૃતિઓ પણ સંભવી શકે છે, જેને વાગ્યુ કે શ્રાવ્ય નાટક એ નામને વર્ગ પાડી શકાય. બૅરેટ એચ. કલાર્કે કહ્યું છે ૧૮ તેમ દુનિયાની મોટી નાટયકૃતિઓમાંની ઘણી ખરી “માનસી રંગભૂમિ-પ્રયોગને જ પાત્ર હોય છે. એના વાચન વેળા સહૃદય પિતાના મનની રંગભૂમિ પર ભજવાતી એને કલ્પનાથી જેતે જ હોય છે. નેહાનાલાલનાં નાટકે વાંચતાં કે આસ્વાદતાં સહૃદયે આમ જ વિશેષ કરવું પડે એવી સ્થિતિ છે.
કવિસંદેશ પણ ભાવક સહૃદય મનની કે કલ્પનાની આંખે જોવાનું બનશે તેના કરતાં પાત્રોને મુખે તેમના સર્જકને સાંભળવાનું વિશેષ બનવાનું. નાટકને કવિસંદેશને પ્રસારણનાં વાહન કવિએ બનાવ્યાં છે તે આને માટે જવાબદાર છે. એ કવિસંદેશ પ્રધાનપણે સ્નેહ, સેવા, સમન્વય, સંયમ અને શ્રદ્ધાને છે. રસના, સૌંદર્યના, આનંદના, તેથી વસંતના અને જીવનની વસંતના રસરૂપ સ્નેહનું ગાણું ગાતાં કદી ને થાકતા જણાતા ન્હાનાલાલે પોતાનાં ઊર્મિકાવ્યમાં અને ‘વસંતોત્સવમાં કર્યું છે તેવું સ્નેહગાન એકથી વધુ નાટકે (દા. ત. “ઈન્દુકુમાર', “જયાજયન્ત', પ્રેમકુંજ', “ગાપિકા', “જગપેરણું, “અજિત અને અજિતા')માં કર્યું છે. “વસંતત્સવ'માં તેમણે સ્નેહલગ્નની ભાવના પુરસ્કારી છે તેને “ઈન્દુકુમાર'માં એક પગથિયું ઊંચે ચઢાવી સ્નેહના જ પાયા પર રચાતા લગ્નનો અને લગ્નસ્નેહને મહિમા કવિએ કર્યો છે વિધાયક રીતે યશ અને ભટરાજના સ્નેહાળ દાંપત્યના નાટયલેખનથી, કાન્તિકુમારીના મુખેથી પહેલા અંકના પહેલા અને સાતમા પ્રવેશમાં ઉચ્ચારાતા પતિ અને પત્નીના આદર્શથી, અને એવા સ્નેહલગ્ન અને લગ્નનેહની અભિલાષિણે કાન્તિકુમારીને એ સુખથી વંચિત રાખીને વાચકને તેની અને ઇન્દુકુમાર પ્રત્યે ઉત્કટ સહાનુભૂતિ જગાવીને. જયદેવ અને જેગણ
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ જેવાં વત્સલ સાધુજનના મુખેથી પણ સ્નેહ અને લગ્નવિષયક ભાવનાભર્યા ઉદ્ગાર કવિએ એમાં કઢાવ્યા છે. વરને નહિ પણ ઘરને ધ્યાનમાં રાખીને વડીલે દ્વારા
જાતાં રૂઢિલગ્નની સામેના પુણ્યપ્રકેપનાં તેમ વેદનાભર્યા કાન્તિકુમારીનાં વચને દ્વારા પણ કવિએ એ જ ઉદ્દેશ સાધ્યો છે. રિસકલામાં ધર્મ કલા” ગૂંથવાને નેપાળી જોગણને સંકલ્પ તેના સર્જક ન્હાનાલાલને જ હાઈ લગ્નબાહ્ય પ્રેમને દેહવાસના કે કામ કહી તેને નિકૃષ્ટ ગણવાનું કવિ પ્રમદા, વિલાસ વગેરે જેવાં પાત્રોના આલેખન દ્વારા જેમ “ઈન્દુકુમાર'માં કરે છે, તેમ ‘જયા-જયન્ત’નાં નૃત્યદાસી, વાભાચાર્ય, પારધી, તીર્થગર જેવાં પાત્રોનાં વાણીવર્તન દ્વારા કરે છે. એ જ આશયથી સ્નેહની વિશુદ્ધતમ ભૂમિકા કવિ કામ વિનાના પ્રેમની, હૃદય-પ્રેમની, આત્મલગ્નની કલ્પે છે અને તેને જયા અને જયન્તનાં પાત્રો દ્વારા મૂર્ત કરે છે. એ ભૂમિકા વિરલ અધિકારીઓથી જ સિદ્ધ થઈ શકે તેવી હેવાનું સ્વીકારી કવિ એ જયા અને જયન્તને પોતે ન ગાયાં તે સંસારનાં બ્રહ્મસંગીત' આવતી કાલનાં સીતાઓ અને રામચંદ્રોને શીખવવા આશ્રમો સ્થાપતાં બતાવી મહિમા તે નેહલગ્ન અને લગ્નસ્નેહને જ કરે છે. એવું બીજાં નાટકોમાં પણ તેઓ કરે છે. “પ્રેમકુંજ'માં રતન-વીરેન્દ્રનું, અને સોહાગ અને રાજકુમારનું, એમ સ્નેહલગ્નનાં બે યુગલે, તેમ “ગોપિકા'માં રાજયુવરાજ અને ગોપિકાનું અને આશાપર્વતરાજનું એમ બે એવાં જ યુગલે તેઓ રચી આપે છે. “જગપ્રેરણામાં પરાક્રમ-જ્યોતિકાનું જોડું અને “અમરવેલમાં પુષ્પહાર-વિભૂતિ તથા વડલાશભલીનાં સ્નેહયુગલની છાયામાં રચાતાં ચૈતન્ય-અમરવેલ તથા યુગન્ધર-લાવણ્યનાં નવા જેડાં પણ કવિની પ્રિય સ્નેહલગ્ન-ભાવનાની જ બુલંદ જાહેરાત કરી રહે છે.
આ એમનાં કરિપત વસ્તુનાં નાટકમાં. અતિહાસિક નાટકમાં “રાજર્ષિ ભરત'માં ભરતદેવ અને વસુંધરાનું સ્નેહલગ્ન પોતે યોજે છે તેમાં કલ્પના ચલાવી ભલે હોય, “જહાંગીર-નૂરજહાન'માં તે તેમને પોતાની પ્રિય ભાવનાની રજૂઆત માટે એના નાયક-નાયિકાનાં સાચાં પાત્રોની સ્નેહકથા બેઠી મળી ગઈ છે. જહાંગીરની મહેરુન્નિસા માટેની ઝંખના, એણે કરેલે એને અનુનય, પછી થયેલ એમનું લગ્ન અને ત્યાર બાદ એમને લગ્નનેહ કવિએ ઉમંગથી એ નાટકમાં પિતાની રીતે નિરૂપ્યાં છે. “શાહનશાહ અકબરશાહ'માં પણ અકબરના પ્રૌઢાવસ્થાના મધુર દાંપત્યની ઝલક શહેનશાહબાનુ સલમા બેગમના પાત્રને રંગભૂમિ પર લાવી એક પ્રવેશમાં બતાવ્યા વિના કવિ રહ્યા નથી. “વિશ્વગીતા' જેવા પૌરાણિક વસ્તુને વિષય કરતા નાટકમાં પણ દાંપત્યવિચછેદથી કવિ કેટલા કકળી ઉઠે છે તે પંચવટીને પુણ્યતીથે, “તપસ્વીને શાપ” અને દાંપત્યપ્રતિષ્ઠા' જેવા પ્રવેશે દેખાડી આપે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
[ ૬૫
પ્ર. ૨]
ન્હાનાલાલ ( નાટકનાં આછીપાતળા વસ્તુસંવિધાનમાં પણ આવું ગઠવતા કવિ પાત્રના એતવિષયક સાધકબાધક જે ઉગારો કઢાવે છે તેમાંના ઘણું હોંસથી ઢંકાય, ઉતારાય, લલકારાય એવા હોય છે અને કવિની એ પ્રિય ભાવના કે કવિસંદેશને સમજાવવા-વધાવવામાં એને ઉપયોગ અભ્યાસીઓ કરતા રહ્યા છે. એ ઉગારે ઘણુ વાર એક જ વક્તવ્યનાં રૂપાળાં શબ્દાન્તર હાઈ પુનઃ પુનઃ કથનના આપને પાત્ર બનતા હોય છે, પણ તે એટલું જ દર્શાવે છે કે જીવનને – સંસારને જીવ્યું મીઠું લાગે એવું સ્વર્ગ બનાવવા માટે નરનારીના સ્નેહપૂર્ણ સહયોગ, હૃદયગ, લગ્નગને કેટલે અનિવાર્ય રીતે આવશ્યક માનતા હતા. આવી પુનરુક્તિ કવિનાં કલ્પિત નાટકનાં વસ્તુમાં પણ તરત દેખાઈ આવે છે તે ઉપર જોયું. “પ્રેમકુંજ'માં સ્નેહનાં દ્રતિયાં વીરેન્દ્ર અને રતન જોડાય છે, પણ રસેશ જોગી જે એકલવિહારી રહે છે. ગાપિકા'માં વજાંગ ગોપિકાને મેળવી ન શક્તાં ખાખચોકનો યુવરાજ' એટલે એકલપંથી જેગી રહે છે. સ્નેહ લગ્નપરિણામી ન બનતાં ઇન્દુકુમાર-કાન્તિકુમારીને તેમ જયા-જયન્તને પણ કવિ જેગ લેવડાવે છે. “ગોપિકા'માં વીજળી સાવકુંજની અસરે જોગણ બને છે અને “જગરણમાં પરાક્રમની વિધવા બહેન મેઘમાળા પણ તેની માફક “સંસારની જોગણેને” મઠ માંડે છે. “સ્નેહનું તપ” તપાવવાનું પોતાનાં નેહવ્રતિયાં પાત્રોના ભાગ્યમાં કવિ મૂકતા જ રહ્યા છે એ પણ જેમની જોડી અને લગ્નથી સંધાય-રચાય છે તેવાં પાત્રોના અમુક કાળના વિયોગના આલેખનથી જણાય છે, અને નથી સંધાતી કે રચાતી તેમના આવા ઊધ્ધ કરણથી, તેમના જેગ અને ત્યાર બાદના સેવાજીવનથી, જણાય છે. “જોગ વિના પ્રેમ ન સોહે” (“પ્રેમકુંજ') એ પણ કવિની સ્નેહભાવનાનું જાણે કે અનુ-સૂત્ર રહ્યું છે. સ્નેહગ જેમને સંગ અને લગ્નમાં પરિણમે નહિ એવી પરિસ્થિતિ પણ કવિ કહે છે. “અજિત અને અજિતા'માં અજિતાના આકસ્મિક મૃત્યુ બાદ અજિત પણ દેહ છેડી દે અને બેઉના જીવાત્મા પરલોકે સાથે પ્રયાણ કરે એમ યોજનાર કવિએ “ઓજ અને અગર” એ કાવ્યમાં અગરને સંસારલગ્નને અને કસુવાવડને ભોગ બનાવી મૃત્યુ પામતી બતાવ્યા પછી ઓજને જગ લેતે દર્શાવ્યો છે. હૃદયમાંના સ્નેહની જીવનમાં ધૂળ અસિદ્ધિની પરિસ્થિતિમાં પાત્રોને સ્થળ વિવેગમાં ઝૂરતાં ને વિલપતાં દેખાડવાને બદલે અંતરમાં અખંડ સ્નેહગી રાખી બહારથી જંગી અને લેકસેવક બનાવવાનું કવિને વિશેષ રુચ્યું છે. ઈન્દુકુમાર, નેપાળી જોગણ, કાન્તિકુમારી જયા, જયન્ત, મેઘ અને શરદ (“એજ અને અગર'), વજાંગ, (‘ગાપિકા'), જેગી ને પરમેશ્વરી (અજિત અને અજિતા'), વીજળી (ગોપિકા'),
ગુ. સા. ૫
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [4. ૪ જેમને “જીવનદીર્ધ બ્રહ્મચર્યની અવધે “સ્નેહનાં હવાર' ઊગે છે એ “પ્રેમનાં ભીષ્મવતિયાં પ્રેમદાસજી અને તારિણીમૈયા (‘પુણ્યકંથા),– આ બધાં પાનું આલેખન એ બતાવે છે. “સ્નેહ પાઈને જ કફની ઓઢાડવી | વિધાતા ! એ શા. હારા સંકેત ?” એ શબ્દ ન્હાનાલાલનાં નાટકનાં આવાં પાત્ર પિતાને વિધાતા હાનાલાલને સંભળાવી શકે એમ છે. આવાં ગી-જોગણેય જે સેવાગ આદરે છે તેય સંસારીઓને સ્નેહલગ્ન અને લગ્નસ્નેહમાં પરિણમે એવી વિશુદ્ધ સ્નેહપાસના કુમાર-કુમારીઓને શીખવવાને. ન્હાનાલાલનાં આ જગી કે સાધુ પાત્રો “સરસ્વતીચંદ્રના યદુગવાસી સાધુસાધ્વીઓને જેવાં અર્વાચીન એટલે નવા યુગનાં સાધુજન હોય છે. એ સાધુસાધ્વીઓએ પણ મધુરી અને નવીનચંદ્રની પ્રણયકથામાં સક્રિય રસ લીધેલ ને ? કવિનાં કાલ્પનિક વસ્તુવાળાં એમની નેહ-લગ્ન-ભાવનાને અનુલક્ષતાં નાટકમાંનું, નામફેરે ને સંદર્ભ ફેરે પણ પુનરાવૃત્ત થતું આવું વસ્તુઘટક (motir), “ઇન્દુકુમાર', “પ્રેમકુંજ' તથા ગાપિકા અને બીજા પણ એકબે નાટકમાં નાયકોને અન્ય નામે થતા ગુપ્તવાસ અને એમના પૂર્વજીવનના ખરા નામ સાથે અને કરાવાતું એમનું અભિજ્ઞાન અને પ્રેમકુંજ' તથા ગોપિકા'માં રાજપુવરાજ ગ્રામકન્યા સાથે સ્નેહલગ્ન જેડાય એવું આયોજન બીજી રીતે જોતાં કવિની સર્જક કલ્પનાની વસ્તુ પરના પુનરાવર્તનમાં સરી પડતા મર્યાદિતપણાને પ્રગટ કરે છે.
સ્નેહની સાથે સેવાને કવિ કેવી રીતે, પ્રેમની સાથે ભેખને જોડીને, સાંકળે છે તે એમનાં ઉપર ઉલેખ્યાં તેવાં નાટકે બતાવે છે. “સ્નેહની પૂજ્ય ભાવનાની ઉદયકલાનાં દર્શને જાગતી ઊર્મિ......વસ્તુતઃ મહાકર્તવ્યની અર્ધ ફુટ પ્રેરણા છે૧૮ તેમ જ “સ્નેહ જ છે સત્કર્મની પ્રેરણુ” એમ માનતા કવિએ ઇન્દુકુમારને કાન્તિકુમારીના દર્શને “સંસાર ને સંસારીની સેવા” ને “વિશ્વોદ્ધારની કે અફટ વાંછાને ઉદ્ગારતા તથા જયન્તને પ્રથમ “તું હારું ધનુષ્ય / હું હારું બાણ કહી અને પાછળથી “આપણે ન ગાયાં તે “સંસારનાં બ્રહ્મસંગીત જગતમાં લહેરાવવા પિતે પતિઓની કામઠી ઘડે તેમાં પત્નીઓની વણું ઘડીને એ સેવાસહયોગ માટે જયાને નિમંત્ર નિરૂપી સ્નેહયોગ પછી કે તે સાથે સેવાયેગનું પુરસ્કરણ કર્યું છે. કાન્તિની હૃદયસ્થ પ્રિય મૂર્તિને આત્મસમર્પણ કરતા ઇન્દુકુમારને નેપાળી ગણુ ટપારીને આત્માએ દીધેલા કેલ, જુદાં જુદાં ઋણ અદા કરવાનું કર્તવ્ય કેમ સંભારી આપે છે તેમ જ, “પ્રેમકુંજમાં લોકસંગ્રહ’ શબ્દ એકથી વધુ વખત કવિ પ્રેમતિયાં પાત્રોના મુખે કેમ ઉચ્ચારાવે છે તેનું રહસ્ય આથી સમજાશે. “જગત, સુણ, જે, પુકારે છે | શું આવે છે? ઉગારે છે એ રાજર્ષિ ભરતીમાં મુકાયેલા ગીતમાં પણ લોકસેવાના ભેખધારીને આદુવાન,
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૬૭
ઉદ્બોધન તેમ આવાહન છે. કવિનાં ઇન્દુકુમાર, કાન્તિ, યશદંપતી, જયદેવ, નેપાળી જોગણુ, જયા, જયન્ત, પ્રેમકુંજ' અને ‘ગાપિકા'ના રાજકુમારા અને વજ્રાંગ, આનંદ ભગત, ‘પુણ્યકથા’નાં સાધુસાધ્વીએ તથા અગ્નિરાજ, વીજળી, મેઘમાળા, જોગી, પરમેશ્વરી, એમ અનેક પાત્રા પાતપેાતાની રીતે સેવાપ્રવૃત્તિ આદરતાં આલેખાયાં છે. ઇન્દુકુમાર અને નેપાળી જોગણુને તે જગતયાત્રા કરી ‘વિશ્વનાં વાણી' વતનમાં વાવવાના અભિલાષ છે. જોગણુ પેાતાના વૈધવ્યને નહિ પણ રડે છે એ વાતને કે પતિના સંગાથ હેાત તેા ભારતને એકને બદલે, સન્તજી ! ખે પાંખ ઉપર અમે ઉડાવત'. દેશસેવા કે જનસેવાની આ ભાવના કવિના હૈયામાં રાપનારમાં ગાવર્ધનરામનાં 'સરસ્વતીચંદ્ર' તેમ 'સ્નેહમુદ્રા' હશે, કવિના ઉછેરઅભ્યાસકાળની દેશની નવજાગૃતિએ જગાડેલી દેશભક્તિ હશે, તેમ સ્વામી વિકાનંદ જેવા નવયુગના દેશભક્ત સન્યાસી પણ આઘેથી અવશ્ય હેાવા જોઈએ.
નાટકા દ્વારા પુરસ્કૃત કરેલી ત્રીજી કવિની પ્રિય ભાવના સમન્વયની છે. કવિને ઉદાર સમન્વયદશી કે સમન્વયવાદી બનાવ્યા છે એમના ઇતિહાસના અભ્યાસે તથા જનકલ્યાણ અને જગકલ્યાણની શુભ વાસનાએ. ઘણી બાબતામાં પૂર્વ અને પશ્ચિમનેા, ક્લાસિસિઝમ અને રામાન્ટિસિઝમના, રસ અને ધર્મના, સ્નેહ અને સેવાના સમન્વય પોતાના મનેાબંધારણ તથા જીવનદર્શનમાં દેખાડતા કવિએ રાજસૂત્રેાની ત્રિપુટી'ની ત્રણ રચનામાં રાજા અને પ્રજાના સ્નેહસહયાગની શીખ ઉભયને આપી હતી. નાટકામાં પ્રેમકુંજ' અને ‘ગાપિકા’માં નગરસંસ્કૃતિ અને જનપદીય સંસ્કારના, તેમની ભાષામાં સંસ્કૃતિ અને પ્રકૃતિના, ‘ઇન્દુકુમાર’-અંક ૨માં સંસ્કૃતિના સમન્વયની ભાવના રજૂ કરતા અને ‘ઇન્દુકુમાર’–અંક ૩માં રાજ્યા, પ્રજાએ, દેશા અને યુગાની સ`સ્કૃતિને સ્થાને એક માનવસ ંસ્કૃતિની વાત કરતા કવિ વિશ્વકલ્યાણ અર્થે 'વિશ્વગીતા' તથા શાહાનશાહ અકબરશાહ'માં સર્વ ધર્મ સમન્વયની ભાવનાને કેવા ઉત્સાહથી પુરસ્કાર-ઉદ્ઘાષે છે તે જોવા જેવું છે. અકબરને તા એના પરના નાટકમાં “સુલહ-યે-કુલ્લ ! સ સમન્વય ! સ કલ્યાણુ !' એ મંત્ર કે સૂત્રના ઉદ્ગાતા અને તે ભાવનાના પ્રતિનિધિ કવિએ બનાવી દીધેા છે. ન્હાનાલાલની વિશાળી વૈષ્ણવતા', વિશાળતા અને હૃદયવૃત્તિની ઉદારતા એમણે પચાવી આત્મસાત્ કરેલ ભારતીય ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિનાં પાયારૂપ સર્વ શુભ તત્ત્વોને, એમની ‘આયંતા'ને આભારી છે. એક આંખે નહિ, બેઉ આંખે જોવા પ્રમાધનાર ગાવ નરામને પણ એ આભારી ખરી.
એ આતાએ કવિને શુભ્ર ભાવનાના એટલે વિશુદ્ધિના, નીતિ, શીલ, સદાચાર, ધર્મ, વૈરાગ્ય ને સંયમના નિત્યના હિમાયતી અને પ્રચારક બનાવ્યાનું
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૯ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ગ્ર'. ૪
એમની કવિતા દેખાડતી હતી તેમ એમનાં નાટકા પણ દેખાડે છે. વસ ંતાત્સવ આંબામ્હારના ઉત્સવ છે, મહુડાંમહોરને નહિ' એમ કહેતા કવિની નીતિભાવના જેટલી ઉત્કટ છે એટલી જ ઉત્કટ શાબ્દિક અભિવ્યક્તિ તે એમનાં નાટકામાં પામી છે. વિલાસ ને સ્વૈરાચાર સામે શીલ સયમ ને સદાચારની વાત ‘જયાજયન્ત'માંના નૃત્યદાસી અને જયા વચ્ચેના બે વારના, ‘ઇન્દુકુમાર’-૩ના છઠ્ઠા પ્રવેશમાંના પ્રમદા અને કાન્તિ વચ્ચેના, અને શાહાનશાહ અકબરશાહ'માં એક વાર ફકીર બાદશાહ સાથેના અને એક વાર અનારકલી સાથેના અકમ્મરના સંવાદમાં કવિએ તીવ્રતાથી મૂકી છે. નૃત્યદાસી, વિલાસ, રૂપરાજ જેવાં પાત્રોને વિલાસી જીવનમાંથી પસાર કરાવી પછી તેમને પશ્ચાત્તાપ સાથે નીતિને માગે વાળવાનું કવિએ ચેાજ્યું છે. નાટકામાંનાં પૂજનીય પાત્રોને તથા નાયકનાયિકાને તા તેમણે વિશુદ્ધિનાં આગ્રહી બનાવ્યાં જ છે. જયા-જયન્ત'માંના કામવિજયના એ સાંકૃતિક પ્રવેશમાં અને વિશ્વગીતા'માંના શુકદેવ આગળ રંભાના પરાજયના પ્રવેશમાં કવિ ખીલ્યા જણાતા હાય તા તેનું કારણ આ જ છે. શુભ્ર ભાવનાની આ ભક્તિથી જ પ્રેરાઈને કવિએ ‘ઇન્દુકુમાર’-૧માં કરેલી ભારતપ્રશસ્તિમાં એના રક્તરંગી નહિ એવા દૈવી વિજયટંકારને, જગતના મહાધર્મ”ના એના ધાત્રીત્વને, એની ધર્માદ્વારકાની પર’પરા’ને, એના અધ્યાત્મખંડવ’ને આગળ કર્યા છે. જેમ ગિરનારને ચરણે' કાવ્યમાં શાકને, તેમ શાહાનશાહ અકબરશાહમાં અકબરને અને શ્રી હર્ષદેવ'માં ને કવિ પ્રશંસાઅધ્ય અપે છે તે એ રાજવીઓના ધર્માનુરાગને જ લક્ષમાં રાખીને, ‘જયા-જયન્તમાં લગ્ન યાચતા જયન્તને પ્રથમ દિલમાંના દૈત્યાને જીતવાનું કહેતી જયાના શબ્દોથી, છતી તેમ જિતાડ જગતને' એ જયન્તના શબ્દોથી, નાટકમાં દેખાડેલી બંનેની એવી વિકાસભૂમિકાથી અને બંનેનાં નામમાં ઇન્દ્રિયજય સૂચિત દેખાડીને તથા તેમના પડછામાં નૃત્યદાસી, વામીએ, પારધી, તીથંગાર જેવાં પાત્રો ગેાઠવીને કવિએ વાસનાજય, શીલ, તપ વગેરેના કેવા મહિમા કર્યો છે એ પ્રસિદ્ધ છે.
ન્હાનાલાલની આવી ધાર્મિકતા જ એમની પાસે પ્રેય કરતાં શ્રેય ઉપર વધુ ભાર મુકાવે છે. ‘સુખ તે જ કલ્યાણ નથી સદા' એમ એ બે વચ્ચેના ભેદ તે નાટકામાં બતાવતા રહે છે. ‘જગત ઊંચું ચઢે છે કે નીચુ ?” એ દેવિર્ષના જ પ્રશ્ન નથી, ન્હાનાલાલનેા પણ પ્રશ્ન છે. જયા-જયન્ત'ની નાયિકા રાજકુમારી જયાને વીસની ઉંમરે જિં દગી એટલે શ્રેય કે પ્રેય ?' એ પ્રશ્ન આલાયતી કવિ બતાવે છે અને એના મુખેથી પેાતાને અભિપ્રેત ઉત્તર ઉચ્ચારાવે છે કે ‘સાધુજનાને તા શ્રેય તે જ પ્રેય / અને પ્રેય તે જ શ્રેય’. / ‘કાલાધિના તરંગ ઉપર જિંદગી એટલે કલ્યાણયાત્રા' એમાં કવિને લગારે સંદેહ નથી. ભૂત ભવિષ્ય અને વર્તમાનનું
Page #78
--------------------------------------------------------------------------
________________
[૬૯
પ્ર. ૨]
ન્હાનાલાલ કાર્ય તેમની પાસે બેલાવી દેવર્ષિ “જયા-જયન્ત’માં તેના પરના પિતાના ભાષ્યમાં જગત એટલે ઉન્નતિક્રમ” એમ તારવી જાટોડક્ષ્મિ સ્ત્રોવાયuએ ગીતાના ભગવદ્વાક્યને સુધારે છેઃ કાઢોસ્મિ જોન્નતિzવૃદ્ધઃ ત્યાં તેમ જ નાટકને અંતે મૂકેલા “જાનવી જગની ઘૂમે રે' ગીતમાંના ‘તારશે માનવ જાત રે' એ શબ્દમાં જગતલીલામાં પરમાત્માને શુભ મંગલ હતુ જેનારી કવિની આશાવાદી ધર્મશ્રદ્ધા જ જવાશે. “હડા ઉન્નત ને ઉન્નત, દેવસંતાનો / બ્રહ્મસિંહાસનના પાયા સુધી એ પ્રેરક ઉદબોધન એ શ્રદ્ધાએ જ કવિ પાસે એ નાટકમાં ઉચ્ચારાવ્યું છે અને તેને નાયક અને નાયિકાનાં પાત્રો દ્વારા ચરિતાર્થ પણ કરાવ્યું છે. વિશ્વગીતા'માં કવિએ દુઃખ, પાપ અને અંધકારના મહાપ્રશ્ન છેડી આજનાં ‘નારાયણસૂનાં લક્ષ્મી મંદિરોની, સિદ્ધિઓની સંયમવિહેણ જગસંપત્તિની “આજનું જગત ચાર છે દેવદ્રવ્યનું' –એની, અને આજની લગ્ન રચ્છેદક વિલાસપૂજક નવ્ય નીતિ(new morality)ની વર્તમાન જગતના મહારોગ લેખે કડક ટીકા કરી છે. તે સાથે તેમણે એ બતાવ્યું છે કે આમ છતાં તેની સામે શુભનાં, પુણ્યનાં, જગતકલ્યાણક તો પણ કામ કરતાં રહ્યાં છે. જગતમાં રાવણ, દુર્વાસાએ, કંસે, દુર્યોધન અને રંભા છે, તે સામે કૃષ્ણ, સિદ્ધો, શુકદેવો ને એની જમાતના જોગીઓ – દિવ્ય તૃષાતુર વિહંગરાજે પણ પ્રગટતા રહ્યા છે. જગતમાં અંધકાર છે તે તેને હઠાવવા મથતા પયગંબર પણ પાતા રહ્યા છે. જગતમાં ક્રૌંચને વીંધનાર પારધીના કૃત્યમાંથી “રામાયણ” સર્જાવાનું, અશુભમાંથી પણ શુભ સધાવાનું, પરમાત્માની વિશ્વલીલામાં અંતહિત છે. “ફૂલડાં ને કાંટા સર્વ હરિનાંઃ
હાં કોના રાગ-વિરાગ' ('ઈન્દુકુમાર'-૩, પ્ર. ૪) એવું સચદમન એ કૃષ્ણવાક્યમાં શ્રદ્ધા રાખતું આ કવિનું દર્શન છે. આ જ જગતમાં પેલા બુદ્ધ મહાવીર ખ્રિસ્ત આદિ તેમ જ જયદેવ, નરસિંહ, મીરાં, સુરદાસ આદિએ જન્મી પુરુષ અને પ્રકૃતિના બ્રહ્મરાસમાં તાલ, સંગીત અને નૃત્ય પૂર્યા છે એમ બતાવતા “વિશ્વગીતા'ના અંતિમ પ્રવેશમાં ભક્ત અને રસર્ષિ કવિની દૃષ્ટિ પ્રવર્તેલી સ્પષ્ટ જણાય,
ન્હાનાલાલના આપવર્યા “પ્રેમ-ભક્તિકવિનામને એમની કવિતાની માફક એમનાં નાટકે પણ આમ સાથે ઠરાવે છે. કેટલાક વિશિષ્ટ પ્રગ
કવિનાં નાટકે આમ તે બધાં એક જ ઢાળાનાં છે અને ઉપર જણાવ્યાં તે લક્ષણે સૌમાં સમાન છે. પણ એમાં “પ્રેમકુંજ' (૧૯૨૨) એક મોટા નાટયાભાસી રૂપકાત્મક ઊર્મિકાવ્ય જેવું બન્યું છે: જહાંગીર અને અકબર પરનાં નાટકે એ બેઉ મુગલ બાદશાહના જીવનના મહત્વના પ્રસંગોને રજૂ કરતાં હાઈ વધુ વસ્તુપ્રધાન
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ અને ફારસી શબ્દો, રાજદરબારી રીતરસમો તથા કેટલીક ઐતિહાસિક વિગતોના વિનિયેગથી મુગલ રાજદરબાર અને વાતાવરણને રજૂ કરવામાં વધુ સફળ રચનાઓ બન્યાં છે અને જગપ્રેરણ” તથા “અજિત અને અજિતા' અનુક્રમે ગિરનાર અને આબુ પરનાં ચંદ્રવદન મહેતા લખે એવાં રેડિયે-રૂપકે જેવાં બન્યાં છે. જયા-જયન્ત” એમાં એ રીતે સહેજ નેખું તરી આવે છે કે તેમાં એના સર્જકે એને રંગભૂમિગ્ય બનાવવા ઠીક કોશિશ કરેલી વરતાય છે. “સરસ્વતીચંદ્ર' નવલકથાના બનાવાયેલા નાટક અંગેની તકરારમાં પંચ નિમાયેલા સન્મિત્ર ત્રિભુવનદાસ ગજજરની “એક દશ્ય નાટક રચવાની સૂચના'એ કવિને એમ કરવા પ્રેર્યા હતા. પ્રથમ પ્રવેશમાં દેવર્ષિના ગીત અને ઉગારોથી સધાતું નાટકને મંગળાચરણ તથા વસ્તુનિદેશક પ્રસ્તાવનાનું કાર્ય, રંગભૂમિ પર તે જમાનામાં ગવાતા ગરબા જેવાં સખીઓનાં સમૂહગીતો, કાશીરાજ-શેવતીના સંવનનનું તે વખતનાં નાટકમાં નિરૂપાતી શંગારચેષ્ટાઓની અને શંગારગીતની વાનગી ચખાડતું દશ્ય, પહેલા બે અંકના અંતિમ પ્રવેશેમાં રંગભૂમિનાં નાટકોના તેવા પ્રવેશની ધડાકિયા બનાવે જેવા બનાવો અને કાર્ય, વામીઓના મંદિરના ઉત્સવનું દશ્ય, કેટલાક ચમત્કારિક લાગે એવા બનાવો ને અભુત દેખાવ રજૂ કરે એવાં ત્રિકાળદર્શન જેવાં દો, કાશીરાજના રાજદરબારને પ્રવેશ, આંતરબાહ્ય નાટયસંઘર્ષનું કવિનાં અન્ય નાટકમાં બહુ ન દેખાતું તત્વ, સંઘર્ષને પ્રગટ કરે તેવા આવેશયુક્ત સંવાદ, વેશ, વાણુ ને વર્તનમાં ઠીકઠીક વૈવિધ્ય રજૂ કરતી રાજાઓ, રાણી, રાજકુમારી, ઋષિ, વામીઓ, પારધી, તીર્થગોર, અસરાઓ, બ્રહ્મચારીઓ જેવી પાત્રમ્ – આ બધું કવિએ એ નાટકને દશ્ય નાટક બનાવવાની રાખેલી નેમ છતી કરી આપે છે. ન્હાનાલાલ એમ કરવા માટે પિતાના કવિ-બેસણથી નીચે ઉતર્યા કહેવા કરતાં એમને જેવા સર્જકના સ્પર્શથી એમની સમકાલીન રંગભૂમિને એની બધી પ્રેક્ષકરંજક સામગ્રી સાથે શિષ્ટ સાહિત્યિક નાટક ભજવવાનું સાહસ કરી જેવા મળ્યું એમ કહેવું વધુ ઉચિત ઠરે તેમ છે– જોકે એ સાહસ એણે કરી જોયું નથી. નિબંધ કામવૃત્તિ, માબાપ જાતાં રૂઢિલગ્ન, સ્નેહલગ્ન, કામ વિનાનું પ્રેમાત – માનવીના વિજાતીય આકર્ષણની ધૂલથી માંડી સૂક્ષ્મ અને ઉચ્ચ એવી ચારે ભૂમિકાને પાછી એ નાટકમાં મૂકી અને કવિએ પાછું પિતાનું ન્હાનાલાલપણુંય એમાં સાબૂત રાખ્યું છે, એ આ નાટકની વિશિષ્ટ સિદ્ધિ ગણાશે.
વિશ્વગીતા' (૧૯૨૭) એ કવિનો વિશેષ સાહસિક પ્રયોગ એ રીતે કહેવાય કે એમાં સમય અને સ્થળની એકતાઓને કવિ પાળતા નથી એ તે ઠીક (શેકસપિયર જેવા સમર્થ નાટકકારો ને ભારતીય સંસ્કૃત નાટકકારો પણ એને મહત્ત્વની ગણતા નથી), પણ નાટકને કે કઈ પણ સર્જનાત્મક કથાપ્રકારની સાહિત્ય
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[ ૭૧ રચનાને જેના વિના ચાલે જ નહિ એવી કાર્યની એકતાને પણ એમણે તેમાં ને મૂકી દીધી છે. ત્રણ અંકે અને પંદર પ્રવેશના એના બાહ્ય આકારથી નાટકને વેશ એને પહેરાવ્યો છે પણ તે બધા પ્રવેશે સ્થળ, કાળ, પાત્રા, બધામાં એકમેકથી જુદા છે. આથી “ત્રિલોકની અણુષ્ટિના અનુકરણ સમું' એ પિતાનું નાટક છે એમ કહેવાની કવિએ તક લીધી છે. પિતા પૂરતા સ્વતંત્ર એ પ્રવેશે. સ્વરૂપમાં નાટોમિકાબે જેવા લાગે. એ બધાને નાટકમાં ગોઠવવામાં કવિએ અદશ્ય ભાવ એકાગ્રતાની રસસાંકળ”ને આશ્રય લીધો છે. પહેલા અંકને “કાળજૂના પ્રશ્નો, બીજાને “પરાપૂર્વનાં મંથન” અને ત્રીજાને “ત્રિકાલપર સનાતના” એવાં શીર્ષક આપી પિતાના ઈંગિતને ઈશારે કવિએ એમાં કર્યો દેખાય. આતિથ્યધર્મ બજાવતાં સીતાને પતિને વિગ વેઠવાનો આવે, પતિની સાથે મનને વેગ સાધતાં ચુકાતા આતિથ્યધર્મ માટે મુગ્ધા શકુંતલા દંડાય, કંસ જેવાના આપખુદ શાસનમાં એના ધનુષ્યને સૌએ પૂજવું પડે, કૌરવોની અધમી રાજસભામાં વડીલે ને પતિએના દેખતાં એક અબળા કુલવધૂની ભયંકર અવહેલના થાય, એ અન્યાય અને પાપ પ્રત્યે તેમ જ સ્વતંત્ર અને નિજાનંદી આત્માને, પરમાત્માના જ સ્ફલિંગને, હૈયાવાસી ચાંડાલણી બદ્ધ અને પામર જીવ બનાવી દે એવી માનવજીવની વિષમ કરૂણતા પ્રત્યે પહેલા અંકમાં લક્ષ દેરી, બીજા અંકમાં કવિ માનવીને મળતી સિદ્ધો અને પયગંબરોની પ્રસાદી તથા શંકરાચાર્યો અને શુકદેવોનાં આવા માનવજગતમાં થતાં પગલાંથી જગતનું આશ્વાસક પાસું રજૂ કરે છે. ત્રીજો અંક (પહેલા અંકમાં મૂકવા લાયક બીજા પ્રવેશ સિવાય) કામજેતા શુકદેવ અને એના જેવા અવધૂતો તથા આત્માથીઓ (રાજહંસના પ્રતીકથી દર્શાવાયેલ)ની તથા નરસિહ, મીરાં આદિ પ્રભુના બંદાઓની પરમાત્માની જગતલીલામાં સહાયક કામગીરીનું સૂચન કરી પુરુષ-પ્રકૃતિના નિત્ય રાસ જેવા આ જગત પરત્વે સમાધાનકારક વૃત્તિ વાચકેના હૃદયમાં રોપી જવા તાકે છે. આ તે પૂરી સહૃદયતાથી કવિ ચીધી “અદશ્ય ભાવ એકાગ્રતાને “વિશ્વગીતા'માંથી ખોળવાનું કરીએ તે. બાકી, એ માટે એમાં પહેલા ને છેલ્લા પ્રવેશમાં પતંજલિને લાવી તેનાં યોગસૂત્રમાંનું પહેલું તેની પાસે ઉચ્ચારાવવામાં તેમ શુકદેવને ઘણું પ્રવેશમાં લાવવામાં તો કૃત્રિમ અને સસ્તી યુક્તિ જ દેખાય છે. કવિએ આ નાટકના પ્રવેશોની “વાર્તાકળીઓ રામાયણ, મહાભારત, ભાગવત, શાકુન્તલ આદિની “રસવેલેથી વણેલી” કહી એને “પાણી છાંટી ખીલાવી પ્રફુલાવી...એમાં નવી રસસૌરભ” પોતે ભરી હોવાનું જણાવ્યું છે એ વાત સાચી છે, પણ તેમની નવી રસસૌરભ “ભરતગોત્રનાં લજજાચીર જેવા પ્રવેશ સિવાય અન્યત્ર મૂળ કૃતિઓની રસસૌરભથી ચડિયાતી નથી. મૂળ તે આ બધા પ્રવેશ મેજ આવી તેમ
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ'. ૪
અને ત્યારે પેાતે લખતા ગયા હશે, અને પાછળથી એમને ત્રણ અંકમાં વહે‘ચી સળંગ નાટકકૃતિનું રૂપ આપ્યુ. ત્યારે બચાવરૂપે ભાવએકાગ્રતાના મુદ્દો આગળ કરી પેાતે એને પેાતાના નવતર સાહસ તરીકે ખપાવવા પ્રયાસ કર્યો હાય એમ માનવાનું ઘણાને સૂઝે તેમ છે.
કવિના અવસાન પછી પ્રગટ થયેલ અમરવેલ’(૧૯૫૪)ને કવિએ પ્રસ્તાવનામાં ‘ચલપટા (movies) ને ખેાલપટા (talkies), નાટક અને સ ંગીતનેા સમન્વયસમારંભ’ કહી, એની શબ્દશૈલીને વસ્તુસ્વરૂપને અનુરૂપ વેદ-ઉપનિષદની, ભાગવતની, બાઇબલની ત્રિગુણાત્મિકી શૈલીછાયા' એ શબ્દોથી ઓળખાવી છે. આ બેઉ દાવા દ્વારા કવિએ જે ઇન્ક્યું છે તે જેટલું મહાન છે તેટલી તેની સિદ્ધિ મહાન નથી. વિશ્વગીતા'થીય વધુ પ્રગલ્ભ સાહસને દેખાવ લઈ આવેલી આ રચનામાં એક એક પ્રવેશક અને પાંચ પાંચ પ્રવેશેાવાળા ત્રણ અંક અને છેલ્લે ‘અમરવેલ' નામનું એક ઉપસંહારાત્મક દૃશ્ય છે. એમાં અકૈા ૧ અને ૩ ના પ્રવેશકે। તથા અંતિમ દૃશ્ય એ ત્રણ પ્રવેશ જ પાત્રો ને સંવાદથી નાટયાંશ દેખાડે છે. એને કવિનું ખેાલપટ ગણા તા બાકીના બધા પ્રવેશે જેમાં કિવ પેાતાની રૂઢ ડાલનશૈલીમાં ચિત્રાત્મક વર્ણના દ્વારા બ્રહ્માંડનું સર્ગદર્શન કરાવે છે, તેને મૂક ચલપટ માનવાં પડશે. પેલા નાટયાંશવાળા પ્રવેશેા અને બાકીના વર્ણનાત્મક પ્રવેશે એકખીજાથી અલગ પડી જાય છે, કૈાઈ સંહત સુશ્લિષ્ટ કલાકૃતિ બનાવતા નથી. શબ્દશૈલીમાં અંક ૧ના પ્રવેશ ૧માંના સર્જન પહેલાંના શૂન્ય તમસના વનમાં તમ માસી ગૂઢતાં તમઃવાળા વેદમાંના વર્ણનની છાયા દેખાય, પણ તે સિવાય તા ઉપનિષદ-બાઇલની નહિ, પણ એની જાણીતી લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ સાથે ન્હાનાલાલની જ શૈલી કૃતિમાં નજરે પડે છે. આતિમર્સ, સર્જનારંભ, નિહારિકા, ન બુડિયા કુકુંમવી કિરણાવલિએ, ઉષાનાં ઇન્દ્રધનુષ્ય, વિશ્વના આંખે, માનસરાવર, મહાનદી, સાગર, નીરશાયી નારાયણુ, સૂર્યમંડળ, પૃથ્વી, હિમાલય, ચંદ્ર, મંદાકિની, ધૂમકેતુ, દિશાઓના છેડા, ‘મહકાળ’નું બ્રહ્મચક્રનુ ધૂમણ - આ સર્વાંનું કવિનું ચિત્રદર્શનાત્મક વર્ણન કવિએ કલ્પના અને ચિત્રશક્તિની બે પાંખા વીંઝી બ્રહ્માંડસનની લીલા નિહાળવા ને નિરૂપવા કરેલ ઊંચા ઊડણુ માટે માન ઉપજાવે એવું કહી શકાય. એને ચૈતન્ય અને અમરવેલની આછી પ્રણયકથાના એવનમાં ઢાંકીને રજૂ કરીને પેાતાની પ્રિય પ્રેમભાવનાને ફરી એક વાર પણ ખૂબ ઊંચી ભૂમિકાએ આરાહાવીને રજૂ કરવાની તક કવિએ લીધી છે. અતિમ દૃશ્યમાં પ્રેમતત્ત્વ ને બ્રહ્મતત્ત્વનું સમીકરણ-સૂત્ર બાંધી, માંથી નદ્દ થયેલની જ પૂર્વીના વ કાજેની ઇચ્છાને, બ્રહ્માંડની બ્રહ્મ પ્રતિની ગતિને,
-
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[ ૭૩ એ પ્રેમતત્વનું જ કાર્ય કવિ જણાવે છે. અંદર મુકાયેલાં તેર ગીતથી નાટક, બેલપટ ને ચિત્રપટમાં પોતે સંગીત ભેળવ્યું માનતા કવિનાં ચારપાંચ ગીતો એમની એ માટેની શક્તિનાં નિદર્શક છે. સમગ્ર રચના લલિત કે સંદરના સફળ ગાયક ન્હાનાલાલને “ભવ્ય” ને “અગમ્ય'નાય એટલી સફળ ગાયક કવિના સ્વરૂપમાં રજૂ કરે છે, એટલા નાટકકાર તરીકે નહિ. નાટસર્જનમાંય પિતાની રીતે ચાલનાર ને મહત્ત્વાકાંક્ષી પ્રયોગ કરનાર તરીકે તેઓ અવશ્ય નોંધપાત્ર પાછા ગણાવાના ખરા.
[3] ગદ્યથાઓ ન્હાનાલાલની વિપુલ સર્જક્તાએ ગદ્યના કથાત્મક સાહિત્યપ્રકારોના ક્ષેત્રને અક્ષણ પથ માન્ય નથી. નવલકથાના ઘાટવાળી બે કૃતિઓ અને લઘુકથા કે વાર્તાઓના સંગ્રહ જેવું એક પુસ્તક તેમની પાસેથી આ કારણે મળી શક્યાં છે. સર્જકતાની દૃષ્ટિએ એમાં સૌથી વધુ સફળ અને આકર્ષક કૃતિ છે ૧૯૧૪માં કાશ્મીરના પ્રવાસમાં ત્યાં વીસ દિવસમાં કવિએ લખેલી અને ૧૯૧૮માં પ્રગટ કરેલી નવલકથા “ઉષા”. કવિનાં પુસ્તકોમાં “ઈન્દુકુમાર” અને “જયા-જયન્ત’ની માફક ઘણું પુનર્મુદ્રણે પામેલ (૧૯૩૦ સુધીમાં તેનાં પાંચ પુનર્મુદ્રણ થયાં હતાં) એ કૃતિ વસંતોત્સવના જેવી કૌમારમાંથી નેહવતિયાં બનતાં તરુણ નાયકનાયિકાનાં સ્નેહ અને સંવનનની કથા છે. નાયકને અનામી રાખી તેના પિતાના બયાનરૂપે તેના શબ્દોમાં પિતાને માટે હેના પ્રયોગથી લખાયેથી આ કથા દૃષ્ટિ મિલન, સ્નેહાદય, અસ્ક્ય, મિલન, સંવનન વગેરેથી થતા સ્નેહનાં વૃદ્ધિ-વિકાસ અને તેમાં નાયકનાં સંવેદનોને વર્ણવતી તથા તેની સ્નેહમૂર્તિ ઉષાની ગુણ સંપન્નતાને તેમ તેના વ્યક્તિત્વને અનેક પ્રસંગો દ્વારા પ્રગટ કરતી સામાજિક વાસ્તવને ખ્યાલ આપવા શેડો વખત વિધન અને વિયોગને અનુભવ બેઉ પાત્રને કરાવી અને લગ્નને સુખાન્તમાં પરિણમે છે, એ કવિનાં ઘણાં નાટકમાંની પ્રણયકથાઓ કરતાં એની વિશિષ્ટતા ગણાય. આપણું વતે, પ, ઉત્સવો વગેરે સાથેનું આપણું સમાજજીવન કથામાં એના વાસ્તવિક અંશેામાં પણ અલબત્ત કવિની ભાવનારસિત લખાવટમાં એમાં પૃષ્ઠભૂમાં સારું રજૂ થયું છે. નાયકની બહેન ચંદ્રિકા ભાઈને અને ભાઈ બહેનને તેના સ્નેહ-સંવનનમાં સહાયક બનતાં આલેખી નાયકની હકથા ભેગી એક સમાન્તર સ્નેહકથા. પણ કવિએ મૂકી છે, પણ તે નાયકની હકથા જેટલી બુલંદ બનાવાઈ નથી. “જન્માષ્ટમીને “શરદપૂર્ણિમાનાં પ્રકરણોમાં ખાસ તો પાછલાના રાસવર્ણનમાં કવિ સોળે કળાએ મન મૂકીને ખીલ્યા લાગે. ઉષાનાં શ્રીમંત કુટુંબના નબીરા સાથે યોજાયેલાં માબાપ
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[
. ૪
ગોઠવ્યાં લગ્ન દ્વારા રૂઢિલગ્નને વાસ્તવમાંશ કવિ કથામાં લાવ્યા છે, પણ ઉષા પિતાની જગ્યાએ એ લક્ષ્મીપુત્રને પરણવા ચાહતી પિતાની બહેનપણીને માહ્યરામાં બેસાડી દઈને તે પછી માતાપિતાને જ સંમત કરાવી લઈ નાયક જોડે પરણે છે એમ ગોઠવી કવિ કથામાં વસ્તુ ને કાર્યની દષ્ટિએ સંદેહ, અને અણધાર્યા સુખદ અન્તનું સહેજ નાટકી લાગે એવું તત્વ પણ લાવ્યા છે. નાયક-નાયિકાની સ્નેહકથાને લગતા જુદા જુદા પ્રસંગો કે પરિસ્થિતિઓ અને તેમાં તેમનાં હૃદયસંવેદનેને ભાવભરી અને કાવ્યમય અભિવ્યક્તિ આપવામાં કવિએ “ઉષા'માં ગદ્યને જે રસાત્મક કે સર્જનાત્મક રીતે ઉલાસથી તાજગીભરી અને મનહર સાલંકાર ભાષા દ્વારા પ્રયોજ્યું છે તે આ કૃતિનું એક આગવું આકર્ષણ બની રહે છે. અંદરનું પ્રકરણ ૯ કવિનું સ્નેહશાસ્ત્ર બની ગયું છે. કથામાં એ અનિવાર્ય ન હતું, પણ અજુગતું લાગતું નથી. સ્વરૂપની દષ્ટિએ ખુશીથી જેને ગુજરાતની પહેલી ગણનાપાત્ર લઘુનવલ કહી શકાય એવું કથાસર્જન નવલકથાના ક્ષેત્રમાં મુનશીના આગમન પહેલાં ગુજરાતની આ પ્રતિભાશાળી કવિને હાથે થયું એને એક સ્મરણીય સાહિત્યિક ઘટના ગણવી ઘટે. ગુજરાતી વાતાવરણ અને જીવનની સાદી સ્નેહકથાને પિતાની સર્જકતાના તેમ પ્રિય સ્નેહભાવનાના જાદુઈ સ્પર્શથી ન્હાનાલાલ એક કાવ્યાત્મક રસાવહ સાહિત્યકૃતિ તેમાં બનાવી શક્યા છે. “ઉષાને એ સૃજનજૂની વાર્તા અને “સહુ ગૃહસ્થાશ્રમીઓ કાજેની ફૂલવાડી' કહીને પોતે એને સર્વકાલીનતા અને સાર્વજનીનતાના અંશેવાળી બનાવ્યાનું સૂચવ્યું છે. એથી કથામાં થોડે અંશે રૂપકનું તત્વ આવ્યું છે. એથી જ, કથામાં વારે વારે નાયકને વાચકને સંબોધી તેની પ્રણયકથાને તાળો આની સાથે મેળવી જવા કહેતે તેમણે આલેખે છે.
એને મુકાબલે અદોદળી લાગે એવી એનાથી બમણ વિસ્તારની કથા સારથિ(૧૯૩૮)ને કવિએ નવલકથાને ઘાટ આપે છે એટલું જ, એમને આશય નવલકથાનું કલાસ્વરૂપ સિદ્ધ કરવાને નહિ પણ પોતાનું રાજકીય દર્શન તે વાટે રજૂ કરવાને છે. એમ કરવા તેઓ પ્રેરાયા તેમના ઈતિહાસના અભ્યાસ અને રસને લીધે, પ્રથમ વિશ્વયુદ્ધ પછીના જગતના પ્રવર્તમાન સમકાલીન રાજકારણ ઉપર એ રસને કારણે પતે રાખતા રહ્યા હતા એ નજરને પરિણામે, તથા જગતમાં સંઘર્ષ અને યુદ્ધની હંમેશને માટે નાબૂદી તથા વિશ્વશાંતિને માટે પૂર્વ-પશ્ચિમના ભેદ સિવાય જગતનાં સર્વ રાષ્ટ્રોને મૈત્રી, એખલાસ, સમન્વય અને સહગને પુણ્ય સંદેશ સુણાવવાની એમની (ગોવર્ધનરામની સાક્ષરજીવનની ભાવનાને અનુરૂ૫) કવિધર્મની ભાવનાએ પ્રેરેલી સદિચ્છાના બળે, “આ ગ્રંથ પણ માત્ર વાર્તા નથી, કે માત્ર મીમાંસા નથી. એક ઇતિહાસ જોતિષીએ યથાશક્તિમતિ વાંચેલી આ તે
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[૭૫
છે જગતની જન્મોત્રો' એ પ્રસ્તાવનામાંના શબ્દો કવિના આશયને સ્પષ્ટ કરી આપે છે. સમગ્ર કથામાંનું એમનું વક્તવ્ય પણ પ્રસ્તાવનામાં આમ નિર્દેશાયું છેઃ
“યૂરોપમાં છે પ્રજાભાવની કાંટાળી વાડી-સીમાઓ. અને અમેરિકા એટલે પૃથ્વીસમન્વય નહિ, માત્ર ચૂરેપસમન્વય. પણ હિન્દી મહાસાગરમાં પાસિફિક ને આટલાન્ટિક આવી સમાય છે એમ માનવવંશનો સમન્વય-મહાસાગર, જગતની “માનવી પ્રજા, અહીં અને આજ, ભારતદેશે સરજાય છે. આવડે તો બ્રિટન જગતઈતિહાસનો મહારથી થાય અને ભરતખંડ જગતસારથી થાય. બ્રિટન જે ઈતિહાસબેલ બેલશે એવો ભારત પ્રતિઉત્તરને પડઘો પાડશે.” (પૃ. ૩૪-૩૫)
પ્રસ્તાવનામાંના આ શબ્દ કવિએ “રાજસૂત્રની ત્રિપુટી'નાં કાવ્યમાં વ્યક્ત કરેલ ભાવના સાથે પૂરા સુસંગત છે. એને કવિએ જગતના સમકાલીન રાજકારણના પિતાના વાચનથી આ કથામાં સમર્થિત કરી છે. કવિનું જગતનાં ઈતિહાસ અને ભૂગોળનું જ્ઞાન અને એમાંને રસ, જે અહીં એમને માટે આદર જન્માવે એટલા પ્રમાણમાં પ્રગટ થાય છે, તેણે આ કથામાં એમને સારું કામ આપ્યું છે. કથાનો સમય એમણે ચાલુ શતકના છઠ્ઠા દાયકાને કયો છે. બીજુ વિશ્વયુદ્ધ કવિને જેવું પડયું, જેણે કેટલીક પરિસ્થિતિ સારી પેઠે બદલાવી નાખી. છે, પણ તેમણે આ કૃતિ તેની પહેલાં રચેલી છે. આથી તેમાં પહેલા વિશ્વયુદ્ધ પછીના પ્રજાસંધ – લીગ ઑફ નેશન્સ અને જિનીવા જગતના રાજકારણના કેન્દ્રમાં છઠ્ઠા દાયકામાં હશે એમ માનીને કવિ ચાલ્યા છે. એ પ્રજાસંધ પર અમેરિકા અને જાપાનને એ તો યુરોપના આધિપત્ય કે સરસાઈ માટે જ જાય છે ને કામ કરે છે એવો અસંતોષ, અમેરિકાની જગતનું નેતૃત્વ લેવાની અને જાપાનની યુરોપના જેવો એશિયાને રાષ્ટ્રસંઘ સ્થાપવા ને તેનું નેતૃત્વ લેવાની મહેચ્છા, સ્પેનની પિતાનું જિબ્રાહટર પાછું સ્વહસ્તગત કરવાની પ્રવૃત્તિ, તુર્કસ્તાનથી અફઘાનિસ્તાન સુધીનાં ઇસ્લામી રાષ્ટ્રોની એક ઇસ્લામી આધિપત્યની ઈચ્છા ને તે માટેનો સળવળાટ, એશિયાની એકતાની આકાર લેતી હવા – આ બધું કવિ પિતા તરફથી તેમ પાત્રોની ચર્ચાઓ ઇ. દ્વારા સારું ઉપસાવે છે. જગતને સંકુચિત રાષ્ટ્રવાદ અને આધિપત્ય-લાલસામાંથી જન્મતાં યુદ્ધો ને સંઘર્ષથી મુક્ત કરવા અને માનવજાતના ઉત્કર્ષ અને કલ્યાણ માટે પ્રાસંઘે કે રાષ્ટ્રસંઘે નહિ પણ માનવસંઘ સ્થાપવાની ઉદાર ભાવના ભારત જ શીખવી શકે એમ છે એમ માનનાર. કવિએ એ ભાવનાની પોતાની કલ્પનામૂર્તિ હિમાલયમાં જેનાં બેસણાં છે એવા કૈલાસી મહારાજની આ કથામાં રજૂ કરી ધુરંધર અને પ્રેરણા, આત્મજિત અને વિધાત્રી તથા ધિરાજ અને જયપ્રભાની પાત્રોડીઓને તેમનાં શિષ્યો કે કાર્યકરે જેવી બનાવી તેમને એ ભાવનાની કાર્યસિદ્ધિ માટે મથતી આલેખી છે. જયપ્રભા જિનીવાના.
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
ગુજરાતી સાહિત્યના મંતિહાસ
[થ. ૪
પ્રાસંધમાં ભારતના પ્રતિનિધિમડળની સભ્ય તરીકે જાય, વિધાત્રી અમેરિકાના પ્રમુખના ચંદ્રિકામહેલ(વ્હાઇટ હાઉસ)માં અને પ્રેરણા ઈંગ્લૅંડના મહામંત્રીશ્વરના ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના નિમ ત્રણથી પહેાંચી જઈ મંત્રણા કરે અને એમને એમની મર્યાદાઓ બતાવી શીખવી આવે, નગાધિરાજ હિમાદ્રિના શિખરે પૃથ્વીનાં મહાજનૈાની પરિષદ મળે ને તેને કૈલાસી ઉદ્બાધે — આમ વાચકને તેમ કથાને કવિ જુદાં જુદાં સ્થળે લઈ જાય છે, પાત્રવૈવિધ્ય પણ થાડુંક સાથે છે અને કથાને આછુ પાતળુ` વસ્તુ પણ ગાઢવી આપે છે. કૈલાસીનાં શિષ્યા વિધાત્રી, પ્રેરણા, આદિની પવનપાવડી, ટાપીમાંના રેડિયાથી ગમે ત્યાં મળતા ને સાંભળી શકાતા સંદેશ, વીજકલમથી ગમે ત્યાં મેાકલાતા વીજસ દેશ, વીજકિરણેામાંથી નીકળી છત પર દેખાઈ થે।ડી વારે અદશ્ય થઈ જતા તેજ-અક્ષરે, વિદ્યાણુ, વિમાની સબમરીન વગેરે દ્વારા કવિએ વિજ્ઞાનના થઈ રહેલા વિકાસની સાથે પણ પેાતાની કલ્પનાને કથામાં ઠીક ચલાવી ભાવિ જગતની વિજ્ઞાનસિદ્ધિનેય કંઈક ખ્યાલ કથામાં આપ્યા છે. કથામાં ગુજરાત અને ભારતની બહારના મેાટા ફલકને વ્યાપતી ઈંગ્લેંડ, અમેરિકા, રશિયા, જાપાન, સ્પેન આદિ મેટા તેમ નાના દેશાનાં ભૂત-વર્તીમાનને તથા તેમની રાજનીતિ તથા મહત્ત્વાકાંક્ષાઓને સ્પર્શતી રાજકીય ચર્ચાએ ભેગી નારીમુક્તિ, શ્રમજીવીવાદ ઇ.ની પણ ચર્ચા અંદર કવિ કરે છે, તે તેમના રસનું ક્ષેત્ર કેટલું વિશાળ છે એની પ્રતીતિ કરાવે છે. પેલાં ત્રણ પાત્રયુગલેાને ન્હાનાલાલ-છાપનું સ્નેહયેાગીત્વ તથા આખી કથાને ન્હાનાલાલી ગદ્યશૈલી મળ્યાં હાવાની તેમ જ કસ્તૂરીમૃગનાં ધણુ ચરાવતી સુગંધાના હિમાલયવાસી પાત્રના કથામાં કવિએ કરાવેલા આગન્તુક પ્રવેશની કવિને એળખનારને નવાઈ લાગશે નહિ. એ સુગંધા ઇન્દુકુમાર'ની પાંખડી જેવું ન્હાનાલાલનું કાવ્યમય ભાવનાસર્જન છે. સ્પેને જિબ્રાલ્ટર પર કરેલા હકથી તથા જાપાને કરેલા સિંગાપુર ને એડન પરના આક્રમણથી ઘેાડીક તંગદિલી સરાવતી પરિસ્થિતિ લાવીને કથાને ઘેાડાક વાર્તારસ પણ કવિએ આપ્યા છે. જામ રણજિતની વિમાની સબમરીને ને બ્રિટનના પક્ષમાં જાપાનના હુમલાને હઠાવ્યાના પરાક્રમયશ આપીને કવિએ એ સદ્ભાવી મિત્ર પ્રત્યેનું ઋણ ઇતિહાસવ્યુત્ક્રમને દોષ વહેારી લઈને પણ વાળવાનું એમાં કર્યું છે તેને ક્ષમ્ય ગણી શકાય. એક દરે, આ કૃતિ પણ કવિનાં ‘વિશ્વગીતા' અને ‘અમરવેલ' અને ‘હરિસંહિતા' જેવું તેમનું એક વિશિષ્ટ સાહસ ગણાશે. સિદ્ધિ જેવી મળે તેવી, પણ સામાન્ય કે ચીલાચાલુ કરતાં મેાટી ફાળ ભરવાનું તેમને હમેશાં ગમ્યુ છે. એ તેમના વિમાનસ અને કવિપ્રતિભાની લાક્ષણિકતા છે.
અત્યારે જેને ‘લઘુ-કથા' નામથી ઓળખવામાં આવે છે. એવી સત્તર લઘુ
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૭૭
વાર્તાએના એક સંગ્રહ કવિએ ‘પાંખડીએ’ (૧૯૩૦) નામના આપ્યા છે તેને પણ કવિનું ઉપરના જેવું એક સાહસ કહી શકાય. પેાતે એમાંની રચનાઓ માટે કહી નાખ્યું છે ‘આ પ્રસંગેા છે. આમને વાર્તાઓ કહેવીકે ચેાગ્ય નથી', એને માટે ‘તેજઅણુઓ’, ‘અકિરણા’, ‘હીરાની કરચા’, ‘ઝીણુકી જલલહરીએ’ જેવા શબ્દો પણ વાપર્યા છે. એની વસ્તુસામગ્રી, સંવિધાનકલા, પાત્રાલેખન અને ભાષા કવિનાં નાટકા અને ઉપરના જેવી ગદ્યકથાઓમાં દેખાય છે તેનાથી જુદાં વરતાતાં નથી, તેમ તેમાંની અંતઃકથિત ભાવના કે વક્તવ્ય પણ કવિનું લગભગ જૂનું અને જાણીતું છે. એમાં નિરૂપાયેલા પ્રસંગેામાં કેટલાકમાં કવિએ ઘેાડાક હળવા બનવાના પ્રયાસ કર્યો છે અને કાઈ કાઈમાં સામાજિક વાસ્તવની પૃષ્ઠભૂ ગાઢવી છે, પણ મેાટા ભાગના પ્રસંગે। ન્હાનાલાલી ગળચટ્ટી કાવ્યમયતાથી વૈષ્ટિત. બન્યા છે. કવિનાં કેટલાંક વિચારવલણ્ણા અને અભિપ્રાયાનું વાહન પણ કેટલાક પ્રસંગે। બન્યા છે. વાર્તા તરીકેનું કાઠું ઘણા પ્રસંગામાં ધાતું નથી. ખેાર-સળીનેા પંખા', એનું પહેલુ. પુષ્પ' જેવી રચનાએ પ્રતીકાત્મકતા-રૂપકાત્મકતાને કારણે થાડીક આકર્ષક લાગે, તા સાગરની સારસી' અને ‘વટેમાર્ગુ' જેવી રચનાએ તેમાંના ઊર્મિતત્ત્વને લીધે આસ્વાદ્ય બને, અને કેટલીક તેમાંના પ્રાકૃતિક પરિવેશ ને તેનાં વનમાં કવિએ પ્રયેાજેલી ભાષાને કારણે ` વાંચવી ગમે, તેમ બન્યું છે. કવિએ ૧૯૨૫-૩૦નાં વર્ષોમાં સહેજ મેાકળાશ કે હળવાશની વૃત્તિ વેળા જાણે ડાબે હાથે આ વાર્તાકારી રચનાઓ કરી પેાતાની સર્જકતાના એક નવે. ઉન્મેષ એમાં દાખવ્યા છે એ રીતે એ સંગ્રહ નોંધપાત્ર લેખાય.
[૪] કવીશ્વર દલપતરામ’
ન્હાનાલાલે પેાતાના વિદ્યા-અને સ ંસ્કારગુરુ કાશીરામ દવે વિશે ‘ગુરુદક્ષિણા’માં, મિત્રો અમૃતલાલ પઢિયાર અને ‘કાન્ત' માટે એ ખેની જય'તી પ્રસંગનાં વ્યાખ્યાને માં, સયાજીરાવ ગાયકવાડ વિશે એક લેખમાં, કેટલુ ક છૂટું ચરિત્રાત્મક લખાણ ક છે. એમાં એમની અંજલિ કે રેખાચિત્રની વિષયભૂત વ્યક્તિની લક્ષણમૂર્તિ ગુણજ્ઞતા તેમ જ અમુક અંશે ચિકિત્સક દૃષ્ટિથી ઉપસાવવાની. પતિના કંઈક ખ્યાલ આવે છે. પણ પૂરા કદના ચરિત્રકાર તરીકે તા તે પિતૃચરિત્ર કવીશ્વર દલપતરામ'નાં ચાર બૃહત્કાય પુસ્તકામાં (૧૯૩૩, ૩૪, ૪૦, ૪૧) ગુજરાત સમક્ષ રજૂ થાય છે. ‘પૂજને જે પૂજતા નથી તે નગુણા પિતૃદ્રોહી છે,’ એમ એ ચરિત્રગ્રંથના ખીજા ભાગના ઉત્તરાર્ધમાં લખનાર આ કવિએ ‘પિતૃતપણુ' કાવ્ય દ્વારા કરેલા પિતૃતર્પણને આ પિતૃચરિત્રથી ખેવડાવ્યું છે. મન અને કલમને છૂટાં મૂકીને વીગતે લખેલા આ ચરિત્રનાં ચાર પુસ્તકા માટે કવિએ ફ્રાસરિત્ર, ગુજરાત વર્નાકયુલર
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[2. ૪ સોસાયટીને ઈતિહાસ, ‘દલપતકાવ્ય', “બુદ્ધિપ્રકાશ'માંની ને જેવી સામગ્રીને ઉપયોગ કર્યો જ છે, પણ પિતાએ પિતાના જીવનપ્રસંગે વિશે માંદગીને બિછાનેથી કહેલી વાતેની નોંધને સવિશેષ લાભ તેમને મળે છે, જેને લીધે ઘણી માહિતી ગ્રંથ પહેલી વાર રજૂ કરી શકે છે. દલપતરામના પૂર્વજો, દલપતરામનું બાળપણ ને ઉછેર, તેમને પિંગળને અભ્યાસ ને કવિતાલેખનને આરંભ, તેમનું અમદાવાદમાં આગમન, ફોર્બ્સને ગુજરાતી શીખવવા ઉપરાંત “રાસમાળા'ની આધારસામગ્રી મેળવી આપવાની તેમની સહાય, તેમના પ્રવાસે, તેમની સરકારી ને ગુજરાત વર્નાકયુલર સોસાયટીની નેકરી, સ્વામિનારાયણ સંપ્રદાયની તેમ ગુજરાતી સાહિત્યની તેમની સેવા, તેમનું કુટુંબજીવન અને ચારિત્ર્ય, આ સર્વેની વીગતભરપૂર પ્રમાણભૂત માહિતીની સાથે ૧૯મા શતકના ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ એમાં દેશકાળની પૃષ્ઠભૂ તરીકે જે વિસ્તારથી આલેખાયો છે તે આ ચરિત્રગ્રંથની નેધપાત્ર વિશિષ્ટતા છે. દલપતરામની જીવનકથામાં ફોર્મ્સ સાથે દલપતરામના આત્મીય સંબંધને ચરિત્રકાર કવિ-પુત્રે ઠીક સ્થાન આપી ઉપસાવવાનું કર્યું છે, તે દલપતરામના જીવનને બન્યું તેવું બનાવવામાં ફોર્મ્સને મહત્વનો ફાળો જોતાં વાજબી ઠરે એવું છે. દલપતરામના પિતા ડાહ્યા વેદિયા, ફૉર્બ્સ, નર્મદ, કરસનદાસ મૂળજી, રાયચંદ શેઠ આદિ વ્યક્તિઓનાં પરિચયાત્મક રેખાચિત્રો પણ આ ચરિત્રમાં વાયકોને મળે છે. દલપતરમના આયુષ્યના પૂર્વાર્ધમાં કલુષિત પણ ઉત્તરાર્ધમાં મીઠા દાંપત્યજીવન અને કુટુંબજીવનને લગતી માહિતી ભેગી ચરિત્રલેખક ન્હાનાલાલના કિશોરજીવન અને વિદ્યાથીજીવનની પણ ઘણી માહિતી ગ્રંથ સંપડાવે છે. આ ચરિત્રગ્રંથમાં નહાનાલાલ દલપતરામની ગુજરાતસેવાની જે મુલવણ પ્રસ્તાવનામાં તથા પુસ્તકમાં કરતા રહ્યા છે તેમાં પુત્રસહજ પિતૃભક્તિથી પ્રેરાયેલી ક્યારેક અતિશયોક્તિના રંગમાં બાળેલી પ્રશસ્તિનું તત્વ વિશેષ દેખાય છે, તેમ છતાં તત્વમાં એ મૂલ્યાંકનમાં તથ્થાંશ ઘણે છે. દલપતરામને ન્હાનાલાલે પ્રજાના પુરોહિત”, “દેશમાળી', “સુધારાની વેલીઓના સંસ્થાપક”, “બ્રહ્મષિ”, “નવયુગના વાલ્મીકિ, “હુરઉદ્યોગ સંસારસુધારા વિદ્યાવૃદ્ધિ રાજકારણ – સમસ્ત સંસ્કૃતિના..નવયુગના સર્વસંચારી કવિ', ગુજરાતની અર્વાચીનતાની “હવારના સૂર્ય એવા પ્રશસ્તિ શબ્દોથી નવાજતા ન્હાનાલાલને પિતાના પ્રતિસ્પધી નર્મદના એ શબ્દો માટેના અધિકારનું ભાન છે જ એથી નર્મદને તે આ ગ્રંથમાં સારી જગ્યા આપી, તેની અને દલપતરામની વચ્ચે
ધ્યેયભેદ ન હતા, શિલીભેદ હતો' એમ બતાવી તેને વીર અને દલપતરામને ધીર, તેને કાન્તિવાદી અને દલપતરામને વિકાસવાદી' કહી ઓળખાવે છે. દલપતરામને માટે “બ્રહ્મષિ” શબ્દ, નર્મદને માટે રાજર્ષિ” શબ્દ વાપરવાની સાથે જ તેઓ
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[ ૭૯ આથી પ્રયોજી દલપતરામની સરસાઈ ઉપસાવવા પ્રયાસ કરે છે. ચરિત્રગ્રંથમાંનું વક્તવ્ય પ્રસ્તાવનામાં બેવડાવાથી તેમ બીજી રીતે પણ એમાં પુનરુક્તિદોષ ઠીક પ્રમાણમાં પેઠે છે. “દલપતઆયુષ્યને ઝરૂખેથી કીધેલું ૧૯મી સદીનું ગુજરાતદર્શન આ જીવનકથાને કહી શકાય એવી ઈચ્છાના કાર્યાન્વયન માટે એમણે દલપત મૂર્તિના ચિત્રફલકરૂપ ગત શતકના ગુજરાતને ખડું કરવા પાછળ જે પૃષ્ઠ રોક્યાં છે તે પણ વિસ્તાર વધારી આપે છે, પરંતુ ચરિત્રનાયકના દેશકાળ, ઘડતર અને જીવનકાર્યને સમજવામાં તેની સ્વયંસ્પષ્ટ ઉપકારકતાને લીધે તેની સામે ફરિયાદ થઈ શકે તેવું નથી. ઊલટું એના દસ્તાવેજી ઈતિહાસ-મૂલ્યની કદર કરવી પડે તેમ છે. “કવીશ્વર દલપતરામ'ના પ્રસ્તારમાં એને કેટલેય સ્થળે અસ્વાદ્ય બનાવતી કવિની લાક્ષણિક અલંકારપ્રિય, સમાસપ્રચુર અને વાગ્મિતાના સારામાઠા બેઉ અંશેવાળી લખાવટને પણ હિસ્સો ગણાયઃ જોકે એવી લખાવટનોય ભેગી ને ચાહક વાચકવર્ગ આપણે ત્યાં નાને ન નીકળે. ગુજરાતના ચરિત્રસાહિત્યમાં કવિલિખિત આ પિતૃચરિત્ર એક મહત્ત્વને ગણનાપાત્ર ઉમેરો કરે છે એટલું તે નિઃશંક કહી શકાશે. સર્જનને થાક અવાન્તરે આવા લેખનથી ન્હાનાલાલ ઉતારતા. પિતાના આયુષ્યના કેઈ સમયખંડને સાવ અનુત્પાદક તેમણે ક્યારેય રાખે નથી. - ન્હાનાલાલે પૂરું આત્મચરિત્ર તો નહિ પણ આત્મપરિચય જેવું જે થોડુંક લખ્યું છે તેને પણ અત્રે ઉલ્લેખ કરવો ઘટે. એમની સુવર્ણ જયંતીને અવસરે આભારભાષણરૂપે લખેલ અને પછી પુસ્તિકારૂપે છપાયેલ “અર્ધશતાબ્દીના અનુભવબોલ” “એક ગુર્જર.આત્માની ઘડતરકથા' એ તેના વૈકલ્પિક શીર્ષકને સાચું ઠરાવે એ એમના વ્યક્તિત્વને પરિચય તેમ જ તેમના કવિ તરીકેના ઘડતરની કથા કહેવા સાથે તેમના સાહિત્યને સમજવાની દૃષ્ટિ આપી રહે છે. કવિ પ્રસંગોપાત્ત જે વ્યાખ્યાન આપતા તેમાંનાં “વસંતને ટહેલિયો” અને “સ્વપ્નાં સાચાં પડ્યાં એ બે વ્યાખ્યામાં પણ તેમણે ઘણી પિતાને વિશેની વાતો ને સંસ્મરણે કહ્યાં છે તેને પણ તેમની આત્મચરિત્રાત્મક સામગ્રી કહી શકાય તેમ છે. “કવીશ્વર દલપતરામ'માંથી પણ નાના “હાનાને લગતી રસિક માહિતી મળી રહે છે. આ બધામાંથી તેમ જ તેમની પ્રસ્તાવનાઓ, વ્યાખ્યાને છે. અન્ય લખાણમાં ક્યાંક ક્યાંક દેખા દેતી આત્મલક્ષી હકીકતમાંથી તેમના જ શબ્દોમાં તેમની આત્મકથા આકૃત કરી શકાય તેમ છે – જે ક્યારેક એમના એક સુપુત્ર તરફથી મળવા સંભવ છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ [૫] વ્યાખ્યાને ઉપર કવિનાં વ્યાખ્યાનો ઉલ્લેખ થયે. ગુજરાતમાં અનેક શહેરમાં અને મુંબઈ, કરાંચી જેવાં બૃહદ ગુજરાતનાં શહેરોમાં કવિએ આપેલાં વ્યાખ્યાનની સંખ્યા એવી મોટી છે કે “અર્ધશતાબ્દીના અનુભવોલ', “ઉબોધન”, “સંસારમંથન', સંબોધન’, ‘ગુરુદક્ષિણ', “મણિ મહોત્સવના સાહિત્યબલ' ૧-૨, મુંબઈમાંને મહત્સવ' જેવા એના સંગ્રહ કવિએ પછી મુદ્રિત કરાવ્યા છે, અને બેત્રણ સંગ્રહ થાય તેટલાં છાપેલાં વ્યાખ્યાને હજુ પડ્યાં છે. વ્યાખ્યાન માટે આવતાં નિમંત્રણમાંથી થોડાંને જ તેઓ સ્વીકાર કરતા અને વ્યાખ્યાન માટે ઓછામાં ઓછી એક મહિનાની મહેતલ માગતા. એટલા ગાળામાં ધારેલા વિષય ઉપર વીગતોથી સજજ થઈ પોતે આખું વ્યાખ્યાન લખીને તૈયાર કરતા, અને તે એવા લેખિત કે મુદ્રિત સ્વરૂપમાં સમારંભ વેળા પિતાની લાક્ષણિક શિલીએ વાંચતા. તેમનાં આવાં વ્યાખ્યાને ગૃહજીવન, શિક્ષણ, સમાજપ્રશ્નો, સાહિત્ય, ધર્મ, કલા, એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રને સ્પશી વળે છે. પિતે વ્યાખ્યાન માટે જ્યાં ગયા હોય તે સ્થળનાં ઈતિહાસ-ભૂગળ અને અન્ય લાક્ષણિક્તાઓ, જૈને પારસીઓ મુસલમાને બ્રાહ્મણે વૈષ્ણવો આદિનાં શ્રોતૃમંડળ સમક્ષ તેમતેમના ધર્મનાં મૂળતરો કે વિશિષ્ટ લક્ષણો, અને સ્ત્રીઓ વિદ્યાથીઓ વગેરેનાં શ્રેતામંડળ સમક્ષ તેમનાં ધર્મ અને કર્તવ્ય પોતાની લાક્ષણિક રસાળ પદ્ધતિએ તેઓ એ વ્યાખ્યાનમાં રજૂ કરતા. એ વ્યાખ્યાનમાં એમનો ઈતિહાસ-રસ, ઉદાર ગુણદશ સમન્વયદષ્ટિ, રણજિતરામપ્રશંસિત “ઊંડી ને સતેજ ધાર્મિકતા', ભારતીય ધર્મ તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિએ પ્રબોધેલા-પુરસ્કારેલાં ચિરંતન જીવનમૂલ્ય પરની શ્રદ્ધા, એમની કહિતચિતા અને ભાવનાશીલતા ઉત્સાહથી બોલતાં સંભળાતાં. સારે એ શ્રમ લઈ તૈયાર કરાયેલાં કવિનાં આવાં વ્યાખ્યાને એમાંના વસ્તુ-વક્તવ્યથી શ્રોતાઓને કાં નવી માહિતી આપતાં, કાં નવી દષ્ટિ આપતાં. બ્રાહ્મણોની સભાને “ઋષિસંતાન’, જેનોને “વીરનાં સંતાન, બારોટને દેવીને બિરદાઈ, સ્ત્રીઓને “આજની ને ભાવિ ગુજરાતની માતાઓ', દયારામ-જયંતી ઊજવતાં ડભોઈવાસીઓને “વૈષ્ણવજન હો !” એવાં એમનાં શ્રોતાઓને કર્ણપ્રિય સાથે હૃદયપ્રિય બને એવાં મીઠાં સંબોધને સાથે કેટલીક વાર આરંભમાં અને ક્યારેક અન્તમાં કાવ્ય પણ પોતાની રીતે મોજથી લલકારતા કવિનું સાંભળવે ગમી જાય એવું કવિતાઈ લહેકાવાળું લાક્ષણિક ગદ્ય શ્રોતાઓ માટે એ વ્યાખ્યાનું એક આકર્ષણ બનતું. વિચારના સુયોજિત તર્કબદ્ધ પ્રતિપાદન અને દઢબંધ વાક્યરચનાને ગદ્યનું પ્રાણતત્ત્વ ગણનારાઓ કવિના કેટલીક વાર બે ત્રણ લીટીના પેરેગ્રાફવાળા એવા ગદ્યને સારું કે સાચું ગદ્ય ન ગણે, પણ
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૯૧
२४
કવિને માટે એ શૈલી જણે એમના ધટ સાથે ઘડેલી ને વળગેલી હતી; એમના કવિપણા તથા વાગ્મિતાશાખને લાયક અભિવ્યક્તિ જ એ હતી. ‘પ્રાશરીરને ધસારા કે નવપલ્લવતા ?’ એ પ્રથમ ગાંધીજીના 'નવજીવન'માં તેના આરભવમાં હપતે હપતે પ્રગટ થયેલ લેખ,૨૧ ‘લગ્નસ્નેહનેા વિશ્વક્રમમાં હેતુ' એ પ્રથમ ૧૮૯૮ ના 'જ્ઞાનસુધા'માં છપાયેલ લેખ૨૧ અને મનુષ્યજાતિની ઉત્ક્રાન્તિનાં પેાલક ઝરણાં',૨૧ ઇસ્લામી સંસ્કૃતિ',૨૨‘સેારઠી તવારીખના થર’૨૨, ‘બ્રાહ્મણુત્વ’,૨૩ ‘ભારતીય ઇતિહાસનાં કેટલાંક લક્ષણ્ણા’,૨૩ ‘આ દષ્ટિ’,૨૪ ‘કાળના ભરતીઓટ’,ર જગત્કવિતામાં ગુજરાતી કવિતા',૨૫ ‘કવિધર્મ’૨૫ જેવાં વ્યાખ્યાનેા ટકાઉ મૂલ્યનાં હાઈ આજે પણ એટલાં જ સંતર્પક છે. ‘સ્વપ્નસ્વામી અથવા વસ ંતના ટહેલિયા' એ હજુ ગ્રંથસ્થ નહિ થયેલ વ્યાખ્યાન વસ ંતાત્સવ ને અને તેમાં કવિના ઇગિતને સમજવામાં ઉપકારક થાય તેવું છે. એની મદદ વિના એ કાવ્યમાંની કેટલીક પ`ક્તિએમાં કવિએ ભારતના જુદા જુદા પ્રદેશે અને કેટલીકમાં યુરોપના કેટલાક દેશે., અમેરિકા અને જાપાનનું સૂચન કર્યું છે એ સંભવતઃ કાઈથી જાણી શકાત નહિ.
[૬] સાહિત્યવિવેચન
ઉપરનાં વ્યાખ્યાના કવિને વિચારક અને અભ્યાસી તરીકે રજૂ કરે છે તા કેટલાંક વ્યાખ્યાનેા તેમને સાહિત્યના અભ્યાસી અને વિચારકના રૂપમાં જોવા વાંચનારને પ્રેરે એવાં છે. એવાં વ્યાખ્યાને તેમણે ‘આપણાં સાહિત્યરત્નાની વિદ્રપૂર્જા' લેખે ત્રણ દાયકા દરમ્યાન તેમને માટેના જયન્તીસમાર ભેા પ્રસ ંગે આપેલાં તેના પ્રથમ સંગ્રહ ‘સાહિત્યમ’થન’ને ‘આપણાં સાક્ષરરત્ને!' ભાગ ૧-૨ રૂપે અપાયેલું નવું સ્વરૂપ, પેાતાનાં કેટલાંક પુસ્તકાની પ્રસ્તાવનાઓ, કેટલાંક પુસ્તકોના એમણે લખી આપેલા પ્રવેશકા તથા ‘જગતકાદેંબરીએમાં ‘સરસ્વતીચંદ્ર'નું સ્થાન' એ તેમનું પુસ્તક ન્હાનાલાલના અન્ય સાહિત્યસકાના સર્જનના અવલાકનકાર તરીકે એમણે બજાવેલ કાના ખ્યાલ આપી રહે છે. મેધદૂત” અને ‘શાકુન્તલ'ના પેાતાના અનુવાદોની પ્રસ્તાવનાઓમાં કાલિદાસની કવિપ્રતિભાને તેમ જ ‘આપણાં સાક્ષરરત્ન'માં આપણા જૂના કવિઓમાં મીરાં, પ્રેમાનંદ અને દયારામને અને અર્વાચીન સાહિત્યકારામાં દલપતરામ, ન`દ, નવલરામ, ગાવનરામ અને કેશવલાલ ધ્રુવને જે અંજિલ કવિએ આપી છે તેમાં તેમની અભ્યાસશીલતા, રસદિષ્ટ અને ગુણજ્ઞતા સારાં પ્રગટ થાય છે. પ્રેમાનંદ માટેનું ‘He is the most Gujarati of Gujarati poets-modern or ancient', ગુ. સા. ૬
Page #91
--------------------------------------------------------------------------
________________
૨૨]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[4. ૪
દયારામ માટે ‘દયારામ એટલે ગુજરાતની ગેાપી : ગાતી, કલ્લેાલતી, ગરબે ઘૂમતી’, વગેરે જેવાં એમનાં મૂલ્યદર્શી પ્રશસ્તિવાકયો તે તે સાહિત્યકાર વિશે ખેાલતાંલખતાં હજી ટંકાયાં કરે છે. દલપતરામને, ગાવ`નરામને તથા કેશવલાલ ધ્રુવને તેમણે વિપુલદર્શક કાચથી જોયા લાગે, પણ એમના મૂલ્યાંકનમાં તથ્ય નથી એમ નહિ. ગેાવનરામને જગતસાક્ષર અને સરસ્વતીચંદ્ર'ને જગતકાદંબરી કહેવામાં તેમણે અત્યુક્તિ કરી નાખી નથી. ‘ફૂલપાંદડી’(પૃથુ શુકલ)નાં રંગરાગી મસ્તીભર્યા ગદ્યમાં લખાયેલાં ‘રસકાવ્યા'ના વધુ પડતા ઉત્સાહથી લખેલા પ્રવેશકમાં તથા ‘નવલરામભાઈ’માં નરિસંહરાવ, રમણભાઇ અને બલવંતરાય ઠાકાર પ્રત્યે દેખાડાઈ ગયેલા પૂર્વગ્રહ સિવાય એકંદરે જૂના-નવા સાહિત્યકાર વિશે ખેાલતાં ગુણુનુ વિશેષ દેખાય છે. ત્રિભુવન પ્રેમશંકર – મસ્તકવિના ‘કલાપીને વિરહ' અને ‘લલિતનાં કાવ્યા'ના બે સંગ્રહના પ્રવેશકા એ કવિએની વિશિષ્ટતાઓ સાથે મર્યાદા પણ બતાવી આપતા સદ્ભાવપૂર્ણ છતાં સ્વસ્થ અને સમતાલ સાહિત્યમૂલ્યાંકનના સારા નમૂના છે. પેાતાના મુરબ્બી કવિમિત્ર કાન્ત'ને મહાદેવના લલાટ પરના ખીજના ચંદ્રમા, તેમની કવિતાને ‘ચશ્મેશાહી' અને તેમની વિપ્રતિભાને મહાકાવ્યના નહિ પણ ઊર્મિકાવ્યના કવિની પ્રતિભા કહેવામાં ન્હાનાલાલે ‘કાન્ત’નું યથાયોગ્ય મૂલ્યાંકન જ કર્યુ” ગણાશે. શાન્તા બરફીવાળાસંપાદિત ‘રાસકુંજ'ના તથા કેશવ હ. શેઠના એક કાવ્યસંગ્રહના તેમના પ્રવેશકા પણ ધ્યાન ખેંચે.
પેાતાના આવા વિવેચનને ન્હાનાલાલ ધ્રુવું કહે છે ? પરંપરાપ્રાપ્ત ને આત્મસંમત શાસ્ત્રાનુસારી ધારણા અને નિયમેાની ફૂટપટ્ટીથી સાહિત્યકૃતિને માપવાની પદ્ધતિ તેમને પસંદ નથી. કૃતિને તેની અંતઃસામગ્રીના જ પૃથક્કરણ (analysis), સમગ્રદર્શીન (synthesis), અને રસ-રહસ્યાદ્ઘાટન (exposition)ની સ્ટાફ બ્રૂક અને ડાઉઝન જેવાની પદ્ધતિ તેમને ઇષ્ટ લાગી છે એમ એમણે એ સ્થળે૨૬ જણાવ્યું છે. એમનાં ઉપર ગણાવ્યાં તેવાં વિવેચનાત્મક લખાણામાં એમનું વિવેચન એવું રામૅન્ટિક પદ્ધતિનું છાપઝીલુ કે સંસ્કારગ્રાહી પ્રકારનું છે. પાંડિત્યના નહિ પણ રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિ તાળાવી ઘટે૨૭ એમ માનનાર અને રામૅન્ટિક પ્રકૃતિના ન્હાનાલાલનું વિવેચન એવું જ થાય કે હાય એ સ્વાભાવિક છે. ‘સમભાવ, મર્મજ્ઞતા, ઉદારતા, વિશાલ જ્ઞાનસંપત્તિ, બહુશ્રુતપણું, ઊંડી. આલાચના, વાંચેલું-વિચારેલુ. વારે વારે વાગેાળવાની ટેવ'૨૮
—આ બધાંને તેમ જ સમતુલા-વ્રત, ખુલ્લુ' મન, સમભાવ, બહુશ્રુતતા, વિકાસશીલતા, રવિવેક, ઉદારતા, બેઉ આંખે જોવાની વૃત્તિ, ઇતિહાસદૃષ્ટિજન્ય દીદૃષ્ટિ, સર્વાંગદર્શનને કે પરિદર્શનને તથા ઉત્તમ ન્યાયાધીશની ગુણુસામગ્રીને ૨૯
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ વિવેચકની ગુણસંપત્તિ ગણાવતા ન્હાનાલાલનો વિવેચક અને વિવેચનને આદર્શ ઘણો ઊંચો છે.
પણ એકંદરે જોતાં કવિનું સાહિત્યવિવેચન વસ્તુતઃ એમના લેખન-મનનની આગતુક પેટા-પેદાશ વિશેષ જણાય છે; વિવેચન એમને પ્રકૃતિધર્મ, શેખ કે રસને વિષય કે એમની પ્રધાન સાહિત્યપ્રવૃત્તિ નથી. સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ વિશે પ્રસંગોપાત્ત બોલવા-લખવાનું આવી પડેલા પ્રાપ્તકર્મ તરીકે તેમણે સ્વીકાર્યું-સત્કાયુ વિશેષ જણાય છે. આ વે પ્રસંગે તેમ જ પોતાનાં પુસ્તકોની પ્રસ્તાવનામાં કે વ્યાખ્યામાં તેમની સાહિત્યદષ્ટિ કે તેમનો કાવ્યસિદ્ધાંત તારવવાનું વાચકો માટે સુલભ બને અને બીજાઓનાં નહિ તે તેમનાં સાહિત્યસર્જનને સમજવા-માપવા-મૂલવવાનું ધોરણ તે જરૂર મળી રહે એવા વિચારો ને વિધાને છૂટક છૂટક ઠીક પ્રમાણમાં તેઓ કરી ગયા છે, તેમાં થોડીક સાહિત્યચર્ચા આપણને મળે છે. અલબત્ત, શાસ્ત્રીયતા, ઊંડાણ, પૃથક્કરણ અને તર્કબદ્ધ માંડણી તથા વિચાર-સ્થાપન એમની કવિ-પ્રકૃતિને બહુ અનુકૂળ નથી, તેથી તે એમાં આવતાં નથી, પણ તેમના પિતાના નિશ્ચિત અભિપ્રાયો અને ભાવનાને તેમાંથી અવશ્ય પરિચય મળી રહે છે. આ વિચારો તેમણે પોતાનાં કાવ્ય-નાટકાદિમાં વ્યક્ત કરેલા કે વણેલા વિચારોને જ પડઘાવતા કે પુનઃકથતા હોય છે, કવિતાને રસાયન અને “પરબ્રહ્મની રસકલા”, કલાને “સૌદર્યદર્શન, પરા૫ર-દર્શન કરાવનારી, કવિઓને “રસર્ષિ, પ્રજના “મહાગુરુ', “મંત્રોચ્ચાર', “પ્રજાસ્ત્રષ્ટા”, કવિધર્મને વસંતધર્મ, અને વસંતધર્મને “પવિત્રીછાંટો આનંદમાગ ઉત્તરવયમાં કહેતા કવિએ પૂર્વ-વયમાં એ મતલબનું જ ઉચ્ચારણ કરેલું અભ્યાસીઓને જણાશે. વ્યાખ્યાનોમાંથી મળતા ઉદ્ગારામાં કંઈક નવું અને નોંધપાત્ર સાહિત્યચિંતન જોવા મળે છે, તેમાં પહેલે ગણાવાય તેમણે “અર્ધ શતાબ્દીના અનુભવોલ' એ વ્યાખ્યાનમાં તેમ ત્યાર પછી અન્યત્ર પણ વ્યક્ત કરેલો વિચાર કે “ચિત્તક્ષોભમાં નહિ, ચિત્તપ્રસન્નતામાં પ્રાસાદિક કવિતાનાં છે મૂળ. એને શાસ્ત્રસમર્થિત સર્જનપ્રક્રિયા કહેવા કરતાં ન્હાનાલાલની પોતાની કાવ્યસર્જનપ્રક્રિયાને સમજાવનારી અંગત માન્યતા ગણવી વધુ ઉચિત છે. આત્માને એકબે નહિ, સો તારની સારંગી કહી, “કવિની કલાકામઠીએ એ સોયે તાર વગાડવાના..જેટલા વધારે વગાડાય એટલી કવિતાસારંગી મહાસ્વરે ગાજે' એવું એમણે કરેલું વિધાન૩૦ કવિતાને આત્માની કલા સ્થાપતા આનંદશંકર ધ્રુવની માફક કવિતાને રમણ માટે વિશાળ પટ આપી તેને અખિલાઈને સંસ્પર્શ કે તેનું ગાન કરનારી બનાવવા ચાહે છે. મીરાં અને “કલાપીની કવિતા વિશે બેલતાં પ્રેરણાનું અને કવિતારસથી છલકાતા હૃદયનું ગૌરવ કરતા કવિ પ્રેરણા પછી/સાથે તેને પ્રત્યક્ષ કરવાની આલેખન
Page #93
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[J૪
કલાનું મહત્વ પણ સ્વીકારે છે તે ત્રિભુવન કવિ અને કેશવ શેઠ વિશે લખતાં તેમણે એ કવિઓ વડે અણુસંતોષાયેલી જે અપેક્ષા બતાવી છે તે પરથી સમજાય છે. ગંગા-યમુના જેવી “રેમૅન્ટિક” અને “કલાસિકલ” એ બે કલાશૈલીઓની વાત કરતાં, આગલીને સ્વાતંત્ર્ય માટેનાં ફાંફાં કે ઉડ્ડયન’ અને પાછલીને “સંસ્કાર (Discipline)ની નિયમાવલિ' કહી ઓળખાવી, બેઉના સંગ્રામમાં નહિ પણ સંગમમાં “પરમ કલાવિધાન રહ્યું છે એમ પ્રબોધતા કવિ પોતે “યથાશક્તિમતિ’ એ આદર્શ પિતાની સમક્ષ રાખ્યાનું કહે છે, તેમાં એમના “પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી” એ રસસૂત્રના પિતા પૂરતા અમલને, જીવનદષ્ટિ અને કવિસંદેશ પરત્વે એમની “કલાસિકલ’ વૃત્તિને અને આલેખન કે શાબ્દિક અભિવ્યક્તિમાં એમના રોમેન્ટિકપણને ખુલાસો મળી જાય છે. આમ નેહાનાલાલના સર્જન-વિવેચન વિશેના સાહિત્યિક વિચારો અન્યને ખપમાં લાગે કે ન લાગે, એ એમના પિતાના સર્જનને સમજવામાં તે બરાબર કામમાં લાગે એવા હોય છે. એમની કવિતા અને સંગીત” તથા “છંદ અને કવિતા” એ બે લેખમાંની સાહિત્યચર્ચા કાવ્યની સ્વરૂપમીમાંસામાં ન્હાનાલાલનું વિશિષ્ટ અર્પણ ગણાવા પાત્ર છે. એ લખાયા તે વેળા પ્રગ૯ભ કે ધૃષ્ટ લાગ્યા હશે, પણ સમય વીતતાં છંદનાં સરવાળા-બાદબાકીને, એની પ્રવાહિતાને અને છંદમુક્તિને ઉત્તરોત્તર પ્રતિષ્ઠા મળી ચૂકી છે તે આજને સમયે ન્હાનાલાલના પોતે જ કાર્યાન્વિત કરેલા એ વિચારનું મહત્ત્વ ઐતિહાસિક સાહિત્યિક મૂલ્યનું બની રહે છે. છેલ્લી નોંધવાની બાબત હવે રહે છે સર્જન તેમ વિવેચનમાં જગતસાહિત્યનાં ધોરણે કે સ્તરે પિતાની કૃતિઓને વિચારી-મૂલવી જોવાની આપણું સર્જકોને કવિની આગ્રહભરી શીખ.૩૨ પ્રેમાનંદની સાહિત્યસેવાને ઘટતી અંજલિ આપ્યા પછી એને ગુજરાતને ઘરઆંગણાને કવિ કહી, પ્રાંતીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. એટલે જગતના સાહિત્યના આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખવાનું તેમણે પ્રધ્યું છે.૩૩ જગત પરીક્ષામાં અને ભવિષ્યના સૈકાઓના પ્રજામત આગળ ઊભવાની તૈયારીમાં કડક આત્મપરીક્ષાની વાત આવી જ જાય છે. કૂપમંડૂકિયા અપડેષથી દૂર રહી વધુ ઉન્નત સાહિત્યસોપાન સર કરવા પ્રેરનારી આ શીખને કવિનાં ઘણાં પ્રેરક સાહિત્યિક ઉદ્દબેધનેમાં આગળનું સ્થાન આપી શકાય.
[૭] અનુવાદ કવિતા તેમ ગદ્યમાં અનેક સાહિત્યસ્વરૂપે અંગે સર્જનાત્મક તેમ આટલું ચિંતનાત્મક મૌલિક સાહિત્ય આપનાર ન્હાનાલાલે અનુવાદક્ષેત્રે પણ કલમ. ચલાવી છે. ઉદ્યોગી પુરુષો એક કામના શ્રમને થાક ઉતારવા બીજુ કામ ઉપાડે.
Page #94
--------------------------------------------------------------------------
________________
-પ્ર. ૨]. ન્હાનાલાલ
[૮૫ છે, તેમ કવિ ન્હાનાલાલનો સર્જનશ્રમ એમનાં ઉપર જણાવ્યાં તેવાં વ્યાખ્યાનેએ ઉતાર્યો હશે તેમ ભાષાંતર-પ્રવૃત્તિ દ્વારા પણ તેમણે આ જ હેતુ સા હેવાનું જણાય છે. “પરસાહિત્યના મહાગ્રંથનાં ભાષાંતરો” “આપણ નવઊછરતા સાહિત્યને સમૃદ્ધ કરવાને બેશક જરૂરી માનતા કવિએ તે સાથે જ કહી નાખ્યું છે કે આપણું સાહિત્યનાં મૂલ “એ પરઝીલ્યાં છાયાસાહિત્યથી નહિ, નિજસ્વી સ્વયંભૂ રસસાહિત્યથી જગત આંકશે.૩૪ પિતાની વૃત્તિ પણ મૌલિક સર્જન કરવાની વિશેષ, છતાં મોટા સજનશ્રમ પછી “વીજળી-ખાલી લેડન જર' જેવા થઈ જવાય ત્યારે “પૂર્વાચાર્યોના મેઘાડંબરમાંથી વીજળી પાછી' પૂરવાનું પતે ભાષાંતરો દ્વારા કર્યું હોવાનું તેમણે જણાવ્યું છે.૩૫ ભાષાંતરો માટે એમણે પસંદ કરેલી કૃતિઓ પણ એમના “પ્રેમ-ભક્તિ' કવિનામને સાથે ઠરાવે એવી–બે પ્રેમવિષયક અને ચાર ધાર્મિક છે. પ્રેમવિષયક તે કાલિદાસનાં મેઘદૂત' અને અભિજ્ઞાનશાકુન્તલ.” “સંસ્કૃત મૂલમાં જે કાંઈ હાય હેમાંથી બનતું બધું ગુજરાતીમાં ઉતારવાના સંકલ્પથી પોતે કરેલ “મેઘદૂત'નું સમશ્લોકી ભાષાંતર મૂળ લકે તથા નીચે શબ્દાર્થનોંધ સાથે ૧૯૧૭માં પ્રગટ કર્યું છે. તેમાં પેલો બનતું' શબ્દ એમની મર્યાદાના પૂર્વ-ખુલાસા જેવો લાગે છે. મૂળ સંસ્કૃત શબ્દોની ચેકસ અર્થચ્છાયા કવિને ગુજરાતી ભાષાંતરમાં ઊતરી શકી ન હોવાના દાખલા એમાંથી તારવી શકાય તેમ છે. છંદશુદ્ધ કેટલાક કેસમાં મૂળની છાયા સારી ઊતરી છે, પણ આ અનુવાદમાં મંદાક્રાન્તાના અક્ષરમેળ વૃત્તમાં એક ગુરુને સ્થાને બે લઘુ વર્ણ અને તેના ગુજરાતી ઉરચારણની વારંવાર લેવાયેલી અનિર્વાદ્ય છૂટ ચાવતી વેળા દાંતમાં કાંકરી ખૂંચે તેવી ખૂંચે છે અને આસ્વાદની મજા મારી નાખે છે. “શકુન્તલાનું સંભારણું' (૧૯૨૬) એ “શાકુન્તલ'ને અનુવાદ આ છૂટ ઓછી બતાવે છે. કાલિદાસનું પદલાલિત્ય અને પ્રૌઢા ગીર્વાણનું એ ગૌરવ ગુજરાતીમાં પૂરું ઊતરી શકવા વિશે શંકા ધરાવતા કવિ કાલિદાસની લાડકી બોલીને મંજુલ કલરવ મૃદુલ ગુજરાતીમાં ઝીલી શકાય એમ કહે છે અને તેને નાટકના સંવાદોના ગદ્યને ગુજરાતી અનુવાદમાં પિતાને સારું ફાવતું ડોલન-ગદ્ય બનાવીને સાચું પણ ઠરાવે છે. એમાં તળપદા શબ્દના પ્રયોગ ક્યારેક સારા ભળી જાય છે, અને “ફૂલસંતાડ્યો', ‘તપશ્ચર્યાપીડેલું' જેવા સમાસ ઠીક લાગે, પણ “જાણુણહારિણ” “અતિથિઉવેખણહારિણ” “જાળવત’ હૈયાપરદેશણું” જેવા કવિઘડયા શબ્દસમાસ અસુભગ લાગે છે. એ અનુવાદની પ્રસ્તાવનામાં કવિએ વ્યક્ત કરેલે આ અભિપ્રાય કે “વલ્કલધારિણીનું વલ્કલ ઢીલું થયું એનું જ આ નાટક છે – એટલી ઢીલપનાંયે પાંચછ વર્ષનાં તપવનવાસનાં પ્રાયશ્ચિત્ત તપવાં પડ્યાં રવીન્દ્રનાથ ઠાકુરના એને મળતા કાલિદાસની એ
Page #95
--------------------------------------------------------------------------
________________
ત૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૮ કૃતિના રહસ્યદર્શનને સમર્થિત કરે એવું છે. આ અનુવાદ એકંદરે સફળ અને આસ્વાદ્ય છે. એમના સમશ્લોકી અનુવાદમાં “ભગવદ્ગીતા' (૧૯૫૦), “વૈષ્ણવી ષોડશ ગ્રંથ' (૧૯૨૫), “શિક્ષાપત્રી' (૧૯૩૧) અને “ઉપનિષતપંચક' (૧૯૩૧) એ ચારે ધાર્મિક કૃતિઓ છે. એમાં “ભગવદ્ગીતાને સરળ, વિશદ અને ભાવવાહી અનુવાદ ઉત્તમ છે, અને ગીતાના અત્યાર સુધીમાં થયેલા અનેક અનુવાદમાં શિરોમણિ કહેવાય તેવો છે. સરળતાના આગ્રહી કિશોરલાલ મશરૂવાળાને એથી વધુ સરળ ભાષાંતર પિતાનાથી બની શકશે નહિ એ પ્રતીતિથી કવિના ગીતાભાષાંતરમાંથી પંક્તિઓ ને પંક્તિઓ પિતાના ભાષાંતરમાં જાહેર ઋણસ્વીકાર સાથે અપનાવી લેવી પડી છે. સંસ્કૃત ન જાણનાર ગીતાપ્રેમીઓ અને ગીતા-- પાઠકેને કવિને ગીતાનુવાદ સુંદર કામ આપે તે બન્યો છે. કવિની અંદરના ભક્ત દિલ રેડીને એ અનુવાદ કર્યો હોવાની છાપ પડે છે. અધ્યાયને અંતે ગીતાના કેટલાક સંસ્કૃત શબ્દોના અર્થ તથા તે વિશેની પિતાની મુશ્કેલી બતાવતી ટીકા કવિએ આપી છે તે તેમના તદર્થ અભ્યાસની બોલતી નિશાની છે. ઈશ, કઠ, કેન, પ્રશ્ન અને મુંડક એ પાંચ નાનાં પણ મહત્ત્વનાં ઉપનિષદનો કવિને સમલૈકી અનુવાદ ઉપનિષપંચક” પણ એવો જ સફળ અનુવાદ ગણાશે. તેમાં પણુ દરેક ઉપનિષદ પર આગળ અભ્યાસપૂર્ણ પરિચયાત્મક નેંધ તેમ જ પાછળ તેને સમજવામાં સહાયક થાય તેવી ટીકા કવિએ આપી છે. અનિરાક્રમમ7નું ગુજરાતીમાં “અણુતરછોડ હો” એમ કર્યું છે તે સિવાય અનુવાદ સારે થયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યપાલ્ય આદેશના લઘુગ્રંથ “શિક્ષાપત્રીને સરળ અનુષ્ણુપમાં કરેલું અનુવાદ ત્રણચાર ઠેકાણે “પરમ'નું “પરમ” ઉચ્ચારણ કરવું પડે (જેમ તો ગીતાના અનુવાદમાં પણ એકબે ઠેકાણે થયું છે. તે સિવાય સુપાક્ય બન્યો છે. વૈષ્ણવી છેડશ ગ્રંથમાં “ગ્રંથ' શબ્દ ભ્રામક છે, એ સોળે વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યની સંસ્કૃતમાં લખાયેલી લઘુ પદ્યકૃતિઓ જ છે. એમાંના પ્રથમ મુકાયેલા યમુનાષ્ટકને પૃથ્વી છંદ કવિને અનુવાદમાં ફાવ્યું છે. અનુષ્યપ તે એમને ફાવત છંદ છે જ. આ ચારે અનુવાદ કવિ ન્હાનાલાલની ધાર્મિકતાને ભાવતી અને એને પિષક આનંદદાયક પ્રવૃત્તિ એમને માટે બની હોવાનું સહેજે અનુમાન થાય.
આ અનુવાદગ્રંથની પ્રસ્તાવનાઓ, તેમનાં વ્યાખ્યાનોના સંગ્રહો, તેમનાં શાહનશાહ અકબરશાહ”, “શ્રી હર્ષદેવ', “કુરુક્ષેત્ર', “હરિસંહિતા' જેવાં પુસ્તકોની પ્રસ્તાવનાઓ તદંતર્ગત માહિતીના સંપાદન માટે, તેની વીગતના સાધારપણું ને સચ્ચાઈ માટે, તથા તેમાંથી કરવાનાં તારણ તારતમ્ય માટે કવિએ કરેલા અનેક પુસ્તકનાં વાચન-મનનના પુરુષાર્થની સુખદ પ્રતીતિ કરાવી રહે છે. પ્રકૃતિ પ્રધાન
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૮૭
પણે પ્રેરણાચાલિત નિજાનંદી સર્જકની, તેમ છતાં સનલક્ષી અને ખપપૂરતી પણુ અભ્યાસરુચિ અને તત્પ્રેરિત શ્રમસહિષ્ણુ સ્વાધ્યાયમાં તે પાછો પડયા નથી. સાહિત્યશ્રમ . એમને માટે સ્વેચ્છાસ્વીકૃત સ્નેહશ્રમ હતા. એમનેા આવે સ્નેહશ્રમ કવીશ્વર દલપતરામ'ના ચાર ગ્રંથામાં દલપતરામની જીવન્માત્રા અને એમના વ્યક્તિત્વના વીગતે પરિચય આપવામાં તેમ જ તેના કરતાંય વધુ તા દલપતજીવનના દેશકાળનેા માહિતીપ્રચુર સામાજિક ઇતિહાસ તારતમ્યબુદ્ધિથી આલેખવામાં વિશેષ માત્રામાં પ્રગટ થયા છે.
સમગ્ર દષ્ટિએ
ન્હાનાલાલ પાસેથી આમ ગુજરાતી સાહિત્યને ઘણું મળ્યું છે. વ્યાખ્યાનામાં પોતે (એમના પિતાએ એમના વખતમાં પેાતાની કવિતા દ્વારા ગુજરાતના લાકશિક્ષકનું કામ કર્યું" હતું તેવું જ) પ્રજાના લેાકશિક્ષક તરીકેનું કાર્ય કર્યું છે, તા ગુજરાતનાં બાળકો અને વિદ્યાર્થીએ માટે શિક્ષણરસિયા શિક્ષકની અદા કે વૃત્તિ કે દૃષ્ટિથી ‘ગુજરાતની ભૂગાળ', વ્યવહારુ અંગ્રેજી તથા ગુજરાતી વ્યાકરણા અને સાદી કસરતના દસ દાવ' જેવાં નાનાં શિક્ષણૅાપયેાગી પુસ્તકા પણ તેમણે તૈયાર કરી પ્રગટ કર્યાં હતાં. એમાં ‘ગુજરાતની ભૂગેાળ' તે વખતનાં તે વિષયનાં નિશાળિયાં પુસ્તકા કરતાં માહિતી અને લખાવટમાં ચડિયાતુ છે. વાચનમાળા માટે બાળકાવ્યા કવિએ લખ્યાં હતાં તેની વાત આગળ થઈ ગઈ છે. પણ એને લીધે તેમને બાળાના કવિ તેમ કેળવણીકાર કહેવાય એમ નથી, જેમ વ્યાખ્યાને આધારે એમને વિચારક કે નિબ ંધકાર, સાહિત્યલક્ષી લખાણાને આધારે એમને વિવેચક અને અભ્યાસપૂર્ણ લેખાને પ્રસ્તાવનાએને આધારે એમને પડિત કહેવાય એમ નથી. એ જ રીતે ચાકલેટ કે પિપરમીટની ગાળીએ જેવી ઘેાડીક વાર્તાભાસી રચનાએ એમને વાર્તાકાર, અને પેલી બે ગદ્યકથાએ એમને નવલકથાકાર ઠરાવી શકે એમ નથી. ચરિત્રકાર એમના પિતૃચરિત્રને આધારે એમને જરૂર કહી શકાય. પણ ન્હાનાલાલની ખરી ઓળખાણુ, પહેલી અને છેલ્લી, કવિ તરીકે જ અપાય. એ જ એમનેા મૂળ, પ્રધાન, રંગ છે. તેમનાં નાટકા તથા વાર્તા-નવલામાં તેમનું વપણું જ પ્રગટ થતું હતું. કવિતામાં પણ, તેમણે દ્વારિકાપ્રલય', ‘કુરુક્ષેત્ર' ને ‘હરિસંહિતા' જેવી કથાકાવ્ય ને મહાકાવ્ય જેવી દી રચના કરી છે. તેમાં મહાકાવ્યના રમશે છે, છતાં તેમને મહાકાવ્યના કવિ' એ અમાં મહાકવિ કહેવાય તેમ નથી, જેમ એમનાં નાટકામાં કેટલાંકમાં સારા નાટયાંશે છે. છતાં એકદરે તેમને નાટકકાર કહી આળખાવાય તેમ નથી. એમની પ્રતિભા ઊર્મિકાવ્યના કવિની છે. ઊર્મિકાવ્યના સમર્થ કવિએ મહાકવિએ
Page #97
--------------------------------------------------------------------------
________________
૮]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ શ્ર'. ૪
જ કહેવાય. કબીર, નરસિંહ, મીરાં, રવીન્દ્રનાથ આદિ ઊર્મિકાવ્યાનાં મહાકવિએ છે. અર્વાચીન યુગ મેટા પટનાં મહાકાવ્યા માટે અનુકૂળ રહ્યો જ ન હેાવાથી તે ઊર્મિકાવ્યના જ યુગ કવિતા પરત્વે છે. તેમાં ઊર્મિકાવ્યમાં ન્હાનાલાલની સિદ્ધિ કવિના મિત્ર અને આપણા એક મેાટા કવિ ‘કાન્ત’ તેમ જ ગાંધીયુગના અગ્રગણ્ય કવિએ અને વિવેચકેાએ કશી મન-ચેરી વિના વખાણી છે. ‘ન્હાનાલાલની પ્રતિભાએ પેાતાના ઉત્તમમાં ઉત્તમ આવિર્ભાવ અર્વાચીન રીતનાં ઊર્મિકાવ્યો દ્વારા સાધ્યેા છે... જેમાં તેમને હાથે શુદ્ધ કલાત્મકતાનું નિર્માણ થયું હેાય તેવે પ્રકાર આ ઊર્મિકાવ્યાના છે... એ રચનાએ કાક અનેાખા રસ અને સૌંદર્યથી મંડિત થયેલી છે. કવિનાં આ ઊર્મિકાવ્યાનાં બધાં અંગઉપાંગા તથા તેની સ્થૂલસૂમ સામગ્રી એક પ્રકારના તરલ અને અગ્રાણુ છતાં રસના સમૃદ્ધ મઘમઘાટથી બહેકી રહે છે. ગુજરાતની પ્રકૃતિ, ગુજરાતનું જીવન, અને ગુજરાતની ભાષા અને ભાવના એકાએક સૌંદર્યાંના અપૂ` લેબાસમાં આપણી આગળ આવીને ખડી થઈ જાય છે. અને એ ન્હાનાલાલની સહજ પ્રતિભાની ઘણી માટી સિદ્ધિ છે’—આ ‘સુન્દરમ્’ના શબ્દો, અને ઉમાશ’કર જોશીના ...અને નાનાલાલના તા આપણી અર્વાચીન સમગ્ર ઊર્મિકવિતામાં આગળપડતા ફાળા છે—રસિકતા, વિવિધતા અને ઇયત્તાની દૃષ્ટિએ’૩૭ એ તેમ જ ...શ્રી નાનાલાલ કવિની રસધન રચનાઓમાં ઊર્મિકવિતાની જે ઉચ્ચ કક્ષા જોવા મળે છે તે હજી નવી કવિતાએ સર કરી છે કે કેમ એ શ’કાને વિષય છે’૩૮ એ શબ્દો જ અત્ર ટાંકવા બસ થશે.
:
ઊર્મિ કાવ્યની એમની આવી વિરલ સિદ્ધિ પાછળ કામ કરી ગયેલી ન્હાનાલાલની વિશિષ્ટ કવિસ...પત્તિમાં એમની સૌંદર્યભક્તિ, ચિત્રનિર્માણુશક્તિ અને અલંકારવૈભવના ઉલ્લેખ એમની પ્રકૃતિકવિતાના તથા ભાવસંવેદનાની એમની મધુર અભિવ્યક્તિ વિશેના નિર્દેશ એમની પ્રણયકવિતાના સંદર્ભમાં આગળ થઈ ગયા છે. એ પછી ગણાવવું રહે એમનુ` અપ્રતિમ કલ્પનાબળ. ન્હાનાલાલને મિકાવ્યાચિત લાલિત્યના કવિ સાથે ભવ્યતાના પણ સફળ અને સિદ્ધ કવિ બનાવવામાં તેમની ગગનગામિની કલ્પનાના ફાળા ઘણા માટેા છે. વસંતાત્સવ'માંના વસંતગીતમાં ‘ક્રાયલડી'ને ‘વસન્તદેવી'ને સત્કારવા મારલી મધુરી જરા ડી' જવાની વિનંતી કરતાં કરતાં તા કવિ એકદમ take-off કરી પડધે! કમ્હાં પડચો ? રસખાલ !' એ પ`ક્તિથી શરૂ થતા ત્રીજા ખંડમાં ભાવકને બ્રહ્માંડતી'ની, પૂર્ણિમા ને અમાસની, સત્ અને અસત્ની, સુરે। અને અસુરાની, ‘સંસ્કૃતિનાં સૈન્ય’ની, પરમાત્માની વિશ્વલીલાના ‘અખંડ’ રાસ, જ્યાંથી ‘સહુ વેણુના વિલાલ શબ્દ જાગે' છે તેની અને ચૌદ ભુવનને ડે' રમતા ‘અબધૂત કાળ'ની ઝાંખી કરાવવા અઘ્ધર
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[ ૮૯ લઈ જાય છે ! “વિલાસની શોભા' કાવ્યમાં નારીજીવનની ત્રણ પરિસ્થિતિ સંદર્ભ પ્રત્યે ધ્યાન ખેંચવા માગતા કવિ પહેલી સાત કડીમાં વાચકને સુંદર-ભવ્ય આકાશી સૃષ્ટિમાં ઉપાડી જઈ “હાં રત્નઘુમટ નીચે, ઢળી ચન્દનીમાં” આકાશીય “સખી ત્રિપુટી'નું ગેષ્ઠિગાન સંભળાવે છે તેમાં પ્રગટ થતે કલ્પનાવિલાસ જ કાવ્યને “વિલાસની શોભા બનાવી દે એવો છે. ગિરનારને ચરણે'માં, અશોકના શિલાલેખ પર દૃષ્ટિ પડતાં તે આ કવિની કલ્પના “મૃગલાની ફાળે' સહસ્ત્ર વર્ષોના કાળ પટને કૂદી જઈ “કાળ કેર” “અઘરનીર સાગર” વાચકે સમક્ષ ખડો કરી દઈ તે સિધુને જલતણું દલપાંદડીમાં ઊડતો “પરમ બ્રહ્મપરાગ” માણતા તેમને કરી મૂકે છે. શાશ્વતીના મહોદધિમાંના વ્યક્તમધ્ય આ ધરતી પરના માનવજીવનને વિકસાવી સંસ્કારી ગયેલી મોટી સંસ્કૃતિઓ (ભારતીય-આર્ય, સુમેરી, મિસરી, ચીની, ગ્રીક, અર્વાચીન પાશ્ચાત્ય, વગેરે જેવી) તે એ મહાસિંધુને જલકમલની દલ-પાંદડીઓ, એનાં મોજાંના ઉછાળ ને એટ એમ સમજાવી એમાં માનવજાતને ઘડતાં-વિકસાવતાં પોતે સંક૯પેલા મંગલ લક્ષ્ય ભણી તેને લઈ જવાની પરમાત્મતત્વની, બ્રહ્મની, લીલાના શુભ સંકેતનું દર્શન “બ્રહ્મપરાગ” શબ્દ દ્વારા કવિ કરાવે છે તે વાચકનાં નિયન આવડાંને ક્ષણવારમાં કેવું વિશ્વવિશાળું જોતાં કરી મૂકે છે ! આ પ્રતાપ ન્હાનાલાલની પ્રભુદત્ત બક્ષિસ જેવી પ્રબળ ને તેજસ્વી કલ્પનાનો છે. એ કલ્પના જ ભાવકને આંગળીએ વળગાડી, “વિરાટના હિંડોળા’ને ફગાળ, આકાશમાં મનમોજી ગતિથી વિહરતા તેજપુછધારી ધૂમકેતુની દષ્ટિથી નીચેની ચાંદની છોઈ હિમાલયની ઉત્તુંગ શિખરમાળા અને “સુખકું જ સમ” બ્રહ્માંડ (ધૂમકેતુનું ગીત'), પુરુષ-પ્રકૃતિને બ્રહ્મરાસ (‘બ્રહ્મરાસ'–વિશ્વગીતા') અને પરબ્રહ્મની સૃષ્ટિલીલાના સર્જન ને પ્રલયના આરાવાળા મહાસુદર્શન ચક્ર(“કુરુક્ષેત્ર)નું દર્શન કરાવે છે. તાજમહાલમાં નિત્યરાસ નાચતી કે રસીલી અને ચોરવાડની વાડીઓ અને નાગરવેલના માંડવાઓમાં રમણુઓનું અને ત્યાંના સાગરની વીચિલીલામાં નૃત્ય કરતી ‘જલનટડી”નું દર્શન કરતી-કરાવતી કવિ-કલ્પના તરંગ કે કેટિ(fancy કે conceit)ને ને ચાળે ચડતી હોય તોય તે લીલા ઓછી મોહક નથી.
એમના જ એક પ્રસિદ્ધ કાવ્ય “શતદલ પદ્યમાં પિઢેલ'માં એવા પામાં પોઢેલા અને ત્યાંથી પિતાની આછી મહેક પ્રસારતા અદશ્ય અમૂર્ત પરિમલ જેવો કાવ્યનો પરિમલ એટલે વ્યંજના કે ધ્વનિ ફુરાવવાનું પણ ન્હાનાલાલને ગમ્યું છે અને ફાવ્યું પણ છે. ફૂલડાંકટોરી'નું ગીત “ઈન્દુકુમાર'-૧ ના સંદર્ભમાં સ્નેહને અમૃતને લેકેની લગ્નવિષયક રૂઢ પ્રણાલિકાઓ (છુંદણાંવાળા અને ચાળણુ જેવા બા) ઝીલી નહિ શકે, જગતની માનવસમાજની માલણે એને ઝીલી શકે એવી વ્યવસ્થાની
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ફૂલકારી ગૂંથવી જોઈએ, એવા કવિ-ઈગિતનું સૂચન કરે છે. પણ સ્વતંત્ર ગીત તરીકે વિચારતાં ચંદ્રીનું અમૃત એટલે ઈશ્વરના પ્રસાદ જેવી આધ્યાત્મિક અનુભૂતિ કે ઊર્વીના પ્રકાશના અવતરણ, એને ઝીલવા માટે આધાર (દેહ-મન પ્રાણ ઇ) પુષ્પ જેવો વિશુદ્ધ-નિર્મળ જોઈએ, એવી વ્યંજના મનમાં ગોઠવાતાં દશ ધાર એટલે દશ ઈન્દ્રિયો અને છુંદણુને તેના પરના ડાઘ એટલે સંસારી વાસનાઓનાં, અશુદ્ધિના એના પર ચડી ગયેલ મળ કે આવરણ, અને જગતમાં રહીને એની જ પાસેથી અભિલષિત આત્મવિકાસ સાધવાને છે માટે જગમાલણીને સંબોધન, એ અર્થ બેસે, એવી એમાં સગવડ છે. “સાગરને'માં સ્ત્રી પતિની સેવા કરી તેના પ્રાણને સ્નેહસિક્ત કરી તેને પ્રેરે, અને પતિ જીવનની કૃતાર્થતા તેને અને જગતને મણવે એવું જગતને બોધવાનું ગુરુકર્તવ્ય અદા કરે, એ નર-નારીગ સૂચવાયો છે, તેમ ઉચ્ચ કવિધર્મ પણ ઈશારા છે. ધૂમકેતુનું ગીતમાંના ધૂમકેતુમાં તેમ “વિહંગરાજ'માં જગતથી એટલે જગતની ચાલુ રીતિથી જુદા જ ફંટાઈ પિતાની ઊર્વની યાત્રામાં જ મસ્ત જોગીઓ કે દુન્યવી લાભ કે સુખસગવડો પ્રત્યે બેપરવા રહી પોતાના ઈષ્ટ ધ્યેયની સિદ્ધિના પુરુષાર્થમાં જ લયલીન રહેનારા ઉચ્ચ જીવને ધ્વનિ જેવાય તેવું છે.
વાચકોની સુગમતા ખાતર કવિ ક્યારેક એકાદ શબ્દ કે વાકયથી પતે ધ્વનિ પરનું ઢાંકણું ખોલી પણ નાખતા હોય છે. હૈયાના સરવરે આવો એ રાજહંસ જેવી પંક્તિ એ બતાવે છે. ઘણી વાર ધ્વનિ વિના સીધી રીતે પણ કઈ વિચારનું વાહન કાવ્યોને કવિ બનાવતા હોય છે. “વેણુ મારું નંદવાણું રે ગીત માનવા પ્રેરે છે તેવા કોઈ મરથ પુરુષાર્થ છતાં નિષ્ફળ ગયા કે રહ્યાના અનુભવ પછી “પૂછશો મા જેવા નાનકડા ગીતમાં “પ્રારબ્ધના પૂર હામે ઝૂઝશો મા જેવો ગંભીર વિચાર લહેરાવે છે. “ભેદના પ્રશ્ન તે હળવી સુગેય રચનાનેય જગતના મહાપ્રશ્નોને છેડવામાં કવિ કેવા ખપમાં લઈ શક્યા છે તે બતાવે છે. કૃપાનાથે બ્રહ્માંડ આવું કાં કર્યું રે લોલ ! નયન આવડું ને જગ તે મોટું બધું રે લેલ–એ પ્રશ્ન છેડવા સાથે માનવી જીવનના કારુણ્યને ટૂકે આંબે, ને લાંબી દષ્ટિ ક રચી રે લોલ”, “ફુલ ફલે તે ઘડીનું એ ફાલવું રે લેલી, “જીવન જાગે તે અર્ધ નિન્દમાં શમે રે લોલ”, અને “જોવું રોવું, સૌંદર્ય એવું કાં બન્યું રે લેલ' જેવી પંક્તિઓમાં કવિએ સચોટ રીતે દર્શાવ્યું છે. “માનવી ! શી આ ખૂટમઝૂંટ? | અવનીનાં અક્ષયપાત્ર અખૂટ’ એ ગીત (“પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ') પણ કેવો માટે વિચાર રજૂ કરી જાય છે ! માનવીની અને રાષ્ટ્ર તેમ રાજ્યની
ભવૃત્તિ અને તેની સરજતરૂપ પ્રપંચે, કલેશ, યુદ્ધો ઈને પામર અને મુદ્રા ઠરાવતી, અને કવિની દઢ પ્રભુશ્રદ્ધાથી છલકાતી ગીતરચના એ બની છે. પોતાન
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૧ છંદબદ્ધ અને “વિલાસની શેભા” જેવાં સહેજ લાંબાં કાબેને તે ખરાં જ, પણ ફૂલ જેવાં હળવાં અને ચિંતનભાર બહુ ખમી ન શકે એવાં નાનાં માપનાં ગીતાને પણ કવિએ આમ ઘણું વાર અર્થસભર બનાવ્યાં છે. “શરદપૂનમ'માં પૂનમના ચંદ્રના આકાશારોહણની ગતિનું ચિત્ર વાચ્યામાં જ પૂરું આસ્વાદ્ય છે, પણ ચંદ્રોદય સાથે સ્નેહદય ને દાંપત્યનેહની સમકાળે ફુરતી વ્યંજના એ. કાવ્યને માણું મૂલ્યવાન બનાવે છે. “તાજમહાલ'માં પણ સ્નેહ ને દાંપત્યની ભાવનાનું પ્રગટ ઉચ્ચારણ આવે છે અને તે સાથે “સૌંદર્યને સ્નેહ અજિત મૃત્યુથી” જેવો વિચાર પણ વણાયે છે. મોટાં સત્યોને સરળ અને સુભગ વાણીમાં મૂકવાની કવિની ‘કાન્ત’પ્રશંસિત ફાવટને પરિણામે યાદ રહી જાય અને જીભે ચડી વારંવાર ટંકાય-ઉતારાય એવી અર્થાન્તરન્યાસી પંક્તિઓ કવિની કવિતામાંથી તેમ અન્ય કૃતિઓમાંથી અનેક મળી શકે.
એમનાં ઊર્મિકાવ્યની ઉત્કર્ષ સાધક અન્ય સામગ્રીમાં અવનવી તાજગીવાળી અને અપૂર્વ માધુર્યભરી કાવ્યબાની અને તળપદા લોકસંગીત વિશે આગળ થોડુંક કહેવાઈ ગયું છે. “ચંદ્રી' (“ફૂલડાંકટેરી”), “કુમળાતા સૂર્યતેજમાં, પરિલિત અનિલ', હિન્ડાલવા લાગ્યાં' (‘વસંતોત્સવ'), “રસતીલી મીટ' (વિગ–“કેટલાંક કાવ્યો'–૧), “સુઝુલતી” (“શરદપૂનમ'), “સુસુંદર” (“પધરામણું'), “ઘાસલવિંગ”. શીળ” (“ધણ”), “ચંદેરી', “ચંપેરી” વગેરે જેવા પ્રયોગો, સંખ્યાબંધ શબ્દસમાસો. અને કેટલાય શબ્દોને કરેલું લાડ ન્હાનાલાલને શબ્દને સમર્પિત અનન્ય ઉપાસક કે બંદા કહેવા આપણને પ્રેરે તેવાં છે. પ્રગ૯ભ છૂટ લઈ પરિશુદ્ધ, “સંક્રાન્ત છે, “પરિસમાપ્તતી” જેવા અસુભગ પ્રયોગ પણ કરી નાખ્યાના દાખલા તેમના સર્જનમાંથી મળે. વાગ્મિતાપ્રિયતાને લીધે વિશેષણભક્તિ તેમનામાં વિશેષ દેખાય, પણ તેમની કવિતામાં ક્રિયાપદની માવજત ઘણી ઓછી થઈ હોવાના મત૩૯ સામે ચીંધી શકાય તેવી
ભીજ્યાં, વીંઝવ્યાં, હિંડોળ્યાં, અલકલટ સમાં (કેટલાંક કાવ્યો'-૧) બ્રહ્માંડે પ્રગટે, બે યુગ, યુગે ઊગે અને આથમે. (“ઇતિહાસની અમૃતાક્ષરી) ગુશબ્દ થયો, ઢળી ઢળી ગયો, થંભ્યો; વળી નિગો હેરી લહેરખડ હસી, ઉર વસી, ડોલી દિગન્તો ભરી આ આંગણિયે, રમ્ય, શમી ગયો ભધિ અંભધિમાં. મહેર્યો, ફર્યો, વિહાર્યો, હરિવર ફુલસ્યો કોડકેડામણે ત્યહાં. (“વેણુવિહાર) ગવગર મહાસાગર, ઘેરતો, ઘૂમતો, છીંકાર, ફેંફાડત, દૂઘવતો ને પ્રદક્ષિણા કરીને પછડાતો. (દ્વારિકાપ્રલય')
Page #101
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪
ઘડીક હાસી, લાડી, થાકી, તે શમી. મૃત માતાના અવશેષ અંશુ, ખીલ્યા, હેયા, પ્રકાશ્યા, આથમ્યા
ને પોઢથા પિતૃકંજમાં માતાની હેડમાં. (ઇન્દુકુમાર'-૧) આવી પંક્તિઓ પણ એમના સાહિત્યમાંથી ઘણી નીકળે તેમ છે.
ન્હાનાલાલની ઊર્મિકાવ્યના કવિ તરીકેની સિદ્ધિ એમનાં છબદ્ધ કાવ્યમાં સવિશેષ દેખાઈ છે તે તેમને ભાવગૌરવ, અર્થગૌરવ અને છંદના એવા જ ગૌરવવંતા લય-ઘોષને લીધે; તે એમનાં સંખ્યાબંધ ગીતામાં તે એટલા જ પ્રમાણમાં દેખાઈ છે તે એમાંની ભાવ અને ભાષાની મધુરતાભરી નજાકતને લીધે, તેમ જ એમાં મધ્યકાલીન પદકવિતાના અનુસંધાન સાથે અર્વાચીન ભાવના સનાતન સ્થાયીભાવની ભંગિમાં થયેલા ગાનને લીધે. અલબત્ત, કોઈ સમર્થમાં સમર્થ સર્જકનું બધું જ સર્જન એકસરખી ઊંચી કક્ષાનું હોતું નથી, અને ન્હાનાલાલ પણ તેમાં અપવાદ નથી. તેમનાં બધાં જ છંદબદ્ધ કાવ્યો અને ગીત પ્રથમ પંક્તિનાં નથી. બીજી અને ક્યારેક ત્રીજી પણ પંક્તિની રચનાઓ તેમના કાવ્યરાશિમાં જોવા મળતી હોય છે. આત્મપ્રેમ કે આત્મવિશ્વાસની માત્રા સહેજ ઓછી અને આત્મપરીક્ષણ અને કલા-સભાનતાની માત્રા તેમનામાં થોડી વધુ હોત તો એવી સામાન્ય રચનાઓ એમના કાવ્યસંગ્રહોમાં ઓછી પ્રવેશ પામી હેત. પણ આમ છતાં, પ્રથમ પંક્તિની તેમની ઊર્મિકવિતાનું પ્રમાણ સારું એવું મોટું છે, જેના ઉપર પ્રતિષ્ઠિત તેમને કવિયશ અમુક કાળખંડ પૂરતો સીમિત નહિ પણ સર્વકાલીન કટિને છે. કાવ્યસર્જનમાં અલબત્ત પ્રથમ પ્રેરણાને જ પણ પછી તરત કલાસંવિધાનને બીજા નંબરની અગત્ય આપતા કવિ પતે કવિતાના સભાન કારીગર (craftsman) નથીઃ બળવંતરાય ઠાકોર અને પછીની પેઢીઓના કવિઓમાં એવી સભાન કલાકારીગરીનું પ્રમાણ વધ્યું છે, પણ કવિમાં એ ઓછું હોવા છતાં તેમનાં સંખ્યાબંધ કાવ્ય કવિતાભેગીઓને વિપુલ પ્રમાણમાં ગુજરાતી ઊર્મિકાવ્યની સિદ્ધિ જેવી હદયસંતર્પક આસ્વાદ્ય રચનાઓ લાગ્યાં છે. કવિતાનાં ઊંચાં શિખરોને સ્પર્શી આવતી રચનાઓ જેમના કાવ્યરાશિમાંથી અલ્પ સંખ્યામાં મળે એવા અર્વાચીન યુગના ગુજરાતી કવિઓમાં ન્હાનાલાલનું નામ મોખરે મુકાવાને પાત્ર એનાથી બન્યું છે.
કવિતા ઉપરાંત એમના તે સિવાયના વિપુલ સાહિત્યસર્જન ઉપર નજર નાખતાં જે બેત્રણ છાપ મન પર પડે છે તેમાં પહેલી એ કે તે બધું જ એક વિશિષ્ટ ચેકસ હાનાલાલી મુદ્રાથી અંકિત છે – વસ્તુમાં તેમ લખાવટ, બેઉમાં. બધા સર્જકના સર્જન પર સર્જકની વ્યક્તિમુદ્રા એવી ઠતી હોતી નથી, કેટલાકનું
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]. ન્હાનાલાલ
[૯૩ સર્જન નિવૈયક્તિક જેવું લાગતું હોય છે. ન્હાનાલાલના સર્જન પર અંકાયેલી મુદ્રા એક કૌતુકરાગી પ્રકૃતિના આત્મમસ્ત, સૌંદર્યભક્ત, ભાવનાવિહારી, કલ્પનાબળિયા અને જેને ઓળખાવવા માટે “શબ્દને બંદે” એ બે શબ્દો અર્વાચીન અને આધુનિક બધા ગુજરાતી કવિઓ કરતાં વિશેષ પ્રમાણમાં લાગુ પડે એવા કવિની છે. આને કારણે જ, વાર્તા, નવલકથા અને નાટકનાં સાહિત્યસ્વરૂપના , એમણે કરેલા પ્રયોગો વસ્તુલક્ષી સાહિત્યસ્વરૂપ માગે તેવા કલાશિ૯૫ના અભાવે પણ નવા અને ગુજરાતી સાહિત્યમાં તે તે સાહિત્યસ્વરૂપના સાહિત્યના ગણનાપાત્ર ન્હાનાલાલી નમૂના બન્યા છે. બીજી છાપ એ કે આ એવા કવિ છે જેણે સાહિત્યસર્જનને આમાભિવ્યક્તિની નિજાનંદી પ્રવૃત્તિ સાથે પ્રજાહદયના સંસ્કરણનું લોકકલ્યાણકારી જીવનકર્તવ્ય માન્યું હતું. પૂર્વ અને પશ્ચિમ બેઉની સંસ્કૃતિઓએ કરેલા એમના મનઘડતરે, શેલી ટેનિસન આદિની કવિતાઓ તથા મૈથ્ય આર્નલ્ડ કાર્લાઇલ આદિએ શીખવેલી કાવ્યભાવનાએ કે કવિધર્મના આદશે, તેમ જ અંતઃસ્થા ધાર્મિકતાએ એમને એક વિશિષ્ટ દર્શન કે જીવનદષ્ટિ સંપડાવી હતી, જેણે તેમને પ્રેમ-ભક્તિ કવિનામ પિતાને માટે પસંદ કરવા પ્રેરી, તેમના સમગ્ર સર્જનાત્મક તેમ બોધાત્મક સાહિત્યમાં આરંભથી અન્ત લગી એકધારી સુસંગત રીતે અનુપૂત રહી, તેમને “રસ” અને “પુણ્યના કવિ કે “સુંદરની સાથે “સત્ય” અને “શિવનું યુગપત ગાન કરનારા કવિ બનાવ્યા છે. “મીઠું લાગે” અને “જીવ્યું જીત્યું લાગે એવું સાગર પાસે ચંદાએ અપેક્યું તેવું ગાન કવિએ પોતે જ કર્યું છે. જીવ્યું મીઠું લાગે, સુંદરતાના સાત્ત્વિક ઉપભેગથી; એ જીત્યું લાગે સત્ય ને શિવની ઉપાસનાથી. એમનું સમય સાહિત્ય એમણે બ્રહ્મજન્મ” કાવ્યમાં સંક૯પેલા રાહે જ ચાલ્યું છે અને આનંદ તથા પ્રકાશનું દાતા બન્યું છે. તેમાં એમના ઉજજવળ ભાવનાદેહની છબી બરાબર ઊપસે છે. ત્રીજી છાપ એમના સાહિત્યના અભ્યાસને આધારે એ પડે છે કે એમની સર્જકતાને બહાર એમના પચાસ વર્ષના. સાહિત્યસર્જનમાં પહેલાં પચીસ વર્ષમાં પૂર ખીલી ચૂક્યો હતો અને પછીનાં પચીસ વરસમાં એથી કોઈ વિશેષ વિકાસ એનો થયો દેખાતો નથી. એમની કલમ ચાલતી જ રહી છે, “વિશ્વગીતા', “ગાપિકા', બે મુગલ નાટકે, “કુરુક્ષેત્ર”, “સારથિ', હરિસંહિતા' જેવી કૃતિઓ એમની પાસેથી એમના કવનકાળના ઉત્તરાર્ધ માં મળતી રહી છે, પણ એમાં કવિને સંદેશ, ભાષા અને અભિવ્યક્તિ લગભગ એનાં એ જ રહ્યાં છે, કોઈ તાત્વિક પરિવર્તન કે પ્રગતિ દેખાડતાં નથી. સફળ નીવડેલા કલાકારોને સાહિત્યકારો પછી પોતાનું જ અનુકરણ કરતા હોય છે તેમ ન્હાનાલાલે પણ કરી કૃતિસંખ્યા વધારી ધૂળ કે બાહ્ય વિપુલતા અને વિવિધ્ય લાવ્યાને દેખાવ કર્યો છે એટલું જ. આમ છતાં, મોટા ગજાના કવિ હોઈ, એમની ઉત્તર
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪]. ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ વયની કૃતિઓમાં પણ સળંગ રીતે નહિ તે અવારનવાર સહદયને ખુશ કરી દે એવો એમનો અસલી પ્રતિભાઝબકાર ઝબકી જતે અનુભવાય છે. પિતે પિતાને અતિક્રમી જઈને આગલી સિદ્ધિનેય ઝાંખી પાડે એવી નવી કે મોટી સિદ્ધિ ઓછી દેખાડે છે એટલું જ તાત્પર્ય છે. પણ આવી કથા તે આપણા ઘણું અર્વાચીન સફળ સર્જકે માટે પણ કરવાની હોય છે.
- ન્હાનાલાલ કવિતામાં પદ્યના માધ્યમની બાબતમાં પ્રણાલિકાનુસરણ જેટલું જ પ્રણાલિકાભંજકનું બંડખોર માનસ બતાવે છે, સુધારકતા દેખાડે છે એટલી જ રૂઢ પ્રણાલિકાની ઊજળી બાજુય બતાવે ને ક્યારેક પુરસ્કાર પણ છે, સ્વાતંત્ર્યના હિમાયતી છે એટલી જ શીલ-સદાચારની - સંયમ-નિયમના બંધનની વાત કરે છે. એમનામાં ઉદાર સમન્વય-દષ્ટિ કે “વિશાળી વૈષ્ણવતાનું પ્રાબલ્ય હોઈ આમ બને છે. તેમના સાહિત્યમાં રોમેન્ટિક સાથે કલાસિકલ વૃત્તિ, પ્રગતિશીલતા સાથે સંરક્ષકતા, નવીનતા સાથે પ્રાચીન પૂજ, સુભગ સૂત્રાત્મક ઉક્તિલાઘવ સાથે શબ્દાળુ પ્રસ્તાર, નિર્વ્યાજ સરળતા સાથે આડંબર, સાચાં લાલિત્ય અને ભવ્યતાની સાથે જ એ બેઉની સિદ્ધિ માટેની સુંઘી શાબ્દિક યુક્તિઓ, ભવ્યતા સાથે પ્રાપ્તતા, કાત્કર્ષ હેતુ બનતી વાગ્મિતા સાથે કાવ્યોપકર્ષ કારક બનતી વાગ્મિતા, શિષ્ટ સંસ્કારી કાવ્યોચિત વાણુ સાથે તળપદા શબ્દપ્રયોગ, નિયમબદ્ધ સુંદર પદ્યરચના સાથે પિંગળના નિયમોમાં લીધેલી અસુભગ છૂટે, નવસર્જનની તાજગી સાથે શિલીદાસ્ય, એમ પરસ્પર વિરોધી તોય ઘણાં જોવા મળે છે. ન્હાનાલાલના સાહિત્યસર્જનને આસ્વાદતી અને મૂલવતી વેળાએ એમની ઊજળી-નબળી બાજુઓનાં મૂળ સુધી પહોંચી તેમની શક્તિ અને મર્યાદાને કે ગુણે અને કચાશને ખાં પાડીને જોવાની તર-તમ-વિવેકની જરૂર કેટલી મોટી છે તે આ ઉપરથી સમજાય છે. એવા વિવેકનાં ચશ્માંથી જેનારને એ સમજાઈ ગયા વિના નહિ રહે કે ન્હાનાલાલના ગુણો અને દેષો એમના મસ્તવેગી કાવ્યદ્રકની સહજ નીપજ છે, એમનું ગુણપાસું દેષપાસા કરતાં ચડિયાતું અને એમના કેટલાક દેશે તે સમર્થના દે કે ખલન હાઈ ક્ષમ્ય કટિમાં મુકાય તેવાં છે. ગમે તેવી આકરી કસોટીએ કસ્યા પછી ન્હાનાલાલની કવિપ્રતિભાને તે નિઃસંકોચ સ્વીકાર કરવાને રહેવાને.
ન્હાનાલાલે પિતાને મહોરેલા દલપતરામ કહ્યા છે, તે એમની જેમ પોતે ક્રાન્તિપક્ષી નહિ પણ વિકાસ(evolution)વાદી અને શીલ-સંયમ-સદાચારના તેમ જ જૂના-નવાના સમન્વયના પુરસ્કર્તા હોવાને લીધે, અને પિતાનું સર્જન પણુ પ્રજાહદયને સંસ્કાર શિક્ષણ આપવાનું હોવા વિશેની સભાનતાને લીધે. વળી,
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૯૫
· પ્રૂ. ૨]
ભૂતપ્રેતના વહેમ અને સ્રોશિક્ષણ વિધવાવિવાહ જેવી બાબતમાં તેમને દેશકાળ જોતાં દલપતરામ જેમ સુધારક હતા, તેમ ન્હાનાલાલે પણુ સામાજિક રૂઢિલગ્નને સ્થાને સ્નેહલગ્નની અને દેહલગ્નની વિધવાને માટે પુનર્લગ્નની હિમાયત કરીને તેમ જ પાતે બ્રહ્મસમાજી-પ્રાર્થનાસમાજી સુધારકતા પેાતાના અંગત વનમાં ભાજન તિલક દેવદર્શીન તનિયમાદિ પરત્વે દેખાડી અત્યજ પરિષદના પ્રમુખ પણ બનવામાં પ્રગટ કરી હતી, જેને દલપતરામની સુધારકતાનું અર્વાચીનતામાં આગળ વધેલા દેશકાળમાં ન્હાનાલાલને હાથે થયેલું વિસ્તરણ જ કહેવાય. મ્હારેલા એટલે વિકસેલા, આગળ વધેલા, દલપતરામ તરીકે પેાતાને આળખાવવામાં ન્હાનાલાલને આશય પેાતાની પિતા પરની સરસાઈ બતાવવાને નહિ, પણ પેાતે એમના જ કાઈને, એમની જ ભાવના કે જીવનદૃષ્ટિને એમની ગુજરાતસેવાને ચાલુ રાખી લંબાવી રહ્યા છે એમ સૂચવી પિતાની સંસ્કારસેવાનું ગૌરવ કરવાના હતા એ સ્પષ્ટ છે. આ રીતે જોતાં કવિનું એ વિધાન સાચું કહેવાય. બાકી, અંતઃપ્રકૃતિએ તા ન્હાનાલાલ પિતા દલપતરામ જેવા સ્વસ્થ, ઠાવકા અને વ્યવહારુ શાણપણવાળા પુરુષ કરતાં સ્વાતંત્ર્યપ્રિય, આત્મપ્રેમી, અને સાહસપ્રિય નર્મદના જેવા વિશેષ હતા. એમનુ એ ‘રામૅન્ટિક’ સ્વભાવલક્ષણ એમના સાહિત્યસર્જનમાં એમની અભિવ્યક્તિમાં અને સાહિત્યિક સાહસપ્રયાગામાં વ્યક્ત થયા વિના રહ્યું નથી.
ન્હાનાલાલ
ગેાવનરામે જે ગદ્ય દ્વારા કર્યુ. તે કવિતા દ્વારા કરવાના પેાતાના મનારથની કવિએ વાત કરી છે. એમની કૃતિઓ વાંચતાં ઘણી વાર ‘સરસ્વતીચંદ્ર’ યાદ આવી જાય. ગાવનરામના જ સંદેશને કવિ પેાતાનાં કાવ્ય-નાટકાદિમાં પેાતાની લાક્ષણક ઢબે રજૂ કરતા હાય કે અનેક વિસ્તારતા કે લંબાવતા હાય એમ બતાવનારાં પ્રમાણુ અભ્યાસીઓને મળી આવે તેમ છે. ન્હાનાલાલની સ્નેહલગ્ન ને આત્મલગ્નની ભાવના સરસ્વતીચંદ્ર અને કુમુદની પ્રણયકથામાંથી સ્ફુરતા ગેાવનરામના સંદેશની જ વાહક છે. ન્હાનાલાલનેા કામ અને પ્રેમ વચ્ચેને ભેદ એ ગાવ નરામના સ્નેહમુદ્રા'માંના મદન અને રતિ વચ્ચેના ભેદનું તથા એમની આત્મલગ્નની ભાવના ‘સરસ્વતીચંદ્ર'માંની સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતની ગાવર્ધનરામની ભાવનાનું શબ્દાન્તર જ છે. ‘જયા-જયન્ત’ તા ‘સરસ્વતીચંદ્ર'ને નજર સમક્ષ રાખી લખાયેલું નાટક છે. એના અન્તભાગમાં નાયકનાયિકાનું મિલન અને ભાવિ જીવનની તેમણે નક્કી કરેલી દિશા સરસ્વતીચંદ્ર અને કુમુદની પ્રણયકથાના ગાવ નરામે નિરૂપેલા ઉકેલનું જ કવિશાઈ રૂપાન્તર છે. સરસ્વતીચંદ્રની માફક ન્હાનાલાલનાં કેટલાંક નાટકાના અને એજ અને અગર' જેવાં
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ 4*. ૪
કાવ્યાના નાયકે પ્રેમીએમાંથી જોગીઓ અને લેાકસેવા અનતા હૈાય છે. સ્નેહ પેઠે સેવાની, લેાકસંગ્રહની, ભાવના પણ ગેાવર્ધનરામની પાસેથી ન્હાનાલાલ પાસે આવી હાય. એમનાં નાટકામાં નાયક-નાયિકાને સેવાનાં ભેખધારી બનાવતાં અને તેમને પ્રેરણા, સલાહુ કે માÖદર્શન આપતાં, તેમનાં પ્રેય અને શ્રેયની સંભાળ રાખતાં મહાત્મા કે ગુરુ જેવાં પાત્રા ગેાવનરામનાં વિષ્ણુદાસ મહુત ને ચંદ્રાવલી મૈયાની કવિને આવડી તેવી અનુકૃતિએ લાગે. ન્હાનાલાલની સ્વદેશભક્તિ ગાવ નરામની જ કેડીએ ચાલતી દેખાય. ઇન્દુકુમાર અને નેપાળી જોગણુના જગાત્રાના અભિલાષ અને તદ્દન તર કરવાની દેશસેવાના સંકલ્પમાં ગાવનરામની કલ્યાણગ્રામનીયેાજના પાછળની ભાવના કામ કરતી જણાય. સ્નેહ, ત્યાગ અને દેશસેવા-જનસેવાની પેઠે ગાવર્ધનરામની પૂર્વ અને પશ્ચિમના સમન્વયની ઉદાર દૃષ્ટિ પણ ન્હાનાલાલમાં આધે ઊતરી છે. અલબત્ત, એમના ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસના અને એમના અધ્યાપને ફાળા પણ એમાં એછે નહિ. ન્હાનાલાલ પણુ ગાવનરામ જેવા જ જગતને અલક્ષ્ય પરમાક્તિનું અનુપેક્ષણીય લક્ષ્ય સ્વરૂપ અને તેથી સત્ય માનનારા આસ્તિક વૈષ્ણવ છે, અને તેથી સંસારના સ્વીકાર સાથે કરવાના પુરુષાર્થીના સંદેશવાહક છે. ન્હાનાલાલને આથી ગાવનરામને વિસ્તાર અથવા (તેમનું માનસ, વાણી અને નિરૂપણરીતિ કવિનાં એટલે) અમુક અંશે ગાવ નરામની કાવ્યાવૃત્તિ કહેવાનું મન થાય તેવું છે.
એમ ત। બંગાળના, ભારતના અને જગતના કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું સ્મરણ કરાવે એવું પણ આ ગુર કવિવરમાં ઘણું જોવા મળે, જગતને પરમાત્માની એકમાંથી અનેક થઈ મહાલવાની લીલા તરીકે તંદુરસ્ત સ્વીકાર, રસની (આનંદની, સૌંદર્ય તત્ત્વની) ઉપાસના, ઊંડી આસ્તિકતા, પ્રેમ અને ભક્તિની કવિતા, સ્વ-સંસ્કૃતિની ભક્તિ બનતી સ્વદેશભક્તિ, ભારતીય ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મસાધના અને સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વાનું પાચન અને એનું પુરસ્કરણ, વિશ્વદૃષ્ટિ કે વૈશ્વિકતા, અને ઉત્કૃષ્ટ કક્ષા અને માત્રાની ઊર્મિકાવ્યના કવિની પ્રતિભા - આ બધી બાબતામાં તેમનું સરખાપણું તરત નજરે ચડે એવું છે. ભારતનાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને સ ંસ્કૃતિએ આપેલી દૃષ્ટિ અને પ્રવર્તાવેલાંપ્રમેાધેલાં સત્ય અને મૂલ્યે! આત્મસાત્ થઈ બંને કવિવરાની પાતપાતાની અનન્ય દશ લાક્ષણિક વિશિષ્ટ કવિ-વાણીમાં ઉદ્ઘાષિત થયાં છે. રવીન્દ્રનાથે અંગભંગ અને સ્વદેશી આંદાલન વેળા બહાર આવી ભાગ લીધેા હતા, પણ પછીનું વાતાવરણ પાતાની પ્રકૃતિને માફક આવે એવું ન જોતાં ખસી ગયા
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
હતા તેમ છતાં અસહકાર આંદોલનના પ્રારંભકાળે બ્રિટિશ સત્તાનું વરવું રૂપ જતાં પોતે “સરનો ખિતાબ પરદેશી સરકારને પરત કરી દીધા હતા). ન્હાનાલાલે પણ ઊંચી સરકારી નોકરીને તે આંદોલનની હવામાં ત્યાગ કરી દીધું હતું, પણ પછી પિતાની પ્રકૃતિને માફક આવે એવું વાતાવરણ ન ભાળતાં કોરે ખસી જઈ તેઓ નિત્યના ધર્મ-કર્મ જેવા શારદા-યજ્ઞમાં જ લાગી ગયા હતા.
પણ આવા સામ્યને કારણે ન્હાનાલાલને જેમ રવીન્દ્રનાથના શિષ્ય કે નકલકાર કહી શકાય તેમ નથી, તેમ એમને દલપતરામ કે ગોવર્ધનરામ પણ કહેવાય એમ નથી. એમનું સત્વ અને કવિવ્યક્તિત્વ તથા એનું પિત એ બધાથી નિરાળાં, એમનાં પિતાનાં જ છે. એમની વિશિષ્ટતાઓ તેમ મર્યાદાઓ એમની જ પોતાની છે. રવીન્દ્રનાથના કવિ તરીકેના ઘડતરમાં ઉપનિષદે, કબીરનાં પદ અને બાઉલવાણની અસર હોવા છતાં તેમની કવિતા એટલે આ ત્રણ વાનાંને સરવાળે એમ કહી શકાય એમ નથી, રવીન્દ્રનાથની નિજી સંપત્તિ ઓછી નથી. એ રીતે બહાનાલાલ એટલે દલપતરામ, ગોવર્ધનરામ અને ટેનિસનનો સરવાળો જ, એમ કહી શકાય તેમ નથી. તેમનું નિજત્વ પણ કમ નથી. એ એમને ગુજરાતી કવિતાના ઈતિહાસમાં એક મહત્વના પ્રકરણના અધિકારી બનાવે એવા સમર્થ પ્રતિભાશાળી કવિનું છે. એવી સમર્થ પ્રતિભા પિતાને સમય સુધીની પરંપરાને વારસો પૂરો ઝીલી-પચાવી આત્મસાત કરે, પોતાના જમાનાને પોતાની તરફથી કશુંક નવું વિશિષ્ટ પ્રદાન કરે, અને તે એવું કરે કે અનુગામી સહધમી-સહકમીએ પર તે અમુક કાળ પર્યન્ત પ્રભાવક અસર પણ પાડે. ન્હાનાલાલ આ ત્રણે આવશ્યકતાઓ સંતોષે છે. જમાનાજને કાવ્યવારસો પચાવી નરસિંહ, મીરાં, દયારામ, આદિ મધ્યકાલીન કવિઓનાં પદે, ભજનિકનાં ભજન, ગરબીઓ, રાસડા તથા લોકગીતોના તેમ જ સમકાલીન ગુજરાતી રંગભૂમિનાં લોકપ્રિય ગીત-ગરબાના ઢાળોના સંગીતને ઉપયોગ એમના જેટલો એમના સમકાલીને કે નજીકના અનુગામી ગુજરાતી કવિઓમાંથી કોઈએ કર્યો નથી. આમ જૂની પરંપરાને પિતાની કરી લેવામાં જૂનાં ભાવપ્રતીકનાય સુભગ વિનિયોગથી જૂની લોકકવિતા અને તેની સાંસ્કૃતિક હવા પોતાની ગીતરચનાઓમાં ન્હાનાલાલ લહેરાવી શકે છે. ધીમે ધીમે રાજવળાં ! પધારો', “એવાં શાં આળ રાજ ! માયા ઉતારી ?', “હું તો જેગણું બની છું હારા હાલમની”, “જાવા દ્યો જોગીરાજ', “નાવ્યા એ નણદલના વીરા, જેઠ હારા મહાજનના મહેડવિયા જે !”, “એ રત આવી, ને રાજ! આવજે, રમવાને હાં રૂડું ચાલ, મારા હાલમાં !”, “ખમ્મા ! વીરાને જાઉં વારણે રે
ગુ, સા ૭
Page #107
--------------------------------------------------------------------------
________________
હ૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ લેલ”, “સુજાણ! તમે શાં શાં જાણ્યાં રે ?”, “જાણતલ જોગી ! કાંઈ આવડયા અક્ષર લખજો જે, “સોનાવાટકડી ને રતનજડેલી રણ કેરા રંગ ત્યાં ઘોળાય, કસુંબલા કીધા નહેલિયા”, “હે ! બેંગિયે વાગ્યો તે ઢેલ', “કું જે બોલે મેરલે, હારે હૈયે નણદલવીર', ધણ વાળીને વળશે મહારે કન્જડ જોબનવેશ, “રે હેડાવત લાડણ, પિયરપનેતાં સાસર સંચરો' જેવી અનેક પંક્તિઓ તેમ જ “વીરની વિદાય', “કસુંબલા” અને “કાઠિયાણીનું ગીત જેવાં કાવ્યો એ કહેવા લાગશે. છેલ્લાં ઉલેખેલાં ત્રણ કાવ્યમાં તો જૂને સામંતશાહી જમાને કવિ તાદશ ખડે કરી દે છે. પણ “સુન્દરમે આથી ન્હાનાલાલની સમગ્ર કવિતાને આજના અર્વાચીન યુગમાં પ્રાચીન મધ્યકાલીન યુગની કવિતાને આવિર્ભાવ અને તેમના જીવનદર્શનને તથા માનસને “મધ્યકાલીન યુગની નીતિરીતિ અને દાઝ સાથે વધારે સામ્ય ધરાવતાં કહી નાખ્યાં છે એ અભિપ્રાય ચિન્ય કોટિને છે. ન્હાનાલાલ પરંપરાને પચાવી બેઠા છે અને તેમાંય ધારે ત્યારે સુંદર રચનાઓ કરી શકે છે એટલું જ એમાંથી તારવાય. બાકી, એવા જૂના ઢાળમાં નવા ભાવો નવી વાણીમાં ગાઈ પિતાની આગવી વ્યક્તિમત્તા એમણે ઓછી બતાવી નથી.
પરંપરા પર પ્રભુત્વ દાખવી તેનેય નવી કવિતામાં સુભગતાથી પ્રયોજનાર એના એ જ કવિ પિતાનું નવું આગવું પ્રસ્થાન સર્જકતાને જેરે કરી દેખાડનાર પણ મોટા પ્રમાણમાં બન્યા છે. કાવ્યભાષા (Diction), છેદનાં મિશ્રણ, અલં. કાર, કલ્પના, ધ્વનિ વગેરેમાં પુરોગામી તેમ સમકાલીન કવિછંદમાં અનોખી વિશિષ્ટતા અને વિલક્ષણતા ચમકાવનાર મહાનાલાલ કવિતા તથા ગદ્યના જે જે સાહિત્યપ્રકાર પેતે હાથ ધર્યા છે તેમાં બધામાં, આગળ જોયું તેમ, સ્વકીય મુદ્રા ઉપસાવી છે. ડોલનશૈલી, એમાં લખાયેલાં ભાવપ્રધાન નાટકે તથા એમની ક૯૫નાપુત્રી પાંખડીની કૂલપરબની જેમ એમની “રાસ-નામી ઊર્મિગીતાની એમના સમગ્ર સાહિત્યમાં એમણે માંડેલી પરબ તે એમની વિશિષ્ટ દેણગી છે જ; પણ “ઉષા” ને “સારથિ વિના તેમ જ “કુરુક્ષેત્ર” ને “હરિસંહિતા' વિના ગુજરાતી સાહિત્ય એટલા પૂરતું ઊણું જ રહેત. ત્રીજી પ્રભાવ કે અસરની વાત. એ બાબતમાં એ સહેલાઈથી સિદ્ધ કરી શકાય તેમ છે કે ગાંધીયુગના ઘણું અગ્રગણ્ય અનુગામી કવિઓએ એમના કવનના પ્રારંભકાળમાં ન્હાનાલાલની કવિતાને જદુ અનુભવી તેને આંબવા-અનુકરવા પ્રયાસ કર્યો છે. એ કવિઓના સ્વમુખીય ઉદ્દગારો-એકરારોથી તેમ તેમની કવિતામાંથી ટાંકીને એ બતાવી શકાય તેમ છે. રાસનાં તે અનેક લેખક લેખિકાઓ નેહાનાલાલના રાસની ધ્રુવપંક્તિઓનું શબ્દફેરે ઘૂંટામણ જ કરતાં જણાયાં છે. ખબરદાર અને બેટાદકરને રાસ લખવા તરફ વાળવામાં ન્હાનાલાલના રાસને ફાળો ઓછો નહિ. કવિની ડોલનશૈલી તેમ નાટકે ઝાઝું
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૦ 1
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ'. ૪
ભારતીય સંસ્કૃતિનાં સર્વાં ઉત્તમ તત્ત્વના પુરસ્કર્તા તરીકે અને ઉત્તમ ગુજરાતભક્ત ગુજરાતી કવિ તરીકે ન્હાનાલાલનુ` સ્થાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નિશ્ચિત અને ગુજરાતની પ્રજાના હૃદયમાં પણ તેવુ" કાયમ રહેશે. તેમનું કેટલુક સર્જન ગુજરાતી ભાષાની ચિરંજીવ મૂડી છે.
ટીપ
6
૧. અર્ધ શતાબ્દીના અનુભવખેાલ’, પૃ. ૨૪. ૨. વીશ્વર દલપતરામ' ભાગ ૩, પૃ. ૨૫૪. ૩. કવીશ્વર દલપતરામ' ભા. ૨, ઉત્તરા, પૃ. ૨૯૨-૯૩. ૪. કવીશ્વર દલપતરામ’ ભા. ૩, પૃ. ૨૬૯, ૫. ‘અધ શતાબ્દીના અનુભવખેાલ', પૃ. ૪૧. ૬. ‘ગુરુદક્ષિણા’, પૃ. ૪૨, ૭. કેટલાંક કાવ્યેા' ભા. ૨, અણુ. ૮. ‘ગુરુદક્ષિણા’, પૃ. ૨૯. ૯. ‘અધ શતાબ્દીના અનુભવખેાલ', પૃ. ૩૬ અને ૪૦. ૧૦. ‘ગુરુદક્ષિણા', પૃ. ૪૧-૪૨. ૧૧. ડૉ. માર્ટિનાની ‘ટાઇપ્સ' ભણવાની હતી. ‘સ્ટડી આફ રિલિજિયન', સીટ આફ ઑથેરિટી' ને ‘સમન્સ’ વાંચ્યાં. ભાગવત ધમ'ની ઊંડી છાપ પડી ભાવની, સુંદર શૈલીની.’(‘અશતાબ્દીન અનુભવખાલ’, પૃ. ૪૪) ૧૨. જુએ ‘ન્હાનાલાલ અને પ્રાથનાસમાજ' (‘ન્હાનાલાલ-રાતાખ્રી સ્મૃતિ વિશેષાંક, ‘ગ્રંથ', જૂન ૧૯૭૭). ૧૩. ‘હરિસંહિતા' ગ્રંથ ૧, પ્રસ્તાવના, પૃ. ૭. ૧૪. ‘ન્હાનાલાલ સુવણ મહેાત્સવ અક’-‘કૌમુદ્રી’માંનેા લેખ ‘કવિ ન્હાનાલાલ – વિદ્યાધિકારી તરીકે (પાપટલાલ અંબાણી). ૧૫. ‘બાળકાવ્યા' (૧૯૩૧); પ્રસ્તાવના, પૃ. ૯-૧૦. ૧૬. ‘કવિવરની પ્રતિભા અને કુરુક્ષેત્રનું મહાકાવ્ય' (રસિકલાલ છે. પરીખ), પ્રકા॰ મહાકવિ ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ, પૃ. ૯. ૧૭. એજન, પૃ. ૯૩-૯૪, ૧૮, ...What is most suggestive and elusive is either altogether lost or hopelessly vulgarised in a theatre ... Truly most of the world's great plays are for mental performance alone... Either the plays of the Greeks are not plays at all or we must consider them as fit only for the theatre of the mind.' (Barrett H. Clark). ૧૯. ઇન્દુકુમાર-૧’ના પહેલા પ્રવેશની પાછળ કવિએ આપેલી ટીકામાંથી. ૨૦. ‘જયાજય’ત’ અંક ૩, પ્ર. ૩. ૨૧. ‘સ’સારમન્થન’, પૃ. ૫૧૬ ૧૧, ૧૫૬, ૨૨. ‘સ’બેાધન’, પૃ. ૧૦૦, ૧૩૬. ૨૩. ‘ઉદ્દેાધન', પૃ. ૧૮૧૬ ૨૦૮. ૨૪. ‘મુંબઈમાંના મહેાત્સવ', પૃ. ૪૯; ૧૦૩. ૨૫. મણિમહાત્સવના સાહિત્યખાલ’ ભા. ૧, રૃ, ૧૭૬ ૧૪૭. ૨૬. ‘સાહિત્યમ’થન’; નવલરામભાઈ’ (‘આપણાં સાક્ષરરત્ના’ ભા. ૨). ૨૭. ‘આપણાં સાક્ષરરત્ના’ ભાગ. ૨, પૃ. ૪૭, ૨૮. ‘સાહિત્યમ’થન’, પ્રસ્તાવના, પૃ. ૧૩; અથવા, ‘પ્રસ્તાવમાળા”, પૃ. ૪૮, ૨૯. ‘આપણાં સાક્ષરરને’, ભાગ ૨, પૃ. ૩૫-૩૬. ૩૦. ‘દલપતવ’શની કાવ્યેાપાસના’-વ્યાખ્યાન ૧૯૪૪. ૩૧. ‘સાહિત્યમ’થન', પૃ. ૧૮૫-૮૬, ૩૨. ‘અધ શતાબ્દીના અનુભવભેાલ', પૃ. ૬૦, ૩૩. ‘આપણાં સાક્ષરરત્ન' ભાગ ૨; પૃ. ૧૭૦. ૩૪. અર્ધ શતાબ્દીના અનુભવબેલ', પૃ. ૬૫, ૫૯. ૩૫. આપણાં સાક્ષરરને’ ભાગ ૧, પૃ. ૧૩૪, ૩૬, ગુજરાતને અર્વાચીન મહાકવિ’ ‘પ્રસ્થાન’, ૧૯૪૬: કવિતા મૃત્યુ પછી લખાયેલ અંજલિલેખ. ૩૭. ‘શૈલી અને સ્વરૂપ', પૃ. ૨૦૧, ૨૦૩. ૩૮. એજન, પૃ. ૨૨૫. ૩૯. ‘ન્હાનાલાલ શતાબ્દી ગ્રંથ' (પ્રકા. ગુજરાત યુનિવર્સિટી), પૃ. ૧૨૬, ૪૦. સાહિત્યમ’થન', પૃ. ૬૩; ‘કવીશ્વર ક્લપતરામ’ ભા. ૧, પૃ. ૧૫૮-૫૯. ૪૧. અર્વાચીન કવિતા' પૃ. ૨૬૨-૬૩
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
['. ૪
ભારતીય સંસ્કૃતિનાં સર્વાં ઉત્તમ તત્ત્વના પુરસ્કર્તા તરીકે અને ઉત્તમ ગુજરાતભક્ત ગુજરાતી કવિ તરીકે ન્હાનાલાલનું સ્થાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નિશ્ચિત છે અને ગુજરાતની પ્રજાના હૃદયમાં પણ તેવું કાયમ રહેશે. તેમનુ કેટલુંક સર્જન ગુજરાતી ભાષાની ચિરંજીવ મૂડી છે.
ટીપ
:
૧. ‘અધ શતાબ્દીના અનુભવષેાલ’, પૃ. ૨૪. ૨. કવીશ્વર દલપતરામ' ભાગ ૩, પૃ. ૨૫૪. ૩. ‘કવીશ્વર દલપતરામ' ભા. ૨, ઉત્તરાધ', પૃ. ૨૯૨-૯૩. ૪. ‘કવીશ્વર દલપતરામ’ ભા. ૩, પૃ. ૨૬૯, ૫. ‘અશતાબ્દીના અનુભવખેલ’, પૃ. ૪૧. ૬. ‘ગુરુદક્ષિણા’, પૃ. ૪ર. ૭. કેટલાંક કાન્યા' ભા. ૨, અણુ. ૮. ‘ગુરુદક્ષિણા’, પૃ. ૨૯. ૯. ‘અર્ધ શતાબ્દીના અનુભવખેલ', પૃ. ૩૬ અને ૪૦. ૧૦. ‘ગુરુદક્ષિણા', પૃ. ૪૧-૪૨. ૧૧. હૅો. મનેાની ‘ટાઇપ્સ’ ભણવાની હતી. ‘સ્ટડી આફ રિલિજિયન’, ‘સીટ ઑફ ઑથેરિટી' ને ‘સમન્સ’ વાંચ્યાં. ભાગવત ધર્મની ઊંડી છાપ પડી ભાવની, સુંદર શૈલીની.' (‘અર્ધ શતાબ્દીના અનુભવખેાલ’, પૃ. ૪૪) ૧૨. જુએ ‘ન્હાનાલાલ અને પ્રાથનાસમાજ' (ન્હાનાલાલ-શતાઠ્ઠી સ્મૃતિ વિશેષાંક, 'ગ્રંથ', જૂન ૧૯૭૭). ૧૩. ‘હરિસ`હિતા' ગ્રંથ ૧, પ્રસ્તાવના, પૃ. ૭. ૧૪. ન્હાનાલાલ સુવણ મહાત્સવ અક’-કૌમુદી’માંના લેખ ‘કવિ ન્હાનાલાલ – વિદ્યાધિકારી તરીકે” (પાપટલાલ અખાણી). ૧૫. ‘બાળકાવ્યા' (૧૯૩૧); પ્રસ્તાવના, પૃ. ૯-૧૦. ૧૬. ‘કવિવરની પ્રતિભા અને કુરુક્ષેત્રનુ` મહાકાવ્ય’ (રસિકલાલ છે. પરીખ), પ્રકા॰ મહાકવિ ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ, પૃ. ૯. ૧૭. એજન, પૃ. ૯૩-૯૪. ૧૮. ...What is most suggestive and elusive is either altogether lost or hopelessly vulgarised in a theatre ... Truly most of the world's great plays are for mental performance alone... Either the plays of the Greeks are not plays at all or we must consider them as fit only for the theatre of the mind.' (Barrett H. Clark). ૧૯. ઇન્દુકુમાર-૧’ના પહેલા પ્રવેશની પાછળ કવિએ આપેલી ટીકામાંથી, ૨૦. ‘જયા જય’ત’ અ’ક ૩, પ્ર. ૩. ૨૧. ‘સ’સારમન્થન', પૃ. ૫૧૬ ૧૧; ૧૫૬. રર. ‘સ’બેાધન’, પૃ. ૧૦૦, ૧૩૬. ૨૩. ‘ઉદ્દેાધન', પૃ. ૧૮૧૬ ૨૦૮, ૨૪: ‘મુખઈમાંના મહેાત્સવ', પૃ. ૪૯; ૧૦૩. ૨૫. ‘મણિમહે।ત્સવના સાહિત્યમેાલ' ભા. ૧, પૃ, ૧૭૬ ૧૪૭. ૨૬. ‘સાહિત્યમ’થન’; ‘નવલરામભાઈ’ (‘આપણાં સાક્ષરરના’ ભા. ૨). ૨૭. ‘આપણાં સાક્ષરરત્ના’ ભાગ. ૨, પૃ. ૪૭, ૨૮. ‘સાહિત્યમથન’, પ્રસ્તાવના, પૃ. ૧૩; અથવા, ‘પ્રસ્તાવમાળા', પૃ. ૪૮, ૨૯. ‘આપણાં સાક્ષરરત્ન', ભાગ ૨, પૃ. ૩૫-૩૬. ૩૦. ‘દલપતવ’શની કાવ્યેાપાસના’-વ્યાખ્યાન ૧૯૪૪. ૩૧. ‘સાહિત્યમ’થન', પૃ. ૧૮૫-૮૬, ૩૨. ‘અધ શતાબ્દીના અનુભવભેાલ', પૃ. ૬૦, ૩૩. આપણાં સાક્ષરરત્ના' ભાગ ૨; પૃ. ૧૭૦, ૩૪, અર્ધ શતાબ્દીના અનુભવબેલ', પૃ. ૬૫, ૫. ૩૫. આપણાં સાક્ષરરત્ના' ભાગ ૧, પૃ. ૧૩૪, ૩૬, ગુજરાતને અર્વાચીન મહાકવિ’ ‘પ્રસ્થાન’, ૧૯૪૬: કવિતા મૃત્યુ પછી લખાયેલ અંજલિલેખ. ૩૭. ‘શૈલી અને સ્વરૂપ', પૃ. ૨૦૧, ૨૦૩. ૩૮. એજન, પૃ. ૨૨૫. ૩૯. ‘ન્હાનાલાલ શતાબ્દી ગ્રંથ’ (પ્રકા. ગુજરાત યુનિવર્સિટી), પૃ. ૧૨૬. ૪૦. ‘સાહિત્યમથન’, પૃ. ૬૩; ‘કવીશ્વર દલપતરામ’ ભા. ૧, પૃ. ૧૫૮-૫૯. ૪૧. અર્વાચીન કવિતા' પૃ. ૨૬૨-૬૩
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩
ખબરદાર અને અન્ય કવિઓ ખબરદાર (૧૮૮૧-૧૯૫૩)
નાનપણમાં “પારસી બુચા કવિ” અને “આલુ કવિ' તરીકે જાણીતા થયેલા તથા ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં આરંભમાં ‘અદલ’ અને પાછળથી “મોટાલાલઆદિ ઉપનામથી કાવ્યો લખનાર અરદેશર ફરામજી ખબરદારને જન્મ ગુજરાતના દમણું ગામમાં ઈ. સ. ૧૮૮૧ના નવેમ્બરની છઠ્ઠી તારીખે રવિવારે થયો હતો.
અગાઉ હિંગવાળા અને સ્ટિવાળા' અટક ધરાવનાર એમના કુટુંબને પાછળથી બાહોશીથી “ખબરદાર' અટક મળી હતી. મુંબઈમાં અંગ્રેજી ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં દાખલ થતી વખતે “ખબરદાર' અટક તેમણે ધારણ કરી હતી. પ્રાથમિક શિક્ષણ દમણમાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું પરંતુ તેમને કોલેજ-અભ્યાસની તક મળી નહોતી, તેમણે દમણમાંના પિતાના ઘરની તથા ત્યાં વહેતી દમણગંગા નદીની જે સુંદરતા પિતાના એક કાવ્યમાં ગાઈ છે તેમાં તેમની વતનપ્રીતિ દેખાય છે. ઈ. સ. ૧૮૮૧થી ૧૮૯૧ સુધીને પ્રથમ દમણ વસવાટને તબક્કો એમના જીવનને ઘડતરકાળ હતો. ઈ. સ. ૧૮૯૧થી ૮૯૬ સુધીને એમને મુંબઈવસવાટ એમનો અભ્યાસકાળ હતો. ઈ. સ. ૧૮૯૭થી ૧૯૦૦ સુધીને એમને પુનઃ દમણવસવાટ એમને સ્વાધ્યાયકાળ હતો. ઈ. સ. ૧૯૦૯થી ૧૯૩૮ સુધીને મદ્રાસવસવાટને તબક્કો એમના જીવનને સુવર્ણકાળ હતું અને ઈ. સ. ૧૯૩૮થી ૧૯૫૩ સુધી મુંબઈ વસવાટને તબક્કો એમને જીવનના ઓસરતા પૂરને કાળ હતા. એમનું અવસાન ઈ. સ. ૧૯૫૩ની તા. ૩૦ જુલાઈના રોજ મદ્રાસ ખાતે થયું.
કાવ્યસર્જન વ્યવસાયે વેપારી એવા ખબરદાર મુખ્યત્વે કવિ છે અને ગુજરાતી સાહિત્યમાં એમનું વિશિષ્ટ અર્પણ કવિતાને ક્ષેત્રે જ છે. એમને કાવ્યાદર્શ દલપતરામથી પ્રેરાયેલે અને કંઈક અંશે પ્રાકૃત હતો. એમની સૌ પ્રથમ ગુજરાતી રચના “સે દૃષ્ટાંતિક દેહરા' ઈ. ૧૮૯૭માં અને છેલી રચના “કીર્તનિકા” ઈ. ૧૯૫૩માં રચાયેલી છે. આ બંને કૃતિઓની ભાષાને સરખાવતાં એમણે ભાષાદષ્ટિએ કરેલ વિકાસ સ્પષ્ટ થાય છે. એમનામાં પારસીભાઈ છાંટ ઘણી ઓછી છે. પહેલી અને છેલ્લી રચને વચ્ચેના ૫૬ વર્ષ જેટલા સર્જનગાળા દરમ્યાન તેમણે મલબારીકૃત
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[. ૪
‘સ’સારિકા’ તે ‘અનુભવિકા' નામથી પ્રેરિત ‘ઇકા' નામધારી અનેક સંગ્રહે। આપ્યા છે. કવિને પેાતાના સર્જનની વિપુલતા બતાવવાનેા શાખ હાય કે નહિ, પણ અનંતરાય રાવળ દર્શાવે છે તેમ ખબરદાર જાણ્યું કે અજાણ્યે ન્હાનાલાલની સાથે જ શરતઢાડમાં દાડચા છે.” આમ, સભાન કે અભાન અનુકરણથી કે અન્ય કારણથી સર્જનની વિપુલતા ખબરદારમાં પ્રાપ્ત થાય છે. ખબરદારની કવિતાના વિકાસને આલેખ અત્યંત ગતિશીલ છે. તેમની કવિતા બંધિયાર ખામેચિયા જેવી સ્થિર ધ્રુ સ્થિતિસ્થાપક નથી રહી, પણ સરિતાના પ્રવાહની જેમ પ્રગતિશીલ રહી છે. શૈલી, વિષય, ભાવ, ભાષા, પ્રકાર, છંદ અને રસની દૃષ્ટિએ સુન્દરમ્ કહે છે તેમ તેમને વિકાસ આપણે ત્યાં સૌથી વધારે આકર્ષક છે. તેમણે ઇ. ૧૮૯૭માં શામળ અને દલપતરામની ઢબે ‘સે। દૃષ્ટાંતિક દોહરા' લખ્યા, ‘કાવ્યરસિકા’(૧૯૦૧)માં દલપતશૈલીનું વધારે અનુસરણ કર્યું, ‘વિલાસિકા'(૧૯૦૫)માં નરસિંહરાવને અનુસરી પ્રકૃતિકાવ્યો આપ્યાં, ‘પ્રકાશિકા' (૧૯૦૮)માં કાન્ત અને કલાપીની શૈલીનાં ખંડકાવ્યો આપ્યાં, ‘ભારતનેા ટંકાર’ (૧૯૧૯), ‘સંદેશિકા’ (૧૯૨૫) અને ‘રાષ્ટ્રિકા’(૧૯૪૦)માં હરિ હ દ ધ્રુવ અને નર્મદની જેમ સ્વદેશભક્તિનાં ગીતા આપ્યાં પણ પાછળથી પેાતાની વિશિષ્ટ રીતિ તેમાં નિપજાવી લીધી, ‘રાસ દ્રિકા ભા. ૧-૨’ (૧૯૨૯, ૧૯૪૧)માં ખેાટાદકર ને ન્હાનાલાલને પગલે ચાલી રાસગરબા આપ્યા, ‘ભજનિકા' (૧૯૨૮), ‘કલ્યાણિકા' (૧૯૪૦) અને ‘કીર્તનિકા'(૧૯૫૩)માં ન્હાનાલાલની જેમ ભજને આપ્યાં, સૉનેટના પવન વાવા લાગ્યા ત્યારે ‘નંદનિકા’(૧૯૪૫)માં પેાતાની ઢબે પ્રભુપરાયણભાવથી યુક્ત પેટ્રાશાઈ ધ્વનિતા' આપ્યાં અને ‘ગુજરાતને તપસ્વી' અને બ્રહ્મદીક્ષા'ની ન્હાનાલાલની શૈલીનું કટાક્ષપૂર્ણ અનુકરણ કરી તેમણે ‘પ્રભાતને તપસ્વી’ અને ‘કુટદીક્ષા (બતે ૧૯૨૦) આપ્યાં. આમ, આન ંદશંકર ધ્રુવ કહે છે તેમ અ'ગ્રેજ કવિ સ્વિનબર્નની જેમ ખબરદાર દલપતરામ અને નર્મદાશંકરથી માંડી આજ સુધીની ગુજરાતી કવિતાના greatest common factor છે. પણ તેમનાં કાવ્યેા સાહિત્યમાંથી પ્રેરણા પામેલાં હાવા છતાં નકલિયાં નથી.૪ આ ઉપરાંત એમના અન્ય કાવ્યસંગ્રહે। છે : ‘કલિકા’ (૧૯૨૬), ‘દનિકા' (૧૯૩૧) ‘રાષ્ટ્રિકા’ (૧૯૪૦), શ્રીજી ઈરાનના પવાડા' (૧૯૪૨) અને ‘ગાંધીબાપુ' અને ‘ગાંધીબાપુના પવાડા' (૧૯૪૮).
વિષયવૈવિધ્ય : ખબરદારની કવિતામાં વિવિધતા ખાસ ધ્યાન ખેંચે છે. આ વિવિધતા કંઈ એક પ્રકારની જ નથી, પણ ભાવ, વિષય, છંદ, પ્રકાર અને રસ આદિ તત્ત્વ પરત્વે સારા પ્રમાણમાં છે. દલપતરામના ઉપાસક આ કવિએ વિષયની બાબતમાં ન`દ પાસેથી સ્વભાષાભક્તિ, સ્વદેશભક્તિ અને સ્વસાહિત્યભક્તિ' સંગ્રહી. નર્મદની અવિશદતા તેમણે ન લીધી, પણ તેની પાસેથી ધગશ અને
.
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[૧૭ આવેગનાં લક્ષણ લીધાં. તેમણે આ બાબતમાં નર્મદનું ઋણ સ્વીકાર્યું જ છે.' કાવ્યરસિકા'ના પહેલા સંગ્રહમાં જ તેમની કલમ પ્રકૃતિ, પ્રણય, પ્રભુભક્તિ અને દેશભક્તિના વિવિધ વિષયોમાં ઘૂમી વળી છે અને અપ્રગટ “મનુરાજ' નાટકનાં કાવ્યોમાં પણ આ વિવિધતા મળે છે. પ્રકૃતિ અને પ્રણયના નિરૂપણમાં તેઓ સ્વસ્થ લાગે છે, પણ પ્રભુભક્તિ અને દેશભક્તિના નિરૂપણમાં તેમની ઉત્કટ લાગણી ઉદ્દગાર પામી છે. તેમણે ૧૫૩ જેટલાં પ્રકૃતિકાવ્યો અને ૧૦૮ જેટલાં પ્રણયકાવ્યો લખ્યાં છે. “કલિકા'નું ૩૬૫ કડીઓવાળું સળંગ પ્રણયકાવ્ય તે જુદું જ. પ્રભુભક્તિવિષયક તેમનાં કાવ્ય ૪૭૦ જેટલાં મળે છે. આ ઉપરાંત “ઈરાનશાહને પવાડો' અને “દર્શનિકા' જેવા ગ્રંથોમાં પણ ધર્મપ્રેમ કે પ્રભુભક્તિ દૃષ્ટિગોચર થાય છે. કાવ્યરસિકા'માં પ્રભુભક્તિના અંકુર દેખાય છે તેમ દેશભક્તિની લાગણું પણ તેમાં પ્રગટ થઈ છે. તેમનાં આવાં કાવ્યો ૧૭૮ જેટલાં થાય છે. વળી ગાંધીબાપુનો પવાડો'માં તેમની આ લાગણું જુદી જ રીતે વ્યક્ત થઈ છે. આ ભાવ ખબરદારના જેટલા પ્રબળ પ્રમાણમાં બીજા કોઈ પણ કવિમાં પ્રગટ થયું નથી. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ નર્મદની સ્વદેશભક્તિની માળ, જે હરિ હર્ષદ ધ્રુવ પછી, રા. ખબરદારને કંઠે જેવી ઊતરી છે તેવી અન્ય કોઈ કવિને કંઠે ઊતરી નથી. તેમણે પણ હરિ હર્ષદ ધ્રુવની પેઠે, રાજકીય જીવનના મોટા પ્રસંગો અને જમાનાના વાતાવરણમાંથી ઉત્સાહ લઈને ગીતામાં એ ચિરંજીવ કરેલો છે, અને એવા અનેક પ્રકારના ઉત્સાહનાં, જેમનાં, ગુજરાતના અને દેશના અભિમાનનાં જે ગીતો તેમણે ગાયાં છે તેની સાદી શિલી અને દેવૈચિયની અસર બીજાઓ ઉપર પણ પુષ્કળ થઈ હોવાનું રા. વિ. પાઠકે ખેંચ્યું છે. તે આપણું પહેલા રાષ્ટ્રશાયર છે. ભારતને ટંકાર' સંગ્રહ આ પ્રકારને તેમને ઉત્તમ સંગ્રહ છે અને એમનાં આવાં કાવ્યો સંખ્યા, પ્રકાર, વિવિધતા અને ગુણમાં પણ ચડિયાતાં છે. તેમણે પ્રજાની એષણ, અભિલાષા અને નવી ભાવનાઓ તથા લેકહેદયના ધબકારા અને નવયુગના નૂતન સ્ફલિગો જેઈ-પારખી કાવ્યમાં ગાયેલ હોવાથી તેમને આપણું “યુગમૂર્તિ કવિ કહી શકાય અને તેમની કવિતાને દર્પણ, ગુજરાતી કાવ્યસૃષ્ટિનું બેરોમીટર, મધભંડાર ને પ્રતિઘોષ જેવી કહી શકાય.
ગાંધીપ્રાધ્યા સંદેશાને મહિમા ખબરદારના એટલે કાવ્યમાં એ જમાનામાં કે ત્યાર પછી પણ કેઈએ સમજાવ્યું નથી. એમણે સત્યાગ્રહને ગાયે, લોકપ્રિય કર્યો અને સત્યાગ્રહ યુગના આપણું પહેલા અને ઉત્તમ કવિ બન્યા. સત્યાગ્રહ યુગનું ચિત્ર નવલકથામાં રમણલાલ દેસાઈ આપે છે તે કવિતામાં ખબરદાર આપે
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ છે. સત્યાગ્રહ, અહિંસા, સત્ય, સંપ, સંયમ, શુદ્ધિ, તપ, સેવા, સાત્વિક્તા, નિર્ભયતા, સમર્પણ અને વીરતા આદિ ગાંધી દીધાં સત્યને એમણે આલેખ્યાં છે. કલાત્મકતાને લીધે એમાંનાં કેટલાંક પ્રચારકાવ્યો પણ સાચાં ને ઊંચાં કાવ્ય બન્યાં. તેમણે યુગધર્મ પ્રબો અને યુગવિધાયકનું કાર્ય પણ કર્યું. તેમણે ગાંધીયુગની ભાવનાને મૂર્તરૂપમાં ગાઈ અને ભાવિના એંધાણ પણ પારખ્યાં. કાવ્યક્ષેત્રે ગુજરાતની અસ્મિતાના નર્મદ જેટલા જ સબળ પુરસ્કર્તા તેઓ બન્યા. ગદ્યમાં જેમ મુનશીએ ગુજરાતની અસ્મિતાને આલાપ છેડ્યો તેમ પઘમાં ખબરદારે ગુજરાતને મહિમા ગાયો. શામળની સરળ વિશદ પ્રાસાદિક શૈલીને દલપતદીધો આદર્શ તેમણે પિતાના સાહિત્યમાં સ્વીકાર્યો.
ઈરચના અને કાવ્યપ્રકારે ? તેમણે છંદની પણ વિવિધતા દાખવી છે. પદ, ગરબી, લાવણી, દેહરા, ધોળ, જુદા જુદા રાગઢાળા અને છંદને ઉપયોગ તેમણે વિવિધ કાવ્યોમાં કર્યો છે. તેમના પહેલા જ કાવ્યસંગ્રહ “કાવ્યરસિકા'માં વિવિધ છંદોને ઉપયોગ થયો છે. એમણે પિતાના સંગ્રહમાં અનુષ્યપાદિ અનેક સંસ્કૃત વૃત્તો અને માત્રામેળ છંદ વાપર્યા છે, અને સાથે સાથે દિવ્ય, અદલ, તોટકમણિ, મેહક, ભદ્રિકા, વીરવિજય, મુક્તધારા, પુનરાવળી, રણગીત, મહાછંદ, પદ્મ, ઉલાસિકા, મણિ, પ્રભા, અભય અને રણજિત જેવા છેવિવિધ સંજનથી કે કંઈ ગૌણ ફેરફાર કરી નવી રીતે તેમણે પ્રજ્યા છે. તોટકના લલગા બીજનાં અનેક આવર્તનથી વનિત અને અદલ આદિ દે, સવૈયાના દાદા બીજની અનેક વૈચિત્ર્યમય છંદરચના અને માત્રામેળ હરિગીતના દાદાલદા બીજનાં જુદાં જુદાં આવર્તનથી મિશ્ર હરિગીત આદિ જે છ દે તેમણે જ્યાં તે પૈકી દાદા બીજના વિસ્તારવાળી દિવ્ય, પુનરાવળી આદિ છંદકૃતિઓ કદાચ આધુનિક સર્વ કવિઓમાં સૌથી વધારે સફળતાથી આપનાર ખબરદાર હોવાનું રા. વિ. પાઠક માને છે.’ પણ સુન્દરમ્ કહે છે તેમ અહીં તેમનું સ્વસ્થ, શાસ્ત્રીય કે એકસાઈભર્યું નહિ પણ મુગ્ધ માનસ જ વધારે પ્રમાણમાં દેખાય છે. તેમણે મનહરમાંથી નિપજાવેલે બ્લેકવર્સની નજીકન મુક્તધારા છંદ મનહર કરતાં, સ્વરભાર સિવાય, સાદા ભેદ વાળ ને સૌન્દર્યની બાબતમાં ઊતરતી કટિને થયો છે અને ભ્રમરાવળીને અક્ષરમેળ તરીકે વિકસાવેલ મહાછંદ તદેવતાને લીધે પ્રવાહિતાના અભાવે ફેંકવર્સની અર્થાભિવ્યક્તિની પ્રચંડ ક્ષમતા દાખવી શક્યો નથી. ખબરદારે સેનેટ, ખંડકાવ્ય અને પ્રતિકાવ્યના પ્રકારો આપણને આપ્યા છે. એમાં ઊર્મિકાવ્યને આત્મલક્ષી પ્રકાર એમને વિશેષ ફાવ્યા છે. તેમણે
Page #114
--------------------------------------------------------------------------
________________
2. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[૧૫ નરસિંહરાવની શૈલીએ “માતા અને તેનું બાળ', કલાપીની શૈલીએ “અલી બાળા', કાન્તની શૈલીએ દશરથ અને શ્રવણવધ” અને “પુહિતની રાજભક્તિ આદિ ચાર ખંડકાવ્યો આપ્યાં છે તેમાં ભાવાલેખનશક્તિને સબળ આવિર્ભાવ દર્શાવતું પુરોહિતની રાજભક્તિ' ઉત્તમ છે. “વિલાસિકા', “પ્રકાશિકા', “રાષ્ટ્રિકા” અને “નંદનિકા'માં મળીને તેમણે આપેલ કુલ ૨૧૨ સોનેટમાં પ્રકૃતિપ્રેમ, સાહિત્યપ્રેમ, દેશપ્રેમ, મિત્ર પ્રેમ અને પ્રભુપ્રેમ અંકિત છે; “નંદનિકાના પ્રભુપરાયણ માનસનાં સેનેટમાં નવી અર્થ ચમત્કૃતિવાળાં દૃષ્ટાંતો અને કલ્પનાઓ, ઊંડી અનુભૂતિ, પ્રકૃતિવણનેમાં માર્દવ અને તાદશતા તથા ચિંતન અને વાણીનું બળ હોવા છતાં ભાષાકલાની મર્યાદાઓ અને વૃત્તિ ને વિચારની પુનરુક્તિ તથા સભાનતા છે. તથાપિ “સર્જન”, “વાંસળી', વાદળ’, ‘ટાણું', “પ્રેમતુલાને “ચિંતા જેવાં સોનેટ કઢપનાની દષ્ટિએ નેંધપાત્ર છે, પણ પ્રાસના આગ્રહવાળાં એમનાં ઇટાલિયન પેટ્રાકશાઈ વનિતા'માં “નર્મદનું મંદિર સુંદર છે.
આ પ્રકારે પૈકી પ્રતિકાવ્યને ઉન્મેષ તે તેમને સૌથી વિશેષ મૌલિક અને રસાવહ હોવાનું સુન્દરમ્ માને છે. તેમણે મોટાલાલ, નરકેસરીરાવ શંભુનાથ, વલ્કલરાય ઠઠ્ઠાર, શ્રીધર, શેષાદ્રિ, ક્ષેમાનંદ ભટ્ટ, એજે ભગત, હુનરસિંહ મહેતા અને લખા ભગત આદિ વિવિધ ઉપનામથી પ્રભાતનો તપસ્વી, કુક્કુટદીક્ષા, યુવર, અવરોહણ, ન્યાતનું નેતરું, નામ અને ક્રિયાપદની સંધિનું ભયસ્થાન, ગાકળ ગાયની ડરબી, પાઠકની ચેપી છીંક, સાંબેલું, વ્યાસજીને, વાણિયા તજી દેને તકરાર, તન્દ્રને હેમખંત, જ્યોતીન્દ્રનું બરિયું, લખા ભગતના છપ્પા અને લેક આદિ પ્રતિકાવ્યો લખી તેમાં ન્હાનાલાલ, નરસિંહરાવ, બ. ક. ઠાકેર, “શેષ', બાદરાયણ, જતીન્દ્ર દવે અને અખા વગેરેની શૈલી કે કાવ્યભાવનાનું વિડંબન કર્યું છે. “અખેગીતા'ના વિડંબનમાં લખાયેલી, ગેરવલે ગયેલી, મોહક અર્થ બળ અને ઉક્તિલાઘવના ગુણયુક્ત “લખેગીતા'ના પ્રગટ થયેલ ભાગરૂપ “લખા ભગતના છપ્પા'માં કવિએ સાક્ષરોની વાડાબંધી અને તેમના આડંબર પર સચેટ કટાક્ષ કર્યો છે:
સાક્ષરના વાડા કંઈ પડ્યા. તંત્રીએ વરઘોડે ચઢથા, નિજ મિત્રેનાં કરે વખાણ. અન્ય બધાંની દાણાદાણ;
લખા, એ સમજી લેજે સહુ ઘેર દીકરી ને પરઘેર વહુ. ખબરદારની આવી કેટલીક રચનાઓમાં ક્યાંક ઉગ્રતા, અપરસ, ઠેષ કે કટુતા નજરે પડે છે, પણ સર્વોત્તમ એવી “પ્રભાતને તપસ્વી અને કુક્કુટદીક્ષા' રચનામાં હાનાલાલની અપદ્યાગદ્યશૈલીનું એકમાત્ર સફળ અનુકરણ, વિજયરાયના મતે,
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ä. ૪ બુદ્ધિસામર્થ્યયુક્ત ને કવિતત્વવાળું ખંડન જેટલું છે તેટલું ને તેવા ગુણોવાળું બીજા કોઈ ગુજરાતી લખાણમાં નથી. એ સમર્થ અનુકરણમાં “ખરા કાવ્યાનંદને હિસ્સો વધારે અનુભવાતો હોવાનું રામપ્રસાદ બક્ષી નેધે છે. ૨ સવિશેષ ગુણસંપન્ન એવા “અવરોહણમાં બ. ક. ઠાકોરની શૈલી સામે વિરોધ પ્રગટ થયો છે. તેમણે પ્રતિકાવ્યો લખી મૂળ લેખકની શૈલીની વિચિત્રતા કે વિલક્ષણતા દર્શાવી તેની હાસ્યાસ્પદતા પ્રગટ કરી છે. પ્રતિકાવ્યની કલાની ઉત્તમ ગુણવત્તા એમનામાં જોવા મળે છે. એમાંનાં કટાક્ષ, ટીખળ, ચાતુરી ને ઠઠ્ઠામાં સુરુચિનું ઉચ્ચ ધોરણ એકસરખું જળવાયું નથી, પણ એમાં રમૂજપ્રેમી પારસી સ્વભાવની ખાસિયત તે પ્રગટ થાય જ છે.
આ ઉપરાંત તેમણે હાલરડાં, બાળકાવ્યો, કવ્વાલી, ગઝલ, ઓડ, આત્મલક્ષી ઊર્મિકાવ્ય, અંજલિગીત, ગીત, દર્શનિકા” તથા “કલિકામાં તેમ જ અન્યત્ર પણ સ્વતંત્ર કહી શકાય તેવાં મુક્તક અને રાસગરબા આપ્યાં છે. તેમના રાસ અપૂર્વ રમણીયતાની રંગતવાળા, સરળ અને છટાદાર તળપદા ઢાળવાળા તથા વિષય અને રસનું વૈવિધ્ય ધરાવનારા હોવાનું તેંધી, વિ. ૨. ત્રિવેદી કહે છે તેમ, કૌટુંબિક લાગણીઓ અને નિસર્ગ પ્રેમ ઉપરાંત વતનપ્રેમ, દેશભક્તિ, સ્વાતંત્રયની આકાંક્ષા, લોકનેતાને આદર, સંસારવિષાદ, તત્ત્વદર્શન, સમર્પણ વગેરે વિષયો ખબરદારમાં ઊતર્યા છે. વૈવિધ્યમાં અને ભાષાપ્રભુત્વમાં ન્હાનાલાલ પછી સૌથી વિશેષ ધ્યાન ખેંચે છે ખબરદાર. કૃષ્ણને ગાવાની તેમની રીતિમાં નવીનતા ને વિનંદની લહરી જણાય છે. ભાણદાસ અને વલ્લભમાં જેમ કલ્પનાનું ઉડ્ડયન આભ વધે છે તેમ ખબરદારકૃત “ગગનનો ગરબો રે કે કોણે કર્યો સાહલડી ? 'માંના ગગનના ગરબાના વર્ણનમાંય જોવા મળે છે.૧૩
મરાઠી સાહિત્યમાં પ્રચલિત અને લોકપ્રિય થયેલે “પવાડા'ને પ્રકાર પણ તેમણે “ગાંધીબાપુને પવાડો' અને “શ્રીજી ઈરાનશાહનો પવાડો'ની કૃતિઓમાં આપણને પહેલી જ વાર આપ્યો છે, જે પૈકી “શ્રીજી ઈરાનશાહને પવાડો'માં કવિની વર્ણનાત્મક કાવ્યશક્તિ સુભગ રીતે પ્રગટ થયેલી છે. પારસી કેમના ઈતિહાસનું “શુદ્ધ ગુજરાતી લયનું” ને પ્રાસાદિક રચનાશક્તિવાળું આપણું એ પહેલું કાવ્ય છે.
રસવૈવિધ્યઃ રસની બાબતમાં ખબરદાર બીજા કરતાં જુદો મત ધરાવીને શંગારને બદલે વીરરસને રસરાજ કહે છે.૧૪ પ્રકૃતિની શોભા, વસંતની સુષમાં, ઉષા અને સંધ્યાની મીઠી સુંદરતા, ફૂલની મનહરતા, રજનીની નીરવતા, સમુદ્રનું ગર્જન, કોકિલાને મધુર કંઠ, “આકાશની વાડીની સરસતા, સાગર વચ્ચે રહેલા ખડકની ભવ્યતા, સરિતાકિનારાની શાંતિ, ચંદ્રમાનાં શીતળ કિરણ,
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૦૭
સાંજનું મૌન, શરદપ્રભાતની મધુરતા, તારાઓના ઝંડાગાનની ગૂઢતા, પ્રભાતશુક્રની તેજસ્વિતા અને બીજની ચંદાની રમણીયતા વગેરેમાં પૃથ્વી પેલે પારની કઈ કળા કિરતારની કલ્પનાની દૃષ્ટિમાં કવિ જુએ છે અને મુગ્ધ બને છે. ભજનિકા'નાં “બ્રહ્માનંદ' અને “પધરામણું' કાવ્યમાં પણ અદ્ભુત સ્પર્શ માલૂમ પડે છે. “કાવ્યરસિકા', 'વિલાસિકા' અને “સંદેશિકામાં પ્રિયાને અરજ', “પ્રીતિની પ્રસન્નતા, પ્રેમમંદિર, મેં દીઠી તુંને, પ્રેમતરંગ,” “ચંદા સાથે સંદેશે, પ્રેમચક્ષુ', ‘વિરહિણ”, “પ્રેમદાન”, “ગૃહકારનાં બેલડી” અને “ત્રિકાલમાં શંગારરસ છે. કવિ વિપ્રલંભ શૃંગાર બહુ ગાતા નથી, પણ સંગ શૃંગાર વધારે ગાય છે. એમને શંગાર અશ્લીલતાની કક્ષાએ જતો નથી. ભક્તિને જે રસ ગણીએ તે તે “ભજનિકા”, “કલ્યાણિકા', “નંદનિકા' અને “કીત નિકા'માં સારા પ્રમાણમાં મળે છે. એમાં સાક્ષાત્કારની ઝંખનાની ઉત્કટતાના પ્રમાણમાં દર્શન કે સાક્ષાત્કારને આનંદ ઓછો ગવાય છે, પણ તે વધારે પ્રતીતિકર છે. “અગમની ઓળખ'ને પ્રકાશ મળતાં કવિ આનંદ અનુભવે છે. ભક્તિકાવ્યોમાં એકેશ્વરવાદી, જિજ્ઞાસુ ને શ્રદ્ધાળુ ખબરદાર પહેલાં ભક્ત અને પછી ફિલસૂફ તરીકે નજરે પડે છે. પ્રભુદર્શનની ઝંખના અને ફિલસૂફીનો સુંદર કાવ્યરૂપે સમન્વય થવાથી “પાંખડી', દિલની વાતો', “સંતાકૂકડી', “સુરસંદેશ”, “અશ્રવિજય”, “ત્યાગ', “સાહેબાની નાવડી”, “નવલા દેશ આદિ ભજને કવિતા તરીકે સર્વોત્તમ હોવાનું અને તેમાંય “નવલા દેશ' સુંદર ભાષા, ગતિશીલ પ્રતિરૂપે, સાચી ભક્તિ, અકૃત્રિમતા અને વિરલ કાવ્યત્વથી આપણાં આધુનિક ઉત્તમોત્તમ ભક્તિકાવ્યોમાં સ્થાન પામે તેવું બન્યાનું વિ. ૨. ત્રિવેદી નોંધે છે. ૫ એને સમર્થન આપી વિ. ક. વૈદ્ય સર્જકતાના. વ્યાપક તત્વથી પ્રાણવાન બનેલાં એમનાં પચીસેક ભજનમાં કવિત્વ-ઈન્દુ વિરલ કાવ્યગુણે અંકિત થઈ સોળે કલાએ ખીલેલો હોવાનું જણાવી એ પૈકી દશ સર્વગુણસંપન્ન અને ચૌદ બહુગુણસંપન્ન હેવાનું આલેખે છે. | દર્શનિકા'માં પુત્રી તેમનાના વિરહ નિમિત્તે કરુણરસને આવિર્ભાવ થયો નથી. એમાં તે કવિનું ચિત્ત પરમતત્વની મીમાંસામાં ખૂલે છે, પણ “કાવ્યરસિકા'માંના “પુત્રીવિરહ' કાવ્યમાં અને “સંદેશિકા'માં “શ પિંજર' કાવ્યમાં પત્ની વિરહ નિમિત્ત અને સ્વર્ગસ્થ પત્ની સૌ. પીરજાબાઈને'માં કરુણરસનું હદયદ્રાવક નિરૂપણ થયું છે. આ પૈકીનું “શૂન્યપિંજર' ખરેખર પત્ની વિરહ નિમિત્તે લખાયું નથી. પણ એ તે વિજયરાયે દર્શાવ્યું છે તેમ ફાન્સિસ ટોસનકૃત “A carrier Song'નું ભાષાંતર-રૂપાંતર જ છે, “રાષ્ટ્રિકા અને ભારતને કારમાં ભારતને વિનિપાત જોઈ કરુણતાથી કવિનું હૈયું દ્રવે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ J. ૪ દર્શનિકા એ કરુણપ્રશસ્તિ નથી, પણ ઝૂલણા છંદમાં રચાયેલ તત્ત્વજ્ઞાનમંડિત છ હજાર પંક્તિના અત્યંત ગંભીર ને હૃદયંગમ ચિંતનકાવ્યમાં ભક્તિસભર શાંતરસ છે. સૃષ્ટિની અસ્થિરતા, મૃત્યુનું નૃત્ય, જીવનનું ગાન, વિકાસની વેદના, ધર્મવાદનું ધુમ્મસ, અનંતત્વની સાંકળી, વિશ્વચેતન્યને યોગ, જીવનનું કર્તવ્ય અને સ્નેહને વિશ્વધર્મ આદિ નવ વિભાગોમાં વહેંચાયેલ એ રચનામાં ભાષા અને કલ્પનાનું સુભગ સૌન્દર્ય, સાત્વિક ચિંતન, સ્નેહના વિશ્વધર્મનું આલેખન, માનવજીવનની સમસ્યાનું પ્રતીતિજનક આલેખન, ઉજજ્વલ આશાવાદ, મિની આદ્રતા તથા કાવ્ય અને તત્વજ્ઞાનને સમન્વય આદિ તરવો છે. ગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર’માં, મુનશી કહે છે તેમ, એમાં બહુ ઓછી ગુજરાતી કવિઓ પહોંચી શક્યા છે તેવી ઋજુ—ભવ્ય સાદાઈને કવિની ભાષા પહોંચે છે. ક્યાંક ગદ્યાળુતા, અકારણ વિષયાંતર, એકવિધતા, પાંખો વણુટ, નીરસ પુનરુક્તિ, શબ્દબાહુલ્ય, સંયમને અભાવ, શિથિલતા, આયાસ, સચોટતાની ખામી, દલપતરીતિની બોધકતા અને અમૌલિકતા આદિ મર્યાદાઓ હોવા છતાં આપણે ત્યાં આ મહત્ત્વાકાંક્ષી મહાકૃતિ અનન્ય છે. એમાં જીવનમૃત્યવિષયક જ્ઞાનમય સુંદર ચિંતન છે
“જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે;
હે ભલે ઉભયના પંથ પંથ ન્યારા પણ ખરે મૃત્યુ એ અધિક સુંદર દિસે
જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા” સરસ રીતે કવિ અંતમાં ધર્મનું પ્રેરક ઉદબોધન કરે છે–
શુદ્ધ એ સ્નેહ સૌ હૃદયમાં ધાર,
રેલ સ્નેહ એ આસપાસે; સ્નેહનું તેજ જે પરમ આનંદ છે,
તે ભરી દ્યો સભર શ્વાસશ્વાસે... જીવવું એટલે જળવું ને ઝબૂકવું:
તે સદા હૃદયમાં સ્નેહ સ્થાપે ! આપજે સ્નેહજયકાર કરતાં અદલ
| સ્નેહનું વિશ્વ સામ્રાજ્ય સ્થાપે ! વિ. . ત્રિવેદીના મત મુજબ ઉદાત્ત ગંભીરતાધારી જીવનના મહાપ્રશ્નને વ્યાપક રીતે ને વિશદતાથી કલાના આડંબર અને ભારેખમડા વગર એક જ છંદની ધૂનમાં છણતી રમણીય તત્વદશી આવી લાંબી કવિતા આપણે ત્યાં અનન્ય છે. સુન્દરમની દૃષ્ટિએ પણ આટલું લાંબું વિચારપ્રધાન કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતામાં પહેલું જ છે. રા. વિ. પાઠક આમાં સૂર પુરાવી સ્નેહના
Page #118
--------------------------------------------------------------------------
________________
8. ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૦૯
વિશ્વધર્મ ઉપરની શ્રદ્ધામાં ધર્મ, તત્ત્વજ્ઞાન ને વિજ્ઞાનને સમન્વય કરતા આ કાવ્યને આપણું સૌથી લાંબું નવી રીતિનુ ચિંતન કાવ્ય ગણે છે. ૧૭
તેમનાં પ્રતિકાવ્યામાં કટાક્ષમય હાસ્યરસના આછા અંકુર દેખાય છે. પણ આ બધા કરતાં ખબરદારમાં વીરરસનું નિરૂપણું ઉત્તમ રીતે થયુ' છે. ‘ભારતના ટંકાર'ના ગર્જન વિભાગ અને ‘રાષ્ટ્રિકા'ના ‘સંગ્રામનાં ગીતા'માં જે પ્રબળ વીરરસનું ઉત્કટ રીતે આલેખન થયું છે તે ભાગ્યે જ આપણે ત્યાં અન્યત્ર મળશે. એમાં જાણે ‘ભડકે ખેાળ્યા શબ્દ' વડે વીરરસના ‘પર્વત જેવા તરંગ' ઊછળે છે. એમની આ ‘રણુરસરંજન’કવિતાના રાશિમાં ઉત્તમેાત્તમ શક્તિ પ્રગટ થઈ છે. નર્મદની ગુજરાતપ્રીતિ અને દેશભક્તિને વારસા સૌથી વધારે પ્રમાણમાં ખબરદારને જ મળ્યા છે. તેમનાં આવાં કાવ્યેામાં પ્રભાવશાળી વ્યક્તિત્વની છાપ, ધગશ, આશા, ઉલ્લાસ, પ્રાત્સાહન અને પ્રેરણાનું સિંચન છે. અમારા દેશ', ‘ભારતમાતા અને તેના કવિઓ', ‘પ્રકાશનાં પગલાં', ‘અનન્ય ભારત', રત્નહરણ', ‘એ ગુજરાત ! એ ગુજરાત !’, ‘ગુજરાતનેા યજ્ઞકુંડ, ખાંડાની ધારે' અને ‘દેવીનુ ખપ્પર’ જેવાં ઉત્તમ રાષ્ટ્રગીતા ‘શુદ્ધ સ’સ્કારી બળવતી ગુજરાતી ભાષામાં' તેમના તરફથી મળ્યાં છે. એ પૈકીનું તેમનુ` રત્નહરણ' ત। ગુજરાતનું સર્વપ્રથમ રાજદ્રોહી કાવ્ય છે. દેવીનું ખપ્પર' તેા આપણા કાવ્યસાહિત્યમાં ઊંચુ` સ્થાન મેળવે તેવુ છે.
રાષ્ટ્રીય અસ્મિતાની કેડી આપણી કવિતામાં વિશાળ રાજમા બની, પણ કાઈ કવિ આ બાબતમાં ખબરદારની હરાળમાં આવી શકે તેમ નથી. રાષ્ટ્રપ્રેમની આલખેલ પેાકારનાર ખબરદાર આપણે ત્યાં અનન્ય છે. અંગ્રેજીમાં જેને Action Songs કહે છે તેવાં વીરરસભર્યા કાર્ય પ્રેરક સક્રિય કાવ્યા અને ગીતા આપણે ત્યાં સૌથી વધુ ને ઉત્તમ એમણે જ આપ્યાં. જન્મભૂમિ-વાત્સલ્યની ભાવનાના તે સમ” ગાયક છે. તેમનાં દેશભક્તિનાં કાવ્યામાં તેમણે જણે પેાતાનું શૌર્યસભર અંતર ઠાલવ્યું છે. એમનાં સ્વાતંત્ર્યગીતા અને સંગ્રામગીતાએ સ્વરાજ્યના સૈનિકામાં રણને ઉત્સાહ સારી પેઠે જગાડયો. ભારતના કવિએ જ્યારે બહુધા કાયલ ને પ્રણયનાં ગીતા ગાતા હતા ત્યારે એમણે વીરરસ અને દેશભક્તિનાં ગીતા ગાયાં. સુન્દરમની દૃષ્ટિએ તેમની કવિતા-પ્રવૃત્તિનું આ સૌથી વિશેષ તેજસ્વી પાસું છે.
ખબરદારની ગુ. ક.ની રચનાકળા'માંની મુગ્ધ માન્યતા મુજબ સંગીતકલા અને કવિતાકલાને ભારે સગપણુ છે. તેમની આ માન્યતા દલપતરામને કાવ્યાદર્શ સ્વીકારવાથી આપાઆપ આવે એ સમજી શકાય તેમ છે. એમનાં કાવ્યેા પર દૃષ્ટિપાત
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [4. ૪ કરીએ તે તરત જ સમજાય છે કે છંદબદ્ધ રચનાઓ કરતાં એમણે રાગરાગિણીએમાં રચેલાં કાવ્યોનું પ્રમાણે વિપુલ છે. વળી એમનાં છ દેબદ્ધ કાવ્યો ગેય જ છે અને જે નવા દે, છેદનાં સંમિશ્રણ કે સરવાળા બાદબાકી યા ભાગાકારથી એમણે રચ્યા છે તે સવે પણ ગેય છે. આમાં એક રીતે એમની સંગીતની સૂકમ સમજ પ્રગટ થાય છે. એમ કહીએ કે કવિએ ગેયતાને પિતાનો સિદ્ધાંત પ્રતિપાદન કરવા માટે જ આમ કર્યું હોય કદાચ, પણ બીજી રીતે તે કાવ્યમાં અર્થ સંભાર ખૂટે છે.
“કલિકા: તેમની કવિતા પર અંગ્રેજી સાહિત્યના સંસ્કારો ઘણા જોવા મળે છે. એમના વિવિધ છંદપ્રયોગ અને સેનેટ આ કથનના ઉદાહરણરૂપ છે. એમની કવિતામાં જુદા જુદા કવિઓની વાણુના કે વિચારના પડઘા સંભળાય છે. ક્યાંક તો તેમણે ફ્રાન્સિસ ટોમ્સન અને જે મેરિડિથમાંથી સીધું જ લીધું હોવાના આક્ષેપો થયા છે. સંદેશિકા’નાં ‘અગોચર ધામ”, “શન્ય પિંજર' અને “મધુરી' કાવ્ય ટસનનાં કાવ્યો પરથી લખાયાં હોવાનું વિજયરાયે૧૮ તથા “કલિકા'માં કેટલુંક જોર્જ મેરિડિથના “લવ ઈન ધ વેલીના પંક્તિશઃ નિર્જીવ ભાષાંતર જેવું હોવાનું વિશ્વનાથ ભટ્ટે દર્શાવ્યું છે. આથી કૃત્રિમતા આવવા પામે છે. અને “કલિકા'માં સુશ્લિષ્ટ સમગ્રતા ને ભાવોના સ્વદેશીપણાની છાપના અભાવથી કલ્પનાની પ્રેરક રમણીયતા હોવા છતાં એ ચિરસ્થાયી સંસ્કાર પાડી શકતું નથી. “કલિકા” એ હૃદયના ઉત્કટ ભાવથી અંકિત પ્રિયાપ્રેમની કવિતા છે અને એમાં મુક્તધારા છંદમાં રચાયેલ વિવિધ પાંદડીઓ રૂપી ૩૭૩ મુક્તકમાં કલ્પનાચિત્રોની ભરચકતા છે. એમાં આનંદશંકર ધ્રુવના મત મુજબ અંગ્રેજી કાવ્યો જેવાં ઇદ્રિયગ્રાહ્ય સૌન્દર્યચિત્રોની સાથે સૂફીને જેવી આધ્યાત્મિક સૌન્દર્ય. પૂજા પણ છે.૨૦ એના નહિવત્ વિકાસમાન કથાનકમાં પ્રણયી નાયકના અંકુરતા પ્રણયથી માંડી એની વિજયસિદ્ધિની સાત ભૂમિકાઓનું આલેખન એકેક કડીમાં એક ભાવ, વિચાર કે કલ્પનાતરંગ તાજગી ને મનોહારિતાથી ગૂંથીને કવિએ કર્યું હોવાનું જણાવી, વિજયરાય તેને “કલાન્ત કવિ પછીનું સ્નિગ્ધતાભર્યું ને નવા ઉચિત ચિત્તહારી અલંકારોના પ્રભાવે પ્રકટતાં રમણીય કલ્પનાચિત્રવાળું એ પહેલું સળંગ મોટું મહત્વનું પ્રેમકાવ્ય કહે છે. એમાં શબ્દાળુતા, અસાધારણ લંબાણ, પ્રેમવિષયને પ્રતિકૂળ લાલિત્યરહિત છંદ, તર્ક કલ્પનાની કૃત્રિમતા અને સુઘટ્ટ વણાટને અભાવ જેવી મર્યાદાઓ છે. પણ બંધન' વિભાગનાં મુક્તકમાં કવિની સૌન્દર્ય અને કવિત્વશક્તિ પ્રગટ થયેલી છે.
તેમણે પિતાની “સાહિત્યપ્રેરિતતા” કબૂલતાં કહ્યું જ છેઃ “મારી કાવ્યપ્રેરણાઓ કંઈ એક જ ઠેકાણેથી નથી આવી...એ સૌના સંભારમાંથી સંસ્કાર
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
જ્યાંથી સારુ
પામેલું પૂતળું તે આ તમે જેવી ગણેા તેવી મારી કવિતા છે. લાગ્યું ત્યાંથી તે લાવીને આપણી ગુર્જર કવિતાદેવીના શણગારમાં મેં ગૂંથ્યું છે,... મેં સાર તે। સસ્થાનેાએથી સંગ્રહ્યો છે . દત્તાત્રયની માફક મેં તે। જ્યાંથી જ્ઞાન અને રસ મળ્યાં ત્યાંથી લીધાં છે—પછી એને સારસંગ્રહ' કહેા કે ‘કૌમુદી’કાર કહે છે તેમ ‘ચેરી’ કહેા કે દર્શનિકા'માં કહ્યું છે તેમ ‘બાદશાહી લૂંટ’ કહેા. ‘સર્જક સદા લૂંટતા આવે છે' એ મારા અનુભવ. જો કનૈયા માખણચાર તા હું ભ્રમરવૃત્તિવાળા મચેાર. કાવ્યામૃતને ચાર? હાઈશ, હું જ્ઞાનામૃત' અને રસામૃતના ચાર હાઈશ, પણ ક્લિચાર' તેા નથી જ નથી.'૨૨ ‘કલિકા' અને દર્શનિકા'ની પ્રસ્તાવનામાં અને અન્યત્ર પણ વિવિધ રીતે ને સ્થળે ‘મારવા તા હાથી ને લૂટવે। તા ભંડાર'નું સૂત્ર ને ‘કવિવારસાના હક્ક'ના વાદ ધરનાર તેમણે પેાતાની અનુકરણશીલતા, ગ્રહણુશીલતા ને પરસંસ્કારની છાયાના સ્વીકાર કર્યાં છે. અને પેાતાની કાવ્યપ્રેરણાએ માનવજ્ઞાનના સંચિત જ્ઞાનના સ`ચિત ભંડારમાંથી ‘બાદશાહી લૂ`ટ' ચલાવી હેાવાનું કબૂલ્યુ છે. એથી એમની કવિતા ‘સાહિત્યપ્રેરિત' ને મધમાખીએ વિવિધ સ્થળેથી એકત્ર કરેલા મધ જેવી થઈ છે અને તેમની પ્રતિભા મધ્યમકક્ષાની ને પાપજીવી બની છે.
[૧૧૧
તેમની કવિતાને ભાવ, વિષય, છંદ, રસ અને પ્રકારની વિવિધતા અને નવીન છંદાની ચેાજનામાં પ્રગટતી તેમની બંડવૃત્તિ તથા નવીનતાની એષણાની દૃષ્ટિએ વિજયરાય ‘રંગપ્રધાન શૈલી'ની ગણે છે.૨૩ પણ તેમનામાં જે રચનાકૌશલ, ધ્વનિત' માટે પરંપરાગત સ્વરૂપના આગ્રહ, 'કલિકા'માં સૌન્દર્યની સ્વસ્થ રીતની ઉપાસના, યતિભંગ શ્રુતિભંગ કે શબ્દોની તાડફાડના અભાવ, પ્રણયકાવ્યામાં કલાપી જેવી મસ્તીના અભાવ, પ્રયાગામાં ન્હાનાલાલ જેવી પ્રગલ્ભતાના અભાવ, કૃતિના આકારના સૌષ્ઠવના આગ્રહ, ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલીના વિરાધ, ખાધ આપવાની વૃત્તિ તથા કલાના ને શુદ્ધિને આગ્રહ છે તેને કારણે તેમને રૂપપ્રધાન શૈલીના કવિ મહદંશે કહી શકાય. એટલે જ વિ. ૨. ત્રિવેદી યેાગ્ય કહે છે: એક શબ્દાળુતા સિવાય બધી રીતે તેમની કવિતા મુખ્યત્વે સ્વસ્થ અને રૂપપ્રધાન રહે છે.૨૪ ભાષાની સાદાઈ, મીઠાશ, પ્રાસમા અને ગેયતા જેવાં લક્ષણા તેમનાં કાવ્યાને વધુ લેાકભાગ્ય અને આસ્વાદ્ય બનાવે છે. અંગ્રેજી કાવ્યા : અંગ્રેજી કાવ્યા એ તેમના સાહિત્યની ખીજી વિશિષ્ટતા છે. આપણે ત્યાં મલબારી, ગેાવનરામ અને કાન્ત પછી કાઈ ગુજરાતી કવિએ અંગ્રેજી કાવ્યાની રચના કરી હાય તા તે ખબરદારે, અને પછી બળવંતરાયે. તેમના ઈ. ૧૯૧૮માં The Silken Tassel અને ઈ. ૧૯૫૦માં Zarathushtra
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[થ. ૪
નામક પ્રગટેલા બે કાવ્યસંગ્રહામાં કુલ ૧૬૦ રચનાઓ પ્રગટ થઈ છે. એમાં પ્રકૃતિ, પ્રણય, પ્રભુ, કાવ્યદેવી, ધ, ભારતભક્તિ, જીવન અને મૃત્યુ આદિ વિષયાની અને સ્તાત્રા, ઊર્મિકાવ્યો, સોનેટા અને અંજલિકાવ્યો આદિ પ્રકારની વિવિધતા છે.
ગાથામ્ર’થ (૧૯૪૯) : ગાથાપાંડિત્ય એ ખબરદારની વિશિષ્ટતા છે. ઝરભુષ્ટ્રની ગાથાને ગુજરાતી કવિતામાં કવિએ કરેલા અનુવાદ અને એની જોડે જોડેલા તવિષયક સંશોધન-લેખા એ કવિની ઉત્તરાવસ્થાનું મૂલ્યવાન અણુ છે. ઈ. ૧૯૪૯માં પ્રગટ થયેલ અશે! જરથ્રુસ્રની ગાથા પર નવા પ્રકાશ' નામના દળદાર ગ્રંથમાં 'અહુનવઈતિ' નામની પહેલી ગાથાના સાત અધ્યાયેાના કવિએ ગુજરાતી કવિતામાં અનુવાદ આપ્યા છે. ગ્રંથની ભાષા શુદ્ધ અને સરળ ગુજરાતી છે. એમણે ગાથાની કવિતામાં કયાંય મૂળ અર્થને જરા પણ હાનિ આવવા દીધી નથી. દરેક શ્લેાકના પ્રત્યેક શબ્દ પર એમણે પુષ્કળ માહિતી આપી
અને સમશ્લાકી અનુવાદ આપ્યા છે. સરળતા તેમના ગ્રંથની એક વિશેષ વિશિષ્ટતા છે. આ ઉપરાંત પ્ર થમાં સમાવેલા અગિયાર જેટલા અભ્યાસપૂર્ણ લેખા ખાસ ધ્યાનપાત્ર છે. એમાં એમને જ્યોતિષ આદિને ઊંડા અભ્યાસ જ જોવા મળે છે. આ શાસ્ત્રીય ગ્રંથની શૈલી પણ કયારેક કવિત્વમયતા ધારે છે. ગાથાના ૩૦-૩૫ જેટલા અનુવાદામાં કેટલીક બાબતામાં ખબરદારના અનુવાદ વિશેષ રીતે ઉપયાગી અને ધ્યાનપાત્ર બને છે. જો કે કેટલાંક પરસ્પર અસ ંગત વિધાન અને જ્યાતિષને કરેલા વધુ પડતા ઉપયેાગ ખટકે છે.
અપ્રગટ મનુરાજ' નાટક : ખબરદાર સ્મારક ગ્રંથ'માં(૧૯૬૧)માં દર્શાવેલ કવિના અપ્રગટ ગદ્ય-પદ્ય સાહિત્ય પૈકી તેમના મત મુજબ ‘મનુરાજ અથવા વિશ્વનાટિકા' નાટક સત્તમ કૃતિ છે. કવિએ આ કૃતિનું લેખનકા ઈ. ૧૯૩૬માં શરૂ કરેલું, પણ છેવટ લગી તેઓ એ પૂરું કરી શકયા નહેાતા. એમણે પાંચ અંક લખવા ધારેલા, પણ તેઓ માત્ર ચેાથા અંકના ત્રીજા પ્રવેશ સુધી જ લખી શકયા હતા. એ નાટક રૂપકપ્રધાન છે અને તેના વિષય છે માનવનું પતન અને તેના ઉદ્ધાર. કવિની ધાર્મિકતા અને અધ્યાત્મપરાયણવૃત્તિ એમાં દેખાય છે. એમાં હૃદયની સવૃત્તિઓને દિવ્યમડળ, અસવૃત્તિઓને તમેામંડળ, પાપભાવનાને અહિમન એટલે કે માર-કળિ—સેતાન–વૃત્ર તથા મનુરાજ’ને જીવાત્માનાં પ્રતીક આપી કવિએ પ્રતીકાત્મક પાત્રવિધાન કર્યું છે. નાટક ગર્ટના ફાસ્ટ' ને ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકાની શૈલી જેવુ` ને દૃશ્ય નહિ એવું ચિંતન-ભાવનાપ્રધાન છે. અખંડ પદ્ય એટલે કે મહાદ'માં એ લખાયું છે,
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્ર• ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૧૩
ગીતસમૃદ્ધિ, રાગઢાળની વિવિધતા, અને કલ્પના, ગેયતા, સૂચકતા આદિ તેનાં લક્ષઙ્ગા છે. ભાષા સરળ અને નિરાડંબરી છે, પણ કયાંક અશુદ્ધિથી દૂષિત ખની છે. અપૂર્ણ અને અપ્રગટ એવા આ નાટકનાં કુલ ૫૭ જેટલાં ગીતામાં ભાવની વિવિધતા સારી પેઠે જળવાઈ છે.
ગદ્યલેખન
વિવેચનઃ કવિતામાં ઊજળા લાગતા ખબરદાર ગદ્યમાં ઝાંખા દેખાય છે. એમાં એમણે પ્રસ્તાવનાઓ, વ્યાખ્યાના અને લેખા દ્વારા વિવેચન કર્યુ` છે. એમની ‘દાદી શતશાઈ', ‘મલબારીનાં કાવ્યરત્ન', ‘વિહારિણી' તથા સાંધ્યગીત’ની પ્રસ્તાવનાઓ પૈકી ખીજીમાં નરિસંહરાવને જવાબરૂપે કવિ પેાતાની પારસીશાઈ છાંટવાળી ભાષા અંગે અપ્રતીતિજનક બચાવ કરે છે અને ત્રીજીચેાથી ચર્ચાસ્પદ મુદ્દાઓથી સભર ને નવી કવિતા સામેના આરાપનામા જેવી બની તેમને વિવેચક કરતાં પ્રહારક તરીકે જ છતા કરે છે, પણ પહેલીમાં તેએ અધિકાંશે ગુણુ અને કૉંઈક અંશે દાષનું આલેખન કરે છે. એમનાં વ્યાખ્યાના પૈકી ઈ. ૧૯૩૭માં મદ્રાસ ખાતેના હિંદી સાહિત્ય સંમેલનના કવિસંમેલનના પ્રમુખ તરીકેનું ગૌણુ અને પ્રાસંગિક છે, પણ ઈ. ૧૯૨૪માં ગુજરાતી સાહિત્ય પરિ ષદના ભાવનગરના સાતમા અધિવેશનના સાહિત્ય વિભાગીય પ્રમુખનું, ઈ. ૧૯૪૧માં એ જ પિરષદના અંધેરીના ચૌદમા અધિવેશનના પ્રમુખનુ અને ઈ. ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલ ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનમાળા'માં ગુજરાતી કવિતાની રચનાકળા' પરનાં પાંચ વ્યાખ્યાને ધ્યાનપાત્ર છે. એ પૈકી પ્રથમમાં એમણે કવિ ન્હાનાલાલ અને નવીન કવિતા પર ગર્ભિત પ્રહારો કર્યાં છે, ખીન સ`ગ્રાહી ને આડંબર વગરના વ્યાખ્યાનમાં ભ્રામક વિધાના ને ગુજરાતી વિવેચનના એકપક્ષી ને અપૂર્ણ ઇતિહાસ આપી અમુક નવા-જૂના વિવેચકેાને અન્યાય કરી એમણે અપહરણુ તથા કવિ વિવેચકના પ્રશ્નો ચર્ચી^ કટુતા ને તીખાશ આણ્યાં છે, તથા ત્રીજામાં એ વિષયનું સાંગાપાંગ વિસ્તૃત નિરૂપણુ કે. હ. ધ્રુવ પછી પહેલી વાર સીધી લખાવટમાં કરી એમણે પ્રયત્નતત્ત્વ, કાવ્યના આત્મા, નવી કવિતા અને અક્ષરમેળ વૃત્તો વગેરે પર ભ્રામક, અશાસ્ત્રીય, અસ્વીકાં અને ચર્ચાસ્પદ વિધાના કર્યાં છે. એમણે ધ્વનિત અને દિવ્યછંદ’, ‘કવિતા અને અપદ્યાગદ્ય', ‘ગુજરાતી કવિતામાં પ્રયત્નબંધ' અને ‘મહાછંદની ચર્ચા’ આદિ લેખામાં પ્રયત્નતત્ત્વની ભ્રામક ઇમારતને આધારે વિધાના કર્યા છે અને
ગુ. સા. ૮
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪]. ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ તે પૈકી કેટલામાં તો તેઓ સારી કક્ષા અને શિષ્ટતા પણ જાળવી શક્યા નથી. વિવેચનને સરસ આદર્શ તેઓ સિદ્ધાંતરૂપે તે આપે છે, પણું વ્યવહારમાં દુર્ભાગ્યે તેઓ પોતે જ તેના ઉદાહરણરૂપ બનતા નથી! તેઓ પિતાને માટે વિવેચનને યોગ્ય ગદ્ય ન ઘડી શક્યા અને તેમણે સાચીટી માન્યતાઓને જ આગળ કરીને પોતાના પૂર્વગ્રહોને જ પળ્યા. આથી ઊલટું, હીરા ક. મહેતાના મત મુજબ “મોટાલાલ” ઉપનામના પ્રતિકાવ્યમાં કરેલું વિવેચન નિષ્પક્ષપાત, ઉદાર, વિલક્ષણ અને મહત્ત્વનું છે. ૨૫
પ્રકીર્ણ : તેમણે ગદ્યમાં પ્રાસંગિક વ્યાખ્યાન, પારસી ગુજરાતી વિષયક લેખ-વ્યાખ્યાને, પ્રાસંગિક વ્યક્તિલક્ષી લેખે, જરથોસ્તી ધર્મ વિશેના લેખો અને સાહિત્યવિષયક પ્રાસંગિક ચર્ચા લેખે – એમ પાંચ પ્રકારેય લખ્યું છે. એ પૈકી પહેલા પ્રકારના લેખોમાં તેમની કવિત્વમય શૈલી સારા પ્રમાણમાં નજરે પડે છે, બીજામાં વિષયની વિસ્તૃત સાંગોપાંગ વિધાયક ચર્ચા છે. ત્રીજામાં વ્યક્તિને અનુલક્ષીને લખાયેલ લેખોમાં તેમની ગુણગ્રાહી દષ્ટિ રહી છે, ચોથામાં તેમને ધર્મપ્રેમ, તવિષયક અભ્યાસ અને જ્યોતિષનું પરિશીલન નજરે પડે છે. પણ પાંચમામાં થયેલી વિવિધ પ્રશ્નોની ચર્ચામાં તેઓ ઊંચી ને શિષ્ટ કક્ષા બહુધા જાળવી શક્યા નથી. આ સર્વેમાં કવિ ઈ. ૧૯૨૭ના વિલે પારલેના વસંતોત્સવના વ્યાખ્યાનમાં ખરેખર સૌથી વધુ ખીલ્યા છે. એની છટા, ભાષા, નિરૂપણશૈલી અને કલ્પના આદિ સર્વ ઉત્તમ છે. એ તેમની તેજસ્વી ને પ્રાણવાન ગદ્યકૃતિ છે.
પત્રસાહિત્યઃ ગદ્યમાં તેમની ઊજળી બાજુ તે તેમના પત્રોમાં દેખાય છે. (જુઓ કવિને “સ્મારક ગ્રંથ) ગુજરાતી સાહિત્યમાં નર્મદથી માંડી કાકા કાલેલકર સુધીના સાહિત્યકારોના પત્રો મળે છે. ખબરદારના પત્રો તેમની પત્રકલાની ઊંચી કક્ષાનો ખ્યાલ આપે છે. એ એમના કુટુંબજીવન અને સાહિત્યજીવનના દર્પણ તરીકેની ગરજ સારે છે. કવિમાં રહેલ જીવનનું કારુણ્ય, પ્રબળ ગુજરાતપ્રેમ, કર્તવ્યનિષ્ઠા, પ્રભુશ્રદ્ધા, વિષાદ, શાંતિઝંખના, મનોમંથન, ચિંતન અને વહેમી માનસ વગેરે એમના જીવન તથા માનસનાં વિવિધ પાસાંઓ પર એમના પત્રો સાથે પ્રકાશ ફેકે છે અને એમના જીવનને સમજવાની ચાવી પૂરી પાડે છે. એમાં કવિ સાચા માનવીના રૂપમાં જ દેખાય છે. બ. ક. ઠાકોરના મત મુજબ “ખબરદારના પત્રો શુદ્ધ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાનના અધિકારી છે.”૨૬ “કાન્ત” અને “કલાપી'ના પત્રો જેવી કલાત્મકતા અને નિખાલસતા તેમના પત્રોમાં જોઈ શકાય છે. ઊર્મિકાવ્યોમાં જેમ દેશભક્તિની વીરકવિતા ખબરદારના કાવ્યમંદિરનું દેદીપ્યમાન શિખર છે તેમ તેમના ગદ્યમંદિરનું સર્વોત્તમ શિખર
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૧૫ તેમના પત્રો છે. મોતી જેવા સરસ મરોડદાર અક્ષરોમાં અને સુંદર ભાષામાં લખાયેલા આ પત્રો ગુજરાતી પત્રસાહિત્યની શોભારૂપ છે.
આ સર્વમાં પ્રગટતી તેમની ગદ્યશૈલી સરળ, વિશદ, પ્રવાહી, કવિત્વમય અને છટાદાર છે. મુખ્યત્વે તે તેઓ કવિ જ છે, એ વાતની સાક્ષી એમની ગદ્યશૈલી પણ પૂરે છે.
ઉપસંહાર: ખબરદારની સમગ્ર સજનછબીમાં તેમનું સવિશેષ તેજસ્વી પાસું તે કવિનું જ છે. નેહ, શ્રદ્ધા, રાષ્ટ્રભક્તિ અને ગુજરાતગૌરવના ગાયક આ કવિને “સાહિત્યપ્રેરિત કવિ” કહેવામાં વિ. ક. વૈદ્ય (રૂપરેખા', પૃ. ૨૮૮) ભાર તે “કવિ પદ પર જ મૂકીને કહે છે તેમ કેટલાક મિષ્ટ કાવ્યમધુને ભોગી આ મનહર ભ્રમરને ગુંજારવ આપણું સાહિત્યવાડીમાં દીર્ધકાળ પર્યત સંભળતા રહેશે. એમનાં પ્રતિકાવ્યો, દેશભક્તિ અને ગુજરાતભક્તિનાં કાવ્યો તેમ જ જીવનની ફિલસૂફી ચર્ચતો વિરલ કાવ્યગ્રંથ એ યશકલગીરૂપ એમનાં કીર્તિદા સર્જનો છે. ગુજરાતને જગસાહિત્યમાં ઊંચે લાવવાની ઉત્કંઠા સાથે એમણે સતત પ૬ વર્ષ સુધી એકધારી ને અનન્ય રીતે ગુજરાતી સાહિત્યની ઉપાસના કરી. એમણે ગુજરાતને “ગુણવંતી” કહી અને “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતમાં મહાગુજરાતની ભવ્ય ભાવને, ગુજરાતની કીર્તિ ને ગૌરવ ગાયાં અને સાથે સાથે તેમણે રાષ્ટ્રભાવને પણ જગાડી છે. વસંત (માઘ સં. ૧૯૮૧)કાર કહે છે તેમ ખબરદારે દલપતરામ નર્મદાશંકર અને હરિલાલની શાળાથી આરંભ , કરી, નરસિંહરાવ, ન્હાનાલાલ અને લલિતની કવિતાના આત્માની ઝાંખી કરી, સર્વ કરતાં જુદી પિતાની ભાષા, સંગીત અને કલ્પનાની વિશિષ્ટતા જમાવી– ખબરદારે કવિઓની પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, એટલું જ નહિ પણ કવિતાના કેટલાક પ્રદેશમાં તો એમનું સ્થાન લગભગ પહેલું છે. અને કેટલીક બાબતમાં તે હિંદુ ભાઈઓને પણ ભાષાશુદ્ધિને આદર્શ બતાવે તેવી તેમની કૃતિઓ છે. ૨૭
બેટાદકર' આદિ કવિઓ દામોદર ખુશાલદાસ બોટાદકર (ઈ. ૧૮૭૦-૧૯૨૪)
સૌરાષ્ટ્રના એક નાના ગામ બોટાદમાં (જેના ઉપરથી કવિએ પિતાની શાહ અટક બદલી બાટાદકર રાખી) ગરીબ વણિક કુટુંબમાં જન્મેલા આ કવિ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[J. ૪
માંડમાંડ ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ કરી તેર વર્ષની નાની વયે શિક્ષક બન્યા. અત્યંત ટૂંકા પગારની નોકરીને કારણે જિંદગી પર્યત વેઠવી પડેલી આર્થિક ભીંસ દૂર કરવા અનેક ધંધા તેમણે અજમાવી જોયા પણ ન ફાવ્યા. સ્વભાવે સંકોચશીલ, સૌજન્યશીલ અને સ્વમાનપ્રિય આ કવિ જીવનસંગ્રામમાં લક્ષ્મીની કૃપા પામવા ઘણું ઝૂક્યા. તેવીસ વર્ષની વયે ગોસ્વામી નૃસિંહલાલજીના કારભારીનું કાર્ય સ્વીકાર્યું અને મુંબઈમાં વસ્યા. તેમને મુંબઈનિવાસ તેમની કાવ્યસાધનાને ફળદાયી નીવડ્યો. સ્વાથ્ય બગડતાં અને ગોસ્વામી સાથે મતભેદ થતાં તેમણે કારભારીપણું અને મુંબઈ છોડ્યાં. ઉત્તર વયે આર્થિક સ્થિતિ કંઈક સુધરી હોવા છતાં તેમને જીવનભર આર્થિક વિટંબણે વેઠવી પડી એમ કહી શકાય. આ સ્થિતિમાં સંતાનોના અવસાનના આઘાત અને અન્ય વિકટતાઓ વચ્ચે, સરસ્વતીના સેવક થવાનું જ નિર્માણ હેાય તેમ તેમની કાવ્યસાધના લગભગ જીવનપર્યત ચાલુ રહી હતી. બોટાદકરની કાવ્યસરિતાનાં આદિ ઝરણ સત્તર-અઢાર વર્ષની વયે ફૂટ્યાં. “શાહ પ્રણીત લાલસિહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર' નામનું નાટક તેમનું પ્રથમ પ્રકાશન. ગોકુળગીતા' ઉપરાંત “રાસવર્ણન” અને “સુબોધક કાવ્યસંગ્રહ' તેમની સર્જનપ્રવૃત્તિના આરંભકાળનાં વહેણ, જે ગુણવત્તાની દૃષ્ટિએ નેધપાત્ર નથી; પરંતુ ૧૮થી ૨૨ વર્ષની વય દરમિયાન પ્રગટેલાં આ ઝરણાંમાંથી તેમનું કાવ્યવહેણ સરિતાસ્વરૂપ ધારણ કરે છે અને જીવનભર અખલિત વહેતું રહે છે; જે “કાલિની' (૧૯૧૨), “સ્ત્રોતસ્વિની' (૧૯૧૮), “નિર્ઝરિણી' (૧૯૨૧), રાસતરંગિણી' (૧૯૨૩) અને શૈવલિની' (૧૯૨ ૫) એવા સરિતાવાચક નામભિધાન પામેલા પાંચ સંગ્રહે રૂપે આજે ઉપલબ્ધ છે. - બોટાદકરની કવિતાનાં નવાણ ફૂટ્યાં ત્યારે સંસ્કૃત અને વિશેષે અંગ્રેજી કવિતાની પ્રભાવક અસર તળે ગુજરાતી કવિતા રસ અને કલાસમૃદ્ધ બની ચૂકી હતી. મુખ્યત્વે અંગ્રેજી કાવ્યવિચારણાના અભ્યાસે તે યુગની કાવ્યવિભાવના ઘડાઈ હતી. અલ્પશિક્ષિત બેટાદકર માટે ગુજરાતી કવિતાની આ ઐતિહાસિક પૂર્વભૂમિકા ભારે કસોટીરૂપ હતી. કવિ તરીકે સ્થાપિત થવું તેમને માટે કેટલું વિકટ હતું તે આથી સમજાય તેમ છે. પિંગળનું જ્ઞાન છ ધોરણ સુધીનો અભ્યાસ દરમિયાન તેઓ પામ્યા હતા. ઉપરાંત ભણવામાં આપણું મધ્યકાલીન ભક્તકવિઓની અને દલપતરામની કવિતાના જે સંસ્કાર મળ્યા તે તેમની કવિત્વ-સંસ્કારને જાગ્રત કરનારાં પરિબળે હતાં. આ કારણે આરંભની તેમની રચનાઓમાં જુની અને દલપતરામની કાવ્યશૈલી દેખાય છે. મુંબઈના વસવાટ દરમિયાન તેમણે સંસ્કૃતને
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] . ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૧૭ સઘન અભ્યાસ કર્યો. અમરકેશ મોઢે કર્યો અને કાલિદાસનો અભ્યાસ કર્યો. સુભાષિતરત્નભાંડાગાર” એ સંસ્કૃત કલેકસંગ્રહ તેમણે અનેક વાર વાંચેલે. આ અભ્યાસ એટલે ઊંડે હતો કે સંસ્કૃતમાં તેઓ કરચના કરી શકતા. સો જેટલી ગુજરાતી કહેવતોને તેમણે સંસ્કૃતમાં ભાષાંતરિત કરી છે. તેમની કવિતામાં થયેલ ઘણું અપરિચિત સંસ્કૃત શબ્દોનો ઉપયોગ, સંસ્કૃત વૃત્તોને શુદ્ધ અને સૌષ્ઠવપૂર્ણ વિનિયોગ, દીર્ઘ સમાસ, અર્થાન્તરન્યાસ અને “અન્યક્તિને વધુ પડતો ઉપયોગ, કવિતામાં શબ્દ માટે ન અનુભવવી પડતી મૂંઝવણ ઈત્યાદિ સંસ્કૃતના અભ્યાસનાં પરિણામ છે. તેમની કવિતામાં દેખાતું બોધક તત્વ અને શબ્દાનુપ્રાસ તથા વર્ણાનુપ્રાસનું અધિક પ્રમાણ દલપતરામની કવિતાના અને સંસ્કૃત સુભાષિતાના એકાધિક વાચનને આભારી છે. આ ઉપરાંત કલાપીની કવિતાની અને ખંડકાવ્ય ઉપર કાન્તની અસર પણ તેમની કવિતામાં વરતાય છે. મુંબઈના વસવાટ દરમિયાન બોટાદકરની સર્જનપ્રવૃત્તિને વળાંક આપનાર ઘટના એ બની કે હરિલાલ હર્ષદરાય પ્રવના “ચંદ્ર' માસિક અને “કાવ્યમાધુર્ય દ્વારા તેઓ અંગ્રેજી રીતિની નવી તત્કાલીન કવિતાના સંપર્કમાં આવ્યા. કાવ્યસમજ, રીતિ પર તેમ જ પ્રણય, પ્રકૃતિ, માતૃભૂમિપ્રેમ અને પાત્રલક્ષી સંવેદને જેવા વિષય પરત્વે તેમની કવિતા ઈ. ૧૮૯૫ પછી વળાંક લે છે, આરંભની દલપતરીતિમાંથી તે લગભગ બહાર નીકળે છે અને તત્કાલીન કવિતાના રાહે રચાતી આવે છે. આમ છતાં કાવ્યબાની, વૃત્તસૌષ્ઠવ, અલંકારે ઇત્યાદિ બાબતોમાં તેમની કવિતા પ્રધાનપણે સંસ્કૃત અસર દાખવે છે. આ અસર લગભગ છેવટ સુધી રહે છે. અંગ્રેજી રીતિની તેમની કેટલીક રચનાઓ ઈ. ૧૯૦૦ પહેલાં “ચંદ્ર' માસિકમાં પ્રગટ થાય છે જે તેમની સજનપ્રવૃત્તિને પ્રોત્સાહક અને પ્રેરક બને છે. અંગ્રેજી ભણેલા ન હોવાથી બોટાદકરની કવિતાને નવીન અંગ્રેજી પદ્ધતિની કવિતાના જે સંસ્કાર મળ્યા તે પરોક્ષ રીતે મળ્યા છે. “આવળનાં ફૂલને', “તન્મયતા” અને “સ્વપ્ન” કાવ્યો અમૃતલાલ દાણીએ અનુક્રમે “The Deffodils', “The Solitary Reaper' અને “The Soldier's Dream'ને જે સાર કહેલા તેના સંસ્કારથી રચાયાં છે. નવું પ્રાપ્ત કરવાની બોટાદકરની તત્પરતાએ તેમને વિકટ યુગસંદર્ભમાં ભલે મોડેમોડે પણ પિતાને આગવા ક્ષેત્રના વિશિષ્ટ કવિ તરીકે પ્રસ્થાપિત કર્યા છે.
અલ્પશિક્ષિત હોવા છતાં બોટાદકરે પોતાની કવિતાનું જે આગવું અને નિરાળું ક્ષેત્ર સહજ સૂઝથી મેળવી લીધું તેમાં તેમની કાવ્યઅભિજ્ઞા પ્રગટ થાય છે (જુઓ “બેટાદકર શતાબ્દી ગ્રંથ' પૃ. ૨૮૮/૫). પ્રકૃતિ, પ્રણય અને ગૃહસંસાર તેમની કવિતાના પ્રધાન વિષય છે, જે તેમણે પૂરા ગાંભીર્ય, તળપદી સૌન્દર્યદષ્ટિ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
ગુજરાતી સાહિત્યને ઈતિહાસ અને માંગલ્યભાવનાથી આલેખ્યા છે. નરસિંહરાવે શૈવલિની'ના પુરસ્કરણ (જુઓ “બેટાદકર શતાબ્દી ગ્રંથ' પૃ. ૨૮૮/૫)માં બોટાદકરની કવિતાનું વિષયદષ્ટિએ વગીકરણ કર્યું છે. (૧) અન્યક્તિ (૨) સ્વભાક્તિ (૩) આર્યસંસાર અને (૪) માનવમાત્રના ગૃહજીવનનું દર્શન એવા ચાર વર્ગ તેમણે પાડ્યા છે. વિશ્વનાથ મ. ભટ્ટ તેમની કવિતાના પ્રધાન બે જ વિષય ગણાવે છેઃ (૧) આર્યગૃહસંસાર (૨) પ્રકૃતિવર્ણન.૨૮ આ ઉપરાંત પોતાના દરેક કાવ્યસંગ્રહને આરંભે નાન્દી રૂપે હોય તેમ તેમણે સપ્રણયને જે વંદના કરી છે તે જોતાં અને તેમનાં ગૃહજીવનનાં કાવ્યમાં પ્રણયનાં માંગલ્યની જે ભાવના નીતરી રહેલી છે તથા પ્રણય પર આર્યજીવનદષ્ટિની અને ભદ્ર સંસ્કારિતાની જે ફોરમ ફરી રહી છે તે જોતાં અને પ્રણયભાવનાં જે ચેડાં કાવ્યો મળે છે તે લક્ષમાં લેતાં પ્રણય પણ તેમને કવનવિષય છે.
બોટાદકર ગામડાના કવિ છે તે તેમનાં પ્રકૃતિકા વાંચતાં તરત જણાઈ આવે છે. પ્રકૃતિનાં ભવ્ય-રમ્ય દશ્યોનાં આલેખન જેમાં થયાં છે તે “પ્રભાત', ક્ષિતિજ', “રાત્રિ', “શરદમેઘ, “ગિરિનિર્ઝર', “શરચંદ્ર' જેવાં થોડાં કાવ્ય બાદ કરતાં બટાદકરમાં શુદ્ધ પ્રકૃતિકાવ્ય ખાસ મળતાં નથી. મુખ્યતવે જે પ્રકૃતિનું નિરૂપણ સાહજિક રીતે આવે છે તે તેમની નજર આગળની ગ્રામપ્રકૃતિ છે. આવળનાં ફૂલ, પરબ, વાડીના કેસ, ગોરજ ટાણે ગામ ભણી વળતાં ધણુ, કાપણી, લણણી અને ગ્રામજીવનમાં વણાઈ ગયેલા મેળા અને અન્ય ઉત્સવોનાં દશ્ય વગેરે તળપદા જાનપદ સૌન્દર્ય'ના તેઓ ગાયક છે. આ પ્રકૃતિકાવ્ય પણ શુદ્ધ પ્રકૃતિનિરૂપણનાં કાવ્ય બનતાં નથી. “પ્રકૃતિમાં ગૃહભાવારોપણ એ બેટાદકરનાં પ્રકૃતિકાવ્યોનું લક્ષણ છે, અને એકંદરે એમની દષ્ટિ કુટુંબ કે ગૃહ કરતાં આગળ વધી જ શકતી નથી.”૨૯ સુન્દરમ નેધે છે તેમ બોટાદકર પ્રકૃતિનાં કાવ્યોમાં પ્રકૃતિના નિરપેક્ષ સૌન્દર્ય કરતાં નરસિંહરાવની રૂઢ રીતે યથેચ્છ માનવભાવનું આરે પણ કર્યા કરે છે.૩૦ બેટાદકરનાં પ્રકૃતિકાવ્યોની આ લાક્ષણિકતા તેમની મર્યાદ પણ ગણાય. કુટુંબભાવ તેમના ચિત્તમાં એટલે પ્રબળ હોય છે કે પ્રકૃતિકાવ્યમાં પણ તે પ્રવેશી જાય છે એટલું જ નહિ મુખ્ય પણ બની જાય છે. આ રીતે કુટુંબભાવનું નિરૂપણ થતાં પ્રકૃતિતત્ત્વ કાં તે અદષ્ટ થાય છે અથવા ગૌણ બની જાય છે. ઉ.ત. “બાલેન્ડ' (કાલિની) અને “ગિરિનિર્ઝર(સ્ત્રોતરિવની)માં તેમને શિશુત્વ કે પુત્રત્વનું, “ઉષા (નિર્ઝરિણી)માં કન્યા અને માતાનું, “પોયણી' (રાસતરંગિણુ)માં પ્રેમનીતરતી પત્નીનું તથા “શર્વરી (શૈવલિની)માં પ્રણયનિષ્ઠ ગૃહિણીનું આલેખન કર્યા સિવાય તે રહી શકતા નથી. “જ્વલન” અને “ક્ષિતિજ.
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩]
ખબદદાર અને અન્ય કવિઓ
[ ૧૧૯
(શૈવલિની)માં પણ આ જ લક્ષણ નજરે પડે છે. પ્રકૃતિસૌન્દર્યનું નિરૂપણ થયું ન થયું ત્યાં તે તેઓ તેમાં માનવભાવ અને ગૃહભાવ આપી દે છે. તેઓ તત્ત્વતઃ કુટુંબભાવના કવિ છે, ગૃહ એ જ તેમનું કવિત્વક્ષેત્ર છે, અને તેમની શક્તિ તથા શક્તિસીમા ઉભય એમાં જ સમાયેલાં છે. આ આરોપિત ભાવ કાવ્યોમાં ઘણી વાર અપ્રતીતિકર અને રસહીન બને તેટલી હદે અને સજીવારોપણ અને અન્યક્તિઓ રૂપે અરુચિકર બને તેવી રીતે પણ ઘણી વાર પ્રવેશી જાય છે.
હિંદુ ગૃહસંસાર અને મુખ્યત્વે પોતાના જમાનાના ગામડાને ગૃહસંસાર એ બોટાદકરને પ્રધાન કવનવિષય છે. અનંતરાય રાવળેકર યોગ્ય તારવ્યું છે કે સંસારજીવનના આલેખનમાં પુરુષને મુકાબલે નારીજીવનનું આલેખન વિશેષપણે, સરસાઈ સૂચક થયેલું છે. આ નિરૂપણ કુટુંબજીવનના વિવિધ પ્રસંગેના સંદર્ભમાં થયેલું છે, જેમ કે પરણીને આવતા પુત્રને પેખતી, પુત્રીને સાસરે વળાવતી અને બાળકના અવસાનનું દુઃખ અનુભવતી માતા. કન્યા, માતા, સાસુ, નણંદ, લગ્નદ્યતા, નવોઢા, બહેન, ગૃહિણ, સીમંતિની, વિધવા એમ સ્ત્રીની જુદી જુદી વય અને અવસ્થાના તથા સ્વરૂપના અને વિવિધ પરિસ્થિતિમાં મુકાતાં તેને થતાં ભાવસંવેદનના આલેખનમાં બોટાદકર ગુજરાતી કવિતામાં અનન્ય ગણાશે. બોટાદકરનું નારીજીવનનું નિરૂપણ અને સંસારજીવનના સર્વસામાન્ય પ્રસંગોએ અનુભવાતાં તળપદાં સંવેદનોનું નિરૂપણ એવી સાહજિકતાથી, સરળતાથી થયું છે કે તે તત અન્યથી જુદા તરી આવે છે. વ્રત કરતી કન્યાઓ; પનઘટ પર જળ ભરવા જતી, વલેણું કરતી, રાસ રમતી, બાળકને હીંચોળતી અને વડીલની લજા જાળવતી સ્ત્રીઓ; ભાઈબીજને દિવસે ભાઈની ઉત્સુકતાથી રાહ જોતી બહેન, પિયરના આણાની આતુર આકાંક્ષા રાખતી અને આણું આવ્યું હરખાતી “સાસરવાસણી, સાસુનણંદના પ્રેમને નવાજતી પુત્રવધૂ, પતિગૃહે પ્રથમ પ્રવેશ કરતી અને પ્રથમ રાત્રિના આનંદસુખ-વૈભવને હૃદયમાં ગુંજતી નવવધૂ, પતિને પરગામ જત અને પરગામથી આવતો જોઈ થતાં સંવેદનને અનુભવતી પત્ની, પારણે પહેલા બાળકની ફિકરથી રાસ છોડી બાળક પાસે પહોંચી જતી માતા – આમ વિવિધ પરિસ્થિતિમાં અનુભવાતાં સ્ત્રીહૃદયનાં સુકુમાર સંવેદનાને કવિ પૂર્ણતાથી પામી શક્યા છે અને તેનું મધુર દર્શન કરાવતાં કાવ્યો કવિએ આપ્યાં છે. બોટાદકરનું નારીજીવનનું નિરૂપણ તેના ઉજજવલ પાસાને પ્રગટ કરે છે. તે માંગલ્યપૂર્ણ, મધુર, પ્રસન્ન અને ગૌરવપૂર્ણ છે. જૂની કુટુંબપ્રણાલીમાં રહેલ આર્યસંસારની મીઠાશમધુરપને તેઓ આસ્વાદ કરાવે છે તેથી યોગ્ય રીતે જ તેઓ માંગલ્યના, નારીહૃદયના અને
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ, ૪
ગૃહજીવનના કવિ ગણાયા છે. તેમનાં આ નારીજીવનનાં કાવ્યામાં ખાસ કરીને માતૃવાત્સલ્યના આલેખનમાં ખાટાદકરનું કવિત્વ જાણે કે કેાળી ઊઠે છે. ‘માતૃગુંજન', ‘જનની' તેનાં સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે.
ખાટાદકરના નારીનિરૂપણમાં શૃંગાર અને પ્રણય આવે છે, પણ કવિનું વલણ ભાવનાત્મક, સયમશીલ, શિષ્ટ અને શુચિતાભયું છતાં રસિકતાભયું છે. પ્રણયને વંદન કરતા કવિનું આવું વલણ તેમની જીવનદૃષ્ટિના સાહજિક આવિર્ભાવ છે. રૂપાળી રાત', ઔત્સુકચ', 'હિંડાળા' જેવાં કાવ્યા એના ઉત્તમ નમૂના છે. અનંતરાય રાવળના૩૩ અભિપ્રાયે મેાટાદકરની પ્રણયભાવનાના ઉન્મેષા કેવળ દામ્પત્યપ્રેમ પૂરતા મર્યાદિત નથી. તેમાં વાત્સલ્ય, માતૃપિતૃભક્તિ, અતિથિપ્રેમ, મૈત્રી, માનવપ્રેમ, ઈશ્વરપ્રેમ, માતૃભૂમિપ્રેમ આદિ અનેક ભાવેશનું ગાન સાંભળવા મળે છે. તેમનાં ખંડકાવ્યા પણ પ્રણયના મહિમા દાખવે છે. ખેાટાદકરે લખેલાં ખંડકાવ્યામાં ટાગારના ‘કાવ્યેર ઉપેક્ષિતા' કાવ્યમાંથી સૂચન મેળવી લખેલુ ઊર્મિલા', ‘બુદ્ધનું ગૃહાગમન' અને એભલવાળા' બાદ કરતાં ખીજાં કેવળ કથાકાવ્યા જેવાં બની જાય છે. કશા રહસ્ય અને આકારસૌષ્ઠવ વિનાનાં તે કાવ્યા પદ્યમાં કથાનું નિરૂપણુ કરી અટકી જાય છે. રસનિરૂપણુની તકેા તે ઝડપી શકતા નથી. પહેલાં એમાં ખેાધકતા આવી જાય છે જ્યારે એભલવાળા' એ ખેાટાદકરનાં ખંડકાવ્યામાં ઉત્તમ બન્યું છે.
રાસ ખાટાદકરનું સત્ત્વશીલ અને ચિરસ્મરણીય અણુ છે. ન્હાનાલાલમાંથી પ્રેરણા પામી તેમણે રાસ લખ્યા હેાવા છતાં તેમના રાસનું સ્વરૂપ ન્હાનાલાલના કરતાં કંઈક જુદું છે. ન્હાનાલાલના રાસપ્રધાનતઃ ઊર્મિકાવ્યના સ્વરૂપના છે તેા ખેાટાદકરના રાસ પ્રધાનતઃ સૌરાષ્ટ્રમાં જાણીતા અને લેાકજીવનમાં પ્રચલિત લાંબા રાસની નજીક વધુ જાય છે. તેમાં ઊર્મિતત્ત્વ નથી હાતુ એમ નહિ, પરંતુ વિષયવસ્તુ કે પ્રસંગનિરૂપણને જાણે વધુ પ્રાધાન્ય મળતું હેાય તેમ જણાય છે. એમાંના કેટલાક રાસ સારાં ઊર્મિકાવ્ય બને પણ છે, જ્યારે કેટલાક ખેાધકતામાં સરી જાય છે. ગૃહજીવનને સ્પર્શતા રાસમાં આદપરાયણતા વિશેષ છે. આ ભાવનાઓ કેટલીક વાર રસને વિભાવ બનતી નથી અને તરંગલીલા બની જાય છે. આમ છતાં રાસ સહજ પ્રાસાદિક શૈલીથી આસ્વાદ્ય બને છે અને એમાં એટાદકરની કવિ તરીકેની ગણનાપાત્ર રચનાઓ છે એમ વ્યાપક દૃષ્ટિએ કહી શકાય.
ખાધકતત્ત્વ ખાટાદકરનાં કાવ્યાને ઘણી વાર કાવ્યત્વ સુધી પહોંચવા દેતું નથી. કવિ તરીકે ખેાટાકરની ખીજી મર્યાદાએ એ છે કે તેમની પાસે ઊંચી કાટિની કલ્પનાશક્તિ નથી. કલ્પનાને બદલે ઘણી વાર તેમની કવિતા તરંગલીલામાં
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩].
ખબરદાર અને અન્ય કવિએ [ ૧૨૧ સરી પડે છે. તેમનામાં દેખાતી અન્યોક્તિ અને અર્થાન્તરન્યાસની બેધાત્મક એકવિધતા, પ્રકૃતિમાં માનવભાવના વારંવાર થતા આપણુની કૃત્રિમતા તેમની કવિતામાંના ઊર્મિતત્ત્વને મંદ કરી નાખે છે. ગૃહકુટુંબ અને પ્રકૃતિ એ તેમનું વિષયવર્તુળ તેમની કવિતાને મર્યાદિત કરી મૂકે છે. તેમની મેટી મર્યાદા એ છે કે તેમની કવિતા બહુધા અભિધાથી આગળ વધતી નથી. કવિતાને ચિંતનાત્મક બનાવવા જતાં તે બેધતામાં સરી જાય છે. ખંડકાવ્યમાં સીધી ગતિએ કથાનિરૂપણ કરતાં વચ્ચે વચ્ચે વિચારો રજૂ કરવા તેઓ દોરવાઈ જાય છે. કૃતિને અનિવાર્ય આકારસૌષ્ઠવ પણ ચેડા અપવાદ બાદ કરતાં સિદ્ધ થતું નથી. કાવ્યો દીર્ઘસૂત્રી અને નિરર્થક લંબાણવાળાં બનતાં ઊર્મિતત્ત્વ અળપાઈ જાય છે, પરિણામે સંવેદનની અસરકારકતા અ૯પ બની જાય છે. કવચિત્ કૃત્રિમતા પણ પ્રવેશી જાય છે. સુન્દરમ કહે છે તેમ તેમનું કાવ્ય ઊર્મિનું પુનઃસર્જન સાધીને રસવની કેટિ લગી બહુ ઓછું પહોંચે છે. આમ છતાં તેઓ ઉમેરે છે કે, બેટાદકરનાં કાવ્યમાં વાત્સલ્ય અને પ્રણયના ભાવનું નિરૂપણ સૌથી ઉત્તમ છે. “માતૃગુંજન” અને “ભાઈબીજ' એનાં ઉત્તમ દષ્ટાંત છે. તેમની શક્તિનું સૌથી વધારે રસવંત પ્રાકટય આ અને આવાં બીજું કાવ્યોમાં છે.”૩૪
બેટાદકરનું વૃત્તપ્રભુત્વ એકંદરે પ્રશસ્ય ગણાય. રાસ જુદા જુદા ઢાળમાં રચાયેલા છે. આ ગેય રચનાઓમાં કવિને લયની સૂઝ હોવાનું એકંદરે જણાય છે. લેકગીતાના અને જૂનાં ભજન, ગરબાના અને ક્યારેક પ્રચલિત રાગ પણ તેમણે રાસમાં પ્રજયા છે. કવિની કાવ્યભાષા તેમને એકંદરે સારલ્યના કવિ કહેવા પ્રેરે તેવી પ્રાસાદિક હોવા છતાં, “વાત', “હસંતિ', “કુંભ, “તરણિ', “રભસ', “ઝટિતિ', “પિશિત', “અકૂપાર', કીશ” જેવા ઘણું સંસ્કૃત અપરિચિત શબ્દો અને આખી પંક્તિ જ સમાસ હોય તેવી રચના કવિને સહજ સારત્યેની આડે આવે છે. બોટાદકરની સંસ્કૃતપ્રચુરતા તેમની કવિતાને ઠીકઠીક નડી છે. પંડિતયુગની કવિતાની એતિહાસિક ભૂમિકામાં તેમની કવિતા આવીને ઊભી રહે છે તેથી કદાચ, સંસ્કૃતપ્રચુર, પાંડિત્યદર્શક કાવ્યભાષા વાપરવા તેઓ પ્રેરાયા હોય તેવો સંભવ ખરો; બાકી સરલ ભાષા અને પ્રાસાદિકતા બટાદકરને સ્વભાવસહજ છે જેનાં દૃષ્ટાંત તેમના રાસ છે. લોકભાષાની માધુરીને સ્વાદ પણ તેમની ભાષામાં ઝિલાયે છે. તેમની સરળ ભાષા, આડંબરી સંસ્કૃતપ્રચુર ભાષા કરતાં વધારે સ્પર્શક્ષમ, સજીવ અને સૂક્ષમ ભાવોને અસરકારકતાથી વ્યક્ત કરી શકે છે.
બોટાદકરની કાવ્યશેલી સુન્દરમ નોંધે છે તેમ ત્રણ તબક્કે વિકસી છે. “પહેલો તબક્કો પ્રાચીન કવિઓની અને દલપતરામની શૈલીને. બીજે સાક્ષરી
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨] . ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ રીતિને અને ત્રીજે લેકવાણીની સરળ રીતિને છે.૩૫ પહેલી શૈલીને ઝડપથી ત્યાગ કરી તેઓ સાક્ષરી શિલી સાધવા ઘણું મથ્યા છે, પરિણામે અતિ સંસ્કૃતમયતાને ભારથી તેમની કવિતા દબાઈ ગઈ છે, મંદ પણ બની છે. ત્રીજા તબક્કાની કાવ્યશૈલી “રાસતરંગિણીનાં કાવ્યમાં જોવા મળે છે. લેકવાણુની હળવાશવાળી એ કાવ્યશૈલી વધારે અર્થસાધક બની પ્રશસ્ય સફળતા પ્રાપ્ત કરે છે. તળપદા પ્રદેશ, પ્રકૃતિ, ગૃહજીવન અને આર્યસંસારના આ “સૌન્દર્યદર્શી કવિ” ગુજરાતી કવિતાક્ષેત્રે તેમને મધ્યમ કક્ષાના કવિત્વથી પણ પિતાના નાનકડા પણ આગવા ક્ષેત્રના અનન્ય કવિ છે.
રામમહનરાય જસવંતરાય (૧૮૭૩-૧૯૫૦/૫૧)ને વીસ કાવ્યોને સંગ્રહ ‘તરંગાવલી' (૧૯૧૮) નાનકડો છતાં કવિનાં ભાષાશક્તિ, સંસ્કૃત છંદપ્રભુત્વ અને નિરૂપણની સૂઝને કારણે કંઈક આસ્વાદ્ય બને છે. માતા, બહેન અને પત્ની વિશેનાં કાવ્યો સારાં છે. વર્ણનમાં તેમની ભાષાશક્તિ સારી રીતે ખીલે છે.
હદયતરંગ'(૧૯૨૦)માં તેના લેખક ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલે (૧૮૭૪–૧૯૨૬) કેટલાંક રસહીન પ્રણયકાવ્યો આપ્યાં છે. રમણલાલ રણછોડલાલ ગોળવાળાને સંગ્રહ “રમણકાવ્ય' (૧૯૨૦) લેખકના અવસાન પછી પ્રગટ થયેલે પદોને સંગ્રહ છે. તેમાં સદ્દગતના પિતાએ નરસિંહરાવની શૈલીમાં લખેલું વિરહગાર' કાવ્યસંગ્રહનાં કાવ્ય કરતાં વધુ સારી કૃતિ બની છે. પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ(૧૮૭૭)ના “કાવ્યગંગઃ વિદ્યાથી વિલાસ' (૧૯૨૫)માં દલપતરામ અને પછીના અનેક કવિઓની શૈલીનું અનુકરણ છે.
અમૃતલાલ નાનકેશ્વર ભટ્ટ (૧૮૭૮) “પુલોમાં અને બીજાં કાવ્યો (૧૯૨૮) આપે છે. સંસ્કૃત રીતિની પ્રૌઢિથી ટૂંકા માત્રામેળ છંદે તેમણે વાપર્યા છે. સંગ્રહમાં પુલમાં એવું પૌરાણિક કથાપ્રસંગ નિરૂપતું કાવ્ય છે તે સાથે ગીતો અને ઊર્મિકાવ્યો પણ છે. સાદી સરળ અભિવ્યક્તિ તેમની વિશેષતા ગણી શકાય. “સીતા' (૧૯૨૮) રસહીન રીતે રામથી ત્યક્ત સીતાનાં ભૂતકાળનાં સંસ્મરણને આલેખતું કાવ્ય છે.
સ્તવનમંજરી' (૧૯૨૩)માં, સરળ શિષ્ટ ભાષામાં લખાયેલી હોવા છતાં રસાવહ ન બનતી રચનાઓ આપનાર સો. દીપકબા દેસાઈ(૧૮૮૧-૧૮૬૬)નું નોંધપાત્ર અર્પણ “ખંડકાવ્યો' (૧૯૨૬) છે. ઈતિહાસપુરાણમાંથી પ્રસંગે લઈ રચેલાં આ ખંડકાવ્ય રસાત્મક બન્યાં નથી. કાલે બેધપ્રધાન અને વર્ણનમય
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩]
ખબરદાર અને અન્ય કવિઓ
( ૧૨૩:
વધુ બની ગયાં છે. તેમના ત્રીજો સંગ્રહ ‘રાસબત્રીશી' ૧૯૩૧માં પ્રગટ થયા છે. ભાષાની મધુરપ છતાં કાવ્ય અભિધાથી આગળ વધતાં નથી.
શંકરલાલ મગનલાલ પંડયા મણિકાન્ત' (૧૮૮૩/૮૪-૧૯૨૬/૨૭)ના ‘મણિકાન્તકાવ્યમાળા' (૧૯૧૭માં ૫મી આવૃત્તિ) અને સંગીતમંગલમય’ (૧૯૧૩) એ સંગ્રહેા પ્રગટ થયા છે. ગઝલને અમુક છંદના પર્યાય રૂપ લેખતા આ કવિને અને વિશે ઘણી ગેરસમજ છે. દલપતરીતિ જેવી રંજનપ્રધાન, વાચ્યા માં રાયતી, ખાધ આપતી તેમની કવિતા નથી કલાત્મક કે નથી ગૌરવપૂર્ણ. તેમના વિષયે પણ બજારુ છે. શહેરી જીવનનાં વ્યસને, બેકારી, સામાજિક કુરૂઢિઓ, ધાર્મિક-સામાજિક-રાજકીય વિષય ઉપર તેમણે ધણું લખ્યું છે. કન્યાવિક્રય ઉપર કટાક્ષ અને વાંઢાપણાની કવિતા કરતાં તેઓ હાસ્ય પ્રયેાજે છે. તેમની ભાષા સરળ અને શૈલી ઝડઝમકવાળી છે.
ગુજરાતીસાહિત્યમાં મુસલમાન કવિઓએ આપેલા ફાળામાં કરીમ મહુમદ માસ્તર (૧૮૮૪–૧૯૬૨)નું નામ નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાને તમે સરળતા અને પ્રાસાદિકતાથી પ્રયેાજી શકે છે. તેમણે અંગ્રેજી અને ફારસી કવિતાના અનુવાદ આપ્યા છે. ગઝલામાં કયાંક કલાપીની અસર દેખાય છે. તેમણે કવિતાપ્રવેશ' નામે કરેલું ગુજરાતી કવિતાનું સંપાદન તેમના કવિતા સાથેના સંપર્કના દૃષ્ટાંતરૂપ છે. ‘કરીમ મહંમદનાં કાવ્યા અને લેખા' નામના એમના પ્રકાશનમાં ‘વિધાતાને', ‘સૌંદય' જેવાં કાવ્યા અને ‘પ્રભાસપાટણ' સામનાથ' તેમ જ વ્યક્તિચિત્રાના લેખા છે.
મણિલાલ માહુનલાલ પાદરાકર (૧૮૮૭) વ્યવસાયે વેપારી હાવા છતાં સાહિત્ય માટેના તીવ્ર અનુરાગે તેમને લખતા કર્યા છે. તેમણે લખેલા નિબંધા નવજીવન' નામે ૧૯૧૭માં ગ્રંથરૂપે પ્રગટ થયા છે. તેમનુ લેખન વિવિધ પ્રકારનું છે. ‘સાકી' નામે નવલકથા ૧૯૧૯માં, ‘પ્રણયમંજરી' કાવ્ય ૧૯૨૦માં, ‘લગ્નગીત' ૧૯૨૩માં, ‘લગ્નગીત મણિમાળા’ ૧૯૨૪માં, ‘રાષ્ટ્રીય રાસકુંજ' ૧૯૩૦માં અને રાષ્ટ્રીય રાસમંદિર' ૧૯૩૧માં, પ્રગટ કરી તેમણે પેાતાની સર્જકશક્તિને પરિચય કરાવ્યેા છે. ‘મંગલસૂત્ર' (૧૯૩૫)માં લગ્નજીવન અને રાષ્ટ્રીય ભાવનાનાં રાસ-ગીતા છે. સર્જક તરીકે તેમની શક્તિ ઝાઝી નોંધપાત્ર નથી. શબ્દનું ઔચિત્ય એછું અને ભાષા તથા ભાવનાએ આ પૂર્વે વપરાયેલી હેાઈ એમની કવિતામાં તેનું ગાન અસરકારક બનતું નથી. રાસ પર તેમણે ન્હાનાલાલનું અનુકરણ કરવાના પ્રયત્ન કર્યો છે પણ તે ઝાઝું ફ્ાવ્યા નથી.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧ર૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ આ ગાળામાં વધુ કવિત્વશક્તિ દાખવતા કવિ છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ (૧૮૮૮). “નવાં ગીત' ભા. ૧-૨(૧૯૨૫)નાં કાવ્યો તાજગી અનુભવ કરાવે છે. ગીત સરળ, મધુર અને કલાના ચમત્કારયુક્ત બન્યાં છે. કવિની શક્તિને ઉત્તમ પરિચય વર્ણનાત્મક કાવ્યોમાં થાય છે. તાદશ વર્ણને, આછી પણ ઉચિત અલંકારો અને અસરકારક રજૂઆતથી વર્ણનાત્મક કા સારાં બન્યાં છે. આમાં ઋતુવર્ણને ખરેખર સારાં બન્યાં છે. કવિની ઉત્તમ રચના “રતનબાને ગરબ” છે. જલિયાંવાલા બાગની કથની આલેખતું આ કાવ્ય નવા યુગની ભાવનાને જૂની શલીએ રજૂ કરે છે. આજની કેળવણી અને શહેરી જીવન ઉપર કટાક્ષ કરતાં બેએક કાવ્ય આ યુગમાં આ વિષય પર લખાયાં હાઈ નોંધપાત્ર બને છે. કવિને બીજે સંગ્રહ બે દેશગીતો (૧૯૨૮)માં ભીમરાવ અને બેટાદકરનાં અનુક્રમે ભારતી” અને “સૌરાષ્ટ્ર' કાવ્યનું અનુસરણ છે. દર્શનના અભાવે કૃતિઓ સામાન્ય કાટિથી આગળ વધતી નથી. “નવી ગરબાવળીમાં કેટલાક સારા રાસ મળે છે, જેમાં લેકવાણીનું બળ પ્રગટ થયું છે. “મેઘદૂતને ઝૂલણા છંદમાં કરેલ તેમ જ કાલિદાસને “ઋતુસંહારને અનુવાદ પ્રગટ થયા છે. મૂળ છંદબદ્ધ રચનાનું સૌન્દર્ય માત્રામેળ છંદમાં લુપ્ત થઈ જાય છે. તેમણે આપેલાં બાળકાવ્યો તેમાંની કેમળતાને કારણે કવિનું વિશિષ્ટ અર્પણ ગણાશે.
કેશવ હ. શેઠ (૧૮૮૮–૧૯૪૭): પિતાના બાર કાવ્યસંગ્રહોના વિપુલ કાવ્યસર્જનથી અને ન્હાનાલાલની કાવ્યશૈલીને અનુકરણથી, તેમને પગલે જઈ પિતાની સ્વકીય મીઠાશ સાધનારા કવિઓમાં કેશવ હ. શેઠનું સ્થાન પહેલું આવે છે. અનુકરણશીલ માનસ ધરાવતા આ કવિને પ્રગટ થયેલા આટલા સંગ્રહો છેઃ “લગ્નગીત' (૧૯૧૬), “સ્નેહસંગીત', “પ્રભુચરણે, “સ્વદેશગીતાવલિ', (૧૯૧૮), રાસ' (૧૯૨૨), “અંજલિ' (૧૯૨૬), “મહાગુજરાતને મહાકવિ” (૧૯૨૭), રાસમંજરી' (૧૯૨૯), કેસરિયાં', “રણના રાસ' (૧૯૩૦), “રાસનલિની' (૧૯૩૨), વીરપસલી' (૧૯૩૩), બાળગીતાવલી' (૧૯૩૮).
આરંભમાં દલપતયુગની, પછી લલિત, કાન્ત અને પ્રધાનપણે હાનાલાલની કવિતાનું અનુસરણ તેમનાં કાવ્યમાં સ્પષ્ટ વરતાય છે. ધીરે ધીરે તે અનુકરણમાંથી નીકળી પિતાનું સ્વતંત્ર કાવ્યપત તેઓ પ્રગટ કરે છે છતાં શિલી અને રાસ જેવા
સ્વરૂપમાં ન્હાનાલાલનું અનુસરણ તરત પકડાઈ જાય છે. કવિમાં કલ્પના અને કલાતત્ત્વને વિવેકની ઓછપ હોવાથી તેમની કવિતા ઝડઝમક અને આભાસી ઉન્નત પદાવલિમાં અટવાઈ જાય છે. તરંગો તથા અતિવ્યાપ્તિઓને લીધે તેમ જ લાગણીને રસત્વની ઊંચી કક્ષાએ ન પહોંચાડી શકવાથી તેમની કવિતા મંદ પડી જાય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૨૫:
તેમનાં માટા ભાગનાં કાવ્યા લયબદ્ધ ઢાળમાં રચાયાં છે. ‘લગ્નગીત’, ‘રાસ’, ‘રાસમંજરી’, ‘વીરપસલી'માં મુખ્યત્વે ગીતા છે. સ્વદેશગોતાવલી', ‘કૈસરિયાં’, ‘રણના રાસ’માં રાષ્ટ્રભાવનાનાં ગીતા છે, જેમાં કવચિત્ કવિ શક્તિ દાખવે છે.. અંજલિ’માંનાં સ્વદેશપ્રેમનાં કાવ્યા સ્વદેશગીતાવલિ'માંનાં કાવ્યોને મુકાબલે કંઈક સારાં બન્યાં છે. આ સંગ્રહમાં બાળકે અને માતૃત્વ વિશેનાં કાવ્યા છે. ‘ડુમ્મસને રિયે' તેમાંના સુરેખ સુંદર વનથી સારામાં સારી કૃતિ બની છે. ઉપરાંત ‘ભવાટિવ' અને ‘કલ્પનાપંખી' સારી કૃતિઓ ખની છે. કુટુંબભાવ અને પ્રણયભાવનાં ગીતામાં માધુર્યંના અનુભવ થાય છે પણ તે પ્રધાનપણું શાબ્દિક વિશેષ છે. સુન્દરમ્ કહે છે તેમ રસમાં અને અથ પ્રસાદમાં કાવ્યા હજી ઘણાં રિદ્ર છે.’૩૬ ‘પ્રભુચરણે'માં કવિના ભક્તિભાવ પા રૂપે કારેક મધુર સ્પર્શ આપી જાય છે. સ્નેહસંગીત'માં ગીતને બદલે તેઓ છ ંદોબદ્ધ કાવ્ય તરફ વળે છે; પણ તેમાં ઝાઝુ સિદ્ધ કરી શકયા નથી. તેમાં ગઝલા અને ખંડકાવ્યના કાચા પ્રયત્ને પણ મળે છે. ‘મહાગુજરાતના મહાકવ’માં ન્હાનાલાલની ડાલનશૈલીના ગંભીરપણે. તેઓ પુરસ્કાર કરે છે અને આ પ્રકારના પ્રયત્નામાં આ સારું નીવડેલું કાવ્ય છે.. રાસનલિની' કેશવ શેડના વિકસેલા સ્વતંત્ર કવિત્વના સારામાં સારા પરિચય આપતા સંગ્રહ છે. મધુર ગીતા અને સૌન્દર્યથી કલાત્મક બનેલાં કાવ્યા એમાં વિશેષ છે. કેટલાંક ગીતામાં લેાકગીતની છટા કવિ દાખવે છે અને ગીતા પ્રાસાદિક બન્યાં છે. ભાવનિરૂપણુ રસાત્મક બને છે. વગડેા’વિભાગનાં લગભગ બધાં જ કાવ્યા સુંદર છે. શેઠની સમગ્ર કાવ્યપ્રવૃત્તિના વધુમાં વધુ સુંદર આવિષ્કાર ‘રાસનલિની’ છે, ‘ખાળગીતાવલિમાં ત્રિભુવન વ્યાસની ઢબનાં બાળભાગ્ય ગીતા છે જે ફિક્કાં છે. આ કવિ રાસના વિકાસની દૃષ્ટિએ વિશિષ્ટ સ્થાનના અધિકારી અને છે.
ગોવનદાસ ડાહ્યાભાઈ એ જિનિયરે (૧૮૯૦)‘શ્રી રામકથામૃત’ (૧૯૧૭)-- માં અઢાર સમાં રામાયણની કથા તાજગીથી નિરૂપી છે. દરેક સ એક સ્વતંત્ર ખંડકાવ્ય સ્વરૂપે લખાયા છે, જોકે બધા જ એકસરખી કક્ષાના નથી. શિષ્ટ પ્રૌઢિવાળી ભાષા, યેાગ્ય રીતે થયેલુ` વસ્તુનિરૂપણુ અને શુદ્ધ છંદપ્રયાગા તથા શ્લેાકરચના ધ્યાન ખેંચે છે.
ગાવિંદ હું, પટેલ (૧૮૯૦-૧૯૫૬)ના ‘હૃદયધ્વનિ' નાદ ૧, ૨, ૩, ૪ - (૧૯૨૩), ‘જીવન્તપ્રકાશ’ (૧૯૩૬), ‘તપેાવન' (૧૯૩૭) અને ‘મદાલસા' (૧૯૩૯) એ ચાર સંગ્રહે। તેમાંનાં ખંડકાવ્યાને કારણે નોંધપાત્ર છે, છતાં તેમાં કશું વિશિષ્ટ અણુ કે તેમની શક્તિ દેખાતી નથી. આમાં ‘હૃદયધ્વનિ’ અને આત્માદ્ગાર'માં
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ગદ્યમય ભાવગીતે લખવાનો પ્રયાસ નેંધપાત્ર ગણાય. કાન્તના છંદોવિધ્ય અને સંસ્કૃતપ્રચુર ભાષાનું અનુસરણ તેમણે કર્યું છે. વસ્તુ-સંજનાનું શિથિલ્ય, નિરૂપણની કિલષ્ટતા, રસચમત્કૃતિને અને કલાદષ્ટિને અભાવ હોવાથી કાન્તની કલા તેઓ સિદ્ધ કરી શક્યા નથી.
ન્હાનાલાલના “જયા-જયંતીને અંગ્રેજીમાં અનુવાદ કરનાર ઉછરંગરાય કેશવરાય ઓઝા(૧૮૯૦)એ “સૌરાષ્ટ્રની રસધારમાંથી વિષય લઈ ડોલનશૈલીમાં બે ખંડકાવ્યો “સેણી અને વિજાણંદ તથા “મેહ-ઊજળી' (૧૯૩૫) આપ્યાં છે. મૂળ જેટલાં પણ રસમય બન્યાં નથી.
સીતારામ જેસીગભાઈ શર્મા(૧૮૯૧–૧૯૬૫?)ના બે કાવ્યસંગ્રહ પ્રસૂનાંજલિ' (૧૯૧૫) અને “સ્વદેશગીતા' (૧૯૨૦) નરસિંહરાવ, મણિલાલ, કાન્ત, લલિત, કલાપી અને વિશેષ તે નેહાનાલાલના અનુકરણમાં રચાયેલાં ગીતોના સંગ્રહ છે. તેમણે "વીણવિહાર' ભા. ૧, ૨ (૧૯ર૩-૨૪) નામની એક નવલકથા મરાઠી ઉપરથી લખી છે. જુવાનીમાંની વાતો' (૧૯૨૮) એ તેમને ટૂંકી વાર્તાઓને સંગ્રહ છે. પત્રકારત્વક્ષેત્રે તેમણે વિવિધ પત્રો-સામયિકના તંત્રીસહતંત્રી તરીકે કામ કરેલું. તેમણે કરેલા રવીન્દ્રનાથનાં કાવ્યના અનુવાદે રસનહીન છે.
જનાર્દન હાનાભાઈ પ્રભાસ્કર (૧૮૯૧) વિહારિણી' (૧૯૨૬) શરદિની' (૧૯૨૮), “મંદાકિની' (૧૯૩૦) અને “રાસનન્દિની' (૧૯૩૪) એ ચાર કાવ્યસંગ્રહો આપ્યા છે. ન્હાનાલાલનું અનુકરણ બહુધા કરવા છતાં આ કવિમાં થડી સારી મૌલિકતા દેખાય છે. ગીતમાં ખાસ કરીને ઉપાડની પંક્તિઓ સારી છે. પ્રણય, નિસર્ગ અને કમળ ભાવોનું આલેખન નોંધપાત્ર છે. વાચ્યાર્થ, કલાઅંશની અને રસડાણની અપર્યાપ્તતાને લીધે તેમની રચનાઓ ઊંચું કવિત્વ પ્રાપ્ત કરી શકતી નથી.
મંજુલાલ જમનારામ દવે (૧૮૯૧–૧૯૬૪): મુંબઈ, સુરત આદિ શહેરની પ્રસિદ્ધ કોલેજોમાં અંગ્રેજી અને ફ્રેન્ચના પ્રાધ્યાપક તરીકે યશસ્વી સેવાઓ આપનાર મંજુલાલ ટાગોરના ઊંડા અભ્યાસી હતા. ટાગેરના “ડાકઘર'(૧૯૧૫)ને તેમણે ગુજરાતી અનુવાદ કર્યો છે. તેમણે ડી. લિ.ની પદવી માટે કેન્ય ભાષામાં લખેલે અઢીસો પાનાંને નિબંધ “લા પિએઝી દ રવીન્દ્રનાથ ટાગોર રેમાં રેલાંની પ્રશસ્તિ પામે છે, અને પીએચ.ડી.ની પદવી માટે લખેલો બીજે નિબંધ ‘યુરપ-એશિયાના સાહિત્યમાંને લક્ષ્યવાદ (Symbolism) આ વિષય પરની પૂર્વ
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[૧૨૭ પશ્ચિમની વિચારણાની તુલનાત્મક સમીક્ષારૂપ છે. અંગ્રેજી કાવ્યોના સફળ અનુવાદ કરવા ઉપરાંત એમણે કેટલાંક સારાં મૌલિક કાવ્ય પણ આપ્યાં છે.
ભગવાનલાલ લક્ષ્મીશંકર માંકડ(૧૮૯૨–૧૯૬૯)ના સંગ્રહ “રૂપલીલા, (૧૯૨૨)માં કૃષ્ણભક્તિનાં બસો જેટલાં પદે પ્રાચીન રીતિમાં લખાયાં છે. કલ્પનાના કવચિત ઝબકારા તેમનામાં જણાય છે, છતાં કાવ્યને રસકેટિએ પહોંચાડવાની શક્તિ તેમનામાં નહિવત છે. લેખકને સંગીતને ખ્યાલ હોય તેમ જણાય છે. ઉપરાંત તેમણે “Clouds' (૧૯૧૭) અંગ્રેજી ગ્રંથ, “મામેરું' (૧૯૨૮)નું સંપાદન કરી પ્રગટ કર્યા છે. “સાહિત્યકુંજ' (૧૯૩૦) કાવ્યસંચય સંપાદિત કર્યો છે. તેમને બીજા સંગ્રહ “રૂપલેખા'(૧૯૩૭)માં રાસ, ગીતો છે. લાંબે ગાળે પ્રગટ થયે હોવા છતાં તેમાં તેમને કોઈ નેધપાત્ર વિકાસ દેખાતું નથી. તેમણે સુંદર લલિત નિબંધે પણ લખ્યા છે.
શંભુપ્રસાદ છેલશંકર જોશીપુરા “કુસુમાકર)(૧૮૮૩–૧૯૬૨)ની કાવ્યસાધના ગંભીરભાવે થયેલી છે. તેમનાં કાવ્યોમાં અધ્યાત્મભાવ વિશેષ તરી આવે છે. “સ્વપ્નવસંત' (૧૯૬૩) નામને તેમને એક દળદાર સંગ્રહ મરણોત્તર પ્રગટ થયો છે. તેમની કવિતાના વિકાસમાં પંડિતયુગ અને પછીની કવિતાની અસર જોવા મળે છે. પ્રકૃતિ તરફને અહોભાવ પ્રગટ થાય છે. પરંતુ કલાદષ્ટિની ઓછપ હોવાથી ઘણું કાવ્યો લખવા છતાં તેમનું સત્ત્વશીલ કલામય સર્જન ઓછું છે. કુસુમાકરે “સ્વપ્નવિભાવરી'માં ઊર્મિમાળા કાવ્ય લખ્યું હોવાનું તેંધાયું છે. બાળકાવ્યો અને ટાગોરની અનુકૃતિઓ પણ આપેલાં છે. તેમણે ગદ્યમાં ચિંતનાત્મક નિબંધ, વાર્તાઓ, લઘુનવલ, નવલકથા, હાસ્યરસના લેખે અને કવિ-સાક્ષરો વચ્ચે હું' નામે જીવન અનુભવિકા તથા નાટકે પણ લખ્યાનું જણાવાયું છે. પરંતુ તેઓ વિશેષ જાણીતા છે કવિ તરીકે.
નર્મદાશંકર બાલાશંકર પંડયા(૧૮૯૩)એ થોડાં કાવ્યો લખ્યાં હેવા છતાં, તેમનું વધુ લખાણું ગદ્યમાં છે અને તે પણ બંગાળી ગ્રંથાના અનુવાદરૂપે છે. બંગાળના એક સંતના ભક્તિ-વિષયક પત્રાનું બંગાળીમાંથી કરેલું ભાષાંતર પાગલ હરનાથ' (૧૯૧૨) નામે પુસ્તકરૂપે પ્રગટ થયું છે. તે પછી તેમણે શશિકાર ઘેાષના “અમીય નિમાઈ ચરિત’છ ભાગ પૈકી પ્રથમને અનુવાદ શ્રીકૃષ્ણ-ચૈતન્ય ભા. ૧” (૧૯૧૩) નામે, રમેશચંદ્ર દત્તની નવલકથા “સમાજને અનુવાદ “સંસારદર્પણ (૧૯૧૪) નામે, બંગાળીમાંથી રામકૃષ્ણ કથામૃત (૧૯૧૮–૧૯) નામે ગ્રંથે પ્રગટ કર્યા છે. કેટલાક અંગ્રેજી ગ્રંથોના અનુવાદ પણ તેમણે પ્રગટ કર્યા છે, જેમાં સ્વામી વિવેકાનંદ ભા. ૪-૫' (૧૯૧૭-૧૮),
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ગ્ર: ૪
“મહાન નેપેલિયન' (૧૯૨૪), મુખ્ય છે. યુગમાં રસ હોઈ તેમણે “પ્રાણચિકિત્સા” (૧૯૧૫) અને “યોગતત્વ' (૧૯૨૫) એ બે પુસ્તક લખ્યાં છે. સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યામાંથી તેમણે રાજયોગ” (૧૯૨૪) પસંદ કરી પ્રગટ કર્યું છે. બારડોલી સત્યાગ્રહની જુદી જુદી ઘટનાઓને નાટકરૂપે રજૂ કરતું તેમનું પુસ્તક “ધ્વજારોપણ અથવા બારડોલીને ધનુષ્યટંકાર' (૧૯૨૯) પ્રગટ થયું છે.
દેશળજી પરમાર (૧૮૯૪–૧૯૬૬) આ સમયગાળાના ગણનાપાત્ર કવિ છે. કેશવ હ. શેઠ, જનાર્દન પ્રભાસ્કર પછી નેહાનાલાલના પ્રભાવથી આકર્ષાઈને તેમના અનુસરણમાં લખનાર તરીકે દેશળજી પરમાર આવે છે. આમ છતાં તેઓ ધીરે ધીરે આગળના બે કવિઓ કરતાં એ અસરમાંથી જલદી મુક્ત થઈ વધુ મૌલિક રચનાઓ આપી શક્યા છે. દેશળજી પરમારને જીવનનિષ્કાના કવિ તરીકે ઓળખાવી શકાય. જેવી કવિ-જીવનની નિષ્ઠા તેવી તેની કવિતા' આ તેમની વિચારણા છે અને તેના સંદર્ભમાં પિતાનું મૂલ્યાંકન કરતાં તેઓ પોતે કહે છે કે “મારી જીવનનિષ્ઠા મારી કવિતા બની છે.૩૭ ગાંધીજી, શ્રી અરવિંદ અને શ્રી માતાજી તેમના જીવન અને કવનને ઘડનાર વિભૂતિઓ છે. તેમનું જીવન જેમ જેમ પરિવર્તન પામતું ગયું છે તેમ તેમ કવિતાનું પણ પરિવર્તન થતું રહ્યું છે. વિષય, અભિવ્યક્તિ અને લઢણો ઇત્યાદિમાં પરિવર્તન પામવા છતાં તેમને કવિતા પ્રત્યે જે અભિગમ સાથંત દેખાય છે તે તેમના જ શબ્દોમાં જોઈએ. “કવિતાને મેં એક કાયર “escapist' તરીકે સેવી નથી.”૩૭ આવા ઉચ્ચ ભાવ સાથે તેમણે આજીવન કવિતાની ઉપાસના કરી છે.
ગૌરીનાં ગીતો' (૧૯૨૮), ગલગોટા' (૧૯૩૦), ટૂહૈકા' (૧૯૩૧) અને ‘ઉત્તરાયન' (૧૯૫૪) એ ચાર કાવ્યસંગ્રહે તેમણે આપ્યા છે. “ગૌરીનાં ગીતા'માં ન્હાનાલાલની ચારુતા સાથે સેકગીતની કમનીયતાને ઝીલી લખેલાં ગીતમાં ઘણી વાર કલ્પનાની કુમાશને અનુભવ થાય છે. “વીરો વધાવો', “ભાઈબહેન, પતંગિયાનું ગીત', “મેગરાની માળ' જેવાં કેટલાંક ગીતે તે લોકપ્રિય બાળગીતો બન્યાં છે. તેમણે સરસ જોડકણાં પણ આપ્યાં છે.
દેશળજીના કવિત્વને અતિ ગંભીર આવિર્ભાવ “ઉત્તરાયન’નાં કાવ્યમાં દેખાય છે. ગાંધીજીના પ્રભાવ સાથે અસહકાર, સત્યાગ્રહ આંદેલને તથા રાષ્ટ્રભાવના, બલિદાન ઇત્યાદિ તેમની કવિતાના વિષયો બન્યા છે. બહુધા ત્રીશીના ગાળામાં રચાયેલી આ કવિતા, તે યુગની અર્થપ્રધાન રીતે વિષયનિરૂપણ કરતી શૈલીએ લખાયેલી જણાય છે. વિચારની સુરેખતા ઓછી અને ન્હાનાલાલનું ભાવનાત્મક વલણ વિશેષ તે તેમની કવિતામાં પ્રધાનપણે દેખાય છે. ઉત્તરાયનનાં
Page #138
--------------------------------------------------------------------------
________________
.. ૩]
ખબરદાર અને અન્ય કવિએ
[ ૧૨૯
ફાવ્યામાં આત્મલક્ષી ઊર્મિકાવ્યા — વ્યક્તિવિશેષનાં કાવ્યો— વિશેષ સંખ્યામાં છે. ભાવનાપ્રધાન કાવ્યેાની સંખ્યા પણ ઓછી નથી. ગીતા ઉપર ન્હાનાલાલની અસર દેખાય છે; પણ પનાની, રાગીયતાની ઊણપ વરતાય છે. છ ંદોબદ્ધ લાંબાં અને ટૂંકાં કાવ્યામાં, છંદ અને ભાષા બંનેમાં સિદ્ધિ હવા છતાં, શબ્દને ઘટા ટાપ વિશેષ આવી જવાથી વસ્તુને સઘન સ્પર્શ આòા થઈ જાય છે. શબ્દાવલિના વૈભવ વિશેષ છે. કવિએ કેટલાંક સાનેટ પણ રચ્યાં છે, પરંતુ તેમાં તેમની સિદ્ધિ મધ્યમ કક્ષાની છે. કવિનું સર્જન સંખ્યાદષ્ટિએ વિપુલ છે, જેમાંનુ ઘણુંખરું મધ્યમ કક્ષાનું, કેટલુંક સામાન્ય પણ છે. તેમાંથી મૃગચર્મ’, ‘અમર ઇતિહાસે', 'ધેલી આંખડી,' પ્રત્યાઘાત', જેવાં કાવ્યા તેમાંના ભાવ-વિચારના સૌન્દર્યથી સ્મરણીય રહે તેવાં બન્યાં છે. ‘મૃગચર્મ' સ ંવેદનના સ્પર્શ આપતુ ઋજુ બાનીથી પારદર્શક રીતે ભાવાભિવ્યક્તિ સાધતું તેમનું ઉત્તમ કાવ્ય બન્યું છે.
*
ચિમનલાલ ભોગીલાલ ગાંધી વિવિસુ' (૧૮૯૪) એક સતત વિકાસેાન્મુખ રહેલા કવિ છે. ‘રાસપાંખડી’ (૧૯૩૮) એ તેમનાં ગીતાનેા સંગ્રહ છે. વ્યંજનાના અભાવને લીધે તેમનાં ગીતા રસાવહ આછાં બન્યાં છે. સારાં મુક્તાના લેખક તરીકે તેઓ જાણીતા છે. તેમને મુક્તકસંગ્રહ ‘પાંખડીઓ’ નામે પ્રગટ થયા છે.
ગજેન્દ્ર લાલશંકર પંડા (૧૮૯૫)એ ‘સંયુક્તાખ્યાન' (૧૯૩૨) અને ‘તરંગમાળા' (૧૯૩૩) એ બે કાવ્યસંગ્રહે આપ્યા છે. પહેલામાં જૂની ઢબે મનહર છંદમાં સંયુક્તા અને પૃથ્વીરાજના શૃંગારનું આલેખન થયું છે, પણ તે વિશેષ સ્થૂલ છે. ‘તરંગમાળા'માં ઝાઝું રસતત્ત્વ નથી કે ઊંડાણુ પણુ નથી. તેમણે પ્રેમાનંદના ‘મામેરું' ઉપર એક વિસ્તૃત વિવેચનાત્મક નિષધ લખેલે। જે ‘કૌમુદી'માં ૧૯૨૫માં પ્રગટ થયા હતા. તેમણે ‘વલ્લભનું જીવન' (૧૯૨૯) અને ‘નરસિંહનું જીવન’ (૧૯૨૯) નામનાં બે પુસ્તકેા, તે કવિનાં જીવનની ઉપલબ્ધ સામગ્રીને આધારે લખ્યાં છે. એમનું નાટક ‘કૅાલેજકન્યા' ખૂબ જાણીતુ થયું હતું. સામાજિક બદીઓ પર પ્રહાર કરતાં સામાજિક નાટકા ઉપરાંત, છેલ્લા પાવાપતિ' જેવાં ઐતિહાસિક નાટકા પણ એમણે લખેલાં છે.
ર‘જિતલાલ હરિલાલ પડથા (કાશ્મલન) (૧૮૯૬) ‘રામની કથા’(૧૯૨૬)માં રામાયણની કથા સબહ્નરૂપે આલેખે છે. વનમાં તેમની શક્તિને સારા પરિચય થાય છે. તે પછી કાશ્મલનનાં કાવ્યા’ (૧૯૩૪) પ્રગટ થાય છે. આ સંગ્રહમાં અર્વાચીન ઢબનાં સારાં ઊર્મિકાવ્યા અને ‘શકુન્તલા’ તથા ‘જમદગ્નિ
ગુ. સા. ૯
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ', ૪
અને રેણુકા' જેવાં ખંડકાવ્યા મળે છે જેમાં કાન્તની લલિત પદાવલિની અસર દેખાય છે.
નાગરદાસ ઇ. પટેલ (૧૮૯૮)ના કાવ્યસંગ્રહ વ્યામવિહાર’(૧૯૩૦)માં એધક શૈલીએ લખાયેલાં કાવ્યા છે. સંગ્રહમાં ખંડકાવ્ય, દેશભક્તિનાં કાવ્યા અને મુક્તા છે. દેશકી ન' અને ‘નવ વલ્લરી' તેમના ખીન્ન કાવ્યસંગ્રહેા છે. તેઓ કવિ કરતાં વિશેષ જાણીતા છે બાળવાર્તાઓના લેખક તરીકે, તેમણે બાળકાવ્યા પણ લખ્યાં છે. આ લેખકની નોંધપાત્ર સેવા બાળસાહિત્યના ક્ષેત્રે ગણાય.
લતીફ ઇબ્રાહીમ (૧૯૦૧) જાતે વહેારા અને વ્યવસાયે ચિકિત્સક હેાવા છતાં તેમને સાહિત્ય અને મુખ્યત્વે કાવ્યના રસ પ્રબળ હતા. આ તત્ત્વજ્ઞાનને, સૂફીવાદ અને ઉપનિષદના પણ તેમને સારા અભ્યાસ હતા. મહાત્મા ગાંધીને ‘પુષ્પાંજલિ’(૧૯૨૨)ની ડાલનશૈલી ગદ્યની કાટિએ જ રહે છે. રસાંજલિ’ (૧૯૨૩), ‘ક્રાન્તિની જ્વાલા’ (૧૯૨૪)માં અનુક્રમે રાસ અને સ્વાતંત્ર્યસંગ્રામનાં ગીતા લખ્યાં છે. ‘કિરણાવલિ’(૧૯૨૮)માં તેમણે ઉપનિષદના વિચાર મૂકયા છે તે નોંધપાત્ર છે. ‘તત્ત્વાંજલિ’ (૧૯૨૮), ‘સ્વામિની’ (૧૯૨૯), ‘પ્રેમાંજલિ’ (૧૯૩૦), પ્રેમગીત' (૧૯૩૨) તેમનાં અન્ય પુસ્તકા છે, જેમાં મુખ્યત્વે કવિતા છે. જાતે વહેારા હેાવા છતાં ગુજરાતી ભાષા શુદ્ધ સ્વરૂપે તેઓ લખી શકયા છે તે નાંધપાત્ર ગણાય.
ચતુરભાઈ શંકરભાઈ પટેલ (૧૯૦૧-૧૯૫૭) ગુજરાતીના એક સારા અધ્યાપક તરીકે જાણીતા છે. ભાષાશાસ્ત્રમાં તેમને વિશેષ રસ હતા. તેમને કાવ્યસંગ્રહ ‘અ' (૧૯૨૭) પ્રગટ થયા છે. તેમના યુગની કવિતાની અસરથી વિશેષ શક્તિ તેએ દાખવી શકયા નથી. તેમના સંગ્રહનું ‘અજબ તાર ખેંચ્યા ઊર્મિ કાવ્ય નેાંધપાત્ર રીતે સારું બન્યું છે. ‘પ્રસાદ' એમના લેખાને સંપાદનસંચય છે. ગજેન્દ્ર ગુલાખરાય અચ (૧૯૦૨-૧૯૨૭)
માત્ર પચીસ જ વર્ષના અલ્પાયુષી આ શક્તિશાળી કવિના સ ંગ્રહ ગજેન્દ્રમૌક્તિકા’(૧૯૨૭)માં સાઠેક જેટલી રચનાઓ છે. ગજેન્દ્રની કવિતાનું ઐતિહાસિક મૂલ્ય છે. ઈ. ૧૯૩૧થી આરંભાતી નવીન કવિતાના ‘ઘણાખરા નવા ઉન્મેષાના પ્રારંભકનું સ્થાન અપાવે’૩૮ તેવુ રૂપ આ કવિની પાળની કવિતાએ પ્રગટ કર્યું" છે. બીજી બાજુ તેમની આરંભની કવિતામાં ૧૮૮૫ થી ૧૯૩૦ના ગાળાના કવિઓની સ્વરૂપ, છંદ, શૈલી પરત્વે અસરા જણાય છે. જેમ કે કલાપીની ગઝલ, ન્હાનાલાલ અને ખેાટાદકરના રાસ, બળવતરાયનાં સોનેટની; નરસિંહરાવના ખંડ હરિગીત અને ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલી અને કાન્તની કામલ પદાવલિની
Page #140
--------------------------------------------------------------------------
________________
X ૩]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૩૧
અસરે અને છાયાએ દેખાય છે. પાંચેક વર્ષના ટૂંકા સર્જનકાળમાં આરંભે આવી અસરા ઝીલી હેાવા છતાં ગજેન્દ્ર તરત જ તેમાંથી બહાર આવી જાય છે અને પેાતી સ્વરૂપ પ્રગટ કરે છે અને નવા ઉન્મેષા દાખવે છે. પ્રૌઢ અર્થઘન અને રસાવહ શૈલી તે પ્રગટ કરે છે. આથી ગજેન્દ્રને ૧૯૩૦ અને તે પછીની (એટલે કે ખીજા અને ત્રીજા સ્તબકની) કવિતાના સેતુરૂપ કવિ ગણાવી શકાય.
આ કવિની કૃતિઓમાં સૌષ્ઠવ અને સુરેખતા આછાં હાવા છતાં, કચારેક લંબાણુ વધી જતાં શથિલ્ય આવવા છતાં, ગીતા વિચારભારથી દબાઈ જવા છતાં લગભગ દરેક કૃતિમાં કલ્પનાને અને ઉદ્ગારના દીપ્તિમય ચમકાર આવે છે, અને તેથી કૃતિ એકદરે આસ્વાદ્ય બને છે. પ્રકૃતિ અને જીવનચિંતન તેમના મુખ્ય વિષય છે. કવિ જે વિષયને સ્પર્શે છે તેને રસાવહુ બનાવી શકે છે. ‘પડતું પ ́ખી' આનું સરસ દૃષ્ટાંત છે. જીવનચિંતનનાં કાવ્યેામાં ચિંતન ઊરિસિત હેાવાથી તે કાવ્યરૂપ ધારણ કરી શકે છે. પ્રકૃતિકાવ્યામાં પણ પ્રકૃતિને આલખન બનાવીને કરેલું ચિંતન જીવનલક્ષી હેાય છે. ‘શરદપૂનમ', ‘હુંસગાન’, ‘ગરુડ’, ‘વીજળી’ જેવાં કાવ્યે આનાં સારાં દૃષ્ટાંત છે. પરાતત્ત્વને સ્પર્શી કરાવતું ગિરનારની યાત્રા' કવિની કલ્પનાશક્તિને સારા પરિચય કરાવે છે. ચિંતનપ્રધાન કાવ્યેામાં કવિની કવિત્વશક્તિના વિશિષ્ટ અને સત્ત્વશીલ ઉન્મેષ પ્રગટેલા છે. રૂઢ શૈલીથી મુક્ત એવી નવીન શૈલી તેમણે પ્રગટાવી છે. વિચાર અને ઊર્મિની ગહનતાથી, સ્પર્શક્ષમ કલ્પનાથી અને નવીન શૈલીથી તેમણે આપેલાં કેટલાંક આ ઊર્મિકાવ્યા તેમના સંગ્રહની સિદ્ધિ છે. આમાં ત્રણ મૃત્યુકાવ્યા ‘સ્મશાને', ‘બાબુ' અને વિધુ' બાળકના અવસાનનાં મવિદારક વ્યથા વ્યક્ત કરતાં કાવ્યા છે, જે આ વિષયનાં ગુજરાતી કાવ્યામાં સ્થાન પામી શકે તેટલાં સ્પર્શક્ષમ બન્યાં છે. સ ંવેદનની સચ્ચાઈમાંથી પ્રગટેલી સહુજ વાણી ઊંડી વ્યથા અને અસાધારણ પ્રેરણાજન્ય ઉગારાથી પુષ્ટ બનતાં ઊંચું કાવ્યત્વ સિદ્ધ કરતુ આ ત્રણમાંનું ઉત્તમ કાવ્ય ‘સ્મશાને' કવિની શક્તિની દ્યોતક રચના છે. સનના આરંભકાળની કૃતિ હાવા છતાં તેમની કવિત્વશક્તિના સખળ પરિચય કરાવે છે. ત્રીશીની નવીન કવિતાની શૈલીના અંકુર પણ ૧૯૨૨માં રચાયેલા આ કાવ્યમાં દેખાય છે તે ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર છે.
વાસુદેવ રામ, શેલત (૧૯૦૨) ‘ફૂલવાડી'(૧૯૩૧)માં રાસરચનાએ આપે છે, જેના વિષયેા ખાટાદકરની ઢબના દેખાય છે. મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહ (૧૯૧૦) સત્યાગ્રહસંગ્રામનાં ગીતા લખનાર તરીકે નણીતા બન્યા છે. ‘રણુરસિયાંના રાસ'(૧૯૩૧)માં તે સંગ્રહ પામ્યાં છે. પાછળથી તે
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪
રાસ તરફ વળ્યા છે. કલ્પનાશક્તિ અને રસદષ્ટિ હેાઈ રાસ માટે ઉત્સાહ હાવા છતાં રાસલેખનમાં તેની મર્યાતિ શક્તિનું દર્શન થાય છે. રાસનિક જ’ (૧૯૩૪), ‘ફૂલ વેણી' (૧૯૩૬), ‘રાસપદ્મ' અને ‘રાસકૌમુદી'માં તેમનેા રાસ પ્રત્યેના ઉમળકા દેખાય છે. ‘સ્મૃતિનિકુ ંજ'(૧૯૩૯)માં તેએ રાસક્ષેત્રથી નીકળી ઊર્મિ કાવ્ય લખવા વળ્યા છે. ભાષા પ્રાસાદિક છતાં ઊર્મિતત્ત્વ પાંખું હાઈ ઝાઝી સિદ્ધિ તે પામી શકયા નથી. આર્યસમાજી મહારાણીશંકર અંબાશંકર શર્માના ત્રણ સંગ્રહ ‘સતી સંગીતાવલિ' (૧૯૧૨) ‘શંકરસ’ગીતાલિ’ (૧૯૧૩), ‘સંધ્યાસ્તવનાંજલિ’(૧૯૨૦)માં કેટલાંક સારાં ગીતા મળે છે. સુધારકપિત્ત તેમનાં કાન્યામાં ડાકાયા કરે છે. કલ્પનાશક્તિ ઓછી છે અને યમકના શેાખ વધુ છે. દયાનંદનુ... શિવપૂજન' કૃતિ કાન્તની ઢબે ખંડકાવ્ય રચવાના પ્રયત્ન છે. ત્રીજ સ ંગ્રહનું ‘તુ ંહિ, તુ હિ' તેમની સારી કૃતિ છે.
‘પ્રેમનાં ઝરણાં’ (૧૯૧૫)ના લેખક મણિલાલ હરગાવિ’દ ‘પ્રેમવિલાસી’એ ન્હાનાલાલની ડેાલનશૈલી અને રાસનું તુચ્છ અનુકરણ કરેલું છે. તુરંગેાવિદ કાનજી ભટ્ટે રામાયણને રસાત્મક સાર’(૧૯૧૫)માં રામાયણની કથાના સાર વૃત્તવૈવિધ્યથી આપ્યા છે; જેમાં લેખકની શક્તિના કરશે! સ્પર્શ થતા નથી. મણિભાઈ ખંડુભાઈ દેસાઈએ રામાયણના વસ્તુને પદ્યમાં મૂકી ‘અનુક્રમણ રામાયણ’ (૧૯૧૫) પ્રગટ કરેલ છે. લાંબામાં લાંબું ખંડકાવ્ય લખવાના પ્રયત્નરૂપે લખાયું હેાય તેવું ૧૩૫ કડીનું ‘કાવ્યદેવી અને તેના પ્રિયતમ’ (૧૯૧૫) આપનાર મનસુખરામ કાશીરામ પડયા છે. ખંડકાવ્ય માટે આવશ્યક શક્તિના અભાવને કારણે તેએ કશું જ સિદ્ધ કરી શકયા નથી.
નર્મદયુગની સુધારકવૃત્તિથી લખાયેલું ‘કુલીનની કન્યા’ (૧૯૩૭) બુલાખીરામ રણછેડ પ ́ડયાનું, લેખક જણાવે છે તેમ, એક દુઃખી તરુણીની હૃદયદ્રાવક આત્મકથા' નિરૂપતું કાવ્ય છે. મણિભાઈ હરિભાઈ દેસાઈ ‘મસ્તમણિ’ના ‘હૃદયપુષ્પાંજલિ’(૧૯૧૭)માં કલાવિહીન રચનાએ છે. રાષ્ટ્રીય ગીત યાને દેશભક્તિનાં કાવ્યા'(૧૯૧૮)માંનાં દેશભક્તિનાં ગીતા ઉપર હ. હ. ધ્રુવ અને ટાગારની છાયા વરતાય છે. ‘સ’ગીતધ્વનિ’ (૧૯૧૯) એ તેમનું ‘સ્નેહમુદ્રા’ના સ્વરૂપે અને શૈલીએ લખાયેલું કાવ્ય છે. કાવ્યના અંત ભાગમાં નરસિંહરાવની અસર છે. શિથિલ નિરૂપણુ, ખાટા છંદપ્રયાગાથી કાવ્ય દૂષિત બને છે. ભાનુનંદ પ્રાણજીવનદાસ રજૂરે ‘ગઝલે રજૂર'(૧૯૧૮)માં આપેલી ગઝલા કલાપી અને સાગરની ઢખે લખાયેલી હાવા છતાં તેમના પ્રયત્ન નિષ્ફળ ગયા છે. વસંતવિહાર’(૧૯૧૮)એ વસનજી દૈયાળજી ગણાત્રા · વસંત 'ને! સંગ્રહ છે. તેમાં ગઝલ
:
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૩૩ પણ છે. લેખકની ભાષા સામાન્ય કક્ષાએ ચાલે છે, તેથી તેઓ કવિતા સિદ્ધ કરી શક્યા નથી. ધીરજ'ના કવિનામથી “ધીરજનાં કાવ્યો' (૧૯૨૩) આપનાર કવિ ભાષા, છંદ અને રજૂઆત પરત્વે સારી શક્તિ દાખવે છે પણ કહપનાની ઓછપ તેમાં વરતાય છે. પિતાના કાવ્યસંગ્રહ વિશે યોગ્ય રીતે જ “નથી સૌન્દર્ય કે નથી સુગંધ' કહેનાર મુનિશ્રી છોટાલાલજીની રચનાઓ “લઘુ કાવ્યબત્રીશી (૧૯૨૫) નામે પ્રગટ થઈ છે જે કલાપીની અસર દાખવે છે. શાંતિશંકર વ, મહેતાએ “ચાઈ યાત્રા' (૧૯૨૬) નામનું પ્રવાસકાવ્ય આપ્યું છે. તેમાં બર્માના એક ખડક ઉપર બાંધેલા પેગડા “ચાઈકોરની કરેલી યાત્રાનું શુષ્ક વિગતે ખચિત વર્ણન છે.
નારાયણલાલ ૨. ઠાકર “કાવ્યાવિન્દ' (૧૯૨૬) આપે છે. સંગ્રહમાં કેટલાંક ખંડકાવ્યો છે, પણ પ્રસંગનિરૂપણથી આગળ કવિ વધી શક્યા નથી. “કકિલનિકું જે (૧૯૨૭) અને તે પહેલાંના “કુસુમકળીઓના કર્તા મહાવીરપ્રસાદ શિવદત્તરાય. દાધીચ જન્મ મારવાડી હોવા છતાં શુદ્ધ ગુજરાતી ભાષા અને છંદે પ્રજી શક્યા છે, પરંતુ કવિતામાં સામાન્ય રહે છે. “વાદળી' (૧૯૨૮) એ “વલ્લભ ઉપનામધારી કોઈ લેખક રચિત મેઘદૂતની ઢબે લખાયેલું એ જ પ્રકારના વસ્તુને લઈ લખાયેલું સામાન્ય કાવ્ય છે.
કવિ ત્રિભુવનલાલ કાશીલાલ ત્રિભુવિનંદિની' (૧૯૨૮) આપે છે. નાટકની તરજો, ગઝલ, કવ્વાલી જેવા સ્વરૂપમાં બાધક રીતે રચનાઓ તેમણે આપી છે. જેમાં કશી સત્ત્વશીલતા કે નવીનતા નથી. વલભદાસ ભગવાનજી ગણાત્રાનું મેઘસન્ટેશ” (૧૯૩૦) સ્પષ્ટ રીતે મેઘદૂતની અનુકૃતિ છે. ઉપરનું વાદળી' કાવ્ય આ જ લેખકનું હવાને સંભવ છે. ૧૯૩૦ના વર્ષમાં પ્રગટ થયેલ આ કાવ્ય ત્રીશીની કવિતાને વિષય પરત્વે આરંભ થતો જણાય છે. જેલમાં ગયેલો એક વિદ્યાથી ગાંધીજીને મેઘદ્વારા સંદેશ મોકલે છે એ આ કાવ્યનું વસ્તુ છે. લેખકને સંસ્કૃત ઉપર કાબુ તેમાં કાવ્યરચના કરવા જેટલો પ્રશસ્ય છે. સત્યાગ્રહગીતા' (૧૯૩૧) નામે કાવ્ય તેમણે સંસ્કૃતમાં રચ્યું છે, જેમાંના કેટલાક લેકેમાં કવિની કલ્પનાશક્તિનો સારો પરિચય થાય છે. ચન્દ્રકાન્ત મંગળજી આઝામાં રાસ કરતાં બાળગીત લખવાની શક્તિ વિશેષ દેખાય છે. પેઢામણાં (૧૯૩૧), “ગજરો'(૧૯૩૨)માં તેમણે સારાં બાળકાવ્યો અને જોડકણાં આપ્યાં છે. વાસુદેવ રામચંદ્ર શેલતે “ફૂલવાડી'(૧૯૩૧)માં બોટાદકર-ઢબે રાસ આપ્યા છે. રમણીક કિશનલાલ મહેતાને “મધુબંસી' (૧૯૩૨) સંગ્રહ ન્હાનાલાલની ગાઢ અસર દાખવે છે. હીરાલાલ દ. મહેતાના ‘હરિગીત અને બીજાં કાવ્યો.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ (૧૯૩૨)માં હરિગીત છંદમાં લખાયેલ સુદીર્ઘ કાવ્યને વિષય ઈશ્વર છે. પ્રકૃતિમાં પ્રભુને સૌન્દર્યનું દર્શન અને માનવચિત્તની પ્રભુ પ્રત્યેની ઊર્મિઓનું આલેખન લેખકે આ કાવ્યમાં કર્યું છે, પરંતુ તેમાં ભક્તિભાવને રણકે આછો છે. સંગ્રહનું નામ કાવ્યમાં વપરાયેલા છંદ અને તેના વિષય બંને દૃષ્ટિએ ઉચિત બને છે.
વિઠ્ઠલરાય યથર આવસત્થીના સંગ્રહ “રસિકનાં કાવ્યો' (૧૯૩૪)માં ભાષા પ્રૌઢ અને શિષ્ટ હોવા છતાં ઊર્મિતત્ત્વ રસની કેટિએ પહોંચતું નથી. પ્રકૃતિ, પ્રણય જેવા વિષયોનું આલેખન તેમણે કર્યું છે, પણ વર્ણનાત્મક કથાકાવ્યોમાં મુકાબલે ઠીકઠીક ફાવટ તેમને છે. બાળકાવ્યમાળા' (૧૯૨૫)નાં બાળકાવ્યોમાં સફળતાથી કોમળ ભાવે આલેખી શક્યા છે. મણિલાલ મે, “પાદરાકરે રાષ્ટ્રીય ભાવનાનાં તથા લગ્નજીવનવિષયક રાસ-ગીત આપ્યાં છે. મંગળસૂત્ર' (૧૯૩૫) સંગ્રહમાં એમની રચનાઓ સંગ્રહાઈ છે.
આ સમયગાળામાં બાળગીતો પણ ઠીકઠીક લખાયાં છે. કેટલાક બાળગીતલેખનો ઉલલેખ આગળ આવી ગયા છે. આ ઉપરાંત પ્રીતમલાલ મજમુદારનાં બાળગીતોના સંગ્રહ “લકણી'(૧૯૩૬)માં કેટલાંક સારાં બાળગીત મળે છે. પ્રાસાદિક બાલભોગ્ય ભાષા પણ તેઓ સહજ પ્રયોજી શક્યા છે. સૌ, હસુમતી ધીરજલાલ દેસાઈને “રાસસરિતા–ભા.૧(૧૯૩૬)માં સામાન્ય કટિની રચનાઓ છે. શાંતિકુમાર પંડયા શબ્દને વ્યંજનાગર્ભ બનાવી તે વાપરી શકે છે. “રાસરમણ તેમને સંગ્રહ છે. કલ્પનાનું ચારુત્વ અને ભાવનિરૂપણની શક્તિ તેમનામાં છે. જગુભાઈ મેહનલાલ રાવળના “રાસરસિકા'માંનાં ગીતામાં લોકગીતની સરળતા છે, પણ કલ્પનાની ચારુતા, વ્યંજનાશક્તિ ઇત્યાદિને અભાવ વરતાય છે. “રાસકટોરી'ના લેખક મેહનલાલ ચુનીલાલ ધામી સારી ગીતશક્તિ દાખવે છે, પણ કલ્પનાશક્તિને તેમનામાં અભાવ છે. કઈ કઈ રચનામાં દલિતોની વેદના તેમણે ગાઈ છે તે નોંધપાત્ર બાબત છે. હાનાલાલ દલપતરામ પટેલના સંગ્રહ “રાસપંજ’ને રાસમાં ક૯પનાના ચમકારી આવે છે.
વિહારી' ઉપનામથી લખનાર બેચરલાલ ત્રિકમજી પટેલે (૧૮૬૬–૧૯૩૭) રાસમાલિકા” નામના રાસસંગ્રહમાં ઘણી સારી ગીતશક્તિ દાખવી છે. આ સમયના અન્ય રાસલેખકેમાં તેઓ વધારે શક્તિશાળી દેખાય છે. લેકવાણીની સરળતાથી અને કલ્પનાશક્તિથી તેમનાં ગીત કળાત્મક બન્યાં છે. આ લેખકે “મેઘદૂત'ને અનુવાદ પણ આપ્યો છે. એમણે નાટકનાં ભાષાન્તરો પણ પ્રગટ કર્યા છે. અને ભાગવતના કેટલાક કેને સરસ અનુવાદ આપ્યો છે.
આ ગાળામાં જેમનાં કાવ્ય ગ્રંથસ્થ થઈ શક્યાં નથી પણ જેમનાં કાવ્યો
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિએ
[૧૩૫ સામયિકમાં પ્રગટ થઈ રહ્યાં હતાં તેમાં કેટલાકે ઉપનામથી તે કેટલાકે નામથી કાવ્ય લખ્યાં છે. આમાં “ભ્રમર', “કુંજ', “મુકુલ”, “નિર્ગુણ”, “કુસુમ', “વ્રજવિહારી', “રસંનિધિ', “નૂતનશ્રી', જેવા ઉપનામધારી કવિઓ છે તો જીવાભાઈ એ. પટેલ, હિંમતલાલ જગન્નાથ પંચોળી, હાસમ હીરજી ચારણિયા, ચતુરભાઈ ઉમેદભાઈ પટેલ વગેરે સ્વનામે લખનાર કવિઓ પણ છે તેની નોંધ લેવી ઘટે.
લલિત આદિ કવિઓ લલિત (જન્મશંકર મહાશંકર બૂચઃ ૧૮૭૭–૧૯૪૭)
મધુકંઠીલા ભજનિક' (મેઘાણ), ગીતકવિ' (હાનાલાલ), મોસમી ગુલાબ (મ.મિ. ઝવેરી) અને “સેરઠકેલિ' (શંકરલાલ શાસ્ત્રી) તરીકે બિરદાવાયેલા વડનગરા નાગર જ્ઞાતિના આ મુલાયમ હૃદયના કવિને જન્મ જૂનાગઢમાં થયો હતો. ' આરંભમાં ત્યાં અને પછી રાજકોટમાં એમણે અભ્યાસ કર્યો હતો. દસમે વર્ષ લલિતાગૌરી સાથે એમનું લગ્ન થયેલું પરંતુ ઈ. ૧૮૯૪માં પત્નીનું અવસાન થયું. તેમના પ્રત્યેની પ્રેમેસ્કટતાએ જ લલિત' ઉપનામ એમણે સ્વીકારેલું. એ જ વર્ષે રાજકેટની હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા ગયા. ઈ. ૧૮૯૬માં તારાગૌરી સાથે લગ્ન કર્યું. ઈ. ૧૮૯૯થી ૧૯૦૨ સુધી સાત વાર મૅટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ ગણિતને કારણે મેટ્રિક થઈ શક્યા નહિ. ઈ. ૧૯૦૩માં સ્કૂલ ફાઈનલ અને પછી એસ.ટી. સી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. અભ્યાસકાળ દરમ્યાન સંસ્કૃત, અંગ્રેજી, વ્રજ, ગુજરાતી સાહિત્યનો અભ્યાસ એમણે પ્રીતિપૂર્વક કર્યો હતો, એટલે એમની સાહિત્યરુચિ વિકસી અને સાહિત્યના શિક્ષક તરીકે સારી સફળતા મેળવી. બાલ્યકાળથી માતા અને માતામહી તરફથી મળેલા ભક્તિના તેમ જ સાહિત્યના સંસ્કારોથી, પિતા-પિતામહ તરફથી પ્રાપ્ત થયેલી સાહિત્યવાચનની સુટેવથી અને અનંતપ્રસાદ વૈષ્ણવ, રણજિતરામ, કલાપી, ન્હાનાલાલ જેવાને ગાઢ સંપર્કથી પિષાઈને સંવર્ધાયેલી સાહિત્યરુચિથી એમને કવિજીવ કેળી ઊઠયો. “કલાપી” એ, એમના કમળ નેહભર્યા હૃદયને ઓળખ્યું હતું અને લલિતને ઉદ્દેશીને બાલકવિ' નામે કાવ્ય પણ લખ્યું હતું. લાઠીમાં રાજવી-કુટુંબના શિક્ષક તરીકે લલિત” દસેક વર્ષ રહ્યા હતા. કવિ ગેંડલની હાઈસ્કૂલમાં શિક્ષક હતા ત્યારે ‘કાન્ત’ અને ન્હાનાલાલ ત્યાં કવિનું “સીતા-વનવાસ નાટક જોવા માટે આવેલા. ન્હાનાલાલે કવિનું “મટૂલી' કાવ્ય ઈ. ૧૮૯૭માં “સાહિત્ય” માસિકમાં પ્રગટ કરાવ્યું અને એમને નવું બળ મળ્યું. ઈ. ૧૯૦૮માં ગોંડલ છેડી રાજકોટ
Page #145
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આવ્યા અને કાઠિયાવાડ ટાઈમ્સ'ના તંત્રી બન્યા. અનંતપ્રસાદે અહીં એમની સંગીતશક્તિ પારખીને મંજીરાની દીક્ષા આપી. મંજીરા કવિનો પર્યાય બની ગયા.
લલિતનાં કાવ્યો' (૧૯૧૨), વડોદરાને વડલે' (૧૯૧૪), લલિતનાં બીજાં કાવ્યો' (૧૯૩૪) એ એમના કાવ્યસંગ્રહ છે. ઈ. ૧૯૫૧માં “લલિતને લલકાર” નામે એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. (એમાં કેટલાંક કાવ્ય સંગ્રહાવાં રહી ગયા લાગે છે.) ઈ. ૧૯૦૩-૪માં “ઉત્તરરામચરિત'ની છાયાવાળું “સીતા-વનવાસ' નાટક પણ રચેલું અને એ અનેક સ્થળે ભજવાયું હતું. કવિનાં કેટલાંક પ્રસિદ્ધિ પામેલાં કાવ્યો એમાં હતાં. થોડાક પ્રકીર્ણ ગદ્યલેખો પણ એમણે લખ્યા હતા. “મેઘદૂતનો આ કવિએ અનુવાદ કર્યો હોવાનું કિલાભાઈ ઘનશ્યામે એમના મેઘદૂત'ના અનુવાદની પ્રસ્તાવનામાં નોંધ્યું છે.
લલિતનાં કાવ્યોમાં સ્નેહ અને ગૃહજીવનના ભાવોનું માધુર્વ વિપુલ પ્રમાણમાં નિરૂપાયું છે. સ્ત્રીહૃદયની ભાવસૃષ્ટિનું એમાં વિવિધ રીતે પ્રતિબિબ ઝિલાયું છે. બેટાદકરની જેમ ગુણિયલ ગૃહદેવીને આદર્શ એમણે ગાયો છે અને મીઠલડું મહિયર મેલીને પરને પ્રિય કરવા સ્વાર્પણ-સ્વાશ્રયનું જીવન જીવી, સ્ત્રીને પ્રસન્નતા રેલાવવાની સલાહ આપી છે; ન્હાનાલાલની જેમ જીવનને ઉચ્ચ બનાવતા પ્રેમનુંદામ્પત્યભાવનું મહત્ત્વ દર્શાવી, “પ્રણયવેણુ' વાગવાથી પ્રફુલ્લ થતા પ્રાણી, રસથી ઊભરાતા હૃદયની ભાવોમિઓ કવિએ ગાઈ છે. કવિને “સ્નેહનાં સ્મરણ” વહાલાં લાગે છે, એનાં વિવિધ રૂપોને તે વદે છે. “વિચાર-પરંપરામાં પ્રણય પર દૃઢ શ્રદ્ધા દર્શાવતાં કહે છે?
મને આશો કે બુદબુદ સમા જો ! ઉછળતા : વિયોગે, સંગે, સમવિષમ ભાવ વિચરતા ! પરંતુ હૈયાની સરલ ૪ શ્રદ્ધા પ્રણયની,
ક્લાથી વાત્સલ્ય વિરલતર આદશ રચતી. સેકતે કરે મઢુલી વીજળી સમ ઉજળી' જેવી પંક્તિઓમાં એમના દાંપત્ય
હગીતા વર્ણવાઈ છે. પ્રથમ કવિતા સ્લરી પહેલાં દીઠાં તમને જ રાસમાલિકત કો” અને “વ્હાલપના ભાવ” એમની કવિતાના પ્રેરક-પષક સમયના અન્ય કવિ પ્રીતિગંગાને પ્રભુની કરુણ કહી, એની પ્રભુતાનાં ગાન સરળતાથી અનેથી જ કવિ “પ્રભુપદ સહ વિચરનાર “નારી તું નારાયણીને મેઘદૂત'ને અનુવાદ પ્રેમની ભાવબિંદુમાંથી આવી અનેક રચનાઓ પ્રસ્ત્રવી કર્યા છે. અને ભાગવતાં વિરહની મનોદશાને “વિજોગણ વાંસલડી' નામની
આ ગાળામાં જેમભિવ્યક્તિ મળી છે:
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૩૭
કાલાઘેલા કાનૂડાની સૂરે, વિજોગણ વાંસલડી ! સેરઠને સાગર સંગમ, પ્રભાસને પીપળે હૃદયંગમ, પૂર્વજને સૂરે પંચમ ઝંખે વહીલી વાંસલડી ! જન્મી જે યમુનાતીરે, અભયે, ભર્યું ભારત, ધીરે; હિરણ નદીને, વિરમી, નીરે : ડંખે વિરહી વાંસલડી ! ઝરણું જે જન્માંતરની, કરણ જે કાળાંતરની,
અભિસરણ જે અંતરની જપે ક્યાંથી વાંસલડી ! આવી જ ભાવસ્થિતિને આસ્વાદ કરાવતું “એકલરામ', “સીતા રે વિનાના એકલ રામ-ઝૂરેઃ જેને ! સતી રે વિનાના સૂના શ્યામ...પણ એમની નોંધપાત્ર કૃતિ છે. પત્ની ઉપરાંત સ્વજને પ્રત્યેને વિશાળઉદાર કુટુંબપ્રેમ પણ એમની રચનાઓમાં ગૂંથાયો છે. ન્હાનાલાલની જેમ પિતામૃત્યુપ્રસંગને “પિતરોપનિષદમાં અનુષ્ટ્રપબદ્ધ કર્યો છે. આ સઘળી પ્રેમચનાઓમાં “કુમળાં દિલને લેશ ન કઈ દુભવજે'ની આ સરળ હૃદયના પ્રભુના “સાધુજનની પ્રાર્થના છે. “આંસૂડાંનાં કેસૂડાંની લ્હાણું (‘અંતર ઠારે, પ્રાણ પ્રફુલે)માં કવિના સુકુમાર હદયની ઉષ્મા પ્રગટ થઈ જાય છે. બાહુક', “અમરાપુરનાં અતિથિ', “ઋકિમણી હરણ” એ “ખંડકાવ્ય સંજ્ઞાવાળી, હકીકતે દીર્ઘ ઊર્મિકાવ્ય જેવી શિથિલબંધવાળી રચનાઓમાં કુટુંબનેહનું, દામ્પત્યપ્રેમનું (ખાસ તે છેલી કૃતિમાં) ગાન ગવાયું છે. છેલ્લી કૃતિમાં મંદાક્રાંતાના ૧૨૭ શ્લેકેમાં વચ્ચે વચ્ચે કવિએ ગીત મૂક્યાં છે. છટાદાર છુંદેલયમાં ગુજરાતસૌરાષ્ટ્રનાં સ્થલ-પ્રકૃતિનાં ચિત્ર, કૃષ્ણની સ્વજીવનલીલાની ઝલક આપતી રુકિમણું પ્રત્યેની ઉક્તિઓ આકર્ષક છેઃ
વર્ષો સૂકે વીજળી ઝબુકે મેઘ રહાડે જ ત્યારે ધારા ધોધે નદી પૂર ધસે અશ્વિને શે ઉછાળે ! સિંહે ગર્જે, મયુર ટહુકે. નાદ વૈરાટ વાજે
ત્યારે વેણુનિ ધમકથી છેડીશું શંખસાદે ! સંસ્કૃત સાહિત્યના ગાઢ સંસ્કારનું સ્મરણ કરાવતાં કવિનાં કેટલાંક વર્ણનચિત્ર આસ્વાદ્ય બન્યાં છે. પ્રેમપુણ્યાથી બનેલાં કૃષ્ણ અને રુકિમણું અનુક્રમે વ્રજ અને વિદર્ભ છોડીને, દ્વારિકા આવે છે :
લીલી કુને ઉદધિ સપ્તિાને તટે ગુંજતી જે ! હું કે સિંહો ગિરિવન ભર્યા; કોકિલા કૂજતી રે ! અશ્વો ધેરી, મયૂર વિલસે સારસો જે ! તળાવે !
એવા રાષ્ટ્ર ગુણમધુર ને ગુજરી જે ! વધાવે. આવા ગુણમધુર ગુજરાતમાં પધારી કૃષ્ણ રુકિમણુને પ્રણયનો સાચો અર્થ આપે છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
| (ચં. ૪
કવિએ “જગજન” “પ્રભુના પ્રજાજને ભારત-જનની, દેશભક્તિની અને ગુજરાત પ્રેમની પ્રશસ્તિમૂલક રચનાઓ પણ કરી છે અને સ્વતંત્રતાને મહિમા પણ ગાયો છે. ગાંધીજીને કેન્દ્રમાં રાખી રચાયેલી બધળી ટોપીનાં ટેળાં ઊતર્યા એ સમયે ઠીક જાણીતી થયેલી રચના છે. મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, પાવાગઢ, સિદ્ધપુર, બારડોલી એમ વિવિધ સ્થળોની પ્રશસ્તિઓ લખવા ઉપરાંત અને હજરત મહમ્મદ અને ભગવાન શંકરથી આરંભી ગાંધીજી, હાનાલાલ, કલાપી આદિ અનેક કવિતાક્ષરને અને સમકાલીન સ્નેહીજનોને ભાવાંજલિઓ આપી છે. એ બધી પ્રાસંગિક રચનાઓ છે.
પ્રકૃતિના વિવિધ પદાર્થો કવિના આલેખન વિષય બન્યા છે. ગુજરાતની નદીઓ અને પર્વતો, સરોવર અને સાગર, પૂર્ણિમા, વસંત અને કોકિલા કવિને ભાવાર્થ પામ્યાં છે. ન્હાનાલાલની અસર ઝીલીને કવિ વસંતને વધાવે છે, ગિરનારને પરિચય કરાવે છે અને ઉલ્લાસનાં ગાન ગાય છે; પ્રકૃતિમાંથી પ્રેરણું મેળવે છે અને દાંપત્યભાવને ઉઠાવ આપે છે. વર્ષાને રસની અને વસંતને રંગની વિભૂતિ તરીકે વર્ણવી કેટલાંક ઉલ્લસિત ચિત્રો આલેખ્યાં છે પણ એમાં જેટલું હૃદયમધ્ય છે તેટલી સૂક્ષમતા નથી.
ઝીલતે ઝરૂખે મેં તો દીઠે તે મોરલ!
સોણલાને ઘેન એ તો ડોલતો તે મોરલ! -જેવી કેટલીક છૂટીછવાઈ પંક્તિઓ આકર્ષક છે.
કવિનું ભક્તહૃદય પ્રાર્થનાઓ રૂપે પ્રભુકૃપાની યાચના કરે છેઃ “આપણે સર્વ ભગવાનરૂપ સ્વાલિયે છે ત્યાં પ્રભુ પ્રેમરૂપ વિસ્તરેલામાં નિર્દેશાયું છે તેમ આ આશાવાદી કવિ જગતને પ્રેમની અમૃતભરી નજરે નિહાળે છે. એમનું “મઝૂલી” ગીત ખ્યાતિ પામેલી ગીતરચના છે. એમાંને “લગીર' શબ્દ કવિના કે મળમધુર હૃદયનું સમુચિત પ્રતિનિધિત્વ કરે છે. “રહેવા-રહાવાની” અને “ગીતડાં પ્રભુનાં ગાવાની લગની આ કવિને હૃદયને મુખ્ય તાર છે, અને એથી જ “મઢુલી' કવિહૃદયને સાચો ભાવસ્પર્શ પામ્યું છે.
બધે બ્રહ્માંડમાં અલ પ્રભુને નાદ પ્રસરે
ઝીલું કણે તે મધુર મુજ કંઠે જ ઊતરે કહેનાર કવિ “ગિરિ તળે જભ્યોઃ જીવતર વહેં ઊર્વ રમણે એવો પિતાને યોગ્ય પરિચય આપી, કહે છે: “મને પૃથ્વીમાં તે ઉદધિ કરતાં પર્વત ગમે !' – સર્વત્ર માનવ અને જીવનનું ગૌરવ કરતા આ કવિની ઊર્વરમણની અભીપ્સા અહીંતહીં ફુટ થઈ ગઈ છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
× ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૩૯
કેટલાંક સરસ, બાળકાને ગમી જાય એવાં કર્યું મધુર, બાલગીતા-હાલરડાં આપનાર લલિતે લલિત, વસંતતિલકા, મંદાક્રાંતા, શિખરિણી, હરિણી, અગ્ધરા, હરિગીત, ઝૂલણા આદિ અનેક છંદને પ્રયાજ્યા છે. હરિણી એમના પ્રિય છંદ છે, તેમ છતાં વસંતતિલકા, મોંદાક્રાંતા, શિખરિણીમાંના છંદહિલ્લાલ આપણને વિસ્મિત કરે એવા છે. ફૂટચાં સ્વપ્ના ત્યારેઃ રગ રગ સ્ટુડયાં રામ પર એ’માંના શિખરિણી, ‘એ સૂર્યં જો ! નયનમાં તુજ તેજ ઝીલે'માંના વસંતતિલકા, કલાપી-ન્હાનાલાલના એવા પ્રયાગાનું સ્મરણ કરાવે છે. સંસ્કૃતસ્તાત્રાની લગાત્મક આવર્તનવાળી ગુજરાતી સ્તેાત્રરચનાએ પણ આકર્ષીક છે. કવિનાં ગીતાની પ્રથમ પંક્તિ ઉપાડ ઘણી વાર બલિષ્ઠ હેાય છે. ‘મહૂલી’, ‘વિજોગણ વાંસલડી’ જેવાં કેટલાંક ઊર્મિંગીતા સ્મરણીય રહેશે. ‘દિલગુલાખી', ‘તું કયાં નથી ?’ જેવા ગઝલ-પ્રયાગા પણ નેાંધપાત્ર છે.
આ કવિ શબ્દોને કેટલીક વાર વધુ પડતાં લાડ લડાવી અને ભાગે લાલિત્ય સાધવા મથે છે. શબ્દાળુતા અને વિચારાની પુનરુક્તિ, શંકરલાલ શાસ્ત્રીએ નિર્દેશ્યું. છે તેમ, એમની તરી આવતી મર્યાદાઓ છે; તેા ન્હાનાલાલે યેાગ્ય રીતે એમનામાં ઉમદા ઊર્મિએ હતાં, ‘વિચારની ઊણપ’ના દોષ નિહાળ્યા છે. એમની રચનાઓ ભાવ-ના કથન-નિરૂપણુ-ગ્દર્શનમાં જ વિશેષ રાચે છે. ‘લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર; મેટાં કાવ્યા નહિ, નાનાં ગીતા; મેઘ જેવાં હેાટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીએ; રસએધ નહિ, રસનાં છાંટણાં. લક્ષિતજી એટલે સારંગીયે નહિ ને વીણાયે નહિ, આજ તા લલિતજી એટલે મંજીરાને રણકા ને કાયલને ટહુકા' – એ ન્હાનાલાલના ઉદ્ગારા લલિતની કવિતાનું સાચું મૂલ્યાંકન કરે છે. મેઘાણીપૂવે. આ મધુરકંઠીલા કવિનાં ગીતા ગુજરાતમાં પ્રસરી ગયાં હતાં. સ્વદેશભક્તિનાં એમનાં ગીતાએ તત્કાલે સારી ચાહના મેળવી હતી. આ નિખાલસ – સાધુહૃદયના કવિની રચનાઓમાં આ ભાવના લલકાર, મંજીરાના મીઠા રણકાર જેવે, ગુંજતા સ`ભળાય છે.
લલિતજી યાદ રહેશે એમની સરલમધુર ગીતરચનાઓથી, પ્રાસાદિક છ દારચનાથી અને ગૃહભાવની કેમળ અભિવ્યક્તિથી એ મેટા ગજાના કવિ નથી, સુકુમાર હૃદયના ભાવેને સહજ રીતે ઝીલતા-વાચા આપતા, રસનાં છાંટણાં'ને અનુભવ કરાવતા ઊર્મિકવિ છે. કલાપી-ન્હાનાલાલની છ દારચના અને ભાવસૃષ્ટિને પ્રભાવ ઝીલીને એમણે સેા ઉપરાંત રચનાઓ આપી છે. પ્રેમ, પ્રભુ અને પ્રકૃતિનાં ગાન એમના કામળ હૃદયમાંથી સ્રવ્યાં છે. એમના પ્રેમ કુટુબનુ અને સવિશેષ એના કેન્દ્રરૂપ સ્ત્રીનું ભાવનાલક્ષી ચિત્ર ઉપસાવે છે, માતૃભૂમિનું ગૌરવ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦ 1
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[a.
કરે છે, ભક્તિથી આ બને છે અને પ્રકૃતિનાં વિવિધ રૂપે)ની રમણીયતાનાં દર્શને પુલકિત બને છે. આ સની અભિવ્યક્તિમાં માટે ભાગે પ્રાસંગિકતાને જ ઉઠાવ મળતા દેખાય છે, પુરાગામી-સમકાલીન કવિ-વાણીના પડઘા સ ંભળાય છે, મુગ્ધતા-લાડની જ સુગંધ પમરતી અનુભવાય છે. તેમ છતાં, લલિતજીના સંવેદનશીલ હૃદયમાંથી ઊઠેલી કેટલીક સાચી ઊર્મિઓ કયાંક કયાંક કાવ્ય સુંધી પહેાંચી છે, કચાંક છટાદાર અભિવ્યક્તિમાં પરિણમી છે અને કયાંક મુગ્ધતાની મધુરપ આકર્ષક લહિલાલના ચમકારાથી આસ્વાદ્ય પણ બની છે.
હરગોવિદ પ્રેમશ’કર ત્રિવેદી(૧૮૭૨-૧૯૫૧)ની કાવ્યકૃતિ ‘શિવાજી અને જેન્નુન્નિસા' (૧૯૦૭) કવિ ‘કાન્ત' દ્વારા મઠારાઈને એમના ઉપેદ્ઘાત સાથે પ્રગટ થઈ હતી. ત્રણેક હજાર પંક્તિનુ એ દી કાવ્ય શિવાજી અને ઔરગઝેબની પુત્રી જેબુનિસાના પ્રેમપ્રસંગ નિરૂપે છે. વિશાળ પટ અને શિથિલ કાવ્યા...ધને કારણે એ કાવ્ય કથળ્યું છે. કવિના માટાભાઈ ત્રિભુવન પ્રેમશંકરની શૈલીની પણ અહીં અસર પડી છે. ઉમર ખય્યામની રુબાઈયતાનું તથા ગટેના ‘સારીઝ ઑફ વર'નુ પણ એમણે ભાષાન્તર કર્યું છે. કાઠિયાવાડની જૂની વાર્તાઓ'ના બે ભાગ દ્વારા કાઠિયાવાડનું લેાકસાહિત્ય સૌપ્રથમ એમણે પ્રગટ કર્યું હતું. એમાંની કેટલીક વાર્તાએ રણજિતરામે હાજી મહમદ શિવજીના વીસમી સદી'માં પ્રગટ કરાવી હતી, અને જયસુખલાલ મહેતાએ ઈસ્ટ ઍન્ડ વેસ્ટ' માસિકમાં એમાંની કેટલીક અંગ્રેજીમાં અનુવાદિત કરી પ્રગટ કરી હતી. બળવંતરાય ઠાકારના ઉપેદ્ઘાત સાથે ‘કાઠિયાવાડની લેાકવાર્તાઓ'ના પહેલા ભાગ ઈ. ૧૯૨૨માં પ્રકાશિત થયા હતા. ખીજો ભાગ ઈ. ૧૯૨૯માં પ્રગટ થયા હતા.
-
‘મઢડાકર-નાગર’ • નાગરદાસ રેવાશંકર પંડયા(૧૮૭૩)એ ‘વિદૂરના ભાવ' (૧૯૦૭), ‘યમુનાગુણાદર્શ' (૧૯૦૮), ‘શિકારકાવ્ય’ (૧૯૦૯) એ ત્રણ કૃતિઓ આપી છે. પહેલી કૃતિ કડવાબદ્ધ ખંડકાવ્ય છે, ખીજીમાં ગંગાન્યમુનાને જીવંત પાત્રા બનાવી અન્ય કથા સાથે એની ગૂંથણી કરવાના પ્રયત્ન કરે છે, અને ત્રીજીમાં કથાનક દ્વારા શિકાર પરત્વેના વિરક્તિભાવને ગાય છે. 'સુદર્શન' સામયિકમાં એમનાં કેટલાંક સારાં કાવ્યે પ્રગટ થયાં હતાં, જે ગ્રંથસ્થ થયાં નથી. એમની કેટલીક કૃતિઓ ‘કવિપાક’, ‘કાવ્યામૃત’ ‘ઘર ઉપયોગી વૈદકસ ગ્રહ’ અપ્રસિદ્ધ છે.
મેરાજી મથુરાદાસ કામદાર (૧૮૭૫-૧૯૩૮)ના કાવ્યસંગ્રહ ‘ત’રાનેા તાર' (૧૯૩૭)માં દેઢસા જેટલી રચનાઓ છે. એમાં પ્રભુવિષયક રચનાઓ વિશેષ ધ્યાન ખેંચે છે. તનનાં કરીને ત્રાજવાં...હૈયા કેરી હાટડી...ધડના કરીને
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૧.
ઢાલિયા' જેવાં રૂપકામાં પ્રભુને વિનવણી કરેલી છે. કવિના ભક્તહૃદયમાંથી સરસ હલવાળાં, લેાકવાણીની મધુરતાવાળાં અને વિશદ નિરૂપણરીતિવાળાં ભજને સ્રવ્યાં છે. એમણે કેટલીક ગઝલા પણ લખી છે અને કચ્છી ભાષામાં પણ ઘેાડીક રચના કરી છે. દલપતશૈલીની એમની રચનાએ અર્થની ચમત્કૃત્તિવાળા છે.
સત્યેન્દ્ર ભીમરાવ દિવેટિયા (૧૮૭૫-૧૯૨૫) પિતા ભીમરાવ દિવેટિયાનાં ‘પૃથુરાજરાસા’, ‘દેવળદેવી' (નાટક) તથા ‘કુસુમાંજલિ'નાં સંપાદન કરવા ઉપરાંત એમણે ઊર્મિમાળા'(૧૯૧૨)માં પેાતાનાં ચાળીસેક કાવ્યે પણુ પ્રગટ કર્યા છે. એમની રચના પર નરસિંહરાવની છાયા સ્પષ્ટ રીતે વરતાય છે. એમણે લેડી ઑફ ધ લેઇક'ના એક સનું ‘સરેાવરની સુંદરી' નામે ભાષાંતર પણ આપ્યુ. છે. ‘આત્મસંયમનું રાજ્ય' એ નામની એમની અન્ય રચના પણ મળે છે. મગનભાઈ ચતુરભાઈ પટેલ (૧૮૭૬-૧૯૩૦) : નડિયાદના વતની આ કવિએ દેશમાં ફરી વળેલા સ્વદેશીના મેાન્ત સમયે આગેવાનીભર્યાં ભાગ લીધે હતા. લેાકલાગણી જાગ્રત કરવા અને કેળવવા માટે કાવ્યા લખ્યાં હતાં, એમાંથી એક દિન એવે। આવશે જ્યારે અમીઝરણેા ઝરતાં પૃથ્વીનેય પાળશે ' એ' કાવ્ય ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું. એમના કાવ્યસંગ્રહ ‘કુસુમાંજલિ'(૧૯૦૯, ૧૯૨૭)ની પ્રસ્તાવનામાં એમણે એ સમયના ગુજરાતના સાક્ષરમંડળ પ્રત્યે પેાતાની નારાજી વ્યક્ત કરી છે. સંગ્રહનું પ્રથમ કાવ્ય ‘સાત્ત્વિક વિરાગ' ‘સુખ સર્વાં ગયું./ તવ મુખદર્શન દૂર થયું. / વિધ વિધ ર ંગે નાચે ખલક આ/પણુ મમ જગ શમશાન થયું. એ પિતાને અંજલિ અર્પતું કાવ્ય તેાંધપાત્ર છે. મહારાણા પ્રતાપના જીવનને ત્રણ સ ૩૬૨ કડીમાં અનુષ્ટુપમાં વર્ણવતુ ‘ક્ષત્રપાળ’ કાવ્ય કવિના છંદપ્રભુત્વને સારા નમૂના છે. ખીજાં ખે લાંબાં અને ‘વિલાસતરંગ' પણ વિવિધ છંદોમાં પ્રેમભાવને ઉઠાવ આપવાના પ્રયત્ન કરે છે, પણ એમાં સ્થૂળતા વિશેષ છે ખાસ તા ખીન્ત કાવ્યમાં, ચંદા’ અને પાટણનું સહસ્રલિંગ તળાવ' જેવાં નરસિંહરાવના કાવ્યવિષયે પરનાં એમનાં કાવ્યેામાં એમને ઝાઝી સફળતા મળી નથી. એના કરતાં પાવાગઢને ચઢાવે’ અને પાવાગઢની ખીણમાં' એ અનુક્રમે રાળા અને સારઠામાં લખાયેલાં કાવ્યેામાં કવિની સવેદનશીલતાની ઝાંખી થાય છે. કવિએ ગિરીદ્રને’, ‘દુ:ખી પખિરાજ', 'સરિતા' જેવા અનેક વિષયા પર કૃતિઓ આપી છે, પણ એમાંથી કંઈક ને કંઈક ધ્વનિ કાઢવાના પ્રયત્ન કર્યા છે એથી રચનાઓ કથળી છે. એમનાં ગીતા એકંદરે ઠીક કહી શકાય એવાં છે પણ એમાં કવિન જોવાના વધુ પડતા ઉત્સાહ દાખવે છે. સંગ્રહને અંતે ‘મા દેશી ટીકા' કવિએ આપી છે. આ ઉપરાંત ‘કાવ્યાર્થ પ્રદીપ' (૧૯૧૦) પણુ ‘સુદર્શન'માં પ્રગટ થયેલ.
ખંડકાવ્યા’–‘વસંતસેના’
-
Page #151
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ગ્રં. ૪
કાવ્યા ઉપરાંત આ કવિએ ‘વૈદેહીવિજય' (૧૮૯૯) નાટક, ‘અભિજ્ઞાન શાકુંતલ' (૧૯૧૫)નું ભાષાંતર, ‘ભગવદ્ગીતા-જન્મ્યાતિ’(૧૯૨૭), ‘ઉપનિષદયેાતિ' ૧–૨ (૧૯૨૯) વગેરે કૃતિએ પણ પ્રગટ કરી છે. શિક્ષકનું કર્તવ્ય' (૧૯૦૭) અને ‘સ્વદેશી હિલચાલ' (૧૯૦૮) એમના નિબંધેા છે. જમીનમહેસૂલ સંબંધે એમણે સંખ્યાબંધ લેખા પણુ લખ્યા હતા અને અંગ્રેજીમાં સ્ટડીઝ ઇન લૅન્ડ રેવન્યુ ઍન્ડ ઇકાનામિકસ' (૧૯૨૫) નામનુ પુસ્તક પણુ લખ્યું હતું. સીલીકૃત એકસ્પાન્શન ઑફ ઇન્ડિયા'નું ભાષાંતર પણુ ગુજરાત વિદ્યાસભા માટે તૈયાર કર્યું હતું.
૧૪૨]
અમૃત કેશવ નાયકે (૧૮૭૭-૧૯૦૭) ‘ભારતદુર્દશાનાટક'(૧૯૦૯)માં કેટલીક સુંદર અને આકર્ષીક ગઝલા અને અન્ય દલપતશૈલીની પદ્યરચનાઓ આપી છે. ગીતામાં પણ લેખકને ઠીક સફળતા મળી છે. ‘મિદરા', ‘આળસ' જેવાં દુષ્ટ પાત્રા દ્વારા વ્યંગ-કટાક્ષનાં ઉચ્ચારાતાં વચને ગમી જાય એવાં છે. ‘અગર તે યાર મારા તે બધા સંસાર મારે છે' એ કવિની પ્રસિદ્ધિ પામેલી ગઝલ છે. આ ઉપરાંત ‘એમ.એ. બનાકે કયૂ' મેરી મિટ્ટી ખરાબ કી’ એ ‘ગુજરાતી' સાપ્તાહિકની ધારાવાહી કથા સમેત કેટલીક નવલકથાએ પણ એમણે પ્રગટ કરી છે. ‘મુસાફર’ નામક તખલ્લુસથી લખેલી ‘વિલસુ' નામની શુદ્ધ છંદાવાળી પણ શિથિલ વાર્તાત્મક કાવ્યરચના (૧૯૦૮) પણ એમની હેાવાના સ’ભવ છે.
ભાઈશંકર એરજી શુકલ (૧૮૭૯) : મેારખીના આ ઔદીચ્ય બ્રાહ્મણે રેલવેમાં નાકરી કરતાં કરતાં કેટલાક કાવ્યસંગ્રહેા આપ્યા છેઃ ‘હૃદયરંગ”ના ત્રણ ભાગ (કિરણ ૧, ૨, ૩ અનુક્રમે ૧૯૦૪, ૧૯૦૭, ૧૯૧૦), ‘રસમંજરી’ (૧૯૨૦), ‘કાવ્યવિલાસ’ (૧૯૩૮), ‘વિવાહસ’ગીત' (૧૯૩૪) અને ‘ઊર્મિલાનું સ્વપ્ન અને ખીન કાવ્યા' (૧૯૪૭). કવિએ સંસ્કૃત વૃત્તા એકંદરે સ્વચ્છ રીતે પ્રયાયા છે, પણ એમનામાં પ્રતિભાશક્તિ ઓછી છે. ‘હૃદયરંગ'માં ‘અર્જુન་શીસવાદ' નાનકડા અગિયાર સર્ગામાં વહેંચાયેલી સુદીર્ઘ છ દાબદ્ધ રચના છે. એમાં કિરાતની સમગ્ર કથા કહેવાઈ છે. શ્વશુરમંદિરે જતી નવાઢાનું વન ધ્યાન ખેંચે એવું છે. આ પ્રકારનાં કથાનકને ગૂંથતાં ખીજાં કાવ્યા પણ કવિએ લખ્યાં છે. ‘રાસમંજરી'માં ‘સુવર્ણ શશક અથવા રાન્ત રતિદેવનું ચરિત્ર', ‘કાવ્યવિલાસ’માંયમ અને નિચક્રેતા સંવાદ', 'યોગ ધરાયણુ અને વાસવદત્તા સંવાદ’, ગુપ્ત વાસવદત્તા' (૨૧ ખંડનું મહાકાવ્ય' લખવાના ઉપક્રમ, પણ ૬ઠ્ઠા ખંડે અધૂ રુ) અને ઊર્મિલાનું સ્વપ્ન'માંનું એ નામનું કાવ્ય એનાં ઉદાહરણા છે. છેલ્લા કાવ્યમાં દેવેન્દ્ર સત્યાથી ના લેખ ‘Urmila's Sleep'ની પ્રેરણાથી, લક્ષ્મણે
Page #152
--------------------------------------------------------------------------
________________
¥• ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૩
વનમાં સાથે આવવાની ના પાડતાં ઊર્મિલાને મૂર્છા આવી અને તે ચૌદ વર્ષ રહી — રામકૃપાથી મૂર્છામાં દિવ્યચક્ષુ પ્રાપ્ત થતાં સુંદર, અરણ્ય અને યુદ્ધકાંડના તમામ પ્રસંગેા એ જુએ છે અને લક્ષમણુનું સાંનિધ્ય અનુભવે છે એવું નિરૂપણુ છે. છેલ્લા સંગ્રહમાં તાગારનાં ગાંધીજી, સ્વદેશભાવના અને યંત્રદેવ વિશેનાં કાવ્યાના અનુવાદો પણ છે. આ કવિએ ‘કવિતારૂપ હિંદુસ્તાનના ઇતિહાસ'માં મુસ્લિમે આવ્યા પૂર્વેના હિંદુ રાજાઓનું વર્ણન કરી મુસ્લિમાના હુમલાઓને પણુ વર્ણવ્યા છે. વિવાહસંગીત'માં લગ્નવિધિમાંના વિવિધ લગ્નભાવેનાં નિરૂપણ કરતી કૃતિ છે. ‘રસમંજરી'માં તે। ‘માયાવિજય નાટક' પણ છે. સામનાથ શતક' પણ એમની કૃતિ છે. એકંદરે અલ્પ કવિતાશક્તિવાળા પણ ઉત્સાહી પદ્યકારની જૂના તેમ જ નવા વિષયો પરની, દલપતરામ-નરસિંહરાવ જેવા કવિઓની અસર ઝીલતી રચનાઓ એમના સંગ્રહેામાં પ્રાપ્ત થાય છે.
અમૃતલાલ ના. ભટ્ટે (૧૮૭૯) ‘પુલેામા અને ખીજાં કાવ્યા’ તેમ જ ‘સીતા’ અને ‘કૃષ્ણકુમારી' જેવાં નાટકા આપ્યાં છે.
મૂળજી દુર્લભજી વેદ (૧૮૮૦) મેારખીના વતની, ભાટિયા કુટુંબના આ લેખકે સૌ પ્રથમ સ્વરૂપવિવેક’ નામની વેદાંત-કૃતિ રચી હતી. કવિ તરીકે ન્હાનાલાલશૈલીના તે અનુયાયી હતા. ‘નિજ જ’(૧૯૦૯)માં ન્હાનાલાલ-લઢણુનાં ડાલનશૈલી-ગીત-રાસનાં અનુકરણા જોવા મળે છે. આ ઉપરાંત ‘જાગૃતિમાળા’ (૧૯૦૯), ‘સન્નારીઆને બે ખેલ’ (૧૯૧૦), ‘મેનેાને વીરપસલી' (૧૯૧૧), ‘કુંજલીલા’ (૧૯૧૨) અને એ પ્રકારની અનેક કૃતિઓ આપી છે. ‘અજવિલાપ’, ‘યુગલગીત’, ‘વેણુગીત’ જેવાં સારઠામાં કરેલાં એમનાં ભાષાન્તરા છે. ગેાવનરામને એમણે ‘સરસ્વતીચંદ્રકારનાં સમણુાં'(૧૯૩૦)માં ભાવ-અર્ધ્ય આપ્યા છે. ‘સ્ત્રીશક્તિ' નામે નાટકની પણ રચના કરી છે અને પાલ રિશાર ઉપરથી ‘આત્માના અધિકાર ભોગવતું સ્ત્રીતત્ત્વ' પણ આપ્યું છે. એમની કેટલીક કૃતિઓ અપ્રગટ
રહી છે.
ચંદુલાલ મણિલાલ દેસાઈ (૧૮૮૨) ભરૂચના બ્રહ્મક્ષત્રિય અને પછી અમદાવાદનવાસી આ દેશપ્રેમી અને સમાજસુધારક ડૅાકટરે વસન્તત્ત્તવનાદી’ના તખલ્લુસથી ત્રણ કૃતિ ‘વિધવા’ (૧૯૦૬), ‘કુમારિકા’ (૧૯૧૯) અને ‘ટહુકાર’ (૧૯૧૯) પ્રગટ કરી હતી. પહેલી એ રચનાઓમાં સમાજસુધારાના વિષય સારી રીતે નિરૂપાયા છે અને એમાં વિશતા સાથે કયાંક કયાંક કવિત્વના ચમકારા પણ છે. ‘ટહુકાર'નાં ૭૫ જેટલાં કાવ્યેામાં બાળગીતા અને દેશભક્તિની કેટલીક સારી રચનાઓ મળે છે. નરસિંહરાવ-કલાપીના આ અનુગામી અને ખેાટાદકરના
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[Q** r
સમકાલીનમાં કાંક કયાંક ભાવની કામળતા, ઉત્સાહ અને સમર્પણભાવની આકર્ષકતા પ્રતીત થાય છે. ‘તારા ધીમા ધીમા આવે'નું એમનુ ગીત સારી પ્રસિદ્ધિ પામ્યું હતું.
કાશીરામ ભાઇશ કર એઝા ‘ પ્રેમી ’ (૧૮૮૬–૧૯૫૪) પાલિતાણાના આ શ્રીમાળી બ્રાહ્મણ આઠેક વર્ષ વડાદરાના ‘હિન્દ વિજય' સાપ્તાહિક’ના ઉપતંત્રી હતા. એમણે ‘શ્રીકૃષ્ણભજનસ ંગ્રહ’ (૧૯૧૨)માં ભજનેા, ‘રાસમ’જરી’ (૧૯૨૫)માં રાસ આપ્યા છે. ‘ગંગાલહરી' (૧૯૩૦)-નર્મદાશતકમાં નર્મદાનાં સૌન્દર્ય ધામેાનાં વર્ણના છે. એમની કૃતિઓ મુખ્યત્વે ખેાધક છે. ‘ચાર યાગીની વાર્તા’, ‘શ્રી સયાજી યશબાવની', ‘હાતમતાઈ', ‘રાષ્ટ્રીય ગરબાવળી', 'ઉત્તરગીતા', ‘વિધવાવિવાહનિબંધ' વગેરે અનેક કૃતિઓ આપી છે.
ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠી (૧૮૮૭–૧૯૬૨): કવિ ‘સાગર’ના આ નાના ભાઈ ‘કુબ્જ’ના ‘હૃદયકું’જ’ ગુચ્છ ૧, ૨ (૧૯૦૯, ૧૯૬૪), એ નામના ઈ. ૧૯૦૫થી ૧૯૦૯ સુધીનાં કાવ્યાના સંગ્રહ પ્રગટ થયા છે. પ્રાસાદિક શૈલીમાં એમણે નીતિ અને સ્નેહભાવનુ, દિવ્યશ્રદ્ધા અને ઈશ્વરભક્તિનું ગાન કર્યું છે. ‘બુદ્ધિપ્રકાશ’, ‘સુદર્શન’, ‘સુન્દરીસુખાધ’, ‘જ્ઞાનસુધામાં એમના લેખા અને કાવ્યા પ્રગટ થતાં હતાં. એમની રચનાએ કલાપી, સાગર અને ખેાટાદકરની કાવ્યશલીનું સ્મરણ તાજુ કરાવે છે. ચંડાળને”, ‘સૌન્દર્યવિહાર' જેવી કૃતિઓમાં એમની સૌન્દર્ય રસિકતા, તા‘બાલક અને પુષ્પ', ‘મૃત્યુનું સંગીત’જેવી કૃતિએમાં એમની ચિંતનપરાયણતા પ્રગટ થાય છે. એમણે કેટલાંક અંગ્રેજી કાવ્યોનાં ભાષાંતરરૂપાંતરે પણ આપ્યાં છે. ‘દિલ', ‘સનમ સાથે રહે મ્હારી' જેવી ગઝલે કલાપી અને સાગરની સૂફીરંગી અદા પ્રગટ કરે છે. એમણે અનેક વ્યક્તિવિશેષા વિશે હૃદયાંજલિએ લખી છે. આ વિના નાના ભાઈ મણિભાઈ દા. ત્રિપાઠી (૧૮૯૦–૧૯૬૭)એ ‘હૃદયાદ્ગાર’(૧૯૬૩)માં વૈરાગ્ય, જ્ઞાન ને ભક્તિનું નિરૂપણુ કર્યુ છે. ઉચ્ચ આદર્શની ઉપાસના નિરૂપતાં કાવ્યા, પ્રેમયેાગી' અને ‘વાલ્મીકિ’ જેવાં વૃત્તસૌષ્ઠવયુક્ત ખંડકાવ્યો, ને કેટલાંક અંગ્રેજી કાવ્યાનાં ભાષાંતરો પણ એમણે આપ્યાં છે. ‘વાંછના', ‘નિવેદ', ‘વહાલા મનુભાઈને' જેવી કૃતિઓમાં સ્નેહજીવનના આદર્શ તથા પુત્ર-અવસાને ઘેરા શાકના ભાવ આલેખાયા છે. ‘જડીબૂટી’ (૧૯૫૮) અને ‘સપ્તાહમાંથી સપ્તતીથી`' એમની પત્ર તથા પ્રવાસકૃતિ છે.
‘શયદા’ (૧૮૯૨–૧૯૬૨) ધેારાજીના વતની આ કવિનું મૂળ નામ હરજી લવજી દામાણી હતું. યાર ચેાપડીના અભ્યાસ કરનાર આ ગરીબ ખેડૂતના પુત્ર તત્કાલીન ગુજરાતમાં ‘ગઝલસમ્રાટ' તરીકે જાણીતા બન્યા હતા. એમણે લખેલી
Page #154
--------------------------------------------------------------------------
________________
%, ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૫
ગઝલા ગુજરાતમાં ખુબ પ્રચાર પામી છે અને એમના દ્વારા ઉર્દૂ ગઝલનું સ્વરૂપ ગુજરાતમાં પ્રચલિત બન્યું છે. મુક્તકરીતિની એ ગઝલાના શેરમાં લાઘવ, સરળતા અને ચાટ હાવાથી એ તત્કાલ આકણુ જમાવે છે.
‘ગિરા ગુજરૃરી ! આ નથી શે'ર મારા; હૃદચના છે ટુકડા, હું ચરણે ધરું છું.
-
એમ કહેનાર આ કવિએ શબ્દમાં ગહેકી રહ્યા છે મેારલા, ભાવના. મારી ઢળકતી ઢેલ છે' જેવી અનેક પક્તિમાં પેાતાની સર્જનશક્તિની પ્રતીતિ કરાવી છે. ‘મને એ જોઈને હસવું હજરા વાર આવે છે/પ્રભુ, તારાં બનાવેલાં તને આજે બનાવે છે' એ એમના શેર લેાકકંઠે વસી ગયા હતા. આ શાયરની સાદી ગઝલે મનન માટે' છે એમ કવિએ કહ્યું છે. એમાં કેટલુંક તથ્ય પણ છે. બાલાશંકર, મણિલાલ, કલાપી પછી ગઝલના છેડને એમણે નવપલ્લવિત રાખ્યા છે. વિચારાના ચમકારાની સરળ અને સચેાટ અભિવ્યક્તિવાળી આ ગઝલેામાં સભારંજની તત્ત્વ હાવા છતાં એ હળવી કે ગ્રામ્ય બની જતી નથી એ નેોંધપાત્ર છે. ‘જયભારતી’ (૧૯૨૨)માં મૌલાના હાલીના અને હિંદી કાવ્ય ભારતભારતી'નું પ્રસાયુક્ત અનુકરણ, દલપત-ખબરદારના શૈલી-પ્રભાવવાળું છે. ‘ગુલઝારે શાયરી'(૧૯૬૧)માં એમની કેટલીક રચનાએ સંગ્રહાઈ છે. કવિસંમેલનેાના એ સફળ સુકાની હતા. ‘ચિતા' નામનું ૬૦૦ ઉપરાંત પંક્તિઓનું, ચિતા પર જતી હિંદી નારીના મનેાભાવનું નિરૂપણ કરતું દીકાવ્ય પણ એમણે લખ્યું છે. ‘મા તે મા’, ‘નવા સંસાર', ‘ભરરિયે', માટી ભાભી' જેવી ત્રણેક ડઝન નવલકથાઓ, પાંખડીએ’ વ. વાર્તાસંગ્રહા, નાટકા વગેરે એમણે લખ્યાં છે પણ એમાં કલાતત્ત્વ એન્ડ્રુ છે. બે ઘડી મેાજ’(૧૯૨૪)થી એમણે પત્રકારત્વને ક્ષેત્રે પણ સફળતા મેળવી હતી. ‘જ્યાતિતાર' એ એમણે કરેલા ઉર્દૂ શેરાનેા સ ંગ્રહ છે અને રાષ્ટ્રભક્તિનાં કાવ્યાના સંગ્રહેા પણ એમણે આપ્યા છે.
છગનલાલ મનસુખરામ ત્રવાડીઃ કવિ બાલાશંકર ક ંથારિયાએ એમના સાયિક ‘ભારતીભૂષણુ' (૧૫-૬-૧૮૮૭ના અંક)માં આપેલી ‘ભારતી પારિતાષ’ જાહેરખબરના અનુસ ધાનમાં ‘ચકારીપ્રમેાધ-ચક્રોક્તિકા અને પ્રેમનિમજ્જન' (પ્રગટ ૧૮૯૫) નામનું કાવ્ય લખેલું. જાહેરખબરમાં સૂચવાયેલી યેાજના પ્રમાણે ચકેારીચંદ્રને વિષય કરીને શિખરણીના ૯૫ શ્લોકા, અને માલિનીના ૧ અને વસંતતિલકાના ૩ એમ કુલ ૨૯૯ શ્લકા આ કવિએ રચ્યા છે. આર ંભે કૃતિના વસ્તુવિચારને વિગતે વર્ણવ્યા છે અને કાવ્યનેા અધ્યાત્મવિદ્યાના વ્યંગ્યા (ચર્કારી – જીવાત્મા, ચંદ્ર – પરમાત્મા) એમાંથી સ્ફુટ કરવાનો યત્ન કર્યો છે. ગુ. સા. ઈ. ૧૦
-
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[દૃ.૪ નથી એ હેલો કે અકળ પ્રીતિને પંથ જબરો
ગતિ ના હારી ત્યાં અખિલ જગમાં કોક જ જતો. – બાલાશંકરના શિખરિણુનું સ્થળથળે સ્મરણ થાય છે. કવિએ કહ્યું જ છેઃ
કવિતાની રીત્યે અતિ નીરસ આ કાવ્ય થયું છે.' સંગ્રહનું બીજું કાવ્ય “પ્રેમનિમજ્જન પણ “ગલિત મનને સેવક બની' “મહામાયા'નાં ગુણગાન ગાય છે. કરું દષ્ટિ જ્યાં ત્યાં પુનિત તવ આભા વસી રહીને અનુભવ કરનાર “પવનદૂતને પિતાની દિલદરદ વાર્તા એ જ્યાં હોય ત્યાં પહોંચાડવા વીનવે છે. પવનને થયેલાં સંબધ અને કથનરીતિ આકર્ષક કહી શકાય એવાં છે.
શ્રીકૃષ્ણ શર્મા : “શ્રીમધુપદૂતકાવ્ય' (૧૮૮૮)થી ખ્યાતિ પામેલા આ કવિએ ગુજરાતીમાં મેઘદૂત-શૈલીની આ પ્રથમ દૂત-રચના કરી છે. વિવિધ છંદમાં આલેખાયેલી, બાર સર્ગોમાં વહેંચાયેલી આ કૃતિમાં કવિને કશો શક્તિવિશેષ પ્રગટ દેખાતું નથી; કારણ, કવિ પાસે સબળ નિરૂપણશક્તિ કે સૂઝભરી સૌન્દર્ય દષ્ટિ નથી. કાવ્યને અંતે વિરહની પ્રિયા પિયરથી ઘેર આવી પતિને અનેક સાહિત્યકૃતિઓ આપે છે એ પ્રસંગ ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત “સુબોધચંદ્રિકા અને કવિરવિ’ નામની બે પદ્યકૃતિઓ પણ એમણે આપી છે. નવલરામે આ કવિને નમ્રતા રાખ, અભ્યાસ વધારે, શબ્દના સૌંદર્ય કરતાં અર્થના સૌંદર્ય ઉપર વધારે લક્ષ આપવાની સલાહ આપી હતી. (“નવલગ્રંથાવલિ', તારણ, પૃ. ૭૫)
લલભાઈ નાનાભાઈ ભટ્ટ આ કવિનું ભગવતી ભાગવત ઉપરથી વસ્તુ લઈને રચેલું “શશિકળા” નામે નાટક (૧૮૮૯) પ્રસિદ્ધ થયું હતું. એ પરથી કલ્પના આગળ ચલાવીને કેયલને મધુર સ્વરશ્રવણથી કાવ્યનાયક સુદર્શનને પિતાની વિરહી પ્રિયા શશિકળાનું સ્મરણ થાય છે અને જેમ યક્ષે મેઘદૂત' મોકલ્યો હતો તેમ “પાઠવું પત્રદૂત'નો તે સંકલ્પ કરે છે. ઈ. ૧૮૯૬માં મંદાક્રાંતાના ૩૦૧ માં રચાયેલું આ “પત્રદૂત કાવ્યદૃષ્ટિએ ઊંચી કેટિનું નથી. તારથી. સંદેશો મોકલતાં “મનતણું ઉભરા” પૂરેપૂરા ન કાઢી શકાય એ કારણે પત્રને “લીફાફાનું બખતર રૂડું પહેરાવીને દક્ષિણમાંથી ઉત્તર તરફ મોકલે છે. રસ્તામાં તારનાં દેરડાં છે', “ઈસ્પિતાલે વળી બહુ રૂડી', “ગરમ મીઠડી ચાહ ત્યાં દૂધવાળી’ એમ કવિ વર્ણનને આગળ વધારે છે એ બધું વિચિત્ર લાગે છે. વચમાં આવતું નર્મદાતટનું વર્ણન
સ્નારૂપી રજતધવલા સાડી જે ભૂમિ પેરે, અછાબુના અમલસરમાં બાળ વારીજ ખીલે અબુલડેર વિરમતિ નહીં ઘાસમાં ફીણવાળી જાણે હોએ ભુવિ પર પડી વ્યોમ ગંગા રૂપાળી. (૪૪)
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩ ] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૭ આકર્ષક છે. એવું જ બીજુ ચિત્ર છે?
રાતાં પીળાં વિવિધ કુસુમ વાસવાળાં રૂપાળાં અદ્રિ શંગ મહિ રૂહ વડે છે લીલા રંગવાળાં જાણે ઊભાં કર ગ્રહી ફૂલ વર્તુળાકાર અધ
દેવા માટે અહીં મદનને આ વસંતે વાર્થ. (૮૪) નાનાથે પળતી અને પછી પૂજનાર્થે જતી સ્ત્રીઓ તેમ જ સંન્યાસીઓ અને ભસ્મધારી બ્રાહ્મણ, દોડતાં-રમતાં મૃગે, ગોફણ-કામઠાંથી પંખીઓને ઉડાડતા ખેડુઓ, કાશીનું પવિત્ર યાત્રાધામ એમ વિવિધ પ્રકારનાં ચિત્રો કવિ ઉપસાવતા. જાય છે. ઘણી વાર ઔચિત્ય ચૂકે છે અને ત્યાં સ્થૂળ નિરૂપણમાં પણ રાચે છે. પ્રિયતમાનું—એને દેડ અને અલંકારનું ૨૧૨ લેકેથી આરંભાતું વર્ણન તદ્દન સામાન્ય છે. ગુજરાતીમાં લખાયેલાં ‘દૂતકાવ્ય'માં કૃષ્ણશર્માને “શ્રીમધુપદૂતકાવ્ય” પછીનું આ બીજુ દૂતકાવ્ય છે.
અંબાજ’ અને ‘ભ્રમરના સંયુક્ત નામે કલાપી-પ્રભાવિત “કાવ્યકલિકા (૧૯૧૦)નાં કાવ્ય પ્રગટ થયાં છે. સૌ, સુમતિએ (૧૮૯૦) “કાવ્યઝરણાં પ્રભુપ્રસાદી કાવ્યસંગ્રહ ઉપરાંત ટૂંકી નવલકથાઓ આપેલી છે. વલભજી ભાણજી મહેતા (૧૮૮૬)નું “વલ્લભકાવ્ય' (૧૯૦૬) કાવ્યરચનાનું એમનું પ્રથમ પુસ્તક છે. એ પછી ‘હિંદુસંસારચિત્ર' (૧૯૦૮), “હૃદયબંસી' (૧૯૧૪), “હૃદયકુંજન પુ', “વાદળી', “અંતરનાં અમી' (૧૯૨૮), “કુંજવેણું” જેવા અનેક સંગ્રહ આપ્યા છે. વાદળીમાં મેઘદૂતશૈલીમાં સત્યાગ્રહલડતમાં ભાગ લઈ જેલમાં ગયેલો. વિદ્યાથી ગાંધીજીને સંદેશ પાઠવે છે. ન્હાનાલાલને ઘણોબધે પ્રભાવ એમણે ઝીલ્યો છે. એ સમયને ઘણું કવિઓની શૈલીનું એમનામાં અનુકરણ દેખાય છે. “અંતરનાં અમી'માં ગીતાંજલિની અસર છે. ન્હાનાલાલના રાસ, કલાપીની ગઝલ, કાન્તનાં ગીત જેવી ઘણી કૃતિઓ એમણે એમના “કુંજવેણુ” સંગ્રહમાં આપી છે. નટવરલાલ ઉધર ત્રિવેદીએ “કાવ્યકળા અને ધ્રુવાખ્યાન (૧૯૧૧)ની કથાને ૨૪ સર્ગમાં નિરૂપી છે. કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા (૧૮૯૦-૧૯૭૩)એ રણજિતરામની સૂચનાથી એમને ઉઘાત સાથે ગોપકાવ્યોનું Pastoral Poems નામનું પુસ્તક પ્રગટ કરેલું. “પટેલ બંધુ' માસિકના તે તંત્રી હતા. “સસ્તું સાહિત્યને પણ એમણે કેટલાંક પુસ્તક લખી આપ્યાં હતાં. “ટ્રકી. વાર્તાઓ-૩' (૧૯૧૫) ઉપરાંત “ગુરુ ગોવિંદસિંહ', જર્મન જાસૂસની આત્મકથા (૧૯૧૬), લોકરહસ્ય' (૧૯૧૭) જેવા અન્ય ભારતીય ભાષામાંથી અનુવાદ પણ કર્યા છે. રાષ્ટ્રીય શાળા માટે “બાળવાડીના ત્રણ ભાગ, “દેશકીર્તનમાં સત્યાગ્રહનાં ગીત અને “સ્વરાજ્યકીર્તનમાં કાવ્યો આપનાર આ કવિએ “મહન્ત'
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (૧૯૧૧) અને પછી “હૃદયમંથન' (૧૯૧૯)માં પણ અસહકાર આંદોલન, ગામડાં વગેરેને વિષય કરી રચનાઓ કરી છે અને ધર્મનિષ્ઠા અને પદ્મિની'માં ખંડકાવ્યને પ્રયાસ કર્યો છે.
મોતીલાલ છોટાલાલ વ્યાસની “પ્રેમશતસહી' (૧૮૮૯) અને “કુસુમગુચ્છ' (૧૯૦૧) એ બંને કૃતિઓ પર દલપત-નર્મદ અને બાલાશંકર-ભીમરાવની કાવ્યશૈલીને પ્રભાવ પડે છે. “કલાન્ત કવિ'ની શૈલીએ આ કવિએ “કલાન્ત કિલ’ જેવી સામાન્ય રચના પણ આપી છે. એમની રચનાઓમાં સારો પદ્યબંધ હોવા છતાં શંગારની સ્થૂલતા વિશેષ જોવા મળે છે.
શિવશંકર તુલજાશંકર દવેએ છગનલાલ વિ. રાવળ સાથે “ઋતુવર્ણન” (૧૮૮૮) નામે ઋતુવણનેને સંગ્રહ પ્રગટ કર્યો હતો. કાલિદાસ ભગવાનદાસ કવિ (૧૯૦૦) “ભજનામૃત–૧ અને “મારા શુભ વિચારે'થી જાણતા હતા. મહાશંકર લલુભાઈ ભટ્ટે અન્ય કવિના વસંતતિલકાની ૧૬૧ કડીઓમાં લખાયેલા “ચંદ્રોક્તિકા' (૧૯૦૩) દૂતકાવ્યનું સંશોધન કરેલું છે. કૃતિ મધ્યમ કોટિની છે. કેશવરામ શાંડિલગેત્રી તરીકે આ કાવ્યના કવિ પિતાને ઓળખાવે છે પણ પરિચય આપતા નથી. “ગીતસંગીત' (૧૯૦૪)માં સીતાવનવાસની કથાને ગીતામાં ગૂથનાર લલિત મિલએ એમાં અન્ય કવિઓનાં ગીતે પણ ગોઠવી દેવાને પ્રયત્ન કર્યો છે. હિંદની હાલત' (૧૯૦૪)માં પંડયા કૃપાશંકર ઝીણાભાઈએ સ્વદેશપ્રેમ અને દેશની દુર્દશાને લગતી રચનાઓ આપી છે. પનુભાઈ જશવંતરાય દેસાઈએ “મુકુલવીણા' (૧૯૭), “જ્ઞાનભક્તિ અથવા વિષ્ણુપદશતક' (૧૯૧૨) અને “પનુકાવ્ય” (૧૯૩૨) એ ત્રણ કૃતિઓ આપી છે એમાંની પહેલી પદ્યમાં પ્રાસાદિક ભાષામાં નવલકથાલેખનને પ્રયોગ છે. બીજા બે સંગ્રહનાં પદો તદ્દન સામાન્ય છે. “મુસાફરની પદ્યદેહી વાર્તા વિલસુ' (૧૯૪૮) પ્રગટ થયેલી છે.
હીરાલાલ જાદવરાય બૂચે વેદતાત્પર્ય બધિની' (૧૯૦૭), “સાચાં મેતી-૧' (૧૯૧૨), “ભાગ્યોદય ભૂમિકા–૧" (૧૯૧૯) જેવી પદ્યકૃતિઓ લખી છે, પંક્તિસંખ્યાની વિપુલતા તરફ તેમની દૃષ્ટિ વિશેષ મંડાયેલી છે. વેદાન્ત, તત્વજ્ઞાન અને ભક્તિ એમની કૃતિઓના કેન્દ્રમાં છે. એમાં ક્યાંક ક્યાંક લેખકની ભક્તહદયની આદ્રતા પ્રગટતી અનુભવાય છે. ભેળાનાથ ઉપરાંત બાલાશંકરની કાવ્યશૈલીની પણ એમના પર અસર વરતાય છે. શિષ્ટતા અને પ્રૌઢિ એમની કૃતિઓમાં કેટલેક સ્થળે આકર્ષણ કરે છે.
કહાન ચકુ ગાંધીએ દશમસ્કંધ-આધારિત “શ્રીકૃષ્ણ' (૧૯૦૮), બેધપ્રધાન
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૯ અને વેદાન્તી વિચારને રજૂ કરતું “આર્યપંચામૃત' (૧૯ ૯), “સુદર્શન' માસિકમાં પ્રગટ થયેલું “નેમંજરી” અને કથાત્મક “સેવિકા (પૂર્વાર્ધ)' (૧૯૧૪)–એ ચાર કૃતિઓ લખી છે. બાલાશંકરની કાવ્યશેલીનું એકંદરે આકર્ષક અનુકરણ એમણે કર્યું છે. છેલ્લા ઉલલેખેલા કાવ્ય “સેવિકા'માં કલાપી-પ્રભાવવાળી સંવાદશૈલીમાં દુઃખી વિધવાને એક પાંથ પ્રજાસેવા કરવાનો વિચાર રજૂ કરે છે એ ધ્યાન ખેંચે છે, પણ કૃતિ ઉપદેશપ્રધાન બની જતી હોવાથી રસાનુભવ કરાવી શકતી નથી. પ્રભાશંકર દ, પટ્ટણી (૧૮૬૨-૧૯૩૮): આ મુત્સદ્દી રાજપુરુષની મિત્ર' તખલ્લુસથી લખાયેલી કાવ્યરચનાઓ “મિત્ર' (૧૯૭૦) નામે નિધનોત્તર કાવ્યસંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. કપિલ ૫. ઠક્કર (૧૮૯૨-૧૯૫૮)નાં કાવ્યો સ્વપ્નમંદિરમાં સંઘરાયાં છે. વાર્તા, નિબંધ અને વિવેચનક્ષેત્રે પણ તે સક્રિય હતા.
સ્નાબહેન શુકલ (૧૮૯૭)ના “મુક્તિના રાસ” અને “આકાશનાં ફૂલ વગેરે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. “દરા’ અને ‘જયારે સૂર્યોદય થશે એ બે નવલકથાઓ એમણે મરાઠીમાંથી અનુવાદિત કરી હતી. “વિનોદ” અને “ચેતનના તંત્રીમંડળમાં પણ તે હતાં.
જયમનબહેન પાઠકજી (૧૯૦૨) : કાવ્યસંગ્રહ “તેજછાયા'(૧૯૪૦)નું એક કાવ્ય ૧૯૨૧માં પ્રગટ થયું હતું. એમનાં કાવ્યમાં સચ્ચાઈ અને સંવેદનશીલતા - છે. “સોણલાં' (૧૯૫૦) અને પછી બે બાળકાવ્યના એમના સંગ્રહ પ્રગટ થયા છે. શીલ અને સંસ્કારની સુગંધ પ્રસરાવતી એમની રચનાઓને મુખ્ય સૂર વેદનાને છે અને એમાંથી નાગરિક સંસ્કારિતા પ્રગટ થાય છે. વૃત્તબદ્ધ અને ગેયરચનાઓ પર ‘કાન્ત’ અને ન્હાનાલાલને પ્રભાવ પડેલ છે. “શેણલાં'માં રામાયણ-મહાભારતના પાત્રને મનોભાવોનાં ખંડકાવ્યો પણ એમણે આપ્યાં છે. ગેય કૃતિઓમાં સ્ત્રીહૃદયના કેમળ ભાવો સુકુમાર રીતે આલેખાયા છે. ચંદ્રિકા પાઠકજી (૧૯૧૦): જયમનબહેનનાં આ નાની બહેનને સંગ્રહ “રાતરાણી' (૧૯૪૪) પ્રગટ થયેલ છે. “રૂપનતન” નામે નૃત્યનાટિકા પણ પ્રગટ થઈ છે. સ્વચ્છ સંસ્કૃત વૃત્તોમાં અને સુગેય ઢાળમાં એમણે કેટલીક આસ્વાદ્ય રચનાઓ આપી છે. કાશીબહેન બેચરદાસ જડિયા (૧૯૨૭)ને ભજનસંગ્રહ “હૃદયકલેલ”, પ્રભાશંકર જયશંકર પાઠકની પદ્યકૃતિ “શ્રી કુંભનાથનું શિવાલય” (૧૯૧૩) પણ પ્રકાશિત થયેલાં છે.
દુલા કાગ : (૧૯૦૩–૧૯૭૭) દુલાભાઈ ભાયાભાઈ કાગ મહુવાના વતની હતા, જ્ઞાતિએ ચારણ હતા. કાવ્યને કાગળ પર લખવાને બદલે, કાવ્ય બનાવી, મને મન યાદ રાખી લેતા. લોકસાહિત્ય-સંશોધનમાં એમણે મેઘાણીને ઘણી
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ J. ૪ સહાય કરી હતી. મેઘાણની સમજાવટથી એમણે પિતાની કૃતિઓ ગ્રંથસ્થ કરી હતી. “કાગવાણી ભાગ ૧(૧૯૩૫) પ્રગટ કર્યા પછી એમણે ૧૯૩૮, ૧૯૫૦, ૧૯૫૬, ૧૯૫૮ (૫, ૬), ૧૯૬૪ અને ૧૯૬૭માં એના બીજા સાત ભાગ પ્રકાશિત કર્યા હતા. આ ઉપરાંત “ચંદ્રબાવની', “સોરઠબાવની, “ગુરુમહિમા', વગેરે કૃતિઓ એમણે આપી છે. આમાં “કાગવાણીને પાંચમે ભાગ અને છેલી કૃતિ ગદ્યમાં રચાયેલી છે.
એમની રચનાઓ મુખ્યત્વે બે પ્રકારની છે : ચારણી છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલી અને બીજી તે વ્રજ અને હિંદીમાં રચાયેલી. એમણે પદ, ભજન, પ્રાર્થના, ગઝલ, છે દેબદ્ધ, દુહા, મુક્તક, “મહિમા –પ્રશસ્તિ પ્રકારની રચનાઓ કરી છે. એકાદ હજાર દુહાઓ આપનાર આ ચારણકવિનાં ઢાળ અને બાનીમાં પ્રાચીન પરંપરાના વણાટવાળાં પરંપરાગત પણ ક્યાંક અર્વાચીન ભાવનાઓવાળાં ભજને વ્યાપક કાદર પામ્યાં છે. એમાં ભક્તિ-જ્ઞાન-નીતિના આલેખન ઉપરાંત પાખંડ પર પ્રહાર અને સામાજિક વિષમતાનું નિરૂપણ છે. ઇયત્તા અને ગુણવત્તાદષ્ટિએ નોંધપાત્ર ગણાય એટલાં બાવીસેક કાવ્યો એમણે લખ્યાં છે. અસ્પૃશ્યતાનિવારણ ઉપરાંત ભૂદાન વિશે પણ એમણે રચનાઓ કરી છે. રાજા-મહારાજાઓને ચાબખા પણ લગાવ્યા છે અને અન્યક્તિઓ પણ લખી છે.
કૌતુકની કહાણી જેવું કટાક્ષકાવ્ય, “કાયાનો ઘડનારો જા ના જોય, ગોપીયુંને ગમતું નથી રે ગોકુળ” તેમ જ કર્મ કરતાં રહે કાંકરી” જેવાં જીવનસાર કરતાં કાવ્યો આપનાર દુલા કાગે પૌરાણિક કથાનકે, ઈશ્વર અને મહાપુરુષના મહિમાગાનની રચનાઓ પણ આપી છે. એમાં બોધકતા અને ઉધનાત્મકતા સાથે ભાવની સચ્ચાઈ અને સરળ બાનીમાં ગહનભાવ વ્યક્ત કરવાની એમની કુશળતા પણ પ્રગટ થાય છે. આ ગેય રચનાઓમાં લેકબાની, લેકઢાળ અને લેકહલકને વિશિષ્ટ મિજાજ પ્રગટ થાય છે. એમની ઉપર કહેલી બે ગદ્યરચનાઓમાં પત્રો-પ્રસંગે અને પ્રવાસવર્ણન છે. પ્રવાસવર્ણનમાં બોલાતી ભાષાનું તળપદાપણું જોવા મળે છે. મેઘાણીની જેમ દુલાભાઈ પાસે કંઠ, કહેણી અને કવિતા – ત્રણે હતાં. ક્યાંક પુનરુક્તિ, અત્યુક્તિ કે રૂપકાદિ અલંકારને અતિરેક છતાં સોરઠી બેલીના વિશિષ્ટ ઉમેષોથી એ ધ્યાન ખેંચી રહે છે. ગુજરાતી લોકસાહિત્યને એમણે બળ આપ્યું અને ચારણી-પરંપરાને નિજી શક્તિથી જીવંતતા અપી. (આ લખાણ માટે કુમારપાળ દેસાઈએ સામગ્રી પૂરી પાડી છે એ માટે એમના આભારી છીએ.) શ્રી પિંગળશીભાઈ, હરદાન નરેલા વગેરે કવિઓએ આ પરંપરામાં કેટલીક સારી રચનાઓ આપી છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૫૧ કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ (૧૮૬૯-૧૯૧૪) ઃ દસક્રોઈ તાલુકાના ભુવાલડી, ગામના વતની અને રાયકવાડ બ્રાહ્મણ જ્ઞાતિના કિલાભાઈએ મૅટ્રિકની પરીક્ષા અમદાવાદમાંથી પસાર કરી હતી. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય પ્રત્યે ગાઢ પ્રીતિ ધરાવનાર આ લેખકે બાણકવિકૃત “પાર્વતી પરિણય” તથા કાલિદાસકૃત વિક્રમોર્વશીય’, ‘કુમારસંભવ' અને મેઘદૂતનાં ભાષાન્તરે પ્રગટ કર્યા છે. મેઘદૂત'ને એમને સમલેકી અનુવાદ (૧૯૧૩) આપણે ત્યાં પ્રતિષ્ઠિત થયો છે. અનુવાદ સાથે એમણે જોડેલી ટીપ–નોંધોમાં એમની અભ્યાસનિષ્ઠા અને રસિકતાને પણ આપણને પરિચય થાય છે. “મેઘદૂત'ના અનુવાદમાં એમણે ૧૦૩ પાનાંની અભ્યાસયુક્ત પ્રસ્તાવના લખી છે. આરંભનાં ૧૮ પાનાંમાં “મેઘદૂત પરની ટીકાઓ, એનાં અનુકરણે, ગુજરાતીમાં થયેલા એના અનુવાદો વ.ના પરિચય સાથે કાવ્યના ગુણે પ્રગટ કરી આપી “રામાયણ” સાથેનું એનું સામ્ય નિર્દોર્યું છે. એ પછી મહાકવિ ભાસને અને કાલિદાસનો અભ્યાસયુક્ત વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. અનુવાદકે કહ્યું છે કે “..મારાથી બનતા પ્રયત્ન કરી અંદરના ભાવ ફુટ રીતે સમજાય અને રચના કિલષ્ટ અને કઠોર ન લાગે તેમ કર્યું છે. મૂળ કાવ્યનાં રસ, ભાવ, માધુર્ય અને પ્રસાદની છાયા ગુજરાતીમાં એકંદરે સારી રીતે ઊતરી આવી છે. થોડીક પંક્તિઓ જોઈએ :
ધૂમ, જાતિ, જળ, પવનના, મેઘ ક્યાં આ બનેલા, ક્યાં સંદેશા, સમજણભર્યા, પ્રાણુથી લે જવાતા;
લંબાવીને સ્વર મદભર્યા સારસના રૂપાળા, ખીલી રેતાં કમળરજના સ્પર્શથી મહેકી ફેંતા;
હું છું તારા પ્રિયતમતણે મિત્ર, સૌભાગ્યવતી !
સંદેશે હૈ, જલધર રૂપે, આવિ પાસ તારી; અનુવાદપ્રવૃત્તિ પણ સમાંતરે ચાલતી રહી છે. રેવાશંકર ભટ્ટ, હરિલાલ ન. વ્યાસ, નાગરદાસ અમરજી અને ચતુરભાઈ ગોવિંદભાઈએ “રઘુવંશના (છેલા બે સંપૂર્ણ) અનુવાદ આપ્યા છે. કિલાભાઈ ઉપરાંત હરિકૃષ્ણ બળદેવ, બલવંતરાવ જુન્નરકરનાં મેઘદૂતનાં ભાષાન્તરે પણ પ્રગટ થયેલાં છે. બલવંતરાવનું “શ્રીકૃષ્ણ રત્નપ્રભા” પુસ્તક પ્રગટ થયું છે એમાં કાલિદાસની અન્ય કાવ્યકૃતિઓનાં પણ ભાષાન્તરે છે. કાલિદાસના “ઋતુસંહાર'નાં મોહનલાલ પ્ર. મહેતા, જેઠાભાઈ • વકીલનાં ભાષાંતરો પ્રગટ થયાં છે. વિદ્ય શંકરલાલ કુંવરજીએ “ઘટકર્પર'નું સમશ્લોકી ભાષાંતર આપ્યું છે. નટવરસિંહ બ. દેસાઈ અને નટવરલાલ શાહ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ . ૪ પણ “ગીતગોવિંદ'નાં અત્યંત સામાન્ય રૂપાંતરો આપ્યાં છે. “વૃદ્ધ ચાણક્યનું ભાષાન્તર', “લઘુ ચાણક્ય નીતિસંગ્રહ' (૧૮૭૪) બાળકરામ નં. માંડવીકરે આપ્યાં છે. જગજીવન ભવાનીશંકરે, તેમ જ ગિરિધર શર્માએ ભર્તુહરિના “નીતિશતક'નું (૧૮૭૭, ૧૯૨૮), પ્રાણજીવન ત્રિ. ત્રિવેદીએ ભર્તુહરિને શતકત્રયનું (૧૯૦૧), સી. એલ. કંથારિયાએ “શંગારશતક'નું (૧૮૮૮) ભાષાંતર આપ્યું છે. “શશિકલા અને ચીરપંચાશિકા'નું નાગરદાસ પટેલે, “શંગારત્રિવેણી’નું તનમનશંકર લા. શિવે, “ગંગાલહરી'નું (૧૯૦૭) લાલજી વીરેશ્વર જાનીએ અને પાછળથી “વિયોગીએ ભાષાંતર આપ્યું છે. “મહિમ્નસ્તોત્ર'નું વિશ્વનાથ સદારામ પાઠકનું સુંદર સમશ્લોકી ભાષાંતર ૧૯૦૮માં પ્રગટ થયેલું છે. શંકરલાલ ભટની દેવીસ્તુતિ', ગણેશરામ વરતિયાનું “ગીતા અમૃતસાગરને માત્રામેળ છંદમાં નવ અધ્યાયને , અનુવાદ, અને રંગ અવધૂતની ‘સંગીત ગીતા” (માત્રામેળ પદ્યમાં) પણ નોંધપાત્ર છે.
સંસ્કૃત નાટકના આપણે ત્યાં થયેલા અનુવાદોને નિર્દેશ યથાસ્થાને કર્યો છે. એ ઉપરાંત લાલશંકર હરિપ્રસાદે મધ્યમ વ્યાયોગ'(૧૯૧૭), લલ્લુભાઈ નારણજી દેસાઈએ ગુપ્ત પાંડવ' (૧૯૧૨)ને, ઈશ્વરલાલ વીમાવાળાએ “પાંડવગુપ્તનિવાસ'(૧૯૨૦), મોહનલાલ પ્રસાદરાય મહેતાએ “પ્રિયદશિકારને, વલભજી હ. આચાર્ય, મૂળશંકર રામજી અને ભોગીલાલ મ. ભટ્ટે કૃષ્ણમિશ્રને “પ્રબોધચંદ્રોદય' (૧૮૭૭, ૭૯, ૮૧), ગોસાઈ નારાયણ ભારતીએ રામચંદ્રાચાર્યના નિર્ભય ભીમવ્યાયોગ'(૧૮૮૬), દુર્લભજી રા. જાનીએ ભાસ્કર કવિના “ઉન્મત્ત રાઘવ (૧૮૯૪) અનુવાદ કરેલ છે. અંગ્રેજીમાંથી થયેલા અનુવાદેને પણ ઉલ્લેખ થયેલો છે. હીરાલાલ ઉમિયાશંકરને ગાલ્ડસ્મિથની મુસાફરી' (૧૮૫૯) એ “ધ ટ્રાવેલરને જુદાં જુદાં વૃત્તોમાં થયેલો સૌથી પહેલો અનુવાદ છે. શંકરપ્રસાદ રાવળ, પોપટલાલ પૂંજાભાઈ શાહે પણ ગોલ્ડસ્મિથના ડેઝટેડ વિલેજનાં અનુક્રમે અનુવાદ અને અનુકૃતિ આપેલ છે. મંજુલાલ દવેએ “ગ્રેઝ એલેજીને, વર્ઝવર્થ અને બાયરનનાં કેટલાંક કાવ્યોને (૧૯૧૭–૧૯) સરસ અનુવાદ આપ્યો છે. એમ. ઓ. સુરેયા, કુસુમ સરેયા, લાલજી વી. જાની, શાંતિલાલ સા. ઓઝા, જગન્નાથ હ. ઓઝાનું પણ આ ક્ષેત્રે અર્પણ છે.
બંગાળીમાંથી રામચંદ્ર અવર્ષ, ગિરિધર શર્માજી આદિએ “ગીતાંજલિ', બાલચંદ્રના અનુવાદ આપ્યા છે. દલપતિરામ દુ. યાજ્ઞિક, મોહનલાલ અ. શેઠ આદિના હિંદી ભાષામાંથી જૂનાં કાવ્યો અને અલંકારગ્રંથના, ઉર્દૂમાંથી નિજામુદીન પીરસાહેબ, નનામિયાં રસૂલમિયાં, સઈયદ ઈબ્રાહીમ “મુહિબ' અને અહમદ ધાલા જેરાજે હામીકૃત કાવ્યોને, કવિ હાલીની કૃતિઓને અને કવિ
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[૧૫૩ નઝીરનાં કાવ્યોના અનુવાદ કર્યા છે. અમૃત એમ. શાહે અશો જરથુસ્ત્રની “ગાથા'નું ગઝલમાં ભાષાંતર કર્યું છે. ઉમર ખય્યામની કેટલીક રુબાયતોને પણ રૂસ્તમ પે. ભાજીવાલા, હરિલાલ ઠા. સંઘવી, ગિરિધર શર્માજીએ અનુવાદ કરેલા છે.
કવિતાસંપાદનની પ્રવૃત્તિને પણ અહીં નિર્દેશ કરી લઈએ. પારસી સંપાદકોએ ૧૮૬૪માં “હરીસંગ્રહમાં હારીઓ સંપાદિત કરી છે. ૧૮૭૦માં ગુજરાતી હોળીસંગ્રહ', ૧૮૮૭(બીજી આ.)માં “હારીસમુદાય', અને ૧૮૭૭ -૭૮માં “ગજલસ્તાનના'ના સંચયો પ્રગટ થયા છે. નાગર, ઔદીચ્ય જેવી જ્ઞાતિઓમાં ગવાતાં ગીતોના સંગ્રહ, ગરબા સંગ્રહ (મુંબઈ સમાચાર, ૧૮૮૧) “પારસી લગ્નગીત-ગરબા' (૧૯૩૩), “રીતિદર્પણ” (૧૮૯૯ – નાગર લગ્ન પ્રસંગે ગવાતા ગરબા), “નવીન સુંદર ચતુર સ્ત્રી વિલાસ મનહર' એ દામોદરદાસ ભા. તલાટીને જૂની ગરબીઓને સંચય, નરસિંહ શર્માસંપાદિત “પરમારથ સાર” એ ભજનસંગ્રહ, અમરચંદ પરમારસંપાદિત કાવ્ય-વિનોદ', દામોદર જ. ભટ્ટ સંપાદિત “બૃહભજન સાગર', ખીમજી વ. ભટ્ટસંપાદિત હિંદી કવિતાને “પંચામૃત” સંગ્રહ, નારાયણ મો. ખરેનું “આશ્રમભજનાવલિ'નું સંપાદન, ભવાનીશંકર નરસિંહરામનું “ગુજરાતી જૂનાં ગીતો'નું, કહાનજી ધર્મસિંહનું “કાઠિયાવાડી સાહિત્ય અને એ પછી તો અનેક લોકસાહિત્યનાં સંપાદનો, આપણું રાસસાહિત્યનાં મગનલાલ બા. બ્રહ્મભટ્ટ, શાન્તિ બરફીવાળા, મધુરિકા મહેતા, ધૈર્યચન્દ્ર બુદ્ધનાં સંપાદને, રાષ્ટ્રીય ગીતોનાં “સ્વદેશ-ગીતામૃત, “રાષ્ટ્રગીત', “સ્વરાજનાં ગીતો’ જેવાં સંપાદન, હરિકૃષ્ણ બ. ભટ્ટ અને નઘુશંકર ઉ. ધોળકિયાનાં અનુક્રમે કાવ્યનિમજજન' (૧૮૮૭) અને “કાવ્યસુધાકરનાં શિષ્ટ કાવ્યોનાં સંપાદનો, કલ્યાણજી વિ. મહેતા અને ચૂનીલાલ રા. શેલતનું “ગપકાવ્યો'(૧૯૧૪)નું સંપાદન, ગ. ગો. બનું “સ્ત્રીગીતાવલિ” અને “ગીતલહરી' (૧૯૧૬, ૧૭)નું ગીતોનું સંપાદન અને તારાપોરવાલા એરચ જહાંગીરનું ગુજરાતી કાવ્યનું ચયન નોંધપાત્ર છે. એ પૂર્વે હિંમતલાલ અંજારિયાનું “કાવ્યમાધુર્ય' (૧૯૦૩)નું સંપાદન આપણે ત્યાં સુખ્યાત બની ચૂક્યું હતું.
ટીપ ૧ ખબરદાર, અ. ફ, “વિલાસિકા' (૧૯૦૫) પૃ. ૫૬, ૧૨૧ અને “પ્રકાશિકા' (૧૯૦૮) પૃ. ૧૭. ૨ રાવળ, અનંતરાય મ., “સાહિત્યવિહાર' (૧૯૪૬) પૃ. ૧૩૦ ૩ સુન્દરમ્,
અર્વાચીન કવિતા' (૧૯૪૬) પૃ. ૩૨૦. ૪ ધ્રુવ, આનંદશંકર બા., “સાહિત્યવિચાર' (૧૯૪૧) પૃ. ૪૨૫-૨૬, ૪૧૧. ૫ અલારખિયા, હાજી મહમ્મદસંપાદિત “વીસમી સદી” માસિક
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ નવેમ્બર, ૧૯૩૧, પૃ. ૧૧ પર ખબરદારનો લેખ. ૬ જુઓ ટીપ ૪. ૭ પાઠક, રા. વિ.. અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણે” (૧૯૪૭) પૃ. ૧૬૨, ૨૦૭. ૮ એ જ પૃ. ૨૬-૭ અને અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય' (૧૯૩૩) પૃ. ૨૫. ૯ સુન્દરમ, “અર્વાચીન કવિતા' પૃ. ૩૨૧-૪૧૦ એ જ પૃ. ૩૨૩ ૧૧ વૈદ્ય, વિજયરાય “ગુ. સા.ની રૂપરેખા' (૧૯૪૩) પૃ. ૨૮૭ ૧૨ બક્ષી, રામપ્રસાદ, “વાડમય વિમર્શ' (૧૯૭૦) પૃ ૨૫૫. ૧૭ ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ, ‘ઉપાયન (૧૯૬૧) પૃ. ૨૭૪–૭૬. ૧૪ “ભારતને ટંકાર' (૧૯૧૯) પ્રસ્તાવના, પૃ. ૧૩. ૧૫ ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ, વિવેચના' (૧૯૩૯) પૃ. ૧૦૬–૯. ૧૬ વૈદ્ય, વિજયરાચ, ‘જૂઈ અને કેતકી (૧૯૬૩) પૃ. ૪૩, ૪૭-૮. ૧૭ “વિવેચન' પૃ. ૧૧૭, “અર્વાચીન કવિતા” પૃ. ૩૩૮ અને “અ. કા. સા.નાં વહેણે” પૃ. ૧૭૩. ૧૮ જૂઈ અને કેતકી' પૃ. ૪૯-૫૪. ૧૯ ભટ્ટ, વિશ્વનાથ, વિવેચનમુકર” (૧૯૩૯) પૃ. ૧૦૨-૪. ૨૦ “સાહિત્યવિચાર' પૃ. ૪૨૮. ૨૧ “ગુ. સા.ની રૂપરેખા' પૃ. ૨૮૪. ૨૨ ખબરદારે કનકોત્સવ પ્રસંગે કરેલું આભારદર્શન-વ્યાખ્યાન (૧૯૩૧) પૃ. ૨ અને “વીસમી સદી'ને ખબરદાર અંક (ન. ૧૯૩૧) પૃ. ૪૧. ૨૩ જૂઈ અને કેતકી” પૃ. ૧૪૦. ૨૪ વિવેચના' પૃ. ૧૧૬–૭. ૨૫ મહેતા, હીરા, “આપણું વિવેચન સાહિત્ય” (૧૯૩૯) પૃ. ૨૩૮. ૨૬ “સાહિત્ય' માસિકનો ન. ૧૯૩૧ને ખબરદાર અંક, પૃ. ૨૦. ૨૭ ધ્રુવ, આનંદશંકર, જહાંગીર મા. દેસાઈકૃત “ચમકારા' (૧૯૩૧)ની પ્રસ્તાવના, પૃ. ૬ ૨૮ ભટ્ટ, વિશ્વનાથ, “સાહિત્યસમીક્ષા' (બીજી આ ), પૃ. ૨૫૫. ૨૯ એ જ, પૃ. ૨૫૭. ૩૦ “અર્વાચીન કવિતા” (પહેલી આ.) પૃ. ૪૦૨. ૩૧ જુઓ ટીપ ૨૮, ૩ર રાવળ, અનંતરાય, બોટાદકરની કાવ્યસરિતા' (પહેલી આ.) ઉપોદઘાત, પૃ. ૧૭. ૩૩ એ જ પૃ. ૧૯ ૩૪ જુઓ ટીપ ૩૦. ૩૫ “અર્વાચીન કવિતા', પૃ. ૪૦૨. ૩૬ એ જ, પૃ.૪૧૭. ૩૭ પરમાર, દેશળજી, “ઉત્તરાયન' (પહેલી આ.), “પથ-પ્રદીપ પુ. ૧૩ ૩૮ “અર્વાચીન કવિતા', પૃ. ૪૩૦
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ કનૈયાલાલ મુનશી (ઈ. સ. ૧૮૮૭–૧૯૭૧)
જીવન
મુનશીની સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ પંડિતયુગ અને ગાંધીયુગના સન્ધિકાળેએટલે તેમની પૂર્વે પાંડિત્ય, પ્રશિષ્ટતા અને ગંભીર જીવનપરામર્શક તત્ત્વાન્વેષી અભિગમનું જેમાં પ્રાધાન્ય એવો ગોવર્ધનયુગ. મુનશીની પ્રવૃત્તિને પ્રસાર સમગ્ર ગાંધીયુગ દરમ્યાન – અને તે પછીય જેમાં સર્વતીર્થ ગાંધીગંગાત્રીમાંથી પ્રવાહમાન વહેણે અને વલણે જ તત્કાલીન સાહિત્યનાં પ્રમુખ પ્રેરક-વિધાયક પરિબળોઆમ મુનશીને બે પ્રચંડ પ્રભાવમૂર્તિઓ વચ્ચે પ્રકાશવાનું હતું. પરંતુ, ઉભય. મહામહિમાવંતો વચ્ચે પણ, સ્વાગ્રહી વ્યક્તિત્વની ઉત્કટ અનિરુદ્ધ વૃત્તિ અને શક્તિથી તથા મમતાભર્યા ને મહત્ત્વાકાંક્ષી પુરુષાર્થથી, ઉભયનાં વ્યાપક અને દીપ્તિમંત પ્રભાવલો વરચેય, નિજનું કંઈક નાનું છતાં આગવું ને સ્પષ્ટ તેજોવલય, પ્રગ૯ભતાપૂર્વક પ્રગટ કરી શકનાર મુનશીની સાહિત્યપ્રવૃત્તિ અસાધારણ પ્રતિભાને આવિષ્કાર ગણાય.
પ્રબળ પ્રતિભાશાળી સજક પૂર્વકાલીન તેમ જ પ્રવર્તમાન પ્રભાવોને આત્મસાત્ કરી, તેમને અ-પૂર્વ રૂપે પ્રગટ કરે છે. આ અપૂર્વતા એ, એ સમગ્ર સંદર્ભ પર અંકિત, સર્જકની આગવી મુદ્રાનું પરિણામ હોય છે. સર્જકનું એ આગવું વ્યક્તિત્વ, જ્યારે પ્રવર્તમાન વલણને વશ વર્તતું ન હોય ત્યારે તે સ્પર્ધાત્મક પ્રતિભાવરૂપે પ્રગટ થાય છે. એવાં વ્યાપક અને લકસ્વીકૃત વલણોના પ્રવાહથી પ્રતી પગતિ કરનાર પ્રતિકારાત્મક પુરુષાર્થને પ્રતિષ્ઠિત કરવી અત્યંત પ્રબળ
અસિમ-તા અને પ્રચંડ વિદ્રોહશક્તિની અપેક્ષા રહે છે. મુનશીની સાહિત્ય-- પ્રવૃત્તિ મહદંશે આવી સ્પર્ધાત્મક પ્રતિભાવથી પ્રેરાતી પ્રતીપગા પ્રતિભાને સર્જનાત્મક ઉદ્યમ છે – વિરલ તેમ જ વિલક્ષણ. મુખ્યત્વે નવલકથાકાર અને નાટકકાર એવા મુનશીનાં પાત્રોમાં, તેના સર્જકનાં અદમ્ય મહત્ત્વાકાંક્ષા અને અહંભાવી પ્રભાવાકાંક્ષાને પ્રબળ પ્રક્ષેપ પરખાયા વગર રહેતો નથી. આથી, રંગદશી કલ્પનાશીલ સર્જકપ્રતિભા તેમની આત્મકથા કે પ્રવાસકથાને પણ નવલકથાની નજીક લઈ જાય છે, તો કલ્પિત પાત્રોનાં મનોગત અને મંતવ્યો, આશયો અને એષણાઓમાં પણ પોતાનું જ પ્રક્ષેપણ કરવાની વૃત્તિ તેમની
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[. ૪
નવલકથાઓને પણ આપકથાઓ જેવી બનાવી દે છે. એ રીતે તેમના વ્યક્તિત્વની વિશિષ્ટતાઓ, તેમના સર્જનની લાક્ષણિકતાઓ બની જાય છે.
મુનશીનો જન્મ ૩૦–૧૨–૧૮૮૭ના દિવસે ભરૂચમાં, મુનશીને ટેકરે, બાપીકા ઘરમાં. મોટા ઘરની જૂની જાહોજલાલી ઓસરવા લાગી છે પણ ઘરનાં જૂનાં -હાંડીઝુમ્મરની જેમ હજી મુનશીઓના મિજાજમાં ને કડકડતાં અંગરખાંમાં કુળગૌરવ ટકી રહ્યું છે ત્યારે મુનશીને જન્મ. એ ભૃગુકુલગૌરવના અને વૈષ્ણવની
મૃતિઓ તથા મિજાજના વારસદાર છે. પિતા માણેકલાલ નરભેરામ મુનશી. અમદાવાદની કલેકટર ઑફિસમાં કારકુનની નોકરીથી શરૂ કરી કમેકમે આપબાહોશીથી મામલતદાર વગેરે હોદ્દાઓનાં પગથિયાં ચઢી સુરત-ભરૂચના ડેપ્યુટી કલેકટર થનાર રાવ બહાદુર” માણેકલાલ બહાદુર, કર્મઠ અને સ્વતંત્ર સ્વભાવના તેમ જ સકજન. કનૈયાલાલ તેમના ચાર દીકરીએ એકમાત્ર પુત્ર. કનુભાઈ હજી વડોદરા કોલેજમાં પ્રારંભિક વર્ષમાં જ હતા ત્યારે જ ૧૯૦૩માં પિતા માણેકલાલનું હૃદયરોગથી અવસાન. આમ સોળેક વર્ષની વયે જ કનૈયાલાલ પિતાનું છત્ર ગુમાવે છે. પણ માતાની દીર્ધજીવી પ્રેમાળ છત્રછાયા તેમના જીવનની ઘણું તડકીછાંયડીમાં આધાર બની રહે છે. માતા તાપીબા જીછમાં તરીકે જાણીતાં. પ્રભાવશાળી, પ્રેમાળ, વ્યવહારકુશળ; હિસાબ રાખે, નોંધપોથી રાખે, પદ્યો પણ રચે. વહીવટદક્ષ ને સંસ્કારી કનૈયાલાલના વ્યક્તિત્વમાં માતાપિતાને સ્વભાવ-સંસ્કારને વારસો ઊતર્યો છે. પિતાની વિવિધ સ્થળે બદલીઓ થતાં વિવિધ સ્થળાના અનુભવો કનુભાઈને મળે છે. ભાર્ગવ બ્રાહ્મણના કુળસંસ્કાર સાથે ભગવાન ચંદ્રશેખર પ્રત્યેની ભક્તિનાં બીજ મળે છે. લાડભર્યા ઉછેર સાથે મળેલાં આ સંસ્કારબીજને વારસો ભવિષ્ય માં સમૃદ્ધિ બની રહે છે. “જય સોમનાથ જેવી કૃતિઓમાં પ્રગટતી ચંદ્રશેખરભક્તિનાં મૂળ અહીં જણાય છે.
તત્કાલીન રિવાજ મુજબ, કુટુંબના મોભા પ્રમાણે સવેળા ઈ. સ. ૧૯૦૦માં અતિલક્ષ્મી સાથેના લગ્ન સમયે કનુભાઈની ઉંમર વર્ષ ૧૩ અને અતિલક્ષ્મીની ઉંમર વર્ષ ૯, જે “દેખાવે પાંચ વર્ષની લાગતી” એમ મુનશી નોંધે છે. લગ્ન સમયે હજી મુનશી મેટ્રિક થયા નથી ! ને કનુભાઈ પરણે છે તે પણ આંનચ્છાએ – કારણ કે પિતા સચીનના દીવાન હતા ત્યારે બાલ્યાવસ્થામાં મળેલી એક બાલસખીના સ્મરણચિત્રની આસપાસ કલ્પનાતરંગી કિશોર કનૈયાલાલ અરમાનોની એક સ્વપ્નસૃષ્ટિ ગૂંથી બેઠા છે ! સ્વપ્નસૃષ્ટિની એ “દેવી'ને તે ઝંખતા શોધતા જ રહે છેઅન્ય મૂર્તિ માં એ “દેવી'ને સ્વરૂપાંતરે સાક્ષાત્કાર થાય છે ત્યાં સુધી ! “શિશુ અને સખી” અને “વેરની વસૂલાત’માં તેમની હદયકથા-વ્યથા વ્યક્ત થયેલી છે !
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ ] કનૈયાલાલ મુનશી
[ ૧૫૭ સચીનની એ “દેવી એ જ “વેરની વસૂલાતની તનમન એ તે હવે જાહેર વાત છે. ૧૯૦૧માં “ભાર્ગવ છોકરાઓની પ્રણાલિકા તોડી' પહેલે જ પ્રયત્ન મેટ્રિક પાસ થયા. પણ વડેદરા કોલેજમાં ગણિતની કચાશને લીધે પ્રિવિયસમાં જ નાપાસ થયા ને ફરી પરીક્ષા આપી. દરમ્યાન ૧૯૦૩માં, પિતાનું અવસાન થતાં જ, આપત્તિ શરૂ થઈ. પિતાના અવસાન સાથે કૌટુંબિક મુશ્કેલીઓને તીવ્ર અનુભવ – માતાની છાંયડીનું આશ્વાસન છતાં. ઘરઆંગણે કૌટુંબિક આપત્તિ ને આર્થિક સંકડામણમાંથી મા મારગ કાઢી આપે છે, તે કોલેજમાં મનઃસૃષ્ટિને નવો ઉઘાડ અનુભવાય છે પ્રા. અરવિંદ ઘોષ અને પ્રા. જગજીવન શાહ જેવાના. સંસર્ગથી. મહાનુભાવોની જીવંત પ્રેરણા, વિશાળવાચન, ચર્ચાઓ, વાદમંડળ, મિત્રમંડળીઓ વ. કનૈયાલાલના જીવનમાં નવી સમૃદ્ધિ સીંચે છે. બુદ્ધિના બડેખાં” હોવાનું અભિમાન થાય એટલો બુદ્ધિવિકાસ થાય છે, અને ૧૯૦૫માં પહેલા વર્ગમાં સફળ થતાં “અંબાલાલ સાકરલાલ પારિતોષિક’ પ્રાપ્ત થાય છે.
ઈશ્વર, દેશભક્તિ, રાષ્ટ્રોન્નતિ, વ.ના વિચાર સાથે, ધર્મચુસ્તતા અને સુધારાના વિચારોની સંઘર્ષામક મથામણની આ અવસ્થા છે. આ અવસ્થાની ભાવનાઓ, સેવેલાં સ્વપ્ન વ. સહિત આ કાળની ઘટનાઓ વ.નું વાસ્તવિક ચિત્ર “સ્વપ્નદ્રષ્ટા'માં આલેખાયું છે. ૧૯૦૭માં બી.એ. એલિસ પ્રાઈઝ સાથે સેકન્ડ, કલાસમાં પાસ, અને યૌવનની સ્વપ્નભૂમિ વડોદરાથી વિદાય. જીવનને અધ્યાય બદલાય છે. “અડધે રસ્તે' આત્મકથાના પ્રથમ ખંડમાં આ અધ્યાયનું સુંદર આલેખન છે,
ગ્રેજ્યુએટ કનૈયાલાલ હવે (૧૯૦૭–) નસીબ અજમાવવા મુંબઈની ધરતી પર ઊતરે છે. કઠોર વાસ્તવિકતાને સાક્ષાત્કાર શરૂ થાય છે. મુનશી મુંબઈની ચાલીમાં ઘરસંસાર શરૂ કરે છે અને પાઈ પાઈની ગણતરીથી ઘર ચલાવતાં, એલએલ.બી.ને અભ્યાસ શરૂ કરે છે. મુંબઈના માળાના જીવનના તેમના અનુભવે ને નિરીક્ષણમાંથી ઘણું બધું કાને વાંક ?”માં મળી આવશે. આત્મકથા “સીધાં ચઢાણીના પ્રથમ ખંડમાં આ અવસ્થાનું તાદશ આલેખન છે.
૧૯૦૭થી ૧૯૧૫ સુધીનો ગાળે મુનશીના જીવનની ભારે. મથામણને ગાળે છે. બીજા પ્રયત્ન ૧૯૧૩માં ઍકેટ થઈ ધંધામાં સ્થિર થાય છે ત્યાં સુધી તેમની, જીવનને પગભર કરવાની મથામણ ચાલુ રહે છે. મુંબઈમાંના સાક્ષર ચંદ્રશંકર પંડ્યા, અંબાલાલ બુ. જાની, ઉત્તમલાલ ત્રિવેદી, કાન્તિલાલ છ. પંડ્યા, નૃસિંહપ્રસાદ વિભાકર વગેરે પંડિતયુગની બીજી હરોળ સમા, “સમાલોચકના લેખક વર્ગ સાથે મુનશી ગાઢ સંપર્ક કેળવે છે, “ગુર્જરસભાના પિત મંત્રી
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચ. ૪ પણ બને છે અને મુખ્યત્વે પંડિતયુગના પ્રભાવથી પોષાયેલા આ વિદ્વદ્દવર્ગમાં પિતાના પશ્ચિમી સાહિત્યના પરિચય અને સ્પષ્ટ તથા પ્રગલ્ય વકતૃત્વથી મહત્વ પણ મેળવે છે. અન્ય સુધારાવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ કાળના જીવનનું નિરૂપણ કરતા આત્મકથાના બીજા ખંડને “સીધાં ચઢાણનું નામ કેમ આપ્યું હશે તેને કંઈક મર્મ એ વાંચતાં સમજાય છે. આ જીવનકાળનાં કેટલાંય ચિત્રો – પ્રસંગો અને વ્યક્તિઓનાં – “તપસ્વિની'માંથી જાણકારોએ જરૂર ઓળખી લીધાં હશે.
સાહિત્યક્ષેત્રે શુભારંભ: મુનશીને એ “સીધાં ચઢાણનો જીવનકાળ તેમની સાહિત્યપ્રવૃત્તિની દષ્ટિએ ખૂબ મહત્વના છે. તત્કાળ પર્યન્ત તેમણે જ્ઞાતિપત્ર “ભાર્ગવ', અથવા “આર્ય પ્રકાશ જેવાં સામયિકમાં તો લેખ લખ્યા છે, પણ સાહિત્યક્ષેત્રે તેમને પ્રવેશ “મારી કમલા એ વાર્તાને પ્રકાશનથી ગણાય.
૧૯૧૨માં “મારી કમલા એ વાર્તા “સ્ત્રીબોધ'માં “ઘનશ્યામ વ્યાસને નામે પ્રગટ થાય છે. આ પ્રથમ પ્રયાસે જ નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચકના આશીર્વાદ સાથે “ઘનશ્યામ વ્યાસ–મુનશીની સાહિત્ય-કારકિદીને પ્રારંભ થાય છે. ૧૯૧૩માં, સાક્ષમિત્ર અંબાલાલ બુ. જનીને આમંત્રણથી “ગુજરાતી” પત્રમાં “ચૌદ આને કલમના લેભે', “વેરની વસૂલાત” લખે છે અને વાર્તારસિયા ગુજરાતી વાચકને વશ કરી લે છે. તે સાથે જ મુનશીની પ્રતિભાને પોતાનો માર્ગ મળી જાય છે, અને ૧૯૧૨-૧૩માં “મારી કમલા” અને “વેરની વસૂલાતથી આરંભાઈને, ૧૯૭૧માં મુનશીને અવસાનથી અપૂર્ણ રહેલ મહાકથા “કૃષ્ણાવતાર' પર્યન્તનાં લગભગ ૫૮-૫૯ વર્ષો પર્યન્ત વિસ્તરેલી મુનશીની સાહિત્યિક કારકિદી ગુજરાતી સાહિત્યનું એક સમૃદ્ધ અને યશસ્વી પ્રકરણ બની રહે છે.
વેરની વસૂલાતની સફળતા મુનશીને માટે ઉત્સાહક નીવડે છે. ૧૯૧૩માં “વેરની વસૂલાત પ્રગટ થયા પછી ઝડપભેર એક પછી એક કૃતિઓ પ્રગટ જ જાય છે. “કાને વાંક?', પછી “પાટણની પ્રભુતા'થી આરંભાઈ “ગુજરાતને નાથ અને “રાજાધિરાજ'માં વિસ્તરેલી સોલંકી–નવલત્રયી તો મુનશીને કીર્તિની ટોચે પહોંચાડે છે. આ દરમ્યાન જ પ્રણયકથા “પૃથિવીવલભ” અને નાટક “વાવાશેઠનું સ્વાતંત્ર્ય” (સામાજિક) અને “પુરંદર પરાજય” (પૌરાણિક) પણ પ્રગટ થઈ તેમની કપ્રિયતામાં વધારો કરે છે. ઉપરાંત સાહિત્યસંસદની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓ તથા તે નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો, તેના મુખપત્ર રૂપે પ્રગટ થયેલ “ગુજરાત પત્રની પ્રવૃત્તિ વગેરેને કારણે તેમની સાહિત્યપ્રવૃત્તિઓનું પૂર ઊછળે છે અને લગભગ એક દશકને અંતે તે મુનશી પ્રારંભના ઘનશ્યામ વ્યાસ'માંથી ગુજરાતને મૂર્ધન્ય નવલકથાકાર અને સાહિત્યક્ષેત્રે અગ્રિમતાના અધિકારી બની રહે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૫૯ લગભગ દસ-બાર વર્ષના જ ગાળામાં, જાણે મુનશીનાં રંગદર્શી સર્જનની મોહિની ગુજરાતને વશ કરી લે છે, તેમના “સરસતાવાદીના પ્રચારે જાણે તેમનાં સર્જનને પ્રતિષ્ઠિત થવાની મને ભૂમિકા પૂરી પાડી છે. એક જ દશકને અંતે મુનશી પ્રારંભકમાંથી પ્રભાવક બની રહેતા જણાય છે. આ દશકમાં જ એમની પ્રતિભાએ પિતાને સૌથી પ્રબળ ઉન્મેષ પ્રગટ કરી દીધો છે. “જય સોમનાથ જેવા જૂજ અપવાદ સિવાય મુનશીની મોટા ભાગની કીર્તિદા કૃતિઓ આ ગાળામાં જ સર્જાઈ છે. તેમની શિલીની બધી લાક્ષણિકતાઓ અને તેમના અભિગમોની બધી વિશિષ્ટતાએ આ ગાળામાં જ પ્રગટી, ઘડાઈ, સિદ્ધ થઈ સ્થિર થયેલી જણાય છે. આ સંદર્ભમાં એ પણ સ્પષ્ટ થાય છે કે આ પછીના તેમના દીર્ધાયુષ્ય દરમ્યાન, તેમણે વ્યવહારજીવનનાં વિવિધ ક્ષેત્રમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે છતાં, અને તે સૌ પ્રવૃત્તિઓ સાથે તેમણે સાહિત્યપ્રવૃત્તિને પ્રવાહ પણ સતત અને અખલિતરૂપે ચાલુ જ રાખ્યો હોવા છતાં, જૂજ અપવાદ બાદ કરતાં, સર્જકપ્રતિભાને નવોન્મેષોના પ્રાગટયને અધ્યાય જાણે આ ગાળામાં જ મર્યાદિત થઈ જાય છે.
અલબત્ત, ૧૯૨૨-૨૫ પછીની તેમની કૃતિઓ પણ સાવ સાધારણ ગણીને સમેટી લઈ શકાય તેમ તે નથી જ. કારણ કે સફળ સ્વીકાર અને પ્રજાકીય લેકપ્રિયતાના પુરસ્કારથી શ્રદ્ધાવિત થયેલી, તેમ અનુભવ પ્રાપ્ત સિદ્ધહસ્તતાથી પકવ થયેલી સર્જનશીલતાને સ્પર્શ તો તેમાંય પરખાયા વગર રહેતું નથી; પણ તેમાં સર્વથા નૂતનત્વના આવિર્ભાવને ચમત્કાર નથી, પૂર્વપરિચિતના પુનર્મિલનની જ તેમાં પ્રતીતિ થાય છે, પ્રસન્નકર છતાં વિસ્મયવિહીન. છતાંય, સર્જનપ્રવૃત્તિના પ્રથમ દશકમાં જ સર્વોચ્ચાસને પહોંચી જવું એ જેવું તેવું પરાક્રમ નથી, અને પહોંચી ગયા પછી લગભગ અધી સદી પર્યન્ત અનેક વાવાઝોડાં વચ્ચે, ત્યાં સ્થિરાસને ટકી રહેવું એ જેવીતેવી સિદ્ધિ નથી !
આ દશકની સાહિત્યપ્રવૃત્તિ અને પ્રગતિ એ મુનશીના જીવનની એકમાત્ર નહિ પણ અનેકમાંની માત્ર એક પ્રવૃત્તિ જ છે. આ સાહિત્યપ્રવૃત્તિ તેમણે જીવનનાં બીજાં અનેક ક્ષેત્રોની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જ કરેલી છે અને જેમ સાહિત્યમાં તેમ અન્ય ક્ષેત્રમાં પણ તેમણે એટલી જ સફળતા પ્રાપ્ત કરી છે. આ ગાળામાં જ ભૂલાભાઈ દેસાઈની ચેમ્બરમાં બ્રીફ મેળવવા નિષ્ફળ હાજરી પુરાવતા નવા વકીલમાંથી મુનશી, ૧૯૨૨માં તે “શુદ્ધ બ્રાહ્મણને રૌરવ નરકના અધિકારી બનાવે એટલી આવક ધરાવતા અગ્રણ ધારાશાસ્ત્રી બની રહે છે, અને ચાલીની ખેલીમાં જેમતેમ કરકસરિયું જીવન નિભાવતા, તે બાબુલનાથ રોડ પરના આલીશાન ફલેટમાં સુખસગવડભર્યું જીવન જીવતા થઈ જાય છે ! સામાજિક ક્ષેત્રે પણ તે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ ચં. ૪
હવે મુંબઈ જેવા મહાનગરમાંય ગણુનાપાત્ર અગ્રણી કાર્યકર ગણાવા લાગ્યા છે, ભૂલાભાઈ અને ઝીણા જેવાના સાથમાં હેામરૂલ જેવી પ્રવૃત્તિમાં આગળ પડતા ભાગ લે છે; પત્રકારત્વ, સંસ્થાઓ અને જાહેર પ્રવૃત્તિઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે, ગાંધીજી આફ્રિકાથી આવીને દેશનું નેતૃત્વ લે છે ત્યારે એક સ્વતંત્ર અને મહત્ત્વના આગેવાનની હેસિયતથી તેમની સાથે મેળ પણ કરી શકે છે અને મતભેદ પણ પે।કારી શકે છે !
ટૂંકમાં, એક જ દશકના ટૂંકા સમયગાળામાં મુનશી જીવનનાં અનેક ક્ષેત્રમાં એકસાથે સફળતા સિદ્ધ કરતા મુંબઈ જેવી માયાજાળમાં પણ અજાણ્યા આગ તુકમાંથી અગ્રણીઓમાંના એક થઈ રહે છે. આ કાળની તેમની મહત્ત્વાકાંક્ષી અને પુરુષાથી, ગતિશીલ પ્રવૃત્તિનાં આજસ અને ઉત્સાહપૂર્ણ સ્પ ંદના, ને તેમની ઝડપી સફળતાના આનંદ અને આવેગ તેમની આ કાળની કૃતિઓમાં પણ ઊતર્યા વગર નથી રહ્યાં.
મુનશીએ સાહિત્યસંસની સ્થાપના કરી (૧૯૨૨), અને વીસમી સદી’ વિરમી જતાં, તેની જગા લે તેવું ગુજરાત' માસિક સ`સદના મુખપત્રરૂપે શરૂ કર્યું.... કાર્ય પ્રધાન વ્યક્તિત્વને જાણે અભિવ્યક્તિનું એક માધ્યમ અપૂરતું લાગે છે. સાંહિત્યક્ષેત્રે પણ મુનશીની આકાંક્ષાએ, સજ્જન ઉપરાંત અન્ય વહનમાર્ગ શોધે છે. ‘સંસદ' અને ‘ગુજરાત' તેમની સ્વભાવાનુરૂપ આવશ્યકતાઓ પૂરી પાડે છે. આ માધ્યમે। દ્વારા લેખાવ્યાખ્યાના રૂપે તેમણે વ્યક્ત કરેલા વિચારા, આદર્શ વગેરે તેમના આદિવચનેા' તથા રસદર્શ'ના' વગેરે લેખસંગ્રહેારૂપે આપણને પ્રાપ્ત છે. મુનશીએ પછીનાં વર્ષોમાં વ્યક્ત કરેલ આત્વ અને સંસ્કૃતિની ભાવનાનાં ખીજ છેક ૧૯૨૨માં સેવાતાં જણાય છે. ‘ગુજરાત' માસિકના મુખપૃષ્ઠ પરનું ચિત્ર, એમની જે ભાવનાએ પછી એમની પાસે પૌરાણિક નાટકો, નવલકથાઓ રચાવ્યાં, ને હૈમસ્મારક કે ભારતીય વિદ્યાભવન તથા સામનાથના પુનર્નિર્માણની પ્રવૃત્તિઓ પ્રેરી એ ભાવનાનું દ્યોતક છે.
સ્વપ્ના રચવાં એ એક વાત છે, તેમની સિદ્ધિ માટે પુરુષાર્થ કરવા એ ખીજી વાત છે, અને તેમાં સફળતા પામી પેાતાના જીવનકાળમાં જ તેના સાફલ્યના સંતાષ અનુભવવા એ વળી આર વાત છે. મુનશીએ પેાતે સ્વપ્ન સેવ્યાં
ને પુરુષાર્થી દ્વારા તેને સિદ્ધ કરી સ ંતાષ અનુભવ્યેા છે. આપણે ત્યાં આવા સ્વપ્નદશી, પુરુષાથી, અને સ્વપ્નસિદ્ધિના સ ંતાષ અનુભવવાને ભાગ્યશાળી પુરુષવિશેષા કેટલા ? !
‘ગુજરાત' શરૂ થાય છે તેના પરિણામરૂપે લીલાવતી શેઠનેા પરિચય, એ
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪ ]
કનૈયાલાલ સુનશી
[ ૧૬૧
પરિચયમાંથી જન્મતા સ્નેહ, ને એ સ્નેહમાંથી જન્મતા તલસાટ, અકળામણેા, મૂંઝવણ્ણા-મથામણેા અને સર્ધાના ઇતિહાસ એક નવલકથાથીય વધુ ઘટનાયુક્ત સવેદનસભર અને રામાંચક કથાનક છે. મુનશીનાં પત્નીનું, અને પછી સૌ. લીલાવતીના પતિનું અવસાન થતાં બંને લગ્નગ્રંથિથી જોડાય છે. સ્નેહ મૈત્રીનું આ પ્રકરણ તે કાળે ગુજરાતમાં એક અત્યંત ચર્ચાયેલુ` પ્રકરણ છે. મુનશીના અંગત જીવન તેમ જ વ્યવસાયજીવન મનેાજીવન પર તેના પડછાયા પડે છે. સ્વપ્નસિદ્ધિની શોધમાં' એ આત્મકથાના ત્રીજા ખંડ ઉપરાંત ‘અવિભક્ત આત્મા” જેવી કૃતિઓમાં આના અણસાર મળે છે. લીલાવતી સાથેનું લગ્ન એ મુનશીના વનને મહત્ત્વના વળાંક આપતી ઘટના. મુનશીના દી સહચાર અને અનેકવિધ રાષ્ટ્રીય-સામાજિક પ્રવૃત્તિએ ગુજરાતના જાહેર જીવનના ઇતિહાસનું મહત્ત્વનું પ્રકરણ છે. દીધ`જીવી અને સદાપ્રવૃત્ત મુનશીજીવનના એક રંગદર્શી અઘ્યાય અહી પૂરા થાય છે. આ પછીના બહુમુખી કારકિદી વાળા જીવનના અધ્યાય અનેકવિધ પ્રવૃત્તિ, સિદ્ધિ અને સંધર્ષાથી સભર છે. આ ગાળાની ઘટનાઓ, પ્રવૃત્તિઓ વગેરેની કેવળ યાદી પણ એક ગ્રંથ જેટલેા વિસ્તાર માગે,
-
આ કાળમાં, બારડાલીના સત્યાગ્રહ સાથે સંકળાયલી તેમની કામગીરીથી આરંભાયલી તેમની રાજદ્વારી પ્રવ્રુત્તિએ, ગાંધીજી સાથેના, સરદાર સાથેના અને કૅૉંગ્રેસ સાથેના તેમના ઘનિષ્ઠ સંબંધે, રાષ્ટ્રીય સ્તરના અગ્રણી નેતા ગણાવા સુધીનું તેમનું મહત્ત્વ વગેરેથી માંડીને તે, મુંબઈ રાજ્યના સચિવ તરીકેની તેમની કામગીરી, હૈદરાબાદના એજન્ટ-જનરલ, ભારતના અન્નપ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે તેમણે અાવેલી ફરજો અને છેલ્લે રાનજી સાથે સ્વતંત્ર પક્ષની સ્થાપનામાં તેમના ફાળા એ બધાના ઇતિહાસ ભારતના ઇતિહાસને જ એક ભાગ છે; તેા ભારતીય વિદ્યાભવન તથા અન્ય અનેક સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાએ અને તેમની અનેકવિધ પ્રવૃત્તિએ તેમની પ્રવૃત્તિઆના ખીજો સમૃદ્ધ પ્રવાહ છે. અખંડ હિંદુસ્તાન' જેવી ઘણી પ્રવૃત્તિએ એમણે આદરી છે પણ સાહિત્યના ઇતિહાસમાં એ બધાના કેવળ ઉલ્લેખથી જ ચલાવી લેવું રહ્યું. અહીં નોંધવા યોગ્ય મહત્ત્વની વાત તા એ છે કે રાજદ્વારી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓના ક્ષેત્રની પ્રવૃત્તિએમાં પૂરી શક્તિથી પ્રવ્રુત્ત અને અગ્રણીએમાં એક છતાં તેમણે લેખક તરીકે કલમને કદી સુકાવા દીધી. નથી. એ બધી વ્યવહારુ પ્રવૃત્તિઓની વચમાં પણ તેમણે સાહિત્યપ્રવૃત્તિને સતત ચાલુ રાખીને એક યા ખીન્ન પ્રકારની કૃતિઓ આપ્યાં જ કરી છે. આ ઉપરાંત લગભગ ત્રીસેક વર્ષ પર્યંત ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વેસર્વા બની રહી તેનું તેમણે એક હાથે કરેલું સંચાલન પણ નૈાંધપાત્ર છે.
ગુ. સા. ૧૧
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪
સાહિત્યસર્જન વિશેષત: વાર્તાકાર
ઉત્તમ સર્જક છતે ગોવર્ધનરામ પ્રધાનતઃ ચિંતક છે, મુનશી સ્વભાવતઃ વાર્તાકાર. લગભગ મધ્યકાલીન લાગે તેવું ચિતંત્ર, અને અર્વાચીન રચનાવિધાન એ બેને મેળમાંથી ઉદ્ભવેલું મુનશીનું વાર્તાપ્રધાન સાહિત્ય જ તેમની સર્જકપ્રતિષ્ઠાનો પાયો છે.
કથાનકને રોચક-રોમાંચક સામગ્રીથી સભર કરવું, ઘટનાઓને નાટયાત્મક રીતે ગૂંથવી-ગૂંચવવી અને એ બધા વચ્ચે રમમાણ જીવંત ક્રિયાશીલ પાત્રોને મથતાં, મૂંઝાતાં, તડપતાં, સફળતા-નિષ્ફળતાની, પ્રેમ-રની વેદનાઓ વેઠતાં દર્શાવવાં, અને આલેખનની “સરસતા અને સચોટતાથી” કુતૂહલવશ વાચકને વાર્તાપ્રવાહમાં વહાવી જવો, કરામત અને કસબ પકડાયપરખાય નહિ તેટલા વેગથી તેને ધસતો ધકેલાતો અને બધુંય વગરપ્રીને નભાવી લે તેટલો સંમહિત રાખવો – વાર્તાકળાની આ બધી આવડત, મુનશીને તેમની રંગદર્શી પ્રકૃતિ, તપ્રકારનું સાહિત્યસેવન અને લયગામી સભાન પુરુષાર્થે સિદ્ધ કરી આપી છે. વાર્તાકળાને આવો કીમિય, અર્વાચીન ગુજરાતી વાર્તાકારોમાંના બહુ ઓછી આટલે અંશે સિદ્ધ કરી શક્યા છે. મુનશીની વાર્તાક્ષેત્રે દીર્ધજીવી લેકપ્રિયતા અને કેટલીક રીતે અન-અન્યતાનું રહસ્ય તેમની આ સિદ્ધિમાં છે.
આ વાર્તાકથનસિદ્ધિને કારણે જ મુનશી નવલિકા-નવલકથા-નાટક વગેરે “વાર્તાપ્રધાન પ્રકારે ઉપરાંત જીવનચરિત્ર, આત્મચરિત્ર કે પ્રવાસલેખમાં પણ આકર્ષક નીવડ્યા છે. વાર્તા સિવાયના સાહિત્યપ્રકારોમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છતાં, તેમની મુખ્ય મુદ્રા તો વાર્તાકારની જ રહી છે તે હકીકત છે, મુનશીની રચનાઓમાં “કથનાત્મકતા” અને “નાટયાત્મકતાને ઉભયાન્વય છે. તેમની વાર્તાઓમાં નાટયતત્ત્વ કથન જેટલું જ – ને ક્યારેક તે અધિક મહત્વ ધરાવે છે. વાર્તાકાર મુનશીમાં નાટકકાર મુનશી હમેશાં સમાવિષ્ટ હોય છે. આથી તેમની પાસેથી વાર્તા અને નાટક ઉભયક્ષેત્રે આવકાર્ય પ્રદાન પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે.
મુનશીને સાહિત્યક્ષેત્રે પ્રવેશ “મારી કમલા'એ નવલિકાથી. એ પહેલી જ વાર્તાની અણધારી સફળતાએ તેમને બીજી વાર્તાઓ લખવા પ્રેર્યા, અને આપણને “મારી કમળા અને બીજી વાતો' (૧૯૧૨; પછીથી “મુનશીની નવલિકાઓ')માંની વાર્તાઓ મળી. “નવલિકા તે જમાનામાં નવું, વિકસતું સ્વરૂપ. મુનશીની વાર્તા માંનાં અનાયાસ શિલ્પ, સરળતા અને સ્વાભાવિકતા, નર્મમર્મ અને કટાક્ષ તથા
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪]
કનૈયાલાલ સુનશી
[૧૬૩
-
-
તત્કાલીન જીવન સાથેના અનુબંધ વગેરે તત્ત્વોએ તેમને તે કાળે — અને આજે પણ — અગ્રણી વાર્તાકારામાં સ્થાન અપાવ્યું છે. શામળશાહના વિવાહ’ જેવી તેમની કૃતિએ આપણા કાઈ પણ નવલિકાસ`ચયને શેાભાવી શકે. પણ, મુનશીએ–આ એક સંગ્રહ–એટલી જ નલિકાએ આપી. સંભવ છે કે, તે પછી, નવલકથાલેખનમાં તેમની પ્રતિભાને વધુ અનુકૂળ ક્ષેત્ર મળી ગયું, અથવા કદાચ, નવલિકાના સીમિત પવિસ્તાર, અને તેની કલાસ્વરૂપ તરીકે શિલ્પશિસ્તની અપેક્ષા, મુનશીની યદચ્છાવિહારી પ્રકૃતિને બહુ અનુકૂળ ન હતાં. તેમની કલ્પનાને વિશાળ પટ પર વિસ્તરવું ગમે. નવલકથા, બલકે નવલમાળાઓના સુવિશાળ ફલક પર તેમને તે મેાકળાશ સાંપડી. અપવિસ્તારી સાહિત્યસ્વરૂપેામાં અપેક્ષિત સુશ્લિષ્ટતા અને ઝીઝુવટભર્યું સ્વચ્છ શિલ્પ અવકાશવિહારી, કૌતુકપ્રિય અને પ્રસ્તારવાંચ્છુ પ્રતિભાને અનુકૂળ ન જ નીવડે. વિશાળતામાં જે શથિલ્ય અને સ્વરતા નિર્વાદ્ય ખને છે તે સંયમશીલ સીમામાં નભી ન શકે એ પારખી શકે તેટલા મુનશી વિચક્ષણ છે જ.
શું જીવનમાં કે શું સાહિત્યમાં, સાંકડી સીમાઓમાં રમવુ* મુનશીને કદી રુચ્યું નથી; વેદકાળ પર્યન્તનેા વિસ્તાર પણ જેમની કલ્પનાને આળાટવા માટે આઝા પડે, તે અવિસ્તારને, આવડત છતાં, ન જ આવકારે. મુનશીએ, પછી, નવલકથાઓ લખી—ને વિસ્તરતા વિસ્તરતા અંતે આઠ ભાગેય અપૂર્ણ કૃષ્ણાવતાર’માં પહેાંચ્યા, નાટકો લખ્યાં, પણ નવલિકાઓ-એકાંકીએ, આપી શકયા હેાત તાપણ ન આપ્યાં. ન જ આપે!
નવલકથાકાર
સાહિત્યસર્જક તરીકે મુનશીની પ્રખ્યાતિ પ્રધાનતઃ નવલકથાકાર તરીકે, ને તેમાંય વિશેષરૂપે અતિહાસિક નવલકથાક્ષેત્રે, સમીક્ષાની સરળતા ખાતર તેમની કૃતિમાને ત્રણ ગુચ્છમાં વહેંચાય :
સામાજિક નવલકથાએ વેરની વસૂલાત' (૧૯૧૩), ‘કાના વાંક ’ (૧૯૧૫), ‘સ્વપ્નદ્રષ્ટા' (૧૯૨૪), ‘તપસ્વિની’ ૧-૨-૩ (૧૯૫૭, ૧૯૫૮),
ઐતિહાસિક નવલકથાએ ઃ ‘પાટણની પ્રભુતા' (૧૯૧૬), ‘ગુજરાતના નાથ’ (૧૯૧૭), ‘રાધિરાજ’ (૧૯૨૨), ‘જય સેામનાથ’ (૧૯૪૦), ‘ભગ્નપાદુકા’ (૧૯૫૬), ઉપરાંત ‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૦-૨૧) અને ‘ભગવાન કૌટિલ્ય’(૧૯૨૩).
પૌરાણિક નવલકથાએ ઃ ‘લોપામુદ્રા' ભાગ-૧ (૧૯૩૩), ‘લામહર્ષિણી’ (૧૯૪૫), ‘ભગવાન પરશુરામ' (૧૯૪૬), ‘કૃષ્ણાવતાર’ ખંડ ૧થી ૮ (૭મા
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ ખંડમાં ૮મા ખંડનાં ૧૩ પ્રકરણ સમાવિષ્ટઃ અંતિમ અને અપૂર્ણ કૃતિ ૧૯૬૩૧૯૭૪). સામાજિક નવલકથાઓ
વેરની વસૂલાત’: મુનશીએ નવલકથાલેખનને આરંભ કર્યો સામાજિક નવલકથાથી. જગત અને તનમનની કરુણત સ્નેહકથાને રજવાડાના ખટપટી વાતાવરણની ભૂમિકા પર રજૂ કરતી એ વાર્તામાંના, જગત-તનમનની પ્રણોમિઓ અને અનંતાનંદની ભાવનાશીલતાના રંગદર્શી અને કૌતુકરાગી નિરૂપણે, તેની નવી ને આકર્ષક શૈલીથી તેના અજ્ઞાત લેખક “ઘનશ્યામને પ્રથમ પ્રયત્ન જ લોકપ્રિય વાર્તાલેખક બનાવી દીધા ! વસ્તુદષ્ટિએ, “સરસ્વતીચંદ્રને અનેક અંશે સાથે સરખાવી શકાય એવી આ નવલકથાએ ગુજરાતી વાચકની, “સરસ્વતીચંદ્ર-આદિથી ઘડાયેલી રુચિમાં પરિવર્તન આણ્યું – “સરસ્વતીચંદ્ર'ના પ્રભાવને પાતળા કર્યો.
કેને વાંક માં રજવાડી વાતાવરણ અને તેને આનુષંગિક લક્ષણો દૂર થયાં. બંડાર સમાજલક્ષિતા આગળ પડતી થઈ રહી. મણિ અને મુચકુન્દની વ્યથા-વિટંબણા અને સમાજવિદ્રોહની આ વાત સમાજને વાસ્તવિક ચિત્રને ઉમદા સુધારાવાદી દષ્ટિબિંદુથી રજૂ કરતી, પૂરા અર્થમાં સામાજિક' બની રહી.
“સ્વપ્નદ્રષ્ટામાં રાષ્ટ્રીયતાના ઊછળતા જુવાળમાં આદર્શઘેલા, અવાસ્તવિક સ્વપ્નમાં રાચતા અને અંતે વાસ્તવિકતાના કઠોર ભૌતિકસ્પશે નિશ્ચંત થતા યુવાન સુદર્શનની કથાના નિમિત્તે, આ સદીના પ્રથમ દશકની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને વાતાવરણને, અને ખાસ કરીને, શ્રી અરવિંદ ૉષ, લેકમાન્ય ટિળક વગેરે મહાનુભાવોના પ્રભાવ નીચે આવેલા યુવાનોની મદશાને સુંદર ચિતાર રજૂ થયું છે. “સ્વપ્નદ્રષ્ટા'માંનું “ભારતીની આત્મકથા’નું પ્રકરણ અને તેમાં રજૂ થયેલ મહામાનવને આદર્શ તેમ જ પ્રા. કાપડિયા દ્વારા રજૂ થયેલ દષ્ટિબિંદુ, મુનશીની ભાવનાસૃષ્ટિ અને દૃષ્ટિબિંદુને સમજવાની દષ્ટિએ મહત્ત્વનાં ગણાય.
તપસ્વિનીમાં “સ્વપ્નદ્રષ્ટા'નું, વરચે સહેજ ખંડિત એવું, અનુસંધાન છે. રવિ ત્રિપાઠી અને રાજબા તથા ઉદયન અને શીલાની બેવડી કથામાં, “સ્વપ્નદ્રષ્ટા'માં આલેખાયેલા સમય પછીના પંદરેક વર્ષના ગાળાને છોડીને, તે પછીના કાળની રાજદ્વારી પ્રવૃત્તિઓની ભૂમિકા આલેખાયેલી મળે છે. ઉદયન-રાજબાની રજવાડી ભૂમિકા, શીલા-રાધારમણનું કથળેલું દામ્પત્ય, ઉદયન-શીલાને સ્નેહગ, રવિની રાજકીય મહત્ત્વાકાંક્ષાપ્રેરિત પ્રવૃત્તિઓ અને રાજબાની વિલક્ષણ અલૌકિક શક્તિ, – પ્રત્યેકની વ્યક્તિગત ઉપરાંત વિવિધ સંબંધ-વર્તુળાની કથાનું આલેખન અને તે
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪] કયાલાલ મુનશી
[ ૧૬૫ સાથે સંકલિત તત્કાલીન રાજદ્વારી પ્રવૃત્તિઓનું નિરૂપણ આ નવલકથાને અનેકકેન્દ્રી અને સંકુલ બનાવે છે. આમ છતાં, રાધારમણ, ઉદયન, શીલા, રાજબા રવિ વ. પાત્રો તેમ જ તેમને લગતી ઘટનાઓના નિરૂપણથી વાચનક્ષમ બની રહેતી નવલકથા, દસ્તાવેજી અપેક્ષાએ વિગતેમાં ક્ષતિયુક્ત, છતાં તત્કાલીન રાજદ્વારી વાતાવરણના ચિત્રણ તરીકે પણ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે.
સમગ્રરૂપે : મુનશીની સામાજિક નવલકથાઓને સમગ્રરૂપે સમીક્ષતાં, નવલકથાઓની સામગ્રી મહદંશે મુનશીએ સ્વાનુભવમાંથી લીધી છે. જગત અને તનમનની સ્નેહકથા (“વેરની વસૂલાત'), મુચકુન્દનું મુંબઈની ચાલીમાંનું જીવન (“કને વાંક'), સુદનનું કૅલેજ જીવન (“સ્વપ્નદ્રષ્ટા') અને ઉદયનની કથાના ઘણા અંશો(‘તપવિતા') તેમ જ, તે બધાની સાથે સંકળાયેલાં ઘણાં પાત્ર-પ્રસંગે પણ મુનશીની આત્મકથાનાં પાત્રા-પ્રસંગો જેવાં જણાય છે. આત્મકથાપ્રાપ્ત એ સામગ્રીનું ક્યાંક થોડાક ફેરફારથી વાર્તાકરણ કરવામાં આવ્યું છે, પણ ઘણી વાર તો વાર્તાના માળખામાં અત્ય૯૫ સંસ્કરણ કે આછેરા આચ્છાદન સાથે લગભગ યથાવત ગોઠવી દેવામાં આવી છે – વિશેષતઃ “તપસ્વિની'માં.
હકીકતોનું કથામાં રૂપાંતર કરવામાં, હકીકતોનું વાસ્તવિક રૂપ ન ઓળખાઈ ય તેમ બને તેવું ગોપન કરવાની મુનશીએ ઝાઝી કાળજી લીધી નથી. “તપસ્વિની, કાળની મુનશીની આત્મકથા નથી લખાઈ, પણ તે સમય બહુ દૂર નથી. આથી સમકાલીને – અને ઉત્તરસમકાલીને પણ – એમાં વાર્તાને બદલે વાસ્તવિકતા જ વાંચે તે સ્વાભાવિક છે. અપૂરતા સંગોપન કે રૂપાંતરને કારણે, નવનિર્મિત કલાસ્વરૂપને બદલે, ઉપાદત્ત સામગ્રી જ અધિકતર ગોચર બને તે કલાનુભૂતિમાં બાધારૂપ નીવડે. આમ, મુનશીની સામાજિક નવલકથાઓ તેમની આત્મકથાની સામગ્રીમાંથી જ સરજાઈ છે. પણ આ વિધાનમાં જ આ નવલકથાઓના આકર્ષણનું કારણ પણ પ્રગટ થઈ જાય છે. આમપરકતાના એ સ્પશે જ મુનશીને આ નવલકથાઓમાં જે મળી તે સફળતા અપાવી છે. કેટલેક અંશે પરસ્પર પૂરક બનતી, મુનશીની સામાજિક નવલકથાઓની તેમ જ તેમની આત્મકથાના ખંડોની સામગ્રીને કાલાનુક્રમે શ્રેણીબદ્ધ ગોઠવતાં, આ સદીની પહેલી ત્રીસ-ચાળીસી દરમ્યાનના ગુજરાતના જીવનના મહત્ત્વના સામાજિક, રાજકીય જાહેર જીવનના પ્રવાહનું અર્ધદસ્તાવેજી આલેખન પ્રાપ્ત થાય છે – આસ્વાદ્ય તેમ જ ઉપયોગી.
મુનશીની સામાજિક નવલકથાઓમાં, પ્રથમ નવલકથા “વેરની વસૂલાતથી જ તેમની વૈયક્તિક તેમ જ સર્જક તરીકેની લગભગ બધી જ લાક્ષણિક્તાઓ – પરાક્રમી પાત્રોનું સર્જન, લાગણીવશ અને ભાવનાશીલ પાત્રોની કથા, રંગદર્શી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [. ૪ અને સનસનાટીભર્યા આલેખનને શોખ, પ્રબંધશૈથિલ્ય, કૌતુકરાગી ભૂમિકા પર અર્વાચીનતા સાથેના અનુબંધવાળી વાસ્તવિકતાને મેળ કરવા પ્રયત્ન, નાટ્યાત્મક ક્રિયા-પ્રાધાન્ય વ. વ. પ્રત્યક્ષ થતી જણાય છે. “સ્વપ્નદ્રષ્ટ.’ અને ‘તપસ્વિની' તે તેમની સફળ અતિહાસિક નવલકથાઓ પછી રચાયેલી છે. આમ છતાં એતિહાસિક નવલકથાઓમાં મુનશીની જે છટા વરતાય છે તે તેમની સામાજિક નવલકથાઓમાં નથી વરતાતી. આરંભની બે કૃતિઓ પછી, મુનશીએ એતિહાસિક નવલકથાલેખનમાં પડેલા ગાળાઓમાં જ બીજી બે સામાજિક નવલકથાઓ રચી અને પછી તપસ્વિની” પછીના દીર્ધ આયુષ્યકાળ દરમ્યાન એકેય નહિ, એ સૂચક છે. પ્રયોગ કરી જોયા પછી, શું છેડી દેવું તે મુનશો બરાબર સમજે છે. ઐતિહાસિક નવલકથાઓ
સાહિત્યસર્જક તરીકે મુનશીની ખ્યાતિ મુખ્યત્વે નવલકથાકાર તરીકે અને વિશેષતઃ ઐતિહાસિક નવલકથાકાર તરીકે. તેમાંય વળી ‘પાટણની પ્રભુતા', ગુજરાતને નાથ” અને “રાજાધિરાજ' એ સોલંકી નવલત્રયી તે વિશેષ કીર્તિદા કૃતિઓ. આ ઉપરાંત “જય સેમિનાથ” તેમ જ “ભગ્નપાદુકા' પણ ગુજરાતના રાજપૂતયુગના ઈતિહાસની ઘટનાઓ પર જ આધારિત નવલે, તો “પૃથિવીવલ્લભ” અને “ભગવાન કૌટિલ્ય'માં માળવા અને મગધની ઘટનાઓનું નિરૂપણ છે.
વસ્તુદષ્ટિએ, ગુજરાતના ઇતિહાસ પર આધારિત કથાઓ એક જૂથ બની રહે છે, અને તેમાં પણ પાટણની પ્રભુતા”, “ગુજરાતનો નાથ” અને “રાજાધિરાજ પૂર્વાપર વસ્તુ-સાતત્યને કારણે એક મહાકથા બની જાય છેકારણ કે “પાટણની પ્રભુતા'માં, જયસિહદેવના રાજ્યારોહણના પ્રસંગથી આરંભાતી કથા, “ગુજરાતનો નાથમાંના રાજ્યની સુદઢતાની પ્રવૃત્તિઓના આલેખન પછી, “રાજાધિરાજ'માં જયસિહદેવ સોરઠ અને લાટ પર પ્રભુત્વ મેળવી રાજ્યવિસ્તાર સાથે રાજાધિરાજપદ પામે છે ત્યાં પૂરી થાય છે. અને એ રીતે બીજક્ષેપથી કાર્યસિદ્ધિના કાર્યાલેખમાં ત્રણ સપાને રૂપે બરાબર ગોઠવાઈ જાય છે. પાત્રો, ઘટનાઓ વગેરેનાં પરસ્પર સંબંધ અને સાતત્ય અને કથાના પૂર્ણ રસાસ્વાદન માટે, ત્રણે નવલકથાઓ સ્વતંત્ર રીતે આસ્વાદ્ય છતાં – પૂર્વાપર એકમોના પરિચયની સાપેક્ષતા આ ત્રણે કૃતિઓને એક મહાકથા રૂપે સાંકળવામાં સહાયભૂત નીવડે છે.
પાટણની પ્રભુતાથી આ સોલંકીગાથા બલકે જયદેવકથાને આરંભ થાય છે. રાજા કર્ણદેવના અવસાન વખતે, સગીર જયદેવના વાલીપણા દ્વાર સત્તાને દેર પિતાના હાથમાં લેવા માટેની વડેરાંઓની ખેંચતાણનું આમાં નિરૂપણ છે. એ સત્તાસંઘર્ષની કથા સાથે મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ અને ત્રિભુવન-પ્રસન્નના
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪]. કનૈયાલાલ મુનશી
[ ૧૬૭ વિવિધ પ્રેમસંબંધની સ્નેહકથા વણાય છે. આગ, ધર્મઝનૂન, ઘોડદોડ, ખટપટરહની સામગ્રી કુતૂહલપ્રેરક અતિરંજનને સંભાર પૂરો પાડે છે. | "ગુજરાતને નાથમાં આ જ કથા, થોડોક ગાળા ઓળંગીને, આગળ વધે છે. વડીલેના વણછામાં અકળાવા માંડેલા યુવાન જયસિંહ અહીં સ્વતંત્ર થવા મથતા જણાય છે, તે મુંજાલની રાહબરી નીચે ગુજરાતનું રાજય સંગઠિત થતું જણાય છે. પાટણની રાજકથાની દષ્ટિએ આ નવલકથાની મુખ્ય ઘટનાઓ બે – પાટણ પર ચઢી આવેલા અવંતીના સેનાપતિ ઉબક સાથે સંજોગવશાત સંધિ, અને પાટણની ભિડાયેલી સ્થિતિને લાગ લઈ ભીંસ દેવા માગતા સરઠના રા' નવઘણને પરાજ્ય. પરંતુ, વાર્તારસદષ્ટિએ એ સમગ્ર રાજકથાને ગૌણ બનાવે તેવી તે, એ રાજકથાને જ અનુષંગે ઉપસ્થિત થતી અન્ય ઘટનાઓ છે. ઉબક સાથે આવેલ યુવાન યોદ્ધો કીતિ દેવ, નવઘણને ગુપ્તચર તરીકે “કૃષ્ણદેવને નામે આવેલ તેને કુંવર ખેંગાર, અને ત્રિભુવનપાળે લાટથી મોકલેલ સૈનિક કાકભટ્ટ આ ઘટનાવર્તુળાના કેન્દ્રો છે. રાજદ્વારી ઘટના સાથેના સંબંધે, તેમ જ પ્રત્યેકની અંગત કથાઓનાં આગવાં કૂંડાળાંને કારણે, આ સૌની પરસ્પર સંબંધોની રચાતી સંકુલ જળ એ જ આ કથાને મુખ્ય વિસ્તાર બની રહે છે.
રાજાધિરાજમાં, કથા ઉત્કટ બિંદુએથી હવે પરિણામ તરફ ઊતરતી ગતિ કરતી જણાય છે. ગુજરાતને નાથ” અને “રાજાધિરાજ'ના કથાપ્રસંગને સમયગાળો વધારે છે. રચનાની દૃષ્ટિએ પણ, “પાટણની પ્રભુતા” અને “ગુજરાતને નાથ” લગભગ સતત પ્રવાહે રચાયાં છે. જ્યારે “રાજાધિરાજ ” તે પછી કંઈક ગાળા વીત્યે રચાય છે અને વરચે અન્ય કૃતિઓ પણ રચાય છે.
રાજાધિરાજ' કથાનાં પાત્ર તેમ જ પ્રવાહ પ્રૌઢ થાય છે. જયસિંહદેવ સેરઠ જીતવા અને રાણકને પાછી મેળવવા સેરઠના રા' ખેંગાર પર ચડાઈ કરે છે, એ પ્રસંગે એક પાસ જયસિંહદેવને તે બીજી પાસ ખેંગારના રહસ્યમય આમંત્રણથી ભગુકચ્છને દુર્ગપાલ કાક સોરઠ તરફ જવા નીકળે છે ત્યાંથી કથાને આરંભ થાય છે. સેરઠવિજય એ મુખ્ય વસ્તુ છે, તો કાકની ગેરહાજરીમાં ભગુકચ્છમાં ઊઠતું, લાટને સ્વતંત્ર કરવા માગતા રેવાપાલનું બંડ એ વસ્તુનું બીજુ કેન્દ્ર છે. બે કેન્દ્રોમાં વહેંચાયેલી કથામાં પથરાટ, વર્ણનાત્મકતા અને કથનપ્રાધાન્ય વધ્યું છે, નાટયાત્મક પ્રસંગો ઘટે છે, પ્રસંગવશાત નિરૂપણરીતિ બદલાઈ જણાય છે.
કથાત્રયીને સમગ્રરૂપે જેવા જતાં, પ્રથમમાં આરંભનાં ઉત્સાહ અને બિનઅનુભવી અધીરતા, બીજામાં મધ્યની ઉત્કટતા અને આવેગના ઉછાળા અને
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ત્રીજામાં અંતનાં પ્રૌઢત્વ અને મંદ ગતિશીલ ધીરતા વરતાય એ સ્વાભાવિક છે. પાત્ર-નિરૂપણરીતિ ઉભય જાણે પાકટ થતાં, પ્રૌઢ થતાં જાય છે – કથાની ગતિ સાથે ઉભયની વધતી વય વરતાય છે.
“પાટણની પ્રભુતા માં સ્થળ-કાળના મર્યાદિત વ્યાપમાં ઘણા પ્રસંગે સમાવિષ્ટ કર્યા છે. ત્રણ મુખ્ય ઘટનાકેન્દ્રોમાં બનતી ઘટનાઓ અને તેમની વચ્ચેના સંબંધો ત્રિકેણાત્મક આકૃતિરચનાનો ખ્યાલ આપે છે, અને ઘટનાઓ વચ્ચે સંબંધ સજીવ ને વિકાસાત્મક હોવાને બદલે સંકલનાત્મક અને એક જ ભૂમિકા પર વિસ્તરેલા પટ જેવો લાગે છે. સમયને ટૂંકા ગાળામાં પણ ગૂંચ પડે છે, ઊકલે છે, સંઘર્ષો જાગતા જણાય છે અને સમાધાનમાં સમાઈ જાય છે, ખાસ કરીને – મીનળમુંજાલના સંબંધો અને વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓની દષ્ટિએ જે નિર્ણાયક-વિફાટક ઘડી આવે છે ને ઊતરી જાય છે એ ઘડીને નિરૂપણમાં આરંભથી અંતની ગતિમાં કેટલાક વિકાસ અવશ્ય પ્રતીત થાય છે. તેમ છતાં મુખ્યત્વે નવલકથા સમસામયિક અને પરસ્પર ગૂંચવાયેલી ઘટનાઓના નાટયાત્મક, ક્રિયાત્મક અને આ વેગપ્રધાન સંકુલને નિરૂપે છે. ગુજરાતનો નાથ'માં વાર્તાને વ્યાપ વધે છે. પાટણના રાજાને મુખ્ય કેન્દ્રમાં રાખીને પણ અન્ય અનેક વૈકલ્પિક કેન્દ્રો તેમાં પ્રયોજયાં છે અને એ બધાં કેન્દ્રોમાંથી નીપજતાં, એકબીજાને છેદતાં, આનુષંગિક ઉપકથાનકેનાં વિષયવર્તુળાથી સમગ્ર રચનાકૃતિ વધુ વૈવિધ્યપૂર્ણ અને સંકુલ બની રહે છે. પ્રત્યેક ઘટનાવર્તુળને મુખ્ય કેન્દ્ર સાથે, ઉપરાંત અન્ય લગભગ બધાં જ વર્તુળો સાથે સુસંબંધિત રાખી, મુખ્ય કથાપ્રવાહને સભર તેમ જ ઉપકારક કરવામાં પ્રગટ થતું કૌશલ મુનશીની કલાકાર-પ્રતિભાની સિદ્ધિ છે. અત્યંત સંકુલ અને અટપટા સંબંધજાળયુક્ત, રાજપૂતયુગીન મહાલય જેવા સ્થાપત્યની રચનાપદ્ધતિને પ્રયોગ અને તેમાં પણ કથા-કુતુહલ, કાર્યવેગ અને ઘટનાપ્રવાહને જળવીને ગૂંથણીમાં નિપજાવેલી દઢબંધતા રચનાસ્વરૂપની દષ્ટિએ “ગુજરાતને નાથને આપણી નવલકથાની સ્વરૂપસિદ્ધિનું મહત્ત્વનું સીમાચિહ્ન પુરવાર કરે છે. “રાજાધિરાજ'માં આવેગે કંઈક ઘટે છે, પથરાટ વધતાં વેગ ઓછો થતો લાગે છે, આગલી કૃતિ કરતાં નાટ્યાત્મકતા અહીં ઓછા પ્રસંગમાં વરતાય છે તેથી, સંકલનામાં શૈથિલ્ય અનુભવાય છે. તેમ છતાં નવલકથામાં પૂરત વેગ અને ઘટનાને
માં પૂરતી કુતૂહલ અને વિસ્મયપ્રેરતા જાળવી રાખે છે. આ બધામાં ગુજરાતને નાથ” સંકલનાદષ્ટિએ વધુ કુશળતાપૂર્વકનું આયોજન અને ગુંફન પ્રગટ કરે છે. સમગ્ર પૂર્વકથાને વારંવાર વાગોળીને કે તેના પૂર્વાશાને સ્મૃતિમાં જાગ્રત રાખીને કરાતી રચના જ કઈ પણ નવલકથામાં આવી ઘટના અને પૂર્વ પર સંબંધને વણાટ સર્જાવી શકે. “પાટણની પ્રભુતામાં પણ આવું કૌશલા
Page #178
--------------------------------------------------------------------------
________________
. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૬૯ જોવા મળે છે. પાટણમાં પ્રવેશતાં જ દેવપ્રસાદને દેખાતી હંસાને ને તે પછી આખી વાર્તા દરમ્યાન ઉપયોગ, “ગુજરાતનો નાથ'માં “સરસ્વતીને તીરે થતી વાતો અને વિશળદેવને ઉપયોગ, કાક અને કૃષ્ણદેવના સંબંધને ઉપયોગ કે વિમળશાના અપાસરાને ઉપયોગ વગેરેને આના સમર્થનમાં ટાંકી શકાય. આમાં નાટકકારની કલાસૂઝની પ્રતીતિ છે. ત્રણે નવલોમાં આ નાટયાત્મકતા જણાય છે એ એમની લાક્ષણિકતા છે. પાત્રોનાં વર્ણન અને તેમની કેટલીક ક્રિયાઓ-મુદ્રાઓ વ.નાં વર્ણન, દોની રજૂઆત, અને સંવાદો પર રંગભૂમિને ઘણે પ્રભાવ વરતાય છે. મુનશીનું નિરૂપણ મહદંશે કથનાત્મક નહિ પણ દશ્યાત્મક છે. ચિત્રાવલિની જેમ તેમનાં દશ્યો બદલાય છે.
પાટણની પ્રભુતા'માં કુમાર ત્રિભુવનપાલ અને પ્રસન્ન, મીનળ-મુંજાલ, મોરારપાલ-પ્રસન્નનાં દશ્યો, “ગુજરાતનો નાથ'માંનાં લોહીતરસ્યો મહાઅમાત્ય', કીર્તિદેવ અને મુંજાલ” જેવાં અનેક દો કે “રાજાધિરાજ'માંનાં લીલાદેવી અને મુંજાલનો મેળાપ”, “રાણકની ભવિષ્યવાણી” અથવા “મંજરીનું મૃત્યુ” જેવાં દયે રંગભૂમિ પર ખૂબ જ સફળતાથી પ્રયોજી શકાય. મુનશીની નાટ્યવૃત્તિને ઉન્મેષ એમની પાત્રસૃષ્ટિમાં પણ જણાય છે. તેમનાં પ્રભાવશાળી તેજસ્વી અને મોહક પાત્રોમાં તેમની નવલકથાઓના આકર્ષણનું મુખ્ય બળ રહ્યું છે. આ નવલકથાઓમાં એમણે સુરેખ, સજીવ, તરવરતાં તેજીલાં અને પ્રભાવશાળી પાત્રોની એક સભર સૃષ્ટિ ઊભી કરી દીધી છે. એમાં મુંજાલમીનળ, કાક-મંજરી, કીર્તિ દેવ, કૃષ્ણદેવ, રાણક અને ઉદા મહેતા જેવાં પાત્રો તે ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં ચિરંજીવ બની ગયાં છે.
પૃથિવીવલભ” : આ જ ગાળામાં, સોલંકીગાથાની રચનાની વચમાં, ગુજરાતને નાથ” પછી અને “રાજાધિરાજ' પહેલાં મુનશીએ આ કૃતિ રચી. “ગુજરાતને નાથ' પછી લગભગ તરત જ રચાયેલી આ નવલકથામાં “ગુજરાતનો નાથ'ની નાટ્યાત્મક શૈલી વિશેષ રૂપે પ્રગટ થઈ છે. “પૃથિવીવલભ ધારા નગરીના રાજા મુંજના, અપાશે ઐતિહાસિક અને મહદંશે અનુશ્રુતિપ્રાપ્ત ચરિત્રને રજૂ કરે છે. રસિક કવિ અને વીર-વિલાસી મુંજનું, તેને હાથે અનેક વાર પરાજય પામેલા તૈલપ દ્વારા, તેના સામંત ભિલ્લમરાજની સહાયથી કેદ પકડાવું અને કેદમાંથી છૂટવાના નિષ્ફળ કાવતરાની શિક્ષા રૂપે હાથીપગે થવું એ મુખ્ય ઘટના. પણ એ ઘટનાના માળખામાં સાચો રસસંભાર તો ભરાય છે કેદી મુંજાલ અને તૈલપની કઠોર વૈરાગ્યવતી અને સત્તાધીશ બહેન મૃણાલવતીને પ્રેમપ્રસંગ. રસનિધિ તરીકે ઓળખાતા ભેજ અને ભિલ્લમની પુત્રી અને તૈલપના
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ'. ૪
(
પુત્ર સત્યાશ્રયની વાગ્દત્તા વિલાસની પ્રેમકથા સહાયક દાર પૂરી પાડે છે. વિસ્તારમાં નાની, પણ ઘટ્ટ, અને આડકથા-ઉપકથાએનાં જાળાંને અભાવે એછી સંકુલ હાઈ સીધી વેગવાનગતિવાળી આ કથા નાટયાત્મક નિરૂપણને ઉત્તમ નમૂને છે. સવાદાત્મક અને દસ્યપ્રધાન નાટ્યાત્મક શૈલીને કારણે નવલકથાનું વાચન કથાવાચનના નહિ પણ નાટયવાચનને વધુ અનુભવ કરાવે છે. એટલે, બહુ જ ઓછા ફેરફારાથી પૃથિવીવલ્લભ'નું સફળ નાટયરૂપાંતર અને ચિત્રપટકથા રૂપ બની શકયું છે તે હકીકત આશ્ચર્યકારક નથી રહેતી. સાલકી-ત્રયીનાં મીનળ-મુ ંજાલની જેમ, ‘ પૃથિવીવલ્લભ’નાં મુ ંજ અને મૃણાલ મુનશીનાં ઉત્તમ પાત્રસ નેામાં સ્થાન પામે તેવાં છે. મુગ્ધ પ્રણયની કરુણાન્તિકા જેવાં રસનિધિ-વિલાસ (‘પૃથિવીવલ્લભ') અને કૃષ્ણદેવ-સેામ (‘ગુજરાતનેા નાથ’)નાં કથાનામાં પણ વસ્તુ, પાત્રો, નિરૂપણુ, ઘટનાઓ વગેરેમાં ઘણું સામ્ય વરતાશે. આવાં મુગ્ધ પ્રેમનાં, મુનશીએ આલેખેલાં અન્ય ચિત્રોમાં, ત્રિભુવન-પ્રસન્ન(‘પાટણની પ્રભુતા')નું ચિત્ર મસ્તીખાર તાફાની વૃત્તિને કારણે તા ‘વાહડ-સમરથ'નું વ્યંગ્યચિત્રાત્મક નિરૂપણને કારણે જુદાં પડે છે. પરંતુ પૌરાણિક નાટકો'માંના ‘ત'નાં સુવર્ણા અને સગરની કરુણાન્ત સ્નેહકથા કૃષ્ણદેવ-સામ અને રસનિધિ-વિલાસની કથાની સાથે હું જ સામ્ય ધરાવતી જણાશે. આ ત્રણે કથાનામાં, મુગ્ધપ્રેમ ઉપરાંત, પરિસ્થિતિની રહસ્યમયતા, સંબધની ગુપ્તતા, નાયકનું દુશ્મન દેશમાં અજ્ઞાતરૂપે હાવું, નાયકનાયિકાના પક્ષા વચ્ચે વરસંબધ, અને અ ંતે રાજ-કલહની વેદીના વેરાગ્નિમાં નિર્દોષ પ્રેમમુગ્ધ નાયિકાનાં સ્વજનને જ હાથે એક યા ખીા કારણે બલિદાન . . . આ બધા સમાનાંશા મુનશીએ એક જ કથાનકને પ્રસ ંગેપ્રસંગે વિવિધરૂપે કરેલા પ્રયાગ સૂચવે છે. યુદ્ધદેવની આહુતિએ બનતી કુમારિકાનું આ કથાનક ફિનિયા'ની કથાનું સ્મરણ ન કરાવે ?...... અને માત્ર મુગ્ધપ્રેમના જ કથાનકની મર્યાદામાં ન રહીએ તે), મુનશીએ આલેખેલાં હંસા, મંજરી, રાણક અને ચૌલાનાં વિવિધસ્વરૂપ ‘બલિદાને’ને પણ આ યાદીમાં ન ઉમેરી શકાય? ભગવાન કૌટિલ્ય : રાધિરાજ' પછી છેક ૧૯૪૦માં, મુનશી ગુજરાતના ઇતિહાસનાં પાનાં ઉખેળે છે અને ‘ જય સામનાથ’ રચાય છે, તે દરમ્યાનના ગાળામાં તેમની પાસેથી આપણને આ એક જ ઐતિહાસિક નવલકથા મળે છે. સેાલકાગાથામાં ઇતિહાસ સાથે પ્રબધા રાસાએ લેાકપ્રચલિત કથાના ઘેાળાયલાં છે, ‘ પૃથિવીવલ્લભ'માં ઇતિહાસ કરતાં અનુશ્રુતિ અને અન્ય સામગ્રી જ પ્રધાન છે, તા ‘ભગવાન કૌટિલ્ય'માં તા મુનશી આપણને છેક ઇતિહાસના ઉષઃકાળમાં લઈ જાય છે, પુરાણુ અને ઇતિહાસના સધિયુગમાં પ્રવેશે છે. ખરેખર તા ઇતિહાસની આરભરેખા પાસે જ જાણે આ નવલકથા અટકે છે.
.
'
:
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૭૧. બ્રાહ્મણશી, આર્ય-વચ્છેદક નંદેના ઉમૂલન અને ચંદ્રગુપ્ત મૌર્યની રાજપ્રતિષ્ઠા માટે રાજ્યપરિવર્તનના ભગવાન કૌટિલ્ય – એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના પ્રચંડ ઉદ્યમનો પ્રથમાધ્યાય આ નવલકથામાં નિરૂપાયે છે.. “મુદ્રારાક્ષસ જેવી કૃતિઓ દ્વારા લેકપરિચિત, અર્થશાસ્ત્રના રચયિતા મુત્સદ્દી અને મહર્ષિ કૌટિલ્યની જે વ્યક્તિત્વમુદ્રા તે જ આ નવલકથામાં પણ પ્રભાવ કેન્દ્ર છે. વસ્તુ તેમ જ તદનુસાર નિરૂપણરીતિની દષ્ટિએ આ નવલકથા સ્પષ્ટ. રીતે પૂર્વાધ અને ઉત્તરાર્ધમાં વહેંચાઈ ગઈ છે. પૂર્વાર્ધમાં નંદ દ્વારા અપમાનિત આચાર્ય વિષ્ણુગુપ્તની, પાટલિપુત્રને ખળભળાવતી રાજ્યક્રાન્તિલક્ષી પ્રવૃત્તિઓ પ્રધાન છે, તે ઉત્તરાર્ધમાં પુરાણપરિચિત નૈમિષારણ્યનું વાતાવરણ અને ભગવાન વેદ વ્યાસના પુણ્યપ્રભાવથી પ્રેરિત પૌરાણિક ઋષિ-સંસ્કૃતિનું નિરૂપણ મહત્ત્વ ધરાવે છે. આ વસ્તુફેરને કારણે જ નવલકથાના પૂર્વાર્ધમાં ચિત્રાત્મક, ઘટનાપ્રધાન અને નાટયાત્મક રીતિનું નિરૂપણ વિશેષ છે તે ઉત્તરાર્ધમાં વર્ણનપ્રધાન રીતિને વધુ ઉપયોગ જણાય છે.
| મુખ્ય વસ્તુના વિકાસની દૃષ્ટિએ અવલોકતાં, આ નવલકથા દરમ્યાન, નંદેની સામે વાતાવરણ ખળભળવા લાગે છે અને ચંદ્રગુપ્ત કેદમાંથી નાસે છે. એટલું જ સિદ્ધ થાય છે, અને કૌટિલ્યના વ્યક્તિત્વ અને પ્રભાવનું પ્રાગટય અને તેને પરિચય જ મહત્ત્વનાં બની રહે છે. આથી, આ વસ્તુને લગતા એતિહાસિક પ્રકરણની અપેક્ષાએ ચંદ્રગુપ્તની રાજપ્રાપ્તિ વગેરે તે હજી બાકી જ રહે છે. એટલે સમગ્ર નવલકથા સર્વથા આસ્વાદ્ય એવો સ્વતંત્ર એકમ બની રહે તેવી કૃતિ હોવા છતાં, સોલંકીગાથાની જેમ કૌટિલ્યકથા એક નવલણને જાણે પૂર્વરંગ જ હોય તેમ અન્ય અનુગામી નવલકથાઓની અપેક્ષા જન્માવે છે, અને મુનશીએ પોતે જ કહ્યું છે તેમ તેમની પણ યોજના તે એવી જ છે. પણ, એ.
જના સાકાર થઈ નથી અને કથાશ્રેણીની આપણી અપેક્ષા અપૂર્ણ જ રહી છે તે હકીકત છે. આ નવલકથા પછી લગભગ દોઢ દાયકા સુધી, મુનશીએ અન્ય. ઐતિહાસિક નવલકથા આપી નથી. તે દષ્ટિએ “ભગવાન કૌટિલ્ય' એક દીર્ધવિરામ બની જાય છે. ૧૯૪૦માં ફરીથી મુનશી એતિહાસિક કથા માંડે છે ને ફરીથી સોલંકી-યુગને સંકરે છે – આ વખતે જયસિંહ-કથાનીય પૂર્વના પ્રકરણને જય સેમિનાથ'માં.
જય સોમનાથ : જય સોમનાથને ઘેરે, સંરક્ષણ અને વિધ્વંસની. આ કથાને ભીમ બાણાવળી અને સ્વપ્નશીલ દેવનર્તકી ચીલાની પ્રેમકથા સાથે. વણીને, તથા ઘોઘાબાપાનું કથાનક, સજજન સામંતનાં પરાક્રમો, ત્રિપુરસુંદરીની. પૂજા અને શિવરાશીની પ્રવૃત્તિઓ વગેરેથી પુષ્ટ કરીને મુનશીએ સંકુલ થાસંયે--
Page #181
--------------------------------------------------------------------------
________________
‘૧૭૨]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪
જન નિપાવ્યું છે. આમ તે વાર્તા છે ભીમદેવની, પણ રસનું કેન્દ્ર તો છે ભક્તિભાવધેલી સ્વપ્નશીલ મુગ્ધયૌવના ચૌલા. એની નિર્દોષ મુગ્ધતા, અકલંક ચારુતા અને ભાવસભર સ્વનદશિતા, આ અન્યથા “યુદ્ધસ્ય કથાને માર્દવ, માધુર્ય અને ભાવનામયતાથી ભરી દે છે. એની શિવઘેલછા, પાર્થિવતાની કઠણ ભૂમિમાં અપાર્થિવતાની મનોહર છાયા પ્રસરાવે છે. પણ સૌથી વધુ તે, સોમનાથના વંસ પછી, ઉત્તરાર્ધમાં નિરૂપિત ભાવનાભગ્ન ભાવશૂન્ય એવી એ નિશ્ચંન્ત નારીની, એના ભગવાનની પુનઃસ્થાપનાના મુહૂર્તની રાહ જોતો, અને એમ આત્મવિલોપનની અંતિમ ક્ષણની પ્રતીક્ષા કરતી કરુણમૂર્તિનું આલેખન આ નવલકથાને અંતે જે ઘેરા વિષાદને અનુભવ કરાવે છે તે કદાચ આ નવલકથામાં -મુનશીની કલાનું સર્વોચ્ચ સર્જન છે.
મુનશીએ “વેરની વસૂલાત'માં તનમનનું અને “પાટણની પ્રભુતા'માં હંસાનું મૃત્યુ આલેખ્યાં છે. કલાદષ્ટિએ પ્રશંસનીય ગણાય એવું, “ગુજરાતનો નાથ'માં મંજરીના મૃત્યુનું આલેખન થયું છે. સતી થતી રાણકનું ચિત્ર તો સામાન્ય માનુષી સંવેદનાથી પર થઈ અદ્ભુતમાં પરિણમે છે. પરંતુ ચૌલાના અંતિમ સમર્પણના દશ્યની ગંભીર કરુણતાનું આલેખન અસાધારણ અનુભવનું કારણ નીવડે છે. એની વિશેષતા તે એ છે કે એ દશ્યની કરુણતા ચૌલાના મૃત્યુમાં નથી, મૃત્યુમાં તો એક દીર્ધ કરુણતાની મૂગી નિગૂઢ વેદનાની પૂર્ણાહુતિ છે. કરુણતા તો છે સોમનાથના દર્વસથી સ્વનભગ્ન, અને ભીમદેવમાં દીઠેલા દેવાંશી વ્યક્તિત્વની ભ્રાન્તિના નિરસનથી હત€દય ચૌલાની મૂક મને વેદનામાં. સોમનાથના વંસ કરતાં આ વંસ અધક કરુણ છે, સોમનાથના મહાલયના ખંડેર કરતાં આ ખંડેર વધુ વ્યથા ઉપજાવે તેવું છે, ને ભાવનાભગ્ન આ મૂતિ સાથે, એવા જ સર્વસ્વશન્ય ને વીરત્વના પ્રેત સમા સામંતને અવ્યક્ત સ્નેહપૂર્ણ સથવારો એ કરુણતાને અધિક ઘૂંટે છે, ઘેરી બનાવે છે. એકમેકને આધારે જીવતાં શ્રદ્ધા અને શૌર્યનાં આ ખંડેરેનું આલેખન મુનશીની સર્જનપ્રતિભાનાં ઉત્તમ નિર્માણ છે. તે આ કથાને, શિવને ખોળે શમી જતી ચૌલા અને દિશાવિહીન વિશ્વની અનંતતામાં અાણ ઓગળી જત સામંત .... એ ચિત્ર કરતાં બીજે કયો ઉચિત અંત હોઈ શકે ?....
મુનશીએ આ પિતાની લગભગ બધી જ નવલકથાઓમાં મુખ્યત્વે વ્યક્તિવિશેના પ્રભાવસંઘષી આલેખ્યા છે. તેના કેન્દ્રમાં રહેલ પ્રભાવાકાંક્ષાથી આ કથાઓ મહદંશે વ્યક્તિઓની કથાઓ બની રહે છે. વ્યાપક સામાજિક પરિવેષ, સાંસ્કૃતિક સંદર્ભ વગેરેને તેમાં ઝાઝે અવકાશ હેતું નથી. માત્ર “ભગવાન કૌટિલ્ય'માં તત્કાલીન સાંસ્કૃતિક સંદર્ભને કંઈક સૂચવવા પ્રયત્ન થયો છે, પણ
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪]
કનૈયાલાલ મુનશી
[ ૧૭૩
તે કૃતિમાં પણ મહામાનવ ચાણકયની ઉપસ્થિતિ સનિર્ણાયક પ્રભાવ બની રહે છે. આના સંદર્ભમાં વિચારતાં ‘જય સેામનાથ’વિશિષ્ટ કૃતિ જણાશે. તેમાં સ પ્રભાવક મહામાનવ નથી કે મહત્ત્વાકાંક્ષીઓના મહત્તાસંધ નથી, આ કૃતિનુ કેન્દ્ર છે. ભગવાન સામનાથ ! ભગવાન સામનાથ પણ અહીં એક દેવ-દેવળ કે તીર્થ સ્થળ નહિ પણ બધા રજપૂતાને એક કરતું ભાવનાત્મક પ્રેરક પ્રતીક બની રહે છે, બર્ભરતાનું આક્રમણુ ઝીલતું સંસ્કૃતિકેન્દ્ર થઈ રહે છે, આથી સમગ્ર સંઘર્ષને, વ્યાપક સંદર્ભોમાં નવે। જ અર્થવિસ્તાર નવું જ પરિમાણુ લાધે છે. આવા ‘પ્રતીક’વિકાસ તેમની આ અગાઉની નવલકથાઓમાં મળવા મુશ્કેલ છે. ‘જય સામનાથ’ આ દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સંધર્ષની વ્યાપકતા સાથે નિરૂપિત સૃષ્ટિ પણ વ્યાપક બને છે. પરિણામે, ‘જય સામનાથ’માં લગભગ પ્રથમ વાર આપણુને મુનશી દ્વારા વિશાળ ફલક પર આલેખાયેલાં વનચિત્રા પ્રાપ્ત થાય. છે, અને રણુ અને આંધી' જેવાં વર્ષોંનામાં પ્રથમ વાર તેમનું ગદ્ય કથન–અને નાટચ—માંથી કાવ્યાત્મક થતું જણાય છે.
—
નાટયાત્મકતા એછી છતાં, પાત્રા પણ નાટકી ૨ંગઢંગ ને છટાથી ન. આલેખાયાં હેાઈ, આછાં નાટક, આછાં આડંબરી અને વધુ સવેદનશીલ અને માનવીય બનતાં જણાય છે. મુનશીની, અન્ય નવલકથાઓમાંની નાટચા મક પ્રયુક્તિઓ, અને કૌતુકમય તરકીખાની, રૂપાંતરે પુનરાવર્તિત પણ થતી લાગતી અતિરંજન સામગ્રીનેા હુદશે. અભાવ પણ ‘જય સામનાથ’ને, તે મુનશીની. વૈયક્તિક લાક્ષણિકતાઓ અને રીતિવૈશિષ્ટયથી વચિત નહિ છતાં, તેમની આ પહેલાંની ઐતિહાસિક નવલકથાઓની સરખામણીમાં, કંઈક જુદા જ અનુભવ કરાવે છે. ડયૂમાને પ્રભાવ, જે ‘ભગવાન કૌટિલ્ય' સુધીમાં ઘણા આસરી ગયેલે જણાય છે, તે ‘જય સામનાથ'માં લગભગ નિઃશેષ થઈ જતા લાગે છે, અને તેથી નિરૂપણરીતિ, કથાસંગઠન તેમ જ સમગ્ર આકૃતિનિર્માણ અને અભિગમમાં, જય સેામનાથ'માં મુનશીનું સ ક તરીકેનું વ્યક્તિત્વ વધુ સ્વતંત્ર રૂપે પ્રગટતુ
વરતાય છે.
‘ભગ્નપાદુકા' : જય સામનાથ' પછી ફરીથી ઐતિહાસિક નવલકથાના આલેખનમાં, મુનશી દીર્ધ વિરામ વિસ્તારે છે, અને છેક ૧૯૫૫માં એક ગુરગાથા આલેખે છે. અલાઉદ્દીન ખીલજીના વિધ્વંસક આક્રમણથી ઉન્મૂલિત થઈ અસ્ત પામતા ગુજરાતના રજપૂતયુગના અંતિમ અધ્યાયની આ કથા, અલાઉદ્દીનના ઇતિહાસવિખ્યાત ગુલામ-સરદાર મલેક કાકુર, અને આક્રમણના પ્રચંડ વટાળ સામે ગુજરાતને ટકાવવા મથતા ખાડા મહારાજ વ. પાત્રાને કેન્દ્રમાં રાખીને રચાઈ
Page #183
--------------------------------------------------------------------------
________________
-૧૭૪ ]
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
[ચ'. ૪
છે. કપુરિયા — કાફુરનું ચરિત્ર, ખાડા મહારાજનું પાત્ર, વ. મુનશીની આલેખનશક્તિના પરિચય કરાવે તેવાં છે, અને યુદ્દો-સ ંઘર્ષોનાં વર્ણન, પાત્રાની વિલક્ષણ પૂર્વ રીંગ-કથાએ વ.ની સામગ્રી મુનશીને હસ્તગત છે, છતાં, તેમના સર્જક તરીકેના ઉન્મેષની નહિ પણ અવશેષની સરત લાગતી આ કૃતિ, પાત્રમુખે વાર્તા કહાવવાની નવી યુક્તિના ઉપયોગ છતાં, કલાકૃતિ તરીકે, લેખકની અન્ય કૃતિઓને મુકાબલે નબળી લાગે છે. તેમ છતાં એ અવશેષ પણ અસાધારણ મહાલયના છે એટલી પ્રતીતિ તે એ જરૂર કરાવે છે. અન્ય કેટલીક બાબતે પણ આ નવલકથા નેોંધપાત્ર બની રહે છે. મુનશીની આ છેલ્લી અતિહાસિક નવલકથાનું વસ્તુ ગુજરાતની પહેલી ગણાતી નવલકથા ‘કરણઘેલા'નું જ છે. વળી, આ પણ આમ તા સેાલકગાથા જ છે, પણ જ્યારે જયસિંહ-ત્રયીમાં ગુજરાતના ગૌરવયુગની ઉત્સાહપૂર્ણ ઉદયકથા છે, અને “જય સામનાથ'માં પૂર્વના પરાજયચિત્રને ઉત્તરાની પુનઃપ્રતિષ્ઠાનું આશ્વાસક આચ્છાદન છે, ત્યારે ‘ભગ્નપાદુકા’ તા એ સુવર્ણયુગની સંધ્યાની કરુણુકથા છે. ગૌરવખંડનના એ વિષાદ અને એની અકળામણુ ભાડા મહારાજમાં મૂર્ત થયાં છે.
‘પાટણની પ્રભુતા'થી ‘ભગ્નપાદુકા'ની સનરેખા મુનશીના સાલકીગાથાનિરૂપણુના એક આલેખ આંકી આપે છે. તેા સાથે સાથે, તેમના ઐતિહાસિક નવલકથાકાર તરીકેના વિકાસને પણ આલેખ દર્શાવે છે. તદુપરાંત, સમાનવસ્તુનિરૂપણને કારણે તુલનાત્મક અભ્યાસની તક આપતા, ‘કરણઘેલા’થી ‘ભગ્નપાદુકા’તા એક આલેખ એ બે સીમાચિહ્નો વચ્ચે સૂચક રીતે દોરાઈ રહે છે. વચ્ચે ગુજરાતી નવલકથાના એક વિસ્તાર સમાયેલા છે. એ વિસ્તાર ‘ગાંધીયુગ’ સાથે એકરૂપ છે ને છતાં સાહિત્યવિષયક ગાંધીવિચારથી ભિન્ન પ્રણાલિકા દર્શાવતા છે તે પણ નોંધપાત્ર છે.
થમાના પ્રભાવ : મુનશીની ઐતિહાસિક નવલકથાના સંદર્ભમાં એ અગત્યની બાબતા ચર્ચવી જરૂરી ગણાય ઃ આ નવલકથાએમાં ડયૂમાને પ્રભાવ, અને આ નવલકથાએના સંદર્ભમાં, ઐતિહાસિક નવલકથાની ‘ઐતિહાસિકતા’ના પ્રશ્ન
મુનશીની આ નવલકથામાં ઍલેકઝાંડર ડડ્યૂમાની નવલકથાઓને પ્રભાવ સ્પષ્ટ છે. આપણા વિવેચનક્ષેત્રે તે બાબત વિગતે તુતેચીની થઈ ચૂકી છે. પરંતુ, પ્રશ્ન એટલેથી જ અટકાવવૈ। ચિત નથી. મુનશીએ નવલકથાના આદર્શ તરીકે ડથમાની કૃતિને સ્વીકારી છે, અને પેાતાની કૃતિઓની રચનામાં, વિશેષતઃ - વેરની વસુલાત', ‘પાટણની પ્રભુતા' અને ‘ગુજરાતને નાથ'માં ડયૂમામાંથી તેમણે ઘણું સ્વીકાયું છે, ને ઘણાંનું અનુસર્જન-અનુસરણ કર્યું છે. એ હકીકત છતાં,
Page #184
--------------------------------------------------------------------------
________________
*. ૪]
કનૈયાલાલ મુનશી
[ ૧૭૫
પ્રશ્ન સમપ્રકૃતિના આપણા અનુભવને છે. મુનશીની કૃતિએ વાંચતાં જો આપણને તે પરાઈ લાગે અથવા તા તેમાંના ખડા ઉત્કૃત લાગે તેા તે મર્યાદા. જો સમગ્ર રચના એતદ્દેશીય વાતાવરણમાં પૂર્ણ ઔચિત્યપૂર્વક ગાઠવાઈ હાય, જો ઉદ્ધૃત અંશા, અનુકરણ કે અનુસરણુ પરાયાપણાને ત્યજીને આપણુપણાને પામ્યું હાય, જો કુશળ સ`શેાકેા જયાં સુધી શેાધી સરખાવીને પુરવાર ન કરી આપે ત્યાં સુધી ગુજરાતી વાચકને એમાં કશું પરાયાપણું ન અનુભવાય — બલકે તે પછી પણ તે કૃતિઓના આસ્વાદનમાં વિક્ષેપ ન આવે તા તે ‘પ્રભાવ'ને મર્યાદા ગણવા કે કેમ ? તેને ‘ઉડાંતરી' ગણવી કે આહાર્ય વસ્તુવિનિયોગ ગણવા? સાહિત્યમા, ઘણું બધું જેમ જીવન અને જગતમાંથી તેમ અન્ય કે પૂર્વ સાહિત્યમાંથી પણ સામગ્રીરૂપે, આહત થતું રહ્યું છે કચાંક સામગ્રીરૂપે, કથાંક સ્મૃતિસંસ્કાર રૂપે, કચાંક પ્રભાવરૂપે ને તે જ રીતે સાહિત્યમાંથી પ્રેરણા અને પ્રભાવ પણ પ્રાપ્ત થતાં જ રહ્યાં છે, જે કયાંક અનુકરણરૂપે, કયાંક અનુસર્જન રૂપે, કચાંક પુન:સર્જન રૂપે કે કયાંક અનુસરણરૂપે પ્રગટતાં જણાય છે.
-
વાર્તાકળામાં, મુનશીને આદર્શો અને વસ્તુ ને કારેક વિગતા પણ ડથમામાંથી મળ્યાં છે. પરંતુ તે વસ્તુસામગ્રીને એતદ્દેશીયતામાં પલટાવીને, નવા સંકલનમાં ‘નહિ સાંધા નહિ રેણુ' એવી રીતે આમેજ કરીને, એ રીતિના ખ્યાલને અનુસરવામાં પશુ આછી સર્જક-પ્રતિભાની અપેક્ષા નથી. અર્વાચીન સાહિત્યમાં લગભગ પ્રત્યેક પ્રકાર યુરોપીય સાહિત્યના પ્રભાવ નીચે જ પ્રગટતા રહ્યો છે. આવી ભૂમિકાએ, આયાત-તત્ત્વ સ ંપૂર્ણતઃ એગળી ન જાય અને આયાત આત્મસાત્ થઈ આપણા જ ઉન્મેષરૂપે પ્રગટતું ન થાય ~~ ટૂંકમાં ‘આયાત' આત્મસાત્ થઈને એતદ્દેશીય ન અની જાય ત્યાં સુધી વારવાર તેમાં તરદેશીયતાના સંસ્કારા, તે અનુસરણઅનુકરણ કે આહત સામગ્રીના અણુસાર જણાવાના જ. નવલકથા, નવલિકા, નાટકા, ઊર્મિકાવ્ય વગેરે સર્વક્ષેત્રે આમ જ જણાય છે. મુનશીમાં, સ ંશાધન કરતાં
આ પ્રેરણાપ્રભાવ, અને સામગ્રી-સંસ્કારા મહદ ંશે અસરકારક અને આહત જણાય છે, પરંતુ તે સૌને એકત્ર કરી નવા આકારમાં ઢાળવાની પુનઃટનપ્રક્રિયા અને તેનું નવા જ એતદ્દેશીય પર્યાયમાં સ્વરૂપાંતર કરવાની પ્રક્રિયામાં મુનશીનું સર્જકત્વ સક્રિય થયેલું જણાશે. રૂપાંતર કૌશલ જ માગે છે, સ્વરૂપાંતર સકતાની અપેક્ષા રાખે છે. નવા ચીલા શેાધનાર માદકની સહાયથી કેટલાક પંથ કાપે તેવી
આ પ્રવૃત્તિ છે. મુનશી માં ડયૂમાના પ્રભાવ વેરની વસૂલાત' અને ‘પાટણની પ્રભુતા' તથા ‘ગુજરાતનેા નાથ'માં કલમ સિદ્ધ થતાં ‘રાધિરાજ'માં ડયૂમારીતિનું અનુસરણુ ઓછું થયું જણાય છે પર ંતુ તેના સીધા પ્રભાવથી તે સંપૂર્ણ મુક્ત
Page #185
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
૧૭૬ ]
નથી. મુનશીને, ઐતિહાસિક ‘જય સેામનાથ'માં, ગંભીર અવાંતર સ્થિતિ છે.
[4. ૪
નવલકથામાં એવું પૂર્ણ નિજત્વ પ્રાપ્ત થાય છે સ્વરૂપે. ‘પૃથિવીવલ્લભ' અને ‘ભગવાન કૌટિલ્ય’માં
આ દષ્ટિબિંદુને કારણે મુનશીનું ડમા પ્રત્યેનુ ઋણુ એછું થતું નથી, પણ સાથે, તેથી, મુનશીના સર્જકત્વને પણ એછું ન આંકી શકાય અન્યની આકર્ષીક સામગ્રીને આમેજ કરવી કે સફળ રીતિને અનુસરવી આસાન નથી, અને તે સાથે આરંભના અનુસરણ પછી, પ્રભાવકથી મુક્ત થઈ, સ્વત ંત્ર સ્વત્વ પ્રાપ્ત ન કરે તે! તે સ ંકતા સદાની પરાશ્રિત અને પાંગળી ગણાય. મુનશીની કૃતિએમાંના ડથમાના પ્રભાવ આ દૃષ્ટિએ વિચારવે। ઘટે.
ઐતિહાસિકતાને પ્રશ્ન ઃ ઐતિહાસિક નવલકથાની અતિહાસિક'તાને પ્રશ્ન પણ ઇતિહાસ અને કલાની અસ્પષ્ટ સીમારેખાને સ્પર્શતા અને તેથી સ‘દિગ્ધતાથી ગૂ`ચવાયેલા છે. મુનશીની ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસના ધ્વંસ થયા છે, એમ ઇતિહાસન વિવેચકાએ પુરવાર કર્યું છે, તેા પાતે ઇતિહાસ નહિ, કલાકૃતિ સજે છે અને તેથી સકનું સ્વાતંત્ર્ય ભાગવવાના પેાતાના અધિકાર છે તેમ મુનશીનું માનવું છે. ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસ ભૂમિકા અને સામગ્રી તરીકે સ્વીકારાયા છે એટલે ઐતિહાસિક તથ્યાની જાળવણી નવલકથાકારની સ્વયં સ્વીકૃત મર્યાદા બની જાય છે. તે સાથે કેવળ ઇતિહાસને જ જાળવીને તેમાં કશાય તિરસ્કારપુરસ્કાર કર્યા વગર કલાકૃતિ ન જ રચી શકાય તે વાત પણ એટલી જ સાચી છે. એટલે પ્રશ્ન ફેરફારા કયા, કેવા અને કેટલા પ્રમાણમાં કરવામાં આવે છે તેને જ બની જાય છે. ટૂંકમાં, તે ઔચિત્ય-વિવેકના પ્રશ્ન થઈ જાય છે.
આ પ્રશ્નને પણ ભાવકની દૃષ્ટિએ વિચારવા જેવા ખરા. જેમ ડયૂમા વાંચનારને, મુનશીની વાર્તાએમાં ઠેરઠેર યમાના શે! જણાયા કરશે અને તેથી નવલકથાને ‘મુનશીની’. કૃતિ તરીકે આસ્વાદવામાં બાધા થશે, તેમ તિહાસજ્ઞને પણ મુનશીની ઐતિહાસિક કૃતિ વાંચતાં (અને આ જ વાત તેમની પૌરાણિક કૃતિને પણ લાગુ પડશે) તેમાંના ઇતિહાસવ્સ કઢવાના જ. પરંતુ જેમ ડયૂમા ન વાંચનાર, અથવા વાંચ્યા હાય તાય મુનશીની કૃતિના વાચન પ્રસંગે તેને ન મરનાર વાચકને, તવિષયક બાધા નડતી નથી, તેમ ઇતિહાસ-અજ્ઞ અથવા ઇતિહાસ-વિસ્મૃત વાચકને તેમાંના ઇતિહાસÜંસ પણ કઠવાને નહીં ! રવીન્દ્રનાથે ધ્યાન દોર્યું છે તેમ, વાચકના મનની સંસ્કારભૂમિકાની દૃષ્ટિએ આ બાબત વિચારવી જોઈએ. પ્રત્યેક વાચકની મનેાભૂમિકામાં સંસ્કૃતિ, પુરાણ, ઇતિહાસ વિષયક કેટલાક સ`સામાન્ય, સમગ્ર પ્રજાકીય માન્યતા રૂપે કેટલાક સસ્કાર
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્ર• ૪]
કનૈયાલાલ મુનશી
[ ૧૭૭
પડેલા હેાય છે. જ્યારે કાઈ પણ કૃતિમાંનું નિરૂપણ આ સંસ્કારોને આધાત આપે છે ત્યારે મન તે નિરૂપણુ સ્વીકારવાને પ્રતિકાર કરે છે એને પરિણામે તેની અને કૃતિની વચ્ચે રસાસ્વાદન માટે અનિવાર્ય એવું અનુસંધાન થતું નથી. આ સંદર્ભમાં, ‘ઇતિહાસ’એટલે ઝીણવટભર્યા સંશાધનમાં રાચતા ઇતિહાસવિદેના પ્રત્યેક સશેાધને સશાષિત થતા ઇતિહાસ નહિ પણ પ્રજાના મનમાં સ`સ્કારરૂપે પડેલા ઇતિહાસ, જેમાં લેાકકથાઓ, દંતકથાઓ વગેરેનું મિશ્રણ હેાય છે, જેમાં ઇતિહાસના શાસ્ત્રીય સંશાધનના પરિણામરૂપ તથ્યનું અજ્ઞાન અને અનેક બિનઐતિહાસિક અથવા અઐતિહાસિક પરંપરાપ્રાપ્ત સામગ્રીની ભેળસેળ હેાય છે.
મુનશીની નવલકથા વાચકાની મનેભૂમિકામાં પડેલા આ ‘ઇતિહાસ’ સાથે અનુસંધાન કરે છે, તેા આ માનસને તે કેટલી આઘાતક નીવડી હશે ? જે કાળમાં મુનશીની ઐતિહાસિક નવલકથાએ પ્રગટ અને પ્રખ્યાત થઈ તે કાળને વિચાર કરતાં તે વાચકેા ‘ઇતિહાસ'ની ભૂમિકા સાથે મુનશીને વાંચતા હતા એમ કહેવાને બદલે, મુનશીની વાર્તાઓમાંથી ‘ઇતિહાસ' રચતા હતા એમ કહેવુ વધારે યેાગ્ય ગણાશે. કારણ કે ‘ગુજરાતની અસ્મિતા'ને ગુજરાતના લેાકમાનસમાં જગાડવામાં મુનશીના ફાળા નાનેર્સને નથી, અને એ જગાડવામાં શાસ્ત્રીય રીતે સંશાધિત ઇતિહાસનાં તથ્યા નહિ પણ રાસમાળા' અને મુનશીની નવલકથા વધુ પ્રભાવક ગણાય. હજીય મુનશીના મુગ્ધ વાચાને મુંજાલ, ઉદયન અને કાકની બાબતમાં ઐતિહાસિક તથ્યા ગળે ઉતારવાં મુશ્કેલ છે. અલબત્ત હકીકત છે કે મુનશીએ ઇતિહાસનું અનુસરણ કરતાં ખંડન કરી પેાતાની રીતે ‘સર્જન' કર્યુ છે, પરંતુ તેમની સર્જકતાએ એ મર્યાદાને કઠવા દીધી નથી ! અંતે તેા, મુનશીની કૃતિ, ઐતિહાસિક કહીએ, ઇતિહાસાભાસી કહીએ, સનાત્મક કૃતિઓ છે. ઉપાદાનરૂપ તથ્યની વિશ્વસનીયતા કરતાં કલાકૃતિની રસપ્રદતામાં જ તેને અંતિમ નિર્ણય છે.
ઇતિહાસ ઉવેખાયા છે, પણ વાર્તાઓ સર્જાઈ છે.
આ અને આવા અનેકવિધ પ્રશ્નો – વાસ્તવિકતા, ઔચિત્ય, અદ્ભુતના આલેખન વગેરેના — મુનશીની ઐતિહાસિક-પૌરાણિક કૃતિઓમાંથી ઉપસ્થિત થાય છે. ત્યાં કસેાટી ઔચિત્ય અને ભાવનની જ હેાઈ શકે! અ ંતે, પ્રત્યેક કળાકારને ભાવક પાસેથી એક અપેક્ષા તા રહે છે જ — સ્વ - સ્વૈચ્છિક સ`શયવિરતિ ! (Willing suspension of disbelief) જેટલે અંશે ભાવક આમાં ઉદાર થઈ શકે તેટલી તેને બાધા ઓછી થવાની. વાય-વાચકે આમાં ભેદરેખાઓ બદલાતી જ રહેવાની.
ગુ. સા. ૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ .૪ પણિક નવલકથાઓ | મુનશી કહે છે તેમ તેમને વેદ-પુરાણકાળને નિરૂપ હત એક મહાનાટક સ્વરૂપે–એક સંસ્કૃતિકથા રચવી હતી. પણ નાટકનું સ્વરૂપ ગુજરાતી પ્રજાને (અને કદાચ આ પ્રકારનાં નિરૂપણે માટે લેખકને પણ !) અનુકૂળ ન લાગતાં, તેમણે નવલકથાઓ લખી. પૌરાણિક નાટકે, લોપામુદ્રા ખંડ ૨-૩-૪-એ નાટકે આ મહાનાટકના જ ખંડો છે.
“લોપામુદ્રા ખંડ ૧ (૧૯૩૩) નાનકડી નવલકથા રૂપે રચાયો – બલકે નવલકથાના એક ખંડ તરીકે – બાકીની વાર્તા નાટમાં. વસિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ વ. બાળકે છે ત્યાંથી આરંભાતી એ કથા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર બને છે ત્યાં સુધી જાય છે. પુરાણપ્રસિદ્ધ વસિષ્ઠ-વિશ્વામિત્રને સિદ્ધાંતવિરોધ અહીંથી પ્રગટ થાય છે, શંબરકન્યાની સ્વીકૃતિ, લે પામુદ્રા-અગત્ય સંબંધ, વ. આ કથાનાં મુખ્ય પ્રકરણો બની રહે છે, તે શુનઃશેપના કથાનકને કલ્પના દ્વારા નવું પરિમાણ અપાયું છે.
મહર્ષિણી અને ભગવાન પરશુરામમાં જાણે આ જ કથાપ્રવાહ આગળ ચાલે છે, ને મહાભારતના યુદ્ધ પહેલાંના મહાયુદ્ધ – દાદરાયુદ્ધ તથા સહસ્ત્રાર્જુન સંહાર સુધી એ વિસ્તરે છે. “લે મહર્ષિણીમાં લેમા અને રામના કૌમારકાળની અને “ભગવાન પરશુરામમાં તેમના યૌવનકાળની કથા છે, પરંતુ રામનાં પરાક્રમો જોતાં તે તે અત્યંત પુખ્ત લાગે ! “પૌરાણિક નાટક'માં ચ્યવન,
ઔર્વ, ઉશનસ્ અને આ કથાઓમાં પરશુરામ... ભૃગુઓની આ ગૌરવગાથા છે– મુનશીની પિતૃઓને એ અંજલિ !
પરંતુ મુનશીની કલ્પનાના મહામાનવને જે પૂર્ણપણે સાકાર કરી શકે છે તે તે છે શ્રીકૃષ્ણ. જીવનના અંતિમ અધ્યાયમાં મુનશી “કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણની કથા માંડે છે. ક્યારેક ભક્તિ ક્યારેક આદર, ક્યારેક અવતાર ક્યારેક મુત્સદ્દી માનવનું આલેખન, એમ રંગો બદલી, શ્રીકૃષ્ણને આરાધવાને અને “મનુષ્ય” તરીકે ઓળખવાનો બેવડો પ્રયત્ન કરતી આ નવલકથા શ્રીકૃષ્ણને ભક્તિપૂર્વક છતાં વિશિષ્ટ દૃષ્ટિકોણથી રજૂ કરવાને પ્રયત્ન છે. મુનશીના જીવનને તેમ સર્જકતાને અહીં ઉત્તરાવસ્થા વરતાય છે. ઊતરતી સંધ્યાના અણસાર પારખી શકાય છે. પણ આથમતો તોય સૂર્ય તેમ ઉત્તરાવસ્થાનું આલેખન તોય મુનશીનું ! આરંભની કલ્પનાશીલતા અને મધ્યની પ્રૌઢતા નહિ, અ-પૂર્વતાનો આવિર્ભાવ નહિ, છતાં પાત્રો-પ્રસંગે-વણને આલેખવાને ટેવાઈ ગયેલી કલમમાંથી અમથો લસરકે નીકળે તોય તે રેખાંકન બની જાય તેવું “કૃષ્ણાવતારમાં બને છે. આઠ ભાગેય, મુનશીના
Page #188
--------------------------------------------------------------------------
________________
.. ૪]
કનૈયાલાલ સુનશી
[૧૭૯
દેહવિલય સાથે આ અધૂરી રહેલી નવલકથા, જો ગ્રંથપાલા કહે કે વર્ષનું સૌથી વધુ વંચાતું પુસ્તક છે, તા તેમાં જેટલા મુનશીની ક્લમને તેટલા જ કદાચ શ્રીકૃષ્ણના પાત્રના સનાતન આકણુનેાય ફાળા હશે.
મુનશીએ તેમની ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓમાં જે વસ્તુ-પસંદગી કરી છે તેને ક્રમ જોતાં, કેટલેક અંશે તે કાળમાં જાણે પાછે પગલે ગતિ કરતા જાય છે—વમાનથી વધુ ને વધુ દૂર જતા લાગે છે તે ખરું. વર્તમાનને સુસ્પષ્ટ રેખાબદ્ધ વાસ્તવિકતા નડે, ઇતિહાસ-કથાનેય ‘ઐતિહાસિક વાસ્તવ’ની મર્યાદાઓ નડે. ‘પૌરાણિક કાળ' એટલે કે વેદકાળ સુધી લંબાતા પ્રાગૈતિહાસિક કાળ એટલા અજ્ઞાત અને અસ્પષ્ટ છે, તેની આદિમતા, પૌરાણિક કલ્પના, કાલદૂરત્વને કારણે તેનું વરતાતું એક પ્રકારનું અલૌકિક સ્વરૂપ, રંગદર્શિતાઅદ્ભુતતા, અ-પાર્થિવતા અને અવાસ્તવના આલેખન માટે અનુકૂળ ભૂમિકા બની રહે છે, અને મુનશીની કલ્પનાના કૌતુકરાગી સ્વભાવને એ વધુ અનુકૂળ છે તે પણુ ખરું. પરંતુ મુનશીના પૌરાણિક વિષયા પ્રત્યેના આકર્ષણમાં એ જ એકમાત્ર કારણ ન ગણી શકાય. મુનશીનાં એ નાટક-નવલકથાઓ વાંચતાં તેમ જ ઇતિહાસાક્રિવિષયક તેમનાં અન્ય લખાણેા અને ભારતીય વિદ્યાભવન, સેામનાથનું પુનનિર્માણુ વગેરેને લગતી તેમની પ્રવૃત્તિએ જોતાં જણાશે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનુ` તેમને જબરું આકર્ષણ છે. તે સમયની ગાથાઓને કલ્પનાની સહાયથી પુનર્જાગ્રત કરવી, તે કાળની મહાન વિભૂતિઓને સવ કરવી, એ સાંસ્કૃતિક મૂલ્યોનું પુનરુજ્જીવન કરવાની મુનશીની અદમ્ય આકાંક્ષા તેમના જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓ પાછળની પ્રેરણા તરીકે કામ કરતી દેખાશે. શૈશવમાં, ભાર્ગવકુલાવત સ તરીકે પ્રાપ્ત કરેલા સંસ્કારાનુ... એ પરિણામ છે, તા ગઈ સદીના ઉત્તરાર્ધ અને આ સદીના પૂર્વાર્ધ દરમ્યાન ભારતમાં અને ગુજરાતમાં પ્રગટેલી રાષ્ટ્રીયતાના એક આવિર્ભાવ તરીકે પ્રગટ થયેલી સાંસ્કૃતિક પુનરુજીવનની ભાવના પણ એમાં કારણભૂત છે.
સાંસ્કૃતિક પુનરુજ્જીવન પ્રગટાવવા મથતા સર્જીને એકસાથે એ હેતુ સિદ્ધ કરવાના હેાય છે. એક પાસ પ્રાચીન સૌંસ્કૃતિનાં તત્ત્વના પુનઃપ્રગટીકરણ દ્વારા રાષ્ટ્રીયતાને સ્વદેશની સાંસ્કૃતિક અસ્મિતાને જાગ્રત કરવાની અને પુષ્ટ કરવાની હાય છે. પ્રજામાં તે દ્વારા આત્મભાન અને આત્માભિમાન જ નહિ પણ પૈાતાપણું પ્રગટાવવાનું હાય છે–તેને નિજી સાંસ્કૃતિક વ્યક્તિત્વ આપવાનું હાય છે, તા ખીજી બાજુ, પ્રાચીનનું પુનઃશાષન અને પુનઃમૂલ્યાંકન કરી, તેમાં જે કાલગ્રસ્ત છે તેને ટાળા, સનાતનને ઉદ્ઘારી, તેને અર્વાચીન સંદર્ભમાં પ્રસ્તુત
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (relevant) કરવાનું હોય છે. આ પ્રસ્તુતતા ન પ્રગટે તે એ સમગ્ર પ્રવૃત્તિ કેવળ અતીતગૌરવની અભિમાનગાથા જ બની રહે છે, પરંતુ તે સાથે, અર્વાચીનતાના સંદર્ભમાં અતીતને ગોઠવવા જતાં તે સંસ્કૃતિની અખંડ પરંપરાગત વ્યક્તિત્વ-વિશિષ્ટતાને પણ જાળવવાની હોય છે. તેમ ન થાય તે પુનરુજજીવન નહિ માત્ર પરિવર્તન જ રહે છે. પ્રાચીન પ્રત્યેના આદર વગર તેનું ગૌરવ જળવાય નહિ, તે અર્વાચીનને આવકારવાની તૈયારી ન હોય તે કેવળ રૂઢિચુસ્તતા જ બાકી રહે ! એ કે પક્ષે પલું અધિકતર ન ઢળે તેમ ઉભયનું સમતોલન એમાં જ પુનર્જીવનરત કલાકારની કસોટી છે. મુનશીની પણ એ જ કસેટી છે તેમની પૌરાણિક રચનાઓમાં. પરિણામને આંક તો કૃતિએ કૃતિએ જુદા જુદો જ હોય.
ભારતના –અને ગુજરાતના – “ભવ્ય ભૂતકાળ” પ્રત્યે તેમને આદર અને આકર્ષણ હોઈ તેના તે પ્રશંસક ઉગાતા છે. પ્રાચીનમાંય ભૃગુઓ પ્રત્યે, અને પછી કૃષ્ણ પ્રત્યે તે “અઢળક ઢળે તેય સમજી શકાય તેમ છે. મુનશીની કૃતિઓના રચનાકાળ દરમ્યાનની રાષ્ટ્રજીવનની આવશ્યકતાઓ વિચારતાં, પ્રજાને પિતાના દેશનું – પોતાની સંસ્કૃતિનું ભવ્ય દર્શન થાય, તે માટે ગૌરવ જાગે, પ્રજાને - હીણપત અનુભવાતી આધુનિક યુરોપીયતાની અસર ઓસરે ને પ્રજાનું સ્વત્વ – પ્રજાની અસ્મિતા જાગે તે રાષ્ટ્રીયતાને જગાડવા ને પુષ્ટ કરવા માટે આવશ્યક હતાં જ. અને મુનશીની કૃતિઓએ પિતાના પ્રભાવ દ્વારા એવી અસર કેટલાક વર્ગ પર કરી છે પણ ખરી. એટલે એ રીતે સાંપ્રત સાથે તેને પ્રસ્તુત કરવામાં પણ મુનશીને પ્રયત્ન ઉચિત ગણાય.
બીજી બાજુ, અર્વાચીન-સંશોધનાત્મક અને બુદ્ધિપ્રધાન યુગને અનુરૂપ, તથા સુધારકવૃત્તિને અનુકૂળ એવું નિરૂપણ જ પૌરાણિક વિષયને લઈને પણ થાય તેની પણ તે કાળજી રાખતા જણાય છે. અતીત “આજના સંદર્ભમાં જ સાર્થક બને.–ને જેટલે અંશે તે તેમ થઈ શકે તેટલી તેમાં સનાતનતા.
આ જ કારણે, મુનશીની પૌરાણિક કૃતિઓનું વિશ્લેષણ કરતાં જણાશે કે તેમાં પ્રાચીનતાના પૂજક મુનશી અને અર્વાચીનતાના આરાધક મુનશી એકસાથે ઓળખાશે. વસ્તુ, વાર્તા, બાહ્યસ્વરૂપાદિમાં તે કૃતિઓ જેટલી પ્રાચીન લાગશે તેટલી જ વિચારો, વર્તન, પાત્રમાનસ, આકાંક્ષાઓ, આશા અને ઉપાયોમાં તે અર્વાચીન લાગશે. અગત્ય અને લોપામુદ્રા, વસિષ્ઠ અને અરુંધતી, પરશુરામ અને લેમહર્ષિણી, દેવયાની, મૃગા કે સુકન્યા, શુક્રાચાર્યને મંત્ર, વિશ્વામિત્રની પતિ દ્ધારણ ભાવના કે પરશુરામને યાદવોને સુરક્ષિત અને એક કરવાના
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪]
કનૈયાલાલ મુનશી પ્રયાસોને આ દષ્ટિએ વિચાર કરતાં હકીકત સ્પષ્ટ થશે. વસિષ્ઠ અને વિશ્વામિત્ર, સહસ્ત્રાર્જુન અને પરશુરામ વગેરેનાં આલેખનમાં ભારતીય સંસ્કૃતિના ભૂતકાળ પ્રત્યેનું તેમનું આકર્ષણ ઓળખી શકાશે – સૌથી વધારે તે “કૃષ્ણાવતાર'માંનાં આલેખને માં. ચમત્કારિતા દિવ્યતા-ભવ્યતા-મહામાનવતાનાં આલેખનેમાં તે રાચે છે. પરંતુ બીજી બાજુએ લેકપ્રસિદ્ધ ચમત્કારો અને પુરાણપ્રાપ્ત ઘટનાઓનાં શુનઃપકથા-રેણુકાવધ-સ્યમંતકમણિપ્રસંગ-હિડિંબાપ્રસંગ વ.નાં તર્ક સ્વીકાર્ય અર્થઘટન કરવાના તેમના પ્રયને સાચી દિશાને ઝોક સૂચવે છે. ઐતિહાસિક ગણતરીએ તત્કાલીન સમાજમાંના આદિમતાનાં લક્ષણે, કે વ્યક્તિઓનાં અર્વાચીન મને વૈજ્ઞાનિક દષ્ટિએ આલેખન અર્વાચીન દષ્ટિને અભિગમ સૂચવે છે. આગળ કહ્યું તેમ આ બને આવશ્યક છે પણ તે બંનેને સુમેળમાંથી નૂતન પ્રગટવું જોઈએ. જ્યારે મુનશીના આલેખનમાં આ બે તો પરસ્પર વિરોધમાં વસતાં જણાય છે.
મુનશીની કેટલીક બાબતમાં અનિર્ણયાત્મક મને દશા પણ આને માટે કારણભૂત હોઈ શકે. દા.ત, એક પાસેથી તેમને પ્રાચીન અને પૌરાણિક સમાદર, અને મહાનુભાવોની મહાશક્તિઓ પ્રત્યેની તેમની અભાવભરી શ્રદ્ધા તેમને ચમકારી શક્તિઓમાં માનવા પ્રેરે છે, તે વળી તેમની અર્વાચીન વાસ્તવલક્ષી અને બુદ્ધિપ્રધાન યુગના બૌદ્ધિક તરીકેની વૃત્તિ ચમત્કારને બુદ્ધિસ્વીકાર્ય કરવા પ્રેરે છે. પરિણામ એ આવે છે કે તે પ્રચલિત ચમત્કારોને અર્થઘટન દ્વારા બિન-ચમત્કારિક બનાવે છે, પણ નવા ચમત્કારે ઉમેરે છે. એ જ રીતે એક બાજુથી તે મહાનુભાવો -– દિવ્ય-ભવ્ય-અવતારે” ગણતી પૌરાણિક વિભૂતિઓને પણ – પરશુરામ કે લોપામુદ્રા, વિશ્વામિત્ર કે કૃષ્ણને પણ – “માનવી તરીકે જોવાઆલેખવાનો પ્રયત્ન કરે છે, તો બીજી બાજુથી તેમને જાણે આપણી કોટિએ ઉતારી પાડવાનું પ્રાયશ્ચિત્ત કરતા હોય તેમ અસાધારણ શક્તિઓની નવાજેશ કરી તેમની આસપાસ તેજવતું આંકી દે છે. અસ્મિતાપ્રેમી અને અભ્યાસી, કલ્પનાશી અને બુદ્ધિપ્રધાન વચ્ચે સતત કંઠ ચાલ્યા કરતું અનુભવાય છે.
આથી તેમનાં વાસ્તવલક્ષી આલેખને ક્યારેક વાચકમનની સાંસ્કૃતિક ભૂમિકા માટે આઘાતક નીવડે છે. (દા.ત. ઋષિઓનાં કેટલાંક આલેખને, પામુદ્રાની પ્રમિઓ) તે તેમના ભવ્યતા – લકત્તરતાના ઉષા, કાર્યો અને પરિસ્થિતિ માંથી જન્મતા નિર્ણયની પ્રતીતિઓને બદલે કેવળ શબ્દાડંબરી ઘોષણાઓ બની રહે છે. થોડા જ સાવધ વાચક, વાગ્મિતા અને ભાષાડંબરના, તથા કથન-વર્ણન અને ઘટનાના વશીકરણમાંથી જાગ્રત થઈ જતાં સમગ્ર આલેખનની મરીચિકાને ઓળખી જાય છે. તેમ છતાં, વાર્તાઓ તરીકે, અભ્યાસી એવા સામાન્ય વાચકને
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2. ૪
પૌરાણિકતાને પરચા આપવાની દૃષ્ટિએ નવલકથાએ સફળ રહી છે. નાટયાત્મક પ્રસંગાલેખને ઉપરાંત વનાની શક્તિ પૌરાણિક નવલકથાઓમાં ઉમેરાયેલી જણાય છે. ઐતિહાસિક નવલકથામાં જણાય છે તેવી જ પાત્રાલેખનશક્તિ અહી પણ જણાય છે. પુરાણકાળનાં સંખ્યાબંધ પાત્રાને પુરાણાદિમાંથી પ્રાપ્ત થતી તેમને લગતી અ૫રેખાઓને કલ્પનાત્મક સર્જનથી તેએ વતાં-જાગતાં માનવીએ બનાવી આપણી સાથે અનેક પ્રકારના અંગત સબંધમાં ગાઢવી દઈ શકે છે. જેમ ઐતિહાસિક નવલકથાઓમાં, તેમ અહીં પણ ખીજું બધું બાજુએ રાખી, માત્ર નવલકથાઓ’—રસિક વાર્તા તરીકે જ વિચારતાં, મુનશીની પૌરાણિક નવલકથાઆ શાથી વાચકપ્રિય બની રહી તે સમાય તેમ છે.
પૌરાણિક વાર્તાઓમાં, મુનશીએ ભારતીય સંસ્કૃતિના ઉગમકાળને નિરૂપ્યા છે. ‘સંસ્કૃતિ' સિદ્ધ થતી આવે છે, આ પ્રજાનું સાંસ્કૃતિક વક્તવ્ય આકાર ધારણ કરતું લાગે છે. આ પ્રજા અને સંસ્કૃતિ – ભારતીય સંસ્કૃતિની ‘અસ્મિતા’ના આવિષ્કાર તેમાં ચિત્રિત થયા છે, એ આ નવલકથાએને વિશિષ્ટતા અપે છે. પણ એ ય ન વિચારીએ તાપણુ, આપણી રાષ્ટ્રીયતાને સાંસ્કૃતિક અસ્મિતાની સમાનતાથી પુષ્ટ કરવાનું અને તે સાથે સરસ વાર્તાએ આપવાનુ` તા મુનશીએ. કર્યું' જ છે. તે એટલુંય ઓછું ન ગણાય.
નાટકકાર
જેમની નવલકથા પણ નાટયતત્ત્વ અને નાટયાત્મક શૈલીથી સભર, તેમની પાસેથી નાટકા તા મળે જ ! મુનશી આપણા અગ્રણી નાટકકાર છે. સનક્ષેત્રે, નવલકથાલેખન પછીની તેમની ખીજી મહત્ત્વની પ્રવૃત્તિ નાટ્યસર્જનની રહી છે, સામાજિક નાટકા'ને નામે સંગ્રહસ્થ વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (૧૯૨૧), ‘એ ખરાબ જણુ' (૧૯૨૪) અને ‘આજ્ઞાંકિત’ (૧૯૨૭) ઉપરાંત ‘કાકાની શશી' (૧૯૨૯), ‘બ્રહ્મચર્યાશ્રમ’ (૧૯૩૧), ‘સ્નેહસંભ્રમ’ (૧૯૩૧-૩૨), એ વાર્તા પરથી તૈયાર કરેલ પીડાગ્રસ્ત પ્રેાફેસર' (૧૯૩૩), ‘ૐા. મધુરિકા' (૧૯૩૬), ‘છીએ તે જ ઠીક’ (૧૯૪૬) તથા ‘વાહ રે મેં વાહ' (૧૯૫૩) — એટલાં તેમનાં સામાજિક નાટકો છે. તા, ‘પૌરાણિક નાટકા’ (૧૯૩૦) એ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કરેલાં ‘પુરંદર પરાજય' (૧૯૨૨), ‘અવિભક્ત આત્મા' (૧૯૨૩), ‘તણુ’ (૧૯૨૪) અને ‘પુત્રસમે વડી’ (૧૯૨૯) એ કૃતિએ ઉપરાંત, ‘લેપામુદ્રા’ (ખંડ ૨-૩-૪: ૧૯૩૩-૩૪) એ તેમનાં પૌરાણિક નાટકા છે. ‘ધ્રુવસ્વામિનીદેવી’ (૧૯૨૯) એ તેમનું એકમાત્ર ઐતિહાસિક નાટક. આ યાદી પરથી પણ જણાશે કે ઐતિહાસિક નવલકથાકાર તરીકે સુકીર્તિત મુનશીએ નાટયક્ષેત્રે અતિહાસિક કૃતિ આપી નથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્ર. ક] કનૈયાલાલ મુનશી
[૧૮૩ મુનશીનાં સામાજિક નાટકે, બહુધા તેમના સામાજિક નિરીક્ષણ અને વિચારણામાંથી નિષ્પન્ન થયેલાં કેઈ ચક્કસ મંતવ્ય અને વક્તવ્યને કેન્દ્રમાં રાખીને રચાયેલાં છે, પરંતુ એ વક્તવ્ય પણ પ્રસંગોપાત્ત સંવાદમાં ગૂંથાયેલાં સીધાં અને સ્પષ્ટ વિધાને કે ચર્ચાને બાદ કરતાં, ઘટના, પાત્રવ્યક્તિત્વ અને સમગ્ર કાર્ય દ્વારા જ પ્રગટ થાય છે. સંવાદ ચર્ચામાં પણ નાટયાત્મકતા વિસરાતી નથી તે નાટયકાર તરીકેની તેમની કુશળતા દર્શાવે છે. “કાકાની શશી'ના પ્રથમ પ્રવેશ સિવાય ક્યાંય નાટકનું કાર્ય તે ધીમું પડવા દેતા નથી, અને છતાં તેમને જે કાંઈ કહેવાનું છે તેનું લક્ષ્ય સધાય છે. એ રીતે, નાટકમાં તે મહદંશે સમાજાભિમુખ અભિગમ દાખવે છે. “કોને વાંક” સિવાય તેમની નવલકથાઓમાં જે સમાજાભિમુખતા કે સામાજિક ધ્યેયલક્ષિતા જોવા નથી મળતી તે નાટકોમાં મળે છે એ નોંધપાત્ર છે.
વાવાશેઠનું સ્વાતંત્ર્ય એ પ્રહસનમાં શેઠાણીશાસિત ઘરમાં બાપડા' વાવાશેઠને સ્વતંત્ર થવાનું મન થતાં, તેમણે અને તેમના પુત્રે મળીને શેઠાણીને ઠેકાણે આણવા માટે રચેલું કાવતરું હળવા નાટકની સામગ્રી છે. વ્યવસાયી રંગભૂમિનાં દીર્ઘ નાટકની વચમાં આવતા “ફારસીની નજીક જતું આ પ્રહસન મુનશીની મજાકશક્તિનું ઉદાહરણ છે. મુનશીનાં સામાજિક નાટકોમાંનાં આઠમાંથી છ પ્રહસને છે, અને અન્ય બેમાં પણ હાસ્યની સારી એવી માત્રા છે, ઉપરાંત તેમની નવલકથાઓમાં પણ ઠઠ્ઠાચિત્રો અને હાસ્યપ્રસંગો વેરાયેલાં જ છે એ હકીકત મુનશીમાં રહેલી હાસ્યવૃત્તિની ઘાતક છે. ટૂંકી વાર્તામાં “શામળશાને વિવાહ, નાટકમાં પ્રહસને, નવલકથામાં ગજાનન પંડિત, ને બોબડે, શુંભ અને સંનિધાતા (“ભગવાન કૌટિલ્ય') તથા મણિભદ્ર જેવાં પાત્ર મુનશીનું હાસ્યસાહિત્યક્ષેત્રે નોંધપાત્ર અર્પણ છે.
બે ખરાબ જણ પણ પ્રહસન છે. અહીં બળજબરીથી પરણાવી દેવાતી રંભાને સહાયક થવા મથતા “મોહન મેડીકો'ના પ્રયત્નમાંથી સરજાતી હાસ્યોત્પાદક પરિસ્થિતિઓ અને અન્ય પાનું કંઈક અતિશયોક્તિભર્યું કટાક્ષાત્મક આલેખન હાસ્યની સામગ્રી બની રહે છે. “મેહન મેડીકા’નું પાત્ર આપણાં હાસ્યપ્રધાન પાત્રમાં અવશ્ય ઉલેખનીય બની રહે તેવું છે. રામુ ડગલીવાળા, મોહન મેડીકે વગેરે પાત્ર, અને રંગક્ષમ હાસ્યપ્રધાન પરિસ્થિતિઓના આલેખનને કારણે બે ખરાબ જણ' સફળ પ્રહસન બની રહે છે.
fઆજ્ઞાંકિત પણ લગ્નવિષયક પરિસ્થિતિમાંથી જ સરજાય છે. એમાં પણ બે ખરાબ જણ'ની રંભાની જેમ નાયિકાને બળ છે. પણ બંનેનાં
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[4. ૪
સ્વરૂપે, પરિણામેા અને નિરૂપણુ તદ્દન ભિન્ન છે. બે ખરાબ જણ' પ્રહસન છે, ‘આજ્ઞાંકિત’ નથી. ‘આજ્ઞાંકિત'માં એક પુરુષની પાશવતા અને ખીજાની નિર્મૂળતાથી અકળાઈને બધાં બંધનાને ફગાવીને વીક્રુતી નાયિકાનું નિરૂપણ ઉત્કટતાવાળા સામાજિક અભિગમ વાસ્તવલક્ષિતાને ખીજે છેડે લઈ જાય છે, ને પરિણામે નાટક ઊણું ઊતરે છે. બે ખરાબ જણ' નાટયગૂંથણીની દૃષ્ટિએ શિથિલ લાગે તાય એ શૈથિલ્ય એ ફારસની સીમામાં પ્રવેશી જતા પ્રહસનમાં નિર્વાહ્ય ખની રહે છે, પરંતુ ‘આજ્ઞાંકિત'માંના શેષ જે રીતે બધન તાડે છે તે, તે નાટકની આસ્વાદનીયતા અને અસરકારકતાને ઓછી કરી નાખે છે.
‘સામાજિક નાટકામાં સંગ્રહાયેલી આ ત્રણે કૃતિમાં લગ્નનેા જ પ્રશ્ન રજૂ થયા છે, પણ ત્રણેમાં દૃષ્ટિબિન્દુએ જુદાં જુદાં છે. ત્રણેમાં પ્રહસનાત્મક કે આધાતક કટાક્ષપ્રાધાન્યને કારણે અતિશયાક્તિના ઉપયેગ થયા છે. તેમાંય બે ખરાબ જણ' અને ‘આજ્ઞાંકિત'માં તા જાણે એક પરિસ્થિતિની બે બાજુએ, ખે શકયતાઓ નિરૂપાઈ છે. મેડીકેાની ઉક્તિમાં, માત્ર નાટકાનાં જ ગાયનેાની પંક્તિમાંથી રચાયેલી To be or not to beની પૅરડી જેવી સ્વગતાક્તિ સરસ રંગક્ષમ એકાક્તિ અની રહે છે.
‘કાકાની શશી’ પણ પ્રહસન ગણાય. પણ અગાઉનાં વાવાશેઠનુ સ્વાતંત્ર્ય' કે ‘બે ખરાબ જણ'ની જેમ, અને પછીના બ્રહ્મચર્યાશ્રમ'ની જેમ તેમાં ફ્રાફિકલ તત્ત્વ નથી. તે સુખાન્ત તેથી કૅામેડી, અને તેમાં હાસ્ય પણ સારા પ્રમાણમાં છે, પણ એકંદરે તે ગંભીરતાથી રચાયેલી નાટથકૃતિ છે. એમાં પણ પ્રશ્ન તા લગ્નને જ છે પણ તે તેનાં વિવિધ પાસાં સાથે વધુ ગ ંભીરતાથી રજૂ થયું છે. માત્ર લગ્ન નહિ પણ સ્ત્રીપુરુષ-સંબંધને, તથા સ્ત્રીઓની સ્વતંત્રતાના પ્રશ્નને, તેમાં વિવિધ પાત્રાનાં ઉદાહરણા દ્વારા ચર્ચવામાં આવ્યા છે. પુરુષાની સ્ત્રી પ્રત્યેની દૃષ્ટિ, સ્ત્રીઓની પણ લેાલુપતા અને નિર્બળતા, નાટકમાંથી લગભગ “ન સ્ત્રીસ્વાતંત્ર્યમ્ અતિ'ના પ્રગટતા ધ્વનિ વગેરે મુનશીનાં મંતવ્યોને વ્યક્ત કરે છે. એ મંતવ્યેાના સંદર્ભમાં, મુનશી ભાવનાશીલ અને સુધારક નહિ પણ મહેશે ફ્રોઈડના કામપ્રાધાન્યના મતને અનુસરતા અને સ્ત્રીની આધુનિક સ્વાતંત્ર્યવાંચ્છુ મનેાવૃત્તિના વિરોધી લાગે છે. કાકાની શશીના, વાસ્તવિકતા લાવવા જતાં સુરુચિની દૃષ્ટિએ આઘાતક બની જતા અંત અત્યંત વિવાદાસ્પદ નીવડચો છે. નાટક અને રંગભૂમિની દૃષ્ટિએ ‘કાકાની શશી' ખૂબ મહત્ત્વની નાટચકૃતિ છે, રંગભૂમિના તત્કાલીન પ્રવતમાન સ્વરૂપને જાળવીને તથા તેની કેટલીક લાક્ષણિકતાઓને પ્રયેાજીને રચેલી આ કૃતિ ‘નાટક’ તરીકે નવી ભાત પાડે છે. આધુનિક
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૮૫ દૃષ્ટિએ સ્થળે સ્થળે “નાટકી' લાગે તેવી આ કૃતિ, તત્કાલીન વ્યવસાયી નાટકને પડછે વાસ્તવિક લાગશે. “કાકાની શશી' પરંપરાગત વ્યવસાયી રંગભૂમિ અને સાહિત્યિક નાટક વચ્ચે સેતુરૂપ છે, તે પરંપરાગત અને અર્વાચીન નાટક વચ્ચેની પણ એ કડી છે. એમાં આપણને “સંસ્કારાયેલી વ્યવસાયી રંગભૂમિનું નિદર્શન મળે છે, તે સાથે સાથે, વ્યવસાયી રંગભૂમિનાં રંગક્ષમ તત્તને તેમાં સમાવેશ પણ દેખાય છે. નાટકી” તત્ત્વ જાળવતું અને છતાં વાસ્તવિકતા સાધતું, લઢણે અને લય સહિત અને છતાં સ્વાભાવિક સંવાદ બનતું “નાટકનું ગદ્ય “કાકાની શશી'માં ઉત્તમ રીતે પ્રયોજાયું છે. વ્યવસાયી રંગભૂમિ પર ભજવાતાં પણ સાહિત્યક્ષેત્રે સ્થાન ન પામતાં નાટકે અને પ્રશિષ્ટ નાટયકૃતિ લેખાતાં પણ રંગભૂમિ પર કામયાબ ન નીવડતાં નાટકે એ બંનેમાં જે ઘટે છે તે “કાકાની શશી'માં ઓળખી શકાશે. એ રીતે આ પરંપરાગત રંગભૂમિનું નવું નાટક બને છે; જૂના-નવા નાટક વચ્ચે અને જૂનીનવી રંગભૂમિ વચ્ચે, તેમ રંગભૂમિ અને સાહિત્ય વચ્ચે સુંદર કડીરૂપ બની રહે છે. “કાકાની શશી'થી નાટક બદલાય છે, રંગભૂમિ નહિ; તે પરિવર્તન થાય છે ચંદ્રવદનથી. પરંતુ કાકાની શશી “નાટક” તરીકે એક સુંદર કૃતિ બની રહે છે – ગુજરાતી નાટય સાહિત્યના એક માર્ગ સૂચક સ્તંભ સમી.
બ્રહ્મચર્યાશ્રમમાં ગાંધીજીના અનુયાયી થઈ, બ્રહ્મચર્યના આદર્શની માત્ર વાત કરતા આડંબરી આશ્રમવાસીઓની ઠેકડી છે. મુનશીએ પિતાની આસપાસના કાર્યકરોની બાહ્ય આડંબરી આદર્શ ઘેલછા અને માનસિક નિર્બળતાનું વિડંબચિત્ર અહીં આલેખ્યું છે. નાટકમાં વિડંબના બ્રહ્મચર્યની ભાવનાની નથી, પણ તેના જૂઠા આડંબરની છે. ગાંધીપંથી ટોળામાં રહીને પણ, એ જ ટેળામાંના કૃતક ગાંધીવાદીઓને ઠ્ઠો કરતું આવું નાટક, ગાંધીભક્તિના પરમોત્કર્ષકાળે લખવાની હિંમત મુનશી જ કરી શકે. જમાનાને સંદર્ભ બદલાઈ જતાં એ કૃતિ વીસરાઈ ગઈ છે, પરંતુ માનવવૃત્તિની સાહજિક નિર્બળતામાંથી નિષ્પન્ન થતું હાસ્ય ક્યારેય અપ્રસ્તુત નથી.
“ડ, મધુરિકા: કુશળ સર્જન મધુરિકા અને તેના પતિ બૅરિસ્ટર નરેન્દ્રના કથાનકને લઈને, સ્ત્રીની સહજસ્વભાવ વિરુદ્ધની અર્વાચીનતા, મુક્તતા વગેરેના
ખ્યાલ પર પ્રહાર કરતું આ નાટક એકંદરે સામાન્ય કૃતિ લાગે છે. સ્ત્રીએ પુરુષ” થવાને કે પુરુષ સમોવડી થવાને પ્રયત્ન ન કરતાં સ્ત્રી જ રહેવું ઉચિત, તે તેમણે “કાકાની શશી'માં અને વધુ સ્પષ્ટ રીતે “છીએ તે જ ઠીકમાં વધુ સારી રીતે રજુ કર્યું છે. જોકે, “Ú. મધુરિકા” અને “છીએ તે જ ઠીકે અર્વાચીન રંગ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬ ]
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
[ચ ૪
ભૂમિનાં નાટકો બની રહે છે. સામાજિક નાટકા' કે ‘ કાકાની શશી'માંની પર પરાગત વ્યવસાયી રંગભૂમિ હવે બદલાઈ જાય છે. છીએ તે જ ઠીક'માં તે સૌંપૂર્ણતયા અર્વાચીન રંગભૂમિને અનુરૂપ નાટક પ્રાપ્ત થાય છે.
છીએ તે જ ઠીક’: બૌધાયનના સંસ્કૃત નાટકમાં, તેમ આમાં પણ સ્ત્રી અને પુરુષના આત્માની પરસ્પર અદલાબદલીથી ઉપસ્થિત થતી વિલક્ષણ અને હાસ્યપ્રેરક પરિસ્થિતિ દ્વારા મુનશીએ સમાન બનવા જતાં, અને ખાસ કરીને ‘અભિન્ન’ થવા મથતાં સ્ત્રીપુરુષાનુ` કટાક્ષાત્મક નિરૂપણથી, એવી પરિસ્થિતિમાંથી સરજાતી અવાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોર્યું છે. આદિ અને અ ંતે રજૂ થયેલી મૂળ સ્થિતિની સાથે, વચગાળામાં પ્રાણુવિનિમય દ્વારા બદલાયેલી પરિસ્થિતિ સાથેને વિરાધ સુંદર નાટયાત્મક પ્રસંગ સર્જે છે. આત્માની અદલાબદલીથી, બાહ્ય રૂપે યથાવત્ છતાં તત્ત્વતઃ પરિવર્તિત થઈ જતાં નાયક-નાયિકાને કારણે અભિનયની ઉત્તમ તક ઊભી થાય છે, અને પ્રહસન ખૂબ અસરકારક બની રહે છે.
વાહ રે સૈ' વાહુમાં પોતાની જ કૃતિઓમાંનાં, પોતે જ સર્જેલાં પાત્રો અને પેાતાનાં કુટુંબીજનેાની પાત્રસૃષ્ટિ વચ્ચે પેાતાને જ કેન્દ્રમાં મૂકીને એક ઠઠ્ઠા પ્રકારનું પ્રહસન રચાયેલુ` છે. પેાતાની જ ઠેકડી ઉડાવીને પેાતાની જાત પર હસવું એ અઘરી વાત છે. મુનશીએ અનેક ઠઠ્ઠાચિત્રો સજર્યા પછી, પેાતાની જ મજાક કરીને તેમનામાં રહેલી મુક્ત હાસ્યવૃત્તિ અને ખેલદિલીને પરિચય આપ્યા છે. અલબત્ત, નાટક' તરીકે તેનુ ં સંયેાજન શિથિલ લાગવાનું પણ આ ‘કલ્પન’ને પ્રકાર જ એટલા મુક્ત છે કે તેમાં ઘણી સ્વૈરતા નભી જવાની. પરંતુ જાતને નિરૂપતી વખતે જે તાટસ્થ્યની જરૂર પડે છે તેને અભાવ આ વિલક્ષણ પ્રયાગને પૂર્ણપણે સફળ થતાં અટકાવે છે. એક વિલક્ષણ પ્રયોગ તરીકે જ તે તૈધપાત્ર રહે છે.
સ્નેહુસ‘ભ્રમ અથવા પીડાગ્રસ્ત પ્રોફેસર' મૂળ વાર્તારૂપે રચાઈ. પ્રહસન રૂપે જ વધુ પ્રસિદ્ધ આ નાટક હળવે હૈયે, ઠ્ઠાચિત્રા આલેખી રચાતા ‘ફાર્સ'ની નજીક જતા પ્રહસનના સરસ નમૂના છે. અતિશયાક્તિ અને કટાક્ષ આ પ્રકારની કાઈ પણ કૃતિનાં મુખ્ય તત્ત્વા હાય. સ્ત્રીપુરુષ-સંબંધમાંથી જન્મતી મૂર્ખતાઓનુ` આલેખન આ કૃતિનું મુખ્ય વસ્તુ છે. પારસીઓને ફારસ વધુ ફાવે. વ્યવસાયી રંગભૂમિમાં વચ્ચે વચ્ચે ગૂંથાયેલાં ફારસામાં આ હળવાશ અને હથેાટી બુન્દે ન મળે. મુનશી અને ચંદ્રવદન સિવાય, બિનપારસી લેખકેામાં હળવે હાથે મુક્ત અને શિષ્ટ હાસ્યરસ ‘ફાર્સ' રૂપે પીરસનાર આપણે ત્યાં કેટલા ? ભવાઈમાં હતી તે મશ્કરી-ઠઠ્ઠા ને હાસ્ય-કટાક્ષની સરવાણી ફ્રામાં નભે. ગુજરાતી નાટકક્ષેત્રે
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪]
કનૈયાલાલ મુનશી હાસ્યની ઘણી કૃતિઓ છતાં આ નિર્મળ “ફાસ'ની વૃત્તિ મુનશી સાથે લગભગ ગુમાવી છે. થોડીક બચતરૂપે માત્ર ચંદ્રવદનમાં .
મુનશીનાં સામાજિક નાટકોને સમગ્રરૂપે અવલેતાં જણાશે કે તેમને પ્રધાન અભિગમ સમાજલક્ષી રહ્યો છે, તેમનું પ્રધાન ઉપકરણ હાસ્યકટાક્ષ રહ્યાં છે. વિડંબાકૃતિઓ તેમની કલમથી આસાનીથી સરજાય છે. પરંતુ “કાકાની શશી” જેવામાં શશી કે મનહરકાકા જેવાં પાત્રો વાસ્તવિક આલેખનની પણ તેમનામાં ઉચ્ચ. શક્તિ રહેલી છે તેનાં દ્યોતક છે. લગ્ન અને સ્ત્રીપુરુષ-સંબંધ લગભગ બધી કૃતિએને વિષય છે, અને “સુધારક’ મુનશી પુરુષ સમોવડી થવા મથતી સ્ત્રીઓની અર્વાચીન સ્વાતંત્ર્યવૃત્તિને પુરસ્કર્તા નથી તે સ્પષ્ટ થાય છે. “છીએ તે જ ઠીકએ એમના અભિગમને સૂચનાત્મક રીતે વ્યક્ત કરે છે. નાટક તેમની નામાં છે. તેમને સંવાદે સ્વાભાવિકતા અને નાટયાત્મકતાના મેળથી નાટયગદ્યનું સુંદર, ઉદાહરણ પૂરું પાડે છે. ગુજરાતી નાટકકારમાં બહુ ઓછા આવી સંવાદકલા. સિદ્ધ કરી શક્યા છે.
ઉધ્રુવસ્વામિનીદેવી” એ સંખ્યાબંધ ઐતિહાસિક નવલકથાઓ આપનારા મુનશીનું એકમાત્ર અતિહાસિક નાટક. વિશાખદત્તના ખંડિત સ્વરૂપે જ મળતા. નાટક “દેવી ચંદ્રગુપ્તમ' તેના મૂળમાં છે. પણ નિર્બળ રામગુપ્ત, જાજ્વલ્યમાન ધ્રુવદેવી અને તેજસ્વી ચંદ્રગુપ્ત તથા બર્બર શકાધિપતિનાં પાત્રો અને વ્યવસાયી રંગભૂમિની યાદ આપતી નાટકી ઘટનાઓ મુનશીકપ્યાં છે. ઈ. ૧૯૨૮ સુધીમાં ગુજરાત મુનશીને એટલા ઓળખી લીધા છે કે તેમનાં પાત્રો અને તેમની લાગણી-- ઓ હવે કઈ “નવીન નિરૂપણને વિસ્મય આપી શકે તેમ નથી. છતાં એક રંગક્ષમ નાટક અને રસપ્રદ સાહિત્યકૃતિ ઉભયરૂપે “ધ્રુવસ્વામિનીદેવી ગુજરાતી ના સાહિત્યમાં નોંધપાત્ર કૃતિ બની રહે છે. આજે જ્યારે સંખ્યાબંધ જૂનાં નાટકે અને કથાઓનાં ફિલ્મ રૂપાંતર થઈ રહ્યાં છે ત્યારે “તપણ” કે “ધ્રુવ--
સ્વામિની'નું ત...કારે રૂપાંતર કેમ નહિ સૂઝતું હોય ? મુનશીની નવલ અને નાટકમાં અર્વાચીન પ્રેક્ષકોને પણ સારા પ્રમાણમાં આકર્ષી શકે તેટલે રસરંજનાત્મક સંભાર અને ફિલ્મ જેવા માધ્યમથી અધિક ઊખળે એવી રોમાંચક શક્યતાઓ ઓછાં નથી!
પૌરાણિક નાટકે: મુનશીની પૌરાણિક કૃતિઓ આલેખવાને ઉમળકે જાણીતા છે. નવલકથાક્ષેત્રે તેમ કથાક્ષેત્રે પણ તેમણે સંખ્યાબંધ પૌરાણિક કૃતિઓ આપી છે. પૌરાણિક નાટકોમાં તેમની ચાર કૃતિઓ ગ્રંથસ્થ થઈ છે. પુરંદર પરાજય' (૧૯૨૨), 'અવિભક્ત આત્મા' (૧૯૨૩), “તર્પણ' (૧૯૨૪)
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ J, ૪ અને “પુત્રસમોવડી' (૧૯૨૮).
આ કૃતિઓને મુનશીએ પૌરાણિકકહી છે. પરંતુ પૌરાણિક એ શબ્દને - શબ્દશઃ લઈ શકાય તેમ નથી કારણ કે કેટલીક વાર પુરાણકાળ પહેલાંના વેદકાળમાં તે વિસ્તરે છે. એટલે આપણે “પૌરાણિકને ઈતિહાસ અને મહાકાવ્યની પહેલાંને કાળ એ ઉદાર અથે જ લેવો પડે. “પુરંદર પરાજયમાં ચ્યવનસુકન્યાની વાત, “અવિભક્ત આત્મામાં વસિષ્ઠ-અરુંધતીની, ‘તર્પણમાં સગરસુવર્ણની અને “પુત્રસમોવડી'માં દેવયાનીની કથા વસ્તુ તરીકે લેવાયેલી છે. ભારતીય સંસ્કૃતિના ઉગમકાળની આ કથાઓમાં મુનશીએ જાણે એ સંસ્કૃતિનાં પાયારૂપ મૂલ્યો પ્રગટતાં દર્શાવ્યાં છે.
પુરંદર પરાજયમાં યુવાન નારી તરીકે, પિતાને જીવન ભેગવવાને અધિકાર બળવાખોર બનીને પણ સિદ્ધ કરવા તત્પર થતી સુકન્યાને એક દષ્ટાન્ત-ના અનુભવથી સતીત્વનો મહિમા પારખતી અને સ્વેચ્છાના બલિદાન દ્વારા તે સિદ્ધ કરી ઇન્દ્રને પણ પરાજય કરે એવી ચારિત્ર્યશક્તિનું નિર્માણ કરતી દર્શાવી છે. તે “અવિભક્ત આત્મા'માં “આત્માનાં અડધિયાંના પરસ્પર આકર્ષણમાંથી જન્મતા પ્રેમના મૂલ્યના પાયા પર રચાયેલા દામ્પત્યની પ્રતિષ્ઠા છે. ‘તર્પણ'માં આર્યવિરોધી પરિબળોને પ્રચંડ પ્રતિકારથી વિનષ્ટ કરી આર્યવની પુનઃ
સ્થાપનાના ઉદ્યમનું નિરૂપણ છે, તે “પુત્રસમોવડી'માં સ્વાતંત્ર્યના અમરમંત્રને ઉષ છે. આમ પ્રત્યેક કૃતિમાં આર્યસંસ્કૃતિના પાયાના મૂલ્યની સ્થાપનાને પ્રયત્ન છે. એ દષ્ટિએ આ સંગ્રહની કૃતિઓ ભિન્ન ભિન્ન છતાં એક સામુદાયિક એકતામાં સમાવિષ્ટ થઈ શકે છે. ચારે કૃતિઓમાં નાટયાત્મક ઘટના દ્વારા જ કથયિતવ્ય વ્યક્ત થયું છે તે નાટકકાર તરીકેની મુનશીની શક્તિનું સૂચક છે.
પ્રાચીન પ્રાગઐતિહાસિક સમયનું વાતાવરણ, ભવ્યતા, અદ્દભુતતા વગેરે માં અધિક રાચતી મુનશીની કલ્પનાને અનુકૂળ ક્ષેત્ર નીવડે છે. અશ્વિને, ઈન્દ્ર, સપ્તર્ષિઓ, ઋષિઓ, દાનવો વગેરે સમાં અસાધારણ પાત્રો, મંત્ર ને મંત્રોચ્ચારો, યો અને આહુતિઓથી અલૌકિક બનતું વાતાવરણ, આવા વાતાવરણમાં નિર્વાહ્ય એવી ચમત્કારિક ઘટનાઓ, મુનશીની કૌતુકપ્રિય કલમ માટે અનુકૂળ સામગ્રી બની રહે છે. વાતાવરણને અનુરૂપ સંસ્કૃતાઢય સંવાદભાષા, અને તેની વાગ્મિતાયુક્ત “નાટકી' છટા, વાતાવરણને નાટ્યાત્મક રીતે પ્રગટ કરવામાં સહાયક બને છે, તે વાચકને સંવાદરૂપ છતાં અવાસ્તવિક વાગવૈભવને આસ્વાદ કરાવે છે. આ બધામાંનું ‘આર્યાવર્ત પ્રદેશને નહિ પણ સંસ્કૃતિને પર્યાય બની જાય છે. ને એની સ્થાપનાને ઉદ્યમ એ જ જાણે ચારે નાટકનો ઉદ્યમ બની રહે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪]
કનૈયાલાલ મુનશી
[ ૧૮૯
ચારે કૃતિમાં સંધ છે જ, અને ઉત્કટ છે. તેથી નાટ્યાત્મક પ્રભાવ અસરકારક બને છે, ઉપરાંત સંધ પણ એક જ સ્તરે પ્રગટતા નથી તેથી નાટકમાં એકથી વધુ સ્તરા એકસાથે પ્રગટ થઈ કૃતિને અનેકપરિમાણી બનાવે છે.સુકન્યા, સગર, અરુંધતી-વસિષ્ઠ, દેવયાની બધાં એક પાસથી બાહ્યભૂમિકાના સંધ માં સક્રિય છે તા ખીજી પાસથી માનસિક ભૂમિકાએ, ઊર્મિઓના — લાગણીઓના સંધમાં પણ વ્યસ્ત છે. નિરૂપણની આ શક્તિ, ર ંગક્ષમતાની દૃષ્ટિએ મર્યાદાવાળાં છતાં નાટયાનુભૂતિની દૃષ્ટિએ તીવ્ર એવાં આ નાટકાને ગુજરાતી સાહિત્યની મૂલ્યવાન સમૃદ્ધિ બના વે છે.
મુનશીને ન ઐતિહાસિક તેમ ન પૌરાણિક તથ્યાની જાળવણીની ચિંતા છે.. એમનું લક્ષ્ય એક મૂલ્યને વ્યક્ત કરવા ભણી છે, તે એમના પ્રયત્ન તે માટે અનુકૂળ નાટટ્યાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન કરવા તરફ છે. બાકીનું બધું નિમિત્ત. છે. પણ આ કારણે, આ અજ્ઞાત ‘પૌરાણિક’ સંસારને ‘ભાવના' દૃષ્ટિએ આલેખતાં તે ચ્યવન, ભાવ, ઔવ` કે ઉશનસને આરાધે છે, તેા કયારેક આ ઇતિહાસને ઉગમકાળ હતા, આદિમ સમાજના કાળ હતા તે યાદ આવતાં તે સામાન્ય માન્યતાઓને આધાત આપે તેવાં ચિત્રા પણ આલેખે છે. ઋષિઓ, અને હિંસાનાં ચિત્રા આવાં છે, તેા ચ્યવનના ભૃગુકુળનાં સામાન્યજન વગેરેમાં જાણે આપણા જ જમાનાની સાધારણ વસ્તીનાં ચિત્રા જણાય છે. પાત્રા-પ્રસંગા પણુ કેવળ પેાશાકાદિથી પૌરાણિક બનતાં નથી, તેમનાં વિચાર-વન પણ જે તે સમયને અનુકૂળ હેાય એવી અપેક્ષા રહે જ. મુનશીનાં ‘પૌરાણિક નાટકો'માં, આ દિષ્ટએ જેટલી પૌરાણિકતા છે તેટલી જ અર્વાચીનતા પણુ જણાય છે. સુકન્યાના વિદ્રોહ, વસિષ્ઠ-અરુંધતીની પ્રેમભાવના, દેવયાની અને શુક્રાચાર્યની સ્વાતંત્ર્યભાવના—આ બધામાં આપણને અર્વાચીનતાને સ્પષ્ટ પરચા થાય છે.
આ નાટકામાં—ખાસ કરીને ‘તણુ’ વ.માં નિરૂપણની કેટલીક વિગતા નાટકાના રંગાવતારને લગભગ અશકય બનાવે છે (‘તણુ' ભજવાયું છે છતાં) પણ ‘ફિલ્મ’ જેવા અર્વાચીન માધ્યમને પ્રયેાજતાં તે અત્યંત અસરકારક નીવડી શકે. એકંદરે, આ નાટકા વહેંચાતાં, નાટચાત્મક અનુભવ અને કૌતુકપૂર્ણ કથા-પ્રસંગ-રસ સાથે સંવાદભાષાની છટાને વિશિષ્ટ આસ્વાદ આપી જાય છે. મુનશીની આ કૃતિએ આપણા અલ્પધન નાટ્યસાહિત્યમાં તેમનું મહત્ત્વનું પ્રદાન ગણાય. આ સિવાય મુનશી પાસેથી લાપામુદ્રા ખંડ ૨-૩-૪ સિવાય અન્ય પૌરાણિક નાટકા મળતાં નથી.
લાપામુદ્રા' ચાર ખંડમાં વિસ્તરેલી મુનશીની મહત્ત્વાકાંક્ષી કૃતિ છે. પહેલે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ગ્ર'. ૪
ખંડ નવલકથારૂપે અને બાકીના ત્રણે ખંડ નાટકરૂપે રચાયેલા છે. પૌરાણિક નાટકા'માં પ્રાગૈતિહાસિક પરિસ્થિતિઓના આલેખનમાં નાટચાત્મકતાના જે લાભ મળ્યા તેને કારણે આ કૃતિના બાકીના ત્રણ ભાગ નાટકસ્વરૂપે આલેખ્યા હાય. નાટક કે નવલકથા પરત્વેની અનિણૅયાત્મક મનેાદશા પણ એમાં જણાઈ આવે. પ્રથમ ખ’ડ‘વિશ્વરથ'માં વિશ્વામિત્રની બાલ્યાવસ્થા નિરૂપ્યા પછીના બાકીના ત્રણે ભાગ — ‘શ’બરકન્યા’, ‘દેવે દીધેલી' અને ‘વિશ્વામિત્ર ઋષિ’—માં આ કથા વિશ્વરથવિશ્વામિત્રની જ વધુ લાગે છે; લેપામુદ્રાનું પાત્ર કેન્દ્રથી બહુ દૂર ખસેડાતું નથી છતાં વૈદિક યુગનુ વાતાવરણ, દાશરાજ્ઞયુદ્ધની ભૂમિકા વ. આલેખવાના આ પ્રયત્ન પ્રધાનતઃ તા વિશ્વરથમાંથી વિશ્વામિત્ર ઋષિના વિકાસની કથા જ બની રહે છે. મત્રદર્શન વગેરેનું આલેખન તે યુગના વાતાવરણને અલૌકિક સ્વરૂપે પ્રગટ કરવાના પ્રયત્ન છે તા દસ્યુ સાથેના પ્રસંગે, યુદ્ધ, ઉપ્રદેવની વિગતા, ઋષિ વિશેના ટલાક પ્રસંગે! વ. સમગ્ર કથાને અઐતિહાસિક ભૂમિકા પર લાવી તે જમાનાને વાસ્તવિક રૂપે નિરૂપવાના પ્રયત્ન છે. તેમની ઇતિહાસદૃષ્ટિ ઋિષઓને આદિ મનુષ્યા સમા ચીતરવા પ્રેરે છેતેા તેમની રંગદશી' ષ્ટિ તથા આર્યાવના ઉષ:કાળની ભવ્યતા-અલૌકિકતા પ્રત્યેના અહેાભાવ તેમને માઁત્રને અને અલૌકિક વાતાવરણ આલેખવા તરફ લઈ જાય છે. તત્કાલીન રંગભૂમિથી પોષાયેલી તેમની નાટચરુચિ તેમને તખ્તાપરક દસ્યા-સંવાદે આલેખવા ઉઘુક્ત કરે છે, હાસ્યપ્રસંગેાઅતિરંજક પ્રસ ંગેા ચિતરાવે છે, તેા ખીજી બાજુ આર્યાવર્તીની મહાકથાના આલેખનનું તેમનું સ્વપ્ન, તેની દિવ્યતા-ભવ્યતા-લેાકેાત્તરતાને મહિમા આલેખવાને તેમનેા ઉત્સાહ તેમની કલમમાં નવા રંગા પૂરે છે. પરિણામે સમગ્ર કૃતિમાં એક પ્રકારની દ્વિધા અનુભવાયા કરે છે છતાં, અગસ્ત્ય-લેાપામુદ્રાની ‘સ્નેહ’કથા, શાંબરી-વિશ્વરથની આ -અનાર્ય -પ્રેમકથા, વિશ્વરથના ભાવનાસંધ વગેરેથી કૃતિ આપણે ત્યાં વિશિષ્ટ પ્રયાગ બની રહે છે. એમાંના આર્ય-અનાર્ય-સબ ધ-પ્રશ્ન કાઈને ગાંધીયુગના ઊંચ-નીચાતિભેદના પ્રશ્નનું સૂચન કરતા પણ લાગે
રચનામાં રંગક્ષમતાને તે કદી વીસરતા નથી, ને છતાં તેમની કૃતિઓના સાહિત્યગુણ ઊણા નથી ઊતરતા. તેમને કંઈ કહેવાનું છે જ અને તે ‘નાટક'ની રીતે જ તે રજૂ કરી શકે છે.
રંગભૂમિ-નાટકનું સ્વરૂપ તેમને વ્યાવસાયિક પરંપરાગત રંગભૂમિમાંથી જ મળેલુ છે. તેમનાં પ્રહસનેામાં, ને ‘કાકાની શશી’ જેવી નાટયકૃતિમાં એ રંગભૂમિના શાખના પ્રભાવ સ્પષ્ટ છે, પરંતુ રંગભૂમિના સ્વરૂપને જાળવીને નવું નાટક' આપવાનું તે જ કરી શકયા છે. સાહિત્ય અને રંગભૂમિનેા, આપણા સાહિત્યક્ષેત્રે
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪]. કનૈયાલાલ મુનશી
[૧૯૧ વગેવાયેલ વિચ્છેદ મુનશીની કૃતિમાં દૂર થયેલે જણાશે. રંગભૂમિ સાથેના તેમના શોખપૂર્વકના સંપર્કને કારણે જ, રંગભૂમિનું સ્વરૂપ બદલાતાં તે અર્વાચીન રંગભૂમિને અનુરૂપ “છીએ તે જ ઠીક જેવી રંગમંચ પર સફળ કૃતિ સર્જી શક્યા છે. સાહિત્યમાં અને રંગમંચ પર ઉભયક્ષેત્રે આવકાર્ય એવી કૃતિઓ આપનારા મુનશી, ચંદ્રવદન ઉપરાંત આપણે ત્યાં અન્ય જૂજ ગુજરાતી નાટકક્ષેત્રે મુનશીનું પ્રદાન ઓછું ન અંકાય. અન્ય કૃતિઓ
મુનશી પ્રધાનતઃ વાર્તાકાર. પરંતુ તેમની અન્ય ગદ્યકૃતિઓ પણ તેમની વ્યક્તિત્વમુદ્રાના પ્રભાવે આપણું સાહિત્યમાં નોંધપાત્ર મહત્વ ભગવે તે સ્વાભાવિક છે. નવલિકા, નવલકથા, નાટક ઉપરાંત મુનશીએ ખેડેલા ગદ્યપ્રકારોમાં આત્મકથા, જીવનચરિત્ર, નિબંધ, વિવેચન તથા ઇતિહાસવિષયક અને ચિંતનપ્રધાન લખાણને સમાવેશ થાય છે. પદ્ય તેમણે રચ્યું જ નથી.
આત્મકથા-જીવનચરિત્ર: “અડધે રસ્તે' (૧૯૪૩), “સીધાં ચઢાણ (૧૯૪૩) અને “સ્વપ્નસિદ્ધિની શોધમાં' (૧૯૫૩) એ મુનશીની આત્મકથાના ખંડો છે. “મારી બિનજવાબદાર કહાણી' (૧૯૪૩) એ પ્રવાસવર્ણન છતાં આત્મકથાનું જ પ્રકરણ ગણી શકાય. તેમ જ “શિશુ અને સખી' (૧૯૩૨) એ વાર્તા સ્વરૂપે હોવા છતાં આત્મનિવેદન જ છે.
અડધે રસ્તે'માં કુલપરંપરા, પૂર્વજપરિચય અને જન્મકાલીન સામાજિક પરિવેશ તથા કુટુંબકથા સહિત, જન્મથી માંડીને સ્નાતક થવા સુધીને કાળનું આલેખન છે, “સીધાં ચઢાણમાં સ્નાતક થયા પછી મુંબઈમાં મુકામ કરવાથી માંડીને તે અનેક મથામણ-સંકડામણને અંતે પોતે વ્યવસાયમાં અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે, સાહિત્યમાં અગ્રિમ સાહિત્યકાર તરીકે અને સામાજિક ક્ષેત્રે આગેવાન કાર્યકર તરીકે પ્રતિષ્ઠિત થાય છે ત્યાં સુધીની કથા રજૂ થઈ છે, અને “સ્વનિસિદ્ધિની શોધમાંમાં ૧૯૨૩થી ૧૯૨૬ના ટૂંકા ગાળા દરમ્યાન, પણ સૌ. લીલાવતી સાથેના સ્નેહસંબંધની ઘટનાનું તેમ જ અગત્યની સામાજિકરાજકીય ઘટનાઓને કારણે જીવનને અત્યંત મહત્ત્વને વળાંક આપતી હકીકતે અને અનુભવોનું નિરૂપણ થયું છે. આ ત્રણે મળીને પણ તેમના ખાસ્સા દીધું જીવનનાં માત્ર ૩૦ વર્ષનું જ બયાન આપે છે અને જે જાહેર રાષ્ટ્રીય ક્ષેત્રે કરેલી પ્રવૃત્તિઓએ મુનશીને રાષ્ટ્રીય મહત્વ આપ્યું તેના તો પ્રવેશઉંબર સુધી જ અવાયું છે અનેકવિધ ક્ષેત્રમાં એકસાથે અત્યંત પ્રવૃત્તિશીલ રહેનાર અને બધાંમાં
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર'. ૪
માતબર સિદ્ધિ મેળવનાર મુનશીના તે ગાળાના જીવન વિશેનું કુતૂહલ સ ંતાષાતું નથી, કારણ કે તે પછીના કાળની ‘આત્મકથા' એમણે લખી નથી. કોંગ્રેસ સાથેના તેમના સંબંધે, રાજદ્વારી પ્રવૃત્તિઓ, પ્રધાનપદાં-રાજ્યપાલપદના અનુભવે, હૈદરાબાદમાંની કામગીરી, બંધારણસભા અને આઝાદીના પ્રથમ વર્ષીના અનુભવે – ઘણી બધી રસિક વાતા તેમની કલમમાંથી મળી હેાત, પણ તે નથી થયું !
Ο
મારી બિનજવાબદાર કહાણી' અને ‘શિશુ અને સખી' આત્મકથા માત્ર મુનશીના જીવનની ઘટનાએ જાણવાની તેમ જ તે સાથે તત્કાલીન પરિસ્થિતિઓ અને હકીકતાની દૃષ્ટિએ જ નહિ પણ રસિક વાચનક્ષમ સાહિત્યકૃતિઓ તરીકે પણ મહત્ત્વની છે. આત્મકથાકાર માટે આવશ્યક નિરીક્ષણાત્મક અને ‘સ્વ’ પ્રત્યે પણ વસ્તુલક્ષી દષ્ટિ રાખી કરાતું નિરૂપણુ, નિખાલસતા સાથે સ્વાનુભૂતિના આસ્વાદ એ બધાં લક્ષણૈાથી આ કૃતિએ વ ંચિત નથી, પરંતુ તે સાથે વાર્તાકળાના સિદ્ધહસ્ત કસખીને કલમકામિયા એ ‘આપ-કથા'ની કેવળ વસ્તુપરક અને હકીકતપ્રધાન સામગ્રીને વાર્તાસમાન રસાત્મક કૃતિએ બનાવે છે. ચિત્રાત્મક રીતે આલેખાયેલાં ચિરત્રા અને ઘટનાએ, લાક્ષણિક નર્મયુક્ત કટાક્ષપ્રધાન નિરૂપણા અને તાદશ, સજીવ તેમ જ સરૂંવેદનસભર આલેખના એ કૃતિએને તેમની વાર્તાઓની હરોળમાં મેસી શકે તેવી બનાવે છે. ‘અડધે રસ્ત’માંનાં કુટુંબકથા તેમ જ શૈશવ-યૌવન નિરૂપ્યમાણુ હાઈ લેખકને પ્રાપ્ત થયેલુ કાલક્રૂરત્વ અને તેના પરિણામરૂપ વસ્તુપરકતા વધુ ચિત્રાત્મક-સર્જનાત્મક આલેખને, ‘સીધાં ચઢાણ'માં ઘટના અને વિગતાનું પ્રાધાન્ય અને વેગ, તા સ્વપ્નસિદ્ધિની શેાધમાં'માં મિશીલતા – એમ પ્રત્યેક ખંડને, યથાપ્રસંગ બદલાયેલી શૈલીને કારણે વિશેષત્વ પણ પ્રાપ્ત થયું છે. મારી બિનજવાબદાર કહાણી'માં યુરે।પીય સંસ્કારતીર્થા સાથેના પ્રત્યક્ષ પરિચય વર્ણવાયા છે તા ‘શિશુ અને સખી'માં કલ્પિત પાત્ર આસપાસ એક રીતે કહીએ તા સંવેદનાનું — કથા નહિ, વ્યથાનું નિરૂપણુ તનુરૂપ કાવ્યમય ગદ્યશૈલીમાં થયેલુ પ્રાપ્ત થાય છે. વળી, જેમ મુનશીની ‘આત્મકથા' વાર્તારૂપ બની જાય છે તેમ સામાજિક વાર્તાઓમાં ‘આત્મકથા' અનુસ્મૃત થઈ ગયેલી જણાઈ આવે છે, તે જોતાં આત્મકથાના આ ખડાને, તેમની સામાજિક નવલકથા પૂરક બની રહે છે. આ આત્મકથામાંથી પ્રગટ થતું વ્યક્તિત્વ, અને એ વ્યક્તિત્વની સંસ્કારસમૃદ્ધિ મુનશીની કૃતિએને પામવામાં સહાયક નીવડી શકે તેમ છે. એ રીતે મુનશીની આત્મકથાત્મક કૃતિએ ગુજરાતના અને ભારતના એક અગ્રિમ પુરુષની આત્મકથા તરીકે જ નહિ પણ નિરૂપણરીતિની દૃષ્ટિએ પણ ગુજરાતી આત્મકથા સાહિત્યમાં સવિશેષ નોંધપાત્ર બની રહે છે.
-
Page #202
--------------------------------------------------------------------------
________________
કનૈયાલાલ સુનશી
[ ૧૯૩
ગુજરાતના જ્યાતિર્ધરો' અને ‘નરસિ’હયુગના કવિઓ’(૧૯૬૨)ને ચરિત્રા નહિ પણ ઇતિહાસની – સાહિત્યના ઇતિહાસની સામગ્રી થઈ શકે તેવાં નેધા-ટાંચણા ગણવાં ઉચિત લેખાય. પરંતુ નરસૈ ંયા ભક્ત હરિનેા' (૧૯૩૩) અને ‘નર્મદ - અર્વાચીનામાં આદ્ય' (૧૯૩૯) બન્ને ચરિત્રાત્મક કૃતિ છે. ચરિત્રલેખક માટે આવશ્યક એવુ નિરૂપ્યમાણુ ચરિત્રનાયક માટેનુ આકણુ, તેને વિશેની સામગ્રી પ્રાપ્ત કરવાનેા અને તેને ચેસ દષ્ટિબિંદુથી રજૂ કરવાના પ્રયત્ન વગેર લક્ષણા આ કૃતિમાં પણ છે જ. પરંતુ આ કૃતિમાં સંશાધનાત્મક હકીકતનિરૂપણુ કે ચરિત્રવનને ખલે ચરિત્રસામગ્રીના વિનિયેાગમાંથી ચરિત્રનાયકનું વ્યક્તિત્વ લેખકે ઓળખેલુ -કપેલું વ્યક્તિત્વ પ્રગટ કરવાને પ્રયત્ન વધુ મહત્ત્વના બની રહે છે, અને લેખકની વાર્તાનુરૂપ રસપ્રધાન સર્જનાત્મક શૈલી તેમાં કામયાબ નીવડે છે; પરિણામે બંને ચરત્રા કેવળ શુષ્ક જીવનકથાઓને બદલે જીવંત વાર્તાઓ સમાં બની રહે છે. હકીકતાની ઊણપેા રસપ્રધાન રંગદર્શી શૈલી ઢાંકે છે, અને આપણને સર્જનાત્મક ચરિત્રાલેખનના એ સુંદર નમૂના પ્રાપ્ત થાય છે.
પ્ર. ૪]
વિવેચનાદિ નિષધસાહિત્ય : ‘કેટલાક લેખે ' (૧૯૨૬), ઘેાડાંક રસદર્શના' (૧૯૩૩) અને ‘ગુજરાતની અસ્મિતા' (૧૯૩૯)માં તેમના નિબ ંધે સંગ્રહાયા છે. ‘આત્મશિલ્પની દેળવણી'માં એમના કેળવણીવિષયક લેખે અને કેટલાંક ચરિત્રાંકને છે. મુનશી સારા નિબંધકાર છે પણ તેમાં પણ તેમની શૈલી વાગ્મિતાપ્રધાન અને બહુધા ઉદ્દેાધનાત્મક જ રહે છે. ‘આદિવચને’-૧ (૧૯૩૩) અને ૨ (૧૯૪૧)માંના ઘણાખરા ‘લેખા' ઉદ્દેાધના જ છે, પરંતુ જ્યાં સ્પષ્ટ ઉત્ખાધન અને વ્યાખ્યાનસ્વરૂપ ન હેાય ત્યાં પણ મુનશીની શૈલીમાં ઉદ્ધેાધનાત્મક રીતિ, તદનુરૂપ વાગ્મિતા અને વાણીલયાદિ તત્ત્વ ઉમેરાયેલાં જ હેાય છે. આથી હકીકતા-મુદ્દાઓ-વિચાર-ત વગેરે ગૌણુ બની વાણી દ્વારા ઊભા થતા આયોગના વાતાવરણમાં એગળી જાય છે. મુનશીનુ ં કથયતવ્ય વસ્તુ કરતાં વાણી-‘અભિવ્યક્તિ’ દ્વારા વધુ પ્રગટ થાય છે. રામૅન્ટિક શૈલીની એ લાક્ષણિકતા છે. આને પરિણામે, મુનશીએ તેમના નિબંધાદિમાં રજૂ કરેલી આર્યાવર્ત અને ગુજરાતી અસ્મિતાની ભાવનાએ, પ્રેમભક્તિ અને સ્વતંત્રતાનાં મૂલ્યા, આપણાં ઐતિહાસિક ભવ્યતા અને ગૌરવનાં ચિત્રા, એટલું જ નહિ પણ પ્રણાલિકાભગની બંડખારવૃત્તિ અને સમાજપરિવર્તનને ક્રાન્તિકારક જુસ્સા — એ બધાં તત્ત્વા પ્રથમ વાયને આંજી નાખે એવાં અસરકારક નીવડે છે; વાચકને ભાવના અને ભાવુકતાના, ‘ભવ્યતા' અને ગૌરવ'ના, પ્રચંડતા', ‘પ્રભાવકતા' અને ‘પ્રણાલિકાભ’જકતા'ના વ્યામવિહારી
-
ગુ. સા. ૧૩
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં૪
અનુભવ કરાવીને તેના મનને “ભર્યો ભર્યો અનુભવ કરાવી શકે છે પરંતુ એ જ લખાણે પૃથક્કરણાત્મક ઝીણવટભરી તટસ્થ અવેલેકનામાં ઘણું “હવાઈ' અને ક્યારેક આડંબરી જ નહિ પણ વિરોધાત્મક પણ જણાશે. આમ છતાં “વિયતિ બહુતરમ' એવી એમની નિરૂપણરીતિ આકર્ષક પ્રભાવક અને અસરકારક નીવડે જ છે અને હૃદયને “તર્કથી બૌદ્ધિક રીતે નહિ પણ ભાવનાશીલતાથી કશીક “પ્રતીતિ કરાવી જવામાં સફળ નીવડે છે. ઉત્કટ ગૂર્જર પ્રેમમાંથી જન્મેલાં તેમનાં “ગુજરાતી અસ્મિતા'નાં નિબંધસ્વરૂપે, નવલકથા સ્વરૂપે તેમ જ ઈતિહાસ સ્વરૂપે આલેખન શાસ્ત્રીય અવકને ઊણાં ઊતરે તે પણ ગુજરાતી પ્રજાના હૃદયમાં “ગુજરાતની અમિતા પ્રગટાવવામાં અવશ્ય સફળ નીવડ્યાં છે એ હકીકત સ્વીકારવી જ રહી. તેમની સામાજિક વિદ્રોહાદિ ભાવનાઓમાં તેમની વિચારણું અને તર્કસંગત રજૂઆત કરતાં, તેમની સ્વપ્નદશ રંગીન પ્રગભતા વધુ કામયાબ નીવડ્યાં જણાય છે. કારણ સ્પષ્ટ છે – મુનશી સ્વભાવે સ્વપ્નદ્રષ્ટા છે, શૈલીએ રંગદશી છે. તેમની શક્તિ અને મર્યાદા બંનેનાં એમાં જ મૂળ રહ્યાં છે.
વિવેચનક્ષેત્રે, પ્રણાલિકાભંગ, ઐતિહાસિક નવલકથાવિષયક તેમનાં મંતવ્ય, સરસતાવાદ, મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિસંપ્રદાયવિષયક તેમનાં લખાણો વગેરે મહત્ત્વનાં ગણાય. એક રીતે તે તેમના વિવેચને તેમની સાહિત્યકૃતિઓને ભૂમિકા પૂરી પાડી છે તે તેમની કૃતિઓએ તેમના વિવેચનને દૃષ્ટાંતો પૂરાં પાડયાં છે અને બંને પરસ્પર પૂરક બની રહ્યાં છે; અને પરસ્પર પૂરક પ્રવૃત્તિમાંથી જ ગુજરાતને ગોવર્ધનયુગ અને ગાંધીયુગના સાહિત્યમૂલ્યોની પડેછે રોમેન્ટિક સાહિત્યદષ્ટિનું “સરસતાને મૂલ્યનું પ્રસ્થાન મળ્યું છે. બે મહાપ્રભાવ વચ્ચે પોતાની રીતે, પોતાના અર્થમાં “સરસતા'ના મૂલ્યનું સ્થાપન કરવું અને તેને ગુજરાતી સાહિત્યનું પ્રભાવક પરિબળ બનાવવું એ સિદ્ધિ નાનીસૂની નથી. દયારામના શૃંગારને આગવી રીતે ઉકેલતાં કે મધ્યકાલીન ભક્તિપ્રવાહને પોતાની રીતે મૂલવતાં મુનશીનાં લખાણે મહત્ત્વનાં તો છે જ – તેમનાં મંતવ્યો સાથે સંમત થઈએ કે ન થઈએ; અને સૌથી વધુ તે “Gujarat And Its Literature' (૧૯૩૫) એ સાહિત્યના ઈતિહાસગ્રંથની રચના તેમને અદ્યાપિપર્યત તે ક્ષેત્રે “અનન્ય’ ગણાવે તેવું સ્થાન અપાવે છે. તે ઇતિહાસના “અંતિમ પ્રકરણ” પછી બીજે એવડો ગ્રંથ થાય તેટલો કાળ વહી ગયો છતાં હજી એવો બીજો ઇતિહાસ ગુજરાતમાં રચાયે નથી એ હકીક્ત જ મુનશીની સિદ્ધિનું મૂલ્ય સૂચવે છે. એટલે સાહિત્યવિવેચનક્ષેત્રે, મુનશી મોટા વિવેચક ગણાય કે ન ગણાય, વિવેચકે તે તેમને ટાળી ન શકે તેટલાં અને તેવાં તેમનાં પ્રદાન-પ્રભાવ તો અવશ્ય રહ્યાં જ છે તે સ્પષ્ટ છે. મુનશીએ
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૯૫ અંગ્રેજીમાં પણ “આઈ ફેલે ધ મહાત્મા' (૧૯૪૦), ધ અલી આર્યન ઇન ગુજરાત' (૧૯૪૧), ધ ગ્લેમરી ધેટ વોઝ ગૂર્જર દેશ' (૧૯૪૩), ભગવદ્દગીતાઍન્ડ મોડર્ન લાઈફ' (અં. ૧૯૪૫–૪૭), “કુલપતિઝ લેટર્સ (૧૯૫૪, ૫૬, ૫૮), ધ સાગા ચૈફ ઈન્ડિયન કચર' (૧૯૫૭) વગેરે અનેક કૃતિઓ લખી છે અને એમની ગુજરાતી કૃતિઓના હિન્દી, કન્નડ ભાષાઓમાં અનુવાદો પણ થયા છે. ગુજરાતની કીર્તિગાથા', ‘ચક્રવતી ગૂર્જરને પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ.
ગદ્યશૈલી મુનશી ગુજરાતના ઉત્તમ ગદ્યકારોમાંના એક ગણાય છે તે કેવળ તેમની ગદ્યકૃતિઓના વૈપુલ્યને કારણે નહિ, પણ તેમણે એક વિશિષ્ટ ગદ્યશૈલી ઉપજાવી છે અને ગુજરાતી ગદ્યને એ વિશિષ્ટ રીતિ અને લઢણથી પ્રભાવિત કર્યું છે તે કારણે.
મુનશીના ગદ્યનાં મુખ્ય લક્ષણેમાં, લલિતતા, સરળતા, પ્રવાહિતા તથા નાટયાત્મકતા અને વાગ્મિતાપ્રાધાન્ય ગણાય. તેમની આરંભની કૃતિઓમાં જણુતા ઘડતરકાળને ગદ્યમાં સ્વાભાવિક ગુજરાતી ગદ્યને બદલે આયાસપૂર્ણતા અને કિલષ્ટતા જણાય છે તે તેમને ગુજરાતીને બદલે “અંગ્રેજીના સવિશેષ સેવનનું પરિણામ છે. પરંતુ બહુ જ ઝડપથી તેમની કલમ વિશિષ્ટ છટા સિદ્ધ કરતી જણાવે છે. ગુજરાતનો નાથ'માં તેનું પ્રથમ ઉત્તમ પરિણામ મળે છે. નવલિકાએમાં તે તેથીય વહેલું અને સહેજે સિદ્ધ થયેલું જણાશે. તેમના ગદ્યની લલિતતા તેમના જ કાળતા –ગાંધીયુગના અન્ય ગદ્યકારે - મુખ્યત્વે નિબંધકારના ગદ્ય સાથે સરખાવતાં સ્પષ્ટ થશે, તો સરળતા અને પ્રવાહિતા તેમના પુરોગામી પંડિતયુગના ગદ્ય સાથે સરખાવવાથી સમજાશે. મુનશીના સમકાલીન તેમ જ ઉત્તરકાલીન ગુજરાતી ગદ્યકારોમાં લલિતતા અને સરળતા અનેકમાં મળી શકશે પણ મુનશીએ જે નાટયાત્મકતા અને વાગ્મિતા તેમના ગદ્યમાં પ્રગટ કર્યા છે તેની છટાઓ અન્યત્ર મળવી મુશ્કેલ છે. નાટ્યાત્મકતા કેવળ સંવાદમાં જ નહિ પણ વર્ણનાત્મક કથનાત્મક ગદ્યમાં પણ પ્રગટ થાય છે અને ત્યાં તે ઉધનાત્મકકથનાત્મક વાગ્મિતા(rhetoric)નું રૂપ લે છે. આને કારણે તેમના ગદ્યમાં કેટલીક વાક્છટાઓ અને વાભંગિઓ, ક્યારેક લઢણુ લાગે તેટલે અંશે પુનરાવૃત્ત થતી જણાશે. એ વાગ. શલી તેમના ગદ્યની આકર્ષક અને અસરકારક લાક્ષણિકતા બની રહે છે. પૃથક્કરણે કૃત્રિમ - આયાસપૂર્ણ અથવા “નાટકી' લાગતી એ છટાઓ પ્રવાહી અને પ્રગટ ઉચ્ચારાત્મક વાચને, શબ્દ, વાગભંગિઓ, વાક્યખંડો અને શબ્દોમાં વામિતા
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
ચં.
યુક્ત તેલનને કારણે આકર્ષક નીવડે છે. એક પ્રકારની સેકસભા-ઉબોધન જેવી આડંબરી પણ છટાદાર ભાષણ શૈલીના અંશે તેમના ગદ્યમાં વણાઈ ગયેલ જણાશે.
તેમણે પ્રસારેલી રોમૅન્ટિક – રસાળ અને લલિતસરળ શૈલી વાચન આકર્ષણ અને અનેક ઉત્તરકાલીન લેખકેનું દિશાસૂચન બની રહે છે. પરંતુ એ શલી એટલા માટે અનુકરણપ્રાપ્ય નથી, કે મુનશીના વ્યકિતત્વની જ એ નીપજ છે. એ વ્યક્તિત્વની પ્રબળ મુદ્રા તેના પર અંકિત છે. અલબત્ત, કેવળ ગદ્ય’માંથી જ નીપજત, ગઘના શબ્દવિન્યાસ, શબ્દસંગીત, લય તથા વાક્યાવલિઓના રચના સ્થાપત્યમાંથી જ પ્રગટતે સંતર્પક ગદ્યગુણ અહીં બહુધા ગેરહાજર છે. ઊંડા અને સૂમ રસાનુભવમાં – ગહનમાં ગરકાવ થવાનું અહીં શક્ય નથી. નાટ્યાત્મક વાગ્મિતાપ્રધાન અને વેગવાન શિલીમાં એ શક્ય નથી. વેગવાન પ્રપાતગતિ અને વિશાળ અને ઊંડા પ્રવાહની ગંભીરગતિ વચ્ચેને એ તફાવત છે. મુનશી પછી પણ વિવિધ પ્રકારની રોમેન્ટિક શેલીઓ ગુજરાતી સાહિત્યમાં પ્રગટી છે. મુનશીએ ગુજરાતને વિશિષ્ટ ગદ્યશૈલી આપી છે તે હકીકત છે. “ગુજરાતને નાથમાંની નાટ્યાત્મકતા, રાજાધિરાજ'માંનાં કે “જય સોમનાથનાંનાં કેટલાંક વર્ણનાત્મક પ્રકરણોની કથનશૈલી, “શિશુ અને સખી”ની કાવ્યમયતા, આત્મકથાના ખંડોમાં મળતી નર્મપ્રધાનતા, માર્મિકતા, કટાક્ષ અને વર્ણનપ્રધાનતા કે ઊર્મિશીલતા ઉપરાંત તેમના ચરિત્રગ્રંથ, આદિવચને અને વિવેચનેમાંની બુલંદ ઉદ્દબોધનાત્મક વાગ્યતા વગેરે અનેક ઉદાહરણ મુનશીને ગુજરાતના એક સમર્થ ગદ્યકાર સિદ્ધ કરવાને પૂરતાં છે.
મુનશીએ તેમના દીર્ઘજીવન દરમ્યાન, સતત લખાણ કર્યું છે, અન્તપર્યા – એક યા બીજા પ્રકારનું. તે ઉદ્યમી હતા, તેમનાં ઈતિહાસવિષયક લખાણે ઈતિહાસવિદ જ મૂલવે તે યોગ્ય. “કુલપતિના પત્રો સ્વરૂપે, કે અધ્યાત્મચિંતન અને ઉબોધન તરીકે, એમણે જે કાંઈ કહ્યું-લખ્યું તેને સંચય મોટે છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં તે તેઓનું મરણ પ્રધાનતઃ સંકળાયેલું રહેશે વાર્તા સાથે જ.
સમગ્રતયા અવલોકતાં, ઘણુ મર્યાદાઓ છતાં, સર્જન અને વિવેચન દ્વારા, “ગુજરાત', “સમર્પણ” જેવાં પત્ર દ્વારા કે ભારતીય વિદ્યાભવન, સાહિત્ય સંસદુ કે સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ દ્વારા, આ બહુમુખી પ્રતિભાશાળી સાહિત્યકાર સાહિત્યક્ષેત્રે પણ એટલું ને એવું પ્રદાન કર્યું છે કે વિવેચકેનાં પ્રચંડ આક્રમણ છતાં એમની મુદ્રાનું મહત્ત્વ ઝંખવાયું નથી, ઝંખવાય તેમ લાગતું નથી, કારણ
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૪]
કનૈયાલાલ મુનશી - [ ૧૯૭ કે તેમની મર્યાદાઓને સ્પષ્ટ કરતાં વિવેચને એક પછી એક ઊભરે આવ્યે જાય છે – વીસરાઈ જાય છે અને વિદ્વાનને મચકેડ્યાં મેએ વિમાસતા રાખીને વાચકવર્ગ તેમને વાંચે જ જાય છે ! – એ વશીકરણ કયા કારણે ? મુનશીમાં એવું કયું તત્ત્વ છે જે તેમની સામગ્રી, વિચારણું, નિરૂપણની અનેક મર્યાદાઓ છતાં તેમને કપ્રિય ને સદા જીવંત રાખે છે તેની શોધ કદાચ ઘણું સર્જકને તેઓ છે તે કરતાં વધુ સફળ બનાવી શકે,
મુનશી ગુજરાતી સાહિત્યક્ષેત્રે માત્ર એક સર્જક લેખક જ નહિ પણ પ્રભાવક પરિબળ બની રહ્યા છે – વિરલ અને વિલક્ષણ,
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ અન્ય ગદ્યલેખક-૧
મલયાનિલ' આદિ વાર્તાકારો કંચનલાલ વાસુદેવ મહેતા-મલયાનિલ' (૧૮૮૨–૧૯૧૯): કલાત્મક ગુજરાતી ટૂંકી વાર્તાના આદ્ય સર્જક લેખે ઓળખાતા “મલયાનિલ: કંચનલાલ વાસુદેવ મહેતા –ને જન્મ અમદાવાદમાં સાઠોદરા નાગર જ્ઞાતિમાં ઈ. ૧૮૯૨માં થે હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ ઈ. ૧૯૦૮માં મૅટ્રિકલેશનની પરીક્ષા પસાર કર્યા બાદ ઈ. ૧૯૧૨માં એ બી.એ. થયા હતા. સ્નાતક થયા પછી એમણે અમદાવાદમાં દીવાસળીના એક કારખાનામાં નોકરી સ્વીકારી અને ૧૯૧૬માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. વચ્ચે બે વાર એમણે એમ.એ.ની પરીક્ષા માટે તૈયારી તો કરી, પરન્ત નાદુરસ્ત તબિયતને કારણે એ આપી ના શક્યા. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સારી રીતે કામ થઈ શકશે એવી ગણતરીથી એમણે અમદાવાદ છોડયું, અને મુંબઈમાં ભાઈશંકર કાંગા નામક સેલિસિટરની પેઢીમાં નોકરી સ્વીકારી ને વકીલાત પણ શરૂ કરી. તેઓ અમદાવાદમાં હતા ત્યારે જ્ઞાતિસુધારણા માટે સ્વસુધારક સભાને સજીવન કરી અનેક પ્રવૃત્તિઓ આદરી હતી,
તેઓ સ્નાતક થયા એ અરસામાં જ તેમણે લેખનને આરંભ કર્યો હતો. ત્યારે એ વખતનાં “સુન્દરી સુબોધ', “વાર્તાવારિધિ આદિ માસિકમાં એમણે ગોળમટોળ શર્માના તખલુસથી કાવ્યો અને વાર્તાઓ પ્રકટ કરવા માંડેલાં. આરંભની એમની વાર્તાઓ હાસ્યરસપ્રધાન હતી, પરંતુ અંગ્રેજી વાચનના પ્રભાવ તળે એમણે ધીમે ધીમે પિતાની વાર્તાઓને કલાલક્ષી બનાવવા માંડેલી. તેમણે ઈ. ૧૯૧૩માં “મલયાનલ' તખલ્લુસથી વાર્તાઓ લખવી શરૂ કરી ત્યારથી એ જ નામે લેખન જારી રાખ્યું હતું. મુંબઈ ગયા પછી “વીસમી સદી'ના તંત્રી હાજી મહમદ અલારખિયા શિવજીના પરિચયમાં તેઓ આવ્યા અને એમના પ્રોત્સાહનથી એમણે વાલણી” નામક વાર્તા લખી જે ૧૯૧૮માં “વીસમી સદીમાં પ્રકટ થઈ. એ પહેલાં પણ વાર્તાકલ્પ લખાણે લખાતાં તે હતાં જ, પરંતુ તેમાં મુખ્યત્વે ઉપદેશ આગળ તરી આવતો હતો. આ બોધાત્મકતાના ભોરણમાંથી વાર્તાને મુક્ત કરવાને સર્વ પ્રથમ પ્રયાસ ઈ. ૧૯૦૪માં રણજિતરામ વાવાભાઈ મહેતાએ “હીરા” નામક વાર્તા રચીને કર્યો હતે. પરંતુ એ વાર્તાની ભાષાશૈલી પૂરતી ઘડાયેલી નહોતી. “મલયાનિલ'ને સમકાલીન ધનસુખલાલ મહેતાએ પણ
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧
[૧૯૯ એ જ અરસામાં વાર્તાલેખન આરંભી દીધું હતું. આમ છતાંય પશ્ચિમની ઢબે કલાભિમુખતાની ખેવના કરતી આપણી પ્રથમ પ્રકટ વાર્તા તે “મલયાનિલ'ની ગોવાલણી” જ. જોકે ધનસુખલાલ મહેતાએ પણ નવી રીતિની “પ્રતિબિંબ અને છાયા' તેમ જ અન્યાય નામક બે વાર્તાઓ ૧૯૧૮માં રચી હતી એવી માહિતી મળી આવી છે. “મલયાનિલ'ની અતિ પ્રચાર પામેલી વાર્તા ગોવાલણી'માં હળવા હાસ્ય સાથે વસ્તુગૂંફની ફાવટ અને પાત્ર તેમજ પ્રસંગેની ખિલવણની શક્તિને સુપેરે પરિચય થાય છે. અગાઉની વાર્તામાં ચાલ્યા આવતા સ્પષ્ટ બેધને તત્ત્વનું અહીં તિરોધાન થયેલું જોવા મળે છે. આથી ગુજરાતી ટૂંકી વાર્તાના ઈતિહાસમાં “મલયાનિલ” અને એમની આ વાર્તા સીમાચિહ્નરૂપ છે. “મલયાનિલ'માં કલાનિમિતિની સજજતા અને સૂઝ જોવા મળે છે તે એમના અન્ય સમકાલીનેમાં ઘણી ઓછી છે. એમણે જે અન્ય વાર્તાઓ લખી છે તે બધી જ એકસરખી સફળ નથી એ એમની આરંભદશાની સામવિક મર્યાદાનું જ પરિણામ ગણવું રહ્યું. છ-સાત વર્ષના ટૂંકા સર્જનગાળામાં એમણે જે આશા જન્માવી હતી તે જે એમને વધુ જીવનાવધિ મળી હોત તે સારી રીતે ફળીભૂત થઈ હેત એવું આશ્વાસન આપણને એમની “ગેવાલણ જેવી અર્ધ સફળ વાર્તા પરથી મળી રહે છે. એમનું ઈ. ૧૯૧૯ના જૂનની ૨૪મી તારીખે અકાળ અવસાન થયું તે પાંગરી રહેલી ગુજરાતી ટૂંકી વાર્તાને ક્ષેત્રે આઘાતક ઘટના હતી. એમની ૨૨ વાર્તાઓને નિધનત્તર સંગ્રહ “ગોવાલણી અને બીજી વાત ૧૯૩૫માં પ્રકટ થયો હતો. એમણે કાવ્યો પણ લખ્યાં છે અને ગીતાંજલિ'ની રચનાઓને ગુજરાતીમાં ઉતારી છે. (ધી.)
તારાચંદ્ર પોપટલાલ અડાલજા (૧૮૮૭-૧૯૭૦) : તેમને જન્મ ૧૮૮૭ને કટોબરની ૧૭મીએ હળવદમાં મેઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ હળવદમાં પૂરું કરી મુંબઈની ફોર્ટ પ્રાયટરી હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લઈ ૧૯૦૫માં મૅટ્રિક થઈ ત્યાંની વિકટેરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્ટિટયટમાં જોડાઈ એલ.ટી.એમ.ની ઉપાધિ મેળવી હતી. ત્યાર બાદ તેઓ વડોદરા રાજ્યના વેપારઉદ્યોગ ખાતામાં વીવિંગ આસિસ્ટન્ટ તરીકે સેવાઓ આપતા હતા. આમ, વ્યવસાયે કાપડ ઉદ્યોગમાં પડયા છતાંય એમનો સાહિત્યશાખ એવો. કે એમણે "સાંજ વર્તમાન”, “ગુજરાતી' આદિ સામયિકમાં લેખો અને વાર્તાઓ લખવા માંડેલી. એ કાળે પિતાની ઐતિહાસિક વાર્તાઓથી એમણે વાચકનું ધ્યાન ખેંચ્યું હતું. એમના એ લેખનના ફળરૂપે “વીરની વાતો' ભાગ ૧ (૧૯૨૫), ભાગ ૨ (૧૯૨૬), ભાગ ૩ (૧૯૨૮), “પ્રેમપ્રભાવ' (૧૯૩૦) અને “વીરાંગનાની વાત” (૧૯૩૧) જેવા સંગ્રહ આપણને મળ્યા છે. તેમણે બેએક સિનેમા માટે વાર્તાઓ
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ લખેલી તે ઉપરાંત પોતાના વ્યવસાયના અનુભવમાંથી વ્યાવસાયિક પુસ્તકોનું પણ લેખન કરેલું. (વી.)
- જયકૃષ્ણ નાગરદાસ વર્મા (૧૮૯૪–૧૯૪૩) ભરૂચમાં લોહાણા જ્ઞાતિમાં ૧૮૯૪ના મેની ૨૬મીએ જન્મનાર આ સર્જકે ૧૯૧૯માં એમ.એ.ની ઉપાધિ મેળવી હતી. ઇંગ્લેન્ડ જઈ બૅરિસ્ટર થઈ લંડનની યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એસસી.ની ઉપાધિ મેળવી હિન્દુસ્તાન પાછા ફરી મુંબઈની હાઈકેર્ટમાં વકીલાત શરૂ કરી હતી. રાજકારણ અને સાહિત્યમાં એમને ઊંડો રસ હતો. રાજકારણના રસે તેમની પાસે હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસને ઈતિહાસ ભાગ ૧ (૧૯૨૧) અને ભાગ ૨ (૧૯૨૩) તથા “મહાત્મા ગાંધીજીનું જીવન' (૧૯૨૨) જેવાં પુસ્તકનું લેખન કરાવ્યું હતું. તેમની વાર્તાઓના સંગ્રહ “વર્માની વિવિધ વાર્તાઓ' (૧૯૨૫) અને લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ' (૧૯૩૧) નામે બહાર પડ્યા હતા. સ્ત્રીઓ માટેના માસિક “ગુણસુંદરી'નું ૧૯૨૩થી તંત્રીપદ સ્વીકારી એ દિશામાં પણ એમણે યશસ્વી ફાળો આપ્યો હતો. (ધી.)
આગળ પૃ. ૧૨૨ પર જેમનો નિર્દેશ થયો છે તે ડાહ્યાભાઈ લ. પટેલે કા ઉપરાંત “ચન્દ્રાનના', “સુવાસિની” વગેરે વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. પ્રાણલાલ કીરપારામ દેસાઈ (૧૮૮૨)એ વાર્તાઓ અને “સંસારચિત્રો' આપ્યાં છે. ધીરજલાલ અ. ભટ્ટ (૧૮૮૯) વાર્તાઓ અને કાવ્યો, ગિરજાશંકર મ. ભટ્ટ (૧૮૯૧) અને હીરાચંદ ક, ઝવેરીએ વાર્તાઓ અને કાવ્ય લખ્યાં છે. ગોકુળદાસ કુ. મહેતા(૧૮૯૨)એ વાર્તાને સંગ્રહ અને “સંવાદસંચય” પ્રગટ કર્યા છે. ઉપરાંત “કાઠિયાવાડની દંતકથાઓ પણ આપી છે. લલિતમોહન ચૂ. ગાંધી(૧૯૦૨)એ “કલ્પના કુસુમ', મેરી સેમ્યુઅલ સોલંકી(૧૯૦૩)એ વાર્તાઓ ઉપરાંત મધુરાં ગીત', અંબેલાલ ક. વશી(૧૯૦૪)એ “મલ્લિકામાં વાર્તાઓ અને મરાઠીમાંથી અનુવાદ આપ્યા છે.
બટુભાઈ આદિ નાટયલેખકે બટુભાઈ ઉમરવાડિયા (૧૮૯૯–૧૯૫૦) : બટુભાઈ લાલભાઈ ઉમર વાડિયાનો જન્મ સુરત પાસે વેડછામાં અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ૧૮૯૯ના જુલાઈની ૧૩મી તારીખે થયો હતો. ૧૯૧૯માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. થઈ ૧૯૨૩થી ૧૯ર ૬ દરમિયાન સરકારી નોકરીમાં મુંબઈ અને અમદાવાદ ખાતે લેબર ઈન્સ્પેકટર તરીકે રહ્યા બાદ એલએલ.બી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી, સરકારી નોકરીમાંથી રાજીનામું આપી એમણે સુરતમાં વકીલાતનો આરંભ કર્યો હતો.
એમણે પિતાની લેખનપ્રવૃત્તિને આરંભ કૅલેજકાળ દરમિયાન જ કરી
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકે-૧
[ ર૦૧
દીધો હતો. ટૂંકી વાર્તા અને એકાંકીના ક્ષેત્રે એમણે ઐતિહાસિક દષ્ટિએ ઉલ્લેખ પાત્ર પ્રદાન કર્યું છે. “વાતોનું વન' (૧૯૨૪) એમને આદર પામેલો વાર્તાસંગ્રહ છે. આમ છતાંય એમને યશોપિંડ બંધાય છે એમના એકાંકી સજનથી. “મસ્યગંધા અને બીજાં નાટકો' (૧૯૨૫) તથા “માલાદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭) એ બે ગ્રંથે ઉપરાંત એમનાં બીજાં ચારેક પ્રકટ પણ અગ્રંથસ્થ નાટક પણ છે. એમણે “સંસાર એક નાટક' (૧૯૧૮) અને “શકુંતલા રસદર્શન' નામક બે અનેકકી નાટકે પણ આપ્યાં છે. એકાંકીઓમાં ઈન્સનની શૈલીનો પ્રભાવ જોઈ શકાય છે. નાટકનું વસ્તુ એ પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન સમાજ-સાહિત્યમાંથી લે છે અને એને સંવાદની તેમ જ પાત્રાલેખનની કલાથી ખીલવવા પ્રયત્ન કરે છે, પણ સુનિલષ્ટ વસ્તુસંવિધાનની કળાને અભાવે, “હંસા' જેવા એકાંકીઓને બાદ કરતાં, તેઓ ઝાઝાં સફળ એકાંકી આપી શક્યા નથી. એમનાં એકાંકીઓમાં કઈ સમસ્યાને લક્ષ્ય કરવાને ઈરાદે હોઈ એ ઉદેશ પ્રધાન બને છે. વળી એની નાટ્યક્ષમતા કરતાં વાચનક્ષમતા વિશેષ છે. ક્રિયાગ કરતાં એમાં સંવેદે અને પાત્રાલેખન વધુ ધ્યાનાકર્ષક બને છે. લાઘવ અને વ્યંજનાને અભાવ એમનાં કેટલાંક નાટકને સફળ કલાકૃતિઓ થતી અટકાવે છે. આમ છતાંય સમય-સાપેક્ષ દૃષ્ટિથી અને એમનાં નાટકોની સાહિત્યિક ગુણવત્તાને કારણે, પશ્ચિમની આબોહવામાં પાંગરી રહેલા ગુજરાતી નવ્ય નાટયને વાચકેમાં અને સર્જકેમાં પ્રિય બનાવવામાં બટુભાઈ ઉમરવાડિયાનો ફાળે નોંધપાત્ર રહેશે. “રસગીતો' (૧૯૨૦), “રાસ અંજલિ” (૧૯૩૫) એમના રાસ-ગીતના સંગ્રહો છે. “કીર્તિદાને કમળના પત્રોમાં એમનું પત્ર રૂપે લખાયેલું વિવેચન પ્રગટ થયું છે.
એમણે સર્જન ઉપરાંત “ચેતન” અને “વિનોદ નામનાં માસિકે પણ થોડો સમય ચલાવ્યાં હતાં. એમના તંત્રી પદ હેઠળ સુરતમાંથી “સુદર્શન' નામનું સાપ્તાહિક પણ થોડો સમય પ્રકટ થયું હતું. નવું કરવાને તરવરાટ એમના સર્જન અને સામયિક-સંપાદનમાં જોઈ શકાય છે. એમણે “સુંદરરામ ત્રિપાઠી, “કિશોરીલાલ શર્મા” અને “હરરાય દિ વેદીનાં તખલ્લુસોથી કેટલાક ગરવા ગુજરાતીઓનાં તેજીલાં શબ્દચિત્રો પણ આપ્યાં છે. એમનું ઈ. ૧૯૫૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે અવસાન થયું હતું. (વી.)
પ્રાણજીવન પાઠક (૧૮૮૮–૧૯૭૫): પ્રાણજીવન વિશ્વનાથ પાઠકને જન્મ સૌરાષ્ટ્રના ખંભાળિયા ગામમાં પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં ૧૮૯૮ના ઑગસ્ટની ૨૨મીએ થયે હતો. ૧૯૧૪માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી દેઢ વર્ષ વડોદરાની કોલેજમાં અને બાકીને સમય પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કરી
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[, ૪
૧૯૧૯માં તેએ ખી.એ. થયા હતા. એમના રસના વિષયા સમાજશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને ચિત્ત-માનસશાસ્ત્ર. એમની આ રસિક પ્રવ્રુત્તિને પેાષવા એમણે ‘મિજલસે ફિલસુફાન' નામક નાનકડી સંસ્થાની સ્થાપના પણ કરી હતી. કવિવર ટાગોરના ભાવનાપ્રધાન સાહિત્યસેવનની અસર નીચે એમણે રચેલુ ૧૫ પ્રવેશનુ સ...કુલ નાટક ‘અનેતા’ ૧૯૨૪માં પ્રકટ થયું હતું. આ ઉપરાંત એમનાં અગ્રંથસ્થ લઘુ નાટકા ‘હિમકાન્ત', ‘અનુપમ અને ગૌરી’, ‘રૂદ્ર અને રંજના', ‘દીપક' તથા ‘વિમળ અને જયાતિ' રા. વિ. પાઠકના ‘પ્રસ્થાન' માસિકમાં પ્રકટ થયાં હતાં ત્યારે એમની શિષ્ટ ભાષાશૈલી અને પરિષ્કૃત સવાદોથી એ નાટકાએ થાડું આકર્ષણુ જમાવ્યું હતું. એમનાં નાટકામાં દૃશ્યબાહુલ્ય અને કથાવસ્તુની સંકુલતા રસવિઘ્ન ઊભાં કરે છે. ક્રિયાવેગની મંદતા અને પ્રસંગગૂ ંથણીનું શૈથિલ્ય પણ એ નાટકાને કલાકૃતિઓની ઊ'ચાઇએ પહેાંચવા દેતાં નથી. આમ છતાંય આ નાટકો તત્કાલીન નૂતન સાહિત્યિક પરિબળાની આખેાડવામાં ઊછર્યાં છે એ પ્રતીત થયા વગર રહેશે નહિ. સ્વતંત્ર નાટયસન ઉપરાંત એમણે શ્વસનના નાટક ‘ડૉલ્સ હાઉસ'ના ‘ઢી‘ગલી' નામે અનુવાદ ૧૯૨૫માં પ્રકટ કરેલા ત્યારે તેની સરળતા અને સરસતાએ ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું. એમણે પ્લેટાના પ્રસિદ્ધ ગ્રથને પ્લેટનું આદર્શો નગર' એ શીર્ષકથી અનુવાદ કર્યા હતા. (ધી.)
યશવંત પંડથા ( ૧૯૦૬-૧૯૫૫ ) : ગુજરાતી એકાંકીના ઉગમકાળે આશાસ્પદ એકાંકીસ નથી વાચક-વિવેચકાનું ધ્યાન ખેંચનાર યશવંત સવાઈલાલ પડયાનેા જન્મ સૌરાષ્ટ્રમાં પચ્છેગામમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં ઇજનેર પિતાને ત્યાં ઈ. ૧૯૦૬માં થયા હતા. ભાવનગરમાં તેમણે એમ.એ. સુધીને અભ્યાસ કર્યો હતા અને વ્યવસાયે તેઓ દિલ્હી ખાતે બોમ્બે લાઇફ એસ્યોરન્સ ક ંપનીના સંચાલક હતા. એમનું અવસાન ઈ. ૧૯૫૫ના નવેમ્બરની ૧૪મી તારીખે થયું હતું.
યશવંત પંડયાનું નામ આપણા ઊગતા એકાંકીના યુગમાં ધ્યાના બન્યું હતુ. એમણે ‘પડદા પાછળ' (૧૯૨૭) અને ‘અ. સૌ. કુમારી' નામે ખે અનેકાંકી નાટકા આપ્યાં છે તા ‘મદનમંદિર’ (૧૯૩૧), ‘રસજીવન’ (૧૯૩૬) અને ‘શરતના ઘેાડા' એ ત્રણ સંગ્રહેામાં બાર એકાંકીએ આપ્યાં છે. ‘ઝાકળનું મેાતી', ઊંચાં અમારાં ઊડવાં', 'શરતના ધાડા', 'પ્રજાના પ્રતિનિધિ', ‘ઝાંઝવાં' જેવાં એકાંકીઓમાં એમની કલાકારની પ્રતિભાનાં દર્શન થાય છે. ‘મદનમંદિર’નાં એકાંકીએમાં પૌરાણિક પાત્રાની સહાયથી ાતીયતાની વિડ ંબના કરવામાં આવી છે. તા ખીજો સંગ્રહ 'રસજીવન' લગ્નજીવન કરતાં કેવળ પ્રણયજીવન વધુ સારું છે એવું ચર્ચતાં સંવાદપ્રધાન એકાંકીએ છે, જેની તખ્તાલાયકી ઘણી એછી છે. આથી
Page #212
--------------------------------------------------------------------------
________________
31.4]
અન્ય ગદ્યલેખકા-૧
[ ૨૦૩
આ નાટક દશ્ય કરતાં શ્રાવ્ય વધુ છે. ત્રીજો સંગ્રહ શરતના ઘેાડા' એક યા ખીજી રીતે સામાજિક વસ્તુ લઈને આવે છે અને પ્રથમ બે સંગ્રહનાં એકાંકીઓ કરતાં તીત્ર સ્પષ્ટ કટાક્ષશૈલીમાં સવિશેષ રાચે છે. એમની એકાંકીકાર તરીકેની વિશેષતા પ્રસંગાની સ્વાભાવિક ગૂ થણી અને ચાટદાર ચપળ સંવાદપ્રયુક્તિમાં રહેલી છે. લાઘવ અને વ્યંજનાની શક્તિથી એમનાં એકાંકીએ વધુ સફળ નીવડયાં છે. રંગનિર્દેશ યશવંત પડથાની સવેર્વોચ્ચ સિદ્ધિ છે. આમ છતાંય ચર્ચ્યા વિચારનું છીછરાપણું એમનાં એકાંકીઓનું નબળું પાસું છે. યશવંત પંડયાએ એકાંકીકાર તરીકે આ નાટચપ્રકારની ગંભીર સાધના કરી છે અને એની કલાિિમતિમાં અધઝાઝેરી સફળતા પ્રાપ્ત કરી છે. એમણે સુંદર બાળનાટકો પણ આપ્યાં છે. ‘વીણા’ અને ‘શરદ'નું એમણે સફળ સંપાદન પણ કર્યું હતું. 'લમચિત્રા'માં એમણે શબ્દચિત્રો આપ્યાં છે. (ધી.)
પ્રāાદજી ચ, દીવાનજી (૧૮૫૧)એ વૈશાલીની વિનતા' એ નાટક આપવા ઉપરાંત નિબંધક્ષેત્રે પણ અણુ કર્યું હતું. હરિશંકર મા. ભટ્ટે (૧૮ ૬૬–૧૯૨૮) ‘ભક્તરાજ અંબરીષ’, ‘કંસવધ’ આદિ નાટયકૃતિઓ આપવા ઉપરાંત લગ્નપ્રસંગનાં તેમ જ કાઠિયાવાડી લેાકગીતાના સગ્રાહક તરીકે પણ કાર્ય કર્યું હતું. હિરશંકર મૂલાણી(૧૮૯૧)એ ‘ચૈતન્યકુમાર', ‘ભદ્રાભામિની' જેવી નાટયકૃતિએ આપી હતી. રતિલાલ ના. તન્ના(૧૯૦૧)એ પણ નાટકા ઉપરાંત નિબંધ અને ચરિત્રો
આપ્યાં છે.
નાટકાના અનુવાદોમાં ખાસ ઉલ્લેખપાત્ર નામ નરભેશંકર પ્રાણજીવન દવે ‘કાઠિયાવાડી’(૧૮૭૧–૧૯૫૨)નું છે. એમણે શેકસપિયરનાં ‘જુલિયસ સીઝર (૧૮૯૮), ‘ઍથેલે’, ‘વેનિસનેા વેપારી', ‘હૅમ્લેટ' (૧૯૧૭), ‘મેઝર ફોર મેઝર’ (‘થાય તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ' શીર્ષકથી), ‘આલ ઇઝ વેલ ધૅટ એન્ડ્રુઝ વેલ' (‘ચંદ્રરમણુ' ૧૯૦૬ શીર્ષકથી) જેવાં નાટકા ગુજરાતીમાં અનુવાદિત કર્યા છે. શેકસપયરની ‘સીમ્બેલીન' પરથી જમશેદે ગાલાબસિંહ’ (૧૮૮૧) નામે અને કેખુશરૂ કામરાજીએ ‘ભાગે બેહેસ્ત' (૧૯૦૧) નામે, મગનલાલ હ. પારેખે ‘કૅામેડી ઑફ એર’ પરથી ‘આશ્ચર્યકારક ભુલવણી’ (૧૮૯૨) નામે, નારાયણુ ઠક્કરે ‘નૅકષઁથ’ પરથી ‘માલવકેતુ' અને એમ. એન. શુકલે ટમિંગ ઑફ ધ શ્રુ' પરથી કર્કશા પર કાબૂ' (૧૯૧૨) નામે અનુવાદ કરવાના પ્રયત્ન કર્યા છે એને પણ અહીં ઉલ્લેખ કરી લઈએ. શેકસપિયરની નાટત્યકૃતિએ હૅમ્લેટ’ (૧૯૪૨) અને ‘વેનિસના વેપારી' (૧૮૯૭)ના નિર્બંધ અનુષ્ટુપમાં થયેલા અનુવાદો તા પછી હંસાબહેન મહેતા (૧૮૯૭) દ્વારા આપણને મળ્યા છે, અને એ પછી
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[. ૪ મનસુખલાલ ઝવેરી દ્વારા શેકસપિયરનું અવતરણ આપણે ત્યાં થઈ રહ્યું છે. શેરિડન (બટુભાઈ ઉમરવાડિયાકૃત “સંસાર” ૧૯૨૧–અંતિમ ભાગ પૂરો કર્યો
સ્નાબહેન શુકલે), ગોલ્ડસ્મિથ (ધીરજલાલ ચિમનલાલ કૃત ઉપરોપકારી પુરુષ અને દંભીદાસનું રાજીનામું” ૧૯૨૮), મેટરલિંક (અંબાલાલ ગ. દેસાઈ કૃત “પ્રાયશ્ચિત્ત' ૧૯૨૪) જેવા લેખકે ગુજરાતીમાં અનુવાદિત થયા છે. આ ઉપરાંત આવાબાનુ જ. તાલેયારખાને નેપસેકનું પવિત્ર મુની' (૧૯૦૧), ફિરોજશાહ ૨. મહેતાએ ડેમેન્ટ ગુડ્ઝનું ડે. મીનો ચહેરો દી' (૧૯૩૦), બાબુરાવ ગ. ઠાકોરે ‘હાઈમાટ' (૧૯૩૦) એ નાટકોના અનુવાદ આપ્યા છે,
જ્યોતીન્દ્ર આદિ હાસ્યલેખકે જ્યોતીન્દ્ર દવે (૧૯૦૧-૧૯૮૦)
સુરતના વતની વડનગરા નાગર બ્રાહ્મણ જતીન્દ્ર હરિહરશંકર દવેને જન્મ ઈ. ૧૯૦૧ના ઑકટોબરની ૨૧મી તારીખે થયું હતું. ઈ. ૧૯૧૯માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાં
જોડાઈ ૧૯૨૩માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો લઈ એમણે બી.એ.ની ઉપાધિ દ્વિતીય વર્ગમાં મેળવી હતી. ત્યાર બાદ એ જ વિષયો લઈ ૧૯૨૫માં તેઓ
એમ.એ. થયા હતા. આ દરમિયાન પૂર્વોક્ત કેલેજમાં એક વર્ષ માટે તેઓ ફેલે નિમાયા હતા. સુરતથી કનૈયાલાલ મુનશી એમને પિતાના સાહિત્યમંત્રી તરીકે મુંબઈ લઈ ગયા અને ૧૯૩૩ સુધી તેઓ મુંબઈ રહ્યા. વચ્ચે સત્યાગ્રહની લડતમાં મુનશી જેલમાં જતાં જ્યોતીન્દ્ર દવે ત્યાંની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતાં. ત્યાર પછી એમણે સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે સેવાઓ આપવા માંડી ત્યાં જ મુનશીના આગ્રહથી એમણે ફરી સુરત છોડયું ૧૯૩૭માં તે છેક મૃત્યુ પર્યન્ત મુંબઈમાં જ રહ્યા. સુરતથી બીજી વાર મુંબઈ ગયા પછી એમણે ત્યાં સરકારમાં “ઐસિસ્ટન્ટ એરિયેન્ટલ ટ્રાન્સલેટર’ તરીકે કરીને આરંભ કરેલ તે સંજાણના મૃત્યુ બાદ – જેઓ ત્યાં મુખ્યપદે હતા–રિયેન્ટલ ટ્રાન્સલેટર' બન્યા. આ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં મુનશીએ ભારતીય વિદ્યાભવનમાં એમને રોકી લીધા. મુનશીના “ગુજરાતનું તેમણે ઉપતંત્રી પદ પણ સંભાળેલું. મુંબઈની કોલેજોમાં, નિવૃત્તિ પછી, અધ્યાપક તરીકે સેવાઓ પણ આપી હતી અને માંડવી (કચ્છ)માં નવી શરૂ થયેલી કૅલેજના આચાર્યપદે થોડો વખત રહી આવ્યા હતા. આમ, એમની કારકિર્દીને મોટા ગાળા મુંબઈમાં જ વ્યતીત થ. ૧૯૮૦ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે એમનું મુંબઈમાં જ અવસાન થયું.
જ્યોતીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસને પર્યાય બની ગયા છે. હાસ્ય
Page #214
--------------------------------------------------------------------------
________________
x, ૫]
અન્ય ગદ્યલેખકા-૧
[ ૨૦૫
રસના સાહિત્યના ઉલ્લેખ કરતાં પ્રથમ એમનું જ નામ સ્મરણે ચઢી આવે એવાં એમનાં પ્રદાન અને પ્રસિદ્ધિ છે. કાલેજકાળ દરમિયાન જ ૧૯૨૧થી એમણે લેખનને આરંભ કર્યાં હતા તે ૧૯૩૦ સુધીમાં તા એમણે હાસ્યરસના સર્જક તરીકે આગલી હરાળમાં સ્થાન મેળવી લીધું, યેાતીન્દ્ર દવેની સનનૌકા ઊપડી છે કરુણરસથી અને નાંગરી છે હાસ્યરસમાં, એમની પ્રથમ રચના ‘વિષપાન' કરુણરસપ્રધાન નાટક છે. એમણે ઘેાડાં કાવ્યો પણ રચેલાં. પણ યેાતીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં હળવા નિબધાના લેખક તરીકે જ સ્મરણીય રહેશે. હાસ્યરસમાં એમનું પ્રદાન ત્રિક્ષેત્રીય છે : અભિનય, વકતૃત્વ અને લેખનના ક્ષેત્રમાં. ધનસુખલાલ મહેતાએ એમને હાસ્યરસના ઉત્તમ નટ કહ્યા છે. હાસ્યરસની છાંટવાળાં એમનાં ભાષણૈાથી અનેા સુપરિચિત છે. અને લેખનમાં તા હાસ્યરસ યેાતીન્દ્ર દવેના જ એવી કહેતી સુધી પહાંચે એવું અને એટલું એમનુ સર્જન છે. હાસ્યરસની નિષ્પત્તિ માટે એમને વિષયની શેાધમાં કયાંય નીકળવું પડતું નથી. જીવનનેા એમને હાડાહાડ અનુભવ છે, એટલે જ્યાં જ્યાં એમની નજર પડે છે ત્યાં ત્યાં એમને હાસ્યરસની કેાઈ ને કોઈ સામગ્રી દેખાયા વગર રહેતી નથી. ક્ષુલ્લકમાં ક્ષુલ્લક વિષયથી ગંભીરમાં ગંભીર વિષયને એ હાસ્યનું ઉપાદાન બનાવી શકે છે. વેધક દષ્ટિ, વક્ર દર્શન અને વિશિષ્ટ શૈલીસામર્થ્યને કારણે એમને હાસ્યરસમાં અભૂતપૂર્વ અને અદ્રિતીય સફળતા પ્રાપ્ત થઈ છે. એમણે પેાતાની બહુશ્રુતતાને પૂરેપૂરો લાભ પણ હાસ્યરસની નિષ્પત્તિ માટે લીધા છે.
જ્યોતીન્દ્ર દવે કયારેક ખડખડાટ હસાવે છે તા બહુધા મિતલહરીએ જગવી જાય છે. એમના હાસ્યમાં નર્મ (wit) છે તેા મર્મ (humour) પણ છે. તે વિચિત્ર અલંકારપ્રયુક્તિ, પ્રતિલેખન (parodical writing) ઠ્ઠાચિત્રપદ્ધતિ દ્વારા હાસ્ય નિપજાવે છે. એ જાતને કેન્દ્રમાં રાખીને હસાવે છે તેા અન્ય તે કેન્દ્રમાં રાખીને પણ હસાવે છે. આપણી નબળાઈએ અને અપૂર્ણતા તરફ એ એવા હાસ્યમુકુર ધરે છે કે આપણે હસતાં જઈએ અને જાતદર્શન કરતાં જઈએ. આમ કરવામાં તેઓ કયાંય કર્યુ બનતા નથી. આથી જ એમનું હાસ્ય નિર્દેશ અને નિર્દેષ લાગે છે. પરિણામે એ સભાગ્ય બની શકે છે. તત્સમ અને તદ્ભવ ભાષા પરનું એમનું પ્રભુત્વ એમને એમનાં લખાણામાં પ્રસંગ-પાત્રોચિત હાસ્યનિર્માણ માટે ખૂબ ખપ લાગ્યું છે. એમની સંવાકલા એમની શૈલીનું આગવું અંગ બની ગઈ છે. વિષયવસ્તુના વિકાસ કરવાની એમની નિરૂપણુકલા અદ્ભુત છે. અનેક આડવાતા પેાતાનાં લખાણમાં નાખીને એ અંતે તા વ વિષયને જ ધિંગા વણાટ આપે છે એની પ્રતીતિ સુજ્ઞ વાચકને થયા વગર રહેશે નહિ. એમનામાં રહેલી સહજ હાસ્યશક્તિને કારણે એમનાં લખાણામાં મારી
Page #215
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ . ૪ મચડીને હાસ્ય નિષ્પન્ન કરાતું હોય એવું ક્યાંય લાગતું નથી. એમનો હાસ્યરસ ભદ્દો કે ઉપરછલે નથી, એ ઊંડો અને સૂક્ષ્મ છે. આથી જ એમનાં હાસ્યરસપ્રધાન લખાણો કલાની કટિએ પહોંચી શક્યાં છે. હાસ્યલેખન એમને મન ગંભીર પ્રવૃત્તિ છે.
એમણે વર્ષો સુધી સામયિકામાં સતત લખ્યાં કર્યું છે, પરિણામે સર્વત્ર તેઓ ઊંચી કક્ષા જાળવી શક્યા નથી એ સ્વાભાવિક છે. આમ છતાંય એમને હાસ્યરસ શિષ્ટતાની મર્યાદા ક્યાંય ઓળંગતે નથી એ ઓછી નેંધપાત્ર સિદ્ધિ નથી. જન્મજાત નાગરી શિષ્ટતા અને સુરતી હળવાશ એમનાં લખાણોમાં સર્વત્ર ફરી રહી છે. એમની અભ્યાસવૃત્તિ અને વિદ્વત્તાએ એમને નૈસર્ગિક હાસ્યમાં વ્યવધાને ઊભાં નથી કર્યા બલકે એ હાસ્યને વિશિષ્ટતા બક્ષી છે એમાં એમની કલાકાર તરીકેની સભાનતા પ્રતીત થાય છે.
એમનાં હાસ્યરસનાં લખાણો “રંગતરંગ' ભાગ ૧ (૧૯૩૨) થી ૬, “પાનનાં બીડાં”, “મારી નોંધપોથી', “અ૯પાત્માનું આત્મપુરાણ”, “વડ અને ટેટા”, “નજરઃ લાંબી અને ટૂંકી' (૧૯૫૬), “ત્રીજુ સુખ' (૧૯૫૭), “રોગ, યોગ અને પ્રયોગ તથા “તીની રોટલી' વગેરે ગ્રંથમાં સંગૃહીત થયાં છે. ધનસુખલાલ મહેતાના સહયોગમાં એમણે “અમે બધાં” નામક સળંગ કથા પણ લખી છે. હાસ્યરસના સાહિત્યસર્જનમાં વિશિષ્ટ સિદ્ધિ અને રિદ્ધિ દાખવવા બદલ એમને ૧૯૪૧ને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. ૧૯૬પમાં સુરત ખાતે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૩મા અધિવેશનનું એમને પ્રમુખપદ આપી સાહિત્યરસિક પ્રજાએ એમની અવિરત અને એકનિષ્ઠ સાહિત્ય પાસનાની સમ્યફ કદર કરી હતી. (પી.)
જગજીવનદાસ ત્રિકમજી કોઠારી (૧૮૭૭) ઓલિયા જેવીને નામે હાસ્યરસને લેખક તરીકે જાણીતા થયા હતા. તેઓ મુખ્યત્વે સામયિકો માટે લખતા હોવાથી ઘણી વાર સામાન્ય મનોરંજન અને પુનરાવર્તન એમના લેખોમાં છે. માનવસ્વભાવની વિચિત્રતા, નબળાઈ, સ્વાર્થવૃત્તિ વગેરેનું આલેખન થતું હોવાથી એ કૃતિઓ હળવી બનવાની સાથે કોઈ વાર હલકી બની જતી ને તેને ઉદેશ વિચારણાને નહિ પરંતુ ગમે તે રીતે હસાવવાનું હોવાથી છીછરાપણું આવી જતું. આ મર્યાદા આ પ્રકારના બધા લેખકને નડે છે. પ્રસંગલક્ષિતા આવી કૃતિઓમાં મોખરે હેવાથી સમય જતાં એ કૃતિઓ આકર્ષણ જમાવી શકતી નથી. પંડિતયુગના ગંભીર વિચારભારથી કલાનું પ્રયોજન ચૂકે છે તે અહીં એવું અન્ય રીતે બનતું અનુભવાય છે. એમની કૃતિઓ “ઓલિયા જોષીને. અખાડો' ભાગ ૧, ૨ (૧૯૨૭; ૧૯૩૨) હાસ્યરસના સાહિત્યમાં સ્થાન ધરાવે છે. એમણે “ચંદ્રશેખર નાટક' (૧૯૧૫) પણ લખ્યું છે. (ભૂ.)
Page #216
--------------------------------------------------------------------------
________________
અન્ય ગદ્યલેખક.-૧
[ ૨૦૭
જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ (૧૮૮૧–૧૯૬૦) : જયેન્દ્રરાય દૂરકાળ ધર્મપ્રિય વિચારક હતા. આર્`ભમાં કલકત્તામાં શિક્ષણકાર્ય કરવા સાથે વિવિધ વિષયા પર અંગ્રેજીમાં લેખનકાર્ય કરતા. ત્યાર પછી સુરત કૅાલેજમાં અંગ્રેજી અને ગુજરાતીના અધ્યાપક બનતાં ધર્મવિષયક અને ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિ તરફ તે વળ્યા અને ગુજરાતી નિબંધસાહિત્યને સમૃદ્ધ કરવામાં કાળા આપ્યા. હળવા નિબંધ કે નિળધિકાના સાહિત્યસ્વરૂપના ઘડતરમાં એમની કૃતિએ નોંધપાત્ર છે. ગભીરતા સાથે વિનેાદ, સકતા અને લાલિત્યના અંશાથી ગુજરાતી નિષ્ઠ ધને નવા વળાંક આપવામાં એમને અગ્રણી ગણી શકાય. ‘સૂર્ય', ચેવડા’, ‘મચ્છરદાની’, ‘ચેાખા છડવાની મિલે' જેવા જાણીતા પણ અત્યાર સુધી અસ્પૃશ્ય વિષયાનુ. એમણે વિલક્ષણ રીતે નિરૂપણુ કરી વિષયપસંદગી અને વિષયવૈવિધ્યને ક્ષેત્રે નવી દષ્ટિ આપી. એમની શૈલી વિવિધ વળાંકા લઈ મનેાહર અને છે. શૈલી રમૂજી ને હળવી બને છે તા સાથે સાથે ગહન, ગંભીર બની તાત્ત્વિક અને માર્મિક પણ બને છે. ઝીણવટભરી અવલેાકનશક્તિથી વિષયનું સહજભા વે એ નિરૂપણ કરે છે. ‘ઝરણાં ટાઢાં ને ઊહાં' (૧૯૨૮) નામના ‘કાન્ત' અને ન્હાનાલાલની કાવ્યરીતિને અનુસરતા એમના કાવ્યસંગ્રહ છે. ધર્મની ભૂમિકા’ (૧૯૨૮) એમનેા ધવિષયક ગ્રંથ છે. ઘેાડાંક છુટ્ટાં ફૂલ’ (૧૯૨૭) અને ‘પોયણાં' (૧૯૨૯) તથા ‘અમી' નામના એમના હળવા નિબધાના સંગ્રહે। ઠીકઠીક લાકપ્રિય બન્યા છે. પંડિતયુગ પછી એમના જીવનકાળ ૧૯૬૦ સુધી લંબાયા પરંતુ ત્યારે મેક્રટે ભાગે ધાર્મિક લેખનકાર્ય એમણે કર્યું. (ભૂ.)
પ્ર. ૫]
અતિસુખશકર કમળાશકર ત્રિવેદી (૧૮૮૫-૧૯૬૩) : ગુજરાતના અગ્રગણ્ય કેળવણીકાર, વ્યાકરણશાસ્ત્રી અને પંડિત પિતા કમળાશંકર ત્રિવેદીના પુત્ર અતિસુખશંકર ત્રિવેદી તત્ત્વજ્ઞાનના અધ્યાપક હતા. પંડિતયુગના સૌથી વ્યાપક ગદ્યપ્રકાર નિબધમાં સકતા, ઊર્મિ અને વિનેાદ તત્ત્વના પ્રવેશ કરાવવામાં એમના ફાળા મહત્ત્વના છે. ‘નિવૃત્તિવિનેાદ’ (૧૯૧૭) અને ‘સાહિત્યવિનેદ’ (૧૯૨૮)ના એમના નિબંધમાં લલિત અને લલિતેતર સાહિત્યપ્રકારના સમન્વય છે. વિચારને વ્યવસ્થિત રીતે ગાઢવી નિબંધના સ્વરૂપને એ જાળવી રાખે છે તા ઊર્મિના સ્પર્શથી નિબંધતત્ત્વમાં કાવ્યતત્ત્વના પ્રવેશ થવા દે છે. શૈલી ચિંતન અને ઊર્મિ બન્નેને અનુકૂળ થઈ શકે તેવી એ યેાજી શકયા છે. પેાતાનાં મંતવ્યાને નિખાલસ અને વિનેાદી રીતે એ રજૂ કરે છે. બુદ્ધિ અને હૃદય બન્ને એમના વિચારવ્યાપારમાં પ્રવૃત્ત થતાં જણાય છે એથી નિબંધ હેાવા છતાં તે હૃદયસ્પશી અને છે. માનવીનાં લાગણી અને વ્યવહાર બન્નેને સ્પર્શે એવા વિષયાનું ગંભીર
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ Q. ૪
C
અને હળવી રીતે એમણે નિરૂપણ કર્યું છે. ઘણી વાર એમની શૈલીમાં જણાતી એકવિધતા એમની મર્યાદા બને છે. પ`ડિતયુગમાં સ્વતંત્ર લેખનકાર્ય કરનાર સાહિત્યરસિકા જાણીતા અંગ્રેજી ગ્રંથૈાના અનુવાદ કરતા. ગીઝાના પ્રખ્યાત ગ્રંથ યુરોપના સુધારાને ઇતિહાસ' (૧૯૧૩) અને રૅશાલના ગ્રંથ નીતિશાસ્ત્ર’ (૧૯૧૭)ના અતિસુખશંકરે કરેલા અનુવાદો જાણીતા બન્યા હતા. કાલેજોમાં કે બીજે ભજવી શકાય એવી નાટિકા પ્રસંગેાપાત્ત એમણે રચી હતી. પિતા કમળાશંકર ત્રિવેદી સાથે જૂના વડાદરા રાજ્યની શાળાઓ માટે ત્રિવેદી વાચનમાળા'ના જુદાજુદા ભાગેાનું એમણે સંપાદન કર્યું હતું. બ્યામેરાચન્દ્ર પાઠકજી સાથે કાવ્યસાહિત્યમીમાંસા'ની રચના કરી. બુદ્ધિપ્રકાશ' અને ‘વસન્ત' વગેરેમાં તે અવારનવાર લેખા લખતા. યુનિવર્સિટીના સંચાલન અને ઉચ્ચ-શિક્ષણની પ્રવૃત્તિમાં સક્રિય રહેનાર અતિસુખશાંકર ત્રિવેદીના જીવનકાળ ગાંધીયુગના અંત સુધી વિસ્તરેલા હેાવા છતાં એ સમયમાં એમની લેખનપ્રવૃત્તિ થયેલી જણાતી નથી. ઉચ્ચશિક્ષણના વિદ્યાર્થીએ માટે તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના ગ્રંથાની અંગ્રેજીમાં એમણે રચના કરી હતી. કૅાલેજના ગુજરાતી વિદ્યાથી ઓને ઉપયોગી થઈ પડે એ માટે કમળાશ’કર ત્રિવેદીના ‘બૃહદ્વ્યાકરણ' પરથી પાચ બૃહદ્ વ્યાકરણ' નામના ગ્રંથ એમણે પ્રસિદ્ધ કર્યો હતા. (ભૂ. )
આ યુગના ચિંતનાત્મક ગહનગંભીર નિબંધસાહિત્યમાં દૂરકાળ અને અતિસુખશકર ત્રિવેદીની રચનાઓએ વિનેદ, લાલિત્ય અને સકતાને પ્રવેશ કરાવ્યા. એ નિબધા સુવાચ્ય અને સરળ હેાવા છતાં એની સાથે પાંડિત્યનુ વળગણ રહ્યા કરતું હતું. હાસ્ય અને વિનેાદ દ્વારા ગુજરાતી જીવનનું નિરૂપણુ કરતા લેખા માસિકા અને પત્રામાં પ્રસિદ્ધ થતા હતા ને તે લેાકપ્રિય બન્યા હતા. તેમાં અતિશયેક્તિનું અને ઘણી વાર તે જમાનાની રુચિને હલકુ લાગે એવું નિરૂપણુ થતું. આ કૃતિએ અતિસામાન્ય અને શિષ્ટતાનાં ધારણા વિનાની છે એમ માની તેની અવગણના પણ થતી. એ વાતાવરણમાં છેટાલાલ જાગીરદાર, મસ્તક્કાર અને જદુરાય ખધેડિયાની રચનાએ શિષ્ટજનામાં અને પડિત સાહિત્યકારામાં પણ ધ્યાનપાત્ર ખૂની હતી. સાહિત્યના ઇતિહાસમાં તેમનુ વિસ્મરણ થઈ શકે નહિ.
ોટાલાલ ડા, જાગીરદાર (૧૮૮૬-૧૯૩૪) ધંધે વેપારી હતા છતાં હાસ્યરસના કુશળ લેખક તરીકે એમને સારી સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળી હતી. વીસમી સદી'માં વિનાદાત્મક લેખા દ્વારા વાયાનું હળવું મનેારંજન કરતા એમના લેખા ‘ઊંધિયુ’(૧૯૨૯), ‘ફઈબાકાકી’ (૧૯૩૦), ‘સખરસિયુ” (૧૯૩૧)
હું શિવજી દ્વા
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]. અન્ય ગદ્યલેખકે-૧
[૨૯ વગેરે ગ્રંથરૂપે સુલભ બન્યા. સમાજજીવનના અને કુટુંબના વિવિધ પ્રસંગેના હાસ્યપ્રેરક અંશને એમના લેખોમાં ઉપસાવવામાં આવ્યા છે ને તેમાં રહેલા
સ્વીકાર્ય કે ટીકાત્મક અંશ તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. વિવિધ પ્રસંગોને હાસ્યપ્રેરક વળાંક આપવામાં જાગીરદારની મૌલિકતા ધ્યાન ખેંચે એવી છે. (ભૂ.)
ધનસુખલાલ મહેતા (૧૮૯૦-૧૯૭૪)ઃ સુરતના વતની ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતાને જન્મ ઈ. ૧૮૮૦ના ઍકબરની ર૦મી તારીખે વઢવાણમાં કાયસ્થ જ્ઞાતિમાં થયો હતો. નાદુરસ્ત રહેતી તબિયતને કારણે તેઓ મૅટ્રિકયુલેશનથી આગળ અભ્યાસ કરી શક્યા નહોતા. એમણે વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટયૂટમાં ચાર વર્ષને અભ્યાસક્રમ પૂરો કરી ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગમાં એલ.ઈ.ઈ.ને ડિપ્લેમા મેળવ્યા હતા. એમની વ્યાવસાયિક કારકિદીને આરંભ એમણે મુંબઈમાં સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં નોકરી સ્વીકારીને કર્યો હતો.
એમના મામા રણજિતરામ વાવાભાઈ મહેતાએ એમને ગુજરાતી ભાષા પર કાબૂ મેળવવાના કીમિયા તરીકે અંગ્રેજી ભાષાના શિષ્ય ગ્રંથનું ભાષાંતર કરવાની ભલામણ કરી. આ સૂચનાને અનુસરી એમણે વિખ્યાત આંગ્લ લેખક સર આર્થર કાનન ડોઈલના પ્રસિદ્ધ પુસ્તક શેરલોક હોમ્સને “ડિટેકિટવ બહાદુર શેરલોક હોમ્સ” (૧૯૦૯) નામે અનુવાદ પ્રગટ કર્યો. પછી તો એ રાહે “ચંડાળચેકડી' (૧૯૧૩), મેટરલિંકના નિબંધો' (૧૯૧૭), “શેરલૅક હોમ્સનાં સાહસકર્મો' (૧૯૨૦) વગેરે સફળ અનુવાદ આપ્યા. મેટરલિંકના ત્રણ નિબંધોના ઉત્કૃષ્ટ અનુવાદ માટે ત્યારે મુંબઈની ફાર્બસ સભા તરફથી રૂપિયા ૨૫૦નું પારિતોષિક પણ એમને આપવામાં આવેલું.
તેમણે સ્વતંત્ર સર્જન પણ કર્યું છે. અઢાર વર્ષની વયે ૧૯૦૮થી તેમણે લેખે પ્રકટ કરવા માંડેલા. મિત્રવર્તુળમાં માનીતા “ધભાઈ”માં નૈસર્ગિક નર્મમર્મ શક્તિ હતી તેને પરિચય એમનાં લખાણોમાં આરંભથી થવા લાગ્યો હતે. એને પરિણામે સહુ એમને રમણભાઈ નીલકંઠને હાસ્યવારસ ગણવા લાગ્યા હતા. એમનું આ પ્રકારનું લખાણ બહુ સરલા અને મિત્રમંડળ' (૧૯૨૦), “અસાધારણ અનુભવ અને બીજી વાતો' (૧૯૨૪), “અમે બધાં' (૧૯૩૬), “આરામ ખુરશીએથી” આદિમાં સંગૃહીત થયું છે. “આથમતે અજવાળે' એમ ચરિત્રગ્રંથ છે; તે બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ અને “નાટયવિવેક' જેવા અભ્યાસનિષ્ઠ ગ્રંથે પણ તેમણે આપ્યા છે.
ગુ. સા. ૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2*. ૪
વાર્તા અને નાટકમાં એમના પ્રથમ રસ. વિદેશી કૃતિએના સફળ અનુવાદે અને સુભગ રૂપાંતરાની અનન્ય ફાવટ છતાંય એમની ખ્યાતિ હાસ્યલેખક તરીકેની વિશેષ છે. રાજમરાજના જીવનવ્યવહારમાંથી એમની સૂક્ષ્મ દૃષ્ટિ હાસ્યાત્પાદક પ્રસગા પકડી પાડે છે અને કલાકારના તાટસ્થ્ય તથા સમથ સર્જ કશક્તિથી એ પ્રસ ંગાને ખીલવી જાણે છે. એમની શૈલીમાં નિરાડંબરીપણું અને નિખાલસતા જોઈ શકાય છે. સત્ર માત્ર બૌદ્ધિક સ્તરે ન રહેતાં તેઓ ઊમિરૈલ પણ બને છે. હાસ્યરસની નિષ્પત્તિ માટે એમણે નિબધે ઉપરાંત વાર્તા, નવલકથા, રેખાચિત્ર આદિ પ્રકારામાં પણ પ્રશંસનીય પ્રદાન કરેલું છે. ‘અમે બધાં' ધનસુખલાલ મહેતા અને ન્યાતીન્દ્ર દવે દ્વારા આત્મકથાત્મક પદ્ધતિએ લખાયેલી સુરતના તે કાળે લુપ્ત થવા લાગેલા પરંપરાદ્ધ જીવનની ન`મયુક્ત નરવી અને ગરવી સળંગ કથા છે. બે સ કાએ સહયેાગમાં લખેલી આપણા સાહિત્યની આ પ્રથમ કૃતિ છે. ‘ભદ્રંભદ્ર' પછી હાસ્યરસની છેળા ઉછાળતી આ સળંગ કથાકૃતિમાં એના સાને પ્રશંસાપાત્ર પુરુષાર્થ અ ંતા રહેતા નથી. ધનસુખલાલની ઊંચી વિનાવૃત્તિ, પરિષ્કૃત ભાષાશૈલી, રસજ્ઞબુદ્ધિ, ઊંડી ચિંનતશીલતા અને સૂમ તલીલા એમનાં હાસ્યપ્રધાન લખાણામાં આગળ તરી આવતી લાક્ષણિકતાઓ છે. એમના અભિન્નત અને ઋજુ શીલની છાપ એમની શૈલી પર પડયા વગર રહી નથી. તેમણે ગુલાબદાસ બ્રોકર સાથે ધૂમ્રસેર' (૧૯૪૮) નાટક પણ લખેલું. ધનસુખલાલ મહેતાએ ઈ. ૧૯૧૮થી ૧૯૨૩ સુધી, મુંબઈના ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ દ્વારા ચલાવવામાં આવતા ‘સ્ત્રીહિતાપદેશ' નામક ત્રૈમાસિકનું તંત્રીપદ પણ સંભાળ્યું હતું. મુંબઈની સાહિત્ય સંસા તેએ આરંભથી જ સભ્ય ચૂંટાતા હતા. એમની હાસ્યરસની સર્જનાત્મક કૃતિઓને ઉપલક્ષીને એમને ૧૯૪૦ને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરવામાં આવ્યા હતા. (ધી.)
હરિપ્રસાદ ગૌ, ભટ્ટ –મસ્તફકીર’ (૧૮૯૭–૧૯૫૫) પત્રકાર હોવા ઉપરાંત સાહિત્ય અને કલાના ઉપાસક હતા. આપણા સામાન્ય અને રાજમરાજના જીવનમાં રહેલા હાસ્યપાત્ર અશાને વિનેાદી રીતે ઘેાડીક અતિશયોક્તિથી નિરૂપવામાં એમની કુશળતા છે. એમને માર્મિČક કટાક્ષ મૌલિક હોય છે. જુદા જુદા અને નવા નવા પ્રસંગેા યેાજવાને કારણે સંખ્યાદષ્ટિએ એમનું લખાણ વિપુલ છે. ‘મસ્તકીરની મસ્તી' (૧૯૨૬), ‘મસ્તફકીરના હાસ્યભંડાર' (૧૯૨૭), ‘હાસ્યવિલાસ’ (૧૯૩૨), ‘મુક્તહાસ્ય’ (૧૯૩૨) ઇત્યાદિ કૃતિમાં એમણે હસાવવાની સાથે નાની નાની પણ મહત્ત્વની વસ્તુ વિષે ગુજરાતને વિચારતું રાખ્યું. (ભૂ.)
મુનિકુમાર મણિશંકર ભટ્ટ (૧૮૯૮–૧૯૭૦): કૌમુદી' માસિકમાંના પેાતાના હાસ્યપ્રધાન લેખાથી ત્યારે ધ્યાન ખેંચનાર, કવિ કાન્ત'ના પુત્ર, મુનિ
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૧૧
કુમારને! જન્મ વડાદરામાં ઈ. ૧૮૯૮ના ફેબ્રુઆરીની ૭મીએ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં થયા હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ એમણે પેટલાદ અને ભાવનગરમાં લીધેલું તથા ઉચ્ચ શિક્ષણનાં બે વર્ષ એમણે જૂનાગઢ અને પૂનામાં અભ્યાસ કર્યા હતા. એમણે ભાવનગરની દીવાન કચેરીમાં, પછી ત્યાંના જૂના દફતરના ઉપરી તરીકે અને અ ંતે સૌરાષ્ટ્ર સરકાર થતાં ત્યાં પુરાતત્ત્વના વડા તરીકે નેાકરી કરેલી. ‘ગુજરાત', ‘કૌમુદી', ‘કુમાર', ‘યુગધર્મ'', ‘પ્રસ્થાન', ‘અખંડ આનંદ' આદિ સામયિકામાં એમણે હાસ્યપ્રધાન અનેક લેખો પ્રકટ કર્યા હતા. હળવા નિબંધ એમનું પ્રિય સાહિત્યસ્વરૂપ છે, જેનાં સફળ એમના સંગ્રહ ઠંડે પહેારે’(૧૯૪૪)માં જોઈ શકાય છે. મનુષ્યજીવનની વિસંગતિઓને, અન્ય હાસ્યકારાની જેમ એમણે પણ, ઉપાદાનસામગ્રી તરીકે સ્વીકારી, અતિશયાક્તિ-જ્ગ્યાજસ્તુતિ જેવા અલકારાને આશ્રય લઈ, સામાન્ય પ્રસ ંગને અસામાન્ય બનાવવાની તરકીબથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે. પાછળથી એમની શૈલીમાં સંસ્કૃતપ્રાચુયં પ્રવેશતાં એ વિશાળ વાચકવર્ગ સુધી પહેાંચવામાં પાછી પડતી હતી અને એમાં રીતિનુ એકધારાપણું પણ આવી ગયુ` હતુ`. એમણે કલાપીના ૧૪૪ પત્રાનું સંપાદન (૧૯૨૫) કર્યું. હતું તેમ જ દે. વ. ભટ્ટના ગ્રંથ ‘શિહેારની હકીકત'નું પણ સંપાદન કર્યું હતું. ઈ. ૧૯૭૦માં એમનું અવસાન થયું. (ધી.)
જદુરાય દુર્લભજી ખઇંડિયા (૧૮૮૯) વ્યવસાયે વેપારી હતા. વ્યાયામ, સંગીત, કાયદો, નાણાશાસ્ત્ર જેવી ભિન્નભિન્ન પ્રવૃત્તિમાં એ પરાવાયેલા રહેતા. ‘ગુણસુ'દરી' માસિક સાથે સંકળાયેલા હેાવાથી લેખનપ્રવૃત્તિમાં સક્રિય બન્યા. હાસ્યરસના લેખા એમણે ઠીકઠીક પ્રમાણમાં લખ્યા છે. એ લેખામાં બંડખાર વૃત્તિ અને જીવનની વિચિત્રતાનું આલેખન થયું છે. બુદ્ધિનું બજાર', ‘દેવેાને ખુલ્લા પત્ર', ‘૯ નવી વાર્તા' (૧૯૨૬), ‘દાઢ ડહાપણને સાગર' વગેરે એમના સગ્રહે। લોકપ્રિય થયા હતા. વિનેદશાસ્ત્ર' જેવુ હાસ્ય-સ્વરૂપ-વિષયક પુસ્તક પણ એમણે લખ્યું છે. ‘ફૅન્સી ફારસા' (૧૯૨૭) હાસ્ય-નાટકાનેા સંગ્રહ છે. ‘હૃદયની રસધાર' (૧૯૨૬)માં અર્વાચીન ઢબે લખેલાં હાસ્યરસનાં કાવ્યેા છે. એમની કૃતિઓમાં હાસ્ય સાથે કટાક્ષ પણ આવે છે. (ભૂ.)
ગગનવિહારી મહેતા (૧૯૦૦–૧૯૭૪) : અલ્પ પણું સત્ત્વશીલ હાસ્યનિબધાથી ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન કરનાર ગગવિહારી લલ્લુભાઈ મહેતાના જન્મ અમદાવાદમાં નાગર પિરવારમાં ઈ. ૧૯૦૦ના એપ્રિલની ૧૫મીએ થયા હતા. સર રમણુભાઈ નીલકંઠનાં પુત્રી સૌદામિનીબહેન સાથે ઈ. ૧૯૨૪માં એમનું લગ્ન થયું હતું. એમણે માધ્યમિક અને ઉચ્ચ કેળવણી મુંબઈમાં લઈ
Page #221
--------------------------------------------------------------------------
________________
ર૧૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ ૧૯૨૧માં બી.એ. અને ૧૯૨૮માં બન્ડ રસેલની સામાજિક ફિલસૂફી' નામક દીર્ધ નિબંધ લખી મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. દરમિયાનમાં વધુ અભ્યાસ માટે લંડનની લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં જોડાયેલા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે અભ્યાસ અધૂરો મૂકી સ્વદેશ પાછા ફર્યા હતા. પાછળથી આ સંસ્થાએ એમને “ફેલો' બનાવ્યા હતા. એમણે બેએક વર્ષ સુધી (૧૯૨૩થી ૧૯૨૫) “બોમ્બે ક્રોનિકલ’માં ઉપતંત્રીની ફરજો અને પછી કલકત્તા ખાતે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં મેનેજર તરીકે સફળ કામગીરી બજાવી હતી. ગાંધીજીની વિચારસરણીના પ્રભાવ તળે એમણે લેખ લખ્યા હતા તેમ જ રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા. આઝાદી પછી ભારત સરકારે એમને અમેરિકા ખાતેના ભારતના રાજદૂત નિયુક્ત કર્યા હતા.
એમણે ગુજરાતી તેમ જ અંગ્રેજી ઉભય ભાષામાં કલમ ચલાવી છે. રાજકારી પ્રશ્નોને લગતા એમના મનનશીલ લેખમાં એમની સ્વસ્થ દષ્ટિ અને સ્પષ્ટ રજૂઆત ધ્યાન ખેંચે તેવાં છે. ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખક તરીકે ગગનવિહારી મહેતાનું સ્થાન એમના “આકાશનાં પુષ્પો' (૧૯૩૨) એ નિબંધસંગ્રહથી નિશ્ચિત થઈ ચૂક્યું છે. મનુષ્યજીવનમાં વાસ્તવલેક અને સ્વપ્નલોક વચ્ચે સદા સંઘર્ષ રહેતા હોય છે. મનુષ્યના આ જિવાતા જીવનની અને અભીસિત જીવનની વિસંગતિમાંથી જે કરુણ પરિસ્થિતિ સર્જાય છે તેને ગગનવિહારી મહેતાએ પોતાના હાસ્યલેખની ધ્રુવસામગ્રી તરીકે સ્વીકારી બહુધા કાલ્પનિક પ્રસંગો સજી હાસ્યરસ નિષ્પન્ન કર્યો છે. એમાં મનુષ્ય પ્રત્યે અણગમો નથી, પરંતુ અનુકંપા છે. એમાં દાહક બૅગ નથી, પણ ભારોભાર વેદના છે. આથી એમનું હાસ્ય અકલુષિત અને અફર છે. એમના સ્વભાવની ઋજુતા એમના સર્જનમાં પણ પ્રતિબિંબિત થયેલી છે. એમની શૈલી મૃદુ-મધુર અને સરલ-તરલ છે. ગંભીર રીતે આરંભાતી એમની રચના તરત જ વિનોદમાં વિલસી રહે છે. હળવી શૈલીએ લખનાર આ ગભીર વિચારક, અર્થશાસ્ત્રી, પત્રકાર અને સાહિત્યકારનું એપ્રિલ ૧૯૭૪માં મુંબઈ ખાતે અવસાન થયું હતું. (ધી.)
જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા (૧૮૮૪) એ “પૂજારીને પગલે' (૧૯૩૧), જગતની ધર્મશાળામાં' (૧૯૩૨) અને “જગતને અરણ્યમાં એ કૃતિઓ આપી છે. એમણે રમતિયાળ, સરળ અને સંસ્કારી શૈલીમાં, ચિંતનની ફરફરવાળી કેટલીક રસાળ રચનાઓ આપી છે. આ કૃતિઓ લેખકની નિરૂપણરીતિની હળવાશથી આકર્ષક બની છે. હાસ્યલેખક ઇબ્રાહીમ દાદાભાઈ પટેલ “બેકાર'(૧૯૦૦)ના “રસનાં ચટકાં અને હાસ્યકું જન્મ સંગ્રહ પ્રગટ થયેલા છે. “ચાલુ જમાનાને ચિતાર નામે હાસ્યપ્રધાન નાટયકૃતિ પણ એમણે આપી છે. મહમદ સાદિક (૧૯૦૧),
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫ ]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૧૩
‘શયદા’ સાથે ઈ. ૧૯૨૪માં કાઢેલું. વિશે એમણે કેટલીક કૃતિઓ આપી છે.
આરબ જાતિના, મુંબઈમાં સ્થિર થઈને વસ્યા હતા. બે ઘડી મેાજ' સાપ્તાહિક 'રસઝરણાં' ઉપરાંત મુસ્લિમ મહાનુભાવે
નવલકથા-લેખકા
ભાગીન્દ્રરાવ ૨. દિવેટિયા (૧૮૭૫–૧૯૧૭) : સુધારકયુગ અને પંડિત યુગ દરમ્યાન નવલકથાના લલિત સાહિત્યના ક્ષેત્રે ભાગીન્દ્રરાવ દિવેટિયાએ વિપુલ સંખ્યામાં મૌલિક અને અનુવાદ કરેલી રચના દ્વારા ફાળા આપ્યા હતા. બન્ધુસમાજના આશ્રયે એમણે સાહિત્યપ્રવૃત્તિ આરંભી. લાકપ્રિયતા અને વિપુલતાની દૃષ્ટિએ અન્ધુસમાજના લેખકામાં એમનું સ્થાન અગ્રગણ્ય છે. સુધારકયુગનું વળગણુ એમની રચનામાંથી દૂર થયું નથી. સાહિત્ય દ્વારા સુધારાનું કાર્ય કરવાની તેમ જ પ્રચાર અને ઉપયેાગિતાની દૃષ્ટિને એમણે મહત્ત્વ આપ્યું છે તે કારણે સર્જકશક્તિની પ્રબળતા દેખાતી નથી, છતાં એ સમયના વાર્તારસષ્ઠાની અપેક્ષા સંતાષવામાં એ સફળ થાય છે. પેાતાના દેશ અને સમયનાં પાત્રા અને પ્રશ્નો નવલકથામાં એ આસાનીથી ગૂંથી લે છે. વિકટર હ્યૂગા, ટૉલ્સ્ટૉય અને ગેાવનરામ જેવા ભિન્નભિન્ન વલણોવાળા સ કેામાંથી એમણે પ્રેરણા મેળવી છે, પર ંતુ કૃતિને મહાન બનાવનાર સૂધમ કલાતત્ત્વને એ પામી શકયા ન હતા. સામાજિક પ્રશ્નોની ચર્ચા કરવાનું સપાટી પરનું જે વલણ હોય છે તેને જ તેએ નિરૂપી શકયા છે. પાત્રવૈવિધ્ય, પ્રસંગવૈવિધ્ય, પાત્રાલેખન, સુગ્રથિત વસ્તુનિરૂપણની બાબતમાં એમની શક્તિ બહુ સામાન્ય પ્રકારની જણાય છે. ઉચ્ચ ભદ્રવર્ગને બદલે સામાન્ય વર્ગ એમની નવલકથામાં સ્થાન મેળવે છે. મધ્યમ વર્ગ અને ગરીબેાના જીવનનુ તેમાં આલેખન થયુ છે. સમકાલીન સામાજિક પ્રશ્નને નવલકથામાં ઉપસાવવામાં એ રમણલાલ દેસાઈ અને ઈશ્વર પેટલીકરના પુરાગામી ગણાય. ઘટનાની રહસ્યમયતા ઊપસવાને બલે નિબંધતત્ત્વને આશ્રય લઈ નવલકથાને એ વિસ્તારે છે. વિપુલ સંખ્યામાં નવલકથા રચનારા આજના કેટલાક વાર્તાકારોના પણ એ પુરાગામી છે. એમની નવલકથાએ એકી સાથે પાંચ પત્રોમાં છપાતી, મૌલિક રચનાથી પહેોંચી વળાતું નહિ ત્યારે એ અનુવાદો આપતા. ‘મૃદુલા' (૧૯૦૭), ‘ઉષાકાન્ત' (૧૯૧૮), ‘મેાહિની’ (૧૯૧૫), ‘કૅાલેજિયન’(૧૯૧૭), ‘જ્યેત્સ્ના' (૧૯૩૭), ‘અમિલ’ (૧૯૧૭) ઇત્યાદિ કૃતિઓ દ્વારા એમણે ગુજરાતીએના વાર્તારસને તૃપ્ત કર્યા. એમણે રોલ્સ્ટોયનું જીવનચરિત્ર તથા ઇંગ્લૅન્ડને ઇતિહાસ' લખ્યા હતા. એમની કેટલીક કૃતિએ અપ્રસિદ્ધ પણ રહી છે. (ભૂ.)
નારાયણ વિસનજી ઠક્કુર (૧૮૮૪–૧૯૩૮): પંડિતયુગ પહેલાં નંદશ કર
(
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ ૪ (૧૮૩૫–૧૯૦૫), ઈચ્છારામ સૂ. દેસાઈ (૧૮૫૩-૧૯૧૨) વગેરેથી આરભાયેલી ઐતિહાસિક નવલકથા-લેખનની પ્રવૃત્તિ નારાયણ વિસનજી ઠક્કરની કૃતિઓ દ્વારા વિશિષ્ટ અને વિપુલ રૂપ ધારણ કરે છે. અતિહાસિક નવલકથા `કેવી હેાવી જોઇએ અને કેવી ન હેાવી જોઈએ તે એમની નવલકથાઓ દ્વારા ગુજરાતી વાચકા અને વિવેચને સમજવાની તક મળે છે. ઐતિહાસિક નવલકથાનું આકર્ષણ ઈતિહાસ નહિ પરંતુ એમાં નિરૂપાતું પરાક્રમી, રામાંચક કે ઘટનાભરપૂર માનવજીવન છે એ સમજાવા માંડયું. પ્રજાબંધુ', ‘ગુજરાતી પંચ' જેવાં અઠવાડિકા ભેટપુસ્તક તરીકે અતિહાસિક નવલકથાએ આપવાની પરંપરા શરૂ કરે છે એ કારણે નવલકથાલેખન વિપુલ પ્રમાણમાં થયું. સામાજિક વિષયામાં વૈવિધ્ય, નવીનતા, વાસ્તવિકતા ને અદ્ભુત કૌતુકમયતાને જે અવકાશ છે તેને એ યુગના લેખા સમજી કે પકડી શકવા નથી એથી ઇતિહાસમાંથી વસ્તુ લેવાનું વલણ વિશેષ છે. ઠક્કર ઇતિહાસ જાણે છે પરંતુ તેની વિગતા સાથે ખૂબ છૂટ લે છે. ઇતિહાસની ભૂમિકામાં માનવજીવનની રહસ્યમયતાને પકડવાનુ ને તેનું કલાત્મક સર્જન કરવાનું તેમનાથી બન્યું નથી. ઉત્તર હિંદના વિલાસી જીવનના પરિચયથી લાકપ્રિયતા માટે એમણે સ્ત્રી-પુરુષના સંબંધનું જુગુપ્સાકારક લાગે ને રુચિભંગ કરે એવું આલેખન કર્યું. છે. વાચકેાની હલકી વૃત્તિ જાગ્રત કરી લેાકપ્રિય થવું એવું વળગણુ ગુજરાતી નવલકથાને આજ સુધી રહ્યા કર્યું છે તેનેા અપયશથેાડેઘણે અંશે નારાયણ વિસનજીને ફાળે જાય છે. આ કારણે વિચારશીલ અને ગ ંભીર વર્ગની નારાજી એમણે વહેારી લીધી હતી. એમની શૈલીમાં કૃત્રિમતા છે. તેમણે વાંચેલાં ઉર્દૂ, ફારસી પુસ્તકામાંથી પ્રસ્તુત હૈાય કે નહિ તેાપણુ એ જરૂર વગર તારા આપ્યું જાય છે. ઇતિહાસ કે ભૂતકાળને એઠા તરી કે લઈ સાથી પણ વધુ નવલકથાઓની એમણે રચના કરી છે. ઘણી વાર સુધારક યુગના પ્રભાવથી સામાજિક અનીતિનાં કમકમાટી ઉપજાવે ને અનુક ંપા જન્માવે એવાં ચિત્રા આપવા એ પ્રયત્ન કરે છે પરંતુ એમાં પણ જનમનર ંજનની સસ્તી યુક્તિ બહાર પડી આવ્યા વગર રહેતી નથી. દરેક નવલકથાને બબ્બે નામ આપવાની પદ્ધતિ એમણે રાખી હતી. વિપુલ પ્રમાણમાં લખાયલી એમની નવલકથાએના ઘેાડાક નામેાલ્લેખ પરથી નવલકથા-લેખનની પ્રવૃત્તિ સમજી શકાશે. ‘માધવી કંકણ અથવા શાહજહાનના છેલ્લા દિવસેા' (૧૯૧૨), ‘ચાણકયનીતિ અથવા ચચ્ચ સુહુધી' (૧૯૧૭), પદ્મિની અથવા ભસ્મીભૂત ચિત્રા’ (૧૯૧૦), ‘ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય’ (૧૯૧૨), ‘૨૫૦૦ વર્ષી પૂર્વેનું હિંદુસ્તાન' (૧૯૧૨), ‘મહારાણી મયણલા અથવા ગુજરાતની માતા’ (૧૯૨૪), ‘નાનાસાહેબ અથવા સ્વધર્મ માટે પ્રાણા'ણ' (૧૯૨૬), ‘અનારકલી અથવા અપરાધી અકબર' (૧૯૨૩), ‘અનંગભદ્રા અથવા
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૧૫ વલભીપુરના વિનાશ' (૧૯૧૮), ‘દિલ્હીની સુલતાના—રઝિયા બેગમ’ (૧૯૧૪), ‘કુસુમ કંટક અથવા રમણી કે રાક્ષસી', ‘વિલાયતી વિલાસમાં ફેશનબાઈ', ‘ચુડેલને વાંસેા' જેવી સામાજિક નવલકથાઓ પણ એમણે લખી. ‘માધવકેતુ' (૧૯૨૭) નામનું નાટક, કૃષ્ણભક્ત ખેાડાણાનાં પદોનું સંપાદન, આનંદાશ્રમ’ના અનુવાદ ઇત્યાદિ ગ્રંરચના એમણે કરી. ધર્મ, તત્ત્વજ્ઞાન વિષે લેખા પણ એમણે લખ્યા હતા. ગુજરાતના વૅલ્ટર સ્કીટનું બિરુદ પામેલા નારાયણ વિસનજી ઠક્કુર સંખ્યાની વિપુલતા અને લેાકપ્રિયતાથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સ્થાનના અધિકારી બને છે. ગુણવત્તા, સર્જકતા કે કલાત્મકતા એમનું જમાપાસું નથી. નાટયક્ષેત્રે પણ ખારેક કૃતિઓ એમણે લખી છે એમાં ‘માલવકેતુ', ‘માયામેાહિની’, ‘ગર્વ ખ‘ડન’, ‘દગાબાજ', ‘મેધારી તલવાર' જેવાં નાટકા રંગભૂમિ પર ઠીકઠીક ચાલ્યાં હતાં. એમાં શેકસપિયર પરથી કેટલાંક રચાયેલાં હતાં. ત્રીજા ગ્રંથમાં (પૃ. ૧૫૨) એમના કાવ્યસંગ્રહ 'કાવ્યકુસુમાકર'ને નિર્દેશ થયા છે. (એમના ગ્રંથાની યાદી માટે જુએ ગ્રંથ અને ગ્રંથકાર', ભાગ ૯.) (ભૂ.)
માધવરાવ બા. દિવેટિયા (૧૮૭૮–૧૯૨૬)એ ‘જ્ગ્યાતિપુંજ', 'વૈતભાનુ’ આદિ નવલકથાઓ લખી છે. પુરુષાત્તમ વિશ્રામ માવજી (૧૮૭૯-૧૯૨૯) પ્રાચીન ઈતિહાસના અભ્યાસી હતા અને પ્રાચીન ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીના સમૃદ્ધ સંગ્રહ એમણે એકઠા કર્યાં હતા. એમણે ‘સુરસાગરની સુંદરી' (૧૯૦૪), ‘શિવાજીના વાઘનખ’ (૧૯૦૬) જેવી નવલકથાઓ આપી છે. ‘રાજપુતાનાનાં દેશી રાજ્યેા' (૧૮૯૮), ‘રણવીરસિંહ', ‘ચાર સન્યાસી' વગેરે અઢારેક કૃતિએ એમણે લખી છે. ‘સુવર્ણમાળા' નામનું સામયિક ચિત્રપ્રકાશન એમણે પ્રગટ કર્યું. હતું. રાજેન્દ્ર સા. દલાલ(૧૮૮૩)એ ‘વિપિન’ અને માગલસરૂંધ્યા' નામની નવલકથા આપી છે. ધનશંકર હી. ત્રિપાઠી(૧૮૮૯)એ ‘અનુપમ ઉષા' (મૌલિક), રૂપેરી રાજહંસ' વગેરે (ડિટિવ) નવલકથા ઉપરાંત ‘ચેાખેરવાલી' (ટાગાર) અને થ્રી મસ્કેટિયર્સ'(ડચ્મા)ના અનુવાદો, ‘સ્વદેશ’ (નિબંધ) તેમ જ ‘સુમનસંચય’ (કાવ્ય) વગેરે કૃતિઓ રચી છે. સત્યેન્દ્રપ્રસાદ સાં. મહેતા (૧૮૯૨)ની ‘કુમુદૃકુમારી', ‘કૈલાસકુમારી', ‘કુસુમકાન્ત' આદિ નવલકથાઓ પ્રગટ થઈ છે. જગજીવન મા. કાઠારી (૧૮૯૬) પાસેથી ‘ગુજરાતનું ગૌરવ' નામની ઐતિહાસિક નવલકથા, તા સાકરલાલ મ. કાપડિયા (૧૮૯૭) પાસેથી ‘લાહીના વેપાર’, ‘ધીખતા જ્વાલામુખી’ જેવી કૃતિઓ પ્રાપ્ત થઈ છે. ગેાપાળરાવ ગજાનન વિાંસે (૧૮૯૬-૧૯૮૦) મરાઠીમાંથી ખાંડેકરની ‘ક્રૌંચવધ', ‘ઉલ્કા’, ‘સુલભા’' વગેરે અનેક તેમ જ અન્ય લેખાની કૃતિઓને સરળ પ્રવાહી ગુજરાતીમાં અનુવાદિત કરી છે. વીર સાવરકર, કાકાસાહેબ ગાડગીલ, વિભાવરી શિરુરકર, શ્રી. ના. પેંડસે, અરવિંદ ગાખલે,
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2*. ૪
કેલકર, ખેારકર ( ભાવીગુ') વગેરેની ૬૮ જેટલી કૃતિઓના સુંદર સ્વાભાવિક અનુવાદે એમણે સુલભ કરી આપ્યા છે. ભાસ્કરરાવ વિાંસના પણ આ ક્ષેત્રે ફાળા છે. ‘કમલાકુમારી' (૧૯૧૨) નવલકથા ઉપરાંત ‘ચક્રવતી` અશાક’, ‘હારમાળા અને તેના લેખક' વ. કૃતિ હરિરાય ભગવંતરાય બ્રૂચે (૧૮૮૧–૧૯૬૨) આપી છે.
ચરિત્રલેખકે
વિનાયક નંદશંકર મહેતા (૧૮૮૩–૧૯૪૦) : ગુજરાતના પ્રથમ નવલકથાકાર નોંકર મહેતા(૧૮૩૫-૧૯૦૫)ના પુત્ર વિનાયક મહેતા ઉચ્ચ સરકારી અધિકારી હાવા છતાં સાહિત્યના વાતાવરણમાં હેાવાથી સાહિત્ય, પુરાતત્ત્વ, રાજ્યકારણ, સહકાર, અર્થશાસ્ત્ર ઇત્યાદિ વિષય પર લખતા હતા. એમનું યાદગાર પુસ્તક પિતાની જીવનકથા ‘નંદશંકર જીવનચરિત્ર' ગુજરાતના અલ્પ જીવનકથાસાહિત્યમાં સ્થાન ધરાવે છે. નંદશંકરનું વ્યક્તિત્વ બહુવિધ તેમ જ તેમનું જીવન પ્રસંગપ્રધાન હતું. આ જીવનચરિત્રમાં વિગતા આછી છે પર ંતુ નંદશંકરનું વ્યક્તિચિત્ર સરસ રીતે આલેખવામાં આવ્યું છે. વ્યક્તિને કેન્દ્રમાં રાખી એમના સમય અને વાતાવરણનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે તેથી આ જીવનકથાને ‘સમયચિત્ર' તરીકે પણ ઓળખાવવામાં આવી છે. વડવાઓ અને નાગરીનાત વિષે અભિમાનપૂર્વક પ્રસંગે આપવામાં આવ્યા છે. પિતાનાં ઉપદેશ, સલાહ, માદન વગેરેને પણ આ જીવનચરિત્રના પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યાં છે. જીવનચરત્રનું ગદ્ય ઉર્દૂřારસી શબ્દો અને રૂઢિપ્રયાગેાથી આકર્ષીક બન્યું છે તા કાઈ ઠેકાણે એવા પ્રયાગેથી દુર્ગંધતા પણુ આવી ગઈ છે. કૃષ્ણલાલ મેા. ઝવેરીને જીવનકથા તરીકે આ કૃતિ ‘મસ્તમૈલી'ના પરિચય કરાવતી જણાઈ હતી. (ભૂ.)
કાન્તિલાલ છગનલાલ પ‘ડયા (૧૮૮૬-૧૯૫૮)ઃ ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાણેજ અને ગેાવનરામનું જીવનચરિત્ર' (૧૯૧૦) લખી ઠીકઠીક પ્રસિદ્ધિ પામનાર કાંતિલાલ પાંડાને જન્મ ૧૮૮૬ના ઑગસ્ટની ૨૪મી એ નડિયાદમાં વડનગરા નાગર પરિવારમાં થયા હતા. તેઓ ૧૯૦૭માં ખી.એ. અને ૧૯૧૦માં એમ.એ. થઈ વિદેશ જઈ પીએચ.ડી. થયા હતા. ૧૯૧૩માં તેઓ આગ્રાની સેન્ટ જોન્સ કૅલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા હતા અને નિવૃત્તિ બાદ વતન નિડયાદમાં સ ંશાધનક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા હતા, જ્યાં ૧૯૫૮ના કટાબરની ૧૪મીએ એમનુ' અવસાન થયું હતું. ગુજરાતીમાં વિજ્ઞાનવિષયક માહિતી પૂરી પાડવા તેઓ હમેશાં તત્પર રહેતા. ગુજરાતી સાહિત્ય પ્રત્યે એમને અનુરાગ અને એ પરત્વેને એમનેા અભ્યાસ એમનાં છૂટક લખાણામાં ષ્ટિગાચર થાય છે. (ધી .)
Page #226
--------------------------------------------------------------------------
________________
‘પ્ર. ૫]. અન્ય ગદ્યલેખકે-૧
[ ર૧૭ ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (૧૮૯૨-૧૯૭૨)ઃ પત્રકાર, સાહિત્યકાર અને ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકને જન્મ નડિયાદમાં ૧૮૯૨ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે થયો હતે. ઈ. ૧૯૧૦માં તેઓ મુંબઈમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. ૧૯૧૩થી ૧૯૧૫ સુધીનાં બે વર્ષની વકીલાત સિવાય બાકીનું જીવન એમણે સમાજ અને સાહિત્યને સમપ્યું હતું. ૧૯૧૪માં એમણે હિન્દુસ્તાન' દૈનિક શરૂ કર્યું તે પહેલાં શેડો કાળ “મુંબઈ સમાચારમાં કામગીરી બજાવી પત્રકારત્વની સઘન અને સક્રિય તાલીમ મેળવી લીધી હતી. ૧૯૧૫માં એમણે ‘યંગ ઇન્ડિયા” તથા “નવજીવન અને સત્ય” એમ બે પત્રો શરૂ કર્યા હતાં, જે પાછળથી ૧૯૧૯માં ગાંધીજીને સોંપી દીધાં અને ૧૯૨૨માં “યુગધર્મ' નામક માસિક શરૂ કર્યું. પછી ૧૯૨૪થી ૧૯૨૮ દરમિયાન સામ્યવાદી વિચારસરણી ધરાવતા રણછોડલાલ લેટવાળાનું દૈનિક હિન્દુ
સ્તાન’ ચલાવ્યું. આરંભમાં તેઓ મેઝિની અને ગરીબાડીની વિચારધારાથી પ્રભાવિત થયા હતા, પછી ગાંધીપ્રભાવ નીચે આવ્યા. ૧૯૩૦થી ૧૯૩૫ના વિદેશવાસ પછી એમણે ૧૯૩૬થી ૧૯૪૦ દરમિયાન ગુજરાતમાં કિસાનપ્રવૃત્તિ ચલાવી હતી. ૧૯૪રમાં અમૃતલાલ શેઠના “નૂતન ગુજરાતના તેઓ તંત્રી બન્યા. વળી, ૧૯૪૪માં ગુજરાતમાં વાત્રકને કાંઠે નેનપુર(જ. ખેડા)માં આશ્રમ ખાલી ૧૨ વર્ષ સુધી ત્યાં રચનાત્મક પ્રવૃત્તિ કરતા રહ્યા. પરંતુ ૧૯૫૬માં એમણે મહાગુજરાતના આંદોલનમાં ઝંપલાવ્યું તે ૧૯૭૨ના જુલાઈની ૧૭મી તારીખે એમનું અવસાન • થયું ત્યાં સુધી ગુજરાતના રાજકારણમાં એ સક્રિય રહ્યા.
એમણે “માયા” નામક નવલકથા; “વરઘોડો', “દુકાળ', “બંગભંગ', “ગામડાનું સ્વરાજ', “અક્કલના દુશ્મન”, “શોભારામની સરદારી', “રણસંગ્રામ” અને “આશાનિરાશ” નામક આઠ નાટકે; સ્ત્રીજીવનવિષયક છ લઘુકથાઓને સંગ્રહ “કુમારનાં સ્ત્રીરત્ન'; “ગાંધીજીના સહવાસમાં ભાગ ૧- ૨ અને થોડા આશ્રમ” જેવાં ગાંધીજી વિશેનાં પિતાનાં સંસ્મરણો નિરૂપતાં ત્રણ પુસ્તક અને પિતાની જિંદગીનાં છેલાં બાર વર્ષો સિવાયની ૧૮૯૨થી ૧૯૨૧ના સમયગાળાના ગુજરાતનું આકર્ષક ચિત્ર આપતી “આત્મકથા'ના પાંચ ભાગ આપી ગુજરાતી સાહિત્યમાં
સ્મરણીય પ્રદાન કર્યું છે. આ ઉપરાંત એમણે “શહીદને સંદેશ” નામક પેટ્રિક પિયર્સનનું ચરિત્ર લખ્યું છે, તો શ્યામજી કૃષ્ણ વર્મા, લેનિન અને ગાંધીજીનાં ચરિત્ર પણ આપ્યાં છે. એમણે “ગાંધી જન્મશતાબ્દી મહોત્સવ ગ્રંથ’નું તેમ જ બંગાળી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાંથી ૧૪૧ રાષ્ટ્રભક્તિનાં કાવ્યનું “રાષ્ટ્ર ગીત” નામે સંપાદન કરેલું છે. એમની શૈલી સાદી પણ વેધક છે. (ધી.)
આ ઉપરાંત “કલ્યાણ જેઠા બક્ષીનું જીવનવૃત્તાંત આપનાર હિંમતરાય ક.
Page #227
--------------------------------------------------------------------------
________________
ર૧૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચં. ૪ બક્ષી (૧૮૮૬–૧૯૬૬), ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર આપનાર અને બાળકે માટેની વાર્તાઓ અને અન્ય લેખ લખનાર કૌશિકરામ વિ. મહેતા (૧૮૭૪), સ્વામી વિવેકાનંદનાં ચરિત્ર આપનાર નાજુકલાલ ચોક્સી (૧૮૯૧) અને રામપ્રસાદ દેસાઈ, “આત્મકથાનક'ના લેખક, “કુમાર”ના આદ્યતંત્રી અને કલાકારની સંસ્કારયાત્રા”ની પ્રવાસકૃતિ આપનાર રવિશંકર મ. રાવળ (૧૮૯૨), “જયાકુંવર' (૧૮૯૬) ચરિત્રને લેખક પ્રભુલાલ વૈદ્ય, એડિસનનું જીવનવૃત્તાંત આપનાર રેવાશંકર સોમપુરા (૧૮૯૫), “આપવીતી' આત્મકથાના લેખક અને ‘તવારીખની તેજછાયા'ને અનુવાદ આપનાર વેણીલાલ છે, બૂચ (૧૮૮૯-૧૯૪૪), શ્રી આદ્ય શંકરાચાર્યની જીવનકથા આપનાર પુરુષોત્તમ શિ. ભટ્ટ (૧૮૯૮), દયારામની જીવનકથા આપનાર ત્રિભુવનદાસ જ, શેઠ (૧૯૯૯), “દેશબંધુનું ચરિત્ર આપનાર જયન્તકુમાર મ. ભટ્ટ (૧૯૦૨), “બુદ્ધચરિત્ર'ના લેખક મણિલાલ દોશી, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવનચરિત્ર (૧૯૧૧) ઉપરાંત બંગાળી લેખકેની ટૂંકી વાર્તાઓ, ‘ભારતના સંતપુરુષે’, ‘ભારતનાં સ્ત્રીરને (ત્રણ ભાગ ૧૯૧૧-૧૩), ‘આદર્શ દષ્ટાંતમાળા' (બે ભાગ ૧૯૨૫–૨૮) વગેરેના લેખક શિવપ્રસાદ દ. પંડિત, વડોદરામાં ચાલીસ વર્ષના લેખક ગોવિંદભાઈ દેસાઈ, “મારી જીવન
સ્મૃતિ' તથા નેધથી આપનાર કનુબહેન દવે, રાનડેનું ચરિત્ર લખનાર સૂર્યરામ દેવાશ્રયી વગેરેનું પણ આપણું ચરિત્ર-સાહિત્યમાં અર્પણ છે.
સ્ત્રી-લેખકે વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ (૧૮૭૬-૧૯૫૮) : હાસ્યરસના નિબંધ સાહિત્યમાં, રમણભાઈ નીલકંઠ સાથે ‘હાસ્યમંદિર'માં નર્મમર્મયુક્ત કેટલાક હળવા નિબંધો આપનાર ઉલ્લેખપાત્ર લેખિકા વિદ્યાગૌરીને જન્મ અમદાવાદમાં વડનગરા. નાગર ગૃહસ્થ પરિવારમાં ૧૮૭૬ના જૂનની પહેલી તારીખે થયે હતો. પ્રાથમિકમાધ્યમિક-ઉચ્ચ શિક્ષણ એમણે અમદાવાદમાં લીધું હતું અને બી.એ. થઈ ગુજરાતમાં પ્રથમ સ્ત્રી-સ્નાતક બન્યાં હતાં. ૧૮૮૯માં સાક્ષર રમણભાઈ નીલકંઠ સાથે તેમનું લગ્ન થયું હતું. તેઓ ૧૯૨૮થી પિતાના મૃત્યુ સુધી ગુજરાત, વિદ્યાસભાનાં મંત્રી રહ્યાં હતાં. વડોદરા ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલનનાં તેઓ પ્રમુખ વરાયાં હતાં. ૧૯૪૭થી નિધનપર્યત એમણે ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ તેઓ સક્રિય હતાં. ગુજરાતી સ્ત્રીઉન્નતિની પ્રવૃત્તિમાં એમનો હિસ્સો નોંધપાત્ર છે. સાહિત્યમાં એમણે રોજબરોજના. પ્રસંગમાંથી હાસ્ય નિષ્પન્ન કરતા, ક્યારેક નિર્દોષ કટાક્ષનો આશ્રય લઈ, હળવા.
Page #228
--------------------------------------------------------------------------
________________
અન્ય ગદ્યલેખકે-૧
[ ર૧૯ નિબંધો લખી તેમ જ સુબદ્ધ ચરિત્રાત્મક લેખો લખી એક લેખિકા તરીકે ગૌરવભર્યું
સ્થાન પ્રાપ્ત કર્યું છે. “ફોરમ'(૧૯૫૫)માં એમના આવા ચરિત્રાત્મક લેખો. સંગૃહીત થયા છે. આ ઉપરાંત એમણે “ગૃહદીપિકા' (૧૯૩૧), “નારીકુંજ' (૧૯૫૬) અને “જ્ઞાનસુધા' (૧૯૫૭) જેવા લેખસંગ્રહ પ્રકટ કર્યા છે. તો અંગ્રેજીમાંથી “સુધાહાસિની' (૧૯૧૪) અને હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન જેવા અનુવાદ પણ આપ્યા છે. પ્રો. ધેડો કેશવ કર્વેનું ચરિત્ર' (૧૯૧૬) પણ એમણે લખ્યું છે. એમણે સ્વતંત્ર રીતે અંગ્રેજીમાં પણ કેટલાક લેખો લખ્યા છે. તેમની શિલી શિષ્ટ-ગભીર છે. ૧૮૫૮ના ડિસેમ્બરની ૭મીએ એમનું અવસાન થયું હતું. (ધી.)
શારદાબહેન સુમન્ત મહેતા (૧૮૮૨–૧૯૭૦) : વિદ્યાબહેન સાથે ૧૯૦૧માં બી.એ.ની પરીક્ષા પસાર કરી હતી, જે ગુજરાતના સ્ત્રીકેળવણીના ઈતિહાસમાં અપૂર્વ ઘટના હતી. એમણે વિદ્યાબહેન નીલકંઠ સાથે રમેશચંદ્ર દત્તના “ધ લેઈક ઍફ પાસ'નો અનુવાદ “સુધાહાસિની' નામે પ્રગટ કર્યો હતો, અને હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’(૧૯૧૧)નું પણ ભાષાંતર આપ્યું હતું. ફૂલોરેન્સ નાઈટિંગેલનું જીવનચરિત્ર (૧૯૦૭) પણ લખ્યું હતું. પરંતુ એમની મહત્વની સેવા આત્મકથાના ક્ષેત્રે છે. જીવનસંભારણાં(૧૯૩૮) એ એમનું આત્મવૃત્તાંત છે. આત્મવિકાસના રૂ૫રેખાત્મક ઈતિહાસ સાથે ગુજરાતનાં લગભગ પાંચ-સાડાપાંચ. દાયકાનાં સમાજ, રાજ્ય અને સ્ત્રી જાગૃતિ વિશેનાં વિગતપૂર્ણ ચિત્રો એમાં દોરાયાં છે. એમાં એમના નમ્ર નિર્મળ વ્યક્તિત્વને અને જાહેર જીવનને અહેવાલ મળે. છે. સરળ શૈલીમાં લખાયેલું આ આત્મકથાનક સ્ત્રીશિક્ષણ વિશેની પલટાતી વિચારણને દસ્તાવેજી હેવાલ આપે છે એ દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે.
લીલાવતી મુનશી (૧૮૯૯–૧૯૭૮): અમદાવાદમાં સંસ્કાર અને શ્રીસમૃદ્ધ જૈન પરિવારમાં ૧૮૮૯ના મે માસની ૨૩મી તારીખે તેમનો જન્મ થયો હતે. શાળાની વ્યવસ્થિત કેળવણું તે એમણે માત્ર ચાર ધોરણ સુધીની જ લીધેલી. પરંતુ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો ઘરમેળે ઊંડો અભ્યાસ કર્યો હતો. આમ, નાનપણથી લેખનવાચનના શોખથી કેળવાયેલા એમના આત્માને ૧૯૧૩માં શેઠ. લાલભાઈ ત્રિકમલાલ સાથેનું પોતાનું પ્રથમ લગ્ન અતૃપ્તિકર લાગ્યું હતું. એમને મુક્ત આમા નવી જીવનકાર્ય-ક્ષિતિજે ઝંખતો હતો, જે કનૈયાલાલ મુનશી. સાથેના પુનર્લગ્નથી પરિતૃપ્ત થયે. મુનશીની પડખે રહી તેમણે મુનશીની સાહિત્ય તેમ જ રાષ્ટ્રસેવાને સતત પોષ્યા કરી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ અને મુનશીદંપતીએ સ્થાપેલ ભારતીય વિદ્યાભવનને એમણે નોંધપાત્ર સેવાઓ આપેલી.
Page #229
--------------------------------------------------------------------------
________________
રર૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ છે. “રેખાચિત્રો અને બીજા લેખો' (૧૯૨૫) તથા કુમારદેવી' (૧૯૨૯) એ ગુજરાતી સાહિત્યને એમનાં અપણે છે. “જીવનની વાટેથી'(૧૯૭૭)માં એમની વાર્તાઓ અને નાટિકાઓ અને “સંચય' (૧૯૭૫)માં એમના લેખો સંઘરાયા છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરેલી વ્યક્તિઓનાં એમણે સધન શૈલીમાં સુંદર રેખાચિત્રો આપ્યાં છે. એમનાં આ રેખાચિત્રો ગુજરાતીના રેખાચિત્ર-સાહિત્યમાં સીમાસ્તંભ સમાં છે. સંક્ષિપ્ત વાક્યોવાળી એમની કાવ્યમય શૈલી એમનાં રેખાચિત્રોને સર્જનાત્મક સાહિત્યના સ્તરે પહોંચાડે છે. એમણે રેખાચિત્રો અને બીજા લેખો'માં કેટલાક વિનોદપ્રધાન શૈલીએ લખાયેલા નિબંધો પણ આપ્યા છે. આ નિબંધ એની સરસતાને લીધે ચટસાધક બની શક્યા છે. એમનું સ્મૃતિમંત ગદ્ય આ પ્રકારના નિબંધમાં સવિશેષ આસ્વાદ્ય બની શક્યું છે. આ રીતે તે આપણા . નિબંધકારોમાં પણ ગણનાપાત્ર નિબંધલેખિકા ઠરે છે. (ધી.)
વિમળાગૌરી મ. સેતલવાડ (૧૮૯૩)એ પ્રસિદ્ધ કૃતિ “અંકલ ટમ્સ કેબિનીને ગુલામગીરીને વિજય' (૧૯૧૮) નામે અને ઑટની કૃતિને “આઈવેન્હો–૧, ૨ (૧૯૨૬-૨૭) નામે અનુવાદ પ્રગટ કર્યો હતો.
અન્ય લેખકે (નિબંધ, વિવેચન, સંશોધન-સંપાદન આદિ) અમૃતલાલ સુંદરજી પઢિયાર (૧૮૭૦-૧૯૧૯) : સાહિત્યસર્જન કે અભ્યાસપરાયણ નિબંધને બદલે અમૃતલાલ પઢિયારનું લેખનકાર્ય જુદું પડી આવે છે. સાદા સાત્વિક ધર્માચરણ તરફ એમનું જીવન અને લેખન વળેલાં છે. સંત-સાધુ તરીકેના તેમના વ્યક્તિત્વને સૌરાષ્ટ્રને સાધુ' કાવ્યમાં ન્હાનાલાલે પરિચય આપ્યો છે. તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાને બદલે પરિચિત ધર્મની ભૂમિકા લઈ જીવનશુદ્ધિ તરફ જનસમાજને લઈ જવાનો આગ્રહ એમનો પુસ્તકમાં જણાય છે. “સરસ્વતીચન્દ્ર” કે “ગુલાબસિંહ' જેવી ભારેખમ નવલકથાઓ કે વેદાત કે તત્વજ્ઞાનના કઠિન ગ્રંથોનું વાચન નહિ કરી શકનારા વાચકને ધર્મતત્વજ્ઞાનથી પરિચિત કરતા એમના ગ્રંથોએ અલ્પશિક્ષિતોને સારી સામગ્રી આપી. ‘નવા યુગની વાતો દ્વારા ઉચ્ચ વર્ગમાં પ્રવેશેલાં જુગાર જેવાં દૂષણે ખુલેલાં કરી તેનાં અનિષ્ટથી તેઓ પ્રજાને ચેતવે છે. “સ્વર્ગોના એમના ગ્રંથે વિચારોની પરિચિતતા તથા શૈલીની સરળતા, સુંદરતા અને સ્વાભાવિકતાથી લોકપ્રિય થયા. “સંસારમાં સ્વર્ગ (૧૯૦૨) “વર્ગની કૂંચી' (૧૯૦૩), “સ્વર્ગનો ખજાનો' (૧૯૦૮), “સાચું સ્વર્ગ (૧૯૦૯), “સ્વર્ગની સીડી' (૧૯૦૯), “સ્વર્ગની સડક' (૧૯૧૪) એવા “સ્વર્ગોનાં પંદરેક પુસ્તકે તેમણે રચ્યાં. એ ઉપરાંત “આ વિધવા” (૧૮૯૧) અને “નસીબ
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખક-૧
[ રર૧. ફેરવવાની કળા' (૧૯૦૯) જેવા વ્યવહારમાં માર્ગદર્શક અને ઉપયોગી ગ્રંથની રચના કરી. (ભૂ)
રણજિતરામ વાવાભાઈ મહેતા (૧૮૭૧–૧૮૧૭) : કનૈયાલાલ મુનશીએ રણજિતરામ વિશે કહ્યું હતું કે તેઓ “માણસ જ ન હતા, એક ભાવના હતા.' સંસ્કારી, પ્રવૃત્તિપરાયણ, ભાવનાવિહારી અને ઉત્સાહી એવું એમનું વ્યક્તિત્વ. હતું. સાહિત્ય, કલા અને જીવનનાં સર્વ અંગોના ઉત્કર્ષથી દેશની ઉન્નતિ થઈ શકે એમ એ માનતા. રાજકારણ, સમાજસુધારો, ધર્મ, તત્વજ્ઞાનની ચર્ચાઓ. અને તે અંગેની સંસ્થાઓનું વર્ચસ્વ હતું ત્યારે એમણે ગુજરાતની અસ્મિતા. અને ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિ તરફ પ્રજાનું લક્ષ દેવું. ગુજરાતી સાહિત્ય સભા તથા ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યસંસ્થાઓ સ્થાપવામાં તેઓ અગ્રણે હતા. “રણજિતરામના નિબંધો દ્વારા તેમણે સાહિત્ય-- લેખનમાં આપેલો ફાળો નોંધપાત્ર છે. સાહિત્ય વિશેનાં તેમનાં સમજ અને ઉત્સાહ તેમાં પ્રગટ થાય છે. સારા નિબંધકારની સજજતા અને સામગ્રી એમની પાસે છે, જેકે વિશાળ અનુભવે, વાચન, વિચારસમૃદ્ધિ, શબ્દસમૃદ્ધિ અને ભાષાપ્રભુત્વ હોવા છતાં એમના નિબંધો ઉત્તમ બની શક્યા નહિ. વિચારો અને હોંશથી ઊભરાતા રણજિતરામ આકારની સપ્રમાણતા અને શૈલીની વ્યવસ્થિતતા જાળવી શક્યા નથી. ઘણી વાર એમનું લખાણ સામાન્ય નેધ જેવું બની જાય છે. નવલિકા કહી શકાય એવી કેટલીક વાર્તાઓ લખી છે, પરંતુ તેમાં વિવિધતા કે પ્રગો નથી. લોકસાહિત્યના સંશોધનને ક્ષેત્રે આરંભનું કાર્ય કરવાથી એમને ઝવેરચંદ મેઘાણીના પુરોગામી કહી શકાય. “શામળની પદ્યવાર્તાઓમાં ગુજરાતી. સમાજની ઝાંખી' નામના લેખમાં સાહિત્યવિવેચનને સામાજિક સંદર્ભમાં મૂકી આપવાને પ્રયત્ન નવીન અને મૌલિક ગણાય એવો છે, એથી સાહિત્યનાં અભ્યાસ અને વિવેચનને નવું દિશાસૂચન મળ્યું. નરસિંહરાવનાં કાવ્યોની મર્યાદા અને ન્હાનાલાલનાં કાવ્યોની મહત્તા એમણે દર્શાવી. વર્ષની સાહિત્યિક પ્રવૃત્તિનું અવલોકન કરવાની પ્રવૃત્તિના મૂળમાં “ઈશુનું વરસ ૧૯૦૮' જેવો અભ્યાસનિબંધ રહેલો છે. સામાજિક, રાજકીય અને અન્ય પ્રવૃત્તિના સંદર્ભમાં સાહિત્યવિવેચન કરવાની પદ્ધતિનું સૂચન પણ એમની વિવેચના કરે છે. સાહિત્ય સંસ્થાઓ સ્થાપીને અને સાહિત્યવિવેચનને ક્ષેત્રે નવાં વલણો દર્શાવી તેમણે જે સાહિત્યસેવા કરી તે એમનાં લખાણ કરતાં વધી જાય એવી છે. (ભૂ.)
- હાજી મહમદ અલારખિયા શિવજી (૧૮૭૮–૧૯૨૧): હાજી મહમદ શિવજીનું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જેટલું લેખક તરીકે સ્થાન છે એથી વિશેષ
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ . ૪ સ્થાન સાહિત્યના પ્રકાશનક્ષેત્રે નવો યુગ શરૂ કરનાર અને એ નિમિત્તે સનક્ષેત્રના નવા પ્રવાહોને અનુકૂળ થઈ તેને વેગ આપનાર તરીકેનું છે. પંડિત યુગ અને તે પછીના સર્જકોને પ્રકાશમાં લાવવામાં ને તેમને પ્રોત્સાહિત કરવામાં તેમને ફાળો બહુમૂલ્ય ગણાય. અંગ્રેજીના સાહિત્યિક પત્રકારત્વને આદર્શ ગુજરાતમાં ચરિતાર્થ કરવાની એમને ભારે હાંશ હતી. “વીસમી સદી ૧૯૧૬માં પ્રસિદ્ધ કર્યું ને અંગત આર્થિક બેટ ખમીને તેને સમૃદ્ધ કર્યું. અંકને સુંદર રીતે શણગારવા એમણે તનમનધનથી નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. વિદ્વાને જ નહિ પરંતુ સર્વસામાન્ય માણસની વિવિધ રુચિને સંતોષે એવી કાળજીથી એ “વીસમી સદી'નું સંપાદન કરતા. અનેક પ્રતિભાવાળા લેખક અને ચિત્રકારોને પ્રેરણા અને પ્રોત્સાહન આપી તેમને સાહિત્યક્ષેત્રે એમણે પ્રવૃત્ત કર્યા. ગુજરાત”, “નવચેતન આદિ માસિકોએ એમની પરંપરાને અનુસરવાને પ્રયત્ન કર્યો. હાજી મહમ્મદને ઉમર ખય્યામની રબાયતોને ભારે શોખ હતો. તેની અનેક સચિત્ર આવૃત્તિઓ ભેગી કરી હતી. એ પછી એને ગુજરાતી અનુવાદ પણ એમણે આપે. “સ્નેહવિરહ પંચદશી નામની એમની રચના પર એને પ્રભાવ છે. “મહેરુનિસા” નામની નાટયકૃતિ એમણે રચી હતી. આ યુગના ગદ્યકારમાં એમનું સ્થાન ગૌણ છે પરંતુ એ યુગમાં ગદ્યની રચનાને “વીસમી સદીમાં પ્રસિદ્ધ થતા લેખોને લીધે જે વેગ મળે તે એમનું મહત્વનું અર્પણ છે. ગદ્ય વિદ્રોગ્ય ન રહેતાં સુંદર અને સમૃદ્ધ રહી સામાન્ય જનતા સુધી પહોંચે એ માટે એ આતુર હતા. (ભૂ.)
મટુભાઈ હરગોવિંદ કાંટાવાળા (૧૮૮૦-૧૯૩૩): સુધારકયુગના કેળવણીકાર અને પ્રાચીન સાહિત્યના સંશોધક હરગોવિંદદાસ કાંટાવાળાના પુત્ર મટુભાઈ ગદ્યલેખકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. “સાહિત્ય નામના પત્રના તંત્રી તરીકે એમનું કાર્ય ગુજરાતી સાહિત્યના વિકાસમાં સેંધપાત્ર ફાળો આપે છે. સર્જનાત્મક ક્ષેત્રે “નારદ'ને નામે લખેલી એમની ટૂંકી વાર્તાઓ ટૂંકી વાર્તાના વિકાસમાં સીમાચિહ્ન રૂ૫ ગણાય એવી છે. એ વાર્તાઓમાં આપણું જીવનનાં વિલક્ષણ ચિત્ર આકર્ષક શૈલીમાં આલેખાયાં છે. મિલ એજટને વ્યવસાય હોવા છતાં વિદ્યાપ્રીતિ અને પ્રવૃત્તિ તરફ એ રસપૂર્વક ખેંચાયા હતા. “પ્રેમાનંદનાં જ નાટકે ?” (૧૯૨૮) નામના લેખ દ્વારા પ્રેમાનંદનાં નાટકોને પ્રશ્ન ઊભું કરવામાં એમણે આગેવાની લીધી હતી. નરસિંહરાવે ઉપસ્થિત કરેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં એ અગ્રણી રહ્યા. જુના ગુજરાતી સાહિત્યને મટુભાઈને અભ્યાસ વિશાળ અને ઊંડા હોવાથી મધ્યકાલીન સાહિત્યની ચર્ચા આધારભૂત રહી છે. “સાહિત્ય' માસિક દ્વારા ગ્રંથાવલોકનની જે પરંપરા એમણે ઊભી કરી તે નમૂના રૂ૫ બની રહી. સચેટ, મુદ્દાસર ગ્રંથને પરિચય કરાવી સ્પષ્ટ અભિપ્રાય આપવામાં સાહિત્યની
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧
[ ૨૨૩ સાચી સમજ, રસિક્તા અને તટસ્થતા પ્રગટ થાય છે. સ્પષ્ટવક્તાપણું અને મક્કમતા એમના ગદ્યને આકર્ષક બનાવે છે. એકવીસ વર્ષ સુધી ગ્રંથાવલોકન અને સાહિત્યક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી સાહિત્યસેવાને આદર્શ મટુભાઈએ રજૂ કર્યો. સાહિત્યમાં તેઓ નિયમિત તંત્રીનેધ લખતા જેની વાચકે આતુરતાથી વાટ જોતા ને રસપૂર્વક વાંચી તેમના અભિપ્રાયેની ચર્ચા કરતા. એ લેખોમાં તેઓ વિવિધ વિષયને સ્પર્શતા. “સંસારલીલા” અને “વીતક વાતો' (૧૯૨૦) એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે.
મટુભાઈ કાંટાવાળાએ ગુજરાતી ગદ્યના ક્ષેત્રે આપેલ ફાળો પણ નોંધપાત્ર છે. ભાષાનાં શુદ્ધિ અને સામર્થ્ય જાળવી ગદ્યને લોકભોગ્ય બનાવવાની દૃષ્ટિ કેળવવાની એમણે હાકલ કરી હતી. વિદ્વત્તાદર્શક શબ્દો, શબ્દયાતુર્ય, વિચારભારવાળા પ્રયોગો, સંસ્કૃત શબ્દો વાપરવાનો આગ્રહ છોડી તદ્ભવ શબ્દો કે ગુજરાતના વિવિધ ભાગમાં વપરાતા તળપદા અર્થવાહક શબ્દો અને પ્રયોગોને ઉપયોગ કરવાથી ભાષા લોકભોગ્ય અને બળવાન બનાવી શકાય તે તેમણે દર્શાવ્યું. કિલષ્ટતાને બદલે ભાષામાં પ્રસાદ, માધુર્ય, સરળતા અને અર્થવાહકતા વધે એ ગદ્યકારે જેવું જોઈએ એવી દષ્ટિ એમણે આપી. સંસ્કાર અને વિચારથી જનતાને પરિચિત રાખવી હોય તો ભાષાને પ્રજાની નજીક લઈ જવી જોઈએ એમ એમણે દર્શાવ્યું. પંડિતભોગ્ય ગદ્ય અને લોકભોગ્ય ગદ્ય એ બે શૈલી વિશે એ પછી વિચારાયું. આમ મહાત્મા ગાંધીજી પહેલાં ગાંધીજીના જેવા ગદ્ય વિશેના વિચારે મટુભાઈ ધરાવતા. જનસમૂહને સાહિત્યની સંસ્કારી અસર હેઠળ લાવવાની એમની ઈચ્છા ગદ્ય વિશેના એમના માર્ગદર્શન અને સાહિત્ય' પત્રની પ્રવૃત્તિ દ્વારા એમણે ચરિતાર્થ કરી. (ભૂ)
અંબાલાલ બુલાખીરામ જાની (૧૮૮૦-૧૯૪૨) : અંબાલાલ જાની નડિયાદના નાગર બ્રાહ્મણ હતા. શિક્ષક તરીકે પ્રવૃત્તિને આરંભ કર્યો પરંતુ પછી પ્રસિદ્ધ અઠવાડિક “ગુજરાતીને સહતંત્રી તરીકે જોડાઈ પત્રકારત્વના વ્યવસાયમાં એમણે લાંબો સમય કાર્ય કર્યું. સાથે સાથે પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ, સંશોધન અને સંપાદનનું કાર્ય પણ કરતા રહ્યા. “સમાચક'ના તંત્રી અને ફાર્બસ સભાના સક્રિય કાર્યકર્તા તરીકે સંશોધન અને સંપાદનક્ષેત્રે એમણે વ્યવસ્થિત અને યાદગાર અર્પણ કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એ રસિક અને માર્મિક અભ્યાસી હતા. નરસિંહ, ભીમ, અખ, પ્રેમાનંદ અને શામળ જેવા આપણા કવિઓનાં જીવન, કવન અને સમય વિશે સારે પ્રકાશ પાડતું વિવેચન અને સંશોધન એમણે કર્યું. “અખે ભક્ત અને તેની કવિતા' (૧૯૦૭) “નાકરચરિત'
Page #233
--------------------------------------------------------------------------
________________
રર૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ (૧૮૦ ૮), “સુદામાચરિત' (૧૯૧૩), સુભદ્રાહરણ'ની સંશોધિત અને ટીકા સહિતની આવૃત્તિ (૧૯૧૪) વગેરે કૃતિ દ્વારા એમણે જે ગ્રંથો રચ્યા તે આજે પણ અભ્યાસીઓ માટે ઉપયોગી છે. પ્રેમાનંદના નાટકનો પ્રશ્ન એમણે સર્વપશી દૃષ્ટિએ કર્યો. સુદામાવિષયક નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદની કૃતિઓની તુલનાત્મક દષ્ટિએ એમણે વિવેચના કરી છે. અને અને નાકરના જીવન અને કવનને મૂલવવાને એમને પ્રયત્ન વિવેચક તરીકેનાં એમનાં ઊંડાણ અને સજજતાને પરિચય કરાવે છે. “સુભદ્રાહરણ” અને શામળની ‘સિંહાસનબત્રીસી' (૧૯૨૪)નાં એમનાં સંપાદન અભ્યાસપૂર્ણ છે. ફાર્બસ સભાને મળેલા હસ્તલિખિત ગ્રંથોની સવિસ્તર નામાવલિ (૧૯૨૩) અને સંક્ષિપ્ત નામાવલિ (૧૯૨૯) તૈયાર કરી સાહિત્ય અને ઈતિહાસને ક્ષેત્રે સંશોધનકર્તાઓ માટે ઘણી સુવિધા કરી આપી. છે. “ફાર્બસ સભા'નું ગુજરાતી સાહિત્ય અને સંશોધનક્ષેત્રે જે મહત્ત્વનું અર્પણ છે તે અંબાલાલ જાનીનાં વિદ્વત્તા, સૂઝ અને શ્રમનું પરિણામ છે, “હિતોપદેશનું ભાષાંતર (૧૯૨૪) એમણે ટિપ્પણ સહિત કર્યું છે. “હરિવંશીને ભાષાતરનું કાર્ય (૧૯૨૦થી ૧૯૨૪) પણ એમણે ખૂબ દક્ષતા અને કાળજીથી કર્યું હતું. (ભૂ.)
જહાંગીર એદલજી સંજાના (૧૮૮૦-૧૯૬૪)ઃ મુંબઈ સરકારને ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર – ભાષાન્તર ખાતાના વડા–તરીકે સેવાઓ આપનાર આ પારસી બહુશ્રુત વિદ્વાન નીડર વિવેચક તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. કોઈ પણ વિવેચ્ય વિષયની અત્યંત ઝીણવટભરી આલોચના તેઓ કરતા હોવાથી એમને કાકદષ્ટિ’ વિવેચક કે ધૂળધેયા સાક્ષર” તરીકે પણ કેટલાક ઓળખતા. ઈ. ૧૯૪૪માં એમણે બાલાશંકર વિશે “ફલાન્ત કવિ કે કલાન્ત કવિ' પુસ્તિકા પ્રગટ કરી જબરે ઊહાપોહ કર્યો હતો. એમણે મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો—‘સ્ટડીઝ ઇન ગુજરાતી લિટરેચર” (ગ્રંથસ્થ, ૧૯૫૦) માં અર્વાચીન ગુજરાતી સાહિત્યની ભૂમિકા, નર્મદ, દલપતરામ, અર્વાચીન ગુજરાતી કવિતા અને અર્વાચીન ગુજરાતી ગદ્ય –એ પાંચ વિષયોની પોતાની રીતે, કેઈની પણ શેહશરમ રાખ્યા વિના, વૈજ્ઞાનિક રીતે વિવેચના કરી છે. નર્મદ કરતાં એમણે દલપતરામની કવિતા વિશે પિતાને ઊંચો અભિપ્રાય દર્શાવી એની ઘણી પ્રશંસા કરી છે. ગુજરાતી કવિતાની ચર્ચા કરતાં એમણે કવિતા વિશે થોડીક તાત્ત્વિક વિચારણું પણ કરી છે. ગુજરાતી ગદ્યકારની સ્પષ્ટ નિદેશે સાથે એમણે કેટલીક ત્રુટિઓ પણ દર્શાવી છે. જોકે સત્યશોધન માટે મથતા હોવાથી કેટલીક વાર તદ્દન નાનકડા મુદ્દા પર તેઓ વધુ ભાર મૂકીને પ્રમાણભાન ચૂકે છે અને એને કારણે વિષયનું સમગ્રદર્શન જોખમાય છે. “અનાર્યનાં અડપલાં અને
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખક-૧
• [રર૫ બીજા પ્રકીર્ણ લેખો' (૧૯૫૫)માં એમના જુદાજુદા વિષય પરના અભ્યાસલેખે સંઘરાયા છે. લેખકને “ખેટા કે આડંબરી પાંડિત્ય માટે અને લાસરિયા બેદરકાર લખાણ માટે સખત અણગમો હતા અને એવું એમને જ્યાં જ્યાં જણાયું છે તેની એમણે સખત ટીકા કરી છે. છંદને એમને અભ્યાસ ઘણો ઝીણવટભર્યો હતા. “ગીતિ'ની ચર્ચામાં એમણે નરસિંહરાવને પણ હંફાવ્યા હતા. બૃહદ્ પિંગલ'નું બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયેલું એમનું અવલોકન પણ અભ્યાસપૂર્ણ હતું. ખબરદારના મુક્તધારા' અને “મહાછંદનું પણ એમણે કડક પરીક્ષણ કર્યું છે. “અનાર્યનાં અડપલાંમાં “સાહિત્યનું ધયેય' નામને એમને લેખ ધ્યાનપાત્ર છે. સંસ્કૃત શબ્દોની અશુદ્ધ જોડણી વિશે પણ એમણે કટાક્ષભરી ટીકા કરી છે. સત્યને કેન્દ્રમાં સ્થાપી નીડરપણે પિતાને મત વ્યક્ત કરનાર અને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુવાળા આ સ્પષ્ટભાષી અનેક ભાષાવિદ્ વિદ્વાને જરથોસ્તી ધર્મશાસ્ત્ર વિશે પણ વર્તમાનપત્રોમાં ઘણી ચર્ચા કરી હતી.
- ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (૧૮૮૧-૧૯૧૮) પાટણ-જેસલમીરના ભંડાર ખંતપૂર્વક તપાસ્યા હતા અને ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા” આદિ અનેક કતિઓ પ્રકાશમાં લાવ્યા હતા. “ગાયકવાડ્ઝ એરિયેન્ટલ સિરીઝના પ્રધાન સંપાદક તરીકે તેમણે આપણું પ્રાચીન કૃતિઓને પ્રગટ કરવામાં નેધપાત્ર કામગીરી બજાવી છે. કેટલીક જૂની વાર્તાઓને તુલનાત્મક અને ઐતિહાસિક અભ્યાસ તેમણે કર્યો હતો. એમનું સમગ્ર જીવન પ્રાચીન સાહિત્યના અભ્યાસ-સેવનમાં વીત્યું હતું.
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી (૧૮૮૨-૧૯૫૨) ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસી તથા તવિષયક ગ્રંથોના કર્તા તરીકે જાણીતા થયેલા આ સંશોધકને જન્મ ૧૮૮રના જાન્યુઆરીની ૨૪મીએ અમરેલીમાં થયે હતો. પ્રાથમિક શિક્ષણ ગોંડળમાં પૂરું કરી, માધ્યમિક શિક્ષણ હાલના દસમા ધોરણમાંથી છોડી દઈ રાજકોટની તે વખતની મહેરામણ કેમિકલ લેબોરેટરીમાં અભ્યાસ કરી પ્રેકિટકલ ફાર્મસિસ્ટ'ની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૦૪માં મુંબઈમાં સંસ્કૃતને ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૧૦માં ઝંડુ ફાર્માસ્યુટિકલ વકર્સમાં જોડાયા અને “આયુર્વેદ વિજ્ઞાન” માસિકનું સંપાદન કર્યું. તેમના ગ્રંથમાં વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ' (૧૯૧૭), “ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત' (૧૯૨૦), શૈવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ' (૧૯૨૧), “ગુજરાતનાં તીર્થ સ્થાને' (૧૯૨૯), અિતિહાસિક નિબંધને સંગ્રહ, પુરાણવિવેચન' (૧૯૩૧), ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ (૧૯૩૨), લેખસંગ્રહ “ઐતિહાસિક સંશોધન' (૧૯૪૨), પંડિત ભગવાનલાલ
ગુ. સા. ૧૫
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ શ્ર'. ૪
ઇંદ્રજીનું જીવનચરિત્ર' (૧૯૪૬), ભારતીય સંસ્કાર અને તેનું ગુજરાતમાં અવતરણ' (૧૯૫૦) તથા આપણી સ ંસ્કૃતિનાં કેટલાંક વહેણા' (૧૯૫૩) ખૂબ જાણીતાં છે. આમ, ગુજરાતમાં એક સંશોધક વિદ્વાન, ઇતિહાસજ્ઞ, નિબધકાર અને ચરિત્રલેખક તરીકે એમનું પ્રદાન સ્મરણીય છે. એમનું અવસાન ૧૯પ૨ના સપ્ટેમ્બરની ૨૯મી તારીખે થયું હતું. (ધી.)
હીરાલાલ ત્રિ, પારેખ (૧૮૮૨-૧૯૩૮) : મુંબઈમાં ફ્રાસ સભાની જેમ અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સેાસાયટી(હવે ગુજરાત વિદ્યાસભા)ને આશ્રયે સંપાદન અને સંશાધનક્ષેત્રે મહત્ત્વનું કાર્યાં ચાલી રહ્યું હતું. પંડિતયુગની સાહિત્યપ્રવૃત્તિ આ બે સંસ્થાની છત્રછાયામાં સમૃદ્ધ બની, અંબાલાલ જાની પછી ફાર્બસ સભાનું કાર્ય એટલું વેગવાન અને મહત્ત્વનું રહ્યું નહિ જ્યારે ગુજરાત વિદ્યાસભાને સાહિત્યકારા, સંશાધકા અને સ`ચાલકાને સારા લાભ મળવાથી એનું કાર્ય એ જ વેગથી ચાલી રહ્યું છે. ગુ. વ. સેા.ની ઘણાં વર્ષોની પ્રવૃત્તિના ને નવીનવી યાજનાના સંચાલનમાં હીરાલાલ ત્રિ. પારેખને ફાળા મહત્ત્વને છે. એમના વિવેચનાત્મક લેખા કે બુદ્ધિપ્રકાશ'માં કરેલાં ગ્રંથાવલાકના પુસ્તકરૂપે સુલભ નથી. એમની વિવેચના અને અવલેાકને કૃતિના સર્જનાત્મક અશા સમજવાનેા પ્રયત્ન કરે છે. ગુ. વ. સા. દ્વારા એમણે સાહિત્યને ઉપકારક ઘણી યેાજના કરી અને તેને પાર પાડી તેમાં ‘ગ્રંથ અને ગ્રંથકાર'ની પુસ્તકશ્રેણી મહત્ત્વની ગણાય. નાનામેાટા, પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ અનેક ક્ષેત્રના લેખકના જીવનની વિગતા અને તેમની રચનાઓની યાદી એમાં આપવામાં આવી છે. એ ગ્રંથા ઉપયાગી સંદર્ભ પ્રથા અન્યા ને સાહિત્યના ઇતિહાસને એમાંથી ઘણી સામગ્રી સુલભ બને છે. આજે પણ આ શ્રેણીનું કાર્યાં ચાલુ રહ્યું છે. ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' નામના ગ્રંથા દ્વારા સાહિત્ય અને સંસ્કારની ભૂમિકા બની રહેનાર સમાજ, શિક્ષણ, રાજકારણ વગેરે ક્ષેત્રને પરિચય આપવામાં આવ્યા છે. દેશમાં પ્રવતાં વિવિધ બળાની મીમાંસા કરી ગુજરાતી સાહિત્ય અને સમાજની પ્રમાણભૂત ઇતિહાસ તૈયાર કરનાર માટે એમણે આ પ્રથા દ્વારા પાયાનું કામ કરી આપ્યું. ગ્રંથ અને ગ્રંથકાર'નાં પુસ્તકાને આરંભે આખા વર્ષની સાહિત્ય પ્રવૃત્તિનું વિહંગાવલેાકન કરવું, પુસ્તકાની વિષયવાર વીકૃત યાદી આપવી અને વર્ષ દરમ્યાનનાં મહત્ત્વનાં પ્રવચનેા, કાવ્યકૃતિ વગેરે પ્રસિદ્ધ કરી એમણે સાહિત્યની Year Book અને Who's Whoની કક્ષાનું કાર્યાં ગુજરાતી પ્રજા માટે શ્રમપૂર્વક કર્યું. આ કારણે સાહિત્યપ્રવાહને વ્યવસ્થિત રીતે સમજવાની સુવિધા મળી, સ્વતંત્ર લેખનકાર્યાં અલ્પ પ્રમાણમાં કરવા છતાં સાહિત્યસેવકામાં હીરાલાલ પારેખનું સ્થાન મહત્ત્વનું છે. (ભૂ.)
Page #236
--------------------------------------------------------------------------
________________
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૨૭
માહનલાલ પાવ તીશંકર દવે (૧૮૮૩–૧૯૭૫)ઃ માહનલાલ પાવ તીશંકર હવે પ ંડિતયુગના પ્રતિનિધિ હતા અને જીવનકાળ ગાંધીયુગ અને સ્વાતંત્ર્યાત્તર કાળ સુધી લંબાયા પરંતુ એ બંને યુગના સાહિત્યપ્રવાહમાં તેમણે ખાસ કશું અણુ કર્યું... નથી. તેઓ સ ંસ્કૃતના વિદ્વાન અધ્યાપક હતા. પ્રાચીન સંસ્કૃત સાહિત્યના અને પશ્ચિમના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના તેઓ અભ્યાસી હતા. પશ્ચિમની કલાલક્ષી અને જીવનલક્ષી વિવેચનપદ્ધતિને સમન્વય એમની વિવેચનામાં થયેા હતા પરંતુ એમનું લક્ષ સાહિત્યના આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે દર્શાવવાનું રહ્યું. ગદ્યશૈલીની પ્રવાહિતા અને રસિકતા એમના વિવેચનને આસ્વાદ્ય બનાવે છે. ‘કાવ્યકળા' (૧૯૩૮) અને સાહિત્યકલા'ના એમના લેખા સાહિત્યતત્ત્વની મૂળભૂત સમજ સરળતાથી આપે છે. પંડિતયુગમાં યુરોપ તથા અમેરિકાના સારસ્વતપ્રવાહને અનુવાદ કે લેખા દ્વારા પરિચય કરાવવામાં આવતા હતા. લેન્ડારના કાલ્પનિક સંવાદો, ભાગ ૧, ભાગ ૨ (૧૯૧૧, ૧૯૧૨) દ્વારા મેાહનલાલ દવેએ એ કાર્ય કર્યું; એને ઉપેદ્ઘાત કૃતિના વિચારતત્ત્વને વિસ્તારથી અને સરળતાથી સમજાવે છે. મૅકડાનેલ કૃત સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ’ (૧૯૨૪)નું તેમણે શ્રમપૂર્વક ભાષાંતર કર્યું". ‘મહાભારતની સમાલાચના' (૧૯૧૩) તેમની વિવેચનસૂઝ અને અભ્યાસવૃત્તિના પરિણામરૂપ છે. ‘હાસ્યરસ’, ગ્રંથાવલોકન કલા' વગેરે લેખામાં એમની માર્મિક રસિકતા પ્રગટ થઈ છે. ‘સાહિત્યકલા' અને ‘કાવ્યકળાનાં પુસ્તકા આજે ભુલાઈ ગયાં છે પરંતુ વિદ્વત્તા અને રસિકતાનેા એમાં સરસ સમન્વય થયા છે. સાહિત્યતત્ત્વના જિજ્ઞાસુઓને સરળતાથી વિષયપ્રવેશ કરાવે એવા એ ગ્રંથા છે. એમણે કેટલાંક કાવ્યેા પણુ પ્રગટ કર્યાં છે. (ભૂ.)
પ્ર. ૫]
.
ચદ્રશંકર ન દાશંકર પ‘ડયા (૧૮૮૪-૧૯૩૭) : ચંદ્રશંકર ન. પંડવા નિડયાદના નાગર અને પંડિતયુગના સાક્ષરોના મિત્ર, પ્રશંસક અને પ્રચારક હાવાથી સાહિત્યપ્રવૃત્તિમાં સક્રિય બન્યા હતા. એમનું વક્તૃત્વ છટાદાર અને પ્રભાવશાળી હતું. ગેાવનરામ, મનઃસુખરામ વગેરે સાક્ષરોના નિકટના સંપર્કમાં તેઓ આવ્યા હતા. એ કારણે સાહિત્યરચના તરફ એ વળ્યા. તેમણે નિબધા અને કાવ્યની રચના કરી હતી પરંતુ વક્તા તરીકે એમની સફળતા અને ખ્યાતિ એટલાં બધાં વધ્યાં એમની કવિ તરીકેની પ્રવ્રુત્તિ વ્યાપક બની શકી નહિ. સામયિક પત્રામાં પ્રસિદ્ધ થયેલા લેખાને સંગ્રહ બહુ પાછળથી થયા પરંતુ તે પહેલાં ‘સ્નેહાંકુર' (૧૯૧૫), ‘પાંચ પ્રેમકથાઓ' (૧૯૧૬), ‘પૉંડિત ગુરુદત્ત વિદ્યાથી'નું જીવનચરિત્ર’ (૧૯૧૭) અને ‘કાવ્યકુસુમાંજલિ’ (૧૯૭૦) એટલી કૃતિઓ
Page #237
--------------------------------------------------------------------------
________________
રર૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ પ્રસિદ્ધ થઈ હતી. એમની વકતૃત્વશક્તિનાં લક્ષણે અને છટા એમના લેખિત નિબંધને આકર્ષક બનાવે છે. જોકે શબ્દાનુપ્રાસ, વર્ણસગાઈ, શબ્દચમત્કૃતિથી કેટલીક વાર એમના નિબંધ શૈલીની કૃત્રિમતા તરફ પણ વળી ગયા છે. સુગ્રથિત વ્યવસ્થિત વિદ્વત્તાપૂર્ણ છણાવટ અને વિચારસમૃદ્ધિ એમના નિબંધોનું આકર્ષણ છે. સરળતા, પ્રવાહિતા, મનોરંજકતા, ભાવનામયતા અને હૃદયસ્પર્શિતાના ગુણો હોવા છતાં સાહિત્યકારોની મિત્રતા અને વક્તા તરીકેની પ્રતિષ્ઠા સાચવી રાખવાની હોંશમાં સાહિત્યક્ષેત્રે માતબર ફાળો એ આપી શક્યા નહિ. (ભૂ.)
એરી જહાંગીર તારાપોરવાળા (૧૮૮૪-૧૯૫૬): મૂળ વતની તારપિરના પારસી કુટુંબમાં એચ જહાંગીર તારા પરવાળાને જન્મ ૧૮૮૪માં દક્ષિણ હૈદરાબાદમાં થયે હતું. પ્રાથમિક શિક્ષણ ઘરે, માધ્યમિક શિક્ષણ ભરડામાં અને કોલેજશિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં મેળવી ૧૯૦૩માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે બી.એ. થઈ ૧૯૦૯માં વિલાયત જઈ તેઓ બૅરિસ્ટર થઈ આવ્યા હતા. ૧૯૦૯ અને ૧૯૧૦ એમ બે વર્ષ બનારસ સેન્ટ્રલ હિન્દુ કેલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવાઓ આપ્યા પછી ૧૯૧૧માં ભારત સરકારની સંસ્કૃત શિષ્યવૃત્તિ મળતાં કેબ્રિજની બી.એ.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરેલી અને સંસ્કૃત તેમ જ તુલનાત્મક ભાષાશાસ્ત્ર વિષય લઈને જર્મનીની યુત્સબર્ગ (Wurzburg) યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી હતી. ૧૯૬૭થી ૧૯૨૮ સુધી કલકત્તા યુનિવર્સિટીમાં તુલનાત્મક ભાષાશાસ્ત્ર અને ગુજરાતીના અધ્યાપક હતા. ટાગેરે સ્થાપેલી વિશ્વભારતીમાં ઈરાની વિષયના અધ્યાપક તરીકે પણ તેમની વરણી થઈ હતી. વિવિધ ધર્મોના શાસ્ત્રગ્રંથને તુલનાત્મક અભ્યાસ, ઇતિહાસ અને ભૂગોળ એમના રસના વિષયો હતા. પિતાના વિશાળ વાચનને લાભ તેઓ વિવિધ સામયિકમાં લેખ લખી પ્રજાને આપતા હતા. તેમણે અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથ પ્રકટ કર્યા હતા, જેમાંને સિલેકશન્સ ફોમ અવેસ્તા ઍન્ડ ઓલ્ડ પશિયન”, “ધ રિલિજ્યન ઑફ જરથુસ્ત્ર', “સમ આસ્પેકટ્સ ઑફિ હિસ્ટરી ઓફ જેરેસ્બિનિઝમ” અને “એલિમેન્ટસ ઓફ ધ સાયન્સ ઑફ લેંગ્વજ’ જાણીતા છે. “સિલેકશન્સ ફ્રોમ કલાસિકલ ગુજરાતી લિટરેચર’ નામે બે ભાગમાં જૂની ગુજરાતીનાં કાવ્યોનો સંગ્રહ કલકત્તા યુનિવર્સિટી માટે તૈયાર કરી આપે હતો. તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને દેશભાષાઓના વિદ્વાન ભાષાશાસ્ત્રી તરીકે જાણીતા હતા. (વી.)
શંકરપ્રસાદ છગનલાલ રાવલ (૧૮૮૭–૧૯૫૭) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી, વિવેચક અને સર્જક શંકરપ્રસાદ છગનલાલ રાવલ મુંબઈની
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્ર, ૫] અન્ય ગદ્યલેખકે-૧
[ ર૨૯ કબીબાઈ હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થઈ ફાર્બસ ગુજરાતી સભામાં સહમંત્રી તરીકે સેવાઓ આપતા હતા. નાનપણથી જ એમને વાચનલેખનને શોખ હતું, જેને પરિણામે નર્મદ-દલપતશાઈ કાવ્યરચનાઓ અને નવલિકાઓ રચેલી તે વિવિધ સામયિકમાં પ્રકટ થઈ હતી. એમણે “કથાવિહાર' નામક પિતાને કાવ્યસંગ્રહ પ્રકટ કરવાની યોજના પણ કરી હતી. એમના અભ્યાસના ફળરૂપે એમણે “દયારામનું જીવનચરિત્ર' (૧૯૧૯) પ્રકટ કર્યું હતું. અંગ્રેજ કવિ ગેલ્ડસ્મિથને પ્રખ્યાત કાવ્ય ડેઝર્ટ વિલેજ'નું “ભાંગેલું ગામડું” નામે (૧૯૧૫) ભાષાંતર પણ પ્રકટ કર્યું હતું. એમનાં સંપાદનમાં “પ્રબોધ-બત્રીસી' (૧૯૩૦), નરપતિકૃત “પંચદંડ અને “હંસાવતી વિક્રમ ચરિત્ર' ધ્યાન ખેંચે તેવાં છે. “દયારામ રસસુધા' નામે દયારામની કવિતાનું પણ તેમણે સંપાદન કરેલું છે. મણિલાલ બ. વ્યાસ સાથે એમણે “પ્રબોધ બત્રીશી અથવા માંડયું બંધારાનાં ઉખાણું અને કવિ શ્રીધરફત રાવણમંદરીસંવાદનું સંપાદન કર્યું હતું. (બી.)
ગોકલદાસ દ્વારકાદાસ રાયચુરા (૧૮૯૦–૧૯૫૧) : જોકસાહિત્યના પુનઉદ્ધારક અને પ્રચારક તરીકે જાણીતા ગોકુલદાસ રાયચુરાનો જન્મ સેરઠના બાલાગામમાં લોહાણા જ્ઞાતિમાં થયેલ હતા. મુંબઈમાં શેરબજારનો ધંધે હોવા છતાંય સાહિત્યમાં એમને ડો રસ હતો. પિતાશ્રી દ્વારકાદાસ વાર્તાઓ લખતા એથી -પુત્ર ગોકુલદાસને પણ વાર્તાલેખનને શેખ વારસામાં મળેલ. રસાળ શૈલીની જીવનપષક અનેક વાર્તાઓ અને નવલકથાઓ તેમણે લખી છે અને સરળ કાવ્ય પણ સર્યા છે. ઈ. ૧૯૨૪માં એમણે “શારદા' માસિક શરૂ કરી ધીમે ધીમે એની પ્રતિષ્ઠા જમાવી હતી. “રાસમંદિર' (૧૯૧૫) અને “નવ ગીત' (૧૯૨૧) એ બે કાવ્યસંગ્રહ ઉપરાંત રાયચુરાની રસીલી વાર્તાઓ' (૧૯૨૫), “કાઠિયાવાડની લેકવાર્તાઓ' (૧૯૨૫), વ્યાસજીની વાર્તાઓ' (૧૯૨૮), “સેરઠી વીરાંગનાની વાર્તાઓ' (૧૯૨૮), દાલચીવડાની દસ વાર્તાઓ' (૧૯૨૯), “પારેવાં' (૧૯૨૯), પ્રેમલીલા' ભા.૧ (૧૯૩૧) અને “મહીપાલદેવ' (૧૯૩૨) આદિ તેમનાં જાણીતાં પુસ્તકે છે. તેમણે ૩રમે વર્ષે વ્યાવસાયિક કારકિદી છોડી દઈ સાહિત્યને જ પિતાના વ્યવસાયનું ક્ષેત્ર બનાવ્યું હતું એ તેમની સાહિત્યપ્રીતિની ઘાતક ઘટના છે. (ધી.)
રામલાલ ચુનીલાલ મેદી (૧૮૯૦-૧૯૪૯) એમણે “ભાલણ”, “ભાલણ, ઉદ્ધવ અને ભીમ જેવી અભ્યાસનિષ્ઠ પુસ્તિકાઓ દ્વારા તથા ભાલણનાં બે નળાખ્યાન' જેવી કૃતિઓના સંપાદન દ્વારા પોતાને ભાલણનો અભ્યાસ રજૂ કર્યો છે. એમના લેખ સંગ્રહ” ભા–૧–૨માં પુરાતત્વ, ઈતિહાસ, સાહિત્ય વિશેના એમના
Page #239
--------------------------------------------------------------------------
________________
ર૩૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ સંશોધન-સ્વાધ્યાયના લેખો સંગ્રહાયા છે. જદુનાથ સરકારનું એમણે લખેલું ચરિત્ર ઈ. ૧૯૧૮માં “વીસમી સદી'માં પ્રગટ થયું હતું અને તેનું મરાઠી ભાષા નર પણ થયું હતું. પ્રાચીન ઈતિહાસને એમને અભ્યાસ પ્રશસ્ય હતા. જાલંધર આખ્યાનનું પણ એમણે સંપાદન કર્યું હતું.
અંબાલાલ બાલકૃષ્ણ પુરાણ (૧૮૯૪–૧૯૬૫) મૂળ વતની ભરૂચના, શિક્ષણ ભરૂચ-સુરત-વડોદરા-મુંબઈમાં લઈને પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર સાથે ઈ. ૧૯૧૩માં બી.એ. થયા હતા. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન એમને પ્રિય વિષયો હતા. ઈ. ૧૯૨૩થી અન્ય જાહેર પ્રવૃત્તિઓ છોડીને તેઓ પોંડિચેરીમાં શ્રીઅરવિંદ આશ્રમમાં ગસાધના માટે જોડાયા હતા. એમનું પ્રથમ પુસ્તક ભક્તિગ' (૧૯૧૮) એ દેશભક્ત અશ્વિનીકુમાર દત્તના બંગાળી પુસ્તકને અનુવાદ છે. પૉલ રિચારના “ટુ ધ નેશન્સ' નિબંધ, ટાગોરના “સાધના'ને, “સૂત્રાવલી(૧૯૨૬), “મા” (૧૯૨૮), “ગીતા-નિષ્કર્ષને – એમ ગુજરાતીમાં એમણે કેટલાક અનુવાદો આપ્યા છે. ટાગોરનાં સંસ્મરણે પણ (૧૯૧૮) એમણે પ્રગટ કર્યા હતાં. એમના ભાઈ છોટાલાલ બા. પુરાણું (બૌદ્ધ ગુફાઓ'ના લેખક) સાથે ગુજરાતમાં એમણે અખાડા-પ્રવૃત્તિને આરંભ કરી એને દઢમૂલ કરી હતી.
યેગસાધક અંબુભાઈએ સાહિત્યને સાધન તરીકે પ્રયોજીને લેખનપ્રવૃત્તિ કરી છે અને ગુજરાતી નિબંધ સાહિત્યને મૂલ્યવાન અર્પણ કર્યું છે. “સમિાણિ,
સાહિત્યની પાંખે' (૧૯૫૯), 'કલામંદિરે, ચિંતનનાં પુષ્પો' (૧૯૬૫), પથિકનાં પુષ્પો' વગેરે એમના નિબંધસંગ્રહો છે. એમણે માહિતીપ્રધાન, વસ્તુપ્રધાન, કલ્પનાપ્રધાન નિબંધ લખ્યા છે. પ્રથમ પ્રકારના એમના નિબંધ પ્રમાણમાં સુદીર્ઘ છે. ભૌતિક વિદ્યાઓ, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ વિશેના નિબંધ આપણે ત્યાં આ વિષયનાં પ્રથમ લખાણો છે. તે તે વિષયને ઊંડે ગહન અભ્યાસ એમના નિબંધમાં જોવા મળે છે, અને લેખકની વિશિષ્ટ સૂઝનાં અને નિરામય જીવનદષ્ટિનાં આપણને દર્શન કરાવે છે. “મહાકાવ્યને જન્મ”, “સાહિત્યનું મૂલ્યાંકન', “કલા અને ગ’ જેવા એમના ઘણા નિબંધ લેખકની બુદ્ધિ તેજસ્વિતા અને મૌલિક ચિંતનથી આપણને આકર્ષી રહે છે. “ગગનવિહાર', “વસુંધરા જેવા નિબંધમાંની એમની રંગદશી શૈલી કવચિત કાવ્યાત્મકતાને અનુભવ કરાવે છે. એમની અર્થઘટનશક્તિ અને નવીન વિચારબિંદુઓ રજૂ કરવાનું કૌશલ પણ પ્રશસ્ય છે. એમના નિબંધોમાં આ અધ્યાત્મસાધક અને જીવન-આલોચક ચિંતકનું જીવંત વ્યક્તિ પ્રગટ થાય છે. કલ્પનાપ્રધાન નિબંધમાં પ્રતીત થતું એમનું સ્કૂર્તિવંતું વ્યક્તિત્વ લલિત નિબંધ મનહર આસ્વાદ કરાવે છે. એમના અલંકારે, વિનોદ, એમનું છટાદાર અને ધસમસતી ગતિવાળું ગદ્ય એમના નિબંધોને વિશિષ્ટતા આપે છે. તે
-
Page #240
--------------------------------------------------------------------------
________________
અન્ય ગદ્યલેખકે-૧ "
[ ર૩૧
ઈગ્લેન્ડની સંસ્કારયાત્રા' (૧૯૫૭) ઉપરાંત “પથિકની સંસ્કારયાત્રાઓ” (૧૮૬૪) વ. એમની પ્રવાસકૃતિઓ છે, તે “પત્રસંચય' (૧૯૬૪) અને પુરાણીના પત્રા” વ.માં એમના વિવિધ વિષયોની ચર્ચા કરતા તત્વદ્યોતક પત્રો સંઘરાયા છે. એમના કેટલાક પત્રો તો નિબંધ જેવા જ છે, અને એમાં લેખકના વ્યક્તિત્વના પ્રવેશને કારણે એ આકર્ષક બન્યા છે. આપણે નિબંધ તેમ જ પત્રસાહિત્યને અંબુભાઈએ સમૃદ્ધ કર્યું છે. શ્રી અરવિંદના મહાકાવ્ય “સાવિત્રીનાં કેટલાંક પર્વોને, સાવિત્રીગુંજન ૧ (૧૯૬૪) અને રમાં, મૂળનાં દર્શન-ચિંતન અને કથા-સારનિરૂપણ સમેત, ધીરગંભીર ગદ્યમાં રજૂ કરવામાં આવ્યાં છે. ઘણાં વર્ષો પહેલાં એમણે “પૂર્ણ ગ”(૧૯૨૨, '૨૬)ના વિવિધ ખંડે દ્વારા એ વિષયને અભ્યાસ આપણને સુલભ કરી આપ્યો હતો. “દર્પણના ટુકડા”, “ઉપનિષદની વાત', શ્રી અરવિંદનું કાવ્યદર્શન' વ. એમની અન્ય કૃતિઓ છે.
રતિલાલ મોહનલાલ ત્રિવેદી (૧૮૯૪–૧૯૫૬) : રતિલાલ મેહનલાલ ત્રિવેદીને જન્મ ૧૮૯૪ના માર્ચની ૨૪મી તારીખે સૌરાષ્ટ્રમાં રાણપુરમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. બી.એ. થઈ અમદાવાદમાં અંબાલાલ સારાભાઈને ત્યાં વર્ષો સુધી કુટુંબશિક્ષકની કામગીરી બજાવ્યા બાદ તેઓ ૧૯૩૯થી ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલના સંચાલક બનેલા. શિક્ષણ સાથે સાહિત્યમાં પણ એમને ઊંડો રસ હતો. સાહિત્યના અભ્યાસ સાથે તેમણે જે સર્જન કર્યું તે “હિંદનાં વિદ્યાપીઠ (૧૯૩૨), સ્મૃતિ અને દર્શન' (૧૯૩૮), “વાલમીકિનું આર્ષદર્શન”, “આચાર્ય આનંદશંકરભાઈ' (૧૯૪૮) અને “થોડાંક અર્થદર્શનો' (૧૯૪૯) જેવા ગ્રંથ રૂપે પ્રાપ્ત થયું છે. ઝલકદાર શૈલી અને નવીન ચિંતનથી એમના નિબંધો રોચક બન્યા છે. સંસ્કૃત અને અંગ્રેજીને એમને ઊંડો અભ્યાસ એમના પ્રવાસ અને પ્રકૃતિવિષયક નિબંધામાંનાં અવતરણોમાં અછત રહેતો નથી. એમણે સંખ્યામાં વિપુલ નહિ પરંતુ નિરૂપણનાવીન્ય અને આકારસૌષ્ઠવથી ઓપતા થડા સંતર્પક નિબંધ આપી આપણુ નિબંધસાહિત્યમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો છે. (ધી.)
નવલરામ જગન્નાથ ત્રિવેદી (૧૮૯૫–૧૯૪૪) : ઈ. ૧૮૯૫ના ઑકટોબરની ૧૧મી તારીખે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં વઢવાણમાં જન્મેલા નવલરામ ત્રિવેદીએ ૧૯૨૦માં બી.એ. થઈ અમદાવાદના લાલશંકર ઉમિયાશંકર મહિલા વિદ્યાલયમાં અધ્યાપકની નેકરી સ્વીકારી નેકરી કરતાં કરતાં જ ૧૯ર ક્રમાં એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. અધ્યાપન અને અધ્યયન એ એમના રસની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. એમના અધ્યાપનના ફળરૂપે આપણને કેટલાંક વિવેચનો' (૧૯૩૪), “નવાં વિવેચન' (૧૯૪૧) અને “શેષ વિવેચન' (૧૯૪૭) નામક
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર', ૪
વિવેચનલેખાના સંગ્રહે। મળ્યા છે. મુખ્યત્વે વિદ્યાથી આને કેન્દ્રમાં રાખીને લખાયેલા આ લેખેામાં ઊંડાણુ કરતાં વિશદતા વધારે છે. વિવેચક તરીકે તાટસ્થ્ય અને નિભીકતા એમનાં આગળ તરી આવતાં લક્ષણા છે. એમણે વિવેચનલેખા ઉપરાંત હળવા નિબંધા પણ લખ્યા છે, જે શ્રુતકીનાં પુષ્પા' (૧૯૩૯) અને ‘પરિહાસ’ (૧૯૪૫) નામક ગ્રંથામાં પ્રસિદ્ધ થયા છે. સામાજિક, ધાર્મિક, રાજકીય, સાહિત્યિક – એમ વિવિધ ક્ષેત્રાની ઊણપાને પેાતાના વિનાદનું ભાજન બનાવી તેઓ સુબહુ લલિત નિબંધ) આપી શકયા છે. કારાવાસની કહાણી'(૧૯૨૧)માં એમણે બંગાળી પુસ્તકને આધારે રાજકીય વિષયને સુવાચ્ય રીતે રજૂ કર્યાં છે; તા “બેટાદકરનાં કાવ્યેા' (૧૯૨૩) અને ‘જયંતી વ્યાખ્યાના' તેમ જ અનંતરાય મ. રાવળ સાથે કરેલા ‘બુદ્ધિપ્રકાશ લેખસ'ગ્રહ' ભાગ ૧-૨ એમનાં સૂઝપૂર્વકનાં સંપાદના છે. ‘કલાપી'(૧૯૪૪)માં એમણે કવિ કલાપીનું શ્રદ્ધેય અને સક્ષિપ્ત ચરિત્ર આપ્યું છે. ‘શામળનુ` વાર્તાસાહિત્ય’ (૧૯૪૮) એમણે ૧૯૪૪માં આપેલુ વ્યાખ્યાન છે. નવલરામે એક સમભાવી, પૂર્વગ્રહમુક્ત, નીડર વિવેચક તથા હળવી શૈલીના સર્જનાત્મક નિષ્ઠ ધના લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં સ્મરણીય ફાળા આપ્યા છે. તેમણે ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી તરીકે પણ સેવા આપી હતી. (ધી.)
બ્યામેશચન્ જનાર્દન પાkÐ (૧૮૯૫–૧૯૩૫) : વ્યામેશચન્દ્ર પાઠકજી ઍરિસ્ટર હતા અને સંગીત, સંસ્કૃત સાહિત્ય, ભાષાશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા હતા. સાહિત્યલેખન કરતાં વિવિધ સાહિત્યપ્રવૃત્તિ તરફ એમને ખિરોષ અભિરુચિ હતી. અતિસુખશંકર ત્રિવેદી સાથે ‘કાવ્યસાહિત્યમીમાંસા' નામના ગ્રંથ રચ્યા હતા. મેાહનલાલ પાર્વતીશંકર દવે સાથે એમણે ‘ગદ્યકુસુમ’નું સંપાદન કર્યું... ગદ્યકૃતિ વિષે કરેલું એમનું વિવેચન નોંધપાત્ર છે. ‘બુદ્ધિસ્ટ ઇન્ડિયા' અને ‘ગાયટેનાં જીવનસૂત્રેા' નામના બે અનુવાદો એમણે કર્યા હતા. એમનું ગદ્ય વિનેાદી અને શૈલીની ભિન્ન ભિન્ન છટાને કારણે આકર્ષક છે. તેઓ સારા વક્તા હતા. તેની અસર પણુ એમના ગદ્ય પર વરતાય છે. જીવતી જુલિયટ' (૧૯૨૬) નામનુ એમનું નાટક સાહિત્યદષ્ટિએ મધ્યમ કક્ષાનું હેાવા છતાં ઠીકઠીક લેાકપ્રિય થયું હતું. (ભૂ.)
રત્નર્માણરાવ ભીમરાવ જોટે (૧૮૯૫-૧૯૫૫) : મૂળ અમદાવાદના સાઢાદરા નાગર બ્રાહ્મણુ રત્નમણિરાવ ભીમરાવ જોટને જન્મ ભુજ ખાતે ૧૮૯૫ના આકટાબરની ૧૯મીએ થયા હતા. પ્રાથમિક, માધ્યમિક અને કાલેજશિક્ષણ અમદાવાદમાં પૂ રું કરી તેમણે સંસ્કૃત અને અંગ્રેજી વિષય લઈ ૧૯૧૯માં બી.એ.ની
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧
[૨૩૩ ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વ્યવસાયે કાપડઉદ્યોગમાં પડ્યા હોવા છતાંય ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસનું એમનું અધ્યયન અનવરુદ્ધ રહ્યું હતું. એમના આ અધ્યયનના સુફળરૂપે એમની પાસેથી આપણને “ગુજરાતનું વહાણવટું” (૧૯૨૭), ગુજરાતનું પાટનગરઃ અમદાવાદ' (૧૯૨૮), “ખંભાતનો ઈતિહાસ' (૧૯૩૫), ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ ભાગ ૧ થી ૪ (૧૯૪૫–૧૯૫૯), સોમનાથ (૧૯૪૯) જેવા શ્રદ્ધેય અને શાસ્ત્રીય પદ્ધતિએ લખાયેલા ગ્રંથો મળ્યા છે. ઈ. ૧૯૩૩ને રણજિતરામ સુવર્ણચન્દ્રક એમને એનાયત થયો હતો. (ધી.)
મંજુલાલ રણછોડલાલ મજમુદાર (૧૮૯૭) એમને જન્મ ૧૮૯૭ના સપ્ટેમ્બરની ૧૯મીએ પેટલાદમાં વડનગરા નાગર ગૃહસ્થ પરિવારમાં થયો હતે. ૧૯૧૮માં બી.એ. અને ૧૯૨૧માં એલએલ.બી. થઈ વડોદરા રાજ્યની વરિષ્ઠ અદાલતમાં વકીલાત શરૂ કર્યા પછી સાહિત્ય અને શિક્ષણપ્રીતિને કારણે તરત એ છોડી દઈ વિદ્યાધિકારીની કચેરીમાં જોડાયા હતા. ગુજરાતની બ્રિટિશ અમલ પહેલાંની સંસ્કૃતિ' એ વિષય પર અંગ્રેજીમાં દીર્ઘ નિબંધ લખી ૧૯૨૯માં એમણે એમ.એ.ની અને ત્યાર બાદ પીએચ.ડી.ની ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી. વડોદરા રાજ્યના ભાષાંતર ખાતામાં અધિકારી રહ્યા બાદ છેક નિવૃત્તિ પર્યત વડોદરા કૅલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા.
પ્રાચીન ગુજરાતી સાહિત્યનું સંશોધન અને સંપાદન એમના શેખને વિષય રહ્યો છે. આ દિશામાં એમનો તલસ્પર્શી અભ્યાસ અને ઊંડી સૂઝનાં દર્શન થયા વગર રહેશે નહિ. આ પ્રકારના સંશોધન સંપાદનમાં એમણે શાસ્ત્રીય અને તુલનાત્મક અભિગમ અપનાવ્યું છે. એમનાં આ પ્રકારનાં સંપાદનમાં આવે છે પ્રેમાનંદ તથા અન્ય કવિઓનાં “સુદામાચરિત્ર' (૧૯૨૨), “પ્રેમાનંદકૃત રણયજ્ઞ તથા વજિયાત રણજગ' (૧૯૨૫), “તાપીદાસકૃત અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય' (૧૯૨ ૬), લેકવાર્તાનું સાહિત્ય' (૧૯૨૭), “કાવ્યનવનીત ને નળાખ્યાન' (૧૯૨૭), પંચદંડ ને બીજાં કાવ્યો' (૧૯૨૯). આ ઉપરાંત ભીમકૃત “સદયવત્સકથા” અને ગણપતિકૃત ‘માધવકામકંદલાનાં એમનાં સંપાદને પણ ઉલ્લેખપાત્ર છે. રામાયણનું રહસ્ય' (૧૯૩૦), મીરાંબાઈ : એક મનને (૧૯૬૧) અને ગુજરાતી મધ્યકાલીન તથા વર્તમાન પદ્યાત્મક સાહિત્યસ્વરૂપોને પરિચય કરાવતું “ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' (૧૯૫૪) પણ એમની નોંધપાત્ર કૃતિઓ છે. તિલોત્તમા' (૧૯૨૬) નામે એક અપ્સરાસૃષ્ટિની વાર્તા પણ એમણે લખી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓમાં એમણે પિતાના બહાળા પ્રદાનથી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈ. ૧૯૬૮ને રણજિતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયો હતો. (વી.)
Page #243
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
ચં. ૪
શકરલાલ શાસ્ત્રી (૧૯૦૨-૧૯૪૬)એ વ્રજલાલ શાસ્ત્રીરચિત ‘રસગ’ગા’નું સંપાદન કર્યું છે. ‘સાહિત્યને આવારેથી’ (૧૯૩૯), ‘સાહિત્યદ્રષ્ટાને’ (૧૯૪૧) જેવાં પુસ્તકામાં સાહિત્યકાર વિશેના અભ્યાસલેખા તથા કેટલાક લેખકાનાં જીવંત શબ્દચિત્રા આપીને એમણે ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. ‘પાનદાની’માં એમની વાર્તાએ સંધરાઈ છે. મણિભાઈ તંત્રી લેખક, વિવેચક અને પત્રકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા. ‘ગુજરાતી નવલકથા સાહિત્ય' એ એમની નેધપાત્ર કૃતિ છે.
૨૩૪ ]
જૈન મુનિઓનુ પ્રદાન : વિજયકેસરસૂરિજી(૧૮૭૬/૭૭-૧૯૨૯/૩૦)એ ચૈત્ર અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો આપ્યાં છે. મુનિ મંગલવિજયજી(૧૮૭૭– ૧૯૪૨)એ ધર્મ પ્રદીપ' આદિ પદ્યરચનાઓ અને ‘તત્ત્વાખ્યાન’ આદિ કૃતિ આપી છે. મુનિ રત્નચન્દ્ર સ્વામી(૧૮૮૧)એ ‘અર્ધમાગધી કા' આપ્યા છે. મુનિ જયન્તવિજયજી(૧૮૮૪-૧૯૪૮)એ ‘વિહારવન', ‘આબુ' વગેરે કૃતિએ ઉપરાંત સંસ્કૃત કૃતિઓનાં સ ́પાદન પણ આપ્યાં છે. મુનિ ન્યાયવિજયજી(૧૮૯૦)એ ‘જૈનદર્શન' આદિ કૃતિઓ આપી છે. વિદ્યાવિજયજી મહારાજ(૧૮૯૧–૧૯૫૪)એ ‘સૂરીશ્વર અને સમ્રાટ' નામની પ્રસિદ્ધ કૃતિ લખી હતી. ‘સમયને ઓળખા’ આદિ ગ્રંથૈાના પણ એ લેખક છે. મુનિશ્રી હિમાંશુવિજયજી (૧૯૦૪-૧૯૩૭) ‘સિદ્ધહેમશબ્દાનુશાસનમ્' જેવી કૃતિઓથી ખ્યાતિ પામ્યા હતા. મુનિ પુણ્યવિજયજી(૧૮૯૫–૧૯૭૧)એ જૈન આગમાના સંપાદન-સશોધનનુ ભગીરથ કાર્ય કર્યુ છે. તેએ નાગરી લિપિના નિષ્ણાત હતા અને અનેક શાસ્ત્રી, સંશાધકાના સંશાધન-સંપાદનક્ષેત્રે ગુરુ-માદક હતા. જૈન ઉપરાંત બ્રાહ્મણુ, બૌદ્ધ સાહિત્યના અમૂલ્ય ગ્ર ંથાનુ` એમણે સશોધન કર્યું છે. કૌમુદીમિત્રાનંદ' (નાટક), 'વસુદેવહિંડી', 'કથારત્નકાશ' (કથા), ધર્માભ્યુદયમહાકાવ્ય’ અને ‘બૃહત્કલ્પ' જેવી કેટલીક કૃતિઓના સંશાધન-સંપાદનમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમના ગુરુ ચતુરવિજયજી સાથે જ એમણે એમનાં બધાં સંસ્કૃતપ્રાકૃતનાં સંપાદના કરેલાં છે. મુનિ રમણીકવિજયજીએ એમને સહાય કરી છે. ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' નામક નિબંધ પણ એમણે લખ્યા છે. ‘જૈસલમેરની ચિત્રસમૃદ્ધિ' અને ‘કલ્પસૂત્ર' પણ એમની નેધપાત્ર કૃતિ છે.
સ'પાદનક્ષેત્રે અન્ય વિદ્વાનેામાં પ્રેમાનંદની બે કૃતિએનાં સંપાદના આપનાર મગળછ હૈ. ઓઝા (૧૮૭૦), નરસિંહ અને મીરાંનાં ભજનાના સંગ્રહે। આપનાર હરસિદ્ધભાઈ દિવેટિયા (૧૮૭૦–૧૯૬૮), ‘પંચદ’ડ' અને રસિકવલ્લભ'ના સંપાદક જેઠાલાલ ગે!. શાહ (૧૮૯૩), ભાલણ આદિની પ્રાચીન કૃતિઓના સંપાદક અને
Page #244
--------------------------------------------------------------------------
________________
31.4]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૩૫
જોડણી, ભાષા, ચરિત્ર-વિષયમાં પણ પ્રદાન કરનાર ભરતરામ ભા. મહેતા (૧૮૯૪), ‘અંબડચરિત્ર', ‘પ’ચાખ્યાન'ના અનુવાદસપાદન દ્વારા અને ગુજરાતી-હિંદીઅંગ્રેજીમાં અનેક લેખા દ્વારા સાહિત્યસેવા કરનાર જન વિદુષી ચાલેટિ ક્રીઝે ઉ સુભદ્રાદેવી (૧૮૯૫), ‘જૈન ચિત્ર કપદ્રુમ’ના સંપાદક સારાભાઈ નવાબ (૧૯૦૭), આનંદકાવ્યમહેાદધિ’ (ભા. ૧થી ૮; ૧૯૧૩થી ૧૯૨૭ દરમ્યાન)ના સંપાદક જીવણચંદ સાકરચંદ ઝવેરી, ‘જૈન ગુર્જર કવિએ’ના ચાર ગ્રંથા (૧૯૨૬–૪૪)ના સંગ્રાહક-સંપ્રયાજક મેાહનલાલ દલીચંદ મહેતા, ‘જૈન કાવ્યસંગ્રહ’(૧૮૭૬)નું પ્રકાશન કરનાર કીકાભાઈ પરભુદાસ વગેરેનુ' અપ`ણ ઉલ્લેખપાત્ર છે.
અનુવાદ : બંગાળી, પ્રાકૃત, અંગ્રેજી-જર્માંનીમાંથી અનુવાદે। આપનાર નરસિંહભાઈ ઈ. પટેલ (૧૮૭૪), સ ંસ્કૃત ઋગ્વેદસહિતા અને ઉપનિષદોના અનુવાદ આપનાર મેાતીલાલ ૨. ઘેાડા (૧૮૭૫), ગીતા, મનુસ્મૃતિના અનુવાદો, એરેબિયન નાઇટ્સ'નું ભાષાંતર અને ‘ગુજરાતી' પત્ર અને ‘ગુજરાતી પ્રેસ' દ્વારા સાહિત્ય અને મુદ્રણક્ષેત્રે ઉલ્લેખપાત્ર ફાળા આપનાર મણિલાલ ઇચ્છારામ દેસાઈ (૧૮૮૦); રમણીકરાય અ. મહેતા (૧૮૮૧), રંગીલદાસ સુતરિયા (૧૮૮૧), પાલિ-સ`સ્કૃતની કૃતિએ તેમ જ કૃષ્ણમૂર્તિનાં વ્યાખ્યાનાને ‘જીવનસ દેશ’માં સુલભ કરી આપનાર મણિલાલ ન. દોશી (૧૮૮૨), ધર્મના જય', ‘વિકૃત બુદ્ધિના વિવાહ’ના અનુવાદે, ‘ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિ’ કાશ (૧૯૨૬), ‘સંવાદમાલા’ (સંપાદન) જેવી કૃતિએ આપનાર જીવનલાલ અમરશી મહેતા (૧૮૮૩), બેઈનનાં પુસ્તકાના ‘અનંગભસ્મ’ (૧૯૧૬) અને ‘નીલનેની' (૧૯૧૭) તેમ જ ટોલ્સ્ટોયના પુસ્તકના ‘જીવનસિદ્ધિ’ અનુવાદ આપનાર સાકરલાલ અ. દવે (૧૮૮૬), કીથકૃત સંસ્કૃત નાટ’કને। અનુવાદ આપનાર ન`દાશ ંકર ભેા. પુરહિત (૧૮૮૭), ‘મારી વીસ વાર્તા' અને અન્ય અનુવાદકૃતિએ આપનાર કેશવલાલ છે. દેસાઈ (૧૮૮૮), અનુવાદ અને બાલસાહિત્યમાં અપણુ કરનાર નટવરલાલ વીમાવાળા, ‘નાગાનંદ” આદિ નાટકાના અનુવાદક અને જૂની રંગભૂમિના અભ્યાસી રમણીકલાલ જ. દલાલ (૧૯૦૧) અને અંગ્રેજી-સંસ્કૃતમાંથી અનુવાદ આપનાર પ્રસન્નવદન દીક્ષિત (૧૯૦૬) વગેરે લેખકાએ અનુવાદક્ષેત્રે કાર્ય કર્યું છે.
h
મુસ્લિમ લેખકેાનુ... પ્રદાન : મુસલમાન લેખકાએ પણ ગુજરાતી ભાષાની ધ્યાનપાત્ર સેવા કરી છે; અનેક પીરેાએ ધાર્મિક સાહિત્ય તૈયાર કર્યું" હતું. પીર હજરત સૈયદ પીર મશાયખ કાસિમશાહ(હીજરી સ. ૧૦૬૦)એ ગુજરાતી લિપિ અને ઉર્દૂ -ગુજરાતી મિશ્ર ભાષામાં તેર જેટલાં પુસ્તકે અઢી સદી પહેલાં પ્રગટ કર્યાં હતાં, કવિતા, નાટક, નવલકથા, જીવનચરિત્ર,
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ કેશ, ઈતિહાસ વગેરે ક્ષેત્રે એમણે કલમ ચલાવી હતી. કરમાલી રહીમભાઈ નાનજીઆણું (૧૮૫૪), રાંદેરના મેલવી ગુલામ મહમંદ સાદિક (૧૮૫૭), કસિમ ગાઝી (૧૮૫૮), સુલેમાન શાહ લેધિયા (૧૮૫૮), ઉસ્માનબચલ ખુડખુડીઆ (૧૮૬૨), હાજી ગુલામઅલી હાજી ઈસમાઈલ રહમાની' (૧૮૬૪), મુસલમાનોની ચડતી પડતીને ઈતિહાસ લખનાર મેહબૂબમિયાં ઈ. કાદરી (૧૮૭૩), “હઝરત મોહમ્મદ સાહેબનું જીવનચરિત્ર' વગેરેના લેખક અમદાવાદના વતની વલી મહમદ સી. મોમિન (૧૮૮૨), મહંમદ આરેફ દાખલી સેવક' (૧૮૮૨), “રસૂલે અરબી' (પેગમ્બર સાહેબનું જીવનચરિત્ર) લેખક કડીના મૌલાના પીર ટામિયાં સૈયદ (૧૮૮૨), મુલાં નૂરભાઈ ડેડાણવાલા (૧૮૮૪), મોહમ્મદનું ટૂંકું જીવન”, “કૃષ્ણકથા વ.ના લેખક અમદાવાદના નિઝામુદ્દીન કુરેશી (૧૮૮૪), હકીમ મહમદ ઉસ્માન (સ૬) સદર (૧૮૮૫), “મારી હજની મુસાફરી'ના લેખક અબ્દુલ લતીફ હાજી હુસેન મદ્રાસવાલા (૧૮૮૬), હમીદ લાખા (૧૮૮૬), અનુવાદક્ષેત્રે સક્રિય રહેલા હાશિમ યુસુફ ભરૂચ્ચા–“ઝાર રાંદેરી (૧૮૮૭), ખાન ઈમામખાન કયસર ખાન (૧૮૮૮), ગુજરાતને ઈતિહાસ” ૧-૨, (૧૯૪૮) આપનાર સૈયદ અબુ ઝફર નદવી (૧૮૮૯), મેહમ્મદ જમીલુદીન ગવસી (૧૮૯૦), પીરજાદા સૈયદ સદરુદ્દીન (૧૮૮૧), વલી મોહમદ નાનજી હુદા (૧૮૯૨), “કેદીનાં કાવ્યો', “કર્તવ્યભાન વ.ના લેખક સુરતના અઝીમદ્દીન સૈયદ મુનાદી” (૧૮૯૨), “અપસરા કે ચૂડેલ”, “પ્રેમને શિકાર”, “ભૂતબંગલો વિ.ના લેખક સૈયદ હામીદમિયાં ડાસામિયાં મુનશી (૧૮૯૨), કચ્છના ખત્રી ઈબ્રાહીમ પટેલ (૧૮૯૪), નાચીજ આદમ (૧ ૮૯૫), ‘તરુણીને તરંગ કિંવા ચિતેડનું સૌંદર્ય' (૧૯૩૦) અને “અશ્રુધારા’ નવલકથાના લેખક ઇમામશાહ લા. બાનવા (૧૮૯૬), અબ્દુલ જબાર અમીન” (૧૮૮૬), લંગા અબ્દુલ્લાહ માસ્તર (૧૮૯૮), રઝીયુદ્દીન અબ્બાસમિયાં સીદીકી (૧૯૦૦), અદ્રરહીમ સાદિક (૧૯૦૦), મહમદ સાદીક (૧૯૦૧), અબ્દુલ લતીફ (૧૯૦૧), “મુસ્તુફાબાદી' (૧૯૦૧), લતીફ ઈબ્રાહીમ (૧૯૦૧), “માતૃભૂમિ', “નરે સુખન' (સં.)ના લેખક ભાવનગરના મહમદઅલી “આજિઝ' (૧૯૦૨), ઉસ્માન ગની “શબનમ' (૧૯૦૨), ઈશકાક દલાલ (૧૯૦૩), અહમદ અશરફ (૧૯૦૩), ઉમરજી સાદી (૧૯૦૫), “મુસસે હાલીને અનુવાદ આપનાર નાનામિયાં રસૂલમિયાં (૧૯૦૫), મોહંમદ મીઠા સીદીકી (૧૯૦૧), દાઉદભાઈ બેચેન (૧૯૯૬), નયનનાં નીર” અને “જ્વાળાઓમાં વાર્તાઓ આપનાર યુસુફ માંડવિયા (૧૯૧૦), નવસારીના સૈયદ ઈમામુદ્દીન દરગાહવાલા (૧૯૧૧), મહમદ ગગુભાઈ ઠેબા (૧૯૧૫) વગેરે લેખકે ઉપરાંત “મહાત્મા શેખ સાદીનું ચરિત્ર આપનાર સાદિક કરબલાઈ, બદ્રનિઝામી રાહતી, ખયરુન્નિસા “સલિમા', અમરમિયાં “મલિક', મોહમંદ હુસેન
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકે-૧
[૨૩૭
રાંદેરી, પ્રવાસગ્રંથો આપનાર સુલેમાન લેધિયા, શબ્દકેશ આપનાર મુહમ્મદ કાઝિમ, શરીફ સાલેહ મુહમ્મદ, અબ્દુલ સતારખાન પઠાણ, ગુલામ રસૂલ શયખ, મુહમ્મદ કાસિમ, મુહમ્મદહુસેન બલસારવી નાનજીઆણું વગેરેએ ગુજરાતી. ભાષાની સેવા કરી છે.
ઈસ્લામી ધર્મ-તત્વજ્ઞાન તથા અન્ય ધર્મોની ચર્ચાવિષયક ૪૦૦ ઉપરાંત કૃતિઓ, ૭૫ ઉપરાંત ચરિત્રો, ૬૫ જેટલા કાવ્યસંગ્રહો, અમીરમિયાં હ. ફારૂકીના ફારસી-અરબી શબ્દકોષના બે ભાગ, નિઝામુદ્દીન – રુદ્દીનના ઉદ્ગમિશ્ર ગુજરાતી કાશ અને અનેક બાલે પગી, રાજ્યપદ્ધતિકાયદે તથા સંગીત, લલિત કલાનાં અને નવલકથાનાટક-ઈતિહાસ-સફરનામા વિશેનાં ૯૨ જેટલાં પુસ્તક, હાસ્યલેખો નિબંધો એમણે આપ્યા છે, અને માસિક, સાપ્તાહિકે, વર્તમાનપત્રો પણ એમણે ચલાવ્યાં છે.
પ્રકીર્ણ : આ સિવાય ગુજરાતના અનેક વિદ્યોપાસકોએ પિતાની વિવિધ પ્રવૃત્તિઓ અને શબ્દોપાસના દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યની સેવા કરી છે. દુર્લભ શ્યામ ધ્રુવ, “નીતિવિચાર', “સત્ય”, “જનસ્વભાવ” (૧૮૭૯), “વિવાહસંસ્કાર', વૈદિક કાલનું ભારતીય યુદ્ધ અથવા વાશરાદિ વિગ્રહ' (૧૯૨૦), “મેવાડના ગુહિલો' (૧૯૨૮) વગેરે વિવિધ વિષયોનાં અભ્યાસયુક્ત પ્રકાશનેના લેખક માન. શંકર પીતાંબરદાસ મહેતા (૧૮૬૩), ૫૬ ભાગમાં દુઃખને વિસામો' (૧૯૧૪-- ૨૨), કેટલાંક ચરિત્ર, નાટયકૃતિ, પારસી અટક-નામ વગેરેના લેખક સોરાબજી મં. દેશાઈ (૧૮૬૫), સસ્તા ભાવે ઉત્તમ પુસ્તક આપવાની યોજના અને એ માટેની “સસ્તું સાહિત્યની સમૃદ્ધ સંસ્થા સ્થાપી, વિવિધ પ્રકારની ગ્રંથમાળાઓ દ્વારા લેકઘડતરનું નોંધપાત્ર કાર્ય કરનાર, પ્રેરક જીવનચરિત્રો, આપણી પ્રાચીનમધ્યકાલીન કૃતિઓના સંચય અને જીવનલક્ષી સાહિત્યના પ્રકાશન દ્વારા ગુજરાતનું ઘડતર કરનાર ભિક્ષુ અખંડાનંદ (૧૮૭૪-૧૯૪૨), વીરરસના નિર્વહણ માટે રામ” છંદની રચના કરનાર, પરશુરામ વિજય' (૧૯૨૩) નાટક, “શિવાજી ને અફઝલખાનનું યુદ્ધ' (૧૯૧૧) અને વાલ્મીકિ રામાયણના “બાલકાંડ' (૧૯૧૬)ના અનુવાદથી જાણીતા થયેલા મનહરરામ હરિહરરામ મહેતા (૧૮૭૭-૧૯૫૦), છેલ્લી ત્રણચાર પેઢીઓનાં ચિત્રો, રેખાંકનો અને પ્રસંગનિરૂપણે સમાજદર્પણ(૧૯૬૪)માં અને “આત્મકથા' (૧૯૭૧) આપનાર સુમન્ત મહેતા (૧૮૭૭), બોધક સાહિત્યના લેખક મગનલાલ શં. પટેલ (૧૮૭૮), વૈદક-આરોગ્યનાં પુસ્તકે, ટેસ્ટયની કૃતિ “પાપની દશાને અનુવાદ તેમજ “કલાને ચરણે” તથા “સાહિત્યને ચરણે નામના લેખસંગ્રહો આપનાર અમદાવાદના સંસ્કાર-સેવક હરિપ્રસાદ 9.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ . ૪ દેસાઈ (૧૮૮૦-૧૯૫૦), “ગુજરાતને અતિહાસિક લેખ (ત્રણ ભાગ)ના લેખક ગિરજાશંકર વ. આચાર્ય (૧૮૮૦–૧૯૬૪), સંસાર-સુધારાના અગ્રણી, “રાજા રામ મોહન રાય' (૧૯૦૫), “ઈસુ ખ્રિસ્તનું જીવન”, “બ્રાહ્મધર્મ વ.ના લેખક ગટુલાલ ધ્રુ (૧૮૮૧-૧૯૬૮), પ્રવાસાદિની કૃતિઓ આપનાર ડુંગરશી ધ. સંપટ (૧૮૮૨),
જાતકકથાઓ'ના લેખક હરભાઈ ૬. ત્રિવેદી (૧૮૮૩), વૈકુંઠલાલ શ્રી. ઠાકોર (૧૮૮૫), “કેળવણું માસિકના તંત્રી, ઈંગ્લાંડનું વહાણવટુ' જેવાં કેટલાંક ઉપયોગી પુસ્તકે ઉપરાંત દેશદેશની વાતો', “સર વિ. દા. ઠાકરસીનું જીવનચરિત્ર' જેવાં પુસ્તક આપનાર કલ્યાણરાય નથુભાઈ જોશી (૧૮૮૫), પૂર્વ આફ્રિકા, નેપાળ, વ. વિશેની પ્રવાસકૃતિઓને લેખક મણિલાલ ન. દ્વિવેદી (૧૮૮૭), જૈન સંવાદો, “તજાએલ તિલકા' જેવી કાવ્ય-અનુકૃતિના લેખક પોપટલાલ પુ. શાહ (૧૮૮૮), જૈન સાહિત્યના પ્રકાશનમાં ઉલ્લેખપાત્ર કામગીરી કરનાર અને “કચ્છકેસરી', “સૌરાષ્ટ્ર,
જ્ય સ્વદેશી' જેવાં અનેક સામયિકના તંત્રીમંડળમાં સક્રિય ભીમજી હરજીવન પારેખ, “સુશીલ” (૧૮૮૮), ઈતિહાસ , “સરસ્વતીચંદ્રનું રાજકારણના લેખક તેમ જ “સ્વાધ્યાય" લેખસંગ્રહના લેખક કેશવલાલ કામદાર (૧૮૯૧), નીતિષિક સાહિત્ય આપનાર માવજી દામજી શાહ (૧૮૯૨), “ગજેન્દ્ર મૌક્તિકા'ના સંપાદક અને “ધી ઈન્ડિયન થિયેટર એ અંગ્રેજી પુસ્તકના લેખક રમણલાલ યાજ્ઞિક (૧૮૯૫–૧૯૬૦), ૧૯૧૮માં “ભારત' પત્રની સહગમાં સ્થાપના કરી એના તંત્રી થયેલા, પછી મુંબઈમાં ૧૯૨૮માં “સાંઝ વર્તમાન” પત્રમાં જોડાયેલા, ટાગોર-ટોસ્ટોયનાં લખાણને જીવન-સર્જન પર પ્રભાવ ઝીલનાર, અને જેમની રચનાઓને ન્હાનાલાલે “રસકાવ્યો' કહી વધાવી “નવગીતાંજલિ'નું પ્રશસ્તિમૂલક બિરુદ આપ્યું હતું તે “ફૂલપાંદડી' (૧૯૨૪) અને આરામગાહ (૧૯૨૮)નાં ગદ્યકાવ્યોના રચયિતા પૃથુ હ. શુકલ (૧૮૯૫–૧૯૩૧), આયુર્વેદના અભ્યાસયુક્ત ગ્રંથોના લેખક અને કાલિદાસના અભ્યાસી બાપાલાલ ગ. શાહ (૧૮૯૬), સંગીતશિક્ષણક્ષેત્રે “સંગીતાંજલિ (છ ભાગ), પ્રણવભારતી', “નાદરૂપ' વ. પુસ્તક દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર પંડિત ઓમકારનાથ ઠાકુર, ગુજરાત સાહિત્ય સભાની ૧૯૪૦ની ગ્રંથસમીક્ષા, “અનુભવબિન્દુ'નું સંપાદન અને સાહિત્યવિષયક અભ્યાસપૂર્ણ સ્વાધ્યાય-લેખે ઉપરાંત ધર્મ, યોગ અને ચિંતનવિષયક લેખો (વિદ્યુતિ ૧૯૮૦ મરણોત્તર પ્રકાશન) આપનાર ગુજરાતીના સુખ્યાત પ્રાધ્યાપક રવિશંકર જોશી (૧૮૯૭–૧૯૭૩), ગુજરાતમાં પ્રકૃતિવિજ્ઞાનક્ષેત્રે જયકૃષ્ણ ઈન્દ્રજી પછી નોંધપાત્ર પ્રદાન કરનાર અને પ્રકૃતિ ટૌમાસિકના સંપાદક હરિનારાયણ ગિ. આચાર્ય વનેચર' (૧૮૮૭), બાલ પોગી સાહિત્યના લેખક નાગરદાસ પટેલ (૧૮૯૮) અને રમણલાલ ના. શાહ, “મહિલાઓની મહાકથાઓનાં લેખિકા
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૩૯
લક્ષ્મીબહેન ગેા. ડેાસાણી (૧૮૯૮), ‘શારદાપ્રસાદ વર્મા'ના તખલ્લુસથી ખાલસાહિત્ય (‘ફારમ લહરી' ૧-૧૨), એ નાટકા' અને ચરિત્રા આપનાર રતિલાલ ના. તન્ના (૧૯૦૧), ‘પ્રાચીન કવિએ અને એમની કૃતિએ'ના લેખક રમણીક દેસાઈ, સંવાદ, નાટક અને કથાના લેખક ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ (૧૯૦૧), ‘કચ્છની રસધાર', કચ્છના ઇતિહાસ'ના લેખક જયરામદાસ જે. નયગાંધી, બાલાપયેાગી રચનાએ આપનાર કાજી હસમુખલાલ (૧૯૦૫) અને ધીરજલાલ ટા. શાહુ (૧૯૦૬) વગેરે અનેક લેખકેાએ વિવિધ વિષયેા પર લેખન કર્યુ` છે.
[આ પ્રકરણમાં જે લખાણને અંતે (ધી.) લખ્યું છે તે લખાણ ધીરુભાઈ પરીખનું, [ભૂ.] લખ્યું છે તે લખાણ ભૂપેન્દ્ર ઉપાધ્યાયનું અને જ્યાં એવે નિર્દેશ નથી કર્યા તે લખાણુ ચિમનલાલ ત્રિવેદીનું છે. ]
જૂની રંગભૂમિના લેખકા
૧૮૫૦ની આસપાસ ખે નાટયપ્રવાહે। ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં સ્થાન પામેલા વરતાય છેઃ (૧) એગણીસમી સદીના પ્રથમ પાંચ દાયકામાં ગુજરાતમાં સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલા જાણકાર વર્ગ સંસ્કૃત પ્રણાલીનાં નાટકો વિષે સારી રીતે જાગ્રત હેાય તેમ લાગે છે. પણુ ૧૮૫૦ કે તેની પૂર્વે ભજવાતા પ્રયાગાની કાઈ કથાવાર્તા મળતાં નથી. (ર) બીજો પ્રવાહ છે તે લેાકનાટયરૂપી ભવાઈના, તેની પ્રચલિત તાલીમપતિનેા, લેખનપદ્ધતિના, અને પ્રયાગપદ્ધતિને જાણકાર વ, — જે ગ્રામસમાજમાં મૂળ ધરાવતા લાગે છે. ગામામાંથી નગરામાં આવી, ભવાઈ ભજવી – પાછા ગામામાં જાય - ત્યાં જ વસે, ખેતી કરે, મદિરા, દેરાસરામાં ગાયવાદન ભજનસંગીત વગેરે કરે. આ ભવાઈયા અને ભવાઈમડળીએ ગુજરાતી ગ્રામજીવનના પ્રાણવાન અંશે છે. ભવાઈને ગ્રામજનતા માણે છે, સમજે છે, સુપેરે પરિચિત છે.
―
આ બે પ્રવાહે ઉપરાંત અંગ્રેજી સાથેના સાંસ્કૃતિક સંપ ગાઢ થાય છે. એમાંથી મનેાર ંજનના સાધનરૂપે નાટક નામનું કલાસ્વરૂપ ઝળકી ઊઠે છે, અને મુંબઈ, કલકત્તા, મદ્રાસ, જેવાં નગરામાં ચમત્કારિક પરિવર્તક ઝપાટા લગાવે છે; ‘નાટક' આપણી વચમાં આવી વસે છે; બ્રિટિશ કેળવણીથી પ્રભાવિત થયેલા આપણા વિદ્વાને સંસ્કૃત પરંપરાનાં ‘નાટય’ સાથે, બ્રિટિશ મનેારંજનનું સાધન પરિચિત થતાં, આપણા નૂતન માનસને આ નવું સાધન ગમતુ લાગે છે અને તેને આપણા વિદ્વાના આપણા જીવનમાં આવકારે છે કરે છે. આમ અંગ્રેજી શૈલીનું થિયેટર અસ્તિત્વ પામે છે.
જે મક્કમ સ્થાન પ્રાપ્ત
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪
ભવાઈ કે નાટક (સંસ્કૃત કે અંગ્રેજી) ભજવે તેા નટા, પણ તેના લેખકની હસ્તી અનિવાર્ય . લેખક વિના આ દસ્યશ્રાવ્ય કલા ન વિકસે, ન બને. મરાઠી, પારસી અને અંગ્રેજી સંપર્કથી ગુજરાતી નાટયલેખક સળવળ્યેા; મરાઠીએ ગંભીર, ઊજળા, રાષ્ટ્રીય આપ આપ્યા, પારસીએએ વિનેાદ, મરાઠી, પારસી અને અ ંગ્રેજી નાટયપ્રયેાગા મુંબઈમાં શરૂ થયા તેની અસર ગુજરાતી ભાષાની રહેણીકરણી, કેળવણી તથા આનંદપ્રમેાદનાં સાંસ્કૃતિક સાધને અને પ્રવાહેા પર પણ પડે છે. ભવાઈથી અસ ંતુષ્ટ શિક્ષિત સામાજિક તથા સારસ્વતા (જેવા કે રણછોડભાઈ ઉદયરામ) સંસ્કૃત પરિપાટીના ગૌરવ સાથે યુરે પીય વલણ અપનાવે છે, અને મુંબઈના તખતાથી છેક સૌરાષ્ટ્રમાં જામનગર સુધી વ્યવસાયરૂપે મનેારજક નાટચઆં દાલન વહેતું કરે છે.
આમ નૂતન રગભૂમિના પ્રવાહની શરૂઆત. તેની સંપર્કશક્તિ એક નવીન ચેતન સ્ફુરાવે છે, જેને ‘નાટકશાળા’ એવુ’ નામ આપવામાં આવે છે. તે સમયના સમાજ પાસે આવક ~~ કમાણીનાં તથા ખરચનાં સ્થાના ટાંચાં હતાં. છતાં ત્યાંય રંગભૂમિ પણ એ જમાનાની દિવાળી તથા સાતમઆઠમના મેળા જેમ મનેરંજક બની હતી અને નાણાં ખરચવાની એક જગા હતી. તેથી વ્યવસાય ટકાવવા માટે ધંધાની શાળા બનાવી, તાલીમ આપી, કલાકારા તૈયાર કરી એમને વ્યવસાયમાં રમતા રાખી મૂકવાના ધીંગા મનસૂબાવાળી યેાજના સમાજમાં અસ્તિત્વમાં આવી. તેનું નમૂનેદાર તંત્ર અંગ્રેજો લાવ્યા હતા. તેમાં ગુજરાતી બુદ્ધિએ કેટલુ ક ઉમેરણ કર્યું, અને એક આગવું નાટકનું સ્વરૂપ વિકસ્યું. કવિ, નાટયકાર વિના સફળ ન થઈ શકે. આમ હેાવાથી ૧૮૫૦ના રાષ્ટ્રીય જાગૃતિના કાળમાં જાહેર જીવન સાથે સંકળાયેલા બધાએ આ આંદાલનને વ્યવસાયી ધેારણે અપનાવ્યું. આપણા સમાજના સારા શિક્ષકા, સાહિત્યસર્જ કા, કવિઓ, સારસ્વતા, અને નેતાઓએ આ વ્યવસાયી આંઢાલનામાં નાટકા લખી-લખાવી આપ્યાં. આ મનાર જનના વ્યવસાય પાસે તે વખતે સાહિત્યસક સારસ્વતા નાટ્યકાર રૂપે હતા, અને તેમને પ્રાત્સાહન આપનાર ટિળક અને ફીરોજશાહ મહેતા, કેખુશરો કાબરાજી જેવા સમાજના મેાભાદાર અગ્રણી હતા.
વ્યવસાયી નાટકશાળા સાથે સંગઠિત થયેલાં પ્રસિદ્ધિ પામેલાં નામેામાં રણછેાડભાઈ ઉદયરામ, નગીનદાસ, તુલસીદાસ મારફતિયા, ડાહ્યાભાઈ ધેાળશાજી, દલપતરામ નવલરામ પંડચા, નર્મદ, મણિલાલ નભુભાઈ વગેરેથી તે રમણભાઈ નીલકંઠ સુધી એક પરિપકવ સ્તબક ગણાય. આ બધા ગંભીર સારસ્વતા હતા. રાઈના પત' મુંબઈ ગુજરાતી નાટકમંડળીએ ભજવવાનું હાથમાં લઈ, ઘેાડા
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૪૧
-
પ્રયાગે કરી છેાડી દીધું ત્યાં સુધી રંગભૂમિ અને સાહિત્યકારાના સંપર્કના હેવાલ આપણને મળી શકે છે. આ બધા સાહિત્યકારા, સારસ્વતા અને નાટચકારા વિશે અન્યત્ર ઘણીઘણી વિગતા વ્યક્ત થતી રહી છે - થશે જ. તેથી તેમનાં નાટકે વિશે અહી વિગતા આપવાની નથી. પરંતુ સાહિત્યકારોની આ પાંખની ત્યારે સમગ્ર રગભૂમિ પર લેખનવ્યવસાયની અસર પૂરેપૂરી ઝળકતી રહી હતી; તે છતાં રંગભૂમિમાં વ્યવસાયની ધંધાની’ જરૂરિયાતના મહેારા—બહાના નીચે એક વિપરીત ઘટના પણ આકારિત થઈ રહી હતી અને તેની દૂરગામી અસરના પ્રારંભ થઈ રહ્યો હતા. વ્યવસાયના માલિકે એ એવી દલીલ આગળ કરી કે ગુજરાતી પ્રજાને મેાટા વ વિદ્વાનાની કવિતા તથા લખાણા સમજતા નથી; અને નાટકની ટિકિટાના પૈસા તેતા સામાન્ય જનતાએ જ ખર્ચવાના હેાવાથી તેમને સમજાય તેવી સપાટી પરની ભાષામાં નાટકા લખાવાં જોઈએ.”
-
વળી સાથેસાથે ભજવનાર કલાકારામાં કેટલી સાહિત્યશક્તિ છે, તેને પણ કચાસ નજરમાં રાખવા જોઈએ. આ દલીલનેા આશ્રય લઈ સાહિત્યકારોને આ કામથી દૂર કરી કેવળ નાણાં કમાવા માટે ‘લખનારનાં કારખાનાં’ શરૂ થયાં. તેમાંથી શું પરિણામ આવ્યું તે સહુ કાઈ જાણે છે. રંગભૂમિના લેખનકાર્યને જોખમી એક અપાયા – અને નાણાં ખેંચી લાવે તેવેા માલિકાની મૂર્ખ કલ્પનાના વળાંક અપાયા ૧૮૫૦થી નૂતન કેળવણી શરૂ થઈ છતાં ગુજરાતમાં આસપાસ અશિક્ષિત જનતાના વિસ્તાર ઘણાબધા માટા હેાવાથી તેમને સમજાય ને તે નાટક જોઈપૈસા આપે અને નાટકાની મંડળીએ તથા આવક ટકી રહે અને તેવા પ્રકારનાં નાટક લખાય, ને ભજવાય એમ લખનારા નાટયકારા વિકસાવવાના પ્રશ્ન વ્યવસાયી માલિકાની રંગભૂમિ' સામે આવી પડયો હતા.
—
આમ શરૂઆતથી જ પંડિતયુગ માટે પ્રતિકૂળ' એવાં ખીજ નંખાયાં હતાં. જનતાની ભાષાશૈલીને માધ્યમ તરીકે વાપરી નાટકેા લખે તેવા લેખકેા માટે માલિકાએ શેાધ શરૂ કરી હશે. આ શેાધમાં દીવાદાંડી તરીકે પારસી રંગભૂમિનાં કેટલાંક મનેારંજક નાટ્કા નજર સામે હતાં જ. આમ ગંભીર અને વિનેાદી બંને પ્રવાહે નાટયલેખનમાં ઊતરી આવ્યા અને એવા અખતરા છેક પ્રભુલાલભાઈના અવસાન સુધી થતા રહ્યા એમ કહી શકાય. કેખુશરા કાબરાજી અને રણછેાડભાઈ ઉદયરામના સહકારથી શરૂઆતથી જ નાટ્યલેખનમાં એક નવુ... જ સ્વરૂપ ઉત્ક્રાન્ત થવા માંડયું હતું. તે સમજવા રણછેાડભાઈ ઉદયરામ અને વાઘજી આશારામ આઝાનાં તેમ જ ડાહ્યાભાઈ ધેાળશાજીનાં નાટકાને એકબીજાની સાથે સરખાવી જોવાથી
ગુ. સા. ૧૬
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
સમજાઈ જશે. નાટયસાહિત્યના સ્વરૂપનું અને ભાષા-સંવાદ-લેખનતત્વનું પણ– ખેદાનમેદાન કરી નાખે તેવું લખનારા વ્યવસાયી આવક થતાં મળી આવ્યા જેમને કવિ'નાં ટાઈટલ અપાયાં.
વ્યવસાયી રંગભૂમિના નાટયકારની પ્રથમ શ્રેણીમાંના રણછોડભાઈ ઉદયરામ, નર્મદાશંકર, દલપતરામ, નવલરામ, ‘કાન્ત’, મણિલાલ અને રમણભાઈ નીલકંઠ વિશે ત્રીજા ગ્રંથમાં લખાઈ ગયું છે. રણછોડભાઈની શ્રેણીમાં દયાશંકર વસનજીનાં લક્ષાધિપતિ રમણા” અને “પુષ્પસેન પુષ્પાવતી નાટક, ૧૯૨૨થી ૧૯૩૮ વચ્ચે, બાપુલાલભાઈ મુંબઈ ગુજરાતી નાટક મંડળીના માલિક હતા ત્યારે, ભજવાયેલાં. નગીનદાસ મારફતિયા(૧૮૪૦-૧૯૦૧)નું સામાજિક વસ્તુવિધાનવાળું, દલપતરામની બેલચાલની શૈલીની પ્રણાલી જાળવતું આપણું પ્રથમ નાટક “ગુલાબ (૧૮૬૨) પ્રવર્તમાન નાટ્યસ્વરૂપને આકાર આપવા સહાયક બન્યું હતું.
કેખુશરે કાબરાજી(૧૮૪૨–૧૮૦૪)એ ગુજરાતી ભાષાની રંગભૂમિને સમૃદ્ધ કરવામાં શક્ય તેટલો ફાળો આપ્યા હતા અને ૧૯ભી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈની પચરંગી પ્રજાના જીવનમાં જે નૈતિક મૂલ્યો પ્રવર્તમાન હતાં તેમ જ નવા-જૂનાં બળને સંઘર્ષ-વિષય ઘણી સુંદર રીતે તખ્તા પર રજૂ કરાય તેવા કથાવસ્તુવાળાં નાટક રચ્યાં, ભજવ્યાં-ભજવાવ્યાં હતાં. (એમને વિશેષ પરિચય માટે જુઓ ગ્રંથ ૩, પૃ. ૨૧૧-૨).
ડાહ્યાભાઈ ધોળશાજી (૧૮૬૭-૧૯૦૨) : અમદાવાદના વતની આ નાટયકારે “શાકુન્તલ' (૧૮૮૧), “સુભદ્રાહરણ' (૧૮૯૨), “સતી પાર્વતી', “રામવિયોગ', ‘લાક્ષાગૃહ' (અપૂર્ણ) જેવાં પૌરાણિક, ‘સતી સંયુક્તા', “વીર વિક્રમાદિત્ય”, “અશ્રુમતી' (૧૮૯૫), “ભોજરાજ', “સતી પવિની” જેવાં ઐતિહાસિક, “ભગતરાજ', ‘કેસરકિશાર”, મ્યુનિસિપલ ઇલેકશન', “માહિતીચંદ્ર' જેવાં મુખ્યત્વે સામાજિક અને “સરદારબા”, “ઉમાદેવડી”, “વિજયકમળા”, “તારા સુંદરી', “વિજયવિજય', વીણાવેલી' (૧૮૮૯), “ઉદયભાણ' (૧૯૦૧) જેવાં મુખ્યતવે રજવાડી નાટક લખ્યાં છે. ઈ. ૧૮૮૯માં “અભિજ્ઞાન શાકુન્તલમ્'ના ચાર અંકને અનુવાદ કરીને એમણે નાટયલેખન શરૂ કર્યું હતું. રંગભૂમિ પર ભજવવા માટેની સમજ સાથે એમણે નાટકો લખ્યાં છે. બોલાતી તળપદી ભાષાવાળા સંવાદ, ગીત, ગાયને, ગુજરાતી સમાજનું ચિત્રણ, હાસ્ય, ખલપાત્રનું નિરૂપણ, ગદ્યનું સુઘટ્ટ પિત વગેરેથી એમણે ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. “વીણ વેલી નાટકે લેખકને અત્યંત પ્રસિદ્ધિ આપી હતી. એમાં ધમલાનું પાત્ર યાદગાર બન્યું હતું. મનુષ્યનાં સુખ અને દુઃખની છાયા એમનાં નાટકમાં ઝિલાયેલી છે અને સદાચાર અને નીતિને બોધ એમાં
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકે-૧
[૨૪૩
વણાયેલ છે. સહેતુક અને ચિંતનશીલ, નીતિવાન ચારિત્ર્યના આ ઉપદેશક નાટયકારે આ કલાસ્વરૂપને ઘણું મર્યાદા પણ આપી છે. વસ્તુગૂથણ સુંદર, વૈવિધ્યવાળી; ઢાળેલાં બીબાં જેવાં રાજા રાણી નેકર પ્રધાન “હીરો” “હીરોઈન નહિ પણ સમાજના અનેક સ્તરો અને સપાટીમાંથી લાવેલાં પાત્રો અને તેમનાં ચરિત્રચિત્રણ કરનાર અજમાવનાર આ પુરુષાર્થ શીલ નાટયકાર છે.
મૂળશંકર મૂલાણી (૧૮૬૮–૧૯૫૭) પ્રશ્નોરા નાગર; નવ પૌરાણિક, આઠ સામાજિક અને જુદી જુદી શૈલીઓની છાયાવાળાં નવ ઐતિહાસિક નાટકે. એમાં સુખાંત, કરુણાંત પણ લખાયાં. પૌરાણિક નાટકે માત્ર દૈવી ચમત્કારરૂપે નહિ પણ તેની પ્રસંગકથાઓનાં અર્થઘટન કરવા પણ પ્રયત્ન કર્યો, અને સામાજિક વસ્તુવિધાનનાં નાટકે પણ જમાવી લખ્યાં. કૃષ્ણચરિત્રમાં દિવ્યપ્રેમના તત્વને આલેખવા સર્જનાત્મક પ્રયત્ન કર્યો. તેમણે ઉત્ક્રાંત કરેલ ઉન્નત નીતિમત્તાની શિલી શોભારૂપ હતી; ગીત તે સુંદર કાવ્યો જાણે – કવિકૌશલ્ય અને રસશક્તિ ઘણું ચેતનવંતી. એમની કૃતિઓ “શાકુન્તલ”, “રાજબીજ”, “કુંજબાળા’, ‘માનસિંહ',
અભેસિંહ', “મૂળરાજ સોલંકી', 'કરણઘેલો', “બારિસ્ટર’, ‘જયરાજ', “અજબકુમારી', “વિક્રમચરિત્ર', “જુગલકિશોરી”, “કામલતા”, “વસંતપ્રભા', “પ્રતાપલકમ', સંગતનાં ફળ’, ‘સુંદરવેણી”, “રસિકમણિ”, “પ્રેમકળા', “મેવાડને ચાંદી, “ચૈતન્યકુમારી', “ધર્મવીર', “કલ્યાણરાય', “કેકિલા', “પરસ સિકંદર”, “સૌભાગ્યસુંદરી', “એક જ ભૂલ’, ‘ભાગ્યોદય', વગેરે. નવોદિત વ્યવસાયી રંગભૂમિના નાટ્યકારોની આ શ્રેણી અચરજ પમાડે તેવું મહત્ત્વ પ્રાપ્ત કરે છે. આ નાટયકારનાં નાટકોનું ઊડીને આંખે વળગે તેવું મહત્ત્વ તો એ છે કે વ્યવસાયી રંગભૂમિને પિષી શકે અને જીવંત રાખે તેવાં કીર્તિદા બને તેવાં નાટકે આ સારસ્વતોની કૃપાપ્રસાદી બની જમ્યાં, વિકસ્યાં. અત્યારે પણ તે ગૌરવ આપે છે. આ નાટકે સાથોસાથ સામાજિક સુધારણા માટે, નૂતન કલાસ્વરૂપ “રંગભૂમિ' માટે પ્રેરણું પામેલા એવા લેખકોની એક શ્રેણી વિકાસ પામી.
રાઈને પર્વત' પછી વ્યવસાય અને સાહિત્યસૃષ્ટિ વચ્ચે સંબંધ તૂટે છે; સાહિત્યકાર નાટયકારો અને વ્યવસાયી નાટયકારો એમ બે અલગ પ્રવાહ વહે છે. આ બન્ને પ્રવાહમાં જે સાહિત્યકાર છે તેમની પાસે નૂતન રંગભૂમિ માટે સાહિત્ય-દષ્ટિ. જીવનદષ્ટિ, વિકસતા રાષ્ટ્રની આવશ્યક્તાઓની સચેતનતા છે પણ તેમની પાસે તખતો કે રંગભૂમિ, કે મંચ કે ભજવનાર નટેય ન હતા. એવા
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[2. ૪
નાટચકારામાં બલવંતરાય, ન્હાનાલાલ, રમણલાલ દેસાઈ, બટુભાઈ, યશવંત પંડચા, દિવ્યાનંદ, પુરુષાત્તમદાસ ત્રિકમદાસ, કે. ટી. શાહ, કે. છેા. દેસાઈ, મેઘાણી, મુનશી, શ્રીધરાણી, શાંતિલાલ મા. શાહ, ખટાઉ વલ્લભ જોષી, જનાર્દન પાઠકજી, ધૂમકેતુ અને ખીન્ન અનેક લેખકેાનું સ્મરણ કરી શકાય. જે લેખકેાનાં નાટકા ન ભજવાયાં હાય અથવા તા એકાદ બે વાર જ ભજવાયાં હેાય એવી શ્રેણી અલગ તારવવી પડશે. એ ઉપરાંત રણછેાડભાઈ, નર્મદ, અને દલપતના આદર્શવાદી સુધારણાવાદથી પ્રેરણા પામેલા હેતુલક્ષી નાટયલેખન કરનારા લેખકેાની પણ હારમાળા છે. તેના ઉલ્લેખ અહીં કરવે! ઘટે છે. તેમની કૃતિઓનું સાહિત્યિક વિવેચન કે તેમના ગુણે અને લક્ષણાનું દર્શન કરવાનું પ્રયાજન અહીં નથી, માત્ર તેમનાં નામેાના ઉલ્લેખ કરીશું. એમાં મુખ્ય ગણપતરાય વ. ઓઝા, કેશવલાલ દલપતરામ, ભાઈશંકર નાનાભાઈ, મ. બ. હેારા, ચૂનીલાલ અમથાશા, કવીશ્વર જુગલકિશાર, ખા. ૨. સામાણી, ૬. વિ. નગરકર, ૬. ગ. વ્યાસ, દે. સી. ત્રવાડી, ભવાનીશંકર નરિસંહરામ, ઝવેરીલાલ દલસુખરામ, મુ. માંકડ, ૨. . ઓઝા, ગિરધરલાલ હરકિશનદાસ, ભ. લા. જોશી, કહાનજી ધર્મસિં, પસિંહ હમીરસિંહ, રામિસંહ માનસિંહ, ભીમરાવ ભાળાનાથ, દુર્ગાનાથ ગા, દવે, ભા. ગા. શાહ વગેરે છે.
સંસ્કૃત નાટયપર’પરાની અસર નીચે એકમે નાટકા સંસ્કૃત નાટયરૂપની પ્રણાલીમાં લખનારા લેખકેામાં મુખ્યત્વે ઝવેરીલાલ યાજ્ઞિક, સુખેશ્વર શાસ્ત્રી, રણછેાડભાઈ દવે, વલ્લભજી હરિદટી, ભોગીલાલ ભટ્ટ, ખા. . કંથારિયા, ગેાસાંઈ નારાયણુ ભારતી, નારાયણ ભટ્ટ, નારાયણ હેમચંદ્ર, મેાહનદાસ બિજવાડિયા, કિલાભાઈ ધ. ભટ્ટ, દલપતરામ ખખ્ખર વગેરે નામેા છે.
નમદ-દલપતના સુધારાસંઘના દબાણુ નીચે વિકસેલા સુધારાવાદી ઉપદેશાત્મક નાટકાના લેખકેાની શ્રેણીમાં કેટલાંક નામેા પ્રાપ્ત થાય છે એના ઉલ્લેખ કરવા ઘટે. ભાઈશંકર કાશીરામ, પાનાચંદ આણુંદજી, કેશવલાલ મેાતીલાલ, રૂપશંકર ગંગાશંકર, બાપાલાલ ભાઈશંકર, મ. ૨. બાપાલાલ, દેાલતરામ મનસુખરામ, ટાલાલ મુનશી, નરભેરામ દવે, આત્મારામ નારણ, જગજીવન કા, પોંડયા, જે. ત્રિ. પટેલ, તિલકચંદ મંત્રી, ગુલાબશંકર કલ્યાણજી, કેશવરામ િિવઠ્ઠલદાસ, કે. વી. ત્રવાડી, જે. એ. પૂજારી, ભગવાનલાલ સૈયઢ.
આ ઉપરાંત ઐતિહાસિક પૌરાણિક શૈલીમાં લખનાર જુદી શૈલીમાં લખવાવાળા સામેશ્વર નાથજી જોશી, પૂ. જો. ભટ્ટ, પુ. લ. શાહ, અ. ના. જોશી, છેાટુભાઈ જોશી, પ્રેમયાગી, મ. ગુ. પટેલ, જુગતરામ દવે, જેઠાલાલ છ. ચૌધરી, હરિશંકર મા. ભટ્ટ વગેરે હતા.
Page #254
--------------------------------------------------------------------------
________________
અન્ય ગદ્યલેખકો-૧
વ્યવસાચી નાટચશાળાના નાટચકારા
હવે જે નામેા વ્યવસાયી નાટયશાળામાં પ્રચલિત હતાં અને જેમના લેખનપુરુષાર્થથી ગુજરાતી રંગભૂમિનું સત્ર પ્રખ્યાત બનેલુ વ્યવસાયી પાસે વિકસ્યું તેવા લેખકેાના પરિચય તેમ જ તેમનાં નાટકા વિશે ઊડતી નજર કરીએ.
પ્ર. ૫ ]
[ ૨૪૫
વાઘજી આશારામ ઓઝા (૧૮૫૦-૧૮૯૬): તેમણે લખેલાં નાટકામાં ઘણાં અગ્રણી અને વારંવાર ભજવાયેલાં એવાં નાટકા ઃ ૧. દ્રૌપદીસ્વય’વર’ ૨. ‘જગદેવ પરમાર’૩. ‘વિભૂતિવિજય’૪. ‘રાજતરંગ' પરમારણજિત' ૬, ‘મદાલસા’ ૭, ‘ત્રિવિક્રમ' ૮. ‘વીરમતી’ ૯. ‘ત્રિયારાજ' ૧૦, ‘સીતાસ્વયંવર’ ૧૧. ‘રાવણવધ’૧૨. ‘એખાહરણ’ ૧૩, ‘ચિત્રસેન ગાંધવ’’ ૧૪. ‘પૃથ્વીરાજ રાઠોડ’ ૧૫. ‘કેસરીસિંહ પરમાર’ ૧૬. ચંદ્રહાસ’ ૧૭. ચાંપરાજ હાડા' ૧૮. રાજસિંહ’ ૧૯. ‘રાણકદેવી’ ૨૦. રાજસિંહ-વિમળદેવી' ૨૧. ‘સતી અનસૂયા' ૨૨. કંસવધ’ ૨૩. ‘પુન’મ’૨૪. ‘દેવયાની' ૨૫. ‘ભીષ્મ પિતામહ', ૨૬ ‘ભર્તૃહરિ'.
આ નામેા બતાવે છે કે ધાર્મિક, પૌરાણિક અને કેવળ અતિહાસિક વિષયે લઈ વાઘજીભાઈ નાટચકાર બન્યા. પરંતુ તેમનાં બધાં જ નાટકામાં રણછેાડભાઈ ઉદયરામના સમયમાં સંક્રાન્ત થયેલ સુધારણાવાદનું પ્રતિબિંબ અસત્ય પર સત્યને વિજય, પુરુષાર્થની ઉજ્જ્વળ બાજુ વગેરે વિષયા આ પૌરાણિક વિષયેા દ્વારા આલેખવામાં આવ્યા છે. ગંભીર પૌરાણિક વિષયા સાથેસાથે વિનેાદનાં દશ્યોની અસર પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તેમ જ ભાષાના ઝોક, સાદી તળપદી ભાષા તરફ વધતા જાય છે – જેનું પરિણામ ૧૯૩૦ પછી લખાયેલાં વ્યવસાયી નાટકાની ભાષા પર સચેાટ રીતે પડે છે. વાઘજીભાઈનાં નાટકા છાપીને પ્રગટ કરવામાં આવ્યાં હતાં, અને ઘણાં નાટક બારમાં મેળવી શકાતાં, ‘વિભૂતિવિજય’, રાજતરંગ’, ‘ચંદ્રહાસ’, ‘ભર્તૃહરિ’, ‘ચાંપરાજ હાડા' વગેરે નાટકો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વાર ભજવાયાં અને લગભગ વીસેક વર્ષના ગાળા સુધી વાઘજીભાઈનાં નાટકાની ઘણી જ ઊંડી અસર લેાકમાનસ પર પડી હતી.
કિવ નથુરામ સુંદરજી શુક્લ (૧૮૬૧/૬૨-૧૯૨૨/૨૩) : ‘બિલ્વમ ગળ' નાટકથી ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરનાર કવિ નથુરામ શુકલ પેાતે નાટયશાસ્ત્રના ઊંડા અભ્યાસી હતા, અને નાટયલેખનની સારી એવી તાલીમ તેમનાં સ ંસ્કૃત નાટકોના અભ્યાસમાંથી તેમને મળી હતી. સૌરાષ્ટ્રમાં તેમણે ઘણી જ ખ્યાતિ અપાવી હતી નાટકાએ ઘણું આકર્ષણ જમાવેલું. એમાં ‘બિલ્વમંગળ’, ‘નરસિંહ મહેતા', ‘ભક્તિવિજય', ‘મહાશ્વેતા કાદ’ખરી’, ‘વિશ્વામિત્ર’,
ી રીવા
\U|*|| માાણક
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ z* ૪
ભક્ત સુરદાસ', મીરાંબાઈ', ‘નીલમણિ' વગેરે નાટકા હતાં. જુદાંજુદાં ભજનાના ઢાળ તેઓ ગીતામાં વાપરતા અને સંસ્કૃત શ્લોકાને પણ તેઓ નાટકામાં સૂત્રાત્મક રીતે ઉપયાગ કરતા, તેમનાં સામાજિક નાટામાં ‘લાલખાંની લુચ્ચાઈ' ‘સૌભાગ્યસુંદરી' વગેરે ઘણી ખ્યાતિ પામ્યાં હતાં.
ફૂલચંદ ઝવેરચંદ શાહ (૧૮૭૯–૧૯૫૪) : નડિયાદના સાહિત્યકાર સારસ્વતાની શ્રેણીમાં નાટયકાર તરીકે જૂની રંગભૂમિ સાથે બરાબર સંકળાયેલા, છતાં સાહિત્યક્ષેત્રની તથા સંસ્કૃત શિષ્ટ નાટયકૃતિની રચનાઓને પેાતાની રીતે ગુજરાતી જનતા માણી શકે, તેવી રીતે ગુજરાતીમાં ઉતારી ઘણી જ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ સાક્ષર માસ્તરના નામે ઓળખાતા. ભારતીય આધ્યાત્મિક અને ધાર્મિક વૃત્તિવાળા તે હતા; ધાર્મિક આખ્યાના લખવાના અને ભજવવાને તથા આખ્યાને કરવાના તેમના શે।ખ પણ ગજબ હતા. ‘અજામિલ-આખ્યાન' વગેરે તેમણે સેંકડા વાર પ્રજા સમક્ષ ભજવેલાં અને સંસ્કૃત નાટચપરિપાકમાંથી કેટલાંક અગત્યનાં નાટકા ગુજરાતી ભાષામાં ઉતાર્યા. તેમાં, ‘મહાશ્વેતા કાદંબરી', ‘મુદ્રાપ્રતાપ', ‘માવતીમાધવ' ખાસ ઉલ્લેખ માગે છે. તે ઉપરાંત પૌરાણિક નાટચશ્રેણીમાં ‘મહાસતી અનસૂયા', ‘સુકન્યા સાવિત્રી', 'રાજહંસ', ‘વિશ્વધર્મ’ નામેા ખાસ ઉલ્લેખ માગે છે.
તેમની પાસે કાઈ અત્યંત આકર્ષક એવી વિષયગૂ થણી કે પ્રસંગગૂંથણી ન હતી, પણ પૌરાણિક મહત્તાના પ્રકાશ તેમની કલમમાંથી આકર્ષક રીતે વહેતા, અને તેમનાં પાત્રો કલાત્મક તથા સૌંદર્યલક્ષી હેાવા છતાં કંઈક અ ંશે પૌરાણિક માન્યતાઓ પોષનાર બની રહેતાં હતાં. આ દૃષ્ટિએ ફૂલચંદભાઈ સારા નાટયકાર તરીકે પ્રખ્યાત થયા પણ તેમનાં નાટકામાં નવાદિત, રાષ્ટ્રીય ભાવનાઓનેા સંચાર જોવામાં આવતા નથી.
બાપુલાલ નાયક (૧૮૭૯-૧૯૪૭) : બાપુલાલ નાયક જયશ ંકર સુંદરી અને અનેક કલાકારાના ગુરુ અને દિગ્દર્શક હતા. તેમણે ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી'નું પચીસથી વધુ વર્ષો સુધી સંચાલન કર્યું હતું અને નાટયલેખનના કામાં અનેક નાટચકારાનાં નાટકાને તેમના વિશાળ અનુભવાથી મઠારી તેમણે ઘણા અગત્યના ફાળા વ્યવસાયી રંગભૂમિમાં નોંધાવ્યા હતા. બાપુલાલ અને જયશંકરની જોડી વિના ‘મુંબઈ ગુજરાતી નાટક મ`ડળી' કદી સેાળે કળાએ ખીલી રૂપાલની, નાચઝને લીધે કાન્ત, મણિલાલ તથા રમણભાઈ જણાય છે. તે ઉપરાંત ખીજાં પાંચેક નાટકામાં સહાય કરા છે અમ ગણાય
ત
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકો-૧
[૨૪૭
તેમણે અનેક ભક્તિગીતા પણ રચ્યાં છે. તેમનાં નાટકાનાં નામ ‘ચ’દ્રભાગા’, ‘નવલશા હીર' અને ‘આનંદલહરી' છે.
નવલશા હીર' નાટકને વિષય અનેક રીતે મનેર જક છે. તે નાટક સંસ્કૃત ‘પ્રકરણ' નાટક જેવું ગણાય. ત્રણે નાટકામાં બાપુલાલભાઈએ ત્રણ ક અને ૧૮થી બાવીસ દસ્યાની યેાજના રાખી છે તેમ જ ગીતા પણ ભરપૂર લખ્યાં છે. પણ નાટકા વાંચતાં તેમની શૈલી પર મૂળશંકર મૂલાણીની નાટયશૈલીની સ્પષ્ટ અસર વરતાય છે. ચાક્કસ વાકયો, શબ્દા તથા સૂચના દ્વારા નાટકના મુખ્ય વિષય સાથે સમગ્ર કથાવસ્તુને જોડેલી રાખવાના પુરુષા સ્પષ્ટ રીતે વરતાઈ આવે છે.
ગૌરીશકર આશારામ બૈરાટી' (૧૮૮૮–૧૯૭૧): જન્મ ધાળકા. વ્યવસાયી નાટયલેખનમાં સિદ્ધહસ્ત કથાવસ્તુ તથા પ્રસંગાની સંકલના ગૂંથનાર; ભાષા સાદી પણ ખેતબાજી ઘણી અસરકારક, ઐતિહાસિક નાટકા ખાસ; સામાજિક નાટકા શૈાડાં : ‘મારે। દેશ', ‘રામાયણ', ‘યાગપતંજલિ', ‘સ્વયંવર’, ચંદ્રગુપ્ત', ‘ગુજરાતની ગર્જના', 'નવજીવન', ‘કીર્તિ'કૈલાસ', ‘હુ સાદેવ', ‘મરદના ધા', ‘વિવેકાનંદ', ‘રા'મહીપાલ', ‘દેશદીપક', ‘વીરપૂજન', ‘વ્યને પÅ', ‘હેાથલ પદમણી', ‘વલભીપતિ', ‘સત્તાના મદ', બાપ્પા રાવળ’, દીનદયાળ’, વીર હમીર’, ‘રાણા અમરિસંહે’, ‘કરિયાવર’, ‘વીર દુર્ગાદાસ', ‘મીનળમુ‘જાલ', ‘ઉદયપ્રભાત', વીરરમણી', ‘સમાજના કંટક', ‘શાપુરૂરવા', ‘કનકકેસરી', ‘રણજિતસિંહ’. કવિ ગૌરીશ કર વૈરાટી ગુજરાતી વ્યવસાયી નાટયકારામાં એક જુદી જ ધાટી અને શૈલીના નાટયકાર તરીકે ઊપસી આવે છે. ઐતિહાસિક વિષયે લઈ તેમણે રાષ્ટ્રભાવનાથી પ્રચુર એવાં ઘણાં નાટક લખ્યાં, અને પૌરાણિક વિષયામાં પણ રાષ્ટ્રીય જાગૃતિના પ્રશ્નો તેમણે ઘણી કુનેહથી જમાવ્યા છે. અસરકારક ખેતબાજી લખી પ્રેક્ષકાને વીરતાભરી ભાષા દ્વારા સસ્પેન્સ અને પરાકાષ્ઠાના અનુભવ કરાવનાર મણિલાલ પાગલ જેવી જ શક્તિ કવિ વૈરાટી બતાવી શકયા હતા. ‘ચંદ્રગુપ્ત', ‘દેશદીપક', ‘વીરપૂજન', ‘સાચેા સજ્જન', વીર દુર્ગાદાસ', ‘કનકકેસરી' વગેરે તેમનાં અનેક પ્રયેાગા સુધી ભજવાયેલાં નાટકા છે. કવિ વૈસી પૌર્વિક, નૈતિાસિક વિષયો લઇ લખતા રહ્યા અને પ્રેક્ષકાની નાના મળવતા રહ્યા. તેમનાં સામાજિક નાટકા ઝાઝાં આકર્ષક બન્યાં નથી. રજવાડી યુગનાં નાટકામાં જ તેમની પ્રસંગગૂ થણી સારી રીતે દીપી ઊઠતી.
જમનાદાસ મેારારજી ભાટિયા જામન’ (૧૮૮૮–૧૯૫૫) વ્યવસાયી રંગભૂમિના નાટકના ચાકડાની ખેતબાજી, ધનાધની, ૨૧થી ૨૫ દશ્યા, ત્રીસેક
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર'. ૪
ગીતાની રમઝટનુ સજ્જડ ચોકઠું ભેદી નૂતન ખેઞકના નવી લેખનશૈલીમાં અખતરા કરનાર કવિ; તેમની કલમે સામાજિક વિષયાવાળાં નાટકા ખૂબ પ્રખ્યાત અન્યાં. પેાતે દિગ્દર્શક, નટ હેાવાથી તખ્તાસૂઝ ગજબ બતાવે છે. અખતરાબાજ લેખક, નાટકા : નવું ને જૂનુ, વીસમી સદી', ‘કાલાબાને કારગા’, ‘સંવાદી સૂર', નગદ સાદેા', ‘કાલેજિયન', રાજરમત', ‘અંધારી ગલી', ‘ગ્રેજ્યુએટ', ‘ભિક્ષુબાબા', ‘રસના રાસ', ‘બળેલી રસ્સી', ‘જન્મદાતા', ‘લગ્નબંધન', ‘તલવારની ધારે', ‘સાનેરી જળ', ‘શ્રીમંતાઈના શાખ’, ‘સંસારયાત્રા’, ‘રખે ભૂલતા’, ‘ભૂલના ભાગ', ‘એમાં શું?', કાના વાંક?', ‘શેતરંજના દાવ' વગેરે.
કવિ જામન માટે એમ કહેવાય છે કે તેમના સમકાલીન જમાનાથી તેઓ પચીસ-પચાસ વર્ષ આગળ હતા. ‘અંધારી ગલી’, ‘ભિક્ષુબાબા', ‘રસના રાસ’, ‘શ્રીમંતાઈના શાખ’, ‘ભૂલનેા ભાગ’, ‘એમાં શું ?' ‘કાના વાંક' અને ‘વીસમી સદી’ જેવાં નાટકા મઠારીને ભજવવામાં આવે તેા દરેક દાયકામાં ઘણી અસરકારકતા ઊભી કરી શકે એવાં છે. પૌરાણિક કે ઐતિહાસિક વિષયેા લઈ પ્રભુલાલભાઈ તથા રઘુનાથભાઈની જેમ પેાતાની લેખનશૈલીને વહેવા દીધી નથી. પણ સમાજના દંભના પરદા ચીરવા તથા સ્ત્રીસ્વાતંત્ર્ય તથા સ્ત્રીપુરુષની અસમાનતા ને સામાજિક બદીઓ સામે તેમણે પાકાર પાડયો છે. તેમની શૈલીમાં ખેતબાજીના ઉપયોગ પણ થયા છે. પ્રહસનનાં દશ્યેા પણ મુખ્ય નાટવિષય સાથે તેમણે ગૂંથ્યાં છે. ગીતા પણ મર્માળાં ને અલ્પસંખ્ય છે. ‘એમાં શુ?’ કાનેા વાંક ?’, ‘ભૂલને ભેગ’ વગેરે નાટકા માટે કાત્રકમાવા જેવા મહાન નટ-દિગ્દર્શક કામ કરતા હતા અને તેથી જામન કવિ ગુજરાતી રંગભૂમિ પર એક બળવાખેાર નાટયકારનું બિરુદ પામેલા છે. મુંબઈની વેપારી દુનિયા અને ગુનેગાર દુનિયાની ભીતરના પ્રશ્નો અનુભવીની સિફતથી એમણે નાટકામાં આલેખ્યા છે.
મનસ્વી’ પ્રાંતીજવાળા : આ ઉપનામથી કાઈક વેળા સામાજિક અને કાઈક વેળા અતિાસિક નાટકા લખી ચિમનભાઈ ભટ્ટે થાડુંક અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું” હતું, પણ વિશેષ તા તેમણે લખેલાં ગીતાથી તેઓ પ્રસિદ્ધ થયા હતા. મનસ્વીભાઈનાં ગીતામાં કંઈક અ ંશે સારી સાહિત્યિક છાયા પણ આવતી, અને કાંઈક દીલી વાણી હેાય તેજ તેમના ગાતા વરતાતા. કાતિવિજય’, ‘સંસારચિત્ર', કૈાની મહત્તા', ‘કન્યાદાન’ તેમનાં ખાસ વખણાયેલાં નાટકો ગણાય છે. સામાન્ય મધ્યમવર્ગની આજુબાજુ વણાતી કરુણ ઘટનાઓને વધુ લાગણીશીલ રીતે આલેખવાની તેમનામાં શક્તિ હતી.
નૃસિંહ ભગવાનદાસ વિભાકર (૧૮૮૮–૧૯૨૫) વિજામનની જેમ
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૪૯
વિભાકર પણુ તેમના જમાનાથી પચાસ ડગલાં આગળ ગણાતા. બૅરિસ્ટર થઈ ઇંગ્લેંડથી પાછા ફરી તેમણે રંગભૂમિમાં કામ શરૂ કર્યું, અને નવા જમાનાને અનુરૂપ ઔદ્યોગિક વસાહતામાં વિકસેલ કામદાર ચળવળનાં તત્ત્વને લઈ નાટકા લખ્યાં. તેમનાં નાટકામાં નિકાને દંભ ખુલ્લેા પાડવામાં આવતા, અને પ્રગતિશીલ કેળવણીના પ્રશ્નને તથા રાષ્ટ્રીય લડતની ભાવનાઓને પુષ્ટિ મળતી. તેમનાં નાટકામાં ઘણાં જ પ્રસિદ્ધ થયેલાં એવાં ‘સ્નેહસરિતા’ (૧૯૧૫), ‘સુધાચંદ્ર' (૧૯૧૬), મધુબંસરી', ‘મેઘમાલિની' (૧૯૧૮)′ ‘અબજોનાં વંદન' (૧૯૨૨) સામાજિક નાટકા હતાં અને તે સમાજના નવેદિત જુવાનવર્ગની પ્રવૃત્તિને પ્રેરણાત્મક બની રહે તેવાં હતાં.
પૌરાણિક વિષયામાં સિદ્ધાર્થ બુદ્ધ' (૧૯૧૪) લખી ચીલાચાલુ રંગભૂમિથી જુદા પડી પૌરાણિક વિષયની નવી છણાવટ બતાવી હતી. રંગભૂમિની સુધારણા માટે સીનસીતેરીના ઠઠારા દૂર કરાવવા તથા કૃત્રિમ ખેતબાજીની જગ્યાએ સ્વાભાવિક જીવનના વાર્તાલાપે ગૂથવા તેમણે સજગ પ્રયત્ન કર્યાં હતા. પરંતુ ચીલાચાલુ રંગભૂમિનુ પ્રમાણુ એટલુ બધુ` માટું અને વિસ્તૃત હતુ કે તેમાં વિભાકરના પ્રયત્ન તથા પુરુષાર્થની કદર ન થઈ. ‘નિપુણ્યદ્ર’ નામની નવલકથા પણ એમણે લખી હતી એવું ન્હાનાલાલે નેાંધ્યુ છે.
મણિલાલ ત્રિભુવન ત્રિવેદી ‘પાગલ’ (૧૮૮૯-૧૯૬૬): રંગભૂમિ પર કવિ ‘પાગલ’ નામે પ્રસિદ્ધ થઈ, ૧૨૫થી વધારે નાટકા લખી, લગભગ વીસેક વર્ષ સુધી દરેક મેટા નગરમાં એકસાથે બેત્રણ નાટકમંડળીએ જેનાં નાટકા ભજવતી હેાય અને જે નાટકાને ધૂમ પૈસા અને ભરપૂર પ્રેક્ષકા મળતા હેાય તેવું એક જ નામ તે કવિ ‘પાગલ'. તેમના વિશે અનેક દંતકથાઓ પ્રચલિત થયેલી છે. એક જ વિષય એક નાટકમાં એક રીતે લખી બતાવે અને એ જ વિષયનું ખીજુ` ઉપેક્ષિત પાસું લઈ ખીજું એક નવું નાટક રચી બતાવે અને બંને નાટકો એકસાથે પ્રેક્ષકા ઝીલી લે એવા માર્મિક ઇતિહાસ કવિ પાગલના છે. એકવીસબાવીસ દક્ષ્ચાવાળાં ત્રિઅંકી નાટકા તથા જુદાંજુદાં સેટિંગ્સ અને ગાયનેાનાં મનેારંજક તત્ત્વાવાળું નાટક તેએ આલેખતા. રજવાડી નાટક હેાય કે સામાજિક નાટક હાય, તેમનાં પાત્રામાં સમગ્ર સમાજનું પ્રતિબિંબ પડતું. દરેક દૃશ્યમાં ચેાાતી દૃશ્યવાર પરાકાષ્ઠા વખતે કવિ પાગલ ખેતબાનેા સુંદર ઉપયેગ -: નિતિપ્રેતરૂં આદાનપ્રદાન ચડતીઊતરતી
કરતા હતા, *
ભાંજણીની જેમ ઘણી કુશળતાપૂર્વક તેઓ રચી શકતાં.
ઐતિહાસિક નાટકામાં તેમનાં પાત્રા શૂરવીર, ઉદાર, હૃદયંગમ બને તેવાં
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ . ૪
રસિક અને રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાવાળાં બની રહેતાં. સામાજિક નાટકમાં તેમનાં સ્ત્રી પાત્રે અન્ય પાત્ર કરતાં વધારે તાકાતવાન અને અસરકારક તથા કરૂણ બની રહેતાં. તેમને પૌરાણિક નાટકોના વિષયો જચતા નહિ તેથી “માયા મહેન્દ્ર કે એવાં એકાદબે નાટકે બાદ કરતાં તેમણે મોટા ભાગનાં ઐતિહાસિક વ્યક્તિઓનાં વ્યક્તિત્વવાળાં નાટક લખ્યાં છે. જેવાં કે “રા'માંડલિક”, “શંભાજી', “શાહજી', રણકેસરી', “સેરઠી સિંહ”, “ને પેલિયન', “સમુદ્રગુપ્ત', “અહલ્યાબાઈ', “મહાદજી સિંદે' વગેરે. બેતબાજી દ્વારા ઐતિહાસિક નાટકની પ્રખર પરાકાષ્ઠાઓની જીવલેણ ગરમી તેઓ વ્યક્ત કરી શક્યા હતા, અને જ્યારે એવા વાર્તાલાપ બેલાતા ત્યારે તદ્દન અવાસ્તવિક રીતે અને નાટયધમી રીતે બોલાયેલા એ વાર્તાલાપ ઘણું આકર્ષક અને ચેતનવંતા લાગતા.
તેમનાં સામાજિક નાટકોમાં “સંસારલીલા', “કેની મહત્તા”, “સર વસંતકુમાર, ‘કુલીન કન્યા', “શ્રીમંતલીલા', “સજજન કેણ?”, “વારસદાર’, ‘અધિકારી વગેરે ઘણાં આકર્ષક બની રહેલાં નાટકે છે અને ધનિકેને દંભ, સ્ત્રીઓની તથા નીચલા થરના લોકેની નબળાઈઓ, કારકુન, વેપારી અને મધ્યમવર્ગીય માણસની બેહાલ થતી જતી પરિસ્થિતિ વિશે તેમણે ઘણી અસરકારક શૈલીમાં આલેખન કર્યું છે. તેમનાં અન્ય નાટકે “દગાબાજ દસ્ત”, “રૂઢિબંધન', “સળગતો સંસાર', વિલાસપંથે', “સરજનહાર’, ‘દિલનાં દાન”, “જાગીરદાર', “વીરનાં વેર', “વીર રમણ”, “ન્યાયી નરેશ”, “સુખી સંસાર”, “લક્ષ્મીને લેભે, “અમર આશા', સૌભાગ્યવાન', હૈયાનાં હેત', ‘હિંદ માતા”, “સાચે સજજન”, “ગરીબ કન્યા', પતિના વાંકે', “હીપ ખુમાણ”, “અધૂરો સંસાર”, “સ્નેહસુધા', “સતી ઉજળી', બાજીરાવ પેશ્વા), બંગાળને નવાબ, રણસંગ્રામ', “રૂપકુમારી', “લોહીની અસર વગેરે છે. | ‘પાગલ’ની શિલી પર તથા વિષયની પસંદગી પર મરાઠી અને ઉર્દૂની સ્પષ્ટ અસર હતી તે નેધપાત્ર છે.
રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિર (૧૮૯૨ ): “રસકવિના હુલામણા નામે વિખ્યાત બન્યા. તેમનાં શૃંગારરસનાં કાવ્યો કવિ ન્હાનાલાલનાં ગીતાની છાયાવાળા શંગારરસના તવે સભર, રચાયાં અને ગવાયાં તેમ જ કેટલાંક ગીત તે જાણે લેકગીત હોય તેવી રીતે પ્રખ્યાત બની રહ્યાં. કવિનાં નાટકે પૌરાણિક વિષયે
.: • 1.1 નાટયકાર તરીકે તેમને વાળા સારી રીતે માગી લે છે. તેમનાં કેટલાંક નાટકે તેમનાં ગીતના પ્રભાવમાં જ પ્રકાશી ઊઠે છે. કવિનું ભારતીય દર્શનેનું જ્ઞાન પણ તેમની
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખક-૧
[૨૫૧. ઉક્તિઓમાં સ્પષ્ટ તરી આવે છે. તેમણે પસંદ કરેલા વિષયોમાં પૌરાણિક અને ઐતિહાસિક તત્ત્વ ગંભીર અને પ્રૌઢ આલેખનવાળાં દેખાય છે. નાટકે તેમણે સાદી પણ છીછરી ન બનેલી ગુજરાતી ભાષામાં લખ્યાં છે, એ કવિનાં નાટકોનું ખાસ લક્ષણ છે.
કવિનાં પિતાનાં નાટકમાં “બુદ્ધદેવ', “ગીઋષિ”, “અજાતશત્રુ, “ભાવિ. પ્રાબલ્ય', “અશેક”, “સરસ્વતીચંદ્ર', “નવીન યુગ”, “સૂર્યકુમારી', “ઉષાકુમારી'. “અનારકલી', “ક્ષત્રવિજય”, “લક્ષ્મીનારાયણ, “સ્નેહમુદ્રા', “પ્રેમવિજય' વગેરે નાટકની શ્રેણીમાં “શૃંગી ઋષિ”, “અજાતશત્રુ, “સ્નેહમુદ્રા” ઘણાં પ્રખ્યાત બન્યાં હતાં. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની આત્મકથા પ્રગટ થઈ છે. તે ઉપરાંત સાહિત્યકાર તરીકે તેમના લેખે અખંડાનંદ' જેવા સામયિકમાં વારંવાર પ્રગટ થયા કરે છે. એક નોંધપાત્ર વાત એ છે કે કવિનાં પૌરાણિક કે ઐતિહાસિક નાટકમાં હાસ્ય અને ફારસનાં દશ્યો ખાસ અકર્ષણ જમાવી શકતાં ન હતાં. કવિ પિતે ગંભીર પ્રૌઢ શૈલીના આલેખનકાર છે. “સ્મરણમંજરી' (૧૯૫૫)માં એમણે રંગભૂમિનાં ઈ. ૧૯૧૦થી ૪૦ સુધીનાં સ્મરણે આલેખ્યાં છે.
• આલેખ્યાં છે. કવિ પ્રભુલાલ દયારામ દ્વિવેદી (૧૮૮૨–૧૯૬૨) : એમની રચનાઓ પર મૂળશંકરભાઈની શૈલીની છાપ વરતાય છે. નાનાં નાનાં વાક્યો નટો માટે સુગમ, પ્રેક્ષકો માટે મનોરંજક બને તેવાં, સરલ અને રસપ્રદ કથાવસ્તુગૂંથણુંવાળાં નાટકે – લાગણીપ્રધાન ખરાં પણ નીતિમત્તા તથા ઉચ્ચ વિચારે અને શુદ્ધ વ્યવહારનાં પાત્રો રચનાર કવિ. ગીતે ક૯પનાશીલ તથા કાવ્યતત્ત્વવાળાં પણ ખરાં, સામાજિક વિષયમાં કુટુંબકથાઓનાં નાટકે રચનાર કવિ.
કવિ પ્રભુલાલ દ્વિવેદીની વાંચવી ગમે તેવી આત્મકથા પ્રગટ થઈ છે. એ તેમના નાટયજીવનના અનેક પ્રસંગોને તથા તેમનાં નાટકે કેવા કેવા સંજોગોમાં આકારિત થયાં તે બતાવે છે. કવિ પ્રભુલાલ વ્યવસાયી રંગભૂમિમાં જોડાયા અને વ્યયસાયી રંગભૂમિ પર નાટયલેખકોની જે સપર્ધા ચાલતી હતી તેમાં તેમને પણ પુરુષાર્થ કરી ટકવું પડયું હતું. એક્ર બાજુએ નાટકમંડળીઓના માલિકની આવશ્યકતાઓને પિષવી, પ્રેક્ષકાની આદતોને પોષવી, ને પોતાના પક્ષે. નવા નવા નાટ્યક્ષમ વિષયો શેાધી તેમાંથી નાટક સર્જવાં – આવા ત્રણ અગત્યના પ્રશ્નો તેમની સામે હતા. તેનું પ્રતિબિંબ નાટકના વિષયની પસંદગીમાં પડે છે. વાઘજી ઓઝા વગેરે લેખકોની પ્રણાલીમાં એમણે ધાર્મિક તથા પૌરાણિક સ્થિી શરૂઆત કરી અને છેક વિદ્યાવારિધિ ભારવિ” લખાયું ત્યાં સુધી એ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૨].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચ. ૪ પ્રશ્નો આવા વિષયમાં અંતરતમ રીતે ગૂંથતા હતા. તેમણે ઐતિહાસિક નાટકોના વિષમાં ભારતને ગુપ્તકાળ, રજપૂતયુગ, તેમ જ મહત્ત્વનાં ઐતિહાસિક પાત્રો લઈ, “અક્ષયરાજ', “સાગરપતિ', “સાંભરરાજ', “સમુદ્રગુપ્ત', કુમારપાળ' વગેરે કવૈયક્તિક ઐતિહાસિક પાત્રોનાં નાટકો રચ્યાં. પણ એ રચનાઓમાંથી એમણે
જ્યારે સામાજિક રચનાઓ સર્જવા માંડી ત્યારે કવિએ તેમની શૈલીની પરિપકવતા પ્રાપ્ત કરી હોય તેમ લાગે છે. તેમનાં સામાજિક નાટકમાં “ગાડાને બેલ', “શંભુમેળો', “સંપત્તિ માટે', “વડીલોના વાંકે', “સંતાના વાંકે' વગેરે સામાજિક નાટક દ્વારા સમાજનાં સડેલાં અંગોને દંભ ખુલો પાડવાનું કામ તેમણે સુંદર રીતે કર્યું છે અને એ દંભ સામે ટકી રહેતા તથા સંઘર્ષ કરતે એવો સ્ત્રી અને પુરુષને પ્રાણ કવિને આલેખનમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે. કવિ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલા સ્પષ્ટ રીતે દેખાય છે અને ભારતની પૌરાણિક મહત્તા, રજવાડી વિરતા પોતાનાં સામાજિક પાત્રમાં પણ આલેખે છે. કવિનાં નાટકમાં જે નાટક રંગભૂમિ પર ઉલ્લેખનીય બન્યાં તેમાં કુમારપાળ’, ‘માલવપતિ મુંજ', “પૃથ્વીરાજ ચૌહાણ, સિરાજુલા, “કાલિવાહન”, “સજન કોણ’, ‘વડીલના વાંકે' વગેરે છે. પ્રભુલાલભાઈની કલમમાં પૌરાણિક અને ઐતિહાસિક તથા સામાજિક વિષયો તેમના સુગ્ય સંદર્ભો સાથે આલેખાયા છે. લક્ષ્મીકાંત નાટક સમાજ તેમ જ દેશી નાટક સમાજે એમનાં નાટક ભજવેલાં. “સતી વત્સલા' (૧૯૧૬), ‘અહલ્યાબાઈ', શંકરાચાર્ય', 'અરુણોદયે”, “સત્યપ્રકાશ”, “શાલિવાહન”, “એક અબળા”, “માયાના રંગ, “સત્તાને મદ, ‘સમુદ્રગુપ્ત', “સાંભરરાજ', “સમર કેસરી', “યુગપ્રભાવ', “અક્ષયરાજ', દેવી સંકેત' (મૂળ વૈરાટનું હોથલ પદમણી), “ઉઘાડી આંખે', “સમય સાથે' (૧૯૪૫), “સામે પાર, “સાવિત્રી', “સેનાને સૂરજ', “વૈભવના મહ’, ‘દેશદીપક', “શ્રવણકુમાર વગેરે. વડીલોના વાંકે' નાટકે ગુજરાતી રંગભૂમિ પર વિક્રમ સ્થાપ્યો છે. વિદ્યાવારિધિ” અને “સામે પાર' એમની છપાયેલી નાટયકૃતિઓ છે.
ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશી (૧૮૯૨-૧૯૭૪): નવચેતન' માસિકના જીવનભરના આ તંત્રી એક જમાનામાં પ્રખ્યાત નાટયકાર હતા અને તેમનાં નાટેકે ઘણાં ભજવાયાં હતાં એટલું જ નહિ પણ કલકત્તાથી મુંબઈ સુધીના પ્રેક્ષકમાં પ્રખ્યાત થયાં હતાં. તેમણે બે ઐતિહાસિક નાટકે બાદ કરતાં બાકીનાં બધાં જ રાષ્ટ્રીય ભાવનાસભર સામાજિક નાટક લખ્યાં છે અને તેમાં ગુજરાતના -સામાજિક જીવનની તથા ભારતીય સાંસ્કૃતિક ઉત્થાનની ઝીણવટભરી વાત વારંવાર કરી છે. “ગરીબનાં આંસુ’, ‘આજની દુનિયા', ઘેલી ગુણિયલ’, ‘ન્યાયતાં કેરી તેમની લેખનશેલી સાહિત્યિક કક્ષાની હોવાથી બિનકેળવાયેલા અને અભણ નટાને
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકે-૧
[ ર૫૩.
મૂંઝવણમાં મૂકતી એમ કહેવાય છે. “કવિતાકલાપ' (૧૯૧૮) એમને કાવ્યસંગ્રહ છે. એમાંનાં ગીતે બેધાત્મક છે. કેટલાક સંવાદ' (૧૯૧૯), ‘જંજીરને ઝણકારે (૧૯૨૬) “તાતી તલવારે (૧૯૨૯) એમની અન્ય પ્રકાશિત કૃતિઓ છે. સ્મૃતિસંવેદન' (૧૯૫૪) નામની એમની આત્મકથા પણ પ્રગટ થઈ છે.
અંબાલાલ પંડિતઃ વર્ષો સુધી કલકત્તામાં હિંદી ઉર્દૂ તખ્તા સાથે સંકળાઈ તેમણે કલકત્તાના હિંદી તખ્તા પર સારી એવી અસર ટકાવી રાખી હતી, અને ગુજરાતમાં વારંવાર આવીને “આર્યનૈતિક નાટક સમાજદ્વારા ગીતો અને. કાવ્યની રચના તથા ડાંક મૌલિક નાટકો પણ તેમણે આપ્યાં. “હસ્તમેળાપ, “અનીતિ કે નીતિ', “વરકન્યા' તેમનાં પ્રખ્યાત ગુજરાતી નાટકે છે. તેમના વિષય ખાસ કરીને સામાજિક રૂઢિઓ અને કુરિવાજો વિશે છે. અને તેમાંથી પરિણમતી. કરુણ ઘટનાઓ વિશે તેઓ આલેખન કરે છે.
પરમાણુદ મણિશંકર ત્રાપજકર (ઈ. ૧૯૦૨): ભાવનગર પાસેના ત્રાપજ ગામના વતની. પુરુષાર્થ કરીને અને રંગભૂમિના કપરા દિવસોમાં આગળ આવી ખ્યાતનામ નાટ્યકાર બન્યા. તેમનાં નાટકોમાં અન્ય નાટયકારોથી અલગ પડી આવે તેવું એક તત્વ હતું તે રાષ્ટ્રીય ભાવનાનું, અને ગાંધીજી દ્વારા ચાલતી રાષ્ટ્રીય ભાવનાના સમર્થનનું. સમકાલીન પરિસ્થિતિમાં તેમણે જે જે વિષયે પસંદ કર્યા તેમાં ઐતિહાસિક વિષયોમાં પણ તેમણે રાષ્ટ્રીય નજર સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે. દેશદાઝ, પરદેશીના આક્રમણ સામે રાષ્ટ્રનું રક્ષણ, રાજાને સુનીતિને ધર્મ, સાહસની શક્તિ વગેરે તેમનાં પાત્રમાં તરવરતાં. સામાજિક નાટકમાં સ્ત્રીને પ્રશ્નોને આગવું સ્થાન આપતા. એતિહાસિક નાટકમાં અમરસિંહ, રાઠેડી, “રણગર્જના', “સમ્રાટ હર્ષ, “જય ચિત્તોડ', “અમર હાક’, વીર જગડુશા',
અનારકલી', “સોરઠને સિંહ' “વીરહાક”, “મહારાજ મુંજ', વીર અભિમન્યુ” બાજીરાવ પેશ્વા” “જીલો મહારાજ' વગેરે ઘણું પ્રખ્યાતિ પામેલાં નાટકે છે. અને તેમનાં સામાજિક નાટકમાં સુખી કે દુખી', “વીરપસલી, પરભવની પ્રીત', પડી પટોળે ભાત', “ગરવી ગુજરાત”, “અધૂરાં લગ્ન વગેરે આકર્ષક સામાજિક નાટકે. હતાં. પોરાણિક નાટકમાં “ભક્ત પ્રહૂલાદે, “મહાત્મા ભીષ્મ' વગેરે હતાં. ત્રાપજકરના. નાટકમાં હાસ્યનું તત્ત્વ ઘણું ગૌણ રહેતું. પરંતુ તેમનાં ગીતે આકર્ષક ગણાતાં. આતમવાણી” જેવી કેટલીક કાવ્યકૃતિઓ પણ એમણે આપી છે.
કેશવલાલ અધ્યાપકઃ “સંગીત લીલાવતી' નામના નાટકના લેખક એક સારી એવી નાટકમંડળીના સંચાલક તરીકે વધારે જાણીતા થયેલા. “સંગીત લીલાવતી'માં અંગ્રેજી એપેરાની સ્પષ્ટ અસર વરતાય છે, અને આખું નાટક
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ ગેય નાટક તરીકે એ જમાનામાં જાણીતું થયેલું. એક નૂતન નાટકપ્રકાર તરીકે સંગીત લીલાવતી' ઉલલેખ માગે છે.
નૌતમલાલ સાહિત્યવિલાસી: નૌતમકાને સામાજિક ઝેક અને મહત્વવાળાં નાટક લખી નાનીમોટી નાટક મંડળીઓ માટે ઘણી રચનાઓ કરી છે. એમાં “આબરૂદાર”, “સૌભાગ્યકંકણ વગેરે નાટકે જાણીતાં થયાં છે. આ બંને નાટકમાં સામાજિક દંભને ખુલ્લો પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તથા બેતબીજીને પણ સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પિોપટલાલ વ્યાસઃ "કનકતારા” અને “અંધ’ એવાં બે સામાજિક નાટકના લેખક. ૧૯૨૦ની આજુબાજુના ગાળામાં નાની મંડળીઓને માટે લખતા. સામાન્ય ફૂલગૂંથણવાળાં નાટક દ્વારા સુરત અને ભરૂચની આસપાસની પ્રજામાં તેઓ. ખ્યાતનામ બનેલા.
કવિ મહાજન: “અમરજી દિવાન', “વિધિના લેખ”, “વાલો નામોરી, બાલ સમ્રાટ' વગેરે નાટકના લેખક. “વાલે નામેરી” અને “અમરજી દીવાન નાટકથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની પ્રજામાં ઘણું જાણીતા બનેલા. કંઈક અંશે સ્ટંટ પિકચરાની છાયા ઝીલીને “વાલો નામોરી' “અમર દીવાને આલેખાયાં હતાં. છતાં રંજક શૈલીથી નાટકે વિખ્યાત થયેલાં. “અમરજી દિવાન ઐતિહાસિક પાત્ર હોવા છતાં તેને થોડીક બેતબાજીમાં મઢીને રજૂ કરેલ.
હરિહર દીવાના પોરાણિક ભક્તિકથાનાં પાત્રો લઈ તેમજ સામાજિક કથાવસ્તુ લઈ તેમણે ઘણાં નાટક રચ્યાં, જે સમકાલીન રંગભૂમિ પર સારી રીતે ભજવાયાં હતાં. ‘બલ કાગળ” “પુંડલિક “મહાત્મા મૂળદાસ' “સતી તારલ સતી અંજની' વગેરે તેમનાં અત્યંત પ્રખ્યાત બનેલાં નાટકે છે. તેઓ બોલતા કાગળ’ નાટકથી ઘણું પ્રખ્યાત બન્યા અને “સતી તોરલ' સારાષ્ટ્રની અનેક નાનીમોટી નાટકમંડળીઓએ વારંવાર ભજવ્યું છે. એમનાં નાટકમાં હાસ્યરસનાં દશ્યો ચીલાચાલુ તથા તેમનાં ગીતો પણ સામાન્ય કોટિનાં રહેતાં. પૌરાણિક નાટકમાં પણ કઈ ખાસ દષ્ટિ ઉપસાવવાનો પ્રયને કરવામાં આવ્યો નથી.
પ્રફુલ્લ કાન્તિલાલ દેસાઈ (૧૯૧૨–૧૯૭૦) : ગુજરાતી રંગભૂમિ પર જ્યારે પ્રભુલાલ ‘પાગલ’, ત્રાપજકર, જામન’ની બેલાબાલા હતી ત્યારે અમદાવાદની અવેતન રંગભૂમિમાંથી વિકસેલા આ યુવાન લેખકે પોતાની કલ્પનાશીલ સર્જનશક્તિથી ઘણું અસરકારક સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. મુંબઈના તખ્તા પર એમનાં કેટલાંય નાટકે સેંકડોથી વધુ પ્રયોગમાં ભજવાઈ ગયાં હતાં. “સંસ્કારલકમ',
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૫] અન્ય ગદ્યલેખકો-૧
[૨૫૫ જવલંત જવાળા’, “અધૂરી આશા' જેવાં અનેકોંધપાત્ર સામાજિક નાટકે એમણે આપ્યાં છે. અસરકારક ગીતસંગીત અને કરુણ પરિસ્થિતિને મેલે ડ્રામા રૂપે રજૂ કરવાનું અને આલેખવાનું કૌશલ એમની પાસે હતું. ભાવપ્રચુર નાટકે લખી એમણે અત્યારના સામાજિક ચોકઠામાં સ્ત્રીનું મૂલ્ય ઘણું મોટું છે એ વારંવાર બતાવ્યું છે. “આરતીના દીવા', “સ્નેહમંદિર, “સાગરનાં મોતી' વગેરે એમનાં અન્ય નાટકે છે.
રાજકેટમાં પોતાનું કેન્દ્ર જમાવી હાસ્યપ્રધાન વિનદી નાટકે, પ્રહસનના લેખક તરીકે સમકાલીનેમાં મોખરાનું સ્થાન જમાવનાર દામુ સાંગાણી; નાટયકાર અને સારા ગીતકાર તરીકે ખ્યાતિ પામનાર જીવણલાલ બ્રહ્મભટ્ટ; “આર્યનૈતિક નાટક સમાજ’ સાથે સંકળાયેલા નંદલાલ નકુભાઈ શાહ; રાષ્ટ્રીય ઉથાનના સંસ્કાર નાટકમાં વણી લેનાર, ગાંધીજીની લડતને પણ નાટકમાં ઉલ્લેખ કરનાર, ‘લવકુશ’ નાટકથી ખ્યાતિ પામનાર બાબુભાઈ ઓઝા; સુરતની નાટયમંડળીઓએ જેમનાં નાટક ભજવ્યાં હતાં તે ગમનલાલ હીરાલાલ “પુષ્પ'; ઉપરાંત, નરભેરામ વ્યાસ, મનહર કવિ, રામપ્રસાદ હ. ભટ્ટ, મુનશી નિઝામુદ્દીન, વિજય ભટ્ટ, વિજયશંકર ભટ્ટ, વસંત નાયક, ગંગાદાસ દુઆરકાદાસ, શંકરલાલ શાસ્ત્રી, કવિ કિશોર, હેમુભાઈ ભટ્ટ, રામપ્રસાદ ભટ્ટ, ચીમનલાલ ત્રિવેદી, ચંદુલાલ દલસુખરામ ઝવેરી, જયશંકર વાઘજી વ્યાસ, લલિતાશંકર લાભશંકર વ્યાસ, ગૌરીશંકર કવિ વગેરેએ આપણી રંગભૂમિને સમૃદ્ધ કરી છે. પરંતુ આ સર્વ લેખકે વિશે પછીના ગ્રંથમાં નોંધ આવશે.
વ્યવસાયી નાટયકારે અને તેમની કૃતિઓનાં નામો તેમ જ આ નાટયકારોની શૈલીનાં લક્ષણો તેમ જ તેમના કથાવસ્તુનો સંભાર વગેરે વિશે અહીં આછી નોંધ આપી છે. ઘણા લેખકની કૃતિઓને સમય તેમ જ અન્ય વિગતે પ્રાપ્ત થતી નથી. તેથી વિવેચનની દૃષ્ટિએ તેમનું સચોટ મૂલ્યાંકન આપવું શક્ય નથી, છતાં રંગભૂમિના મુખ્ય પ્રવાહના ગુણાંકન અને લક્ષણોને સમજતાં તેના સંદર્ભમાં આ નાટયલેખકે અને તેમની કૃતિઓનું મૂલ્યાંકન તારવવું અશક્ય નથી. કવિ “પાગલ' જેવાની કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે, અને કેટલીક તો ક્યાંય હશે કે નહિ તે પણ શંકાસ્પદ છે. આ બધા નાટચકારમાં મૂળશંકર મૂલાણી અને પ્રભુલાલ દ્વિવેદી બે જ એવા નાટયકારો લાગે છે જેમની બધી જ વિગતો પ્રાપ્ત કરી શકાય છે. તેમનાથીયે વધારે વ્યવસ્થિત તો સાક્ષર ડાહ્યાભાઈ ધોળશાજી વરતાય છે. એમનું મેટા ભાગનું પ્રકાશન સંગીત નાટક અકાદમી'એ કર્યું છે. ગુજરાતી રંગભૂમિના વ્યવસાયી લેખકની આવી વિચિત્ર અને વિષમ પરિસ્થિતિ હોવાનું એક જ કારણ હતું : નાટક કંપનીઓના માલિકે આ લેખકોની કૃતિઓ ખરીદી લેતા, અને
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ પેરા બુકમાં લેખકેનાં નામ પણ ન મૂકતા. વળી કેટલીક કૃતિઓ જુદાજુદા લેખકોને હાથે મઠારાતી તેમાં નવાં દ ઉમેરાતાં, ને પરિણામે મૂળ લેખકની મૂળ કૃતિઓ ઘણું બદલાઈ જતી હતી. આ સંજોગોમાં આપણું પાસે જે પાયાનું સાહિત્ય છે તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં વિસ્તારથી સંશોધન કરી તારીખે અને તવારીખ બંનેને દઢપણે આમેજ કરવું જરૂરી છે. આ ઉપરાંત પારસી, હિંદી તથા ઉર્દૂ નાટકમંડળીઓના અનુવાદ અને તેમના લેખકને ઉલ્લેખ અહીં કરાયું નથી.
વ્યવસાયી નાટ્યકારેનાં ત્રીસેક જેટલાં જ નાટકે છપાયાં છે. કેટલાકની હસ્તપ્રતો મળી શકે તેમ છે. કેટલીક એ પેરા બુકે પરથી પણ કેટલુંક અંતિહાસિક તારણ કરી શકાય તેમ છે. આ લેખમાં બતાવેલા નાટયકારોનાં તથા તેમની કૃતિઓનાં નામો હસ્તપ્રત તથા “પેરા બુક'માંથી મેળવેલાં છે. રાજકેટમાં જગુભાઈ પાનવાળા, મુંબઈમાં ગુજરાતી નાટયમંડળ' તથા પ્રબોધ જોશી પાસેથી ઘણી માહિતી પ્રાપ્ત થશે.
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬
ગાંધીજી મેહનદાસ કરમચંદ ગાંધી
[ઈ. ૧૮૬૯-૧૯૪૮]
૧. જીવનઃ સેવા અને સાધના વીસમી સદીના ગુજરાતના જ નહીં પણ સમગ્ર ભારતને જીવન તેમ જ સાહિત્ય પર જેમને અપૂર્વ ઘટનાત્મક પ્રભાવ વિસ્તરેલ છે અને જેમનું પિતાનું અક્ષરધન ૯૦ ઉપરાંત દળદાર ગ્રંથે જેટલું થવા જાય છે એ, “મહાત્મા’ના પરમ આદરભર્યા અને ‘બાપુ’ના આત્મીયતાભર્યા અપરનામથી લોકહૃદયમાં વસી ગયેલા, મોહનદાસ કરમચંદ ગાંધીને જન્મ ઈ. ૧૮૬૯ના ઓકટોબરની બીજી તારીખે પોરબંદર મુકામે વૈષ્ણવ વણિક કુટુંબમાં થયે હતો. પિતા એ વખતે પોરબંદર રાજ્યના દીવાન હતા, પરંતુ ગાંધીજીની ઉંમર સાત વર્ષની થતાં તેઓ રાજકેટમાં દીવાન થયા, અને ત્યાં ગાંધીજીના કિશોર ને તરુણ વયનાં વર્ષો પસાર થયાં. પિતા સત્યશીલ, કર્તવ્યનિષ્ઠ, સ્વમાની રાજપુરુષ. માતા વ્રતનિયમરત સાધ્વી સ્ત્રી. સત્ય, સેવા, સદાચાર અને ઈશ્વરનિષ્ઠાના સંસ્કારો ગાંધીજીને જન્મતજાત. તેમાં શ્રવણપિતૃભક્તિ નાટકોના વાચને પિતૃધર્મની અને “હરિશ્ચન્દ્ર આખ્યાન' નાટકના ખેલે સત્યધર્મની ભાવનાને દઢ કરી. સ્વદેશપ્રેમપ્રેરિત સુધારાની ધગશ પણ કિશોર વયમાં જાગી. એ ધગશને પ્રેર્યા, બળવાન બનવા માટે માંસાહાર તરફ વળ્યા. એક પ્રસંગે ભાઈના કડામાંથી સોનું ચોરવાના કામમાં પણ સંડોવાયા. પણ માતાને નહીં છેતરવાના હેતુથી માંસાહારના પ્રયોગને ત્યાગ કર્યો તેમ પિતાને નહીં છેતરવાના હેતથી ચોરીની કબૂલાત કરી. માન્યું હતું કે પિતા માથું કૂટી શિક્ષા કરશે પણ તેમ ન બન્યું. પિતાની આંખમાંથી “મોતીનાં બિંદુ ટપક્યાં. ગાંધીજીને માટે આ પ્રસંગ અહિંસાને પ્રેમનો એક મર્મવેધી પદાર્થપાઠ બની ગયો. પછીથી, અવગુણ ઉપર ગુણ કરવાને બોધ આપતે શામળ ભટ્ટને છપે પણ આ કિશોર માનસને સ્પશી ગયો. જોઈ શકાય છે કે ગાંધીજીનું ચિત્ત એમના મૂળભૂત સંસ્કારોને અનુરૂપ પોષણ પિતાના અનુભવમાં આવતી વસ્તુઓમાંથી મેળવી લે છે, અને સત્યને એક દેર પકડીને પોતાના જીવનમાર્ગને સીધી સરળ ગતિ આપે છે. કુટુંબને વૈષ્ણવધર્મ, પિતા પાસે જૈનાચાર્યોની અને મુસ્લિમો-પારસીઓની પણ આવ-જા. તેથી ગાંધીજીમાં સર્વધર્મ પ્રત્યે સમભાવ કેળવાયે અને સાંપ્રદાયિક
ગુ, સી. ૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર ૪
ધાર્મિકતાથી એ રંગાયા વિનાના રહ્યા. દાઈ રંભા પાસેથી મળેલું રામનામ એમની એક મેાટી મૂડી ખનીને રહ્યું અને રામચરિતમાનસના શ્રવણે ધર્મજીવનના કાવ્યત્વની એમને ઝાંખી કરાવી.
ઈ. ૧૮૮૧માં ગાંધીજીનાં લગ્ન સરખી જ ઉંમરનાં કસ્તૂરબા સાથે થયાં. ગાંધીજીની, કિશારાવસ્થામાંથી જ શરૂ થયેલી સત્ય અને અહિંસાની યાત્રામાં એક ગંભીર અંતરાય હતા, વિષયાસક્તિની અતિશયતાને. અભણુ કસ્તૂરબાને ભણાવવાના ગાંધીજીના મનસૂબા અધૂરા રહ્યા તેનું એક કારણ આ વિષયાસક્ત અને પિતાના મૃત્યુ સમયે પે।તે એમના પગ ચાંપતા હેાય એવી અત્યંત સ્પૃહણીય સ્થિતિ એ ચૂકી ગયા (જેનેા પશ્ચાત્તાપ એમણે જિંદગીભર અનુભવ્યા) તે પણ આ વિષયાસક્તિને કારણે. કર્તવ્યબુદ્ધિ અને સત્યનિષ્ઠા આ વિષયાસક્તિને કંઈક સયમમાં રાખે છે અને થાડાક ચારિત્ર્યસ્ખલનના પ્રસ ંગેા ઊભા થાય છે ત્યારે કાંઈક દૈવયેાગે, કંઈક સ્વભાવગત પાપભીરુતાથી એ બચી જાય છે.
ઈ. ૧૮૮૭માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ગાંધીજી ભાવનગરની શામળદાસ કૅાલેજમાં દાખલ થયા. શાળામાં વિદ્યાથી તરીકેની ગાંધીજીની કારકિર્દી સારી હતી, પણ બહુ તેજસ્વી કહેવાય એવી ન હતી. કૅાલેજમાં તા પહેલા સત્ર દરમ્યાન જ તેઓ મૂંઝવણુ અનુભવવા લાગ્યા. અંતે, કુટુંબના એક વડીલ હિતેચ્છુના સૂચનથી યુવાન ગાંધીજી બૅરિસ્ટરીના અભ્યાસ માટે ઈ. ૧૯૮૮માં ઇંગ્લેંડ ગયા. એ વખતે રાજકેાટની શાળાના શિક્ષકા અને વિદ્યાર્થીઓએ યેાજેલા વિદાયસમારંભમાં એમણે વ્યક્ત કરેલી આશા કે ખીજએ એમના દાખલે લઈ ઇંગ્લૅંડ જશે અને પાછા આવી હિંદુસ્તાનમાં સુધારાનાં મેાટા કામેા કરવામાં પેાતાના ખરા જિગરથી ગૂ થાશે એ ગાંધીજીના હૃદયમાં પડેલી દેશે!ન્નતિની શાંત ધગશની આપણને યાદ આપે છે.
ઈંગ્લેંડ જતાં પહેલાં ગાંધીજીએ માતા પાસે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞાઓના – ખાસ કરીને માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞાના – પાલનનેા માં ગાંધીજી માટે ઘણા કપરા સાબિત થયા. પણ માતૃભક્તિ અને સત્યનિષ્ઠાએ એમને અણિશુદ્ધ પાર ઉતાર્યાં. ગાંધીજી આ નિમિત્તે આહારશાસ્ત્રના અભ્યાસી બન્યા અને એમના આહારના પ્રયાગાનાં અહીં મૂળ નખાયાં. પણ એથી મોટા અને સૂક્ષ્મ લાભ એ થયા કે લેાકાચારથી સ્વતંત્ર એવી, પેાતાના હૃદયે ઇષ્ટ માનેલી રીતે વવાની હિંમત ને સ્વત ંત્રતા એમનામાં કેળવાઈ. અંગ્રેજી સમાજમાં સભ્ય ગણાતી રીતભાતા અપનાવવા તૈયાર થયેલા ગાંધીજીએ એ પ્રયાસેા છેાડી દીધા તથા પોતે પરિણીત છે એ છુપાવેલી વાત
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬]
ગાંધીજી
[૨૫૯
જાહેર કરી દીધી – એ બધા પ્રસંગે પણ ગાંધીજીના આ વ્યક્તિત્વવિકાસની સાક્ષી પૂરે છે. ઈંગ્લેંડનિવાસ દરમ્યાન ગીતા પહેલી વાર વાંચી. એની અમૂલ્યતા પ્રતીત થઈ અને “ધ્યાયત વિષયાન' એ શ્લોકની મન પર ઊંડી અસર પડી. એડવિન આર્નલ્ડનું “બુદ્ધચરિત' અને બાઈબલ પણ વાંચ્યાં. બાઇબલના “નવા કરાર' અને ગિરિપ્રવચનથી મને સંતોષાયું. ત્યાગમાં ધર્મ છે એ વાત અનુકૂળ આવી. થિયોસોફીનું પણ કેટલુંક વાંચ્યું અને હિંદુધર્મ પ્રત્યે આસ્થા પ્રગટી. નાસ્તિક મતને પરિચય કર્યો પણ મનમાં કંઈ ન ઊતર્યું. આમ, આ સમયમાં ગાંધીજીના મનમાં ધર્મોના પરિચયની એક ઝંખના રોપાય છે, જે પછીથી ફલવતી બને છે.
અભ્યાસ પૂરો કરીને ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા ત્યારે બૅરિસ્ટર તરીકે પોતે સફળ થશે કે કેમ એ વિશે ઊંડી મૂંઝવણ અનુભવી રહ્યા હતા, કદાચ એ કારકિર્દી એમના હૃદયને આકર્ષતી જ નહતી. વકીલાતમાં એ સફળ ન થયા. લંડનવાસ દરમ્યાન એમનામાં જે સ્વમાનભાવના કેળવાઈ હતી તેનું રક્ષણ કરી શકાય એવું વાતાવરણ તેમણે રાજકેટ કે મુંબઈ શહેરોમાં અનુભવ્યું નહીં અને વકીલાત માટે જરૂરી આત્મશ્રદ્ધા પણ આવી નહીં. આ કારણે જ એક કેસમાં મદદ કરવા માટે દક્ષિણ આફ્રિકા જવાનું નિમંત્રણ આવ્યું તે તેમણે બહુ વિચાર કર્યા વિના સ્વીકારી લીધું. ગાંધીજી બૅરિસ્ટર તરીકે સફળ થયા હતા તે પણ એવી લૌકિક સફળતાથી એમનું અંતર સંતુષ્ટ થયું હોત એ અસંભવ જણાય છે. કેમકે એમના હૃદયમાં કાઈ ઊંડી ત્યાગની, આત્મસમર્પણ ને સેવાની ભાવના ફુરી ચૂકી હતી. પિતાની સેવા નિર્મળ રહી શકી નહોતી અને માતાની સેવા કરવાની અભિલાષા એના મૃત્યુથી અતૃપ્ત રહી હતી. હદયની એ અતૃપ્ત રહેલી ઝંખના સ્વદેશસેવાનું રૂપ લઈ રહી હતી.
આ તક ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં અણધારી રીતે મળી ગઈ. ત્યાં પહોંચ્યા પછી એકાદ અઠવાડિયામાં જ નાતાલની રાજધાની પીટરમેરિત્સબર્ગ સ્ટેશને ગાંધીજીનું અપમાન થયું તે પ્રસંગે એમનાં સ્વમાનભાવના અને સ્વદેશપ્રેમને ઉત્તજી તેમને હિંદી કેમ વતી ગોરાઓના રંગદ્વેષને સામને કરવા કૃતસંકલ્પ કર્યા : “એ ઊંડે રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરે. તેમ કરતાં જાત ઉપર દુઃખ આવી પડે તે બધાં સહન કરવાં”, “આત્મકથા'માં તેઓ લખે છે (પૃ. ૧૧૩). આ નિર્ણય સાથે ગાંધીજીને પોતાના જીવનકાર્યને સ્પષ્ટ બંધ થઈ ગયા અને એમના સ્વભાવનું શરમાળપણું ચમત્કારી રીતે અદશ્ય થઈ ગયું. પ્રિટોરિયાના હિંદીઓ સમક્ષ કામની સ્થિતિ સમજાવતું જિંદગીનું પહેલું ભાષણ એમણે અસરકારક રીતે અને આત્મશ્રદ્ધાથી કર્યું. ઈતિહાસના એક
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર ૪
અજોડ લેાકસેવક અને લેાકનેતા તરીકેનું એમનું ભવિષ્ય હવે નિશ્ચિંત થઈ ગયું. લેાકસેવક ને લેાકનેતા તરીકેની તેમની કારકિર્દીની શરૂઆતમાં ગાંધીજી, ઓગણીસમી સદીના ઘણાબધા ભારતીય સંસ્કારનેતાઓની જેમ, અંગ્રેજી સંસ્કૃતિ અને બ્રિટિશરાજ્યના પ્રશંસક હતા. દક્ષિણ આફ્રિકામાં એમને રંગદ્વેષના કડવા અનુભવ થયા હતા, પરંતુ એ કડવાશ એમનાં લખાણા કે ભાષણામાં વરતાતી નહેાતી. એ સર્વાં લખાણા ને ભાષણાના મધ્યવતી` સૂર, નાતાલની સરકાર ને પ્રજાનું વર્તન બ્રિટિશ નાગરિક તે રાજકીય જીવનની ઉમદા પ્રણાલીએ સાથે અસંગત હતુ. તે હતા. અંગ્રેજ પ્રજાના જીવન અને આચારવિચારના મહિમા એમના મનમાં વસેલા હતા તેથી જ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે એમના પર દબાણુ આવ્યુ ત્યારે એમનુ` મન ભારે મૂંઝવણમાં પડયું. ઈશુને એક અદ્વિતીય અવતારી પુરુષ તરીકે સ્વીકારવા એ તૈયાર નહેાતા તે ઉપરાંત, માતાની પ્રસાદીરૂપ હિંદુધર્મ, અનેક ત્રુટિઓ છતાં, છેડવા એમને માટે દુષ્કર હતું. આ મૂંઝવણુમાંથી ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્રે બચાવ્યા. તેમણે તેમને હિંદુધર્માંના વ્યવસ્થિત અભ્યાસ તરફ વાળ્યા અને હિંદુ સમાજના પ્રચલિત આચારવિચારાને ને હિંદુ આધ્યાત્મિક દર્શન વચ્ચે ભેદ કરતાં શીખવ્યું અને ખ્રિસ્તી ધાર્મિક સાહિત્યના તથા ટોલ્સ્ટોયનાં પુસ્તકાના વાચને એમનામાં જે નવી ભાવના સ્ફુરી રહી હતી તેનું ભારતીય પરંપરાના સારતત્ત્વ સાથે અનુસંધાન કરી આપ્યું. આ અભ્યાસે ગાંધીજીને આધુનિક સંસ્કૃતિની ઊણપે! પ્રત્યે પણ જાગ્રત કર્યા. ભગવદ્ગીતાએ પ્રેયને ત્યાગ કરી શ્રેય તરફનું પ્રસ્થાન દૃઢ બનાવ્યું અને ઈ. ૧૯૦૪માં રસ્કિનના અધિસ લાસ્ટ'ના વાચને એમની ત્યાગવૃત્તિને એટલી તીવ્ર બનાવી મૂકી કે એમણે રસ્કિનને ઇષ્ટ એવુ* શ્રમપ્રધાન, સાદું જીવન જીવવાના ઉદ્દેશથી ફિનિક્સ આશ્રમની યેાજના ઘડી કાઢી અને તેને તાત્કાલિક અમલમાં મૂકી. બેએક વર્ષ પછી ઝૂલુ ખળવા અંગે ગાંધીજીએ ઘાયલેાની સારવાર માટે એક સેવાટુકડી તૈયાર કરી ત્યારે સેવાને અર્થે બ્રહ્મચર્યની આવશ્યકતા જોઈ અને એ વ્રત લીધું.
જે કાનૂની કાર્યવાહી અંગે ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તે પૂરી થતાં હિંદી કામના મતાધિકાર માટે લડવાની તક ઊભી થઈ, જે સહજ સેવાભાવનાથી એમણે સ્વીકારી લીધી. આ દરમ્યાન દેશમાંથી કુટુ બને લઈને આવતાં ૧૮૯૭ના જાન્યુઆરીમાં ડરબન બંદરે હિંસાત્મક હુમલા થયા ત્યારે ગાંધીજીએ હુમલા કરનારાઓ પર કામ ચલાવવાનેા ઇનકાર કરી જાહેરજીવનમાં અહિંસાના પહેલા પ્રયાગ કર્યો. પછીથી તા ગાંધીજીનાં સઘળાં કાર્યોમાં ધર્મ પ્રેરણા વધુ ને વધુ ભાગ ભજવતી ગઈ અને ૧૯૦૮-૦૯ના પરવાનાના કાળા કાયદા સામેને સત્યાગ્રહ કેવળ રાજકીય લડત ન રહેતાં ગીતાના સમત્વયાઝને પ્રથમ પ્રયાગ
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬]
ગાંધીજી
બની ગયે. લડતને અંતે સમત્વભાવથી એમણે સત્યને જ જય ગાય અને સમાધાનીથી અકળાયેલા મીર આલમના હુમલાને પણ એ સમત્વભાવથી જ સ્વીકાર્યો. ગાંધીજીની પ્રેમપૂર્ણ સેવાભાવના ગિરમીટિયા મજૂરે જેવા ગરીબ, અશિક્ષિત વર્ગ સુધી વિસ્તરી હતી અને ફરી લડત આવી ત્યારે ૧૯૧૩માં નાતાલના ખાણમજૂરોએ હડતાલ પાડીને ગાંધીજીની પ્રેમભાવનાને હૃદયસ્પર્શી પડધે પાશે.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ હિંદી કામની સુધારણા માટે પણ અનેક પ્રવૃત્તિઓ કરી. આહારના, ઉપચારના, કેળવણીના અનેક પ્રયોગ કર્યા. તપસ્વી જીવનની ઉગ્રતા પણ અપનાવી. એમાં કુટુંબ, અંતેવાસીઓ અને પોતે પણ તવાયાં. છેવટે ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાની લડતના વિજયી સેનાની તરીકે પોતાના જીવનકાર્યના સ્પષ્ટ નકશા સાથે તેઓ ભારત આવ્યા.
ભારતમાં આવીને કેટલોક સમય ગોખલેની સૂચના અનુસાર દેશદર્શનમાં ગાળ્યો. દેશમાં ગંદકી, અવ્યવસ્થા અને નાગરિક શિસ્તને અભાવ જોઈ તેમનું ભારતપ્રેમી હૃદય અકળાઈ ઊઠયું. કુંભમેળામાં ચાલતા પાપનું તે પોતે જ આત્મશુદ્ધિ દ્વારા પ્રાયશ્ચિત્ત કરવા ચોવીસ કલાકમાં પાંચથી વધારે વસ્તુ નહીં ખાવાનું અને રાત્રિભોજનને ત્યાગ કરવાનું વ્રત લીધું. આ દરમ્યાન અમદાવાદમાં પિતાના જીવન આદર્શોને અનુરૂપ આશ્રમજીવનની એમણે સ્થાપના કરી અને એક અંત્યજ કુટુંબને એમાં દાખલ કરી પોતાની અચળ સિદ્ધાંતનિષ્ઠા બતાવી આપી. ૧૯૧૭માં ચંપારણમાં માલિકના જુલમને ભોગ બનેલા ગળીને ખેડૂતોની મદદે જવાનો પ્રસંગ ગાંધીજીને પ્રાપ્ત થયો અને દેશને સત્યાગ્રહની અહિંસક પ્રતિકારની રીત ને રચનાત્મક સેવાની કાર્યપદ્ધતિને એમણે એકસાથે પરિચય કરાવ્યું. અહીં ગાંધીજીને ભારતની પ્રજાની ગરીબીને હૃદયદ્રાવક અનુભવ થયો.
આ ગરીબીને એકમાત્ર ઉપાય એમણે ખાદીમાં જે, અને રાજકીય પ્રશ્નોના ઉકેલ માટે ઉપાય યોજતા તેટલા જ ઉત્સાહથી ખાદી ઉત્પન્ન કરવાનાં સાધનોની શોધ કરી.
ચંપારણનું પ્રજાસેવાનું મનગમતું રચનાત્મક કાર્ય છોડીને ગાંધીજીને ૧૯૧૮માં અમદાવાદના મજૂરોની વહારે જવું પડયું. આ મજૂરઆંદોલનને પરિણામે સત્ય ને અહિંસા, જવાબદારી ને હકના સિદ્ધાંત પર રચાયેલી મજૂર-સંગઠનની એક નવી કાર્યપદ્ધતિનાં મંડાણ થયાં. હડતાળ દરમ્યાન મજૂરોને પ્રતિજ્ઞાભંગના દેષમાંથી બચાવવા ઉપવાસના શસ્ત્રને ગાંધીજીએ પહેલી વાર જાહેરમાં ઉપયોગ કર્યો, જેકે ગાંધીજીને એ ઉપયોગ કેટલેક અંશે દૂષિત લાગ્યો હતો અને એની દુઃખદ
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬ર ]. ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચ. ૪
સ્મૃતિ એમને રહી ગઈ. આ જ અરસામાં શરૂ થયેલી ખેડાની આનાવારી વિરુદ્ધની લડતથી ગુજરાતના ખેડૂતવર્ગની જાગૃતિને આરંભ થયો, પણ થાકેલાનું સમાધાન સ્વીકારવાની સ્થિતિ આવી તેથી સત્યાગ્રહને અંતે પ્રજાનું તેજ વધ્યું નહીં. આ પછી અહિંસાના પિતાના વિચારે નિશ્ચિત થઈ ચૂક્યા હોવા છતાં સરકાર તરફની વફાદારી દર્શાવવા લશ્કરમાં ભરતીનું કામ ગાંધીજીએ ઉપાડયું ત્યારે પણ પ્રજામાં નિર્ભયતાનું દર્શન થયું નહીં અને ખેડાની જનતાએ સત્યાગ્રહ દરમ્યાન પાળેલી અહિંસા વીરની નહિ પણ કાયરની અહિંસા હતી તેવી પ્રતીતિએ ગાંધીજીને ઘણી વ્યથા ઉપજાવી.
ખેડાની પ્રજાએ આપેલો આઘાત શમતાં જ બીજે, તેનાથી પણ વધુ તીવ્ર, આઘાત આવીને ઊભો રહ્યો. ૧૯૧૯ના ફેબ્રુઆરી માસમાં રેલેટ બિલ પ્રસિદ્ધ થયાં તેની વિરુદ્ધ ગાંધીજીએ શરૂ કરેલા આંદોલનના પરિણામે એપ્રિલ માસમાં જલિયાનવાળા બાગ હત્યાકાંડ થે. તેની તપાસ માટે સરકારે નીમેલા હંટર કમિટીના હેવાલે અને તે હેવાલનું સમર્થન કરતી બ્રિટિશ સરકારની નીતિઓ તેમજ ખિલાફતના પ્રશ્ન અંગે મહાયુદ્ધ દરમ્યાન ભારતના મુસલમાનને આપેલા વચનને બ્રિટિશ સરકારે કરેલા અંગે બ્રિટિશ પ્રજાની ન્યાયપ્રિયતા ઉપરની ગાંધીજીની શ્રદ્ધાને મૂળમાંથી ડગાવી દીધી. હવે તેઓ બ્રિટિશ શાસનને દેશની આર્થિક તારાજી અને નૈતિક અધઃપતન માટે જવાબદાર ગણી તેને જેમ બને તેમ વહેલે અંત લાવવા અધીરા બન્યા. ૧૯૨૦માં એમણે અસહકારનું આંદોલન શરૂ કર્યું, અને તુરત તેઓ ભારતની રાષ્ટ્રીય લડતના નેતા બની ગયા. આ આંદોલનમાં ધારાસભાઓ, અદાલતે, સરકારી શાળા-કોલેજો ને પરદેશી કાપડનો બહિષ્કારના કાર્યક્રમની સાથે રાષ્ટ્રીય કેળવણી, હિંદુમુસ્લિમ એકતા, ખાદી પ્રચાર ને અસ્પૃશ્યતાનિવારણને રચનાત્મક કાર્યક્રમ તેમણે આયે. બહિષ્કારને નકારાત્મક કાર્યક્રમ કંઈક અંશે સફળ થયો અને રચનાત્મક કાર્યક્રમમાં ખિલાફતના આંદોલનને કારણે દેખાવ પૂરતી હિંદુમુસ્લિમ એકતા સિદ્ધ થઈ હોય એમ લાગી, પરંતુ ખાદી ને અસ્પૃશ્યતાનિવારણના, આર્થિક ને સામાજિક નવરચનાના પાયાના કાર્યક્રમમાં પ્રજાએ નહીંવત રસ બતાવ્યો. છેવટે ૧૯૨૨માં ચૌરી ચૌરાને હત્યાકાંડથી પ્રજાના હિંસાત્મક મિજાજની પ્રતીતિ થતાં એમણે લડત થંભાવી દીધી અને પિતાની જવાબદારી સ્વીકારી જેલ વહોરી લીધી.
અત્યાર સુધી સત્યાગ્રહના પ્રયોગોમાં ક્યારેય સંપૂર્ણ નિષ્ફળ નહીં થયેલા ગાંધીજીને અસહકારની નિષ્ફળતા અસહ્ય થઈ પડી. પણ ધરપકડ પછી એમનું હૃદય શાંત થયું, પિતાની અલ્પતાના ભાને નમ્ર અને મૃદુ બન્યું, અને રામનું
Page #272
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી
[ ૨૬૩
શરણુ સ્વીકારી નિર્મળ બન્યું. ૧૯૨૪માં વધુ ઊંડી બનેલી હિંસાભાવના અને સત્યષ્ટિ સાથે તેએ જેલમાંથી બહાર આવ્યા.
31.
૬ ]
૧૯૨૫ પછી કેટલાક સમય ગાંધીજી રાજકીય ક્ષેત્રથી અલિપ્ત રહ્યા અને ખાદીપ્રચાર તેમજ આશ્રમજીવનના ઘડતરમાં વધારે લક્ષ આપ્યુ. આ બીજા કામમાં ભગવદ્ગીતાના અભ્યાસમાંથી ઘણી સહાય મળી રહી. સને ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની લડતમાં આશ્રમે જ્વલંત ફાળા આપ્યા અને સ્વતંત્રતા ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા સાથે શરૂ થયેલી જગવિખ્યાત દાંડીકૂંચે દેશભરમાં કાઈ નવી વિદ્યુતશક્તિના સ`ચાર કર્યા; ગાંધીજીનાં આત્મશ્રદ્ધાને નૈતિક પ્રભાવ પરાકાષ્ઠાએ પહાંચતાં જણાયાં. ૧૯૩૧માં ગાંધી-અરવન સંધિ થઈ પણ તેણે ઉત્પન્ન કરેલી આશા ન ફળી. ગાંધીજી ગેાળમેજી પરિષદ માટે લંડન ગયા અને પરિષદ નિષ્ફળ ગયા પછી ભારત પાછા ફરતાં તેમની ધરપકડ થઈ. સવિનય કાનૂનભંગની લડત ફરી શરૂ થઈ, પરંતુ તે અધૂરી રહી. અસ્પૃસ્યાને અલગ મતદારમ`ડળા આપવાના બ્રિટિશ સરકારના નિર્ણય સામે ગાંધીજીએ ૧૯૩૨ના સપ્ટેમ્બર માસમાં એમના પ્રસિદ્ધ ઉપવાસ કર્યા અને એના સફળ અંત આવ્યા પછી એમણે પોતાની બધી શક્તિ અસ્પૃશ્યતાનિવારણના આંદોલનમાં રાકી. આને અંગે હરિજન સેવક સંધની સ્થાપના થઈ અને ૧૯૩૩માં વ્યક્તિગત કાનૂનભંગ શરૂ કર્યાં ત્યારે સત્યાગ્રહ આશ્રમ વિખેરી નાખી તેનાં મકાને સરકારે ન સ્વીકારતાં હરિજન સેવક સંધને સાંપી દીધાં. ૧૯૩૪માં, કૅાંગ્રેસના મેટા ભાગના સભ્યોને પેાતાના સિદ્ધાંતા અને કાર્યક્રમેામાં શ્રદ્ધા નહીં હૈાવાનું લાગતાં, ગાંધીજીએ કૅૉંગ્રેસ છે।ડી દીધી અને અખિલ ભારત ગ્રામેાદ્યોગ સંધની સ્થાપના કરી.
૧૯૩૬માં ત્રાવણુકારના મહારાજાએ રાજ્યનાં સત્ દિરા હિરજના માટે ખુલ્લાં મૂકાં ત્યારે ગાંધીજીના હયમાં આશાની ભરતી ઊભરાઈ ઊઠી. પશુ ધર્મ - જાગૃતિ દ્વારા પ્રજાજીવનને શુદ્ધ કરવાની ગાંધીજીની આશાના આ છેલ્લા ચમકારા હતા. થે।ડા સમયમાં પ્રાંતિક સ્વાયત્તતા સાથે પ્રજાકીય સરકારે અસ્તિત્વમાં આવી ત્યારે સત્તાના પહેલા જ સ્વાદે રાજકીય કાકા ને પ્રજાની નિળતાએ મહાર આવવા માંડી. કૉંગ્રેસ વરિષ્ઠમંડળમાં પશુ ઉગ્ર મતભેદ દેખાવા માંડયા અને ગાંધીજીને જીવનમાં પહેલી વાર એકલતાની વ્યથાને અનુભવ થયા. આ વ્યથાની સાથે પાતે સંપૂર્ણ વિકારરહિત સ્થિતિએ પહેાંચ્યા નથી તેવા ભાનથી જાગેલી ધાર નિરાશા ભળી. છેવટે પેાતાની વ્યથાભરી નિષ્ફળતાને તેમણે અનાસક્તભાવે સ્વીકારી લીધી, પણ ત્યાં રાજકાટની કટોકટીએ એમની અહિંસાની કસેાટી કરી અને રાજકીય ક્ષેત્રે પહેલાં કદી નહી અનુભવેલી લાચારીને અનુભવ કરાવ્યા.
Page #273
--------------------------------------------------------------------------
________________
ર૬૪] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચ, ૪ આ કસોટીમાંથી પણ તેઓ વધુ નિર્મળ બનેલી અહિંસા સાથે બહાર આવ્યા, ત્યાં ૧૯૩૯ના સપ્ટેમ્બરમાં બીજુ વિશ્વયુદ્ધ આવી પડ્યું.
આ વખતના યુદ્ધ વખતે ગાંધીજીએ, બ્રિટિશ પ્રજા સાથે એમની સંપૂર્ણ સહાનુભૂતિ હોવા છતાં, કોઈપણ શરતે સક્રિય સહકાર આપવાનો ઇનકાર કર્યો અને ભારતની ને વિશ્વની પ્રજા સમક્ષ પહેલાં કરતાં વધુ આત્મશ્રદ્ધાથી અહિંસાને સિદ્ધાંત ધર્યો. ૧૯૪૦માં રચનાત્મક કાર્યક્રમને મુખ્ય સ્થાન આપી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો, પરંતુ એ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે અમલમાં મુકાય તે પહેલાં જાપાન યુદ્ધમાં જોડાતાં ગાંધીજી અને કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે બ્રિટિશ સરકારને કાબૂ રહેશે ત્યાં સુધી ભારતની પ્રજાને જાપાનને આક્રમણને સામને કરવાને જુસ્સો નહીં આવે, અને તેથી તેમણે હિંદ છોડો'ની લડતની તૈયારી કરી. લડત શરૂ થાય એ પહેલાં જ, ૧૯૪રના ઑગસ્ટની ૯મી તારીખે સરકારે ગાંધીજીને ને કેંગ્રેસના બીજ નેતાઓને પકડી લીધા. આ જેલવાસ દરમ્યાન ગાંધીજીએ મહાદેવ દેસાઈ અને કસ્તૂરબાને ગુમાવ્યાં અને ૧૯૪૪માં ભાંગેલા આરોગ્ય સાથે જેલમાંથી છૂટ્યા ત્યારે દેશની સ્થિતિ અત્યંત નિરાશાજનક બની ગઈ હતી; કોમી તંગદિલી વધી ગઈ હતી, રાષ્ટ્રીય બળ વેરવિખેર થઈ ગયાં હતાં અને બ્રિટિશ સરકારનું માનસ પહેલાં કરતાં વધારે આપખુદીભર્યું દેખાતું હતું. એક વર્ષ પછી યુદ્ધ પૂરું થતાં પરિસ્થિતિ બદલાઈ અને છેવટે ૧૯૪૬માં કેન્દ્રમાં પ્રથમ રાષ્ટ્રીય સરકાર રચાઈ, પરંતુ તે સાથે જ અત્યાર સુધી દબાઈ રહેલી કામી હૈષની આગ કલકત્તામાં ભભૂકી ઊઠી ને ત્યાંથી નોઆખલી, બિહાર, દિલ્હી ને પંજાબમાં ફેલાઈ અને દુનિયાએ કદી નહીં દેખેલી પાશવલીલાનું રૂપ ધરી ભારતની માનવતાને હાસ કરી રહી. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આખું ભારત જ્યારે આઝાદીને ઉત્સવ મનાવી રહ્યું હતું ત્યારે ગાંધીજી ને આખલીમાં અત્યંત દુઃખી હૃદયે માનવતાની એક જાત લઈને પદયાત્રા કરી રહ્યા. ભારત દ્વારા વિશ્વને અહિંસાને સંદેશ આપવાની ગાંધીજીની અભિલાષાને આ કરુણ અંજામ હતા. અને છેવટે આ કોમી વિષની જવાળાએ જ નથુરામ ગોડસેની ગોળી મારફતે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીના પ્રાણ હર્યા. મૃત્યુ સમયને “રામ રામને ઉદ્દગાર, અપાર વેદના વચ્ચે પણ ટકી રહેલી નિર્મળ ઈશ્વરશ્રદ્ધાનો સંકેત કરી ગાંધીજીની આધ્યાત્મિક સાધનાની ઝાંખી કરાવી રહે છે.
૨. સાહિત્ય: દષ્ટિ અને સૃષ્ટિ સાહિત્યનું સ્વરૂપ: ગાંધીજીએ શબ્દની ઉપાસના કોઈ ને કોઈ જાહેર પ્રવૃત્તિને અનુલક્ષીને કરી હતી, સાહિત્યમાં જેને વ્યક્તિગત અભિવ્યક્તિ કહે છે. તેને માટે કરી ન હતી. વ્યવસાયી વિવેચક એમના સાહિત્યને બહુધા પત્રકારત્વના
Page #274
--------------------------------------------------------------------------
________________
. હું ]
ગાંધીજી
[ ૨૬૫
વમાં નાખે. તેમ છતાં ગાંધીજીનાં સર્વ લખાણાને સમગ્રપણે જોતાં એ મહાન સાહિત્ય તરીકે પ્રતીત થયા વિના રહેતાં નથી, કેમકે એમાંથી આપણા ચિત્તને જકડી લે તેવી એક કથા ઊડી આવે છે, જે સાચા સાહિત્યની સીધો, સાદી, સાહજિક કથનપદ્ધતિથી કહેવાયેલી છે. વાતાવરણુમાંથી સારીનઠારી અસરા ઝીલતા એક શરમાળ, ભીરુ કિશાર અપૂર્વ આધ્યાત્મિક ઊંચાઈએ કેમ પહેાંચ્યા અને આધુનિક ઇતિહાસના પ્રવાહને નવા વળાંક આપનાર, સસ્વીકાર્યાં રાષ્ટ્રીય નેતા કેમ બન્યા તે બતાવતી આ એક રામાંચક વિકાસકથા છે અને મહાકાવ્યનાં વિસ્તાર અને ગહનતા એ ધરાવે છે. ખીજી બાજુથી, સત્ય, સ્વદેશપ્રેમ અને અહિંસાના તાણાવાણાથી ગૂંથાયેલી, આત્માતિ દ્વારા સમાજોન્નતિ સાધવાના પુરુષાર્થ ની આ એક કરુણુભવ્ય કથા છે. વળી, ૧૮૯૪થી ૧૯૧૪ સુધીનાં વીસ વર્ષ ના દક્ષિણ આફ્રિકાની ભારતીય કામના અને ૧૯૧૯થી ૧૯૪૭ સુધીની એક પેઢીના ગાળાના ભારતના ઇતિહાસ એ ગાંધીજીના વ્યક્તિત્વની આસપાસ રચાતુ એક મહાનાટક છે. વ્યક્તિગત સાધના ને પ્રજાકીય કે રાષ્ટ્રીય ઇતિહાસની કથાને આ સયુક્ત પ્રવાહ નાટકના છેલ્લા અંકમાં ભયંકર રુદ્રલીલાનું રૂપ ધારણ કરે છે અને ગાંધીજીની આહુતિમાં પરિણમી ટ્રેજેડીના ઉન્નત અનુભવની ઝાંખી કરાવે છે. ગાંધીજીનું જીવન આ રીતે એક કળાકૃતિના આકાર પામે છે.
આ ઉપરાંત, હેતુલક્ષી દૃષ્ટિએ થયેલાં છતાં ગાંધીજીનાં કેટલાંય લખાણા ને ભાણા ને પત્ર – ગુજરાતી ને અંગ્રેજી અને ભાષાઓમાં – સ્વતંત્ર રીતે પણ ઊંચી સાહિત્યિક ગુણવત્તા ધરાવતાં થયાં છે, કેમકે એમના ગદ્યમાં કવિના જેવી સહંજ અનવરુદ્ધ સંવેદનશીલતા અનુભવાય છે, અને એમાં અભિવ્યક્તિનું હૃદય ગમ પારદર્શક સાંસરાપણું છે.
સૌ દૃષ્ટિ : ગાંધીજીનું જાહેરજીવન કર્મ લક્ષી રહ્યું હાવાથી એમના વ્યક્તિત્વ વિશે એવી છાપ પડી છે કે એમનામાં કળાદષ્ટિ કે સૌ દષ્ટિ વિકસી નહેાતી સાહિત્ય ને કળાનું પ્રયેાજન અને સત્ય ને સૌંદર્યાંના પરસ્પર સંબંધ વિશેના એમના વિચારો એ છાપનુ સમર્થ્યન કરતા જણાય છે. પરંતુ આ છાપ યથાર્થ નથી. કવિઓની જેમ ગાંધીજી પણ દૃશ્ય સૃષ્ટિની મેાહકતામાં વિશ્વવ્યાપી ચૈતન્યની અદ્ભુતતાની ઝાંખી કરતા. વર્ધાથી સેગાંવ રહેવા ગયા ત્યારે તેએ અમૃત કોરને પત્ર લખે છે: “ At last I am in Segaon. We arrived yesterday. The night was glorious, ''૧ (છેવટે હું સેગાંવ આવી પહેાંચ્યા છું. અમે ગઈ કાલે આવ્યાં. રાત્રી ભવ્ય હતી.) દેખાઈ આવે છે કે વર્ષાથી સેગાંવ આવતાં એમની ષ્ટિએ ચાંદનીની મેાહકતા નોંધી છે અને ખીજે દિવસે પત્ર લખતાં
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[a'. ૪
એ અદ્ભુત અનુભવ એમને યાદ આવે છે. દરેક સાચા કવિ એના જીવનમાં કાઈ એવી ક્ષણેા અનુભવે છે કે જ્યારે તે વ્યાવહારિક જગતની પ્રપ`ચલીલા ભૂલી આત્માના એકાંતમાં પેાતાના ને વિશ્વના અસ્તિત્વ વિશે ચિંતનમગ્ન બને છે. પેાતાના જીવનમાં એવી ક્ષણાનું વર્ણન કરતાં ગાંધીજી લખે છે, “ કાઈ કોઈ વખત આકાશના દર્શનમાં મગ્ન બની જાઉં છું અને તે મને ઊંડા વિસ્મયથી ભરી દે છે. ભારતના ને ઇંગ્લેંડના સ્વચ્છ ભૂરા આકાશમાં અચાનક ઘેરાઈ આવતાં વાળ અને ગર્જના સાથે તૂટી પડતા વરસાદ જોઈ હું આશ્ચર્યથી અવાક્ બની ગયા છું.”૨ દક્ષિણુ આફ્રિકામાં ઉધાડી આંખે ક્રીને ગાંધીજીએ જોયુ` હતુ` કે કુદરતે પેાતાની ખીજી ક્ષિસાની સાથે આ ભૂમિને સૃષ્ટિસૌંદર્યથી શણગારવામાં મા નથી રાખી,
ગાંધીજીએ પ્રાચીન ઋષિઓની જેમ સૃષ્ટિસૌ માંથી ધર્મજીવનની ને આત્મકલ્યાણની પ્રેરણા પણ અનુભવી છે. કાશીમાં પંડિત મદનમેહન માલવીયના નિવાસસ્થાન પાસે ગંગાતીર ઉપર અરુાદયનું દૃશ્ય જોઈ તેઓ લખે છે: “એ જોતાં આંખ ધરાય જ નહીં ને ભક્તજનેાના કંઠમાં તા ગાયત્રીનેા માંત્ર તેની મેળે જ આવી ચડે. સૂર્યની ઉપાસના, નદીઓને મહિમા, ગાયત્રીમ ત્રને અ` આ ભવ્ય દેખાવ પછી કંઈક વધારે સમજાયાં.”૩ સને ૧૯૨૫ના માની ૧૪મીએ ગાંધીજી કન્યાકુમારીના દર્શને ગયા હતા અને ત્યાં તેમણે સમુદ્રનાં મેાજાનું “ સમાધિને પાષે ’” એવું “ મંદ અને મધુર વીણાગાન સાંભળી ‘ ધર્મના રહસ્યનુ' અમૃતપાન” કર્યુ.૪ એ આનંદના ઉદ્રેક એટલા ઉત્કટ હતા કે ખીજે દિવસે નવજીવન' માટે લખેલા લેખમાં તેનું વર્ણન કરતાં એમની કલમ ધ્રૂજી રહી હતી અને આંખ ભીની બની ગઈ હતી. આકાશદર્શનના શાખ કેળવ્યા પછી ગાંધીજી આકાશના એ
**
',
<<
..
""
*
મહાદનમાં આતપ્રાત ” બની તારારૂપ ગણાને “ ઈશ્વરનું મૂકસ્તવન ” કરતા સાંભળે છે અને એક બાઇબલવાકયને પ-પડધા પાડતા હેાય તેમ કહે છેઃ “ જેને આંખ હેાય તે આ નિત્યનવા ના જુએ. જેને કાન હેાય તે આ અસંખ્ય ગાંધર્વાનુ ગાન સાંભળે.'’F
*
માનવદેહનું સૌંદર્ય. પણ ગાંધીજી કાઈ શિલ્પીની દૃષ્ટિથી જોઈ શકતા. દક્ષિણ આફ્રિકાની ઝૂલુ પ્રજાના દેહસૌષ્ઠવનું ઉત્સાહપૂર્વક વર્ણન કરતાં તેઓ કહે છે કે રૂપ વિશેના આપણા પ્રચલિત ખ્યાલને “ જો ઘડીભર બાજુએ મૂકીએ તા. ઝૂક્ષુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હાય એમ આપણને નહીં લાગે.'' ઝૂલુ સ્ત્રી ને પુરુષ બન્નેની ઊંચાઈ અને ઊંચાઈને અનુરૂપ વિશાળ છાતી, તેમના ઘાટીલા ને સ્નાયુ, માંસથી ભરેલાં અને ગાળાકાર પિંડલીઓ તથા બાહુ, ગાળ અને તેજસ્વી આંખા, મેાટા મેઢાને શે।ભે એવું ચપટુ' ને માટું નાક તથા સીસમ જેવી કાળી અને ચળકતી ચામડીની ઉપર શે।ભી નીકળતા માથાના ગૂંચળિયા વાળ, એ સર્વાંના
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬] ગાંધીજી
[૨૬૭ સૌદર્યથી પ્રભાવિત થઈ ગાંધીજી લખે છે : “કુદરત જે જે ઘાટ ઘડે છે તેમાં સૌંદર્ય જ હોય છે એવું માનીએ તો સૌંદર્ય વિશેના આપણું સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ.”
માનવદેહના સૌંદર્યથી પણ વધુ ચારિત્ર્યસૌદર્યનું આકર્ષણ ગાંધીજી અનુભવતા. દક્ષિણ આફ્રિકામાં જાણેલાં એવાં કેટલાંક સ્ત્રી પુરુષોને પરિચય આપતાં તેઓ લખે છે: “મારી માન્યતા પ્રમાણે તે દુનિયામાં એક એવી જગ્યા નથી અને એકે એવી જાતિ નથી કે જ્યાં અથવા જેમાં ગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે. તે સુંદરમાં સુંદર મનુષ્યપુષ્પ ઉત્પન્ન ન થઈ શકે.”૮ જવાહરલાલ નેહરુ ને રવીન્દ્રનાથ ઠાકુર માટેનું ગાંધીજીનું આકર્ષણ પણ માનવચારિત્ર્ય પ્રત્યેની એમની રસદષ્ટિનું પરિણામ હતું.
ચિત્રકળા, શિલ્પકળા અને સંગીતનું જાદુ પણ ગાંધીજી અનુભવી શકતા. વૈટિકન શહેરમાં શિલ્પકળા ને ચિત્રકળાના વિશ્વવિખ્યાત નમૂનાઓનું લગભગ બે કલાક સુધી ગાંધીજીએ અવકન કર્યું હતું. વધસ્તંભ ઉપર ચઢેલા જિસસની પ્રતિમાએ તે એમને મંત્રમુગ્ધ કર્યા હતા અને એની આગળથી ચાલી નીકળતાં એમને પિતાના હૃદય ઉપર બળાત્કાર કરવો પડ્યો હતે. ખેડા જિલ્લાના એક ગામડાના ભક્તિસંગીતે એમના હૃદયને કેવું રસતરબોળ કર્યું હતું તેનું વર્ણન એમણે દેવદાસ પરના એક પત્રમાં કરેલું છે.૧૦
જીવનરસઃ ગાંધીજીની કવિએતના રોજિંદા જીવનવ્યવહારમાં એ જે રસ લેતા તેમાં પણ દેખાય છે. એમને ચેતનાપ્રવાહ ભૂત ને ભવિષ્યનાં વિચારવમળામાં ચક્રાવા લેવાને બદલે આશ્ચર્યજનક સાહજિકતાથી વર્તમાનમાં અખલિત, વહેતો અને તેમનું ચિત્તતંત્ર દરેક પસાર થતી ક્ષણની હકીકતો નૈધતું ને યાદ રાખતું. એમની આ શક્તિ ગાંધીજીને એક જન્મજાત પત્રલેખક બનાવે છે. અભ્યાસ માટે ઇંગ્લેંડમાં હતા ત્યારે ત્યાંથી તેઓ ભારતમાં વડીલોને પાનાં ને પાનાં ભરીને પત્ર લખતા અને પિતાના રોજિંદા જીવનની અનેક વિગતો આપતા. જાહેર જીવનમાં પડ્યા પછી એમને સમયની ખૂબ ખેંચ રહેતી, અને જે અંગત પત્રો લખતા તે મુદ્દાસર અને શક્ય એટલા ટૂંકા બનાવવા પ્રયત્ન કરતા. પણ એવા ટૂંકા પાનેય તે માહિતીસભર બનાવતા અને પત્રવાચકની અપેક્ષા પૂરી કરે એવી બધી વિગતો આપવાની કાળજી રાખતા. જાહેર જીવનની ગંભીર કટોકટીના સમયમાં, નિરાશાનાં વાદળથી ઘેરાયેલાં જીવનનાં છેલ્લાં બે વર્ષ દરમિયાન પણ, અંગત પત્ર લખવાને ગાંધીજીને રસ ચાલુ રહેલો, અને બહારની દુનિયામાં ઊછળી રહેલાં તોફાનનાં મોજાઓની વચ્ચે પણ પત્રવાચક સિવાય જાણે કે એમને બીજા
Page #277
--------------------------------------------------------------------------
________________
-ર૬૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
1 ચ. ૪ કેઈમાં રસ ન હોય એવી સ્વસ્થતાથી અને એકાગ્રતાથી તેઓ એ પત્ર લખતા.
વ્યક્તિમાત્રમાં રસ લેવાની ગાંધીજીની આ શક્તિ અત્યંત નેધપાત્ર હતી. એમને માટે કોઈ માણસ બુદ્ધિથી સમજવાની કે બૌદ્ધિક વગીકરણના એકઠામાં ગોઠવવાની વસ્તુ નહોતી. દરેક વ્યક્તિ વિશે તેઓ માતા બાળક વિશે અથવા કળાકાર પિતાની કલ્પનામાં આકાર લઈ રહેલા પાત્ર વિશે અનુભવે છે એવો જીવનતત્વના એક અદ્વિતીય (unique) આવિષ્કારને ભાવ અનુભવતા અને હૃદયની સમગ્રતાથી તે વ્યક્તિ પ્રત્યે અભિમુખ બનતા.
પ્રેમપ્રેરિત સેવાદીક્ષાને આનંદ: ગાંધીજીની પ્રેમશક્તિ પણ કવિહૃદયની એક બક્ષિસ જેવી હતી. ઈ. ૧૯૧૮ના મે માસમાં મગનલાલ ગાંધીને લખેલા એક પત્રમાં ગાંધીજી પ્રેમની શક્તિનું વર્ણન કરતાં લખે છેઃ “તમારો પ્રેમ ટપકે છેપણ ટીપકે ટીપકે આવતે વરસાદ જેમ વ્યર્થ જાય છે, તેમ ઘણું પ્રેમને વિશે હું જોઉં છું. ધારાબંધ પડતા વરસાદ જ જેમ ખેતરે રસતરબોળ કરે તેમ ધારાબંધ છૂટતો પ્રેમ જ વેરભાવને જીતશે.”૧૧ પ્રેમ વરસાવવાની હૃદયની આવી શિક્તિની કલ્પના ગાંધીજીને કદાચ એમના પિતાના અનુભવમાંથી આવી હશે. માતા પૂતળીબા ઉપર એમને બાળકહદયે એવો પ્રેમ વરસાવ્યો હતો, અને એમની સેવા કરવાની અભિલાષા અતૃપ્ત રહેતાં ગાંધીજીએ એ પ્રેમ ભારતભૂમિને અને ભારતની જનતાને આપ્યો. ગાંધીજીનું સેવાવ્રત તે આ પ્રેમવૃત્તિનું પરિણામ જ હતું. દક્ષિણ આફ્રિકા છોડતાં પહેલાં નાતાલના ખાણમજૂરોની હડતાળ દરમિયાન ગાંધીજી ગરીબ, અશિક્ષિત જનતામાં ઈશ્વરનાં દર્શન કરે છે અને એમની સેવાનું વ્રત લેતાં કહે છે: “હું તે તમારે માટે કામ કરીશ જ. તમારી ગિરમીટ એક માણસ સાથે પાંચ વરસની છે, પણ મારી ગિરમીટ ૩૦ કરેડ માણસ સાથેની જીવનપર્યત છે.'૧૨ પ્રેમપ્રેરિત આ સેવાદીક્ષા ગાંધીજી માટે સૌદર્યાનંદના અનુભવ જેવી બની રહી. અંગ્રેજ કવિ કીટ્રસે લખ્યું છેઃ “A thing of beauty is a joy for ever.” શ્રીનિવાસ શાસ્ત્રી ઉપરના એક પત્રમાં એ પંક્તિને પડઘા પાડતાં ગાંધીજી લખે છે: “Performance of duty I have held always to be a thing of beauty and a joy for ever.”૧૩ યરવડા જેલમાંથી લખેલા એક ગીતા પ્રવચનમાં પણ ગાંધીજી લખે છેઃ “યજ્ઞમય જીવન કળાની પરાકાષ્ઠા છે. તેમાંથી રસનાં નિત્ય નવાં ઝરણું ફૂટે છે. માણસ તે પીતાં થાકતો. નથી. ઝરણાં કદી સુકાતાં નથી.”૧૪ » ગદ્ય : ભાષા: ગાંધીજીનું ગદ્ય આવી કવિચેતનાનું સર્જન છે. એમનાં લખાણોમાં, કાનૂની કે રાજકીય મુસદ્દાઓમાં પણ, વિચારે બુદ્ધિથી પ્રયત્નપૂર્વક
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬]
ગાંધીજી
[ ૨૬૯
ગોઠવેલા હોય એમ લાગતું નથી, પરંતુ કોઈ અંતઃ પ્રેરણને અનુસરતા હોય એમ નિશ્ચિત દિશામાં સહજ ગતિ કરતા હોય છે. વિચારપ્રવાહની આવી સાહજિતા. ગાંધીજીના ગદ્યને કવિની વાણીમાં હોય છે એવી નિત્ય નવીનતાને સ્પર્શ આપે છે. જે વિચારે એમને પ્રજા ને સરકાર સમક્ષ મૂકવા હતા તેમને વ્યાપ મર્યાદિત હતા, અને તેથી લગભગ પંચાવન વર્ષના સમયગાળા ઉપર પથરાયેલા એમના ઉદ્ગારોમાં અનેક રૂપે પુનરુક્તિ થતી દેખાય છે. પરંતુ દરેક પ્રસંગે વિચારને સંદર્ભ જુદે. હોય છે અને વિચારને રજૂ કરવાની ગાંધીજીની રીતમાં પણ સંદર્ભભિન્નતાને અનુરૂપ વાણીની ભિન્નતા હોય છે. એક પત્રમાં તેઓ કહે છે, “જન્મગાંઠ તો રોજ હોય છે. રોજ જન્મીએ છીએ ને રોજ મરી ફરી જન્મીએ છીએ૧૫, તે મુજબ નિત્ય પુનર્જન્મ પામતી સંવેદનશીલતા એમના ગદ્યને અંત સુધી. ચેતનવંતુ રાખે છે અને એમની સતત વિસ્તરતી રહેલી વિચારક્ષિતિજેનું પારદર્શક માધ્યમ બનાવે છે.
ગાંધીજીએ અંગ્રેજી કે ગુજરાતી ભાષા ને સાહિત્યને વ્યવસ્થિત અભ્યાસ નહોતો કર્યો અને શૈલીની આકર્ષકતા સિદ્ધ કરવાને પણ સભાન પ્રયત્ન નહોતો કર્યો. એટલે એમની વાણીમાં ક્યારેય સાહિત્યપરંપરાની છાયા વરતાતી નથી. છતાં એમની ભાષામાં સ્વાભાવિક સંસ્કારિતા ને શિષ્ટતા આવી હતી. ગુજરાતી. કરતાં અંગ્રેજીમાં એ વહેલું બન્યું. અંગ્રેજી કેળવણીના આગમન પછી અનેક સુશિક્ષિત હિંદીઓની જેમ ગાંધીજીને માટે પણ વિચારનું માધ્યમ અંગ્રેજી રહ્યું હતું, અને તેમાં વળી યુવાન વયે એમને ઇંગ્લેંડમાં ને દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજી સમાજની વચ્ચે રહેવાનું થયું તથા અત્યંત કાવ્યમય ગણાતી ગદ્યશૈલીના નવા કરારને અભ્યાસ કરવાનો પ્રસંગ આવ્યું, એટલે એમના અંગ્રેજી ગદ્યમાં પ્રથમથી જ શિષ્ટ અંગ્રેજીના રૂઢિપ્રયોગ બીજા કેાઈ હિંદીના અંગ્રેજી લખાણમાં જોવા મળશે તે કરતાં વધુ સ્વાભાવિકતાથી વણાઈ ગયેલા દેખાય છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનાં ગુજરાતી લખાણ સાધારણ કેળવણી પામેલા મુસલમાન વેપારીઓ અને હિંદુ મહેતાઓને ઉદ્દેશીને લખાયેલાં હતાં, અને એ વર્તુળાના વાચકોમાં પ્રચલિત ગુજરાતીની અસર ગાંધીજીનાં એ સમયનાં લખાણોમાં દેખાય, છે, પરંતુ તે ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તેમના ભારત પાછા ફર્યા. બાદ થોડાં વર્ષોમાં એમને ગુજરાતી ગદ્ય અંગ્રેજીના જેવી સૂક્ષ્મતા ને સંસ્કારિતા પ્રાપ્ત કર્યા. એમ પણ કહી શકાય કે અભિવ્યક્તિના ઊંડાણની દૃષ્ટિએ અંગ્રેજી કરતાં ગુજરાતી લખાણની ગુણવત્તા વધી ગઈ. જીવનને સંગીતની ઉપમા આપી. એક પ્રસંગે ગાંધીજીએ એમની સામાજિક ને રાજકીય સેવાપ્રવૃત્તિઓને કંઠયા સંગીત સાથે અને હૃદયમાં ચાલતા રામનામના જપને કંઠય સંગીતની સાથે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૦ ]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ગુંજી રહેલા તંબુરાના સૂર સાથે સરખાવ્યાં હતાં. બાહ્ય પ્રવૃત્તિઓનું કંઠેય સંગીત ગાંધીજીનાં અંગ્રેજી લખાણે ને ભાષણમાં સાંભળી શકાય છે, પરંતુ તંબુરાના સૂરના જેવી આધ્યાત્મિક આત્મસમર્પણની મધુરતાનું મૂળ ગાંધીજીના જીવનમાં ભારતીય પરંપરાના સંસકારમાં હતું અને તે એમનાં ગુજરાતી લખાણેમાં જ સ્પષ્ટ અનુભવાય છે.
વણનશેલી ઃ ગદ્યશૈલી જેવી જ કવિત્વસૂચક ગાંધીજીની વર્ણનશેલી છે. પ્રસંગો અને અનુભવક્ષણોને તાદશ કરી બતાવવાની એમની શક્તિની સાક્ષી પૂરતી વિપુલ સામગ્રી એમનાં લખાણોમાં પડી છે. “આત્મકથા'નાં શરૂઆતનાં પ્રકરણોમાં આવતું બાળપણ અને કિશોરાવસ્થાનું ચિત્ર ઊંચી કોટિની સર્જકતાનું ફળ છે. લગ્નનું વર્ણન કરતાં તેઓ લખે છેઃ “માંઘરે બેઠાં, ચેરીફેરા ફર્યા, કંસાર ખાધા-ખવડાવ્યું, અને વરવહુ ત્યાંથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રિ ! બે નિર્દોષ બાળકેએ વગર જાયે સંસારમાં ઝંપલાવ્યું” (પૃ. ૧૧). બાળલગ્નના કારણે પિતાના દામ્પત્યજીવનમાં કંઈક મૂલ્યવાન વસ્તુ ગુમાવી હોવાના ગાંધીજીના ભાવ વિશે આ ચિત્રની નર્મરેખાઓ કેટલું બધું કહી જાય છે!
આવાં પ્રસંગચિત્રો ઉપરાંત વિચારગ્રસ્ત મનઃસ્થિતિનાં ને હૃદયભાવોનાં અનેક ટૂંકાં, વેધક શબ્દચિત્રો એ પુસ્તકમાં પડ્યાં છે. ઉત્સાહની ભરતી પછી આવતી ઓટ અને વળી પાછો ઉત્સાહ, એક ક્ષણમાં પલટાતા આંતરભાવોનું સૂકમ નિરીક્ષણ ને વર્ણન પણ ગાંધીજી પાસેથી કેટલેક પ્રસંગે પ્રાપ્ત થાય છે. દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર જેલ જવાને પ્રસંગ આવ્યા તે વખતની મનઃસ્થિતિનું ચિત્રણ આના દૃષ્ટાંતરૂપ છે.૧૬ ઝૂલુ બળવાના સમયે બ્રહ્મચર્યવ્રત લીધું ત્યારનાં પિતાનાં મનોમંથનનું સૂચન કરતાં “આત્મકથામાં ગાંધીજી લખે છેઃ “માઈલના માઈલ સુધી વસ્તી વિનાને પ્રદેશમાં અમે કાઈ ઘાયલને લઈને કે એમને એમ જ ચાલ્યા જતા હોઈએ ત્યારે હું વિચારમાં પડી જતો” (પૃ. ૩ર૦). દક્ષિણ આફ્રિકાને અપરિચિત મુલકમાં વસ્તી વિનાના એ પ્રદેશની નિર્જનતાને આ નિર્દેશ, બ્રહ્મચર્યવ્રત દ્વારા જીવનભરની સેવાદીક્ષાને જે માર્ગ તેમને આકષી રહ્યો હતો તેની મને વૈજ્ઞાનિક નિર્જનતાનું કેવું ધ્વનિપૂર્ણ સૂચન કરી જાય છે
“આત્મકથા’નાં પ્રકરણે, ગાંધીજી કહે છે, “લખવાને દિવસ જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય” (પૃ. ર૭૯). દરેક કવિ જાણે છે કે પ્રસંગે ને કલ્પનોના પરસ્પર સંબંધો એની કલપના તર્કબુદ્ધિથી સ્વતંત્ર રીતે અનુભવે છે અને એ તર્કબુદ્ધિની સર્વ વૃત્તિઓ શાંત થઈ કલ્પનાને મુક્ત વિહારને અવકાશ આપે ત્યારે જ એની કલમ ઉત્તમ સર્જન કરે છે. કવિકલ્પનાને એ મુક્ત વિહાર તે જ ગાંધીજીને અદષ્ટ અંતર્યામી. એને વશ વર્તીને એમણે
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્ર. ક઼]
ગાંધીજી
[ ૨૦૧
• સત્યના પ્રયાગા'ની કથા લખો હતી અને એને જ વશ વતી'ને એમણે એ કથા
જવી હતી.
સાહિત્યસૃષ્ટિ
ગાંધીજીનું સાહિત્ય ત્રણ પ્રકારે ઉદ્ભવ્યું છે: પત્રા, ભાષણા અને લેખા. પ્રકાશનનાં માધ્યમ હતાં મુખ્યત્વે એમણે ચલાવેલાં ‘ઇન્ડિયન ઓપિનિયન ’ ‘યંગ ઇન્ડિયા ' • નવજીવન' અને હરિજન' વગેરે સામયિક પત્રા, ભાષણેાની નેાંધા પણુ એમાં પ્રકાશિત થઈ છે અને ‘હિંદ સ્વરાજ' કે ‘આત્મકથા' જેવી સળ ંગસૂત્ર સ્વતંત્ર કહેવાય એવી રચનાઓ પણ એમાં હપ્તાવાર પ્રગટ થયેલી છે. સીધા ગ્રંથ રૂપે પ્રગટ થયેલાં ગાંધીજીનાં લખાણા ભાગ્યે જ છે. પણ ગાંધીજીનાં લખાણાના વિવિધ દૃષ્ટિથી અનેક સચયેા થયેલા છે અને ‘હિંદ સ્વરાજ’ (૧૯૦૯), ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ' (ભા. ૧ : ૧૯૬૪ –ભા. ૨ ઃ ૧૯૨૫), ‘સત્યના પ્રયેાગા અથવા આત્મકથા' (ભા. ૧ : ૧૯૨૭ – ભા. ૨ : ૧૯૨૯), ‘અનાસક્તિયાગ' (૧૯૩૦), ‘મંગળપ્રભાત’ (૧૯૩૦), ‘ રચનાત્મક કાર્યક્રમ ’ (૧૯૪૧), ‘ સત્યાગ્રહાશ્રમના ઇતિહાસ ’ (૧૯૪૮), આરાગ્યની ચાવી' (૧૯૪૮), વગેરે સળંગસૂત્ર વિષયેાની કૃતિઓ પણ જાણીતી છે. ગાંધીજીના સંપૂર્ણ અક્ષરદેહ કાલાનુક્રમે ગેાઠવાઈને અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ત્રણે ભાષામાં પ્રગટ થઈ રહ્યો છે, જે ૯૦ ઉપરાંત દળદાર ગ્રંથામાં વિસ્તરશે. અહીં હવે આપણે આ બધી સામગ્રીને લક્ષમાં લઈ, નોંધપાત્ર કૃતિઓને વિશેષપણે લક્ષમાં રાખી, ગાંધીજીની સાહિત્યપ્રવૃત્તિનું કાલક્રમમાં જ અવલે!કન કરીશું.
૩. ૧૯૧૫ પૂર્વનાં લખાણા ઇન્ડિયન ઓપિનિયન’: લાકકેળવણીના આદ
ગુજરાતીમાં ગાંધીજીની નિયમિત લેખનપ્રવૃત્તિ ૧૯૦૩ના જૂનમાં ‘ઇન્ડિયન આપિનિયન' સાથે શરૂ થઈ. એ સાપ્તાહિક દ્વારા એમણે દક્ષિણ આફ્રિકાની હિંદી ક્રામની રાજકીય, સામાજિક ને નૈતિક કેળવણી શરૂ કરી અને પત્રકારત્વને એક નવા આદર્શો વિકસાવ્યા. વેપાર ને ધનના ઉદ્દેશથી દક્ષિણ આફ્રિકા આવેલા અથવા ત્યાં વસેલા હિંદી રાજકીય કે નાગરિક સ્વમાનને બહુ વિચાર કર્યાં વિના ત્યાંની ગારી પ્રજાને અનુકૂળ બની જેટલુ' કમાઈ શકાય તેટલુ' કમાવું એવી વૃત્તિ રાખે તે, એ સમયની દેશની પરિસ્થિતિમાં, સ્વાભાવિક હતું. ‘ઇન્ડિયન આપિનિયન’ના ગુજરાતી વિભાગને ઉપયાગ ગાંધીજીએ એ માનસ બદલવા માટે કર્યાં અને તેમાં તે એટલા સફળ થયા કે આવેદનપત્રા માટે પણ તેમની પ્રેરણા વિના કાઈ પગલું ભરવાના ઉત્સાહ કે શક્તિ નહિ ધરાવતી કામ ત્રણ વર્ષ માં
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ સ્વમાનના રક્ષણ અર્થે કાનૂનભંગના આંદોલન સારુ તૈયાર થઈ. પરંતુ લેકકેળવણીને ગાંધીજીને આદર્શ સર્વાગી હતી અને ઈન્ડિયન ઓપિનિયનના પહેલા જ અંકમાં એમણે જાહેર કર્યું કે “અમારું એવું માનવું નથી કે ઇન્ડિયનોની જે ખામીઓ જણાય છે તે બધી કપિત છે. ભૂલ જણાશે તો બેધડક અમે બતાવીશું અને તે સુધારવાની રીત પણ સૂચવીશું.”૧૭ સને ૧૯૦૫માં જોહાનિસબર્ગના હિંદીઓમાં મરકી ફાટી નીકળી હતી તે વેળાનાં ગાંધીજીનાં કેટલાંક લખાણ વિરુદ્ધ હિંદીઓમાં કચવાટની લાગણી ફેલાઈ હશે, તેને ઉલલેખ કરતાં તેઓ લખે છે : “અમારે કામ લેકેની સેવા કરવાનું છે. સારું લગાડવાની ઇચ્છાથી અમે કશું કરવા ધાર્યું નથી અને ધારતા નથી. કડવો ઘૂંટડો પા એ અમારી ફરજ છે.”૧૮ હિંદી કોમની સામાજિક ને નૈતિક ઉન્નતિ અર્થે ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં પશ્ચિમના કેટલાક પ્રખ્યાત લેકસેવકોનાં ટૂંક પણ મુદ્દાસર જીવનચરિત્રો આપ્યાં અને વાચકે સમક્ષ સત્યપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને લેકસેવાના આદર્શો રજૂ કર્યા. પશ્ચિમની પ્રજાના જાહેરજીવનનાં મૂલ્ય પ્રત્યે ઊંડો અભાવ વ્યક્ત કરતાં આ જીવનચરિત્ર ગાંધીજીની વિશાળદષ્ટિ દેશભક્તિનાં સુંદર ઉદાહરણ છે. બ્રિટિશ પ્રજાની રહેણીકરણીનું એક ટૂંકું વર્ણન તે સાહિત્યિક દૃષ્ટિએ પણ ગાંધીજીની નિરીક્ષણ ને વર્ણનશક્તિને ઉત્તમ નમૂને બન્યું છે. ૨૦
હિંદુધર્મનું પહેલું વિવરણ: દેશસેવાની ભાવના સાથે ગાંધીજીમાં આ સમયે ત્યાગવૃત્તિ ને આધ્યાત્મિક અભિલાષા ફુરી ચૂક્યાં હતાં. સને ૧૯૦૫ના માર્ચ માસમાં તેમણે જોહાનિસબર્ગની થિયોસોફિકલ લેજના ઉપક્રમે હિંદુધર્મ ઉપર ચાર વ્યાખ્યાને આપ્યાં અને “ઈન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં તેને સાર આપ્યો.૨૧ હિંદુધર્મના સ્વરૂપનું ગાંધીજીએ કરેલું આ પહેલું જ વિવરણ કિશોર વિદ્યાથી પણ સમજી શકે એવાં ટૂંકાં વાક્યોમાં એમના કર્મયોગનું રહસ્ય સમજવી જાય છે. ભવિષ્યમાં એમણે ધર્મ ને મોક્ષ વિશે જે કંઈ લખ્યું તે આ લેખ ઉપરના ભાષ્યરૂપે જોઈ શકાય.
નો મિજાજ: નવું વાણી બળ : ગાંધીજીને નવો મિજાજ એક વર્ષ પછી ટ્રાન્સવાલના બ્રિટિશ અમલદારોએ ૧૯૦૬ના ઓગષ્ટમાં ત્યાંની હિંદી કેમ ઉપર તરેહતરેહનાં અપમાનજનક નિયંત્રણે મૂકતા એક ઑર્ડિનન્સને મુસદ્દો બહાર પાડ્યો ત્યારે પૂર્ણ રૂપે પ્રગટ થયે. એ ઓર્ડિનન્સને એમણે “ધિકારપાત્ર વિશેષણથી નવાજો અને હિંદી કોમને તેને સામૂહિક ભંગ કરવાની સલાહ આપી. ઠરાવને અમલ કરવાનો સમય આવી પહોંચતાં ગાંધીજીની કલમમાં વળી નવી તેજી ચમકી. “ઈન્ડિયન ઓપિનિયન’ના ૧૯૦૭ના જૂન માસના પ્રથમ અંકમાં એ
Page #282
--------------------------------------------------------------------------
________________
[૨૭૩
પ્ર. ૬]
ગાંધીજી. ઠરાવની યાદ આપતા લેખનું એમણે શીર્ષક રાખ્યું, “શરા શું કરે ?” અને “પગલાં ભરવા માંડે રે, હવે નવ વાર લગાડો રે” એ નર્મદાશંકરના કાવ્યમાંથી થોડી પંક્તિઓ લેખના મથાળે આપી.૨૨ છેક ૧૯૦૮ના જાન્યુઆરી માસમાં નેતાઓની ધરપકડ શરૂ થઈ અને લડતમાં “હવે રંગ જામ્યો”૨ ૩ ત્યાં સુધીના સાત માસ દરમિયાન “ઈન્ડિયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ થયેલા ગાંધીજીના ગુજરાતી લેખો એક કુશળ પત્રકાર ને નિભ ક લોકનેતાની છાપ મૂકી જાય છે. નવા કાયદાની વિગતે સમજ આપતા, અઠવાડિયે અઠવાડિયે પલટાતી પરિસ્થિતિનું સામાન્ય વાચકને રસ પડે એવી પત્રકારત્વની શિલીની પણ શિષ્ટ ભાષામાં વર્ણન કરતા, કામને જરૂરી સૂચનાઓ તથા કવચિત્ ચેતવણી આપતા અને તેને જુસ્સો તથા સ્વમાનભાવના ટકાવી રાખવા વાચકનાં બુદ્ધિ ને હૃદયને સ્પર્શે એવી દલીલ કરતા આ લેખેની બાની વ્યવહારું લેકબોલીની એટલી નજીક છે કે વાચકવર્ગમાં મુસલમાનોની મેટી સંખ્યા હોવાથી એમાં મુસ્લિમ ગુજરાતીની સ્પષ્ટ છાપ પડી છે. વળી લોકબોલીના રૂઢિપ્રયોગોને પણ ગાંધીજી અસરકારક ઉપયોગ કરી જાણે છેઃ
કરણી તેવી ભરણી જગવિખ્યાત કહેવત છે. આવો જે કાયદે છે તે કંઈ હિંદી કોમને સારુ બદલાવાને નથી. કડવીના વેલામાં મેગરો થનાર નથી..જ્યાં સૌ સૌનું ફેડી લે છે ત્યાં સૌનું ફૂટી જાય છે.”૨૪
કેઈન તુંબડાથી તરવાનું નથી. પણ આપણું પોતીકા બળ વડે તરવાનું છે. હું ધૂળ ખાઈશ તેથી શું વાંચનાર ખાશે? હું ખાડામાં પડીશ તેથી વાંચનાર તેમાં પડશે ૨૨૫
“.એ કાયદો ઘડીને ગેારા લોકે એમ બતાવવા માગે છે કે એશિયાટિક તે માણસ નથી, હેવાન છે; સ્વતંત્ર નથી, ગુલામ છે; ગરાના સરખા નથી, તેનાથી ઊતરતા છે; તેની ઉપર જે થાય તે સહન કરવા જન્મેલા છે, સામે થવાને હક નથી; મરદ નથી, બાયલા છે...અમને કોઈ પૂછે કે આ બધું કાયદાની કઈ કલમમાં આવ્યું છે તો તે બતાવવું ભારે થઈ પડે. ધંતુરાનાં ફૂલ જોઈને કોઈ બતાવી શકશે નહીં કે તેમાં કઈ જગ્યાએ ઝેર વસેલું છે. તેનું પારખું જેમ ખાધાથી થાય છે તેમ આ કાયદાનું સમજવું. એ કાયદે આખે વાંચનાર તથા સમજનાર મરદ હોય તે તેનાં રૂંવેરૂંવાં ઊભાં થાય જ. તે હિંદીનું પાણી લઈ લે છે અને પાણી વિનાની તલવાર જેમ નકામી થઈ પડે છે તેમ કાયદાની નીચે આવેલ હિંદી માણસજાતમાંથી જાય છે.”૨૬
સાદી ભાષામાં પણ કેટલું બળ હોઈ શકે તેના આ લેખે સચોટ નમૂના છે. ગાંધીજી ભારત પાછા ફર્યા ત્યાર પછીનાં તેમનાં ગુજરાતી લખાણોનું ગદ્ય વધારે પ્રવાહી ને સૂક્ષમ બને છે, પરંતુ દક્ષિણ આફ્રિકાની લડત વેળાના લેખમાં જોવા મળે છે એવું લેકવાણીનું તેજ એમાં નથી. કેટલાક લેખમાં તો ગાંધીજી વાણીની અહિંસાની મર્યાદા પણ વટાવી જતા લાગે છે. કેમના આદેશને અનાદર
ગુ. સા. ૧૮
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[2*. ૪
કરી કેટલાક વેપારીઓએ છૂપી રીતે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરી છે એ સમાચાર આપતાં તે લખે છેઃ “એવું કહેવાય છે કે મિ. ખમીસાની દુકાનમાં તે રાતે આશરે વીસ માણસોએ પેાતાના હાથ અને માં કાળાં કર્યા ૨૭ અને હિંદી કામને બટ્ટો લગાડચો.”૨૮ ગુલામીને કારણે સ્વત્વ ગુમાવી બેઠેલી પ્રજાને સ્વમાનને પાઠ ભણાવતા આવા લેખેા ગાંધીજીના સ્વભાવમાં રહેલા ક્ષાત્રતેજના અને એક શબ્દસ્વામી તરીકેની એમની શક્તિને એક સાથે પરિચય કરાવી જાય છે.
યુદ્ધવીરમાંથી લાકશિક્ષક: શૈલીની નવી ફોરમ : સમાધાની થતાં ગાંધીજી યુવીર મટી ફરી લાશિક્ષક ને લોકસેવક બની ગયા. રજિસ્ટ્રેશનના કાયદા વિરુદ્ધની લડત ગાંધીજી માટે ગીતાના સમત્વના પ્રથમ પ્રયાગ હતા, અને એ પ્રયાગમાં તેએ સફળ પાર ઊતર્યા હતા. આ અનુભવે એમનામાં ઊ.ડી આત્મશ્રદ્ધા પ્રેરી હતી અને એમના લેખાની શૈલીમાં યુદ્ધના જુસ્સે। જણાતા હતા તેને બદલે હવે, નવા પાકેલા ફળની સુવાસ જેવી નવી ફારમ પ્રગટી. વ્યવહારુ દિષ્ટએ સમાધાની દ્વારા હિંદી ક્રામને માત્ર નવી છૂટછાટા મળી હતી, પરંતુ કૈામે અન્યાયી કાયદા સામે માથું ઊંચકયું હતું અને સરકારને પેાતાની સાથે વાટાઘાટા કરવાની ફરજ પાડી હતી એ હકીકત ગાંધીજી માટે કામના નૈતિક વિજયરૂપ હતી, અને એ દૃષ્ટિબિંદુ એમણે સ્વસ્થ ને ગૌરવભરી ભાષામાં કામને સમજાવવાના પ્રયત્ન કર્યાં. ‘સમાધાની ઉપર સવાલ-જવાબ’૨૯ અને ‘મારા ઈલકાબ’૩૦ એ લેખામાં ગાંધીજીનું આ નવું, સૌમ્ય રૂપ આકર્ષીક રીતે પ્રગટ થાય છે. એમાં જોવા મળતાં તર્ક કુશળતા, વિચારાની સરળતા ને ભાષાસૌજન્યનું મિશ્રણ ગુજરાતી ગદ્યમાં એક નવું તત્ત્વ હતું અને ગદ્યલેખક તરીકેના ગાંધીજીના વિકાસમાં અગત્યનું સીમાચિહ્ન બની રહે છે.
આરાગ્ય વિષે સામાન્ય જ્ઞાન : સને ૧૯૧૩ના જાન્યુઆરી માસથી ઇન્ડિયન ઓપિનિયન'ના ગુજરાતી વિભાગમાં શરૂ થયેલી આરાગ્ય વિષે સામાન્ય જ્ઞાન’૩૧ ઉપરની લેખમાળા ‘હિંદ સ્વરાજ' પછી ગાંધીજીના ગદ્યની ખીજી મહત્ત્વની સિદ્ધિ છે. જેમ હિંદ સ્વરાજ'ના રાજકીય કાર્યક્રમની પાછળ માનવજીવન વિશેનું એક કવિન રહેલું છે, તેમ આ લેખેાની વ્યવહારુ ચર્ચાની પાછળ શરીર' ગાયું લહુ ધર્મ સાધનમ્ સૂત્રમાં સૂચિત થતી શરીર ને મનના સંબંધ વિશેની કલ્પના રહેલી છે. આરાગ્યની વ્યાખ્યામાં જ ગાંધીજીની વિદિષ્ટ જણાઈ આવે છે. “માણસ એક શરીરનેા જ બનેલે નથી...શરીરને ગુલાબના ફૂલની ઉપમા અપાયેલી છે, તેની સુવાસ એ તેનેા આત્મા – રૂતુ છે... માણસની વાસ – તેના આત્માનું ચારિત્ર્ય – એ જ તેની પરીક્ષા છે. એટલે... જેનું ચારિત્ર્ય ખરાબ
6
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬] ગાંધીજી
[ ર૭૫ છે તે માણસ નીરોગી નહીં જ ગણાય૩૨ ગાંધીજીની કવિદષ્ટિ શરીરમાં રહેલા આત્માની અદભુતતા જ નહીં, શરીર ને મનની સ્વાભાવિક ક્રિયાઓની રહસ્યમયતા પણ જુએ છે. લેખમાળાની પ્રસ્તાવનામાં તેઓ લખે છે, “આકાશના તારા ગણી કાઢવાને વિચાર કરીશ, પણ મારા છાપરામાં શું છે અથવા કેટલી વળી છે, તે જાણવાની મને ઈરછા પણ નહીં થાય. મારી નજર આગળ રચાતું કુદરતી નાટક હું જેવા માગતો નથી; પણ નાટકશાળામાં થતા ઢગ જોવાનું મને બહુ મન થશે. તે જ શૈલી પ્રમાણે મારા શરીરમાં શું થાય છે, તે શું છે, તે શાનું બન્યું છે, તેમાંનાં હાડકાં, માંસ, લોહી વગેરે કેમ બને છે, તે બધાં શું કરે છે, મારા શરીરમાં બોલે છે તે કેણ, મારી ગતિ કેમ ચાલે છે, મને એક વખત સારા, તે બીજી વખત ખરાબ વિચાર કેમ આવે છે, મારી મરજી વિરુદ્ધ પણ મારું મન કેમ કરોડો માઈલ દેડી જાય છે, મારું શરીર તે ગોકળગાયથી પણ ધીમું જાય છે, ત્યારે મારું મન પવનના વેગ કરતાં હજારગણો વધારે વેગ કેમ ધરાવે છે, તેનું મને ભાન નથી.૩૩ '
અન્ય કેટલાંક લખાણ: પોતાની સત્યનિષ્ઠ પ્રતીકારની અને ત્યાગનિષ્ઠ સેવાની ભાવનાને જેમાંથી પ્રેરણા અને બળ મળ્યાં હતાં તે સેક્રેટીસના મૃત્યુસમયના સંભાષણ તથા રસ્કિનના “અન્ય ધિસ લાસ્ટ'ના સાર “એક સત્યવીરની કથા૩૪ અને “સર્વોદય૩પ એ શીર્ષક નીચે ગાંધીજીએ “ઈન્ડિયન ઓપિનિયન’માં આપેલા તે એ દષ્ટિએ મહત્ત્વના છે. શરીરશ્રમની ભાવના પ્રગટ કરતી ટોલ્સટોયની વાર્તા ધ એરી ઑવ ઇવાન ધ ફૂલ’નું પણ “મૂરખરાજ અને તેના ભાઈઓ'૩૪ એ શીર્ષકથી ગાંધીજીએ રૂપાંતર કર્યું હતું. એની જરા ગામઠી લાગે એવી ભાષા વાર્તાનાં વસ્તુ ને પાત્રોને સર્વથા અનુરૂપ છે અને એ રીતે ભાષા પરની ગાંધીજીની મર્યાદા અહીં ગુણરૂપ બની છે. '
‘મિ. ગાંધીની નજરકેદ ૩૭ અને ‘મિ. હાજીહુસેન દાઉદ મહમદ૩૮ એ લેખોમાં ગાંધીજી એમના સ્વભાવને શક્ય તેટલા સાહિત્યસર્જનની નજીક આવતા જણાય છે. પહેલા લેખમાં એક અપમાનજનક પરિસ્થિતિમાં એમણે અનુભવેલા સંકુલ આંતરભાવોનું કળાકારની સત્યદૃષ્ટિ કરી શકે એવું સચોટ વર્ણન કર્યું છે, તે બીજે લેખ એક ભાવનાશીલ યુવકના મૃત્યુપ્રસંગે શ્રદ્ધાંજલિરૂપે ગદ્યમાં લખાયેલું શોકકાવ્ય છે. એ આખા લેખમાં ગાંધીજીના ગદ્યને પાંખે આવે છે અને તે કળાસૃષ્ટિનાં દ્વાર ખખડાવતું લાગે છે.
સન ૧૯૦૮–૮ દરમિયાન જેલજીવનના કલેશજનક અનુભવોને તાદશ રીતે પણ પૂર્ણ સ્વસ્થતાથી ને હળવા નર્મભાવથી વર્ણવતી અને કવચિત પોતાના હૃદયભાવોનું તટસ્થતાથી નિરૂપણ કરતી ત્રણ લેખ શ્રેણિઓ ૩૯ પણ, ગાંધીજીની
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[2. ૪
સામાન્ય માનવતાનુ` રાચક ચિત્ર આપતી હેાઈ તેમજ એમની આદર્શ સત્યાગ્રહીની કલ્પનાને સ્પષ્ટ કરતી હેાઈ, નેોંધપાત્ર છે. કાફર જાતિના હબસીઓ સાથે રહેવાનુ થતાં, ગારાઆ હિંદીઓ પ્રત્યે અનુભવતા તેવી સૂગ ગાંધીજી તેમના પ્રત્યે અનુભવે છે, પણ હૃદયની આ નિર્બળતા છતી કરતાં એમને સકાય થતા નથી.
દક્ષિણ આફ્રિકાની છેલ્લી ૧૯૧૩ની લડત વખતે ખાણમજૂરાની સૂચના ઉત્સાહભર્યાં વાતાવરણને એક લેખમાં'॰ ગાંધીજીએ જન્મજાત લેખકની કળાથી શબ્દબદ્ધ કર્યુ છે. એ ગરીબ નિરક્ષર જનતાના નિર્મળ પ્રેમના અને એની વીરતાના દર્શને ગાંધીજી વિનમ્ર કૃતજ્ઞતા અનુભવી રહ્યા, જેણે આ સમયનાં એમનાં લખાણા ને ભાષણાને ઊંડી મધુરતાના પાસ આપ્યો છે.
આ સમયના અંગત પત્રો: સન ૧૯૧૦થી ૧૯૧૪ સુધીનાં વર્ષોં ગાંધીજીના આંતરવિકાસમાં ઘણાં મહત્ત્વનાં હતાં, અને એ સમયના કેટલાક પત્રા આ વિષય ઉપર પ્રકાશ પાડતી ઘણી સામગ્રી પૂરી પાડે છે. મગનલાલ ગાંધી, જમનાદાસ ગાંધી અને રાવજીભાઈ પટેલ ઉપરના અનેક પત્રમાં આપણે મેક્ષધર્મ વિશે ગાંધીજીના ઘડાઈ રહેલા વિચારાનુ અને એ વિચારાના અમલમાં એમને મળેલી સફળતા-નિષ્ફળતાનું દર્શન કરીએ છીએ. એ વિચારાની પ્રેરણા એમને મુખ્યત્વે ભારતીય પરંપરાના અભ્યાસમાંથી મળી હતી, પરંતુ જે સ્વતંત્ર વિવેકબુદ્ધિથી તેમણે ‘હિંદ સ્વરાજમાં આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિનું મૂલ્યાંકન કર્યું" હતુ તે જ બુદ્ધિથી તે ભારતીય પરંપરાની ક્ષતિએ પણ ચીંધી આપે છે.
અન્ય ધર્મોના અભ્યાસ અને પશ્ચિમના સંસ્કારાથી ઘડાયેલી સ્વતંત્ર જીવનદૃષ્ટિની મહ્દ વડે ગાંધીજી ભારતીય પરંપરાને એક નવી દિશામાં વાળે છે. એ સાધના અંગેનું એમનું પ્રયાગાત્મક દૃષ્ટિબિંદુ મગનલાલ ગાંધીને લખેલા એક પત્રમાં એમણે સ્પષ્ટ કર્યુ” છે : “આપણે મહાપ્રયાસમાં પડચા છીએ. તત્ત્વજ્ઞાનની શેાધ કરીએ છીએ. કંઈ નવું શેાધીએ છીએ એમ નથી કહેતા. પણ તે જ્ઞાન જે માણસ પેાતાનું કરવા માગે તેનાં રહેણીકરણી કેવાં હાવાં જોઈએ તે આપણે અજમાવીએ છીએ. ઘણાં વર્ષોથી ચઢેલી ઊધઈ દૂર કરવા માગીએ છીએ.”૪૧ કાઈ કાઈ પત્રમાં ગાંધીજીએ એ મહાપ્રયાસની કઠિનતાનું તાદશ દશ ન કરાવ્યુ છે. સ્વાદેન્દ્રિય જીતવાના એક કષ્ટદાયક અનુભવનું વર્ણન કરતાં ગાંધીજી લખે છે : “આદુ કેમ ખવાય ? કૂણાં મૂળિયાં ખાવાં એ તેા કુમળાં બાળકને મારી નાખ્યા બરાબર થયું. મારી પોતાની ઉપર તિરસ્કાર છૂટછ્યો. મેં ના પાડી...પણ જીભ ને આંખ કૂતરાં છે. આંખ જુએ છે ત્યારે આદુ લેવાની ઇચ્છા થાય છે. જીભ તલપી રહે છે. પણુ એઠા ઉપર તલપતું કૂતરુ' જેમ ધણીને જોઈને એઠું લેવાની હિંમત પણ નથી કરી શકતુ
Page #286
--------------------------------------------------------------------------
________________
[ ર૭૭
પ્ર. ૬]
ગાંધીજી તેમ આત્મારામ તે જુએ છે તેથી જીભ તે આદાને નથી અડકી શકતી.”૪૨ પિતાની શ્રેયયાત્રામાં કસ્તૂરબા, પુત્રો ને બીજાં સ્વજનોને ભાગીદાર બનાવવાની ગાંધીજીની અભિલાષાએ એમને ખૂબ કલેશ કરાવ્યો હતો, અને આ સમયના કેટલાક પત્રમાં એ કલેશની વેદના તાદશ જોઈ શકાય છે.૪૩
૪. “હિન્દ સ્વરાજ' ૧૯૦૯માં દક્ષિણ આફ્રિકાની હિંદી કેમ વતી ડેપ્યુટેશનના સભ્ય તરીકે ગાંધીજી લંડન ગયા હતા ત્યાં તેમણે એડવર્ડ કારપેન્ટરનું ‘સિવિલિશન, ઇટ્સ કોઝ ઍન્ડ કોર એ પુસ્તક વાંચ્યું અને કેટલાક સમયથી એમના મનમાં જે વિચારો ઘોળાઈ રહ્યા હતા તેમણે ચક્કસ અને સ્પષ્ટ આકાર લીધો. લંડનમાં રહેતા કેટલાક વિપ્લવવાદી ભારતીય યુવાને સાથે ગાંધીજીએ એ વિચારે ચર્યા અને “હિંદ સ્વરાજ'માં એ ચર્ચાઓનો વાચક-અધિપતિ વચ્ચે સંવાદ રૂપે સાર આપ્યો. વળતી મુસાફરી દરમિયાન “કિલ્લોનન કાસલ” આગબોટ ઉપર એમણે એ પુસ્તિકા લખી અને “ઈન્ડિયન ઓપિનિયન’ના તા. ૧૧-૧૨-૧૯૦૯ તથા ૧૮-૧૨-૧૯૦૯ના અંકમાં બે હપ્ત છાપી.
ભવિષ્યના ગર્ભમાં દષ્ટિ: હિંદ સ્વરાજ'ને વિષય હતો ભારતને કેવું સ્વરાજ ખપે અને તે કેવી રીતે સિદ્ધ કરવું, અને પહેલી નજરે રાજકીય જણાતા એ વિષયની ચર્ચામાં ગાંધીજીએ માનવજીવન તથા સંસ્કૃતિ વિશે કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા કર્યા છે જે આજે પણ અનેક ચિંતકોને મૂંઝવી રહ્યા છે. ઓગણીસમી સદીના યુરોપમાં ઝડપથી વધી રહેલી ઔદ્યોગિક સમૃદ્ધિ, વિસ્તરી રહેલું અક્ષરજ્ઞાન, અનેક રૂપે ફેલાઈ રહેલું સાહિત્યસર્જન અને સર્વ પ્રજાઓમાં પ્રચાર તથા પ્રતિષ્ઠા પામી રહેલી લોકશાહીની ભાવના, આ સર્વ માનવજાતને કાળક્રમે ભૌતિક, બૌદ્ધિક ને નૈતિક ઉન્નતિને શિખરે પહોંચાડશે એવી શ્રદ્ધા વ્યાપક બની રહી હતી. અનવરત પ્રગતિની આ માન્યતાને પ્રથમ વિશ્વયુદ્ધ પહેલો આઘાત આપ્યો. એ યુદ્ધનાં અનિવાર્ય પરિણામ આવ્યાં નાઝીવાદ, ફાસીવાદ ને રૂાલીનશાઈ સામ્યવાદના ઉદયમાં, અને એ ઘટનાઓએ અનેક ચિંતકે ને સાહિત્યકારોમાં ઔદ્યોગિક સમાજનાં નૈતિક ને સાંસ્કૃતિક પરિણામો વિશે ઊંડી શંકાઓ પ્રેરી. વિજ્ઞાનની શોધોએ માનવના હાથમાં અમર્યાદ ભૌતિક સત્તા મૂકી છે, પણ એ સત્તાને સદુપયોગ કરવાની શક્તિનો એનામાં બિલકુલ વિકાસ થયો નથી એ હવે સ્પષ્ટ બની ચૂક્યું છે. “હિંદ સ્વરાજ' લખાયું ત્યારે ઔદ્યોગિક સંસ્કૃતિનાં આ પરિણામો ભવિષ્યના ગર્ભમાં હતાં અને એ સંસ્કૃતિ માણસજાત માટે એક ગંભીર સમસ્યારૂપ બની જશે એની ભાગ્યે જ કોઈને કલ્પના હતી. માફસ જેવા
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર'. ૪
જે ચિંતકાએ આધુનિક સમૃદ્ધિના પાયામાં રહેલી શાષણખોરીને જોઈ હતી તે પણ માનવજીવનની અ ંતિમ ઉન્નતિ માટે ઔદ્યોગિક વિકાસ ઉપર શ્રદ્ધા રાખતા હતા. ભારતના સમગ્ર શિક્ષિત વર્ગ એ સંસ્કૃતિની ખાદ્ય સિદ્ધિઓથી અંજાઈ ગયા હતા અને રાષ્ટ્રવાદીઓના મવાળ તે જહાલ બન્ને પક્ષાના ઉદ્દેશ ભારતને આધુનિક ઔદ્યોગિક રાષ્ટ્ર બનાવવાના અને દેશમાં ઇંગ્લેંડના જેવી લોકશાહી સ્થાપવાના
હતા.
હિંદ સ્વરાજ'માં ગાંધીજીએ આ વિચારપ્રવાહના ઉગ્ર વિરાધ કર્યો. એમને લાગ્યું હતુ ં. “જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરેતા હિ ંદુસ્તાન પાયમાલ થઈ જાય...(પૃ. ૨૨). ઇંગ્લૅંડની લેાકશાહી માત્ર દેખાવની હતી, વાસ્તવમાં પાર્લીમેન્ટ પક્ષીય ને વીય હિતાનું સાધન જ હતી. મેાટાં કારખાનાં ને ખાણામાં કામ કરતા મજૂરાની દશા ‘જાનવર કરતાં પણ હલકી'' થઈ પડી હતી (પૃ. ૨૫). રેલવે, તાર ઇત્યાદિ સાધને! દુષ્ટતા વધારી રહ્યાં હતાં, કારણ કે સારા વિચાર ફેલાય છે તેનાથી ખરાબ વિચારા ઘણી વધારે ઝડપથી ફેલાય છે. અદાલતા ને વકીલા લેકામાં ઝઘડાઓ વધારી રહ્યાં હતાં અને હોસ્પિટલે માણસને તેની બેકાળજીનાં પરિણામરૂપ રાગામાંથી બચાવી અસંયમી જીવનને ઉત્તેજન આપી રહી હતી. પરંતુ ગાંધીજીની દૃષ્ટિએ અર્વાચીન સંસ્કૃતિનું ખરું અનિષ્ટ એ હતું કે તે હિરની શાધામાં ને શરીરસુખમાં સાર્થક અને પુરુષાર્થ માને છે” અને માણસને ધર્મ ને ઈશ્વરથી વિમુખ બનાવે છે. ગાંધીજી કબૂલ કરે છે કે ધર્મમાં પણ પાખંડ હતું, પણ તે પાખંડ સમજુ માણસા જોઈ શકતા, જ્યારે અર્વાચીન સંસ્કૃતિ, જેને ગાંધીજી “સુધારા” કહે છે, તેની “ખૂખી એ છે કે માણસા સારું માનીને એમાં ઝ ંપલાવે છે...સુધારા તે ઉંદરની જેમ ફૂંકીને ફાલી ખાય છે” (પૃ. ૩૪).
આવેશ અને સ‘દિગ્ધતા : આ વિચારેા ઉપર આવતાં ગાંધીજીને ઊંડા મનેામ થનમાંથી પસાર થવું પડયું હતું, કારણ કે એ તેમના પોતાના જ ભૂતકાળના વિચારાની સામે બળવારૂપ હતા. એટલે તેઓ • હિ ંદ સ્વરાજ ’ની પ્રસ્તાવનામાં લખે છે: “જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું છે...જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમો,” આમ હિંદ સ્વરાજ'માં ગાંધીજી પેાતાના માસિક ભૂતકાળ સાથેના સંબંધ કાયમને માટે તાડી રહ્યા હતા, તેથી એમના વિચારાની રજૂઆત સ્વાભાવિક રીતે થાડી આવેશભરી બની છે અને એમના આશયને અસ્પષ્ટ બનાવે છે. પુસ્તિકા વાંચતાં પહેલી નજરે એવી છાપ પડે છે
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬ ]
ગાંધીજી
[ ર૭૯
કે ગાંધીજી અર્વાચીન સંસ્કૃતિને સદંતર અસ્વીકાર કરી ભારતમાં મધ્યયુગી જીવનસ્થિતિ ને માનસ સ્થાયી કરવા માગે છે, અને તેથી હિંદ સ્વરાજ વિશેને તેમને આદર્શ અને તેને સિદ્ધ કરવાને એમણે સૂચવેલો કાર્યક્રમ એમના જીવનકાળ દરમિયાન સર્વ કોઈને, એમની મહાનતાને ઓળખનાર સર્વપ્રથમ ભારતીય નેતા ગોપાળ કૃષ્ણ ગોખલેને પણ, તરંગી લાગ્યો હતો.
ગાંધીજીની રજૂઆતમાં એક સંદિગ્ધતા એ આવી ગઈ છે કે એમને ખરો ઉદેશ અર્વાચીન ઔદ્યોગિક ને પૂર્વ-ઔદ્યોગિક સંસ્કૃતિઓ વચ્ચેનો ભેદ નિરૂપવાનો હતું, પરંતુ “હિંદ સ્વરાજ'માં તે પશ્ચિમની સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિ વચ્ચે ભેદ બની ગયો છે. ખરો સુધારે શું છે એ સમજાવતાં તેઓ કહે છે કે “જે સુધારે હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. હિંદી સુધારાનું વલણ નીતિ દઢ કરવા તરફ છે; પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દઢ કરવા તરફ છે, તેથી તેને સુધારો કહ્યો. પશ્ચિમને સુધારો નિરીશ્વરી છે, હિંદી સુધારે સેશ્વરી છે.” એટલે ગાંધીજીને આગ્રહ છે કે “હિંદના હિતેચ્છુઓએ હિંદી સુધારાને જેમ બાળક માને વળગી રહે તેગ વળગી રહેવું ઘટે છે” (પૃ. ૫૫-૮). હકીકતમાં ગાંધીજીને વિરોધ પશ્ચિમ સામે નહિ, પણ પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ સામે છે. “હિંદ સ્વરાજ'માં રજૂ કરેલા વિચારો એમના મનમાં આકાર લઈ રહ્યા હતા એ અરસામાં એચ. એસ. એલ. પિલક ઉપર લખેલા પત્રમાં ગાંધીજી સ્પષ્ટ કહે છે કે “પાશ્ચાત્ય કે યુરોપિયન સંસ્કૃતિ જેવી કોઈ ચીજ નથી, પણ એક આધુનિક સંસ્કૃતિ અસ્તિત્વમાં છે, જે પૂરેપૂરી જડવાદી છે. આધુનિક સંસ્કૃતિની અસર તળે આવ્યા તે પહેલાં યુરોપના લકે અને પૂર્વના લેકે, કમમાં કમ હિંદના લેકે, વચ્ચે ઘણી બાબતમાં સરખાપણું હતું.”૪૪ ભારતીય સમાજનાં દૂષણો પ્રત્યે પણ ગાંધીજી સજાગ છે અને હિંદ સ્વરાજ'માં કહે છે કે “આપણને જે ન જુસ્સો આવ્યો છે તેને આપણે તે ખામીઓ દૂર કરવામાં વાપરી શકીએ છીએ” (પૃ. ૫૯). ધર્મગુરુઓને જે “સદ્બુદ્ધિ ન આવે તે,” તેઓ કહે છે. “અંગ્રેજી કેળવણીથી જે ઉત્સાહ આપણને આવ્યો છે તે ઉત્સાહ વાપરી આપણે લેકેને નીતિની કેળવણી આપી શકીએ છીએ” (પૃ. ૯૪) અને ઉપસંહાર કરતાં અંગ્રેજોને વિનંતી રૂપે ગાંધીજી કહે છે કે તેઓ જે તેમને સુધારે, “જે કુધારે છે, તેને છોડી હિંદુસ્તાનમાં રહે તે “તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશું, અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો.” પણ, ગાંધીજી ઉમેરે છે, “તે તે જ્યારે આપણું સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નખાય ત્યારે જ બને” (પૃ. ૧૦૪).
ધર્મને અર્થ, ગાંધીજી કહે છે, હિંદુ, મુસલમાન કે જરથોસ્તી એવા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ધર્મસંપ્રદાય નહિ “પણ એ બધા ધર્મમાં જે ધર્મ રહ્યો છે તે..” (પૃ. ૩૨). એવા સનાતન ધર્મનું સ્વરૂપ કેવું હોય તેની ગાંધીજીએ ચર્ચા કરી નથી, પણ તેની સ્પષ્ટ ઝાંખી તેમને થઈ ગઈ છે અને તેમાં જ “હિંદ સ્વરાજ'ની પ્રેરણું રહેલી છે. “ધર્મ કેળવણી”ને “નીતિકેળવણીને ગાંધીજીએ પર્યાય શબ્દ તરીકે વાપર્યા છે (પૃ. ૯૩), એટલે એમની દષ્ટિએ ધર્મ એટલે નીતિ. પરંતુ નીતિ એટલે માત્ર સામાજિક આચારનું પાલન નહિ. “સુધારા”ની વ્યાખ્યા કરતાં તેઓ લખે છેઃ “સુધારો એ વતન છે કે જેથી માણસ પિતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણા મનને તથા ઈદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ” (પૃ. ૫૬). એટલે કે ગાંધીજીની દષ્ટિએ જે પ્રકારના જીવનવ્યવહારથી આત્મજ્ઞાન થાય, માણસને પિતાનામાં રહેલા દૈવી અંશનું જ્ઞાન થાય, તે નીતિ અથવા તેમની કલ્પનાને સાર્વત્રિક, જાગતિક કે સનાતન ધર્મી. “આત્મકથાની પ્રસ્તાવનામાં પણ તેઓ લખે છેઃ “આત્માની દષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ.” ભારતીય સંસ્કૃતિ ઉપર ગાંધીજીને પક્ષપાત છે કારણ તેણે હંમેશાં માનવજીવનના આ આધ્યાત્મિક ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખ્યું છે, અને “હિંદ સ્વરાજ'માં ગાંધીજીને ઉદ્દેશ પશ્ચિમમાંથી ભૌતિકતાને પવન વાઈ રહ્યો હતે તેને અટકાવી દેશને આ પરંપરાગત જીવનઆદર્શની પુનઃપ્રતિષ્ઠા કરવાને હતે.
સાધનશુદ્ધિને આગ્રહ : સાધન-સાધ્યની ચર્ચામાં આ વાત સ્પષ્ટ થઈ જાય છે. આતંકવાદીઓ ટાંછવાયાં ખૂન કરી પહેલાં ત્રાસ ફેલાવવાની અને પછી ગેરીલા લડાઈ ચલાવી અંગ્રેજોને મારી હઠાવવાની ઉમેદ રાખતા. તેમને ઉત્તર આપતાં ગાંધીજી કહે છે: “તમારો વિચાર હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાને લાગે છે” (પૃ. ૬૬). સાધન, ગાંધીજી કહે છે, બીજ છે, સાધ્ય એ વૃક્ષ છે, અને સંતાનને ભજીને ઈશ્વરભજનનું ફળ મેળવવું એ ન બને (પૃ. ૮). એટલે કે હિંસારૂપી બીજમાં આત્મજ્ઞાનનું વૃક્ષ ન ઊગી શકે. “આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ” – ઉપનિષદના ઉપદેશ પ્રમાણે વિવેકબુદ્ધિરૂપી સારથિ દ્વારા ઇંદ્રિરૂપી ઘેડાને અને મનરૂપી લગામને વશમાં રાખીએ – “તે જ સ્વરાજ છે.” અને તે સ્વરાજ એવું છે કે “તમે ચાખ્યા પછી બીજાને તેને સ્વાદ આપવા તરફ તમારી જિંદગી પર્યત યત્ન કરશે” (પૃ. ૬૧). એવું સ્વરાજ સિદ્ધ કરવું હોય તે અંગ્રેજો સાથેના વ્યવહારમાં પણ ભારતની પ્રજાએ એ આદર્શને અમલ કરવો જોઈએ. એટલે કે અંગ્રેજો સાથે યુદ્ધ કરવાને બદલે તેમની સાથે અસહકાર કરવો, તેમને કહી દેવું: “તમે નહીં આપે તે અમે તમારા અરજદાર નહીં રહીએ. અમે અરજદાર હોઈશું તે તમે બાદશાહ રહેશે. અમે તમારી સાથે
Page #290
--------------------------------------------------------------------------
________________
×. $]
ગાંધીજી
[ ૨૦૧
રમવાના નથી.” “આ ળને,” ગાંધીજી લખે છે, યાબળ કહેા, આત્મબળ કહેા, કે સત્યાગ્રહ કહેા. તે બળ અવિનાશી છે તે તે બળ વાપરનાર પેાતાની સ્થિતિ ખરાબર સમજનારા છે” (પૃ. ૭૩-૪). આવા અસહકારની પ્રેરણા પ્રેમમાં રહેલી છે, અને પ્રેમ એ જ જીવનની મૂળભૂત વાસ્તવિકતા છે. “દુનિયામાં આટલા બધા માણુસા હજુ છે એ જણાવે છે કે દુનિયાનું બંધારણુ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે... હારા બલ્કે લાખા માણસે પ્રેમવશ રહી પેાતાનું જીવન ગુજરે છે, કરાડા કુટુ ખેાના કલેશના સમાવેશ પ્રેમભાવનામાં થઈ જાય છે. સેંકડા પ્રજા સંપથી રહેલી છે તેની નોંધ ‘હિસ્ટરી’ લેતી નથી, ‘હિસ્ટરી’ લઈ પણ ન શકે. જ્યારે આ યાના, પ્રેમનેા કે સત્યને પ્રવાહ રાકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચડે છે” (પૃ. ૭૭). જીવનની આ મૂળભૂત શક્તિ દ્વારા મેળવેલું સ્વરાજ તે જ, ગાંધીજીની દૃષ્ટિએ, ખરું સ્વરાજ, એવા સ્વરાજમાં જ ભારતની પરંપરાગત .. આધ્યાત્મિક ભાવના વિકસે અને સમૃદ્ધ થાય. “તેવું સ્વરાજ લેવા ખાતર,” પુસ્તિકાને અ ંતે ગાંધીજી લખે છે, “આ દેહ અર્પણુ છે, એમ મન સાક્ષી પૂરે છે” (પૃ. ૧૦૯).
ભારતપ્રેમી કવિનું સ્વપ્ન: હિંદ સ્વરાજ' એ ‘સરસ્વતીના મનેારાજ્ય' જેવું એક ભારતપ્રેમી કવિનું સ્વપ્ન છે, અને એના અવ્યવહારુ લાગતા વિચારો ને કાર્યક્રમની પાછળ આધુનિક યુગમાં ભારતીય પર પુરાના નવસંસ્કરણ ને નવસર્જનનું, ગાવનરામના જેવું, એક ઉચ્ચગ્રાહી દર્શન ધ્વનિત થાય છે. એ કવિનનું માધ્યમ રાજિંદા વ્યવહારની ભાષા છે. ગામઠી ગણાય એવા કેટલાય શબ્દપ્રયાગા છતાં એવી ભાષામાં ગાંધીજી એક ચિરંજીવ કવિસ્વપ્નની ઝાંખી કરાવી શકયા છે એ ગદ્યકાર તરીકેની એમની એક મેાટી સિદ્ધિ છે. પ. ૧૯૧૫ થી ૧૯૩૦નાં લખાણા
વિષયા અને વાણી : દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની જાહેર પ્રવૃત્તિને મુખ્ય ઉદ્દેશ હિંદી કામના સ્વમાનનું ને નાગરિક હકાનું રક્ષણ કરવાના હતા અને સામાજિક ઉન્નતિનું ધ્યેય ગૌણ હતું. ભારતમાં ગાંધીજીનું ધ્યેય પ્રજાજીવનની સર્વાંગી ઉન્નતિનું હતું અને તેથી ૧૯૧૫ પછીનાં એમનાં લખાણા ને ભાષણાના વિષયેા રાજકીય હતા તે કરતાં વધુ શૈક્ષણિક, સામાજિક, આર્થિક ને ધાર્મિક હતા. શરૂઆતમાં ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ ને સ્વદેશીને અગ્રસ્થાન આપ્યું, અને સન ૧૯૨૦માં અસહકારની લડત શરૂ થતાં હિંદુ-મુસલમાન એકતા, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીઉન્નતિ ને સમાજસુધારાના વિષયા ઉમેરાયા. આ બધાં લખાણા ને ભાષણેામાં ગાંધીજીનેા ઉદ્દેશ પ્રચારાત્મક કે ઉપદેશાત્મક હતા, તાપણુ એમની
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ વાણીમાં એક જીવંત વ્યક્તિત્વની હાજરી અનુભવાય છે અને તેથી એ લખાણે ને ભાષણે ગાંધીજીના આંતરિક વિકાસના અભ્યાસમાં ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. ભારત ને ભારતની જનતા માટે પ્રેમ ગાંધીજીની વાણીને બળ આપતો રહ્યો. દેશની ઉન્નતિ વિશેના એમના વિચાર સામાન્ય પ્રવાહથી વિરુદ્ધ દિશામાં વહેતા, પરંતુ તેમના અંતરને ભરી રહેલી પ્રસન્નતાએ એમને એ વિચાર આવેશરહિત, નમ્ર, સૌજન્યભરી વાણીમાં રજૂ કરવાની શક્તિ આપી અને લોકશિક્ષણની એક નવી શૈલી પ્રગટાવી.
સ્વભાષા-સ્વદેશ-પ્રેમઃ સને ૧૯૧૭માં ભરૂચમાં મળેલી બીજી ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ સ્થાનેથી૪પને ગોધરામાં પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ સ્થાનેથી ગાંધીજીએ આપેલાં ભાષણો એમની નવી શૈલીની શિક્ષણવાણીના ઉત્તમ નમૂનાઓ બન્યા છે. સરકારી ને બિનસરકારી સર્વ સ્તરે અંગ્રેજીનું પ્રભુત્વ સામાન્ય પ્રજા ને શિક્ષિત વર્ગ વચ્ચે ભેદની દીવાલ ઊભી કરી તંદુરસ્ત રાષ્ટ્રીય ભાવનાના વિકાસને અવરોધી રહ્યું હતું, તેથી કેળવણુ પરિષદના પ્રમુખસ્થાનેથી તેમણે શૈક્ષણિક ક્ષેત્રે માતૃભાષાની ને રાષ્ટ્રભાષા તરીકે હિંદીની. આગ્રહભરી પણ વિનયી હિમાયત કરી. રાજકીય પરિષદનું ભાષણ ગાંધીજીના સ્વદેશપ્રેમમાં રહેલો કવિદર્શનને અંશ પ્રગટ કરે છે. ગોવર્ધનરામની શ્રદ્ધાનું પુનરુચારણ કરતા હોય તેમ તેઓ કહે છે: “આપણી સભ્યતાને સમુદ્રના પાણી જેમ ભરતીઓટ થયાં છે. પણ તે સમુદ્રની જેમ અચળ રહેલ છે. આપણા દેશમાં તદ્દન સ્વતંત્ર રહેવા જેવી તમામ સામગ્રી છે; તેમાં મહાન પર્વત છે, નદીઓ છે, તેમાં ભારે સૃષ્ટિૌંદર્ય છે, તેનાં સંતાને મહાપરાક્રમનો વારસો મૂકી ગયાં છે. આ મુલક તપશ્ચર્યાને ભંડાર છે. અહીં જ સર્વ ધર્મો સાથે રહે છે, અહીં જ સર્વ દેવતાને માને અપાય છે. આવી સામગ્રીઓ છતાં જે આપણે અંગ્રેજી પ્રજાને આપણી સાત્વિક પ્રવૃત્તિથી ન જીતી શકીએ તે આપણે આપણા વારસાને લજવીશું.”૪૭ સાત્ત્વિક પ્રવૃત્તિ દ્વારા પ્રજાજીવનની સર્વાગી ઉન્નતિનું ગાંધીજીનું કલ્પનાચિત્ર એટલું જ કવિત્વમય હતું : “વસંતની બહાર ખીલે છે ત્યારે દરેક ઝાડમાં તેની છાયા પડે છે, નવયૌવન આખી ભૂમિને વિશે જોવામાં આવે છે, તેમ જ જ્યારે આપણે સ્વરાજરૂપી વસંત ઋતુમાં પ્રવેશ કરતા હોઈશું ત્યારે કેઈ આવી ચડેલો મુસાફર દરેક સ્થળે નવયૌવન ભાળશે. અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવકે પિતાની શક્તિ અનુસાર અનેક કાર્યોમાં રોકાયેલા જોવામાં આવશે.”૪૮
સાપ્તાહિકો: અંગ્રેજી-ગુજરાતી અભિવ્યક્તિ: બે વર્ષ પછી જ્યારે
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬]
ગાંધીજી
[૨૮
ગાંધીજી રાલેંટ ઍકટ વિરુદ્ધના રાષ્ટ્રીય આંદોલનના નેતા બની ગયા ત્યારે સત્યાગ્રહના સિદ્ધાંતા અનુસાર પ્રામત કેળવવા તેમણે તા. ૭-૯-૧૯૧૯થી ‘નવજીવન’ અને ૮-૧૦-૧૯૧૯થી ‘ય’ગ ઇન્ડિયા' પેાતાના તંત્રીપદે શરૂ કર્યાં, સાપ્તાહિકાના ઉદ્દેશ માત્ર રાજકીય નહોતા. રાજકીય પ્રશ્નોની ચર્ચા દ્વારા ગાંધીજી પ્રજાને સત્ય ને અહિંસાના સિદ્ધાંતામાં કેળવવા ઇચ્છતા હતા. આ સિદ્ધાંતા માત્ર તર્ક બુદ્ધિના નિર્ણયા નહી' પણ હૃદયના સંસ્કાર હતા, અને તેથી ગાંધીજી અંગ્રેજીમાં સિદ્ધહસ્ત લેખક હાવા છતાં પહેલેથી જ જોઈ શકયા હતા કે અંગ્રેજી કરતાં માતૃભાષા ગુજરાતી દ્વારા તેઓ એ સિદ્ધાન્તા પ્રજા સમક્ષ વધુ સાચા સ્વરૂપમાં મૂકી શકશે. ગુજરાતીમાં લખવાનું પસંદ કરવાનું કારણ સમજાવતાં તેઓ કહે છે: “મારે હિન્દની સેવા કરવી છે તા. હું ઈંગ્રેજી ભાષામાં જ મારા આત્મા કેમ ન રેડ. એવા કાઈ પ્રશ્ન ઉઠાવે તા હું કહેવા ઇચ્છું છું કે જન્મ અને કર્મથી ગુજરાતી હાઈ હું ગુજરાતના જીવનમાં આતાત થઈ જાઉં તા જ હું હિન્દની શુદ્ધ સેવા કરી શકું.” .”૪૯ ગુજરાતી દ્વારા પેાતાના આત્મા રેડવામાં ગાંધીજી એટલા સફળ રહ્યા કે અંગ્રેજી કરતાં ગુજરાતીમાં તેઓ હમેશાં હૃદયના વધુ ઊંડા સ્તરથી ને વાચકની સાથે વધુ આત્મીયભાવથી લખતા જણાય છે, અને રાજકીય ઝંઝાવાતાની વચ્ચે કાઈ કાઈ વાર એમનાં અંગ્રેજી લખાણેામાં પુણ્યપ્રદેાપના આવેગે ઊછળી આવે છે અથવા વ્યગ્રતા કે નિરાશાના સૂર સંભળાય છે ત્યારે ગુજરાતીમાં એમની કલમ ભાગ્યે જ ક્ષુબ્ધ બને છે.
આકાર લેતા વિચારાનુ આલેખન
લેખક તરીકે ગાંધીજીનું બધું ધ્યાન એમને જે કહેવાનુ હોય છે તેના પર કેન્દ્રિત થયેલુ હાય છે. એટલે સામાન્ય રીતે એમનાં લખાણેામાં આપણે જે જોઈએ છીએ તે એમના પૂરા ઘડાયેલા, બંધાયેલા વિચારા. પરંતુ કેાઈ પ્રસંગ કે દૃશ્યમાંથી વિચારો ઊગતા હેાય અને આકાર લઈ રહ્યા હોય એવા અનુભવેાનું પણ ગાંધીજી વર્ણન કરી શકે છે. ૧૯૧૯ થી ૧૯૨૨ના ગાળાના, ‘પંજાબને પત્ર’ લેખમાળા૫૦, ‘વિચારમય જીવન’૫૧, ‘ગુજરાતીઓનેપર, ‘મધુરી ને પુષ્પાપ, આસામના અનુભવ' લેખમાળા૫૪, પતિત બહેનેાપપ, વગેરે લેખાને આ પ્રકાર ના ગણાવી શકાય. ‘પંજાબને પત્ર’ લેખમાળામાં ગાંધીજીએ જલિયાનવાળા બાગના હત્યાકાંડ પછી તે પજાબની મુસાફરીએ ગયા હતા ત્યાં જનતાએ – વિશેષે સ્ત્રીએએ – એમના પર જે પ્રેમ વરસાવ્યા હતા તેનું ઉત્સાહભર્યું" વર્ણન કર્યું છે અને એ પ્રેમના અનુભવે પ્રેરેલી શુદ્ધ નમ્રતાની લાગણી પ્રગટ કરી છે. વિચારમય જીવન' એક નાનાસરખા નિબંધ બન્યા છે. તેમાં જે ગાડામાં પેાતે મુસાફરી કરી
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ', ૪
રહ્યા હતા તેના હાંકનાર બળદેશને આરવાળા પરાણાથી ત્રાસ આપતા હતા તે જોઈ ‘આપણું જીવન કેવું વિચારશૂન્ય ને ધ્યાન્ય છે” તેનું થયેલું ભાન અને સ્વરાજ માટે કેટલી આત્મશુદ્ધિની જરૂર છે તેના વિચાર વ્યક્ત થયાં છે. ‘ગુજરાતીએને એ લેખમાં સિંધી ભાઈએના પ્રેમને ગુજરાતના પ્રેમ સાથે સરખાવી ગાંધીજી ગુજરાતની હિંદુસ્તાન પ્રત્યેની ફરજના વિચાર કરે છે. ‘મધુરી ને પુષ્પા’ એ પ્રેમાળ ખાલિકાને ગાંધીજી તેમનાં ઘરેણાં દાનમાં આપી દેવા સમજાવે છે તેમની સાથેના સંવાદ છે, ‘આસામના અનુભવ'માં આસામના સૃષ્ટિસૌંદર્ય ને ત્યાંની સ્ત્રીઓના કળાકૌશલનું ઉમળકાભર્યું વર્ણન છે, જયારે પતિત બહેનેા'માં વૈશ્યાઓના એક ડેપ્યુટેશન સાથે થયેલી સૌજન્ય ને માનવતાભરી વાતચીતના સાર છે. વાચકની સાથે મિત્રભાવે વાતચીત કરતા હાય એવી રીતે લખાયેલા આ લેખા ને સંવાદ ગાંધીજીની કલમની એક અણુવિકસિત રહેલી સર્જકશક્તિની સાક્ષી પૂરે છે.
નવપલ્લવિત સજ કતાનાં ફળ
૧૯૨૨માં ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે છેલ્લા કેટલાક સમયથી તેઓ અંગ્રેજી રાજ્ય પ્રત્યે પુણ્યપ્રાપની, અંત્યજો તરફની “હિંદું ડાયરાહી' માટે વ્યગ્રતાની, અને અસહકારના રચનાત્મક કાર્યક્રમનો નિષ્ફળતાને લીધે નિરાશાની જે લાગણી અનુભવતા હતા તેના તણાવમાંથી તે મુક્ત થયા અને આત્મનિરીક્ષણ કરતાં મૃદુતા અને નમ્રતા પ્રેરતા સત્યનું દર્શન એમને થયુ. મૃહુતા અને નિરંહતાને આ અનુભવ એમને માટે સર્જનપ્રેરક બની રહ્યો. એ અનુભવના આનંદ તે એની ચમત્કૃતિ, ગાંધીજીમાં રહેલા કવિત્વને પ્રફુલ્લિત કરે છે અને તે હવે ગુજરાતીમાં, એમના પ્રેમકામળ હૃદયની સંવેદનશીલતા, એમની ઉત્કટ સેવાભાવના ને ભક્તિવિનમ્રતાની વાચકને ઉલ્લાસપૂર્ણ ઝાંખી કરાવતી, શાંત ગતિથી વહેતા નિર્મળ ઝરાની યાદ કરાવે એવી પ્રાસાદિકતા ધરાવતી ગદ્યશૈલી સિદ્ધ કરે છે. ૧૯૨૩ થી ૩૦ દરમિયાન લખાયેલ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ’, ‘આત્મકથા', ‘અનાસક્તિ યેાગ'ની પ્રસ્તાવના અને ‘મગળપ્રભાત'ના પ્રવચનલેખામાં એ ગદ્યશૈલીને ઉચ્ચતમ ઉન્મેષ પ્રગટ થયેા છે, અને તે ઉપરાંત આ સમયગાળાના ખીજા કેટલાય છૂટાછવાયા લેખેામાં પણ ગાંધીજીની નવપ્રાપ્ત સત્યદષ્ટિની મધુરતા વાચકના હૃદયને કાઈ અગમ્ય રીતે સ્પશી જાય છે.
ગાંધીજીની સત્યદૃષ્ટિને મૃદુ બનાવવામાં એમની રામક્તિના મહત્ત્વના ફાળા હતા. બાળપણમાં વવાયેલા રામભક્તિના ખીજને પાછળથી રામરિતમાનસ’ના વાયને પેાધ્યું, પરંતુ એ રીતે ઊગેલા છેાડ ઉપર પુષ્પ આવતાં વર્ષો નીકળી ગયાં.
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬]
ગાંધીજી
* [૨૮૫.
‘નવજીવનના ૫-૬-૧૯૨૪ના અંકમાં “પ્રેમનો અભાવ કે ઊભરો' એ નામના લેખમાં પહેલી વાર એ પુષ્પની મધુરતા અનુભવાય છે. “રામ તો,” ગાંધીજી લખે છે, “મારે ઘેર આવ્યા છે અને એ “રામને હું ભંગીમાં ને બ્રાહ્મણમાં જોઉં છું, તેથી બંનેને વંદન કરું છું.” ૫૬ એક વર્ષ પછી લખેલા “રામનામ મહિમા” લેખમાં પતે પહેલી વાર રામનામને પ્રભાવ અનુભવ્યો હતો એ પ્રસંગનું ગાંધીજીએ ભક્તિભર્યું વર્ણન કર્યું છે. રામનામથી એમનું હૃદય કેવું પ્રફુલ્લિત થઈ ઊઠતું એના કેટલાય ઉલેખ આ પછીનાં ગાંધીજીનાં ગુજરાતી ને અંગ્રેજી લખાણે ને ભાષામાં મળે છે. ગુજરાતી કરતાંય અંગ્રેજીમાં એ ઉલ્લેખો વધુ કવિત્વમય છે.પ૮ સન ૧૯૨૫માં કન્યાકુમારીના સૌંદર્યદર્શનમાંથી ગાંધીજીએ ધર્મભાવનાની પ્રેરણ મેળવી હતી તે પણ રામકથાના સંસ્કારને આભારી હશે અને એ જ સંસ્કારે, કદાચ, ગાંધીજી ત્યાગશીલ સ્ત્રીઓ પ્રત્યે ઊંડી ભક્તિ અનુભવતા અને સ્વૈચ્છિક વૈધવ્યને હિંદુધર્મનો શણગાર માનતા, ત્યાગમૂર્તિપ, અને “ગં.સ્વ. વાસંતીદેવી”૦ એ બે લેખે ગાંધીજીની આ સંસ્કારદષ્ટિનાં ઉત્તમ ઉદાહરણ છે. જોકે ગાંધીજીના હિંદુસંસ્કારમાં અર્વાચીન મૂલ્યો પણ ભળ્યાં છે અને તેથી તેમની સ્ત્રીભક્તિ એમને બળાત્કારે પળાવેલા વૈધવ્યની આકરી ટીકા કરવા પ્રેરે છે. ૬૧
ગાંધીજીની નવપલ્લવિત સર્જકતાનાં સાહિત્યિક દષ્ટિએ ઉત્તમ ફળ આવ્યાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ” અને “આત્મકથામાં. એ બે કૃતિઓમાં એમણે સત્યાગ્રહના પ્રથમ પ્રયોગની અને એમની સત્યદષ્ટિ તથા અહિંસાભાવનાના વિકાસની કથા આલેખી છે. એ કથાના આલેખનમાં ઇતિહાસકારની સ્વસ્થતા ને તટસ્થતાની સાથે એક મહાન સત્યના દર્શનનો ઉલ્લાસ ભળ્યો છે. વઝવર્થ કહે છે તેમ કાવ્યસર્જનની પ્રેરણા કવિના ઊર્મિવેગોની એના સ્વસ્થ ચિત્તમાં થતી સ્મૃતિમાં – emotion recollected in tranquilityમાં – હેય છે. કાવ્યના એ અર્થમાં ગાંધીજીની બને કૃતિઓ કાવ્ય છે. બાળપણમાં ચોરીની કબૂલાત કરતી ચિઠ્ઠી પિતાના હાથમાં મૂકી હતી તે પ્રસંગે પિતાને થયેલા દુઃખનું વર્ણન કરતાં ગાંધીજી “આત્મકથામાં લખે છે: “હું ચિતારો હોઉં તે એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું"(પૃ. ૨૪). તેમના આ દાવામાં કઈ અતિશયોક્તિ નથી. ભૂતકાળની સ્મૃતિને શબ્દબદ્ધ કરવાની ગાંધીજીમાં અસાધારણ શક્તિ છે એની દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને “આત્મકથા' એ બને કૃતિઓ સાક્ષી પૂરે છે. પરંતુ ભારતીય પરંપરામાં દ્રષ્ટા કરતાં દર્શનનું વધારે મહત્વ છે અને એ પરંપરામાં ઘડાયેલા ગાંધીજીના માનસને ભૂતકાળની કથામાં એ કથા માટે, અભિવ્યક્તિના આનંદ માટે, રસ નથી. જે સત્યની એમણે ઝાંખી કરી છે તે
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ગ્ર'. ૪
અતિમૂલ્યવાન છે, સમગ્ર માનવજાતને ઉપકારક છે, એ શ્રદ્ધાએ એમને પેાતાના અનુભવે પ્રજા સમક્ષ મૂકવા પ્રેર્યા છે. ભૂતકાળને ગાંધીજીએ નિરત ભાવથી જોવાને અને નિરૂપવાના પ્રયત્ન કર્યો છે, અને તેથી એ કથા લખવાની ક્રિયા જાતે જ, ગાંધીજી માટે, એક સત્યના પ્રયાગ બન્યા છે. ભૂતકાળનુ' આ આલેખન એમના આંતરિક વિકાસની દૃષ્ટિએ ગાંધીજી માટે અતિઉપકારક બની રહે છે. પેાતાના જીવનમાં એક મહત્ત્વનું સત્ય પ્રગટ થયું છે એ ભાવને શબ્દબદ્ધ કર્યાં છી એમનું હૃદય ભૂતકાળના પ્રભાવમાંથી મુક્ત થતું જણાય છે; ક્ષણેક્ષણે અતીત અનતા વમાનને ભૂલી તેએ નવા સર્જાતા વત માનમાં વવાની કળા શીખે છે અને નિત્ય નવીન સત્યની અનુભૂતિના અધિકારી બને છે.
૬. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'
પ્રયાજન : યરવડાના જેનિવાસ દરમિયાન ગાંધીજીએ ૨૬-૧૧-૧૯૨૩ના દિવસે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ' લખવાનું શરૂ કર્યાં. અને તેનાં પ્રકરણેા નવજીવનના ૧૩-૪-૧૯૨૪થી ૨૨-૧૧-૧૯૨૫ સુધીનન અકામાં છપાયાં. ગાંધીજીની ધરપકડ પછી અસહકારનું આંદોલન મંદ પડી ગયું હતું, પરંતુ એ દેશવ્યાપી હતાશાના વાતાવરણમાં પણ સત્યાગ્રહની શક્તિ વિશેની ગાંધીજીની શ્રદ્ધા અચળ રહી હતી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ એ પ્રકારના આંદોલનના પ્રથમ પ્રયાગ હતા, એટલુ' જ નહીં પણ ગાંધીજીની દષ્ટએ તે સંપૂર્ણ સફળ નીવડયો હતા. એટલે એ લડતના ઇતિહાસ દ્વારા ગાંધીજી સત્યાગ્રહ ઉપરની પેાતાની શ્રદ્ધાનું પુનરુચ્ચારણ કરે છે. પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “એ ઇતિહાસનાં સ્મરણેા ઉપરથી હું જોઉં છું કે, આપણી આજની સ્થિતિમાં એક પણ વસ્તુ એવી નથી કે જેને અનુભવ નાના પાયા ઉપર દક્ષિણ આફ્રિકામાં મને ન થયેા હેાય. આરંભના એ જ ઉત્સાહ, એ જ સંપ, એ જ આગ્રહ, મધ્યમાં એ જ નિરાશા, એ જ અણગમા, આપસઆપસમાં ઝઘડા, દ્વેષાદિ, તેમ છતાં મૂઠીભર લાકામાં અવિચળ શ્રદ્દા, દૃઢતા, ત્યાગ, સહિષ્ણુતા તેમ જ અનેક પ્રકારની ધારેલીઅણુધારેલી મુસીબતા. હિંદની લડતનેા અંતિમ કાળ બાકી છે. એ અતિમ કાળની હું તા જે સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં અનુભવી ચૂકયો છું, તેની જ આશા અહીં પણ રાખું છું.” ગાંધીજીના આશય દક્ષિણ આફ્રિકાની લડતનાં આ ભરતી-ઓટ નિરૂપવાના છે, જેથી ભારતમાં ચાલી રહેલી લડતનાં ભરતી-એટ પ્રજા યેાગ્ય પરિપેક્ષ્યમાં જોઈ શકે અને સત્યાગ્રહના અંતિમ વિજય વિશે પેાતાની શ્રદ્ધા ટકાવી રાખી શકે.
/
.
સાહિત્યિક ઇતિહાસગ્રંથ : દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ એ માત્ર રાજકીય બનાવાના ક્રમબદ્ધ ઇતિહાસ નથી, એ ઇતિહાસ દ્વારા ગાંધી
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬ ]
ગાંધીજી
[ ૨૮૭
જીએ સત્યાગ્રહની કલ્પનાના ઉદ્ભવ તે વિકાસ આલેખ્યાં છે. સત્યાગ્રહની કલ્પનાના વિકાસ એ અનુભવ ને ચિંતનની એક જીવંત પ્રક્રિયા છે, અને ગાંધીજીની કલમ એ પ્રક્રિયાની મુખ્ય રેખાએતે સ્પષ્ટ કરી આપે એ રીતે ભૂતકાળનું પુનઃસર્જન કરી શકી છે. સત્યાગ્રહના સિદ્ધાંતા, પ્રસ ંગા ને પાત્રાના નિરૂપણમાંથી સ્વાભાવિક રીતે ફલિત થતા હાય એ રીતે એમની ચર્ચા કથાપ્રવાહમાં વણી લેવાઈ છે અને તેથી ઇતિહાસકથા દસ્તાવેજી ઇતિહાસ મટી અનુભવકથા બની છે. વળી અસ`ખ્ય રાજકીય ને કાનૂની હકીકતા ને વિગતામાંથી ગાંધીજીએ પેાતાનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરી આપે એટલી જ હકીકતા તે વિગતા, અને તે કથાના રસપ્રવાહને અસ્ખલિત રાખે એ રીતે, આપી છે. કથામાં ભાગ લેતાં પાત્રાનાં ટૂંકાં પણ રસપ્રદ રેખાચિત્રા આપ્યાં છે, પ્રસંગાપાત્ત સચાટ સંવાદો આપ્યા છે અને લડતના ઇતિહાસ એવી રીતે આલેખ્યા છે કે તેનેા અંત આદિના સ્વાભાવિક પરિણામ રૂપે દેખાય. ગાંધીજીની આ આલેખનરીતિએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ'ને એક સાહિત્યકૃતિ ગણી શકાય એવા – ગુજરાતીમાં કદાચ એકમાત્ર – ઇતિહાસગ્રંથ બનાવ્યા છે.
-
ભૂમિ અને પ્રજાનું વર્ણન પહેલા પ્રકરણમાં દક્ષિણ આફ્રિકાનાં ભૌગાલિક લક્ષણ્ણાનું વર્ણન કરી ગાંધીજીએ ખીજામાં ઝૂલુ તથા ખેાઅર પ્રાનાં ચિત્ર તથા હિંદીઓના આગમન પહેલાંના રાજકીય ઇતિહાસ આપ્યા છે. દક્ષિણ આફ્રિકા પેાતાના જ દેશ હાય તેમ ગાંધીજીએ એને પ્રેમથી જોયા ને વર્ણવ્યા છે. જે પ્રેમ ને કવિદષ્ટિથી એમણે દક્ષિણ આફ્રિકાની ભૂમિને જોઈ છે એ જ પ્રેમ ને કવિદૃષ્ટિથી ગાંધીજીએ ત્યાંના મૂળ વતની ઝૂલુએને જોયા છે અને વલંદા ને અંગ્રેજોના આગમન પછી એમની જે અવદશા થઈ તેનું માનવતાપ્રેમભરી દષ્ટિથી નિરૂપણ કર્યું છે. પેાતે અહિંસાના પૂજક હેાવા છતાં તથા ખેાઞર લોકોએ ઝૂલુ પ્રજાના ભાગે દક્ષિણ આફ્રિકામાં આધિપત્ય જમાવ્યું હતું અને એમની સામે જ હિંદી કામે છ વર્ષ સુધી સત્યાગ્રહની લડત ચલાવી હતી છતાં ગાંધીજીએ એ પ્રજાની – વિશેષે એની સ્ત્રીઓની – વીરતાનું, તેના સ્વાતંત્ર્યપ્રેમનુ ને માતૃભાષા પ્રત્યેની તેની ભક્તિનું અહેાભાવપૂર્વક વર્ણન કર્યું છે. આમ જે પ્રદેશમાં ને જે પ્રા વચ્ચે સત્યાગ્રહની લડત ચલાવવામાં આવી હતી તેમનું ગાંધીજીએ વાચકનાં કલ્પનાચક્ષુ સમક્ષ સજીવ ચિત્ર ઉપસાવ્યું છે અને એ અપરિચિત પ્રદેશમાં તે પ્રજાની વચ્ચે વસતી હિંદી કામના ચિત્રને ત્રીજું પરિમાણુ બઢ્યું છે.
હિંદી કામની કથા : લડતનાં ભરતી-ઓટ ઃ આમ વાચકનાં કલ્પનાચક્ષુને જાગ્રત કરે એ રીતે દક્ષિણ આફ્રિકાંની ભૌગોલિક ને ઐતિહાસિક ભૂમિકા દોર્યા પછી ગાંધીજીએ હિંદી કામની કથા શરૂ કરી છે. ત્રીજા પ્રકરણમાં કયા કયા વના
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૯ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ શ્ર', ૪
હિંદી કઈ રીતે અને કયા હેતુથી દક્ષિણ આફ્રિકા આવ્યા તે હકીકતા આપ્યા પછી ચોથાથી સાતમા પ્રકરણ સુધીમાં ગાંધીજીએ હિંદી કામની મુસીબતેનું અને ૧૯૦૬ની સાલમાં સત્યાગ્રહના નિર્ણય લેવાયા તે પહેલાં એ મુસીબતે ના નિવારણ માટેના હિંદી કામના બંધારણીય પ્રયાસેાનું વર્ણન કર્યુંં છે. આ ઇતિહાસ એક બાજુથી ગારાઓમાં રંગદ્વેષની મનેવૃત્તિ કેટલી ઊંડી હતી તેને ચિતાર આપે છે, તા ખીજી બાજુથી ગાંધીજીના માનસમાં સત્ય ને અહિંસા માટેને આગ્રહ કેટલા તીવ્ર હતા તેના ખ્યાલ આવે છે, અને સાથે સાથે ૧૯૦૬માં આવનારા સત્યાગ્રહના નિયની ભૂમિકા બાંધે છે; એ બધારણીય પ્રયાસેાની નિષ્ફળતામાંથી ઉદ્ભવેલી હતાશાએ જ હિંદી કામને રજિસ્ટ્રેશન કાયદાના ભંગ કરવા, તટસ્થ નિરીક્ષકને મરણિયા લાગે તેવા, નિણૅય કરવા પ્રેરી હતી. જોહાનિસબર્ગ ના એમ્પાયર થિયેટરમાં મળેલી જે સભામાં એ નિર્ણય લેવાયે તેનું વન, સત્યાગ્રહના ઇતિહાસમાં વારાફરતી આવતાં ઉત્સાહનાં ભરતી-ઓટમાં પહેલી ભરતીનું વર્ણન છે. એકલા દક્ષિણ આફ્રિકાના જ નહીં પણ પાછળથી ભારતના અને તે દ્વારા જગતના ઇતિહાસને મહત્ત્વના વળાંક આપનાર સત્યાગ્રહના શસ્રના ઉદ્ભવતુ ગાંધીજીએ કરેલું આ વર્ણન એમની કથનકળાનુ એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. ત્રણ પ્રકરણામાં પૅસિવ રેસિસ્ટન્સ ને સત્યાગ્રહ વચ્ચેના ભેદની ચર્ચા તથા ઇંગ્લેંડ ગયેલા ડેપ્યુડેશનના વન પછી સેાળમા પ્રકરણમાં ફરીથી ઉત્સાહનુ પૂર આવે છે, અને ક્રામની પાસે પરવાના કઢાવવા સરકારે કરેલા પ્રયાસેા, પરવાનાની ઑફિસે આગળ પિક્રેટિંગ કરતા સ્વયંસેવકેા, ક્રામમાં પડેલી ફાટફૂટ, ડિસેમ્બર માસમાં પહેલા સત્યાગ્રહી પકડાયા તે પછી આવેલી પકડાપકડી – એ બધાંનું ગાંધીજીએ એક વાર્તાલેખકની કળાથી વર્ણન કર્યું છે.
આ પછી સમાધાની, કામમાં વિખવાદ, જનરલ સ્મટ્સે કરેલા વિશ્વાસભંગ, ફરી સત્યાગ્રહ, કામચલાઉ સમાધાન, ગેાખલેની મુલાકાતથી કાયમી સમાધાનની આશા, એ આશાને ભંગ વગેરેમાંથી પસાર થતી કથા ૧૯૧૩ના છેવટના સત્યા ગ્રહ સુધી પહેાંચે છે. એ સત્યાગ્રહની શરૂઆત બહુ ઉત્સાહજનક નહેાતી. પરંતુ આ છેલ્લી લડત શરૂ થઈ તે પહેલાં તાસ્તાયફા ઉપર તાલીમ પામેલી સ્ત્રીઓની એક નાની ટુકડી લડતમાં જોડાઈ અને થાડા જ સમયમાં વાતાવરણ બદલાઈ ગયું. “ દક્ષિણ આફ્રિકાના હિંદી જાગ્યા. તેઓની નિદ્રા ભાગી. તેમાં નવું ચેતન આવ્યું જણાયું.' (પૃ. ૨૬૫). સરકારે ગાંધીજીને પકડચા અને લડતમાં જોડાયેલા ખાણમજૂરા ઉપર દમનના દ્વાર છૂટા મૂકયા. અત્યાચારાના સમાચાર હિંદુસ્તાન પહેાંચ્યા અને “ પરિણામે આખું હિંદુસ્તાન ભડકી ઊઠયું.” (પૂ. ૨૯૨). છેવટે જનરલ સ્મટ્સે નમતું જોખ્યુ, તપાસ કમિશન નિમાયુ,
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬] ગાંધીજી
[૨૮૯ : તેની ભલામણ હિંદીઓની તરફેણમાં આવી અને હિંદીઓની બધી માગણીઓ કબૂલ કરવામાં આવી. આમ, ૧૯૦૬માં થરૂ થયેલી લડત ભરતી-ઓટમાંથી પસાર થતી ૧૯૧૩ના અંત ભાગમાં એક પૂરની જેમ અનવરાધ્ય બની ગઈ અને હિંદી કેમના સંપૂર્ણ વિજયમાં પરિણમી.
વ્યક્તિચિત્રો: લડતનાં ભરતી-ઓટની સાથેસાથે ગાંધીજીએ એની સાથે સંકળાયેલી વ્યક્તિઓના ટૂંકાં, પ્રેમભાવ કે અહેભાવભર્યા રેખાચિત્ર દેર્યા છે તે પણ ઇતિહાસકાને એક જિવાયેલી અનુભવકથાનું રૂપ આપવામાં મદદ કરે છે. “ખેતીની બધી આંટીઘૂંટીઓ” જાણનાર ને “ધેટાંની પરીક્ષામાં કુશળ” જનરલ બેથા, જેની “આંખમાંથી જ્યારે જુઓ ત્યારે પ્રેમને ઝરો જ ઝરત હાય” અને જે “વિદુષી હોવા છતાં ઘરનાં વાસણ સુધ્ધાં પોતે જ સાફ કરતી” તે ઑલિવ શ્રાઈનર, જેના ઉપર પ્રેમ હોવાથી દેવતાઓ એને “ભરજુવાનીમાં લઈ ગયા હતા તે, વિના પગારે ગાંધીજીને લંડનમાં કારકુન તરીકે સેવાઓ આપનાર “પરદુઃખભંજન” અંગ્રેજ સિમંસ અને સોળ વર્ષની ઉંમરે ગાંધીજીની ઓફિસમાં ટાઈપિસ્ટ તરીકે જોડાઈ પિતાની કર્તવ્યનિષ્ઠાથી તેમનું હૃદય જીતી લેનાર “પવિત્ર બાળા” કુ. શ્લેશિનનાં રેખાચિત્રો દેશજાતિની સીમાઓ ઓળંગી જ્યાં દેખાય ત્યાં માનવચારિત્રયના ઉમદા ગુણ ઓળખવાની ગાંધીજીની શક્તિની સાક્ષી. પૂરે છે. પરંતુ ગોરા સહાયકમાંથી ગાંધીજીના હૃદયમાં અગ્રસ્થાન ડોક કુટુંબનું હતું અને સન ૧૯૦૮ની સમાધાનીથી ગુસ્સે થયેલા પઠાણ મીર આલમે ગાંધીજી ઉપર હુમલો કર્યો ત્યારે એ કુટુંબે એમને પોતાને ઘેર રાખી તેમની પ્રેમભરી સેવા કરી હતી તેના વર્ણનમાં દરેક વાગ્યે ગાંધીજીના હૃદયને કૃતજ્ઞતાભાવ નીતરે છે.
હિંદીઓમાંથી ગાંધીજીના મનનું હરણ કરનાર શેઠ અહમદ મહમદ કાછલિયા, થંબી નાયડુ, સોરાબજી શાપુર અડાજણિયા, શેઠ દાઉદ મહમદ અને તેમને “સ્ફટિકમણિ સમાન” હૃદયને, નાની ઉંમરે ક્ષયથી મૃત્યુ પામતાં તીવ્ર ઈચ્છા છતાં સત્યાગ્રહમાં ભાગ ન લઈ શકનાર “અમૂલ્ય દીકરો” હસન, પારસી રુસ્તમજી, ઈમામ સાહેબ બાવાઝીર, પી. કે. નાયડુ, સત્યાગ્રહમાં મૃત્યુને ભેટનાર યુવકે નાગાપન ને નારાણસામી તથા યુવતી વાલિયામા ને ૭૫ વર્ષને બુઢ્ઢો હરબતસિંગ એ સર્વનાં ગાંધીજીએ પ્રેમભર્યા આદરથી ચિત્રે આપ્યાં છે. સોરાબજી અડાજણિયા માટે તે એક સ્વતંત્ર પ્રકરણ રોકયું છે, અને વાલિયામાં માટે ગાંધીજીના હૃદયમાં ભક્તિ જ ઊભરાય છે. “પણ પથ્થર કે ચૂનાને હેલ બંધાઓ વા ન બંધાઓ, તેઓ લખે છે, “વાલિયામાની સેવાને નાશ નથી. એ સેવાને વ્હેલ તો તેણે
ગુ. સા. ૧૯
Page #299
--------------------------------------------------------------------------
________________
• ૨૯૦ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ પિતાને હાથે જ બાંધ્યો. તેની મૂર્તિ ઘણાં હૃદયમંદિરમાં આજે પણ બિરાજે છે અને જ્યાં લગી ભારતવર્ષનું નામ છે ત્યાં લગી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં વાલિયામાં તો છે જ” (પૃ. ૨૬૬), મૃત્યુના આરે ઊભેલા હરબતસિંગની દઢતા ભવ્ય હતી. “મેં હરગિજ જેલ નહીં છેડૂગા. મુઝે એક દિન તે મરના હૈ, અસા દિન કહાં સે મેરા મોત યહાં હૈ જાય.” સ્વદેશભક્ત ગાંધીજી લખે છેઃ “મારું માથું આ નિરક્ષર જ્ઞાનીની આગળ નપું” (પૃ. ૨૮૯).
પ્રસંગચિત્રો: ભિન્નભિન્ન રંગવાળાં “મનુષ્યપુરનાં ચિત્રોની જેમ ગાંધીજીએ પુસ્તકમાં ઠેકઠેકાણે આપેલાં પ્રસંગચિત્રો ને સંવાદો પણ વાચકનાં કલ્પનાચક્ષુને સતત જાગ્રત રાખે છે. નાતાલની રાજધાની મેરિટ્ઝબર્ગન સ્ટેશને તેમને રેલવે પોલીસના ધક્કા ખાવા પડેલા તે રાત્રિ દરમિયાનની એમની માનસિક સ્થિતિનું વર્ણન, વ્યક્તિના હૃદયમાં કોઈ ગંભીર નિર્ણયની ફુરણાની પ્રક્રિયાનું એક સચેટ ચિત્ર છે, અને ૧૮૯૬ના અંતમાં તેઓ દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા ત્યારે ડરબનમાં તેમના ઉપર થયેલા હુમલાનું વર્ણન એક ટૂંકી વાર્તા જેવું બન્યું છે. સામાન્ય માણસને ઘડીભર ગભરાવી મૂકે એવા એ પ્રસંગને વર્ણનમાં ગાંધીજીની વિદત્તિ પણ અહીંતહીં દેખા દઈ જાય છે. સુપરિન્ટેન્ડેન્ટ ઍલેક્ઝાંડર ને ટોળા વચ્ચેના સંવાદમાં (પૃ. ૫૬–૭) વિનોદની જે સૂક્ષમતા દેખાય છે તે ગુજરાતી સાહિત્યમાં બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે. પહેલા ભાગના બાવીસમા પ્રકરણમાં સમાધાની સમજાવવા બોલાવેલી સભામાં ગાંધીજી અને એક પઠાણ વચ્ચે સંવાદ, પરવાના માટે અરજી કરવા ગાંધીજી જઈ રહ્યા હતા ત્યારે મીર આલમે તેમના ઉપર કરેલા હુમલો, ડોક કુટુંબમાં ગાંધીજીની સારવાર, પથારીમાં પડેલા ગાંધીજી પાસે અશ્રુભીની આંખે આંગળીઓની નિશાની લેતા
એશિયાટિક ઍફિરાર ચમનીનું વર્ણન, આ સર્વેમાં ગાંધીજીએ ઈતિહાસકથાને પિતાના અનુભવની કથા રૂપે એવી રીતે આલેખી છે કે સત્યાગ્રહમાં રહેલી પ્રેમ ને અહિંસાની ભાવના કેઈ પણ પ્રકારની સિદ્ધાંતચર્ચા વિના એની મેળે ફુટ થઈ જાય છે. પવિત્રતાના રક્ષણ માટે ગાંધીજીએ બે બાળાઓના વાળ કાપી નાખેલા અને ગોખલેએ કૅલનબૅક ને ગાંધીજીને એમની સેવા કરવાનો આગ્રહ માટે ઠપકે આપેલે તે પ્રસંગે તૉ તૉય ફાર્મ વિશેનાં પ્રકરણોને કથાદષ્ટિએ નીરસ બનવામાંથી બચાવી લે છે. સન ૧૯૧૩ના છેલ્લા સત્યાગ્રહ વેળાના જુસ્સાને પણ ગાંધીજીએ બે-ત્રણ પ્રસંગોના અતિટૂંકા વર્ણન દ્વારા સચોટ ચિતાર આપી દીધો છે. આવા અનેક નાનામોટા પ્રસંગે “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસના રસપ્રવાહને વહેતે રાખે છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી
[ ૨૯૧
66
સત્યાગ્રહના સિદ્ધાંતા: સત્યાગ્રહની સિદ્ધાંતચર્ચા પણ ગાંધીજીએ ક્રાઈ ને કાઈ પ્રસંગના સંદર્ભોમાં કરી છે અને એ રીતે તેને નીરસ બનવામાંથી બચાવી લીધી છે. એક સભામાં, હિંદી કામે નબળાના હથિયાર તરીકે પૅસિવ રેઝિસ્ટન્સ’ના આશ્રય લીધા હતા એમ કહેવાયુ. તેના ઉત્તરમાં ગાંધીજીએ પેસિવ રેઝિસ્ટન્સ’ ને સત્યાગ્રહ વચ્ચેના ભેદ સમજાવ્યા કે પૅસિવ રેઝિસ્ટન્સમાં પ્રેમભાવને અવકાશ નથી ત્યારે સત્યાગ્રહમાં વેરભાવને અવકાશ નથી, એટલું જ નહીં, પણ વેરભાવ અધર્મ ગણાય” (પૃ. ૧૦૭). વળી, સત્યાગ્રહમાં જેટલું અહિંસાનું મહત્ત્વ છે તેટલું જ સત્ય માટેના આગ્રહનું મહત્ત્વ છે. સત્યના આગ્રહને કારણે પેાતાના પક્ષની રજૂઆતમાં “અતિશયાક્તિથી પ્રશ્ન હ ંમેશા બચતી રહેતી” એટલું જ નહિ, પેાતાની ખામી પ્રજાને જોવડાવવાના હંમેશા પ્રયત્ન રહેતા. ગારાની દલીલમાં જેટલું વજૂદ હેાય તે તરત સ્વીકારવામાં આવતુ” (પૃ. ૪૪). સત્યાગ્રહી પેાતાને પક્ષે અતિશયાક્તિથી દૂર રહે છે, તેા પ્રતિપક્ષી તરફથી થતી અતિશયોક્તિને ઉદાર ષ્ટિથી જુએ છે. કારણ કે, ગાંધીજી લખે છે, “એ બધું ઇરાદાપૂર્વક નથી અનતુ'' (પૃ. ૪૮). એવી જ ઉદારતાથી તે પ્રતિપક્ષીનું માનસ સમજવા પ્રયત્ન કરે છે; “જે માણસ જેવું માનતા હેાય તેવુ... જ નિખાલસ દિલથી કહે તેમાં તેને દોષ કેમ કાઢી શકાય ?'' (પૃ. ૩૨). હિંદીએ સામેના વિરાધમાં સારામાં સારા ચારિત્રવાન ગારાએ” જે શ્ર્લીલ કરતા તે વિશે ગાંધીજી લખે છે: “એવા સંભવ છે કે આપણે એવી સ્થિતિમાં હાઈએ તા કદાચ આપણે પણ એવી જ દલીલ કરીએ....હું ઇચ્છું છું કે વાંચનાર...જુદી જુદી દૃષ્ટિએને માન આપવાની અને સમજવાની ટેવ પાડે” (પૃ. ૮૭). સન ૧૯૦૮ની સમાધીની પડી ભાંગી ત્યારે ગાંધીજીએ જનરલ સ્મટ્સ ઉપર આકરા પ્રહાર કરેલા અને તેના ઉપર વિશ્વાસભંગના આરાપ મૂકેલેા. પરંતુ સમય જતાં એમની સત્યષ્ટિ વધુ સૂક્ષ્મ બની હતી અને તેથી પુસ્તકમાં એ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ લખે છેઃ “એવું તદ્દન સંભવિત છે કે તેની ૧૯૦૮ની હિંદી તરફની વર્તણૂક જ્ઞાનપૂર્વકને વિશ્વાસભગ નહાય” (પૃ. ૧૮૨).
પ્ર. ૬]
પેાતે પણ દોષને પાત્ર છે એ જ્ઞાન સત્યાગ્રહીને ખીજાના દાષા પ્રત્યે ઉદાર બનાવે છે (પૃ. ૧૩૨), જેટલી દૃઢતાથી સત્યાગ્રહી લડી શકે છે તેટલી જ નમ્રતાથી તે સમાધાની માટે તૈયાર રહે છે (પૃ. ૨૭૨) અને અંતરખળ ઉપર આધાર રાખતા હૈાવાથી તેને વિશ્વાસઘાતના કદી ભય રહેતા નથી અને ગમે તેટલી વાર દગા થાય તે છતાં, વચના ઉપર ભરાસે ન રાખવાનું સ્પષ્ટ કારણ ન હોય ત્યાં લગી ભરાસા રાખે જ” (પૃ. ૩૦૬). સત્યાગ્રહી અભિગમનાં આ લક્ષણા પણ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૨]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચં. ૪
ગાંધીજીએ લડતની અમુક ઘટનાઓના સંદર્ભમાં સ્પષ્ટ કર્યા છે. સત્ય અને અહિંસા બંનેનું પાલન કરવાનો પ્રયતન સત્યાગ્રહીને ક્યારેક કેવા ધર્મસંકટમાં મૂકે છે એને ખ્યાલ બેઅર લડાઈ વેળા સરકારને મદદ કરવાને પ્રશ્ન ચર્ચા છે તેમાંથી આવે છે અને સત્ય ને અહિંસાના સૂક્ષમ પાલન માટે યોગ્યતા કેળવવા સત્યાગ્રહ પિતાના જીવનમાં જે સાદાઈ, સંયમ ને શિસ્ત કેળવવાનું આવશ્યક છે તેનું વિસ્તૃત વર્ણન તેૉય ફાર્મ વિશેના પ્રકરણમાં મળે છે. આ સર્વ ચર્ચાઓ ને વર્ણને સત્યાગ્રહી જીવનદષ્ટિ ને જીવનરીતિનું એક સ્પષ્ટ કલ્પનાચિત્ર સજે છે જે ગાંધીજીનું દર્શન એક કવિનું દર્શન હેવાની પ્રતીતિ કરાવે છે.
ગાંધીજીને આત્મવિકાસ: ગાંધીજીએ “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસ” આત્મકથા રૂપે નથી લખે, છતાં પોતાના આત્મવિકાસની દૃષ્ટિએ પણ એમને એ અનુભવોનું મહત્ત્વ હતું. દક્ષિણ આફિકામાં તેઓ “સ્વાર્થને બદલે સેવાધર્મને પાઠ શીખ્યા (પૃ. ૭૫) અને બીજા બે મહત્વના સિદ્ધાંતે સમજ્યાઃ “એક તે એ કે સેવાધર્મને પ્રધાનપદ આપનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ અને બીજું એ કે સેવાધર્મ કરનારે ગરીબી સદાયને સારુ ધારણ કરવી જોઈએ” (પૃ. ૯૨). તૈોસ્તોય ફાર્મ ઉપર ગાંધીજીએ સેવાધર્મના આદર્શો પ્રથમ વ્યવસ્થિત રીતે અમલમાં મૂક્યા અને એ અઢી વર્ષ તેમને માટે એક સુખદ સ્મૃતિરૂપ બની રહ્યાં. “સ્ટોય ફાર્મમાં”, તેઓ લખે છે, “મારી હિંમત અને શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચેલાં હતાં. એ શ્રદ્ધા ને હિંમત કરી આપવા હું ઈશ્વરને વનવી રહ્યો છું” (પૃ. ૨૩૦). આમ જે જીવનસાધનાએ ગાંધીજીને ભારતમાં “મહાત્મા” બનાવ્યા તેને દઢ પાયો દક્ષિણ આફ્રિકામાં નખાયો અને તેથી, ઉપસંહારમાં તેઓ લખે છે: “...જ્યાં મારા પિતાના જીવનનું નિશાન જોઈ શક્યો તે દેશને છોડવાનું મને બહુ દેહ્યલું લાગ્યું અને દિલગીર થયો” (પૃ. ૩૧૧).
૭. “સત્યના પ્રાગે અથવા આત્મકથા ખરેખરી આત્મકથા નહીં; “નવજીવનના તા. ૨૨-૧૧-૧૯૨૫ના અંકમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસને છેલ્લે હપતા છપાયે તે પછી બીજા જ અઠવાડિયાના અંકથી “સત્યના પ્રયોગો અથવા આત્મકથાની પ્રકરણમાળા શરૂ થઈ. તેને છેલ્લે હપતે ૩-૨-૧૯૨૯ના અંકમાં છપાયે. પુસ્તકનું વૈકલ્પિક શીર્ષક “આત્મકથા' છે, પરંતુ હકીકતમાં તે પ્રચલિત પ્રકારની આત્મકથા નથી. ગાંધીજીના વ્યક્તિગત જીવનની અનેક આશાનિરાશાઓ, એમના હદયના આંતરિક સંઘર્ષો, એમનાં બૌદ્ધિક મને મંથને જેના પરિણામે તેઓ
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્ર. ;]
ગાંધીજી
[ ૨૯૩
“સુધારક” અને સામ્રાજયભક્ત મટી હિંદુ સ્વરાજ'ના દ્રષ્ટા ખન્યા, એમને પ્રકૃતિપ્રેમ ને એમની ભારતભક્તિ, – ગાંધીજીના જીવનનાં આ અને આવાં ખીજા પાસાંઓ વિશે ‘અક્ષરદેહ'ના ગ્રંથામાંથી જે વિપુલ સામગ્રી મળે છે તેની સત્યના પ્રયાગા'માં માત્ર ઝાંખી જ થાય છે. વળી જે વિશુદ્ધ સત્યની’દૂરદૂરથી ઝાંખી કરી રહ્યા હેાવાના ગાંધીજી પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરે છે તેનું પણ તેમણે કાંય વર્ણન કર્યું નથી, કારણ કે, એવી અનુભવક્ષણા ‘આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે.” આ સવ સામગ્રીને સમાવેશ કરીને ગાંધીજીએ ખરેખરી આત્મકથા લખી હેાત તે! તે મનેાવૈજ્ઞાનિક દૃષ્ટિએ એક ઐતિહાસિક કૃતિ બની હાત. પ્રેમાબહેન કટકને લખેલા એક પત્રમાં તેઓ કહે છે: યંગ ઇંડિયા'ના લેખક એક; આશ્રમમાં સહુના પરિચયમાં આવનાર ખીજો.’૬૨ ‘સત્યના પ્રયોગા' એ ખીજી વ્યક્તિની જીવનકથા નથી પણ યંગ ઈંડિયા'ના લેખકની વિકાસકથા છે. આ ભેદ સમાવતાં ગાંધીજીએ પેાતે જ પ્રસ્તાવનામાં કહી દીધું છે પણ મારે આત્મકથા કાં લખવી છે? મારે તેા આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયાગા કરેલા છે તેની કથા લખવી છે, જેમાંથી ખીજા પ્રયોગા કરનારાઆને સારુ કંઈક સામગ્રી મળે.’
મિત્રભાવે કરેલી વાત : સારાનરસા સંસ્કારેાના મિશ્રણવાળા એક કિશારમાંથી સત્યાગ્રહના શેાધક બનતા ગાંધીજીની એ વિકાસકથા એક અસાધારણ ચૈતન્યશક્તિની બક્ષિસવાળા પુરુષની ધબુદ્ધિના ચમત્કારી આવિષ્કાર હતા, પરંતુ ગાંધીજી અર્વાચીન લેાકશાહી માનસના એક ઉત્તમ પ્રતિનિધિ હતા, અને પેાતાના જીવનવિકાસને એમણે પાતે વાચકના જેવા જ એક સામાન્ય માણસ છે એ ભાવથી જોયે ને આલેખ્યા છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે જેટલું મારે સારુ શકય છે તેટલું એક બાળકને સારુ પણ શકય છે,' અને એમની કળાનું જાદુ એટલું સંપૂર્ણ છે કે વાચક પણ એમ માનવા પ્રેરાય છે. આદિથી અંત સુધી એક મિત્ર તેને પેાતાની વાત કહી રહ્યો હાય એમ તે અનુભવે છે. તે જુએ છે કે એ લેખકમિત્ર સામાન્ય માણસના જેવી ભૂલાને પાત્ર છે અને પોતાની ભૂલાને તે તદ્દન સ્વાભાવિક રીતે, પશ્ચાત્તાપના આવેશમય આક્રોશ કે આડંબર વિના અથવા ભૂલેની ગંભીરતા ઓછી બતાવવા કાઈ પ્રકારની દલીલબાજી વિના કબૂલ કરતા ય છે. એનામાં અસામાન્ય લાગે એવું જે કંઈ છે તે પોતે સંકલ્પબળથી સિદ્ધ કર્યું છે એવા કઈ અહુ ભાવપ્રેરિત દાવા તે કરતા નથી; પેાતાના સમગ્ર જીવનને તે ઈશ્વરકૃપાના ફળ રૂપે જ જુએ છે. પેાતાના વિચારામાં દૃઢ છે, પણ તેમાં મતભેદને અવકાશ હેાઈ શકે એવા નમ્રભાવથી જ તે એ વિચારેની ચર્ચા કરે છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ પિતાની જીવનકથા કહેવાને એને હેતુ બેધલક્ષી છે, પરંતુ તે ક્યારેય ઊંચા
સ્થાને ઊભો રહી ઉપદેશ આપતા જણાતો નથી. પિતાના અનુભવોમાંથી તે જે શીખ્યો છે અને જે વાચકે પણ શીખી શકે એમ તે માને છે એની એ એવી રીતે ચર્ચા કરે છે કે એનું એ સત્યદર્શન એના અનુભવમાંથી સ્વાભાવિક રીતે જ ઊગતું જણાય છે અને વાચકને લાગે છે કે એવા અનુભવમાંથી કે એવી પરિસ્થિતિમાં પોતે પણ કદાચ એ રીતે વિચાર કરે. કથા એ મિત્રના આંતરવિકાસની હોઈ તે કવચિત્ ઊર્મિના આવેગોને વશ બનતા ને પ્રસંગોપાત્ત વિચારોમાં ડૂબી જતો જણાય છે, પરંતુ તરત તે વાચકને પાછો સામાન્ય વ્યવહારષ્ટિમાં લાવી મૂકે છે. કોઈ કળાકાર પોતાના પાત્રની સાથે તાદમ્ય અનુભવતો છતાં તેને તટસ્થતાથી જુએ તેમ તે પિતાના ભૂતકાળની સાથે તાદાત અનુભવતો છતાં તેને તટસ્થતાથી, ક્યારેક નર્મદષ્ટિથી પણ જુએ છે, અને તેથી એની કથા અતિશક્તિના, એકાંગી દર્શનના કે અતિગાંભીર્યના આભાસમાંથી સર્વથા મુકત રહી છે. જે વિરલ નમ્રતાએ કથનકળાની આવી સિદ્ધિ શક્ય બનાવી છે તે મનુષ્યની આધ્યાત્મિક વિકાસક્ષમતાને એક અતિઉરચ ઉન્મેષ છે અને એકસાથે ગાંધીજીના વ્યક્તિત્વનાં માનવીય ને લકત્તર અંશોનું દર્શન કરાવી જાય છે.
વિભિન્ન તંતુઓને વણાટ: “સત્યના પ્રયોગો'ને આ બોધલક્ષી હેતુ રહ્યો હોવા છતાં તે એક ચિરંજીવ સાહિત્યકૃતિ બની છે. પ્રકરણો કેવી રીતે લખાઈ રહ્યાં હતાં તે સમજાવતાં ગાંધીજી લખે છેઃ “જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યેજના તૈયાર નહોતી. લખવાને દિવસે જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય” (પૃ. ૨૭૮). એમના એ અંતર્યામીએ, કઈ નવલકથાકાર એણે લખવા ધારેલી નવલકથાના વિષયવસ્તુને જુએ તેમ એમના પ્રયોગોની કથાને આદિથી અંત સુધી એક સળંગ વિકાસ પ્રક્રિયા રૂપે જોઈ અને નિરૂપી છે. એ વિકાસકથામાં ખાનગી ને જાહેર જીવનના પ્રસંગો, ખોરાકના પ્રયોગો, સેવાભાવના, ત્યાગવૃત્તિ ને બ્રહ્મચર્ય વ્રત દ્વારા ગાંધીજીના જીવનમાં આવતું ક્રમશઃ પરિવર્તન, કેળવણીના પ્રયોગો અને ધાર્મિક વાચન તથા ચિંતન, એમ ભિન્નભિન્ન તંતુઓ વણાય છે અને એ સર્વને લગતાં પ્રકરણોને કમ એવી રીતે ગોઠવાય છે કે દરેક કથાતંતુનું સાતત્ય જળવાઈ રહે છે અને સમગ્ર રીતે ગાંધીજીનું જીવન કોઈ ચોકકસ દિશામાં ગતિ કરતું દેખાય છે. વળી, વ્યક્તિની વિકાસપ્રક્રિયા અનુભવ ને ચિંતનની સાંકળપરંપરા રૂપે ચાલે છે અને ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં એવી સાંકળપરંપરા રચીને જ વાત કરેલી છે. એથી એકવિધતા અને નીરસતાને તક મળી નથી અને યથાર્થતા પૂરેપૂરી સચવાઈ છે.
પ્રકરણુરચનાનું કૌશલ: પિતાની વિકાસકથાના વિવિધ પ્રસંગેના
Page #304
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી
પ્ર. હું]
[ ૨૯૫
આલેખનમાં ગાંધીજીએ એક સિદ્ધહસ્ત વાર્તાલેખકની કુશળતા બતાવી છે. દરેક પ્રકરણને તેમણે ટૂંકી વાર્તા કે નિબંધનેા ઘાટ આપ્યા છે અને તેને કથાના એક સાવ સ્વતંત્ર ઘટક બનાવ્યા છે. કાઈ કાઈ પ્રકરણને ઉપસંહાર કરતાં તે એ પ્રકરણમાંથી ખેંચવાનેા સાર કે સમજાવવા સિદ્ધાંત સ્પષ્ટ કરી આપે છે અથવા કથાના એક તબક્કાની સમાપ્તિ સૂચવે છે કે આવવાના પ્રકરણના વિષયને નિર્દેશ કરી તે વિશે વાચકની જિજ્ઞાસા જાગ્રત કરે છે. પ્રકરણેાની શરૂઆત પણ એટલી જ કળાત્મક હેાય છે. બાળવિવાહ'નું પ્રકરણ (૧. ૩) શરૂ કરતાં તેઓ લખે છેઃ “આ પ્રકરણ મારે ન લખવુ' પડે એમ હુ* ઇચ્છું છું.” અને એ વાકય દ્વારા એમના જીવનની એ સ્મૃતિ કેટલી દુઃખદ હતી તેને અને લગ્નનાં જે અનિષ્ટ પરિણામેાનુ તે વર્ણન કરવા ધારે છે તેના એકસાથે નિર્દેશ કરી દે છે. પ્રકરણને અંતે તેઓ લખે છે, “મેં તેા ધણીપણું આ','' અને તે એની પછીથી આવનાર પ્રકરણમાં જે વનનુ તે વર્ણન કરવાના છે તેની અગાઉથી ટીકા કરી દે છે. બાળલગ્ન ઉત્તેજિત કરેલી વિષયાસક્તિની કથા પૂરી કરી વાચક માટે તેમાંથી સાર ખેંચતાં ગાંધીજી લખે છેઃ “જે માબાપાને અથવા જે બાલદ પતીને ચેતવું હાય તે આ દૃષ્ટાંતથી ચેતા” (પૃ. ૩૧). ‘બાલાસુંદરમ્’ઉપરનું પ્રકરણ (ર. ૨૦) સચાટ શરૂઆત અને એવા જ સચેષ્ટ અંત દ્વારા વાચકનું ધ્યાન ખેંચે એ રીતે પેાતાના અનુભવાના સાર આપી દેવાની ગાંધીજીની રીતનુ એક ખીજું સારું ઉદાહરણ છે. “અસીલ જેલમાંથી કેમ બચ્યા” (૪. ૪૭) એ પ્રકરણના અંત ભવિષ્ય વિશે અનિશ્ચિતતાના ભાવ સાથે ટૂંકી વાર્તા પૂરી કરવાની આધુનિક લેખકેાની રીતની યાદ આપી જાય છે.
પ્રસ‘ગ-પાત્ર-ચિત્રણ : ભૂતકાળના જે પ્રસ ંગે એમની સ્મૃતિમાં હજુ જીવતા છે એને ગાંધીજી સભાન પ્રયત્નની સહેજ પણ છાયા વિના તાદશ કરી શકે છે. બાળપણ ને કિશારાવસ્થાનુ` તા એમની કલમે એક અત્યંત ધ્વનિપૂર્ણ ચિત્ર સર્જ્યું છે. ગાંધીજી એ સ્મૃતિબાળકને જાણે વહાલથી લાડ કરતા હાય અને તેની નિર્દોષતા માટે કૃતજ્ઞતા અનુભવતા હાય એમ લાગે છે. “એવા દિવસેા યાદ છે જ્યારે સૂર્યને અમે જોઈએ, બા, બા, સૂરજ દેખાયા' કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તા સૂરજ ભાગી જાય. ‘કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હૈાય' કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય.’ એ બાળપણુ અને એ બા' પોતાનાં હેાય એવી વાચકને પણ ઇચ્છા થાય એવું આ ચિત્ર છે. જો માતાની સ્મૃતિ ગાંધીજીના હૃદયને મધુર પ્રસન્નતાથી ભરી દે છે, તા પિતા સાથેના સંબધાની સ્મૃતિ એમના ઊર્મિતત્રમાં ઊંડી વિસંવાદિતાનુ સૂચન કરે છે. એમના બાળકમને નાંધેલી પિતાની નિર્બળતા – “કંઈક વિષયને
-
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2. ૪
વિષે આસક્ત પણ હશે” (પૃ. ૩), એમના લગ્નસમયે પિતાજી કયે કયે પ્રસંગે કઈ કઈ જગ્યાએ બેઠા હતા એ બધું મને જેવુ' ને તેવું હજી યાદ છે” (પૃ. ૧૦) એ હકીકત, પિતાના મૃત્યુના “અવળા પ્રસંગ'', જે “ કેમ જાણે મારે...ભાગેચ્છાની શિક્ષા જ ભાગવવાની હેાય નહીં તેવી રીતે મારી જિંદગીમાં...બન્યા’” (પૃ. ૧૦) અને જેની શરમનેા કાળા ડાઘ હું આજ સુધી ઘસી શકયો નથી'' (પૃ. ૧૦), ચારીની કબૂલાત કરતી ગાંધીજીએ આપેલી ચિઠ્ઠી વાંચીને પિતાની આંખમાંથી ટપકેલાં માતાનાં બિંદુ' (પૃ. ૨૮) – ગાંધીજીની કલમે પિતાપુત્ર સખ ધનુ આ, મનાવૈજ્ઞાનિક દષ્ટિને કેવુ. પારદર્શક ચિત્ર આપ્યું છે !
એકાદ વિગત દ્વારા કાઈ પ્રસંગને તાદશ કરી આપવાની કે ટૂંકા સ ંવાદ દ્વારા પાત્રને જીવતું કરી આપવાની ગાંધીજીની શક્તિ વાચકની કલ્પનાને થકવ્યા વિના સતત જાગ્રત રાખે છે. બાપુ બહુ બીમાર છે” સાંભળી બિછાનામાંથી એકદમ કૂદી પડયો’’ (પૃ. ૩૧), ચાર્લ્સ ટાઉનથી સ્ટેન્ડરટન જતાં સિગરામમાં ‘આટલું હું માંડ કહી રહું તેટલામાં તા મારા ઉપર તમાચાના વરસાદ વરસ્યા” (પૃ. ૧૧૫), એશિયાટિક અમલદારાથી અપમાનિત ની “કસાણે મેઢે સાથીઓ આવ્યા' (પૃ. ૨૫૭),–વ્યવહારુ વાણીના સચોટ ઉપયાગ કરવાની ગાંધીજીની શક્તિનાં આવાં અસ`ખ્ય ઉદાહરણ ‘સત્યના પ્રયાગા'માંથી મળશે. એવી જ કળાથી ગાંધીજી ટ્રે કા સંવાદો દ્વારા વ્યક્તિઓનાં ચિત્ર ઉપસાવે છે. મુંબઈમાં એમની સાથે રહેતા
*
શ ધ્યેાતપણુ શાંતીડું, કાદાળી ખટકરમ” વાળા રસેાઇયા રવિશંકરનું વાચકને યાદ રહી જાય એવું એક રમૂજી ચિત્ર છે (પૃ. ૯૩), તા દક્ષિણ આફ્રિકાના પ્રશ્ન અ ંગે મુંબઈમાં સભા ગાઠવી હતી તેમાં ગાંધીજીએ કરવાના ભાષણ વિશે ગાંધી, તમારુ ભાષણ તૈયાર છે કે ?” અને “ત્યારે મુનશી તમારી પાસે ભાષણ લેવા કયારે આવે ?” (પૃ. ૧૭૬-૭), એ પ્રશ્નોમાં ફ઼િાજશા મહેતાનેા સત્તાવાહી અવાજ સ્પષ્ટ સભળાય છે. માંસાહારની નિર્દોષતા ઉપર વ્યાખ્યાન આપતા સ્વામીજીને કસ્તૂરબા સંભળાવે છે: “સ્વામીજી, હવે તમે મારું માથુ ન દુખા તા તમારા પાડ, બાકી વાતા તમે છેકરાના બાપની સાથે પાછળથી કરવી હેાય તે કરજો” (પૃ. ૩૩૦). વાચક જોઈ શકે છે કે નાતાલમાં મળેલી ભેટા પાછી આપવા વિશેની ચર્ચા દરમિયાન ગાંધીજીને “અણિયાળાં” વાગ્માણુ મારનાર (પૃ. ૨૨૧–૨) કસ્તૂરબા જ અહી ખેાલી રહ્યાં છે.
સર્જકતાનું સર્વોત્તમ ફળ — પેાતાનું પાત્ર: પરંતુ ગાંધીજીની સર્જકતાનું સર્વોત્તમ ફળ એમનુ` પેાતાનું પાત્ર છે. ગંભીર નિર્ણયના પ્રસ ંગાએ વિચારગ્રસ્ત મનઃસ્થિતિનાં એમણે આપેલાં ચિત્રો વાચકને એમની અંતરસૃષ્ટિમાં અવારનવાર ડાકિયું કરાવી જાય છે. પ્રિટારિયા જતાં થયેલા અણુધાર્યા અનુભવાને પચાવી,
Page #306
--------------------------------------------------------------------------
________________
» હું ]
ગાંધીજી
[ ૨૯૭
ક્ષુબ્ધ ચિત્તમાં સ્વત્વનું નવું કેન્દ્ર શેાધી માનસિક સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરવાના પ્રયત્નની તેમણે એક જ વાકચમાં ઝાંખી કરાવી છે. પ્રિટારિયા પહેાંચ્યા પછી જોન્સ્ટનની ફૅમિલી હાટેલમાં કાટડી મળી તેમાં ગાઠવાયા પછી, ગાંધીજી લખે છે, એકાંત મળ્યે ખાણાની રાહ જોતા હું વિચારગ્રસ્ત થયા” (પૃ. ૧૨૦). સન ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકા છેાડી ગેાખલેને મળવા લંડન પહેાંચ્યા અને ત્યાં માંદા પડયા, એ સ્થિતિમાં ગેાખલેએ તેમને ડા. જીવરાજ મહેતાની ખારાક વિશેની સલાહ અનુસરવાના આગ્રહ કર્યો ત્યારે, તેઓ લખે છે, “રાત આખી વિચારમાં ગાળી” અને “દૂધના ત્યાગને વળગી રહેવાના નિશ્ચય કરી હું સવારે ઊઠો’ (પૃ. ૩૬૨). એક બાજુ ગેાખલે પ્રત્યેના આદર અને બીજી બાજુ પ્રતિજ્ઞાપાલન માટેને એવા જ આગ્રહ એ છે મનેાભાવેશ વચ્ચેના મૂંઝવણભર્યા સંઘર્ષ તે ગાંધીજીએ અહી એક જ વાકયમાં નિર્દેશ કરી દીધા છે.
66
જેમ વિચારગ્રસ્ત મનઃસ્થિતિનાં તેમ પેાતાના હૃદયભાવાનાં પણ ગાંધીજી પ્રસંગાપાત્ત એમની નમ્રતાને અનુરૂપ એવી સંયમશીલ કળાથી ટૂંકાં, વેધક શબ્દચિત્રો આપે છે. “પેલી કેાટડીમાં પણ હું તા ખૂબ મૂંઝાયા. દેશ ખૂબ યાદ આવે. માતાના પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય'(પૃ. ૪૬). લંડનમાં શરૂઆતના દિવસેાના આ ચિત્રમાં ઊર્મિલતાને સહેજ પણ આભાસ નથી, એમના હૃદયની જે પ્રેમભૂખ એમાં વ્યક્ત થઈ છે તેને વાચકે બાળક ને કિશાર મેાહનના માતાપિતા પ્રત્યેના ભાવેશમાં પણ જોઈ છે અને ખીજા અનેક પ્રસ ંગાએ તે વિવિધરૂપે વ્યક્ત થાય છે. એમની કંઠી ખેંચી લેવાના આગ્રહ રાખનાર ખ્રિસ્તી મિત્રને ગાંધીજી કહે છે: “એ કંઠી ન તૂટે; માતુશ્રીની પ્રસાદી છે’ (પૃ. ૨૧૪). આ એક વાકયમાં ગાંધીજીના માતૃપ્રેમનુ પુસ્તકના પહેલા પ્રકરણમાં થાય છે તે કરતાં પણ વધુ મધુર દર્શન થાય છે. ગેાપાલ કૃષ્ણ ગેાખલે માટેના પ્રેમ તે આદરનું એમણે એવુ જ ધ્વનિસમૃદ્ધ ચિત્ર આપ્યું છે : “સર ફ્રિાજશા તા મને હિમાલય જેવા લાગ્યા. લેાકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગે।ખલે ગગા જેવા લાગ્યા. તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂબવાને ભય રહે. ગંગાની તા ગાદમાં રમાય. તેમાં હાડકાં લઈને તરાય’ (પૃ. ૧૮૦). ગાંધીજીના આ સંવેદનશીલ હૃદયને આઘાત લાગતા ત્યારે તેઓ કેવુ' દુઃખ અનુભવતા તે પણ વાચક જુએ છે. કાશીવિશ્વનાથના મ ંદિરમાં ગાંધીજીને જે દુ:ખજનક અનુભવ થયા તે વ્યક્ત કરવા તા તેએ એમના સ્વભાવની વિરુદ્ધ એવી કટાક્ષની ભાષાને આશ્રય લે છે: હું નાનવાપી નજીક ગયેા. મેં અહીં ઈશ્વરને ખાળ્યા, પણ તે ન જડયો.” પડાજીના વનથી પણ ગાંધીજી દુ:ખી થઈ મૂંગે મેાઢે દુકાની આપી ને નિઃશ્વાસ મૂકી” ચાલતા થયા. ભગવાનની દયા વિશે,” તે લખે છે,
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
. ૪
“જો કાઈને શંકા હોય તે! આવાં તીર્થક્ષેત્રે જુએ. તે મહાયેાગી પોતાને નામે કેટલાં ધતિંગ, અધર્મ, પાખંડ ઇત્યાદિ સહન કરે છે !” (પૃ. ૨૪૩),
અનુભવસાર અને માર્મિક જીવનવિચાર : ગાંધીજીના હક્યની આ અસાધારણ પ્રેમશક્તિમાં એવી જ અસાધારણુ માત્રાની જાગ્રત સત્યષ્ટિ ભળી છે, અને પેાતાના અનુભવેામાંથી તેએ હમેશાં કંઈ ને કંઈ સાર ખેંચતા હાય છે. શાળાનાં વર્ષા દરમિયાન તે એક દિવસ કસરતમાં હાજર નહેાતા રહી શકયા તે માટે એમના દંડ થયા હતા તેથી, ગાંધીજી લખે છે, “મનમાં ને મનમાં સમસમી રહ્યો. રાયા. સમજ્યા કે સાચું ખેાલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ' (પૃ. ૧૬). આ વિચારા અલ્પશિક્ષિત વાચક પણ સમજી શકે એવા છે, પરંતુ તેમને આચરણમાં મૂકવા માટે જે જાગૃતિની જરૂર છે તે સામાન્ય માણુસના જીવનમાં પણ ભારે પરિવર્તન લાવી શકે અને એવી ચાકસાઈના આગ્રહમાંથી જ સત્યશીલ વનનેા પાયા રચાય છે.
(
એમના લેાકશાહી માનસને અનુસરી ગાંધીજી પ્રસ્તાવનામાં લખે છે કે જે વસ્તુના નિ ય બાળા, જુવાન ને ખુઠ્ઠાં કરે છે તે કરી શકે છે તે જ વસ્તુઓને કથામાં સમાવેશ થશે,” પરંતુ એમ સાદી ભાષામાં મૂકેલા વિચારામાં કચારેક સત્યધના અટપટા પ્રશ્નો વિશે ઊંડાં ધ્વનિસૂચને રહેલાં હેાય છે. દુરાચારી મિત્રને સુધારવાની આશાથી ગાંધીજીએ વડીલ બંધુ, માતા તે પત્નીની ઇચ્છા વિરુદ્ધ પણ તેની સાથેના સંબંધ ચાલુ રાખેલા એની ટીકા કરતાં તેઓ લખે છે: ‘સુધારા કરવા સારુ પણ માણુસે ઊંડા પાણીમાં ઊતરવું નહી જોઈએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હેાય નહીં” (પૃ. ૧૯). અનાસક્તિના સૂમ સિદ્ધાંતને કેવા સાદા પણ સચોટ પાઠ! અનેક વાચકાને થતા હશે એવા એક ખીજા અનુભવમાંથી પણ ગાંધીજી અનાસક્તિને સાર ખેંચે છે. વડીલબંધુના પુત્રાને તેએ પેાતાની તરફ ન આકષી શકયા એ હકીકતના ઉલ્લેખ કરી તેએ લખે છે: “એમાં તેમને! દોષ નથી. સ્વભાવને કેાણ ફેરવી શકે ? બળવાન સ’સ્કારને કાણુ ભૂ`સી શકે ? આપણે માનીએ કે જેમ આપણામાં પરિવન થાય કે વિકાસ થાય તેમ આપણાં આશ્રિતામાં કે સાથીઓમાં પણ થવા જોઈએ, એ મિથ્યા છે.” ગાંધીજી માનતા કે બાળકોને પણ આત્મજ્ઞાન આપી શકાય, પણ તે ખીન્ત વિષયેા શીખવાય છે એ રીતે નહિ. “શરીરની કેળવણી,'' તેઓ લખે છે, “શરીરની કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી, તેમ આત્માની આત્માની કસરતથી.” પણ આત્માની કસરત શિક્ષક પોતાના વર્તન દ્વારા જ આપી શકે. “લંકામાં ખેઠેલા શિક્ષક પેાતાના વર્તનથી પેાતાના શિષ્યાના આત્માને
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્ર. ž ]
ગાંધીજી
[ ૨૯૯
હલાવી શકે છે” (પૃ. ૩૪૪-૫). આત્માની કસરત'' શબ્દપ્રયાગ માનવવ્યવહારના એક અતિમહત્ત્વના પ્રશ્નને નિર્દેશ કરી જાય છે. એક વ્યક્તિના સત્યનિષ્ઠ આચરણના ખીજી વ્યક્તિ કે સમાજ ઉપર પડતા પ્રભાવને મનેાવિજ્ઞાને ઊંડા અભ્યાસ કર્યો નથી, પરંતુ કેળવણીનાં તેમ જ જાહેર જીવનનાં ક્ષેત્રામાં ગાંધીજીના પ્રયાગામાંથી એ જ મુખ્ય પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પહેલા વિશ્વયુદ્ધમાં એમણે બ્રિટિશ સરકારને સહકાર આપ્યા હતા. તેની ચર્ચામાં ગાંધીજીએ એ પ્રશ્નને ખીજા દષ્ટિકાણથી ઉપસ્થિત કર્યાં છે. તેઓ લખે છે : “હિંસાની હેાળી વચ્ચે સપડાયેલા આપણે પામર પ્રાણીએ છીએ,' અને તેથી કેાઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.' વળી અહિંસાના પડમાં જ અદ્વૈતભાવના રહેલી. છે. અને જો પ્રાણીમાત્રના અભેદ હેાય તેા એકના પાપની અસર ખીજાની ઉપર થાય છે, તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતા ’ (પૃ. ૩૫૫-૪). પણ જો એક વ્યક્તિની હિંસા ખીન્ન એને સ્પો છે, તે। એની અહિંસા પણુ ખીન્ત આને કેમ ન સ્પર્શે ? અને કેવી રીતે એવી અહિંસા કેળવી શકાય ? ગાંધીજીનું આખું જીવન આ પ્રશ્નોના ઉત્તર ખેાળવાના પ્રયાસ રૂપે હતું. અહિંસાના પડમાં રહેલી અદ્વૈતભાવનાના ખ્રિસ્તી ધર્મની ઈશ્વરે મનુષ્યને પેાતાની પ્રતિકૃતિ રૂપે સર્જ્યો છે એ માન્યતા સાથે સમન્વય સાધતાં ગાંધીજી એક બીજા સંદર્ભોમાં લખે છે: “તંત્રની સામે ઝઘડા શાભે, તંત્રીની સામે ઝઘડા કરવે તે પેાતાની સામે કર્યા બરાબર છે. કેમ કે બધા એક જ પીંછીથી દેારાયેલા છીએ, એક જ બ્રહ્માની પ્રશ્ન છીએ. તંત્રીમાં તા અનંત શક્તિ રહેલી છે. તંત્રીના અનાદર-તિરસ્કાર કરવા જતાં તે શક્તિઓના અનાદર થાય ને તેમ થતાં તંત્રીને તેમ જ જગતને નુકસાન પહાંચે” (પૃ. ૨૭૫). સાદી અનુભવવાણીમાં મૂડેલી અહિંસાની આ ટૂંકી તત્ત્વવિચારણાની પાછળ માનવહૃદયની વિકાસક્ષમતા વિશે જે શ્રદ્ધા રહેલી છે તે શેલી જેવા કેાઈ કવિએમાં જ દેખાય છે.
મતાગ્રહિતાના અભાવ: આવા સ પ્રશ્નોની ચર્ચામાં કયાંય મતાગ્રહિતા(dogmatism)ના આભાસ આવતા નથી. વાચક એમની સાથે સંમત કે અસંમત થવા સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે એમ માનીને જ ગાંધીજી ચાલે છે. પેાતાની દૃષ્ટિમાં ભૂલ હેાવાને સંભવ ગાંધીજી હમેશાં સ્વીકારે છે. પેાતે અહિંસાના પૂજારી હેાવા છતાં પહેલા વિશ્વયુદ્ધમાં તેમણે બ્રિટિશ સરકારને મહ્દ કરવાની ઇંગ્લેંડમાં વસતા હિંદી વિદ્યાથી આને સલાહ આપી હતી એના સમર્થનમાં દલાલે આપ્યા પછી તેઓ લખે છે : “પ્રશ્ન ઝીણા છે. તેમાં મતભેદને અવકાશ છે. . . . સત્યને આગ્રહી રૂઢિને વળગીને જ કંઈ કા ન કરે, તે પેાતાના વિચારાને
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪
હઠપૂર્ણાંક ન વળગે, તેમાં દોષ હાવાને સભવ હમેશાં માને '' (પૃ. ૩૫૭), કાઈ કામાં પોતાના હેતુ વિશે એમને શંકા હેાય છે તેના પણ ગાંધીજી વિનાસાચે નિર્દેશ કરે છે. સને ૧૮૯૭માં તે બીજી વાર નાતાલ ગયા ત્યારે ગારાઓના ઉશ્કેરાયેલા ટાળાએ એમના ઉપર હુમલા કર્યાં હતા અને પેાલીસ સુપરિન્ટેન્ડેન્ટની સલાહ માની તેઓ છૂપા વેશે મિત્રના મકાનમાંથી ભાગી ગયા હતા એ પ્રસંગની ચર્ચા કરતાં તેઓ લખે છે: “એક જ દહાડે મારે એકબીજાથી ઊલટાં એ કામ કરવા વખત આવ્યા. .. . કાણુ કહી શકે કે, હું મારા જાનના જોખમથી ડર્યા કે મિત્રના જાનમાલના જોખમથી, કે કુટુંબના, કે ત્રણેયના ? ’ પેાતાનાં જે કાર્યો વિશે એમના મનમાં કશી શકા ન હોય એવા કિસ્સામાં પણ ગાંધીજી સામા પક્ષનું દૃષ્ટિબિંદુ સમજી શકે છે. સને ૧૮૯૩માં પહેલી વાર તેઓ નાતાલ પહેાંચ્યા ત્યારે કામાં પાઘડી ઉતારવાના ઇન્કાર કર્યા હતા, પરંતુ વકીલ તરીકે સનદ મળ્યા પછી કોર્ટના નિયમને માન આપી તેમણે તે ઉતારી. “અબદુલ્લા શેઠ અને ખીજા મિત્રાને,” ગાંધીજી લખે છે, “મારી નરમાશ ન ગમી,’’ પણ ‘‘નરમાશ'' શબ્દ પછી તેઓ કૌંસમાં ઉમેરે છે કે નબળાઈ ?’’ (પૃ. ૧૪૯). મેટા પુત્ર હરિલાલનું દષ્ટિબિંદુ, પોતે એને ભૂલભરેલું માનતા હાવા છતાં, ગાંધીજી નિષ્પક્ષપાતપણે રજૂ કરે છે. હરિલાલના બાળપણના સમય, તએ લખે છે, “.....મેં દરેક રીતે મારા મૂર્છાકાળ, વૈભવકાળ મન્યા છે,” પણ હિરલાલ “કેમ માને કે તે મારા મૂર્છાકાળ હતા ? તે કાં ન માને કે, તે કાળે મારા જ્ઞાનકાળ હતા અને તે પછી થયેલાં પરિવના અયોગ્ય અને માહજન્ય હતાં ?... મારા સૂક્ષ્મ અભિમાનની અને અજ્ઞાનની નિશાની” હતાં ?
66
ન દૃષ્ટિ ; ગાંધીજીની લેાકશાહી નમ્રતાનું સૌથી આકર્ષીક રૂપ એમની નર્મદિષ્ટ છે, અને તે એમને જગતના મહાપુરુષોમાં અદ્વિતીય બનાવે છે. “પાસે સૂતેલી અને હવે કંઈક જુવાનીમાં આવેલી સ્ત્રીની પાસે' ભૂત ઇત્યાદિ વિશેની પેાતાની ખીકની વાત કરતાં શરમ આવતી હતી એ કબૂલ કરવાની હિંમત ગાંધીજી જ બતાવી શકે (પૃ. ૨૧). વેશ્યાઘરની મુલાકાતના શરમજનક પ્રસંગનું વર્ણન કરતાં પણ ગાંધીજીની નર્મદષ્ટિ એ પ્રસંગનું રમૂજી પાસુ જોઈ શકે છે અને નોંધે છે: આઈ ગુસ્સે થઈ ને મને બેચાર ચેાપડી'ને દરવાજો જ બતાવ્યો' (પૃ. ૨૪), એક સગા સાથે આપઘાત કરવાના પ્રયત્ન કરતાં પહેલાં બન્નેએ ઉદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યુ, દર્શન કર્યાં, ને એકાંત શોધી’ (પૃ. ૨૬) એ દૃશ્યમાં ગાંધીજીએ કિશારમાનસનું કૃતક ગાંભીર્ય કેવી સૂક્ષમ ન ષ્ટિથી છતું કરી આપ્યું છે! લંડનમાં અગ્રેજી સમાજની ‘સભ્ય’ રીતભાત શીખવાના પ્રયત્નાનું વર્ણન આપતું આખું પ્રકરણ ગાંધીજીની નદષ્ટિનું એક ઉત્તમ
Page #310
--------------------------------------------------------------------------
________________
[૩૦૧.
પ્ર. ૬]
ગાંધીજી સર્જન છે. એક પ્રસંગે જે કુટુંબમાં તેઓ રહેતા હતા તેની યુવાન પુત્રી શિષ્ટાચાર રૂપે તેમને ફરવા લઈ ગઈ હતી ત્યારે, ગાંધીજી લખે છે, “એ તે આખો રસ્તો વાતોના ફુવારા ઉડાવતી ચાલે, ત્યારે મારે મઢેથી કોઈ વેળા “હા” ને કઈ વેળા ‘નાનો સૂર નીકળે.... તે તે પવનમાં ઊડતી જાય અને હું ઘરભેળાં ક્યારે થવાય એ વિચાર કરું.” બને એક ટેકરી ઉપર ચઢેલાં ત્યાંથી “માંડમાંડ પર ઘસડતો, કાંઈક બેસતે ઊતર્યો. અને પેલીએ મશ્કરીમાં ‘શા.બા...શ' કહી મને શરમાયેલાને વધુ શરમાવ્યો” (પૃ. ૬૬). સન ૧૯૦૧ની કલકત્તા કોંગ્રેસમાં હાજરી આપવા જતાં રસ્તામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાના પ્રશ્ન વિશે ફિરોજશા મહેતા સાથે ચર્ચા કરવા એમના ડબ્બામાં ગયા હતા. ફિરોજશાની નિરુત્સાહ કરતી સલાહ સાંભળી, ગાંધીજી લખે છે, “હું તો આભો જ થઈ રહ્યો. સર ચીમનલાલે ટાપશી પૂરી. સર દીનશાએ મારી સામે દયામણી નજરે જોયું...બીજે સ્ટેશને જેવી ગાડી ઊભી રહી તે હું ભાગ્યો ને મારા ડબામાં પેસી ગયો (પૃ. ૨૩૩). દક્ષિણ આફ્રિકાની હિંદી કેમ અને ગોરાએ બન્નેને થોડા જ સમયમાં પિતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કરનાર યુવકની ભારતમાં આ દશા ! સન ૧૯૧૮ની માંદગી દરમિયાન ગાંધીજી “મરવાની રાહ જોઈ રહ્યા હતા તેટલામાં દાકતર તળવળકર એક વિચિત્ર પ્રાણી લાવ્યા.....તેમને હિંદુસ્તાન ઓળખતું નથી, પણ એ મારા જેવા ‘ચક્રમ’ છે, એટલે હું તેમને જોતાં સમજી શક્યો” (પૃ. ૪૫૪–૫). પિતાને “ચક્રમ’ તરીકે ઓળખાવતા ગાંધીજી જ લખી શકેઃ “મહાત્માનાં દુઃખ તે મારા જેવા “મહાત્મા' જ જાણે” (પૃ. ૨૪૩).
પરમ સત્યનિષ્ઠ નમ્રતાની ઝાંખી: ભૌતિક વિજ્ઞાને માણસની બુદ્ધિને જડ સૃષ્ટિનાં સૂક્ષ્મતમ રહસ્ય પ્રગટ કરી આપ્યાં છે, પરંતુ પિતાના હદયનું સત્ય પામવાને માર્ગ અને હજુ જડ્યો નથી. એ માટે એનામાં વૈજ્ઞાનિકના કરતાં જુદા જ પ્રકારની નમ્રતા જોઈએ. તે કેવી હોય તેની બૌદ્ધિક વ્યાખ્યા આપી શકાતી નથી, પણ કોઈ જીવનમાં કે કલ્પનાને સર્જનમાં તે પ્રગટે છે ત્યારે તે અનુભવી શકાય છે. “સત્યના પ્રયોગોમાં એવી નમ્રતાની પ્રતીતિપ્રેરક ઝાંખી થાય છે અને વાચક અનુભવે છે કે પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે કે “ભલે મારા જેવા અનેકેને ક્ષય થાઓ, પણ સત્યને જય થાઓ. અલ્પાત્માને માપવાને સાર સત્યને ગજ કદી ટૂંકો ન બને” – એ શિષ્ટાચારવચન નથી પણ એમના હૃદયને ઉદ્ગાર છે. કૃતિની આ ચમત્કારી સિદ્ધિ શુદ્ધ સત્ય એ જ સર્વશ્રેષ્ઠ કળા છે એ ગાંધીજીની શ્રદ્ધાને ચરિતાર્થ કરે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ ૮. ગીતાવિચાર “સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ વાચકને જે નિરહંભાવની ઝાંખી કરાવી છે તેની પ્રેરણા એમને ભગવદ્દગીતાના અભ્યાસ ને મનન-ચિંતનમાંથી મળી હતી. અસહકારના આદેલનની નિષ્ફળતાના અનુભવ પછી નિષ્કામ કર્મભાવનાનું ખરું રહસ્ય તેમને પ્રગટ થવા માંડયું હતું. ૧૯૨૬નું વર્ષ રાજકીય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ આશ્રમમાં ગાળ્યું એ દરમિયાન તેમણે આશ્રમની પ્રાતઃકાળની પ્રાર્થનાના સમયે ભગવદ્ગીતા ઉપર વાર્તાલાપ શરૂ કર્યા. આ વાર્તાલાપની નોંધ ગાંધીજીનું ગીતાશિક્ષણ એ નામથી પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ છે. નેધમાં ગાંધીજીનું વક્તવ્ય સળંગ જળવાઈ શકયું નથી અને કોઈ કોઈ વાર તે ગાંધીજી પ્રાર્થનામાં હાજર રહેલાં બાળકે ને ઓછું ભણેલી બહેનને ઉદ્દેશીને બેલી રહ્યા હોય એમ લાગે છે. એટલે ગીતાનો ઉપદેશ ઉપર એક વ્યવસ્થિત ભાષ્ય તરીકે “ગાંધીજીનું ગીતાશિક્ષણનું બહુ મહત્ત્વ નથી. પણ તે ઉપદેશનું જે સૂક્ષ્મ રહસ્ય ગાંધીજીના હૃદયમાં સ્લરી રહ્યું હતું તેની કંઈક ઝાંખી વાચકને એમાં જરૂર થાય છે. સન ૧૯૩૦ના માર્ચ માસમાં પ્રસિદ્ધ થયેલી “અનાસક્તિયેગ' પુસ્તિકામાં તેમણે એ રહસ્યને કઈ પણ વાચક સમજી શકે એવી સાદી અને સરળ છતાં એમના દર્શનના કાવ્યત્વને હૃદયગમ્ય કરતી ભાષામાં મૂકી આપ્યું. તેને સમજવામાં પણ મુશ્કેલી પડતી હતી એવી ફરિયાદ પરથી ૧૯૩૦માં યરવડા જેલમાંથી આશ્રમમાં સવારની પ્રાર્થનાના સમયે વાંચવા માટે દર મંગળવારે લખાતા પત્રોમાં ગીતાનું પ્રકરણવાર વિવરણ શરૂ કર્યું અને પિતાના વિચારને બને તેટલી સહેલી ભાષામાં સમજાવવાને ફરીથી પ્રયત્ન કર્યો. આ પ્રવચને “ગીતાબોધ' નામની પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ થયાં છે,
ગાંધીજીનું ગીતાદર્શન એક ચિંતકનું નહિ પણ કવિદ્રષ્ટાનું છે. “અનાસક્તિગ'ની પ્રસ્તાવનામાં તેઓ લખે છે તેમ એમને માટે “ગીતા સૂત્રગ્રંથ નથી” પણ “એક ધર્મ કાવ્ય છે. તેમાં જેમ ઊંડા ઊતરે તેમ એમાંથી નવા ને સુંદર અર્થો મેળો.” કાવ્યના અર્થ ને વિસ્તાર તર્ક વ્યાપારથી નથી થતા, પરંતુ એના શબ્દો કે કપને ભાવકના હૃદયમાં અંકિત થતાં કોઈ અકળ ચિતન્યવ્યાપાર એ શબ્દ કે ક૯પ દ્વારા નવાં નવાં ધ્વનિવર્તુળો સજે છે અને યુગેયુગે એમના નવા રહસ્યાર્થી પ્રગટ કરે છે. ગાંધીજીએ ગીતાના ઉપદેશનું એમ કાવ્યની રીતે પરિશીલન કર્યું છે. તેના શબ્દાર્થને વળગી નહિ રહેતાં તેમણે બીજા અધ્યાયમાં આવતું સ્થિતપ્રજ્ઞનું અને બારમા અધ્યાયનું ભક્તનું એ બે ચિત્રો ઉપર પોતાની ક૯૫નાદષ્ટિ સ્થિર કરી અને એ ચિત્રાએ એમની હદયભૂમિમાં પડેલાં બીજાં સંસ્કારબીજને અંકુરિત કરી ગીતાના ઉપદેશનું તેમને અત્યંત મૌલિક દર્શન કરાવ્યું.
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૬]
ગાંધીજી
[ ૩૦૩
ગીતાને ઉપદેશને માત્ર બુદ્ધિથી અર્થ કરતાં તે માનવીને એની માનવતામાંથી મુક્ત બનવાનું સૂચવતો હોય એમ લાગે. બમજોવાલ્મન ge: રહેવાને અને અમરતિરે ચાહાત્મતૃપ્તશ્વ માનવઃ એ આદર્શ તથા ત્રિગુણાતીત બની સર્વધન્વરિચર્ચા મામે ઝું રળે ત્રત્રને ઉપદેશ મનુષ્યસ્વભાવની સામાન્ય તૃષ્ણાઓની સાથે એના હૃદયની પ્રેમઝંખના ને ધર્મભાવનાને પણ નિષેધ કરતા હોય એવો ધ્વનિ નીકળે છે. પરંતુ ગીતાને ઉદ્દેશ મનુષ્યની મનુષ્યતાને કુંઠિત કરવાને નહિ પણ તેને અહમના બંધનમાંથી મુક્ત કરી પૂર્ણ રૂપે પ્રગટાવવાનું છે. ગાંધીજીએ એ દર્શનમાં પિતાના હૃદયને અભિલાષ જોયે. એમની સેવાભાવના માત્ર કર્તવ્યબુદ્ધિએ પ્રેરેલો નહિ પણ પ્રેમની પરિપૂર્ણતામાંથી ઉદ્ભવેલો આદર્શ હતો, અને ગીતાના નિષ્કામ કર્મના ઉપદેશમાં એમને એ આદર્શના પાલનમાં નિરહંભાવની આવશ્યકતાનું રહસ્ય પ્રગટ થયું. ત્રીજા અધ્યાયના ૨૭–૨૮ કલેકે ઉપરની નોંધમાં ગાંધીજી લખે છે: “જેમ શ્વાસોચ્છવાસ આદિ ક્રિયા પિતાની મેળે થાય છે; તેને વિશે મનુષ્ય આસક્ત નથી થતો, તેમ સ્વાભાવિક કર્મો પિતાની મેળે થતાં હોય તે તેમને વિશે આસક્તિ ન હોય. જેનો સ્વભાવ ઉદારતાને છે તે પોતે ઉદાર છે એમ જાણ પણ નથી; તેનાથી દાન કર્યા વિના રહેવાય જ નહીં.” અને ગીતાબોધના ત્રીજા અધ્યાય ઉપરના પ્રવચનમાં તેઓ કહે છે: “પોતાને ભાગે જે સેવા આવે તે ઈશ્વરપ્રીત્યર્થે કરવા તત્પર રહેવું. આમ કરવાથી જે કરીએ તે ઈશ્વર જ કરાવે છે એમ ભાવના ઉત્પન્ન થશે, એવું જ્ઞાન પેદા થશે અને અહંભાવ ચાલ્યો જશે. આનું નામ સ્વધર્મ.” આવા નિષ્કામ, નિરહંભાવી, ઈશ્વરસમર્પિત સેવાયજ્ઞમાં વ્યક્તિ કળાના આસ્વાદમાં અનુભવે છે તેવી, ચિત્તવૃત્તિમાં સંપૂર્ણ સંવાદિતાની પ્રસન્નતા અનુભવે છે અને તે જ, ગાંધીજીની દષ્ટિએ, સમાધિ કે આત્મદર્શનની સ્થિતિ. એ સ્થિતિની કલ્પનામાત્ર ગાંધીજીના હૃદયમાં જે ઉત્સાહ પ્રેરતી તેને સ્પર્શ “અનાસક્તિયોગ'ની પ્રસ્તાવનાના ગદ્યમાં પણ અનુભવાય છે.
૯. “મંગળપ્રભાત નિરાં મેયવિલીનતાની સ્થિતિની ગાંધીજીને જે ઝાંખી થઈ હતી તેની પાછળ વર્ષોના વ્રતબદ્ધ જીવનની સાધના રહી હતી. સત્યાગ્રહ આશ્રમને ઉદ્દેશ પ્રજાજીવનની શુદ્ધિ અર્થે વ્રતબદ્ધ જીવન દ્વારા ધર્મની શક્તિ પ્રગટાવવાને હતા. યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે મંગળવારે આશ્રમવાસીઓ માટે લખી મોકલેલા ને પાછળથી “મંગળપ્રભાત” નામે પ્રસિદ્ધ થયેલા પ્રવચનલેખોમાં ગાંધીજીએ આશ્રમની એ વ્રતસાધનાનું સ્વરૂપ સમજાવ્યું છે. કુલ અગિયાર વ્રત હતાં.
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪
જેમાંનાં પાંચ ભારતીય આધ્યાત્મિક પર પરામાં પ્રતિષ્ઠા પામેલાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય ને અપરિગ્રહનાં મહાવ્રતા હતાં અને બાકીનાં છ, અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ ને સ્વદેશી, ગાંધીજીના પેાતાના અનુભવ ઉપરથી અથવા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને ઉમેરવામાં આવ્યાં હતાં.
CC
દરેક વ્રતને ગાંધીએ જુદાજુદા દષ્ટિકાણથી તપાસ્યું છે અને વ્રતના સ્થૂળ અર્થ માંથી સૂક્ષ્મ અર્થ તારવ્યા છે (શ્રીમતી હીરાબહેન પાઠકે વિક્રુતિ’માં જૈન જ્ઞાતેન' લેખમાં ગાંધીજીએ યેાજેલા આવા ૨૧ અર્થ પ્રકાશ નાંખ્યા છે.) પરંતુ ગાંધીજીની રીત તર્કશાસ્ત્રીની નહિ, કવિની છે. એમનાં ત્રતા શાસ્ત્રવચન ઉપર આધારિત વિધિનિષેધરૂપ નિયમે નહેાતાં પરંતુ એમના હૃદયમાં અકિત થયેલા આદુને આચરણુગત કરવાનાં, એટલે કે આધ્યાત્મિક સ્વ’-સર્જનનાં સાધન હતાં, એટલે જેમ કાવ્યના રહસ્યબિંદુમાંથી એક પછી એક કલ્પના સ્ફુરે છે તેમ ગાંધીજીના હૃદયગત આદર્શમાંથી ભિન્નભિન્નતા ને તેમના સૂક્ષ્મ ફલિતાર્થી સ્ફુરતા દેખાય છે. સમાં સત્ય મધ્ય સ્થાને છે, અને ખી વ્રતાને સત્ય અથવા સત્ય તે અહિંસાની જોડીમાંથી ટાવ્યાં છે. ...સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી”, ગાંધીજી કહે છે, “તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવ્રુત્તિ. એને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસેાશ્ર્વાસ લઈએ’ પણ સત્યનું સંપૂર્ણ દર્શન, “આ દેહે અસંભવિત છે,' અને અહિંસા દ્વારા જ તેની તરફ પ્રગતિ કરી શકાય. અહિંસાનું પાલન કરતાં, તેઓ લખે છે, “આપણને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન થાય છે. આમ કરતાં આપણે જગતને મિત્ર બનાવતાં શીખીએ છીએ; ઈશ્વરના, સત્યનેા, મહિમા વધારે જણાય છે; સંકટ વેઠતાં છતાં શાંતિસુખ વધે છે; આપણામાં સાહસ, હિંમત વધે છે; આપણે શાશ્વતઅશાશ્વતને ભેદ વધારે સમજીએ છીએ, કતવ્ય-અકર્તવ્યના વિવેક આવડે છે, અભિમાન ગળે છે, નમ્રતા વધે છે; પરિગ્રહ સહેજે એછે થાય છે; ને દેહની અંદર ભરેલા મેલ નિત્ય આછા થાય છે.” સત્ય-અહિંસાના પાલન માટે ગાંધીજીએ બ્રહ્મચર્ય ની આવશ્યકતા જોઈ ને બ્રહ્મચય માટે અસ્વાદવ્રતની,
ગાંધીજીની ઋષિદષ્ટિએ બાકીનાં ત્રતામાં પણ એમના સ્થૂળ શબ્દાર્થા ઉપરાંત ઊંડું આધ્યાત્મિક રહસ્ય જોયું છે. અસ્તેયમાં એમણે સત્યનુ સૂમ રૂપ જોયુ, અને અપરિગ્રહ ને અભય ત્રતાના શુદ્ધ સ્વરૂપમાં આત્મદર્શનની સ્થિતિની ઝાંખી કરી. તેઓ લખે છે, “કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. . . . આત્મા સર્વવ્યાપક હાઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાંજરાને ટકાવવા સારુ અનર્થ પ્રેમ કરે? ત્રીજાને કેમ હશે ? આમ વિચાર કરતાં
...
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્ર• હું ]
ગાંધીજી
[ ૩૦૫
આપણે...શરીર છે ત્યાં લગી તેના ઉપયાગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ, તે એટલે લગી કે તેનેા ખરા ખારાક સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, બેસે છે, સૂએ છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અં.” એ જ રીતે “અભય અમૂર્ખ સ્થિતિની પરાકાષ્ઠા છે. ....પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી ‘મારા’પણું કાઢી નાખીએ એટલે ભય કયાં છે?'' અસ્પૃશ્યતાનિવારણુ ને સ્વદેશીવ્રત જેવાં પહેલી નજરે સામાજિક કે રાજકીય દેખાતાં વ્રતામાં પણ ગાંધીજી એવું આધ્યાત્મિક રહસ્ય જુએ છે. “અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું' અને સ્વદેશી “આત્માના ધ છે... ... ... ... આત્માને સારુ સ્વદેશીના અંતિમ અર્થ સ્થૂળ સંબંધામાત્રથી આત્યંતિક મુક્તિ છે.” તેથી આત્માથી એ સની પ્રત્યે આસક્તિ છેાડી પેાતાની પાસે રહેલાંની સેવામાં એતપ્રાત થઈ રહેવુ.... જાતમહેનતમાં ગાંધીજી યજ્ઞનું રૂપ જુએ છે. અને સર્વધર્મ ભાવમાં પેાતાના ધર્મની અપૂર્ણતાના સ્વીકાર આવી જ જાય છે.... સત્યની આરાધના, અહિંસાની કસેાટી એ જ શીખવે”
૧૦. ૧૯૩૦ પછીનાં લખાણા
મંગળપ્રભાત'ના લેખા સાથે ગાંધીજીની લેખનપ્રવૃત્તિના ૧૯૨૪ની સાલથી શરૂ થયેલા સર્જનાત્મક ગાળા પૂરા થાય છે. પેાતાની આધ્યાત્મિક ઝ ંખનાનુ સ્વરૂપ એમની આંતરદૃષ્ટિને હવે સ્પષ્ટ થઈ ગયું અને તેથી ૧૯૨૪થી ૧૯૩૦ સુધીનાં લખાણામાં દર્શનની નવીનતાને જે ભાવ અનુભવાય છે તે હવે પછીનાં લખાણામાં દેખાતા નથી. ગાંધીજીનાં ગુજરાતી લખાણાનું પ્રમાણ પણ ઘટી જાય છે. ૧૯૩૨માં તેમણે યરવડા જેલમાં ‘સત્યાગ્રહાશ્રમનેા ઇતિહાસ' લખ્યા, અસ્પૃ શ્યતાનિવારણના આંદેાલન અંગે તેમણે ૧૯૩૩માં પ્રથમ અંગ્રેજીમાં ‘હરિજન' પછી હિંદીમાં ‘હરિજનસેવક’ અને પછી ગુજરાતીમાં ‘હરિજનબંધુ' સાપ્તાહિક શરૂ કર્યાં. ૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન આપ્યુ’, ૧૯૪૧માં ‘રચનાત્મક કાર્ય ક્રમ – તેનું રહસ્ય અને સ્થાન' એ નામની એક નાની પુસ્તિકા લખી, અને ૧૯૪૨ના જેલનિવાસ દરમિયાન આરોગ્યના વિષય ઉપર ટૂંકાં પ્રકરણા લખ્યાં, જે એમના મૃત્યુ પછી ‘આરાગ્યની ચાવી' નામની પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. આ સ` લખાણામાં ગાંધીજીની આંતરદૃષ્ટિને પ્રાપ્ત થયેલા સૌમ્ય અને સ્થિર પ્રકાશની મૃદુ આદ્લાદકતા છે, પણ ૧૯૩૧ની સાલ પછીનું ગાંધીજીનુ ગદ્ય તેમનામાં જે આત્મતત્ત્વ પ્રગટ થઈ રહ્યું હતુ. તેની ભવ્યતાના વાચકને અનુભવ કરાવતું નથી. પેાતાના સર્વ ભાવેશને આચરણમાં
ગુ. સા. ૨૦
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2. ૪
ઉતારવાની જે એકાગ્ર તમન્ના ગાંધીજીએ કેળવી હતી તે, કદાચ, એ ભાવેશને શબ્દદેહ આપવાની વૃત્તિને બાધક હાય.
‘સત્યાગ્રહાશ્રમના ઇતિહાસ'માં ગાંધીજીએ વ્રતબદ્ધ, પ્રાર્થનામય ને સેવાનિષ્ફ જીવનના એક યાદગાર સામૂહિક પ્રયેાગનું વર્ણન આપ્યું છે. એ પ્રયાગમાં સફળતા મળી હાવાના તેઓ દાવે। નથી કરતા; બલ્કે સત્ય, અહિંસા ને બ્રહ્મચર્ય એ મુખ્ય ત્રતાના પાલનમાં ઠીકઠીક નિષ્ફળતા મળી હેાવાનું તે કબૂલ કરે છે. પરંતુ બાહ્ય દષ્ટિએ પ્રયાગ નિષ્ફળ રહ્યો હેાવા છતાં તેણે ગાંધીજીની સત્યષ્ટિની કસેાટી કરીને તેને પરિપકવ બનાવી. આશ્રમની નિષ્ફળતાએ સ્વીકારી ગાંધીજી શૂન્યતાના આદર્શોને વરેલા સાયા ‘મહાત્મા' બન્યા. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજીએ સાહિત્ય વિશેની પેાતાની દૃષ્ટિને અનુસરી આર્દ્ર હૃદયે સાક્ષરને અશિક્ષિત જનતા માટે સાહિત્યનું સર્જન કરવાની વિનવણી કરી. પેાતાને કવી કળા ઇષ્ટ હતી તેનું ઉદાહરણ આપતાં ગાંધીજીએ મૈસૂર રાજ્યના એલૂરમાં એક સ્ત્રીની પ્રતિમા જોઈ હતી તેનું શબ્દચિત્ર આપ્યું છે તે, પેાતાને પસંદ પડી હેાય એવી કાઈ કળાકૃતિ પ્રત્યેના પેાતાના પ્રતિભાવાનું વર્ણન કરવાની એમની શક્તિનેા સુંદર નમૂના છે.
‘રચનાત્મક કાર્યક્રમ’માં ગાંધીજીએ દેશમાં સાચું સ્વરાજ સ્થાપવા માટેના કાર્યક્રમની રૂપરેખા આપી છે. ગાંધીજીની દૃષ્ટિએ સ્વરાજ એ રાજકીય નહિ પણ નૈતિક સ્થિતિ છે, અને પ્રજામાં નૈતિક શક્તિ કેળવીને જ તે સિદ્ધ કરી શકાય. તે કેળવવા માટે એમણે સત્ય તે અહિ ંસાને વરેલા પ્રજાસેવા દ્વારા આર્થિક, સામાજિક ને સાંસ્કૃતિક પુનર્રચનાના ૧૮ મુદ્દાના કાર્યક્રમ આપ્યા. આ કાર્યક્રમમાં સ્થૂળ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું મહત્ત્વ હતું તે કરતાં તેના અમલ દ્વારા પ્રજાજીવનમાં નૈતિક મૂલ્ય। દૃઢ કરવાનું વધુ હતું. ‘મંગળપ્રભાત'માં ગાંધીજીએ વ્યક્તિસાધનાનું સ્વરૂપ સમજાવ્યું હતું; અહીં તેએ સમાજસાધનાનું સ્વરૂપ સમજાવે છે. અને સત્ય ને અહિંસાની શક્તિ વિશે એમની શ્રદ્ધા હવે એટલી ઊંડી ખની છે કે ‘મંગળપ્રભાત'ના ગદ્યમાં નવા દર્શનને ઉત્સાહ ને કવિત્વમય વાણીના ઉન્મેષ હતા તેને બદલે આ પુસ્તિકામાં તેમના વિચારો વાચકનુ ધ્યાન ખેંચે એવા કાઈ શબ્દચમત્કાર વિના શાંત, નમ્ર ને અનાગ્રહી છતાં પ્રેરક વાણીપ્રવાહ રૂપે વહે છે.
જેમ ‘રચનાત્મક કાર્યક્રમ'માં ગાંધીજી નીરોગી સમાજજીવનનું ચિત્ર આપે છે તેમ આરાગ્યની ચાવી'માં તેએ સાચા અર્થમાં નીરાગી વ્યક્તિજીવનનુ... ચિત્ર આપે છે. ભારતીય પરંપરા અનુસાર ધર્મ પહેલા પુરુષા છે, અને શરીર ધર્મપાલનનું મુખ્ય સાધન છે. એવા સાધન તરીકે એને કેમ કેળવવું અને જાળવવું
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્ર. ]
ગાંધીજી
[ ૩૦૭
એ ‘આરેાગ્યની ચાવી'ના વિષય છે. આરાગ્ય વિશે સામાન્ય જ્ઞાન' ઉપરનાં પ્રકરણામાં ગાંધીજીએ આ જ દૃષ્ટિથી વિષયની ચર્ચા કરી હતી, પરંતુ હવે એમની ધર્મદૃષ્ટિ વધુ વિશદ ને મેાક્ષલક્ષી બની છે. મનુષ્યશરીરને સદુપયેાગ આત્માને રહેવાનુ` મંદિર” બનાવવામાં છે, અને અંતિમ દૃષ્ટિએ જોતાં તા શરીર પણુ, ગાંધીજી કહે છે, ઈશ્વરથી વ્યાપ્ત એવા “સુદૂર અને અક્રૂર આકાશતત્ત્વ’ની સાથે અનુસ ંધાન સાધવામાં અંતરાયરૂપ છે. એટલે “શરીર રહે કે જાય તેને વિશે આપણે તટસ્થ રહીએ” અને “આપણી શક્તિ ને આપણા જ્ઞાન પ્રમાણે તેને સદુપયેગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ, તેની સાથે એકય સાધવા સારુ કરીએ.” દૃશ્ય આકાશ સાથેનું અનુસંધાન ગાંધીજીના કવિહૃદયને એવે। જ આનંદ આપે છે. ...મનુષ્યનું સૂવાનું સ્થાન આકાશ નીચે હાવુ જોઇએ.... તેની છત્રી અગણિત તારાઓથી જડેલું આકાશ જ હાય. જ્યારે આંખ ઊઘડે ત્યારે તે પ્રતિક્ષણ નવું દશ્ય જોશે.... તારાઓને ભવ્ય સંધ ફરતા જ દેખાશે. જે મનુષ્ય એએની સાથે અનુસંધાન કરી શે તે તેને પેાતાના હૃદયના સાક્ષી કરશે તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે.”
(:
સંપૂર્ણ નિર્વિકારતાની સ્થિતિ ગાંધીજીનાં કલ્પનાચક્ષુને વર્ષોથી આકષી રહી હતી અને તેને સિદ્ધ કરવા તેઓ આરાગ્યની ચાવી'નાં પ્રકરણ લખાયાં તે અરસામાં પ્રયાગા કરી રહ્યા હતા. તે પ્રયાગેા, બ્રહ્મચર્યાં ઉપરના પ્રકરણમાં ગાંધીજી લખે છે, “સમાજની આગળ મૂકવા જેટલી સ્થિતિએ પહેાંચ્યા નથી. જો મને સંતાષ થાય તેટલે અંશે સફળ થશે તેા તે સમાજની પાસે મૂકવાની આશા રાખું છું.” સન ૧૯૪૬-૪૭માં દેશ કામી દ્વેષની આગમાં સપડાયે। ત્યારે સંપૂર્ણ બ્રહ્મચય ને અહિ`સાની સિદ્ધિ દ્વારા તેને શાંત કરવાની ગાંધીજીની અભિલાષા હતી, પરંતુ કામી દાવાનળની જ્વાળાઓ છેવટે એમના જીવની આહુતિ લઈને જ શમી હતી. એમના જીવનના આ કરુણુભવ્ય અંતની એ સમયનાં એમનાં પ્રાર્થનાપ્રવચનેામાં કંઈક ઝાંખી થાય છે.
ટીપ
[ ‘કલેક્ટેડ વસ’ તે ‘લેક્ટેડ વસ° આવૂ મહાત્મા ગાંધી’, ‘અક્ષરદેહ’ તે ‘ગાંધીજીને અક્ષરદેહ' અને ‘૬. આ. સ. ઇ.’ તે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને। ઇતિહાસ' એમ સમજવુ’. ‘કલેક્ટેડ વર્ક્સ' અને ‘અક્ષરદેહ' પરત્વે પહેલા આંકડા ગ્રંથક્રમાંકને અને બીજો પૃષ્ઠમાંકને સમજવેા. ]
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ ૧ કલેફટેડ વસ” ૬૨: ૩૫૮, ૨ એ જ, ૨૨ : ૩૨૦. ૩ “અક્ષરદેહ', ૧૭: પ૭. ૪ એ જ, ૨૬ :૩૭૭ ૫ “Let him who has eyes see, and him who has ears hear.” ૬ બાપુના પત્રો –૮: શ્રી નારણદાસ ગાંધીને, ભાગ ૧, પૃ. ૩૪૧. ૭ દ. આ. સ. ઈ.', પૃ. ૮–૯. ૮ એ જ, પૃ. ૩૪. ૯ કલેકટેડ વફર્સ, ૪૮ - ૪૩૪. ૧૦ “અક્ષરદેહ', ૧૪: ૪૫૭-૮, ૧૧ એ જ, ૧૪ ૩૫૩, ૧૨ એ જ, ૧૨ : ૪૦૬, ૧૩ કલેકટેડ વસ", ૫૫ : ૩૮૨. ૧૪ “ગીતાબોધ', પૃ. ૨૩ ૧૫ “બાપુના પ-૫ કુપ્રેમબહેન કંટકને', પૃ. ૨૦૩. ૧૬ દ. આ. સઇ.', પૃ. ૧૪૦-૧. ૧૭ “અક્ષરદેહ', ૩ઃ૩૫૬. ૧૮ એ જ, ૫: ૧૨૩. ૧૯ એ જ, ૫ : ૨૦ એ જ, ૫: ૫૦૬-૭. ૨૧ એ જ, ૪ : ૪૬૨. ૨૨ એ જ, ૭: ૩. ર૩ એ જ, ૮ઃ ૪. ૨૪ એ જ, ૭ : ૩૮. ૨૫ એ જ, ૭ઃ ૯૪. ર૬ એ જ, ૭: ૩૭૭, ર૭ દશ આંગળાની છાપ આપી. ૨૮ “અક્ષરદેહ', ૭: ૧૩૫. ૨૯ એ જ, ૮ ૭૨-૯, ૩૦ એ જ, ૮: ૮૦-૯૩૧ એ જ, ૧૧ - ૧૨. ૩ર એ જ, ૧૧ : ૪૪૭-૮, ૩૩ એ જ, ૧૧ : ૪૩૭. ૩૪ એ જ, ૮, ૩૫ એ જ, ૮, ૩૬ એ જ, ૧૧ : ૧૭૬
૫. ૩૭ એ જ, ૧૧ : ૩૭૧ -૩. ૩૮ એ જ, ૧૨ ઃ ૧૯૫-૮, ૩૯ એ જ, ૮ને ૯. ૪૦ એ જ, ૧૨: ૪૪૪-પર. ૪૧ એ જ, ૧૧ : ૯૨. ૪ર એ જ, ૧૨ : ૩૪૦. ૪૩ એ જ, ૯ઃ ૪૯૪, ૧૧ : ૯૪, ૧૨: ૩૧૧, ૩૧૨, ૩૨૩, ૩૪૨, ૩૫૪–૫, ૩૭૩. ૪૪ એ જ, ૯ : ૫૩૪, ૫૩૭, ૪૫ એ જ, ૧૪: ૧૪-૩૫. ૪૬ એ જ, ૧૪ : ૪૬-૬૦. ૪૭ એ જ, ૧૪: ૬૦. ૪૮ એ જ, ૧૪ : ૫૬. ૪૯ એ જ, ૧૬ ઃ ૯૨. ૫૦ એ જ, ૧૬ ને ૧૭. ૫૧ એ જ, ૧૦:૪૫૯-૬૧. પર એ જ, ૨૦: ૪૫-૪૭. ૫૩ એ જ, ૨૦ : ૨૫૬-૫૮. ૫૪ એ જ, ૨૧ ૫૫ એ જ, ૨૧ઃ ૮૧-૪. ૫૬ એ જ, ૨૪ : ૧૮૪. પ૭ એ જ, ૨૭: ૯૨-૩. ૫૮ કલેફટેડ વફસ, ૪૮ : ૧૨૭, ૫૭: ૪૪૬, ૬૪: ૭૪, ૧૦૧. ૫૯ “અક્ષરદેહ', ૨૩૪ ૫૦૧-૪. ૬. એ જ, ૨૭ ૨૭૨-૪. ૬૧ એ જ, ૧૬ : ૨૨૧-૩, ૧૭ ૪૦૯-૧૦, ૨૭:૩૨૫-૬, ૩૦ : ૩૫-૬, ૩૪ ૧૩૪-૫. ૬ર બાપુના પ-૫૦ કુ. પ્રેમાબહેન કંટકને', પૃ. ૬૩.
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
[ઈ.સ. ૧૮૮૫] ઉપાસના કરવા લાયક છે કેાઈ દેવતા હોય તો તે જીવનદેવતા જ છે. પણ જીવનદેવતાની ઉપાસના કરી હોય છે. માણસને માટે જે કાંઈ પણ હિતતમ હોય તે તે જીવનદેવતાને ઓળખવું એ જ છે. જીવનદેવતા બહુરૂપિણી છે.”
– કાકાસાહેબ કાલેલકર ૧. જીવનરેખા કાકાસાહેબ કાલેલકરને જન્મ ઈ. ૧૮૮૫ના ડિસેમ્બરની પહેલી તારીખે સતારામાં થયો હતો. તેમના પિતા બાલકૃષ્ણ કાલેલકર પ્રકૃતિએ ઘણું ધર્મનિષ્ઠ પાપભીરુ અને જાગ્રત ન્યાયબુદ્ધિવાળા હતા. માતા રાધાબાઈ પણ કુલીન સદાચારી અને પરોપકારવૃત્તિવાળાં હતાં. દેવપૂજા જપતપ વ્રતઉપવાસ જેવાં કર્મકાંડો અને વિધિનિષેધનું તેઓ ચુસ્ત રીતે પાલન કરતાં. તેમના કુટુંબમાં પ્રાચીન ધર્મગ્રંથ અને મરાઠી સંતના ભક્તિસાહિત્યનું સતત પારાયણ ચાલતું રહેતું. જ્યારે તીર્થાટનના પ્રસંગે આવતા ત્યારે કુટુંબનાં બાળકેને પણ સાથે લેવામાં આવતાં. આ જાતની ધાર્મિક પ્રવૃત્તિઓની બાળક દત્તાત્રેયના મન પર ઊંડી અસર પડી દેખાય છે.
બાલકૃષ્ણ કાલેલકર સરકાર તરફથી દેશી રાજ્યમાં ઍડિટર નિમાયા હતા. એ કામને લીધે આખા કુટુંબને વારંવાર સ્થળાંતર કરતા રહેવું પડેલું. પરિણામે બાળકોને એક જ શાળામાં લાંબા સમય સ્થિર રહીને શિક્ષણ લેવાને અવકાશ મળ્યો નહોતે. જોકે સ્થળાંતરોની સાથે નવાનવા પ્રદેશ જેવાને લાભ તેમને અનાયાસ મળી ગયો. આવાં પરિભ્રમણએ જ તરુણ કાકાસાહેબમાં પ્રકૃતિ માટેનું આકર્ષણ જન્માવ્યું હશે. બીજો પક્ષ લાભ એ મળ્યો કે જુદીજુદી શાળાના કેટલાક સંનિષ્ઠ શિક્ષકને સંપર્ક તેમને થયો. આચાર્ય વામનરાવ અને પદ્મનાભ ચંદાવરકર જેવા શિક્ષકોએ કાકાસાહેબની જિજ્ઞાસા સંકારવામાં તેમ તેમની ધર્મવૃત્તિ પોષવામાં માટે ભાગ ભજવ્યો હતો. તરુણ વયે જ “પ્રતાપપાંડવ” “રામવિજય” “હરિવિજય” “ભક્તિવિજય” “ગુરુચરિત્ર' “સંતલીલામૃત” અને “શિવલીલામૃત જેવા ધર્મગ્રંથો વાંચવા તેઓ પ્રેરાયેલા. એ સમયે પ્રબુદ્ધ ભારત' અને બ્રહ્મવાદિન” જેવાં સામયિકોમાં વેદાંતની જે ચર્ચા ચાલતી તે સમજવાને તેમણે પ્રયત્ન કરેલા.
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ શ્ર'. ૪
ઈ. ૧૯૦૩માં કાકાસાહેબ, મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પૂનાની ફર્ગ્યુસન કૅાલેજમાં જોડાયા. તેમના વ્યક્તિત્વધડતરને આ એક મહત્ત્વનેા તબક્કો હતા. એ સમયે આખાયે દેશમાં રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રચંડ મેાજુ ફરી વળ્યું હતું. સહજ જ જુદીજુદી રાષ્ટ્રીય ચળવળા તેમનું ધ્યાન ખેંચી રહી. રવીન્દ્રનાથ ટાગાર અને અરિવંદ દ્વેષની ‘નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન', આર્યસમાજ, ૐાન સેાસાયટી, થિયોસોફિકલ સેાસાયટી, બ્રહ્મોસમાજ, રામકૃષ્ણ મિશન અને બંગાળને નૂતન કળાસંપ્રદાય જેવી રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાયેલી જુદીજુદી અનેક સંસ્થાએ ત્યારે સક્રિય બની હતી, એ સૌની ભાવના પ્રાચીન ધમ' અને સ ંસ્કૃતિનું ઉજ્જવલ રૂપ પ્રગટ કરી નવા યુગના સ ંદર્ભોમાં તેની પ્રાણપ્રતિષ્ઠા કરવાની હતી, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાએ પ્રાચીન વેદાંતનું રહસ્ય સમજાવતાં તેમાં જનસેવાનુ` મૂલ્ય પણ સાંકળી આપ્યું. તરુણુ કાકાસાહેબના મન પર આ બધી પ્રવૃત્તિ અને વિચારણાના પ્રભાવ પડયો હશે.
આ વયે કાકાસાહેબે પેાતાના જીવનકાર્ય (mission) વિશે ઘણા સ’કલ્પવિકલ્પે કર્યા દેખાય છે. જીવનની દિશા સ્પષ્ટ થતી નહેાતી. થોડા સમય લાક માન્ય ટિળકના નેતૃત્વ હેઠળ ચાલતી સ્વદેશી અને કારૂબંધીની ચળવળમાં કામ કર્યું, થાડા સમય ક્રાંતિવીર ખાપટ અને વીર સાવરકરની મંડળીમાંયે જોડાયા. આમ એક બાજુ રાષ્ટ્રીય વહેણેામાં તેએ ખેંચાઈ રહ્યા હતા ત્યારે, બીજી બાજુ તેમના અંતરમાં આધ્યાત્મિક કટાકટી ચાલી રહી હતી. બાળપણની ભેળા ધશ્રદ્ધા કઠાર બુદ્ધિની એરણ પર ખંડિત થઈ ગઈ હતી. તેમનું મન સંશયવાદથી ઘેરાયેલુ રહેતું હતું. એવે સમયે વિવેકાનંદનાં વચનાએ તેમને ઉગારી લીધા. તેમના અંતરમાં નવી આસ્થા જન્મી કે ભારતના પુનરુદ્વારનેા એકમાત્ર માર્ગ તે કેળવણીનેા છે. અને મનેામન જ તેમણે કેળવણીના કામની દીક્ષા અંગીકાર કરી લીધી.
ઈ. ૧૯૦૭થી ૧૯૧૫ના ગાળા કાકાસાહેબના જીવનમાં ઝડપી વળાંકા આણે છે. આ ગાળામાં ચેડા સમય ખેલગામના ગણેશ વિદ્યાલયમાં અને પછી થોડા સમય વડાદરાના ગંગનાથ ભારતી સવવદ્યાલયમાં શિક્ષક તરીકે કામ કર્યું, વચમાં ગંગાધરરાવના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા પત્ર ‘રાષ્ટ્રમત'માંય કામ કર્યું. અહીં તેમને દત્તોપંત આપટે, વીર વામનરાવ,ગાપાળરાવ આગલે, હિરભાઉ ફાટક અને સ્વામી આનદ જેવા રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓને સંપ થયા. ઈ. ૧૯૧૩માં નિકટના સાથી અનંત જીવા મઢેકર અને સ્વામી આનંદ સાથે તેમણે હિમાલયની પગયાત્રા કરી. ત્યાંથી પાછા ફરતાં થાડા સમય હરદ્વારના ઋષિકુળમાં શકાયા અને જપતપ કર્યાં. પછી ઉત્તર ભારતમાં આસમાનુ` કાંગડી
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭]
કાલેલકર
[૩૧૧ ગુરુકુળ, રાજા મહેન્દ્ર પ્રતાપનું પ્રેમમહાવિદ્યાલય, આચાર્ય કૃપાલાનીજીને સિંધુ બ્રહ્મચર્યાશ્રમ અને રવીન્દ્રનાથની પ્રસિદ્ધ સંસ્થા શાંતિનિકેતનની મુલાકાત લીધી. શાંતિનિકેતનમાં તે ગુરુદેવના સાન્નિધ્યમાં થડે સમય અધ્યાપનનું કામ પણ કર્યું. ઈ. ૧૯૧૩માં આચાર્ય કૃપાલાની અને ગિરધારી જેવા મિત્રો સાથે તેઓ બ્રહ્મદેશને પ્રવાસ કરી આવ્યા.
- ઈ. ૧૯૧૫માં શાંતિનિકેતનમાં તેમને પ્રથમ વાર ગાંધીજી જેડે મુલાકાત થઈ. સત્યાગ્રહને સિદ્ધાંત તેમ જ બીજા રાષ્ટ્રીય પ્રશ્નો વિશે તેમણે ગાંધીજી જેઓ વિચારવિનિમય કર્યો. સત્યાગ્રહના સાધનની ક્ષમતા વિશે તેમના મનમાં અત્યાર સુધી જે સંશય પડ્યો હતો તે આ મુલાકાતથી દૂર થયા. તેઓ હવે ગાંધીજીના અનુયાયી બન્યા. ગાંધીજીના સૂચનથી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા અને ગૂજરાત વિદ્યાપીઠમાં તેમણે શિક્ષણ કામ સ્વીકાર્યું, અને કેટલાક સમય એ સંસ્થાના સંચાલનની જવાબદારી પણ ઉપાડી. દરમ્યાન સત્યાગ્રહની લડતમાં તેઓ સક્રિય બન્યા.
ઈ. ૧૯૩૨માં ગૂજરાત વિદ્યાપીઠ છેડી અને આખાયે રાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવી. અસહકારની લડતમાં ભાગ લેવા બદલ તેમને જેલ જવાના પ્રસંગે આવ્યા. રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીના પ્રચારકાર્ય અંગે દેશના જુદાજુદા પ્રાંતમાં તેમને પ્રવાસ કરવા પડ્યા. સ્વાતંત્ર્યોત્તર સમયમાં “ગાંધી સ્મારક નિધિના નિયામક તરીકે સેવા આપી. રાષ્ટ્રીય કક્ષાની બીજી અનેક સંસ્થાઓ જોડે પણ તેઓ સંકળાયેલા રહ્યા. દરમ્યાન ચીન, જાપાન, રશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા વગેરે દેશમાં પ્રવાસ કરી આવ્યા. ભારતના “સાંસ્કૃતિક એલચી' તરીકે તેમની એ સેવા નોંધપાત્ર છે. ઈ. ૧૯૬૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતે મળેલા વીસમા અધિવેશનના તેઓ પ્રમુખ તરીકે વરાયા હતા. તેમની રાષ્ટ્રીય સેવાઓની કદર કરતાં ભારત સરકારે ઈ. ૧૯૬૪માં તેમને ‘પદ્મવિભૂષણુના ઇલકાબથી નવાજ્યા હતા. તેમના ચિંતનાત્મક ગ્રંથ “જીવનવ્યવસ્થાને સાહિત્ય અકાદમી, દિલ્હીનું ઈ. ૧૯૬૪નું પારિતોષિક એનાયત થયું હતું.
૨. નિરાળી પ્રતિભા કાકાસાહેબની લેખનપ્રવૃત્તિ ઈ. ૧૯૨૦ની આસપાસમાં શરૂ થયેલી તે અત્યાર સુધી અવિરતપણે ચાલુ રહી છે. ગુજરાતીમાં પ્રગટ થયેલા તેમના ગ્રંથોની કુલ સંખ્યા ચાળીસથી પણ વધારે છે. જન્મ મહારાષ્ટ્રી હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે પિતાની માતૃભાષા મરાઠી જેટલું જ ભક્તિભાવ તેમણે દાખવ્યો છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ તેમનાં મોટા ભાગનાં લખાણે પહેલાં ગુજરાતીમાં જ અવતર્યા છે. આપણી ભાષાને પિતાને હૃદયની સકલ સમૃદ્ધિ રેડીને તેમણે એટલી સમર્થ રીતે ખેડી કે, ગાંધીજીએ તેમને “સવાઈ ગુજરાતીનું ઘેરું બિરુદ આપ્યું.
કાકાસાહેબે નિબંધ, પ્રવાસકથા, આત્મવૃત્તાંત, પત્ર આદિ ગદ્યના વિવિધ પ્રકાર ખેડયા. નિબંધમાં ચિંતનાત્મક અને લલિત બંને શૈલીનાં લખાણ તેમણે લખ્યાં. ચિંતનાત્મક લખાણમાં તેમની ચિંતક તરીકેની તેજસ્વી પ્રતિભાને પરિચય મળે જ છે. પણ તેમની પ્રતિભાને એ કંઈક સીમિત અને એકદેશીયા આવિષ્કાર છે. તેમનું બહુશ્રુત સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વ, તેમના પ્રવાસગ્રંથોમાં અને લલિતનિબંધોમાં, વધુ સુભગ રૂપમાં અને વધુ અખિલાઈમાં પ્રગટ થતું જોવા મળે છે. આકાશદર્શનના તેમના લેખો એમાં રજૂ થતા વિષયની નવીનતાને કારણે એક નિરાળો જ ઉન્મેષ બની રહે છે. ગાંધીજીએ સિદ્ધ કરેલી ગદ્યશૈલીમાં તેમણે લાવણ્યવતી એક અને ખી ગદ્ય છટા નિપજાવી. ગાંધીજીના પ્રખર તમય વ્યક્તિત્વ હેઠળ લાંબો સમય તેઓ રહ્યા. પણ તેમના હૃદયની સૌંદર્યવૃત્તિ તેથી કરમાઈ ગઈ નથીઃ એ વિભૂતિનાં તેજ પી પીને તે જાણે કે વધુ દીપ્તિમંત બની છે.
કાકાસાહેબની જીવનગતિ ગાંધીજી કરતાં કંઈક જુદી દિશાની દેખાય છે. ગાંધીજીની દૃષ્ટિમાં ભારતનાં કરોડો દરિદ્રનારાયણે હંમેશ માટે વસી ગયાં હતાં. તેમણે પિતાનું આખું જીવન એ દરિદ્રનારાયણના પુનરુદ્ધાર અથે સમર્પિત કર્યું હતું. લકશ્રેય, લોકસેવા અને લોકશિક્ષણ એ જ તેમના જીવનનાં મુખ્ય પ્રેરક બળ બની રહ્યાં હતાં. તેમને સત્યના પ્રયોગો આવા પરમ લક્ષ્યની દિશામાં ચાલ્યા હતા. તેમની પાસે સૌંદર્યદૃષ્ટિ નહતી એમ તમે કહી શકે નહિ. સંગીત ચિત્ર સાહિત્ય જેવી કળાઓમાં સૂમ રસદષ્ટિથી પ્રવેશ કર્યો હોય એવા અનેક પ્રસંગે તેમના જીવનમાં જોવા મળે છે. પિતાની આસપાસ વિસ્તરેલી પ્રકૃતિમાં વિશ્વના મહાન સર્જકની કળાનું પોતે દર્શન કરે છે, એમ પણ તેઓ કહેતા, પણ કેવળ સૌંદર્યની ઉપાસનાને તેમની જીવનવિચારણામાં ઝાઝું મહત્ત્વ નહોતું. બીજી બાજુ, કાકાસાહેબ પણ ગાંધીજીએ બતાવેલા રચનાત્મક કાર્યક્રમમાં જોડાયેલા રહ્યા, અને રાષ્ટ્રજીવનના તેમ માનવસમાજના પ્રશ્નો વિશે વિચારવિમર્શ પણ કરતા રહ્યા. પણ તેમની શોધ વિશ્વજીવન પાછળ રહેલા પરમ તત્વની હતી. આ પરમ તત્વને “જીવનદેવતા” તરીકે તેઓ ઓળખાવે છે. તેઓ કહે છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ, ભૂમિ અને ભૂમાં – એમ સમગ્રને વ્યાપી લેતી “જીવનદેવતા' અનંતવિધ રૂપે વિલક્ષ્યા કરે છે. પ્રકૃતિનાં કરણ્ય તરોમાં તેમ માનવહૃદયમાં
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭ ]
કાલેલકર
[ ૩૧૩
સ્ફુરતાં શુભંકર તવામાં એનેાજ વિશેષ આવિર્ભાવ જોવા મળે છે. સત્યમ્ શિવમ્ અને સુન્દરમ્ એ ત્રણ એની જ મુખ્ય વિભૂતિઓ છે. ધ કળા સંસ્કૃતિ આદિમાં એની જ ઝાંખી થાય છે. એ ખરું કે વ્યવહારજીવનમાં હિંસતા કુત્સિતતા જેવાં વિઘાતક તત્ત્વાય કામ કરે છે — કાકાસાહેબ જીવનની નરી હકીકત લેખે એનેા ઇન્કાર કરતા નથી પણ તેઓ જે પ્રકારની જીવનભાવના કેળવી રહ્યા છે તેમાં એનું ઊંચું સ્થાન નથી. જીવનમાં પ્રગટ થતાં કોયસ્કર તત્ત્વામાં જ તેમની ઊંડી આસ્થા રહી છે.
-
-
‘જીવનદેવતા'ને પૂર્ણ રૂપમાં જોવા જાણવાની વૃત્તિ જ તેમને જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયામાં પ્રેરી રહી છે. કંઈક આશ્ચય લાગે એવી વાત છે કે, ધર્મ સંસ્કૃતિ સમાજવિજ્ઞાન નૃવંશશાસ્ત્ર ઇતિહાસ પુરાણુ સાહિત્યાદિ કળા, ગણિત ખગાળશાસ્ત્ર એવા અનેક વિષયામાં લગભગ એકસરખા રસથી તેમણે પ્રવેશ કર્યાં છે. એમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિ અને ધર્મદર્શનના તેઓ ઊંડા અભ્યાસી રહ્યા છે. વેદ ઉપનિષદનાં રહસ્યા તેમના જીવનવિચારમાં આતપ્રાત થઈ ચૂકયાં છે. વીસમી સદીનાં જાગતિક પરિબળાથી પણ તેએ સારી રીતે પરિચિત છે. માનવતાવાદની ભૂમિકા પણ એમના ચિંતનમાં વ્યાપકપણે ભળી છે. એટલે સ`કુચિત સંપ્રદાયવૃત્તિથી તે અળગા થઈ ચૂકયા છે. એટલે તેમને આ સંસ્કૃતિના પરિવ્રાજક' તરીકે ઓળખાવવામાં આવ્યા છે તે ચેાગ્ય જ છે. વળી વિવિધ વિદ્યાઓના સંસ્કારાથી તેમના મન કેષ અત્યંત સમૃદ્ધ બન્યા હાવાથી કિશેારલાલે તેમને જીવતાજાગતા જ્ઞાનધિ'ર તરીકે બિરદાવ્યા છે.
પણ કાકાસાહેબની પ્રતિભાને વિશિષ્ટ અંશ તે તેમની સૌંદર્ય વૃત્તિ છે. સૌંદર્યબાધતી તેમની ઇંદ્રિય ઘણી સતેજ અને સદેાતિ રહી હેાવાનું સમજાય છે. દેશમાં કે વિદેશમાં, જ્યાં જ્યાં તક મળી છે ત્યાં ત્યાં પ્રકૃતિનું સૌંદર્ય માણવાનું તેઓ ચૂકયા નથી. રામનારાયણ પાઠક એમ કહે છે કે સૌ વૃત્તિ એ જ કાકાસાહેબની પ્રતિભાને ખરા વિશેષ છે. કિશારલાલે૪ વળી એવું અવલેાકન નાંધ્યું છે કે ગાંધીજીની ‘કરુણાભીની' અને ‘અર્થશાધક' આંખેા પ્રજાજીવનની વિષમ વાસ્તવિકતા પર મંડાયેલી રહેતી, જ્યારે કાકાસાહેબની ‘રસભરી' અને ‘સૌંદર્ય શાધક’ દૃષ્ટિ સતત પ્રકૃતિના વૈભવ પર ઠરેલી રહેતી. કિશારલાલના આ અભિપ્રાયમાં, અલબત્ત, અત્યુક્તિ રહી છે. તાપણુ એટલું તેા સાચું જ કે સૌંદર્ય ખાધ અને તેની અભિવ્યક્તિની ઉત્કટ ઝંખના એ કાકાસાહેબની પ્રતિભાનું એક બળવાન અને ગતિશીલ તત્ત્વ છે. ગાંધીમંડળના લેખકેા-ચિંતામાં આ વૃત્તિવિશેષને કારણે તેઓ નિરાળા તરી આવે છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ . [ ચં. ૪
૩. લલિત નિબંધ જીવનને આનંદ (ઈ. ૧૯૩૬): આ ગ્રંથમાં પ્રકૃતિદર્શન અને આકાશદર્શન ઉપરાંત કળાવિચારણના નિબંધો ગ્રંથસ્થ થયા છે. એમાં “પ્રકૃતિનું હાસ્ય અને નિવૃત્તિમાં નિરીક્ષણ” એ બે ખંડમાં પ્રકૃતિનાં વિભિન્ન સૌંદર્ય રૂપનું વર્ણન કરતા નિબંધે રજૂ થયા છે. પ્રકૃતિનું સૌંદર્ય માણવા તેઓ સતત પરિભ્રમણ કરતા રહ્યા છે. પણ નિવૃત્તિમાં નિરીક્ષણ” ખંડનાં લખાણો જેલવાસમાં લખાયાં છે. જેલજીવનની એકાંતતામાં, ખાસ કરીને માંદગીની નિવૃત્તિની ક્ષણોમાં, આસપાસની પ્રકૃતિને નિકટતાથી અવલોકવાની વૃત્તિમાંથી એ લખાણો જન્મ્યાં છે. પ્રકૃતિ જાણે કે સતત અવનવાં રૂપમાં અવનવી છટાઓથી કાકાસાહેબને આમંત્રણ આપતી રહી છે, અને પ્રસન્નતાપૂર્વક તેઓ એ આમંત્રણ સ્વીકારતા રહ્યા છે ! પ્રકૃતિનું રમ્યભવ્ય દશ્ય તેમના અંતરમાં અપૂર્વ આલાદ જગાડે છે. એમાં કવચિત શેકની છાયા ભળે છે, કવચિત અસૂયાની લાગણી ઉમેરાય છે! પ્રકૃતિ જીવંત સત્વ હોય એ રીતે આત્મીયતાથી તેઓ તેની જોડે વિશંભકથા માંડે છે, કે સ્વગતોક્તિ ઉચ્ચારે છે. પ્રકૃતિના વિશુદ્ધ આનંદના મૂળમાં ખરેખર તો તેમની ભક્તિ અને વિસ્મયની અનુભૂતિઓ રહી હોય છે. નિર્વ્યાજ વિશુદ્ધ આનંદ એ જે તેમના સૌંદર્યબોધની ક્ષણોની પરાકાષ્ઠા છે, તે એવો આનંદ જ તેમના લલિત નિબંધેનું મુખ્ય પ્રેરક બળ છે.
ગમે તે સ્થિતિમાં કુદરતનું દર્શન આહૂલાદક જ હોય છે, એવી તેમના અંતરની દઢ પ્રતીતિ રહી છે. ઉષાકાળે કેસરવણી આભા અને સોનેરી ઝાંયથી દીપનું પૂવય આકાશ, તારાનક્ષત્રથી મોરી ઊઠતું રાત્રિનું કદંબવૃક્ષ, ઋતુઋતુએ મનેભાવ બદલતાં રહેતાં વાદળાની અવનવી રંગલીલા, નગરને રોશનીથી ઝળહળ કરી મૂકતા દીવાઓની હારમાળા, સૂરજનાં તેજ પીતાં કૂણું પર્ણો – એવી નૈસર્ગિક સૌંદર્યની છટાએ તે તેઓ માણે જ છે. પણ જીવનનાં શુષ્ક અને રેઢિયાળ લાગતાં દશ્યોમાંય તેઓ લીન બની જાય છે. પ્રખર શ્રીમને મધ્યાહ્નકાળે આકાશના નીરવ એકાંતમાં ચકરાવા લેતી સમડીઓ જોવાનું કે કુમાશભર્યા કાદવમાં અંકાઈ ગયેલી પગલાંઓની લિપિ ઉકેલવાનું કે પાણીની સપાટી પર વિસ્તરી રહેલી લીલનું બારીક નિરીક્ષણ કરવાનું તો કાકાસાહેબ જેવા કેકને જ સૂછે અરે, સુકાતી માટીની તિરાડોથી રચાઈ જતી આકૃતિઓ જોવાનું પણ તેઓ ચૂક્યા નથી ! એમ કહી શકાય કે પૃથ્વી પાણી તેજ વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત અલગ અલગ કે સાથે મળીને જે જે માયાવી રૂપ રચે છે, તે સર્વને તેઓ એકસરખી ઉત્સુકતાથી નિહાળતા રહ્યા છે. આવી ક્ષણે તેઓ જે વિરલ પ્રસન્નતા અનુભવી રહ્યા હોય છે, તેની પાછળ તેમની વિરલ આધ્યાત્મિક
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭]
કાલેલકર
[ ૩૧૫.
વૃત્તિ જોઈ શકાય. પ્રકૃતિમાં પ્રત્યક્ષ થતી લીલા એ પરમ ચૈતન્યનેા જ આંશિક આવિષ્કાર છે, એવી તેમની પ્રતીતિ રહી છે. આવી પ્રતીતિ ન હેાય તા, પ્રકૃતિનાં રમ્યરુક્ષ સુરૂ૫કુરૂપ એવાં સત્ત્વા જોડે આટલી આત્મીયતા સાધવાનું પણ શક ન બને.
જીવનના આનંદ'ના ખીજા ખંડ ‘અનંત વિસ્તાર'માં કાકાસાહેબના આકાશદર્શનના લેખા રજૂ થયા છે. મૂળ તા સત્યાગ્રહ આશ્રમના વિદ્યાથી આને, અને ખીજા આકાશપ્રેમી લેાકેાને માટે પણુ, આ વિષયના પ્રાથમિક ખ્યાલ આપી એમાં તેમને રસ લેતા કરવાને એ લખાયા હતા. એ પૈકી ‘અધમણુ’થી ‘રાત્રિની સમૃદ્ધિ–૧' સુધીના છ નિબંધે વિશેષતઃ માહિતીલક્ષી છે, જ્યારે ખીજા લેખે તારાદર્શનના આટ્લાદમાંથી જન્મ્યા હાઈ લલિત નિબંધા બન્યા છે. તારાનક્ષેત્રા અને નિહારિકાનું દર્શન કાકાસાહેબમાં અજબ ઉલ્લાસ જગાડે છે. રાત્રિની એ જાતિય સૃષ્ટિને તેમણે 'દેવાનું કાવ્ય' કહીને એળખાવી છે. એક પ્રસંગે તેમણે એમ કહ્યું છે કે દિવસના ‘કાળા પ્રકાશ' કરતાં રાત્રિનેા ઊજળા અંધકાર' તેમને વધુ ગમે છે ! કેમ કે, આ અનંત બ્રહ્માંડનું વધુ યથાર્થ દર્શન ‘ઊજળા અંધકાર’માં જ થઈ શકે. સાચું છે કે તારાનક્ષેત્રાની રહસ્યભરી સૃષ્ટિ તેમના અંતરના વિસ્મયને સકારતી રહી છે, તેમના ભક્તિભાવને પેાષતી રહી છે. ખગાળશાસ્ત્રના તે ઊંડા અભ્યાસી રહ્યા છે, એટલે તારાનક્ષત્રાના ઉદયઅસ્તની માહિતી તેમની પાસે હાય જ. એટલે જેલની સાંકડી ખરાકમાં પડચા હાય, કે દક્ષિણ છેડે કન્યા કુમારીના સાગરતટે ઊભા હાય, — કાઈ પણ સ્થાનેથી પેાતાના સ્વજન સમાં તારાનક્ષત્રોની તેએ અચૂક ભાળ મેળવી લેવાના. આ રીતે આકાશદર્શન એ તેમની અતિપ્રિય પ્રવૃત્તિ રહી છે. આ વિષયના તેમના લલિત નિબંધે, માત્ર વિષયની નવીનતાને કારણે જ નહિ, ચારુ ગદ્યશૈલીને કારણે પણ એટલા જ હ્રદ્ય બન્યા છે.. તારાનક્ષત્રાની સતત ચાલતી રહેતી વણાર તેમની સ ંવેદનાને તીવ્રતાથી સ`કારી આપે છે અને તેમની કલ્પનાને તરલચંચલ બનાવી દે છે. તારાઓની વૈવિધ્યભરી આકૃતિઓનું ચેતાહર અલંકારાની સહાયથી તેઓ વર્ણન કરે છે. વેદઉપનિષદના સંદર્ભો સહજ રીતે તેમના અલંકારામાં પ્રવેશી જાય છે. પ્રસ ંગેપ્રસંગે તારાનક્ષત્રામાં માનવભા વેાનું આરેાપણ કરી સજીવારાપણ અલંકારા રચે છે, તેા એમાં હાસ્ય-વિમેદની નિર્દોષ ક્ષણેાય તેએ ોધી લે છે. આકાશદર્શનની પ્રસન્નતા જાણે કે તેમની સર્જ કલ્પનાને પ્રેરી રહે છે, એટલે જ‘દેવેનુ” એ ‘કાવ્ય’ આપણા સાહિત્યમાં હૃદયંગમ એવા ગદ્યકાવ્યના ઉન્મેષા નિપજાવી આપે છે.
ખડવાના આન” (ઈ. ૧૯૫૩) : આ ગ્રંથમાં આપણા દેશનાં જુદાં-જુદાં તીર્થંધામા કલાધામેા વગેરે સ્થળવિશેષને લગતા લેખેા ગ્રંથસ્થ થયાં.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ. ૪ છે. “દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે એવું આત્મનિવેદન કાકાસાહેબે રજૂ કર્યું છે. આવી રાષ્ટ્રભક્તિ જ આપણા દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને આત્મસાત કરવા પ્રેરે છે. તેમની જિજ્ઞાસા અને સૌંદર્યવૃત્તિ પહેલેથી સતેજ હતી. અને રાષ્ટ્રીય સેવાની જુદી જુદી પ્રવૃત્તિઓ નિમિત્તે દેશના ખૂણેખૂણામાં પ્રવાસ કરવાની તક મળી ત્યારે તીર્થધામો કે બીજું એતિહાસિક ધામે તેમણે નિકટતાથી નિહાળી લીધાં હતાં. એક રીતે આ પ્રવાસ તેમની ભારતીય આત્માની શોધ જેવા બની રહ્યા છે. આ બધાં પ્રવાસજન્ય લખાણોમાં તેમના લલિત નિબંધોની રમણીય શૈલીનું જ અનુસંધાન જોવા મળશે. એમાં ધર્મ સંસ્કૃતિ આદિ વિષયોને લગતી કેટલીક ચર્ચાઓ છે, ઐતિહાસિક અને ભૌગોલિક વિગતેના સંદર્ભો છે, પણ તેથી એ શેલીની રમણીયતા ખાસ લુપ્ત થઈ નથી. પ્રકૃતિના નિબંધોમાં તેમના સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વના જે ઉન્મ જોવા મળ્યા હતા તેનો જ કંઈ વિલક્ષણ આવિર્ભાવ અહીં જોઈ શકાશે.
આ ગ્રંથમાં આપણે દેશનાં તીર્થસ્થાને વિશેના નિબંધે મહત્ત્વનું સ્થાન લે છે. જુદાજુદા ધર્મો અને સંપ્રદાય દ્વારા બંધાયેલાં મંદિરે, તેની આગવી સ્થાપત્યશિલ્પની કળા, તેનાં વિશિષ્ટ શૈલીનાં મૂર્તિવિધાને જેવી બાબતોમાં કાકાસાહેબને જીવંત રસ રહ્યો છે. એટલે આ પ્રવાસોમાં તેઓ આ તીર્થધામોને વિવિધ રીતે પરિચય મેળવી લે એ સ્વાભાવિક છે. આ ગ્રંથમાં, આ રીતે, તેમણે અનેક સ્થળવિશેષોને રસભીની શૈલીમાં પરિચય આપે છે. દક્ષિણ ભારતને છેડે આવેલું કન્યાકુમારીનું મંદિર, બેલૂડનું રામકૃષ્ણ પરમહંસનું મંદિર, નર્મદા તીરે આવેલું યોગિની મંદિર, મહાવીરની કેવલ્યભૂમિ અપાપાપુરી, બુદ્ધગયા, નાંદેડને ગુરુ ગોવિંદસિંહને ગુરુદ્વારા, મૈસૂરની વિશાળકાય બાહુબલીની મૂર્તિ, નિર્વાણધામ કુશીનારા, દેલવાડાનાં જૈન મંદિર, ધૃણેશ્વર –એમ અનેક તીર્થોને અહીં પરિચય પ્રાપ્ત થાય છે. કેટલાંક સ્થાનેનાં વર્ણનમાં તેની સાથે સંકળાયેલી પુરાણકથા કે દંતકથાને ટૂંકા ઉલ્લેખ રજૂ કરે છે. એમાં પતીકી દૃષ્ટિએ અર્થ. ઘટન કરવાની વૃત્તિ પણ કામ કરે છે. તે, અનેક પ્રસંગે મંદિરનાં સ્થાપત્યશિ૯૫ આદિને સૌંદર્યદષ્ટિએ વિચાર કર્યો છે. આ બધા નિબંધમાંથી ભારતીય સમાજ અને સંસ્કૃતિની એક વિશિષ્ટ ભાતીગળ મુદ્રા ઉપસી આવી છે. ધાર્મિક સ્થાનમાં પણ અંધશ્રદ્ધા ભ્રષ્ટાચાર જેવી બદીઓ જોઈ તેમનું હૈયું ખિન્ન બની જાય છે, અને હિંદુ ધર્મ અને સંસ્કૃતિને મોટો રોગ લાગ્યો છે તે વાતને સ્વીકાર કરે છે, તે છતાં મંદિરોની સંસ્કૃતિ પર એકંદરે તેમને ભક્તિભાવ
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭]
કાલેલકર
[ ૩૧૭
અને શ્રદ્ધાભાવ જ પ્રગટ થઈ જાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિને એ જીવત વારસા છે એવી દૃઢ શ્રદ્ધા તેએ કેળવી રહ્યા છે,
‘વૈરાગ્યવૈભવને વારસા’, · દેલવાડાની ધાર્મિક કળા', ‘બાહુબલી', ‘અજંટા', ‘તાજમહાલ’, ‘બુદ્ધ યશેાધરા અને રાહુલ' જેવા લેખેામાં આપણાં કેટલાંક મહત્ત્વનાં કલાધામોને પરિચય મળે છે. આપણે ત્યાં ઘણીએક કળાપ્રવૃત્તિ જુદીજુદી ધર્માંસ સ્થાએના આશ્રયે વિકસતી રહી છે, અને જુદીજુદી સંસ્થાની કળાઓમાં જુદીજુદી શૈલીએ નિર્માણ થવા પામી હતી. આથી, કાકાસાહેબ આવી ધ સંસ્થાને તેમ તેનાથી પ્રેરાયેલી શૈલીઓનેય વિચાર કરવા પ્રેરાયા છે. તે સ્થાપત્યાદિ કળાએ વિશે જે ચર્ચા કરે છે તેમાં તેમની શિષ્ટ અભિન્નત રસવૃત્તિ અને સૂક્ષ્મ કળાદષ્ટિનેા પરિચય થઈ જાય છે. જોકે કેવળ કળાદષ્ટિએ વિચારતા રહેવાનું તેમનુ વલણ નથી, સમાજ સસ્કૃતિ અને જીવનવ્યવસ્થાને વિશેષ લક્ષમાં રાખી તેએ એ બધી કળાના વિચાર કરે છે. આથી સમાજજીવન પર કળાઓની અસરના પ્રશ્નો તેમનું વિશેષ ધ્યાન રાકે છે. આ ગ્રંથમાં મેાટા ભાગના નિબંધો પ્રકૃતિની ભૂમિકા રજૂ કરે જ છે. પણ ‘દક્ષિણને છેડે’, ‘ઘટાશિલેશ્વર’, ‘સીતાનહાણી', ‘પુણ્ય તારાનગરી’ કે ‘ચાંદીપુર અથવા પૂર્વ ખેરડી' જેવા નિબંધ મુખ્યત્વે પ્રકૃતિદર્શનના છે. કાકાસાહેબની સૌંદષ્ટિને એમાં સુભગ પરિચય મળી જાય છે. તેમની હાસ્યવિનેાદની નર્મમર્મભરી ઉક્તિઓ અહી તેમની શૈલીને વધુ હુઘ બનાવે છે.
જીવનલીલા' (ઈ. ૧૯૫૬) : કાકાસાહેબને, આપણા દેશની નદીઓનુ” મહિમાગાન કરતા લેખેાના પહેલા નાના સંગ્રહ ‘લાકમાતા’(૧૯૩૪)ના નામે પ્રગટ થયા હતા, એમાં સાહિત્ય અકાદમી, દિલ્હીની સૂચનાથી જળદર્શનને લગતાં ખીજાં લખાણા ઉમેરીને ઈ. ૧૯૫૬માં ‘જીવનલીલા'ની સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી. એમાં નદીદર્શન ઉપરાંત સાગર સરૈાવર જેવાં જળાશયેા વિશેનાં લખાણા એકસાથે રજૂ થયાં. તેથી પાણી જેવી વિભૂતિ પરત્વે કાકાસા હેળનુ * અપાર આકર્ષણ રહ્યું છે, તેના સરસ પરિચય મળે છે, જીવનલીલા' એ શીર્ષીકમાં ‘જીવન' શબ્દના શ્લેષથી જ ચૈતન્ય' અને ‘પાણી' એ બંને અશ્ સૂચવાઈ જાય છે.
કાકાસાહેબને પાણી માટે કંઈક વિશેષ પક્ષપાત રહ્યો દેખાય છે. નદી સાગર કે સરાવરના દર્શન માટે તેઓ સદાય ઉત્સુક રહ્યા છે. નિરંતર વહેતા જળપ્રવાહમાં માનવજીવનની ગતિવિધનું દર્શન તે કરી શકે છે. પાણીનાં અપારવિધ રૂપેામાં પરમ ચૈતન્યની લીલા પ્રતિબિંબિત થઈ રહી હૈાવાની તેમની પ્રતીતિ છે. બધાં
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૮]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [[ચં. ૪ મહાભૂતમાં પાણી પ્રવાહી ચંચલ અને ગતિશીલ છે, એ તે ખરું જ. પણ ઈતિહાસ સંસ્કૃતિ અને સમાજવિજ્ઞાનના અભ્યાસી તરીકે તેઓ એ વાત પણ સારી રીતે પામી ગયા છે કે નદીઓ લેકમાતાઓ છે. લોકજીવનને પોષવામાં, તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં, અને એ રીતે લોકસંસ્કૃતિના જતનમાં નદીઓને મોટો ફાળો રહ્યો છે. જગતની અનેક મહાન સંસ્કૃતિઓ મહાનદીઓના કિનારા પર વિકસી હતી. પ્રજાઓના વ્યવહારવિનિમયમાં એ નદીઓને ફાળા નાનોસૂને નથી. આથી કાકાસાહેબ એમ સૂચવવા પ્રેરાયા છે કે જુદી જુદી પ્રજાઓના ઇતિહાસ તેની રાજકર્તાઓની વંશાવળિઓ પ્રમાણે નહિ, પણ જુદીજુદી નદીઓને કાંઠે વસેલી પ્રજાઓની જુદીજુદી વંશાવળિઓ પ્રમાણે લખાવો જોઈએ.
કાકાસાહેબે આપણા દેશની નદીઓને ઓળખાવતાં દરેકના વિશિષ્ટ વ્યક્તિત્વની મનહર મુદ્રા ઉપસાવી આપી છે. નદીએ પણ તેમની સ્વજન હોય તે રીતે, વહાલથી તેઓ તેને પરિચય આપે છે. “ગંગામૈયા', ‘યમુના રાણી', સખી માર્કી', “ગુર્જરમાતા સાબરમતી', દક્ષિણગંગા ગોદાવરી', ‘ઉભયાન્વયી નર્મદા જેવાં લખાણનું નદીદર્શન અત્યંત હૃદયસ્પર્શી બની આવ્યું છે. સંસ્કારસમૃદ્ધ વર્ણનશૈલીના સુભગ ઉન્મેષો એમાં જોવા મળે છે. કાકાસાહેબની રસિકકમળ કલ્પનાશક્તિ આકર્ષક ચિત્ર અહીં કંડારી આપે છે. “સંધ્યારસનું સરોવરદર્શન અને “જાંઓને તાંડવગ” જેવાં લખાણોમાં પણ તેમની ગદ્યશૈલીની રમણીયતા એટલી જ હૃદ્ય છે. ગેરસપ્પાના ધોધ વિશે ત્રણ જુદાજુદા પ્રસંગે લખાયેલા ત્રણ લેખે તેમની જુદીજુદી મનઃસ્થિતિનાં હૃદ્ય ચિત્રે અપે છે.
ઓતરાતી દીવાલો' (ઈ. ૧૯૨૫): આ નાનકડી પુસ્તિકામાં કાકાસાહેબે આપણા વિશ્વના એક અપરિચિત પાસાનું દર્શન કરાવ્યું છે. આપણી આસપાસમાં જ રહેતાં છતાં હંમેશાં ઉપેક્ષા પામેલાં પંખીઓ જીવજંતુઓ અને છોડ-વેલ અહીં વર્ણનને વિષય બન્યાં છે. અસહકારની લડતમાં ભાગ લેવા માટે સરકારે તેમને કેટલોક સમય સાબરમતીની જેલમાં રાખ્યા હતા. આ જેલવાસ દરમ્યાનની એકલતાની ક્ષણેમાં તેઓ પોતાની બૅરેક બહારની દુનિયા કુતૂહલપૂર્વક નિહાળતા રહ્યા હતા. જેલની ઓરડીમાંથી દેખાતું આકાશ અને તારાનક્ષત્રોની ગતિવિધિ તેમની દૃષ્ટિમાં આવ્યાં છે જ, પણ ઓરડીમાં અને બહાર એકત્ર થતાં જીવજંતુઓ અને પંખીઓની ક્રીડા પણ તેઓ એટલા જ રસપૂર્વક નિહાળતા રહ્યા છે. આંગણામાં ઊગેલે એરંડા અને પીપળો તે તેમનાં અંતેવાસીઓ બની રહ્યાં છે. જ તુલકની પ્રવૃત્તિઓનું તેમનું આ જાતનું અવલોકન રોમાંચક છે. સંઘગતિમાં વિચરતાં કીડીમ કેડા, “કર્મકાંડી કબૂતરોનું જલસ્નાન, વંદાઓનું સ્વાગત',
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭]
કાલેલકર
[૩૧૯
ખિસકેલી ને સમડીઓ જોડે કાગડાઓનું “મહાયુદ્ધ', વૃત્તનિવેદન” અર્થે બિલાડીનું પરિભ્રમણ, સ્નાનાગારમાં મંકડાનું મૃત્યુ, કાનખજૂરાની “ભવમુક્તિ', ચકલીના મહેલ'ની કથા, એકપરા કાગડાની ચતુરાઈ, પીળાં પતંગિયાંનું વૈર ઉદ્યન–આવા અનેક રસપ્રદ વૃત્તાંત તેમણે અહીં આલેખ્યા છે. કાકાસાહેબની તીવ્ર જિજ્ઞાસા સાથે તેમની બારીક નિરીક્ષણશક્તિને અહીં સુભગ યોગ થવા પામે છે. સામાન્ય માનવીની નજરને બિલકુલ તુચ્છ ને નગણ્ય લાગતી જીવસૃષ્ટિ અહીં એક સચેત લેક રૂપે છતી થઈ છે. આ જ તુલકને એની આગવી દિનચર્યાઓ છે, વૃત્તિપ્રવૃત્તિઓ છે, જીવન ટકાવવાના સંઘર્ષો અને મુકાબલાઓ છે, અને એ બધું અહીં સરસ રીતે રજૂ થાય છે. કાકાસાહેબની હાસ્યવિનોદની વૃત્તિ આ વર્ણનમાં વિશેષ રોચકતા આણે છે.
પંખીઓ, જીવજંતુઓ વગેરેની સૃષ્ટિમાં કાકાસાહેબ એવા તે ગરકાવ બની ગયા છે કે, ઘડીક જેલજીવનની કઠોરતા તેમને ખરેખર કઠતી હશે કે કેમ એ પ્રશ્ન થાય. તેમના અંતરની ઊંડી પ્રશાન્તતા અને પ્રસન્નતા જ અહીં વિશેષ પ્રત્યક્ષ થાય છે. જો કે પ્રસંગોપાત્ત આપણું વર્તમાન સમાજની ગતિવિધિ, તેના રાગદ્વેષ, ન્યાય અન્યાય કે જીવલેણ સંઘર્ષો તરફ વિદવ્યંગમાં તેઓ નિર્દેશ કરી લે છે ખરા, પણ તેથી વિશેષ ગંભીર ચિંતનનું અહીં કેઈ પ્રજન જ નથી. જેલજીવનના દિવસોમાં જંતુલેકને આ રીતને પરિચય તેમણે કર્યો, અને એક ન જ સંસાર તેમણે આપણી સમક્ષ ખુલ્લો કર્યો. આ પ્રકારનું “સંસારદર્શન વિશ્વસાહિત્યમાં બહુ ઓછું જ હશે, એમ લાગે છે. મીઠાના પ્રતાપે' (૧૯૫૮)નું પણ અહીં સ્મરણ કરવું જોઈએ.
લલિત નિબંધોની ગદ્યશૈલીઃ લલિત નિબંધેની શૈલી અને સંવેદના કાકાસાહેબના નિરાળા સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વથી અંકિત થઈ છે. પ્રકૃતિવિષયક નિબંધોમાં તેમની સૌંદર્યવૃત્તિને અનન્ય આવિર્ભાવ જોવા મળે છે. આપણું ગદ્યસાહિત્યમાં તેમની શૈલી અનેખી ભાત પાડે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, પ્રકૃતિને આત્મીયતાથી તેઓ નિહાળે છે, એટલે તારા નક્ષત્રે વાદળ કે પંખીઓ જોડે સરળતાથી વિઠંભકથા માંડી શકે છે, અપરિચિતતાનું આવરણ તડી તરત તેના અંતરમાં સ્થાન લે છે. આવા પ્રસંગોમાં તેમની બાલસુલભ કુતૂહલ અને વિસ્મયવૃત્તિ કામ કરી રહી હોય છે. કોઈ પણ રમણીય દૃશ્ય, અભિરામ છટા, કે જીવનશક્તિને ઉકેક તેમની કલ્પનાશક્તિને ઉત્તેજિત કરી મૂકે છે; કહે કે, તરંગવૃત્તિને સક્રિય કરી દે છે ! અને, તેમના અનુભવમાં આવેલી રમણીયતા નૂતન ચિત્રાત્મકતા ધારણ કરીને પ્રત્યક્ષ બની ઊઠે છે. કાકાસાહેબને વર્ણનમાં
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ સજીવારોપણ અલંકારે વારંવાર આવ્યા છે, તેય સૂચક છે. શિશુસુલભ એવી તેમની કલ્પના પ્રકૃતિના પદાર્થોને અને સોને જાણે કે જીવંત વ્યક્તિરૂપે જ પ્રત્યક્ષ કરે છે ! વૃક્ષ વાદળ કે નક્ષત્ર – દરેકમાં માનવસહજ વૃત્તિઓ વર્તન અને ભાવાનું તેઓ આરોપણ કરવા પ્રેરાયા છે. તેમની આ પ્રકારની ગ્રહણશક્તિ ઘણી વાર વળી ઉપમા ઉઝેક્ષા રૂપે પ્રગટ થાય છે. સજીવારોપણ ઉપમા અને ઉઝેક્ષા, એ ત્રણ અલંકારો કાકાસાહેબના લલિત ગદ્યમાં વિશેષ ચમત્કૃતિ આણે છે. તેમની સર્ગશક્તિ મુખ્યત્વે આ ત્રણ અલંકારો રૂપે જ સાકાર થઈ છે. એ દ્વારા તેમનું ગદ્ય ચિત્રાત્મક બન્યું છે એ તો ખરું જ, પણ તાજગી નૂતનતા અને હતાના ગુણે પણ પ્રાપ્ત કરી શકહ્યું છે.
પ્રકૃતિના વર્ણનમાં કાકાસાહેબને જ્ઞાનવિજ્ઞાનના સંસ્કારે સહજ રીતે ઊતરી આવ્યા છે, વિશેષ કરીને સંસ્કૃત કાવ્યનાટકાદિના સંસ્કારે તરત ધ્યાન ખેંચે છે. તારાનક્ષત્રોના વર્ણનમાં વેદ પુરાણના સંદર્ભે એટલા જ પ્રબળ છે. તેમના અનુભવકથનમાં આ રીતે અર્થનું ગૌરવ જન્મે છે, કહે કે એક વિશેષ રૂપનું સાંસ્કૃતિક પરિમાણ ઊભું થાય છે. આ ઉપરાંત ઈતિહાસાદિ વિષયોના સંસ્કાર પણ તેમના કથનવર્ણનમાં સહજ ઊતરી આવ્યા જણાશે. પ્રાચીન સાહિત્યના પાત્ર કે પ્રસંગને કેટલીક વાર ઉપમાન લેખે સ્વીકારે છે, તે કેટલીક વાર પિતાના વક્તવ્યને સ્ફટ કરવા દૃષ્ટાંત રૂપે આણે છે. પ્રાચીન કલેક કે ઉક્તિનું અર્થઘટન પણ એમાં ચાલતું રહે છે. હાસ્યવિનેદના પ્રસંગોમાં કેટલીક વાર પ્રાચીન ઉક્તિ કે પદ શ્લેષ અથે પ્રયોજાયેલાં જોવા મળે છે. આમ પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિનાં તો તેમને ગદ્યમાં સતત પ્રવેશતાં રહ્યાં છે. સદાજાગ્રત અને સદાદિત એવી તેમની સ્મૃતિ આપણું સંસ્કૃતિનાં કેટકેટલાં પાસાં એને સ્પર્શતી રહી છે ! એટલે જ, ઉમાશંકર જોશીપ એમ કહેવા પ્રેરાયા છે કે કાકાસાહેબની ગદ્યશૈલીમાં છેલ્લાં પાંચ હજાર વરસની સંસ્કૃતિની સુવાસ છે.” આવી ગદ્યશૈલીને કારણે ગાંધીયુગના જ નહિ, આપણા સમસ્ત અર્વાચીન સમયના નિબંધકારમાં તેઓ અનન્ય સ્થાન ધરાવે છે.
કાકાસાહેબ બહુશ્રુત અભ્યાસી હોવા છતાં લલિત સુકુમાર ગદ્યનું સર્જન કરવા તેઓ સમર્થ બન્યા છે. કંઈક વિશેષ રૂપની સૌમ્યતા ઋજુતા અને લાવણ્ય તેમાં અનાયાસ સિદ્ધ થયાં છે. તેમની કામળ રુચિ અને અંતઃકરણ વૃત્તિને એમાં વારેવારે આપણને પરિચય થાય છે. તેમના ગદ્યમાં જે વિશદતા અને પ્રાસાદિકતા જમ્યાં છે તેમાં તેમના અંતરની સંસ્કૃતિ અને પ્રસન્નતા જ કારણભૂત છે એમ સમજાય છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭]. કાલેલકર
[૩૨૧ તેમની સંવેદનામાં તીણ ગ્રહણશક્તિ (perception) અને બારીક નિરીક્ષણશક્તિ (observation) એ બે શક્તિઓનું વિશેષ અનુસંધાન રહ્યું છે. એને કારણે પ્રકૃતિનાં દશ્ય અને પદાર્થો વિશે સ્વચ્છ સુરેખ તાજગીભર્યા પ્રતિભાવો તેઓ ઝીલી શક્યા છે. પ્રકૃતિનાં સામાન્ય કે તુચ્છ લાગતાં પાસાંઓમાંય તેઓ આકર્ષક રૂપે પ્રત્યક્ષ કરી શક્યા છે. પરિચિત જગતને જોવામાં ટેવમાં બંધાઈ જતી ઈન્દ્રિયોને સતત સતેજ રાખીને તેઓ ચાલ્યા છે. વર્ણનને પ્રસંગ કઈ પણ હ–રંગ બદલતાં આભલાં છે, કે તારાનક્ષત્રોની આકૃતિ હે, કે ખરતાં પાદડાંની ચક્રાકાર રમણા હે – એમાંથી મૂર્ત ઈન્દ્રિયગોચર વિગતે તેઓ ઝટ પકડી લે છે. વર્ણ વસ્તુને તેની આગવી રંગછાયા પિતા કે તેજછાંયની આભા સમેત પકડી લે છે. આથી ચિરપરિચિત દો અને પદાર્થોનેય નવું ચમત્કૃતિભર્યું રૂપ પ્રાપ્ત થાય છે.
જુદાજુદા પ્રસંગે લખાયેલા આ નિબંધેની માંડણી અને રજૂઆત પણ વિવિધ રીતે થતી રહી છે. કોઈ વાર પ્રાચીન સાહિત્યનું અવતરણ ટાંકી તેને અર્થઘટનથી શરૂઆત કરી છે, કઈ વાર સ્મૃતિમાં સચવાયેલા પ્રસંગકથનથી શરૂઆત કરી છે તે કઈ વાર પ્રસ્તુત વિષયના ચિંતનમનનથી કરી છે. તેમણે કથ્ય વસ્તુની રજૂઆતમાં સતત અરૂઢ એવી શિલી પ્રયોજી છે. એમાં સાક્ષરવૃત્તિમાંથી સહજ રીતે જન્મતી શુષ્કતા કે બેજિલતા ભાગ્યે જ વરતાય છે. પણ તેમની આ વિશિષ્ટ કથનશૈલી પ્રાકૃતતાના સ્તરથી પણ અળગી રહી શકી છે. ગાંધીજીની ગદ્યશૈલીની સરળતા સુઘડતા અને ઉક્તિલાઘવ એમના ગદ્યમાં આવ્યાં જ છે. પણ એમાં કુમાશ અને લાલિત્યનું તત્વ ઉમેરાયું છે. અંતરની પ્રાસાદિકતામાંથી સહજ જન્મતાં વાક્યો સતત નવાનવા વળાંકે અને વળોટે લેતાં દેખાય છે. એમાં લાંબાં અને ટૂંકાં વાક્યો કશાક મૂળભૂત લય અને આંતર સંવાદમાં સુભગ રીતે ગોઠવાયેલાં હોય છે. સંસ્કૃતને અપરિચિત શબ્દ કે સમાસ પણ આથી સંવાદ સાધીને દાખલ થાય છે. શબ્દખંડ કે વાક્યખંડને કેટલીક વાર વળી અનુપ્રાસની યુક્તિથી ચમત્કૃતિ સાથે સાંકળી લેતા હોય છે, તે અર્થાન્તરન્યાસી વિધાનની રીતિ પણ તેઓ કેટલીક વાર પ્રજે છે.
આ લલિત નિબંધો તેમની હાસ્યવિનોદિની લાક્ષણિક વૃત્તિને કારણે વધુ મર્માળા બન્યા છે. તેમનો હાસ્યવિનોદ તેમના અંતઃકરણની કે મળ વૃત્તિમાંથી જન્મતે હોય એવો નિર્દોષ અને નિર્દેશ પ્રતીત થાય છે. પ્રકૃતિના પદાર્થોમાં માનવવૃત્તિ કે વર્તનનું આરોપણ કરી તેઓ તેમાં વિદની ક્ષણ મેળવી લે છે. ગુ, સા. ૨૧
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
ચં. ૪ એમ કરતાં માનવસમાજની અજ્ઞાનતા જડતા કે મૂર્ખાઈ તરફ બંગભર્યો નિર્દેશ પણ કરી લે છે. પણ એમાં દાહક રોષ કે ડંખ ભાગ્યે જ જોવા મળે છે. ઘણી વાર તે શબ્દશ્લેષ કે શબ્દચાતુરીથી વિનોદ કરે છે. તેમની આ જાતની વિદવૃત્તિ પાછળ તેમની વ્યાપક અનુકંપા રહેલી છે, નિર્વ્યાજ ઉલ્લાસ રહ્યો છે એમ સમજાય છે.
૪. પ્રવાસગ્રંથ હિમાલયને પ્રવાસ (ઈ. ૧૯૨૪) : કાકાસાહેબને પ્રથમ પ્રવાસગ્રંથ હિમાલયને પ્રવાસ” આપણું ગદ્યસાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ છે, અને એની અપૂર્વ સંસ્કારસમૃદ્ધ શૈલીને કારણે આ પ્રકારના આપણું સાહિત્યમાં વિરલ સ્થાન ધરાવે છે. પ્રવાસકથાને લેખક એટલે આંતરિક રીતે સમૃદ્ધ હોય તેટલી જ તેની પ્રવાસકથા પણ સમૃદ્ધ નીવડી આવવા સંભવ છે. “હિમાલયનો પ્રવાસના સંદર્ભમાં આ અવેલેકન ઘણું યથાર્થ લાગે છે. હિમાલયની વિભૂતિ તે એની એ જ છે, અનેક પ્રવાસીઓએ એનું બયાન આપવાના પ્રયત્ન કર્યા છે, પણ એ સૌમાં કાકાસાહેબનો ગ્રંથ નિરાળા તરી આવે છે. તેમના અંતરની વિપુલ સમૃદ્ધિ એમાં પ્રગટ થઈ શકી છે.
હિમાલયના પ્રવાસની આ કથા, એક રીતે, કાકાસાહેબના આધ્યાત્મિક જીવનનું એક રસપ્રદ પ્રકરણ બની રહે છે. હિમાલ્ય હિંદુ ધર્મ અને સંસ્કૃતિને મુખ્ય સ્ત્રોત રહ્યો છે, એવી તેમની પહેલેથી જ શ્રદ્ધા રહી છે. છેક બાળપણથી જ તેમને હિમાલય માટે ગૂઢ આકર્ષણ રહ્યું હતું. એટલે ઈ. ૧૯૧૨માં તેમને જેવી મોકળાશ મળી કે તરત જ પોતાના બે નિકટના સાથી મિત્રો અનંત બુવા મઢેકર અને સ્વામી આનંદ જોડે હિમાલયમાં લગભગ ૨૫૦૦ માઈલની પદયાત્રા તેઓ કરી આવ્યા. એ પ્રવાસની કથા તે પછીથી સાતેક વરસના ગાળા બાદ તેમણે લખી. સત્યાગ્રહ આશ્રમના વિદ્યાથીઓ ત્યારે હરતલિખિત સામયિક ચલાવતા હતા. તેમાં આ પ્રવાસકથા પહેલાં લેખમાળારૂપે રજ થઈ. પછીથી તે પુસ્તકાકારે પ્રગટ થઈ.
કાકાસાહેબના હૃદયમાં હિમાલય માટે ઊંડે ભક્તિભાવ હતો. એટલે એના પ્રવાસ સમયના અનુભવો ચિત્તમાં તીવ્રતાથી અંકાઈ ગયા હોય એ સ્વાભાવિક છે. અને એટલે જ, પ્રવાસ પછી સાતેક વરસને ગાળો વીતી જવા છતાંય એ સમયનાં સ્મરણે ઉત્કટતાથી તાજાં કરી શકાય. કાકાસાહેબ માટે આ પ્રવાસ જાણે કે આંતરખોજ માટે નિમિત્ત બન્યા. આચાર્ય કૃપાલાનીજીએ આ સંદર્ભમાં એક મામિક મુદ્દો ને છેઃ કાકામાં જે વિશાળ જ્ઞાનને ધોધ વહેતા જોઈએ
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭]
કાલેલકર
[૩૨૩
છીએ તેનું મૂળ આ હિમાલયમાં જ પડેલું છે. એ પ્રવાસમાં કાકાએ એકેએક તીર્થનું ધામ જોયુ, એકેએક જ્ઞાનનું ધામ જોયું, એકેએક સૌન્દર્યનું સ્થાન જોયું અને દરેક સ્થાનના સંદેશા એમના એ અદ્ભુત મગજમાં સંધરી લીધેા.’૬ તાત્પ કે, ધર્મ જ્ઞાન અને સૌદર્યું. જેમાંથી પ્રગટ થાય છે, તે અંતરની ગંગાત્રીની કાકાસાહેબે આ યાત્રામાં આળખ કરી. આ જ ‘ગંગાત્રી'માં પ્રાચીન આર્યધર્મ અને સંસ્કૃતિના મૂળ સ્રોત તેમણે પ્રત્યક્ષ કર્યો. તા નવા યુગની અસ્મિતાના ઉદય પણ તેમણે એમાં જ જોયા. આવા પ્રેરણાસ્રોતનું વર્ણન તે સ્થૂળ ‘શબ્દચિત્ર’ રૂપ નિહ, તેમના હૃદયના રંગેાથી રંગાયેલુ` એ એક ‘પ્રેમચિત્ર’ બની રહ્યું.
હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત છે, દિવ્યતાની ઝાંખી કરાવે તેવું લેાકેાત્તર છે. એટલે કાકાસાહેબ જેવા પ્રકૃતિપ્રેમીને આવા પ્રસંગ આત્માના ઉડ્ડયનમાં પ્રેરે એમ સહજ બનવાનું. આથી હિમાલયની યાત્રામાં એક પછી એક જે દૃશ્યપટા ખૂલે છે, તેની કથા મેાહક બની રહે છે. હિમાલયનાં યુગયુગજૂનાં શિખર, તેની બરફાઈ ટાય અને ઢાળાવ, તેજછાયામાં રચાતી અવનવી રંગીન ઝાંય, ઉપર વલસતુ નીલવર્ણ. આકાશ, તળેટી અને ખીણેામાં મેકરેલી અડાખીડ વનસ્પતિ, એકલ પગદ’ડીએ — આ પ્રવાસકથામાં મુખ્ય દૃશ્યપટ રચે છે. એવી પ્રકૃતિની પશ્ચાદ્ભૂમિકા પર સ ંતમહ ́તાની મુલાકાતાના કેટલાક પ્રસંગે આગવી હદ્યતા ધરાવે છે.
આ પ્રવાસકથાના વર્ણનમાં પ્રકૃતિના જીવનની નાનીમેાટી બધી જ વિગતા તેમના હૃદયરસમાં ભીંજાઈને રજૂ થઈ દેખાય છે. એમ કહી શકાય કે તેમના અંતરની સ`સ્કારસ...પત્તિને પ્રગટ થવામાં બહારની પ્રકૃતિ તા કેવળ ઉદ્દીપક તત્ત્વ જ રહી છે ! વિવિધ દા અને પ્રસંગાની કથા કહેતાં કાકાસાહેબના વિચાર। લાગણી સ્મૃતિએ અને વિદ્યાકીય સ`સ્કાર – એ બધી જ સંપત્તિ એકરસ બનીને ઊતરી આવી છે. રામાયણુ, મહાભારત, ગીતા, ઉપનિષદ, શાકુંતલ, ઉત્તરરામચરિત જેવા પ્રાચીન સાહિત્યના સંસ્કાર અને સંવેદને તેમની શૈલીમાં અનાયાસ ગૂંથાતાં રહ્યાં છે. એક પ્રકારે ભારતીય સંસ્કારિતાના સૂક્ષ્મ પરિવેશ તેમના પ્રસંગવનમાં વ્યાપી રહેલા દેખાય છે. કાકાસાહેબની સૌમ્ય ઋજુ વિનેવૃત્તિ અહીં પણ ખીલી ઊઠી છે. પ્રવાસમામાં તેમને અનંત ભટ્ટ, પરમહંસ, સિદ્ધા, સ્વામી પ્રજ્ઞાનંદ, શારદાનંદ, ખાખી બાવા અને કાલીકમલી બાબા જેવા કેટલાક સંતમહ તાનેા ભેટા થયા, તે પ્રસ ંગાનાં પાવનકારી સ્મરણા અહીં નોંધાયાં છે. એ દરેકનું વિશિષ્ટ વ્યક્તિચિત્ર કાકાસાહેબે થાડીક પણ માર્મિક રેખામાં આલેખી દીધું છે. અહીં', પ્રસંગેાપાત્ત, હિંદુ ધર્મ અને
Page #333
--------------------------------------------------------------------------
________________
૩ર૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (ચં. ૪ સંસ્કૃતિ વિશે કેટલુંક ચિંતનમનન પણ રજૂ થયું છે. હિંદુ ધર્મની જડતા કુરૂઢિઓ વગેરેની ટીકાટિપ્પણી કરવાનું પણ તેઓ ચૂક્યા નથી. પણ એમાં દાહક વ્યંગકટાક્ષ નથી, કેમળ અંતઃકરણની વ્યથા અલબત્ત એમાં ટપકે જ છે. આર્ય ધર્મ અને સંસ્કૃતિ પર તેમની શ્રદ્ધાભક્તિ એ જ તેમના હૃદયની સ્થાયીવૃત્તિ રહી છે, એમ તરત સમજાય.
બ્રહ્મદેશને પ્રવાસ (ઈ. ૧૯૩૧) : કાકાસાહેબની આ પ્રવાસકથાને એનું આકર્ષક પાસું છે. પણ “હિમાલયને પ્રવાસની ભવ્યતા અને સમૃદ્ધિ એમાં નથી. અને એ સહજ સમજાય તેવી વાત છે. બ્રહ્મદેશનો પ્રવાસ તેમણે ઈ. ૧૯૧૫માં કર્યો, અને એની કથા છેક ઈ. ૧૯૨૭માં એટલે કે બારેક વરસ પછી લખવાને પ્રસંગ પડ્યો. એ સમય દરમ્યાન પ્રવાસનાં સંસ્મરણો ઝાંખાં થઈ ચૂક્યાં હોય એ તો દેખીતું છે. પણ અહીં બીજી એક વાત પણ લક્ષમાં લેવા જેવી છે. હિમાલય પ્રત્યે તેમને ઉત્કટ ભક્તિભાવ હતો. એટલે એ પ્રવાસના અનુભો તેમના ચિત્તમાં ઊંડા અંકિત થઈ ચૂક્યા હતા. તેમની આંતરચેતનામાં બરાબર સંગૃહીત રહ્યા હતા. બ્રહ્મદેશની ભૂમિ પર આવા કોઈ ઉત્કટ ભકિતભાવને પ્રશ્ન ખાસ નહોતે. માત્ર આપણા પડોશી રાષ્ટ્ર તરીકે એ ભૂમિનું જીવન અને એની સંસ્કૃતિને ઓળખવાનું કુતૂહલ હતું, ઉત્સુકતા માત્ર હતી. અને, એ રીતે, આ પ્રવાસકથામાં બ્રહ્મી પ્રજાને ઓળખવાની તેમની વૃત્તિ જ મુખ્ય છે. અને એ પ્રજાની રહેણીકરણી, તેમને પહેરવેશ, ઉદ્યોગ, બાંધકામ અને ધર્મ એવી બધી બાબતે સહજ જ તેમની કથામાં વિશેષ સ્થાન લે છે. અલબત્ત, આ સાથે જ હિંદમાંથી વેપારધંધા અર્થે આવી વસેલી હિંદી પ્રજાની પરિસ્થિતિ અને બ્રહ્મી પ્રજા જોડેના તેના સંબંધમાંય તેમને એટલો જ રસ રહ્યો છે. એક સમાજશાસ્ત્રીની વૃત્તિથી તેઓ ત્યાંની સામાજિક-આર્થિક પરિસ્થિતિનું અવલોકન કરી રહે છે. હિંદી વેપારીઓએ બ્રહ્મ મજૂરોનું ભારે રોષણ કર્યું છે, એ જણી તેમનું હૃદય ખિન્ન બની જાય છે. આ કથામાં પ્રકૃતિનાં આકર્ષક દ પણ આલેખાયાં છે જ. કાકાસાહેબની ગદ્યશૈલી આવાં દોને વર્ણનમાં ખૂબ મારી ઊઠે છે. પણ અહીં તેમની નિસબત વિશેષતઃ ત્યાંની માનવપરિસ્થિતિ જોડે રહી છે. એ રીતે તેમના વ્યક્તિત્વનું જરા જુદું પાસું એમાં ઊપસે છે, એટલું જ,
ઉગમણે દેશ (ઈ. ૧૯૫૮) : કાકાસાહેબે આ ગ્રંથમાં પોતાના બે વારના જાપાનના પ્રવાસેની કથા રજૂ કરી છે. પહેલી વાર ઈ. ૧૯૫૪ના એપ્રિલ માસમાં ગાંધીજીના એક જાપાનીઝ અનુયાયી શ્રી ગુરુજી નિચિદાસુનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી તેઓ જાપાનમાં મળનારી વિશ્વશાંતિ પરિષદમાં ભાગ લેવા
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭]
કાલેલકર
[ ૩૨૫
ગયા હતા. ખીજી વાર ઈ. ૧૯૫૭માં જાપાનમાં મળેલી અણુબોમ્બ વિરોધી વિશ્વપરિષદમાં ભાગ લેનારા ભારતીય પ્રતિનિધિમંડળના વડા તરીકે તેઓ ત્યાં ગયા હતા. આ બે પ્રવાસ દરમ્યાન જે કઈ સમય તેમને મળ્યા તેમાં જાપાનના બને તેટલા વધુ મુલક જોઈ લેવાને કાર્યક્રમ રાખ્યા. એમાં પહેલા પ્રવાસની કથા તેમણે સળંગ રૂપમાં કહી છે, જે પ્રથમ ખંડમાં રજૂ કરી છે. ખીજી વારના પ્રવાસના અનુભવે તેમણે પત્રાના રૂપમાં મૂકવા છે, અને તે ખીજા ખંડમાં સ્થાન પામ્યા છે. આ બે ખંડની કથામાંથી જાપાન જેવા પૂર્વીય દેશને, તેની અનૈાખી ધરતી અને અનેાખી સંસ્કૃતિના, સરસ પરિચય મળે છે. જાપાનના પ્રજાજીવનની લાક્ષણિકતાઓ પ્રગટ કરતા પ્રસંગે। અને ત્યાંની સાંસ્કૃતિક-ધાર્મિક પરિસ્થિતિએ વિશે અહીં અનેક પ્રકરણા મળે છે. કોતાનું ‘શિા' મંદિર, ગેશા' તરીકે જાણીતી ત્યાંની નૃત્યાંગના, ત્યાંનાં સ્થાપત્યશિલ્પ, ‘ડૅરેમિકા’ નાટયગૃહ, નારાનગરનાં હાડિયૂજી મંદિર, ભીષણુ જ્વાળામુખી આસા, કુમામાતાને સૌમ્ય દીપેસવ, અણુબોમ્બના વિનાશમાંથી પુનઃન્મ પામતું હિરોશીમા શહેર એ બધાંની કથામાંથી જાપાનની આગવી સ ંસ્કૃતિ પ્રબળપણે ઊપસી આવી છે. ખીજા ખંડમાં લેાકજીવનની કથા સામે પ્રકૃતિનાં સૌંદર્યધામેાનું વર્ણન વિશેષ ધ્યાન રાકે છે. ‘આકાન-કાનન', ‘માઢ્યુ અને ખુશારા', ‘ભવ્યતાનું પિયર ઃ નિક્કો’, ‘ઇજનેરી પુરુષાર્થનું પ્રતીક' ‘સિમિઝુનું સાગરદર્શન' અને ‘જિયામાનાં દર્શન’ વગેરે પ્રકરણામાં રામાંચક પરિવેશવાળી ત્યાંની ધરતીનાં રામાંચક દશ્યાનું વર્ણન મળે છે. જાપાનનું ભૂતલ જ અનેાખુ છે. અનેક ટાપુએનું મિલન, ધુમ્મસમાં ઢંકાઈ જતા અર્ધપારદર્શી પર્વતા, ખીણેામાં વિલસતાં મનેહર સરાવરા, વિરાટકાય વૃક્ષાથી રચાતી વીથિકા, અને ત્યાંના પહાડી ખડકા – એ બધાં દસ્યા કાકાસાહેબના હૃદયને પ્રસન્ન કરી દે છે. પણ ધરતી કરતાંયે વધુ રહસ્યાવૃત તા કદાચ જાપાની પ્રજાને। આત્મા છે. પેાતાનાં ટૂંકાં રાકાણામાંયે તેમણે એ પ્રજાના અંતરંગમાં ડેાકિયુ" કરવા પ્રશસ્ય પ્રયત્ન કર્યાં છે. જાપાની પ્રજાની સાહસિકતા, પુરુષાર્થ, નિખાલસતા અને વિશેષ તા તેમને રાષ્ટ્રપ્રેમ કાકાસાહેબને સ્પશી ગયાં છે. આ કથામાં તેમણે એવી ભાવના પ્રગટ કરી છે કે, નવા યુગમાં જગતની જુદીજુદી સંસ્કૃતિના સમન્વયની જે પ્રક્રિયા આરંભાશે, તેમાં જાપાની પ્રજાનું વિશિષ્ટ અ`ણુ હશે. આ પ્રવાસમાં નિહાળેલાં પ્રકૃતિનાં દશ્યા તેમની સર્ગશક્તિને ઉત્તેજિત કરી રહ્યાં હશે, એટલે ત્યાંની એ વનશ્રી, ત્યાંનાં જળાશયાની રામાંચક શાભા, અને ખડક વિસ્તારનાં વર્ણના સહેજ જ આકર્ષક બની આવ્યાં છે. લલિત નિબધામાં સિદ્ધ થયેલી તેમની ચારુ ગદ્યશૈલી અહીં ફરીથી મેારી ઊડતી દેખાય છે.
—
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર, ૪
પૂર્વ આફ્રિકામાં’ (ઈ. ૧૯૫૯) : આ ગ્રંથમાં કાકાસાહેબે પેાતાના પૂર્વ આફ્રિકાના પ્રવાસની કથા રજૂ કરી છે. આ પ્રવાસમાં વળી એ ‘અંધારિયા ખ’ડ’ના માનવીય પ્રશ્નો અને પરિસ્થિતિએ તેમનુ વિશેષ ધ્યાન રાકે છે. કાળી પ્રજાની વર્તીમાન દશા શી છે, તેમની સામાજિક રાજકીય મહત્ત્વાકાંક્ષાએ શી છે, અને તેમના સંઘર્ષો કયા છે — એ બધી બાબતમાં તેમને ઊડા રસ હતા જ, પણ એ સાથે આ ખંડમાં એકત્ર થયેલી કાળી ગારી અને ઘઉં વણી પ્રજાના પરસ્પરના સબધા વિશેય તેમને સચિતતા હતી. અહીં આ પ્રજાનાં હિતા અને સ્વાર્થા એકખીજાની સામે ટકરાઈ રહ્યાં છે. એ વિશે તેએ સભાન હતા. એટલે આ પ્રવાસકથા મુખ્યત્વે આવા પ્રશ્નોને વિશેષ અનુલક્ષે છે. એમાં પ્રસ ંગેપ્રસંગે ગાંધીજીની જીવનભાવના, વિશ્વકલ્યાણુ, રાષ્ટ્રધર્મ જેવા મુદ્દાઓ પર તેમનું ચિંતનમનન રજૂ થયું છે. વિશાળ માનવજાતિની એકતા અને વૈશ્વિક સ ંસ્કૃતિને મહાપ્રયાગ' એ ખંડની ધરતી પર જ શરૂ થશે, એવી શ્રદ્ધા પણ તેમણે વ્યક્ત કરી છે. આ પ્રવાસમાં પૂર્વ આફ્રિકાની પ્રકૃતિનાં કેટલાંક રમણીય દશ્યા આલેખાયાં છે, પણ પ્રકૃતિસૌંદર્યનું વર્ણન એ તેમની અહીં મુખ્ય નિસબત જ નથી એમ
સમાશે.
૫. વિચારક
વિચારક તરીકેના અભિગમ: ગાંધીજીએ પેાતાની પુસ્તિકા હિંદ સ્વરાજ'માં” એમ પ્રતિપાદિત કર્યું હતું કે હિંદુને માટે સ્વરાજ્યનેા અર્થ માત્ર પરદેશી શાસનની ધૂંસરી હઠાવી દેવી એટલેા જ નથી; સ્વરાજ્ય એટલે સ્વદેશી, સ્વાવલંબન, અને ત્યાગબલિદાનની ભાવના પર નૂતન સમાજની સ્થાપના. પશ્ચિમની વિલસતી જતી ભૌતિક સંસ્કૃતિ અને તેની સાથે સંલગ્ન સમાજવ્યવસ્થાના મૂળમાં રહેલા દાષા તેઓ વેધક દષ્ટિએ પામી ગયા હતા. જ્યાં સુધી ભાગવિલાસની સ ંસ્કૃતિને સ્વીકાર કરીશુ ત્યાં સુધી પ્રજાપ્રજા વચ્ચે સ્પર્ધા, સંઘ, શાષણખારી, અન્યાય અને સામ્રાજ્યવાદ જેવાં અનિષ્ટો ફાલતાંફૂલતાં રહેશે જ, એમ તેમને સમજાઈ ચૂકયું હતું. હિંદુનું હૃદય તે તેનાં ગામડાંઓ છે. એટલે સ્વાવલ"બન સાદાઈ અને સંયમના સિદ્ધાંત પર પ્રતિષ્ઠિત ગ્રામસ્વરાજ અને ગ્રામસ`સ્કૃતિની ભાવના તેમણે પ્રતિષ્ઠિત કરી. તે સાથે તેમણે દૃષ્ટિસંપન્ન રચનાત્મક કાર્યક્રમ પણ ઘડી કાઢયો. એ ભાવના અને કાર્યક્રમના પ્રચારમાં ગાંધીજીને દેશના ખૂણેખૂણામાંથી આવેલા અસંખ્ય કાર્યકરીને સહયેાગ મળ્યા. આવા કાર્યકરોમાં કાકાસાહેબ કાલેલકરનું વિશિષ્ટ સ્થાન છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭ ]
કાલેલકર
[૩૨૭
ગાંધીજીએ પેાતાને માટે જે જીવનકા (mission) નક્કી કર્યું' હતું તેમાં સત્યની ખેાજ અને લેાકસેવા એ બે પુરુષાર્થ એકરૂપ થઈ ગયા હતા. ગીતામાં પ્રતિપાતિ નિષ્કામ કર્મ યાગને માગે તે ચાલ્યા હતા. રામનારાયણ પાઠેકે કહ્યું છે તેમ, ગાંધીજીને ધર્મ એ આચરણના ધર્મ હતા. પરમ સત્યની પ્રાપ્તિ આચરણ દ્વારા જ થઈ શકશે એવી તેમની ઊંડી શ્રદ્ધા હતી. તેમના સત્યના પ્રયાગા આવી શ્રદ્ધાથી પ્રેરાયેલા હતા. સાક્ષરયુગમાં ગેાવનરામ, મણિલાલ અને આયા આન દેશ કર ધ્રુવ જેવા મહાન ચિંતકાએ પણ પોતપેાતાની રીતે પ્રાચીન હિંદુ ધર્મનાં રહસ્યા સમજાવવાની પ્રવૃત્તિ કરી હતી. પણ તેમના માર્ગો વિશેષતઃ અક્ષરની ઉપાસનાના હતા. પ્રાચીન ધર્મગ્ર ંથાનું નવા યુગસંદ'માં અર્થઘટન કરવું, એ તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. ગાંધીજીએ જુદાજુદા ધર્મના ઉત્તમ અ ંશે લઈ વ્યાપક ધર્મ ભાવના પ્રતિષ્ઠિત કરી. પશ્ચિમના મહાન ચિંતકામાંથી મહાત્મા થારા, રસ્કિન અને ટોલ્સ્ટોયની જીવનભાવનામાંથી પણ શ્રેયસ્કર અંશા તેમણે સ્વીકાર્યાં. પણ, હિંદુ ધર્મનાં વિશુદ્ધ અને ઉદાત્ત તત્ત્વાના તેમની વિચારણાના પાયામાં સ્વીકાર હતા. પ્રાચીન ધર્મનાં સત્ય અહિંસા અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં મહાવ્રતા મુખ્યત્વે વ્યક્તિગત સાધનાના વિષય રહ્યાં હતાં. એ ત્રાને ગાંધીજીએ સમસ્ત પ્રજાના પુરુષા અર્થે ઉપયાગમાં લીધાં. જીવનના સિદ્ધાંતાને કાર્યાન્વિત કરવાના એ મહાપુરુષાર્થ હતા. આત્મખાજ અને આત્મશુદ્ધિને આ રીતે વ્યાપક લેાકશ્રેયનું નિમિત્તે મળ્યું. લાકસેવાના તેમના આ કાર્યક્રમમાં રાજકીય મુક્તિ ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ, ગ્રામેાદ્વાર, રેટિયાપ્રચાર, રાષ્ટ્રીય કેળવણી, મજૂરકલ્યાણુ, નારીપ્રતિષ્ઠા, સ્વદેશીપ્રચાર, હિંદુમુસ્લિમએકતા, રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીના પ્રચાર જેવા અનેક મુદ્દાએ સ્થાન પામ્યા હતા. છેક નાનામાં નાના રોજિંદા કામમાંયે ધર્મભાવના લાગુ પાડવાના ગાંધીજીના ઉપક્રમ હતા. દેખીતી રીતે જ, એમાં કોઈ ગૂઢ બ્રહ્મવાદ નહેાતા, કે અટપટા કર્મકાંડ નહેાતા કે કાઈ ગુરુને આદેશ પણ નહાતા ઃ હતા કેવળ અંતરના પવિત્ર અવાજના સ્વીકાર. આપણે ત્યાં પુનરુત્થાન કાળમાં સ્વામી વિવેકાનંદ, અરવિંદ ધાષ અને રવીન્દ્રનાથ ટાગાર જેવા મહાપુરુષાએ પ્રાચીન ધર્મનું વિશુદ્ધ ઉજજ્વલ રૂપ સમજાવવાને જે પ્રવૃત્તિ કરી, લગભગ તેવી જ પ્રવૃત્તિ ગાંધીજીની હતી, અલબત્ત એમને માર્ગ નિરાળા હતા, તેમનું દર્શન આગવુ' હતું.
એક ગાંધીવાદી ચિંતક તરીકે કાકાસાહેબના, ઉપક્રમ વળી આગવેા દેખાય છે. પ્રાચીન ધર્મગ્રથા અને મરાઠી સતાની ભક્તિભાવનાના સસ્કારી તેમના અંતરમાં રાપાયેલા પડયા હતા. પણ આધુનિક જ્ઞાનવિજ્ઞાનમાંથી કેટલાક ઈષ્ટ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩ર૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ લાગતા અંશોનેય તેઓ પુરસ્કાર કરવા ચાહે છે. તેમની જીવનભાવનામાં વિભિન્ન વિદ્યાઓના સંસ્કારો નિર્ણાયક બન્યા જણાય છે. પિતાની જીવનભાવને સ્પષ્ટ કરતાં તાજેતરના એક લેખમાં તેમણે કહ્યું છેઃ
મારે તો પશ્ચિમને વિકાસવાદ સિદ્ધાંત તરીકે સ્વીકારી પશ્ચિમની સંકુચિતતા છોડી દેવી હતી. અને મને વિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન અને અધ્યાત્મવિજ્ઞાન ત્રણેને સમન્વય કરી એમાંથી બિલકુલ સ્વતંત્ર સ્વદેશી વિકાસવાદ ઉપજાવી દયાનંદ સરસ્વતીની ભૂમિકા સુધારવી હતી. અને જે કામ આર્યસમાજ કે બ્રહ્મસમાજે ન કર્યું તે મારે કરવું હતું. મને પોતાને સ્વામી વિવેકાનંદ, શ્રી રવીન્દ્રનાથ અને શ્રી અરવિંદ ઘોષ એ ત્રણ પ્રેરક તઆદરણીય હતાં. એમાંથી મારે વૈદિક વિકાસ સ્વદેશી ઢબે સિદ્ધ કરતો હતો, જેને આધારે સર્વધર્મના સમભાવ માટે પણ ઉત્તમોત્તમ ભૂમિકા તૈયાર થઈ જાત. આ કામ આ ઉંમરે હું ન કરી શકું તો પણ કેકે કર્યા વગર ચાલે નહિ. કેમ કે પરમ સત્ય એ દિશાએ જ આપણને મળવાનું છે, એ મારી આંતરિક શ્રદ્ધા છે.”૧૦
કાકાસાહેબની જીવનગતિ ગાંધીજી કરતાં કંઈક જુદી દિશાની છે, એમ આ નિવેદનમાંથી સ્પષ્ટ સમજાય છે. કાકાસાહેબ ગાંધીજીના કર્મમાર્ગનું મહત્ત્વ બરાબર સમજે છે, પણ તેમનું પોતીકું દર્શન જુદું છે. વિકાસવાદની ચેકસ ભૂમિકાનું એમાં અનુસંધાન છે. ધર્મ સમાજ સંસ્કૃતિ અને સાહિત્ય જેવાં અનેકવિધ જીવતાસોને સમાજવિકાસની દૃષ્ટિએ તેઓ યોજવા ચાહે છે. વિશ્વજીવનની મૂળભૂત એકતા અને વિવિધ સંસ્કૃતિઓને સમન્વય – એ તેમના વિકાસવાદનું અંતિમ લક્ષ્મસ્થાન રહ્યું છે. માનવજાતિની વિષમ પરિસ્થિતિ વિશે તેઓ સભાન પણ છે, પણ તેમનામાં રહેલો ભાવનાવાદી – આશાવાદી – ચિંતક મોટું વર્ચસ ભગવે છે. કાકાસાહેબના ચિંતનમાં આથી સ્વપ્નિલતાનું તત્ત્વ સહજ રીતે ભળી ગયું છે. ગાંધીજીને માર્ગ કઠોર નિર્દય આત્મખોજના માર્ગ હતો. અસાધારણ સંકલ્પબળથી તેઓ વિચારને આચરણમાં મૂકવા પ્રયત્નશીલ બન્યા હતા. એટલે, તેમના ગદ્યમાં તેમના મંથનશીલ આત્માના અનુભવો ઉત્કટતાથી રણકી ઊઠયા છે. તેમના અવાજમાં વિશેષ પ્રકારનું સામર્થ્ય પ્રગટ થયું છે. આથી ભિન્ન કાકાસાહેબમાં માનવ સમાજ અને સંસ્કૃતિના શ્રેયની ચિંતા છે, ઊંડી ઝંખના અને સ્વપ્નિલતા છે. એ રીતે એમના ચિંતનાત્મક ગદ્યમાં એક વિશેષ પ્રકારને ભાવનાત્મક પરિવેશ વરતાય છે.
“જીવનસંસ્કૃતિ (ઈ. ૧૯૩૯): સમાજ અને સંસ્કૃતિ વિશેના લેખેના આ બૃહદ્ સંગ્રહમાં આરંભના ખંડમાં જગતની મુખ્યમુખ્ય સંસ્કૃતિઓ વિશેના લેખે રજૂ થયા છે. તેમને ભારતીય સંસ્કૃતિ વિશેના લેખ અલબત્ત અહીં વિશેષ સ્થાન લે છે. જગતની જુદી જુદી સંસ્કૃતિઓના સમન્વયની જે પ્રક્રિયા
Page #338
--------------------------------------------------------------------------
________________
કાલેલકર
[ ૩૨૯
% ૭ ]
ચાલશે તેની ભૂમિકામાં મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ જ રહી હશે એવી તેમની શ્રદ્ધા રહી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા, ત્યાગ તપ સહિષ્ણુતા અને ઉદારતાનાં મૂલ્યા પર ઊભી હતી, અને એ કારણે જ ઇતિહાસને જુદેજુદે તા પેાતાનુ સ્વત્વ ખેાયા વિના પરદેશી સંસ્કારા તે આત્મસાત્ કરી શકી છે. અને એવા સમન્વયની ક્ષમતા હજીય તેના સત્ત્વમાં પડી છે. હિંદની ધવૃત્તિ હજીય સતેજ રહી છે એવી સમજથી કાકાસાહેબ એવી કલ્પના કરવા પ્રેરાય છે કે એશિયામાં નવા જગદ્ગુરુ તરીકેનું તે સ્થાન લેશે. કાકાસાહેબની સંસ્કૃતિવિચારણામાં આ રીતે તેમની સ્વપ્નિલતા વારવાર છતી થઈ જાય છે.
ગાંધીજીની જેમ કાકાસાહેબ પણ પાશ્ચાત્ય સામ્રાજ્યવાદના મૂળથી જ વિરાધ કરે છે. એ જ રીતે પશ્ચિમની ભેગપ્રધાન સંસ્કૃતિનાં ભયસ્થાને પણ તેએ બરાબર ઓળખે છે. અને એટલે જ ગાંધીજીએ રજૂ કરેલા ગ્રામસંસ્કૃતિના ખ્યાલને તેઓ સમજપૂર્વÖક આવકારે છે. નવી જીવનવ્યવસ્થા અંગે તેમણે જે જે વિચારણા કરી છે તેમાં આ રીતે ગાંધીજીની પ્રેરણા જ મુખ્યત્વે પડેલી છે, એમ
જોઈ શકાશે.
સમાજ અને સંસ્કૃતિના સંવર્ધન અને પોષણ અથે ઋષિએ તેનાં ‘સાધના' અને સાધના' એ બંને વસ્તુએનુ સતત ચિંતનમનન કરતા રહેવું જોઈએ એમ કાકાસાહેબ કહે છે. માત્ર સ્થૂળ સાધના'ની વિપુલતા સંસ્કૃતિના પ્રાણુને રૂંધનારી જ નીવડે, જ્યારે ‘સાધના'ના અભાવમાં ‘સાધના' વધ્યું જ નીવડે. સંસ્કૃતિના સંપૂર્ણ વિકાસ અર્થે આમ ‘સાધને!' અને ‘સાધના' વચ્ચે ચેાગ્ય સંતુલન રચાવું જોઈએ, એમ તેએ માને છે. આ સંદર્ભમાં ગીતાએ પ્રતિપાદિત કરેલી યજ્ઞ દાન અને તપ, એ ત્રણ ધર્મભાવનાઓને વ્યાપક સ્વીકાર કરવાને તેઓ સૂચવે છે. તેમની સ ંસ્કૃતિમીમાંસામાં આ ત્રણ મૂલ્યે પાયામાં રહ્યાં છે. તેમનુ કેટલુંક ચિંતન આ ત્રણ મૂલ્યાના પ્રતિપાદનમાં રાકાયેલું છે. અન્ય પ્રસંગે સÖભૂતદયા, ક્ષાંતિ અનસૂયતા, શૌચ, અનાયાસ, માંગલ્યમ, અકાણ્યમ્ અને અસ્પૃહા એ આઠ આત્મિક ગુણાને સમાજવ્યવસ્થાના આધારસ્તંભેા લેખવ્યા છે. ગીતા, સમાજ અને સંસ્કૃતિના નવધડતર માટે સતત પ્રેરણારૂપ બની શકે એવા સમ" ગ્રંથ છે એમ તેઓ કહે છે, અને એ રીતે ગીતાના આદર્શોને સંસ્કૃતિવિકાસ અર્થે તેએ પ્રતિષ્ઠિત કરે છે. પાશ્ચાત્ય દેશેામાં આ સદીમાં વ્યક્તિ ચડિયાતી કે સમાજ એવે ઉગ્ર વિવાદ ચાલ્યા હતા. તેના ઉત્તર રૂપે તે એ વિચાર મૂકે છે કે વ્યક્તિ સમાજ પ્રત્યેની પેાતાની ફરજો અદા કરે, તે સાથે પેાતાનું ‘મુખ્ય સ્વાતંત્ર્ય' તે જાળવી રાખી શકે : ખીજી
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ બાજુ, સમાજ પિતાનું ઈષ્ટ ધ્યેય સ્વીકારીને ચાલતું રહે, તે છતાંય વ્યક્તિના વિશિષ્ટ હક કે અધિકારોને તે સુરક્ષિત રાખી શકે. વર્તમાન માનવસમાજના એક અતિ વિષમ પ્રશ્નનું આ રીતે તેઓ પોતાની ભાવનાવાદી દષ્ટિએ નિરાકરણ સૂચવે છે. પણ વાસ્તવવાદી ચિંતકોને એ એટલું સમાધાનકારી નહિ નીવડે એ દેખીતું છે. કાકાસાહેબે આપણું રાષ્ટ્રીય પરિસ્થિતિના સંદર્ભમાં ગ્રામોદ્યોગ અસ્પૃશ્યતાનિવારણ જેવા અનેક મુદ્દાઓની જે ચર્ચા કરી છે તેમાં તેમને ભાવનાપરાયણ દૃષ્ટિકોણ જ પ્રવર્તતો રહ્યો દેખાય છે.
આ પ્રકારના ચિંતનાત્મક ગદ્યમાં તેમની શૈલી ગાંધીજીની ગદ્યશૈલીની નિકટ આવી જાય છે. પિતાનું વક્તવ્ય સરળ સુઘડ અને લાઘવભરી શિલીમાં રજૂ કરવાને તેમને ઉપકમ અહીં તરત દેખાઈ આવે છે. પ્રસંગે પ્રસંગે પિતાના વિચારો સ્કુટ કરવા દષ્ટાંતિ રૂપક કે બીજા અલંકારે તેમણે ઉપયોગમાં લીધા છે. આવાં દષ્ટાંત આદિથી તેમનું વક્તવ્ય વધુ અસરકારક બને છે, એટલું જ નહિ તેમાં કેટલુંક રોચક તત્ત્વ ઉમેરાય છે.
જીવનચિંતન (ઈ. ૧૯૫૯) અને જીવનવ્યવસ્થા (૧૯૬૩) : કાકાસાહેબનાં ધર્મ અને સમાજ વિશેનાં મહત્ત્વનાં લખાણે આ બે ગ્રંથમાં સંગૃહીત થયાં છે. ગાંધીજીની જેમ તેઓ પણ ધર્મને વ્યવહારમાં આચરવાની વસ્તુ લેખે સ્વીકારે છે. એ રીતે તેમની ધર્મભાવના સમાજને ધારણ અને પિષણ અર્થે ઉપકારક એવી નીતિભાવનાને જ વધુ અનુલક્ષે છે. ધર્મની વ્યાખ્યા કરતાં તેઓ એક પ્રસંગે કહે છે: “જે કઈ વ્યવસ્થાથી, વિચાર પદ્ધતિથી અને આચારવ્યવહારથી પ્રજાનું બધી રીતે કલ્યાણ થઈ શકતું હોય તેને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એટલે જીવનમીમાંસા, જીવનવ્યવસ્થા, જીવનદષ્ટિ. ધર્મ એટલે સંસ્કૃતિ, ધર્મ એટલે વ્યાપક સમાજશાસ્ત્ર.૧૧ - કાકાસાહેબની ધર્મભાવનામાં વેદ ઉપનિષદ અને ગીતાનાં ઉત્તમ ત એકત્ર થયાં છે. તેમ મરાઠી સંતકવિઓની નિર્વ્યાજ ભક્તિનું તત્ત્વ પણ ભળ્યું છે. વ્યક્તિના હૃદયને વિસ્તાર, સમસ્ત વિશ્વ જોડેની એકતા અને આંતરસંવાદ એ જ સાચો ધર્મ એમ પણ તેઓ કહે છે. સ્પષ્ટ છે કે હૃદયવિકાસ રૂપે જ તેઓ ધમને સ્થાપે છે. એમાં ગહન રહસ્યવાદનું આવરણ નથી કે તાર્કિક વિતંડાવાદની ભૂમિકાયું નથી. કેઈ પણ સંસ્થા કે સિદ્ધાંત, આ હદયધર્મને જેટલે અંશે ઉપકારક નીવડે, તેટલે અંશે જ તેને સાધન લેખે સ્વીકાર તેઓ ઈચ્છે છે. કાકાસાહેબ પિતાની ધર્મવિચારણામાં સાધ્યસાધન વચ્ચે આ રીતે સતત વિવેક કરતા રહ્યા છે. ધર્મગ્રંથ કે આચાર્યોના શબ્દોને જડતાથી અનુસરવાને એમાં
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭]
કાલેલકર
-
[૩૩૧.
કઈ પ્રશ્ન જ નથી. અને એવા ગ્રંથ કે શબ્દને કેવલ મહિમા ન હોઈ શકે, એમ તેઓ કહે છે.
ધર્મનાં બે પાસાંઓ વિશે કાકાસાહેબ ચર્ચા કરે છે. એક પાસું તે ધર્મના તત્ત્વદર્શનનું છે, પરમ સત્યના બોધનું છે. ધર્મના હાર્દમાં રહેલું એ અફર તવે. છે. ધર્મનું બીજું પાસું તે તેનાં કર્મકાંડો રૂઢિઓ અને બાહ્ય આચારવિચારોનું છે. એમાં બદલાતા યુગસંદર્ભ પ્રમાણે સતત પરિવર્તન થતું રહેવું જોઈએ, એમ કાકાસાહેબ ઈચ્છે છે. તેમની દષ્ટિએ બાહ્ય કર્મકાંડે આદિ તે જીવનવૃક્ષની છાલ જેવા છે. છાલનું કામ અંદરના જીવનરસને સંરક્ષવાનું ને પોષવાનું છે. અને આ કામ પૂરતું જ તેનું મહત્ત્વ સંભવે છે. જ્યારે તે નિરુપયોગી બને છે ત્યારે કુદરતના સહજ ક્રમમાં તે ખરી પડે છે, પણ જીવનરસને રૂંધવાનું કામ તે નહિ, કરે. બાહ્ય કર્મકાંડે આમ ધર્મના હાર્દને સંરક્ષ અને પશે, તેટલે અંશે જ તે ઉપકારક. પણ તેમાં જડતા પ્રવેશે તે ધર્મનું રહસ્ય રૂંધાવા માંડે છે. કાકાસાહેબ વારંવાર કહે છે કે નવા યુગને અનુરૂપ નવાં કર્મકાંડો અને નવા આચારવિચારે જમતા રહેવા જોઈએ, ધર્મવૃક્ષ એ રીતે સતત વિકાસશીલ રહેવું જોઈએ. બીજી રીતે કહીએ તો ધર્મભાવ નદીની જેમ સતત વહેતે રહેવો જોઈએ. ધર્મમાં એકી સાથે સંરક્ષક વૃત્તિ અને પરિવર્તનક્ષમતા હોય છે એમ તેઓ કહે છે. ધર્મનું હાઈ સદાય એનું એ રહે છે. જ્યારે એની સાથે જોડાયેલી સંસ્કૃતિ માનવજાતિના. નવાનવા અનુભવે અને નવીનવી સર્જક કલ્પના પ્રમાણે બદલાતી રહે છે.
વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મ સંપ્રદાય ઉપરાંત આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવી ધર્મ સંસ્થાઓ વિશે અવલોકન કરતાં તેઓ ગુણગ્રાહી દૃષ્ટિએ એ સંપ્રદાય કે સંસ્થાના ઉદાત્ત અંશને પુરસ્કાર કરે છે. આવા સંપ્રદાયનાં રૂઢ દર્શન કે વિચારનું અતિ ઉદાર દષ્ટિએ અર્થઘટન કરે છે, અને નવા યુગસંદર્ભમાં તેની ઉપકારકતા બતાવે છે. તેમના ચિંતનમાં આ વિષયનાં અનેક પાસાં સ્પર્શતાં રહ્યાં છે. જૈન ધર્મને અહિંસાને સિદ્ધાંત, અહંસાદિ પાંચ મહાવ્રત, ધર્મ.. શાસ્ત્રોનું પ્રામાણ્ય આદિ વિષયોમાં તેમની વૃત્તિ બારીકાઈથી અવલકવા જેવી છે. એમાં એક બાજુ બૌદ્ધિક ભૂમિકાનું સરળ ચિંતન છે, બીજી બાજુ તેમની ભાવનાપરાયણતાનું સતત અનુસંધાન એમાં રહ્યું છે. તાર્કિક વિતંડાવાદમાં તેમને રસ નથી, માત્ર પ્રેમધર્મના વિસ્તાર માટે તેઓ નિવેદન રજૂ કરે છે. તેમના ધર્મચિંતનમાં આથી રૂઢ ખ્યાલે પણ છેવટે હૃદયની કેળવણીનું રૂપ લે છે. લેકશિક્ષણ અર્થે તૈયાર થયેલાં આ લખાણમાં કેટલાક પાયાના ખ્યાલે ફરીફરીને વ્યાખ્યા પામતા રહ્યા છે. એ રીતે એમાં કેટલુંક પુનરાવર્તન પણ થયું દેખાશે
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૩૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2. ૪
પણ આ લખાણેાના મૂળ ઉદ્દેશાને લક્ષમાં લેતાં આમ બનવુ· સ્વાભાવિક લાગે છે. ‘ પરમ સખા મૃત્યુ' (૧૯૬૯) મૃત્યુવિષયક ચિંતનલેખાના સંગ્રહ છે.
ગીતા” (૧૯૪૪) અને જીવનપ્રદ્વીપ’ (૧૯૫૬) : ‘ગીતાધર્મ ’માં કાકાસાહેબના ગીતાના વિચારા વિશેનું વિવરણ મળે છે, તા જીવનપ્રદીપ'માં જુદે જુદે પ્રસ ંગે લખાયેલા ગીતાવિષયક લેખા ગ્ર ંથસ્થ થયા છે. એ તા સ્પષ્ટ છે કે કાકાસાહેબના જીવનચિંતનમાં ગીતાના વિચારાતા સ્પષ્ટ પ્રભાવ છે. આપણા પ્રાચીન ધર્મગ્રંથામાં ગીતા તેમને સૌથી વધુ પ્રાણવાન ગ્રંથ લાગ્યા છે. એ ગ્રંથને તેમણે ‘રાષ્ટ્રપુરુષ'નું બિરુદ પણ આપ્યું છે. તેઓ સ્પષ્ટ માને છે કે ગીતાતા સ ંદેશ સનાતન હેાઈ નિત્યનૂતન છે. નવા યુગની જીવનવ્યવસ્થામાં ગીતા સૌથી મૂલ્યવાન અર્પણુ કરી શકશે એવી તેમની શ્રદ્ધા રહી છે. તેઓ કહે છે “ગીતાનું કર્મ યાગશાસ્ત્ર, ગીતાની યજ્ઞમીમાંસા, ગીતાને વર્ણાશ્રમઆદ વગેરે પ્રત્યેક વિવેચનમાં સમાજના દૈવી અથવા આ આદર્શો જ બતાવવામાં આવ્યા છે અને તે બધા આદર્શોની સિદ્ધિ માટે દૈવી સંપત્તિનું વર્ણન સૂક્ષમતાથી કરવામાં આવ્યું છે. ગીતાના ગૂંથેલા એ સમાજશાસ્ત્રને આવિષ્કાર કરવાને સમય હવે આવી પહેાંચ્યા છે. ગીતાના સામાજિક દષ્ટિબિંદુનુ આપણે જેટલુ નિરીક્ષણ કરીશુ તેટલી જ આપણને વમાન ગૂ ંચ ઉકેલવામાં આ ગ્રંથરાજની મદ મળશે.”૧૨ આમ ગીતાનું માહાત્મ્ય રજૂ કરી તેએ ‘દૈવી સ ંપત્’નું વિસ્તૃત સ્પષ્ટીકરણ કરે છે. ભગવદ્ગીતાનું પ્રામાણ્ય, નિષ્કામ કર્મ યોગ, ચાર વર્ણોની વ્યવસ્થા, યજ્ઞ-દાન-તપનું સમાજશ્રેયની દૃષ્ટિએ માહાત્મ્ય, હિંસાઅહિ સાવિવેક, સામ્યયેાગ જેવા મહત્ત્વના પ્રશ્નોને ગીતાની આગવી દૃષ્ટિના પ્રકાશમાં તે ચચે છે. આધુનિક સમયમાં જુદાજુદા ચિંતક્રાએ ગીતાના વિચારાનું જુદીજુદી રીતે અર્થઘટન કરતાં લખાણેા આપ્યાં છે, તેમાં કાકાસાહેબનાં આ લખાણાનું પણ આગવું સ્થાન છે. ‘ગીતાસાર' ઈ. ૧૯૪૪માં પ્રગટ થયું હતું.
જીવનવિકાસ’ (ઈ. ૧૯૩૬) : આ ગ્રંથમાં કાકાસાહેબના કેળવણીચિંતનના લેખા સંગૃહીત થયા છે. અલબત્ત, આ કાઈ આકરગ્રંથ નથી. પણ કેળવણીના વિવિધ પ્રશ્નો અને પાસાંઓની જે ચર્ચાવિચારણા એમાં ઉપલબ્ધ થાય છે તેથી એક આકરપ્રથનુ મૂલ્ય તેને પ્રાપ્ત થાય છે. અને કેળવણીના પ્રશ્નો જોડે તેમને સીધી નિસબત રહી છે. પેાતાને કેળવણીની પ્રવૃત્તિ અતિપ્રિય છે એમ પણ તેમણે નાંધ્યું છે. ગુજરાતની પ્રશ્ન મને ભૂલે નહિ ત્યાં સુધી મને સાહિત્યકાર તરીકે ન એળખે પણ કેળવણીકાર તરીકે ઓળખે એવી મારી આંતરિક ઇચ્છા છે.''૧૩ તેમનું આ નિવેદન તેમની વિશેષ વૃત્તિનું દ્યોતક છે. અને એય સાચુ છે કે
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭] કાલેલકર
[૩૩૩ તરુણવયથી કેળવણી જ તેમનું જીવનકાર્ય (mission) રહી છે. સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ, રવીન્દ્રનાથ ટાગોર, બ્રેકર ટી. વોશિંગ્ટન જેવા અનેક ચિંતકેના. કેળવણી વિશેના વિચારોનું તેમણે પરિશીલન કર્યું છે. પણ તેમને સવિશેષ પ્રેરણું ગાંધીજીના આ વિશેના વિચારોમાંથી મળી છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ગાંધીજીના આદેશથી તેમણે સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં તેમ જ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનનું કાર્ય કર્યું હતું. એ ઉપરાંત રાષ્ટ્રીય કેળવણીની જુદીજુદી અનેક સંસ્થાઓને નિકટતાથી તેમણે પરિચય કેળવ્યો હતો. એ. રીતે કેળવણીની પ્રક્રિયામાં તેઓ સીધી રીતે ગૂંથાયેલા રહ્યા છે. એ રીતે તેમના કેળવણી વિશેના વિચારો એ વિષયની સિદ્ધાંતચર્યાથી નહિ, તેટલા જાતઅનુભવથી. ઘડાયા દેખાય છે. તેઓ એ વિશે પણ સભાન છે કે વર્તમાન સમયમાં પલટાઈ રહેલા માનવસંગને લક્ષમાં લેતાં કેળવણીના ક્ષેત્રમાં છેવટને કઈ સિદ્ધાંત
સ્થાપવાનું મુશ્કેલ છે. આથી પોતાના શિક્ષણકાર્યને તેઓ કેવળ “પ્રયોગોની પરંપરાથી વિશેષ લેખવતા નથી.
ઈ. ૧૯૧૫માં તેઓ શાંતિનિકેતનમાં ગાંધીજીને મળ્યા તે પહેલાં રાષ્ટ્રીય કેળવણીના સ્વરૂપ વિશે તેમણે કેટલાક સ્પષ્ટ-અસ્પષ્ટ ખ્યાલે બાંધ્યા હતા ખરા. પણ ગાંધીજીની વિચારણું જાણ્યા પછી એ વિશે તેમને ખ્યાલ વધુ સ્પષ્ટ બન્યો... આ પ્રકારના કેળવણીના કાર્યક્રમમાં તેમણે સ્વદેશી સ્વાવલંબન સેવા સાદાઈ. શ્રમ ઉદ્યોગ ચારિત્ર્યશુદ્ધિ જેવાં મૂલ્યોને ઘણું ઊંચું સ્થાન આપ્યું. અંગ્રેજ શાસકોએ ચલાવેલી શિક્ષણ સંસ્થાઓમાં વાચન લેખન અને ગણિત એ ત્રણ. વિષયોને જ મહિમા હતા. પણ કાકાસાહેબ એને માત્ર ઉજળિયાતોની કેળવણી” તરીકે ઓળખે છે. સાચી કેળવણું સમસ્ત પ્રજાને માટે મુક્તિદાતા હેાય એવી તેમની સમજ રહી છે.
હકીકતમાં, માનવજાતિના વિકાસક્રમમાં કેળવણું જ હવે સાર્વભૌમ સાધન. લેખે ઉપયોગમાં આવશે, એવી એક મૂળભૂત શ્રદ્ધા તેમણે ફરીફરીને પ્રગટ કરી છે. સમાજપરિવર્તન અર્થે અત્યાર સુધી ધર્મ નીતિ અને કાનૂન જેવાં સાધને એ મહત્વનો ભાગ ભજવ્યો છે. પણ એ સાધનની મર્યાદાઓ હવે સ્પષ્ટ બની ગઈ છે. નવા યુગમાં વિવિધ સંસ્કૃતિના સમન્વયનું, તેમ વિશાળ માનવજાતિની આંતરિક એકતા સ્થાપવાનું ભગીરથ કાર્ય હવે કેળવણુ દ્વારા જ શક્ય બનશે એવી શ્રદ્ધા તેઓ પ્રગટ કરે છે. આવી સાર્વભૌમ કેળવણ, અલબત્ત, કેઈ સત્તા કે શાસનની દાસી નહિ હોય, કોઈ સ્થાપિત જૂથની રક્ષક નહિ હોય, કે. ભેગવિલાસનું સાધન પણ તે નહિ હોય. આવી કેળવણુ માનવહૃદયની અહિંસાવૃત્તિ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ'. ૪
પર પ્રતિષ્ઠિત થઈ હશે, અને માનવજાતિને બધી બાજુથી મુક્તિ અપાવવાની તેની પ્રતિજ્ઞા હશે : સા વિદ્યા યા વિમુક્તયે | આ જ એકમાત્ર તેને ધ્યાનમંત્ર હશે. માનવીનાં તન મન અને પ્રાણને નીરાગી રાખે, તેના અંતરની સર્વ શુભ વૃત્તિએના વિકાસ કરી આપે, માનવઆત્મામાં નિર્ભયતા સાહસિકતા અને પુરુષાના ગુણા વિકસાવે અને લેાકસેવાની દીક્ષા આપે ઃ આટલુ' જે કરી શકે તે જ ખરી કેળવણી. અત્યાર સુધી પ્રચારમાં રહેલી ‘ઉજળિયાત કેળવણી'એ સમાજજીવનમાં અન્યાય શેષણ અને વર્ગભેદને જ પાધ્યેા છે. ‘ખરી કેળવણી’ આવાં અનિષ્ટોને પ્રતિકાર કરવાને તેજ અને સામર્થ્ય આપશે. કાકાસાહેબના કેળવણીવિષયક ચિંતનમાં સાદ્યંત આ પ્રકારના ભાવનાલક્ષી અભિગમ ગૂંથાયા છે. અહિંસા, પરિશ્રમ અને ઉદ્યોગનું કેળવણીમાં સ્થાન, અભ્યાસક્રમમાં ઇતિહાસાદિ વિષયાનુ સ્થાન, પાઠયક્રમા અને શિક્ષણપદ્ધતિ, ધાર્મિક કેળવણીનુ સ્વરૂપ, આ પાચપુસ્તક, શિક્ષકાનુ કવ્ય, છાત્રાલયનું મઽત્ત્વ જેવા પ્રશ્નોની તેમણે જે ચર્ચાવિચારણા કરી તેમાં પણ તેમને ભાવનાવાદી ઉપક્રમ તરત દેખાઈ આવે છે. એમાં કેટલીક વિચારણા આજે પ્રાસ`ગિક લાગશે, તાપણુ કાકાસાહેબની કેળવણીમીમાંસાનાં મૂલ્યવાન દષ્ટિબિંદુ સમજવા તે ઉપયોગી બની રહે એમ છે. ‘કાલેલકરના લેખા' ભાગ ૧ (૧૯૨૩) અને ભાગ ૨ (૧૯૨૫)માં શિક્ષણવિષયક લેખા છે. શુદ્ધ જીવનદૃષ્ટિની ભાષાનીતિ'એ એમણે આપેલું વ્યાખ્યાન (૧૯૬૦) છે.
જીવનભારતી’ (ઈ.૧૯૩૭) : કાકાસાહેબનાં સાહિત્યવિષયક લખાણેા આ ગ્રંથમાં રજૂ થયાં છે. (આ ઉપરાંત ‘જીવનના આનંદ'ના એક ખંડમાં તેમની કળાવિષયક વિચારણા રજૂ થઈ છે તેનેા પણ અહીં નિર્દેશ કરવા જોઈએ.) એમાં કેટલાંક સાહિત્યનું સ્વરૂપ, તેનું સમાજસંદર્ભમાં મહત્ત્વ કે એવા ખીજ પ્રશ્નોની ચર્ચા કરે છે, તા ખીજા અનેકમાં પ્રગટ થયેલાં પુસ્તક વિશેનાં નાનાંમેટાં અવલાકના કે પ્રસ્તાવનારૂપ પરિચયેા મળે છે. સાહિત્ય વિશે આટલાં લખાણા ગાંધીજીના અનુયાયી ખીન્ન ચિંતા પાસેથી મળ્યાં નથી. આ લખાણામાં કાકાસાહેબની સૂક્ષ્મ અભિજાત રુચિ અને રસષ્ટિ પ્રગટ થાય છે. અનેક પ્રશિષ્ટ કૃતિનું પરિશીલન એની પાછળ રહ્યું છે, અને કળા વિશે તેમની આગવી સમજ રહી છે, એમ પણ એમાં જોઈ શકાશે. જોકે સાહિત્યકળા વિશેની આ બધી વિચારણાઓમાં તેમના નીતિવાદી અભિગમ સ્પષ્ટ રૂપમાં દેખાઈ આવે છે. સૌપ્રથમ અને અંતે પાતે લેાકશક્ષક છે, એવી સંપ્રજ્ઞતા જ એમાં કામ કરી રહી છે. સમાજની નીતિમત્તાના, તેના શ્રેયના પ્રશ્નો આથી તેમનું વિશેષ ધ્યાન રોકી રહે છે. સાહિત્ય કેવળ સૌંદર્યની ઉપાસના કરે તે પર્યાપ્ત નથી, પ્રજાના ચારિત્ર્યધડતરમાં એ ઉપયોગી નીવડવુ જોઈએ, એમ તેઓ માને છે : “સુંદરતા
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭] કાલેલકર
[૩૩૫ એ સાહિત્યનું ભૂષણ છે, પણ સાહિત્યનું સર્વસ્વ નથી. સાહિત્યનું સર્વસ્વ, સાહિત્યને પ્રાણ, એ ઓજસ્વિતા છે, વિક્રમશીલતા છે, સત્તસમૃદ્ધિ છે. જીવનનાં વિવિધ ક્ષેત્રમાં પૌરુષ વધારવામાં જ સાહિત્યની ઉન્નતિ રહેલી છે.”
કાકાસાહેબની ભાવનાને સાહિત્યકાર આ રીતે સમસ્ત પ્રજાને આચાર્ય અને સંસ્કારગુર છે. તે સ્વયં ચારિત્ર્યશીલ હાઈ પ્રજાના ચારિત્ર્યને સંરક્ષક અને સંવર્ધક પણ છે. તેણે સમાજના હૃદયવિકાસની જવાબદારી નિભાવવાની છે. દેખીતું છે કે, કાકાસાહેબને કળાતત્વ પતે શું છે તે કરતાંય પ્રજામાનસ પર તેને કેવો પ્રભાવ પડે છે તેના પ્રશ્નોમાં વિશેષ રસ રહ્યો છે. કળાઓ ઇદ્રિના માધ્યમ દ્વારા કામ કરતી હોવાથી વ્યક્તિના ચિત્ત પર તેની ઉત્કટ અસર પડે છે, માઠી અસર તે વધુ ઉત્કટ રીતે પડે છે. એટલે સદાચાર પ્રેરે અને પુરુષાર્થમાં માર્ગદર્શક બને તેવી ઉત્તમ કલાકૃતિઓનું જ તેમને મન મોટું મૂલ્ય છે. સત્ય પ્રેમ સ્વતંત્રતા સેવા યોગ સંયમ બલિદાન જેવાં પરમ મૂલ્યની કળાકૃતિઓમાં પ્રતિષ્ઠા થવી જ જોઈએ એમ તેઓ માને છે. તેમને નૈતિક અભિનિવેશ તેમની પાસે એમ કહેવડાવે છે કે ઉત્તમ જીવન જીવવું એ જ ઉત્તમ કળા છે. અહીં કળા એક વિશિષ્ટ સર્જનાત્મક પ્રવૃત્તિ રહેતી નથી એ તે સમજાય તેવું છે.
સાહિત્યસ્વરૂપ આદિને લગતી તેમની ચર્ચા શાસ્ત્રીય સ્તરની સિદ્ધાંતચર્ચાની નથી, તેમને ઉપક્રમ વિશેષતઃ લેકચિ કેળવવાને છે. એટલે સમાજ અને સંસ્કૃતિના શ્રેયની દષ્ટિએ સાહિત્ય વિશે તેમની જે અપેક્ષાઓ છે તે જ વધુ તે અહીં રજૂ થઈ છે. એમાં ઊંચા સાહિત્ય વિશેની તેમની આગવી સમજ પ્રગટ થાય છે. સાહિત્ય અને નીતિ, સાહિત્ય અને સદાચારવૃત્તિ, કળા અને તત્ત્વજ્ઞાન, કળા અને સૌદર્ય, કુદરતનું સૌંદર્ય અને કળાદીક્ષા જેવા મુદ્દાઓની વિચારણામાં વિશેષતઃ તેમની અંગત પ્રતીતિઓ પડેલી છે.
આ ગ્રંથમાં કૃતિવિષયક લખાણ એટલાં જ, બલકે કંઈક વધુ ધ્યાનપાત્ર છે. એમાં કેટલાંક સાહિત્યકૃતિઓને લગતાં છે, જ્યારે બીજો જ્ઞાનના બીજા વિષયને લગતા ગ્રંથને ચર્ચે છે. એમાં મોટા ભાગનાં લખાણે જે તે ગ્રંથના પ્રવેશકે રૂપે તૈયાર થયાં હતાં. એ પૈકી સાહિત્યકૃતિઓ વિશેનાં લખાણોમાં તેમના સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વને હૃદ્ય પરિચય મળે છે. કાવ્ય નાટક કે નવલકથા જેવા ભિન્ન પ્રકારની રચનાઓ તેમના અવલોકનમાં આવી છે. એ દરેક વિશે તેમને સ્વચ્છ નિર્ચાજ પ્રતિભાવ અહીં નોંધાયો છે. એક પ્રકારની તાજગી અને પ્રસન્નતા એમાં વરતાય છે. કેટલાંક દષ્ટાંતમાં કૃતિનું પાત્રાલેખન, સંકલન અને ભાષાશૈલી વિશે ટૂંકાં માર્મિક નિરીક્ષણો જોવા મળે છે. એમાં પ્રસંગે પ્રસંગે તેમનું માર્મિક
Page #345
--------------------------------------------------------------------------
________________
એ
૩૩૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચં. ૪ ચિંતન પણ ભળ્યું છે. સાહિત્યકળા વિશેની તેમની માર્મિક દ્રષ્ટિ અને અભિજાતા રસવૃત્તિનો આપણને આ લખાણોમાં વારંવાર સુખદ પરિચય મળે છે. જો કે સાહિત્ય વિશેનાં અવલોકનોમાં તેમના નૈતિક આગ્રહે પણ એટલા જ છતા થઈ જાય છે. તેમનામાં રહેલે નીતિવાદી ચિંતક વારંવાર નૈતિક મૂલ્યોને પુરસ્કાર કરે છે, અને કૃતિના મૂલ્યાંકનમાં પણ નીતિમત્તાને આગ્રહ રાખે છે. એ પ્રસંગે તેમની વિવેચનામાં રસતર્વની ઉપેક્ષા થતી હોય એમ પણ દેખાય છે. આ ગ્રંથનાં અનેક લખાણોમાં તેમના નિબંધેની ગદ્યશૈલીથી ભિન્ન પણ તેના જેવી જ સંસ્કારસંપન્ન અને રસાક શૈલીને વિનિયોગ થયેલું જોવા મળે છે. સાહિત્યવિષ્યક અન્ય કૃતિઓમાં “રવીન્દ્રસૌરભ', (અનુવાદઃ ૧૯૫૮), “રવિછવિનું ઉપસ્થાન અને તપણ” (૧૯૬૧), ‘ભારતીય સંસ્કૃતિને ઉદ્દગાતા (ગુજ. યુનિ. ટાગોર શતાબ્દી જ્ઞાનસત્ર વ્યાખ્યાન; ૧૯૬૧), “નારીગૌરવને કવિ' (કવિ ન્હાનાલાલ જયંતી વ્યાખ્યાનઃ ૧૯૬૦), “સાહિત્યમાં સાર્વભૌમ જીવન” (વિદ્યાબહેન નીલકંઠ સ્મારક વ્યાખ્યાનઃ ૧૯૬૧) (બીજુ વ્યાખ્યાન ચિંતન અને પુરુષાર્થમાં સમન્વય” વિશે) વને નિર્દેશ કરવો જોઈએ.
૬. પ્રકીર્ણ પ્રકાશને સ્મરણયાત્રા' (૧૯૩૪) : આ પુસ્તકમાં કાકાસાહેબે પિતાના બાળપણ તેમ જ કિશોરવયનાં કેટલાંક રસિક સંસ્મરણો રજૂ કર્યા છે. આ પુસ્તક વિશે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું છે કે જીવનના એવા કેઈ “ઊંડા અનુભવો’ કે ‘મેટા પરિવર્તનની કથા” એમાં નથી. અહીં તે એક બાળકના જીવનની નાની નાની રોજિંદી ઘટનાઓ જ આલેખી છે. પણ કાકાસાહેબે જે સરળતા નિખાલસતા અને સચ્ચાઈથી એ બધાં સંસ્મરણે રજૂ કર્યા છે, તેથી એ કથા ચિત્તસ્પર્શી બની આવી છે. એમાં બાળપણની તેમની મુગ્ધ મૂંઝવણ, શિશુસહજ ભીરુવૃત્તિ અને નિર્દોષ તોફાની કથા તે રસપ્રદ છે જ, પણ વાત્સલ્યસભર કુટુંબજીવનનું જે ચિત્ર ઊપસે છે, તે એથીય વધુ ચિત્તસ્પશી બન્યું છે. વત્સલ માતાપિતા, વહાલસોઈ બહેન આકા, અને બીજું સ્વજનનાં રેખાચિત્ર આ પુસ્તકને મૂલ્યવાન અંશ છે. અહીં મહારાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરાઓ તેમ જ ધાર્મિક વ્રત ઉત્સવોની જે કથા મળે છે, તેમાં કાકાસાહેબના વ્યક્તિત્વને ઘડનારાં વિશિષ્ટ પરિબળોને સંકેત પણ મળે છે. તેમની વિનોદવૃત્તિ પણ અહીં અનેક પ્રસંગમાં ખીલી નીકળતી જોવા મળે છે.
ધર્મોદય' (૧૯૫૨): આ પુસ્તિકામાં કાકાસાહેબે પિતાની ધાર્મિક વૃત્તિના વિકાસ અને સંવર્ધનને ટ્રકે આલેખ આપ્યું છે. તે સાથે ભક્તિમાર્ગ પાપપુણ્ય
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭] કાલેલકર
[૩૩૭ સ્વર્ગનરક જેવા પ્રશ્નોની સંક્ષિપ્ત વિચારણે રજૂ કરી છે. “સ્મરણયાત્રા'ની કથામાં આ એક પૂર્તિરૂપ એવી આત્મકથા લાગે છે.
બાપુની ઝાંખી' (૧૯૪૯): આ પુસ્તકમાં ગાંધીજીના વિરલ વ્યક્તિત્વની ઝાંખી કરાવતા ૧૦૧ પ્રસંગે રજૂ કરવામાં આવ્યા છે. ગાંધીજી પ્રત્યેની કાકાસાહેબની આદરભક્તિ અહીં સ્પષ્ટ રીતે ઊપસી આવે છે. રોજનાં નાનાં નાનાં કામમાંય ગાંધીજી કેવી ચીવટ રાખતા, અને કે મૂલ્યબોધ પ્રગટ કરતા, તે આ પ્રસંગમાં જોઈ શકાય છે. અંતેવાસીઓ પ્રત્યે ગાંધીજીને અપાર વાત્સલ્યભાવ હતો એ વાત પણ તેમના હરેક વ્યવહારમાંથી પ્રત્યક્ષ થઈ જાય છે. તેમની ક્ષમાશીલતા સ્વાવલંબન માતૃભાષાપ્રેમ સમયપાલનનું વ્રત અને ધર્મપરાયણવૃત્તિ જેવા ગુણો તેમના સ્વભાવમાં સહજ વણાઈ ચૂક્યા હતા, એમ પણ એમાંથી સમજાય છે. મહાદેવભાઈ, કિરલાલ, વિનોબા, સ્વામી આનંદ જેવા વ્યક્તિવિશેષોનાં રેખાચિત્રો પણ અહીં સરસ રીતે અંકિત થઈ ગયાં છે.
ઈ. ૧૯૦૮માં “સ્વામી રામતીર્થનું જીવનચરિત્ર', ઈ. ૧૯ર માં “સ્વદેશી, ધર્મ', ૧૯૨૩માં “ગામડાંમાં જઈને શું કરવું ?, ઈ. ૧૯૨૩માં નરહરિ પરીખ સાથે “પૂર્વરંગ', ઈ. ૧૯૩૪માં પર્વો વિશેનું જીવતા તહેવારો, ઈ. ૧૯૩૫માં લેકજીવન, મશરૂવાળા સાથે “માનવી ખંડિયેરો'(૧૯૪૬)ને કરેલે અનુવાદ જેવી કતિઓને પણ અહીં ઉલ્લેખ કરી લઈએ. “અવારનવાર' (૧૯૫૬), “પ્રાસંગિક પ્રતિસાદ' (૧૮૭૦), “ગાંધી પરિવારના તિર્ધરો' (૧૯૭૫) વ. એમની અન્ય. કૃતિઓ છે.
શ્રી નેત્રમણિભાઈને' (૧૯૪૭)ઃ આ પુસ્તિકામાં શ્રી નેત્રમણિભાઈ જોડેનો તેમને પત્રવ્યવહાર રજૂ થયો છે. એમાં નેત્રમણિભાઈની કાકાસાહેબ પરની હૃદયની નિર્મળ ભક્તિ પ્રગટ થઈ જાય છે, તે કાકાસાહેબના અંતરની ભાવાર્કતા અને સમભાવવૃત્તિ પણ જોઈ શકાય છે. આ બે મિત્રો વચ્ચેના લાગણીના સંબંધ જ અહીં આપણને સ્પર્શી જાય છે. બંનેને અંતરનું આભિજાત્ય અને પ્રીતિ જ અહીં મહેકી ઊઠે છે. ચિ. ચંદનને' (૧૯૫૮)માં કાકાસાહેબના કુટુંબજીવનની નાજુક કથા સ્પર્શાઈ છે. કાકાસાહેબ અને સતીશભાઈ વચ્ચે જ્યારે વિચારભેદ જન્મ્યો ત્યારે તેમનાં ક્ષેમકુશળ જાણવા તેમણે પુત્રવધૂ ચંદનબહેનને પત્ર લખ્યા હતા. એમાં કૌટુંબિક પરિસ્થિતિનું ચિત્ર માર્મિક રેખાઓમાં ઊપસે છે. કાકાસાહેબે પિતાના પત્રોમાં નારીધર્મને લગતા મુદ્દાઓ ચર્ચા છે, તો કેમળ લાગણીથી સ્વજનની ખબરઅંતર પણ પૂછી છે. આવી માનવીય સંબંધની વિશિષ્ટ ભૂમિકાને લીધે પત્રે ચિત્તસ્પશી બન્યા છે. વિદ્યાર્થિનીને પત્ર” (૧૯૬૮) એમને ત્રીજો સરસ પત્રસંચય છે. ગુ. સા. ૨૨
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૮].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ ઉપસંહાર: ગાંધીજીના મંડળમાં એકત્ર થયેલા લેખકે-ચિંતકામાં કાકાસાહેબનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. ગાંધીજીની રચનાત્મક કાર્યક્રમ વિશેની ચર્ચાવિચારણાઓનું વિવરણ કરી તેને લેકે સુધી પહોંચાડવામાં તેમનું વિશિષ્ટ ગદાન રહ્યું છે. પણ તેથી વિશેષ, “જીવનદેવતાને જુદી જુદી બાજુએથી ઓળખવાના પ્રયત્નમાં તેમણે ખેડેલાં જ્ઞાનવિજ્ઞાનનું આગવું મૂલ્ય છે. ધર્મ સંસ્કૃતિ સમાજ કળા આદિ વિશેની તેમની તાત્વિક ચર્ચાવિચારણાઓ આપણું ચિંતનાત્મક ગદ્યનું એક મોટું તેજસ્વી પ્રકરણ બને છે. પિતાના અભ્યાસ અને અનુભવોમાં ગાંધીપ્રબોધિત મૂલ્ય સૂકમ સ્તરે ઊતરી ગયાં છે. એમાં તેમને ભાવનાવાદી અભિગમ તરત ઊપસી આવે છે. વિકાસવાદની ભૂમિકાના સ્વીકારથી તેમના ચિંતનને એક વિશેષ મરડ મળે છે, એમ પણ જોઈ શકાય. વળી સમાજ, સંસ્કૃતિના પ્રશ્નોને તેમણે વારંવાર વિદ્યાકીય સ્તરેથી સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. એમાં એક ગાંધી પરંપરાના ચિંતક તરીકે તેમને વિશેષ અભિગમ જોઈ શકાય. પણ તેમની પ્રતિભાને વધુ સમગ્ર અને ચેતોહર આવિષ્કાર તે તેમને લલિત નિબંધ અને પ્રવાસગ્રંશેમાં જોવા મળે છે. રુચિસંપન્ન અભિજાત વ્યક્તિત્વને જીવંત સ્પર્શ તેમના આ પ્રકારના સાહિત્યમાં આપણને જોવા મળે. આપણું ગદ્યસાહિત્યમાં તેમણે ખરેખર એક સંસ્કારસમૃદ્ધ શૈલી નિર્માણ કરી. એ રીતે આપણા સંસ્કારજીવનને સમૃદ્ધ કરવામાં, આપણું રસકીય ચેતનાને પ્રફુલ્લિત કરવામાં, તેમ જ આપણી ભાષાની ખિલવણીમાં તેમના લલિત નિબંધ અને પ્રવાસ ગ્રંથોનું વિશેષ યોગદાન રહ્યું છે.
૧ કાકાસાહેબનું વ્યક્તિત્વ ઘડનારાં પરિબળોની ચર્ચા મુખ્યત્વે પાંડુરંગ દેશપાંડેના લેખ “કાકાસાહેબ કાલેલકરની જીવનરેખા' (“કાલેલકર અધ્યયનગ્રંથમાં સંગૃહીત)ને આધારે કરી છે. “સ્મરણયાત્રા” અને “ધર્મોદય’ને આધાર પણ લીધે છે. ૨ જુઓ, “કાકાસાહેબ – જીવનદશન,” પૃ. ૧ (એજન). ૩ “સાહિત્યકાર કાકાસાહેબનું વિશિષ્ટ અને અનન્યસાધારણ લક્ષણ તે તેમની સૌન્દર્યદષ્ટિ છે. એમના સ્વભાવમાં અને સાહિત્યમાં સિદ્ધ રૂપે જણાતી શક્તિઓમાં આને જ હું પ્રધાન ગણું – રામનારાયણ પાઠક: “કાકાસાહેબનું ગદ્ય : એક દષ્ટિ, પૃ. ૨૨-૨૩ (એજન). ૪ જુએ, “કાકાસાહેબ – જીવનદર્શન” લેખ, પૃ. ૬ (એજન). ૫ જુઓ, કાકાસાહેબની કવિતા લેખ, પૃ. ૪૪, (એજન). ૬ જુઓ, ‘જૂના દસ્ત લેખ, પૃ. ૩૪૬ (એજન). ૭ 'હિંદ સ્વરાજ'ની વિચારણા અહીં આધાર રૂપે લીધી છે. ૮ જુઓ આકલન'માં લેખ “ગાંધીજી અને વ્યાપક ધર્મભાવના'. ૯ “ગાંધીજીનું ધર્મ દશન” (લે. મગનભાઈ જે. પટેલ)નો અહીં આધાર લીધો છે. ૧૦ જુઓ “પ્રકૃતિ અને સંસ્કૃતિ' શીર્ષકને લેખ, “સંસ્કૃતિ', જૂન, ૧૯૭૩, પૃ. ૨૩૮. ૧૧ જુઓ, ‘જીવનવ્યવસ્થામાં લેખ “જીવનનું શાસ્ત્ર', પૃ. ૧૮૨-૮૩. ૧૨ જુઓ “જીવનપ્રદીપને લેખ “આ પણ નિત્યનૂતન ગ્રંથ', પૃ. ૯. ૧૩ જુઓ “જીવનવિકાસની પ્રસ્તાવના, પૃ. ૧૭. ૧૪ જુઓ, “જીવનભારતી'ને લેખ, પૃ. ૧૨.
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ કિશારલાલ મશરૂવાળા [ઈ. ૧૮૯૦-૧૯૫૨ ]
ગાંધીયુગના સાહિત્યમાં સમાજજીવનને કેન્દ્રમાં રાખીને મૂલગામી અને ક્રાન્તિકારક સૂક્ષ્મદ્રષ્ટિના વિચારક તરીકે કિશારલાલ મશરૂવાળા અનેાખું ને અનન્ય સ્થાન ધરાવે છે.
જીવન
કિશારલાલને જન્મ પાંચમી ઑકટાબર ૧૯૮૦ના રાજ મુંબઈમાં થયા હતા. તેમના પ્રપિતામહ લક્ષ્મીચંદ સુરતમાં રહેતા. તેઓ મશરૂ વણાવવાના અને વેચવાના ધંધા કરતા એટલે તેમની અટક મશરૂવાળા પડી હતી. લક્ષ્મીચંદ વલ્લભ સંપ્રદાયના હતા. તેમાં તે વખતે ખૂબ સડે। પેઠેલા હતા. તેથી ઊંડી ધર્મવૃત્તિવાળા હાવા છતાં તે સોંપ્રદાય પ્રત્યે તેમને અશ્રદ્ધા ઉત્પન્ન થઈ. એ અરસામાં તેઓ સ્વામિનારાયણુ સ ંપ્રદાયના સાધુએના સમાગમમાં આવ્યા. તેમનાથી પ્રભાવિત થઈ તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યાં. કિશારલાલના પિતાનું નામ ઇચ્છારામ હતું. તે ચુસ્ત સ્વામિનારાયણી હતા. કિશારલાલનાં માતા પિયરમાં વલ્લભ સંપ્રદાયમાં ઊછરેલાં હતાં. પાછળથી પતિની માફક તે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચુસ્ત ભક્ત બન્યાં. કિારક્ષાલ આઠ-નવ મહિનાની ઉમરના હતા ત્યારે તેમના ધેાડિયાની બાજુનું બારણું તૂટયું અને અળસી રેલના પાણીની માફક દીવાનખાનામાં ધસી એથી ઘેડિયું ખાઈ ગયું, માપિતાને થયું કિશારલાલ મૃત્યુ પામ્યા હશે. તેટલામાં ખબર પડી કે તેમના નેકર ગાવિંદ આ બન્યું તે પહેલાં કિશારલાલને બાજુના ખંડમાં લઈ ગયા હતા. માતાપિતાને આ અકળ અકસ્માતમાંથી ઉગારનાર ઠાકૈારજી જ હતા તેમ લાગ્યું. તેથી કિશારલાલના પિતાનું નામ ઇચ્છારામ લખવાને બદલે સહાનંદ સ્વામીનું નામ ધનશ્યામ લખવાનું નક્કી કર્યું. કિશારલાલ પોતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના રંગથી પૂરા રંગાયેલા હતા.
કિશારલાલના પિતાશ્રીને આકાલા રહેવાનું પણ થતું. એમનું પ્રાથમિક શિક્ષણ અ`` મુ`બઈ અને અર્ધું આકાલામાં થયું તેથી ગુજરાતી તેમ જ મરાઠી ભાષા તેમને સ્વાભાવિક રીતે જ આવડી ગઈ. કૅાલેજનું ભણતર એમણે મુંબઈની વિલ્સન કૅલેજમાં લીધું. ખી.એ.માં પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર તેમના વિષયા
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર'. ૪
હતા. ૧૯૧૩માં એલએલ.ખી, થયા અને આક્રેાલામાં વકીલાત શરૂ કરી. તેમની વિદ્યાથી તરીકેની કારકિર્દી બહુ જ તેજસ્વી હતી. કિશેારલાલે કુલ ત્રણ વર્ષ વકીલાત કરી. તેમના આ વ્યવસાયમાં તે નિષ્ઠાને કારણે લેાકપ્રિય બન્યા હતા. ફેફસાંની નબળાઈને લીધે તેમને દમને વ્યાધિ હતા. વકીલાત છેડી ભાઈને વેપારમાં મદદ કરવા મુંબઈ ગયા. તે કામ એમને ફાવ્યું નહિ. દેશમાં રાષ્ટ્રીય ભાવના પ્રસરી રહી હતી. તેની ઊંડી અસર કિશારલાલ ઉપર થઈ હતી. ઠક્કરબાપાના પરિચયમાં આવ્યા. ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહ શરૂ કર્યાં હતા. ઠક્કરબાપાની સૂચનાથી કિશારલાલ ત્યાં ગયા. ગાંધીજીએ તેમની તબિયતને ખ્યાલમાં રાખી અમદાવાદ જઈને આશ્રમની રાષ્ટ્રીય શાળામાં જોડાવાનું આગ્રહપૂર્વક કહ્યું. કિશારલાલ રાષ્ટ્રીય શાળામાં જોડાયા. તે વખતે શિક્ષણના તેમને કશે। અનુભવ નહાતા. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં જોડાયા પછી સ્વામિનારાયણ સોંપ્રદાય મારફત સેવા કરવાના આદેશ તેએ ભૂલ્યા નહેાતા. રાષ્ટ્રીય શાળામાં કાર્યાનુભવ મેળવી સંપ્રદાય દ્વારા એક વિદ્યાપીઠ સ્થાપવાનો પણ તેમની ભાવના હતી; પણ થાડા વખતમાં જ જોઈ શકયા કે તે વાતાવરણને અનુકૂળ નહેાતુ. કિશેારલાલમાં સંપ્રદાયના નિયત આચાર રાષ્ટ્રીય શાળામાં ચાલુ જ હતા.
કિશારલાલના વ્યક્તિત્વમાં શુદ્ધ વિચારણા અને તે પ્રમાણેનું આચરણ કરવાની તત્પરતા એ ગુણેા મુખ્ય હતા. તેમના વૈચારિક વિકાસમાં પણ આ ગુણાએ જ મહત્ત્વના ભાગ ભજવ્યેા હતા. બાલુભાઈ અને કિશારલાલને ‘ટટા’ એક બાજુથી કિશારલાલ મશરૂવાળાની નૈતિક મૂલ્યદર્શક વિચારણા અને નિષ્કામ આચરણના દ્યોતક છે, તા ખીજી બાજુથી બાલુભાઈના શુદ્ધ ભ્રાતૃપ્રેમ દાખવે છે. આ ટટા એટલે પિતાની પેઢીમાંથી વારસાજન્ય ભાગ કિશારલાલે લેવા જોઇએ એ બાલુભાઈની દષ્ટ, અને કાર્ય કર્યા સિવાય એ ભાગ લેવા એ નૈતિક દૃષ્ટિની વિરુદ્ધ છે એવી કિશારલાલની દલીલમાંથી ઊભા થયેલા પ્રેમસ ંધ,૨
કિશારલાલે રાષ્ટ્રીય શાળામાં કરેલા કામાંથી ગાંધીજીએ એમનું હીર પારખ્યુ. તેથી તેમના આગ્રહથી કિશારલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં મહામાત્ર બન્યા. કેળવણીના પાયા'ની વિચારણા રાષ્ટ્રીય શાળાના શિક્ષણવાતાવરણના અવલેકન અને ચિંતનમાંથી જન્મી હતી એ નોંધપાત્ર હકીકત છે. ગાંધીજીના આશ્રમમાં રહેવા છતાં એ આશ્રમી નહેાતા બની શકયા. એમના શબ્દોમાં, “જ્યારે હુ જોડાયા ત્યારે ચુસ્ત સ્વામિનારાયણી હતા અને મારી આધ્યાત્મિક ક્ષુધા તૃપ્ત કરવા માટે મને એ સંપ્રદાય પૂરતા લાગતા હતા, ઊલટી મારી કાંઈ મહત્ત્વાકાંક્ષા હાય તા પૂ. બાપુને કે આશ્રમને વધારે સ્વામિનારાયણી બનાવાની, નહિ કે
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૮] કિશોરલાલ મશરૂવાળા
[૩૪૧ મારે વધારે આશ્રમી બનવાની.” પરિણામે, એમના ચિત્તની વ્યાકુળતા વધી અને કેદારનાથજીની સલાહથી સ્વચિંતન માટે આશ્રમની બહાર ઝૂંપડીમાં રહેવાનું નકકી કર્યું. કેદારનાથજીના સંપર્કથી કિશોરલાલની દષ્ટિ બદલાતી હતી, તેમાં તેમ આંતરિક સંઘર્ષ વધતો જતો હતો. આ સંઘર્ષની તીવ્ર વ્યાકુળતાને લીધે કિશોરલાલ આબુ તરફ એકાંત સાધના માટે એકલા ગયા. કેદારનાથજી તેમની પાછળ ગયા અને ત્યાં પ્રકૃતિના એકાંત સાંનિધ્યમાં કેદારનાથજીએ એમની ગૂંચાનું વિવરણ કર્યું અને કિશોરલાલના ચિત્તનું સમાધાન થયું. તેમની વિચારસૃષ્ટિમાં નવજાગૃતિ આવી અને કેદારનાથજી તેમના ગુરુ બન્યા, નરહરિ પરીખના “શ્રેયાથીની સાધના' નામના કિશોરલાલના જીવનચરિત્રગ્રન્થમાં આ પ્રસંગ કેદારનાથજીએ સવિગત વર્ણવ્યો છે. ૩ ગુરુના વિચારસંસ્પર્શથી કિશોરલાલનું વૈચારિક વિશ્વ પ્રકાશમય બન્યું અને તેમની ચિંતનપ્રતિભાને સાચો વળાંક મળે. કિશોરલાલને માનસિક શાન્તિ અને સમાધાન લાધ્યાં. કેદારનાથના શબ્દોમાં કહીએ તે “તેમની પહેલાંની દષ્ટિ બદલાઈને અંધારામાંથી પ્રકાશમાં આવ્યા પછી માણસને જેવું લાગે છે તેવું તેમને લાગ્યું.”
| કિરલાલનાં તમામ લખાણોમાં અને તેમાં આલેખાયેલી ક્રાન્તિકારક વિચારસુમિાં આ ગુરુએ દર્શાવેલ વિચારમાર્ગને વળાંક પાયામાં રહ્યું છે. આ વળાંકને પરિણામે કિશોરલાલના વ્યક્તિત્વમાં શ્રેયબ્દષ્ટિ અને વિવેકબુદ્ધિના પ્રધાન ગુણે ભળી ગયા. ટૂંકમાં કહીએ તે, વૈચારિક દષ્ટિએ કિશોરલાલને નવજન્મ થયો. તેમના ચિંતનાત્મક સાહિત્યમાં બળ અને દિશા પ્રકટ થયાં. ૧૯૩૦-૩રની સત્યાગ્રહની લડતમાં જોડાયા ને બે વરસને કારાવાસ ભોગવ્યો. એમની પ્રમાણિક, શુદ્ધ અને સૂકમ વિચારણાના ગુણોને લીધે ગાંધીજીની સૂચનાથી ગાંધી સેવા સંઘ જેવી દેશવ્યાપી સર્વોપરી સંસ્થાના પ્રમુખ બન્યા. સરદાર પટેલ, રાજેન્દ્રબાબુ અને રાજાજી જેવા રાષ્ટ્રમાન્ય નેતાઓએ એમની નીચે સંઘના સભ્ય થવામાં ગૌરવ માન્યું. ગાંધીજીના વિચારોમાં અને તેમની વિચારસરણીમાં થોડો ફરક રહેતો હોવા છતાં ગાંધીજીની વિચારસરણીને એ અધિકૃત ભાષ્યકાર બન્યા. ૧૯૪રના “હિંદ છોડાના સત્યાગ્રહમાં ગાંધીજી વગેરે રાષ્ટ્રના મુખ્ય નેતાઓ પકડાયા પછી ગાંધીજી નાં “હરિજન” પત્રોનું સંચાલન તેમના હાથમાં આવ્યું. કિશોરલાલને પાછા કારાવાસ મળે, કારણ કે ભાંગફોડની એ ચળવળમાં “ઈને જાન જોખમમાં નાખ્યા સિવાય..તારનાં દોરડાં કાપી નાખવાં, પાટા ઉખેડી નાખવા....”માં ખોટું નથી એવું લખ્યું હતું. પિતાની વિચારણામાં રહેલે વિચારદેષ જોયો ત્યારે તેમણે પિતાના અંતઃકરણના અવાજને વશ થઈ તેને જાહેર કરવાની હિંમત દાખવી.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૪૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ કિશોરલાલ અને ગમતીબહેનનું દામ્પત્ય પ્રસન્નતા અને સંવાદિતાભર્યું હતું, અને ગોમતીબહેનની સેવાને કારણે જ કિશોરલાલભાઈ પિતાની સર્વ પ્રવૃત્તિઓ નિષ્ઠાપૂર્વક કરી શક્યા. ગાંધીજીના મૃત્યુ બાદ “હરિજન” પત્રો કિશોરલાલ મૂળના ગૌરવ-પ્રતિષ્ઠાને વધારે તેવી રીતે ચલાવ્યાં. સ્વામી આનંદે યોગ્ય જ કહ્યું છે કે “કોંગ્રેસી સરકારોની, સરદારની, જવાહરલાલજની, કોઈની શેહમાં ન તણીયા કે ન કોઈને ભીડમુલાજો રાખે. કડવાં સત્ય ઉચ્ચારીને ભલા ભૂપનાં માં કટાણ કરાવ્યાં.” છેલ્લા દમવ્યાધિમાં કિશોરલાલ ૧૯પરની સપ્ટેમ્બરની ૯મીએ મૃત્યુ પામ્યા.
કિશોરલાલ મશરૂવાળાના ચિંતનાત્મક સાહિત્યને સમજવા માટે તેમની વિચારણને મૂલસ્રોત કેદારનાથજી સાથેની ચર્ચાથી કેવી રીતે વેગવાન અને જોરદાર બન્યો એ જાણવું જરૂરી છે. કિશોરલાલની આમૂલાગ્ર વિચારધારા પછી એ મા કેમ વળી તેને તેમાંથી ખુલાસો મળી રહે છે. કેદારનાથજીએ કહ્યું છે કે ગ્રંથપ્રામાણ્ય તેમ જ મહાપુરુષોનાં પરસ્પરવિરોધી વચન પરની શ્રદ્ધાને લીધે જ અનેક પ્રકારના પ્રશ્નોથી સાધક કિશોરલાલ વ્યાકુળ બન્યા હતા. તેમણે લખ્યું છે : “આ બધાની મને ખબર હોવાથી કિશોરલાલભાઈની વ્યાકુળતા હું સમજી શકતા હતા. એટલે તેમના ચિત્તને ભ્રમમાં નાખનારા પ્રશ્નો એક પછી એક મેં હાથમાં લીધા. તેમની માન્યતા, તેમની શ્રદ્ધા, તેમણે માનેલી કલપના – તે દરેકમાં રહેલા ભ્રમનું મેં નિરસન કર્યું. મહાપુરુષોનાં જે જે વચનેને આધાર લઈને તેમણે પિતાના મનને વ્યાકુળ કર્યું હતું તે તે વચનેની માનવજીવનની દૃષ્ટિએ કેટલી કિંમત છે તે સ્પષ્ટતાથી તેમને સમજાવવા લાગ્યો.”પ પરિણામે, કિશોર લાલભાઈને પ્રકાશ લાયે તે અગાઉ જોયું જ છે. સૂત્રાત્મક રીતે કહેવું હોય તે તેમને “શુદ્ધ વિવેકદષ્ટિ પ્રાપ્ત થઈ એમ કહેવાય. તેથી જ કિશોરલાલે કહ્યું છે, “વિવેકબુદ્ધિને હું ઈષ્ટદેવતાના જેવી પૂજ્ય સમજું છું...”૬ કિશોરલાલના મહત્વના ત્રણ ગ્રન્થ “કેળવણીના પાયા', જીવનશોધન” અને “સમૂળી ક્રાતિ'માં આ દષ્ટિ મૂલગામી રહી છે તે સ્પષ્ટ દીસી આવશે. સ્વામી આનંદે કિશોરલાલને સંતોના અનુજ કહીને યોગ્ય રીતે જ બિરદાવ્યા છે, તેમના ચારિત્ર્યનું ખરું મૂલ્યાંકન કર્યું છે.
લેખન
લેખનને શોખ કિશોરલાલને વિદ્યાર્થીકાળથી જ હતા. તેમણે કાવ્યો પણ લખ્યાં હતાં. પણ ગંભીર લેખનપ્રવૃત્તિ ૧૯૨૧માં કરેલી સાધના પછી જ થયેલી છે. પોતે જે નવચિંતન કર્યું તેને પરિણામે અવતારે વિશે તેમની શી
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૮] કિશોરલાલ મશરૂવાળા
[૩૪૩ દૃષ્ટિ છે તે સમાજ આગળ રજૂ કરવા “રામ અને કૃષ્ણ' (૧૯૨૩), “બુદ્ધ અને મહાવીર' (૧૯૨૩), ‘સહજાનંદ સ્વામી' (૧૯૨૩) તથા “ઈશુ ખ્રિસ્ત' (૧૯૨૫) એ ચોપડીઓ લખી.
તેમણે લખ્યું છે: “રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ વગેરેમાં પણ એ જ શક્તિ હતી. ત્યારે આપણામાં અને રામકૃષ્ણાદિકમાં શો ફેર ? એ પણ મારાતમારા જેવા જ મનુષ્યો હતા; તેમને પણ મારી-તમારી માફક દુઃખ વેઠવાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો. છતાં તેમને આપણે શા માટે અવતાર કહીએ છીએ ? હજારો વર્ષ વીતી ગયાં છતાં શું કામ આપણે પૂજીએ છીએ ?..આપણે ધારીએ તે આપણે પણ એવા પવિત્ર થઈ શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણ કેળવી શકીએ, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાને આપણે નિરંતર પ્રયત્ન રહે એ જ તેમની ઉપાસના કરવાને હેતુ.”
મણિસ સ્વભાવથી જ કઈકને પૂજતે હોય છે. દેવ તરીકે પૂજે એનામાં ચમત્કાર હોય જ છે એવી શ્રદ્ધા સામાન્ય માણસનું પ્રેરકબળ હોય છે. આ વિચારવૃત્તિ વિશે કિશોરલાલે લખ્યું છે તેમાં પણ દષ્ટિપૂત વિવેકબુદ્ધિ જ વ્યક્ત થાય છે. તેમણે આ વિશે લખ્યું છે: “સામાન્ય જનતાના મન ઉપર એવું પરિણામ થયું છે કે માણસની એનામાં રહેલી પવિત્રતા, લકત્તર શીલસંપન્નતા, દયા આદિ સાધુ અને વીર પુરુષના ગુણોને લીધે એની કિંમત આંકી શકતા નથી. પણ ચમત્કારની અપેક્ષા રાખે છે, અને ચમત્કાર કરવાની શક્તિ એ મહાપુરુષનું આવશ્યક લક્ષણ માને છે. શિલાની અહલ્યા કરવાની, ગોવર્ધનને ટચલી આંગળી પર ઊંચકવાની..વગેરે વગેરે દરેક મહાપુરુષના ચરિત્રમાં આવતી વાર્તા એના રચનારાઓએ જનતાને આ રીતે ખોટા દષ્ટિબિંદુમાં ચઢાવી દીધી છે... રામે શિલાની અહયા કરી કે પાણી પર પથ્થર તરાવ્યા એ વાત કાઢી નાખીએ, કૃષ્ણ કેવળ માનુષી શક્તિથી જ પોતાનું જીવન જીવ્યા એમ કહીએ, ઈશુએ એક પણ ચમત્કાર બતાવ્ય નહેાતે એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ વગેરે માનવજાતિને શું કામ પૂજાપાત્ર છે એ દૃષ્ટિથી આ ચરિત્ર આલેખવાને પ્રયત્ન છે.” ૮
આ ચારે પુસ્તક લખવાની પાછળ કિશોરલાલની દષ્ટિપૂત શ્રેયાથીની વૃત્તિને પ્રધાન સૂર સંભળાય છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. “ઈશુ ખ્રિસ્તનું ચરિત્ર આલેખવા માટે ત્યાંનાં તે સમયનાં ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ આદિમાં કિશોરલાલની સૂક્ષ્મ સંશોધકની અને વિદ્યાસાધનાની સામગ્રીને ઉચિત ઉપયોગ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૪૪]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ થયો છે. “સહજાનંદ સ્વામીના ચરિત્ર આલેખનમાં કિશોરલાલની ખરી કસોટી થઈ છે એમ કહી શકાય. ચુસ્ત સાંપ્રદાયિક દૃષ્ટિની ઊંડી અસરથી મુક્ત થયા છે ને તેમની નિર્મળ નવજાગૃતિને સારો પરિચય એ ચરિત્રાલેખનમાં કિશોરલાલે આપ્યો છે. તેમણે કહ્યું છે: સંપ્રદાયમાં કેટલીક અશુદ્ધિઓ મેં જોઈ છે, સંપ્રદાયના કેટલાક વાદોમાં અને તત્વનિરૂપણની પદ્ધતિમાં હું સંપૂર્ણપણે સંમત નથી; અને આ ચરિત્રમાં જ્યાં ટકે ન હોય ત્યાં મારે તેને નિર્દેશ પણ કરવો પડ્યો છે.” કેળવણીવિચાર
કેળવણીના પાયા : “કેળવણીના પાયા' (૧૯૨૫) એ ગુજરાતના શિક્ષણક્ષેત્રની વિચારસંપત્તિમાં કિશોરલાલે કરેલું અમૂલ્ય અને અનોખું પ્રદાન છે. શિક્ષણ એમનું પ્રથમ વિશિષ્ટ ક્ષેત્ર હોવાથી તેનું સૂક્ષ્મ અવલોકન કરી બ્રિટિશ ઢાંચામાં અપાતું વર્તમાન શિક્ષણ કેવું શુષ્ક અને માનવગુણના ઉત્કર્ષની દૃષ્ટિએ નિષ્ફળ છે તેનું શાસ્ત્રીય પૃથકકરણ આ ગ્રંથમાં કર્યું છે અને ચારિત્ર્યપોષક માનવી ગુણે અને વિદ્યાનું સંયોજન થાય એ કેળવણુને ઉદ્દેશ સ્પષ્ટ કર્યો છે. કિશોરલાલે “કેળવણીના પાયા ” એ જુદાંજુદાં નિબંધ લખાણનું ગ્રન્થસ્થ કરેલું પુસ્તક છે એમ કહીને કેળવણું વિશેની પિતાની આગવી દષ્ટિ વિશે લખ્યું છેઃ
કેળવણ લેનારને સામાજિક જીવન ગાળવાનું છે એ વાત એ કે નિબંધમાં ભુલાઈ હોય એમ મને લાગતું નથી. કેળવણી લેનાર સમાજનું ઉપયોગી અવયવ કેમ બને એ બાબતનું ક્યાંયે વિસ્મરણ નથી.” તેમ જ “આ જ કારણથી જેમ સોય કેડે દોરો ચાલી આવે, તેમ આ નિબંધેની પાછળ એક જ પ્રધાન વિચાર માલૂમ પડી આવશે. તે દૈવી સંપત્તિઓના ઉત્કર્ષને; ચિત્તને ગુણવિકાસને; વિવેકબુદ્ધિની શુદ્ધિને.”૧૦
આ લેખકે અન્યત્ર દર્શાવ્યું છે તેમ, આ લખાણોના બે સપષ્ટ ભાગ પડી જાય છેઃ (૧) કેળવણી વિશેનું એમનું દૃષ્ટિબિન્દુ રજૂ કરવા માટે કેળવણી અને શિક્ષણ, વિનય, વિદ્યા, વિજ્ઞાન, વિવેકબુદ્ધિ તથા અભ્યાસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માટે દાખલાદલીલ સહિત તેનું સરલ વિવરણ કર્યું છે. તેમ જ ઈન્દ્રિયોની કેળવણી વિશેના વિચારે સ્પષ્ટ રીતે સમજાવી પ્રજ્ઞા, તર્કશક્તિ, બુદ્ધિના ભેદની લાક્ષણિક રીતે રજૂઆત કરી છે, તેમ જ સત્ય નિર્ણયે, શ્રદ્ધા, વિકાસના માર્ગો વિશેની વિચારણા કરી છે. (૨) ક૯પનાશક્તિની કેળવણ, વિકાસના માર્ગો, જીવનમાં આનંદને સ્થાન વિશેનું એમનું દૃષ્ટિબિંદુ તેમ જ ઇતિહાસ, વિજ્ઞાન, સંગીત, કળા, આદિનું કેળવણીમાં સ્થાન વિશેના મૌલિક વિચારે. આ બન્ને વિભાગનું
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૮] - કિશોરલાલ મશરૂવાળા
[૩૪૫ નિરીક્ષણ કરીએ તે પહેલા ભાગ વિશે ભાગ્યે જ મતભેદ સંભવે છે, એટલું જ નહિ પણ તે મશરૂવાળાના વિચારોની સૂક્ષમતા અને ઊંડી સૂઝ તથા તેમના સૂમ વિચારસામર્થ્યની ઉચ્ચ કક્ષા દાખવે છે. પરંતુ બીજા વિભાગનાં લખાણોમાં વિચારની નવીનતા છે, વિચારપ્રેરક સામગ્રી છે, મૌલિક દષ્ટિ છે એ સાચું, પણ તેમાં કેટલાક વિચાર વિવાદાસ્પદ છે અને કેટલાક અસ્વીકાર્ય છે. આથી જ મેં “કેળવણીના પાયાઃ સુદઢ અને શિથિલ' એમ આ વિભાગને અનુલક્ષીને સંક્ષિપ્તમાં કહ્યું છે. | સર્જનાત્મક સાહિત્યને અનુલક્ષીને કિશોરલાલે કહ્યું છે, “સર્જક કલ્પના સામે મારે મુખ્ય વધે એ છે કે તે અસત્યના કલંકથી દૂષિત છે...”૧૨ તેમના આ વિધાનને કાઈ સ્વીકારી શકે નહિ. આ દષ્ટિ કવિતા વિશેના પ્લેટના વિચારોની યાદ આપે છે. કિશોરલાલ જેવા સૂક્ષ્મ અને મૂલગામી વિચારક તર્કનું સત્ય અને કલાનું સત્ય વિશેને ભેદ પારખી નહાતા શક્યા તે આશ્ચર્યની વાત છે.
બીજે સ્થળે કહે છે, “શિક્ષકનું કાર્ય બાળકનું વલણ જે વસ્તુ માગે તેવી વ્યવસ્થા કરવાને બદલે (કમમાં કમ, તેની સાથેસાથે) એનામાં જે ખામી હોય તે પૂરવાની વ્યવસ્થા કરવાનું છે.” બાળકનું શિક્ષણ તેની સ્વાભાવિક પ્રજ્ઞાને અનુરૂપ હોવું જોઈએ એમ બધા કેળવણકારોનું મંતવ્ય છે. કિશોરલાલ કહે છે તેવા પ્રકારના શિક્ષણમાંથી નિષ્ણાત ઉભવી જ ન શકે. વળી, ઇતિહાસનું અભ્યાસક્રમમાં સ્થાન ગૌણ અને છેલ્લી કક્ષાનું હોવું જોઈએ એ વિધાનમાં કિશોરલાલ જેવા શિક્ષણકાર ઈતિહાસના અભ્યાસનું યોગ્ય મહત્ત્વ સમજી શક્યા નથી એવો સર્વ સામાન્ય અભિપ્રાય તદ્વિદોએ વ્યક્ત કર્યો છે. આ બધા વિશે મેં ચિલ્લેષ’માં સોદાહરણ સમીક્ષા કરી છે.
કેળવણીવિવેક” અને “કેળવણવિકાસ: આ ઉપરાંત ગાંધીજીએ વર્ધાજના તરીકે “નઈ તાલીમની નવી ને ક્રાન્તિકારક વિચારણા રાષ્ટ્ર પાસે રજૂ કરી તે પછી કિશોરલાલ મશરૂવાળાએ “કેળવણીવિવેક' (૧૯૪૮) અને “કેળવણુંવિકાસ' (૧૯૫૦) નામનાં બે પુસ્તક લખ્યાં હતાં. “કેળવણીવિવેકને “કેળવણીના પાયાને અનુગ્રન્થ ગણવાનું કિશોરલાલે જ કહ્યું છે. એમાં પણ શિક્ષણુવિચાર વિશેના જુદાજુદા પ્રસંગે લખેલા લેખોનું સંકલન કર્યું છે. “કેળવણીવિકાસમાં સાબરમતી આશ્રમ કરતાં વર્ધા યોજનાના સિદ્ધાંતોને વિકાસ થયે તેને નકશો જોવા મળે છે. આ ગ્રન્થનું મૂલ્ય નઈ તાલીમ અને સ્વાવલંબન વિશે નરહરિ પરીખે પ્રસ્તાવનારૂપે લખેલી ભૂમિકાથી વિશેષ વધ્યું છે. વર્ધાજનાની સુંદર સમીક્ષા અને તેનું વિશદ વિવરણ આ પુસ્તકમાં થયું છે. તેમણે સરસ રીતે પ્રતિપાદન
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ કર્યું છે: “વર્ધાપદ્ધતિ (નઈ તાલીમ) એ કેવળ ભણાવવાની એક નવી રીત, અથવા પદ્ધતિ જ નથી, પણ જીવનની નવી રચના અને ફિલસૂફી છે.” કારણ કે, “પરિશ્રમ અને અહિંસા સગાં ભાઈબહેન છે. પરિશ્રમને અણગમે તો તેની સાથે સાથે અસમાનતા અને તેને નભાવનારી હિંસાની મનેત્તિ કેળવ્યા વિના નહીં રહે.” ટૂંકામાં, શિક્ષણવિચારમાં પણ મશરૂવાળા ગાંધીજીના સાચા ભાષ્યકાર જ બન્યા છે. તત્વવિચાર
“જીવનશૈધનઃ કિશોરલાલની તત્વવિચારણાનું જેમાં વિગતવાર પ્રતિપાદન થયું છે અને તેમની આધ્યાત્મિક દૃષ્ટિ જેમાં વિશદતાથી વ્યક્ત થઈ છે, તે છે સુપ્રસિદ્ધ પુસ્તક “જીવનશોધન (૧૯ર૯). કિશોરલાલની પરંપરાગત શ્રદ્ધા અને ત્યાર પછી તેની વિરુદ્ધ જાય તેવા મહાપુરુષોના વિચારોથી તેમના મનમાં વ્યાકુળતાને તીવ્ર સંઘર્ષ કેદારનાથે શમાવ્યો, ત્યાર પછી આ પુસ્તક લખાયેલું છે. બીજા શબ્દોમાં, એમની વિચારણને ઝેક વિવેકપૂત શ્રેવાંછના તરફ વળે ત્યાર પછીનું આ તત્વદર્શનનું પુસ્તક લખાયું છે. આ પુસ્તકની ભૂમિકામાં કેદારનાથે અર્થસૂચક વિધાન કર્યું છે તે “જીવનશોધન'ની વિચારણના મૂલસ્રોતને સમજવા માટે તેમ જ કિશોરલાલની જીવનદષ્ટિની સ્પષ્ટતા માટે ઉપયોગી થઈ પડશે ઃ “આપણામાં સમાજહિતની દષ્ટિએ દરેક બાબતને વિચાર કરવાની વૃત્તિ ઉપન થઈ નથી. શ્રેયાથીમાં આ વૃત્તિ હોવી જરૂરની છે. દરેક કલ્યાણપ્રદ વસ્તુને તેણે સમુદાયની દૃષ્ટિએ વિચાર કરતાં શીખવું જોઈએ... સમાજનું શીલસંવર્ધન થયા વિના આપણા તરણોપાય–ઉદ્ધાર નથી.”૧ ૩
જીવનશોધનની પ્રસ્તાવનામાં કિશોરલાલે શરૂઆતમાં જ બુદ્ધના ઉપદેશની દૃષ્ટિનું અવતરણ આપ્યું છે તે તેમની વિચારણમાં માર્ગદર્શક તત્વ છે: “હે.
કે, હું જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણી ખારું માનશો નહીં... તર્ક સિદ્ધ છે એમ જાણું ખરું માનશો નહીં... તમારી શ્રદ્ધાને પોષનારું છે એમ જાણી ખારું માનશે નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં. પણ તમારી પિતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરો લાગે તે જ તમે તેને સ્વીકાર કરજે.૧૪ કિશોરલાલે પ્રસ્તાવનામાં પણ આ ગ્રન્થનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે “આ પુસ્તકમાં જે કાંઈ ખંડન-મંડન કરવા મેં પ્રયત્ન કર્યો છે તે તે વીવનને બદલવાની દૃષ્ટિથી, કેવળ માન્યતા બદલવાની દૃષ્ટિથી નહીં.” આ ગ્રન્થના શીર્ષકની પણ તેમણે સ્પષ્ટતા કરી છે કે શોધવું એટલે ન જાણેલું જાણવું અને જાણેલું સુધારવું.
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૮] કિશોરલાલ મશરૂવાળા
[૩૪૫ આ ગ્રન્થમાં “પુરુષાર્થ શોધન”, “અદશ્યશોધન, “ભક્તિશોધન', “પ્રકીર્ણ વિચાર', “સાંખ્ય અને વેદાન્તવિચાર” અને “ગવિચારશોધન એમ છે ખંડો છે. તેમાં, અન્ય લખાણમાં જોવા મળે છે તેમ, તેમની વિચારસરણીમાં એક વિજ્ઞાનશાસ્ત્રીનું ધૈર્ય અને તટસ્થતા અને સાથે એક ધાર્મિક પુરુષની છે-- વાંછને જણાઈ આવે છે એ રામનારાયણ પાઠકનું વિધાન તદ્દન ખરું છે. કિશોરલાલે. તેમની તાત્ત્વિક વિચારણાની પાછળ રહેલી ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું છે, “આર્ય તત્વજ્ઞાન પરિપૂર્ણ રચાઈ ગયું છે, એમાં શોધખોળને અવકાશ નથી, હવે માત્ર પ્રાચીન શાસ્ત્રોને જુદાંજુદાં ભાષ્યો દ્વારા કે નવાં ભાખ્યો રચીને સમજવાનાં જ રહ્યાં છે એવું હું માનતો નથી... બાદરાયણના કાળથી તત્ત્વજ્ઞાનને વિકાસ લગભગ
અટકી ગયું છે. એમણે જૂનાને સૂત્રબદ્ધ કરી નાખી તત્ત્વજ્ઞાનનું બારણું વાસી દીધું અને શંકરાચાર્ય અને પાછલા આચાર્યોએ એ બારણે તાળાં માર્યા. એ તાળાં ખોલ્યું જ છૂટકે છે.”૧૫ કિશોરલાલે એ તાળાં અને બારણાં કાંઈક અંશે ખોલ્યાં છે એ એમનું અનન્ય પ્રદાન છે.
વેદાન્ત મત પ્રમાણે ચોથે પુરુષાર્થ મેક્ષ છે. કિશોરલાલે પિતાનું વિશદ પૃથક્કરણ કરીને પ્રતિપાદન કર્યું છે કે ચોથે પુરુષાર્થ મેક્ષ નહિ પણ વસ્તુતઃ જ્ઞાન અથવા શોધ છે. વેદાંતી વિચાર વાસનાક્ષય એમને રુચતું નથી, તેથી, તેમણે “વાસનાના ઉચ્છેદને બદલે વાસનાની ઉત્તરોત્તર શુદ્ધિ કરવી એ સુંદર રીતે સમજાવ્યું છે.૧૭ આત્માને વેદાંતીઓ નિર્ગુણ કહે છે ત્યારે કિશોરલાલ તેને સર્વગુણાશ્રય અથવા સર્વગુણબીજ છે એમ કથે છે.૧૮ માયાવાદ વિશે તેમણે સ્પષ્ટ એકરાર કર્યો છે કે “માયા તે શું એ વિશે તે અનાદિ અને અનિર્વચનીય છે એ સિવાય બીજો ખુલાસો મળ્યો નથી.”૧૯
પુનર્જન્મ વિશે કોઈ નિશ્ચિત સિદ્ધાંત પ્રતિપાદન કરી શકાય તેમ નથી. એમ કહીને કિશોરલાલ કહે છે : “ગમે તેમ હે, પુનર્જન્મને વાદ અત્યાર સુધી શ્રેયાથીને શ્રેય માટે પુરુષાર્થ કરવામાં જબરું પ્રેરકબળ આપનારું થઈ પડ્યો છે. એને વિશે સંશયિત રહેનારમાંયે એ સંસ્કારની કેટલીક અસર અજ્ઞાતપણે કામ કરી તેને ઉપકારક થાય છે.”૨૦ કર્મવાદના સિદ્ધાંતમાં કર્મ એટલે વ્યક્તિગત કર્મ નહિ પણ સામાજિક સંદર્ભમાં કમને વિચાર કિશોરલાલે કર્યો છે અને તેની માર્ગદર્શક પ્રેરણા તેમને કેદારનાથજી પાસેથી મળી છે તે પ્રસિદ્ધ હકીકત છે. તેમણે અર્થદર્શક રીતે કર્મના સિદ્ધાંતનું વિવરણ કરતાં કહ્યું છે: સામાન્ય માણસોની કલ્પનામાં પૂર્વ કર્મનો અર્થ વધારે સંકુચિત થઈ ગયો છે. પૂર્વ કર્મ એટલે આ ક્ષણ પહેલાંનું કર્મ એમ નહિ, પણ એકદમ પૂર્વજન્મનું કર્મ એમ
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ J. ૪ સમજાયું છે.” ત્યાર પછી માણસના ઉપર બીજનાંયે પૂર્વક કારણભૂત હોઈ શકે છે તેમ જ રેલ, ભૂકંપ, અનાવૃષ્ટિ જેવાં પ્રાકૃતિક બળે પણ હોઈ શકે છે તેનું વિશદ વિવરણ કર્યું છે.
ટૂંકમાં, “જીવનશોધનમાં આપણા પ્રાચીન તત્વજ્ઞાનની ગૂઢતાને સરળતાથી વિવેકબુદ્ધિથી સમજાય તેવી રીતે તેનું ભાષ્ય કર્યું છે અને તેમ કરવામાં કિશોરલાલની સૂક્ષમ વૈચારિક પ્રતિભા તેમાં વ્યક્ત થયેલી છે.
ગાંધીવિચારોહન' (૧૯૩૨)માં ગાંધીજીના અધિકૃત ભાષ્યકાર તરીકે કિશોરલાલે સાચી પ્રતિષ્ઠા મેળવી છે. ગાંધીજીએ પણ પિતાની મહેર તેના ઉપર મારતાં કહ્યું છેઃ “આ વિચારદેહન હું વાંચી ગયો છું. મારા વિચારને ભાઈ કિશોરલાલને પરિચય અસાધારણ છે. જેવો પરિચય છે તેવી તેની ગ્રહણશક્તિ છે... જોકે ભાષા કિશોરલાલની છે, છતાં પ્રત્યેક પ્રકરણમાં સંમતિ દેવામાં મને હરકત નથી આવી. ઘણા વિષયોને ટૂંકામાં તેઓ સમાવી શક્યા છે એ આ દેહનની વિશેષતા છે.”
ગીતામંથન : ૧૯૩૧માં વિલે પારલામાં ગાંધી વિદ્યાલય ચાલતું તે નિમિત્તે “ગીતામંથન' (૧૯૩૩) પુસ્તકની ઉત્પત્તિ થઈ છે. સવારની ઉપાસનામાં તબિયતને કારણે નિયમિત હાજરી કિશોરલાલથી નહોતી અપાતી એટલે દરરોજ બેત્રણ ચોથિયા કાગળ ઉપર ગીતાને સંવાદ લખી મોકલતા. એમણે સ્પષ્ટ કર્યું છે તે પ્રમાણે સાવ અભણ નહિ, સાવ બાળક નહિ, તેમ બહુ વિદ્વાન પણ નહિ એવાં ભાઈબહેનને દષ્ટિમાં રાખીને તેઓ લખતા. “છાશ લેવીએ ત્યારે વલોવવાની ક્રિયાથી ફીણ વધે છે અને છાશ હોય તેથી વધારે દેખાય છે. આ ગીતામંથન એ જ જાતનું એક વલેણું છે.” એમ કિશોરલાલે યોગ્ય રીતે કર્યું છે.૨૧ ગીતા જેવા સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનવાળા ગ્રન્થને સરળતાથી યથાર્થ રીતે સામાન્ય લોકે પાસે રજૂ કરવામાં એક બાજુથી કિશોરલાલની શિક્ષણકલા અને બીજી બાજુથી ગૂઢ ને સરળ ભાષામાં વ્યક્ત કરવાની શક્તિનો પરિચય “ગીતામંથન'માં થાય છે.
પ્રકીર્ણ રી-પુરુષ-મર્યાદા' (૧૯૭૭) એ કિશોરલાલ મશરૂવાળાનું સ્વતંત્ર રીતે લખેલું પુસ્તક નથી પણ દશેક વર્ષના ગાળામાં એ વિષય ઉપર એમણે લખેલા લેખોનો સંગ્રહ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિષય ઉપરની ઊંડી અસર કિશોરલાલનાં આ લખાણોમાં સ્પષ્ટ દીસી આવે છે. તેઓ પણ એ હકીકતથી સજાગ છે.૨૨ આજના ઔદ્યોગિક સમાજમાં તેમણે દર્શાવેલા વિચાર વિસંવાદી
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૮] કિશોરલાલ મશરૂવાળા
[૩૪૯ લાગે તેવા છે. ગાંધીજીના વિચારોથી આ તદ્દન જુદી છે એ પણ તેમણે કબૂલ કર્યું છે. તેમણે લખ્યું છે, “સ્ત્રીઓ સાથે એક જ આસન ઉપર જોડાજોડ બેસવું પડે તે માટે આધુનિક જીવનમાં નભાવી લેવું પડે છે, પણ મને તે મુદ્દલ ગમતું નથી. મારા ભાઈઓની તરણ દીકરીઓને હું આશીર્વાદને મિષે પણ જાણીને અંગસ્પર્શ કરતું નથી કે થવા દેતા નથી.... આવું વર્તન આજના જમાનામાં અતિમરજાદી લેખાય છે તે હું જાણું છું.૨૩ સંપ્રદાયની કેટલી ચુસ્ત અસર. કિશોરલાલના મન ઉપર ઊંડી રહી ગઈ છે તેનું આમાં પ્રતિબિંબ છે. આ. પુસ્તકમાં લગ્નમીમાંસા' વિશેની વિચારણામાં પણ મૂલ્યવાન સામગ્રી મળે છે.
તેમણે જેઠાલાલ ગાંધીની મદદથી “નામાનાં તરવો' (૧૯૩૮) નામનું પુસ્તક લખ્યું છે. અંગ્રેજી અને દેશી નામાની પદ્ધતિના સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી તેને સમન્વય કરવા પ્રયત્ન તેમાં કર્યો છે. આ પ્રકારનું બીજુ પુસ્તક ભાગ્યે જ ગુજરાતીમાં લખાયું હશે. નામાના પાયાના સિદ્ધાંત પર આ પુસ્તક પ્રકાશ પાડે છે.
કિાગડાની નજરે' (૧૯૪૭) એ એમનાં પુસ્તકોમાં અને લેખનશૈલીમાં નવી વિલક્ષણ ભાત પાડતું પુસ્તક છે. તેમણે ગાંધીવાદીઓ ઉપર કટાક્ષમય લેખે મૂળ. હિંદીમાં લખેલા હતા. લેખક તરીકે “આશ્રમને ઉલ્લુ એવું તખલુસ વાપર્યું હતું. ગાંધીવાદી કહેવાતા વિચારહીન આચારવિચાર તરફ તેમાં સારી રીતે હાસ્ય-- કટાક્ષે છે. કિશોરલાલે તેની ભૂમિકામાં અર્થસૂચક લખ્યું છે કે, હું આ ઉત્સુના, વિચાર સાથે સંમત પણ થતું નથી, અને અસંમત પણ થતું નથી.” કિશોર લાલની સાહિત્યરસિકતા ચિંતનના પ્રધાન સૂર નીચે ન દબાઈ ગઈ હતી તે તે. કેવી વૈવિધ્યભરી હોત તેને ખ્યાલ આ પુસ્તક આપે છે.
“સંસાર અને ધમ (૧૯૪૮) નામના લેખસંગ્રહના પુસ્તકમાં કિશોરલાલની કાન્તિકારી વિચારણું પ્રકટ થાય છે અને પ્રચલિત વિચારમાં રહેલા દેશને સચોટ રીતે ખુલ્લા પાડે છે. તેમની ધર્મ વિશેની વિવેકપૂત દૃષ્ટિ આપણા સંસારવ્યવહાર ઉપર છવાયેલી બેટી સમજ કે પૂર્વગ્રહના ધુમ્મસને દૂર કરે છે. કમજોર સાત્વિકતા', “શ્રદ્ધાળુ નાસ્તિકતા વગેરે લેખ આ દષ્ટિએ ખૂબ મૂલ્યવાન છે. તેની “વિચારકણિકા” નામની પ્રસ્તાવનામાં પંડિત સુખલાલજીએ. યથાર્થ મૂલ્યાંકન કરતાં કહ્યું છે: “મેં પ્રસ્તુત લેખેને (“સંસાર અને ધર્મના) એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યા છે ને થોડાઘણું અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્વચિંતકનાં લખાણે પણ સાંભળ્યાં છે. હું જ્યારે તટસ્થ ભાવે આવાં
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૫૦]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ચિંતનપ્રધાન લખાણોની તુલના કરું છું ત્યારે મને નિઃશંકપણે એમ લાગે છે કે આટલો અને આવો ક્રાન્તિકારી, સચોટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે.” આ વિધાન “સમૂળી ક્રાન્તિના મૂલ્યાંકનને સવિશેષ સમર્થક બને છે.
સમૂળી કાન્તિ: કિશોરલાલનું સૌથી વિશેષ ધ્યાન ખેંચનારું અને મૂલગામી અને ક્રાંતિકારી વિચારદષ્ટિ દાખવનારું પુસ્તક તો છે “સમૂળી ક્રાન્તિ (૧૯૪૮). તેમાં ધર્મ, સમાજ, આર્થિક વિષયો, રાજકીય વિષય, કેળવણી વિશેની પિતાની આગવી વિચારણું સૂત્રાત્મક શૈલીમાં વ્યક્ત થઈ છે. તેમના આ લખાણનું પ્રેરક બીજ છે, તેમણે જ કહ્યું છે તેમ, “આપણે અનેક વિચારે અને માન્યતાઓનું આપણે મૂળથી જ સંશાધને કરવાની જરૂર છે. આપણા ક્રાતિના વિચારો મોટે ભાગે ઉપરઉપરની મરામતના છે, મૂળ સુધી પહોંચતા નથી.”૨૪ આ પુસ્તકના શીર્ષકનું મૂળ પણ આમાં જ રહ્યું છે. એક દષ્ટિએ જોઈએ તો આ બધા પ્રશ્નોની વૈચારિક ભૂમિકા “જીવનશોધનમાં રહેલી છે. આ પુસ્તકમાં ધર્મવિષયક કરેલાં સૂત્રાત્મક પ્રતિપાદનોમાંથી પ્રથમ બે બીજરૂપે “જીવનશોધનમાં સ્પષ્ટ પ્રગટ થયેલાં જ છેઃ (૧) માને પરમાત્મા વેઢા ન માનો ફેવતાप्रतिमा सकल ॥ (२) न को शास्त्रनो वक्ता परमेश्वर । न को विवेकना क्षेत्रथी पर ॥ આ બે સૂત્રમાં કિશોરલાલની ધર્મદષ્ટિ બીજરૂપે પ્રગટ થઈ છે એ દેખીતી હકીકત છે. ધર્મોએ ઊભાં કરેલાં વિદનો કયાં છે તેનું વિવેકપૂત વિવરણ આ પુસ્તકના પ્રથમ ભાગમાં સુંદર રીતે કર્યું છે. વર્તમાન સ્થિતિનું વિવરણ કરતાં એમણે કહ્યું છે તેને સૂર હજી પણ વારંવાર સંભળાયા કરે છે. હિંદી-ઉર્દૂ-હિંદુસ્તાની ભાષા અને લિપિ વગેરેના ઝઘડા, પ્રાન્તીય (પ્રાદેશિક) ઈર્ષા વગેરે સર્વેના મૂળમાં એક જ વસ્તુ છે. આપણા દિલની કાતિ થઈ નથી, આપણી સંકુચિત અમિતાએ આપણે છેડી શકતા નથી, તેથી નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જવું એ તરફ જ આપણે પુરુષાર્થ વારંવાર ગતિ કર્યા કરે છે. ૨૫
આર્થિક ક્રાતિના પ્રશ્નોના વિભાગમાં અર્થશાસ્ત્ર અને અર્થ વૃદ્ધિનાં સાધનો વિશે મૂલગામી છતાં સામાન્ય માણસ સમજી શકે તેવી સરળ વિવેચના-વિવરણ
ક્ય છે. અર્થશાસ્ત્ર સાથે ચારિક મૂલ્યોને સાંકળવાં જોઈએ એવી તેમની દઢ માન્યતા અને શ્રદ્ધા રહી છે. અર્થ સમૃદ્ધિ સાથે ચારિત્રગુણો હોય તો જ સાચી પ્રજાસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમના શબ્દોમાં, “ચારિત્ર સમૃદ્ધિનું સાધન છે... આજે વિજ્ઞાનસંપન્ન માનવસમાજ હાથમાં આગ લગાડવાનાં સાધને ધરાવનારો અને તેની કળા શીખેલે વાનરસમાજ છૂટો મૂક્યો હોય તેવી સ્થિતિમાં દુનિયામાં
Page #360
--------------------------------------------------------------------------
________________
% ૮ ]
કિશેરલાલ મશરૂવાળા
[ ૩૫૧
વિચરે છે. માટે અવૃદ્ધિનાં સાધનાના વિચાર કરતી વખતે આદિ, મધ્ય તથા અંત ત્રણેમાં ચારિત્રનાં અંગેાના વિચાર કરીને જ પગલાં ભરવાં જોઈએ.૨૬ આ દૃષ્ટિએ ‘વાદાની કાથાકૂટ' નામના પ્રકરણમાં પૂંજીવાદ, સામ્યવાદ, સમાજવાદની કરેલી સમીક્ષા મહત્ત્વની બની છે.
૩૨૭
કિશારલાલે રાજકારણ વિશેની પણ પેાતાની મૌલિક વિચારણા આ પુસ્તકમાં કરેલી છે. આ વિશેનાં તેમનાં ચિત્ત્વ વિધાના સૂત્રાત્મક છે ને વિશેષ સમાલાચના માગી લે છે. આપણી જાણીતી કહેવતને જરા બદલીને તેમણે કહ્યું છે, “કૂવામાં હેાય તેટલુ અને તેવું હવાડામાં આવે.હવાડા એ શાસકવ છે. કૂવા એ સમસ્ત પ્રજા છે. ગમે તેવા કાયદા અને બધારણા ઘડા, સમસ્ત પ્રજાના ચારિત્ર કરતાં શાસકવર્ગનું ચારિત્ર ઘણું ઊંચું હાય એમ બનવાનું નહીં.” ડેમેાક્રસીનેા વહેવારુ અ માથાગણતરી એટલા જ થઈ ગયેલા છે. ક્રાઈ એમ તેા ન જ કહી શકે કે ઘણાં માથાં એટલે ઘણું ડહાપણુ, માટે જે બાજુએ ઘણાં માથાં ઊંચાં થાય તે બાજુને નિર્ણય વધારે ડાહ્યો. માથાં શા કામ માટે ઊઁચાં થયાં છે એ મહત્ત્વનું છે, કેવળ કેટલાં માથાં ઊંચાં થયાં છે તે નહીં. ગંદા પાણીનાં પાંચ તળાવ કરતાં ચાખ્ખા પાણીને એક વીરડા વધારે મહત્ત્વનેા છે.૨૮
આ પુસ્તકના છેલા વિભાગ કેળવણી વિશેને છે. કેળવણીના પાયા’ના વિચારાની આ નાની આવૃત્તિ છે એમ કહી શકાય. ઇતિહાસ વિશેના એમના વિચારો અસ્વીકાર્ય બને તેવા છે તે અગાઉ કહેવાયુ છે. લિપિ બાબતની એમની મૌલિક વિચારણાના મહત્ત્વના મુદ્દાએ છે : (પૃ. ૧૨૯)
(૧) રામન લિપિનું પ્રાદેશિક ભાષાના ઉચ્ચારે સંપૂર્ણ પણે અને ચેાકસપણે રજૂ કરી શકે એવું સ્વરૂપ નિશ્ચિત કરવું; એને ઠરાવેલી રામન લિપિ કહેા. (૨) સૌ કાઈને એ લિપિઓનું જ્ઞાન આવશ્યક હાય ઃ (૧) પ્રાન્તીય લિપિનું અને ઠરાવેલી રામનનું
(૩) માતૃભાષા તરીકે હિંદુસ્તાની ભાષા શીખનારને માટે દેવનાગરી તથા રામન, અથવા તથા રામન લિપિનુ' જ્ઞાન આવશ્યક હાય.
અત્યારના સંદર્ભમાં આ પ્રશ્નો ચર્ચાસ્પદ જ ગણાય. તવિદો પણ કિશારલાલની આ વિચારણાથી જુદી વિચારસરણી ધરાવે છે. આ પ્રશ્ન ણા સકુલ છે એટલે કાઈ પણું નિય ઉપર આવવું અઘરું છે.
‘સમૂળી ક્રાન્તિ'ના પ્રસ્તાવનારૂપ ‘ખુલાસા'માં સંસ્કૃતિ વિશે કિશોરલાલ
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૫૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[a'. ૪ મશરૂવાળાએ સૂત્રાત્મક રીતે લખ્યું છે તે વસ્તુએ અનેક ચિ ંતાનું ધ્યાન ખેંચ્યું. છે તે વિવરટીકા પણ થયાં છે. તેમણે લખ્યુ છેઃ “મેં ઘણી વાર કહ્યું છે તેમ પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ, હિંદુ સંસ્કૃતિ, મુસ્લિમ સંસ્કૃતિ વગેરે ભેદો મને મહત્ત્વના લાગતા નથી. માનવ પ્રામાં બે જ સંસ્કૃતિઓ છે : ભદ્ર સંસ્કૃતિ અને સંત સંસ્કૃતિ બંનેના પ્રતિનિધિએ આખી દુનિયામાં છે. જેટલે અંશે સંત સંસ્કૃતિના ઉપાસકેા નિષ્ઠાથી અને નિર્ભયતાથી વ્યવહાર કરશે તેટલે જ અંશે માનવજાતિની સુખની માત્રા વધશે.’’૨૯
ગાંધીજી અને સામ્યવાદ' (૧૯૫૧)એ પ્રથમ કિશારલાલે 'હરિજન’ પત્રમાં લેખમાળા લખી હતી. પછી તેની ચર્ચાનીકા અનેક વિચારસરણીવાળાએની થઈ તેને ધ્યાનમાં રાખી પુસ્તક એ જ નામે પ્રકટ થયું. વિનેાબાએ તેમાં તેની ભૂમિકા લખી, કિશારલાલે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે: “આ પુસ્તિકા નથી સામ્યવાદનું વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ, કે નથી ગાંધીવિચારની અધિકૃત મીમાંસા, અન્ને મહાપુરુષો અને તેમના અનુયાયીઓની પાયાની દૃષ્ટિ શી છે તેની માહિતી આમાંથી મળે તેા તે ઘણુ કહેવાશે.' ઘણા માને છે કે સામ્યવાદમાંથી હિંસા કાઢી નખાય તેા ગાંધીવાદ અને સામ્યવાદ : એક જ છે એટલે તેમના વચ્ચે સાધ્યના ભેદ નથી પણ સાધનના ભેદ છે. આ ઉપરચેાટી દિષ્ટ ખેાટી છે તે બન્નેના સિદ્ધાંતામાં ઊંડા ઊતરીને કિશારલાલે આ પુસ્તકમાં બતાવ્યું છે. ગાંધીજી અને માકર્સ વચ્ચે જીવનદિષ્ટના ભેદ બહુ મહત્ત્વના છે તેનું તેમણે વિશદ રીતે વિવરણ કર્યું છે. વĆવિગ્રહથી ક્રાન્તિ આવશે તે માર્કસની દૃષ્ટિના વિરેધ કરી ગાંધીજીની દૃષ્ટિનું સમર્થન કર્યું છે. તેમણે બહુ જ અર્થસૂચકતાથી તેમાં લખ્યુ છે. ... આજની વર્તીમાન સમાજવ્યવસ્થા તળે જેએ ધન કે ઉચ્ચ વર્ણ ને કારણે વધારે અધિકારી અને મેાભાભર્યું સ્થાન ભાગવે છે તે જો... ત્યાગ નહીં કરે... તા ગાંધીજીની કાટિના જ અહિંસામાગી નેતાને અભાવે સામ્યવાદ તેનાં બધાં ડિસક આયુધે! સાથે આવશે જ..."
અહિંસાવિવેચન' (૧૯૪૨) નામે અહિંસા ઉપરના એમના લેખાને સંગ્રહ રમણીકલાલ મેાદીએ પ્રકટ કર્યો છે. ગાંધીજીના વિચારથી કિશે।રલાલ આ વિષય વિશે જુદે અભિપ્રાય ધરાવે છે તે નોંધવું જોઈએ. તેમણે સ્પષ્ટ લખ્યું છે “ મારી વિચારસરણી બાપુને અનુસરનારી નહિ, પણ સમાંતર ાય છે. હું બહુ નાના પણ સત્યને સ્વતંત્ર પૂજારી રહ્યો છુ.... બાપુજીએ કહ્યું છે કે તેઓ જન્મથી સત્યેાપાસક છે, અહિંસક નથી. મારુ... એથી ઊલટુ` છે. હુ સ્વભાવથી અહિંસાના પૂજારી છું. સત્યના ઉપાસક પાછળથી બન્યા છેં. બાપુજીને સત્યની
:
Page #362
--------------------------------------------------------------------------
________________
*. ૯]
કિશોરલાલ મશરૂવાળા
[૩૫૩
શેાધમાંથી અહિંસા મળી અને મને અહિ'સામાંથી સત્યની ઝાંખી થઈ...”૨૯ આ લેખામાંથી ગાંધીયુગમાં પ્રસરેલી અહિંસાની ભાવનાનું સ્પષ્ટ ચિત્ર મળી રહે છે.
અનુવાદ
-
ગીતાનુ' સરળ સમશ્લાકી ગુજરાતી ભાષાંતર કિશારલાલે કર્યું છે તે તેમની વિદ્યાર્થી અવસ્થા વખતની સાહિત્યરસિકતાની અભિરુચિનું દ્યોતક છે. તેમણે ત્યારે રચેલાં કાવ્યેા ગામતીબહેને શ્રી કિશારલાલ મશરૂવાળા — એક અધ્યયન”માં રજૂ કરવા આપેલાં છે તે તેમની આ કુદરતી રસવૃત્તિનું સમર્થન કરે છે. ૩૧ ગીતાધ્વનિ’ (૧૯૭૩) એ તેમના ભગવદ્ગીતાને સમશ્લાકી અનુવાદ ખૂબ લાકપ્રિય બનેલા છે. કિશારલાલે લખ્યુ છેઃ “ કવિશ્રી ન્હાનાલાલના ભાષાંતરને તેા હુ' પ્રથમ ઋણી શ્રુ જ. વર્ષો સુધી તેમના ભાષાંતરને ઉપયોગ કર્યા પછી જ મને આ અનુવાદની બુદ્ધિ પેદા થઈ.”૩૨ આ અનુવાદમાં કિશારલાલ મશરૂવાળાની તત્ત્વજ્ઞાનની ઊ`ડી સૂઝ તેમ જ સરળતા અને કાવ્યરસિકતાના સંવાદ સધાયા છે. સંત તુકારામની વાણી'માં એમણે કેટલાક અભંગાના ભાવાનુરૂપ અનુવાદ આપ્યા છે.
બધાં ભાષાંતરામાં એક નવી ભાત પાડતું પુસ્તક છે સત્યમય જીવન (૧૯૩૩). આ પુસ્તક મૂળ લા` મેાલીનું ‘ઑન કૅાષ્પ્રામાઈઝ' છે. મહાદેવ દેસાઈએ ‘સત્યાગ્રહની મર્યાદા' નામે તેનુ ભાષાંતર કરેલું છે. એમાં વિચાર, વાણી અને વ્યવહારમાં સત્યને ઉપાસક કેમ વર્તે, અને આપણા દેશના જુદા જુદા પ્રશ્નો વિશે આપણું વન કેવું હેાવુ જોઈએ અને શું છે એ વિશેની સિદ્ધાંત તેમ જ વ્યવહારની દૃષ્ટિએ ચર્ચા છે. એ ચર્યાની પતિ મેાલી"ની પદ્ધતિને અનુસરે છે, અને તેને લીધે એમાં મેાલી'ના પુસ્તકના આવશ્યક સાર, તેમ જ મેાલીના મત ઉપર મારી ટીકા પણ આવી જાય છે. પણુ એ મેાલી"ના પુસ્તકનેા સાર પણ નથી, તેમ તેમાં મેાલી સાથે કેટલીક બાબતામાં મતભેદ પણ છે.”૩૩ આમ, આ પુસ્તક મૂળ પુસ્તકને આધારે લખેલા સ્વતંત્ર લાંખે। નિબંધ કહી શકાય.
કિશારલાલની સમગ્ર દૃષ્ટિ જીવનલક્ષી ખૂની તથી સાહિત્યરસિકતા ઘેાડી ખાઈ ગઈ ખરી, પણ રસસ્રોત કદી સુકાયા નહાતા. તેથી જ ખલિલ જિબ્રાનના ધ પ્રાફેટ'નું ભાષાંતર વિદાય વેળાએ’ (૧૯૩૫) કિશારલાલે રસપ્રદ શૈલીમાં કર્યું છે. ‘ કેળવણીના પાયા’માં સર્જક કલ્પના વિશે વિરોધ કર્યા પછી આ ભાષાંતર કરવા કિશારલાલ પ્રેરાયા એ તેમની રસિકતાના વહેતા સ્રોતના જ પુરાવા છે. તેમણે આ ભાષાંતર કેમ કર્યું. તે વિશે લખ્યું છેઃ
ગુ. સા. ૨૩
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૫૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ “કવિનું ઘણું કહેવું સત્ય, અને સુંદર રીતે રજૂ થયેલું સત્ય છે, એમ મને ન લાગ્યું હોત તો કેવળ કાવ્યાનંદ માટે મને આ અનુવાદ કરવાનું મન ન થયું હેત.”૩૪ આમ, પક્ષ રીતે કલાત્મક સત્યને કિશોરલાલે સ્વીકાર કર્યો, તેથી સર્જક કલ્પના વિશેના એમના વિરોધીઓને પણ આનંદ થશે. . આવી જ રીતે ઈ. ૧૯૩૨-૩૩ની જેલ દરમ્યાન ટોસ્ટોયના “ધી લાઈટ શાઈન્સ ઇન ડાર્કનેસ' એ નાટકનું એમણે “તિમિરમાં પ્રભા' (૧૯૩૬) એ નામે ગુજરાતીમાં શાન્તર કર્યું છે. બર્નાર્ડ શોને આ નાટક ટોસ્ટયનું સર્વોત્તમ નાટક લાગ્યું હતું, પરંતુ કિશોરલાલે કળાદષ્ટિએ આ નાટકને પસંદ નહોતું કર્યું. કિશોરલાલે સ્પષ્ટ કરી કહ્યું છે કે, “આ નાટકની ધાર્મિક, સામાજિક અને રાજકીય દષ્ટિએ મને બહુ ભારે કિંમત લાગી, અને એ દષ્ટિ હિંદુસ્તાન પણ સમજે તે સારું એમ લાગવાથી મેં આ વેશાંતર કરવાનો પ્રયત્ન કર્યો છે.”૩૫ વળી કહે છે, “ટોસ્ટોયની આ નાટકમાં કળાની ઉપાસના નથી, પણ સત્યની ઉપાસના છે.” ટેલ્સ્ટોયે પાંચમા અંકનું માત્ર ખોખું જ તૈયાર કર્યું હતું. કિશોરલાલે એમાંથી સ્વપ્રજ્ઞા દ્વારા પાંચમે અંક તૈયાર કર્યો છે. કિશોરલાલની નિજી સાહિત્યિક શક્તિ અને શાન્તર કરવાની ખરી સૂઝને આ નાટકમાં પરિચય થાય છે.
કિશોરલાલને કોલેજમાં અભ્યાસવિષય વિજ્ઞાન હતા. ૧૯૩૦માં મેટરલિંકના લાઈફ ઑફ ધી વહાઈટ ઍન્ટ' પુસ્તકને ઊધઈનું જીવન (૧૯૪૦) નામે રસિક અને સરળ અનુવાદ કર્યો. તે વિશે તેમનું અર્થસૂચક વિધાન તેમની જીવનદષ્ટિ તેમ જ અનુવાદ કરવાનું કારણ વ્યક્ત કરે છે : “આ પુસ્તકમાં કેવળ શાસ્ત્રીય અને શુષ્ક માહિતીઓને જ ભંડાર હોત તે એને અનુવાદ કરવાનું મને ભાગ્યે જ મન થયું હોત... આ પુસ્તક જતુશાસ્ત્રને લગતા પાઠ્યપુસ્તક જેવું નથી, પણ જેમ કેઈ મહાપુરુષનું જીવનચરિત્ર સર્વને વાંચવા લાયક અને ઉપયોગી બને એવું છે.”
૧૯૪૨ની લડત વખતે જેલમાં કાકા કાલેલકર સાથે મળીને તેમણે અમેરિકન લેખક પેરી બજેસની ‘દૂ વક એલેન નવલકથાનું માનવી ખંડિયેરે (૧૯૪૬) એ નામે ભાષાન્તર કર્યું છે. એક રક્તપિત્તના દદીની આત્મકથાના રૂપમાં આ નવલકથા લખેલી છે. વિનાશમાંથી પણ ફરી નવો જીવનરસ ઉપજાવી નવી સૃષ્ટિ રચે છે એવા જીવનવીરના સાત્વિક અને અભુત જીવનકાર્યની આ નવલકથા છે. કિશોરલાલની ભાષાન્તકાર તરીકેની સબળ પ્રતિભા તેમનાં સર્વ ભાષાન્તરિત પુસ્તકોમાં તરી આવે છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
કિશોરલાલ મશરૂવાળા
[૩૫૫ ટોલસ્ટોયના પુસ્તક “ત્યારે કરીશું શું? માંથી પ્રેરણું મેળવી સુવર્ણની માયા” નામની વાર્તાત્મક પુસ્તિકા પણ કિશોરલાલે લખી હતી. નાણુને પ્રશ્ન કેન્દ્રમાં છે અને સાચું અર્થશાસ્ત્ર કે સાચી સંપત્તિ કઈ તે તેમાં મધ્યવતી મવિચાર છે. પાછળથી આ વિચારબીજોનું વિવસ્તીકરણ “સમૂળી ક્રાન્તિ'માં રચેલા આર્થિક પ્રશ્નોમાં થયેલું છે.
ગદ્ય કિશોરલાલની તમામ કૃતિઓને સાહિત્યની દૃષ્ટિએ જોતાં તેમની ગદ્યશૈલીનું વૈવિધ્ય અનેરી ભાત પાડે છે. તેઓ ચિંતનશીલ લેખક છે. તેથી તેમની ગદ્યશૈલી વિષયને અનુરૂપ છે. સાહિત્યિક સુંદરતા કરતાં વિચારનિષ્ઠા તેમનાં લખાણમાં કેન્દ્રમાં હોવાથી અર્થ સઘનતા અને વિશદ વિચારણા માટેની સરળ અભિવ્યક્તિ તેમને ગદ્યનાં મુખ્ય લક્ષણ છે. કિશોરલાલ પોતાની વિચારણને સ્પષ્ટ કરવા, માટે ઘણી વાર પ્રસંગે, ઉદાહરણો, દષ્ટાંતોને આશ્રય લે છે ત્યારે તેમની ગદ્યશૈલીની પ્રાસાદિકતા ચિત્તાકર્ષક બને છે. તત્ત્વને મુદ્દો સ્પષ્ટ કરવા માટે કઈ કઈ વાર રૂપક, ઉપમા, આદિ અલંકારોને સમુચિત ઉપયોગ કરે છે. થોડાં ઉદાહરણ દ્વારા આ વસ્તુ સ્પષ્ટ થશે. “સંસાર અને ધર્મમાં જપની મર્યાદા સ્પષ્ટ કરવા જંગલનું રૂપક તેમણે ક્યું છે અને તે કથાનક જેવું બની ગયું છે. કેટલીક વાર વિચારને મર્મ સ્કુટ કરવા પ્રસંગનું સુંદર શબ્દચિત્ર આલેખે છે. “કેળવણીવિકાસમાં એક શ્રમજીવી કુટુંબનું સુરેખ ઉદાહરણ છે. ૩૭ એમનાં અનેક લખાણોમાં તત્વને સરળ રીતે સમજાવવા માટે ટુચકાઓને પણ ઔચિત્યપૂર્વક ઉપયોગ કરે છે. ખલાસી અને પંડિતને ટુચકે આપણી સ્મૃતિમાં જડાઈ જાય તેવો સરસ આલેખાય છે.૩૮ આવા અસંખ્ય ટુચકા કે દૃષ્ટતે. તેમની શૈલીને રસપ્રદતા આપે છે. સંવાદશૈલીને પણ તેમણે કેઈક વાર ઉપયોગ કર્યો છે. “કાગડાની નજરે” એ કાકભુશું ડીના સંવાદરૂપે જ લખાયેલું પુસ્તક છે. આમાંની હાસ્યકટાક્ષ માટેની શૈલી એ કિશોરલાલના ગદ્યમાં અનોખી ભાત પાડે છે. ગાંધીયુગના ગદ્યકારોમાં અર્થ સઘન, સમુચિત અર્થની વિશદતા કરે તેવી શબ્દાભિવ્યક્તિ તેમ જ તર્કસંગત અર્થપ્રવાહની અમ્મલિત ધારા વહે તેવી ગદ્યશૈલીથી કિશોરલાલ મશરૂવાળા આગવું સ્થાન મેળવે છે. કોઈક વાર વિચારપ્રવાહ ખંડિત ન થાય ત્યારે લાંબાં ઉપવાક્ય સાથે સંકલિત વાક્યો કિશોરલાલની શિલીમાં આવી જાય છે એ ખરું, પણ વિચારપ્રવાહની સાથે તેની વાક્યશૈલી કિલષ્ટ કે ગૂંચવાયેલી બનતી નથી. કિશોરલાલના ગદ્યમાં વિષયચિત કે પ્રસંગઅનુરૂપ શિલીનું વૈવિધ્ય હાય જ છે, તેથી તેમની ગદ્યશૈલી ચિંતનાત્મક ગદ્ય
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ માટે ઘડાયેલી હોવા છતાં તેની અભિવ્યક્તિને અનુરૂપ કાવ્યાત્મક અને રસાત્મક સ્વરૂપ પણ ધારણ કરે છે. ઉદાહરણ તરીકે, “જીવનનો અર્થ એ નિબંધમાં “પૃથ્વી પૂછતી નથી કે હું શા માટે સૂર્યની આજુબાજુ ફર્યા જ કરું છું. ગુલાબ અને પારિજાતક પૂછતાં નથી કે શા માટે અમારે ખીલવું, સુગંધ ફેલાવવી અને સાંજ પડશે કરમાઈ જવું પડે છે. ચકલાં પૂછતાં નથી કે શા માટે અમારે માળા બાંધવા, ઈંડાં મૂકવાં, સેવવાં ને બચ્ચાને પાંખ ફૂટે એટલે એમને છોડી દેવાં. તેમ આપણે પૂછવાની જરૂર નથી કે આપણે શા માટે જીવવું, સમાજ રચવા, સંસ્કૃતિઓ વિકસાવવી, કુરબાનીઓ આપવી, અને નીતિનિયમ જાળવવા....”૩૯
કિશોરલાલની લેખનસમીક્ષા કરતાં નગીનદાસ પારેખે રીતે કહ્યું છેઃ “જીવનદષ્ટિપૂત અભિગમ, મૂલગામી સૂકમ વિચાર અને વિશદ ને અસંદિગ્ધ નિરૂપણ એ શ્રી કિશોરલાલભાઈનાં લખાણનાં પ્રધાન લક્ષણો છે. એમનાં લખાણની ભાષા વિષયને અનુરૂપ રહીને બની શકે એટલી સરળ અને પ્રાસાદિક હોય છે. પિતાનું વક્તવ્ય ફુટ અને સુગમ કરવા માટે જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ત્યાં તેઓ જીવન અને વિજ્ઞાનમાંથી દષ્ટાંતો અને ઉપમાઓ વાપરે છે, કેટલીક વાર પ્રસંગે દ્વારા પણ વિચારને સ્પષ્ટ કરવાનો એમનો પ્રયત્ન હોય છે. એમની પદ્ધતિ વિષયની સીધી ચર્ચા કરવાની રહી છે, એટલે લાંબી પ્રસ્તાવના કરતા નથી, અને ચર્ચા તર્કબદ્ધ રીતે વિષયાન્તર કર્યા વગર એકધારી આગળ વધે છે. પિતાના વક્તવ્યને એકસાઈપૂર્વક મર્યાદિત કરવાની કાળજીને લીધે કેટલીક વાર એમનાં વાક્યો લાંબાં થાય છે, પણ ત્યાંયે દૂરાન્વય કે બીજું કારણે અર્થ બધમાં બાધા આવતી નથી. વિચારને પ્રવાહ પણ તાલ મિલાવીને ચાલતે હોય છે, અને કેટલીક વાર લખાણ તર્ક કર્કશ થઈ જતું લાગે ત્યાં પણ વાચકને પિતાની વાત બરાબર સમજાવવાની તાલાવેલી અછતી રહેતી નથી.”૪૦
વિષયને અનુરૂપ કિશોરલાલની ગદ્યશૈલી પણ રૂપવૈવિધ્ય ધારણ કરે છે. અવતારમાળા’નાં પુસ્તકની કથનશૈલી, “ગાંધીવિચારદેહને, “સંસાર અને ધર્મ” અને “સમૂળી ક્રાન્તિની ભાષ્યશૈલી અને પ્રતિપાદન-સૂત્રોની વિશિષ્ટ શૈલી, ગીતામંથન આદિની સંવાદશૈલી, “કેળવણીના પાયા', “જીવનશોધન' વગેરેની તર્કયુક્ત વિવરણશૈલી કિશોરલાલની ગદ્યલીલાનાં અનેકવિધ પાસાંઓ દાખવે છે. ગુજરાતી સાહિત્યની ચિંતનાત્મક ગદ્યશૈલીના વિકાસમાં કિશોરલાલ અનોખું સ્થાન ધરાવે છે.
ગાંધીયુગના જ નહિ પણ ગુજરાતી ચિંતનાત્મક સાહિત્યમાં કિશોરલાસો મશરૂવાળાનું સ્થાન એમની જીવનલક્ષી દૃષ્ટિ અને મૂલગામી તેમ જ સૂક્ષમ અને વિશદ વિચારનિરૂપણને લીધે અનન્ય, સુપ્રતિષ્ઠિત અને આદરજન્ય બન્યું છે. '
Page #366
--------------------------------------------------------------------------
________________
% ૮ ]
ઉપસ‘હાર
કિશે।રલાલ મશરૂવાળા
[૩૫૭
કિશોરલાલમાં સત્યશેાધકવૃત્તિ પ્રકૃતિદત્ત હતી. તેમણે જ એ વિશે લખ્યું છેઃ “વિષયના હામાં ઊતરી તેનું પૃથક્કરણ કરી બુદ્ધિમાં ઉતારી લેવા એ મારી અભ્યાસની ટેવ છે... એ વિચારી લેવાથી.... વિચારશુદ્ધિ અથવા વિચારદોષ કેટલા છે એ પણ સમજી શકાય.”૪૧ વળી, તેમના ઘડતરકાળના પ્રારંભથી જ સ્વામિનારાયણ સ ંપ્રદાયની ઊંડી ધર્મશ્રદ્ધા તેમ જ પરંપરાગત ધાર્મિક માન્યતાઓની ઊંડી અસર કિશારલાલ ઉપર હતી. આને કારણે તેમના મનમાં ભારે મંથન શરૂ થયું. ચિત્તનું સમાધાન કરવા એકાંતસાધના કરી. ચિત્તને વ્યાકુળ કરતા મનેામથનના અંધકારમાં કેદારનાથજીના માદર્શનથી પ્રકાશ પડયો. તેનાથી નવી જીવનદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને કિશારલાલે શાન્તિ અને સ્વસ્થતાને અનુભવ કર્યો. આપણું શ્રેય અને સમાજનુ શ્રેય એક જ છે, સમાજધમ છેાડીને અંગત શ્રેય સાધવાની ઉપાસના દોષરૂપ છે અને “સંયમ, માનવસંપત્તિના ઉત્કર્ષ અને તેમાં મેળ, પરિણામે વિવેક અને તત્ત્વજ્ઞાનના ઉદ્દય... આવી સત્ત્વસંશુદ્ધિને જીવનનું ધ્યેય, જીવનના સિદ્ધાંત કહી શકાય.’૪ર જીવનલક્ષી આ વિચારદષ્ટિ કેદારનાથજીએ કિશોરલાલને આપી, જીવનશોધન'માં એ બધાનું સવિગત વિવરણુ થયુ છે.
કિશારલાલની લેખનપ્રવૃત્તિની શરૂઆત તેમને નવી જીવનદૃષ્ટિ મળ્યા પછી થઈ છે તે નોંધપાત્ર છે. આ જીવનલક્ષી નવચિંતનષ્ટિ તેમનાં તમામ લખાણામાં અંતિંત થયેલી જોવામાં આવે છે. રામ અને કૃષ્ણ' આદિ ‘અવતારમાળા’માં તેના અંકુર છે અને જીવનશેાધનમાં તેને સ્વસ્થ સુવિકાસ થયેા છે. ‘જીવનશાધન’ શીર્ષીક નીચે કૌંસમાં લખેલું શેાધવુ એટલે ન જાણેલુ. ખેાળવુ' અને જાણેલુ સુધારવું' એ તેમની દિષ્ટ માટે અદ્યોતક છે. એટલુ` જ નહિ પણ પ્રસ્તાવનામાં લખેલા તેમના શબ્દોમાં વિવેકપૂત જીવનદૃષ્ટિનાં મૂલ્યો અને સત્યનિષ્ઠા વ્યક્ત થાય છે : “આ લેખામાં જેટલું સત્ય, વિવેકમુદ્ધિથી સ્વીકારી શકાય એવું, પવિત્ર પ્રયત્નેને પાષનારુ હાય એટલું જ તરા; જે વધારે અનુભવ કે વિચારથી ભૂલભરેલું કે પવિત્ર પ્રયત્નને નુકસાન કરે એવું હેાય તેના નિરાદર થાએ અને નાશ પામે। એમ ઇચ્છું છું.”૪૩ સ્વામી આનંદે કિશારલાલને સતાના અનુજ ગણ્યા છે તે કેટલું" યથાર્થ છે! કેળવણીના પાયા' પુસ્તક પ્રગટ થયું, ત્યારે કેળવણી અંગે નવપ્રકાશ પાડનારા કિશારલાલના વિચારો તેમાં તર્કબદ્ધ રીતે રજૂ થયા અને ગુજરાતને મૂલગામી શિક્ષણચિંતક તરીકેના પરિચય થયા. કેળવણીનાં વિવિધ અંગાનું પૃથક્કરણ અને પરીક્ષણ કરી કેળવણીમીમાંસા એ પુસ્તકમાં થઈ છે. તે વિશેની ચર્ચાવિચારણા ઉપર આપેલી છે. ‘જીવનશેાધન' ત્યાર પછીનુ
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૮]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ મહત્ત્વનું અને સુપ્રતિષ્ઠિત પુસ્તક છે. તેમની ચિંતનપ્રતિભાનું આ બન્ને પુસ્તકમાં સુંદર દર્શન થાય છે.
આ રીતે શરૂ થયેલે કિશોરલાલને લેખનપ્રવાહ તેમના જીવનપર્યત નિરંતર વહ્યા કર્યો છે તે તેમનાં પુસ્તકોનાં પ્રકાશનવર્ષોમાં સ્પષ્ટ તરી આવે છે. તેમનું છેલ્લું પુસ્તક “સમૂળી ક્રાન્તિ” છે. તેમાં એમના સમગ્ર જીવનદર્શનના મહત્વને નિચેડ છે અને ગુજરાતી સાહિત્યમાં તેનું વિશિષ્ટ પ્રકારનું માનીં સ્થાન છે. જીવનનાં અસંખ્ય ક્ષેત્રોમાં એમની વિચારધારા વહી છે તેને સારો પરિચય સમૂળી ક્રાતિ'માં થાય છે. તેમની સ્વતંત્ર અને મૂલગામી વિચારપ્રક્રિયા ધાર્મિક, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં કેવું કાતિકારી દર્શન કરાવે છે તેનું, અને ભાષા, સાહિત્ય, લિપિ આદિમાં પણ કેવી નવીન દૃષ્ટિ આપે છે તેનું, સમૂળી ક્રાન્તિમાં અને ખી રીતે નિરૂપણ થયું છે. આ છેલ્લું પુસ્તક “સમૂળી કાન્તિ” ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના ગાંધીનિર્વાણ દિને પૂરું થયું તે કે જોગાનુજોગ છે!
ગાંધીજીના અવસાન પછી “હરિજન” પત્રાના એ તંત્રી બન્યા ત્યારે સમગ્ર દેશને એ માટે પ્રેમાદર ભાવ થયો હતો. એમણે ભગવાન ભરોસે તંત્રીપણુને ભાર ઉઠાવતાં લખ્યું હતું કે “આ કામમાં ફાળો આપતાં હું ઘસાઈ જઉં તો મને મારા જીવનની એગ્ય સમાપ્તિ લાગશે.” એમણે કેઈની શેહશરમમાં તણાયા વિના એ પત્રને કેવળ સર્વોદયની ભાવનાનાં સત્ય તેમ જ ન્યાયનાં મુખપત્ર બનાવ્યાં હતાં. સરકાર સામે ખુલ્લું અને કડક લખવાને તંત્રીધર્મ એમણે બનાવ્યો હતે. પત્રકાર તરીકે એમનું નીડર વ્યક્તિત્વ દીપે છે. આ સત્યનિષ્ઠ વિચારકે “હરિજન” પત્રના તંત્રી તરીકે ગાંધીજીના આદર્શોને લક્ષમાં રાખી જનસેવા –લેકશિક્ષણનું કાર્ય તેજસ્વિતાથી કર્યું હતું. - સાહિત્ય અકાદમીએ ભારતની બધી ભાષામાં અનુવાદ કરાવવા માટે દસ ઉત્તમ પુસ્તકે પસંદ કરતી વખતે “સમૂળી ક્રાન્તિ અને બીજા લેખા’ને નામે કિશોરલાલનાં લખાણોને સ્થાન આપ્યું છે તે તેની ગુણવત્તા સૂચવે છે. ખરું જોતાં, કિશોરલાલનું બહોળું વિચારધન ગુજરાતી ચિંતનાત્મક સાહિત્યની અણમોલ સંપત્તિ બની છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૮]
કિશોરલાલ મશરૂવાળા
[૩૫૯
ટીપ
૧ “શ્રેયાથીની સાધના” (નવી આવૃત્તિ), પૃ. ૨૫. ૨ એજન, પૃ. ૧૬૯. ૩ એજન, પૃ. પૃ. ૧૪૧-૧૫૩. ૪ “હરિજન', ૧૪મી ઓગસ્ટ ૧૯૪૨. ૫ શ્રેયાથીની સાધના” (પ્રસ્તાવના, પૃ. ૧૨). ૬ “કેળવણીના પાયા', પૃ. ૧૬. ૭ “ઈશુ ખ્રિસ્તની પ્રસ્તાવના, પૃ. ૫-૭, ૮ “રામ અને કૃષ્ણ (બીજી આવૃત્તિ), પૃ. ૧૨, ૯ “સહજાનંદ સ્વામી (બીજી આવૃત્તિ), પ્રસ્તાવના, પૃ. ૧૨, ૧૦ કેળવણીના પાયા” (ત્રીજી આવૃત્તિ), પ્રસ્તાવના, પૃ. ૨૦. ૧૧ જુએ “
ચિષ', ૫. ૧૪૫. ૧૨ “કેળવણીના પાયા', પૃ. ૪૩. ૧૩ “જીવનશોધન' (ભૂમિકા), પૃ. ૧૦. ૧૪ એજન, પ્રસ્તાવના, પૃ. ૩. ૧૫ એજન, પ્રસ્તાવના, પૃ. ૫. ૧૬ એજન, પૃ. ૧૯. ૧૭ એજન, પૃ. ૨૩૪. ૧૮ એજન, પૃ. ૨૪૯. ૧૯ એજન, પૃ. ૨૫૫-૨૫૬. ૨૦ એજન, પૃ. ૧૨૪. ૨૧ “ગીતામંથન” (પહેલી આવૃત્તિ), પ્રસ્તાવના, પૃ. ૭, રર “સ્ત્રી-પુરુષ-મર્યાદા', પ્રસ્તાવના, પૃ. ૬-૭. ૨૩ એજન, પૃ. ૩૧. ૨૪ સમૂળી ક્રાતિ', પૃ. ૩. ૨૫ એજન, પૃ. ૫૬. ૨૬ એજન, પૃ. ૭૨. ૨૭ એજન, પૃ. ૯૮-૯૯. ૨૮ એજન, પૃ. ૧૦૩. ૨૯ એજન, ખુલાસો, પૃ. ૪. ૩૦ શ્રેયાથીની સાધના પૃ. ૧૯૮. ૩૧ “શ્રી કિશોરલાલ મશરૂવાળા – એક અધ્યયન” (તકી બલસારી), પૃ. ૧૮-૨૭. ૩૨ “ગીતાધવનિ' (ત્રીજી આવૃત્તિ), પ્રસ્તાવના, પૃ. ૩. ૩૩ “સત્યમય જીવન’, પ્રસ્તાવના, પૃ. ૯. ૩૪ વિદાય વેળાએ'નું ઉપકથન, પૃ. ૩. ૩૫ “તિમિરમાં પ્રભા", પ્રસ્તાવના, પૃ. ૮. ૩૬ “સરસાર અને ધમ. ૩૭ “કેળવણીવિકાસ પ્ર. ૬૨. ૩૮ “અહિંસાવિવેચન', પૃ. ૨૩૪–૨૩૫. ૩૯ “સંસાર અને ધમ, પૃ. ૨૩. ૪૦ સમૂળી કાતિ અને બીજા લેખે, (પ્રસ્તાવના), પૃ. ૨૭–૨૮. ૪૧ “શ્રેયાથીની સાધના', પ્ર. ૪૧. ૪ર “જીવનશોધન', ૫, ૩૩. ૪૩ “જીવનશોધન, પ્રસ્તાવના, પૃ. ૬.
Page #369
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯
અન્ય ગદ્યલેખકે – ૨ પંડિત સુખલાલ સંઘજી સંઘવી (૧૮૮૦-૧૯૭૮)
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી કેવળ ગુજરાતના નહિ, પણ સમસ્ત ભારતના એક મહાન સારસ્વત હતા. શીતળાના રોગને કારણે કિશોર વયમાં જ અંધ બનેલા, અર્થપૂજક ગણાતી વણિક જ્ઞાતિને એક ગ્રામજને મજબૂત મનોબળ, અદમ્ય જિજ્ઞાસા અને અસામાન્ય વ્યવહારશુદ્ધિ દ્વારા વિદ્યા અને જીવનદર્શનના ક્ષેત્રે કેવી અપૂર્વ સિદ્ધિઓ મેળવી એની રોમાંચક કથા તેઓના જીવન અને કાર્ય દ્વારા સાકાર થઈ છે.
વઢવાણ પાસે લીમલી નામે હજારેકની વસ્તીના એક નાનકડા ગામમાં સુખલાલને જન્મ તા. ૮-૨-૧૮૮૦ના રોજ થયો હતો. સત્તર વર્ષની ઉંમરે અંધત્વ આવ્યું ત્યાર પહેલાં નિશાળમાં કેટલુંક ભણતર થયેલું. એ પછી તે ગામમાં આવતા જૈન સાધુઓ પાસે સંસ્કૃત આદિને અને જૈન શાસ્ત્રોને કેટલેક અભ્યાસ કર્યો અને કાશીમાં આચાર્ય વિજયધર્મસૂરિએ સ્થાપેલી યશોવિજય પાઠશાળામાં આગળ અભ્યાસ માટે ગયા. ત્યાં નિષ્ણાત પંડિતો પાસે સાહિત્ય, વ્યાકરણ અને ન્યાય વગેરેને ઉચ્ચતર અભ્યાસ તેમણે કર્યો. કાશીમાં વિજયેન્દ્રસૂરિ, મુનિ ન્યાયવિજયજી, મુનિ જયંતવિજયજી, હરગોવિંદદાસ શેઠ (પ્રાકૃત-હિન્દી શબ્દકેશ પારૂ-ટૂ-માળવાના કર્તા), બેચરદાસ દેશી વગેરે ભવિષ્યના વિશિષ્ટ વિદ્વાને તેમના સહાધ્યાયીઓ હતા. કાશીના અભ્યાસ પછી નવ્ય ન્યાયના અધ્યયન માટે મૈથિલ પંડિતે પાસે દરભંગા ગયા. એ પછી ગુજરાતમાં અને અન્યત્ર જૈન સાધુઓને ભણાવવા માંડ્યા અને ત્યારે વડેદરા ખાતે મુનિ જિનવિજયજી એક તેિજસ્વી શિષ્ય તરીકે એમના સંપર્કમાં આવ્યા અને પછી તેમના નિકટતમ સુહૃદ થયા. મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા ગૂજરાત વિદ્યાપીઠ-અંતર્ગત ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે જિનવિજયજી નિયુક્ત થયા ત્યારે તેમની સાથે સુખલાલજી અને બેચરદાસ દેશી પણ પુરાતત્વ મંદિરમાં અધ્યાપકે તરીકે આવ્યા. ત્યાં સુખલાલજીએ અંગ્રેજીને પણ અભ્યાસ કર્યો અને ચાલુ રાખે. મુનિ જિનવિજયજી જર્મનીથી પાછા આવી રવીન્દ્રનાથ ઠાકુરના શાન્તિનિક્તનમાં સિંધી જૈન શાસ્ત્રપીઠમાં જોડાયા ત્યારે, ૧૯૩૧માં સુખલાલજી તેમની સાથે કેટલોક સમય ત્યાં રહ્યા અને ૧૯૩૩માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાઈ
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯]. અન્ય ગદ્યલેખકે-૨
[૩૬૧ ૧૯૪૪માં ત્યાંથી નિવૃત્ત થયા; એ પછી ગુજરાત વિદ્યાસભાના ભો. જે. વિદ્યાભવનને કેટલાંક વર્ષ માનહ સેવા આપી. ત્યાર બાદ પણ તેમની વિદ્યાસેવા આજીવન ચાલુ રહી.
સુખલાલજીના વિદ્યાતપનું અમર સુફળ એટલે સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિત ઉપરની “વાદમહાર્ણવ' એ અભયદેવસૂરિકૃત ટીકાનું, બેચરદાસના સહકારમાં, કરેલું સંપાદન. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠમાં એ કાર્ય આરંભ થયો. એ ગ્રન્થ પાંચ ભાગમાં અનેક પરિશિષ્ટો સાથે છપાયો છે અને છઠ્ઠા ભાગમાં .. વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના, મૂળને અનુવાદ અને ભાવાર્થ છે. આ છઠ્ઠો ભાગ ૧૯૩૨માં પ્રગટ થયો અને તેના હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ થયા છે.
સુખલાલજીની પરિનિષ્ઠિત વિદ્વત્તા માટે એમને વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક ભાવનગરની યશવિજય જૈન ગ્રન્થમાળા તરફથી એનાયત થયે (૧૯૪૭); અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના (૧૯૫૧) તથા તત્ત્વજ્ઞાન વિભાગને પ્રમુખ (૧૯૬૧) તરીકે તેમની વરણી થઈ; વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી હિંદી ભાષાની, પિતાનાં લખાણો દ્વારા, વિશિષ્ટ સેવા કરવા માટે તેમને પુરસ્કાર અપાયે (૧૯૫૬); ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૭), સરદાર પટેલ યુનિવર્સિટી (૧૯૬૭) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (૧૯૭૩)એ તેમને ડી. લિ.ની માનાર્હ પદવી આપી, ભારત સરકારે વિશિષ્ટ સંસ્કૃત પંડિત તરીકે તેમને પુરસ્કૃત કરી (૧૯૬૧) માનાઈ વેતન બાંધી આપ્યું. તથા “પદ્મભૂષણ પદ આપી સત્કાર કર્યો. પંડિતજીને પંચોતેર વર્ષ પૂરું થતાં એમના મિત્રો અને પ્રશંસકેએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પ્રમુખપદે અખિલ ભારતીય ધરણે રચાયેલી સમિતિ દ્વારા એમનું મુંબઈમાં સન્માન કરી, એમને સિત્તેર હજારની થેલી અર્પણ કરી (૧૯૫૭). તે રકમનું તેમણે જ્ઞાનોદય ટ્રસ્ટ કર્યું, જેને ઉદેશ ભારતીય તત્વજ્ઞાનના પ્રસારને છે. એ સન્માનપ્રસંગે પંડિતજીના પૂર્વ પ્રકાશિત લેખેના ત્રણ ગ્રન્થ (બે ગુજરાતી અને એક હિન્દી) “દર્શન અને ચિન્તને નામથી પ્રગટ થયા હતા. એ પૈકી, ગુજરાતી ગ્રન્થને દિલ્હીની સાહિત્ય અકાદમીને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હતા (૧૯૫૯). નવનાલંદા વિહાર એ બિહારની સંશોધન સંસ્થાએ એમને વિદ્યાવારિધિ'ની ઉપાધિ આપી હતી (૧૯૭૫).
સુખલાલજીએ વડોદરા યુનિવર્સિટીની સયાજીરાવ નરેરિયમ લેફ્ટર સિરીઝમાં ભારતીય તત્વજ્ઞાનના ત્રણ પ્રમેય – જીવ, જગત અને ઈશ્વરને આવરી લેતાં ભારતીય તત્વવિદ્યા” વિશેનાં ગુજરાતી વ્યાખ્યાને આપ્યાં હતાં (૧૯૫૭); એને હિન્દી અનુવાદ થયે છે (૧૯૬૦) અને Indian Philosophy એ શીર્ષક
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૬૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2. ૪
નીચે અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયા છે (૧૯૭૭). આત્માપરમાત્મા અને સાધનાના વિષય ઉપર ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના નિમ`ત્રણથી આપેલાં વ્યાખ્યાને અધ્યાત્મ વિચારણા' એ નામે ગુજરાતી તેમ જ હિન્દીમાં બહાર પડયાં છે (૧૯૫૬), મુ`બઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આપેલાં, ‘સમદશી આચાર્ય હરિભદ્ર' વિશેનાં પાંચ વ્યાખ્યાતા ગુજરાતીમાં પ્રગટ (૧૯૬ ૧) થયા પછી એનું હિન્દી ભાષાન્તર પણ થયુ છે (૧૯૬૬),
જૈન ધર્મ-દર્શનના પ્રમાણભૂત પાઠથગ્રંથ લેખાતા, ઉમાસ્વાતિકૃત ‘તત્ત્વાર્થસૂત્ર'નુ` પડિતજીનું વિવેચન ગૂજરાત વિદ્યાપીઠના એમના સેવાકાળ દરમિયાન લખાંયું તે ૧૯૩૦માં છપાયું. તે ગ્રંથ એટલે લેાકપ્રિય થયા કે તેની ચાર ગુજરાતી આવૃત્તિ, (૧૯૩૦, ૧૯૪૦, ૧૯૪૯, ૧૯૭૦), ત્રણ હિન્દી આવૃત્તિ અને એક અંગ્રેજી આવૃત્તિ થઈ છે. સામાન્ય વાચક તેમ જ વિદ્વાન બંનેને ઉપયાગી થાય એવી શૈલીએ એમણે મૂળ ગ્ર ંથનું વિવેચન કર્યુ. છે, ગ્રંથકારના તેમ જ ગ્રંથ ઉપર લખાયેલી અનેક ટીકાઓને પરિચય આપ્યા છે તથા શ્વેતાંબર અને દિગંબર એ બંને આમ્નાયાને સમાનપણે માન્ય ગ્રંથના ઉપાદાનમાં જૈનેતર ગ્રંથાના વે વિનિયોગ થયા છે તે ઉદાહરણા આપી, તુલના સહ, બતાવ્યુ` છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપરનું પડિતજીનું આ વિવેચન એક પ્રશિષ્ટ કૃતિની ક્રાટિમાં સ્થાપિત થયું છે.
આ સિવાય પણ ગ્રંથસંપાદન અને સ ંશાધનાત્મક પરિશીલન-લેખનમાં પંડિતનું પ્રદાન જેટલું વિપુલ છે એટલું જ મૂલ્યવાન છે. એમાંથી મહત્ત્વની કૃતિઓના નિર્દેશ અહીં પ્રસ્તુત થશે; દેવેન્દ્રકૃત પ્રાકૃત ‘કર્મગ્રંથ’, ભાગ ૧-૪ના હિન્દી અનુવાદ (૧૯૧૭–૨૦); પાત જલ યોગસૂત્ર ઉપર ઉપાધ્યાય યશેાવિજયકૃત વૃત્તિ અને હરિભદ્રસૂરિષ્કૃત પ્રાકૃત ‘યોગવિ’શિકા' સહ ‘યેાગદર્શન' (૧૯૨૨); સિદ્ધસેન દિવાકરકૃત ‘ન્યાયાવતાર'ના ગુજરાતી અનુવાદ (૧૯૨૭); આચાર્ય હેમચન્દ્રકૃત ‘પ્રમાણમીમાંસા’નું સંપાદન — વિસ્તૃત હિન્દી પ્રસ્તાવના (આ પ્રસ્તાવનાનેા અંગ્રેજી
gal Advanced Studies in Indian Logic and Metaphysics (Calcutta, 1961) એ નામથી પ્રગટ થયા છે.)સહ (૧૯૩૯); ઉપાધ્યાય યશેાવિજયકૃત જૈન તર્ક ભાષા' (૧૯૩૮) અને ‘જ્ઞાનબિંદુ' (૧૯૪૦); ચાર્વાક દર્શનના એકમાત્ર ઉપલબ્ધ ગ્રંથ, જયરાશિકૃત તત્ત્વાપપ્લવસિંહનું સંપાદન—રસિકલાલ છે. પરીખના સહકારમાં (૧૯૪૦); બૌદ્ધ દાર્શનિક ધ કીકૃિત હેતુબિંદુ’
– અટકૃત ટીકા અને દુવેક મિશ્રકૃત અનુટીકા સહ (૧૯૪૯); સિદ્ધસેન દિવાકર કૃત ‘વેદવાદદ્વાત્રિંશિકા’— સંપાદન અને ગુજરાતી વિવેચન (૧૯૪૬); ‘નિ થ સંપ્રદાય' (૧૯૪૭); ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ તીર્થંકરાના
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨
[૩૬૩ જીવનને લગતા મૌલિક લેખોને સંચય “ચાર તીર્થકર' (૧૯૫૯); “દર્શન અને ચિન્તનમાંથી સંકલિત કરેલા કેટલાક ઉત્તમ લેખેને સમુચ્ચય જૈન ધર્મને પ્રાણ (૧૯૬૨).
“મારું જીવનવૃત્ત’ નામે એમની આત્મકથા તાજેતરમાં (૧૯૮૦) પ્રગટ થઈ છે. (સાં.) સ્વામી આનંદ (૧૮૮૭–૧૯૭૬)
ગાંધીજીથી પ્રભાવિત થઈ તેમને અશેષભાવે આત્મસમર્પણ કરી તેમના અંતેવાસી હોવાને વિશેષાધિકાર ભોગવતી તેજસ્વી નક્ષત્રમંડલસની કેટલીક વ્યક્તિએમાંનું એક સ્વામી આનંદ હતા. ગાંધીજીને આત્મકથા લખવાને આગ્રહ કરીકરીને તેમની પાસે આત્મકથા લખાવીને જ જંપનાર સ્વામી આનંદે પિતાની આત્મકથા લખી નથી. તેમને પિતાને વિશે તેમના શબ્દોમાં જે કંઈ ઉપલબ્ધ છે તે બચપણનાં બાર વર્ષ સુધીની તેમની જીવનયાત્રાના વૃત્તાન્તરૂપે છે. તેઓ હતા તે આજીવન બ્રહ્મચારી, છતાં ઘણુંખરું કુટુંબોમાં વસવાને કારણે એમને સંસાર વિશાળ હતો.
તેમનું પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દવે હતું. તેમને જન્મ ૧૮૮૭માં સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં થયે હતા. પિતા ગામડાની શાળામાં મહેતાજી, મા નિરક્ષર, પરંતુ જ્ઞાની, સ્વમાની ને સહિષ્ણુ, વર્ષના હિંમતલાલને તેમની માસીએ દત્તક લીધો. માતાનું નામ ઉમાશંકર. મોરારજી ગોકુળદાસને ત્યાં તેમની નોકરી હતી. હિંમતલાલ માંબેત્રણ પડી ભણેલા. બાળપણમાં સ્વામી આનંદનું ગુજરાતીનું જ્ઞાન સાવ કાચું. પણ મરાઠી ઉપરની પકડ ઘણું સારી. સ્વાનુભવની વિદ્યાપીઠમાં દીક્ષિત થયેલા. સ્વામી આનંદે પછી તે હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા ઉપર પણ સારું પ્રભુત્વ મેળવેલું. મુંબઈની જિંદગી તેમણે ગિરગામ લત્તામાં વિતાવેલી.
ત્યારે સ્વામીની ઉંમર દશ વર્ષની. માધવબાગના મંદિરમાં હતા ત્યાં “ચાલ બચ્ચા તને ભગવાન દેખાડું” એમ કહીને એક સાધુ તેમને લઈ ગયો. જીવનનું ઝરણું અહીંથી જુદી દિશામાં ફંટાયું. ઘણા બધા ને પ્રકાર-પ્રકારના અનુભવો તેમને થયા. ત્રણેક વર્ષની રઝળપાટ પછી સ્વામી આનંદ આલમોડા પાસે રામકૃષ્ણ આશ્રમમાં અને ત્યાંથી માયાવતીના અદ્વૈત આશ્રમમાં રહ્યા અને આશ્રમની પ્રકાશનપ્રવૃત્તિમાં મદદરૂપ થયા. રામકૃષ્ણના અનુયાયી સાધુઓના સમાગમમાં આવતાં, સેવામય સાધુજીવનની વિભાવના પૂર્ણ પણે ચરિતાર્થ કરીને ગાંધીજીનો વિરલ સહવાસ પ્રાપ્ત થયું ત્યારે સ્વામી આનંદની ઉંમર ૨૭ વર્ષની હતી. ત્યાં સુધીમાં
Page #373
--------------------------------------------------------------------------
________________
:૩૬૪ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ તે સ્વામી ભારતભરમાં ઘૂમી વળ્યા હતા. આતંકવાદીઓના સંસર્ગમાં પણ આવેલા. લેકમાન્ય ટિળક પણ હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ચૂકેલા. ટિળકના દેહવિલય પછી સ્વામી આનંદની દૃષ્ટિ ગાંધીજી તરફ વળી. તુરત તે નહિ, પરંતુ થોડાક સમય બાદ ગાંધીજીના વ્યક્તિત્વથી તેઓ પ્રભાવિત થયા અને શ્રદ્ધા બેઠી તે દિવસથી ગાંધીજી તેમના જીવનગુરુ બન્યા. ગાંધીજીને વિરલ સહવાસ પ્રાપ્ત થતાં જીવન ઉપર સાધુત્વને રંગ વિશેષ પાકે થયો. જીવનની એક નિશ્ચિત દિશા સાંપડી અને પિતાના અંતઃસવને વિકસાવવાનો સંપૂર્ણ અવકાશ મળે. ગાંધીજીને રચનાત્મક કાર્યક્રમ તેમને આકર્ષી શક્યો. તે તેમણે અપનાવ્યો. થાણાના ગાંધી આશ્રમમાં આઠ વર્ષ સુધી રહી તેનું સંચાલન કર્યું. ગ્રામોદ્યોગ સંઘ તેમ જ ગેસેવા સંઘની પ્રવૃત્તિઓમાં પણ હદયથી જાતને ઓતપ્રોત કરી. જમનાલાલ બજાજ જોડે મંત્રી તરીકેની કામગીરી પણ વર્ષો સુધી બજાવેલી. કેંગ્રેસ કારોબારી તેમ જ કોંગ્રેસ મહાસમિતિમાં થતી મહત્વની ચર્ચાની નોંધ પણ તુરત ત્યાં ને ત્યાં લેવાની ટેવ પાડેલી. રોલેટ ઍકટ સત્યાગ્રહ (૧૯૧૯) વેળા ‘હિંદ સ્વરાજ'ની નકલ છાપવા તથા ફેલાવવાનું ગેરકાયદેસર લેખાતું કામ પણ સ્વામી આનંદે હિંમતથી કર્યું. ગાંધીજીના ‘નવજીવન’ અને “યંગ ઇન્ડિયા'ના સંપાદન-પ્રકાશનની તમામ કામગીરી તેમણે સ્વધર્મપાલનની જેમ ઉદાહરણીય ચોકસાઈ ને ચીવટથી બજાવી. ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં ભાગ લઈ તેમણે જેલવાસ પણ ભોગવ્યો.
સતસંગ, ગાંધીજીની ને રાષ્ટ્રની સેવા, સતત પ્રવાસ અને ઘણુંખર હિમાલયા (કૌસાની)માં નિવાસ, પ્રકાર-પ્રકારના ગ્રંથે વાંચી તેમાંથી જીવનનાં શાશ્વત મૂલ્યોને પિષક એટલા અંશને આત્મસાત કરે તથા પિતાની વિશિષ્ટ જીવનરીતિ ને સર્જન દ્વારા વર્તમાનને અધિકાધિક સમૃદ્ધ અને ચારિત્ર્યને વધારે ને વધારે ઉજજવળ તેમ જ શીલવંતુ કરવાનો પ્રયાસ એટલામાં જીવનનિષ્ઠ સ્વામી આનંદની જીવનલીલાને સાર આવી જાય.
સ્વામી આનંદે લખ્યું હતું તે ઘણું પરંતુ તેને ગ્રંથસ્થ કરવાની બાબતમાં તેઓ ઘણું ઉદાસીન. આખરે જિંદગીના પાંચેક વર્ષના આખરી સ્તબકમાં પિતાના લખાણને ગ્રંથસ્થ થવા દેવા તેઓ સંમત થયા ત્યારે પિતાના સર્જન સંબંધમાં તેમનું વલણ કેવું હતું ? તેઓ લખે છેઃ “સામાન્ય માણસનેય મનનું ગાણું ગાવાનું મન થાય છે. આવી નીપજ તે મારાં લખાણે. એમાં સાહિત્ય, શિક્ષણ કે એવી બીજી ભદ્ર ભૂલવણુઓને સારુ ભાગ્યે જ મેં કદી કશ અવકાશ માન્ય છે. ક્યાંયે હું લખું છું તો તે વાચકના રંજન કે સ્વાદ અર્થે નથી લખતા. અધી સદી કે વધુ કાળ જાતિ અનુભવ પછી થયેલા દર્શન કે અવલોકનને
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨.
| [૩૬૫. વ્યક્ત કરવા સ્વસંતેષ અર્થે અગર તે મારા પિતાના નેતિક કે આધ્યાત્મિક વિકાસની ગણતરીએ લખું છું. જિંદગી ઉઘાડી પડી છે. તે વાંચવા સમજાવવા. સારુ કેઈએ ગૂઢવાદ આયાત કરવાની જરૂર નથી.”
૧૯૭૬ના જાન્યુઆરીની તા. ૨૪મીએ મધરાતે સ્વામી આનંદને દેહવિલય
થયા.
મૃતિશેષ થયેલા સ્વામી આનંદનું જે કંઈ ગ્રંથસ્થ થયું છે તે સઘળું જ વિદ્યારસિક અને જ્ઞાનમાર્ગના યાત્રીને સહેજે અભિમુખ થવા પ્રેરે એવું સત્ત્વપૂર્ણ છે અને જીવનનાં શાશ્વત મૂલ્યોથી પ્રતિષ્ઠિત છે. દા.ત., એમનું “અનંતકળા' (૧૯૬૭, ૧૯૭૯) જે સ્વાનુભવો, ચિંતન અને નિરીક્ષણને અભિવ્યક્તિ અપતાં લખાણોને સંચય છે, તેમાં ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધા અને નિયતિમાં આસ્થા વ્યક્ત કરતી આધ્યાત્મિક વિચારણાથી માંડીને શારીરિક મજૂરીનું ગૌરવ કરતી સમાજહિતલક્ષી વિચારણાને આવરી લેતો ચિંતનને વિશાળ પટ વિસ્તરે છે. એમાં ધ્યાનાર્હ એવો એમની વિચારશૈલીને મહત્ત્વનો અંશ એ છે કે વિચારણના વ્યાપમાં સમાતી પ્રત્યેક બાબત વિશે તેમના મનમાં સંપૂર્ણ સ્પષ્ટતા છે.
સ્વામી આનંદની આધ્યાત્મિકતા કેવળ વાગસીમિત, પરોપદેશ પૂરતી કે ચિટ નહોતી. તે હિમાલયના પહાડી કૌવતથી રસાયેલી ધીંગી અને જીવનલક્ષી હતી. મોતને હંફાવનારા' (૧૯૬૮, ૧૯૭૯) (મૂળ લેખક વિલફિડ નેઈસ)માં એવાં સ્ત્રીપુરુષોના જીવનની કહાણી આલેખાઈ છે જેમણે કેવળ શરીરબળથી જ નહિ, પરંતુ ધર્ય, શૌર્ય, માનસિક સંતુલન, શ્રદ્ધા, પ્રાર્થના તથા હૈયા ઉકલત વગેરે આંતરિક સત્વના બળે મોતને હંફાવવામાં સફળતા મેળવી હતી. અભય, સાહસ અને પરાક્રમશીલતા તેમ જ જીવન સાથે બાથ ભીડવાનો પુરુષાર્થ આ બધા સગુણાનું સ્વામી આનંદને મન ઘણું મોટું મૂલ્ય હતું. એટલે વિલફિડ નેઈસે મોતને હંફાવનારાં માનવીઓની જે વાત લખી છે તેનું અનુસર્જન કરવાની વૃત્તિ સ્વામી આનંદ ખાળી શક્યા નહોતા.
સ્વાનુભવની સૃષ્ટિમાંથી સર્વોત્તમ અને પ્રેરણાદાયી હોય તેને જ પોતાની આગવી અને વિલક્ષણ શૈલીથી વિભૂષિત કરીને રજૂ કરવું એ સ્વામી આનંદની હંમેશની એક પ્રણાલી હતી. તેનું હૃદયંગમ દર્શન “ધરતીનું લૂણ' (૧૯૬૯, ૧૯૭૮)માં થાય છે. એમાં એમણે દુશ્મન સામે અસાધારણ વીરતાથી, દઢતાથી. અને નિર્ભયતાથી ઝૂઝતાં અને વિજયી નીવડતાં તેમજ આસપાસના સમાજને પ્રભાવિત કરતાં તથા તેમના આદરના અધિકારી નીવડતાં ખુમારીવંત માનવીઓની પરાક્રમકથાઓ આલેખી છે. સીધી હદયમાંથી ફૂટતી, ઘડાયેલી, હાથે કાંતેલી
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૬૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ખાદીના જેવી ઘટ્ટ, કંઈક ખરબચડી છતાં હૂંફાળી, ક્ષણવારમાં સર્જક સાથે ભાવકને આત્મીયતાથી સંલગ્ન કરતી, તળપદા શબ્દપ્રયોગથી અને કહેવતોના ઉપયોગથી ભાષાનું લૂણ પ્રગટ કરતી, પહાડ જેવી ધીંગી તથા પહાડના ઉદરમાંથી વહી આવતી ધસમસતી સરિતાને વેગ ધારણ કરતી સ્વામી આનંદની ભાષાનું રૂપ અહીં અત્યંત પૂર્ણપણે ખીલી ઊઠયું છે.
કેન્દ્રની સાહિત્ય અકાદમીએ સન ૧૯૬૯ના વર્ષના ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્યિક ગ્રંથ તરીકે જેને પારિતોષિક આપવાનો નિર્ણય કર્યો હતો, તે કુળકથાઓ' (૧૯૬૬, ૭૦, ૭૯)ની ભાત ઓર નિરાળી છે. પિતાના ઘાટઘડતરમાં ન્યૂનાધિક ફાળો આપનાર આ શ્રુતકથાઓ તથા સ્મૃતિકથાઓને સ્વામી આનંદ કૂતાભાવે સંભારીને પોતાની આથમણું વયે સુખાનુભવ થતો હોવાથી તે સર્વને તેમણે અક્ષરસ્થ કરી હતી. દસ્તાવેજી મહત્ત્વ ધરાવતી આ “કુળકથાઓમાં મુંબઈમાં વસીને તેના વિકાસમાં પોતાને ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં વ્યક્તિત્વનાં જે પ્રેરણાદાયી ચિત્રો આલેખાયાં છે તે સ્વામી આનંદની સ્વકીય નિરાળી શેલીને કારણે અત્યંત જીવંત બન્યાં છે.
સંતોના અનુજ'(૧૯૭૧, ૧૯૭૯)માં જેને સ્વામી આનંદે “સમતાને મેર” કહીને ઓળખાવ્યા છે, એ વામનદાદાથી માંડીને બદરીશ, ડે. માયાદાસ,
તારામજી, તથાગત સમા કિશોરલાલભાઈ, શુક્રતારકસમાં મહાદેવભાઈ, નરહરિભાઈ તથા સૌમ્યતાની સાક્ષાત મૂર્તિ સમા વૈકુંઠભાઈ મહેતા વગેરેનાં સ્વાનુભવપૂત જીવંત વ્યક્તિચિત્ર છે. - સ્વામી આનંદે એક મહત્ત્વનું કાર્ય કર્યું રાષ્ટ્રના રાજકારણ, સમાજકારણ, સંસ્કૃતિ તથા કેળવણી વગેરે ક્ષેત્રોમાં મચી ગયેલી મલિનતાને પિતાના પૂર્વગ્રહમુક્ત શુદ્ધ વિચારજળથી ધોઈ નાંખવાને પુરુષાર્થ કર્યો હતો તે. તેમનું એક પુસ્તક નવલાં દર્શન અને બીજા લેખે” (૧૯૬૮) તેમના એ પુરુષાર્થનું દ્યોતક છે. રાષ્ટ્ર જીવનના બાહ્યાન્તર્ગત અનેકવિધ પ્રવાહોનું યથાર્થદર્શન તેમને પ્રવાસમાં થતું. તેમના ચિંતનની વાટને કરતા તે દર્શનના અનુભવનું તેમણે અહીં આલેખન કર્યું છે. પ્રવાસ દરમિયાન સામાજિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સ્વામી આનંદે જે નિરીક્ષણ અને તદને મૂલ્યાંકન કરેલું એ “નવલાં દર્શન'માં સાંપડે છે.
ઈશુ ભાગવત' (૧૯૭૭) એ સ્વામી આનંદનાં જીવનનાં અંતિમ વરસોના અનુભવના પરિપાકરૂપ પુસ્તક છે. એમાં એમણે ઈશુના લીલામૃત અને કથામૃતને આસ્વાદ કરાવ્યો છે. એની એક વિશેષતા એ છે કે ઈશુના જીવનલીલામૃતને કથાસ્વરૂપે વહેતા પ્રવાહ સૌરાષ્ટ્રની તળપદી લેકબોલીનું રૂપ ધારણ કરે છે જે
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯]. અન્ય ગદ્યલેખક-૨
[૩૬૭ તેને તળપદા માધુર્ય અને લહેકાથી વિશિષ્ટ છે. સ્વામી આનંદના હૃદયમાંથી ભાવકના હૃદયમાં થતું આ સીધું, સદ્ય અને અનવરુદ્ધ સંક્રમણ જાણે પ્રત્યક્ષ કથાશ્રવણની અનુભૂતિ નીવડે છે. ઈશુની માણસાઈને દીવો કેવી અસાધારણ દ્યુતિ પ્રસારતો પ્રજવલિત હતો તેની ઝાંખી આ પુસ્તકમાં થાય છે.
“સંતને ફાળે (સ્વામી આનંદનાં લખાણોનું સંકલનઃ ૧૯૭૮)માં સ્વામી આનંદનાં પ્રગટ-અપ્રગટ જે સેળ લખાણે સંગ્રહાયાં છે તેને વિશેષ એ છે કે આ દેશની ભૂમિમાં કરુણામય સંતોને જે મબલક ફાલ ઊતર્યો છે કે, ભારતવર્ષની સાક્ષરનિરક્ષર જનતાના સંસારને સારિવક્તાથી સમૃદ્ધ કરવામાં, સંસ્કૃતિની રક્ષા અને પ્રતિષ્ઠા કરવામાં, જિંદગીની સાર્થકતા વિશેની દૃષ્ટિનું પ્રદાન કરવામાં તથા માનવતાની આતા પ્રસારવામાં જે રીતે ઉપકારક નીવડ્યો છે તેનું અહીં યથાર્થ મૂલ્યાંકન સાંપડે છે.
જૂની મૂડી' (૧૯૮૦)માં શબ્દકના કેટલાક જૂના અવાવરુ ખંડોનું દર્શન થાય છે તે રસપ્રદ છે. આમ તે એ કેશ જેવું લાગે, પરંતુ એ વ્યવસ્થિત કાશ નથી. જુનવાણી એટલે કે આથમણી ક્ષિતિજે ચડી ચૂકેલા જમાનાની સામગ્રી જેમાં શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, તથા કહેવાની સાથે જોડાયેલાં કથાનકેનો સમાવેશ થાય છે, તે અહીં કંઈક વ્યવસ્થિત રીતે ત્રણ ખંડમાં રજૂ થઈ છે. એમાં વપરાશમાંથી લુપ્ત થયેલા શબ્દ છે. જેના અર્થ પ્રચલિત અર્થથી સાવ જુદા જ હોય એવા પણ શબ્દ અહીં અપાયા છે. કેટલાક વિલક્ષણ રૂઢિપ્રયોગે છે અને કેટલીક કહેવતો અપાઈ છે જે તેની સચોટતા અને માર્મિકતાને કારણે ધ્યાનાર્હ છે.
સ્વામી આનંદનાં આ સિવાયનાં પણ કેટલાંક પુસ્તકે છે જેમ કે “માનવતાને વિરી', “સર્વોદયવિચારણ”, “ભગવાન બુદ્ધ', “ગાંધીજીનાં સંસ્મરણ”, “ઈશોપનિષદ',
લોકગીતા', “આતમનાં મૂલ”, “ઈશુનું બલિદાન' (૧૯૨૨, ૨૩, '૮૦), “નઘરોળ', (૧૯૭૫) અને “ઉત્તરાપથની યાત્રા” (૧૯૮૦). મૂળશંકર ભટ્ટ “ધરતીની આરતી (૧૯૭૭)માં પસંદ કરેલા લેખોને સંચય આપ્યો છે. (ઉ) મુનિ જિનવિજ્યજી (૧૮૮૮–૧૯૭૬):
ભારતના મહાન પુરાવિદ, સંશોધક અને પ્રાચીન સાહિત્યના ઉદ્ધારક મુનિ જિનવિજયજીને જન્મ રાજસ્થાનમાં, ભૂતપૂર્વ મેવાડ રાજ્યના રૂપાવેલી નામે જાગીરદારી ગામમાં પરમાર ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ કિશનસિંહ હતું. એમના દાદા તખ્તસિંહજી અને પિતા વૃદ્ધિસિંહજીએ ઈ. ૧૮૫૭ના સ્વાતંત્ર્યયુદ્ધમાં ભાગ લીધો હતો. અને એથી એ બંનેને એ પછી
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર', ૪
કેટલેક સમય ગુપ્તવાસમાં રહેવું પડયું હતું. એ સમયે રૂપાહેલીમાં કાઈ નિશાળ કે પાઠશાળા નહેાતી અને એથી બાલક કિશનસિંહને અગિયાર-બાર વર્ષની વય સુધી કાઈ પ્રકારને અક્ષરમેાધ પણ થયા નહેાતા. રૂપાડેલીમાં દેવીહંસજી નામે એક વિદ્વાન જૈન યુતિ રહેતા હતા, જેઓ વૈદ્યક અને જયાતિષના પણ નિષ્ણાત હતા. કિશનસિંહના પિતા વૃદ્ધિસિંહજીએ પેાતાની અંતિમ ખીમારી વખતે બાળક પુત્રની યુતિ દૈવી સજીને સાંપણી કરી અને કિશનસિ ંહૈ યતિજી પાસે જૈન તેંાત્રા, વ્યાકરણ આદિના અભ્યાસ શરૂ કર્યાં. એ પછી પિતાનું અવસાન થયું અને કેટલાક સમય બાદ યતિ દેવી...સજીના પગનું હાડકું ભાંગી જતાં ખીજા એક ધનચંદજી યુતિ તેમને શુશ્રુષા માટે પોતાને ગામ લઈ ગયા. માતાની અનુજ્ઞાથી કિશનસિંહ પણ દેવીહસજીની સાથે ગયેા. પણ ત્યાં દેવી સજીવું, ઘેાડા સમય બાદ અવસાન થતાં કિશનસિંહનું ભ્રમણુશીલ જીવન શરૂ થયુ..
ધનચંદજી યુતિ બૈરાંછેાકરાં અને ખેતીવાડીવાળા સમૃદ્ધ ગૃહસ્થ જેવા હતા ! એમને પરિવાર કિશનસિંહને સાત દિવસ ખેતરમાં કામ કરાવે, પણ પૂરું ખાવાયે ન આપે. ત્યાં જ્ઞાનપ્રાપ્તિના કે જિજ્ઞાસા સતાષાવાના તા સંભવ જ નહાતા. આથી, ૧૯૦૨માં એક ખાખી બાવા પાસે ભરવી દીક્ષા લઈ આ ખાળક કિશનભૈરવ બન્યા; બાવાએનાં દુરિતા જોઈ, ત્રાસ પામી, એમના ટોળામાંથી નાસી છૂટી, ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાન મેળવવાની ઇચ્છાથી, સ્થાનકવાસી જૈન સ’પ્રદાયની દીક્ષા એક મારવાડી સાધુ પાસે લીધી. ત્યાં પણ જ્ઞાનપિપાસા તૃપ્ત ન થતાં, ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા લીધી અને દીક્ષાથી ના પેાતાના શબ્દામાં કહીએ તા, “આ શરીર તે દિવસથી મુનિ જિનવિજય નામે ઓળખાવા લાગ્યું.” જુદાજુદા સાધુએ સાથે કેટલાક સમય રહ્યા પછી તે પ્રવર્તક કાન્તિવિજયજીના સહવાસમાં આવી તેમના અ ંતેવાસી બન્યા. કાન્તિવિજયજી વિદ્યાનુરાગી, શાંતમૂર્તિ અને વિદ્વાનેાને ઉત્તેજન આપનાર હતા. એમની પાસે જિનવિજયજીને અભ્યાસ કરવાની ઘણી સગવડ મળી, વિદ્વાનેાનેા સહવાસ પ્રાપ્ત થયા અને અતિહાસિક દૃષ્ટિને પોષે એવાં પર્યાપ્ત સાધના મળ્યાં તથા પાટણમાં અને અન્યત્ર પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારા જોવા તપાસવાની સરળતા મળી, કાન્તિવિજયજી દ્વારા પંડિત સુખલાલજી જિનવિજયજીના અધ્યાપક અન્યા. કાન્તિવિજયજીના વિદ્વાન અને સ ંશાધનપ્રિય શિષ્ય મુનિ ચતુરવિજયજીના જિનવિજયજી પ્રીતિભાજન હતા અને ચતુવિજયજીના શિષ્ય અને પછીશ્રી ‘આગમપ્રભાકર' તરીકે વિખ્યાત થનાર મુનિ પુણ્યવિજયજીના તે પરમ સુહૃદ બન્યા. કાન્તિવિજયજી પાસે વડાદરાના નિવાસ દરમિયાન તે ત્યાંની સેન્ટ્રલ લાઈબ્રેરીના સંસ્કૃત લાઈબ્રેરિયન અને જગવિખ્યાત ગાયકવાડ્ઝ એરિયેન્ટલ
Page #378
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯ ]
અન્ય ગદ્યલેખકા-૨
[૩૬
સિરીઝના પ્રધાન સપાદક ચિમનલાલ દલાલના ગાઢ સંપર્કમાં આવ્યા અને દલાલના આગ્રહથી એ સિરીઝ માટે સેામપ્રભાચાર્ય કૃત પ્રાકૃત ગ્રંથ કુમારપાલપ્રતિમાધ’નું તેમણે સંપાદન કર્યું. (૧૯૨૦). વડાદરામાં જિનવિજયજીએ પ્રવક કાન્તિવિજયજી ઇતિહાસમાલાને આરંભ કર્યાં. સિંધમાં મલિકવાણ નામે સ્થાનેથી જયસાગર ઉપાધ્યાયે પાટણમાં વિરાજતા, ખરતરગચ્છના આચાય જિનભદ્રસૂરિને સં. ૧૪૮૪માં પાઠવેલા વિસ્તૃત ઐતિહાસિક સંસ્કૃત પત્ર વિજ્ઞપ્તિ ત્રિવેણી' (૧૯૧૬); વિવેકધીરગણિકૃત ‘શત્રુંજયતી’દ્વારક પ્રબન્ધ' જેમાં શત્રુંજય તીના છાંદ્ધારને વૃત્તાન્ત છે (૧૯૧૭); ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ', ભાગ ૧ (૧૯૧૭) અને ભાગ ૨ (૧૯૨૧); હીરવિજયસૂરિના વિદ્વાન શિષ્ય શાન્તિયન્દ્ર ઉપાધ્યાયે રચેલું. અકબર પાદશાહનું પ્રશસ્તિકાવ્ય ‘કૃપારસકેશ’ (૧૯૨૦); ગુર્જરેશ્વર સિદ્ધરાજના પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલે રચેલું પૌરાણિક નાટક દ્રૌપદી સ્વયંવર', જે એ સમયે પાટણમાં ભજવાયું પણ હેતુ' (૧૯૨૦); ભાષાસાહિત્ય અને ઇતિહાસ ખ'ને દૃષ્ટિએ અગત્યનાં કાવ્યાના સમુચ્ચય જૈન અતિહાસિક ગુજર કાવ્યસંચય’ (૧૯૨૬)–વગેરે એ ગ્રંથમાળાનાં પ્રકાશના છે.
વડાદરાથી પાદવિહાર કરી જિનવિજયજી ભરૂચ, સુરત અને મુંબઈ થઈ ૧૯૧૮માં પૂના પહેાંચ્યા અને ત્યાં જાણીતી સંશાધનસંસ્થા ભાંડારકર એરિયેન્ટલ રિચર્સ ઇન્સ્ટિટયૂટનાં આયોજન સુવ્યવસ્થામાં કીમતી પ્રદાન કર્યું તથા જૈન સંધ પાસે એ સ ંસ્થાને આર્થિક સહાય અપાવી. ૧૯૧૯માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદનું પહેલું અધિવેશન પૂનામાં મળ્યું ત્યારે મુનિજીએ પરિષદ સમક્ષ દૃમિદ્રાવાયય સમયનિર્ણયઃ નામે સ ંસ્કૃત નિબંધ રજૂ કર્યો, જે અલગ પુસ્તિકારૂપે પણ પ્રગટ થયા છે તથા એનું હિન્દી ભાષાન્તર પણ થયું છે. મુનિજીએ એમાં અકાટચ પ્રમાણેાથી હરિભદ્રસૂરિનેા સમય ઈ. ૭૦૧થી ૭૭૧ સુધીના નિશ્ચિત કર્યો છે, જે સમાન્ય થયા છે. પૂનામાં જ મુનિજીએ જૈન સાહિત્ય સંશાધક સમિતિની સ્થાપના કરી, જેના તરફથી એમના તંત્રીપદ નીચે ‘જૈન સાહિત્ય સ`શાધક' નામે ઉચ્ચ ક્રાટિનું હિન્દી-ગુજરાતી ત્રૈમાસિક ૧૯૨૧માં શરૂ થયુ હતું, જે કેટલાંક વર્ષી ચાલુ રહ્યું હતું. એ સમિતિ તરફથી તેમણે સ'પાદિત કરેલા કેટલાક ગ્રંથા પણ પ્રગટ થયા છે.
જૈન સાધુચર્યાંનાં રૂઢિગત બન્ધના મુનિજીને ખટકતાં હતાં. મહાત્મા ગાંધીજીએ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે તેમની નિયુક્તિ કરતાં પૂનાથી રેલ ગાડીમાં ખેસી તેઓ અમદાવાદ આવ્યા. પશુ યશવંત શુકલ લખે છે તેમ,
ગુ. સા. ૨૪
Page #379
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ “તેઓએ સાધુ વેશ ત્યાખ્યો અને સાધુજીવન સ્વીકાર્યું હતું.” પુરાતત્વ મંદિર ગ્રંથાવલીમાં “પ્રાકૃત કથાસંગ્રહ' (૧૯૨૨) અને “પાલિ પાઠાવલિ' (૧૯૨૨) જેવી છાત્રોપયોગી સંકલનાઓ ઉપરાંત “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ' જેવું, જૂના ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારે રજૂ કરતું પ્રમાણભૂત સંપાદન મુનિજીએ આપ્યું (૧૯૩૦).
ભારતીય વિદ્યાના વિષયમાં જર્મનીમાં થતું કામ જોવા અને જર્મન વિદ્વાનોના સંપર્ક માટે ૧૯૨૮માં વિદ્યાપીઠમાંથી બે વર્ષની રજા લઈને મુનિજી જર્મની ગયા. ત્યાંથી પાછા આવી ૧૯૩૦માં સત્યાગ્રહની લડતમાં જોડાઈ જેલયાત્રા કરી. ૧૯૩૨માં કલકત્તાના વિદ્યાપ્રેમી રઈસ બહાદુર સિંહજી સિંઘીની સહાયથી સિંધી જૈન ગ્રન્થમાળાને આરંભ શાંતિનિકેતનમાં કર્યો અને પાછળથી એ ગ્રન્થમાળા મુંબઈને ભારતીય વિદ્યાભવનને સેંપી અને ત્યાં હિંદી-ગુજરાતી સંશોધન-સામયિક “ભારતીય વિદ્યા'નું સંપાદન પણ કર્યું,
અમદાવાદની ગુજરાત સાહિત્યસભાએ મુનિજીને માનાઈ સભ્ય તરીકે નિયુક્ત કર્યા અને માનહ સભ્યો માટેની વ્યાખ્યાનમાળાનું પહેલું વ્યાખ્યાન પ્રાચીન ગુજરાતના ઈતિહાસ માટેની સાધનસામગ્રી” એ વિષય ઉપર તેમણે આપ્યું, જે એ વિષયનું પ્રમાણભૂત નિરૂપણ હોઈ અલગ પુસ્તિકારૂપે પ્રગટ થયું છે (૧૯૩૩). એ જ વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં મુનિજીએ ગુજરાતના ઈતિહાસ વિશે વ્યાખ્યાને આપ્યાં; અમદાવાદમાં મળેલા બારમાં ગુજરાતી સાહિત્યસંમેલનના ઈતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ (૧૯૩૬) અને ગુજરાતની ઈતિહાસ-સંશોધન પ્રવૃત્તિનું સિંહાવલોકન' એ વિશે મનનીય વ્યાખ્યાન તેમણે આપ્યું; વડોદરા રાજ્યના નિમંત્રણથી ગુજરાતી ગ્રંથકાર સંમેલનમાં વડોદરા ખાતે ગુજરાતનો જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપ્યું જે સભર માહિતી અને ઉદાર શેલીગુણથી મંડિત છે (૧૯૩૮). ૧૯૪૨-૪૩માં પાંચ માસ સુધી તેમણે જેસલમેરના હસ્તલિખિત ગ્રંથભંડારોનું નિરીક્ષણ કર્યું. ૧૯૪પમાં અમદાવાદમાં ગુજરાત સાહિત્યસભાએ બોલાવેલા ઈતિહાસ સંમેલનના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. ૧૯૪૯માં મુંબઈમાં પ્રાચ્ય વિદ્યા પરિષદના પંદરમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગનું પ્રમુખપદ તેમણે શોભાવ્યું. એ જ વર્ષમાં એમને વિજયધર્મસૂરિ જના સાહિત્ય સુવર્ણચંદ્રક અર્પણ થયો. રાજસ્થાન સરકારે ૧૯૫૦માં સ્થાપેલા રાજસ્થાન પ્રાગ્ય વિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્હ નિયામક તરીકે તેઓ નિયુક્ત થયા અને એ સંસ્થાનું સત્તર વર્ષ સુધી સંચાલન કરી ઘણા ગ્રંથો પ્રકાશિત કર્યા. ૧૯પરમાં
Page #380
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખક-૨
[૩૭૧ જર્મન એરિયેન્ટલ સોસાયટીએ મુનિજીને પિતાને માનાઈ સભ્ય બનાવીને તેમના જીવનકાર્યનું આંતરરાષ્ટ્રીય સન્માન કર્યું. ૧૯૬૩માં ભારત સરકારે એમને પદ્મશ્રી'ની ઉપાધિ આપી. એ જ વર્ષમાં મુનિજીને ૭૫ વર્ષ પૂરાં થતાં એમના સન્માન માટે એક સમિતિ રાજસ્થાનના તે સમયના મુખ્ય પ્રધાન મોહનલાલ સુખડિયાના પ્રમુખપદે રચાઈ હતી, અને ભારતીય પુરાતત્વ' નામે અભિનન્દન ગ્રંથ તેમને અર્પણ કરવામાં આવ્યા હતા.
મુનિ જિનવિજયજી એક પરમ વિશિષ્ટ વિદ્વાન હોવા ઉપરાંત સંસ્થાઓના કુશળ અને કાર્યક્ષમ આયોજક અને સંયોજક હતા. એમના તસ્વાવધાનમાં તથા એમણે બીજા સુગ્ય વિદ્વાનેને સેપેલી સામગ્રીથી આશરે બસો જેટલા ગ્રંથો પ્રગટ થયેલા છે. તેમના પિતાનાં સંપાદનની સંખ્યા આશરે સે જેટલી તે હશે જ; ગુજરાતી-હિન્દી-સંસ્કૃત-અંગ્રેજી લેખો અને પ્રસ્તાવના જુદાં. એ બધાંને ઉલેખ અશક્ય છે પણ એમાંથી અગાઉ જેમની નોંધ લેવાઈ છે તે સિવાયનાં, કેટલાંક મહત્વનાં પ્રકાશને નિર્દેશ અહીં પ્રસ્તુત થશેઃ ગુજરાતના ઈતિહાસને લગતા પાંચ સૌથી મહત્ત્વના પ્રબંધાત્મક ગ્રંથ–મેરૂતુંગાચાર્ય કૃત પ્રબંધચિન્તામણિ' (૧૯૩૩), જિનપ્રભસૂરિકૃત વિવિધ તીર્થકલ્પ' (૧૯૩૪), રાજશેખરસૂરિકૃત પ્રબંધકોશ' (૧૯૩૫), પુરાતન પ્રબંધસંગ્રહ' (૧૯૩૬) અને પ્રભાચન્દ્રાચાર્ય કૃત “પ્રભાવચરિત' (૧૯૪૦); અબ્દુલ રહમાણકૃત અપભ્રંશ વિરહ કાવ્ય “સંદેશરાસક – હરિવલ્લભ ભાયણના સહકારમાં (૧૯૪૫); પ્રાચીન કેસલી ભાષાનું વ્યાકરણ આલેખતું ઔક્તિક “ઉક્તિવ્યક્તિ પ્રકરણ–ડે. સુનીતિકુમાર ચેટરજીના સહકારમાં (૧૯૫૩), કૌટિલ્યના “અર્થશાસ્ત્રની ઉત્તર ભારતીય પરંપરાના કેટલાક અંશે સાચવતે ત્રુટિત ગ્રંથ “રાજસિદ્ધાન્ત' (૧૯૫૯); મારુગુર્જર ભાષાનાં બે પ્રાચીન ઔક્તિકે સાધુ સુન્દરગણિત “ઉક્તિરત્નાકર' (૧૯૫૭) અને સંગ્રામસિંહકૃત બાલશિક્ષા' (૧૯૬૮); મધ્યકાલીન ભારતની મુદ્રાઓ માટે મહત્વને ગ્રંથ “રત્નપરીક્ષા – ભંવરલાલ નાહટાના સહકારમાં (૧૯૬૧); મહામાત્ય વસ્તુપાલના મિત્ર અને ગુજરાતના રાજપુરોહિત સેમેશ્વરકૃત સુભાષિતસંગ્રહ “કર્ણામૃતપ્રભા' (૧૯૬૩); મેવાડની એક વીરગાથા વર્ણવતું કાવ્ય હેમરતનકત ગરાબાદલ ચરિત્ર' (૧૯૬૮); રણથંભેરના હમ્મીરનું ચરિત્ર વર્ણવતું નયચંદ્રસૂરિક એતિહાસિક “હમ્મીર મહાકાવ્ય' (૧૯૬૮); મુનિજીના ગુજરાતી લેખની એક પ્રતિનિધિરૂપ ચયનિકા જૈન ઇતિહાસની ઝલક' (૧૯૬૬). (સાં.)
બેચરદાસ જીવરાજ દોશી (૨-૧૧-૧૮૮૯): બેચરદાસ દોશી જૈન આગમે, પ્રાકૃત ભાષા અને જૂની ગુજરાતીના અગ્રગણ્ય વિદ્વાન અને સંશોધક
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ.
છે. કાશીમાં આચાર્ય વિજયધર્મસૂરિએ સ્થાપેલી યશેાવિજયજી જૈન પાઠશાળામાં તેઓ સુખલાલજીના સહાધ્યાયી મિત્ર હતા. મુનિ જિનવિજયજી ગુજરાત વિદ્યાપીઠ-અંતર્ગત ગુજરાત પુરાતત્ત્વ મ ંદિરના આચાર્ય નિયુક્ત થયા, એમાં તેમની સાથે પુરાતત્ત્વ મદિરમાં જોડાનાર વિદ્વાન મિત્રામાં સુખલાલજી, રસિકલાલ છે.. પરીખ અને બેચરદાસ દોશી પણ હતા. તેમનાં ‘પ્રાકૃત માર્ગાપદેશિકા’ અને ‘પ્રાકૃત વ્યાકરણ’ (૧૯૨૫) એ બે પુસ્તકા છાત્રાપયોગી હોવા ઉપરાંત એક વિષયના જાણકારાને પણ કામનાં છે. જિનાગમ કથાસંગ્રહ' (૧૯૪૦) વિદ્યાર્થીઓને ઉપયોગી સંકલન છે, ‘મહાવીરવાણી’ (૧૯૫૬) એ જૈન આગમામાંથી વીણેલી સૂક્તિઓની, ગુજરાતી ભાષાંતર સહ, ચયનિકા છે; ધનપાલકૃત પાઈઅ-લચ્છી-નામમાલા' એ અગિયારમા સૈકામાં રચાયેલા એક નાનકડા પ્રાકૃત કાશનું સંપાદન (૧૯૬૦); દેશી શબ્દસંગ્રહ' એ હેમચંદ્રાચાર્ય કૃત દેશ્ય શબ્દાશ દેશી નામમાલા'નું સંપાદન છે (૧૯૪૭), જ્યારે ‘રાયપસેણિયસુત્ત’ જૈન આગમસાહિત્યના એક અંગગ્રંથની પ્રમાણભૂત વાચના (૧૯૩૮). પાલિ ધમ્મપદ'ના ધર્માંનાં પદા' એ નામથી, મૂલ સહિત ગુજરાતી અનુવાદ ખેચરદાસે કર્યા છે (૧૯૪૬). વળી ‘હેમચંદ્રાચાર્ય' એ સાલકી યુગમાં થયેલા મહાન ભારતીય સારસ્વતનું સ ંક્ષિપ્ત જીવનચરિત છે (૧૯૩૬). ‘ભગવાન મહાવીરના દશ ઉપાસકેા' (૧૯૪૮) એ જૈન આગમા પૈકી ‘ઉપાસકદશા'ને તથા ભગવાન મહાવીરની ધ કથાઓ' (૧૯૫૦) એ ‘જ્ઞાતાધર્મ કથા'ના સરલ ગુજરાતી સારાહાર છે. મુંબઈ યુનિવર્સિટીના નિમ ત્રણથી અપાયેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાને ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ' એ નામથી ગ્રંથરૂપે પ્રગટ થયાં છે (૧૯૪૩). અત્યંત જઈફ વયે પણુ ખેચરદાસની વિદ્યાસેવા અવિરત છે. જૈન આગમાનાં અગિયાર અંગે પૈકી પાંચમા અંગ ‘ભગવતી સૂત્ર' અથવા વ્યાખ્યાપ્રાપ્તિ'ની તેમણે તૈયાર કરેલી સમીક્ષિત વાચનાના બે ખંડ પ્રગટ થયા છે (૧૯૭૪ અને ૧૯૭૮) અને ત્રીજા ખંડનું કામ ચાલુ છે. (સાં.) મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ (ઈ. ૧૮૯૨-૧૯૪૨)
મહાદેવભાઈના જન્મ ઈ. ૧૮૯૨ના જાન્યુઆરીની પહેલી તારીખે સરસ (તા. એલપાડ, જિ. સુરત) ગામે થયેા હતા. એમનું મૂળ વતન તેા દિહેણુ, પણ એમના પિતા હરિભાઈ દેસાઈ શિક્ષકની નેકરી કરતા હતા, અને તેથી તેમની ખલી એક ગામથી ખીજે ગામ થયા કરતી. એટલે મહાદેવભાઈનું શિક્ષણ જુદીજુદી શાળાઓમાં થયું. એમનાં માતાનું અવસાન એમના બચપણમાં જ થયું એટલે પિતાને માથે માતા થવાનુ ક`વ્ય પણ આવી પડયું હતું, અને તે તેમણે બરાબર કર્યું... મહાદેવભાઈનું માધ્યમિક શિક્ષણ સુરતમાં થયું. મૅટ્રિકની પરીક્ષામાં
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખક-૨
1 [૩૭૩ ઊંચા નંબરે પાસ થયા. એમને શિષ્યવૃત્તિ મળી અને મુંબઈની એલિફન્સ્ટન કોલેજમાં પ્રવેશ પણ મળે. કોલેજ-કાળ દરમ્યાન એમણે રામકૃષ્ણ, વિવેકાનંદ, બર્ક વગેરે મનીષીઓના ગ્રંથનું અધ્યયન કર્યું, પશ્ચિમની ફિલસૂફીને પરિચય મેળવ્યો, વિશ્વની સંસ્કૃતિઓ અને રાજકારણના ગ્રંથ વાંચ્યાસંસ્કૃત અને ગુજરાતીની શિષ્ટ રચનાઓ પણ વાંચી. આ વયમાં જ એમને રાષ્ટ્રીય પ્રશ્નોમાં ઊંડો રસ હતો. અમદાવાદ અને સુરતના કોંગ્રેસ અધિવેશનમાં, ૧૮ની વયે પણ, ભાગ લેવા સારુ મુંબઈથી નીકળી પડેલા ! કોલેજ-કાળ દરમ્યાન એમનું વૈચારિક ઘડતર ઠીક થયું. બી.એ. થયા પછી ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં નોકરી લીધી. તે પછી વકીલાત માટે અમદાવાદ પસંદ કર્યું. અહીં તેમને નરહરિ પરીખ સાથે પરિચય થાય છે, ને એ પરિચય મૈત્રીમાં પરિણમે છે.
આ અરસામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાં સફળતા મેળવીને અમદાવાદમાં આવ્યા, અને આશ્રમની સ્થાપના કરી. એ આશ્રમ સારુ તૈયાર કરેલી નિયમાવલિ આ મિત્ર-બેલડીને હાથમાં આવી. બંનેએ પિતાને અભિપ્રાય પત્ર દ્વારા ગાંધીજીને જણાવ્યું. તે પછીની ગાંધીજી સાથેની પહેલી જ મુલાકાતે બંને પ્રભાવિત થયા, – કહે કે અભિભૂત થઈ ગયા. એવામાં ગુજરાતી સાહિત્ય પરિષદે જેન મોલેના “એન કોમ્પ્રોમાઈઝ' નામના પુસ્તકને સુંદર અનુવાદ કરી આપનારને રૂ. ૧૦૦૦નું પારિતોષિક જાહેર કર્યું. મહાદેવભાઈ આ પારિતોષિક જીતી ગયા. મૂળ કર્તાની અનુવાદ સારુ પરવાનગી માગવા માટે મહાદેવભાઈએ તેના પત્રને એક મુસદ્દો તૈયાર કર્યો, અને તે લઈને તે ગાંધીજીને બતાવવા સારુ ગયા. એ નિમિત્તે ગાંધીજીને નિરાંતે મળવાને લોભ પણ ખરે. ગાંધીજી પ્રત્યેની તેમની ભક્તિ હવે દઢતર બનતી ચાલી, ત્યાં વળી સહકારી મંડળીની બેંકમાં ઇસ્પેકટરની નોકરી મળતાં અમદાવાદ છોડવાનો પ્રસંગ આવ્યું. થોડા વખત પછી નરહરિભાઈએ રાષ્ટ્રીય શાળામાં જોડાવાનું નક્કી થતાં તેમને અભિનંદન આપવાને એ અમદાવાદ આવ્યા. નરહરિભાઈએ તેમને એક કામ સયું : વાઈસરૉયને સત્યાગ્રહનો સિદ્ધાંત સમજાવતે એક પત્ર અંગ્રેજીમાં તૈયાર કરવામાં આવ્યું હતું તેને ગુજરાતી અનુવાદ કર. મહાદેવભાઈએ તે કર્યો. ગાંધીજીએ તે જોયે, ને મહાદેવભાઈ એમના મનમાં વસી ગયા; પણ પોતે કાંઈ બોલ્યા નહિ.
બેન્કના અંગ્રેજ અમલદાર સાથે કારણવશાત્ મહાદેવભાઈને ચડભડ થતાં એમણે ત્યાંથી રાજીનામું આપી દીધું ને ગાંધીજી પાસે જવાનું નક્કી કર્યું.. એમના પિતાની વય ઘણી થઈ ગઈ હતી. કુટુંબને મહાદેવભાઈની જ હતી.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૭૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ છતાં એમની ઈચ્છા જાણીને પિતાજીએ એમને રજા આપી, અને મહાદેવભાઈ આશ્રમમાં જોડાયા. કમેક્રમે એ ગાંધીજીના અંગત અને અભિન્ન સાથી બની ગયા. ગાંધીજીની દિનચર્યા જાળવવી, પત્રોના જવાબ લખવા, પત્રોને કમ જાળવવો, પ્રવચને વાર્તાલાપની નેધો રાખવી..વગેરે તમામ કામ મહાદેવભાઈએ ઉપાડી લીધું. એમણે ગાંધીજી સાથે ભારતનું પર્યટન કર્યું. એથી પ્રદેશ-પ્રદેશે વિવિધ ફૂટ પ્રશ્નોનો પરિચય તેમને થવા માંડ્યો. ‘યંગ ઈન્ડિયા” તેમ જ ‘નવજીવન’ સારુ નિયમિત લેખે એમણે લખવા માંડ્યા. એ દ્વારા એમની પ્રતિભા પરિચય દેશને મળવા લાગ્યું. તંત્રી પદ માટે હવે એમને નિમંત્રણ આવવા લાગ્યાં, પણ મહાદેવભાઈ તેમને અસ્વીકાર કરતા. છેવટે, ગાંધીજીના જ આગ્રહથી પંડિત મોતીલાલજીના ઈન્ડિપેન્ડન્ટ' પત્રમાં જોડાયા. નિર્ભીક પત્રકાર તરીકે એમને પરિચય સરકારને પણ થયું. સરકારે એમને કઠણ કારાવાસની સજા કરી, નિની અને લખનૌની જેલમાં એમને જવાહરલાલ, દેવદાસ ગાંધી જેવા મિત્રો મળ્યા. આ ગાળા સુધીમાં તેમણે બંગાળી તેમ જ ઉર્દૂને અભ્યાસ કરી લીધો હતો.
મહાદેવભાઈએ હવે ફરીને યંગ ઇન્ડિયાનું કામ સંભાળી લીધું. દેશમાં પરિસ્થિતિ બદલાતી જતી હતી. સરકાર મક્કમ રીતે કડક થતી જતી હતી. મહાદેવભાઈએ લોકોમાં જાગૃતિ આણવા પાછું પર્યટન પણ કરવા માંડ્યું. એમને રવીન્દ્રનાથને પરિચય થયે, બીજ પણ કેટલાક અગ્રણીઓ સાથે સંબંધ બંધાય. ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં તેઓ લંડન પણ ગયા હતા, જ્યાં એમની કાર્યદક્ષતાની કસોટી હતી. તેમાંય તે પાર ઊતર્યા. ગોળમેજી પરિણુમથી ગાંધીજી પણ કાંઈક નિરાશ થયા હતા. મહાદેવભાઈએ ત્યારે એમને સધિયારો આપ્યો. ગાંધીજીએ સેગાંવ વસવાનું નક્કી કર્યું, મહાદેવભાઈ પણ સાથે જ, ૧૯૪રની ‘હિંદ છોડો'ની લડત શરૂ થઈ. ૯મી ઑગસ્ટ, મહાસમિતિની ઐતિહાસિક બેઠક પછી, બધા નેતાઓની સાથે મહાદેવભાઈ પણ પકડાયા. આ જેલનિવાસ દરમ્યાન જ પૂનામાં આગાખાન મહેલમાં ૧૫મી ઓગસ્ટે ટૂંકી માંદગી બાદ એમણે દેહ છેડ્યો. ગાંધીજીએ, જાણે, પિતાનું જમણું અંગ ગુમાવ્યું, દેશે એક સંનિષ્ઠ, ત્યાગી, એકાગ્ર, કુશાગ્ર સેવક ગુમાવ્ય, સાહિત્યે સમર્થ ગદ્યકાર ગુમાવ્ય.
મહાદેવભાઈનાં સંખ્યાબંધ પુસ્તકે એમની લેખનશક્તિને તેમ જ એમની સર્જકશક્તિને પણ પરિચય આપે છે. એક છેડે તકધારિત અને તર્કપૂત શાસ્ત્રીય ગદ્ય, ને બીજે છેડે સર્જનલક્ષી ગદ્ય – બંનેમાં એકસરખી સિદ્ધિ. એમનાં પુસ્તકની યાદી આ રહી :
અનુવાદ: (૧) ઑલ ઈન્ડિયા કેંગ્રેસ કમિટીની પંજાબ સબકમિટીએ. નીમેલ પંચને પંજાબમાં થયેલાં રમખાણોની તપાસને હેવાલ (૧૯૨૧), (૨)
Page #384
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯ ]
અન્ય ગદ્યલેખકો-ર
[ ૩૭૫
‘પ્રાચીન સાહિત્ય’ (રવીન્દ્રનાથ ટાગેાર) (નરહરિ પરીખ સાથે ઃ ૧૯૨૨), (૩) ‘ત્રણ વાર્તાઓ' (શરદચંદ્ર : ૧૯૨૩), (૪) ‘સત્યાગ્રહની મર્યાદા' (જૉન મેલે૧૯૨૬), (૫) ‘વિરાજવહુ' (શરદચંદ્ર : ૧૯૨૪), (૬) ‘ચિત્રાંગદા’ (૧૯૧૫), ચિત્રાંગદા અને વિદાય અભિશાપ' (રવીન્દ્રનાથ ટાગાર : ન. પરીખ સાંથે, ખીજી આ. ૧૮૨૫) (૭) જવાહરલાલની આત્મકથા ‘મારી જીવનકથા' (૧૯૩૬).
રિત્રા : અંત્યજ સાધુ નદ’ (૧૯૨૫), (૨) વીર વલ્લભભાઇ’ (૧૯૨૮), (૩) ‘સંત ફ્રાંસિસ' (૧૯૩૪), (૪) ‘બે ખુદાઈ ખિદમતગાર' (૧૯૩૬),
ડાયરી: (૧) ‘મહાદેવભાઈની ડાયરી'-૧: ૧૦-૩-૩૨થી ૪-૯-૩ર (૧૯૪૮), (૨) ‘મહાદેવભાઈની ડાયરી'-૨ ઃ ૫–૮–૩૨થી ૧–૧–૩૩ (૧૯૪૯), (૩) ‘ મહાદેવભાઈની ડાયરી ’–૩ : ૨–૧–૩૩થી ૨૦-૮-૩૩ (૧૯૪૯), (૪) ‘મહાદેવભાઈની ડાયરી'-૪ : ૧૩–૧૧–૧૭થી ૧૭–૧–૧૯ (૧૯૫૦), (૫) ‘મહાદેવભાઈની ડાયરી'-૫ ઃ ૨૧-૧-૧૯થી ૧-૬-ર૧ (૧૯૫૧), (૬) ‘મહાદેવભાઈની ડાયરી’–૬ : ૧૮–૧–૨૪થી ૨૯-૧૨-૨૪ (૧૯૬૪), (૭) ‘મહાદેવભાઈની ડાયરી ’–૭: ૩૦-૧૨-૨૪થી ૩૦-૪-૨૫ (૧૯૬૫), (૮) ‘મહાદેવભાઈની ડાયરી'−૮ : ૧-૫-૨૫થી ૩૧-૧૨-૨૫ (૧૯૬૫), (૯) ‘મહાદેવભાઈની ડાયરી'-૯ : ૧–૧–૨૬થી ૨૦–૧૨–૨ ૬ (૧૯૬૮), (૧૦) ‘મહાદેવભાઈની ડાયરી'–૧૦ : ૨૧-૧૨-૨૬થી ૪-૬-૨૭ (૧૯૬૮), (૧૧) ‘મહાદેવભાઈની ડાયરી’–૧૧ : ૫-૬-૨૭થી ૨૦–૧૨–૨૭ (૧૯૬૯), (૧૨) ‘મહાદેવભાઈની ડાયરી'–૧૨ : ૨૧-૧૨-૨૭થી ૩૦-૮-૨૯ (૧૯૭૨), (૧૩) ‘મહાદેવભાઈની ડાયરી'–૧૩ : ૩૧-૮-૨૯થી ૨૫-૪-૩૦ અને ૨૪–૧–૩૦થી ૨૬-૧-૩૧ (૧૯૭૩), (૧૪) ‘મહાદેવભાઈની ડાયરી'-૧૪: ૨૭–૧–૩૧થી ૨૯–૮–૩૧ (૧૯૭૪), (૧૫) ‘મહાદેવભાઈની ડાયરી'-૧૫ (૧૯૭૬),-૧૬ (૧૯૭૯),-૧૭ (૧૯૮૦).
સ્વરાજ આંદાલન નિમિત્તેનાં પુસ્તકે : (૧) • એક ધર્મયુદ્ધ (અમદાવાદના મિલમાની લડતના ઇતિહાસ) (૧૯૨૩), (૨) ‘બારડાલી સત્યાગ્રહના ઇતિહાસ' (૧૯૨૯),
9.
પ્રવચના : (૧) ખીજી ભરૂચ જિલ્લા પરિષદમાં આપેલુ. ભાષણ (૧૯૨૩), (૨) વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકેા (બારમી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન (૧૯૬૬).
પ્રકી` : (૧) તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પા' (નરહિર પરીખ સાથે : ૧૯૩૭), (૨) ‘ખેતીની જમીન' (માર્તંડ પંડયા સાથે ઃ ૧૯૪૨).
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ગ્ર ૪
અંગ્રેજી પુસ્તકા : (1) Gandhiji in Indian Villages (1927), (2) With Gandhiji in Ceylon (1928), (3) The Story of Bardoli (1929), (4) Unworthy of Wardha (1943), (5) The Eclipse of Faith (1943), (6) A Rightous Struggle (1951), (7) Gospel of Selfless Action or The Gita according to Gandhi (1946). આ ઉપરાંત, મૌલાના અબુલ કલામ આઝાદ' (ચંદ્રશંકર શુકલ સાથે ઃ ૧૯૪૬). ગાંધીજીએ લખેલાં પુસ્તકા, આપેલાં વ્યાખ્યાના તથા પ્રકી ગુજરાતી લેખાના મહાદેવભાઈએ કરેલા અનુવાદની સખ્યા પણ માટી છે.
મહાદેવભાઈનાં પુસ્તકે કેવળ સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં જોવાય તે કરતાં વધારે તા સમસામયિક વિચારપ્રવાહ અને પ્રજાકીય ઉત્થાનનાં આંદોલનના પરિપ્રેક્ષ્યમાં જોવાય તે વધારે સ્પૃહણીય છે. આમ કહેવામાં એમની સર્જક-કલ્પ પ્રતિભાનું દેષદેખણું નથી. એમના જમાનાએ ભાષાના વિનિયેગ વિશેને જે અભિગમ સ્વીકાર્યા હતા તે અભિગમ મહાદેવભાઈમાં બળવત્તર રીતે પ્રગટ થયા પ્રતીત થાય છે. કેવળ સાહિત્યિક અનિવાર્યતાના પ્રેરાયા એમણે કલમ ઉપાડી નથી. રવીન્દ્રનાથ કે શરદબાજીની કૃતિઓના સંનિષ્ઠ અનુવાદે એમણે આપ્યા તે પણ પ્રજા સમક્ષ ઉત્તમ સાહિત્યરચનાએ મુકાય એવી કાઈ યજ્ઞભાવનાથી પ્રેરાઈને જ આપ્યા જણાય છે. વિચારને જન્મ આપવે! અને એને શબ્દશરીર આપવું અને જો આપણે સર્જનકા ગણીએ તા મહાદેવભાઈ આપણા સાહિત્યના વિરલ સર્જ કામાં ગણાય એ નિર્વિવાદ છે. અભિવ્યક્તિનાં ભિન્નભિન્ન રૂપે એમણે સિદ્ધ કર્યાં છે. અહેવાલલેખન, ઇતિહાસલેખન, પત્રલેખન, વૃત્તાન્તલેખન, ડાયરીલેખન, વ્યાખ્યાન...... આદિ વિવિધ અભિવ્યક્તિપ્રકારામાં મહાદેવભાઈની અમેાધતા વાચકને પ્રતીત થાય છે.
ઇતિહાસલેખન : અમદાવાદના મિલમજૂરોની લડતના ઇતિહાસ લખતા હાય, ખારડાલી સત્યાગ્રહને ઇતિહાસ લખતા હાય, મહાદેવભાઈના અભિગમ નિર્મળ જણાય છે. ઇતિહાસલેખનમાં અનિવાર્ય એવી અને એટલી સવેદનાને સ્વીકાર કરીને અવિચલ નિષ્ઠા વડે તથ્યાનું નિરૂપણ કેવું થઈ શકે તે એક ધર્મયુદ્ધ' અને ‘ખારડાલી સત્યાગ્રહના ઇતિહાસ' વાંચનારને તરત સમજાય તેવું છે. ગાંધીજીની પ્રાગતિકતા અને ‘માણુસ'ને જોવાસમજવાનેા જ માત્ર નહિ, એને પ્રત્યક્ષ સહાયભૂત થઈ શકે તેવા તેમના નવીન પરિપ્રેક્ષ્યનું આભિન્નત્ય આ દેશમાં જે નવું જ પ્રભાત ઉદીયમાન થતું જતું હતું તેનાં એંધાણ આપે છે. મજૂર
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯]
અન્ય ગદ્યલેખકા-૨
[ ૩૭૭
આંદોલનૈાની ઉત્ક્રાન્તિના સંદર્ભમાં અનન્ય કહી શકાય તેવી અમદાવાદના મિલમજૂરાની લડતના ઇતિહાસ મહાદેવભાઈએ વિરલ તટસ્થતાથી લખ્યા છે. એ લડતને એમણે ધર્મયુદ્ધ કહીને એની પાછળ રહેલા શિવસંકલ્પને તેમ જ પરપક્ષ માટેના પણ વ્યાપક પ્રેમને જ વ્યક્ત કર્યાં છે. તેથી આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય પ્રસ્થાપિત થાય છે. અમદાવાદના ‘મજૂર મહાજન સંધ' એ આ ધર્મયુદ્ધની નીપજ છે. આજે પણ વિશ્વ સમગ્રની મજૂર સંસ્થાઓમાં આ સંધ પાતીકી પ્રતિભા દાખવી રહ્યો છે.
મહાદેવભાઈ આખાયે લડતના સાદ્યંત સાક્ષી હતા. શ્રમિક પ્રત્યે અશિક્ષિત સહાનુભૂતિ એમને હતી, વળી પેાતે ગાંધીજીના અંતેવાસી, એટલે શ્રમિકેાના પ્રશ્નો પરત્વેના દષ્ટિકાણુ પણ અમુક જ રહે એય હકીકત, છતાં લડતનુ` તેમણે કરેલુ અયાન નિષ્પક્ષ લાગે તેવું છે. લડતની શરૂઆતનાં કારણેા, ગાંધીજીએ તેમાં શા કારણે ભાગ લીધા તે, ગાંધીજીએ શેા ભાગ ભજવ્યેા તે, આચાર્યં ધ્રુવ લવાદ તરીકે નિમાયા તે......આ બધાના કડીબદ્ધ ઇતિહાસ આલેખતાં તદન્વયે થયેલાં
મા, લખાયેલા પત્રા, પ્રસિદ્ધ કરેલી પત્રિકાઓ, પ્રસિદ્ધ થયેલા સમાચારા આદિનું પણ સુંદર સંકલન એમણે કર્યું છે. એ કારણે એનુ દસ્તાવેજી મૂલ્ય ઊપસે છે. આમ તે। કાઈ લડતનેા ઇતિહાસ લખવેા એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. ઇતિહાસલેખન એ કાંઈ કેવળ અહેવાલલેખન નથી. ઇતિહાસલેખકની અનુભૂતિજન્ય સ`વેદનાએ, ઘટનાને સમગ્રના સંદર્ભ'માં જોવાની એની કાઠાસૂઝ, ઘટનાના નિરૂપણમાં આતપ્રાત થવા છતાં તટસ્થ નજરથી સઘળું જોવું વગેરે વિરલ અને વિશિષ્ટ શક્તિ ઇતિહાસના લેખનમાં જરૂરી છે. વળી મહાદેવભાઈ જેવા ઇતિહાસલેખકમાં તા આગવી સાહિત્યિક અભિરુચિ પણ પ્રગટ થતી અને ઇતિહાસને સંવેદ્ય બનાવતી જોઈ શકાય છે. ખારડાલી સત્યાગ્રહને ઇતિહાસ' એ પણ મહાદેવભાઈનું વિશિષ્ટ પુસ્તક છે. કાઈ પણ પ્રકારના સત્યાગ્રહને વિશે એમણે લખ્યુ છે : “. મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિનું સ્મરણ કરીને ઇતિહાસના પૂર્વાધ તે ‘લેશ' તરીકે વર્ણવ્યા છે, અને ઉત્તરાર્ધને મૂળ' તરીકે વર્ણવ્યા છે, કારણ સ્ટેશઃ હેન હિંદુમન વતાં વિત્ત એ વચન સત્યાગ્રહને વિશે તા સવિશેષ સાચુ પડે છે.”
.
મહાદેવભાઈએ બારડાલી સત્યાગ્રહમાં સૈનિક તરીકે તે। ભાગ નહેાતા લીધેા, પણ અ-સૈનિક રહીને ઠીકઠીક સેવા એમણે આપી હતી. એ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથેના સહવાસનાં અને સત્યાગ્રહના દર્શનનાં કેટલાંય પુણ્ય સ્મરણાને એમણે આ ઇતિહાસમાં પરાવી લીધાં છે. મહાદેવભાઈએ જ કહ્યું છે
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ત્ર. ૪
તેમ આ ઇતિહાસ કાઈ સૈનિક કે સરદાર લખે તા કદાચ જુદી રીતે લખાયે હેાત, એટલે મહાદેવભાઈને આ ઇતિહાસલેખનમાં એક આગવેશ અભિગમ છે એ સ્પષ્ટ થાય છે. ગ્રંથના પ્રકરણનાં શી કે (જેવાં કે, ભક્ષણનીતિ, લાટું અને હથેાડા, ઊંધમાંથી જાગ્યા, રળિયામણી ઘડી...વગેરે) પણ મહાદેવભાઈના આગવા અભિગમનાં દ્યોતક બની રહે તેવાં છે. સાજૈનિક વ્યવહારમાં અહિંસાને શસ્ત્ર તરીકે ઉપયેાગમાં લાવવાના પ્રયાગ જ્યાં જ્યાં જેવા ચાલશે ત્યાં ત્યાં આ ‘બારડેાલી સત્યાગ્રહના ઇતિહાસ'નું મૂલ્ય રહેશે જ એ નિર્વિવાદ છે. લડતનું અખંડ સંવેદનાયુક્ત તે સાચું ચિત્ર ખૂબ ચોકસાઈપૂર્વક આલેખવાને આ એક સફળ
પ્રયાસ છે.
અનુવાદ : અનુવાદ-પ્રવૃત્તિ એ ગાંધીયુગના એક વિદ્યાકીય તેમ જ શૈક્ષણિક વિશેષ હતા. લેાક-સેવા માટેની એક અનિવાર્યું પ્રવૃત્તિ તરીકે એ યુગના કેટલાક સાક્ષરાએ એને અપનાવી હતી. એમ હેાવાથી એ કાળે એ પ્રવૃત્તિ થઈ તે દાયિત્વના પૂરા ગાંભીથી થઈ છે. પરિણામે, અનુવાદ કરવા માટેની અનુવાદકેાની ક્ષમતા પ્રગટ થઈ છે, અનુવાદની વિવિધ સમસ્યા પ્રત્યે અનુવાદકેાનું લક્ષ ગયું છે. મહાદેવભાઈના અનુવાદેશમાં લિલત વાડ્મયમાં જે સહજસ્ફૂર્તિ હાય છે તે તથા શાસ્ત્રમાં જે ચેાકસાઈ હાય છે તે બેયને સુંદર સમન્વય જોવા મળે છે. રવીન્દ્રનાથનુ ‘પ્રાચીન સાહિત્ય’અનૂદિત કરતા હાય, જવાહરલાલની ‘આત્મકથા'ના અનુવાદ કરતા હાય કે રમખાણાની તપાસના અહેવાલના અનુવાદ કરતા હાય,– અનુવાદની જટિલ સમસ્યાએ વિશેની મહાદેવભાઈની કાઠાસૂઝે વરતાયા વિના રહેતી નથી. અનુવાદના સ ંદર્ભમાં મહાદેવભાઇએ કહ્યું છે ...ગાય જેમ પેાતાના વાછરડાને ચાટી ચાટીને રૂપાળુ` કરે છે તેમ ભાષાંતર પણ રૂપાળું કરવાનું હેાય છે. અનુવાદ પ્રત્યેના મહાદેવભાઈને આ અભિગમ એમના અનુવાદોમાં ચરતાર્થ થતા જાય છે. બુદ્ધિથી તેમ જ હૃદયના ભાવાથી અનુવાદની માવજત મહાદેવભાઈએ કરી છે. મૂળ કૃતિ એનાં જે ગુણલક્ષણા થકી પ્રશસ્ત હેાય એ ગુણલક્ષણાને અનુવાદકે સમાદર કરવાના હેાય છે. એમ ન થાય ત્યારે અનુવાદ ઊણા અપૂરતા જ રહી જતા હેાય છે.
નરહરિભાઈની સાથે મળીને ‘પ્રાચીન સાહિત્ય’ના જે અનુવાદ એમણે કર્યો છે તેમાં રવીન્દ્રનાથની વિચારસરણી જ માત્ર નહિ, એ વિચારસરણીએ શૈલીના જે વાઘા ધારણ કર્યાં છે તે પણ સચવાયા છે. અનુવાદની ભાષા પરના સંપ્રજ્ઞાત સ્વામિત્વ વિના આમ થવુ શકય નથી હતું. રવીન્દ્રનાથનું સમગ્ર મનને પ્રસન્ન કરી દે તેવું લલિત કામલ વિવેચન મૂળ બંગાળીના જેવુ... જ ગુજરાતીમાં પણ
Page #388
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯]
અન્ય ગદ્યલેખકા-૨
[ ૩૭૯
અનુભવાય છે. રવીન્દ્રનાથના ગદ્યની પ્રાસાદિક સૌષમિકતાનેા અણુસાર અનુવાદ દ્વારા પણ પામી શકાય છે. જોકે કાકાસાહેબે આ અનુવાદની ભાષા અઘરી, સંસ્કૃતપ્રચુર અને ગૌરવાન્વિત ઢાવા વિશે ફરિયાદ કરી જ છે, અને એની સાથેસાથે ભાષા હમેશાં સાદી જ હેાય એ સિદ્ધાન્તની મર્યાદા વિશે ટંકાર પણ કરી છે. અનુવાદાથી ભાષાની નવીનવી શકયતાએ ઊઘડતી હેાય છે. રવીન્દ્રનાથ જેવા સર્જકની રચનાઓના અનુવાદથી ગુજરાતી સાહિત્યને ઠીકઠીક સંપ્રાપ્તિ થઈ જ છે, એને આનુષંગિક લાભ ગુજરાતી ભાષાને પણ મળ્યા જ છે.
મહાદેવભાઈની અનુવાદશક્તિના પરચા માલેની મૅન કૅામ્ગ્રામાઇઝ’ના અનુવાદ સત્યાગ્રહની મર્યાદા', અને પંડિત જવાહરલાલ નેહરુની આત્મકથા’ના અનુવાદોમાં થાય છે. ગુજરાતી ભાષાની પ્રકૃતિથી તદ્દન ભિન્ન પ્રકૃતિવાળી અંગ્રેજી ભાષામાં લખાયેલી આ રચનાઓની વૈચારિક સૂક્ષ્મતાએ, ભાવની નજાકતા તેમ જ અભિગમેાના અભિનિવેશાની વિવિધતાઓને ગુજરાતીમાં લઈ આવવાના પુરુષા અહીં વરતાય છે.
ચરિત્રલેખન : ગુજરાતી ભાષામાં ચરિત્રસાહિત્ય વિશે લખવું હાય. તાપણુ મહાદેવભાઈનું નામ યાદ કર્યા વિના ચાલે એવું નથી. એમણે કાઈ શકવતી` ચરિત્રા લખ્યાં નથી એ સાચું, પણ એમણે જે ચરિત્ર લખ્યાં છે તેમાં ચરિત્રસાહિત્યના નિર્માણની ભૂમિકા, અભિગમ, નિરૂપણરીતિ, સત્યને ઓળખીને લખવાને સતત જાગ્રત પ્રયત્ન આદિ વિશેની એમની વિભાવનાએ દ્વિધારહિત હાઈને સ્પષ્ટ છે. સંભવ છે કે એ બધા સાથે બધી રીતે આપણે સહ-મત ન. પણ થઈએ, પરંતુ ચરિત્રકાર મહાદેવભાઈના નિર્મળ પ્રયાસેાની પ્રતીતિ આપણને એમનાં ચરિત્રામાં થાય છે. સરદાર વલ્લભભાઈ, ખાનભાઈ જેવા એમના. સમકાલીને। જ માત્ર નહિ, એમના સાથીઓનાં ચરિત્રનિરૂપણમાં મહાદેવભાઈની સહાનુભૂતિપૂર્વકની સર્વૈકલક્ષિતા વરતાય છે. વ્યક્તિને એળખવીપરખવી અને એમ કરીને એમનાં ગુણલક્ષણાને ઉર્જાગર કરી આપવાની મહાદેવભાઈની શક્તિઓના પરિચય વાચકને થાય છે.
પત્રકારત્વ : સાહિત્યિક પત્રકારત્વ એ મહાદેવભાઈનું લક્ષ નહાતું, પણ એમની સાહિત્યિકતા એમનાં વૃત્તવિવેચનેાને અસ પ્રજ્ઞાતપણે ફાવતી રહેતી હાય છે. ગાંધીયુગે તમામ પ્રવૃત્તિઓને લોકાભિમુખ, સમાભિમુખ રાખવા તરફ અને એ પ્રવૃત્તિઓમાં લેાકાભિમુખતા કે સમાનભિમુખતાનું જે બળવત્તર તત્ત્વ રહ્યું હાય તેને તે રીતે યાજવાનું વલણ દાખવ્યું જ છે. એટલે વૃત્તપત્ર દ્વારા લેાકશિક્ષણનુ" ઉમદા કામ થઈ શકે એ વાત પર એમણે સતત લક્ષ રાખ્યુ છે. એટલે
Page #389
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ જેમ શિક્ષક તેમ પત્રકાર પણ પ્રબ્ધિઓથી પીડાતા હોય તે ન ચાલે, એની સત્યનિષ્ઠા અડોલ હોય. એની સંતુલનાક્ષમ વિવેકક્ષમ બુદ્ધિશક્તિ સતત પ્રવૃત્તિ રહે તો જ પત્રકાર એને ખરે ધર્મ બજાવી શકે છે. ગાંધીજીની પડછે એમણે કરેલું પત્રકારત્વ પણ પુણ્યશીલ રહ્યું છે. મહાદેવભાઈમાં સમર્થ પત્રકાર તે રહેલે જ હતા એની એમણે પત્રકારત્વના ક્ષેત્રે કરેલું કામ શાખ પૂરે છે. હનુમાનને જેમ રામના નામથી અનુસ્મૃત રને હોય નહિ તો તે પણ નહોતાં ખપતાં, તેમ મહાદેવભાઈને કોઈ પ્રવૃત્તિમાં ગાંધીજી હાય નહિ તે તે પ્રવૃત્તિ ખપતી નહતી. ભારતના બહુ થોડા પત્રકારોમાં જે શક્તિઓ જોવા મળે છે એવી વિરલ શક્તિઓ મહાદેવભાઈમાં પ્રકૃતિથી જ હતી, છતાં ગાંધીજીની સંનિધિ વિનાની કઈ પ્રવૃતિ કરવામાં એમને રસ નહે. ગાંધીજીને જ નિવેદિત થઈને જે કંઈ થઈ શકે તે જ કરવું એવી જીવનરીતિ એમણે સ્વીકારી હતી.
ડાયરીલેખન : વેરિયર એટિવને મહાદેવભાઈને ગાંધીજીના બોઝવેલ તરીકે ઓળખાવેલા, ચક્રવતી રાજગોપાલાચારીએ એમને “ગાંધીજીની બીજી કાયા” તરીકે ઓળખાવેલા, કિશોરલાલે એમ કહેલું કે બાપુજી જે મહાદેવભાઈના પ્રાણવાયુ હતા, તે મહાદેવભાઈ બાપુજીનું ફેફસું હતા.– ગાંધીજી જેવા વિરલ મહાપુરુષની સાથેના એમના સંબંધને આમ વર્ણવાયો હતો. ગાંધીજીથી અળગા રહીને પણું મહાદેવભાઈ પિતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવી શક્યા હોત, પરંતુ ગાંધીજીને સમપિત થઈને એમણે જે કંઈ સિદ્ધ કર્યું છે તે દ્વારા રાષ્ટ્રની અનન્ય સેવા એ કરી શક્યા છે, ને છતાં એમનું ઉજ્જવલ વ્યક્તિત્વ તે સિદ્ધ થયું જ છે. મહાદેવભાઈ વિના ગાંધીજીને વ્યક્તિત્વનાં કેટકેટલાં પાસાં અને છતાં રહ્યાં હોત !
એમના મહિમાથી મંડિત એવી કેટકેટલી ક્ષણો શબ્દોમાં પ્રતિષ્ઠિત થયા વિનાની ' જ રહી ગઈ હેત ! ગાંધીજીના જીવનને અને કર્મને મહાદેવભાઈએ જે સમીપ
તાથી, જે સૂક્ષ્મતાથી, જે સ્કૂર્ત નવતાથી, પરિપ્રેક્ષ્યોના જે વૈવિધ્યથી જોયાં છે તેવાં બીજા કોઈએ જોયાં હોય એવું જાણ્યામાં નથી.
ગાંધીજીની દિનચર્યાની, એમનાં વિચાર, વાણી, વર્તનની ઝીણી ઝીણી નોંધ મહાદેવભાઈ રાખતા. એમના સ્વભાવ સાથે સહજ જ સંપૂત એવાં વિવેક અને વિનમ્રતા, કુશાગ્ર બુદ્ધિ અને ધર્મલક્ષિતા વગેરેને કારણે એમનું લખાણ સુષમ સુઘડ બનતું, શ્રદ્ધેય તો ખરું જ ખરું. અનેક પ્રકારનાં મનુષ્ય સાથેની ગાંધીજીની મુલાકાતો, વાર્તાલાપો આદિ મહાદેવભાઈએ જે નોંધ્યાં છે તે બતાવે છે કે મહાદેવભાઈની ગ્રહણશક્તિ, યાદશક્તિ, ધારણાશક્તિ કેટલી તે અનુત્તમ હતી. ૧૯૪રમાં પત્રકાર પરિષદમાં ગાંધીજીએ કરેલી વાતને પોતે કરેલા ટાંચણ પરથી જે નોંધ એમણે તૈયાર કરી હતી તે જોઈને લઘુલિપિના નિષ્ણાત અમેરિકન
Page #390
--------------------------------------------------------------------------
________________
પ્ર, હું ]
અન્ય ગદ્યલેખકા-૨
[ ૩૮૧
પત્રકાર પણ ખેાલી ઊઠેલા, મિ. દેસાઈ, આપે ા અમને ખૂબ પાછળ રાખી દીધા. આપ ગજબ કરે છે!! એમના અવસાન બાદ દેવદાસ ગાંધીએ એમને અંજિલ આપતાં કહેલું કે બાપુના આવડા મેાટા કામને મહાદેવભાઈ જ પહેાંચી શકે. અર્ધો ડઝન મંત્રીએથી પણુ આ કામને પહેાંચી વળવુ કઠણ છે. જેવી એમની બૌદ્ધિકતા તીક્ષ્ણ હતી તેવી જ એમની કુશળતા પણ તેજ હતી. તેએ સારા વાચક અને લેખક હતા. આ બધાં કારણે એમનું ડાયરી-લેખન ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ ની રહ્યું, અને એમાંના વસ્તુ માટે, સામગ્રી માટે તે એ વિરલ જ છે. પેાતે એમાં સામેાળ હેાવા છતાં અનાસક્ત, ગાંધીજીના મૃત્ ચરિત્ર માટેની વિપુલ સારગર્ભ અને સસત્ત્વ સામગ્રી ભેગી કરવા છતાં નિરીહ, પ્રવાહમધ્ય હેાવા છતાં તટસ્થ, સમગ્ર સ`વેદનાતંત્રથી વસ્તુને ગ્રહ્યા છતાં સ્વસ્થ એવા મહાદેવભાઈએ ડાયરી-લેખનનું જે મહત્ત્વનું કાર્ય કર્યું છે તેને સારુ આ વિશ્વના મનુષ્ય યુગાન્તરા સુધી એમના આશિંગણ રહેવાના શબ્દ સૌને સારુ, આમ તા, છલનામય જ રહેતા હેાય છે. પણ એ મહાદેવભાઈની છલના કરી શકો નથી. એક વાર ગેાખલે વિશે લખતાં ગાંધીજીએ આમ લખ્યું : (6 આ જમાનામાં રાજદ્વારી સંન્યાસી જ સંન્યાસને દીપાવી શકવાના છે, ખીન્ન ભગવું લજવનારા જ હશે.” આના વિશે મહાદેવભાઈએ ગાંધીજી સાથે લાંખી ચર્ચા કરી, અને કથનના ઉત્તરાર્ધમાં ‘પ્રાયઃ' શબ્દ ઉમેરાવ્યા. શબ્દાની વરણી અને વિનિયેાગમાં મહાદેવભાઈ ખૂબ જ ચાસ રહેતા. ગાંધીજીના ચિત્તમાં ધારણ થયેલા વિચાર એ કળી જઈને ગાંધીજી લખાવતા ત્યારે તેમને પડતા ખેાલ ઝીલી લેતા એટલું-જ નહિ, પણ ખેાલને પડતાં પહેલાં પામી લઈને પણ તે લખતા. ડાયરીએ વિશે લખતાં નરહરિભાઈ લખે છે :
મહાદેવભાઈની ડાયરીએ ગાંધીજીના જીવનચરિત્ર માટેને કાચે પણ અતિશય મહત્ત્વના મસાલા છે. પણ કાચા મસાલા ઉપરાંત માનવત્તતિને પ્રેરણા આપનારા અને મનુષ્યજીવનને ઘડનારા બહુ ઉપયોગી ચિરંજીવ સાહિત્ય તરીકે આ ડાયરીઓનું સ્વતંત્ર મહત્ત્વ પણ છે. ગાંધીજીની જીવનકળા ઉપરાંત, મહાદેવભાઈના સ્વભાવ, તેમની કન્યનિષ્ઠા, તેમનું લક્તિભાવથી તરખેાળ હૃદય, અનેક વિષયામાં એમને રસ એ બધુ આ ડાચરીઓમાં પ્રગટ થાય છે. ગુજરાતી ભાષામાં આ જાતનું સાહિત્ય હું ધારું છું. આ પહેલું જ છે. અંગ્રેજી ભાષામાં તથા યુરોપની ખીજી ભાષાઓમાં આવું ડાયરીસાહિત્ય ઘણું છે.”
જોકે ગુજરાતીમાં નરસિંહરાવની ‘રાજનીશી' એ ડાયરીના પ્રકાર છે ખરા. પરંતુ મહાદેવભાઈની ડાયરીઓમાંની સામગ્રીના વ્યાપ, એને વૈશ્વિક સંદર્ભ, પહેલી પહેલી વર્ષાના પ્રસન્નકર પ્રસેકના અનુભવ કરાવવાની એની ક્ષમતા, એની
Page #391
--------------------------------------------------------------------------
________________
-૩૮૨ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ રજૂઆતની પ્રાંજલતા, જીવનના ઉદાત્ત તત્ત્વને એ પ્રસવ એની અપૂર્વતા સિદ્ધ કરે છે. સમગ્ર વિશ્વસાહિત્યમાંના ડાયરી સ્વરૂપની વાત કરીએ ત્યારે પણ મહાદેવભાઈની ડાયરીઓના આ મહવને પુરસ્કાર્યા વિના ચાલે એવું નથી.
નવલકથા, ચરિત્ર, વાર્તા આદિને જેમ નર્યા સાહિત્યપ્રકાર લેખે સ્વીકૃતિ આપી શકાય, તેવી જ સ્વીકૃતિ ડાયરીને આપવી એ જણાય છે એટલું સરળ નથી. હા, ગદ્યને એક નૂતન આવિષ્કાર એમાં શક્ય છે, – જે સમર્થ ગદ્યલેખકે તે લખી હેય. આ સ્વરૂપની નમનીયતા અચિંત્ય છે. ક્યારેક કથન, ક્યારેક વર્ણન, ક્યારેક ચિંતન ક્યારેક યાદ, ક્યારેક વિવાદ તો વળી ક્યારેક સંવાદ, ક્યારેક અંતર્મુખ થતાં વ્યક્ત થવાય, બહિર્મુખ થતાં વ્યક્ત થવાય...એક રીતે જોઈએ તો ચાક પરને તૈયાર પિંડ એને કહી શકાય, કેડિયું ઊતરે ને કુલડીચે ઊતરે, ઘડે ઊતરે ને ગાગરેય ઊતરે : જે ઉતારનાર ! ડાયરીલેખકે આપેલાં કેટલીક વ્યક્તિ
નાં રેખાચિત્ર, નખચિત્ર ચિરંજીવ છે. ડાયરીલેખકની ભાવિતાત્મકતા અને ઘાટ આપે છે. ડાયરીલેખકની ભાવાકૃતિ જેટલી દિધારહિત તેટલી ડાયરી સરળ અને પ્રાસાદિક રહેવાની.
ડાયરીલેખનને કેટલાક સ્વાભાવિક અભિવ્યક્તિરૂપ ગણીને તેને સાહિત્યિક મહિમા કરે છે. મહાદેવભાઈ જેવો કોઈ ડાયરી લખે ત્યારે આ અભિવ્યક્તિરૂપ સ્વાભાવિક રહી શકે છે એની પ્રતીતિ આપણને થાય છે. વળી મહાદેવભાઈની બહુશ્રત સ્વસ્થ સર્જક પ્રતિભાને પણ આ ડાયરીઓને લાભ મળે છે. તેથી આ 'ડાયરીઓમાં સાહિત્યિક મૂલ્યને સ્વીકાર-પુરસ્કાર કરી શકાય છે. કાકાસાહેબે આ ડાયરીઓ વિશે લખ્યું છેઃ
લોકજાગૃતિના અને ખાસ કરીને સત્યાગ્રહના વિરચિત જમાનામાં ગાંધીજીએ દેશમાં બધે યાત્રા કરી એનાં દોડતાં વર્ણન અને દેશસેવકોની પ્રવૃત્તિને લગતાં ટૂંકાં ચરિત્રચિત્રણે જે શૈલીમાં મહાદેવભાઈએ મૂક્યાં છે તે એક નવી શૈલી છે, એની અસર આજના જમાનાના અખબારી સાહિત્ય પર પણ પડેલી દેખાય છે. એ શૈલીનું જ્યારે રીતસરનું અધ્યયન થશે ત્યારે સમકાલીન જીવનનું પ્રતિબિંબ પાડતા એ નવા સાહિત્યની આપણે પૂરી કદર કરતાં શીખીશું. જીવન પ્રત્યે શુભ દૃષ્ટિએ જોવાની અને પરિસ્થિતિનો મર્મ ટૂંકમાં સમજાવવાની ખૂબી એ મહાદેવભાઈની ખાસ પ્રસાદી છે.”
આ ડાયરીઓમાં મહાદેવભાઈ પિતે ક્યાં એ પ્રશ્ન કઈ કરે છે ? મહાદેવભાઈનું અંગત કહેવાય એવું તે આ ડાયરીમાં સિંધુમાં બિંદુ જેટલું, પણ એ “અંગત'ને લોભ ન રાખીએ તે કૂલમાં રહેલી ફોરમની જેમ જ મહાદેવભાઈ આ ડાયરીઓમાં તત્સમ છે. એક ઉદાહરણ લઈએ, સાદું જ અને હાથે ચડ્યું છેઃ
Page #392
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯] અન્ય ગલેખકે-૨
[૩૮૩ ...જતન કરતાં આવડે તો એ શબ્દોમાં બાપુનું જીવન આવી જાય છે એમ કહી શકાય. “દાસ કબીર જતન કર ઓઢી, કી ત્યોં ધર દીની ચદરિયાં' એ શબ્દ બાપુને
ઈને ઘણી વાર યાદ આવી જાય છે. ૩૦-૩૫ વર્ષ થયાં શરીરની અને મનની શુદ્ધિનું જાગ્રત જતન એમણે જેવું કર્યું છે તેવું કોણે કર્યું હશે ?”
આમ જુઓ તે ગાંધીજીને જ આકારિત કરતા આ શબ્દ છે. ડાયરીલેખક મહાદેવભાઈને નહિ, પણ એ દ્વારા મહાદેવભાઈનું જે નિરંજન નિરાકાર નિરાકુલ રૂપ સર્જાય છે તે કેવું અનન્ય છે! ડાયરીઓમાં પરોવાઈને રહેલા મહાદેવભાઈ અહીં આંખથી દેખી શકાય એવો કોઈ આકાર ધારણ કરતા નથી. ડાયરીમાં સર્વત્ર એમની શક્તિઓની પરિચિતિ વરતાય છે.
ગાંધીયુગના નવજીવન-વિદ્યાપીઠ સંપ્રદાયના લેખકેએ વળી ગદ્યની નવીન ક્ષિતિજે બતાવી છે. મહાદેવભાઈના ગવે એમાં મહત્વનો ફાળો આપ્યો છે. અકૃત્રિમ, સીધું, સહજ જ અવબોધ કરાવે તેવું, પ્રાસાદિક એ ગદ્ય છે. ચિંતનની ગહનતાના ભારે એને ભારેખમ થવા નથી દીધું. કથનની ઋજુતાએ એને પચટ થવા નથી દીધું. વર્ણનના એશ્વર્યા છતાં એ નિરલંકૃત રહ્યું છે. આનંદશંકર કે કેશવ હર્ષદ ધ્રુવ જેવા સાક્ષર એમને કોઈ ભલે ન કહે, અક્ષરને એમણે મહિમા દીધો છે, ગોવર્ધનરામ જેવા સર્જક ભલે એ ન કહેવાય, એમની અભિવ્યક્તિ સર્જકત્વનું મંડન કરે છે. (મે.)
અન્ય લેખકે
[ કેળવણી, બાલસાહિત્ય આદિ ] નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ (ઈ. ૧૮૮૨-૧૯૬૧): નાનાભાઈ ભટ્ટઃ સાહિત્ય તેમ વિશેષ કરીને શિક્ષણને ક્ષેત્રે નાનાભાઈ ભટ્ટના આદરભર્યા નામે સુખ્યાત નૃસિંહપ્રસાદ ભટ્ટનો જન્મ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં ઈ. ૧૮૮રમાં થયો હતો. જીવનની વિવિધ સમસ્યાઓ પ્રત્યેને એમનો અભિગમ શિક્ષક તરીકે હત, સાહિત્યકાર તરીકે નહિ. તેમ છતાં સાહિત્યના ઈતિહાસમાં અવશ્ય ઉલ્લેખનીય એવું એમનું સાહિત્યકાર તરીકેનું કર્મ હતું. એ પિતાને ભારતની સનાતન સંસ્કૃતિના વારસ તરીકે ઓળખે છે. પ્રત્યેક ભારતીય પિતાને એ રીતે ઓળખતે થાય એવી એમની કામના હતી. તેથી એમણે રચેલા નાનામોટા ગ્રંથમાં એમને આ અભિગમ અછતે રહેતા નથી. સાહિત્ય ખાતર સાહિત્ય એ મતમાં તેમને શ્રદ્ધા નહોતી. રામાયણ, મહાભારત અને ભાગવત એ ત્રણે ગ્રંથે એમણે આકંઠ પીધા છે ને એ ગ્રંથનાં રહસ્યને આપણી યુવાન પેઢીને તેને ઘડતર
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૮૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ માટે ઉપયોગી થાય તે રીતે એમાંનાં પાત્રોની આસપાસ જે કંઈ ઘટનાઓ બની હોય તે ગૂંથી વણી લઈને એમણે એ પાત્રો વિશે ગ્રન્થ રચ્યા છે. ઉપનિષદની પ્રબોધકથાઓ એમણે લોકભોગ્ય શૈલીમાં ફરી કહી છે.
સનાતન ધર્મની પરંપરામાં ઊછરેલ નાનાભાઈને આપણું ગ્રંથમાંથી આ નવીન યુગની સમસ્યાઓ પર પ્રકાશ દેખાય છે. “સૂતપૂત્ર કર્ણ પહેલવહેલું પ્રસિદ્ધ થયું ત્યારે પરંપરાગત ચાલી આવતે દાસીપુત્ર કર્ણ પુરુષાર્થના પ્રતીક તરીકે ઓળખાય છે. મહાભારતનાં પાત્રો, રામાયણનાં પાત્રો, હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ, લેકભાગવત, લોકરામાયણ, લોકભારત, દૃષ્ટાંતકથાઓ વગેરે આબાલવૃદ્ધ સૌને સંતોષે એવી રચનાઓ છે. તેમને મોઢેથી ઇલિયડ અને શેકસપિયરની વાર્તાઓ પણ નવીન કૃતિથી પ્રગટતી હતી. સર્ગશક્તિ અને સાહિત્યકાર જેમ અવિનાભાવે રહ્યાં છે, તેમ સર્ગશક્તિ અને શિક્ષક પણ અવિયોજ્ય છે. જેનામાં સર્ગશક્તિ નથી હોતી એવા શિક્ષકે કેવળ માહિતીના પ્રસારક હોય છે. નાનાભાઈ તેથી જેમ સારા શિક્ષક છે તેમ સારા સાહિત્યકાર પણ છે. એમનું ગદ્ય નિતાઃ સરળ સુષમા વડે શોભે છે.
એમની આત્મકથા “ઘડતર અને ચણતર' (૧૯૫૯) ગુજરાતના આત્મકથાસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે. નિર્ભેળ નિખાલસતાને એ સુંદર નમૂનો છે. દક્ષિણમૂર્તિ સંસ્થાના ઉદ્દભવ-વિકાસની કથા એમાં છે. લેખક એમાં કહે છે: “દક્ષિણામૂતિ સંસ્થાને મેં ઘડી છે એ સાચું છે તેના કરતાં દક્ષિણામૂર્તિએ મને ઘડ્યો છે એ વધારે સાચું છે.” (પૃ. ૧૦૨). આ આત્મકથામાં નિર્મમ અને સ્વસ્થ આત્મનિરીક્ષણ પણ અભ્યાસયોગ્ય છે. કથાનું સંવિધાન સુશ્લિષ્ટ છે, એની અભિવ્યક્તિ સરળ અને આડંબર વગરની છે. ગણનાપાત્ર ગુજરાતી આત્મકથાઓમાં “ઘડતર અને ચણતર'ની નેધ અવશ્ય લેવી પડે તેમ છે. નવી પેઢીને ઘડવા સારુ આપણું સનાતન ધર્મમાંથી ગુજરાતી ભાષામાં ગ્રંથની જે વિવિધા એ લઈ આવ્યા છે તે પણ નાનાભાઈને સમર્થ અને દષ્ટિવાળા સાહિત્યકાર તરીકે સ્થાપી આપે છે (મો.)
ગિજુભાઈ ભગવાનજી બધેકા (૧૮૮૫-૧૯૩૮) : ગિજુભાઈને જન્મ સૌરાષ્ટ્રમાં ચિતળ ગામે ૧૫મી નવેમ્બર ૧૮૮૫ના રોજ થયો હતે. જ્ઞાતિએ બ્રાહ્મણ ગિજુભાઈ વલભીપુરના વતની હતા. ગુજરાતના કેળવણીના ઇતિહાસમાં અને તેમાંયે સવિશેષે બાળકેળવણીના ઇતિહાસમાં અવિસ્મરણીય છે. બાળક વિશે, તેને ઉછેર વિશે, તેના સુષમ વિકાસ વિશે ગિજુભાઈએ આપણને ગુજરાતીઓને ચેતવ્યા. બાળકેળવણીના સંદર્ભે એમની સાહિત્યસાધના પણ થઈ છે. શિક્ષકોને તથા વાલીઓને મબલક માર્ગદર્શન મળી રહે એવી એમની નાની-મોટી
Page #394
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨
[૩૮૫ પુસ્તિકાઓની સંખ્યા ઘણી છે. બાળકને લક્ષમાં રાખી એમણે કેટલીક લેકવાર્તાઓને નવેસરથી ઢાળી છે. બાળસાહિત્યને તે એ યુગપ્રવર્તક કહેવાય. એમના સેવાકાર્યની કદર રૂપે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
બાળશિક્ષણશાસ્ત્રવિષયક સાહિત્ય, કિશોરસાહિત્ય, બાળસાહિત્ય વગેરે પહેલી જ વાર દષ્ટિપૂર્વક ગિજુભાઈ આપણને આપે છે. બાળકને એના હાથાશ્યમાં, એના તળપદમાં સમજનાર સાહિત્યકાર આપણે ત્યાં એ પહેલા છે. ગિજુભાઈની શૈલી સરળ અને સુબોધ છે. જીભને એમણે ભાષા નથી આપી, જીભે જ એમને ભાષા આપી છે, તેથી એમનું સાહિત્ય આબાલવૃદ્ધ સૌ મેજથી માણી શકે છે.
ગિજુભાઈએ “વાર્તાનું શાસ્ત્ર' (ખંડ ૧ અને ખંડ ૨) રચ્યું છે. સાહિત્યસ્વરૂપના અભ્યાસમાં વાર્તાને શાસ્ત્રકારે જ રચેલા આ બે ગ્રંથે આપણા સાહિત્યના અમૂલ્ય ગ્રન્થ છે. વાર્તા વિશેની એમની સૂઝ અહીં પ્રગટ થાય છે. વિષય શિક્ષણશાસ્ત્રને હાય, બાળવાર્તાને હાય, શિક્ષકને કે વાલીઓને બોધ કે માર્ગદર્શનને હોય પણ ગિજુભાઈની શૈલી વિષયને અનુરૂપ ઢાળે ઢળતી હોય છે. એમનું દર્શન સ્પષ્ટ છે તેથી એમની અભિવ્યક્તિ પણ અસંદિગ્ધ છે. શિક્ષક ગિજુભાઈની સર્ગશક્તિને એમના સાહિત્યમાં પણ સંચાર વરતાઈ આવે એ છે. (મે.)
જુગતરામ ચીમનલાલ દવે (૧૮૯૧)ઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં જુગતરામભાઈને જન્મ થયો હતો. મુંબઈમાં તેઓ સ્વામી આનંદ, કાકા કાલેલકર આદિન ને પછી ગાંધીજીના સંસર્ગમાં આવ્યા. અહીંથી એમને જીવનમાં પરિવર્તન આવે છે. ઘર-કુટુંબ છેડીને ગાંધીજીના આશ્રમમાં બાળશિક્ષણનું કામ લઈને તેઓ બેસી જાય છે. ગાંધીજીની બહુવિધ પ્રવૃત્તિઓમાં તેઓ પરોવાઈ જાય છે. અસહકારની લડત વખતે ગાંધીજી અને તેમને બીજા બધા સાથીઓ જેલમાં ગયા ત્યારે ‘નવજીવન’ આદિ પત્રોનું સંચાલન જુગતરામભાઈએ કર્યું હતું. એમનાં પુસ્તકમાં મુખ્યત્વે શિક્ષણવિષયક અથવા શિક્ષણના સાધનરૂપ અથવા તત્વવિચારને લગતાં છે. “આશ્રમપ્રાર્થના, “કૌશિકઆખ્યાન' (૧૯૨૬), જેલડાયરી' (રાજાજીની ડાયરીને અનુવાદ, સં. ૧૯૭૯), “ચણીબોર” (સં. ૧૯૭૮) અને “રાયણું” ૧-૨ (સં. ૧૯૮૧) જેવા બાળગીતોના સંગ્રહે, “આંધળાનું ગાડું, ભેરુ' (સં. ૧૯૮૪), પ્રહલાદ (સં. ૧૯૮૫), “ગાંધીજી' (૧૯૨૯), બાળકને ગાંધીજી' (સં. ૧૯૮૫), ખેડૂતને શિકારી' (૧૯૩૧), “ચાલગાડી' ગુ. સા. ૨૫
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૮૬]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[થ'. ૪
-
-6
- મેાટી અને નાની, ગિજુભાઈ સાથે (સ, ૧૯૮૮), ‘લાકપોથી' — નરહિર પરીખ સાથે (૧૯૩૯), ‘ગ્રામભજનમ`ડળી' (૧૯૪૦), ‘આત્મરચના અથવા આશ્રમી કેળવણી' (૧૯૪૬), ‘હળપતિ-મુક્તિ’ (૧૯૪૬), ગ્રામસેવાના દસ કાÖક્રમા' (૧૯૩૯), ગ્રામવિદ્યાપીઠની ભૂમિકા'—નાનાભાઈ વગેરે સાથે (૧૯૫૧), ‘સુરત જિલ્લા સર્વેદિયયેાજના' (૧૯૫૧), ‘અધ્યાપનકળા' (૧૯૫૩), સુંદરપુરની શાળાના પહેલા કલાક' (૧૯૫૪), ‘પંખીડાં' (૧૯૫૭), ‘ગાલ્લી મારી ઘરઘર જાય’ (૧૯૫૭), ‘ઈશ ઉપનિષદ' (૧૯૬૩), ‘ખાદીભક્ત ચુનીભાઈ' (૧૯૬૬), ‘ ગુરુદેવનાં ગીતા ' (૧૯૬૨) વગેરે પુસ્તકા એમની સમગ્ર જીવનપ્રવૃત્તિનાં દ્યોતક છે. ગુજરાતી ખાલસાહિત્યના ઇતિહાસમાં જુગતરામભાઈના પ્રદાનને ઉમળકાભેર સ્વીકાર કરવાના રહેશે. બાળક વિશે અને એના ઉછેરની નજાકતા વિશે વિચારીને લખતા બાલસાહિત્યના અત્યંત વિરલ લેખકેામાં તેમની ગણતરી કરવી પડે તેમ છે. જોડકણાં, બાળગીતા, બાળનાટક આદિમાં તેમનું પ્રદાન તેાંધપાત્ર છે. બાલસહજ સરળ મુગ્ધતા એનું લક્ષણ છે. બાલસાહિત્યની જેમ જ ગુજરાતની કેળવણીના ઇતિહાસમાં પણ એમનું સ્થાન મેાખરાનું છે. ઘણાં પ્રલેાભના જતાં કરીને સુરત જિલ્લાના વેડછી ગામમાં નાનકડા આશ્રમ લઈને આદિવાસી પ્રજાના ઉત્થાનના કામમાં તેઓ લાગી ગયા છે. એને અનુષ ંગે તેઓ શિક્ષણની પ્રવૃત્તિએ પણ કરે છે. ગાંધી વિદ્યાપીઠ' એ એમની પ્રવૃત્તિના સ્વાભાવિક પરિપાકરૂપ સંસ્થાનું નિર્માણ થયુ છે. હમણાં એમણે પોતાની જીવનકથા કહેવાને મિષે વેડછીની એમની પ્રવ્રુત્તિઓનેા આલેખ આપતી ‘મારી જીવનકથા' (૧૯૭૫) પ્રગટ કરી છે. આપણા ચરિત્રસાહિત્યમાં એ સુંદર ઉમેરા કરે છે. (મા.)
હરભાઈ દુર્લભજી ત્રિવેદી (૧૮૯૨–૧૯૭૯) : હરભાઈ ત્રિવેદીના જન્મ વરતેજ (જિ. ભાવનગર)માં થયેા. એમનું શિક્ષણુ મુખ્યત્વે ભાવનગરમાં થયું. હરભાઈ ને સાહિત્યમાં, અને સવિશેષ બાળસાહિત્યમાં ઊંડા રસ છે. ગુજરાતના પ્રથમ પંક્તિના કેળવણીકારામાં હરભાઈની ગણતરી કરી શકાય. એમણે જે થાડું લખ્યું તે પણ શિક્ષણને વિશે જ લખ્યુ છે. ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિભવન'ના પ્રયાગ ગુજરાતના શિક્ષણના ઇતિહાસમાં મહત્ત્વના છે. તેઓ ત્યાં જોડાયા, અને એમના પ્રયત્નથી જ ‘દક્ષિણામૂર્તિ'માં સહશિક્ષણ આરંભાયુ.
‘તથાગત’ (૧૯૨૪), ‘વિદ્યાર્થી એનું માનસ' (૧૯૨૪), ‘શરીરવિકાસ' (૧૯૨૪), ‘જાતકકથાએ’' (૧૯૨૮), 'નૃસિંહસાર' (૧૯૨૮), ‘ગુજરાતી કવિતા' વર્ષ ૧-૨-૩-૪ (૧૯૨૮), ‘જાતીયવિકૃતિનાં મૂળ' (૧૯૨૮), ‘ડોલ્ટનયેાજના' (૧૯૨૯), ‘ભયનેા ભેદ’ (૧૯૨૯), ‘ગ્રામપુનટના' (૧૯૨૯) વગેરે પુસ્તકા લખ્યાં છે. પશ્ચિમમાં વિકસતી જતી શિક્ષણવિચારધારાએ એમનાં લખાણાનું પ્રભાવક
Page #396
--------------------------------------------------------------------------
________________
% ૯ ]
અન્ય ગદ્યલેખકો-૨
[ ૩૮૭
ખળ રહ્યું છે. ભારતીયતા સાથે શકય એટલા એને મેળ બેસાડીને દેશના વમાન સંદર્ભ સાથે અનુબંધ બાંધવાના પુરુષાર્થી હરભાઈએ કર્યું છે. એમનું ગદ્ય એના હેતુને તાકે છે. (મા)
તારાબહેન માડક (૧૮૯૨) : પૂનાનાં વતની આ બહેને દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાઈ બાલશિક્ષણ અને માટૅસેટરી શિક્ષણુપદ્ધતિમાં ગિજુભાઈ સાથે નોંધપાત્ર કામગીરી કરી છે. ‘બાળકાનાં રમકડાં’ (૧૯૨૭), ‘બાળવાર્તાની વેણીઆ', બાલચારિત્ર્ય’, ‘બાલકની માગણી ને હઠ', ‘ધરમાં મેાન્ટીસારી' જેવી અનેક કૃતિએ એમણે આપી છે. ‘શિક્ષણુપત્રિકા’નાં તેઓ સહતંત્રી હતાં. (ચિ.)
મગનભાઈ પ્રભુદાસ દેસાઈ (૧૮૯૯–૧૯૬૯) : આગ્રહી ગાંધીવાદી ચિન્તક અને કેળવણીકાર તથા ભાષાસાહિત્યના અભ્યાસી મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ ગૂજરાત વિદ્યાપીઠમાં એક અધ્યાપક અને મહામાત્ર તરીકે વર્ષો સુધી સેવા આપી હતી; ‘સાર્થ જોડણીકેાશ'નાં નવસ`સ્કરણામાં ફાળા આપ્યા હતા; વિદ્યાપીઠ તરફથી કેટલાંક વર્ષોં ચાલુ રહેલા માસિક ‘શિક્ષણ અને સાહિત્ય'નું સંપાદન કર્યું હતું; મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પછી કિશારલાલ મશરૂવાળાના તંત્રીપદે ચાલુ રહેલ ‘હરિજન’ સાપ્તાહિકાનું તંત્રીપદ કિશારલાલભાઈના અવસાન પછી મગનભાઈએ સ ંભાળ્યું હતું; એ સાપ્તાહિકા બંધ થયા પછી ‘સત્યાગ્રહ' નામે પેાતાનું સાપ્તાહિક કેટલાંક વર્ષોં ચલાવ્યુ` હતુ` અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે લગભગ છ વર્ષ કામ કર્યું હતું.
સાહિત્યક્ષેત્રે મગનભાઈના પ્રદાનના મુખ્યત્વે ચાર વિભાગ પાડી શકાય : સ્વરાજ્યવિચારણા અને રાષ્ટ્રીય કેળવણીનુ ક્ષેત્ર, કૈાશરચના અને ભાષાસાહિત્યનાં સંપાદના, ધર્મવિચારણા અને અનુવાદ.
સ્વરાજ્યવિચારણા અને રાષ્ટ્રીય કેળવણીના ક્ષેત્રે એમની મુખ્ય કૃતિઓ નીચે મુજબ છે : ‘રાષ્ટ્રીય મહાસભા અને વિદ્યાથી પ્રવૃત્તિ’ (૧૯૪૫), ‘વિદ્યાથી ગ્રીષ્મપ્રવૃત્તિ' (૧૯૪૬), ‘હિન્દની અંગ્રેજી વેપારશાહી, ઈ. સ. ૧૬૦૦ થી ૧૮૦૦’ (૧૯૪૬), ‘સત્યાગ્રહની મીમાંસા’(૧૯૩૪), ‘સત્યાગ્રહની સપ્તપદી' (સં.) (૧૯૫૨), ‘આપણા દેશમાં આપણું રાજ્ય' (૧૯૫૬), ‘સ્વરાજ્ય એટલે શું...?’ (૧૯૫૬), રાજા રામમેાહન રાયથી ગાંધીજી – હિન્દની આઝાદીના ઇતિહાસની સમીક્ષા' (૧૯૫૭), ‘આપણુ ́ પરમ યંત્ર (૧૯૫૭), ‘અંગ્રેજી અને સાંસ્કૃતિક સ્વરાજ્ય’ (૧૯૫૭), ‘મેકાલે કે ગાંધીજી? ભારતમાં અંગ્રેજીના સ્થાન વિષે ચર્ચા કરતા લેખાના સંગ્રહ' (૧૯૬૦), ‘ગાંધીજીને જીવનમા' (૧૯૬૬),
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૮] . ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ હિન્દી-ગુજરાતી કેશ' (૧૯૩૮ અને ત્યાર બાદ કેટલીક આવૃત્તિઓ) ઉપરાંત મગનભાઈએ જૂનાં કાવ્યોનાં નીચે મુજબ સંપાદન કર્યા છે, જે મુખ્યત્વે છાપગી છે: “કુંવરબાઈનું મામેરું' (૧૯૪૦), “સુદામાજીના કેદારા' (૧૯૪૨), કુંવરબાઈનું મામેરું –કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત (૧૯૪૦), “સુદામાચરિત (૧૯૪૨), “સુદામાચરિત’ – પ્રેમાનંદ અને નરસિંહકૃત (૧૯૫૧), “નળાખ્યાન– પ્રેમાનંદકૃત (૧૯૫૧).
મગનભાઈની ધર્મવિચારણા ગીતા અને ઉપનિષદોની આસપાસ ગૂંથાયેલી છે. ગીતાનું પ્રસ્થાન' (૧૯૬૩) અને “ગીતાને પ્રબંધ' (૧૯૬૫) એ તેમની ગીતા વિષયક કૃતિઓ છે. “માંડૂક્ય ઉપનિષદ' (૧૯૪૭), અને કેનેપનિષદ” (૧૯૫૬)માં તે તે ઉપનિષદનું વિવરણ અને વિચારણા છે. “સુખમની' (૧૯૩૬) અને “જપજી' (૧૯૩૮)માં બે શીખ ધર્મગ્રન્થનું અધ્યયન છે. આ સર્વેમાં તે તે મૂલ ગ્રન્થોના અનુવાદ પણ છે. મગનભાઈએ અનુવાદ માટે અંગ્રેજી ગ્રંથ પણ વિશિષ્ટ દૃષ્ટિએ પસંદ કરેલા છે. ઉદાહરણ તરીકે, આચાર્ય કૃપલાનીના લેખે (૧૯૩૭)ના અનુવાદમાં ગાંધીવાદી કેળવણીની મૌલિક વિચારણા છે; “અપંગની પ્રતિભા' (૧૯૭૮) હેલન કેલરની આત્મકથાને અનુવાદ છે તથા ‘જેકિલ અને હાઈડ' (૧૯૩૮) એ સત અને અસત્ વચ્ચે માનવહૃદયમાં ચાલતા સનાતન ધંધનું રોમાંચક રહસ્યકથા રૂપે આલેખન કરતી સ્ટીવન્સનની અંગ્રેજી કૃતિનું ભાષાન્તર છે. “સાધુચરિત ત્રિવેદીસાહેબ' (૧૯૫૩)ના સહસંપાદનમાં છે. જે.પી. ત્રિવેદીનું આરંભે પાંડુરંગ દેશપાંડેરચિત જીવનચરિત અપાયું છે.
આ ઉપરાંત શિક્ષણ અને સાહિત્યના તંત્રી તરીકે કરેલાં પુસ્તકનાં અવલોકનોને સંચય “વિવેકાંજલિ' (૧૯૬૦), પ્રસ્તાવના-સંચય “પ્રવેશિકા', તેમ જ વ્યક્તિઓના અવસાનપ્રસંગે લખેલી “નિવાપાંજલિ' એ પુસ્તકે પણ પ્રગટ થયેલાં છે. (સાં.)
વિઠ્ઠલદાસ મગનલાલ કેડારી (૧૯૦૧-૧૯૭૨): તેઓ કલોલ (જિ. મહેસાણા)ના વતની હતા. ગાંધીવિચારના પ્રભાવ હેઠળ એમણે એમનું સમગ્ર જીવન ગાળ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠમાંથી જ એમણે અર્થશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી હતી, અને તે પછી તેમણે જીવનના અંત સુધી વિદ્યાપીઠમાં રહીને શિક્ષણનું કામ કર્યા કર્યું છે. અધ્યાપનની સ્વાભાવિક નીપજ જેવાં એમનાં કેટલાંક પુસ્તકે એમની અનુવાદશક્તિ, સંપાદનશક્તિ, સંક્ષેપશક્તિની શાખ પૂરે છે. ગામષ્ઠિ ' (૧૯૪૧), “હિંદ સરકારની શિક્ષણયોજના' (૧૯૪૫), “મલેરિયા' (૧૯૪૬), “કેળવણી વડે ક્રાન્તિ'-૧ (૧૯૫૦), -૨, “પ્રૌઢશિક્ષણ' (૧૯૫૦), “અર્થ
Page #398
--------------------------------------------------------------------------
________________
x. & ]
અન્ય ગદ્યલેખકો-૨
[૩૮૯
શાસ્ત્રપ્રવેશિકા' (૧૯૫૨), ‘મઝધાર' (૧૯૫૨), ‘અંબરચરખેા' (૧૯૫૭), દેઢ સદીના આર્થિક ઇતિહાસ’ (૧૯૬૩), ‘અથ’શાસ્ત્રની પરિભાષા' (બીજી આવૃત્તિ ૧૯૭૧), ‘અધી સદીનું અંકદર્શન' (૧૯૭૧) વગેરે પુસ્તકામાં એમની અભ્યાસની ચીવટ અને હાથમાં લીધેલા વિષયની પકડ સ્પષ્ટ વરતાઈ આવે છે. સમાજશાસ્ત્રોમાં ગુજરાતી ગદ્યના માધ્યમ તરીકે કેવી રીતે ઉપયેાગ થઈ શકે તેને નમૂને વિઠ્ઠલદાસનું ગદ્ય પૂરા પાડે છે. વિચારોને અસદિગ્ધ રીતે કેમ મુકાય તે તેમનું ગદ્ય શીખવી શકે તેમ છે. કશા પણ રાજકારણ વગર શિક્ષણુ પર જ સતત લક્ષ રાખીને ગાંધીવિચારને ધ્રુવતારક સમાન ગણીને વિઠ્ઠલદાસ જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહ્યા છે. એમની નજરમાં દેશના આર્થિક પ્રવાહેાની સાથે ગામડાંના તાલ કેમ મળે તે સતત રહ્યાં કર્યું છે. તેઓ આજીવન અધ્યાપક હતા, અને અઘ્યાપક તરીકે ગદ્યના માધ્યમને એમણે નાણ્યા કર્યું છે. (મા.)
શિવાભાઈ ગોકળભાઈ પટેલ (૧૯૦૪) : ચિખાદરા (જિ. ખેડા)ના વતની લોકસેવક શિવાભાઈ પટેલનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે શિક્ષણ રહ્યું છે. ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમના અ ંતેવાસી, ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક, ગાંધીજીની દાંડીકૂચના સહયાત્રી, બુનિયાદી શિક્ષણુના પુરસ્કર્તા શિવાભાઈએ પેાતાના અનુભવેાને કેટલાંક ઉપયોગી પુસ્તકા દ્વારા પ્રજા સમક્ષ મૂકયા છે.
‘જીવન દ્વારા શિક્ષણ' (૧૯૫૦), ‘કાંતવિદ્યા' (૧૯૫૧), ‘જીવનધડતર’ (૧૯૫૨), ‘સમૂહજીવન અને છાત્રાલય' (૧૯૫૫), ‘ગામડાંની સ્વચ્છતા’ (૧૯૫૭), ‘પાયાની કેળવણીને પ્રયાગ’ (૧૯૫૮), ‘વણાટપ્રવેશ' (૧૯૫૯), ‘બાપુની આશ્રમી કેળવણી' (૧૯૬૯), ‘શિક્ષણના મારા અનુભવેશ' (૧૯૭૨) જેવાં એમનાં પુસ્તકા ગુજરાતમાં પાયાની કેળવણીનેા જે સફળ પ્રયાગ થયા છે તેની શાખ પૂરે તેવાં છે. એમનું સાદું' લક્ષપરક ગદ્ય એ એમની વિશેષતા છે. (મા.)
મૂળશંકર મેહનલાલ ભટ્ટ (૧૯૦૭): તેમના જન્મ ભાવનગરમાં થયા હતા. એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં થયું. એમણે વિદ્યાપીઠની લલિતકલાવિશારદની પદવી પ્રથમ વર્ષોંમાં લીધી હતી.
મૂળશંકરભાઈ આજીવન શિક્ષક રહ્યા છે. એમના અનુભવાને આધારે એમણે શિક્ષણવિષયક લેખે! લખ્યા છે. એમણે અનુવાદ સપાદન આદિ પણ હેતુલક્ષી કરેલાં છે. ગુજરાતમાં આદર્શ ગૃહપતિ કાણુ એ પ્રશ્નના ઉત્તરમાં માત્ર એમનુ જ એક નામ ઉચ્ચારી શકાય તેમ છે. ગૃહપતિનું કામ એ સારા શિક્ષકનું જ કામ છે. વ્યાપક સહાનુભૂતિનું જેના હૃદયમાં અક્ષય ઝરણું હાય તે જ ગૃહપતિ તરીકેનુ` કા` સારી રીતે કરી શકે છે. કારાના જીવનઘડતરનું મહત્ત્વનું કામ
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૯૦] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચં. ૪ એમણે કર્યું છે અને એ નિમિત્તે એમણે કેટલુંક સાહિત્ય સર્યું છે. “સાગર સમ્રાટ' (૧૯૩૩), “સાહસિકોની સૃષ્ટિ' (૧૯૩૪), પાતાળપ્રવેશ' (૧૯૩૫), “એંસી દિવસમાં પૃથ્વીપ્રદક્ષિણ” (૧૯૪૦), “ચંદ્રલોકમાં' (૧૯૪૧), “ગગનરાજ' (૧૯૪૮) જેવા અનુવાદે એમણે આપ્યા છે. તે ઉપરાંત “ખજાનાની શોધમાં' (૧૯૩૬), ધરતીને મથાળે” (૧૯૩૯), લા મિઝરેબલ' (૧૯૪૬), “અંધારના સીમાડા' (૧૯૪૬) વગેરે અનુવાદ-રૂપાંતર પણ એમના શિક્ષણશોખની જ નીપજ જેવાં છે. “મહાન મુસાફરી (૧૯૩૭), “નાનસેન' (૧૯૪૭) જેવાં ચરિત્રનાં પુસ્તકો પણ એમણે લખ્યાં છે. પ્રૌઢવાચન માટે ‘વાચનપટ' (૧૯૫૦), “વાંચતાં આવડી થયું' (૧૯૫૭), “દલપતરામની વાતો' (૧૯૫૭), “વાંચવા જેવી વાર્તા' (૧૯૫૭), “બાળકને વાર્તા કેમ કહેશે ?' (૧૯૫૮) વગેરે પુસ્તક-પુસ્તિકાઓ એમનામાં વસતા શિક્ષકની પ્રતીતિ કરાવે છે. સ્વામી આનંદનાં પુસ્તકોનું એમણે સંપાદન પણ કર્યું છે. (મ.)
બબલભાઈ મહેતા (૧૯૧૦) : ગુજરાતના પ્રથમ પંક્તિના લેકસેવકોમાં બબલભાઈની ગણના થાય છે. એમને જન્મ સૌરાષ્ટ્રમાં અને એમનું પ્રાથમિક . તેમ જ માધ્યમિક શિક્ષણ હળવદ, કરાંચી અને મુંબઈમાં થયું છે. ઉચ્ચ શિક્ષણ એમણે કરાંચીમાં લેવું શરૂ તો કર્યું પણ ગાંધીજીએ સરકારી કેળવણીને બહિષ્કાર કરવાનું એલાન આપ્યું ત્યારે એમણે પણ એ કેળવણી છેાડી ને ગૂજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણુ લીધી. સેવાની દીક્ષા પણ એમને અહીં જ મળી છે. તે પછી એમનું સેવાનું કેન્દ્ર ગામડું રહ્યું છે. બબલભાઈ પ્રખર લેકશિક્ષક પણ છે. વિદ્યાથીઓની, શિક્ષકેની, યુવાનની કાર્યકરોની વિવિધ પ્રકારની તાલીમ સારુ એમણે ઘણુ શિબિરનું સંચાલન વૈયક્તિક રીતે પણ કર્યું છે.
એમના લેખનનું મધ્યબિંદુ જીવન રહ્યું છે. વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનમાં આપણે ત્યાં જે અક્ષમ્ય બેકાળજી સહજ ભાવે જ સેવાય છે તે પ્રત્યે બબલભાઈએ એક સારા શિક્ષકની હેસિયતથી ધ્યાન દોર્યું છે, અને ખરું શું કરવું જોઈએ એનાં વિધેયાત્મક સૂચનો અને ઉકેલ પણ આપ્યા છે. ભાષા એ પ્રચારનું ને શિક્ષણનું કેવું સરસ માધ્યમ બની શકે તે એમનાં પુસ્તકે જોતાં જ સમજાઈ જાય છે.
રશિયાનું ઘડતર' (૧૯૩૩), ‘મારું ગામડું' (૧૯૭૮), “ભીંતપત્રો દ્વારા લેકશિક્ષણ' (૧૯૪૪), “મહારાજ થયા પહેલાં' (૧૯૪૭), “રવિશંકર મહારાજ (૧૯૪૭), યજ્ઞસંદેશ' (૧૯૫૫), “ભૂદાન અને સર્વોદય' (૧૯૫૬), “જીવનસૌરભ” (૧૯૬૦), “માનવતાના સંસ્કારો' (૧૯૬૦), “સફાઈમાં ખુદાઈ' (૧૯૬૧), શ્રમને પ્રસાદ' (૧૯૬૨), “સર્વોદયની વાતો' ૧થી ૫ (૧૯૫૮) જેવાં એમનાં પુસ્તકે
Page #400
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨
[૩૯૨ ગાંધીવિચારનું ગ્રામજીવન, લોકશિક્ષણ, ગ્રામસેવા વગેરે વિષયોને આવરી લે છે. વિનોબાજીના વિચારોને પણ સરળ ભાષામાં વિશાળ લેકસમુદાય સારુ સુલભ કરી આપ્યા છે. બીજી રીતે કહીએ તે ગાંધીવિચાર તથા વિનેબાવિચારના બાલાવબોધ' જેવાં એમનાં પુસ્તક છે. એમનું ગદ્ય નિતાઃ સરળ અને સાદું છે, અભિવ્યક્તિ ક્યાંય સંકુલ બનતી નથી; ને ઘણી વાર તે જીવનના સામાન્ય વ્યવહારમાંથી ઉદાહરણે લઈને તે અભિવ્યક્તિને અમોઘ બનાવે છે. (મ.)
| (ચરિત્ર, અનુવાદ, સંપાદન, ભાષણ આદિ)
ધર્માનન્દ કેસંબી (૧૮૭૬–૧૯૪૭): ધર્માનન્દ કોસંબી ગેવાના વતની હતા. એમની માતૃભાષા ગુજરાતી નહિ, છતાં ગુજરાતી ભાષાની એમણે નેંધપાત્ર સેવા કરી છે. ગાંધીવિચારમાંનાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ આદિ તો એમને આકર્ષે છે. એવાં જ તો પર આધારિત પાર્શ્વનાથ ચાતુર્યામ ધર્મને પ્રભાવ પણ એમના પર છે. રંગૂન જઈને એમણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. પાલિના ઉત્તમ અધ્યાપક તરીકે તથા બૌદ્ધ ધર્મશાસ્ત્રના મર્મજ્ઞ તરીકે કે સંબી પ્રકીતિત છે. અમેરિકાથી ૧૯૨૨માં દેશમાં પાછા આવી ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં તેઓ જોડાયા. અહીં એમણે અધ્યાપન કાર્ય કરીને નામના મેળવી. તદનુષંગે લેખનકાર્ય કરીને લેખક તરીકે પણ યશ પ્રાપ્ત કર્યો. ફરી પાછા તેઓ અમેરિકા ગયા હતા ત્યાંથી પાછા આવીને વિદ્યાપીઠમાં જોડાયા, અને એ પછી રશિયા જઈને ત્યાંથી ૧૯૩૦માં પાછા આવીને દાંડીકૂચમાં જોડાયા હતા. ૧૯૪૭માં સેવાગ્રામ આશ્રમમાં એમનું અવસાન થયું હતું.
બુદ્ધ, ધર્મ અને સંધ' (૧૯૧૧), બુલીલા' બુદ્ધલીલાસારસંગ્રહ” (સં. ૧૯૭૯), રા. પાઠક સાથે ધમ્મપદ' (૧૯૨૪), બૌદ્ધસંધને પરિચય' (૧૯૨૫), “સમાધિમાર્ગ' (૧૯૨૫), “જાતકકથાસંગ્રહ' (સં. ૧૯૮૫), “પચાસ ધર્મ સંવાદ (૧૯૩૧), “સુત્તનિપાત' (૧૯૩૧), હિંદી સંસ્કૃતિ' (૧૯૩૭), “બુદ્ધચરિત (૧૯૩૭),
અભિધર્મ' (૧૯૪૪), “શ્રી શાંતિદેવાચાર્ય કૃત બાધિચર્યાવતાર' (૧૯૫૫), બોધિસત્વ (૧૫૬), ધર્મચક્રપરિવર્તન' (૧૯૫૮) વગેરે એમના મૌલિક, અનૂદિત ગદ્યપદ્યના ગ્રંથ છે. ધાર્મિક પરિભાષા, સમાસપ્રચુરતા છતાં એમના ગદ્યમાં પ્રસન્નતા વરતાય છે. ગુજરાતી ભાષામાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંત, નીલશાસ્ત્ર, સાહિત્ય આદિ રજૂ કરવામાં કોસંબીનું પ્રદાન નેધપાત્ર છે. એમની આત્મકથા “આપવીતી” (૧૯૨૫, ૧૯૪૯, ૧૯૫૭) ગુજરાતમાં ઘણાને સારી પ્રેરણારૂપ થઈ પડી છે. (મો.)
રાવજીભાઈ મણિભાઈ પટેલ (૧૮૮૬-૧૯૬૨) સોજિત્રા (જિ. ખેડા)ના
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૯૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[. ૪ વતની રાવજીભાઈનું ઘડતર ગુજરાતના રત્ન સમા મોતીભાઈ અમીન અને આદર્શ શિક્ષક કરુણાશંકર ભટ્ટ જેવા લોકસેવકના સંસર્ગ થયું હતું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને પરિચય થયો અને એમના વ્યક્તિત્વથી અને લોકસેવાનાં કાર્યોથી એ એમના પ્રત્યે આકર્ષાયા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાં સક્રિયપણે જોડાયા.
સ્વાતંત્ર્યયુદ્ધના સૈનિક તરીકે અનેક ઘટનાઓના જાગ્રત સાક્ષી હેવાને કારણે ગાંધીજી જેવા પુણ્યશ્લેકના જીવનને એમણે જોયું હતું, તથા ગાંધીવિચારના પસરતા જતા પ્રભાવમાં તત્સમ થઈ ગયેલા રાવજીભાઈને ગદ્યમાં એમની સંસ્કારાયેલી છતાં અકૃત્રિમ પ્રકૃતિને પરિચય થાય છે. “મહાત્મા ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગે” (પ્રાગજીભાઈ સાથે, ૧૯૨૨), ‘કુલીન વિધવા' (૧૯૩૧), બાળકોને પોકાર' (૧૯૩૫), “ગાંધીજીની સાધના' (૧૯૩૯), “સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ' (૧૯૫૮), “જીવનનાં ઝરણ–૧, ૨ (૧૯૪૧, ૧૯૬૦) અને “હિંદના સરદાર' (૧૯૬૩) જેવાં પુસ્તકો એમના જીવનકાર્યના ફળસ્વરૂપે ગુજરાતને મળ્યાં છે. કથયિતવ્યને સીધું જ ઉપયોગી થાય તેવું રાવજીભાઈનું ગદ્ય અભિવ્યક્તિની એકસાઈ દર્શાવે છે, એમાં કેવળ સાહિત્યિક્તાને શોધવા જાઓ તે તેનું વિરલત્વ વરતાય. એમના જીવનના ઉત્તરકાળમાં એમને માનવમૂત્રના ગુણધર્મોમાં રસ જાગે અને એને અભ્યાસ તથા પ્રયોગો પણ કર્યા. એટલું જ નહિ એનું આ દેલન પણ જગવ્યું અને એ વિશે ઉપગી પુસ્તક પણ પ્રગટ કર્યું. (મ.)
ચંદુભાઈ ભગુભાઈ દલાલ (૧૮૮૯-૧૯૮૦) ગાંધીજીની દિનવારી” (૨૧૦-૧૮૬૯ થી ૯-૧-૧૯૧પ તથા ૧૦–૧–૧૯૧૫ થી ૩૦–૧–૧૯૪૮ (અંગ્રેજી તથા ગુજરાતી), “દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન' (૧૯૫૬), ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત’ (ભા. ૧ થી ૫ ૧૯૫૭-૫૮)ના લેખક અને મહાદેવભાઈની ડાયરી'ના ભાગ ૭થી ૧૯(છેલ્લા બે અમુદ્રિત)ના સંપાદક ચંદુલાલ દલાલે “માશી ભાણેજ’ નામે ઈ. ૧૯૪રમાં એક નવલકથા પણ લખેલી હતી, જે પાછળથી પ્રકાશિત થઈ હતી. “ભદ્ર' તખલ્લુસથી એમણે સામયિકમાં ટૂંકી વાર્તાઓ પણ પ્રગટ કરી હતી. ૨૦૦-૨૫૦ જેટલી એમની વાર્તાઓમાંથી કેટલીક ગ્રંથસ્થ થવામાં છે. એમણે લખેલી “હરિલાલ ગાંધી' નામની કૃતિને ગુજરાત સાહિત્ય પરિષદે ઈ. ૧૯૭૯માં કાલેલકર પારિતોષિક આપ્યું હતું. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક હતા ત્યારે “આંકડાશાસ્ત્રનાં મૂળતો',
વ્યાપારી ભૂગોળ” એ પુસ્તક લખ્યાં હતાં. “રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીને ફાળે' એ પુસ્તક એમણે ગણેશ વાસુદેવ માવળંકર સાથે
Page #402
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨
[૩૯૩ લખ્યું હતું. ગાંધીવિચારધારાને વરેલા આ લેખકે ૨૬ કૃતિઓનું લેખન સંપાદન કર્યું છે. (ચિ.)
નરહરિ દ્વારકાદાસ પરીખ (૧૮૯૧-૧૯૫૭) એમનું મૂળ વતન કઠલાલ (જિ. ખેડા), પણ જન્મ અને શિક્ષણ અમદાવાદમાં. એક વાર, ઈ. ૧૯૧૭માં, ગાંધીજીના પરિચયમાં આવ્યા તે પછી તેઓ નિરંતર આશ્રમ, નવજીવન, વિદ્યાપીઠનાં કાર્યોમાં રત રહ્યા. એમણે સમાજરચના, અર્થકારણ, સાહિત્ય, બાલશિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયનાં પુસ્તકો લખ્યાં છે, સંયે જ્યાં છે, અનુવાદાં છે, સંપાદ્યાં છે.
ચિત્રાંગદા અને વિદાયઅભિશાપ' (મહાદેવભાઈ સાથે, ૧૯૨૫), “પ્રાચીન સાહિત્ય' (મહાદેવભાઈ સાથે, ૧૯૨૨), “જાતે મજૂરી કરનારાઓને' (૧૯૨૪), ત્યારે કરીશું શું ? (૧૯૨૫-૨૬), “સહાયવૃત્તિ' (૧૯૩૫) જેવા યશોદાયી અનુવાદે એમણે આપ્યા છે. પાઠસંચય' (૧૯૨૪) જેવું “સંપાદન, “આટલું તે જાણજે' (૧૯૨૨), કરંડિયો' (૧૯૨૮), “કન્યાને પત્ર” (મહાદેવભાઈ સાથે, ૧૯૩૭) જેવાં પુસ્તકે એમની શૈક્ષણિક સૂઝ પ્રગટ કરે છે. કૌટુંબિક અર્થશાસ્ત્ર' (૧૯૨૬), “બારડોલીના ખેડૂતો' (૧૯૨૭), “સર્વોદય સમાજની ઝાંખી' (૧૯૫૫) જેવા ગ્રન્થ સમાજજીવનની તત્કાલીન સમસ્યાઓ વિશેનું એમનું ચિંતન રજૂ કરે છે. જીવનચરિત્રને દસ્તાવેજી મૂલ્ય પ્રાપ્ત થાય તે સારું ગ્રંથ, સંવેદનશીલતાના તત્વ વિનાને રહી જાય તો તેની ફિકર કર્યા સિવાય એમણે “મહાદેવભાઈનું પૂર્વચરિત' (૧૯૫૦), શ્રેયાથીની સાધના' (૧૯૫૩), “સરદાર વલ્લભભાઈ ૧-૨ જેવાં મહત્ત્વનાં ચરિત્રો ગુજરાતને આપ્યાં છે. ભાષાને સર્જનાત્મક ઉપયોગ જેવો મહાદેવભાઈ કરી શક્યા છે તેવો નરહરિભાઈ કરી શક્યા નથી. અલબત્ત, ભાષાને લેકશિક્ષણના પ્રબલતમ માધ્યમ તરીકે એ પ્રયોજી શક્યા છે. એમણે વિજ્ઞાનીની એકસાઈથી ભાષાને પલટી છે, એટલે કેશના શબ્દને સર્જક જેમ પિતીકે બનાવી દે છે તેવું એમના ગદ્યમાં પ્રતીત થયું નથી. પણ શબ્દના વિનિયુગમાં ચોકસાઈ, પ્રભાવકતા આદિ અનિવાર્ય લક્ષણે અવશ્ય છે. કેવળ સ્વાન્તઃ સુખાય” લખવાનું અહીં બનતું નથી. લખવાને એક નિશ્ચિત હેતુ હોય છે અને એ હેતુને વિશેની નિષ્ઠા નિર્ભેળ નિર્ભુજ હોય છે. તેથી એમના ગદ્યમાં સબળતા અવશ્ય સિદ્ધ થાય છે.
ગુજરાતી સાહિત્ય વિશેને એમને પ્રેમ એમને “નવલગ્રંથાવલિ' (૧૯૩૭)નું સંપાદન કરવાને પ્રેરે છે. આ સંપાદને એમને કીર્તિ અપાવી છે. લેખોની પસંદગી એમની સાહિત્યિક સૂઝની દ્યોતક છે. નવલરામને અગ્રિમ મહત્વના લેખે
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૯૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચ. ૪ આ સંપાદનથી અભ્યાસીને ઉપલબ્ધ થાય છે. જેમ પાઠકસાહેબની પ્રમાણુશાસ્ત્ર પ્રવેશિકા'માં આ વિષયના નિરૂપણમાં ગુજરાતી ભાષાને માધ્યમ તરીકે વિનિયોગ પહેલી જ વાર ઉત્કૃષ્ટ રીતે થયું છે, તેમ નરહરિભાઈએ “માનવ અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રનું નિરૂપણ કરવા સારુ ગુજરાતી ભાષાને યથાર્થતા વાપરી બતાવી છે. એમનું આ પુસ્તક ગાંધીવિચારમાં અટલ શ્રદ્ધા રાખનારાઓને સારું પ્રશિષ્ટ ગ્રન્થને મહિમાં ધારણ કરે છે. એમાં રજૂ થયેલી વિચારધારાઓની ઉપેક્ષા થઈ શકે તેવી નથી, છતાં તજજ્ઞો માટે એ ગ્રંથ કંઈક વિવાદાસ્પદ રહ્યો છે. એમના ગ્રંથના વિષયે જોતાં એમનાં રસ અને રુચિનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે, તે એ ગ્રંથ વાંચતાં એમની તે તે વિષની સજજતા પણ વરતાય છે. ગાંધીવિચારપ્રભાવિત લેખકેમાં નરહરિભાઈનું સ્થાન મોખરાનું છે. (મ.)
વાલજી ગોવિન્દજી દેસાઈ (૧૮૯૨): વાલજી ગોવિન્દજી દેસાઈએ વિદ્યાપીઠને અધ્યાપકગણના એક તેજસ્વી સભ્ય તરીકે લેખનકાર્ય શરૂ કર્યું અને એ પછી સતત ચાલુ રાખ્યું. વિશાળ વાચન અને તેમાંથી લોકસંગ્રહની દૃષ્ટિએ, મધુકરવૃત્તિથી, સાદી સરળ તળપદી પણ અર્થવાહક શૈલીએ સાદરણ, ચયન, સંકલન એ તેમના સાહિત્યપ્રદાનનું પ્રધાન લક્ષણ છે. “તંત્રકથા' એ “પંચતંત્રને તેમણે કરેલે સરલ સંક્ષેપ છે (૧૯૩૮); “સુન્દરવન” એ વિશ્વસાહિત્યમાંથી અને જગતના ઇતિહાસમાંથી ઉત્તમ વિચારે અને પ્રેરક પ્રસંગોની ચયનિકા છે (૧૯૬૯) અને “દીપમાળા” એ અમર વિચારદીપકોની હારમાળા છે (૧૯૭૯). આ ઉપરાંત ‘ગારક્ષાકલ્પતરુ', 'કથાકુસુમાંજલિ, દ્રૌપદીનાં ચીર” (ખાદી વિષે), “ઈશુચરિત',
બુદ્ધચરિતામૃત', “શ્રીરામકથા”, “પ્રેમપન્થ' (૧-૧૦), “આરોગ્યમંજરી', વિશ્વસંહિતા,‘સજી લે શૃંગાર વગેરે તેમની અન્ય કૃતિઓ છે. મહાત્મા ગાંધીજીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસનું, તેમના અનેક પાનું તેમજ મહાદેવભાઈની ડાયરી-૧ નું અંગ્રેજી ભાષાન્તર વાલજીભાઈએ કર્યું છે. (સ.)
ચૂનીલાલ પુરુષોત્તમ બારોટ (૧૮૯૯) મૂળ નડિયાદ (જિ. ખેડા)ના વતની, અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા બારેટે ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ રાષ્ટ્રીય કેળવણી લઈને ત્યાંની ભાષાવિશારદ'ની પદવી મેળવી છે. એ યુગને તેજસ્વી અધ્યાપક અને સાહિત્યને સંપર્ક એમને, ત્યાં, થયો. કાતિ માટે પ્રકૃતિગત ચાહનાએ એમને કેટલાંક જીવનચરિત્રે લખવા પ્રેર્યા. “સત્યાગ્રહી ગેરિસન' (૧૯૨ ૬), કાંગાવા' (૧૯૨૭), “આચાર્ય શ્રી પ્રફુલ્લચંદ્ર રાય”, “બંગકેસરી' (૧૯૬૦), “બેતાજ બાદશાહ' જેવાં સ્વસ્થ ચરિત્ર, વિશેષ કરીને કિશોરોને પ્રેરક થઈ શકે એવાં, એમણે લખ્યાં છે. એમના ફારસીના અભ્યાસે એમને ઇસ્લામને સુવર્ણયુગ
Page #404
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯ ]
અન્ય ગદ્યલેખક-ર
[ ૩૯૫
(૧૯૫૧) લખવા પ્રેર્યાં. તથ્યા પર આધાર રાખીને એમણે ચિરત્રા લખ્યાં છે. ગાંધીયુગની પ્રવૃત્તિઓની સમસ્તતામાં રહેલું સહેતુકતાનું તત્ત્વ વાયકને અહીં પણ જણાશે.
ચુનીભાઈએ ગૂજરાત વિદ્યાપીઠના વિશાળ ગ્રંથાલયમાં નિવૃત્ત થતાં સુધી સેવાઓ આપી છે. આ સમય દરમ્યાન ગ્રંથાલયવિજ્ઞાનના અભ્યાસ એના પૂરા વ્યાપમાં એમણે કર્યો છે, અને એ વિશે એમણે કેટલુંક મૌલિક ચિંતન પણ કર્યું. છે. ‘ર’ગનાથી વી કરણ', ‘રંગનાથી સૂચીકરણ' અને ‘સૂચીકરણ' જેવાં ગ્રંથાલયવિજ્ઞાનનાં પરિચયાત્મક પ્રકરણા — માનેગ્રાફ — એમણે લખ્યાં છે. ગુજરાતની ગ્રંથાલયપ્રવૃત્તિને ઇતિહાસ લખનારે બારેાટની સેવાએતે ઉમળકાભેર ઉલ્લેખ કરવે। પડશે. (મેા.)
પ્રભુદાસ છગનલાલ ગાંધી (૧૯૦૧): ગાંધીજીના ભત્રીજા છગનલાલના એ પુત્ર. એમનું શૈશવ ગાંધીજીની સનિધિમાં જ વીત્યુ' તેથી સમગ્ર ગાંધીવિચારને સઘન પ્રભાવ એમના પર વરતાય છે. દક્ષિણ આફ્રિકામાં ફિનિસ આશ્રમમાં ગાંધીજીની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ એમનેા અને એમના જેવાં ખીજાં ઘણાં બાળકાને ઉછેર થયા. એ ઉછેરમાં ગાંધીજીએ જે સૂક્ષ્મ સભાળ રાખી છે તેના એ તે સાક્ષી છે. એ કાળનાં સંસ્મરણાના બળવત્તર આલેખ આપતું ‘જીવનનું પરાઢ’ (૧૯૪૮)પુસ્તક કેવળ સાહિત્યિક દૃષ્ટિએ જ નહિ, પણ શૈક્ષણિક તેમજ સામાજિક ષ્ટિએ પણ અપૂ` કહી શકીએ તેવું છે. ગાંધીજીના વ્યક્તિત્વના પણ અનેકવિધ કામલ-ભવ્ય અ ંશે, જે અન્યત્ર મળવા વિરલ, આ પુસ્તકમાં સાધાર પ્રગટ થાય છે. પુસ્તક એ રીતે પણ સીમાચિહ્નરૂપ બની શકવું છે. ગુજરાતી ગદ્યના પણ વા સરસ વિનિયોગ થઈ શકે છે તે આ પુસ્તકના વાચકને પ્રતીત થયા વિના રહેતું નથી. પુસ્તકની ઉપયેાગિતાને લક્ષમાં લઈને એના સંક્ષેપ પણ એમણે કરી આપ્યા છે. પુસ્તક પ્રભુદાસભાઈની આત્મકથાનેા એક ખંડ છે તે કરતાંય ભારતમાં જે ઉજમાળું પ્રભાત પ્રગટ થવાનું હતું તેનાં એંધાણ આપતા ભળભાંખરા જેવુ' છે. કેમ કે એ ઉજમાળા પ્રભાતની માતબર તૈયારીઓના શ્રદ્ધેય આલેખ એ પુસ્તકમાં છે. ગુજરાતી ચરિત્રસાહિત્ય આ પુસ્તક વડે સમૃદ્ધ થયું છે. વળી જેમાં શિક્ષણની પ્રક્રિયાને સુરેખ આલેખ હેાય તેવાં દૃષ્ટિવાળાં ગુજરાતી પ્રકાશનેમાં ખૂબ જ મૂલ્યવાન ઉમેરે। આ પુસ્તકથી થાય છે. એમણે રાજેન્દ્રપ્રસાદની આત્મકથાને ગુજરાતી અનુવાદ ‘મારી જીવનકથા’ (૧૯૫૦) આપ્યા છે. (મા.)
ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ (૧૯૦૧-૧૯૫૪) : એમનુ` મૌલિક લખાણ નહિવત્ છે. છતાં એમનું ‘સીતાહરણ' (૧૯૩૯ અને ૧૯૫૦) સુશ્લિષ્ટ નિબંધનનું
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૯૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રામાયણની કથાના એક અંશવિશેષને એમણે સુષમ અને સુ રૂપ આપ્યું છે. આમ જુઓ તે એ પણ એમણે કથાવસ્તુ રામાયણમાંથી લીધું છે તે દૃષ્ટિએ મૌલિક રચના ન ગણાય. ચંદ્રશંકરનું ઘણું મોટું અને અવિસ્મરણીય કાર્ય તે અનુવાદનું છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (‘ઉપનિષદનું તત્ત્વજ્ઞાન”, “ધર્મોનું મિલન', “ગીતાદર્શન', “મહાભારત', “મહાત્મા ગાંધી, “હિન્દુજીવનદર્શન' વગેરે), હિરિયણ (“ભારતીય તત્વજ્ઞાનની રૂપરેખા'), ટોય (‘બે નવલકથા'), મહાત્મા ગાંધી, લૂઈ ફિશર (ગાંધીજી સાથે અઠવાડિયું'), રિચર્ડ ગ્રેગ (‘અહિંસાની તાલીમ'), જોન રસિકન, ચેવ આદિ લેખકના ગ્રંથોના એમણે અનુવાદો કર્યા છે. ડિકિન્સના ગ્રંથ લેટર્સ ફોમ ન ચાઈનામેન’ને એમને અનુવાદ' “ચીનને અવાજ' (૧૯૨૭) પણ જાણીતા છે. એ અનુવાદો વાંચીએ છીએ ત્યારે અનુવાદ એ ખરેખર તે અનુસર્જનનું કાર્ય છે એવી પ્રતીતિ થયા વિના રહેતી નથી. મૂળ ગુજરાતી ભાષામાં જ લખાયેલા હોય એવા એ અનુવાદ શાસ્ત્રની ઝીણવટ અને ચોકસાઈ તથા કલાના રઢિયાળા પરિપ્રેક્ષયને એકસાથે અનુભવ કરાવે છે. વિષયને સુસંગત એવી એમની નિર્મળ ગદ્યશૈલી અર્થદ્યોતક તેમ જ સંતર્પક છે. (મ.)
ગોપાલદાસ જીવાભાઈ પટેલ (૧૯૦૫): ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાથી અને પછીથી એ સંસ્થા સાથે વર્ષો સુધી અધ્યાપક અને ગ્રન્થપાલ તરીકે જોડાયેલા ગોપાલદાસ જીવાભાઈ પટેલનું મુખ્ય અને મૂલ્યવાન પ્રદાન જૈન આગમગ્રન્થના, આધુનિક જિજ્ઞાસુ વાચકને હૃદ્ય અને રસપ્રદ થાય એવા છાયાનુવાનું છે. સર્વસામાન્ય ગુજરાતી વાચક સુધી જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સાર પહોંચાડવામાં આ છાયાનુવાદોને ગણનાપાત્ર ફાળો છે.
શ્રી ભગવતીસાર' (૧૯૩૮) એ “ભગવતી સૂત્ર' અથવા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને, “સમી સાંજનો ઉપદેશ” (૧૯૩૯) એ “દશવૈકાલિક સૂત્રને, “મહાવીર સ્વામીને સંયમ ધર્મ' (૧૯૪૪) એ “સૂત્રકૃતાંગ સૂત્ર'ને, “મહાવીર સ્વામીને આચારધર્મ' (૧૯૪૮) એ “આચારાંગસૂત્રને અને “મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ” (૧૯૪૮) એ ‘ઉત્તરાયનસૂત્રને છાયાનુવાદ છે. આગમગ્રન્થાનું દહન કરીને “શ્રી મહાવીર-કથા” (૧૯૫૦) એ નામથી ગોપાલદાસે મહાવીર સ્વામીનું વિસ્તૃત જીવનચરિત, પૌરાણિક પદ્ધતિની ચમકારિક વાતોનું સમાધાન કરીને, લખ્યું છે. એ જ રીતે “શ્રીમદ્ ભાગવત' (૧૯૩૯) અને “યોગવાસિષ્ઠ' (૧૯૪૫)ને ઉત્તમ છાયાનુવાદ તેમણે આપ્યા છે. “પ્રાચીન બૌદ્ધકથાઓ' (૧૯૫૬), “પ્રાચીન શીલકથાઓ' (૧૯૫૬), નીતિ અને ધર્મ : કેટલીક પ્રાચીન વાર્તાઓ' (૧૯૫૭) એ શીર્ષક નીચે તેમણે પ્રાચીન કથાઓના
Page #406
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯]
અન્ય ગદ્ય લેખકો-૨
[ ૩૯૭
સરસ સંગ્રહા કર્યા છે. સરસ્વતીચંદ્રના વાર્તા રૂપે (૧૯૫૭) તેમણે સ ંક્ષેપ કરેલા છે.
વિક્ટર ઘગાની નવલકથા ‘લા મિઝરેબલ’ના ‘ગુના અને ગરીબાઈ' (૧૯૫૭) નામથી અને ચાર્લ્સ ડિકન્સકૃત નિકાલાસ નિકલબી'ના ‘કરણી તેવી ભરણી’ (૧૯૬૫) નામથી તેમણે સંક્ષેપ કર્યો છે. ઍલેકઝાન્ડર ડયૂમાકૃત ‘થ્રી મસ્કેટિયર્સ'ને તેમના સંક્ષેપ (૧૯૬૪) પણ લાકપ્રિય થયા છે. શ્રી રાજય જીવનયાત્રા (૧૯૪૬) નામે શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર પણ તેમણે લખ્યું છે. (સાં.)
મણિભાઈ ભગવાનજી દેસાઈ (૧૯૦૫) : વલસાડ જિલ્લાના ગણુદેવી તાલુકાના વતની મણિભાઈ ભગવાનજી દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણીના રંગે રંગાયા હતા. અનુવાદપ્રવૃત્તિમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે.
એમનાં મુખ્ય મુખ્ય અનૂદિત પુસ્તકા તે જવાહરલાલ નેહરુનું ‘જગતના ઈતિહાસનું રેખાદર્શન' (૧૯૪૫), કુમારપ્પાનું ‘હિંદબ્રિટનના નાણાંવ્યવહાર (૧૯૪૭), સુશીલા નય્યરનું બાપુના આગાખાન મહેલમાં એકવીસ દિવસ’(૧૯૫૦), બિરલાનું ‘મહાત્માજીની છાયામાં' (૧૯૫૬), બલવ ંતસિંહનું બાપુની છાયામાં' (૧૯૫૮), રાજાજીનુ` ‘રામચરિત' (૧૯૬૬), પ્યારેલાલનાં ‘ભાવિ સમાજરચનાની દિશામાં’ (૧૯૬૩), ‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ' ૧–૪ (૧૯૬૪) છે. ગાંધીવિચાર-પ્રભાવિત મણિભાઈ સમેત બીજા સંખ્યાબંધ અનુવાદકાએ અનુવાદને કળા અને વિજ્ઞાન તરીકે વિકસાવીને અનુવાદને વ્યવસાય પ્રતિષ્ઠિત કર્યા છે. સ`નલક્ષી સાહિત્ય કરતાં એ જરાય ઊતરતા નથી, એ પણ અનુવાદક પાસે દિલચસ્પીની અપેક્ષા રાખે છે. મૂળ ગુજરાતી ભાષામાં જ લખાયા હેાય એવી સહજતા અને સ્કૃતિ તેમના અનુવાદો દાખવે છે. ભાષાને લેાકજાગૃતિના અને સંસ્કારપ્રસારના માધ્યમ તરીકે આ લેખકેાએ ખીલવી છે.
એમનાં મૌલિક પુસ્તક્રામાં હિંદના જવાહર' (૧૯૫૪), તેમ જ ‘લિંકન” એ બે ચરિત્રા એમની રુચિના વિષયેાનું સૂચન કરે છે. મહુધા કિશારાને પ્રેરે એવા આચરત્રનાયકાનું ચિત્રણ સરસ થયું છે. નવજીવન વિકાસવાર્તા’ એમની મહત્ત્વની કૃતિ છે. સપાદનેામાં જે ઝીણવટ તથા નિષ્ઠા જોઈએ તે તા આ ડેડીના લેખાની તાલીમની મુનિયાદ છે જે અહી... મણિભાઈમાં પણ દેખાય. છે. ૧૯૮૦માં એમનુ` ઍબ્રહામ લિંકન' નામનું પુસ્તક પ્રગટ થયુ` છે. (મેા.)
શિવશંકર પ્રાણશ’કર શુક્લ (ઈ. ૧૯૦૮) : ગાંધીયુગના પ્રબળ સ્વાતંત્ર્ય આંઢાલનના પ્રભાવ હેઠળ એમણે તત્કાલીન સરકારી કેળવણીને, ખીન્ન ઘણાંની જેમ, છેાડી અને ગૂજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણી લઈને આ વિદ્યાવિશારદની પદવી મેળવી હતી.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ ‘હદયમંથન” (ચેખોવની વાતોઓના અનુવાદઃ ૧૯૩૨), યુગાંતર' (નવલકથાઃ ૧૯૩૫), “સરિતાથી સાગર' (દાંડીકૂચનું જીવંત અને પ્રમાણભૂત વર્ણનચિત્ર: ૧૯૪૯), “ઈદિરાની આપવીતી' (૧૯૫૩), “એક પિપટની યાત્રા' (૧૯૫૯), “એક બાળકની ઝાંખી' વગેરે પુસ્તકે એમણે લખ્યાં છે. “માધવનિદાન” જેવા આયુર્વેદના શાસ્ત્રીય ગ્રંથને અનુવાદ આપ્યો છે. “પદ્ધ અને પોયણાં' (૧૯૬૧), “હરિસંહિતા”. નાં ઉપનિષદ (૧૯૬૪) જેવાં સંપાદને આપ્યાં છે. “સાપ વિશે એમણે એક મૌલિક પુસ્તક આપ્યું છે, અને ભારતના સર્વો” નામે દેવરસના અંગ્રેજી પુસ્તકને અનુવાદ આપ્યો છે. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનનાં જુદાં જુદાં ક્ષેત્રમાં પણ આ લેખકને જીવંત રસ છે એ દેખાઈ આવે એવું છે. ગુજરાતની લેકમાતાઓ પણ એમનું નદીવિષયક નોંધપાત્ર પુસ્તક છે. (મ.)
આ સમયગાળામાં જે નવપ્રસ્થાને થયાં છે તેની ઉપેક્ષા થઈ શકે એમ નથી–આ સર્વનાં શુદ્ધ સાહિત્યિક મૂલ્યને વિશે ગમે તેટલાં મતમતાંતરો હોય તોપણ. સાહિત્ય પણ જેની નીપજ છે તે મનુષ્ય જીવનને આમૂલચૂડ નવસંસ્કાર આ યુગમાં થવા લાગ્યો હતો. મનુષ્યજીવનના વિકાસને સારુ અકથ્ય અવકાશની ક્ષિતિજો ઊઘડવાને ઉપક્રમ આરંભાયો હતો. અમ્યુદય માટેની નવીન આશાઓ પાંગરવા માટેનું સ્કૂર્તિદાયક હવામાન, માનવમુક્તિ માટેની અપૂર્વ સંપ્રજ્ઞા પ્રગટ થતાં જતાં હતાં. એના પ્રભાવે કરીને, પહાણુ પલળીને ઝરણું થઈને વહે એમ, સર્જનની સરવાણીઓ વહેતી થઈ. આ બધું વિશેષ કરીને પ્રજાજીવનના શિક્ષણને તાકતું હતું. વિદ્યાનું સંવર્ધનવિવર્ધન પણ આ યુગે તાક્યું હતું. તેથી કેવળ સાહિત્યિકે નહિ, પણ સંશોધકે, સાક્ષર, લેખકે વગેરેનું કાર્ય પણ ઊંચી ગુણવત્તાવાળું બન્યું છે. આમાંથી કેઈએ શિક્ષણવિષયક, કેઈએ અર્થશાસ્ત્રવિષયક, કેઈએ વળી ગ્રંથાલયશાસ્ત્રવિષયક મૌલિક લખાણ કર્યા છે અને ગુજરાતી ભાષાને ખીલવી છે તથા ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. (મ.)
પત્ર, લેખ, ભાષણો (“સરદાર વલ્લભભાઈનાં ભાષણે') દ્વારા ગુજરાતી ગદ્યની વિશિષ્ટ અને પ્રબળ શક્તિ પ્રગટ કરનાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ (૧૮૭૫–૧૯૫૦); “મારે ચીનને પ્રવાસ', “પર્વમહિમા”, “સર્વોદયની સરવાણી', શિક્ષણ અને સંસ્કૃતિ', “ગ્રામરચના” જેવી કેટલીક કૃતિઓના લેખક ગુજરાતના અનન્ય લેકસેવક રવિશંકર મહારાજ (૧૮૮૪); “માનવતાનાં ઝરણું તથા સંસ્મરણોના લેખક ગણેશ વાસુદેવ માવળંકર (૧૮૮૯-૧૯૫૬); “ગાંધીદીક્ષા'ની સ્મરણમાળાના લેખક છગનલાલ જોશી; “ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ', ગાંધીજી
Page #408
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૯ ]
અન્ય ગદ્યલેખકો-૨
[ ૩૯૯
અને મજૂર પ્રવૃત્તિ' વ.ના લેખક શ ́કરલાલ બૅંન્કર; શેકસપિયર તથા ખમાં શાની નાટયકૃતિનાં ભાષાન્તર તથા જીવન-અનુભવેાની સંસ્મરણુ–ને ધા આપનાર કૃષ્ણશંકર અં. વ્યાસ; રાષ્ટ્રીય સ્વતંત્રતાના ઇતિહાસની કીમતી સામગ્રી જેવાં કેટલાંક દસ્તાવેજી સંપાદના (બાપુના સરદાર ને પાતા પરના પત્રો, સરદાર વલ્લભભાઈ પટેલના લેખા', ‘ખારસદ સત્યાગ્રહ') આપનાર મણિબહેન વ. પટેલ (૧૯૦૩); ‘અભિનવ મહાભારત' તેમ જ અન્ય કૃતિના લેખક મુનિ સંતબાલજી (૧૯૦૪: સં. ૧૯૬૦); સ્વાતંત્ર્યસૈનિક, ‘વેરાન જીવન’ આત્મકથાના લેખક કમળાશંકર પંડયા (૧૯૦૪); ગાંધીજીની દિનચર્યાને ચીવટપૂર્ણાંક ડાયરીમાં નોંધી ‘એકલે ાને રે' ‘બિહારની કામી આગમાં', 'બિહાર પછી દિલ્હી', ‘દિલ્હીમાં ગાંધીજી' ૧-૨ જેવાં તેમ જ બાપુ મારી મા' આદિ પુસ્તકા આપનાર મનુબહેન ગાંધી (૧૯૨૭) વગેરેએ પણ નાંધપાત્ર અર્પણ કર્યું છે.
*
આ ઉપરાંત ‘ભગવદ્ગામંડલ કાશ'ના મુખ્ય સંપાદક ચંદુલાલ પટેલ (૧૮૮૯), ‘ઘેાડાં આંસુ : થેાડાં ફૂલ' આત્મકથાના લેખક અને સુખ્યાત નટ જયશંકર ‘સુંદરી' (૧૮૮૯–૧૯૭૫); ‘પાગલ હરનાથ' અને 'શ્રીકૃષ્ણે ચૈતન્ય’ આદિ પુસ્તકાના અનુવાદક નર્મદાશંકર ખી. પંડયા (૧૮૯૩); ‘ભગવદ્ગીતા એક અભિનવ દૃષ્ટિબિન્દુ' જેવી વિચારપ્રેરક કૃતિ, સંસ્કૃત કૃતિઓના અનુવાદા તથા અભ્યાસપૂર્ણ લેખા આપનાર સ ંસ્કૃતના વિદ્વાન પ્રતાપરાય માદી (૧૮૯૬); શિક્ષણ, અનુવાદ અને વાર્તાક્ષેત્રે કાર્યાં કરનાર ખાલકૃષ્ણે ચૂ. જોશી (૧૮૯૭); દક્ષિણ આફ્રિકાની લડતના કાર્યકર અને પત્રકારત્વ તથા અનુવાદક્ષેત્રે સેવા આપનાર પ્રાણશંકર સા. જોશી (૧૮૯૭); સમાજના ઉત્કર્ષ માટે અનેક દાન-ટ્રસ્ટા દ્વારા વિવિધ સંસ્થાઓને પ્રેરી, ધર્મ-વિજ્ઞાન-સાહિત્ય આદિનાં અનેક વિધ પ્રકાશને સુલભ કરાવી ગુજરાતી ભાષા અને વાઙમયને સમૃદ્ધ કરનાર, પ્રાર્થના-સ્તવન-ભજન-મુક્તક-ગઝલ આદિની પ્રભુપરાયણ અને આધ્યાત્મિક જીવનવિકાસ નિરૂપતી અનેક પદ્યકૃતિએ તેમ જ પત્ર-જીવનચરિત્ર-પ્રવાસ-પ્રસંગ આદિની સાધનાવિષયક સેાળેક (‘જીવનસંગ્રામ', ‘જીવનપાથેય', 'હિરજન સંતા', ‘જીવનપેાકાર’ વ.) ગદ્યકૃતિ આપનાર શ્રી મેાટા (૧૮૯૮–૧૯૭૬); કાવ્ય હજી હસ્તપ્રતમાં જ હેાય ત્યારે જ કવિને સહૃદયાના પ્રતિભાવ જાણવાની તક મળે એવી એકમાત્ર અને જગતમાં વિરલ ગણાય એવી કવિઓની ‘વર્કશોપ’ બુધ કવિસભા'નું ચારેક દાયકા સુધી દર છુધવારે નિયમિત સંચાલન કરી
Page #409
--------------------------------------------------------------------------
________________
૪૦૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ ૪
ગુજરાતી કવિતાની અનન્ય સેવા કરનાર, છપ્પન વર્ષ જેટલા સુદીર્ધ સમય સુધી કુમાર' માસિકના સંપાદન દ્વારા ગુજરાતને સત્ત્વશાળી વાચન પૂરું પાડી ત્રણત્રણ પેઢીઓનુ` સંસ્કારઘડતર કરનાર, અનિયતકાલિક કવિતા' અને પછી કવિતા-સાયિક વિલેાક'ના પ્રેરક, ગુજરાતી લિપિને નવા મરોડ આપનાર, સુરુચિપૂર્ણ મુદ્રણકલાના નિષ્ણાત અને ‘ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકળા' આદિ કલાવિષયક તેમ જ મુદ્રણકળાવિષયક લેખા, કલાવિવેચને તથા કાવ્યાના મિતાક્ષરી અદ્યોતક આસ્વાદ કરાવનાર મર્મજ્ઞ કલાવિવેચક અને પત્રકારત્વને ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર બચુભાઈ રાવત (૧૮૯૮– ૧૯૮૦) વગેરેનું અણુ નોંધપાત્ર છે. (ચિ.)
[આ પ્રકરણમાં જે લખાણને અંતે (સાં.) લખ્યું છે તે લખાણ ભાગીલાલ સાંડેસરાનું, (પૃ.) લખ્યું છે તે કૃષ્ણવીર દીક્ષિતનું, (મા) લખ્યું છે તે મેહનભાઈ પટેલનું અને (ચ.) લખ્યું છે તે લખાણ ચિમનલાલ ત્રિવેદીનું છે.]
Page #410
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ રામનારાયણ પાઠક
(ઈ. ૧૮૮૭–૧૯૫૫) ગુજરાતી સાહિત્યવિવેચનની પરંપરામાં આનંદશંકર ધ્રુવ અને બલવંતરાય ક, ઠાકરની સાથે રામનારાયણ પણ એક શ્રદ્ધેય વિવેચક તરીકે પ્રતિષ્ઠિત છે. સાક્ષરયુગ અને ગાંધીયુગના સુભગ સમન્વયના પરિણામ-પરિપાકરૂપ તેમની કારકિર્દી જણાય. તેમની કેવળ સાહિત્યવિવેચનના ક્ષેત્રે જ નહિ, પિંગળના ક્ષેત્રે, સંપાદન અને અનુવાદ તેમ જ સર્જનના ક્ષેત્રેય ઐતિહાસિક દષ્ટિએ મહત્વની સેવા છે. ગૂજરાત વિદ્યાપીઠને વિદ્વાન અધ્યાપકેની હરોળમાં તેઓ કલારસિકતાએ પણ ધ્યાન ખેંચનારા જય, ગાંધીજીની જીવનભાવનાનું એક પ્રસન્નકર રૂ૫ રામનારાયણની શિક્ષણ તથા સાહિત્યની સંનિષ્ઠાભરી સેવામાં મેરેલું જોઈ શકાય,
૧. જીવન રામનારાયણનો જન્મ ૧૮૮૭ને એપ્રિલની આઠમીએ (ચૈત્રી પૂર્ણિમાએ) સૌરાષ્ટ્રમાં ધોળકા તાલુકાના ગાણેલ ગામે, વિદ્યાસંસ્કાર તથા વાક્પટુતા માટે જાણીતી એવી પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમનું વતન સૌરાષ્ટ્રનું ભેળાદ. પિતા વિશ્વનાથ સદારામ પાઠક વ્યવસાયે અને વૃત્તિએ શિક્ષક; બીલખાના. શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે કેટલાક સંસ્કૃત ગ્રંથોના અનુવાદ પણ ગુજરાતને આપ્યા છે. માતા આદિતબાઈ પણ વ્યવહારદક્ષ અને પરંપરાગત ધર્મસંસ્કારવાળાં હતાં. તેઓ આમ તો અભણ, પરંતુ લેકગીત-દેશીઓ વગેરેનાં રસિયાં હતાં. રામનારાયણના કાવ્યરસ–પિંગળના તથા તત્ત્વજ્ઞાનરસ-કેળવણીરસના સંવર્ધન-વિકાસમાં માતાપિતા બંનેયને ફાળો હતે.
રામનારાયણનું શાલેય શિક્ષણ જેતપુર, રાજકોટ, જામખંભાળિયા અને ભાવનગરમાં થયું. ભાવનગરથી મૅટ્રિક થઈ ત્યાં જ સામળદાસ કોલેજમાં જોડાયા અને પ્રિવિયસમાં સર્વપ્રથમ આવી, “પવિલ ઑલરશિપ’ મેળવી, મુંબઈની ગોકલદાસ તેજપાલ બેડિ ગની બેડરશિપ મળતાં ત્યાંની વિલ્સન કોલેજમાં દાખલ થયા. ત્યાંથી ૧૯૦૮માં લોજિક તથા ઍરલ ફિલોસેફી –એ અચ્છિક વિષય સાથે બી.એ.ની પરીક્ષા તેમણે પ્રથમ વર્ગમાં પસાર કરી અને એ જ કેલેજમાં દક્ષિણફેલે તરીકે સંસ્કૃતનું અધ્યાપન કર્યું. રામનારાયણને મેટ્રિક સુધીમાં ચુનીભાઈ ભટ્ટ, ગિજુભાઈ જેવા સહાધ્યાયીઓને તે નાનાભાઈ ભટ્ટ જેવા આદર્શ
ગુ. સા. ઈ. ૨૬
Page #411
--------------------------------------------------------------------------
________________
૪૦૨].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
શિક્ષકના શિક્ષણને લાભ મળ્યો હતો. તેઓ મુંબઈ અભ્યાસ માટે ગયા ત્યારે
ત્યાં મહાદેવભાઈ દેસાઈને સંપર્ક થયો. આ બધાને કારણે તેમના સાહિત્યશિક્ષગુના રસને પોષણ મળ્યું. તેમની સ્વતંત્રપણે જીવવાની વૃત્તિ પણ બલવત્તર થતી ગઈ અને તેથી ૧૯૧૧માં એલએલ.બી. થઈ અમદાવાદમાં વકીલાત આરંભી; પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે હવાફેરના ખ્યાલથી તેમણે પછી સાદરાને વકીલાતનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેમની ઈચ્છા વકીલાત દ્વારા વીસ હજાર રૂપિયા ભેગા કરી, તેના વ્યાજમાંથી જીવનનિર્વાહ કરતાં, અનન્યભાવે સરસ્વતી સેવા કરવાની હતી, પરંતુ તે ઇચ્છા બર ન આવી. ૧૯૦૩માં જેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા છે તેમનાં પ્રિય પતની મણિગૌરીનું ૧૯૧૮માં અણધાર્યું અવસાન થયું. તે પછીના વરસે તેમની એકની એક પુત્રી સરલાનું તથા બહેન સવિતાનું અવસાન થયું. તેમને વાનપ્રસ્થના સરખું જીવન ગાળવાની વૃત્તિ થઈ, પણ તે દરમ્યાન તેઓ પિતે પણ ટાઈફોઈડની ગંભીર બીમારીમાં સપડાયા, પણ તેમાંથી ઊગર્યા. એવામાં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી તેઓ ગુજરાત કેળવણી મંડળમાં સ્વયંસેવક થવા માટે વકીલાત છોડી સાદરાથી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં જે. એલ. ન્યૂ ઈગ્લિશ સ્કૂલમાં છએક માસ આચાર્ય તરીકે સેવાઓ આપ્યા બાદ, અસહકારનું આંદોલન થતાં, ગાંધીવિચારથી આકર્ષાઈ, ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠમાં પિતાના પરમ મિત્ર રસિકલાલ છે. પરીખની સાથે અધ્યાપક તરીકે જોડાયા. તેમને વિદ્યાપીઠપ્રવેશ ખરેખરા અર્થમાં તેમને દ્વિજત્વ' અર્પનાર બની રહ્યો.
રામનારાયણે પોતે જ ગાંધીજીને પિતાના જીવન પર અસર કરનાર વ્યક્તિએમાં પ્રથમ યા દ્વિતીય સ્થાન આપ્યું છે. રામનારાયણે વિદ્યાપીઠમાં રહી અનેકવિધ પ્રવૃત્તિઓમાં રસ લીધો. ત્યાંના પુરાતત્વમંદિર સાથે તથા “પુરાતત્ત્વ” ૌમાસિક સાથે તેઓ સંકળાયેલા રહ્યા. તેમણે વિદ્યાપીઠમાં રહી પ્રમાણશાસ્ત્રનું અધ્યાપન કરતાં એ વિશે એક પુસ્તક પણ લખ્યું. “ફરજ અદા કરવાની બુદ્ધિY. એ તેમને અધ્યાપન ઉપરાંત સંપાદન, અનુવાદ, સર્જન આદિ કાર્યોમાં પ્રેર્યા.
ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા બાદ અધ્યયન-અધ્યાપન સાથે રાષ્ટ્રીય સેવાનાં અન્ય કાર્યો પણ તેમણે કાબેલિયતથી કરેલાં. બારડોલી સત્યાગ્રહ વખતે તપાસ કમિશન આગળ લેકેના કેસ રજૂ કરનારાઓમાં મહાદેવભાઈ તથા નરહરિભાઈ સાથે તેમને પણ સરદાર પટેલે પસંદ કરેલા. વળી ૧૯૩૦ના રાષ્ટ્રીય સત્યાગ્રહમાં એક ટુકડીની આગેવાની લઈ છ માસની જેલ-સજા પણ વહેરેલી.
રામનારાયણ આમ તે “સાબરમતી, પુરાતત્વ', યુગધર્મ' જેવાં સામયિક
Page #412
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦] રામનારાયણ પાઠક
[૪૦૩ માટે અવારનવાર લખતા હતા. ૧૯૨૫માં “યુગધર્મ' ક. મા. મુનશીને ગુજરાત સાથે જોડાઈ જતાં, “ડર્ન રિવ્યુ'ની કક્ષાના એક ગુજરાતી સામયિકની આવશ્યકતા જણાતાં સં. ૧૯૮૨ના કારતક સુદ પૂનમથી “પ્રસ્થાન' માસિક શરૂ કર્યું. આ માસિક પાઠકસાહેબના સાહિત્યિક વિકાસમાં મહત્ત્વનું નિમિત્ત બની રહ્યું. “પ્રસ્થાને તેમની સર્જન-વિવેચનની પ્રવૃત્તિને વેગ આપે. “પ્રસ્થાને જ તેમને “જાત્રાળુ”, “ભૂલારામ”, “શેષ', દ્વિરેફ' અને “વૈરવિહારી' – એમ વિવિધ સ્વરૂપાએ સાહિત્યક્ષેત્રે વિહરવાની ભૂમિકા આપી. આ સામયિકના સંચાલનમાં પાઠકસાહેબ સીધી રીતે તે અગિયાર વર્ષ (સં. ૧૮૮૨થી સં. ૧૯૯૩ સુધી) જ સંકળાયેલા રહ્યા, પરંતુ એ “પ્રસ્થાન'-કારકિદ કેવળ એમના વ્યક્તિગત જીવનમાં જ નહિ સમસ્ત ગુજરાતના સાહિત્યિક જીવનમાં ઉન્નતિપ્રેરક પરિબળરૂપે સિદ્ધ થઈ રહી.
રામનારાયણ ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૧થી ૧૯૨૮ સુધી રહ્યા; ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી છૂટા થઈ, “પ્રસ્થાન'ને પૂરો સમય આપતાં ૧૯૨૮થી ૧૯૩૫ સુધી ખાનગી ટચશનાદિની આવકે નભતાં આર્થિક ભીંસ પણ તેમણે વિઠી. ૧૯૩૫થી ફરીથી તેમણે અધ્યાપનક્ષેત્રે પ્રવેશ કર્યો અને ૧૯૩૫થી ૧૯૩૭ મુંબઈની એસ.એન.ડી.ટી. કૅલેજમાં, ૧૯૩૭થી ૧૯૪૬ અમદાવાદની એલ.ડી. આસ કૉલેજમાં, ૧૯૪૬ના જૂનથી ૧૯૫૦ના જૂન સુધી મુંબઈની ભારતીય વિદ્યાભવન સંસ્થામાં, ૧૬-૮-૧૯૫૦થી ૧૯૫ર અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વિભાગમાં અને ત્યાર બાદ ૧૯૫રથી તે આયુષ્યના અંતકાળ સુધી ફરીથી મુંબઈની ભારતીય વિદ્યાભવન સંસ્થામાં અધ્યાપનકાર્ય કર્યું અને તે સાથે અધ્યયન-સંશોધનનાં કાર્યો પણ કરતા રહ્યા. રામનારાયણે જીવનમાં છેલ્લે છેલ્લે મુંબઈ રેડિયે સટેશનના ગુજરાતી વિભાગના સલાહકાર તરીકેની સેવા પણ આપેલી.
તેમનું અંગત જીવન સાદું ને વ્યવસ્થિત હતું. ‘દષ્ટિપૂર્વ ચૂત પામ્’ જેમ એમના “પ્રસ્થાન ને તેમ એમના જીવનનેયે ધ્યાનમંત્ર હતા. તેઓ, રસિકલાલ છો. પરીખ કહે છે તેમ, “એસેટિક ટેમ્પરામેન્ટ' ધરાવનારા હતા. તેમનામાં સંયમ અને રસિકતાને, ચિંતનશીલતા અને લાગણીશીલતાને, યથાર્થ લક્ષિતા અને આદર્શ લક્ષિતાને, તનિષ્ઠા અને સ્વૈરવિહારીપણાને, તાટશ્ય અને મૈત્રીને કેઈ અને ખો સમન્વય સિદ્ધ થયેલ હતા. પિતાની પ્રથમ પત્ની મણિગીરીના નિધન બાદ, રામનારાયણે પૂરાં ૨૫ વર્ષ એકાકી જીવન વ્યતીત કરેલું, છેક ૧૯૪૫માં જ્યારે તેમને તેમનાં ૩૦ વરસનાં શિષ્યા હીરાબહેન કે. મહેતા સાથે
Page #413
--------------------------------------------------------------------------
________________
૪૦૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ " [ચં. ૪ લગ્નગ્રંથિથી જોડાવાનું થયું ત્યારે તેમનાં લગ્ન સાથે સામાજિક ઊહાપોહ તે ઘણો થયો, પરંતુ તેમને મધુર દામ્પત્યે એ ઊહાપોહને નિરર્થક ઠરાવ્યું. હીરાબહેને ૧૯૪૭થી હૃદયરોગના વ્યાધિમાં સપડાયેલા પાઠકસાહેબની ખૂબ કાળજીથી પરિચર્યા કરી; પરંતુ છેવટે ૨૧-૯-૧૯૫૫ના રોજ એ જ વ્યાધિને ત્રીજા હુમલાએ પાઠકસાહેબનું મુંબઈમાં નિધન થયું.
તેઓ રુચિ-૨ પુરુષ – મૅન ઑફ ટેસ્ટ – હતા. જીવન તેમ જ કવનમાં સુરુચિ પર– ઔચિત્યવિવેક પર ખાસ ભાર મૂકનારા હતા. તેમનું રસરુચિનું ક્ષેત્ર વિશાળ હતું - લોકસાહિત્યથી માંડીને પ્રશિષ્ટ સાહિત્ય સુધીનું સાહિત્ય ઉપરાંત ચિત્ર, નૃત્ય, સંગીતાદિ કળાઓ સુધીનું. તેઓ વાતચીતરસિયા (conversationalist) હા. શિષ્યમંડળ મોટું હતું, જેમાં સ્નેહરશ્મિ, સુન્દરમ, કરસનદાસ માણેક, નગીનદાસ પારેખ આદિ અનેકને સમાવેશ થતો હતો. ઉમાશંકર પણ એમની સાથે આનંદશંકરના કેટલાક ગ્રંથોના સંપાદનમાં જોડાયા એ પણ (ત્રણેયને સ્તો) સુયોગ તે ખરે જ. રામનારાયણ ગાંધીયુગના મહાન સાહિત્યગુરુ બની રહ્યા. બાળાશંકર, કાન્ત, બલવંતરાય, ન્હાનાલાલ – એ રીતે અનેક સાહિત્યવીરોને પોતાની આસપાસની ઊછરતી સાહિત્ય પેઢી સમક્ષ સમ્યગૂ રીતે રજૂ કરવાને સંપાદક-વિવેચક શિક્ષકને
સ્વધર્મ તેમણે અદબપૂર્વક અદા કર્યો. તેમણે પોતાની સારસ્વત પ્રતિભાને ઉત્તમ હિસાબ અધ્યાપક, સાહિત્યકાર અને પત્રકારના ઉદાત્ત ધર્મ પાલનથી ગુજરાતને આપ્યો.
તેઓ જીવનભર સાહિત્ય-શિક્ષણની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ને મંડળ સાથે જોડાયેલા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યાસભા જેવી સંસ્થા
માં તેમણે પ્રમુખીય જવાબદારીઓ પણ અદા કરી હતી. તેઓ નવમી અને તેરમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય-વિભાગના તેમ જ સોળમી પરિષદમાં સમગ્ર અધિવેશનના માનાર્હ પ્રમુખ થયા હતા. તેમણે ૧૯૩૩માં રા. બ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં “નર્મદાશંકર કવિ” – એ વિશે તે ફાર્બસ ગુજરાતી સભામાં “કવિ નર્મદનું ગદ્ય' –એ વિશે, ૧૯૩૩માં ગુજરાત વિદ્યાસભામાં
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય' વિશે તો ૧૯૩૫-૩૬માં ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' વિશે, ૧૯૫૧માં મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ વ્યાખ્યાનમાળામાં “ગુજરાતી પિંગળ નવી દષ્ટિએ – એ વિશે વ્યાખ્યાન આપેલાં, જે પછી ગ્રંથસ્થ સ્વરૂપે પણ સુલભ થયાં છે. રામનારાયણને “ઉત્તરમાગીને લેપ (૧૯૪૦) વાર્તા માટે ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક, પ્રાચીન ગુજરાતી છો' માટે ૧૯૪૯નું હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને તે જ ગ્રંથ માટે ૧૯૪૬થી.
Page #414
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦ ] રામનારાયણ પાઠક
[૪૦૫ ૧૯૫૦ સુધીના ગાળાના ઐતિહાસિક નિરૂપણના ઉત્તમ ગ્રંથ તરીકે સુરતની નર્મદ સાહિત્ય સભાને નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ “બૃહદ્ પિંગલ' માટે ૧૯૫૬નું સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક એનાયત થયેલાં. આ સર્વ વીગતે રામનારાયણની વિદ્વત્તાન -એમની સાહિત્યિક પ્રતિભાને કે સાર્વત્રિક અને ઉમદા સ્વીકાર-પુરસ્કાર ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ થયેલે તેને અણસાર આપી રહે છે.
રામનારાયણ સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, કવિ, નિબંધકાર, નાટ્યકાર વગેરે અનેક રૂપાએ વિહર્યા છે પરંતુ એમના સમસ્ત સાહિત્યવિહારમાં એમની કલારસિક પ્રકૃતિને સ્વૈરવિહાર-ચિંતનવિહાર અવારનવાર પ્રતીત થાય છે. એમનામાં પિતાની અંદરના ગંભીર લેખકને હસી શકે એવો એક તોફાની વિદૂષક પણ હેવાનું તેઓ પોતે પકડી શક્યા છે. તેઓ એક હસતા ફિલસૂફની રીતે વિનોદ કરતાં કરતાં જીવનના અનેકાનેક પદાર્થોના અંતર મને ગંભીરતાથી
ઈ-પામી લેવામાંયે નિપુણ છે. તેઓ રસદષ્ટિએ જે કંઈ રહે છે તેને તર્ક પૂત રીતે રજૂ કરવાની કાબેલિયત પણ ધરાવે છે. જીવનના ને કાવ્યના એમના મમ: દર્શનમાં ગહનતા સાથે વિરોદતા અનિવાર્યતા સંપૂત હોય છે. તેઓ કાવ્યના ઈદને કાવ્યશાસ્ત્રી અને પિંગળશાસ્ત્રી ઉભયની નજરે જોવાની સાહજિક વૃત્તિશક્તિ દાખવે છે અને એમની આવી વૃત્તિશક્તિને કારણે જ એમના સાહિત્યમાં એકંદરે રસિક્તા ને પાંડિત્ય સાથે, સૌન્દર્ય અને સત્ત્વનું યે સહિતત્વ સમતાપૂર્વક હાંસલ કરી શક્યા છે.
૨. કૃતિઓ રામનારાયણનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે અર્પણ વિપુલતા તેમ જ ગુણવત્તા ઉભય દૃષ્ટિએ નૈોંધપાત્ર છે. એમના અત્યાર સુધીના પ્રકાશિત ગ્રંથોની યાદી નીચે પ્રમાણે છેઃ ૧. સર્જન
કવિતા (૧) શેષનાં કાવ્યો (૧૯૩૮), (૨) વિશેષ કાવ્યો (૧૯૫૯). નાટકઃ (૧) કુલાંગાર અને બીજી કૃતિઓ (૧૯૫૯). વાર્તાઃ (૧) દ્વિરેફની વાતો –૧ (૧૯૨૮), (૨) દ્વિરેફની વાતે-૨ (૧૯૩૫), (૩) દ્વિરેફની વાતે-૩ (૧૯૪૨). નિબંધઃ (અ) હળવા નિબંધે ઃ (૧) સ્વૈરવિહાર–૧ (૧૯૩૧), (૨) સ્વૈરવિહાર-૨ (૧૯૩૭). (બ) ગંભીર નિબંધ : (૧) મને વિહાર (૧૯૫૬). ૨. વિવેચન - (અ) સાહિત્યકલાગત ઃ (૧) અર્વાચીન ગુજરાતી સાહિત્ય (૧૯૩૩),
Page #415
--------------------------------------------------------------------------
________________
૪૦૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (૨) નર્મદાશંકર કવિ (૧૯૩૬), (૩) અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે (૧૯૩૮), (૪) કાવ્યની શક્તિ (૧૯૩૯), (૫) સાહિત્યવિમર્શ (૧૯૩૯), (૬) આલોચના (૧૯૪૪), (૭) નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યને આદ્યપ્રણેતા (૧૯૪૫. “નર્મદાશંકર કવિ” આમાં સમાવિષ્ટ), (૮) રાસ અને ગરબા (૧૯૫૪, ગોવર્ધન પંચાલ સાથે), (૯) સાહિત્યલેક (૧૯૫૪), (૧૦) નભોવિહાર (૧૯૬૧), (૧૧) આકલન (૧૯૬૪), (૧૨) કાવ્યપરિશીલન (૧૯૬૫, અધ્યા. નગીનદાસ પારેખ સાથે), (૧૩) શરદસમીક્ષા (૧૯૮૦), (બ) પિંગળગતઃ (૧) પ્રાચીન ગુજરાતી છંદ – એક ચિતિહાસિક સમાલોચના (૧૯૪૮), (૨) ગુજરાતી પિંગળ નવી દષ્ટિએ (૧૯૫૨), (૩) બૃહદ્ પિંગળ (૧૯૫૫), (૪) મધ્યમ પિંગલ (૧૯૮૧, અપૂર્ણ, ચિમનલાલ ત્રિવેદી અને કાન્તિલાલ કાલાણી દ્વારા પૂરું કરાવીને પ્રસિદ્ધ; એમાં “પિંગળ, પ્રવેશને સમાવેશ કરી લેવામાં આવ્યું છે.). ૩. પ્રકીર્ણ
(૧) પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા (૧૯૨૨), (૨) નિત્યને આચાર (૧૯૪૫). અનૂદિત સાહિત્ય : (૧) કાવ્યપ્રકાશઃ ઉલાસ ૧થી ૬ (૧૯૨૪. અધ્યા. રસિકલાલ છો. પરીખ સાથે.), (૨) ધમ્મપદ (૧૯ર૪, અધ્યા. ધર્માનંદ કેસંબી સાથે.), (૩) ચુંબન અને બીજી વાતો (૧૯૨૮, અધ્યા. નગીનદાસ પારેખ સાથે. આ પુસ્તકની બીજી આવૃત્તિ “વામા” નામે પ્રગટ થઈ છે.). સંપાદિત સાહિત્ય: કવિતા ઃ (૧) ગોવિંદગમન (૧૯ર૩, અધ્યા. નરહરિ પરીખ સાથે), (૨) પૂર્વાલાપ (બીજી આવૃત્તિનું સંપાદન, ૧૯ર ૬), (૩) કાવ્યસમુચ્ચય ભાગઃ ૧ અને ૨ (૧૯૨૪), (૪) કાવ્યપરિચય ભાગ : ૧ અને ૨ (૧૯૨૮, અયા. નગીનદાસ પારેખ સાથે), વાર્તાઃ (૧) ગુર્જર વાર્તાવૈભવઃ ૩: સામાજિક કથાઓ (૧૯૫૬, હીરાબહેન પાઠક સાથે). શાલેય પાઠયપુસ્તક (ગદ્યપદ્યાત્મક) : સાહિત્ય સંપાન – ભાગઃ ૧, ૨ અને ૩ (૧૯૫૪, મનુભાઈ પ્ર. વૈદ્ય અને અન્ય સાથે). સ્વ, આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું સાહિત્યઃ (૧) કાવ્યતત્ત્વવિચાર (૧૯૩૯), (૨) સાહિત્યવિચાર (૧૯૪૨), (૩) આપણે ધર્મ (ત્રીજી આવૃત્તિનું સંપાદન, ૧૯૪૨), (૪) દિગ્દર્શન (૧૯૪૨), પ. વિચારમાધુરી-૧ (૧૯૪૬) (આ પાંચેય ગ્રંથનું ઉમાશંકર જોશી સાથે સંપાદન કરેલું છે.). પ્રકીર્ણ : (૧) મુનશક્તિસંચય (૧૯૪૭, પ્ર. વી. એમ. ભૂષણ તથા છે. સીતારામ ચતુર્વેદી સાથે), (૨) કવિ શ્રી ન્હાનાલાલ સ્મારક ગ્રંથ (૧૯૫૩, રવિશંકર મ. જોષી અને અન્ય સાથે.)
[નોંધઃ આ ઉપરાંત પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન' નામના ગુ. સા. પરિષદ
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦]. રામનારાયણ પાઠક
[૪૦૭ તરફથી પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં સામાન્ય સંપાદક તરીકે એમનું નામ છે, પરંતુ એ કામ એમના સ્વર્ગવાસ બાદ કે. કા. શાસ્ત્રી તથા ચૈતન્યબાળા દ્વારા થયેલું છે.]
આ ઉપરાંત “આલોચના'માં આપેલી પ્રકાશ્ય ગ્રંથની યાદીમાં “સાહિત્યસ્વાદ, અધ્યાપકની નૈધ ભાગ : ૧ અને ૨, “મનનવિહાર', 'દ્વિરેફની કિશોર વાર્તા, તથા “રા. વિ. પાની પત્રધારાને નિર્દેશ કરવામાં આવ્યા છે.
આ ગ્રંથયાદી જતાં રામનારાયણની સાહિત્યિક પ્રતિભા કેવી બહુમુખી હતી તે તુરત પ્રતીત થશે. સર્જક-વિવેચક-શિક્ષકનું વિલક્ષણ સાયુજ્ય એમની સારરવત પ્રતિમા “ઇમેજ')માં અનુભવાય છે.
૩. વિવેચન રામનારાયણની આ તેજસ્વી સારસ્વત પ્રતિમાનાં વિવિધ પાસાંનું અવલોકન કરતાં એમનું વિવેચક પાસું સૌપ્રથમ નજરે ચઢશે. - ઉમાશંકરે પિતાને ગમતા ત્રણ પ્રમુખ વિવેચકોમાં આનંદશંકર અને બલવંતરાય પછી રામનારાયણને નિર્દેશ કરેલો તે સાભિપ્રાય જણાય છે. વિપુલતા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ પાઠકનું વિવેચન પ્રભાવક છે. એ એમની જીવનભરની મુખ્ય, પ્રિય અને સાતત્યવાળી પ્રવૃત્તિ રહી છે. તેમના વિવેચનકાર્યની પ્રગતિમાં સાહિત્યનું સંપાદન-અધ્યાપન, સાહિત્યિક પત્રકારત્વ (“યુગધર્મ' અને “પ્રસ્થાન માટેનું ગ્રંથાવલોકનકાર્ય) વગેરે સીધાં કારણભૂત જણાય છે. ૧૯૨૨થી ૧૯૫૫ સુધીની એમની વિવેચન-કારકિર્દી દરમ્યાન એમણે લગભગ દસેક ગ્રંથમાં બે હજારથીયે વધુ પૃષ્ઠોની વિવેચન-સામગ્રી આપી છે; તે ઉપરાંત એમનું અગ્રંથસ્થ અમુદ્રિત વિવેચનકાર્ય તે અલગ.
રામનારાયણના વિવેચક તરીકેના વિકાસમાં, એમની સાહિત્યિક વિભાવનાઓના ઘડતરમાં ભારતીય કાવ્યમીમાંસાને ઊંડો પ્રભાવ જોઈ શકાય. “મમ્મટની રસમીમાંસા, ક્ષેમેન્દ્રની ઔચિત્યવિચારચર્ચા' જેવો લેખ તો ભારતીય કાવ્યમીમાંસા સાથેના સીધા સાતત્યમાં જોઈ શકાય છે “કાવ્યની શક્તિ, “કાવ્ય અને સત્ય જેવા લેખેમાંયે એ મીમાંસાધારાનું અનુસંધાન સ્પષ્ટ રીતે જોવા મળે છે.
તેમણે વિવેચનના સૈદ્ધાંતિક, કૃતિનિષ્ઠ, તુલનાત્મક અને ઈતિહાસનિષ્ઠ–એ સર્વ મહત્વના પ્રકારો ખેડ્યા છે. કાવ્યની શક્તિ; જીવન અને સાહિત્યને તેમ જ સત્ય અને કાવ્યને સંબંધ; કાવ્યમાં ભવ્યતા, અત્યુક્તિ આદિનું સ્થાન; ટૂંકી વાર્તાનું સ્વરૂપ, વિવેચનના વિવિધ પ્રશ્નો – આ સર્વ વિશેની તેમની વિચારણું સૈદ્ધાંતિક વિવેચનના ધ્યાનાર્હ નમૂનારૂપ છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ , ૪ તેમણે કૃતિનિષ્ઠ વિવેચનમાં કાવ્યાસ્વાદ-રસદર્શન, અવલોકનથી તે આકલનસમીક્ષા સુધીના વિવિધ પ્રકારે ખેડ્યા છે. કાવ્યપરિશીલન'માંના કાવ્યાસ્વાદે, શરદસમીક્ષા'ને લેખો, આનંદશંકર ધ્રુવના દિગ્દર્શન', “વિચારમાધુરી તથા આપણે ધર્મને ઉઘાતરૂપે લખેલા લેખે; “સરસ્વતીચંદ્ર', “રાઈનો પર્વત', પૂર્વાલાપ', “વિશ્વગીતા', “કાકાની શશી', “તણખામંડળ૧ અને ૩” વગેરે વિશેનાં એમનાં લખાણે એમની સત્ત્વશાળી કૃતિનિષ્ઠ વિવેચનાનાં ઉદાહરણ છે. એમની ૧૯ર૯ના ગુજરાતી ગ્રંથસ્થ વાલ્મય વિશેની સમીક્ષા એ પછીની સમીક્ષાઓ માટેના માર્ગદર્શક સ્તંભરૂપ જણાય છે.
રામનારાયણને તુલનાત્મક વિવેચનાને ખ્યાલ છે. તેઓ મહાભારતના નાપાખ્યાન અને પ્રેમાનંદના નળાખ્યાનની તુલના કરી વસ્તુદષ્ટિએ પ્રેમાનંદ કેટલા ને કેવા ફેરફાર કર્યા છે તેની નોંધ લે છે; રામાયણનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ તપાસે છે. સૈદ્ધાંતિક વિવેચન કરતાં ભારતીય અને પાશ્ચાત્ય વિવેચનાના કેટલાક નિષ્કર્ષો વચ્ચે રહેલા સાગ્યને ચીંધી બતાવે છે અને તદનુષંગે તેઓ સમન્વયલક્ષી વલણ પણ અપનાવે છે. કાવ્ય રસનિષ્પત્તિ માટે છે' – એ
ખ્યાલમાં તેઓ કલાને ખાતર કલાનો સિદ્ધાંતપ જુએ છે. “આર્ટ ઇઝ ઇલ્યુઝન'ના સિદ્ધાંતને શંકુકના ચિત્ર-તુરગન્યાયની સાથે મેળ જુએ છે. વળી કાવ્યજગતના અનુભવને ભાવનાત્મક કહેવામાં બેસાંકે (બેઝાકિટ)ના “આર્ટ ઈઝ કન્ટેન્સેટિવ'ના ખ્યાલનું તે કાવ્યજગતને અનુભવ સાધારણીકૃત છે તેમાં “લ આર્ટ ઇઝ યુનિવર્સલના ખ્યાલનું પ્રવર્તન જુએ છે. તેઓ “આર્ટ ઈઝ એકસ્ટ્રેશન ઑફ લાઈફ' સૂત્રનું સ્વારસ્ય “આત્મા એ જ સ્થાયી છેમાં આવી ગયેલું જુએ છે.’ રામનારાયણની સમન્વયદૃષ્ટિ કલા એ અનુકરણ છે અને કલા એ નવસર્જન છે – એ બંને મતોનું સમાધાન કરી શકે છે. તેઓ મૅથ્ય આર્નલ્ડની જેમ કાવ્યને જીવનની સમીક્ષારૂપે તેમ “જીવનના પ્રકટીકરણ૧૧-રૂપે પણ જુએ છે.
રામનારાયણની ઇતિહાસનિષ્ઠ વિવેચનાના સર્વોત્તમ ઉદાહરણરૂપે ૧૯૩૬માં ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં તેમનાં અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણેનાં પાંચ વ્યાખ્યાનોનો નિર્દેશ કરવો જોઈએ. આ વ્યાખ્યાનેમાં બહિરંગથી આરંભી કાવ્યને અંતરંગ સુધી પહોંચતાંમાં ગુજરાતી કવિતાના સર્વાગીણ વિકાસનાં મહત્ત્વનાં એવાં સ્થૂળ-સૂક્ષ્મ પરિબળાનું સમતોલ અને રસદૃષ્ટિએ સંગીન એવું નિરીક્ષણ એમણે સૌપ્રથમ વાર આપ્યું છે. રામનારાયણે ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના પ્રવાહા, સ્વરૂપ, કર્તાઓ અને કૃતિઓ વિશે અનેક અભ્યાસપૂત અભિપ્રાય ઉચ્ચાર્યા છે. તેમણે વિવેચકમાં
Page #418
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦] રામનારાયણ પાઠક
[૪૦૯ આવશ્યક એવાં “સહૃદયતા અને સૌહાર્દથી ગુજરાતી સાહિત્યની સમીક્ષા કરતાં કૃતની કૃતજ્ઞતા” તથા “અકૃતને અસંતોષ૧૧ સ્પષ્ટતયા પ્રગટ કર્યો છે.
તેમણે પ્રેમાનંદની હાસ્ય નિષ્પન્ન કરવાની શક્તિને – કવિત્વશક્તિને “સુદામા ચરિત', “મામેરું' તથા “નળાખ્યાન'ના નિમિત્તે કરાવેલ પરિચય હદયંગમ છે. તેઓ પ્રેમાનંદની કવિત્વશક્તિને પ્રશંસક છતાં વ્યાસ કાલિદાસની કક્ષામાં તેને મૂકતા નથી. માધુર્ય, લાલિત્ય, તરંગલીલામાં અનન્ય છતાં દયારામને નરસિંહઅખાની જેમ ભારતીય મહાન સંતોની હરોળમાં મૂકવાનું તેઓ કપી શકતા નથી. ૧૨ નર્મદની કવિતા અને ગદ્યને તેમને અભ્યાસ “નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યને આદ્યપ્રણેતા' – એ ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. નર્મદ મોટા હડાથી ટીપીને આકારો કરી શકે છે, પરંતુ ઝીણી સોયનું ભરતકામ તેના સ્વભાવને ફાવતું નથી ૩ – એ તેઓ બરોબર બતાવે છે. નર્મદ “ઉત્સાહને કવિ છતાં પરાજિત યોદ્ધા તરફ સવિશેષ ઝૂકેલો હોવાનું તેમનું નિરીક્ષણ પણ ધ્યાનાહ છે. રામનારાયણ ગુજરાતી ગદ્યની ઝીણવટભરી મીમાંસા કરનારા કેટલાક સમર્થ વિવેચકમાંના એક છે. તેઓ નર્મદના ગદ્યની ઝીણવટભરી પરીક્ષા કરતાં તેણે કરેલી ગુજરાતી ભાષાની સેવાને બિરદાવે છે. તેમણે ગાંધીજી, કાકાસાહેબ આદિના ગદ્યની પણ સમર્થ આલેચના કરી છે. તેમણે પાશ્ચાત્ય વિવેચનસિદ્ધાંતને અનુલક્ષીને ગુજરાતી વિવેચનને પ્રારંભ કરનારા તરીકે રમણભાઈ નીલકંઠને, નવીન કાવ્યસ્વરૂપઘટક બળના પ્રવર્તક તરીકે નરસિંહરાવને તે અર્વાચીન કવિતાના સંકોચભેદક બળ તરીકે ન્હાનાલાલ તથા બલવંતરાયને નિર્દેશ કર્યો છે. તેમણે સરસ્વતીચંદ્ર'ની તેના વક્તવ્ય તથા આકાર નિમિત્તે સમર્થ ચર્ચા કરી, ગોવર્ધનરામવિષયક તેજસ્વી વિવેચન આપનારાઓમાં માનભર્યું સ્થાન હાંસલ કર્યું છે. કાતના પૂર્વાલાપ'ની બીજી આવૃત્તિનું સંપાદન કરતાં કાન્તની જીવનદષ્ટિના વિકાસ સાથે તેમના કવિકર્મની વિશેષતાઓને સાંકળી તેનું સમ્યમ્ દર્શન કરાવવા પ્રયાસ કર્યો. તેમણે ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ વગેરેની કૃતિઓની આસપાસ રહેલું ધુમ્મસિયું હવામાન કે એમની બેટી ચમક-ધમક નિવારવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો. વળી રાજે જેવાના કવિકર્મને ઉપસાવવામાં, સુન્દરમ–ઉમાશંકર જેવાની શક્તિઓને એમના ઉદયકાળે જ બિરદાવવામાં તેમ જ પ્રશિષ્ટ સાહિત્યકારો વિશે નિભીક અને સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવામાં તેમનું વિવેચક તરીકેનું ખમીર પ્રગટ થાય છે.
રામનારાયણે વિવેચનને નવલરામની રીતે એક સામાજિક જવાબદારીવાળું કાર્ય માન્યું છે. વિવેચનને તત્વચિંતનના એક વ્યાપાર તરીકે, સર્જનની સાથે રહી જમાનાની ફિલસૂફી ઘડનાર પરિબળ તરીકે, સાહિત્યને શુદ્ધ રાખનાર બળ
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૧૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ઝં. ૪ તરીકે તેઓ સ્વીકારે છે. સર્જનની જેમ વિવેચનનેય જીવનસાપેક્ષ અને જીવનના વ્યાપક અનુભવમાંથી પોષણબળ મેળવનાર આનંદમાંથી ઉદ્દભવેલી ને આનંદ માટેની પ્રવૃત્તિ લેખે છે. તેઓ વિવેચનને સાહિત્યના કર્તા ને કૃતિઓ વિશે ચુકાદાઓ આપ્યા કરતી પ્રવૃત્તિ તરીકે નહિ પરંતુ રસાસ્વાદ સાથે સંકળાયેલી, રસતત્ત્વ ગ્રહણ કરતાં જીવનના રહસ્યતત્ત્વ સુધી પહોંચતી એક આધ્યાત્મિક પ્રવૃત્તિ તરીકે અવકે છે. વિવેચન સર્જન પર નિર્ભર અને એ રીતે પરાયત્ત છતાં “સાચા જીવતા સર્જન-સાહિત્યના વાડ્મય પ્રાણધબકારી-રૂ૫૪ હેવાનું એમનું મંતવ્ય છે. વિવેચનમાં “જીવનના ઊંડાણમાંથી ફુરતી૧૫ વસ્તુ તરીકે સુરુચિને તેઓ પ્રાધાન્ય આપે છે. રામનારાયણે વિવેચન દ્વારા શુદ્ધ કલાભાવનાને પ્રતિષ્ઠિત કરી, સર્જકભાવકના રુચિતંત્રને કેળવી સાહિત્યનું વાતાવરણ સંસ્કારદષ્ટિએ તપઃપૂત અને ગૌરવાન્વિત બને એ માટે વિનીત પુરુષાર્થ કર્યો. એમના આ પુરુષાર્થમાં ગાંધીયુગીન સંસ્કારસંદર્ભ પણ જોઈ શકાય.
તેમણે કલાની સ્વાયત્તતાને આગ્રહ સેવ્યું તે સાથે તેની જીવન સાપેક્ષતા અને જીવન પ્રત્યેની જવાબદારી પણ દર્શાવી. જીવનમાં કલાને અને કલામાં જીવનને મહિમા કરનાર આ ગાંધી-સંસ્કારે રંગાયેલા સાક્ષર દ્વારા સર્જન ને વિવેચનને વેઠવું પડયું નથી; બલકે કલા-કાવ્યને જીવન સાથે સર્વ ભદ્ર સંબંધ૧૬ જનારી એમની દૃષ્ટિએ સર્જન અને વિવેચનમાં એકાંગીપણું ન આવી જાય એની સાવધાની રાખી છે.
કાવ્યની રસાત્મક્તા સાથે જીવનની રહસ્યાત્મકતાને તેમણે પ્રગાઢ સંબંધ દર્શાવ્યું છે. કલાકારને જીવનના અમુક વસ્તુ તરફ લાગણીમય – ભાવાત્મક સંબંધ૧૭ તે રહસ્ય. એ રહસ્ય કલાકારની સંકુલ અર્થસભર અનુભૂતિ'ના પર્યાયરૂપ પણ છે. આ રહસ્ય કાવ્યના ઉપાદાન દ્વારા પૂર્ણતયા વાય નહિ હાઈ વ્યંજનાને આશ્રય અનિવાર્ય થઈ પડે છે અને તેથી જ શબ્દાદિ કળાઓની વ્યંજનાધર્મિતા રામનારાયણ બતાવે છે.
તેઓ માને છે કે કાવ્યને અનુભવ અહંકારલિપ્ત ન હોવાથી જીવનના અનુભવની તુલનામાં શુદ્ધ હોય છે.૧૮ એ અનુભવ સત્યમૂલક હોય છે. એમાં કલાકારની ચેતનાના સત્ય સ્વરૂપની સાક્ષાત્કૃતિ હોય છે અને તેથી જ કાવ્યમાં ટ્રેથ ઈઝ બ્યુટી ઍન્ડ ન્યૂટી ટ્રેથ” એવી પ્રતીતિ થવી સાહજિક છે. રામનારાયણ સત્ય અને સૌન્દર્ય, કલા અને નીતિ–એવા ભેદમૂલક ખ્યાલને કાવ્યકલાના ક્ષેત્રે ઈષ્ટ લેખતા નથી તેના મૂળમાં જીવન અને જગતના વ્યાપક સંદર્ભમાં, ચૈતસિક ભૂમિકાએ, અખિલાઈમાં કલાતત્ત્વને અવલકવા-મૂલવવાને એમને અભિગમ
Page #420
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦] રામનારાયણ પાઠક
[૪૧૧. છે. કાવ્યજીવન હીન વૃત્તિ વહે તે આત્માને હણે ૨૦ એવો તેમને અભિપ્રાય હાઈ પ્લેટને થયા એવા પ્રશ્નો કાવ્ય બાબત તેમને થતા નથી. તેઓ તે “સાહિત્યને તેના સર્જક કરતાંયે વધારે સાચાબોલું ૨૧ માને છે. તેમની દૃષ્ટિએ કાવ્ય અને નીતિ બંને આત્માના એક જ રહસ્યબિન્દુમાંથી પ્રગટ થાય છે.૨૨ તેથી જ તેઓ કાવ્યમાંનું યથાર્થ દર્શન તે નીતિ તેમ જ કલા ઉભયની દૃષ્ટિએ માન્ય એવું દર્શન હોવાનું જણાવે છે. ૨૩
કાવ્યમાં સામાન્ય સાથે વિશેષની જે રીતે સહપસ્થિતિ હોય છે તેની સુંદર ચર્ચા કરતાં તેઓ દર્શાવે છે કે કાવ્યમાં સર્વગ્રાહ્યતા એમાંના અનુભૂતિગત. સામાન્ય તત્વને લઈને હેાય છે, એથી જ સાધારણકરણ પણ શક્ય બને છે. અને તેમાં જે પ્રત્યક્ષતા – આસ્વાદ્યતા હોય છે તે અનુભૂતિગત વિશેષ તત્વને લઈને, તેના કવિદષ્ટિએ વિલક્ષણ રીતે કરેલા નિરૂપણને લઈને હેાય છે.૨૪ કાવ્યમાં વિશિષ્ટનું મહત્ત્વ છે પણ તેના આસ્વાદ માટે સામાન્ય સાથે તેને. સંબંધ અનિવાર્ય છે.
રામનારાયણ ક્ષેમેન્દ્રને અનુસરીને કાવ્યમાં ઔચિત્યને ખૂબ મહત્ત્વ આપે છે. આ ઔચિત્યને – યોગ્યતાને એક દષ્ટિ, એક બુદ્ધિ ("ઇનર સેન્સ') તરીકે ઓળખાવી તેની સમગ્ર કાવ્યવ્યાપારમાં સક્રિયતા હોય તે તેઓ અનિવાર્ય માને છે. ૨૫
કાવ્યમાં દર્શન-વર્ણનની સાયુજ્યતા હોય એ અનિવાર્ય છે. તેઓ જેમ કાવ્યકારના વિશિષ્ટ દર્શન પર તેમ તેની ઉપાદાનપ્રભુતા પર પણ ભાર મૂકે છે. કલાની વ્યાખ્યા પણ ઉપાદાનને ખ્યાલમાં રાખીને તેઓ કરે છે: “કલા એટલે. કલાવિધાયકના હંગત ભાવને અમુક બાયેન્દ્રિયગ્રાહ્ય ઉપાદાનમાં વ્યક્ત કરે તે..* તેઓ પ્રત્યક્ષને જ રસનિષ્પાદક લેખી,૨૭ કાવ્યમાં ઘનીકરણ, પ્રત્યક્ષીકરણ કે મૂતીકરણની પ્રક્રિયાને આવકારે છે. તેઓ સંગીતાદિ કલાથી કાવ્યનું વૈશિષ્ટય બતાવવા યોગ્ય રીતે જ ઉપાદાનને મુદ્દો આગળ ધરે છે. તેઓ કહે છેઃ ઉપાદાનગત “મર્યાદા અને સ્વતંત્રતા બંને કેન્દ્રગામી અને કેન્દ્રાપગામી બળે પેઠે રહી, કલાસૃષ્ટિનું ધારણ કરે છે, તેને જીવંત રાખે છે.૨૮ આ ઉપાદાન અને આત્માને સંબંધ શક્તિને આવિષ્કાર કરતે દેહદેહીને સંબંધ છે.૨૯ રામનારાયણ કાવ્યને. ઉપાદાનમાં સ્થૂળ-સૂમભેદે તારતમ્ય કરતાં તેનું સૂક્ષમ ઉપાદાન “લાગણીમય વિચાર અથવા વિચારનિક લાગણી હોવાનું જણાવે છે.”
તેમણે કાવ્યમાં પ્રતિભા, કલ્પના, જ્ઞાન, ભવ્યતા, વાસ્તવવાદ ને ભાવનાવાદ. વગેરે બાબત પણ કેટલીક પાયાની વિચારણા કરી છે. પ્રતિભાને કાવ્યશક્તિના
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૧૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ મૂળભૂત પ્રેરક-નિયામક બળ તરીકે નિર્દેશતાં, તેના વ્યાપારમાં જ કલાસંયમનેય અનુસૂત હોવાનું તેઓ જણાવે છે. કાવ્યમાં આસ્વાદ્ય લાગણી હોય છે, લાગણીને સંયમ નહિ; અને લાગણીનું સજન એને સમજ-આકલન-મૂલ્યાંકન વિના, એના સંયમપૂત ખ્યાલ વિના શક્ય જ નથી. રામનારાયણ જેવા ચિંતક વિવેચક સર્જનમાં તેમ જ ભાવન–વિવેચનમાં તાદામ્યપૂર્ણ તાટસ્થને, લાગણી સાથે બુદ્ધિને સહયોગ અનિવાર્ય માને છે.૩૨
તેમણે લલિત કળાઓને “કલ્પનાની વૈર ગતિઓ', “રમતો', “કલ્પનાની લીલા-રૂપે વર્ણવી છે. કલ્પનાને યૌગિક ને વિશાળ અર્થ લઈ જ્ઞાનમાત્રના ગ્રહણમાં તેની અનિવાર્યતા ચીંધી છે.૩૩ કપનાને વાસ્તવિક્તા સાથે સંબંધ પણ તેમણે સમર્થ રીતે બતાવે છે. વળી મહાન અને સાધારણ કવિને ભેદ ક૫નાની વિશાળતાના સંબંધ હોવાનું તેઓ જણાવે છે.૩૪ તેઓ આ જ સંબંધે કલ્પના (ઇમેજિનેશન) અને તરંગ (ફેન્સી)ને ભેદ કરે છે. ૩૫ તેઓ જ્ઞાન અને ક૯પના વચ્ચે વિરોધ નહિ બલકે બંનેની પરસ્પરોપકારતા પ્રતીત કરે છે. તેઓ સમસ્ત જ્ઞાનવ્યાપારને ઉત્તરોત્તર ચઢતી જતી કટિને સર્જનવ્યાપાર લેખે છે૩૬ અને “સાચી કલા ખરા જ્ઞાન વિનાની હોતી નથી' એમ દર્શાવે છે.
રામનારાયણે ભવ્યતાને “અનેક રસોને ભાવોને અનુપ્રાણિત કરનાર સળંગ રહેલા જીવંત રસ૩૭.રૂપે ઓળખાવી છે. એ ભવ્યતાને સૂકમ રીતને અનુપ્રવેશ સર્વ રસમાં હોઈ શકે; અને એ રીતે તેઓ સર્વ રસમાં અભુત રસ હેવાને ખ્યાલ ધરાવતા જગન્નાથ સાથે બેસી શકે. તેમના મતે ભાવનાવાદ કે આદર્શવાદ અને વાસ્તવવાદ વચ્ચે તાત્વિક ભેદ નથી.૩૮ ભાવનાને તેઓ “જીવનાદર્શ ભૂત ઊર્મિ” તરીકે ઉલ્લેખે છે. તેમની દષ્ટિએ તો કાવ્યમાત્રને વાસ્તવ જગત સાથે સંબંધ પુષ્પવૃક્ષતુલ્ય છે, અને તેથી “સાચી કવિતા કદી અવાસ્તવિક હોઈ શકે નહિ૩૯ એવા અભિપ્રાય પર તેઓ આવે છે. કલાસિકલ અને રોમેન્ટિક વલણોને પશ્ચિમની દેણગી લેખી તેને પૂરી એતિહાસિક ભૂમિકા વિના આપણે ત્યાં ઉપયોગ કરવામાં તેઓ જોખમ જુએ છે.
૧૯૩૩માં અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય પર તેમણે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં તેમાં, તેમ જ પછીથી “પ્રાચીન ગુજરાતી છંદો'નું સર્વેક્ષણ કરી હેમચંદ્રાચાર્ય અને દલપતરામ વચ્ચેની પિંગલદષ્ટિએ ખૂટતી કડીની જે પૂર્તિ કરી તેમાં કાવ્યના અનુષંગે છે દેલય, ગેયતા, પ્રાસ વગેરે વિશે વિચારવાનું બન્યું. તેમણે તે સંસ્કૃત વૃત્ત વાપરવાની પરંપરા, પ્રાણત્યાગ, સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાના પ્રયોગો અને ઈદે મિશ્રણો – આ સર્વનું ગુજરાતી કાવ્યસાહિત્યની અર્વાચીનતાના
Page #422
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦]
રામનારાયણ પાટેક
[ ૪૧૩
નિર્ણાયક વલણારૂપે ચેાગ્ય રીતે જ નિરૂપણ કર્યું. પ્રાસનેા પિંગળ સાથે સંબંધ બતાવી તેનાં મૂળ સંગીતમાં હાવાનેા મત પણ તેમણે રજૂ કર્યાં.
રામનારાયણે કાવ્ય પદ્ય કે ગદ્યમાં હેાઈ શકે એમ સ્વીકાર્યું છે ખરું, છતાં પદ્યરચના આખા કાવ્યને કાઈ ગૂઢ રીતે એકત્વ અર્પતી અને અનેક રીતે ઉપકારક એમને જણાઈ છે.જ॰ તેમણે કાવ્યમાં છંદોના અર્થ સાથેના સંબંધ નિર્દેશી ધ્વનિશૂન્ય કાલનેાયે છંદોવિધાનમાં કેવા મહિમા હેાય છે તે સ્પષ્ટ કરી બતાવ્યું છે. ૪૧ તેમણે બ્લૅંક વ'નું ઉજ્જવળ ભવિષ્ય નિર્દેશી એના માટે વનવેલી જેવા છંદા તરફ અંગુલિનિર્દેશ કર્યા છે,૪૨ તેમણે અગેયતાના ખ્યાલની આધુનિકતા બતાવી કાવ્યના પઠન અને ગાનના પ્રયાજન અનુસાર ૧. કેવળ અગેય, ૨. ગેય-પાઠય (ગેયાગેય) અને ૩. કેવળ ગેય · જેવા વિભાગા પણ આંકી બતાવ્યા છે. રામનારાયણે ડાલનશૈલીને તેા ગદ્યના જ એક આવિર્ભાવ-રૂપે માન્યતા આપી છે. રામનારાયણે સાચા ગદ્યલેખકમાં ગદ્યલય (પ્રાઝરિધમ)ની અનિવાર્યતા તાવી છે. ૪૩
-
તેમની સમગ્ર વિવેચના ભારતીય કાવ્યમીમાંસાનાં મુખ્ય તત્ત્વાને આત્મસાત્ કરીને ચાલે છે. એમ કરતાં પ્રસંગેાપાત્ત સ્વકીય દૃષ્ટિબિન્દુયે તે રજૂ કરતા હોય છે ખરા. કાવ્યરસની નિષ્પત્તિમાં અનુમાનવ્યાપારને સ્વીકાર તેમને અનુકૂળ જણાય છે.૪૪ વ્યભિચારી ભાવાની ગણતરીમાં શાસ્ત્રીયતા જળવાઈ નહિ હૈાવાનું તેમનું મંતવ્ય છે. ૪૫ વીર રસના પેટા પ્રકારામાં ક્ષમાવીર, તિતિક્ષાવીર, કર્મવીર, ધીરજવીર જેવા નવા ભેદ્યા ઉમેરી શકાય.૪૬ શાંતરસમાં નિષ્કામ પ્રવૃત્તિને ભાવ શમાવવાની ક્ષમતા તેઓ જુએ છે. એ રીતે રાઈના પત' અને ‘સરસ્વતીચંદ્ર'ને તે શાંત રસના નવા દર્શન-અનુભવના પ્રયત્નેરૂપે ઉલ્લેખે છે.૪૭ તેએ હાસ્યની મા*િક છષ્ણાવટ કરતાં તેના ઉલ્લસતા જીવન સાથે અને પેાતા તરફ તટસ્થ રીતે હસી શકવાના બળ સાથે ગૂઢ સંબંધ હાવાનુ દર્શાવે છે.૪૮ મતીનેય એક રસ તરીકે કાવ્યમાં સ્થાન આપવાના તેઓ હિમાયતી છે. વળી રામનારાયણે મા .તથા એજસથી પ્રસાદની વિશેષતા બતાવતાં જણાવ્યું કે માર્યાં અને એજસને ઉચ્ચાર સાથે તા પ્રસાદને અ સાથે વધુ સંબંધ છે.૪૯ તે કાવ્યગુણાને અનુપ્રાસ જેવા શબ્દાલ’કારાની કક્ષામાં મૂકવાના મતના છે. વળી ગુણ તથા અલકારની કાવ્યગત રસપેાષકતામાં તેઓ ઉચ્ચાવચ ક્રમ સ્વીકારતા નથી. તેએ ‘શબ્દાલ`કાર' શબ્દ સ્વીકારવા છતાં તેના માટે ‘વર્ણાલંકાર' શબ્દની યેાગ્યતાયે ચીંધે છે.૫૦
રામનારાયણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણેા’, ‘નભેાવિહાર' વગેરેમાં
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૧૪ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ તેમ જ અન્યત્ર યથાવકાશ સાહિત્યના વિવિધ પ્રકારે બાબત જે સમીક્ષા કરી છે તેમાં કવિતા તથા ટૂંકી વાર્તાની સ્વરૂપચર્ચા મહત્ત્વની છે. તેમણે “પ્રાચીન ગુજરાતી છંદોમાં કાવ્યના નિબદ્ધ અને અનિબદ્ધ એમ બે વિભાગ કરી નિબદ્ધમાં નાટક, વર્ણનાત્મક પ્રબંધ, સંધાત વગેરેને તે અનિબદ્ધમાં પદો, ભજન, ગરબીઓ વગેરેને સમાવેશ કર્યો હતો. તેમણે પ્રબંધોનું વૃત્તબદ્ધ, જતિબદ્ધ અને દેશીબદ્ધ એમ પદ્યબંધના ધોરણે વગીકરણ કર્યું હતું. તેમણે વૃત્તબદ્ધ ઊર્મિકાવ્યને અલગ વિભાગ તરકે જોવાનુંયે પસંદ કર્યું છે. વળી તેમણે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુના આધારે મહાકાવ્ય, આખ્યાનકાવ્ય, ખંડકાવ્ય અને ઊર્મિકાવ્યની એક શ્રેણી દર્શાવી છે. મહાકાવ્યમાં બૃહત્ સમાજ કે વંશ, આખ્યાનમાં વ્યક્તિજીવન, ખંડકાવ્યમાં વ્યક્તિના જીવનને કાઈ ખંડ – પ્રસંગ તે ઊર્મિકાવ્યમાં લાગણી –એકંદરે એ રીતની વ્યવસ્થા હોવાનું તેમનું મંતવ્ય છે.પ૨ આ સ્વરૂપમાં વિષયવસ્તુમાં ઉત્તરોત્તર સુશ્લિષ્ટતા વધારે જોઈએ એમ પણ તેઓ જણાવે છે. ખંડકાવ્યમાં લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે, જ્યારે લિરિકમાં લાગણું વહાવાય છે.૫૩ તેઓ ચિંતનપ્રધાન-વિચારપ્રધાન પ્રસંગકાવ્યોથી ખંડકાવ્યનું જુદાપણું બતાવે છે. રામનારાયણે સૌનેટને ગંભીર ભાવને અનુકૂળ કાવ્યપ્રકાર તરીકે તે મુક્તકનો “એક જ કલેકમાં સમગ્રપણે આવી જતા કાવ્ય” તરીકે પરિચય આપ્યો છે. “એક નાના હીરા ઉપર સફાઈબંધ કારીગરી હોય એવી કારીગરી મુક્તકમાં તેઓ જુએ છે.પ૪ રામનારાયણે પદનો ગેય પદ્યરચના” તરીકે ઉલ્લેખ કરતાં તેનાં દેશી, ભજન, ગરબો આદિ સ્વરૂપની પણ આસ્વાદલક્ષી ચર્ચા “નભોવિહાર”, “રાસ અને ગરબા” વગેરેમાં કરી છે. ગીતકાવ્ય માટે “ગીતાનુરૂપતા” તેમણે અનિવાર્ય માની છે. રામનારાયણે ગઝલને પણ સમુદારભાવે સત્કાર કરતાં તેને કાવ્યક્ષેત્રે થતા બહોળા પ્રયોગને આધુનિકતાના લક્ષણ તરીકે ઉલ્લેખે છે.૫૫ રામનારાયણે પોતે પોતાની મેળે વાંચી શકે એવા કાવ્યને “શ્રવ્ય તથા કઈ ગાઈ સંભળાવે એવા કાવ્યને “શ્રાવ્ય સંજ્ઞા આપી વાંચવાનાં અને સાંભળવાનાં કાવ્યોના બે ભેદ કરવાનો પ્રયાસ પણ કર્યો છે, જે ધ્યાનાર્હ ગણાય.
આ ઉપરાંત તેમણે દશ્ય કાવ્ય તરીકે નાટકને તેમ જ અન્ય વૃત્તાન્તબીજક કથાસાહિત્ય વિશે કેટલીક ચર્ચા કરી છે. તેમણે વૃત્તાન્તબીજક કથાસાહિત્યની શ્રેણીમાં ટુચકે, ટૂંકી વાર્તા, લાંબી વાર્તા, નવલકથા, અને પુરાણ અથવા મહાનવલ – એ રીતે ક્રમવ્યવસ્થા આપી છે. તેમણે યોગ્ય રીતે જ કહેવાની અને વાંચવાની વાર્તાઓ વચ્ચે ભેદ કર્યો છે. વાર્તાનું તીખામાં તીખું, એકાગ્રમાં એકાગ્ર, અણિયાળામાં અણિયાળું, સૂચકમાં સૂચક અને ધાર્મિકમાં ધાર્મિક સ્વરૂપ તે ટુચકે
Page #424
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦ ]
રામનારાયણ પાર્ટફ
[ ૪૧૫
એપ” એમ જણાવી તેને સૌપ્રથમ વાર તે ટૂંકી વાર્તાની સ્વરૂપચર્ચામાં સાંકળે છે. રામનારાયણ ટૂંકી વાર્તામાં વાર્તાની જીવંતતા, પાત્રોની વ્યક્તિતા, નિરૂપણુની સ્વાભાવિકતા અને પ્રતીતિકરતા પર ભાર મૂકે છે. ટૂંકી વાર્તામાં તેઓ લાધવ સાથે ચમત્કૃતિયે વાંછે છે પણ તે સંભવિતતાના ભાગે નહિ,
તેએ કથા અને વૃત્તાંત વચ્ચે ભેદ કરતા જણાય છે.પ૮ વૃત્તાંતમાંથી ભાવાકૃતિરસાકૃતિનું નિર્માણ થવું ઘટે. તેઓ નવલકથામાં લેખકના આગવા દષ્ટિક્રાણુની જિકર કરે છે. ઐતિહાસિક નવલકથામાં ઐતિહાસિક સમયને કલાત્મક રીતે સજીવન કરવાની લેખક પાસે તએ અપેક્ષા રાખે છે. ઐતિહાસિક નવલકથાયે કલાકૃતિ તા બને છે લેખકની જીવનના રહસ્યને વ્યંજિત કરવાની સર્જકતાના પ્રતાપે. રામનારાયણે લેાકસાહિત્ય-લેાકગીત વિશે અણ્ડતી જ વાત કરી છે તે તેમાં એ સાહિત્યની સામાજિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ જે ઉપયેાગિતા છે તેની વાત કરી, લેાકેાથી અલગ થવાથી નૈ રહેવાથી સાહિત્યને જ નુકસાન થાય છે તે તેમણે સ્પષ્ટ દર્શાવ્યું છે. તેમણે આપણે ત્યાં બાલસાહિત્યના ક્ષેત્રે જે મર્યાદાએ છે તે તરફ પણ પ્રસંગેાપાત્ત ધ્યાન દોર્યું" હતુ.
તેમની સમસ્ત વિવેચના તેમની ઉત્કૃષ્ટ સાહિત્યરસિકતા અને ઉત્કટ જીવનનિષ્ઠાની દ્યોતક છે. તેમની વિવેચનામાં કળાબળ સાથે કાળબળનેાયે ખ્યાલ સતત રખાતા જોવા મળે છે. એમ કરવામાં કેટલીક વાર પ્રશ્નોયે થતા હેાય છે. દા. ત., પ્રેમાનંદની બધી જ મર્યાદાઓને એના સમાજની મર્યાદાએ માનીને ચાલી શકાય નહિ. વળી આખ્યાનકાવ્યા અને મહાકાવ્યા નહિ ફાલવાનું કારણ ઊર્મિકાવ્યના અને નવલકથા-ટૂંકી વાર્તાના વિકાસ છે એમ માનવુ` કેટલે અ ંશે યોગ્ય તે પ્રશ્ન છે. રામનારાયણ લાગણીના અનુભવની અને સર્જનની ક્ષણને અલગ લેખે છે૫૯ તે મુદ્દો પણ ઘણા સંકુલ હેાઈ તેમાં વધુ ચર્ચાને સ્પષ્ટતાની અપેક્ષા રહે છે. તેમનું મહાકાવ્ય, આખ્યાનકાવ્ય ને ખંડકાવ્યનું વસ્તુદૃષ્ટિએ કરેલુ વર્ગીકરણ વ્યાવર્તક લક્ષણાના ધેારણે કેટલુ ટકે એ પ્રશ્ન છે જ. આવા કેટલાક પ્રશ્નોને બાદ કરતાં વિવેચનાત્મક લખાણામાંથી રામનારાયણ પાઠકની વિવેચક તરીકેની જે મુદ્રા ઊપસે છે તે ધણી તેજસ્વી અને ચિત્તાકર્ષક જણાય છે.
રામનારાયણુ ગાવર્ધનરામ, મણિલાલ, આનંદશંકરની પરંપરા સાથે સાતત્ય જાળવીને, સાક્ષરયુગીન વિવેચના સાથેનું અનુસંધાન રાખીને, ગાંધીયુગીન વિવેચનાના સંગીન પાયા નાખે છે. જીવનની અખિલાઈના સદ સાચવીને કલાની સ્વાયત્તતાને તેએ સ્પષ્ટતયા પક્ષ લે છે. તેમનું ચિંતક-માનસ, તેમનું પાંડિત્ય ૫ડિતયુગીન પરંપરાનું સ્મરણ કરાવે છે તે તેમની રજૂઆતરીતિ — તેમની
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૧૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચં’. ૪ ગદ્યશૈલી ગાંધીયુગીન સંસ્કારોને પ્રભાવ દાખવે છે. તત્ત્વતઃ તે તેમના લખાણની આંતરશિસ્તમાં – લખાણમાંથી વ્યંજિત થતા તેમના દષ્ટિપૂત અને મને પૂત સમાચરણમાંયે તેઓ ગાંધીયુગીન સત્ત્વને પ્રભાવ બતાવે જ છે. રામનારાયણમાં કલાકતિની સાથેની ઊંડી તદાત્મતા સાથે શાસ્ત્રકારની તટસ્થતા, પારદર્શિતા સાથે સૂકમ તાર્કિકતા, સમુદાર દર્શન સાથે અભ્યાસપૂત આકલન જોવા મળે છે, જે એમના વિવેચનમાં સમતુલા, શ્રયતા અને પથ્થતા લાવે છે. એમના વિવેચનમાં શાસ્ત્રની શિસ્ત છે, શાસ્ત્રાર્થજનિત કુંઠિતતા નથી. એમાં જીવનની અખિલાઈના સંદર્ભમાં કલાકૃતિમાં સત્ય માટે આગ્રહ છે પણ ક્યાંય કલાસૌંદર્ય પ્રત્યે બેઅદબી કે દ્રોહ નથી. વિશુદ્ધ દર્શન અને વિશદ વર્ણન –એ એમની ભાવયિત્રી પ્રતિભાની લાક્ષણિકતા છે. તેઓ દંભ, ભય, આછકલાઈ અને અધે – આ ચારેય કલારિપુઓથી બચતા ચાલ્યા છે. તેમના વિવેચનમાં સચ્ચાઈનું અને આસ્વાદજનિત પ્રફુલિતતાનું તેજ છે. સુન્દરમ કહે છે તેમ, તત્વના નિર્મળ નિરાડંબર આલેખનથી જ તેઓ પિતાનું કાર્ય સાધે છે. અને એ રીતે તેમના લખાણમાંથી સાહજિક તોપલબ્ધિને શાંત પ્રસન્ન રસ પ્રાપ્ત થાય છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિ કાવ્યની શક્તિને સાક્ષાત્કાર કરી તેને સાચો ખ્યાલ સૌને કરાવવાના શિવસંકલ્પની જ રમણીય પરિણતિરૂપ છે.
૪. પિંગળનિરૂપણ ગુજરાતી સાહિત્યમાં પિંગળને વ્યવસ્થિત અભ્યાસ તે અર્વાચીન કાળની દેણગી છે. “દલપત પિંગળ'થી આરંભીને કેશવ હર્ષદ ધ્રુવનાં “પદ્યરચનાની ઐતિહાસિક સમાલોચનાનાં વ્યાખ્યાને (૧૯૩૧) અને ત્યાર બાદ ખબરદારનાં ગુજરાતી કવિતાની રચનાકળા વિશેનાં વ્યાખ્યાને (૧૯૩૯) સુધીમાં ગુજરાતી પિંગળને કેવા પ્રશ્નો છે, અને તેના વ્યવસ્થિત અભ્યાસની કેવી જરૂર છે તેની સ્પષ્ટતા અભ્યાસીઓમાં થઈ ગઈ હતી. રામનારાયણને કાવ્યના બોલાતા શબ્દમાં –એના લયાન્વિત શબ્દમાં તીવ્ર રસ હતો અને તેથી ગુ. વ. સોસાયટી તરફથી અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય પર વ્યાખ્યાને આપવાનાં થયાં ત્યારે તેમાંયે ગુજરાતી પદ્યપ્રયોગની – એની છે દરચનાની તપાસ કરવાનું તેમણે પસંદ કર્યું. એ પછી “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણની વ્યાખ્યાનમાળામાં આ વિષયની કેટલીક તલસ્પર્શી તપાસ કરી ધ્યાનપાત્ર નિરીક્ષણે આપ્યાં.
રામનારાયણે પિંગળનું કાર્ય એક સંશોધકના જુસ્સાથી અને સાચા કાવ્યરસિકની હેસિયતથી કર્યું. તેમણે “પ્રાચીન ગુજરાતી છે દો' દ્વારા સ્વ. કે. હ. ધ્રુવ જ્યાં અટક્યા હતા ત્યાંથી, એટલે અપભ્રંશ-અપભ્રંશેત્તર કાલથી પદ્યરચનાની સમીક્ષાને છેક દયારામ સુધી પહોંચાડી “એ અભ્યાસની સળગતા”૬૦ સાધી આપી.
Page #426
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦]
રામનારાયણ પાટેક
[ ૪૧૭
તેમને એ ગ્રંથ હેમચંદ્રાચાર્યના છ દાનુશાસન અને દલપતપિંગળને સાંકળતી એક કડીરૂપ પણ બની રહ્યો.
-
રામનારાયણે પ્રાચીન-મધ્યકાલીન તબક્કામાં આપણે ત્યાં કાઈ સ ંસ્કૃત વૃત્ત નહીં ઉમેરાયાનું, આવૃત્તસંધિ અક્ષરમેળવૃત્તો — તાટક, ભુજંગપ્રયાત જેવાં વધુ વપરાયાનું, અપભ્રંશ અને તેના પગલે મધ્યકાલીન ગુજરાતી પદ્યરચનામાં પ્રાસ વ્યાપક થતા હેાવાનું, માત્રામેળ છ ંદાઢાળા સાથે ગેયતા-તાલબદ્દતાના ગાઢ સંબધ હેાવાનું નિરીક્ષણ કર્યું છે. તેમણે માત્રામેળ છંદોના ત્રિકલ, ચતુષ્કલ, પચકલ તથા સપ્તકલ સધિએમાં સોંગીતના અનુક્રમે માત્રક દાદરા, અષ્ટમાત્રક લાવણી, દશમાત્રક ઝપતાલ અને ચૌદમાત્રક દીપચંદી તાલનું અનુસંધાન હેાવાનુ માન્યું છે.૬૧ ‘કૃતિ અનાવૃત્તસધિ અક્ષરમેળ વૃત્તમાં છંદનુ અંગ છે અને માત્રામેળમાં તે આગંતુક અને છે, તા પ્રાસ માત્રામેળમાં છંદનુ અંગ છે, અને અનાવૃત્તસંધિ અક્ષરમેળમાં તે આગંતુક છે'૬૨ એવુ... વિધાન કરે છે, પરંતુ માત્રામેળ છ ંદોમાં વ્યક્તિને આગંતુક લેખવાના મતને હરિવલ્લભ ભાયાણીએ ઘણા નબળા' લેખી, છ ંદાના પઠન-ગાનની પરંપરાના - એમાંનાં પિરવત નાના અભ્યાસની આવશ્યકતા પર ભાર મૂકયો છે. રામનારાયણે ગુજરાતી દેશીઓને પિંગળબદ્ધ કરવામાં, એમનુ શાસ્ત્રીય ભૂમિકાએ અન્વેષણ કરવાને જે સમ પ્રયાસ કર્યાં છે તે ગુજરાતી પિંગળના ઇતિહાસમાં સીમાસૂચક સ્તંભરૂપ છે. તેમણે ‘દેશીનું ખરું મૂ સ્વરૂપ ગવાય એ છે’૬૪ એ દર્શાવી તેના માનદ ડ નિપજાવવાનાયે પ્રયાસ કર્યો. તેમણે ‘પ્રાચીન ગુજરાતી છંદે’માં ‘રાસ' ‘વિષ્ણુ’, વગેરે શબ્દોની; વલણુ, ઉથલા, દેશીના રાગા, પૂછાયા વગેરેનીચે કેટલીક ઉપયાગી ચર્ચા કરી અને તે સાથે પિંગળની પરિભાષા ઊભી કરવા બાબતની સભાનતાયે દા ખવી.
-
―
૧૯૫૧માં મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણી મહે।ત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે આપેલાં પિંગળવિષયક ત્રણ વ્યાખ્યાન(પ્રચીન પિ ંગલ નવી દષ્ટિએ')માં અક્ષરમેળવૃત્તો, માત્રામેળવૃત્તો અથવા જાતિ અને પદ અથવા દેશી – આ ત્રણની ચર્ચા કરી છે. આ ચર્ચા તે પછીના તેમના મહત્ત્વના ગ્રંથ બૃહત્ પિ ંગલ’ના પૂસાર(સિનોપ્સિસ)રૂપ જણાય તા નવાઈ નહિ. તે સંસ્કૃત વૃત્તો અને જાતિ દેાની અલગ પરિભાષા હેાય તેને ઇષ્ટ લેખે છે, ૬૫ તે અક્ષરમેળ વૃત્તોમાં શ્લેાકા સિવાયની બધી યતિએ નહિ જેવા ઉચ્ચારના વિલંબન સ્વરૂપની ગણે છે.૬૬ તેએ સંસ્કૃત નૃત્તોમાં યતિ પૂવે ગુરુ હેાવાનુ` તારવે છે. ૬૭ વળી તેઓ તિખ`ડને કાવ્યનું જીવંત ઉપાંગ લેખી, તેને સ્વતંત્ર રીતે ગાઠવી
ગુ. સા. ૨૭
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૧૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર'. ૪
નવા ક્ષ્ાકબધ કરી શકાય છે એમ જણાવે છે.૬૮ તેએ યોગ્ય રીતે જ અક્ષરમેળ વૃત્તો સંધિના ન્યાસથી અને સ ંધિએ લઘુગુરુના ભ્યાસથી છે એમ જણાવે છે. રામનારાયણ તાટક જેવા છંદોને માત્રામેળના વર્ષોંમાં તા અનુષ્ટુપને સંખ્યામેળના વર્ગમાં મૂકવાના મતના છે.૬૯ મનહર, ધનાક્ષરી જેવા સંખ્યામેળ છ ંદોમાં અતિદેશનાં કેટલાંક લક્ષણ્ણા જુએ છે. તે અક્ષરમેળ છંદો માટે ‘અનાવૃત્તઅક્ષરસ`ધિમેળ' (વૃત્ત) તે માત્રામેળ છ ંદો માટે આવૃત્તમાત્રાસધિમેળ' એવાં શાસ્ત્રીય નામેા ચીંધે છે. રામનારાયણે છંદ-ચર્ચા કરતાં અક્ષરસંધિ, માત્રાસંધિ વગેરેનાં સ્વરૂપ; તેમના પંક્તિગત મેળ વગેરેની સદૃષ્ટાંત સૂક્ષ્મ ચર્ચાવિચારણા કરી છે. કેટલાક ચતુષ્કલ છંદોમાં ‘જ’ગણુની ઉપસ્થિતિ શા માટે નિષિદ્ધ છે તેનાં કારણેામાં તેઓ ઊંડા ઊતરે છે. વળી પિ’ગળના છંદોના સંગીત સાથેના સંબંધની, દેશીઓમાં આવતા તાનપૂરા, ધ્રુવપક્તિઓ(અથવા ટેક કે આંકણી)ની પણુ રસપ્રદ ચર્ચા તેમણે કરી છે.
બૃહદ્ પિંગલ'નાં પંદર પ્રકરણા અને વીસ પરિશિષ્ટામાં ઉપરની ચર્ચા વધુ વિસ્તારથી, વધુ વિગત, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાદાહરણ નિરૂપી છે. એમાં છંદનું કાર્યાં, અક્ષરનું સ્વરૂપ, લઘુગુરુવિવેક, વૈદિક છ ંદાનું સ્વરૂપ અને તેના પ્રકારા, અક્ષરમેળૠત્તોનુ સ્વરૂપ અને તેમનાં મેળ-મિશ્રા, ડિંગળના છંદ, ગઝલના છંદો, મરાઠીમાંથી આવેલા આવી અભંગ આદિ છંદા, દેશીઓનું સ્વરૂપ તથા પ્રવાહી છંદ કે સળંગ પદ્યરચનાના પ્રયત્ના આમ ગુજરાતી પિંગળના લગભગ સર્વાંગ્રાહી અભ્યાસ આપવાને અહીં પહેલી વાર સમ પુરુષા જોવા મળે છે. પિંગળની પરિભાષા, છંદોના વિશ્લેષણની પદ્ધતિ તથા તેમની ઉચ્ચારણદૃષ્ટિએ સમસ્યાએ – આ સર્વાંનાં વ્યવસ્થિત, સપ્રમાણ સમીક્ષા-અભ્યાસ અડી થયાં છે. બૃહત્ પિંગલ' એમના જીવનભરના પિ ́ગલ-અધ્યયનના જ નહિ, આપણી આજ પર્યંતની પિંગલ-અધ્યયનપરંપરાનાયે ઉત્તમ ફલરૂપ જણાય છે. છંદની પઢનપતિ બદલાતાં છંદોવિકાસની નવી દિશા ઊઘડે છે’૭૦ એ માર્મિક વાત જેમના ધ્યાનમાં છે એ કાવ્યન પિ ́ગલશાસ્ત્રી પિંગલના ભાવિ વિકાસ-અધ્યયનની આવશ્યકતા પર પણ ભાર મૂકે એ સ્પષ્ટ છે. રામનારાયણુ આ એક આકર ગ્રંથથીયે ગુજરાતી સાહિત્યમાં ચિર’જીવપદના અધિકારી છે જ.
-
તેમણે કવિતાના અભ્યાસીઓ-વિદ્યાર્થી એ માટે મધ્યમ પિંગળ’ની યેાજના કરી, તેનાં લગભગ ચાર પ્રકરણા પણ લખ્યાં હતાં; પરંતુ તેમનુ... અણુધાર્યું" અવસાન થતાં એ કામ અધૂરું રહેલું. તે કાર્ય ચિમનલાલ ત્રિવેદી તથા કાન્તિલાલ કાલાણીના સંયુક્ત પ્રયત્ને પૂરું થઈ, પુસ્તકરૂપે હવે સલભ થયું છે. આ
Page #428
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦] રામનારાયણ પાઠક
[૪૧૯ મધ્યમ પિંગળનું કાર્ય રામનારાયણ કવિતાશિક્ષણમાં પિંગળની સમજને-ફાવટને કેવી અગત્ય આપે છે તેનું ઘોતક છે. કેટલાક દેની સીધેસીધી મહત્ત્વની માહિતી આપતા પદ્યપ્રયોગનું શાસ્ત્રીય નિરૂપણ લેખકે “પિંગળપ્રવેશમાં કરવા ધારેલું, તે “મધ્યમ પિંગળ'માં પરિશિષ્ટરૂપે સમાવી લેવામાં આવ્યું છે. એમાં હકીક્તલક્ષી શૈલીથી સરલપણે છંદેને શાસ્ત્રીય પરિચય રસિક રીતે તે તે છંદમાં આપવામાં આવ્યો છે.
રામનારાયણની કાવ્યમર્મજ્ઞ તરીકેની સાહિત્ય-સાધનામાં લયવિચાર-છ દેવિચાર-પિંગળવિચાર આટલો બધો મહત્ત્વનું બની રહ્યો એ ઘટના જ એમની કાવ્યગત સૂક્ષ્મ ભાવનકલાની સંકેતક છે. કાવ્યમાંના અર્થ તરફ આ ગાંધીયુગીન વિવેચકનું ધ્યાન જાય તો તે સ્વાભાવિક છે, પરંતુ કાવ્યનો અર્થ શેધતાં તેના લય તરફ વળ્યા અને છંદવિજ્ઞાની – પિંગળશાસ્ત્રી થયા એ ઘટના સાચે જ રોમાંચક છે. એમની પિંગળસાધનામાં કાવ્યગત સૌન્દર્યસાધનાનું જ પ્રેરણાબળ જેવું મુશ્કેલ નથી.
પ. સર્જન ૧. શેષનું કવિતાસર્જન
રામનારાયણનું જેમ વિવેચન તેમ એમનું સર્જન પણ વિપુલતા-ગુણવત્તાની દષ્ટિએ ધ્યાનાર્હ ગણાય. તેમણે સર્જનાત્મક સાહિત્યના નવ ગ્રંથે આપ્યા છે. વિવેયનની જોડાજોડ જ તેમનું સર્જનકાર્ય ચાલ્યું છે. તેમને પ્રથમ વિવેચનલેખ “કવિ બાલાશંકર કંથારિયાનાં કાવ્યો” ૧૯૨૧-૨૨માં પ્રગટ થયા ને એમનું રાણકદેવી' કાવ્ય પણ “જાત્રાળુ' નામથી ૧૯૨૧માં પ્રગટ થયું. “૧૯૨પના અરસામાં “શેષ” ઉપનામે “નર્મદાના આરે' પ્રગટ થયું. વચગાળામાં એક કાવ્ય ભૂલારામના ઉપનામે પણ પ્રગટ થયેલું. “શેષ'નું ગ્રંથસ્થ છેલ્લું કાવ્ય “સાલમુબારક ૧૮--૧૯૫૫ની તારીખ આપે છે. આમ જોઈ શકાશે કે તેમને સર્જનરસ જીવનભર ટકી રહ્યો અને તે અનેક રૂપે સાહિત્યમાં પ્રગટ થતો રહ્યો – સંપાદન, અનુવાદરૂપે પણ
હીરાબહેન પાઠક નિર્દેશે છે તેમ,91 પ્રિય પત્નીના જવાથી પિતે “શેષ” રહ્યા, અને એ પછી જે કાવ્ય ૧૯૩૮માં પ્રસિદ્ધ થયાં તે શેષનાં કાવ્યો. આ
શેષ વિગત થયે જે કાવ્ય પ્રસિદ્ધ થયાં તે વિશેષ કાવ્ય'. લગભગ સે-સવાસે રચનાના એ કવિ; પણ એમનાં કાવ્યો ગુજરાતી કવિતાના વિકાસમાં ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ૧૯૩૮માં “શેષનાં કાવ્યો' પ્રગટ થતાં સુન્દરમે લખ્યું કે
Page #429
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં'. ૪ “કાન્તના પૂર્વાલાપ” પછી શેષનાં કાવ્ય” જ એવો કાવ્યગ્રંથ છે, જે પિતાની સંયમભરી પ્રૌઢિથી અને કાન્ત પછી ગુજરાતી કવિતાએ પોતાના પ્રવાસમાં મેળવેલાં નવાં તત્તવોને પોતાનામાં સમાવીને, તેમ પિતાનાં નવાં ઉમેરીને પિતાની અલ્પ સંખ્યા છતાં બહુગુણતાથી એક સીમાચિહ્ન જેવો ગ્રંથ બની રહેશે.”૭૨ મનસુખલાલ ઝવેરીએ પણ યોગ્ય રીતે જ “શેષ'ની કવિતાને સંસ્કૃત કવિઓ અને કાવ્યશાસ્ત્રીઓ સાથે, કાન્ત તથા બ. ક. ઠાકોરની કાવ્યપરંપરા સાથે સંબંધ જોયે હતા.૩
શેષ ખબરદારની રીતે સાહિત્યપ્રેરિત કવિ હતા, પણ તે વિલક્ષણ રીતે અને ગહન અર્થમાં. તેમની કવિતા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ “કાવ્યજ્ઞની કવિતા૭૪ ખરી જ, પણ ત્યાં “કાવ્યા એટલે કાવ્યને માત્ર જાણનાર નહિ, અનુભવનાર પણ – એવો અર્થ લેવો જોઈએ. રામનારાયણમાં ઉત્કટ ભાવનાયોગ સર્જનયોગમાં જે રીતે પ્રેરક-પ્રોત્સાહક-માર્ગદર્શક નીવડ્યો એ એક રસપ્રદ અભ્યાસપાત્ર ઘટના છે. તેમનું કાવ્ય સુન્દરમ કહે છે તેમ, “એમની શક્તિઓને અનેક થરમાંથી નીગળતું આવે છે અને એટલે એ બહુ જ નિર્મળ અને આરોગ્ય- - પ્રદ તરવાળું બને છે.પ
રામનારાયણ સ્વસ્થ અને સમુદાર રૂચિના કવિ છે. વૈદિક કાવ્યથી માંડીને મધ્યકાલીન-અર્વાચીન કાવ્ય સુધીની વિવિધ સર્જનાત્મક તરેહો સાથે એમના સર્જકચિત્તનું અનુસંધાન જોવા મળે છે. તેમની કવિતામાં નૈસર્ગિક કારયિત્રી પ્રતિભાના ચમત્કાર સાથે એમની ભાવયિત્રી પ્રતિભાને ચમત્કાર–એમની કવિ તરીકેની સજજતાને ચમત્કાર પણ બરાબર દષ્ટિગોચર થાય છે. આ કે તે વાદ કે ફિરકા પ્રત્યે આગ્રહ કે પૂર્વગ્રહ સેવીને તેઓ ચાલતા નથી. તેઓ જે કંઈ સત્યસુંદર છે તેની સાથે સદ્ય માનસિક અનુસંધાન કરી લઈ, તેને અવારનવાર વાફસ્વરૂપે પ્રત્યક્ષ કરવા એકાગ્ર બને છે. તેઓ શિષ્ટ કાવ્યપરંપરા સાથે સાતત્ય રાખીને અનેક સર્જનાત્મક પ્રયોગ કરે છે અને તેથી જ જશેષનાં કાવ્યો' ગ્રંથને પ્રાગમાલા ૭૬ રૂપે અનંતરાયે વર્ણવ્યો છે.
તેઓ ગાંધીસૂત્રોનું શુકપઠન કરનારા કવિ નથી. તેમણે ગાંધીયુગ' કાવ્ય આપ્યું, ગાંધીજીને છઠ્ઠા પરણામ પણ પાઠવ્યા પરંતુ ગાંધીજીની નામરટણ કે અંધપૂજાથી તે વેગળા જ રહ્યા. જે મૂલ્યો માટે ગાંધીજી જીવનભર મથ્યા એ મૂલ્યોનું રામનારાયણનેય આકર્ષણ હતું અને તેથી જ જ્યારે આ આયખું ખૂટે' જેવું કાવ્ય તેઓ આપી શક્યા છે.
તેઓ નાદબ્રહ્મના ઉપાસક છે. જીવનદેવતાના સંનિષ્ઠ સાધક છે. એમનાં
Page #430
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦]
રામનારાયણ પાઠેક
[ ૪૨૧
પ્રાર્થનાકાવ્યામાં જિંદાદિલી અને સત્ત્વનિષ્ઠા જોવા મળે છે. તે સત્ત્વગુણી, રજોગુણી અને તમોગુણી સૌને માટે પ્રાર્થક થવાનું પસંદ કરે છે એમાં એમનું માનવતાપ્રેમી કવિમાનસ જણાય છે. તેમના જીવનદર્શનમાં ચૈતન્યધની અજેયતાને ભાવ રહેલા છે ને તે તેમનાં પ્રાર્થનાકાવ્યોમાંચે જણાય છે. ગુજરાતી કવિતામાં તેમનાં પ્રાર્થનાકાવ્યાનુ અને ખુ સ્થાન છે.
-
'શેષ'ની તત્ત્વષ્ટિ જીવનનાં ઉત્કર્ષ સાધક પરિબળાને કાવ્યમાં પ્રમુખતા અપે છે. તેમના કવિધ — તેમના વ્યષ્ટિ ને સમષ્ટિધર્મ, તેમના ગૃહસ્થધ અને રાષ્ટ્રધર્મ સÖમાં સત્ય-સ્નેહપ્રેરિત શ્રેયાદષ્ટિની સત્તા સર્વોપરી જણાશે. તેમણે જીવનમાં તેમ કવનમાં સ્નેહ-સૌહાર્દ સભ્યના સદા મહિમા કર્યો છે અને તેથી એ પ્રકારના ભાવાનુભવેને કાવ્યમાં સ્થાન આપવાનું તેમણે પસંદ કર્યું છે. સેન્ટ્રલ સ્ટેશને', વૈશાખના ખપેાર' જેવાં કાવ્યા તેમની વિશુદ્ધ માનવપ્રીતિનાં દ્યોતક કાવ્યા છે.
-
તેમણે જીવનનાં ઉલ્લાસ, માધુર્ય, સાર્થકતા આદિના મનભર તે મનેહર અનુભવ ‘નવવરવધૂ’, ‘બીજરેખા', ‘એક સધ્યા', ‘મંગલ ત્રિકાણું', ‘અભેદ', ‘ઉમા-મહેશ્વર', ‘જતા'તા સૂવા ત્યાં—' જેવાં કાવ્યામાં જૂજવે રૂપે અભિવ્યક્ત કર્યાં છે. એમાં ભાવાતુર્યયુક્ત સંવાદકળા, ભાવા ચમત્કૃતિ સર્જતાં સુંદર ઉપમાને–ઉપમાચિત્ર, ભાવક્ષણ પ્રત્યક્ષ કરતી નાટ્યાત્મકતા તથા પ્રસન્નતાને વધુ મર્મસ્પશી કરતી સંયમનિષ્ઠા – વ્યંજનામાધુરી - આ સર્વથી ઊંચી પ્રતિનું કલાસૌન્દર્યાં સિદ્ધ થઈ શકયુ છે. ગુજરાતી પ્રણયકવિતામાં રામનારાયણનાં આ તેમ જ ‘સખી જો !—', ‘છેલ્લુ' દર્શન', ‘નર્મદાને આરે' જેવાં અંતગૂઢધનવ્યથાવાળાં પુટપાકસમાં વિરહજનિત કરુણ રસનાં કાવ્યા મહત્ત્વનું અપણુ બની રહે છે. એમનાં સખીકાવ્યા–સજનીકાવ્યા પણુ ગુજરાતી પ્રણયકવિતાના ધ્યાનપાત્ર અંશ લેખાય. એમનું છેલ્લું દર્શીન' સોનેટ ગુજરાતીનાં ઉત્તમ સૉનેટામાં સ્થાન પામે એવું છે. એમની મંગલ ત્રિ±ાણ'ની કલ્પનાયે ગુજરાતી સાહિત્યને એમનુ એક સ્મરણીય અણુ છે. રામનારાયણુની પ્રણયકવિતા માંગલ્યલક્ષી અભિગમ ધરાવે છે. રામનારાયણ પ્રણયજીવનમાં કામતત્ત્વની ઉપકારકતા સ્વીકારે છે પણ ત્યાં ન વિરમતાં અર્ધનારીશ્વરની ભૂમિકા સુધી સ્ત્રી-પુરુષ બંનેએ પહેાંચવાનું છે તે પણ બતાવે છે. તેઓ જેમ એકલતાની વેદના જાણે છે તેમ લગ્નજીવનનાં વૈષમ્યા પણ જાણે છે. ‘લગ્ન', ‘એક કારમી કહાણી' જેવાં કાવ્યેામાં તેમ અન્યત્ર વાર્તાઓમાં તે ખરેાબર રજૂ કયુ· છે. તેઓ વૈષાથી વ્યથિત થાય છે, પણ સમતામૂલક શ્રદ્ધા ગુમાવતા નથી. તેમની સ્વસ્થતામાં શાંત વીરત્વ અનુચૂત છે, જેમ તેમના હાસ્યમાં કરુણા અને કરુણત્વ.
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૨૨ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ગ્ર ૪
તેમણે ઉત્કૃષ્ટ કાટિનાં વિનેાદરસિક કાવ્યો આપીને જીવનના સ્નેહ-ઉલ્લાસનુ મધુર દર્શન કરાવ્યું છે. તેમનાં ‘નવવરવધૂ', ‘સિખ! તારા—', ‘સેન્ટ્રલ સ્ટેશને’ જેવાં કાવ્યાની કેટલીક ઉક્તિએમાં તા ‘ખીજરેખા’, એક સંધ્યા’, ‘મંગલ ત્રિક’, ‘નટવરલાલજીને `ગરખા', ‘ઉમા-મહેશ્વર' જેવાં દામ્પત્યસંધનાં કાવ્યામાં હાસ્યના વિવિધ પ્રકારા દ્વારા જીવનની પ્રસન્નતાનું, સ્નેહની આનંદદાયકતાનુ આકર્ષક નિરૂપણ થયું છે. તેમના હાસ્ય પાછળ જીવનની ઊંડી સમજણુ, દુનિયાદારીનું ખારીક અવલાકન તથા કરુણાસભર શુભનિષ્ઠા રહેલાં જણાય છે. તેમનામાં ગાંભીય` સાથે જ રમતિયાળપણાનું અનેાખુ મિશ્રણ જોવા મળે છે અને તેથી તેમના હાસ્યમાં વિલક્ષણ પરિપ્રેક્ષ્યનુ ંયે નિર્માણ થાય છે. તેમના હાસ્યમાં, નગીનદાસ કહે છે તેમ, ‘પક્કાઈરસ' જોવા મળે છે. તેએ હાસ્યના કેવા કેવા તરીકાઓ ને તરકી જાણે છે તે 'પાઠકની છીંકે', ‘થાકવા આવ ું ખૈરીથી ?', કાઈ કહેશે। ?', એક રાજપૂત ટેકના મધ્યકાલીન દુહા', ‘માંદગીને' જેવાં કાવ્યેામાં જોઈ શકાય છે. પડનેય હાસ્યમાં સંડાવવાની કળા ‘ચિત્રકાર ત્રિપુટીને’માં જોવા મળે છે. દલપતરામ, નવલરામ જેવા કવિએ પછી હાસ્યવિનાદનાં ઉત્કૃષ્ટ કાટિનાં કાવ્યા આપવામાં, તા ખબરદાર પછી ઉત્કૃષ્ટ કાટિનાં પ્રતિકાવ્યા આપવામાં ‘શેષ’નુ... નામ ઉલ્લેખનીય છે. રોષની હાસ્ય અને કરુણુ કાવ્યોની સિદ્ધિ જોઈને જ મેધાણીએ જણાવ્યું હતું કે “કરુણુ અને હાસ્ય જગજ્જનનીનાં એ એ સ્તનનું પયપાન કરીને ‘શેષ’ માનવપ્રેમી કવિ બન્યા છે,’૭૭
રામનારાયણે ગુજરાતી પ્રકૃતિકવિતાનેય સમૃદ્ધ કરી છે. તેમનાં ‘ઉદધિને', ‘સિંધુનું આમંત્રણ' જેવાં કાવ્યો શુદ્ધ પ્રકૃતિકાવ્યો ન કહેવાય. 'ડુંગરની કારે' જેવું કાવ્ય તા ગુજરાતી પ્રકૃતિકાવ્યામાં વિશિષ્ટ છે. તે પ્રકૃતિના પરિવેશથી માનવભાવને, તા માનવભાવના પરિવેશથી પ્રકૃતિના આંતરરૂપને ઉપસાવવામાં નિપુણ છે. પાઢેલા પિયુના—' તેમની આ નિપુણતાએ એક ઉત્કૃષ્ટ મુક્તક બન્યું છે. રામનારાયણે ઉધિ, ડુઇંગર, ચંદ્ર-કૌમુદીનાં ઉપમાના પ્રમાણમાં વધુ પ્રયેાજ્યાં તે પણ અત્રે નોંધવુ· ઘટે. તેઓ પ્રકૃતિનાં સુરમ્ય તત્ત્વાને કેવી કુશળતાથી, સૂક્ષ્મતાથી શબ્દાંકિત કરી શકે છે તે પણ જોવા જેવું છે. તેમની વનકળા દ્ ચિત્રણથી કલ્પનાનાં ક્ષેત્રને લીલયા આવરી લે છે.
તેમનાં ‘રાણકદેવી’, ‘બુદ્ધનુ નિર્વાણ', ‘તુકારામનું સ્વર્ગારાહણ' જેવાં કાખ્યા ગુજરાતી ખંડકાવ્યના વિકાસના સંદર્ભમાં ધ્યાના છે. ‘તુકારામનું સ્વર્ગારાહણ’ કાન્તની ખંડકાવ્યની કળાને એક ડગલું આગળ લઈ જાય છે.
તેમની કવિતામાં ઊરિસિકતા સાથે ઊર્મિસયમ, ચિંતનની ગહરાઈ સાથે
Page #432
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦]
રામનારાયણ પાટેક
[ ૪૨૩
કલ્પનાની પ્રફુલ્લિતતાનું રુચિકર રસાયણુ જોવા મળે છે. મહાકવિમાં હોય તેવી પ્રૌઢિયુક્ત કવિતાશૈલી તેમની પાસે છે. શેષનાં ઉપમાચિત્રા' વિશે લખતાં ડાલરરાય માંકડે જણાવ્યું કે ‘આપણા કાવ્યસાહિત્યમાં વૃત્તાદિને ભાવવૈવિષ્યના વાહન તરીકે વિકસાવવાના પ્રયત્ના ધણા કવિઓએ કર્યા છે. પણ કલ્પનામૂલ અલંકાર અને તેને યેાગ્ય પ્રૌઢ ભાષાવ્યક્તિને વિકસાવીને આપણી હાલની કવિતાને મહાકાવ્યનું કલેવર ઘડવાને એ યેાગ્ય અને એમ કરવાના પ્રયત્ને તા ગેાવનરામ અને બલવંતરાય પછી શેષે જ કર્યા છે.'૭૮ ડાલરરાયે શેષ'ની ઘનીભૂત ચિત્રણશૈલી ઉપમાત્મક અને ઘણી અંતર્ગત શક્તિમત્તાવાળી હાવાનુ ંચે જણાવ્યું છે.
રામનારાયણે દુહા, સેારઠા, ગરબા, ભજને, ગીતા, મુક્તક, સોનેટા, સમસ્યાપૂર્તિએ ને એ રીતના અનેક કાવ્યપ્રકારો અને અનેક ઢાળલયે। અને કાવ્યશૈલીએ અજમાવીને પેાતાની સિસક્ષાના બળના રમણીય અંદાજ આપ્યા છે. તેમણે લાકગીતાના ઢાળેાથી માંડીને ઉસ્તાદી ચીજોના ઢાળ સુધીના ગેય ઢાળા; પૃથ્વી, મિશ્રોપજાતિ, શિખરિણી, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, મોંદાક્રાન્તા જેવા જાણીતા તેમ જ વિયેાગિની, સ્વાગતા જેવા અલ્પપ્રયુક્ત અક્ષરમેળ છંદો; દુહા, સેારઠા, હરિગીત, ઝૂલણા જેવા માત્રામેળ છંદો યેજી અને વિવિધ છંદમિશ્રણ્ણાના પ્રયાગા કરી લયતત્ત્વ પ્રત્યેની તેમની સાગતા ખરાખર બતાવી છે. તેમના અનુષ્ટુપ, મિશ્રોપજાતિ અને પૃથ્વીની વિલક્ષણતાએ અભ્યાસપાત્ર છે.
વિવેચનના ગદ્યની જેમ જ તેમનું પદ્ય પણ કાચ જેવું સ્વચ્છ વ્રુતિમ ત છે. તેમની નિરૂપણરીતિમાં રસસ'પન્નતા સાથે નિળ સાદગી જોવા મળે છે. તેમની કાવ્યશૈલીમાં લાધવયુક્ત એકાગ્રતા સાથે પારદર્શકતા-નમનીયતા પણ છે. તે જીવંત ભાષાને પ્રયેાજવાનું ટાળતા નથી, મલકે એવી તાને કાવ્યમાં પૂરા લાભ લેવા પ્રયત્ન કરે છે.
‘શેષ'ની કવિતામાં આયાસ – કૃત્રિમતાનાં, તર્ક પરાયણતાનાં, ભાવકલ્પનાનાં ઉડ્ડયનેમાં સીમિતતાનાં કેટલાંક દૂષણો અત્રતત્ર જણાતાં હેાવા છતાં, ફાંક લયશૈથિલ્સ ને સ્વરૂપશૈથિલ લાગવા છતાં તેમની કવિતા સકતાની જે વિવિધ તરેહે દર્શાવે છે તેના કારણે અગત્યની છે. તેમની કવિતાએ ગુજરાતી કવિતાનું પ્રયાગક્ષેત્ર કેવું મેાકળાશવાળું છે તે રચનાત્મક રીતે દર્શાવ્યું છે. ગુજરાતી હાસ્ય અને કરુણ રસની માર્મિક કવિતામાં એમનાં ‘સખિ ! જો—', ‘ઉદધિ', ડુંગરની કાર', ‘પેાઢેલા પિયુના—', ખીજરેખા', ‘એક સંધ્યા’, ‘મંગલ ત્રિકાણુ’, ‘અભેદ',
છેલ્લુ દર્શન', 'વિવેચક મિત્રને', 'આતમરામને', ‘પરથમ પરણામ મારા', ‘સિંધુનું આમ ત્રણ', ‘ઉસ્તાદને' તેમ જ બુદ્ધનું નિર્વાણુ’, ‘તુકારામનું સ્વર્ગાપહ',
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૨૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચ. ૪ જતો તે સૂવા ત્યાં—” અને “વેલી ને વૃક્ષ જેવાં કાવ્યનું ચિરસ્થાયી પ્રદાન રહેશે એમ કહી શકાય. ગુજરાતી કવિતામાં વિનીત વેશે પ્રવેશેલા શેષ” “વિશેષ, રૂપેયે પ્રતિષ્ઠિત છે. ૨. દ્વિરેફનું વાર્તાસર્જન
રામનારાયણ એમના નામમાં બે રકાર હોવાથી “દ્વિરેફ' છે જ, પણ ખાસ તે સર્જનભાવનિષ્ઠ મધુકરવૃત્તિથી તેઓ “દિ રેફ છે. દ્વિરેફ'નું વાર્તાલેખન વધુ તે “યુગધર્મ” અને “પ્રસ્થાન” નિમિત્ત થયું છે. વાર્તામાં તેમણે અમુક સંજોગાના દબાણ હેઠળ લખેલી, પરંતુ એમનામાં સારો વાર્તાકાર રહેલે હાઈ એ વાર્તાઓમાંથી કેટલીક તે સર્જનકળાના યશોદાયી નમૂનાઓ રૂપે નીવડી આવી.
દ્વિરેફનું વાર્તાલેખન ૧૯૨૨-૨૩માં શરૂ થયું અને ૧૯૪૧ સુધી તે આછું પણ વણથંભ ચાલ્યું. ૧૯૪૨થી ૫૫ સુધીમાં એમણે વાર્તાઓ નહિ લખી હેવાનું કાન્તિલાલ કાલાણ બતાવે છે. આમ લગભગ બે દાયકામાં “દિરેફની વાતો'ના ત્રણ ભાગમાં ૪૦ (૧૩+૧૦+૧૭) વાર્તાઓ તેમણે આપી છે. આ ઉપરાંત બાળકોના બરની “કાં બોલ્યો” જેવી કેટલીક વાર્તાઓ એમની અગ્રંથસ્થ છે. જે ૪૦ વાર્તાઓ મળે છે તે બધી પાછળ કેઈ ને કોઈ પ્રકારની, કઈ ને કઈ રીતની વાસ્તવિક જીવનની આંતરઅનુભૂતિની કોઈ રહસ્યાત્મક ભૂમિકા હોવી જોઈએ એમ તેમની “મારી વાર્તાનું ઘડતર' લેખ જોતાં સમજાય છે.
જીવનની અમુકતમુક વસ્તુ તરફને લાગણીમય–ભાવમય સંબંધ બંધાય તેને તેઓ વાર્તાનું બીજભૂત રહસ્ય માને છે. આ રહસ્યની આસપાસ ઘનીકરણના વ્યાપારે વાર્તા બંધાતી હોય છે એમ તેમનું માનવું છે. તેઓ વાર્તા લખતાં ચિત્તની એક પ્રકારની તંગ અવસ્થાને અનુભવ કરતા હોય છે. તેમની વાર્તાકાર તરીકેની એકાગ્રતામૂલક સક્રિય એવી ભાવાવસ્થા વાર્તાઓમાંના ઘટનાગુંફન, પાત્રાલેખન, વાતાવરણ આદિ દ્વારા તેનું એક લાઘવપૂર્ણ સુઘડ સ્વરૂપ સિદ્ધ કરવામાં સહાયભૂત થતી હોય છે. રામનારાયણ, જયતિ દલાલ માને છે તેમ સભાન વાર્તાસર્જક છે. કશુંક કહેવા જેવું હોય છે ત્યારે વાત માંડવા પ્રેરાય છે. વાત માંડતાં, તેમને વાત કહેવાને ઉત્સાહ અછતો રહેતો નથી. તેમણે ફિલસૂફની નજરે જે કંઈ જીવન અને જગતમાં જોયું છે, જે કંઈ વાસ્તવનું સત્ય તેઓ પામ્યા છે તેને આકર્ષક રીતે રજૂ કરવા માટે વાર્તામાં તેઓ ઠીક ઠીક પરિશ્રમ વેઠતા હોય છે. વાર્તા વાર્તા વાર્તાકાર તરીકે કયાં, કેમ અને ક્યારે ઉપસ્થિત થવું–રહેવું તે તેઓ નક્કી કરી લેતા હોય છે. ક્યાંક તેઓ આપણને વાત’ કહેતા હોય, ક્યાંક તેઓ આપણું પડખે બેસીને વાત સાંભળતા
Page #434
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦ ]. રામનારાયણ પાઠક
[ કર૫ હાય, ક્યાંક એમની જ વાત કેઈ બીજા દ્વારા તે કઈ વાર એમના પિતા દ્વારા સાંભળવાની થાય. ડાયરા જેવી “મહેફિલે ફેસાને ગુયાન'માં તે વાતચીતમાંથી વાર્તામાં અને વાતોમાંથી વાતચીતમાં લીલયા સરતા હોય અને આપણને શ્રોતા થવાથી વિશેષ સક્રિય કરતા હેય. એમની વાર્તાઓમાં – વાતામાં શ્રોતા તરીકે – સહભાગી તરીકે આપણે માનભેર ઉપસ્થિત રહી શકીએ એ માટે કાળજીભર્યો અવકાશ લેખક રાખતા હોય છે.
રામનારાયણ વાતરસિયા–વાતચીતરસિયા હોઈ, વાત શરૂ કર્યા પછી અનેક ચાલ ચાલી તેને જમાવે છે. જરૂર પડયે “હું” તરીકે એ ઉપસ્થિત થઈ આપણને તુરત વિશ્વાસમાં લઈ લે છે. તેઓ વાર્તા જાણે લખતા નથી, કથે છે; અને તેથી તેમની વાર્તાઓમાં કથનશૈલીનાં અનેક રમણીય તર નજરે ચઢે છે. તેમની કેટલીક વાર્તાઓ (“દેવી કે રાક્ષસી', “કુલાંગાર', બે મિત્રોની વાર્તા) દશ્યશૈલીની પણ છે. તેમાંથી બે તે પછી નાટયસંગ્રહમાં લેવાઈ છે. કેઈ વાર્તા સંવાદશૈલી પર જ આધારિત હોય એવું બને છે. એમની “જમનાનું પૂર' ઊર્મિકાવ્યની વર્ણનશૈલી અપનાવતી વાર્તા છે. તેઓ વાર્તાઓમાં યથાર્થ ચિત્રણ તેમ જ અતિચિત્રણનેયે યથાવસ્યક નિપુણતાથી વિનિયોગ કરતા હોય છે. એ રીતે એમની વાર્તાઓમાં રજૂઆતરીતિનું – શૈલીનું વૈવિધ્ય ઉલેખનીય છે.
દ્વિરેફ'ની આ વાર્તાઓમાંનું વસ્તુ કાં તે કલ્પનેલ્થ છે કે કાં તે વાસ્તવિક – સામાજિક. “છેલે દાંડક્ય ભોજ', “ઉત્તરમાર્ગને લેપ”, “બુદ્ધિવિજય” અને ‘બે મિત્રોની વાર્તામાં પ્રાચીન મધ્યકાલીન વાતાવરણને વિનિયોગ છે પરંતુ એ વાર્તાઓ છે ક૯પનેથ. તેમની વાર્તાઓમાં “સાચે સંવાદી, “જક્ષણી' જેવી પ્રસન્ન દાંપત્યની; “નવો જન્મ', “સુરદાસ', “કેદર', “પતાને દાખલો, “અંતરાય” જેવી મને વૈજ્ઞાનિક લક્ષણો પર આધાર રાખતી; છેલે દાંડક્ય ભોજ', “એક સ્વપ્ન અને “સૌભાગ્યવતી” જેવી જિન્સી તને આશ્રય લેતી તે “જગજીવનનું ધ્યેય જેવી ગાંધીવિચાર પર અવલંબતી વાર્તાઓ છે. તેમની વાર્તાઓમાં જીવનના વિવિધ પ્રશ્નોનું, ઘટનાવસ્તુનું તેમ પાત્રોનું વૈવિધ્ય ધ્યાનાર્હ છે. જોકે તેમની ચાળીસમાંથી અઢાર વાર્તાઓ સ્ત્રીપુરુષ સંબંધને કાઈ ને કોઈ સંદર્ભ લઈને ચાલે છે.
રામનારાયણે આ વાર્તાઓ દ્વારા મનુષ્ય જીવનની કામ. અસૂયા, દંભ જેવી મૂળભૂત વૃત્તિઓનું સચોટ આલેખન કર્યું છે. “સૌભાગ્યવતી' જેવી વાર્તામાં કામવૃત્તિના આક્રમણે સજતી દાંપત્યજીવનની કરુણતાનું બયાન તેને ભેગ બનેલી સ્ત્રી દ્વારા અન્ય સ્ત્રીની આગળ કરાવવામાં ઉત્કૃષ્ટ કલૌચિત્યની પ્રતીતિ થશે. “કેદર” ને “સૂરદાસ જેવી વાર્તાઓમાં અસૂયાના તત્વની કામગીરીને સચોટ ચિતાર છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૨૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪
દંભનું તત્વ “મુકુંદરાય” ને “બુદ્ધિવિજય'માં જોઈ શકાય છે. તેમણે ભંગીથી બ્રાહ્મણ સુધીનાં, ક્રિશ્ચિયન, પારસી આદિ વિવિધ કામોનાં અને વિવિધ ધર્મો પાળતાં પાત્રોને યાદ રહી જાય એવો મેળો અહીં ર છે. ખેમી, મુકુંદરાય, બુદ્ધિવિજય, જક્ષણી, કંકુ, કોદર – આવાં તે અનેક પાત્રો છે, જે ગુજરાતી વાર્તાવિશ્વમાં હવે પૂરતાં જાણીતાં છે.
લેખકે આ વાર્તાઓમાં સ્થળ-કાળનું અને વાતાવરણનુંયે ઘણું વૈવિધ્ય બતાવ્યું છે. ગામડાં ને શહેરે તે ખરાં જ, પણ કોઈક વાર્તા માટે ટ્રેન ને બસ, તો કઈ માટે કેટ ને જેલ પણ કામ આવ્યાં છે ! એમની આ વાર્તાસૃષ્ટિમાં “અરેબિયન નાઈસની હવાયે મળે છે તે સાથે અર્વાચીન કાળની સત્યાગ્રહની હવા પણ. વળી આ વાર્તાવિશ્વમાં શ્વાનસૃષ્ટિનેય ગૌરવભર્યું સ્થાન મળ્યું છે !
આમ “દિરેફની વાર્તાઓમાં વસ્તુ, પાત્ર, સ્વરૂપ, શૈલી વગેરેને અનુલક્ષતા અનેક કૌતુક આકર્ષણ છે. લેકકથા, ડિટેકિટવકથા, પુરાણકથા, પશુકથા આદિથી માંડીને પરાવાસ્તવવાદી લાગે એવી સ્વપ્નકથા સુધીના વિવિધ સ્તરો અહીં છે. આ સર્વેમાં વાર્તાકારની જીવનના રહસ્યને વળગીને ચાલવાની, વાસ્તવિક રીતે— પ્રતીતિકર રીતે જે તે રહસ્યને રજૂ કરી, જીવનના કેઈ તાત્વિક રૂપને બેધ કરાવવાની સર્જનવૃત્તિનું બળ બરોબર વરતાય છે. તેમની ફિલસૂફની નજર કરુણ, હાસ્ય, શંગારથી માંડી અભુત, રૌદ્રાદિ અનેક રસોના આ વિશ્વ દ્વારા સમતાપ્રધાન, તત્વનિષ્ઠ શાંત રસના નિગૂઢ વર્ચસ તરફ આપણને પ્રેર્યા વિના રહેતી નથી.
દ્વિરેફની વાતોને પ્રથમ ભાગ આપતાં વાર્તાકારનું જીવન પ્રત્યેનું જે દૃષ્ટિબિંદુ હતું તે બીજે ત્રીજો ભાગ આપતી વેળાએ બદલાયું હતું. પ્રથમ વાર્તાશ્રેણીમાં તેઓ કંઈક મુગ્ધ, કંઈક રેમેન્ટિક અભિનિવેશવાળા વાર્તાકાર હતા, બીજીત્રીજી વાર્તા શ્રેણીઓ આપતી વેળાએ તેઓ એવા મુગ્ધ રહ્યા નથી. તેઓ જીવનનાં અસુભગ તને જોવા અને જોગવવામાં વધુ ઠરેલ, શાંત, સહિષ્ણુ અને સમભાવશીલ થયેલા જણાય છે. તેઓ નિયતિપરાયણ થઈ બિનંગતતાની ભૂમિકાએ વાર્તાની ઘટનાઓને ઘટતી બતાવે છે. એ રીતની ઘટનાઓના તટસ્થ સાક્ષી થતાં વેદનાની–કટુતાની અનુભૂતિમાંથી અનિવાર્યપણે પસાર થવું પડે છે અને તે તેઓ
સ્વીકારી લે છે. એ રીતે “દ્વિરેફ'ની પહેલા ભાગ પછીની વાર્તાઓમાં જીવનને કંઈક રુક્ષ, રજોટાયેલો ને કઠોર ચહેરે જોવા મળે છે એમ કહી શકાય. એ નિષ્ફર દર્શનમાંથી જે વાર્તાકાર “દ્વિરેફ' ઊગરી શક્યા નથી તો એમને ભાવક તે ક્યાંથી ઊગરે ?
Page #436
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦ ]
રામનારાયણ પાટેક
[ ૪૨૭
ધૂમકેતુ'ની રંગદશી ઊર્મિપ્રધાન વાર્તાશૈલીના પડછે ‘દ્વિરેફ’ની વાસ્તવનિષ્ઠ, તત્ત્વપૂત, ગહન-સંકુલ છતાં પ્રાસાદિક એવી વાર્તાઓ — વાતશૈલીની વાર્તાએ સહેજેય ધ્યાનાકર્ષીક બની રહે છે. હીરાબહેન આ બંનેય વાર્તાકારાએ પરસ્પરપૂરકઃ રૂપે ટૂંકી વાર્તાનું ઘડતર કર્યુ. છે એમ યેાગ્ય રીતે જ દર્શાવે છે.૮૧ ઉમાશંકર દ્વિરેફની વાર્તાઓને ધૂમકેતુશાઈ વાર્તાશૈલીની જે મર્યાદા હતી તેને પ્રતિકાર કરનાર પરિબળરૂપે વર્ણવે છે. ગુજરાતી વાર્તાસાહિત્યની સમૃદ્ધિ ખઢાવવામાં ‘દ્વિરેફ'ની ‘જક્ષણી', ‘મુકુંદરાય', 'પ્રેમી', ‘છેલ્લા ક્રાંડકથ ભેાજ', ‘સૂરદાસ’, ‘રેંકડીમાં', ‘ઉત્તરમા’નેા લાપ’, ‘બુદ્ધિવિજય' અને ‘કેશવરામ' જેવી વાર્તાઓને કાળા મહત્ત્વના છે.
૩. ‘દ્વિરેફ'નું નાટયસર્જન
વાર્તાકાર ‘દ્વિફ્ટના વેશમાં જ નાટયકાર દ્વિરેફ' દ્વિરેફની વાતા—ભા. ર’માં પ્રત્યક્ષ થાય છે. તેમણે ‘કુલાંગાર' અને ‘દેવી કે રાક્ષસી'ને ‘દશ્યશૈલીની વાર્તા' કહી ત્યારે એમાં ‘વાત'ના અવિસ્તાર થયેા જ સમજાય. ‘દ્વિરેફે' વિદ્યાપીઠની અધ્યાપકીય કારકિર્દી દરમ્યાન વિદ્યાથી એની માગથી કેટલાંક મૌલિક નાટકા તેમ જ નાટયાનુવાદ આપ્યા. તેમણે દેવાનેા કુલાંગાર' અથવા ‘કુલાંગાર', ‘દેવી કે રાક્ષસી' અને ‘ભુલકણેા પ્રેફેસર' એ ત્રણ મૌલિક નાટયકૃતિ ઉપરાંત ભાસનાં ‘ઊરુભ’ગ', ‘કર્યુંભાર' તથા ‘બાલચરિત' (પ્રથમ તથા પંચમ અંક) એ ત્રણ નાટકાના તથા ‘ભગવદજજુકીયમ્'ને અને શેકસપિયરના રેામિયા ઍન્ડ જુલિયેટ' નાટકના બીજા અંકના ખીજા પ્રવેશને બાગમાં મિલન' નામે, તથા એ જ નાટયકારના ‘મર્ચન્ટ ઑફ વેનિસ'ના ચેાથા અંકના પહેલા દૃશ્યને શેર માંસના મુકમે।' નામે અનુવાદ આપ્યા. વળી ‘રઘુવંશ'માંની એક ઘટના પરથી ‘દિલીપ અને સિંહુ’ નામની એક સ’વાદકૃતિયે આપી. આ દસેય કૃતિએ ‘કુલાંગાર અને ખીજી કૃતિઓ'માં પ્રસિદ્ધ થઈ છે.
રામનારાયણ ચીલાચાલુ નાટક ભજવતી રંગભૂમિ પર કાઈ નવા સંચાર થાય, રંગભૂમિને શૈક્ષણિક દૃષ્ટિએ વિનિયાગ થાય એ માટે તીવ્ર આકાંક્ષા ધરાવતા હતા. તેમને તેથી રગભૂમિ માટે શિષ્ટ-પ્રશિષ્ટ નાટક સુલભ કરી આપવાં એ કતવ્ય લાગ્યું છે. રામનારાયણે ‘કુલાંગાર’માં અસ્પૃશ્યતાના પ્રશ્ન નિમિત્તે નાતનું. સંકુચિત માનસ રજૂ કરવાના ઉપક્રમ રચ્યા છે. તેમાં પાંચ દશ્યામાં અનંતરાય– લલિતાના ભાઈ બહેન તરીકેના સ્નેહનું, નાતીલાઓની ખટપટી મનેવૃત્તિનું, જ્ઞાતિપંચની દાંભિક કામગીરીનું અને છેવટે અન ંતરાયની ગામમાંથી વિદાયનું નિરૂપણ કર્યું છે. એક હરિજન છેાકરાઓને કરાના તાફાનથી બચાવવાનું
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૨૮]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચ. ૪
માનવતાભર્યું કાર્ય કરનાર અનંતરાય જેવા તેજસ્વી યુવાને અને લલિતા જેવી સુશીલ કન્યાઓને ઉપયોગી કે લાભપ્રદ થવાની કે એવાઓને લાભ લેવાની ક્ષમતા કે દષ્ટિ ગુમાવી બેઠેલી નાતનું વાસ્તવિક નિરૂપણ આ નાટકમાં થયું છે. દેવી કે રાક્ષસીમાં સમાજશાસ્ત્રીય-માનસશાસ્ત્રીય સમસ્યા કેન્દ્રસ્થાને છે છે. ભોળાનાથ પ્રત્યે અત્યંત કામાસક્ત પ્રભાવતી તેમના પ્રત્યે વહેમી અને અસહિષ્ણુ બની જતાં છેવટે પાગલ બને છે. કદાચ તે જ પિતાના પતિના અણધાર્યા અવસાન માટે જવાબદાર હોય. તેની પુત્રી સુશીલા માતાના વર્તને આઘાત પામી નાટકના નાયક સુધીન્દ્ર સાથે પરણવાનું માંડી વાળતા, પરંતુ સુધીન્દ્રની સ્વસ્થતા ને સમજ નાટયાતે ઈષ્ટ પરિણામ લાવીને રહે છે. આ પાંચ પ્રવેશમાં વહેંચાયેલા નાટકમાં સ્ત્રી દેવી કે રાક્ષસી નહિ પરંતુ માનવ જ લેવાની વાતનું છેવટે તે પ્રતિપાદન થાય છે. લેખકે સ્ત્રીપુરુષ-સંબંધનાં અંધ અને ગૂઢ પરિબળાનું મર્મસ્પર્શી આલેખન અહીં કર્યું છે. અહીં સુશીલા, સુધીન્દ્ર, ચારુમતી અને દયાફાઈનાં પાનું નિરૂપણ ચિત્તાકર્ષક જણાશે. ભુલકણો પ્રેફેસર” એ બસ્કિટ' છે. તેમાં ભૂલથી પારકાના દીવાનખાનામાં પહોંચી જતાં, એને પિતાનું માનીને પ્રોફેસરની જે ઉક્તિ રજૂ થાય છે તે રમૂજ પ્રેરક છે. આ નાટક ટુચકા જેવું રસપ્રદ લાગે છે, છતાં તેને “વૈરવિહાર'માં આપેલા નાટયટુચકાના રૂપનું ન ગણી શકાય.
લેખકે જે અનૂદિત નાટયકતિઓ આપી છે તે તેમની પ્રશિષ્ટ સાહિત્ય માટેની રુચિની અને તેમની અનુવાદશક્તિની સારી પિછાણ આપે છે. તેમણે “ભગવદજજુકાયમને અનુવાદ કરતાં વાચિક અભિનયનેયે ખ્યાલ રાખે છે. શેકસપિયરના નાયાશેના અનુવાદમાં જે બાની અને વનવેલીની છટા તેમણે પ્રયોજી છે તે ધ્યાનાર્હ છે. વનવેલીની નાટયપદ્ય માટેની ક્ષમતાનો સાર અંદાજ આ અનુવાદ આપે છે.
ભવાઈ અને તખતો' જેવાં વ્યાખ્યાન આપીને ન વિરમતાં, તેમણે આમ સર્જનાત્મક રીતે નાટ્યપ્રવૃત્તિમાંયે ઝુકાવ્યું તે તેમના રંગભૂમિ માટેના આદર અને ઉત્સાહનું દ્યોતક છે. ૪. “સ્વૈરવિહારીનું નિબંધસજન
રામનારાયણ મૂળભૂત રીતે સ્વૈરવિહારી જીવ છે. એમના સમગ્ર સાહિત્યમાં મને વિહાર – વૈરવિહારનાં કેટલાંક રમણીય તર જોવા મળે છે. રામનારાયણે ટુચકા લખનાર “વર્તમાન'; કવિતા લખનાર “જાત્રાળુ, “ભૂલારામ” અને “શેષ'; વાર્તા લખનાર “દ્વિરેફ' –એવાં જે અનેક રૂપ ધારણ કર્યા તે વસ્તુતઃ તે “વેર
Page #438
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦ ] રામનારાયણ પાઠક
[૪ર૯ વિહારી'નાં રૂપે છે. રસિકલાલ પરીખ તે જે નામથી “પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા' લખાઈ તે “રામનારાયણ પાઠક' નામને જ તખલ્લુસ તરીકે ઉલ્લેખે છે! રામનારાયણે એમનું “વૈરવિહારી' તખલ્લુસ ઓધિભૌતિક કે આધ્યાત્મિક સત્યને ધ્યાનમાં લઈને રાખ્યાનું જણાવ્યું છે તે પણ અત્રે સ્મરણીય છે.-૩
સ્વૈરવિહારી' “વૈરવિહાર'માં નિરંકુશ વિહારને પિતાના સ્વાધિકાર તરીકે રજૂ કરે છે. તે “વૈરવિહારીને વિષયના ચંદરવા-રૂપેય ઓળખાવે છે. “સ્વરવિહારને એક દષ્ટિએ કશો વિષય નથી તો બીજી દષ્ટિએ બધા વિષયો તેના છે.૮૪ સ્વૈરવિહાર જ “કંઈ પણ સમજાવવાને માટે સૌથી ઉત્તમ સાધન ૮૫.રૂપ છે. રામનારાયણ સ્વૈરવિહારની કામરૂપતા તેમ કલારૂપતાયે ભારપૂર્વક બતાવે છે. આ સ્વૈરવિહાર “વસ્તુપ્રધાન” નહિ, પરંતુ “વિહારપ્રધાન” હાય એ સ્વાભાવિક છે.૮૬ આ સ્વૈરવિહાર જ સત્યદર્શન કરાવનાર એમને જણાવે છે.૮૭
લેખકે આ “વૈરવિહાર” “પ્રસ્થાન' નિમિત્તે કર્યો હતો. આ વૈરવિહારમાં જુદાં જુદાં શાસ્ત્રો; મૂડીવાદ ને સામ્યવાદ જેવા વાદ; સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ; યુવાને અને પેન્શનરે, અંગ્રેજો અને બ્રાહ્મણ, બાવાઓ અને ભિખારી, નટીઓ અને વિદૂષક વગેરે લક-વર્ગો: ગાંધીજી ને સરદાર, ટાગોર ને અરવિંદ ઘોષ જેવી વ્યક્તિઓ; હોળી ને શરદુત્સવ જેવા ઉત્સ; શહેર ને ગામડા, જલે ને નગર-સભાગૃહ જેવાં સ્થળ-કેન્દ્રોઃ માંદગી ને ઘડપણ, પ્રેમ, અને મૃત્યુ, અસ્વચ્છતા અને અસ્પૃશ્યતા આદિ અવસ્થિતિઓ–પરિસ્થિતિઓ સ્ત્રી-પુરુષસંબંધના પ્રશ્નો; સાહિત્યનાં સ્વરૂપ, શૌલીઓ, ભાષા, જોડણી, લિપિ આદિવિષયક મુદ્દાઓ – આ સર્વ વિશે અવનવી ચર્ચાઓ ઉઠાવાઈ છે. કાગડા ને કતરા. ખોરાકની ટેવ ને વાસણોના ઘાટ જેવી બાબતેની વિચારણાયે આ સૃષ્ટિમાં સમાવેશ પામે છે. આ સર્વના નિરૂપણમાંથી રામનારાયણનાં નર જીવનરસ તથા માનવતાનાં મૂલ્યમાંની એમની અવિચલ શ્રદ્ધા, એમનું જાણપણ અને શાણપણુ તથા એમની વાગ્વિચારરસિકતા ઉદ્ય રીતે પ્રગટ થાય છે. રામનારાયણનું ઉપજાઉ ભેજ” જાતભાતના તરંગ-તુકકા ચલાવે છે. એમની વિલક્ષણ તર્કશક્તિ હાય માટેને સબળ વિભાવ બની રહે છે. તેઓ અવારનવાર અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો આદિથી; ઉપમા-દષ્ટાંત જેવા અલંકારોથી, વિશિષ્ટ વાક્યપ્રયોગો અને શબ્દપ્રયોગથી હાસ્ય-વ્યંગ નિષ્પન્ન કરવાની કળા-વાપટુતા . બતાવે છે. તેઓ યથાપ્રસંગ બોલચાલની લઢણે, તળપદા તેમ જ શિષ્ટ-શાસ્ત્રીય શબ્દપ્રયોગ વગેરેનેય વિનિયોગ કરી જાણે છે. તેઓ ઉબેધનાત્મક, ચિંતનાત્મક, સંવાદાત્મક, કથનાત્મક એમ ગદ્યનાં અનેકવિધ શૈલીરૂપિયે અજમાવી જાણે છે. તેઓ માનવીય.
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૩૦ ]. - ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ નબળાઈઓ અને દંભને હાસ્ય-કટાક્ષનાં વિષય બનાવી પ્રચ્છન્ન સુધારવૃત્તિયે દાખવતા હોય છે.
સ્વૈરવિહારી'ની આ સુધારકવૃત્તિ તંત્રની જડતા, તંત્રવાહકોની દેગાઈ, દંભ અને અભદ્રતા સામેની પ્રવૃત્તિ-કટાક્ષવૃત્તિમાંથાયે સૂચિત થાય છે. મનુષ્યને ભ્રષ્ટ કરનારાં ભય-લાલચનાં આસુરી તો સામેનો રામનારાયણને મોર બળવાન જણાય છે. અનિષ્ટ-અન્યાય સામેની અહિંસક યુયુત્સાનું તેજ અહીં કટાક્ષશીલામાં પ્રગટ થાય છે. તેમને “વૈરવિહાર' શબ્દ જે રમતિયાળ અને પ્રસન્ન દેખાય છે તે પ્રસંગોપાત્ત તીખાશ ને તીણતા ધારણ કરતો તણખાયે દેખાય છે.
તેમની “સ્વૈરવિહારની સૃષ્ટિમાં રોષ, કરુણા, ઉપહાસ, કટાક્ષ, વિડંબના, વિદના, પ્રસન્નતા આદિ વિવિધ ભાવરૂપને યથાર્થ પરિચય તે થાય છે તે સાથે આ સૃષ્ટિમાં જ રહેલા “સ્વૈરવિહારી'ની સ્પષ્ટવકતૃતા, નિર્ભીકતા, મનુષ્ય પ્રત્યેની કરુણા, સત્યપ્રિયતા, કલારસિકતા, તત્ત્વનિષ્ઠા ને વિદ્યાપ્રીતિ વગેરેથી સમૃદ્ધ એવી વ્યક્તિતાનેયે પરિચય થાય છે. આ સ્વૈરવિહારી આમ તો સવિશેષ ફરતું જેનારા છતાં ભીતરમાં વળીવળીને ડોકિયું કરી લેનારાયે છે. એમની આત્મનિરીક્ષણવૃત્તિ, આત્મચિકિત્સાવૃત્તિ, આત્મવિશ્લેષણ અને આત્મવિશોધકવૃત્તિ બળવાન છે અને એમનાં કટાક્ષપ્રધાન-વ્યંગપ્રધાન લખાણમાં સમધારણુતા – સમતલતા જાળવવામાં એ ઉપકારક પણ થાય છે.
આ “સ્વૈરવિહારનાં લખાણો વિજયરાય વૈદ્યને શબ્દ વાપરીને કહીએ તે નિબંધિકારના રૂપમાં છે. સુન્દરમ તેમને નિબંધસ્વરૂપનાં લેખી ગુજરાતી નિબંધવિકાસમાં તેને એક મહત્ત્વના નવા પ્રારંભ તરીકે વર્ણવે છે.૮૮ આ “વૈરવિહારનાં લખાણો રૂઢ અર્થમાં કોઈને નિબંધ ન લાગે તે આશ્ચર્ય થવું ન જોઈએ; ને છતાંયે કામચલાઉ ધોરણે તેને નિબંધના વર્ગમાં જ સમાવેશ કરવાનું થાય.
આમ તે “સ્વૈરવિહાર'માં જ “મનોવિહાર' અનુસૂત હોવાનું જોઈ શકાય. હાસ્યમાં અશ્રુની ચમક અને અશ્રુમાં હાસ્યની – એ તે રામનારાયણની એક વિશેષતા છે. રામનારાયણ “મને વિહાર’ ૨૮ ગંભીર નિબંધને સંગ્રહ છે. તેમાં વ્યાખ્યાન, પત્ર, વિચારયંક્રમણ, સંસ્મરણ આદિ વિવિધ લેખ પ્રકારોને સમાવેશ થયો છે. તેમાં “પ્રેમ”, “મૃત્યુ વિષે કંઈક' જેવા તત્ત્વચિંતનના લેખે છે તો ઇન્દુલાલ, ગિજુભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ, મહાદેવભાઈ, મેઘાણીભાઈ,
Page #440
--------------------------------------------------------------------------
________________
(૪૩૧
પ્ર. ૧૦]
રામનારાયણ પાઠક ગાંધીજી અને કસ્તૂરબા જેવી વ્યક્તિઓ વિશેના લેખે છે. એ લેખમાં અહેવાલ, સંસ્મરણ, અંજલિ જેવાં સાહિત્યસ્વરૂપે નજરે ચઢે છે. જેમ અહીં વ્યક્તિવિશેષને લગતા તેમ સ્થળવિશેષને લગતા “ગુજરાતમાં પ્રવાસ', “ધુવાંધાર અને ભેડાઘાટ', વારાણસીમાં' જેવા લેખોયે છે. આ લેખમાંની વર્ણનાત્મક શૈલી ઉલ્લેખનીય છે. આ ઉપરાંત બારડોલીને પત્ર લેખ તે વિસ્તારના જનજીવનની ઝાંખી કરાવે છે. રામનારાયણે ૧૯૨૯ની અસહકારની ચળવળ દરમિયાન બારડોલી અંગેના તપાસપંચમાં કાર્ય કર્યું તેના ઈષ્ટ ફલસ્વરૂપ આ લેખ છે. રામનારાયણનું સમાજનિરીક્ષણ અને સામાજિક સ્થિતિ તથા સમસ્યાઓનું ચિંતન જેમ બારડોલીના પત્રમાં તેમ “પ્રજાકીય જ્ઞાનતંતુની નબળાઈ લેખમાં; “વિચારચંક્રમણના વિષયનાં તથા ગુજરાતમાં સ્ત્રીઓનું સ્થાન અને અસ્પૃશ્યતાને પ્રશ્ન –એ વિશેનાં તેમનાં લખાણમાં જોવા મળે છે. રામનારાયણનું કલાચિંતન ઉપર્યુક્ત સ્થળવિશેષના લેખમાં અને તદુપરાંત મોઢેરા, અડાલજ જેવાં સ્થળાના શિલ્પ સ્થાપત્યના નિરૂપણમાં તથા સંગીત અને ગરબા, કથકલિ આદિ નૃત્યપ્રકારોની સમીક્ષાવિચારણામાં અનુસૂત છે. રામનારાયણ આ નિબંધામાં પ્રકૃતિ અને સંસ્કૃતિના સાચા મર્મ તરીકે પ્રગટ થાય છે. આ નિબંધે રામનારાયણની ગાંધીસંસ્કારના રંગે રંગાયેલા ચિંતક પુરુષ તરીકેની અને તેજસ્વી નિબંધકાર તરીકેની મુદ્રા ઉપસાવી રહે છે.
૬. પ્રકીર્ણ સાહિત્યલેખન-અનુવાદ-સંપાદન ૧ પ્રકી સાહિત્યલેખનઃ રામનારાયણની સાહિત્યિક પ્રતિભા કેવળ લલિત સાહિત્યના સજન-વિવેચનમાં સીમિત ન રહેતાં, લલિતેતર સાહિત્ય સુધીયે વ્યાપ્ત થઈ છે. તેમને તર્ક અને તત્ત્વમાં ઊંડો રસ હતો. એ રસથી એમના સર્જન-વિવેચનને બુનિયાદી લાભ પણ થયો છે. એ રસે “પ્રમાણુશાસ્ત્રપ્રવેશિકા' જેવો ગ્રંથ સંપડાવ્યો. આ ગ્રંથ કેળવણસેવા અને રાષ્ટ્રસેવાની ભાવનાથી લખાયેલે જણાય છે. એ લખવા માટે પાશ્ચાત્ય તેમ જ ભારતીય તર્કગ્રંથનું સારું અધ્યયન એમણે કર્યું છે. આ પ્રમાણુશાસ્ત્રપ્રવેશિકાનાં ૨૪ પ્રકરણમાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ પ્રમાણોની ચર્ચાવિચારણા છે. તેમાં વિષયચર્યાને જીવંત-રસમય બનાવવા માટે આદિત્ય, તિષ, ખગોળ, સંપત્તિશાસ્ત્ર, મને વિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, ઐતિહાસિક શોધખોળ આદિમાંથી ઉદાહરણ લીધાં છે. આ ગ્રંથે પ્રમાણુશાસ્ત્રની પરિભાષા ઘડવાંમાંયે યત્કિંચિત પ્રદાન કર્યું છે.
તેમણે વિદ્યાપીઠના ગૃહપતિની કામગીરી બજાવતાં છાત્રઘડતરને પ્રશ્ન પણ વિચારે. એ વિચારણના ફલસ્વરૂપ, લગભગ બાર અને તેથી વધારે ઉંમરના
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૩૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2*. ૪
કિશોરા અને યુવાનેાના દૈનંદિનીય આચારની ધર્મ પૂત વ્યાવહારિક દષ્ટિએ વિચારેલી સમાયેાજનારૂપે ‘નિત્યના આચાર' ગ્રંથ આપ્યા છે, ‘આચાર' વિશેના ખ્યાલ રીતભાત (‘મૅનર્સ') અને શિષ્ટાચાર(‘ઍટિકેટ')ને કેટલીક રીતે સ્પર્શતા છતાં તેના કેન્દ્રમાં જે ધર્મભાવના — ‘વિશ્વાભિમુખ દષ્ટિ' રહેલી છે તેનેા મર્મ સમજાવવાને પ્રયાસ આ કૃતિમાં થયા છે. આ કૃતિ એ રીતે ‘શિષ્ટાચારોથી’ ‘સંસ્કાર-શિક્ષિકા’(અ. મ. રાવળ) પણ ગણાય. રામનારાયણે બાળકના ઊઠવાથી તે તેના જાહેર વર્તાવ સુધીની જિ ંદા જીવનની ચર્યાં વિશે મૂલ્યવાન માદન આપ્યુ છે. અને તે પણ મુખ્ખીવટથી નહિ .પણ સમભાવપૂર્વક. એમાં એમની કિશારભાગ્ય લખાવટ અને પ્રેમાળ અભિગમ ધ્યાના છે. રામનારાયણના પૂરા વ્યક્તિત્વના અંદાજ મેળવવા ચાહનારે ‘કાવ્યની શક્તિ' સાથે ‘આચારની શક્તિ' પ્રેરતાં એમનાં આવાં પુસ્તકાનેાયે ખ્યાલ રાખવા ઘટે.
-
રામનારાયણે ઇન્ડિયન નૅશનલ થિયેટર માટે રાસ અને ગરબા' (૧૯૫૪) નામની પુસ્તિકા ગાવર્ધન પંચાલ સાથે રહીને આપી હતી એમાં એમનું કર્તૃત્વ તા કાવ્ય, ગાન અને નન આ ત્રિવિધ રીતે રાસ ગરબાની આલેાયના કરતા આ પુસ્તિકામાંના પ્રાસ્તાવિક લેખ પૂરતું જ મર્યાદિત છે. આ ઉપરાંત ‘બુદ્ધિપ્રકાશ' (૧૯૫૬)ના કૈામાં પ્રસિદ્ધ થયેલી ‘કાવ્યશાસ્ત્ર’ તથા ‘આનંદમીમાંસા’ લેખમાળાએ ખાસ ઉલ્લેખનીય છે. વળી ‘યુગધર્મી' તથા ‘ગુજરાતી નાટય' વગેરેમાં એમના ખીન્ન પણ કેટલાક લેખા છે. તેમણે ‘પુરાતત્ત્વ’માં ચાણુકચના અર્થશાસ્ત્ર વિશે કેટલુંક લખાણ આપેલુ. ‘આ વિદ્યા વ્યાખ્યાનમાળા’(૧૯૨૨)માં ચાલુકય કૌટિલ્ય વિશે એક દી વ્યાખ્યાનલેખ આપ્યા હતા. આ પ્રકારના લેખા તેમની વિશાળ દૃષ્ટિ અને રુચિના પરિચાયક છે. ‘દરેક પ્રજાને ભૂતકાળના અવાજ સાંભળવાને સુક જોઈએ જ અને રામનારાયણે યથાવકાશ એ સુકક પ્રેમથી કરેલું છે તે જોઈ શકાય છે.
૨. અનુવાદકમ : રામનારાયણ અધ્યાપનાદિ નિમિત્તે કાવ્ય, નાટકે, વાર્તાએ આદિના અનુવાદા આપતા રહ્યા છે. એમના એવા કેટલાક પ્રાસાદિક અનુવાદ ‘શેષનાં કાવ્યા’ તથા ‘કુલાંગાર અને ખીજી કૃતિઓ' વગેરેમાં જોઈ શકાય છે. રામનારાયણે અને નગીનદાસે ચુંબન અને ખીજી વાતા’(બીજી આવૃત્તિ ‘વામા' નામથી પ્રગટ થઈ છે.)ના જે અનુવાશ્રંથ આપ્યા છે તેમાં મે વાર્તાઓના અનુવાદ રામનારાયણના છે. વળી રિસકલાલ છે.. પરીખ સાથે રહીને કાવ્યપ્રકાશના ૧થી ૬ ઉલ્લાસનેા મૂળાનુસારી અનુવાદ તેમણે આપ્યા છે, તેમણે ધર્માનંદ કાસખી સાથે રહીને ધમ્મપદ’(૧૯૨૪)ના અનુવાદનું કાર્ય
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦] રામનારાયણ પાઠક
[૩૩ પણ કર્યું હતું. આ બધા અનુવાદે રામનારાયણની અધ્યાપન અને અધ્યયનનિષ્ઠાના અને માનવીય સંરકાર-સંસ્કૃતિ પ્રેમના દ્યોતક છે.
૩સંપાદન: રામનારાયણે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કરતાં ત્યાંના વિદ્યાર્થીઓને નજરમાં રાખીને કવિતાના કેટલાક પાઠસંચયે કર્યા અને એ રીતે હિંમતલાલ અંજારિયાના કાર્યને આગળ ધપાવ્યું. તેમણે નરહરિ પરીખ સાથે રહી નરસિંહના કહેવાતા “ગેવિંદગમન (સં. ૧૯૭૯)નું સંપાદન કરી આ પ્રવૃત્તિને શુભારંભ કર્યો. એ પછી કાવ્યસમુચ્ચયના બે ભાગ અને પછી નગીનદાસ પારેખ સાથે રહી “કાવ્યપરિચયના બે ભાગમાં જે સંપાદન કર્યા તેણે તેમને સંપાદક તરીકે યશ અપાવ્યું. તેમણે આ કાવ્યસંપાદનમાં ઐતિહાસિક અને તુલનાત્મક પરિપ્રેક્ષ્ય પણ ધ્યાનમાં રાખે જણાય છે. આ સંચયએ ગુજરાતી કવિતા પ્રત્યેની અભ્યાસીઓની વ્યાપક અને સમ્યગ રચિના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો જણાય છે. આ ઉપરાંત તેમણે માધ્યમિક શાળાઓ માટેના સાહિત્યિક સંપાદનમાંયે રસ લીધો હતે.
તેમણે ‘કાન્ત’ને ‘પૂર્વાલાપ'ની બીજી આવૃત્તિનું તથા ઉમાશંકર સાથે આનંદશંકરના “કાવ્યતત્વવિચાર', “સાહિત્યવિચાર”, “દિગ્દર્શન અને વિચારમાધુરી–૧નું જે સંપાદન કર્યું એ પણ મોટી સાહિત્યસેવા લેખાય. ‘કાન્ત’ના સંપાદનમાં તેમને જીવનદર્શન અને કાવ્યસર્જનના સંબંધને સ્પષ્ટ કરતાં જે ઉદ્દઘાત અને ટિપ્પણ છે તે મૂલ્યવાન છે. વળી “આપણે ધર્મની ત્રીજી આવૃત્તિમાં તથા આનંદશંકરના અન્ય કેટલાક ગ્રંથોમાં ઉદઘાતરૂપે જે લેખે લખ્યા તે તેમની વ્યાપક, સૂક્ષ્મ અને ઊંડી ચિંતનશીલતાના તથા સઘન અભ્યાસનિષ્ઠાના દ્યોતક છે. “આપણે ધર્મ” નિમિત્તે આનંદશંકરની જ્ઞાનગંગાને સુપેરે ઝીલવાનું સામર્થ્ય બતાવી તેમની ઊંચી સારસ્વતશક્તિને સૌને પર કરાવ્યું.
હીરાબહેન સાથે “ગૂર્જરવાર્તાવૈભવની શ્રેણીમાં સામાજિક કથાઓનું એમણે એક સંપાદન કર્યું હતું. વળી “મુનશી સૂક્તિસંચય'ના સંપાદકમાં પણ તેમને સમાવેશ થતો હતો. તેમણે “ન્હાનાલાલ સ્મારક ગ્રંથ (૧૯૫૩)ના સંપાદકેમાંયે મોખરાની જવાબદારી અદા કરી હતી. તેમની સંપાદનશક્તિને. સમ્યફ પરિચય તે “યુગધર્મ', “પ્રસ્થાન આદિ દ્વારા સૌને થયો છે, ખાસ કરીને પ્રસ્થાન દ્વારા. ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદેથી ચાલતા “યુગધર્મ'માં તેમણે ૧૯૨૪ના ફેબ્રુઆરીથી કલા અને સાહિત્યવિભાગનું તંત્રી કાર્ય કરેલું. એ પછી
ગુ. સા. ૨૮
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૩૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ સં. ૧૯૮૨ના કારતક માસથી શરૂ કરાયેલા “પ્રસ્થાન'માં તેમણે તંત્રી કાર્ય સંભાળ્યું અને તે લગભગ સં. ૧૯૯૩ના વૈશાખ માસ સુધી સંભાળ્યું હતું. આ દરમ્યાન તેમણે “પ્રસ્થાન' દ્વારા સાહિત્યજગતની બહુમૂલ્ય સેવા કરી હતી. રામનારાયણની પિતાની પ્રતિભાને તે ખરું જ ઉપરાંત બીજા અનેક સર્જકોની પ્રતિભાને પ્રોત્સાહન, પિષણ આપવામાં “પ્રસ્થાનને ફાળે રહ્યો હતો. ગુજરાતના સાહિત્યિક-સાંસ્કૃતિક જીવનમાં પ્રસ્થાન” એક વિધાયક બળ બની રહેલું. આ પ્રસ્થાને “દપૂિવં ચતુ વાદ્રમુ'ની ભાવના પ્રસારવા સાથે “ચાલતા મધુને પામે એ ભાવનાનેય પ્રતિષ્ઠિત કરી. “પ્રસ્થાન'ધમે જ રામનારાયણ જીવનકવનમાં -ઉત્કૃષ્ટ મધુ સિદ્ધિ પામ્યા. ઉપસંહાર
રામનારાયણે ગુજરાતી ભાષા અને સાહિત્યની શિક્ષણ, સર્જન, વિવેચન, સંશાધન, અનુવાદ, સંપાદન વગેરે દ્વારા બહુ મોટી સેવા કરી છે. કળા, કેળવણી, દર્શન-વિચાર – આ સર્વેમાંના તેમના ઉત્કટ રસે તેમની સાહિત્યસાધનાને તેજસ્વી બનાવી. તેમણે ગાંધી અને ટાગોરની – સત્ય અને સૌન્દર્યની ધારામાં જે એકત્વ હતું તેને મર્મ ગ્રહી સ્વકીય કલાસાધનાને સાત્વિક અને ઉદાત્ત બનાવવા પુરુષાર્થ કર્યો. તેમને શબ્દ દેખાય છે સાદે પણ એમાં સાચી ગર્ભશ્રીમંતાઈ જોઈ શકાય છે. એમના શબ્દમાં કલ્પનાના સ્વૈરવિહાર સાથે તત્વપ્રેમી ચિત્તને મનનવિહાર–મને વિહાર પણ જોવા મળે છે. જીવન અને કલામાં રામનારાયણને સર્વથા ને સર્વદા અભિમત છે “વિહાર', “વિલાસ' નહિ. એમના શબ્દમાં જ્ઞાનીના પ્રૌઢ અને શિશુને કૌતુકસભર દર્શનને વિરલ વેગ અવારનવાર આહ્લાદક રીતે પ્રતીત થાય છે. રામનારાયણને શબ્દ જીવનના શીલભદ્ર અનુભવ દર્શનમાંથી સામર્થ્ય તેજ મેળવે છે. એ શબ્દ પરંપરામાન્ય થવા સાથે પ્રયોગનિષ્ઠ રહેવા જેટલી કૃતિયે દાખવત રહ્યો છે. એ શબ્દ પ્રથમ નજરે આંજી દે એવો નથી, પણ એક વાર તેની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ સિદ્ધ થયા પછી, એની ઉષ્માસભર આકર્ષકતા ને અંતર્ગત રસાત્મકતાને પર મેળવ્યા પછી એના સાંનિધ્યને ટાળવું કે અવહેલવું મુશ્કેલ બની જાય છે. પાઠકસાહેબના સમસ્ત છવનકર્મ અને કલાધર્મને-વિદ્યાકર્મીને પ્રધાન રસ શમ જણાય છે – જિંદગીના સર્વ રસ ને રંગેના તત્ત્વપરિપાકરૂપ શમ, એ શમના અનુભવમાં અસ્તિત્વની સાર્થકતાને અને જીવનપુરુષાર્થની ઈષ્ટતાને સંકેત રહેલ છે. એમાં જીવનની સંકુલતાનું આકલન જરૂર છે; જીવનની કરુણતામાંનું ગંભીર અવગાહન પણ એમાં ગૃહીત છે જ; પરંતુ એ અનુભવે એમની શુચિતા ને પ્રસન્નતાની સાધનાને
Page #444
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૦ ] રામનારાયણ પાઠક
[૪૩૫ વધુ ગભીરતા-નિગ્ધતા સમપી તેની દીપ્તિ બઢાવી છે. પાઠકસાહેબને શબ્દ એની ઉત્કૃષ્ટ ભૂમિકાએ સત્યાર્થ કુરતાં જે વ્યાપ ને ગહનતા સિદ્ધ કરે છે તેને મર્મ જાણીને કદાચ આપણું એક વિચક્ષણ કવિ ઉમાશંકરે “અહો વિરલ ચિત્તસાજ અતિ સૂકમદશી શુચિ !” એમ એમના માટે કવ્યું હશે.
ટીપ
૧ “આકલન”, ૧૯૬૪, પૃ. ૧૮૬–૧૮૭. ૨ એ જ, પૃ. ૧૯૧. ૩ એ જ, પૃ. ૧૮૭. ૪ “પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા', ૧૯૨૨, પૃ. ૨૪. ૫ “સાહિત્યવિમશ”, ૧૫૯, પૃ. ૨૦. ૬ ‘આકલન', પૃ. ૧૦. ૭ એ જ, પૃ. ૧૨. ૮ એ જ, પૃ. ૨૨-૨૩. ૯ “કાવ્યની શક્તિ, ૧૫૯, પૃ. ૨૨૬. ૧૦ એ જ, પૃ. ૪૪. ૧૧ “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે”, ૧૯૬૨, પૃ. ૨૧૭, ૧૨ “નવિહાર', ૧૯૬૧, પૃ. ૧૪૦, ૧૪૭, ૧૩ “નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યને આદ્યપ્રણેતા', ૧૯૬૫, પૃ. ૭૭. ૧૪ “સાહિત્યાલોક', પૃ. ૩૨. ૧૫ એ જ, પૃ. ૩૯. ૧૬ “સાહિત્યવિમર્શ', પૃ. ૫-૬. ૧૭ એ જ, પૃ. ૧૨૬. ૧૮ કાવ્યની શક્તિ', પૃ. ૧૫-૨૧. ૧૯ “સાહિત્યક', પૃ. ૩૧. ર૦ “કાવ્યની શક્તિ', પૃ. ૩૯. ર૧ “સાહિત્યવિમર્શ', પૃ. ૨૮. ૨૨ “કાવ્યની શક્તિ”, ૩૬-૩૭. ૨૩ એ જ, પૃ. ૧૮૨. ૨૪ “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે', પૃ. ૨૪. ૨૫ “સાહિત્યાલોક', પૃ. ૧૨. ૨૬ “કાવ્યની શક્તિ', પૃ. ૨૨૭. ૨૭ “આકલન”. પૃ. ૭. ૨૮ કાવ્યની શક્તિ', પૃ. ૨૨૫. ૨૯ “સાહિત્યવિમશ", પૃ. ૨૧૧. ૩૦ “અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણે', પૃ. ૧૧૦. ૩૧ એ જ, પૃ. ૧૦૪. ૩ર એ જ, પૃ. ૨૨, ૧૦૧-૧૦૨. ૩૩ “સાહિત્યવિમર્શ', પૃ. ૨૩૭, ૨૩૯, ૨૪૦. ૩૪ “અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો', પૃ. ૭૫. ૩૫ એ જ, પૃ. ૭૫. ૩૬ “સાહિત્યવિમર્શ', પૃ. ૩૮. ૩૭ “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો', પૃ. ૧૩૧, ૩૮ “સાહિત્યવિમર્શ', પૃ. ૨૫. ૩૯ કે
આલોચના', ૧૯૬૪, પૃ. ૧૯૪. ૪૦ કાવ્યની શકિત', પૃ. ૧૨. ૪૧ “આકલન', પૃ. ૧૩૮, ૧૩૯, ૧૪૨. કર બહત પિંગલ', ઉપધાત, ૧૯૫૫, પૃ. ૬, ૧૫.૪૩ “નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યને આદ્યપ્રણેતા', પૃ. ૧૨૫. ૪૪ “આકલન', પૃ. ૧૩. ૪૫ એ જ, પૃ. ૭–૯. ૪૬ એ જ, પૃ. ૨૦. ૪૭ એ જ, પૃ. ૨૦. ૪૮ સાહિત્યવિમર્શ', પૃ. ૨૮૨. ૪૯ બુદ્ધિપ્રકાશ', એપ્રિલ, ૧૯૫૬, પૃ. ૯૬. ૫૦ “અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો', પૃ. ૫૧. ૫૧ “પ્રાચીન ગુજરાતી દે'. ૧૯૪૮, પૃ. ૧૩૧-૧૪૩. પર “અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણે, પૃ. ૧૮૩. પ૩ નાવિહાર', પૃ. ૨૧૬. ૫૪ “આલેચના', પૃ. ૩૮. ૫૫ “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય”, ૧૯૩૩, પૃ. ૨૧. ૫૬ “સાહિત્યવિમશ", પૃ. ૧૨૩. પ૭ “સ્વરવિહાર'-૧, ૧૯૬૫, પૃ. ૧૭૨-૩. ૫૮ “સાહિત્યાલોક', પૃ. ૧૫૧. ૫૯ “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે', પૃ. ૪૪. ૬૦ “સમાચના', ૧૯૬૬, પૃ. ૪૩૫. ૬૧ “પ્રાચીન ગુજરાતી છંદો', પૃ. ૩૬. દુર એ જ, પૃ. ૪૫. ૬૩ “કાવ્યમાં શબ્દ', ૧૯૬૮, પૃ. ૧૧૮-૨૧૦. ૬૪ પ્રાચીન ગુજરાતી છંદ', પૃ. ૩૬૮-૩૬૯. ૧૫ ગુજરાતી પિંગલ નવી દષ્ટિએ,
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૩૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર'. ૪
પૃ. ૧. ૬૬ એ જ, પૃ. ૫. ૬૭ એ જ, પૃ. ૬. ૬૮ એ જ, પૃ. ૯. ૬૯ એ જ, પૃ. ૨૪, ૪૭. ૭૦ ‘બૃહત્ પિંગલ’, પૃ. ૬૯૧. ૭૧ ‘વિકૃતિ', ૧૯૭૪, પૃ. ૨૦૨. ૭૨ અવલેાકના', ૧૯૬૫, પૃ. ૧૫૭. ૭૩ ‘પયે‘ષણા’, ૧૯૫૩, પૃ. ૧૨૪. ૭૪ ‘વિવેચના’, ૧૯૩૯, પૃ. ૧૯૬૨૦૨.૭૫ અવલેાકના', પૃ. ૧૫૬. ૭૬ ગ્રંથસ્થ વાડ્મચ', ૧૯૬૭, પૃ. ૧૪, ૭૭ પરિભ્રમણ ભાગ–૨', ૧૯૪૭, પૃ. ૨૨૦. ૭૮ ‘કાવ્યવિવેચન', ૧૯૪૯, પૃ. ૧૧૪ ૭૯ સાહિત્યવિમશ”, પૃ. ૧૨૬. ૮૦ ‘રેખા', જુલાઈ, ૧૯૪૬, પૃ. ૭૮-૭૯. ૮૧ ‘દ્વિરેફની વાતા−૧', નવમી આવૃત્તિનું નિવેદન, પૃ. ૬. ૮૨ પુરવચન અને વિવેચન', ૧૯૬૫, પૃ. ૩૧, ૮૩ ‘સ્વૈરવિહાર-૧’, ૧૯૬૫, ઉપેાદ્ઘાત, પૃ. ૧૦. ૮૪ એ જ, પૃ. ૧૨. ૮૫ એ જ, પૃ. ૧૫. ૮૬ ‘સ્વૈરવિહાર–૨’, પૃ. ૧૮૯, ૮૭ એ જ, પૃ. ૧૦૩. ૮૮ નિબંધ અને ગુજરાતી નિમ'ધ', ૧૯૭૬, પૃ. ૧૩૮, ૮૯ આય`વિદ્યા વ્યાખ્યાનમાળા', પૃ. ૪૧.
Page #446
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧
રામપ્રસાદ બક્ષી, વિજયરાય વૈદ્ય, રસિકલાલ પરીખ, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ
રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી (૧૮૯૪)
પંડિતયુગ પછીની સાક્ષરપેઢીમાંથી જેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પિતાના ઊંડા અધ્યયનને અર્વાચીન સાહિત્યવિચારણુમાં વિનિયોગ કરતા રહેવાનું પ્રશસ્ય કાર્ય કર્યું એમાં રામપ્રસાદનું નામ પણ મહત્ત્વનું ગણાય. એકધારી રીતે એમણે વિભિન્ન સંદર્ભે રસસિદ્ધાન્તાદિ ઘટાનું ઝીણવટભર્યું પૃથક્કરણ કર્યું છે અને નવા દષ્ટિકોણથી એનું અર્થઘટન કરી આપ્યું છે. અંગ્રેજીનું પરિશીલના પણ એમની વિચારણને પરિપષક નીવડેલું છે.
એમને જન્મ ૧૮૯૪ની ૨૭મી જૂને જૂનાગઢમાં. તેજસ્વી કારકિર્દી સાથે વતન રાજકેટથી અમદાવાદ આવી સંસ્કૃત-અંગ્રેજી સાથે બી. એ. થયા (૧૯૧૪). એ પછી મુંબઈ જઈ ત્યાંની આનંદીલાલ પેદાર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી આચાર્યપદે નિવૃત્ત થઈ મીઠીબાઈ કૉલેજમાં કેટલાંક વર્ષમાનાહ અધ્યાપક તરીકે રહ્યા. સાહિત્ય-ચિંતનની રુચિ ઘડવામાં મામા હિંમતલાલ અંજરિયાને તથા નરસિંહરાવને ફાળે નોંધપાત્ર હતા. સતત અધ્યયનરત પ્રકૃતિએ એમની જિજ્ઞાસા અનેક વિષયોમાં વિસ્તારેલી છે પરંતુ એમની વિશેષ રૂચિ સંસ્કૃત તરફ રહી છે. શરૂઆતમાં એમણે સંસ્કૃતમાં કેટલાક લોકે અને લઘુકાવ્યોની રચના પણ કરેલી.
સાહિત્યિક કારકિદીને આરંભ “કથાસરિત્સાગર'માંથી કિશોરભોગ્ય સામગ્રીને સંચય કરીને આપેલા અનુવાદ “કથાસરિતા'(૧૯૧૭)થી કર્યો. એ પછી એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અધ્યયન અને વિવેચનમાં જ મુખ્યત્વે પિતાની શક્તિઓને પ્રયોજી અને પૃથક્કરણુકવણુ અને નવીન અર્થઘટનપરક દૃષ્ટિકોણવાળા એક વ્યુત્પન્ન અભ્યાસી તરીકે તે પ્રતિષ્ઠા પામ્યા.
સાહિત્યમીમાંસાની સળંગસૂત્ર આલોચના : કરુણરસ અને નાટયરસ: વડોદરાના ભારતીય સંગીત-નૃત્ય-નાટય મહાવિદ્યાલયના ઉપક્રમે ૧૯૫૪માં આપેલાં વ્યાખ્યાનને ગ્રંથ “કરુણરસ' (૧૯૬૩) અને ૧૯૫૮નાં
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૩૮ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર. ૪
વ્યાખ્યાનાના ગ્રંથ ‘નાટયરસ’(૧૯૫૯) સંસ્કૃત કાવ્યશાસ્ત્રના એમના ઊંડા અધ્યયનના નિચેડરૂપ છે. સ્વીકારેલા વિષયના વ્યાપક ફલકને આવરી લેતી ક્રમબદ્ધ વ્યવસ્થિત રજૂઆત, નાંધપાત્ર બાબતાનું ઝીણું વિવરણ તથા લગભગ પ્રત્યેક તબક્કે તુલનાત્મક દૃષ્ટિના અને પેાતાની મૌલિક વિચારણાના વિનિયોગ એમનાં આ વ્યાખ્યાનાની વિશેષતા છે. એક પ્રકાંડ પંડિત અને નીવડેલા શિક્ષક એમાં એકસાથે પ્રવૃત્ત થયેલા જણાશે. ‘કરુણરસ'માં ગ્રીક ટ્રેજેડીમાંના કરુણના સંદર્ભે સ ંસ્કૃત નાટકમાંના કરુણુના વિભાવને સ્પષ્ટ કરી એમણે સંસ્કૃત નાટચકારાએ, શક્તિ છતાં, કરુણાન્ત નાટક સવાની વૃત્તિ કેમ ન બતાવી એની ખૂબ દ્યોતક ચર્ચા કરી છે. આજના સંદર્ભે કરુણાન્ત નાટકના વિભાવાની વિચારણામાં અને દુઃખપ્રધાન કૃતિ પણ પ્રેક્ષકના ચિત્તમાં આનંદાનુભૂતિ કેમ જગાડે છે, એના પ્રાચીન રસમીમાંસ·ાએ અને પાશ્ચાત્ય વિવેચકાએ આપેલા ખુલાસાઓના વિવરણમાં પણ એમની પયેષકબુદ્ધિના પ્રભાવક પરિચય થાય છે. નાટયરસ'માં વૈશઘ્ર નૈાંધપાત્ર છે. રસશાસ્ત્રની સકુલ પરિભાષાની ચર્ચા પૂર્વે માનવચિત્તની વિવિધ ભાવસ્થિતિએના વિગતપૂર્ણ અને સરળ આલેખનથી ભૂમિકા બાંધવામાં શ્રોતા/વાચકને વિવેગ્ય વિષયની અભિમુખ કરવામાં તે સફળ થયા છે. નાટચશાસ્ત્રનાં અનેક તત્ત્વાનુ વિગત પૃથક્કરણ કરીને, રસના પ્રત્યેક પ્રકારઉપપ્રકારાનું ઝીણવટભર્યુ વગી કરણ કરીને તથા રસસોંપ્રદાયના ઉદ્ગમ અને વિકાસના ઇતિહાસ આલેખીને ચર્ચાને એમણે સર્વાશ્લેષી બનાવી છે. તેા, પ્રેક્ષકના અનુભવની લાક્ષણિકતા, નટનું અનુસર્જનત્વ, પ્રેક્ષકની માનસિક-શારીરિક પ્રતિક્રિયા જેવી બાબતાની ચર્ચામાં એમણે મૌલિક દષ્ટિ દર્શાવી છે અને પાશ્ચાત્ય સિદ્ધાન્તાને નાટયશાસ્ત્ર સંદર્ભે ચચી', આજના સાહિત્યસંદર્ભે એની પ્રસ્તુતતા સ્પષ્ટ કરી આપી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આખીય સંકુલ વિચારણાના વિભિન્ન ઘટકા વિશે આપણે ત્યાં ઘણી ઉત્તમ પણ પ્રસ`ગપ્રાપ્ત છૂટક ચર્ચા થતી રહી છે ત્યારે આ એ વ્યાખ્યાનત્ર થામાંનાટયશાસ્ત્ર અને રસસિદ્ધાન્તની જે સળગસૂત્ર અને સર્વાંગીણ આલાચના થઈ છે એવું આપણા વિવેચનમાં નોંધપાત્ર સ્થાન છે.
અભ્યાસલેખા : સિદ્ધાન્તચર્ચા અને પ્રત્યક્ષ વિવેચન : ચારેક દાયકાથી એમની વિવેચનપ્રવૃત્તિ ચાલતી રહી છે. એછા પ્રમાણમાં પણ સાતત્યપૂર્ણાંક એમણે તત્ત્વચર્ચા, સાહિત્યસ્વરૂપ, પ્રવાહદર્શન, કૃતિસમીક્ષા-એમ કાઈ ને કાઈ નિમિત્તે સાહિત્યવિચારણા ચલાવી છે. એમના આવા અભ્યાસલેખેામાં સિદ્ધાન્તવિવેચનનું જ પ્રમાણ વિશેષ છે. અને એમાંય સ ંસ્કૃત ઢાવ્યમીમાંસા તરફ એમનું સવિશેષ આકર્ષણ રહ્યું છે. વાડ્મય વિમર્શ’ (૧૯૬૩, ખીજી આ. ૧૯૭૦)માં રસસિદ્ધાન્ત અને નાટયશાસ્ત્રના ઘટકેાની અર્વાચીન સાહિત્ય
Page #448
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧]
રામપ્રસાદ બક્ષી
[ ૪૩૯
અને સાહિત્યવિચારણા પરત્વે પ્રસ્તુતતા ચર્ચવા તરફ એમની વિશેષ નજર રહી છે. એટલે કાવ્યના સ્વરૂપની ચર્ચામાં રસ અને અલંકારના વિભાવેને એમણે આધુનિક સંદર્ભે તપાસ્યા છે ને એના જ અનુલક્ષમાં પ્રતીકાદિ આધુનિક વિવેચનથી સંજ્ઞાઓની પણ ઝીણી તપાસ કરી છે તથા રસવિચારણાના મૂળમાં રહેલા વ્યંગના તત્ત્વને સ્પષ્ટ કરી આપીને આધુનિક ભાવકેન્દ્રી કવિતા પર વે રસસિદ્ધાન્તના વિનિયોગને અવકાશ કરી આપ્યા છે. સંસ્કૃત એકાંકીના સ્વરૂપની ચર્ચામાં કે નાટયપ્રયાગમાં લયસ વાદના તત્ત્વનું મહત્ત્વ દર્શાવવામાં એમણે કેટલાંક મર્મદ્યોતક નિરીક્ષણેા આપ્યાં છે. ટૂંકી વાર્તા અને હળવા નિબંધની સ્વરૂપચર્ચા અને વિકાસદર્શનના લેખામાંના સ્વરૂપ અને પરિભાષાના સૂક્ષ્મ પૃથક્કરણમાં અને વ્યાપક પ્રવાદનમાં કાવ્યતત્ત્વની એમની ઊંડી સમજ, એમની પયે ભકબુદ્ધિ અને સમકાલીન સાહિત્યના એમના ઘનિષ્ઠ પરિચય વરતાઈ આવે છે.
ગોવર્ધનરામના તત્ત્વવિચાર અને સર્જન વિશેના જુદેજુદે સમયે વિભિન્ન નિમિત્તે લખાયેલા એમના લેખેા ગાવ રામનું મનેારાજ્ય'(૧૯૭૬)માં એમણે સુલભ કરી આપ્યા છે. સ્ક્રેપ જીકસમાંની ગેાવનરામની તાત્ત્વિક વિચારણાને તારવી આપીને એની વિષયવિભાગવાર વિસ્તૃત સમાલેાચના કરતા – મૂળે સ્ક્રેપબ્રુકસના એમના જ સંપાદન-અનુવાદ ગોવર્ધનરામની મનનનેાંધ'ની પ્રસ્તાવના રૂપે મુકાયેલા – લેખ ખૂબ જ મૂલ્યવાન છે. આ ઉપરાંત શાપનહારના દાર્શનિક સિદ્ધાન્તા, આન દેશ ંકરનું તત્ત્વજ્ઞાન અને બાણુની શૈલી સાથે ગેાવનરામના તે તે વિશેષોની તુલનાત્મક ચર્ચા કરતા લેખા અને ‘સ્નેહમુદ્રા'ની વિશ્લેષણાત્મક ચર્ચા રામપ્રસાદને ગેાવનરામના એક નોંધપાત્ર અભ્યાસી ઠેરવે છે.
પ્રવાહદર્શન અને કૃતિસમીક્ષાનાં એમનાં ઘણાં વિવેચના હજુ સંગ્રહસ્થ થયાં નથી. એ લેખામાં એમની તત્ત્વગ્રાહી સમુદાર રુચિનાં દર્શન થાય છે. પ્રત્યક્ષ વિવેચનમાં કૃતિના આંતર રહસ્યને, સર્જકના વિશેષોને અને રૂપરચનાની લાક્ષણિકતાને બારીકીથી તારવી આપી તે એક રસજ્ઞ સમાલોચક તરીકેની પ્રતીતિ જન્માવે છે. ‘સ્નેહમુદ્રા' ઉપરાંત ઉમાશંકરની 'પ્રાચીના', 'નિશીથ', આતિથ્ય' આદિ કૃતિની લાંખી સમીક્ષાઓમાં તથા કાન્ત, સુન્દરમ્ આદિનાં કાવ્યાનાં વિવરણામાં એમનાં માર્મિક નિરીક્ષણા અને કાવ્યતત્ત્વની ઊંડી સૂઝ નોંધપાત્ર છે.
વિવેચનની વિશિષ્ટતાઓ : રામપ્રસાદના વિશેષ ઝોક સિદ્ધાન્તવિવેચન તરફ રહ્યો છે. વિવેગ્ય મુદ્દાની ભૂમિકા બાંધી એની વિગતે માંડણી કરીને પછી ઝીણુ પૃથક્કરણ કરતા જવું એ એમની વિવેચનપદ્ધતિ છે. પૃથક્કરણ કરવામાં કયારેક તે શબ્દની વ્યુત્પત્તિચર્ચા કરવા – સાહિત્યિક સંજ્ઞા કે શબ્દની ગાત્ર
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૪૦ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ પ્રતિષ્ઠા ઉકેલવા-ઉઘુક્ત થયા છે અને એમ કેઈ નવી સંજ્ઞા કે વિભાવના પણ એમણે સૂચવ્યાં છે. “એકાંકી'માંના “અંક'ની ચર્ચા કે ઊર્મિકાવ્યને બદલે ભાવકાવ્ય સંજ્ઞા સૂચવતી ચર્ચા આ પ્રકારની છે. આથી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રૂઢ વિચારણા એમની વિવેચનપ્રવૃત્તિના કેન્દ્રસ્થાને રહી હોવા છતાં એમણે ઘણીય વાર વિશિષ્ટ દૃષ્ટિકોણથી અને નવીન પરિપ્રેક્ષ્યમાં એનું મૂલ્યાંકન કર્યું છે. કાવ્યના સ્વરૂપને સંદર્ભે માનવની આદિમ સંવેદના સાથે જોડાયેલાં ભાવ, લય અને કલ્પનાની એમની ચર્ચા; નટમાનસની તટસ્થતા (એમાં ખાસ કારણરૂપ માનવ સ્વભાવના દૈવિધ્ય) વિશેને એમને દૃષ્ટિકોણ; કલ્પન અને પ્રતીક જેવી આધુનિક વિવેચનની સંજ્ઞાઓને સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઘટક સાથે મૂલવવાને એમને પ્રયાસ; તિરોધાનવ્યાપારની કાવ્યમાં ચમત્કારકતા વિશેનું એમનું દૃષ્ટિબિંદ૨ લય અને નાટકના લયસંવાદ– rhythm – વચ્ચેના સૂક્ષ્મ ભેદની ચર્ચા - એમની મૌલિક વિચારણાના નિદર્શનરૂપ છે. આપણે ત્યાં સંસ્કૃત કાવ્યવિચારને જીવંત રાખવામાં એમને, આ રીતે, નોંધપાત્ર ફાળો રહ્યો છે. કાવ્યમાંનું અલંકારપ્રવર્તન, સર્જનવ્યાપારમાં આદિમતત્ત્વ, રસસિદ્ધાન્તની પ્રસ્તુતતા આદિ બાબતોએ તો એમના ચિત્તમાં એટલું દઢ સ્થાન જમાવેલું છે કે એમની વિચારણમાં એ વારંવાર – કયારેક એને એ જ રૂપે પણ – આવતી રહી છે. ગોવર્ધનરામની મનનોંધમાંની વિચારણાના એમને અત્યંત ગમી ગયેલા અંશે પણ, આ જ રીતે, ગોવર્ધનરામવિષયક અન્ય લખાણોમાં સતત દેખાયા કરે છે.
સિદ્ધાન્તચર્ચાઓમાં રામપ્રસાદની ગદ્યશૈલી સામાન્યપણે પાંડિત્યપ્રચુર છે. એમાં પ્રવાહિતાના અંશો ઓછા છે. એથી, ગૌરીપ્રસાદ ઝાલાને ઉચિત રીતે લાગ્યું છે એમ, એમના વિવેચનની “ઘણી સામગ્રી વિદ્વાનને ઉત્સવ જેવી પણ જિજ્ઞાસુઓને પરાજિત કરે એવી થઈ ગઈ છે.૩
અલબત્ત, “કરુણરસમાં, વિશેષે તે પ્રારંભિક ભૂમિકા રૂ૫ પહેલા વ્યાખ્યાનમાં, પાંડિત્યભાર હળવો થયાનું અને વક્તવ્ય સુગમ બન્યાનું જણાય છે. પ્રત્યક્ષ વિવેચનમાં તે એમની શૈલી ઘણી પ્રવાહી બની છે. ઘણું અ૫ હેવા છતાં, કૃતિવિવેચન રામપ્રસાદની વિવેચનાનું એક આગવું અને પૃહણીય પરિમાણ છે.
અનુવાદ-સંપાદન : વિવેચન ઉપરાંત અનુવાદ-સંપાદનનાં કાર્યોમાં એમની વિદ્વત્તાને પરિચય થવા સાથે સાહિત્ય સાથેની ઊંડી નિસ્બત અને નિષ્ઠાપૂર્ણ સાહિત્યસેવાવૃત્તિ પણ દેખાય છે. “કથાસરિતા' ઉપરાંત શીખ ધર્મગ્રંથને પદ્યાનુવાદ “સુખમની' (૧૯૨૬), નરસિંહરાવના “ગુજરાતી લેંગવેજ ઍન્ડ
Page #450
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧] વિજયરાય વૈદ્ય
[૪૪૧ લિટરેચરને અનુવાદ “ગુજરાતી ભાષા અને સાહિત્ય (પ્રથમ ભાગ ૧૯૩૬, બીજે ૧૯૫૭), ગોવર્ધનરામની ૫ બુકસના એમના જ દેહન-સંપાદન (૧૯૫૭૫૯) અનુવાદ ગવર્ધનરામની મનનનેધ' (૧૯૬૯) તેમ જ “નરસિંહરાવની રોજનીશી' (૧૯૫૩), ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ (રમણલાલ જોશી સાથે, ૧૯૭૧) તથા કેટલાક અભિનંદનગ્રંથોનાં સ્વતંત્ર કે અન્ય સાથે કરેલાં સંપાદન – અને એમાંની અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવનાઓ – પણ એમની મહત્ત્વની સાહિત્યસેવા ગણાશે.
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અંગેની પિતાની વિદત્તાને આધુનિક સાહિત્ય અને . તત્વચર્ચા સંદર્ભે સતત પ્રયોજતા રહ્યા હોવાથી તેમજ સાચી કાવ્યપ્રીતિથી અને ઊંડી સમજથી સમકાલીન સાહિત્યને વિલોકવાના એમના તત્વદર્શી અને સંનિષ્ઠ પ્રયાસોથી રામપ્રસાદ બક્ષી જૂની અને નવી બંને પેઢીના સાહિત્યકારોમાં શ્રદ્ધેય સારસ્વત તરીકે સ્થાન પામ્યા છે. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય (૧૮૮૭-૧૯૭૪)
ક્યારેક કેવળ શાસ્ત્રીય પૃથક્કરણને લક્ષતી શુષ્ક તત્ત્વચર્ચા અને ઉષ્માન્ય કૃતિ પરીક્ષામાં રાચતી પંડિતયુગીન વિવેચનાને, એક સાહિત્યધમી પત્રકારની તીખી, પ્રહારાત્મક અને વેગીલી વાણીમાં પ્રતિકાર અને પ્રતિવાદ કરીને તથા એવી વિવેચના સામે સર્જનાત્મક ગુણવાળાં, રંગદર્શી અને સંસ્કારગ્રાહી વિવેચને લખીને આ સદીના ત્રીજા દાયકાથી વિજયરાયે આપણે ત્યાં કૌતુકરાગી વિવેચનપ્રણાલીને આરંભ કર્યો. વિશ્વનાથ ભટ્ટ “અર્વાચીન વિવેચનકલાના આદ્ય દ્રષ્ટા' તરીકે આપેલી ઓળખમાં જ એમના આ ઐતિહાસિક મહત્ત્વને સ્પષ્ટ નિર્દેશ મળે છે.
૧૮૯૭ની ૭મી એપ્રિલે ભાવનગરમાં એમને જન્મ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. પછી મુંબઈ. વિલ્સન કૉલેજમાં અભ્યાસ દરમ્યાન જ અંગ્રેજી સાહિત્યવિવેચનના બહાળા વાચનથી એમની સજજતા કેળવાયેલી. અંગ્રેજીસંસ્કૃત સાથે ૧૯૨૦માં બી.એ. થયા બાદ તરત બટુભાઈ ઉમરવાડિયાના “ચેતન'માં સહતંત્રી તરીકે જોડાયા. ૧૯૨૨થી બે વરસ મુનશીના ગુજરાતીમાં વ્યવસ્થાપક અને સહતંત્રી રહ્યા. ૧૯૨૪થી એમણે સ્વતંત્રપણે “કૌમુદી' દૈમાસિક શરૂ કર્યું' (૧૯૩૦થી એ માસિક બનેલું). ૧૯૩૫માં “કૌમુદી'ની ભસ્મમાંથી એને નવા અવતાર સમા “માનસી”નું પ્રાગટય થયું. વચ્ચે, ૧૯૩૭–૧૯૪૯ દરમ્યાન સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અધ્યાપક તરીકે રહ્યા પણ લગભગ
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૪૨].
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ જીવનભર તે એ પત્રકાર જ રહ્યા. “માનસી” ૧૯૬૦ સુધી ચાલુ રહ્યું. એ પછી એમણે થોડાક સમય (૧૯૬૨-૬૩ના અરસામાં) રોહિણ” નામની સંસ્કાર પત્રિકા પણ ચલાવેલી. છઠ્ઠા દાયકા પછી એમની લેખનપ્રવૃત્તિ ઘણી મંદ પડી ગઈ હતી. છેલ્લાં કેટલાંક વર્ષ ભાવનગરમાં એમણે પૂર્ણ નિવૃત્ત જીવન ગાળ્યું. ૧૯૭૪ની ૧૭મી એપ્રિલે એમનું અવસાન થયું.
પત્રકારત્વ પત્રકારત્વ વિજયરાયની સાહિત્યિક કારકિદીનું પ્રમુખ અંગ છે. વિવેચનને સર્જનલક્ષી બનાવવા પાછળ રહેલી વિલક્ષણ પણ નિર્ભેળ સાહિત્યસેવાવૃત્તિ, એક નવીન આબેહવા સર્જવાની ખ્વાહેશ તેમ જ જૂના સામે બંડ અને નવાની નેકી' પિકારવાને યુયુત્સાપૂર્ણ અભિનિવેશ વિજયરાયને શરૂઆતથી જ પત્રકારત્વ તરફ ખેંચે છે અને એ એમની શક્તિઓનું યોગ્ય માધ્યમ બની રહે છે. સમકાલીન સાહિત્યિક ઘટનાઓ, સાહિત્યવિવેચનની ચર્ચાઓ અને ઊહાપોહો, સર્જકના અંગત પરિચયો, “પાંચસોએક શબ્દોમાં “હજારેક શબ્દોમાં શીર્ષકથી થતાં વિશિષ્ટ રીતિનાં અવલેકને – એવી વૈવિધ્યપૂર્ણ અને નવીન સામગ્રીથી એમનાં સામયિકે એ તત્કાલીન સાહિત્યિક વાતાવરણને જીવંત અને સ્મૃતિભર્યું રાખેલું. એમની સર્જન-વિવેચનપ્રવૃત્તિ માટે સૌથી મૂલ્યવાન બનેલા અને ચેતનવંત રહેલા પહેલા બે-અઢી દાયકા દરમ્યાન એમનું પત્રકારકાર્ય પણ એટલું જ પ્રભાવક નીવડેલું છે. સાહિત્યનાં સ્થગિત મૂલ્યો સામે બંડ પોકારતી, ઉત્સાહી અને તેજસ્વી કલમને “કૌમુદી” અને “માનસી”માં એમણે અવકાશ કરી આપ્યો. પિતે પણ સતત લખતા રહીને આવાં વાદયુદ્ધોને પ્રેરકબળ પૂરું પાડેલું. પ્રભાવવાદી વિવેચનાને પણ એમનાં સામયિકાએ પેલી અને સંવધી.
તંત્રી તરીકે વિજયરાય નવીન વલણના જેવા ઉત્સાહી ઉપાસક હતા એવા જ સંપાદનની એકસાઈવાળા, સંનિષ્ઠ અને મૂલ્યવત્તાના આગ્રહી હતા. એટલે સાહિત્યિક પત્રકારત્વનાં ઊંચાં ધારણા પણ એમણે સ્થાપી આપ્યાં. આપણે ત્યાંનાં સાહિત્યિક સામયિકના ઇતિહાસમાં કૌમુદી' અને “માનસી”નું સ્થાન નિઃશંકપણે ઘણું ઊંચું અને ગૌરવપૂર્ણ ગણાશે.
પત્રકાર વિજયરાયના વિવેચનકાર્યને એક ગતિ આપી. એમનાં કેટલાંક સ્વને પણ એમાં કંઈક અંશે સાકાર થયેલાં છે. વિવેચક ઉપરાંત નિબંધકાર તરીકેના એમના વિકાસમાં પણ પત્રકારત્વનો હિસ્સો છે. પરંતુ, આ પત્રકારત્વે જ એમની ઘણુ શક્તિઓને કંઈક અંશે સીમિત પણ કરી દીધી છે. નવીનતાને આરાધતી, ઝમકદાર, અને ચાપલ્યના અંશેવાળી શેલીએ એમનાં કેટલાંક લખાણોને
Page #452
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧]
વિજયરાય વૈદ્ય
[ ૪૪૩
સપાટી પર ફેલાઈ જતી ચમકવાળાં બનાવી દીધાં, જે હવે સમય જતાં નિસ્તેજ અને ાિં પણ લાગે છે. એમનામાં ગંભીર અભ્યાસી પણ આ કારણે કચારેક પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ જતા જણાય છે. અનંતરાય રાવળ કહે છે એમ, કચારેક તા એમની વિવેચનસાધના શૈલીસાધના કે રીતિસાધના પણુ બની ગઈ છે. પરંતુ આવી શૈલીપરકતાને તથા તત્કાલીનતા અને પ્રાસંગિકતાના અંશાને બાદ કરતાં સ્થાયી મૂલ્ય ધરાવતું લેખનકાર્ય પણ પત્રકારત્વને અનુષંગે એમણે કર્યું છે ખરું. ઉપરાંત તત્કાલીન સાહિત્યિક સ્થિતિને એક વળાંક આપી, એમાં નવું સંચલન પ્રવર્તાવતી રેખા એમણે આંકી આપી છે એનું ઐતિહાસિક મૂલ્ય પણ અગત્યનુ` લેખાશે.
વિવેચન
રમણભાઈ નીલકંઠે આપેલા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનની, વિજયરાયે ૧૯૨૦માં કારકિર્દીના આરંભે જ કરેલી વિસ્તૃત કડક સમીક્ષામાં એક વિવેચક તરીકેના એમના લાક્ષણિક પરિચય મળી જાય છે. કડક અભિપ્રાયામાં દેખાતાં આક્રમકતા અને અભિનિવેશ, કટાક્ષના અશાવાળી પણ અસંદિગ્ધ ભાષામાં કરેલા મુદ્દાસર વિશ્લેષણમાં વરતાતાં ચાકસાઈ અને નિભીકતા, વિવેચનને એક કલાકૃતિને ધેારણે તપાસી એની મર્યાદા દેખાડવામાં જણાઈ આવતી વિવેચન પાસેથી એમની વિલક્ષણ અપેક્ષા તથા અન્ય પ્રવૃત્તિઓના અવકાશે। વચ્ચે થતી સાહિત્યસેવાની ઊણપ અને કયાશા બતાવી આપવામાં પ્રગટ થતા સાહિત્યની એકનિષ્ઠ ઉપાસનાને એમના આગ્રહ – વિજયરાયના વિવેચનની દિશાનું સ્પષ્ટ ઈંગિત કરે છે. પછી તેા બે-અઢી દાયકા સુધી આવા જ લાક્ષણિક મિાજ (spirit)ના ફલસ્વરૂપ વેધક અને માર્મિક દષ્ટિવાળાં વિવેચને એકધારી રીતે એમની પાસેથી મળતાં રહે છે.
તત્ત્વવિચાર અને ગ્રંથસમીક્ષા : ‘સાહિત્યદર્શન’ (૧૯૩૫) તથા ‘જૂઈ અને કેતકી' (૧૯૩૯) એમના વિવેચનકાના સૌથી વધુ નોંધપાત્ર સમયગાળાના વિવેચનસ ગ્રહેા છે. પહેલામાં મુખ્યત્વે સામ્પ્રત સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા અને તત્ત્વવિચાર છે, ખીન્નમાં એમની કટુ-તિક્ત અને રસલક્ષી, અભ્યાસપૂર્ણ ગ્રંથસમીક્ષા છે.
આ બધામાં વિજયરાયની વિવેચનપદ્ધતિ તરત ધ્યાન ખેંચે છે. સાહિત્યપ્રવાહનું રસદશી અને ચિત્રાત્મક નિરૂપણુ કરી એના જીવંત પરિચય એ કરાવતા હાય છે. પ્રવર્તમાન સાહિત્યિક પ્રશ્નોની એમની ચર્ચા ઉત્કટ અને જલદ વિશેષ હાય છે. પૂ પક્ષ પર એ કટાક્ષ-વિનેાદમિશ્રિત આક્રમણુ કરે છે પણ પછી
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૪૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ પિતાના મતના સમર્થનમાં કરેલી દલીલમાં એમની અભ્યાસશીલતાની તથા તીણુ બુદ્ધિશક્તિની છાપ ઊપસે છે. પંડિતયુગીન વિવેચન અને એનાં સાહિત્યવલણ અંગેના લેખોમાં આની પ્રતીતિ થાય છે. તત્વચર્ચાને એમના થોડાક લેખ પ્રમાણભૂત વિચારણું, મુદ્દાસરની ચર્ચા અને માર્મિક નિરીક્ષણેનું મૂલ્ય ધરાવે છે. “વામયવિચાર”, “સાહિત્ય જેવા લેખોમાંની તર્કબદ્ધ અને પૃથક્કરણત્મિક ચર્ચા અને “કલાવિવેચનની ગૂંચમાં કલા અને નીતિના પ્રશ્નની અરૂઢ પદ્ધતિએ કરેલી, અનવેષણમૂલક વિચારણા ખૂબ સત્વશાળી છે.
વિજયરાયની ગ્રંથસમીક્ષાઓ એમની વિવેચનશક્તિઓને એક મહત્વને, લાક્ષણિક અંશ છે. સંક્ષિપ્ત ગ્રંથાવલેકમાં તે કૃતિને રસલક્ષી અને મર્મદશી પરિચય આપે છે તે એમની દીઈ સમીક્ષાઓ અભ્યાસ પૂર્ણ અને સમગ્રદશી હેાય છે. પાશ્ચાત્ય અને ગુજરાતી સાહિત્યપરંપરાની ઉત્તમ કૃતિઓના સંદર્ભ વિવેચ્ય કૃતિના સ્વરૂપ(genre)ની લાક્ષણિકતાઓ ચચી એનું મૂલ્યાંકન તે કરી આપતા હોય છે. કતિના વિશેષ દર્શાવી આપવામાં કે એના દેષોને બરાબર ધારદાર રીતે ચીંધી આપવામાં એ ખૂબ કુશાગ્રદષ્ટિ જણાય છે. “ઊગતી જુવાની', “સાહિત્યમંથન', “કાકાની શશી' ધૂમકેતુની વાર્તાઓ આદિની સંગીન દીધું સમીક્ષાઓ આના ઉત્તમ ઉદાહરણ રૂપ છે.
વિવેચન પરત્વેને સર્જનાત્મક દૃષ્ટિકોણ વિજયરાયનાં વિવેચનની એક મહત્ત્વની વિશેષતા છે. આ દૃષ્ટિકોણનાં મૂળ તે, અભ્યાસકાળમાં આર્થર કીલરકૂચની વિવેચનરીતિ તરફ જાગેલા એમના આકર્ષણમાં પડેલાં છે. “સાહિત્યનું વિવેચન સાહિત્ય જેવું સર્જનલક્ષી હોય તે જ દિmત્તમ જાતિનું ગણાય એવો ખ્યાલ ત્યારે જ બંધાયેલે – જે પછી એમના વિવેચનવિચારમાં ઉત્તરોત્તર સ્પષ્ટ થતો અને એમની સમીક્ષાઓમાં ચરિતાર્થ થતો ગયો.
સહૃદયતાથી કૃતિના પ્રભાવને ઝીલી, રસળતી અને કલ્પનામંડિત શૈલીમાં એને અંકિત કરી આપવાનું એ સ્વીકારે છે. એથી એમના વિવેચનેમાં વયક્તિક ઉષ્માના અને આત્મલક્ષી રાગીયતાના અંશે ઘણું જોવા મળે છે. વાચકને આથી કૃતિનું મર્મદર્શન તો મળે જ છે પણ એ ઉપરાંત વિવેચકની રસલક્ષી વિવેચનરીતિ પણ એનું ધ્યાન ખેંચે છે– વિજયરાયનાં વિવેચને આવો એક વિલક્ષણ અનુભવ કરાવે છે. સાહિત્યના પ્રવાહદર્શનમાં કે સૈદ્ધાત્ત્વિક ચર્ચાઓમાં પણ એમની શૈલીનું રૂપ લગભગ આવું જ રહે છે.
પરંતુ એથી એમના વિવેચને વાયવ્ય બની જાય છે એમ નથી, કારણ કે એમાં બૌદ્ધિકતાને પરિવાર કે અભ્યાસશીલતાને અભાવ નથી. ન્હાનાલાલની
Page #454
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧] વિજયરાય વૈદ્ય
[૪૪૫ વિવેચનપદ્ધતિની ટીકા કરતાં એમણે વિવેચકમાં કલ્પને ઉપરાંત સૂકમ પૃથક્કરણ કરનારી બુદ્ધિશક્તિની આવશ્યકતા પ્રમાણ જ છે.
એમના વિવેચનમાં પ્રયોગલક્ષી વલણ પણ દેખાય છે. કેટલાક પ્રયોગો પત્રકારત્વરિત પણ હશે પણ એમાંથી નીવડી આવેલામાં વિજયરાયની વિવેચના-- ને લાંબા ફલકનો તથા એમની વિવેચનપ્રવૃત્તિનાં વિવિધ પરિમાણોને સરસ પરિચય મળી રહે છે. રસલક્ષી નિબંધિકાઓ જેવાં મિતાક્ષરી અવલોકને, આક્રમક પણ તત્ત્વાગ્રહી ઊહાપોહ, માહિતીને સઘન રીતે સમાવતાં છતાં આસ્વાદદશ રહેતાં કૃતિ-કર્તા કે સાહિત્યપ્રવાહ અંગેનાં લખાણ, તલસ્પર્શી સાહિત્યતત્ત્વચર્ચાઓ, વ્યવસ્થિત અને અંકાડાબદ્ધ ચાલતી કેટલીક અધ્યયનમૂલક વિચારણાઓ - એ બધામાં એમની સજજતાને અને એમની રસિક વિદ્વત્તાને વિવિધરૂપે. આવિષ્કાર થયેલું છે.
સાહિત્યને ઇતિહાસ : મુનશીએ વિજયરાયની “a brilliant stylist and a powerful critic૮ તરીકે આપેલી ઓળખ તેમના “ગુજરાતી સાહિત્યની રૂપરેખા'(૧૯૪૩)ની બાબતમાં સૌથી વધુ સાચી છે. સાહિત્યના સળંગ ઈતિહાસો આપવાના કેટલાક ગાંધીયુગીન વિવેચકેના મહત્વના પ્રયાસોમાં વિજયરાયને આ ગ્રંથ ઈતિહાસલેખનની અરૂઢ પદ્ધતિ અને એમની વિલક્ષણ ગદ્યશૈલીથી જ તરી આવે છે. હેમચંદ્રથી આરંભી આ સદીના લગભગ ત્રીજા દાયકા સુધીના સાહિત્યપ્રવાહને, મુખ્ય કર્તાઓ અને એમની મહત્ત્વની કૃતિઓને કેન્દ્રમાં રાખીને એમણે સરસ આલેખ આપ્યો છે. પત્રકારી આકર્ષકતાવાળાં પણ સામાન્ય રીતે મર્મદશ નીવડતાં પ્રકરણશીર્ષક, કવિના જમાનાના સાંસ્કૃતિક પરિવેશનું મિતાક્ષરી અને ચિત્રાત્મક વર્ણન, કર્તાના વ્યક્તિત્વની અને એની સર્જકપ્રતિભાની લાક્ષણિકતાઓને ક૯૫નામંડિત પરિચય, કૃતિનું લાઘવપૂર્ણ, સચોટ રસદર્શન – એની આગવી ખાસિયત છે. માણેલા સાહિત્યાનંદને વર્ણવવાનો એમને આશય રહ્યો છે અને એથી એમની ગતિ શુષ્ક ઈતિહાસલેખનને બદલે રસાવહ પદ્ધતિએ સાહિત્યપરંપરાનું મૂલ્યાંકન કરવાની દિશામાં રહી છે.
આવી પદ્ધતિ છતાં એમાં માહિતીની ઊણપ પણ ખાસ વરતાતી નથી. મૂળ સળંગ લખાણમાં સમાવિષ્ટ ન થયેલી માહિતી એમણે પરિશિષ્ટ દ્વારા મૂકી છે. સાહિત્યસ્વરૂપની વિશેષતાઓ નોંધતાં, કર્તા અને કૃતિની કેટલીક વિગત ને એકસાથે તારવી આપતાં, મહત્ત્વની સાલવારી નિર્દેશતાં આવાં પરિશિષ્ટોમાં માહિતી એક સ્થાને સંકલિત થઈને પણ મળે છે.
પિતાના વક્તવ્યમાં, સકે અને કૃતિઓ વિશેનાં અભ્યાસી વિદ્વાનોનાં
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૪૬ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ J. ૪ અવતરણો ગૂંથતા જઈને તેમ જ વિગતપૂર્ણ ટિપ્પણોને મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને એમણે પોતાની સજજતા અને જાણકારીને પણ ખૂબ લાક્ષણિક વિનિ
ગ કર્યો છે. એમની પ્રતિભાવાત્મક લેખનશૈલીમાંથી કેટલાંક માર્મિક નિરીક્ષણે પણ સાંપડે છે. આમ, વિજયરાયને આ ઇતિહાસમાં, જયંત કોઠારી કહે છે એવું “અભિપ્રાય અને મૂલ્યાંકનોનું સમૃદ્ધ સંકલન આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે.
જોકે, વિજયરાયની નિરૂપણપદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે પુસ્તકનું આલેખન એકસરખી સંઘટનાવાળું રહ્યું નથી. પ્રકરણના એક અંશમાં એમને આસ્વાદમૂલક પ્રતિભાવ હોય છે તો બીજા અંશમાં માહિતીને એકસાથે ખડકી દેતું શુષ્ક વિગતવર્ણન પણ હોય છે. શૈલી પ્રવાહ પણ આથી અવરુદ્ધ થતો લાગે. લખાણને કલ્પનાત્મક કરવાના મોહને લીધે અને ક્યારેક નવીનતાના લેભે તેમાં લિષ્ટતા, સંદિગ્ધતા અને અપ્રસ્તુતતા જેવી મર્યાદાઓ પણ પ્રવેશી છે. મધ્યકાલીન સાહિત્ય વિશેનું લખાણ કંઈક જલદી પતાવી દીધેલું, અપર્યાપ્ત લાગે છે તે સુધારક યુગ વિશેનું લખાણ કંઈક વધુ વિગતપૂર્ણ લાગે છે. આથી, સામગ્રીની દષ્ટિએ ઇતિહાસલેખનની યોજના અસંતુલિત રહી ગઈ હોવાની પણ એક છાપ પડે છે.
વીસેક વર્ષ પછી એમણે આ ઇતિહાસ પર ફરીથી કામ આરંભ્ય અને એને સુધારી-વિસ્તારીને ત્રણ ભાગમાં પ્રકાશિત કર્યો. પંડિતયુગ સુધીના ઇતિહાસને જ એમાં તે આવરી શક્યા છે. એ પછીના સમય વિશે બીજા બે ભાગ તૈયાર કરવાની એમની યોજના હતી પણ એ કામ તે પૂરું કરી શક્યા નહીં. આ સંવર્ધિત ઇતિહાસમાં પણ નિરૂપણની કેટલીક મુશ્કેલીઓ રહી ગઈ છે પણ સામગ્રીની દષ્ટિએ એ કંઈક વધુ વ્યવસ્થિત કરી શકાય છે. વિજયરાયની વિલક્ષણતાઓનું પ્રતિનિધિત્વ કરતે, અને એમની વિવેચનાત્મક શક્તિઓને પૂરો હિસાબ આપતો આ ગ્રંથ એમની સમગ્ર સાહિત્યસેવામાં સૌથી વધુ મહત્વનું સ્થાન પામે એવો છે.
અન્યઃ આ ઉપરાંત ન્હાનાલાલ કવિની જીવનદષ્ટિ'(૧૯૫૭)માં ન્હાનાલાલના સર્જનને પ્રેરક-પ્રભાવક નીવડેલાં પરિબળોની માહિતી પૂર્ણ ચર્ચા અને એ સંદર્ભે થયેલું ન્હાનાલાલનું મૂલ્યાંકન છે તે “ગત શતકનું સાહિત્ય (૧૯૫૯) યુગના પ્રવાહોની એમની ઝીણી જાણકારીને પરિચય કરાવે છે – ૧૯મી સદીને ઉત્તરાર્ધ આમેય એમના રસને વિષય રહ્યો છે. જોકે, સામગ્રીના સમતોલ નિરૂપણની મુશ્કેલી આ પુસ્તકમાં પણ વરતાય છે.
સંશોધનાત્મક કહી શકાય એવાં લખાણેના બે સંગ્રહ પૈકી “લીલાં સૂકાં
Page #456
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧] - વિજયરાય વધે
[૪૪૭ પાન'(૧૯૪૨)માં નર્મદના “ડાંડિયો'ના મળી શક્યા એટલા અંકેની નોંધપાત્ર અને મૂલ્યવાન સામગ્રીને ખૂબ એકસાઈપૂર્વક અને વ્યવસ્થિત રીતે તારવીને એનું એમની લાક્ષણિક શૈલીમાં સરસ નિરૂપણ કર્યું છે. હકીકતને વિકૃત કર્યા વિના નવીન જાણકારીને વધુ રસપ્રદ કરીને એમણે આપી છે ને એની પશ્ચાદ્ભૂમાં નર્મદના વ્યક્તિત્વને પણ એમણે ઉપસાવી આપ્યું છે. પરંતુ “પારસના સ્પર્શ (૧૯૬૩)માંના એક દીર્ધ લેખ “વશિષ્ઠગાથા'માં, પુરાણોમાંની વશિષ્ઠકથાને અભ્યાસ કરીને એમણે આલેખેલું વશિષ્ઠનું સંશોધનમૂલક ચરિત્ર, કલ્પનાત્મક અંશેની ભેળસેળથી, પ્રમાણભૂત રહી શક્યું નથી. આ પુસ્તકમાંનાં અન્ય લખાણ પણ, આસ્વાદ્યતાના અંશો ધરાવતાં હોવા છતાં, ઇતિહાસના તને લીવેડાથી ધૂંધળાં બનાવતી મર્યાદાવાળાં છે.
નીલમ અને પિખરાજ (૧૯૬૨) તથા “માણેક અને અકીક (૧૯૬૭) એ બે પ્રકીર્ણ લેખસંગ્રહમાં સાહિત્યવિચારણું અને ગ્રંથસમીક્ષાના પણ કેટલાક લેખો છે. આ બંને પુસ્તકોમાં એમણે કેટલાક સર્જકે સાથેનાં પિતાનાં સંસ્મરણો અને એમનાં વ્યક્તિચિત્રો આલેખ્યાં છે. એમાં વિજયરાયની ગદ્યશૈલીને પ્રસન્નકર પરિચય મળે છે.
સર્જનાત્મક ગદ્ય નિબંધઃ વિજયરાયના “લાક્ષણિક ગદ્યવિલાસને નિબંધિકા, પ્રવાસ, ચરિત્ર, આત્મકથા જેવાં સ્વરૂપમાં વિશેષ અવકાશ મળ્યો છે. વિવેચન પછી સૌથી વધુ પ્રમાણમાં એમણે ખેડેલો પ્રકાર અગંભીર નિબંધને છે. “પ્રભાતના રંગ' (૧૯૨૭), નાજુક સવારી' (૧૯૩૮), “ઊડતાં પાન' (૧૯૪૫) અને દરિયાવની મીઠી લહર' (૧૯૬૫) એમણે “વિનોદકાન્ત” ઉપનામથી લખેલી કટાક્ષપ્રધાન અને આત્મલક્ષી નિબંધિકાઓને સંગ્રહ છે. ગંભીર વિષયનું વિનોદપૂર્ણ અને રસળતી શૈલીમાં કરેલું લહેરાતું નિરૂપણુ તથા પત્રકાર, અધ્યાપક તરીકેના પિતાના
જીવન-પ્રસંગો અને અનુભવોની વિલક્ષણતાનું હાસ્ય-કટાક્ષમય આલેખન એની વિશેષતા છે. નિખાલસતા અને માર્મિકતા એમાં આસ્વાદ્ય બને છે છતાં ક્યારેક ગાંભીર્યને ભાર નિબંધને પૂરા નિબંધ થતાં અટકાવે છે, હાસ્ય ક્યાંક તાણતૂસીને ઊભું કરેલું લાગે છે અને એમાંનું શૈલીચિઠ્ય પણ ક્યારેક નડતરરૂપ બને છે. આ નિબંધસંગ્રહોમાં એમણે અંગ્રેજી પ્રકારના સંવાદે અને કેટલીક વાર્તાઓ પણ (વિશેષે “પ્રભાતના રંગમાં) સામેલ કરેલાં છે પણ એમાં શૈલીની વિલક્ષણતા સિવાય, સ્વરૂપ દૃષ્ટિએ તે ખાસ કશું ધ્યાનપાત્ર બનતું નથી. આ બધું પત્રકારત્વની ઉપનીપજ જેવું વિશેષ છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૪૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ પ્રવાસ : “ખુશ્કી અને તરી (૧૯૩૩) કરાંચી અને રંગૂનના એમના પ્રવાસનું પુસ્તક છે. સામાન્ય પ્રસંગ કે પરિસ્થિતિ માંથી પણ કોઈ રસપ્રદ અંશ ખોળી કાઢી એનું નર્મ-મર્મયુક્ત આલેખન એની વિશેષતા છે. મહદ્ અંશે આત્મલક્ષી નિરૂપણ કરતા આ પુસ્તકમાં સ્થળસૌદર્યને કેાઈ વિશેષ ઝિલાયો નથી – કદાચ એવી શક્યતા પણ નહીંવત્ હતી પરંતુ પ્રજાની ખાસિયતોને
ક્યાંક ક્યાંક એમણે નિરૂપી છે. લેખક જ્યાં માહિતી આપવા ગયા છે ત્યાં લખાવટ કંઈક શુષ્ક બની છે. એ સિવાય રજૂઆત રુચિર અને હાસ્યવિનયુક્ત રહી છે.
ચરિત્ર અને આત્મકથા : ચરિત્ર અને આત્મકથનનાં પુસ્તકે વિજય રાયની વિલક્ષણ પ્રયોગત્તિના નમૂના રૂપ છે. “શુક્રતારક' (૧૯૪૪)માં એમણે નવલરામના ચરિત્રને સળંગસૂત્ર આલેખવાને બદલે એમના વિભિન્ન જીવન પ્રસંગેનાં અલગ અલગ ચિત્રો ઉપસાવ્યાં છે. વૃત્તાંતકથન, સંવાદ, ડાયરી, પત્ર દશ્યલેખન એમ વિવિધ પ્રકારની નિરૂપણપદ્ધતિનો ઉપયોગ કરીને તથા કપનાના અંશે એમાં ઉમેરીને આ ચરિત્રને એમણે સર્જનાત્મક અને રસપ્રદ વાર્તા જેવું બનાવવા તાકયું છે. પણ આથી ચરિત્રગ્રંથ તરીકે એને કઈ મૂલ્યવાન વિશેષ ઊભો થતો નથી – પ્રગશીલતાનું કે શિલીપરક નિરૂપણનું કશું ઔચિત્ય પણ પ્રતીત થતું નથી. પાછળથી એમણે લખેલા ગગા ઓઝાના જીવનચરિત્ર “સૌરાષ્ટ્રને મંત્રીશ્વર' (૧૯૫૯)માં, ભાવનગરના સાંસ્કૃતિક પરિવેશના સંદર્ભે ચરિત્રનાયકના ૦ષક્તિત્વનું એમણે કરેલું આલેખન, એને “શુક્રતારકની તુલનાએ વધુ સારું ઠેરવે છે.
શિવનંદન કાશ્યપ નામની કોઈ વ્યક્તિએ સંપાદિત કરી હોય એવી શૈલીમાં લખાયેલી “વિનાયકની આત્મકથા' (૧૯૭૦)માં પણ સંપાદકનું વૃત્તાન્તકથન, સંપાદક અને ચરિત્રનાયક (વિજયરાય) વચ્ચેના વાર્તાલાપ-સંવાદો તથા એમનું પિતાનું આત્મકથન – એવી નિરૂપણપદ્ધતિની અજમાયશ કરવામાં આવી છે. આથી આ આત્મકથામાં સુશ્લિષ્ટતા કે સુસંકલિતતા રહ્યાં નથી. ક્યારેક કાલક્રમ વિના જ જીવનપ્રસંગે અને દશે આલેખાય છે તે કયાંક વિગતે વચ્ચેના તંતુઓ મળતા નથી, પરંતુ તૂટક છૂટક રીતેય આત્મકથામાંથી વિજયરાયના પત્રકારજીવનને જે રસપ્રદ અને સમૃદ્ધ ઈતહાસ મળે છે એ એનું સબળ પાસું છે.
સાક્ષરી પત્રકારત્વના ભેખધારી તરીકેનાં એમનાં સ્વપ્ન, સંક, મથામણ અને સંઘર્ષોને જે તાદશ ચિતાર એમણે આપે છે એમાંથી, પિતાના આ જીવનકાર્ય માટે સતત ઝઝૂમેલા પણ કદી હારી ન બેઠેલા એક દ્ધાનું વ્યક્તિત્વ ઊપસે છે. બાળપણ અને વિદ્યાભ્યાસના કેટલાક પ્રસંગેનાં દશ્યોને બાદ કરતાં
Page #458
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧] વિજ્યરાય વૈદ્ય
[૪૪૯ આખીય આત્મકથા એમના પત્રકારજીવન પર જ કેન્દ્રિત રહી છે એ બહુ વિલક્ષણ, છતાં વિજયરાયના જીવનસંદર્ભે સ્વાભાવિક પણ છે.
અન્ય સાહિત્યની એકનિષ્ઠ ઉપાસના કરવાની ભાવનાથી પ્રેરાઈ વિજયરાયે કૌમુદીકાળમાં “કૌમુદી સેવકગણની યોજના કરેલી. વિવિધ ક્ષેત્રે સાહિત્યપ્રવૃત્તિને પ્રસારવાની આ યોજના સંદર્ભે સાહિત્યના બૃહદ્ વિશ્વકેશને પણ વિગતવાર આલેખ એમણે આપેલો. નિવૃત્ત થયા પછી, એમના આ મહત્વાકાંક્ષી સંકલ્પને કંઈક આકાર આપવાનો પ્રયાસ એમણે “સાહિત્યપ્રિય સાથી-૧' (૧૯૬૭) રૂપે કરી જોયો છે. કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓ, કેટલાક સર્જકે, દેશવિદેશનાં કેટલાંક સાહિત્યસ્વરૂપે ઉપરાંત સંસ્કૃતિ, ધર્મ આદિના કેટલાક ઘટક વિશેનાં, મોટે ભાગે પિતાનાં અને કેટલાંક બીજાનાં લખાણોના આ સંચય પાછળ, સાહિત્યરસિકને મદદરૂપ બને એવો સંદર્ભગ્રંથ આપવાને એમને આશય છે. પરંતુ એમાં લખાણોની પસંદગીમાં કોઈ એકવાક્યતા જળવાઈ નથી, ક્યાંક એમણે આડેધડ ઉતારા આપ્યા છે, સંપાદનનું પણ કોઈ ચોક્કસ ધોરણ સ્વીકારાયું નથી એ કારણે આખું કામ ઘણું નબળું રહી ગયું છે – સંદર્ભ કેશ તરીકે એનું કોઈ મૂલ્ય સ્થાપિત કરી શકાયું નથી.
આ ઉપરાંત ગંભીર નિબંધ, ઈતિહાસ, અનુવાદ વગેરેનાં પણ કેટલાંક પુસ્તકે એમણે આપ્યાં છે, “પહેલું પાનું (૧૯૩૬)માં ધર્મ અને ચિંતન વિશેના નિબંધો છે. “જયસાહિત્ય' નામે એમણે પ્રગટ કરેલી ત્રણ નાની પુસ્તિકાઓ(૧૯૭૦-૭૧)માં, એમણે જ “સંકર્ણિકા” તરીકે ઓળખાવેલાં લલિતલલિતેતર પ્રકીર્ણ લખાણે છે. “અર્વાચીન ગુજરાતનું સાંસ્કૃતિક દિગ્દર્શન' (૧૯૭૫) એ મરણોત્તર પ્રકાશનમાં સમાજ, ધર્મ, સાહિત્ય, શિક્ષણાદિ ક્ષેત્રમાંની ગુજરાતની ગતિવિધિને ચિત્રાત્મક ઈતિહાસ છે. “એક ક્રાંતિકારની આત્મકથા-૧, ૨ (૧૯૩૨ અને '૩૩), “દષ્ટિપરિવર્તન' (૧૯૩૪) અને “તિબિંગલ” (ભદ્રમુખ વૈદ્ય સાથે૧૯૬૨) – ચરિત્ર, નવલકથા આદિના અનુવાદ છે. “મનપસંદ નિબંધ' (૧૯૭૦) વગેરે કેટલાંક સંપાદને પણ એમણે આપ્યાં છે.
આ બધાંમાં વિજયરાયની વ્યાપક રુચિને, એમના સતત ઉત્સાહભર્યા પરિશ્રમને પરિચય થાય છે. પણ વિજયરાયનું યશોદાયી કામ તો એમની કારકિર્દીના પહેલા ત્રણેક દાયકાનું ગણાય. એ પછી વિવેચન, નિબંધ અને અન્ય સ્વરૂપમાં કરેલું એમનું કામ ગુણવત્તાની દૃષ્ટિએ ઊતરતું રહ્યું છે. એમની
ગુ. સા. ૨૭
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૫૦] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
(ચં. ૪ તેજસ્વી શિલી પછી ઝાંખી પડી છે, લખાવટમાં પીઢતા આવવાને બદલે ઘણું વાર શિથિલતા આવી છે. એટલે “ચેતન”, “ગુજરાત” અને “કૌમુદી'કાળના –ને “માનસી”નાં કેટલાંક વર્ષો સુધીના સમયના – વિજયરાયનું એક તેજસ્વી પત્રકાર અને વિચક્ષણ સાહિત્યકાર તરીકેનું કામ ચિરસ્થાયી મૂલ્યવાળું છે. રસિકલાલ છોટાલાલ પરીખ (૧૮૯૭)
સાહિત્યસર્જન અને વિવેચન ઉપરાંત તત્ત્વજ્ઞાન, પુરાતત્વ, ઇતિહાસચિંતન, સંશોધન અને અનુવાદ-સંપાદન એમ બહુવિધ ક્ષેત્રે રસિકલાલ પરીખનું પ્રદાન ઘણું મૂલ્યવાન રહ્યું છે. જ્ઞાનની આટલી બધી શાખાઓ ઉપર નોંધપાત્ર અધિકાર ધરાવતી હોય એવી પ્રતિભા આપણે ત્યાં વિરલ જ ગણાય. ગાંધીયુગીન સારસ્વત પેઢીમાં, આમ, તે એક વિશિષ્ટ અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે.
એમને જન્મ સાદરામાં ૧૮૯૭ની ૨૦મી ઑગસ્ટે. પિતા સાદરામાં વકીલ હતા. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવી પિતાની ઈચ્છાથી પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં જોડાયા. ૧૯૧૮માં બી.એ. થયા પછી એમને “કપેરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસેફી'ની શંકરાચાર્ય સેમિનારમાં ફેલોશિપ મળી, પૂનામાં અત્યંકર શાસ્ત્રી, પટવર્ધન, રાનડે વગેરે જેવા વિદ્વાન અધ્યાપક પાસે સંસ્કૃત-અંગ્રેજી સાહિત્ય અને ફિલસૂફીનો અભ્યાસ કરેલો એના ઘણું ઊંડા સંસ્કારો એમના ચિત્ત પર પડેલા. એનાં પરિણામો ભારતીય તત્વજ્ઞાન પરનાં એમનાં અંગ્રેજી લખાણમાં તરત દેખાતાં ગયાં. જિનવિજયજીના સંપર્ક ઈતિહાસ અને વ્યાકરણ તરફ પણ એમની રુચિ વળતી ગઈ. એમની પાસે એમણે પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કર્યું અને પૂનાની ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટટમાં હસ્તલિખિત પ્રતાનું વર્ણનાત્મક કૅટલેગ (૧૯૧૯માં) તયાર કર્યું. પંડિત સુખલાલજીને પરિચયે દર્શનશાસ્ત્રના અભ્યાસની ઊંડી આકાંક્ષા એમનામાં જગાડી.
૧૯૨૦ આસપાસ અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી ઘનિષ્ઠ બનવા માંડેલી રામનારાયણ પાઠક સાથેની મૈત્રી એમના સાહિત્યજીવનની એક મહત્વની ઘટના બની ગઈ. ૧૯૨૧માં તે ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્વ મંદિરના આચાર્ય તરીકે જોડાયા. અહીં પુરાતત્વ સૈમાસિકના સંપાદક તરીકે –અને પછી કેટલોક વખત “પ્રસ્થાન” અને “યુગધર્મના સહતંત્રી તરીકે- એમણે, અભ્યાસકાળથી મેળવેલી શાસ્ત્રીય શિસ્તને અને એમની રસજ્ઞ વિદ્વત્તાને ઉત્તમ પરિચય કરાવ્યું. એ દરમ્યાન એમનું સાહિત્ય તેમ જ સંશોધન-વિવેચન અંગેનું અધ્યયન અને લેખન ગતિશીલ બન્યું. ૧૯૩૦
Page #460
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧) રસિકલાલ પરીખ
.[૪૫૧ માં વિદ્યાપીઠ છોડી ૧૯૩૭માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી બન્યા એ વચ્ચેના ગાળામાં સંશોધનકાર્ય ઉપરાંત, રામનારાયણ પાઠક સાથે વિદ્યાપીઠમાળથી કરેલે, નાટક અને રંગભૂમિના પુનરુદ્ધારને પિતાને સંકલ્પ ફલિત કરવા વિશે તે વધુ સક્રિય બન્યા. જૂની રંગભૂમિ અને લેકનાટયનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો અને એનું અધ્યયન કર્યું. ભરતનાટયશાસ્ત્રના એમના સ્વાધ્યાયે, ભાસનાટકચક્ર પરની વિવેચનાત્મક વિચારણુએ તથા સંસ્કૃત નાટકોના અને ઇમ્સનાદિનાં યુરોપીય નાટકોના પરિશીલને વિકસેલાં રૂચિ-દષ્ટિથી વિદ્યાપીઠમાં એમણે કરેલા રંગભૂમિપ્રયોગોએ તેમ જ “રાઈને પર્વત’ જેવા શિષ્ટ નાટકને રંગભૂમિ પર ઉતારવાના સફળ પ્રયાસોએ એમની નાટયવિદ તરીકે શાખ બાંધેલી. એથી ૧૯૩૭ની રંગભૂમિ પરિષદના ઉદ્ઘાટન-પ્રવચન માટે એમને નિમંત્રણ મળ્યું. એ પ્રવચનમાં વ્યક્ત કરેલા નાટયવિદ્યામંદિરની સ્થાપનાના વિચારને પછી એમણે જ નટમંડળની સ્થાપનાથી ચરિતાર્થ કરી બતાવ્યું. ૧૯૪૧થી નિવૃત્તિપર્યત તે ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ રહ્યા. અહીં જુદી જુદી દિશાઓમાં એમનું પોતાનું અધ્યયન તો ચાલુ રહ્યું ને એના ફલસ્વરૂપે સર્જન-વિવેચનના ઉત્તમ ગ્રંથ એમની પાસેથી મળ્યા, પણ એ ઉપરાંત ગુજરાતની વિદ્યાકીય પ્રવૃત્તિનું પર્ષણસંવર્ધન પણ તે કરતા રહ્યા. નિવૃત્તિ પછી પણ એમને તેજસ્વી અધીત ચાલતે રહ્યો છે.
સાહિત્યસર્જન વાર્તા અને કવિતા: આ સદીને ત્રીજા-ચોથા દાયકાથી એમનું સાહિત્યસર્જન પણ કવિતા, વાર્તા, નાટક આદિ સ્વરૂપે ચાલતું રહ્યું છે. જીવનનાં વહેણો' (૧૯૪૧)ની વાર્તાઓની લખાવટમાં ક્યાંક સર્જકની માર્મિકતા અને વિનોદવૃત્તિને તથા એના નિરૂપણમાં જીવનના ઝીણું નિરીક્ષણના અને અભ્યાસશીલતાના ચમકારા વરતાય છે. આરંભની પ્રસંગકથા જેવી વાર્તાઓ પછીની કેટલીક સારી વાર્તાઓમાં વાર્તાકાર તરીકે એમને કંઈક વિકાસ પણ જોઈ શકાય છે. પરંતુ, હેતુલક્ષિતાથી પાંખું બનતું કથાગુંફન અને લાંબા સંભાષણોથી વિશીર્ણ બનતે કથાપ્રવાહ – એવી સ્વરૂપગત મર્યાદાઓ એમાં વિશેષ છે એથી સંગ્રહની સારી વાર્તાઓ પણ, સુન્દરમ કહે છે એવી, “વાર્તાલેખનની લગભગ સિદ્ધ અને મને હર કલાગરિમાએ પહોંચતી પ્રતીત થતી નથી. મૂસિકાર' ઉપનામથી એમણે લખેલાં કાવ્યના સંગ્રહ “સ્મૃતિ'(૧૯૫૨)માં પણ સર્જકતાને ઉન્મેષ તે મધ્યમ બરને જ રહી જાય છે. એમાંનાં બદ્ધ કાવ્ય, ખંડકાવ્યો અને સંવાદરૂપ કથાકાવ્ય, જૂની રંગભૂમિનાં ગીતોના ઢાળ પર લખેલા ગીતે ઈ.માં સર્જતાની ચમક અને પ્રયોગશીલતાના અંશો તે છે, કેટલાંક લાંબા
Page #461
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
થિ. ૪ કાવ્યાની સ ́ઘટના, છંદસફાઈ અને ઘૂંટાયેલી કાવ્યબાની કંઈક નોંધપાત્ર પણ બને છે પરંતુ ગુજરાતી કાવ્યપ્રવાહમાં એમની કવિતા કાઈ આગવી રેખા આંકી જઈ શકતી નથી.
નાટક : રસિકલાલ પરીખનુંસક તરીકેનું યશેાદાયી ક્ષેત્ર તેા, આમ, નાટક જ રહે છે. ‘સંજય' ઉપનામથી લખાયેલા એમના પહેલા જ નાટક રૂપિયાનું ઝાડ'(૧૯૩૧)માં પ્રયેાગશીલતા, પાશ્ચાત્ય નાટયપદ્ધતિના સૂઝવાળા વિનિયેાગ, વિનેાદમ મિશ્રિત શૈલી જેવી એમની સિદ્ધ લાક્ષણિકતાઓનાં ઈંગિતા જોઈ શકાય છે. આ જ ગાળામાં એમણે ટૉલ્સ્ટોયના ફર્સ્ટ ડિસ્ટિલર’નેા અનુવાદ – ‘પહેલા લાલ’ (૧૯૩૧) – પણ આપેલા. વચ્ચે એમણે ‘પ્રેમનું મૂલ્ય’ (૧૯૫૦) નામે એક ઉલ્લેખપાત્ર રેડિયોનાટક પણ લખેલું', ‘શર્વિલક’ (૧૯૫૭) અને મેનાં ગુજરી' (૧૯૭૭) એમનાં પ્રથિતયશ નાચસના છે.
શિવ લક' આપણે ત્યાંની શિષ્ટ નાટકાની પરંપરામાં મહત્ત્વનું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કથાસ ઘટનાના કૌશલની દૃષ્ટિએ તા એ કદાચ આપણાં સ શિષ્ટ નાટકામાં ઉત્તમ ઠરે. શુદ્રકના ‘મૃચ્છકટિક’માંના રાજપરિવર્તીના ગૌણ વસ્તુને મુખ્ય કથાટના બનાવી શિવલકના દૃષ્ટિપૂર્ણ વિપ્લવકાર્યની આસપાસ ‘દ્વિચારુદત્ત’ અને મૃચ્છકટિક'નાં મહત્ત્વનાં પાત્રા અને કથાત તુઓને ગૂંથીને એમણે આ નાટક રચ્યું છે. આવા ફેરફારો અને કેટલાંક અગત્યનાં કાલ્પનિક પાત્રાના ઉમેરણુ છતાં મૂળ નાટકાનાં પાત્ર-ઘટનાની આપણી કલ્પનાને અને ઐતિહાસિક તથ્યાને સુરક્ષિત રાખવાની લેખકની કાળજી ‘શર્વિલક'ને એક અભ્યાસી નાટયવિદની રચનાનું ગૌરવ અપાવે છે. મૂળસ્રોતરૂપ નાટકના અનુવાદ, રૂપાંતર અને એમાંથી નીપજી આવેલી મૌલિક નિમિતિની લેખકના ચિત્તમાં ચાલેલી પ્રક્રિયા ૧ સર્જક અને અભ્યાસીની સમ્યક્ તિના ઉત્તમ પરિણામની દૃષ્ટિએ અત્યંત નોંધપાત્ર છે.
નાટકના બાહ્ય પરિવેશ અને શૈલી સંસ્કૃતનાટક પ્રકારનાં હાવા છતાં ભવાઈશૈલીની લાક્ષણિકતાઓથી તથા લેખકની વિલક્ષણ નર્મશક્તિથી એનું એક વિશિષ્ટ રૂપ બંધાય છે. શિષ્ટ બાનીમાં મહેશે મથર ગતિએ ચાલતી, કયારેક લાંબાં સંભાષણેામાં ઊતરી જતી પણ વ્યંજના અને વિનાદ ફરકાવી જતી સંવાદશક્તિ શ્વેતપદ્મા અને મનિકા વચ્ચેના વાર્તાલાપમાં અને નાટકના અંતેભાગની ઘટનાઓમાં તા ખૂબ તરલ અને તિશીલ પણ બની ઊઠે છે. નાટયરીતિની દષ્ટિએ કૃતિ પાશ્ચાત્ય નાટકને અનુસરે છે. શિલકની યાજનાના મુખ્ય તંતુએ સંધર્ષનું તત્ત્વવિકસતું જાય છે. પાલકની આંતરદ્વિધા, શ્વેતપદ્માને અસ ંતોષ, પ્રજામાં રાષ ફેલાવતી શકારની ગ્રામ્યતા, વસંતસેના-ચારુદત્ત જેવાંના સમભાવ
Page #462
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧]
રસિકલાલ પરીખ
[ ૪૫૩
અને મદનિકાના સહયેાગ શર્વિલકના વિપ્લવકાને સફળ બનાવતાં જાય છે તા ભરતરાહતકની વિચક્ષણ બુદ્ધિમત્તા એને વારેવારે અવરાધતાં રહે છે – એ આખા તનાવ (tension) લેખકે કૌશલથી નિરૂપ્યા છે. અંતે સૌંકલ્પની સફળતા સામે મદનિકા અને ચારુદત્તનાં મૃત્યુથી જન્મતા ધેરા વિષાદ કૃતિને કરુણાંત નાટકનું એક વિશેષ પરિમાણ અપે છે. આત્મહત્યા જેવાં કેટલાંક દૃશ્યેાને રગભૂમિ પર બતાવવામાં અને બબ્બે મુખ્ય પાત્રાનાં (કેટલાક આધુનિક વિવેચકને પણ નિવાર્ય લાગેલાં) મૃત્યુથી કરુણાંત લાવવામાં લેખકની, નવી રંગભૂમિના નિર્માણ માટે આવશ્યક એવી, કેવળ રૂઢિભજકતા જ દેખાતી નથી – અતલાન્ત કરુણુમાંથી નીપજતા જીવનના રહસ્યને પ્રગટ કરતી સકદષ્ટિ પણ એમાં વરતાય છે. નાટકના સહજ નિČણુમાં જ એનેા આવિષ્કાર થયેલા છે એથી એનુ મૂલ્ય વધે છે.
વિČલકનું પાત્રચિત્રણ નાટયકારની સર્જકતાને એક વિલક્ષણ ઉન્મેષ છે. પૂર્વસંકલ્પથી ઉજ્જયિનીમાં પ્રવેરાતા શાલ કાયનપુત્ર શુબુદ્ધિ તરીકે કલ્પાયેલા આ પાત્રનાં ઘણાં પરિમાણેા લેખકે ઉપસાવી આપ્યાં છે. શર્વિલક કેવળ એક યેાજનાયતુર મુત્સદ્દી જ નથી રહી જતા, યાજના-સૂત્રોને એ જે રીતે સંભાળે છે તે સંબધાને એ જે રીતે અનુભવે છે એમાં તે એક ઊંડી સમજવાળા અને ચિંતક પ્રકૃતિના સ ંવેદનશીલ ક્રાન્તિકારી પ્રતીત થાય છે. આથી, ચુનીલાલ મડિયાએ એને “અર્વાચીન ‘ઇન્ટેલેકચ્યુઅલ' જેવા’૧૨ કહ્યો છે તે યથાર્થ છે.
૫ અંક અને ૨૫ દૃશ્યામાં થયેલું નાટકનું વિભાજન, સ“સ્કૃતમાંથી અનૂદિત શ્લોકા આદિનું સહેજ વધુ પ્રમાણુ, કેટલાંક લાંબાં સંભાષણાવાળા, શાસ્ત્રચર્ચા પણ આપતા, સંવાદી – એ બધુ... ‘શર્વિલક'ની અભિનયક્ષમતાની મર્યાદારૂપ બની એને કંઈક અંશે આપણાં શિષ્ટ વાયિક નાટક જેવું બનાવે છે પણ મેનાં ગુજરી’સંપૂર્ણ અભિનેય નાટક નીવડયુ` છે. મેનાં તથા એની સખીઓનુ લશ્કરી છાવણી જોવાનું કુતૂહલ, બાશાહ સાથેની દલીલબાજીમાં પ્રગટતી મેનાંની અસ્મિતા, બાન પકડાયેલી ગુજરીઆએ મેાકલેલા સંદેશાને ગુજરાએ ઝીલી લીધેલા પડકાર, બાદશાહની કેદમાંથી માનભેર છૂટતી મેનાંને સાસુનણુંદના આક્ષેપેથી પ્રગટતા પુણ્યપ્રકૈાપ અને સતીત્વના આવેગે પાવાગઢ જઈ એનું મહાકાળીરૂપ બનવું – એવા થા શાને સમાવતા મૂળ લેાકગરખા જ ઘટના, સંવાદો, ભાષા ઇ.ની રીતે નાટયંશકયતાઓથી ભરપૂર હતા, રસિકલાલ પરીખમાંના સર્જીક અને અભ્યાસી ઉમયે સક્રિય થઈ એના પરથી, – પહેલાં તે। ૫ દશ્યાના એકાંકી નાટકનુ” ને પછી, – ૧૧ દૃશ્યાના લાંબા નાટકનું સર્જન કર્યું... એમાં જૂની રંગભૂમિના અને લેાકનાટયના ઉત્તમ નાટયાંશા ઊપસવાની સાથે જ સેના
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૫૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ પાત્રનિર્માણ અને સંવાદરચનાના કૌશલને વિશેષ પણ ઊપો. આ નાટકે એમની નાટયવિદ તરીકેની ઉત્તમ શક્તિઓ પ્રગટાવી છે અને એ ઉપરાંત રંગભૂમિના પુનરુદ્ધારનો એમને સંકલ્પ પણ એમાં કંઈક મૂર્ત થયો છે. ઉત્તમ દિગ્દર્શક અને નીવડેલા અભિનેતાઓએ એને એક સફળ અભિનય નાટક પુરવાર કરી આપ્યું છે.
આ બંને નાટયકતિઓએ લેખકની ઉત્તમ સર્જકતાના અને રંગભૂમિની જાણકારી અને સૂઝના, આપણે ત્યાં લગભગ વિરલ એવા બે તંતુઓને જોડી આપ્યા છે.
વિવેચન સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યમીમાંસા અને ફિલસૂફીને અધ્યયનથી ઘડાયેલી રુચિને લીધે એમના વિવેચનમાં તુલનાત્મક દૃષ્ટિકોણને વિનિયોગ થતો રહ્યો છે. ભારતીય સાહિત્યવિચાર અને તત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને ચાલતી એમની વિચારણા પાશ્ચાત્ય ચિંતન-વિવેચન સાથેની તુલનાથી વધુ સ્પષ્ટ અને સમૃદ્ધ થયેલી છે. સંકુલ વિચારણાનું પણ ખૂબ વ્યવસ્થિત, મુદ્દાસર અને વિશદ નિરૂપણ વિવેચક તરીકે એમને મુખ્ય વિશેષ છે.
સંસ્કૃત રસમીમાંસામાંની “આનંદમય સંવિની અને પાશ્ચાત્ય વિવેચનની ઈચ્છેટિક્સની વિચારણાને સંદર્ભે કાવ્યના રસાનંદના સ્વરૂપની સર્વાગીણ તપાસ કરતે એમને ગ્રંથ “આનંદમીમાંસા' (૧૯૬૩) આપણે ત્યાં તુલનાત્મક અધ્યયનને એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. માનવચિત્તની સહજ પ્રેરણા રૂપે રહેલા આનંદતત્વ – ભૂમા –ની અને એને વિકસિત સ્વરૂપની ચર્ચા કરીને એમણે તત્ત્વજ્ઞાનની પીઠિકા પર બ્રહ્માનંદ સાથે રસાનંદની તુલના કરી આપી છે અને નાટયશાસ્ત્રમાંના રસના વિભાવની વિસ્તૃત વિવેચના કરી છે. આ સંદર્ભે એમણે ક્રોચે અને શોપનહાઉરની વિચારણાને પણ નિરૂપી આપી છે. સૌન્દર્યશાસ્ત્રને આમ ફિલસૂફીના એક વિષયાંગ તરીકે મૂલવવાને એમનો ઉપક્રમ નેધપાત્ર છે.
સાહિત્યમીમાંસા અને દર્શનશાસ્ત્રોની પરિભાષાની ઝીણવટમાં ઊતરતી અને ચર્ચા માટે એક મોટા વ્યાપને સ્વીકારતી એમની આ મૌલિક અને સંકુલ વિચારણની રજૂઆત ખૂબ સ્પષ્ટરેખ અને વિશદ રહી છે. ૧૯૬૦-૬૧માં મહારાજા સયાજીરાવ સ્મારક વ્યાખ્યાને'રૂપે તૈયાર થયેલા આ ગ્રંથમાં વક્તવ્યની પ્રાસાદિકતા પણ નોંધપાત્ર છે. ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-અંગ્રેજીના અભ્યાસની આવશ્યકતા, ગુજરાતી ભાષાને ઐતિહાસિક વિકાસ, કવિતા અને વિવેચનના
Page #464
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧] રસિકલાલ પરીખ
[૫૫ ઘટકે, પાશ્ચાત્ય વિવેચના આદિ અનેક વિષયોને આવરતા એમના સાહિત્ય પરિષદ (મુંબઈ અધિવેશન)ના સુદીર્ઘ અધ્યક્ષીય પ્રવચનમાં પણ શૈલીનું આ વૈશદ્ય જ અઘરા વિષયને સુગમ બનાવવામાં કામયાબ નીવડેલું જણાશે.
આકાશભાષિત' (૧૯૭૪)માં એમણે વિવિધ વિષયો પર આપેલા રેડિયે વાર્તાલાપે છે. પણ અહીં ગ્રંથસ્થ કરતાં પૂવે એમણે મોટા ભાગનાં વક્તવ્યને સંવર્ધિત-વિવર્ધિત કરી વ્યવસ્થિત અભ્યાસલેખો રૂપે મૂક્યાં છે. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન, કલા, રંગભૂમિ, સંસ્કૃતિ, ઇતિહાસ, તત્વજ્ઞાન એમ અનેક વિષય પરની એમની તેજસ્વી વિચારણને એમાં પરિચય મળે છે. સંસ્કૃત નાટક અને રંગભૂમિ પરના લેખમાં કલાવિવેચક અને નાટયવિદ તરીકેની એમની પરિસ્કૃત રુચિનાં દર્શન થાય છે તે ભારતના નાટયશાસ્ત્ર અને ધ્વન્યાલકનાં એમણે આપેલાં વિવરણે એક અધિકારી વિદ્વાનને હાથે થયેલી પારદશી રજૂઆતના નમૂનારૂપ બન્યાં છે. મુખ્યત્વે ભાસની નાટ્યકૃતિઓની વિગતે સમીક્ષા કરતો એમને ગ્રંથ સંસ્કૃત નાટક સાહિત્ય' (૧૯૮૦) પણ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે.
સંસ્કૃત કાવ્યવિચારનું વિશદ વિવરણ આપવામાં તથા તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય વિવેચનવિચારના સંદર્ભે એને આગવો પરિપ્રેક્ષ્ય આપવામાં રસિકલાલ પરીખનું આપણું વિવેચનને વિશિષ્ટ પ્રદાન રહ્યું છે.
એમના પ્રત્યક્ષ વિવેચનમાં સહદયતાના અને મર્મજ્ઞ રસિકતાના ગુણ સવિશેષપણે જોવા મળે છે. “પુરોવચન અને વિવેચન' (૧૯૬૫)ના સમીક્ષાલેખો તથા ૧૯૭૨માં એમણે ગુજરાત વિદ્યાસભાની “વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાનમાળા'માં આપેલાં વ્યાખ્યાનના ગ્રંથ “સરસ્વતીચંદ્રનો મહિમા –એની પાત્રસૃષ્ટિમાં' (૧૯૭૬) આની પ્રતીતિ કરાવે છે. કૃતિની લાક્ષણિકતાઓની ઝીણી નેંધ લેતાં એને આસ્વાદમૂલક પરિચય કરાવવા તરફ એમને વધુ ઝોક રહે છે. એમનું વિવેચન સામાન્યપણે ગુણાનુરાગી રહેતું હોવા છતાં ક્યારેક એમણે સર્જકની મર્યાદાઓ પણ અસંદિગ્ધપણે દર્શાવી આપી છે. સમક્ષિત કૃતિના સ્વરૂપની ચર્ચા સાથેનું વિસ્તૃત અને વિશ્લેષણાત્મક વિવેચન પણ એમણે ક્યારેક આપ્યું છે. “દ્વિરેફની વાતે', “શેષનાં કાવ્યો', “ગતી જવાની' વગેરે કૃતિઓની લાંબી સમીક્ષાઓ આ દષ્ટિએ ધ્યાનપાત્ર છે. એમની આ કૃતિસમીક્ષા કેટલીક મર્યાદાઓ પણ દેખાડે છે, સમીક્ષા ઘણી વાર માત્ર પરિચયદશ બની જાય છે તે ક્યારેક કૃતિના કેઈ એક જ પાસા પર કેન્દ્રિત થઈ અપર્યાપ્ત પણ રહી જાય છે. એ જ રીતે, “સરસ્વતીચંદ્રની પાત્રસૃષ્ટિને એમને પરિચય પણ રસલક્ષી બનતે હોવા છતાં ગેવર્ધનરામની પાત્રનિરૂપણુકલા પર કેઈ ઘાતક પ્રકાશ પાડતા ન હોવાથી એમાં
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૫૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
['. ૪
‘સરસ્વતીચંદ્ર'ના મહિમા ઝાઝા પ્રસ્થાપિત થઈ શકતા નથી. કેવળ પરિચયલક્ષા વિસ્તારથી આ વ્યાખ્યાના શિથિલબંધ પણ લાગે છે.
તત્ત્વજ્ઞાન અને ઇતિહાસ
તત્ત્વજ્ઞાનના એમના ઊંડા અધ્યયનના એમણે માટે ભાગે તા સાહિત્યમીમાંસામાં વિનિયેગ કર્યા છે ને એને એક આગવું પરિમાણુ આપ્યું છે. આ ઉપરાંત સાહિત્ય પરિષદના ૧૪મા અધિવેશનમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આપેલા પ્રવચન ‘તત્ત્વજિજ્ઞાસા'(૧૯૪૧)માં તત્ત્વજ્ઞાનની એમની સ્વત ંત્ર વિચારણાને પરિચય મળે છે. ઇતિહાસ એમનુ એક ઘણું મહત્ત્વનું અભ્યાસક્ષેત્ર રહ્યું છે. ‘ગુજરાતની રાજધાનીએ’ (૧૯૫૮) અને ‘ઇતિહાસ – સ્વરૂપ અને પદ્ધતિ' (૧૯૬૯) એ બે ગ્રંથામાં એમનું ઇતિહાસ અને સંસ્કૃતિ અંગેનુ` ચિંતન ઉપલબ્ધ છે. પહેલા ગ્રંથમાં, નગરરચનાના મૂળમાં રહેલા માનવજાતના સાંસ્કૃતિક વિકાસની વિગતે ચર્ચા કરી એમણે નગરના સ્વરૂપના – એની વ્યાખ્યા અને વ્યુત્પત્તિ અર્થની ઝીણવટ સાથે, શાસ્ત્રાધારા ટાંકી – મૂળગામી પરિચય કરાવ્યા છે. ગુજરાતની પૌરાણિક-ઐતિહાસિક રાજધાનીએ વિશેની એમની ચર્ચામાં પણ સંશાધકની ચીવટ અને ચેાકસાઈ તથા એમની માર્મિક ઇતિહાસષ્ટિ જણાઈ આવે છે. કેવળ ઇતિહાસનિરૂપણને બદલે એમણે માણસના સાંસ્કૃતિક પુરુષાને આલેખી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. એથી ગ્રંથ વિશેષ મૂલ્યવાન બન્યા છે. આવા જ એક વ્યાપક છતાં મૂળગામી દષ્ટિકાણુથી ઇતિહાસનાં સ્વરૂપ અને પદ્ધતિને તપાસતા ગ્રંથ પણ એમના ઊંડા ચિંતનના અને એમની પયેષક બુદ્ધિના ઉદાહરણરૂપ અન્યેા છે.
સ‘શાધન
એમણે વ્યાકરણ અને દર્શનશાસ્ત્રના કેટલાક મૂલ્યવાન ગ્રંથના અનુવાદસંપાદન નિમિત્તે કરેલું સ`શેાધનકાર્ય પણ એમનું ગણનાપાત્ર પ્રદાન છે. મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ'ના ૧ થી ૬ ઉલ્લાસેાનેા, રામનારાયણ પાઠક સાથે કરેલા અનુવાદ (૧૯૨૪) તથા વૈદિક સંહિતા અને બ્રાહ્મણપ્રથામાંથી સંપાદિત અ'શાના ટિપ્પણી સાથેના અનુવાદ ‘વૈદિક પાઠાવલિ’ (૧૯૨૭) ઉપરાંત હેમચંદ્રનું ‘કાવ્યાનુશાસન' (૧૯૩૮), જયરાશિ ભટ્ટકૃત ‘તવાપપ્લવસિંહ' (પડિત સુખલાલજી સાથે, ૧૯૪૦), સિદ્ધિચદ્રનુ‘કાવ્યપ્રકાશખડન' (૧૯૫૩), ભટ્ટ સેામેશ્વરના સંકેત' સાથેનું ‘કાવ્યાદર્શી' (૧૯૫૯) તેમ જ ‘નૃત્યરત્નકાશ−૧, ૨' (પ્રિયબાળા શાહ સાથે, ૧૯૫૭ અને ૧૯૬૮)–નાં સંપાદના તથા ‘કાવ્યાનુશાસન’, ‘કાવ્યાદર્શી’ અને ‘નૃત્યરત્નાશ’ના અભ્યાસપૂર્ણ ઉદ્ધાતા એમની અધ્યયન-સંશાધનની
Page #466
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧ ] વિશ્વનાથ ભટ્ટ
[૪૫૭ અવિરત ચાલતી રહેલી સાધનાનાં ફલ છે. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની ગ્રંથમાળાના (પ્રગટઃ ગ્રંથ ૧ થી ૬ : હરિપ્રસાદ શાસ્ત્રી સાથે) તેઓ સંપાદક છે અને ગુજરાતના ઇતિહાસવિષયક કેટલાંક પ્રકરણે પણ એમાં એમણે લખેલાં છે. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ (૧૮૯૮-૧૯૬૮)
સાહિત્યના સૌંદર્યદર્શન તેમ જ સત્યદર્શનના આગ્રહ સાથે, ઊર્મિપ્રાણિત પણ ગૌરવયુક્ત શૈલીમાં સમગ્રલક્ષી અને સુદીર્ધ અભ્યાસલેખે આપનાર તથા વિવેચનને એક ઉન્નત મૂલ્યવત્તાવાળી અને સ્વાયત્ત કલાપ્રવૃત્તિ લેખે મહિમા કરનાર વિવેચક તરીકે વિશ્વનાથ ભટ્ટ જણીતા છે.
૧૮૯૮ની ૨૦મી માર્ચે ભાવનગર જિલ્લાના ઉમરાળામાં એમનો જન્મ. અમરેલીમાંથી મેટ્રિક થઈ ૧૯૧૬માં ભાવનગરની શામળદાસ કોલેજમાં જોડાયા અને ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ. થયા. એમ.એ.ની પરીક્ષા માટે તૈયારી કરેલી પણ એ દિવસમાં ચાલતા અસહકારના રાષ્ટ્રીય આંદેલનમાં સક્રિય રીતે જોડાતાં અભ્યાસ પડતો મૂક્યો. ૧૯૨૪માં ભરૂચ કેળવણી મંડળના આજીવન સભ્ય અને ત્યાંની શાળામાં શિક્ષક થયા. પાછળથી કેટલાક સમય અમદાવાદની કેલેજોમાં અધ્યાપનકાર્ય પણ કરેલું. વચ્ચે થોડોક વખત ભારતીય વિદ્યાભવન(મુંબઈ)માં પણ રહ્યા હતા. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશની કામગીરી સાથે પણ કેટલાક સમય સંકળાયેલા હતા. ૧૯૨૨ આસપાસ આરંભાયેલી અને લગભગ ત્રણેક દાયકા અવિશ્રાંત પણે ચાલેલી એમની લેખનપ્રવૃત્તિ ચોથા દાયકાના અંતભાગમાં એકાએક જ અટકી ગયેલી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફરીથી તે કંઈક લેખન સક્રિય થયેલા. ૧૯૬૮ની ૨૭મી નવેમ્બરે એમનું અવસાન થયું.
વિવેચન સૈદ્ધાતિક ચર્ચા વિવેચનના સ્વરૂપની વિચારણું અને વિવેચનની મૂલ્યવત્તા અંગેની ચર્ચા વિશ્વનાથમાં એકસાથે ચાલતાં રહ્યાં છે. વિવેચકની સજકતા વિશેના એમના પ્રતિપાદન - અને પછી એના વિરોધના પ્રતિવાદ રૂપે એમણે જગવેલા ઊહાપોહ-માં સમાન્તરે વિવેચનની અગત્ય, વિવેચકને કાર્યપ્રદેશ અને એની જવાબદારી વિશેની પણ વિગતપૂર્ણ ચર્ચા થતી રહી છે.
એમના ચારે વિવેચનસંગ્રહના આરંભના લેખે – “વિવેચનને આદર્શ (‘સાહિત્યસમીક્ષા': ૧૯૩૭), “વિવેચનની અગત્ય” (“વિવેચન મુકુર’: ૧૯૩૯), “વિવેચકની સર્જકતા” (નિકષરેખા: ૧૮૪૫)૧૩ અને “વિવેચનની પવિત્રતા”
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ (‘પૂજા અને પરીક્ષા’ : ૧૯૬૨)માં એને વિગતવાર આલેખ સાંપડે છે. પ્રત્યેક સંગ્રહનાં લાંબાં નિવેદનમાં પણ એમની આ વિચારણાને અને વિવેચનના એમના વિભાવને એ સ્પષ્ટ કરતા રહ્યા છે.
વિવેચક સર્વપ્રથમ તો સાહિત્યના સૌંદર્યદર્શન માટે પ્રવૃત્ત થાય છે ને પછી એની કેળવાયેલી પરિષ્કૃત સૌંદર્યદષ્ટિથી (– જેને તે “સૌદર્યભાવના' કહે છે એનાથી-) સાહિત્યનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરે છે, એ વિશ્વનાથનું મુખ્ય પ્રતિપાદન (thesis) છે. સાહિત્યકૃતિના સૌંદર્યનું આકલન વિવેચક તર્ક બુદ્ધિથી કે વિદ્વત્તાથી નહિ પણ પિતાની સહજપલબ્ધિથી૧૪ કરતો હોવાથી વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ, ઊર્મિ હોય છે૧૫ અને એમ, સહૃદયચિત્તે ઝીલેલા સંસ્કારોથી જ સત્યપૂત મૂલ્યાંકનદષ્ટિ ઉદય પામે છે એવું એમનું મંતવ્ય છે. આ દષ્ટિએ કરેલા વિવેચનને એ સર્જક માટે પણ આત્મદર્શનનું, – એના ગુણ-દેષદર્શન માટેનું – “મુકુર' કહે છે. પિતાની સમગ્ર વિવેચનપ્રવૃત્તિને પૂજા અને પરીક્ષા લેખવામાં પણ એમનો “સૌંદર્યભક્તિ અને સૌંદર્યભાવનાને ખ્યાલ જ પ્રગટ
થાય છે. ૧૬
આ દૃષ્ટિબિંદુ કૌતુકરાગી વિવેચનને ખૂબ જ લાક્ષણિક પરિચય આપે છે. વિજયરાય, વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદ જેવા આપણા કૌતુકરાગી વિવેચકેમાં પણ પંડિતયુગીન અને ગાંધીયુગીન સૌષ્ઠવદષ્ટિ વિવેચકન જેવાં બૌદ્ધિકતા, બહુશ્રુતતા અને શાસ્ત્રીયતા તો છે જ પરંતુ કૃતિ સાથે એમને પહેલા મુકાબલે ઊર્મિલક્ષી અને સૌંદયદશી હોય છે. કંઈક creative impulseથી સક્રિય થઈને કૃતિના સૌંદર્યવિશ્વને એ ઝીલે છે અને એનું નિવેદન કરે છે, ને પછી પિતાના બહોળા વાચન અને નિદિધ્યાસનથી કેળવાયેલી સૌંદર્યદષ્ટિથી એનું પરીક્ષણ પણ કરે છે એમાં માણેલાના આસ્વાદની સાથે – વિજયરાયમાં અને વિશેષપણે વિશ્વનાથમાં દેખાય છે એવી –કૃતિને દાની અસંદિગ્ધ, કડક આલોચના હાય છે. “સદેશનું સૌંદર્યદર્શન કે રસાસ્વાદને” અને પછી “અસદેશનું પરીક્ષણ -એવી પ્રક્રિયામાંથી જન્મેલા સત્યદશી અને સમતલદષ્ટિ મૂલ્યાંકનને વિશ્વનાથ વ્યથાર્થ વિવેચન ગણે છે.૧૭
કંઈક અભિનિવેશથી પ્રેરાયેલા અને એકપક્ષી મતાગ્રહમાં પરિણમેલા, વિવેચકની સર્જકતા અંગે એમણે ચલાવેલા વિવાદમાં પણ એમને મુખ્ય આશય તે વિવેચનને સૌન્દર્યદર્શનમાંથી ઉદ્ભવેલી એક સ્વયંપર્યાપ્ત પ્રવૃત્તિ તરીકે સ્થાપી આપવાને હતે. એક સૌન્દર્યવિશ્વને, કેવળ નિમિત્તભેદે, આત્મગત કરતી સક્રિયતાને સંદર્ભે એમને સર્જકનું અને વિવેચકનું કાર્ય સમાન્તરે જતું અને સમમૂલ્ય
Page #468
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧ ] વિશ્વનાથ ભટ્ટ
[ ૫૯ જણાયેલું. સર્જનાત્મક કૃતિનું કઈ સિદ્ધાન્તોની મદદથી વગીકરણ-પૃથક્કરણ કરવાને બદલે કે એમાંથી નિયમો તારવવાને બદલે એના ચૈતન્યપૂર્ણ સૌન્દર્યલકનું મૂલ્યદર્શન કરાવતું વિવેચન સ્વયં એક આસ્વાદ્ય પદાર્થ છે, એવા એમના મંતવ્યનું એમણે વિરતારપૂર્વક, અનેક દલીલથી અને લોરેન્સ, સ્પિનગર્ન, રજન્સ, સેઇન્ટસબરી, મેંકન, આનાતાલ ફ્રાન્સ જેવા અનેક વિવેચકેનાં અવતરણો - થી સબળ સમર્થન કર્યું. એમના મતના વિરોધોને એમણે અત્યંત આક્રમક પ્રતિકાર પણ કર્યો. વિવેચનનું પ્રભવસ્થાન સર્જન જ હોવાથી એની સ્વયંપર્યાપ્તિના ખ્યાલની નિરર્થકતા તથા સર્જન અને વિવેચનના આખરી પ્રભાવની ભિન્નતાને લીધે વિવેચકની સર્જકતાના મતની નિરાધારતા રામનારાયણ પાઠકે અને ઉમાશંકર જોશીએ બતાવી આપેલાં તે પછી પણ વિશ્વનાથને પ્રતિવાદ ચાલતે. રહેલ – વિવેચકને સર્જકથી પણ ચડિયાત ગણવા સુધી એ ગયેલા.
આ આખાય વિવાદdebate)નું મૂલ્ય હવે તે એતિહાસિક રહી ગયું. છે પરંતુ એને સંદર્ભે વિશ્વનાથે વિવેચનધર્મની પણ વિસ્તૃત છણાવટ કરી છે એ તે આજે પણ પ્રસ્તુત રહે છે. એક તરફ સર્જનને પ્રેરક બનવામાં અને સર્જકને સજજ કરવામાં તે બીજી તરફ વાચકની રસવૃત્તિનું સંવર્ધન કરવામાં એને સાહિત્યભિમુખ કરવામાં, ને એમ સાહિત્યની ઉન્નતિ કરવામાં, એમણે વિવેચકને ધર્મ અને વિવેચનની અગત્ય જોયાં છે.૧૮ વિવેચકને “સવાઈ સર્જક ગણવામાં પણ એના વિશેષ ગુણ શિવત્વને –એનાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ચારિત્ર્યબળને – એમણે મહત્વનાં લેખ્યાં છે. વિવેચનની પવિત્રતા” (“પૂજા અને પરીક્ષા') નામના, લગભગ ૯૦ પાનાંના, સુદીર્ઘ લેખમાં એમણે વિવેચકમાં દષ્ટિની વેધકતા, બુદ્ધિની કુશાગ્રતા, સત્યનિષ્ઠા, રસિકતા, તલસ્પર્શિતા, તટસ્થતા જેવા ઉત્કૃષ્ટ ગુણેની આવશ્યકતા પ્રમાણે છે. એટલું જ નહીં, સાહિત્યેતર સામાજિક વ્યવહારમાં ભેરવાયા વિના અને પૂરી નિભતાથી એકનિષ્ઠ સાધના કરનારા તરીકે એને કહે છે. વિશ્વનાથ એક જગાએ ૧૯ પિતાને વિવેચનદેવતાને ઉપાસક તરીકે તથા અન્યત્ર પિતાના વિવેચનકાર્યને “સુદીર્ઘ સિદ્ધાન્તયુદ્ધ તરીકે ગણાવે છે તે આ સંદર્ભે બહુ લાક્ષણિક છે.
એમની સિદ્ધાન્તવિચારણું “સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય” (“સાહિત્યસમીક્ષા) તથા “શીલ અને સાહિત્ય” (“વિવેચન મુકુર) જેવા લેખોમાં પણ સેંધપાત્ર રહી છે. પશ્ચિમની વિચારણાને આધારે એમણે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય સાહિત્યનાં લક્ષણેની ખૂબ સજજતાપૂર્વક ઝીણું અને વિગતવાર ચર્ચા કરી છે. એમને. પક્ષપાત, અલબત્ત, કૌતુકરાગી સાહિત્ય તરફ રહ્યો છે. શૈલીવિચારમાં તે “શીલ
Page #469
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ એવી શિલી'ના મતને અનુસર્યા છે ને શિલીને સર્જકના જીવનાનુભવ, આચારવિચાર અને એના ઊમિનભાવનારૂપ શીલના નિષ્કર્ષરૂપ ગણાવી છે – એમાં આર્નલ્ડ આદિની વિચારણાને પ્રભાવ દેખાય છે. આ બંને લેખોમાં એમણે પોતાના મતેને પાશ્ચાત્ય વિચારનાં મંતવ્યોથી તેમ જ અત્રત્ય સાહિત્યકારોનાં સર્જનમાંથી ઉદાહરણે લઈ પુષ્ટ અને સમર્થિત કર્યા છે.
પ્રવાહદાન અને કર્તાઓ પરના અભ્યાસ : સાહિત્યપ્રવાહ વિશેનાં એમના વિવેચને માહિતીની નિઃશેષ નોંધ લેતાં અને ક્યાંક તુલનાત્મક દૃષ્ટિએ વિગતેનું મૂલ્યાંકન કરતાં હોય છે. આપણું નિબંધસાહિત્ય', “પંડિતયુગ', “િતેત્રીસનું ગ્રંથસ્થ વાડ્મય” આ પ્રકારના મહત્વના લેખે છે. ગુજરાતી નિબંધકારોની મહત્ત્વની લાક્ષણિક્તાઓને વિગતે પરિચય કરાવી નિબંધના વિકાસની સ્પષ્ટ રેખા ઉપસાવી આપવામાં, કેશવલાલ ધ્રુવના સાહિત્યકાર્યની ભૂમિકા રૂપે પંડિતયુગીના સાહિત્યની તલસ્પર્શી સમીક્ષા કરવામાં અને ૧૯૩૩ના ગ્રંથસ્થ સાહિત્યને વિસ્તારથી અવલોકીને તે સમયની સાહિત્યપ્રવૃત્તિને સંપૂર્ણ આલેખ આપવામાં એમનાં દૃષ્ટિપૂર્ણ પરિશ્રમ અને સંનિષ્ઠ અભ્યાસવૃત્તિ જણાઈ આવે છે.
કેટલાક સર્જકે વિશેના સુદીર્ઘ અભ્યાસલેખો વિશ્વનાથની સાહિત્યસેવાને મહત્ત્વને અંશ છે. દલપતરામ, નર્મદ, રમણલાલ દેસાઈ, મેધાણ આદિનાં સિદ્ધિમર્યાદાઓની એમણે ખૂબ જ વિસ્તારથી, સમગ્રદશી સમીક્ષા કરી આપેલી છે. સર્જક-અભ્યાસો મોટે ભાગે તે એમણે project તરીકે ઉપાડેલા છે અને
જનાબદ્ધ રીતે કર્તાની સમગ્ર લેખનપ્રવૃત્તિનું વિભાગવાર અને મુદ્દાસર વિવેચન એમણે કર્યું છે. કૃતિઓ નિમિત્તે પણ એમણે નર્મદ, ગોવર્ધનરામ અને બોટાદકરની સર્જક પ્રતિભાને વિગતે પરિચય કરાવેલો છે. નર્મદનું વિવેચન આ બધામાં સૌથી વધુ નોંધપાત્ર છે. વિવિધ નિમિત્તે નર્મદની સાહિત્યપ્રવૃત્તિ વિશે અને એની કૃતિઓ વિશે એમણે લખ્યું છે. (આ બધા લેખોનું સંકલન નર્મદ વિશેને એક સારા અભ્યાસગ્રંથ આપી શકે એમ છે.)
સંપૂર્ણ વિગતો આપવાની અને અશેષ નિરૂપણ કરવાના આગ્રહે એમની લેખન પદ્ધતિને ક્યારેક એક જ મુદ્દાના ઘેરા આલેખનના તેમ જ પુનરાવર્તનના દિષવાળી બનાવી છે. આમાં, પિતાની વાતને ભારપૂર્વક કહેવાની અને સામેનામાં ઠસાવવાની શિક્ષકવૃત્તિ પણ કારણભૂત છે. ઉપરાંત, કેટલીક સાવ ભૂમિકારૂપ બાબતોની માંડણ કરી લાંબું વિવરણ આપવાની ટેવને કારણે એમની ચર્ચાઓ ઘણુ વાર પ્રાથમિક સ્તરની પણ રહી જવા પામી છે. આથી એમની કેટલીક સુદીર્ઘ અભ્યાસલેખે વાસ્તવમાં પ્રસ્તારી લખાણ જેવા બની રહ્યા છે. સામ્પ્રત
Page #470
--------------------------------------------------------------------------
________________
વિશ્વનાથ ભટ્ટ
[ ૪૬૧
પ્ર. ૧૧]
સાહિત્યિક પ્રશ્નોની પણ એમણે ઝીણુવટભરી અને ખૂબ નિભીક ચર્ચા કરી છે. મુનશી અને ખબરદારનાં સાહિત્યિક અપહરણાની અભ્યાસપૂર્ણ તેમજ કટાક્ષાત્મક શૈલીમાં કરાયેલી એમની ચર્ચા એના નોંધપાત્ર વ્યહરણરૂપ છે.
ગ્રંથસમીક્ષા : કૃતિના સૌંદર્યને લક્ષતા આસ્વાદન અને એના સત્યદશી સમતાલ પરીક્ષણુના આગ્રડથી થયેલી ગ્રંથસમીક્ષાએ એમના વિવેચનમાં વધુ નેધપાત્ર છે. કૃતિને અટ્ઠતા સ્પર્શ કરતું પરિચયાત્મક અવલાયન કે કૃતિના સૌથી વધુ સ્પર્શી ગયેલા અ`ાને જ અજવાળી આપતી સમીક્ષા નહિ પણ કૃતિના પ્રત્યેક ઘટકને ચતી સર્વાશ્લેષી દી સમીક્ષા આપવા તરફ જ એમની નજર રહેલી. આપણા પ્રભાવવાદી વિવેચક્રેામાં વિશ્વનાથ આ કારણે સહેજ જુદા તરી આવે છે. સરસ્વતીચંદ્ર' પરનું વ્યાખ્યાન (‘પંડિતયુગનુ મહાકાવ્ય’) એમની રસિકતા અને વિદ્વત્તાનું પ્રમાણ આપતી સમીક્ષા છે. તા 'શૈવલિની' અને ‘રાસતરંગિણી'ની સમીક્ષાએ માં ખેાટાદકરની સ`કતાની એમણે પૂરી સહૃદયતાથી પણ એના ગુણદોષોને સ્પષ્ટપણે ચીંધી બતાવીને વિગતે ચર્ચા કરી છે. મુનશીની આત્મકથાને એક ‘સનાત્મક આત્મકથા’ તરીકે મૂલવવામાં એમની રસદશી` ષ્ટિના અને ‘કરણઘેલા’ની, ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિએ કરેલી સમીક્ષામાં એમની આલાચનાત્મક દૃષ્ટિના પરિચય મળે છે.
સર્વાંગ્રાહિતા અને વૈશદ્ય એમની કૃતિવિવેચનાનાં મુખ્ય લક્ષણા છે. પેાતાના બહેાળા વાચનનેા અને સતેજ સ્મરણુશક્તિને વિનિયે એમણે તુલના કરવામાં કે પેાતાના મતના સમન માટે કરેલા છે એથી સંદર્ભો અને અવતરણા પણ એમની સમીક્ષામાં–સામાન્યપણે તા એમના સમગ્ર વિવેચનમાં – ધણા મેટા પ્રમાણમાં હાય છે. પેાતાની વાતને વધુ સ્પષ્ટ કરવા, એને ભારપૂર્વક કહેવા માટે અનેક લીલાના સહારે પણ એ લેતા હેાય છે. આથી એમના મુદ્દા વિશદ તેા બને છે, પણુ અનિવાય ન હેાય ત્યાં પણ ચર્ચા લખાતી હેવાને કારણે ઘણું બધું વિશાર્ણ થઈ જાય છે. એમનાં પ્રતિપાદનાનું સુશ્લિષ્ટ રૂપ કયારેક પૂરું ઊધડતું નથી.
ન
સાહિત્યના સ્વાધ્યાય’(પૂર્વાર્ધ) : હડસનના ‘ઇન્ટ્રોડકશન ટુ ધ સ્ટડી ઑફ લિટરેચર'ને આધારે એમણે તૈયાર કરેલા ગ્રંથ સાહિત્યને સ્વાધ્યાય (૧૯૬૩) એમનું વિલક્ષણ પ્રકારનું વિવેચન છે. મૂળ પુસ્તકનુ શબ્દશઃ ભાષાંતર કે એને સારાનુવાદ પણ આપવાને બદલે એમાં પ્રતિપાતિ પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાન્તાનું, અત્રત્ય સાહિત્ય અને વિવેચનમાંથી દૃષ્ટાંતા આપી, ગુજરાતીમાં સ્વતંત્ર ગણાય એવી ઢખે નિરૂપણુ કરતા એક વિશિષ્ટ ગ્રંથ આપવાને એમના
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૬૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ આશય રહ્યો છે. આ કામને પણ એમણે એક મોટા અને મહત્ત્વાકાંક્ષી project તરીકે જ સ્વીકારેલું અને ત્રીજા દાયકાના અંતભાગથી આરંભી પૂરી એક પચીશી એની પાછળ એમણે આપેલી. ગ્રંથ (એને પૂર્વાર્ધ) પ્રકાશિત તો થયે એ પછી પંદરેક વરસે.
આ પ્રયાસમાં એમને સાહિત્યનિષ્ઠ પરિશ્રમ અને એમની વ્યાપક અભ્યાસદષ્ટિ જણાઈ આવે છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીમાંથી એમણે ટાંકેલાં ઉદાહરણોથી એમની કેટલીક ચર્ચાઓ અવશ્યપણે સમૃદ્ધ અને સાધાર બની છે. પરંતુ, સાહિત્યવિચારણનું દહન આપતા, કંઈક અંશે પ્રવેશ માટેની પ્રાથમિક ભૂમિકારૂપે લખાયેલા હડસનને આ પુસ્તકમાં જે કેટલીક બેંધપાત્ર વિચારણા છે એને વિશ્વનાથ બરાબર ઝીલી શક્યા નથી એટલે મૂળ પુસ્તકની તુલનાએ એમનું આ કામ કંઈક ફિસું પણ લાગે છે. વળી, વિશ્વનાથે જે પદ્ધતિ અખત્યાર કરી એમાં પણ, એક સ્વતંત્ર અને સળંગસૂત્ર વિચારણું સાથે બીજી જ સાહિત્યપરંપરાની વિચારણુઓને સાંકળવાથી આવતી મર્યાદાઓ પણ પ્રવેશી. શીલ અને શિલી, કલા ખાતર કલા, સાહિત્યઋણ આદિની હડસનની વિચારણાની અને કવિતાના પ્રકારની ચર્ચામાં દેખાઈ આવતી મર્યાદાઓને તથા વિશ્વનાથની વિચારણાનાં ચિંત્ય સ્થાનોને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે ખૂબ સ્પષ્ટતાથી ચીંધી આપ્યાં છે.૨૨ અલબત્ત એક વિદ્યાથી ભગ્ય પુસ્તક તરીકે આ ગ્રંથનું મૂલ્ય જરૂર છે.
ચરિત્ર
“વીર નર્મદ : સ્વીકારેલા જીવનધ્યેય માટે અને નિભી કસત્યકથન માટે સંઘર્ષને પણ નેતરવાન અને સતત ઝઝૂમતા રહેવાને વિશ્વનાથને સ્વ-ભાવ, પિતાનામાં પડેલી સર્જકતાના આવિષ્કારની એમની પ્રચ્છન્ન ઝંખના અને નર્મદના જીવન અને સાહિત્ય પ્રત્યેને એમને આદર –એ બધાને “વીર નર્મદ (૧૯૩૩)ના લેખનમાં ફાળો હોય એમ લાગે છે. એક ચરિત્રગ્રંથ તરીકે એનું આયોજન જ ઘણું પ્રભાવક અને પ્રસન્નકર છે. પ્રત્યેક પ્રકરણે નર્મદની વ્યક્તિત્વ-રેખાઓ ઊપસતી જાય છે ને એની પશ્ચાદ્ભૂમાં એના જમાનાનું બહુરંગી ફલક પણ સ્પષ્ટ થતું જાય છે, અને એમ, એક જીવનવીર દ્ધા તરીકેનાં, એક ઉત્સાહપૂર્ણ અને આત્મરાગી પણ સાહિત્યનિષ્ઠ સર્જક તરીકેનાં, એક વિલક્ષણ વિચારક અને સુધારક તરીકેનાં નર્મદનાં પરિમાણ ઊઘડતાં જાય છે. પ્રત્યેક પ્રકરણને નાટયામક આરંભ, પ્રસંગ-પાત્રને પ્રત્યક્ષ કરી આપતી ચિત્રાત્મક વર્ણનરીતિ, ગતિપૂર્ણ અને પ્રવાહી અભિવ્યક્તિ જેવાં શૈલીલક્ષણોથી ચરિત્રાલેખન રસાવહ અને વાર્તાત્મક બન્યું છે એ એની મોટી વિશેષતા છે. નર્મદના જીવનની બાહ્ય ગતિવિધિને
Page #472
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧ ]. વિશ્વનાથ ભટ્ટ
L[ ૪૬૩ નિરૂપવાની સાથે લેખકે એના આંતરવિશ્વની મથામણને પણ ખૂબ ક્ષમતાપૂર્વક નિરૂપી આપી છે. નર્મદના વ્યક્તિત્વની ભૂલ-સૂમ ભૂમિકાઓને સમક્ષિત પરિચય કરાવી એના સંદર્ભમાં એના સાહિત્યનું મૂલ્યાંકન પણ એમણે કર્યું છે, પરંતુ મહદશે તે નર્મદના જીવનની મહત્તા -એનું પ્રભાવશાળી વીરત્વ–જ એમાંથી ઊપસે છે, લેખકને આશય પણ એ જ રહ્યો છે.
વિશ્વનાથનાં રસિકતા અને કલ્પનાશક્તિ, એમનાં ઝીણાં નિરીક્ષણે તથા પ્રસંગ-પરિસ્થિતિની અને સાહિત્યની સમુચિત સમીક્ષા કરવાની દૃષ્ટિ “વીર નર્મદને બેંધપાત્ર કૃતિ બતાવે છે. ગુજરાતીના ચરિત્રસાહિત્યમાં તે એનું સ્થાન મહત્વનું લેખાશે જ, પણ વિશ્વનાથની સમગ્ર સાહિત્ય-પ્રવૃત્તિમાંય આ પુસ્તક એમનું મૂલ્યવાન અર્પણ ગણાય એમ છે.
સંપાદન અને અનુવાદ સંપાદન : કારકિદીના આરંભે જ એમણે ગુજરાતી સાહિત્યમાંથી ઉત્તમ ગદ્યના નમૂનાઓનું સંપાદન “ગદ્યનવનીત' (૧૯ર ૬) આપેલું. એ પછી નર્મદની કવિતામાંથી અને “નર્મગદ્ય' સિવાયના ડાંડિયો', “કવિચરિત્ર', આત્મકથા, પ આદિ ગદ્યમાંથી બે ઉત્તમ સંચયે “નર્મદનું મંદિરઃ પદ્યવિભાગ' (૧૯૩૫) અને ‘નર્મદનું મંદિરઃ ગદ્ય-વિભાગ” (૧૯૩૮) આપ્યા. “નર્મદના પઘમંદિરની પ્રસ્તાવના રૂપે એમણે નર્મદની કવિતાની નોંધપાત્ર સમીક્ષા પણ આપી. ગુજરાતી નિબંધ સાહિત્યની ઉત્તમ કૃતિઓનું, નિબંધકારોની લાક્ષણિક્તાઓનું વિગતપૂર્ણ અવલેકને કરતા અભ્યાસપૂર્ણ ઉદ્દઘાત સાથેનું સંપાદન “નિબંધમાળા' (૧૯૪૦) વિશ્વનાથનું વિશેષ મૂલ્યવાન સંપાદન છે. ગુજરાત વિદ્યાસભાના નિમંત્રણથી એમણે તૈયાર કરેલ “પારિભાષિક શબ્દકોશ' (૧૯૩૦) પણ એમની સંનિષ્ઠ સાહિત્યસાધનાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. અંગ્રેજી પારિભાષિક સંજ્ઞાઓના વિવિધ ગુજરાતી પર્યાના સમર્થન માટે એમણે અનેક વિવેચનગ્રંથમાંથી સંબંધિત પર્યાયનો વિનિયોગ દર્શાવતાં અવતરણે નેધ્યાં છે એમાં કેશને પ્રમાણભૂત અને સાધાર બનાવવાની સૂઝ અને સામગ્રીસંપાદનની જહેમતમાં એમની નિષ્ઠા વરતાય છે. ૧૯૬૮માં આ ગ્રંથ રઘુવીર ચૌધરીને હાથે સંશોધિત રૂપ પામે છે. આપણે ત્યાં પરિભાષાના કેશની છે. આ પુસ્તકે ઠીકઠીક પ્રમાણમાં પૂરી છે.
અનુવાદઃ ટેસ્ટૉય એમને પ્રિય સર્જક. એમની વાર્તાઓ અને નવલકથા એના વિશ્વનાથે કરેલા અનુવાદો – “આવું કેમ સૂઝયું?' (૧૯૨૮), “કથાવલિ' ૧-૨ (૧૯૩૨, ૧૯૩૫), “નવો અવતાર” ૧થી ૩ (૧૯૩૨–૩૪), “લગ્નસુખ' (૧૯૩૬) ઇત્યાદિ ખૂબ સુઘડ અને સ્વચ્છ છે. કૃતિઓના અનુવાદ આપીને અટકી જવાને
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૬૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ બદલે એમણે પ્રત્યેકની સૌંદર્યદર્શી અને અભ્યાસ પૂર્ણ સમીક્ષાઓ આપી છે અને એમ ટૉલ્સ્ટૉયના સાહિત્ય પ્રત્યે રુચિ જગાડવાને સહૃદય વિવેચકને ધર્મ પણ બજાવ્યું છે. “તિમિરમાં તેજ” (“પૂજા અને પરીક્ષા') નામના એક લેખમાં એમણે ટોસ્ટયની જીવનદષ્ટિ અને સાહિત્યદષ્ટિનો પણ સરસ પરિચય કરાવ્યું છે.
વિશ્વનાથની આવી વિવિધ સાહિત્યપ્રવૃત્તિના કેન્દ્રમાં તે એમનું વિવેચનકાર્ય જ રહેલું છે. સાહિત્યની “એકલક્ષી ચિરારાધનાને આદર્શ નજર સામે રાખીને એમણે સાહિત્યનું અવિરત નિદિધ્યાસ ન જ કર્યું છે અને સત્યપૂત સમતોલ વિવેચન આપ્યું છે એનું મૂલ્ય, એમના વિવેચનની કેટલીક મર્યાદાઓ છતાં, એાછું ઊતરતું નથી. વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી (૧૮૮૯)
પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનના ઊંડા પરિશીલનથી રસાયેલી ભાવનાવાદી સૌંદર્ય દષ્ટિનો તત્વવિચારમાં, વિશેષે તો સમકાલીન કૃતિઓની પ્રભાવવાદી સમીક્ષાઓમાં, ઉત્તમ વિનિયોગ કરનાર તેમ જ સંસ્કૃત સાહિત્યમીમાંસાના કેટલાક ઘટકનું નવેસર મૂલ્યાંકન કરનાર “અભિજાતરુચિ અને વ્યુત્પત્તિમતિવાળા અભ્યાસી૨૩ વિવેચક તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની આપણું વિવેચનસાહિત્યમાં એક વિશિષ્ટ મુદ્રા ઊપસે છે.
એમને જન્મ ૧૮૯૯ની ૪થી જુલાઈએ ઉમરેઠમાં. પિતાની સરકારી નોકરી એથી શિક્ષણ વિવિધ સ્થળે થયું. નડિયાદમાંથી મેટ્રિક થઈ ૧૯૧૬માં અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા. ત્યાં આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિને પિષી. એમના વિવેચનકાર્ય પર તેમ એમની જીવનદૃષ્ટિ પર પણ આનંદશંકરના ઊંડા સંસ્કાર પડયા. ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી ગુજરાત કોલેજમાં ફેલો અને કેટલોક સમય અધ્યાપક રહ્યા. ૧૯૨૧થી નિવૃત્તિપર્યત સુરતની કોલેજમાં અધ્યાપન કર્યું. તેજસ્વી વિવેચક અને વિદ્યાર્થીવત્સલ અધ્યાપક તરીકે એકધારી રીતે સાહિત્ય અને શિક્ષણની ઉપાસના તે કરતા રહ્યા છે.
લેખનકારકિદીના આરંભે, સ્વાધ્યાયના ફલરૂપે થતા રહેલા વિવેચનકાર્યની સાથેસાથે એમણે કવિતા, વાર્તા. સર્જનાત્મક નિબંધ જેવી કેટલીક રચનાઓ પણ કરેલી. પરંતુ, “ભાવનાસૃષ્ટિ' (૧૯૨૪)માં એમણે ગ્રંથસ્થ કરેલાં આવાં ભાવનારંગી અને વાગ્મિતાયુક્ત નિબંધ લખાણોનું, નાનાલાલની પાંખડીઓ પ્રકારની રચનાશૈલીના અનુસરણ સિવાય, કોઈ વિશેષ સર્જનાત્મક રૂપ બંધાતું
Page #474
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧]
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
[૪૬૫
નથી. એમના વિવેચનેમાં એક સદા વિસ્મિત અને સ્પદનશીલ કવિજીવને સ્પર્શ સતત વરતાયા કરે છે એને તંતુ આવાં પ્રારંભિક સર્જનાત્મક લખાણમાં કંઈક અંશે જોઈ શકાય.
વિવેચન પ્રથમ વિવેચનસંગ્રહ “વિવેચના'(૧૯૩૯)થી જ એમની તાજગીપૂર્ણ, સૌંદર્યદશી કૃતિસમીક્ષાઓ તથા સર્જકે પરના એમના માર્મિક અભ્યાસો ધ્યાનપાત્ર બનેલાં. એ પછી “પરિશીલન' (૧૯૪૯), “ઉપાયન' (૧૯૬૧) અને “સાહિત્યસંસ્પર્શ (૧૯૭૯)ના વિવેચનલેખેમાં એમનાં પ્રૌઢ સૌંદર્યદષ્ટિ, પરિષ્કત રુચિ, તેજસ્વી અને મૌલિક વિચારણા અને ઊંડા તત્ત્વવિચારની પ્રતીતિ કરાવતી વિવેચન-સાધનાને અલાદક પરિચય મળી રહે છે. ૧૯૪૬માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનેના ગ્રંથ “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'(૧૯૫૦)માં સુધારક અને પંડિતયુગની અનેક દેશીય વિચારણાનું સર્વેક્ષણમૂલ્યાંકન છે અને ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં વ્યાખ્યાને “ગવર્ધનરામ – ચિંતકને સર્જક(૧૯૬૩)માં ગોવર્ધનરામના શક્તિવિશેષોની મર્મદર્શ વિચારણું છે. આ બંનેમાં એમની સહૃદયવૃત્તિ તથા પર્યેષક દૃષ્ટિનાં દર્શન થાય છે.
તત્વવિચારઃ વિષ્ણુપ્રસાદની તત્વવિચારણા કવિતાકળાની વિશેષતાને, સર્જકના આંતરિક ભાવવિશ્વના રહસ્યદર્શનને તથા કાવ્યના ભાવન-આસ્વાદનની પ્રક્રિયાને કેન્દ્રમાં રાખીને ચાલી છે. એના સંદર્ભે જ વિવેચનને સ્વરૂપ અને કાર્ય પ્રદેશ અંગે, વિવેચકના કર્તવ્ય વિશે, કાવ્યમૂલ્ય અને અનુભાવના વિશે તેમજ સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવો વિશે એમના પ્રતિભાવાત્મક, ક્યારેક ઊહાપોહ જન્માવનારા વિચારો વ્યક્ત થતા રહ્યા છે. ઉત્તમ કૃતિઓના પરિશીલનથી રૂચિ ઘડાયેલી હોય એવી આંતરિક સજજતા જ વિવેચક માટે પર્યાપ્ત છે, પછી તે વિવેચકનું અખંડ વ્યક્તિત્વ વિવેચન-વિષયથી સહજ ફુરી આનંદપર્યવસાયી, સત્યપ્રતિપાદક ને સૌષ્ઠવયુક્ત વિવેચનમાં પ્રગટ થતું રહે – એવો વિવેચન વિશેને એમને ખ્યાલ રહ્યો છે. વિવેચન પાંડિત્યભારથી લદાયેલું નહિ પણ કલાકૃતિના સાક્ષાત અનુભવને આનંદથી ધબકતું હોય એ એમને ઈષ્ટ છે. આ આખોય દૃષ્ટિકોણ કૌતુકરાગી વિવેચનને છે. એથી, વિશ્વનાથ ભટ્ટની જેમ કે આક્રમક અભિનિવેશથી વિવેચનને સર્જનથી પણ ચડિયાતું ગણાવવાની હદે એ ગયા નથી, તેમ છતાં વિવેચનને એક સર્જનાત્મક આવિષ્કાર લેખવા તરફ એમને પક્ષપાત રહ્યો જ છે. ૨૪ ગુ. સા. ૩૦
Page #475
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ વિવેચનનું મૂલ્ય અને વિવેચકના કર્તવ્યની એમની ચર્ચાઓ કાવ્યનાં સૌંદર્ય અને મૂલ્યવત્તાની તથા સર્જનના ભાવન-આસ્વાદનની ચર્ચાઓને પણ હંમેશાં સાંકળતી રહી છે. એમાંથી કાવ્ય અને વિવેચન અંગેના એમના કેટલાક લાક્ષણિક વિભાવો સ્પષ્ટ થતા રહ્યા છે. “ઉપાયન૨૫માંના “વિવેચકને કાર્યપ્રદેશ”, વિવેચનની પ્રતિષ્ઠા', “અનુભાવના' જેવા લેખોમાં તથા “સાહિત્યસંસ્પર્શ'માંનાં કવિતા અને વિવેચન વિશેનાં કેટલાંક સંક્ષિપ્ત લખાણોમાં એમની આવી વિચારણું જોવા મળે છે.
ભાવકની – અને એ રીતે આખીય પ્રજાની – રસવૃત્તિના ઘડતરમાં અને સાંસ્કૃતિક મૂલ્યબોધમાં એમણે વિવેચકનું કર્તવ્ય જેવું છે. આથી કૃતિની આસ્વાદમૂલક તેમજ અતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ આલોચના કરવા ઉપરાંત એ કૃતિમાંના જીવનરહસ્યને, કર્તાના જીવનદર્શનને ચીંધી આપવાનું પણ એમણે વિવેચકને માટે આવશ્યક લેખ્યું છે. – આ જ કારણે વિવેચકને એ જીવનફિલસૂફ અને કલાફિલસૂફ' પણ કહે છે. આના સંદર્ભમાં, કાવ્યકૃતિમાં સર્જકના અનુભવની વિશિષ્ટતાની તેમજ ઉત્તમ કવિતામાં આવશ્યક દર્શનતત્વની એમણે તરફદારી કરેલી છે– પહેલાં અનુભાવનાના અનુષંગે અને પછી “સાધારણીકરણ અને “દ્વિજોત્તમ કવિતાજાતિ લેખ દ્વારા કરેલા ઊહાપોહમાં.
રીતિની વિશિષ્ટતાથી કાવ્યનો વિશેષ પ્રતીત થાય છે એવા મતનો અસ્વીકાર કરી એમણે સર્જકના અનુભવ પર ભાર મૂક્યો. એમની દષ્ટિએ, દરેક શુદ્ધ અનુભવ મૂલતઃ વિશિષ્ટ જ હોય છે, સામાન્ય કે સાધારણ એ તો બુદ્ધિએ તારવેલે પદાર્થ છે. એટલે, કવિની અંગતતમ અને મૌલિક લાગણી પણ આસ્વાદને વિષય બની શકતી હાઈ “વિશિષ્ટને અનુભવ જ મૂલ્યવાન છે૨૬ એમ એ કહે છે. કાવ્યને પ્રાણ આમ કવિના અનુભવવિશેષમાં જોતા વિષ્ણુપ્રસાદ કલાકૃતિની સંધટના કે સંવિધાનમાં પ્રગટતા કવિકર્મને પણ અત્યંત ગૌણ લેખવાની હદે જાય છે – સંવેદનની આંતરસમૃદ્ધિને જ એ પ્રધાન ગણે છે. આ જ વિચારણા તંતુ ઉત્તમ કવિતામાં દર્શનતત્ત્વની ચર્ચા સુધી લંબાયેલું છે. ઠાકોરે વિચારપ્રધાન કવિતાને “દ્વિજોત્તમ ગણાવેલી. વિષ્ણુપ્રસાદ એની સામે ચિંતનપ્રધાન શબ્દની હિમાયત કરે છે, કારણ કે વિચાર કવિતામાં બહારથી પ્રવેશેલ નહિ પણ સંવેદનના ક્ષેત્રમાં ઊગી આવતા હોય છે એથી એની કોટિ ચિંતનની છે. આવી ચિંતનપ્રધાન કવિતા ઉત્તમ. પણ “કવિતાજાતિમાં દ્વિજોત્તમ ગણાવા લાયક' કૃતિ માટે તે, એક ડગલું આગળ જઈ, સત્યની ઝાંખી કરાવતા દર્શનતત્વને એમણે આવશ્યક ગયું છે. આમ છતાં, કાવ્યના પ્રથમ સાક્ષાત્ અનુભવ તરીકે તે
Page #476
--------------------------------------------------------------------------
________________
૧૧ ]. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
[૪૬૭ આનંદાનુભવને જ એ સ્વીકારે છે–એ પછીની ક્ષણે જ ઉત્તમ કૃતિ દર્શનપર્યવસાયી પણ બને. આવી આનુપૂવી સ્વીકારવા પાછળ એમની સૌંદર્યદર્શી દૃષ્ટિ અને રમણીયતા માટે એમને આગ્રહ પડેલાં છે.
“રમણીયતા' સંજ્ઞા વિષ્ણુપ્રસાદના વિવેચનમાં વારંવાર આવતી, એમની પ્રિય સંજ્ઞા છે. કલાકૃતિના સૌંદર્યાનુભવને તે એ રમણીયતા કહે જ છે પણ એ ઉપરાંત એના મૂલ્યોધને પણ એ એમાં સમાવિષ્ટ કરે છે. ને કલાકૃતિની આ રમણીયતાને સમજવાનું દૃષ્ટિબિંદુ નિર્ધારી આપવામાં વિવેચકનું એક મહત્વનું કર્તવ્ય એ જુએ છે. મેથ્ય આર્નલ્ડ, કેચે, કેલિંગવુડ જેવાની વિચારણાને એમના પર ઠીકઠીક પ્રભાવ હોવાથી સર્જકની અનુભૂતિવિશેષમાં અને એની દર્શનશક્તિમાં એમણે રમણીયતા જોઈ છે, કૃતિની રૂપરચનાગત રમણીયતા એમને ઝાઝી ઉદ્દિષ્ટ ને રહી હોય એમ સમજાય છે. આ જ કારણે, આ સંજ્ઞાના ઉપગમાં કેટલાકે અસ્પષ્ટતા અને અસંગતિ પણ જોયાં છે.
સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવની એમની ચર્ચા પણ ઘણી નેંધપાત્ર છે. શરૂઆતમાં તો એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કાલગ્રસ્ત ગણીને – એને પુરાણું કબૂતરખાનું કહીને એ તરફ ઉદાસીનતા જ દાખવેલી. પછી એને ચર્ચવા પ્રવૃત્ત થયા ત્યારે પણ એમનું દૃષ્ટિબિંદુ એક ચિકિત્સકનું જ રહ્યું છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાંની રસસિદ્ધાન્ત અને સાધારણકરણની આખીય ચર્ચા આજના સાહિત્યને સંદર્ભે એમને અપર્યાપ્ત અને અસંતોષકારક જણાઈ છે. એમને લાગે છે કે, “આધુનિક સંવિલક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે કારણ કે “એ ધરણે તે આપણે કેટલાંક ઉત્તમ કાવ્યમાં પણ કાઈ ખાસ રસ જડશે નહિ૨૭ સાધારણીકરણ કે સર્વગ્રહણક્ષમતાના ખ્યાલમાં એમને સર્જકના વિશિષ્ટ વૈયક્તિક અનુભવની સૂક્ષમતા, વિશાળતા અને લકાત્તરતાનું મૂલ્ય બરાબર ન થતું હોય એમ લાગે છે. સંસ્કૃત સાહિત્યમીમાંસાના આવા કેટલાક સંકેતેની ફેરવિચારણા કરી એની મર્યાદાઓ ચીંધી આપવામાં અને પિતાની મૌલિક વિચારણને એ સંદર્ભે વિનિયોગ કરવામાં સુરેશ જોષી કહે છે એમ, “શાસ્ત્રનિષ્ટ બનવા કરતાં સત્યનિષ્ઠ બનવાનું એમણે પસંદ કર્યું છે. ૨૮
પ્રવાહદશન આદિઃ “અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ”ની એમની તપાસમાં, કલકત્તા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચન("સાહિત્યસંસ્પર્શમાં ગ્રંથસ્થ)માં ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહનું વિહંગાવલેકન કરવામાં તથા “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં – એમ વિભિન્ન નિમિત્તે એમણે સાહિત્યનું પ્રવાહદર્શન કર્યું છે. હેમચંદ્રથી આરંભી એમના સમય સુધીના સમગ્ર
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૬૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર ૪
વાડ્મયની ગિતિવિધની એમણે જે રૂપરેખા આંકી આપી છે એને એમના લાક્ષણિક દષ્ટિકાણુનુ એક વિશેષ પરિમાણુ પણ સાંપડેલું છે. અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં નર્મદ અને દુર્ગારામનું ધ`ચિંતન, પ્રાર્થનાસમાજના ધર્મ શેાધક વિચારપ્રવાહ, રમણભાઈની નીતિકેન્દ્રી ધર્મ અને સમાજવિચારણા, કાન્તનું સ્વીડનખાગીય તત્ત્વચિંતન, મનઃસુખરામ આદિની વેદાન્તી વિચારધારા તથા આનંદશંકરની સમાજમીમાંસા અને તત્ત્વવિચાર ઉપરાંત નવલરામનું વિવેચન અને નર્મદના સાહિત્યવિચાર – એવી અનેકવિધ વિચારણાના એમણે આપેલા આલેખ ખૂબ મૂલ્યવાન છે. આ વિચારકાનાં લખાણામાંથી પુષ્કળ ઉદાહરણા આપી એ અંગે પેાતાના પ્રતિભાવા આપવાની પદ્ધતિએ એમણે આ આખીય સમૃદ્ધ વિચારણાના પરિચય કરાવ્યા છે. જોકે, ‘વિવેચના'માં ગેાવનરામની શૈલી' પરના મે લેખામાં એમણે પૃથક્કરણાત્મક રીતે શૈલીનાં લક્ષણા સ્ફુટ કરી આપ્યાં છે એ પદ્ધતિ અહીં સ્વીકારી હેાત તા ગદ્યવિકાસના પણ એક બહુમૂલ્ય આલેખ અહી મળત એવી અપેક્ષા રહે છે. પરંતુ, આપણે ત્યાં ગદ્યવિચારણા ઝાઝી થઈ નથી એવી સ્થિતિમાં એમનેા આ પ્રયાસ, સ્વયં એક માતબર વિવેચન હેાવા ઉપરાંત, ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું! અગત્યના ઠરે છે. એમણે ખેાલી આપેલી આ દિશામાં પછી આગળ જવા આપણું વિવેચન ઝાઝું પ્રવૃત્ત થયુ' નથી.
ગેાવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર' વિશે એમનું ચિંતન વિવેચનકારકિર્દીના આરંભથી સતત ચાલતું રહ્યું છે. ‘ગેાવનરામ-ચિંતક ને સર્જક'માં ગાવર્ધનરામની દાનિક વિચારણા અને સાક્ષરભાવનાને તપાસવાની સાથે એમના જીવનતત્ત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સ્નેહમુદ્રા' અને ‘સરસ્વતીચંદ્ર'માંના સર્જકત્વનું અને ગેાવનરામની ગદ્યશૈલીનુ` મૂલ્યાંકન એમણે કર્યું છે. ગાવનરામ વિશેનાં વિવેચનામાં વિષ્ણુપ્રસાદની તત્ત્વદર્શી તેમ સૌંદ ગ્રાહી વિવેચકશક્તિને ખુબ જ આદ્લાદક પરિચય મળે છે.
શે
પ્રત્યક્ષ વિવેચન : વિષ્ણુપ્રસાદની વિવેચનાના ઠીકઠીક મેટા ભાગ ગ્રંથસમીક્ષાઓ રાકે છે. એમની વિવેચનશક્તિના કેટલાક સૌથી વધુ લાક્ષણિક પણ આ પ્રત્યક્ષ વિવેચનમાં પ્રગટેલા છે. એમણે લગભગ એકધારી રીતે કૃતિસમીક્ષાનું કામ કર્યું... છે. પૂર્વ અને પશ્ચિમની અનેક ઉત્તમ પ્રશિષ્ટ કૃતિમાં અવગાહન કરીને કેળવાયેલાં એમનાં રુચિ-દૃષ્ટિના વિનિયેાગે ગુજરાતી કૃતિની એમની સમીક્ષાને ખૂબ માર્મિક બનાવી છે; આથી કેટલીક ઉત્તમ સમીક્ષાએમાં તુલનાત્મક ષ્ટિનું પિરમાણુ પણ ઉમેરાયું છે. એમનુ` ચિત્તતંત્ર સૂક્ષ્મસ`વેદી અને સહૃદય છે. એટલે સાહિત્યકૃતિની આંતરિક મૂલ્યવત્તાને એ પૂરી અભ્યાસશીલતા
Page #478
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧]
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
[ ૪૬૯
અને રસજ્ઞતાથી ગ્રહણ કરે છે. એમનાં કેટલાંક નિરીક્ષણા આથી ખૂબ જ વેધક, મર્માળાં અને કૃતિના રહસ્યપ્રદેશને ઉદ્ઘાટિત કરી આપનારાં બન્યાં છે.
વિવેચનમાં વિવેચકની વ્યક્તિમત્તાની મુદ્રા અંકાવી જોઈએ એવા વિષ્ણુપ્રસાદના ખ્યાલ રહ્યો છે. કૃતિના આસ્વાદથી સહજ સ્ફુરણ રૂપે પ્રગટેલા વિવેચનની એમણે તરફદારી કરેલી છે, બલકે એમાં જ વિવેચકની ધન્યતા અને વિવેચનની ‘ગરવી પ્રતિષ્ઠા' એમણે જોયાં છે. એમની ગ્રંથસમીક્ષાઓમાં આથી સંસ્કારગ્રાહી અંશે વિશેષ છે. એને કારણે કૃતિના સર્વાશ્લેષી મૂલ્યાંકનને તાકવાને બદલે કૃતિના પેાતાને અત્યંત ગમી ગયેલા તત્ત્વ વિશે રસલક્ષી દૃષ્ટિએ પ્રતિભાવ આપવા એ હંમેશાં ઉદ્યુક્ત થયેલા જણાય છે. તાજગીપૂર્ણ અને મદ્યોતક નિરીક્ષણા આપતા એમના સમીક્ષાલેખા આથી સુશ્લિષ્ટ કે સુગ્રથિત હાતા નથી, કયારેક એ અપર્યાપ્ત પણ લાગે છે. ઘણી સમીક્ષાએ એમણે કૃતિના પુરાવચન રૂપે લખી હેાવાથી એ કેવળ પરિચયલક્ષી અને અછડતી પણ બની ગયેલી છે.
ઉદાર રુચિ અને સમભાવશીલ પ્રકૃતિએ એમને ઘણી વાર સામાન્ય કાટિની કૃતિ વિશે લખવા પણ પ્રેર્યાં છે. પ્રશિષ્ટ કૃતિઓનું એમનું પરિશીલન પણ અહીં ઝાઝુ લેખે લાગી શકતું નથી. એમના આવા પ્રયાસેા, ભાવનાતત્ત્વના આકર્ષણુનુ તથા વિવેચકની સામાજિક જવાબદારીના ખ્યાલનુ જ પરિણામ લેખાશે. અલબત્ત, લલિતેતર ગ્રંથાની એમની સમીક્ષાએ પયેષણાત્મક અને સૂક્ષ્મ પૃથક્કરણુ આપનારી બની છે. નરસિહરાવના વિવેચન અને ભાષાશાસ્ત્ર અંગેની એમની તપાસ આના ઉજવલ દૃષ્ટાંતરૂપ છે.
અને
વિષ્ણુપ્રસાદનું સમગ્ર વિવેચનકૌતુકરાગી વિવેચનાની વિશેષતા સીમાએ વાળુ છે. સંશ્લિષ્ટતાના અભાવ, વાગ્મિતામાં કયારેક ખાવાઈ જતું સાચું મૂલ્યાંકન, કૃતિનું ખંડદર્શન, તત્ત્વચર્ચામાં પણ કયાંક પ્રગટી જતા ને એમની વિચારણાને એકપક્ષી બનાવી જતા અઅિભિનવેશ જેવી મર્યાદાઓ એમાં છે તા અભિજાત રુચિની સ્નિગ્ધતા, ઊંડી સૂઝ અને માર્મિકતા, રસિક સૌંદર્યદૃષ્ટિ અને નિરૂપણુની તાજી ચમક એના વિશેષા છે.
આ વિશેષાએ એમની ગદ્યશૈલીનું પણ એક વિશિષ્ટ પરિમાણુ ઉપસાવ્યું છે. વિષ્ણુપ્રસાદમાંના પ્રચ્છન્ન કવિ અને રસન્ન ભાવક કૃતિના પ્રતિભાવાની અભિવ્યક્તિમાં એકસાથે પ્રવૃત્ત થયેલા જણાશે. એમનાં વાકયોના અન્વયેાના વિશિષ્ટ મરાડામાં, એના લાક્ષણિક કાકુમાં, એમના અભિનિવેશામાં પ્રગટ થતા ભાવકામાં, ‘અનુભાવના’ને અ ંતે પ્રગટ થઈ છે એવી એમની કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં – બધે જ રમણીયતાના આ ઉપાસકની ગદ્યશૈલીની વિવિધ રસિક
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૭૦ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
છટાઓ પ્રતીત થાય છે. તે એમની ચિંતનાત્મક અને પર્યેષક પ્રકૃતિને કારણે એ શૈલીની એક ગૌરવપૂર્ણ મુદ્રા પણ પ્રગટે છે. મૂલ્યાંકનને ક્યારેક હલાવી દેતે છતાં, સમગ્રભાવે તે એમની વિવેચનાને એ એક સ્પૃહણીય અંશ છે. ડોલરરાય રંગીલદાસ માંકડ (૧૯૦૨–૧૯૭૦)
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિદ્વાન, તવા-વેષી વિવેચક, પ્રાચ્ય વિદ્યાના અભ્યાસી સંશોધક, ચિંતક કવિ, સ્વપ્નશીલ અને દૃષ્ટિમંત કેળવણીકાર તથા કુશળ સંચાલક તરીકે ડોલરરાય બહુવિધ પ્રતિભા ધરાવે છે.
૧૯૦૨ની ૨૩મી જાન્યુઆરીએ કરછમાં વાગડ તાલુકાના જંગીમાં એમને જન્મ. પ્રાથમિક શિક્ષણ વતન જેડિયા(જિ. જામનગર)માં મેળવી, રાજકેટમાંથી ૧૯૨૦માં મૅટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણનાં પહેલાં બે વર્ષ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં કર્યા. પછી, વ્યવસાયાર્થે કરાંચીમાં વસતા મામાને ત્યાં રહી અભ્યાસ આગળ ચલાવ્યો. કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃતગુજરાતી સાથે, ૧૯૨૪માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી એ કોલેજમાં ફેલે નિમાયા. ૧૯૨૭માં એમ.એ. થયા પછી એ જ કોલેજમાં ૧૯૪૭ સુધી સંસ્કૃતના પ્રાધ્યાપક રહ્યા. અહીં સંસ્કૃત ઉપરાંત ગુજરાતીનું અધ્યાપન પણ એમણે કરેલું. અભ્યાસકાળ દરમ્યાન થોડાક વખત કરાંચીમાં સ્કૂલના શિક્ષકની કામગીરી પણ બજાવેલી.
આરંભથી જ કેળવણી વિશે એક ઊંચો અને વ્યાપક-ઉદાર ખ્યાલ. એથી કરાંચીમાંના વસવાટ દરમ્યાન બહોળી સમાજને આવરી લેતી અનેક સાહિત્યિક-શૈક્ષણિક અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ચલાવી. ઘણી સંસ્થાઓ સાથે પણ એ સંકળાયેલા રહેલા. “નાગરિક' અને “ઊર્મિ' જેવાં સામયિકના સંપાદન દ્વારા પણ આવી વ્યાપક સાંસ્કૃતિક સેવા એમણે કરેલી છે.
વલ્લભવિદ્યાનગરમાં ગ્રામવિદ્યાપીઠ શરૂ થવાની હતી એને આકર્ષણે એમણે કરાંચી છેડી જૂન ૧૯૪૭માં ત્યાંના વિ. ૫. મહાવિદ્યાલયમાં ગુજરાતીને અધ્યાપકની કામગીરી સ્વીકારી – વચ્ચે થોડોક વખત આચાર્ય પણ રહ્યા. પરંતુ, પિતાની કલ્પના મુજબની ગ્રામવિદ્યાપીઠ અહીં ઊભી ન થતી લાગતાં ૧૯૫૩માં, પિતાના આદર્શાનુસારની વિદ્યાપીઠને આકાર આપવા, આર્થિક નુકસાનને પણ અવગણને તે અલિયાબાડા(જિ. જામનગર)માં નવા જ સ્થપાયેલા દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયમાં જોડાયા. ત્યાગ અને સેવાના પાયા પર રચાયેલી આ સંસ્થાને કમેક્રમે વિસ્તારીને એને એમણે ગંગાજળા વિદ્યાપીઠનું નવું રૂપ આપ્યું.
Page #480
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧ ]. ડેલરરાય માંકડ
[૪૭૧ પૂરે એક તપ એમણે એમાં કામ કર્યું અને ‘વાનપ્રસ્થાશ્રમ નહિ પણ ગ્રામપ્રસ્થાશ્રમના પિતાના સંકલ્પને ચરિતાર્થ કર્યો.
૧૯૬ થી ૬ દરમ્યાન અલિયાબાડાના “હરિભાઈ સંશોધન કેન્દ્રના નિયામક તરીકે અને ૧૯૬૬થી, નવી સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે રહ્યા. ૧૯૭ની ૨૯મી ઑગસ્ટે અલિયાબાડામાં એમનું અવસાન થયેલું.
વિવેચન ડોલરરાયના વિવેચનનું પ્રધાન લક્ષણ એમની તત્વદર્શિતા છે. કેઈ પણ પ્રકારના વિવેચનમાં એમની દષ્ટિ તત્ત્વગ્રહણ માટે પ્રવૃત્ત થઈ કશોક મૌલિક તારણ પર પહોંચતી હોય છે–પછી એ પ્રાચ્યવિદ્યાને કોઈ જટિલ મુદ્દો હોય કે કઈ કૃતિ વિશે વાત થતી હોય. બીજુ, પૃથક્કરણ-વગાં કરણની પદ્ધતિએ એમનું વિવેચન ચાલતું હોય છે. એમાં પેલા તત્ત્વદ્રષ્ટા ઉપરાંત એમનામાંના શિક્ષકની હાજરી પણ વરતાય છે. આ કારણે એમનાં લખાણે સુરેખ અને વિશદ બની આવ્યાં છે. ત્રીજુ, એમને સાહિત્યવિચાર વિશાળ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં થતો હોય છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિચિંતન, કેળવણીમાં એમની રૂચિ અને એમની ઊંડી ગતિ સાહિત્યવિચારણા પર પણ પ્રભાવ પાડતાં રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થામાંની એમની શ્રદ્ધાને લીધે એમના સાહિત્યવિચારમાં નીતિલક્ષી દૃષ્ટિકોણ પણ ઉમેરાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને ચાલેલા એમના સિદ્ધાન્તવિચાર, સ્વરૂપમીમાંસા અને પ્રત્યક્ષ વિવેચનમાં તેમ જ સંશોધનલક્ષી અભ્યાસમાં એમનાં આ સૌ વિવેચક-લક્ષણો હંમેશાં અનુસૂત રહ્યાં છે.
સંસ્કૃત સાહિત્યમીમાંસાઃ લેખનપ્રવૃત્તિના આરંભકાળથી જ સંસ્કૃત સાહિત્યમીમાંસા અને પ્રાચ્યવિદ્યાના ઊંડા, તલસ્પર્શી અભ્યાસથી એમની સજજતા કેળવાયેલી હતી. “પુરાતત્ત્વ” અને “કૌમુદી' જેવાં ગુજરાતી તથા ઈન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટલી", જર્નલ ઓફ ઍમ્બે એશિયાટિક સોસાયટી, જર્નલ ઑફ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયુટ' ઈ. જેવાં પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકોમાં એમના લેખ ૧૯૨૭ આસપાસથી પ્રકાશિત થવા માંડેલા. ૧૯૩૩માં “અલંકારપ્રવેશિકા (તથા એ પછી ૧૯૩૬માં “The Types of Sanskrit Drama') લખ્યા પછી છેક ૧૯૪૩માં એમનું પ્રથમ મહત્ત્વનું પુસ્તક “સંસ્કૃત નાટયસાહિત્યના વિકાસની રૂપરેખા' પ્રકાશિત થાય છે ત્યારે “ગુજરાતી, અંગ્રેજી કે બીજી કઈ ભાષામાં આ વિષયનું એક સ્વતંત્ર પુસ્તક
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૭૨ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[. ૪
હજી સુધી લખાયું નથી, તેથી આ પુસ્તક લખવામાં અને પ્રસિદ્ધ કરવામાં કાઈ જાતની ક્ષમાયાચનાની જરૂર નથી' એવી પ્રસ્તાવના-નેાંધમાં પેલી પૂ"સજ્જતાથી સ્થિર થયેલા આત્મવિશ્વાસ છતા થાય છે. શુદ્ધ અતિહાસિક દષ્ટિ'ને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકમાં એમણે ભરતાદિ ગ્રંથકર્તાએ, એમના મહત્ત્વના ગ્રંથા તથા રૂપકપ્રકારો, ઉપરૂપકેા, વસ્તુ, રસ, અભિનય આદિ ઘટકાને નિરૂપતા સિદ્ધાન્તા — એવા વિભાગીકરણથી નાટયશાસ્ત્રના વિવરણાત્મક પણ લાઘવપૂર્ણ પરિચય કરાવ્યા છે. ઉપરૂપાની વિગતા દર્શાવતું માહિતીપૂર્ણ કાષ્ટક, ગ્રંથપરિચયની સાથે એના પ્રકાશનાદિની આવશ્યક બાબતાની નાંધ અને ગ્રંથસૂચિથી એમણે પુસ્તકની ઉપયોગિતા વધારી છે. આ આખા પ્રયાસ એમની ચેાકસાઈ અને તર્કબદ્ધ વિચારણાની તથા એમના પાંડિત્ય અને શિક્ષકત્વની પ્રતીતિ કરાવનારા બન્યા છે.
=
૧૯૫૬માં વડાદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલાં વ્યાખ્યાને સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો'(૧૯૫૮)માં રસાભાસના સ્વરૂપ અને અલંકારની વ્યંગ્યતાની ઝીણી ચર્ચા છે. મમ્મટે કેવળ વ્યંગ્યપ્રધાનત્વને ઉત્તમ કાવ્યના ધારણ તરીકે સ્વીકાર્યુ છે એની સામે પોતાના મતભેદ નિર્દેશી, ઉત્તમ કાવ્યમાં ઔચિત્યની અનિવાર્યતા દર્શાવી આપીને અનૌચિત્ય એ રસાભાસનું મૂળ છે એવુ પ્રતિપાદન એમણે કયુ` છે. ગુજરાતી કવિતામાંથી પણ ઘણાં ઉદાહરણા લઈ કાવ્યના વિભિન્ન ઘટાને સંદર્ભે ઔચિત્ય-અનૌચિત્યની ખૂબ વિશદ ચર્ચા કરી છે. અને અનૌચિત્યને લીધે વ્યંગ્ય નહિ પણ વ્યંગ્યનેા આભાસ જ મળતા હેાય છે એમ દર્શાવીને, ‘આપણે વસ્તુને વસ્તુ તરીકે અને આભાસને આભાસ તરીકે જાણી લેવા જોઈએ'૨૯ એવું ખૂબ સ્પષ્ટ તારણ આપ્યું છે. એમને નીતિવાદી દષ્ટિક્રાણુ પણ ઔચિત્ય વિશેના એમના આ ખ્યાલમાં દેખાય છે. અલંકારની વ્યંગ્યતા તપાસતાં અલંકારના વ્યાવક તત્ત્વ તરીકે કલ્પનાવ્યાપારની પ્રતિષ્ઠા કરીને એમણે કલ્પનાના અભાવવાળા અલંકારને અલંકાર જ ન ગણવાની હિમાયત કરી છે.
આ ઉપરાંત ‘કાવ્યવિવેચન’(૧૯૪૯ )માંના ‘કાવ્યસ્વરૂપ' અને ધ્વનિના પ્રભેદેા' જેવા લેખામાં પણ એમણે સંસ્કૃત કાવ્યવિચારને વિશદ રીતે મૂકી આપવાની અને એમાંથી મહત્ત્વનાં પ્રતિપાદના નિપજાવી આપવાની દૃષ્ટિ રાખી છે. આમ, આ બધામાં ભારતીય કાવ્યવિચારણાના મૂળગામી પરિચય મળવાની સાથે એની દ્યોતક સમાલાચના પણ પ્રાપ્ત થાય છે.
કાવ્યપ્રકારાની વિચારણા : અર્વાચીન કાવ્યપ્રકારાના વીકરણમાં
Page #482
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧ ]
ડોલરરાય માંકડ
[ ૪૭૩
એમની આવી સમાલાચક દૃષ્ટિના સૌથી વધુ નોંધપાત્ર વિનિયેાગ થયા છે. ૧૯૫૭-૫૮માં આપેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનાના ગ્રંથ ગુજરાતી કાવ્યપ્રકાર’(૧૯૬૪)માં કાવ્યસ્વરૂપોને વર્ગીકૃત કરવામાં મુખ્યત્વે તે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિચારણાને જ એમણે ધ્યાનમાં રાખી છે પરંતુ અર્વાચીન કાવ્યપ્રકારાને તથા એ અંગેની ચર્ચાને પણ સમાવી લેતી વગી કરણની પુનઃવ્યવસ્થા એમણે કરી આપી છે. આ મુજબ, કાવ્યપ્રકારાના વી^કરણ અંગેના ભારતીય તેમ જ યુરાપીય સિદ્ધાન્તાની તથા અર્વાચીન ગુજરાતી વિવેચનની ભૂમિકા ચીને એમણે કાવ્યપ્રકારાને આ રીતે વી`કૃત કર્યા છે : (૧) માનવજીવન-નિરૂપણની દૃષ્ટિએ મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય, (૨) વસ્તુના ઉદ્દીપનની અંતસ્તત્ત્વની દૃષ્ટિએ રસધ્વનિ, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ તથા (૩) વસ્તુના આલંબનની દૃષ્ટિએ આત્મલક્ષી અને પરલક્ષી. પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય વિચારણામાંથી આધાર લઈને તથા સંસ્કૃત-ગુજરાતી કવિતામાંથી ઘણાં દૃષ્ટાન્તા લઈને એમણે પેાતાની ચર્ચાને શાસ્ત્રીય ચેાકસાઈવાળી અને સમૃદ્ધ બનાવી છે. આખ્યાનની પ્રત્યક્ષતાને અને કથાની પરેક્ષતાને શૈલીલક્ષણ્ણા તરીકે ધટાવીને એમણે આખ્યાન અને પદ્યવાર્તાને સ્વતંત્ર કાવ્યપ્રકાર। ગણ્યા નથી તા અર્વાચીન વિચારપ્રધાન, ઊર્મિપ્રધાન અને કલ્પનાપ્રધાન પ્રકારાને અનુક્રમે સંસ્કૃતના વસ્તુધ્વનિ, રસનિ અને અલંકારધ્વનિ રૂપે ધટાવ્યા છે. એમાં વીર્ગીકરણનુ" એક વ્યાપક દૃષ્ટિબિંદુ એમણે સ્વીકાયુ” જણાય છે પરંતુ આવા દૃષ્ટિબિંદુમાં અને મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્યનાં વ્યાવક લક્ષણા એમણે સંસ્કૃત કાવ્યવિચારને જ મહદ શે લક્ષમાં રાખીને દર્શાવ્યાં છે એમાં સંસ્કૃત વિવેચના તરફના એમના સ્પષ્ટ ઝુકાવ તા દેખાય જ છે. આ ઉપરાંત, કાવ્યના વસ્તુગત ભેદ-પ્રભેદાને દર્શાવતા વિશ્લેષણની પદ્ધતિ અખત્યાર કરી હાવાથી એમના આ પ્રયાસમાં વી કરણના સિદ્ધાન્તાનું વિદ્વત્તાપૂર્ણ અને શાસ્ત્રીય રૂપ ઊપસે છે એટલું કાઈ કાવ્યપ્રકારની રચનાગત વિશેષતાઓનુ` રૂપ ઊપસતુ` નથી.૩૦
આ ઉપરાંત ‘નૈવેદ્ય'(૧૯૬૨)ના ‘નવલકથા અને નવલિકા' અને એકાંકી નાટકા' એ લેખામાં તે તે સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતા ચી` છે. કૃતિઓની સમીક્ષા કરતાં પણ એમણે એના સ્વરૂપ અ`ગેના વિચારો વ્યક્ત કરેલા છે.
સિદ્ધાન્તચર્ચા : સૈદ્ધાન્તિક વિવેચના ડાલરરાયે સામાન્યપણે તેા અન્ય વિવેચકાની વિચારણામાંથી ઊભા થતા કેટલાક પ્રશ્નોની ચર્ચા રૂપે – વિવેચનના વિવેચન રૂપે કરી છે. કાવ્યવિવેચન'માં એમની આવી વિવેચના મળે છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૭૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર° ૪
વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની ચેાકસાઈના એમના દૃઢ આગ્રહને સંદર્ભે એમણે મુનશીના સાહિત્યમાં સચેાટતા' લેખમાં અને ખબરદારના ‘ગુજરાતી કવિતાની રચનાકળા' પુસ્તકમાં કઢંગી પરિભાષાને કારણે આવી ગયેલાં અચેાસતા, અશાસ્ત્રીયતા અને તત્ત્વની ગેરસમજને સ્પષ્ટપણે નાંધી આપ્યાં છે અને એ લખાણાની કાઈ અભિનિવેશ વિના પણ કડક આલેચના કરી છે. પરિભાષાની જ ચર્ચા નિમિત્તે વિષ્ણુપ્રસાદના ‘અનુભાવનાશક્તિ' અંગેના પ્રતિપાદનને! – અને સિદ્ધાન્તચર્ચાના એક લેખમાં સાધારણીકરણની એમની વિચારણાને – પણ ડાલરરાયે પ્રતિવાદ કર્યા છે. મુદ્દેમુદ્દાને બરાબર પકડીને એમણે એનું તર્કશુદ્ધ વિશ્લેષણ કર્યું છે. ડેાલરરાય સર્જકના વિશેષીભૂત નહિ પણ સાધારણીકૃત અનુભવને આવશ્યક લેખે છે. ભાવનની ક્રિયામાં ભાવકની સક્રિયતા કે કલ્પનાપ્રવૃત્તિ એમને શકય જણાતી નથી કારણ કે એમની દૃષ્ટિએ, કલાનુભવની ક્ષણે તે ભાવક મેારલીના સંગીતથી નાચતા સાપની જેમ સકની સંમેાહનશક્તિથી વશ થઈ મૂર્છાવસ્થામાં હેાય છે. આ ક્ષણ વીતી ગયા પછી વિવેચક એ આખાય કલાનુભવ ફરીથી પ્રત્યક્ષ કરી શકતા હેાય છે. આ પુનરનુભવની શક્તિને ભાવયિત્રી પ્રતિભા કે અનુભાવનાશક્તિ ગણી શકાય એવું એમનું મંતવ્ય રહ્યુ છે.૩૧ પરંતુ, કલાકૃતિના પ્રથમ મુકાબલાની ક્ષણે ભાવક કલ્પનાપ્રવૃત્તિ નહિં ને કેવળ નિષ્ક્રિય – ઉદાસીન હાય તે। એના પુનરનુભવનું શું અને કેટલું મૂલ્ય એવા પ્રશ્ન રહી જાય છે. ડાલરરાયની આ તપૂત વિચારણામાં, આ દૃષ્ટિએ, કેટલાંક ચિંત્ય સ્થાનેા પણ રહી ગયાં છે.
—
કાવ્યવિવેચન'માં આ ઉપરાંત ઊર્મિજન્ય ભાવાભાસ, આય્નીનું તત્ત્વ, મેટાફ અને રૂપક જેવા તત્કાલીન સાહિત્યવિવેચનના પ્રશ્નોની સંક્ષિપ્ત ચર્ચા છે. એમાં પણ એમની તત્ત્વગામી, સુરૈખ અને વિશદ વિચારણાના પરિચય મળે છે.
એમની ચિંતનલક્ષી અને શાસ્ત્રીય દૃષ્ટિના નોંધપાત્ર દૃષ્ટાન્ત રૂપ ‘વિચારબળા’ અને હ. ધ્રુવની સમગ્ર વાડ્મયસેવાની સૂચિ' એ એ લખાણા (‘નૈવેદ્ય’) ખૂબ વિશિષ્ટ છે. પહેલા દી લેખમાં ૨૦મી સદીના પૂર્વાર્ધમાં આપણા સાહિત્યમાં પ્રધાનપણે વિનિયેાગ પામેલાં વિચારબળાની સમર્થ વિચારણા છે. સાંસ્કૃતિક સંદર્ભમાં કરાવેલા આ પ્રવાહદર્શનને અંતે એમણે, લબ્ધપ્રતિષ્ઠ લેખકેાની વિચારણામાં પશ્ચિમની નવી અસરાની ઉત્કટતા ગળાઈ જઈ પ્રાચીન આર્ય ભાવના જ પ્રાધાન્ય ભાગવે છે એવું પ્રતિપાદન કર્યું છે. ડાલરરાયને સાંસ્કૃતિક સંદર્ભો ધરાવતી વસ્તુગત વિચારણાની ફાવટ સૌથી વધુ છે એ પણ આવા લેખા સિદ્ધ
Page #484
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧]
ડોલરરાય માંકડ
[૪૭૫
કરે છે. કે. હ. ધ્રુવની જયંતીને પ્રસંગે એમની વાડ્મયસેવાનું સરવૈયું આપવાના અને એમણે પ્રતિપાદિત કરેલા નવા સિદ્ધાન્તોની તારવણું આપવાના આશયથી ડોલરરાયે અત્યંત પરિશ્રમ અને પૂરી શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર કરેલી સૂચિ લેખકના ગ્રંશે અને લેખોની યાદી આગળ અટકવાને બદલે એ પ્રત્યેક લખાણમાંનાં લેખકનાં નિરીક્ષણેના નિર્દેશો પણ આપતી હોવાથી એમની સમગ્ર વિચારણના દેહનરૂપ અને બહુમૂલ્ય બની છે. કે. હ. ધ્રુવ વિશે સંશોધન કરનારને માટે એ ઘણું તૈયાર સામગ્રીની ગરજ સારે એમ છે. આ સૂચિથી અને એમના વિવેચનકાર્યને તપાસતા “પાંડિત્યમંડિત રસિકતા' નામના લેખથી કે. હ. ધ્રુવની સાહિત્યસેવાને એક વિગતપૂર્ણ અને અધિકૃત આલેખ ડોલરરાયે આપે છે.
એમણે કરેલે ભાષાવિચાર પણ ઠીકઠીક નેધપાત્ર છે. નૈવેદ્યમાં આ વિષયના ત્રણચાર લેખો છે એમાં “ભાષા વિશેને એક સુદીર્ઘ લેખ તથા “મૂર્ધન્ય અને મૂર્ધન્યતર ડની ચર્ચા વધુ મહત્વનાં લખાણે છે. પહેલા લેખમાં એમણે આ સદીના પહેલા ચાર દાયકાના, શિષ્ટ લેખકના ભાષાપ્રયોગમાંથી નમૂના લઈ એનું વિશ્લેષણ કર્યું છે અને ગુજરાતીના શબ્દભંડોળ પર સંસ્કૃતના તથા એના વાક્યઘડતર પર અંગ્રેજીના સંસ્કારો છે એવું તારણ કાઢયું છે. એમના આ લેખમાં કેટલાંક સ્થાને ચર્ચાસ્પદ પણ છે પરંતુ શિક્ષણિક દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને થયેલું આવું ઝીણવટભર્યું ભાષાવિશ્લેષણ આપણે ત્યાંના ભાષાવિચારમાં એતિહાસિક મહત્વ અવશ્ય ધરાવે છે. બીજા લેખમાં, ભાષાવિચારના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને અને બેલાતી ભાષામાંથી દષ્ટાન્ડે આપીને એમણે થડકારાવાળા અને થડકારા વિનાના ડ ને પૃથફકૃત કરી આપ્યા છે. ધ્વનિવિચારની દષ્ટિએ આજે એમના આ લેખની સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય પરંતુ ઉચ્ચારણ અંગેની આવી શાસ્ત્રીય ચર્ચાનું ઐતિહાસિક મૂલ્ય ઓછું નથી જ.
ગ્રંથસમીક્ષા: “નૈવેદ્ય' અને “કાવ્યવિવેચન'માં એમની ગ્રંથસમીક્ષાઓ પણ મળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓને ઘાટ ડોલરરાયમાં અવલોકનને બદલે અભ્યાસલેખ જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષયમાં એમાંથી ઉદ્દબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દૃષ્ટિએ, “સરસ્વતીચંદ્ર' એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, “શર્વિલકની ચર્ચામાં લેકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને “ઝેર તો પીધાં. છે જાણું જાણુ'માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના. ઉપલયમાં ચર્ચો ઘટાવે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન,
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૭૬ ] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪ રહસ્ય આદિ ઘટકના મુદ્દાસર વિવરણની રહે છે. પ્રાચીના', 'પારિજાતવ.ની ચર્ચાઓ આ દષ્ટિએ જોવા જેવી છે. આમ કૃતિના વિચારદ્રવ્યને તપાસવા-વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એને રચનાકળાગત વિશેની ચર્ચા કરવાનું રહી જાય છે. “અનુભાવનાશક્તિ'ની ચર્ચામાં એમણે કહેલો તે, “સર્જકની ઇન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછી વિવેચકને પુનરનુભવ” એ “ઈન્દ્રજાળ'ની કેઈ આહલાદકતાને તે નેધી આપત જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ છતાં, કૃતિના અંતસ્તત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્ય મૂલ્યને એ ચીધી આપતા હોય છે ત્યાં એમની રસજ્ઞતા વરતી શકાતી હોય છે. દેવયાનીને ભાવસંક્રમણની ચર્ચામાં આ પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કેટલીક કાવ્યસમીક્ષાએ કાવ્યના ગુણ, રીતિ, અલંકાર એવા વિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણના ‘આજ મારો અપરાધ છે' કાવ્યને રસદશી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે.
સંશોધનાત્મક લખાણે? પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્યવિદ્યાને પણ ઊંડો અભ્યાસ કરે છે ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam' (૧૯૫૧), Puranic Chronology' (૧૯૫૨), 'Date of Reveda' (૧૯૫૨) જેવા અંગ્રેજી ગ્રંથે મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે. ‘નેવેદ્ય'માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમના તલસ્પર્શી જ્ઞાનને કંઈક પરિચય મળે છે. “અનુશ્રુતિનું યથાતથ્યમાં અનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રય ગણીને એની અવગણના કરવાના વલણને એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીક્તાને પ્રજામાનસે આપેલા વિલક્ષણ રૂ૫ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તો શોધવાની હિમાયત એમણે કરી છે. તો ઋવેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ગનેને આધારે આર્યોના ઉત્તર ધ્રુવના નિવાસને પક્ષ એમણે “વેદમાં ઉત્તર ધ્રુવ નામના લેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. “હાળીનું મૂળ લેખમાં, પ્રહૂલાદની આખ્યાયિકા તે પાછળથી ઉમેરાયેલી, મૂળે તે એ પરિણીતાના કલ્યાણકારી વ્રતને યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિક આધારેથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત “કલિક અવતાર”, “દાશરાજ્ઞ સંગ્રામ', ૩૨ “સુરાષ્ટ્ર અને આનર્ત ૩૩ જેવા લેખોમાં પણ પ્રાચ્યવિદ્યા અંગેની એમની મૂળગામી અને ઘાતક ચર્ચા મળે છે. “અનુશ્રુતિનું યથાતથ્ય અને
વેદમાં ઉત્તર ધ્રુવ” જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખમાં ક્યાંક ચર્ચાસ્પદ 2 ટી માં ૩૪ એ સિવાય એમની ચર્ચા સાધાર અને સંતુલિત રહી
Page #486
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧]
ડોલરરાય માંકડ
[ ૪૭૭*
છે. મૌલિક વિચારણાને મતાગ્રહ એમનામાં કયારેક દેખાય પણ અસહિષ્ણુતા કે આભિનિવેશ કચાંય જણાશે નહિ. સ્વસ્થ અને તત્ત્વદશી" પરીક્ષકવૃત્તિનું પ્રવર્તીન એમનાં વિવેચનેાની તેમ એમનાં આ સંશાધનેાની પણ પ્રધાન લાક્ષણિકતા છે.
અન્ય
‘ભગવાનની લીલા’ (૧૯૪૮) : ડાલરરાયની પ્રશિષ્ટ રુચિના એક લાક્ષણિક વર્ભાવ અનુષ્ટુપની પાણા તરસા જેટલી પ`ક્તિઓમાં વિસ્તરેલા એમના કથાકાવ્ય ભગવાનની લીલા'માં પણ થાય છે. એક સાધુની કૃપાથી, સ્નાન માટે નદીમાં ડૂબકી મારીને નીકળતાં સુધીની ક્ષણેામાં એક બ્રાહ્મણ યુવકને ભગવાનની અકળ લીલાના અનુભવ થાય છે એવી, બાળપણમાં સાંભળેલી એક અદ્ભુત-રસિક કથાને કવિએ અનુષ્ટુપના પ્રશિષ્ટ-ગંભીર લયમાં સત્યજ્ઞાન કે બ્રહ્મજ્ઞાનના નિરૂપણુ માટે ઉતારી છે– એ આ કાવ્યની વિલક્ષણતા છે.
જળમાં ડૂબકી મારીને નીકળતાં સુધીમાં સુદામા જન્માંતરને અનુભવ કરે છે એ જાણીતી ઈશ્વરલીલાકથાના જેવા આ કાવ્યના કથાવસ્તુમાં ચમત્કારનું તત્ત્વ કંઈક વધુ પ્રમાણમાં પ્રવ`તું રહ્યું છે એથી પાત્રઘટનાનુ` કાઈ પરિમાણુ ઊપસતુ નથી. ઉપરાંત, વાર્તાનું સાદું કૌતુક અને સાધુની ચમત્કાર-સિદ્ધિ જેટલુ ધ્યાન ખેંચે છે એટલુ', કવિને અભિપ્રેત ભગવાનની લીલા પણ ખેંચતી નથી એવું ઉપેન્દ્ર પંડયાનું નિરીક્ષણ પણ સાચુ છે.૩૫ કાવ્યબાનીમાં કચાંક દેખાતા રામાયણ, રઘુવંશ, મૃચ્છકટિક, કાદ...ખરી આદિના અભિવ્યક્તિગત સસ્કારી કવિને અભીષ્ટ પણ રહ્યા છે પરંતુ એથી સામાન્યતઃ સરળ, પ્રાસાદિક અને પ્રવાહી રહેતુ. વક્તવ્ય અવરુદ્ધ થયુ છે ને છ દાખધ પણ શિથિલ બન્યા છે. આ કાવ્ય ડાલરરાયના વિ તરીકેનેા કાઈ નેાંધપાત્ર ઉન્મેષ બનતું નથી – માત્ર કેટલાંક રમણીય વનચિત્રા અને ભાવે।ચિત ઉપમાઓથી એ કઈક આસ્વાદ્ય રહે છે.
શિક્ષણ, ધર્મો, તત્ત્વજ્ઞાન – મૌલિક-અનૂદિત ગ્રંથા : આ ઉપરાંત, ‘એકસૂત્રિત શિક્ષણુયાજના' (૧૯૫૦), ‘ઋગ્વેદમાં વશિષ્ઠનું દર્શન' (૧૯૬૪), ‘ગીતાના મુદ્ધિયોગ’ (૧૯૬૯) આદિ શિક્ષણુ-ધર્મ-તત્ત્વજ્ઞાનની એમની મૌલિક કૃતિ છે. આ વિષયેામાં એમણે કેટલાંક પુસ્તકા અંગ્રેજીમાં પણ લખ્યાં છે. એમણે કરેલા કેટલાક નોંધપાત્ર અનુવાદેામાં સંસ્કૃત પ્રહસન ‘ભગવદ્દકીયમ્’ (નૈવેદ્ય’માં), ધર્મ અને તત્ત્વજ્ઞાનના ગ્રંથા ‘રુદ્રાધ્યાય' (૧૯૨૯) અને ‘શક્રાધ્યાય સ્તાત્ર' (૧૯૨૯) તથા આશ્તેકરના ‘એજ્યુકેશન ઇન એન્થિયન્ટ ઇન્ડિયા' પરથી ‘પ્રાચીન ભારતમાં શિક્ષણ' (૧૯૬૫) આદિને સમાવેશ થાય છે. આ સમાં, જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રામાં એમના સતત ચાલતા રહેલા નિદિધ્યાસનનેા પ્રભાવક પરિચય મળે છે.
Page #487
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ ટીપ ૧ વાડ્મય વિમર્શ' (૧૯૬૩), પૃ. ૧૨૬. ૨ જુઓ “ગુજરાતી સાહિત્ય પરિષદ (૨૮મું સંમેલન) હેવાલ’માંનું પ્રમુખનું વ્યાખ્યાન. ૩ “અક્ષરા', પૃ. ૧૨૮. ૪ જુઓ વિશ્વનાથ ભટ્ટના વિવેચનસંગ્રહ “વિવેચનમુકુર’નું અર્પણ. ૫ “વિનાયકની આત્મકથા', પૃ. ૨૩૨. ૬ “ગંધાક્ષત', પૃ. ૨૦૭. ૭ જુઓ “મારી વિવેચનકારકિદી લેખ, માણેક અને અકીક' પૃ. ૧૬૧. ૮ Gujarat And Its Literature' (1985), પૃ. ૩૭૨. ૯ વિવેચનનું વિવેચન', પૃ. ૯૭. ૧૦ “અવલોકન', પૃ. ૪૧૦, ૧૧ જુઓ “શર્વિલક'માંનું લેખકનું નિવેદન “ખુલાસો'. ૧૨ ગ્રંથગરિમા', પૃ. ૨૦૭. ૧૩ એમના આ પ્રકારના લેખોમાં વિવેચનમુકુરમાને આ લેખ ક્રમમાં સૌથી પહેલા લખાયેલો છે. ૧૪ “સાહિત્યસમીક્ષા', પૃ. ૨૭. ૧૫ જુએ નિકષરેખા'નું નિવેદન. પોતાના આ મતના સમર્થનમાં એમણે D.H. Lawrancedi 'The touchstone is emotion, not reason...' એ મંતવ્ય તેમ જ “દવન્યાલકમાંથી પણ સમર્થને ટાંક્યાં છે. ૧૬ એમના વિવેચનસંગ્રહનાં શીષકે પણ એમની આ વિભાવનાના સંકેત રૂપે જ એમણે જ્યાં છે એ બહુ લાક્ષણિક છે. ૧૭ “પૂજા અને પરીક્ષાનું નિવેદન, પૃ. ૧૪. ૧૮ જુઓ “વિવેચનમુકુર'માં વિવેચનની અગત્ય લેખમાંની એમની વિચારણા. ૧૯ જુઓ 'વિવેચનને આદશ' લેખ વિષે “ડીક વિગતો', સાહિત્યસમીક્ષા), પૃ. ૩૨૭. ૨૦ જુએ “પૂજા અને પરીક્ષાનું અર્પણ. ૨૧ સમકાલીન સાહિત્યનું વિવેચન હાથ ન ધરીને વિશ્વનાથે વિવેચન અંગેનો પોતાનો “એકલક્ષી ચિરારાધનને આદશ” પાળે નથી એવી મેઘાણીની જાહેર ટકરનો એમણે સમકાલીન સાહિત્યના વિવેચનની મુશ્કેલીઓ બતાવી ઉત્તર તે વાળ્યો (જુએ “વિવેચનમુકુર’ને ‘સમકાલીન સાહિત્યનું વિવેચન” લેખ) પણ પછી સંકલ્પ સાથે એમણે એક project તરીકે સમકાલીન સજ છે અને એમની કૃતિઓની વિવેચના હાથ ધરી. છેલ્લાં વર્ષોમાં એમણે પન્નાલાલની કૃતિઓ વિશે પણ આવો એક project ઉપાડ્યાનું અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે નોંધ્યું છે. (જુઓ “પૂર્વાપર' પૃ. ૧૧૫). ૨૨ “અન્વીક્ષામાં બધૂપછાંવશૈલીનો સ્વાધ્યાયગ્રંથ” એ લેખ. ૨૩ સુરેશ જોષી, “કાવ્યચર્ચા' પૃ. ૧૦૧. ર૪ જુઓઃ “વિવેચનકૃતિ પણ આનંદ નિષ્પન્ન કરતી હોય તો એ વિવેચનને સર્જનાત્મક સાહિત્યની પ્રતિષ્ઠા આપવામાં દોષ જણાતો નથી...વાણીના ઉપાદાન વડે વ્યક્તિએ કરેલી આનંદનિષ્પાદક વિવેચનકૃતિને લલિત સાહિત્યનું ગૌરવ ઘટે એમ કહેવામાં બાધ નથી. વિવેચન પણ વ્યક્તિત્વના આવિષ્કારને ઉચિત માગ થઈ શકે છે? – વિવેચનની પ્રતિષ્ઠા”, “ઉપાયન', પૃ. ૩૫. ર૫ આ પૈકીના કેટલાક લેખે “પરિશીલન'માંથી અહીં પુનર્મુદ્રિત થયેલા છે પણ ચર્ચાની સગવડ ખાતર, લખાણમાં બધે જ “ઉપાયન'ના સંદર્ભો આપ્યા છે. ૨૬ “અનુભાવન’, ‘ઉપાયન', પૃ. ૫. ૨૭ “સાધારણીકરણ”, “ઉપાયન', પૃ. ૭૩. ૨૮ “કાવ્યચર્ચા', પૃ. ૯૫. ર૯ “સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો', પૃ. ૨૦. ૩૦ જુઓ જયંત કોઠારીની આ અંગેની ચર્ચા, વિવેચનનું વિવેચન,” પૃ ૧૬. ૩૧ જુઓ “અનુભાવનાશકિત” લેખ, “કાવ્યવિવેચન'. ૩૨ સ્વાધ્યાય', પુ. ૨, અંક ૩ (મે '૬૫). ૩૩ “સ્વાધ્યાય ૫, ૬, અંક ૩ (એપ્રિલ ૬૯). ૩૪ એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણને લેખ “શ્રી ડોલરરાય માંકડનાં શેાધકાર્યોની સમીક્ષા”, “શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સજન” એ ગ્રંથમાં. ૩૫ “મંગળયાત્રા', પૃ. ૪૦.
Page #488
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨
રમણલાલ વસ`તલાલ દેસાઈ ચૂનીલાલ વર્ધમાન શાહ ગુણવંતરાય આચાર્ય
રમણલાલ વ. દેસાઈ (૧૮૯૨–૧૯૫૪)
જીવન
ઈ. ૧૮૮૫માં હિન્દુસ્તાનમાં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ચૂકી હતી; દેશને એક નાનેા સુશિક્ષિત વર્ગ રાજકીય સભાનતાપૂર્વક સળવળાટ અનુભવી રહ્યો હતા. સમગ્ર દેશમાં શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, ધર્મ ઈત્યાદિ ક્ષેત્રે ભારે પરિવતના થઈ રહ્યાં હતાં. તેવે સમયે, ઈ. ૧૮૯૨માં, મેની ૧૨મી તારીખે નર્મદા તીરે આવેલા શનાર ગામમાં રમણલાલના જન્મ થયા. એમની પ્રાથમિક કેળવણી શિનારમાં થઈ. એ પૂરી કરીને તે માધ્યમિક શિક્ષણ માટે વડાદરા આવ્યા. એમના પિતા વસંતલાલ દેસાઈ પ્રગતિશીલ વિચાર ધરાવનારા અને દેશભક્ત' નામના એક સાપ્તાહિકના સ`ચાલક હતા. રમણુલાલને નાની વયથી વાચનને શાખ લાગ્યા અને અભ્યાસ દરમ્યાન એમની કલમ પણ સળવળવા માંડી. ઈ. ૧૯૧૨માં કૈલાસવતી સાથે તેમનું લગ્ન થયું. એ લગ્ન તેમની દામ્પત્યભાવનાને મિષ્ટ કરવામાં મહત્ત્વને કાળા આપ્યા છે. ગુજરાતના મધ્યમવર્ગના કુટુંબજીવનનાં મધુર ચિત્રા તે આલેખી શકયા છે તેનું પ્રેરકબળ તેમનાં પત્ની કૈલાસવતી હતાં.
રમણલાલ વડાદરાની કૅાલેજમાં દાખલ થયા. ઉચ્ચ અભ્યાસના એ સમયમાં રમણલાલે વાચનની અભિરુચિ સારી પેઠે વિકસાવી, કૅાલેજની ચર્ચાસભાએમાં પણ તે ઉત્સાહથી ભાગ લેતા. ઈ. ૧૯૧૬માં એમ.એ. થયા પછી થાડાક વખત તેમને શિક્ષકની નેકરી કરવી પડી. એ પછી તરત તે સરકારી નેકરીમાં જોડાઈ ગયા. તેમણે સરકારી નેકરીમાં અનેક ગામાનેા તથા અનેક પ્રકારનાં કામના અનુભવ મેળવ્યા. ગ્રામજીવનના પ્રશ્નો પણ તેમણે આ સમય દરમ્યાન વિચાર્યું તે તેની ચિકિત્સા કરી. રમણુલાલ પ્રકૃતિએ શાંત, વિનમ્ર અને પ્રામાણિક હતા. તેમનામાં ઊંચી સ`સ્કારિતા હતી અને વિશાળ વાચને તેમની અભિરુચિ કેળવી હતી. એમણે ઈ. ૧૯૧૫માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં (સૂરત મુકામે ભજવવા
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૮૦ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[[ચં. ૪
માટે “સંયુક્તા' નાટક લખ્યું હતું. એ નાટકથી એમની સાહિત્યિક પ્રવૃત્તિને રીતસરને આરંભ થયો એમ કહી શકાય. એ પછી “નવગુજરાત' સામયિક માટે તેમણે ઈ. ૧૯૨૪-૨૫માં ઠગ' નવલકથા પ્રગટ કરવા માંડી ત્યારથી તેમની નવલકથાલેખન-પ્રવૃત્તિ શરૂ થઈ.
વીસમી સદીના ત્રીજા દસકા દરમ્યાન ગાંધીજીને પ્રભાવ સારાય દેશ પર પડ્યો હતે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે તેમણે પ્રજાજીવનમાં પ્રેરણું ફૂકી હતી. આ દેશ ઉત્સાહને હિલોળે ચડયો હતો. રમણલાલે પણ ગાંધીજીની સત્યાગ્રહની. ભાવનાને નીડરતાપૂર્વક પુરસ્કાર કર્યો અને નવલકથાઓમાં એ ભાવનાને પ્રગટ કરી. ગુજરાતની પ્રજાનું શૌર્ય તેમને સ્પર્શી ગયું. તેમણે ગાંધીયુગના ગુજરાતનાં ભાવનાશીલ ચિત્રો નવલકથાઓમાં આલેખીને પ્રજાજીવનને પોરસ ચડાવ્યું. આ સમય દરમ્યાન સામ્યવાદ, ગાંધીવિચારધારા વગેરેને તેમ જ સમાજના સમકાલીન પ્રશ્નોને પણ તેમણે સારે એવો અભ્યાસ કરી લીધું હતું. અર્થશાસ્ત્ર, ઈતિહાસ, સમાજશાસ્ત્ર એ તેમના રસના વિષયો હતા. ઈ. ૧૯૨૭માં તેમનાં પત્ની કૈલાસવતીનું અવસાન થયું. રમણલાલના જીવનમાં આ કપરો આઘાત હતે. પણ ધૈર્યપૂર્વક એમણે એમની વેદના અંતરમાં સમાવી. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ તેમની સમાજ અને સાહિત્યક્ષેત્રે પ્રવૃત્તિ ચાલતી રહી. એમના વ્યક્તિત્વના કેટલાક ગુણને કારણે અંગત મિત્રમંડળમાં તે “નવાબ' નામે ઓળખાતા અને કુટુંબમાં “ભાઈસાહેબના વહાલસોયા નામથી તેમને સહુ બોલાવતા. રમણલાલનું જીવન સાદું અને સરળ હતું. ઈ. ૧૯૪રમાં તેમને વનપ્રવેશ ઊજવાયો. તા. ૨૦-૯-૧૯૫૪ના રોજ તેમનું અવસાન થયું.
સાહિત્યસર્જન નવલકથાઓઃ ગુજરાતી નવલકથાક્ષેત્રે ઈ. ૧૯૧૫થી ૧૯૨૫ના સમયગાળામાં મુનશીએ એમની ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓથી ગુજરાતની પ્રજાને મુગ્ધ કરી દીધી હતી. પણ એમની નવલકથાલેખનપ્રવૃત્તિ દેઢેક દાયકા સુધી થંભી ગઈ તે સમયે રમણલાલે “જયંત' નવલકથા પ્રગટ કરીને નવલકથાક્ષેત્રે સસંકોચ પ્રવેશ કર્યો. મુનશીની નવલકથાપ્રવૃત્તિ થંભી ગઈ હતી તે દરમ્યાન રમણલાલે લોકલાડીલા વાર્તાકાર અથવા તો યુગમૂર્તિ વાર્તાકાર તરીકેની
ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી. મુનશીની નવલકથાઓની ગુજરાતભરમાં મોહિની પ્રસરી ચૂકેલી હતી. તે સમયે ગુજરાતી પ્રજાની વાર્તાભૂખને રૂડી પેરે સંતોષીને એક અગ્રણી નવલકથાકાર તરીકે પ્રગટ થવાનું કાર્ય તેમને માટે મુશ્કેલ હતું. તેમ છતાં રમણલાલે યુગચિત્રો આલેખીને, શિષ્ટ મૃપ્રેમની ભરમ ઘટનાઓ
Page #490
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[ ૪૯૧
ચીતરીને અને વિશેષે કરીને ગુજરાતના મધ્યમ વર્ગનાં કુટુ ખેાની સંસ્કારમાધુરી વ્યક્ત કરીને લેાકહૃદયમાં પ્રબળ આકર્ષણ જમાવ્યું. વીસમી સદીના ચેાથા દસકામાં તા રમણુલાલની નવલકથાનું વાચન એ શિષ્ટતાનું જાણે કે પ્રમાણપત્ર બની ગયું.
રમણલાલની પ્રથમ નવલકથા ‘જયંત’ ૧૯૨૫માં પ્રગટ થઈ, જોકે ‘ઠગ’ એની પહેલાં લખાઈ હતી, પણ પ્રકાશમાં તે મેાડેથી આવી. ‘જયંત' એ એમની નબળી કૃતિ છે અને તેમણે તે સસક્રાય ...ીતે ખ્વીત’ પ્રસિદ્ધ થવા દીધેલી (બીજી આવૃત્તિની પ્રસ્તાવના). એ નવલકથા લેાકરજક બની શકે તે માટે તેમણે તેમાં ભેદભરમ, ઝપાઝપી, આગ-ખૂનના પ્રયાસેાની ઘટનાઓ, ભેદીમ`ડળ એવી ધણી બધી સામગ્રી ખેંચી દીધી છે. રમણુલાલના ચિત્ત પર જાસૂસી કથાના પ્રખળ સૌંસ્કારા હાય એ બનવાજોગ છે. એમની ‘ઠગ', ‘બ’સરી' જેવી નવલકથા એની શાખ પૂરશે. અને એમની અન્ય સામાજિક નવલકથાઓમાં પણ ભેદ-પ્રપંચ અને રહસ્યનાં તત્ત્વા એક કે બીજી રીતે પ્રગટ થયા વગર રહેતાં નથી. ‘જયંત’-- માં સંકલનાની કચાશ તેા છે જ, પણ એમણે જે પ્રકારની ઘટનાએ એમાં વવી છે તે ગુજરાતી સમાજના સંદર્ભમાં ભાગ્યે જ પ્રતીતિકર લાગે તેવી છે. તેમ છતાં પ્રથમ કૃતિમાં એમની વાર્તાકલાનાં કેટલાંક લક્ષણેા પ્રગટ થાય છે તે વધુકલાત્મકરૂપે પછીની નવલકથામાં જોવા મળે છે. ‘ઠગ' નવલકથા ાસૂસી પ્રકારમાં ગણવી જ યોગ્ય લેખાય. એમાં પણ ભાંયરાં, ભેદી પાત્રો, રહસ્યમય વાતાવરણ, પ્રપ ંચા એવું ઘણું બધું છે. પણ લેખકે ઠગ લોકોને ભાવનાવાદી કલ્પીને તેમને વીસમી સદીના આપણા દેશના વિપ્લવવાદી મડળાના સભ્યા જેવા કલ્પીને વાસ્તવિકતાના સીમાડા ઉલ્લંઘ્યા છે. લેખકે ઇતિહાસની તેમાં અવગણના કરીને પ્રાકૃતજનાને તત્કાળ પ્રસન્ન કરે તેવા થારસ પીરસ્યા છે. સામાન્ય વાચકાને રામાન્સની સૃષ્ટિમાં લઈ જવાને! આ તરીકેા કરણઘેલેા’ નવલકથાથી ચાલતા આવ્યેા છે. પણ રમણુલાલ તરત જ આ પ્રકારના સસ્તા મનેારંજક કથામાળખામાંથી બહાર નીકળીને ‘શિરીષ' (૧૯૨૭), કોકિલા’ (૧૯૨૮) જેવી શિષ્ટ વાર્તારસિક સમાજને સહેજે આકષી શકે તેવી નવલકથા રચવા માંડે છે, અને ચેાથા દસકામાં તા તે ‘દિવ્યચક્ષુ' (૧૯૩૨), ‘પૂર્ણિમા’ (૧૯૩૨), ‘ભારેલા અગ્નિ' (૧૯૩૫) જેવી કલાના ઉચ્ચ નમૂનારૂપ નવલકથાએ પ્રગટ કરીને ગુજરાતનું નવલકથાક્ષેત્ર સર કરી લે છે.
પ્રેમભાવના : રમણલાલની નવલકથાઓને અત્યંત લેાકપ્રિય બનાવવામાં ગુ. સા. ૩૧
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૮૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચ. ૪ બેત્રણ વસ્તુઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એક તે એમની લગભગ દરેક કતિમાં શિષ્ટ, મિષ્ટ મુલાયમ પ્રેમની મધુર કથા ગૂંથાયેલી હોય છે. વાર્તા અતિહાસિક હોય કે સત્યાગ્રહની ચળવળની હેય પણ એમાં પ્રેમચિત્ર ઊપસી આવ્યા વિના રહેતું નથી. ભારેલે અગ્નિમાં ગૌતમ અને કલ્યાણીના પ્રેમની કથાને તંતુ ઐતિહાસિક ઘટનાની વચ્ચે પણ ધ્યાન ખેંચ્યા વિના રહેતું નથી. દિવ્યચક્ષુ'માં અસહકારની લડતના પ્રસંગોની વચમાં અરુણ અને રંજનના પ્રેમની ચિત્રાવલી ઊપસી આવે છે. રમણલાલની નવલકથાઓમાં પ્રેમઘટનાનું નિરૂપણ વૈવિધ્યભર્યું નથી એ તેમના પર નવલરામ ત્રિવેદી અને વિશ્વનાથ ભટ્ટ જેવા વિવેચકોને આક્ષેપ છે અને એ આક્ષેપ ખોટ નથી. એમની પહેલી નવલકથા 'જયંતીથી શરૂ કરીને ત્યાર પછીની ઘણુ નવલકથાઓમાં લેખકે એક સ્ત્રી અને બે પુરુષ અથવા એક પુરુષ અને બે સ્ત્રી વચ્ચે પ્રેમત્રિકેણુ જૂજ ફેરફાર સાથે નિરૂપે દેખાય છે. “જયંત'માં જયંત સાથે દક્ષા અને સ્ના એ બંને બહેને પ્રેમમાં છે, “કોકિલા'માં જગદીશ પરણેલે છે છતાં બીજી એક સ્ત્રી – વિજયા – તેના પ્રેમને ઝંખે છે. “સ્નેહયજ્ઞમાં કિરીટના પ્રેમ માટે મીનાક્ષી અને ચમેલી વચ્ચે સ્પર્ધા છે. “દિવ્યચક્ષુ'માં અરુણને મેળવવા માટે રંજન અને પુષ્પા આતુર છે. “જયંત'માં દક્ષા ઈર્ષ્યાભર્યા ઝનૂનથી એની નાની બહેન સ્નાને છરાથી મારવા જાય છે. પણ જયંતના આકસિમક પ્રવેશથી છેવટે આખી ઘટનાને નવો જ વળાંક મળે છે અને દક્ષા નાની તરફેણમાં જયંતના માર્ગમાંથી ખસી જાય છે. અલબત્ત આ પ્રકારની ઘટના ગુજરાતી સમાજમાં કેટલી સંભવિત તે એક વિચારવા જેવો પ્રશ્ન ખરે. ‘કિલા’માં કુસુમ સાથે લગ્ન કરવા ઈચ્છનારા બે ઉમેદવાર છે. પરંતુ કુસુમ રમેશને પસંદ કરે છે, અને મનહર બીજી યુવતી સાથે લગ્ન કરી પત્નીનું નામ કુસુમ રાખીને સંતોષ માને છે. નિષ્ફળ પ્રેમી અથવા પ્રેમિકા પોતાના ગત પ્રેમનું કોઈક સંભારણું સાચવવા માગે એવી ઘટનાનું નિરૂપણ કરવાનું રમણલાલને રુચિકર લાગે છે. “દિવ્યચક્ષુ'માં પુષ્પો એની સખી રંજનને, અરુણ પાછે સોંપી દે છે; પણ એનું પહેલું બાળક જન્મે તે પિતાને માટે માગી લે છે.
રમણલાલની નવલકથાઓમાં પ્રેમીઓ માટે પ્રેમને માર્ગ ભલે નિષ્ફટક નથી હેતે તથાપિ એમને એ માર્ગમાં અતિ દારુણ કષ્ટ વેઠવાનાં આવતાં નથી. પ્રેમી પાત્રોની ત્રિપુટી વચ્ચે સંઘર્ષ મોટે ભાગે આછોપાતળા જ રહે છે. રમણલાલને પ્રેમી પાત્રો પારાવાર વિપત્તિ વેઠે એવું કદાચ ઇષ્ટ નથી. મુનશીની નવલકથાઓમાં તે પાત્રોને પ્રેમપ્રાપ્તિ માટે સીધા આકરાં ચઢાણ ચડવાનાં આવે છે. પ્રેમીઓ પોતાના પ્રેમપાત્ર માટે ઝૂરે છે, રિબાય છે, રહેંસાય છે અને પ્રેમને
Page #492
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨ ) રમણલાલ દેસાઈ
[૪૮૩ ખાતર મૃત્યુ પણ સ્વીકારે છે. રમણલાલની ઋજુસૌમ્ય પ્રકૃતિ એમની નવલકથાનાં પાત્રોને માટે થોડીક મુશ્કેલી પછી પ્રેમનો માર્ગ આસાન કરી આપે છે. તેમ છતાં રમણલાલની નવલકથાઓમાં પ્રેમનું નિરૂપણ સસ્તુ અને નીચી કક્ષાનું નથી. એમના પ્રેમનિરૂપણમાં એક પ્રકારનું આભિજાત્ય અને સંસ્કારિતા પ્રગટે છે. ગુજરાતના મધ્યમ વર્ગના કુટુંબની માધુરી તેમાં ફરે છે. એ પ્રેમ મૃદુ, શિષ્ટ અને કર્તવ્યપરાયણ છે અને તેમાં ત્યાગની ભાવના છે. “પૂર્ણિમા” જેવી ગણિકાજીવનને લગતી નવલકથામાં પણ ગણિકા રાજેશ્વરીના પ્રેમમાં ક્યાંય બીભત્સતા, આછકલાઈ કે ચાંચલ્ય નથી. એના પ્રેમમાં પણ શિષ્ટતા ને સંસ્કારિતાની ફોરમ છે. “શિરીષ'માં શિરીષ અને સોહિણના દામ્પત્યમાં આરંભે થે ડુંક ચાંચલ્ય વરતાય છે, એમનાં જીવનમાં પરસ્પર ગેરસમજમાંથી સહેજ સંઘર્ષ થાય છે. બંને વિયોગ વેઠતાં જગતની પાઠશાળામાં ઘડાય છે. અને ફરી એમના દામ્પત્યમાં શુદ્ધ, મધુર ને સંસ્કારી ઉડે પ્રેમ મોરી ઊઠે છે. ભારેલો અગ્નિ અને “દિવ્યચક્ષુ'માં ત્યાગમય પ્રેમનું મનોહર નિરૂપણ છે. ગૌતમને ઝંખનારી કલ્યાણને પ્રેમ ગૌતમના ઉત્કર્ષ માં, એની જીવનભાવનાના વિકાસમાં જ રાચે છે. ગૌતમના શ્રેય માટે એ પિતાના સુખને જતું કરે છે. એના પ્રેમમાં માતામાં શિશુ પ્રત્યે હોય તેવી ઉગ્યતા છે, ઊંડાણ છે. ભૌતિક પ્રેમસુખને તો તે ભાગ્યે જ વિચાર કરે છે. “દિવ્યચક્ષુ'માં રંજનને પ્રેમ પણ એવો જ નિસ્વાર્થ અને આત્મભોગમાં રાચનારો છે. “કેકિલા'માં તો જગદીશ પ્રત્યે કોકિલાને પ્રેમ અખૂટ છે. કોકિલાના સમગ્ર અસ્તિત્વમાં જગદીશ છવાઈ ગયો છે. એને આનંદ પતિ માટે સ્વાર્પણમાં છે. કોકિલાના પાત્ર દ્વારા લેખકે ગુજરાતી નારીની પ્રેમમાધુરીને સરસ અભિવ્યક્ત કરી છે. ગુજરાતના ગૃહજીવનનાં – દામ્પત્યપ્રેમનાં આવાં અભિજાતયુક્ત, સ્વચ્છ, સુરેખ, રળિયામણું અને ગુણાનુરાગી દષ્ટિવાળાં ચિત્રો કદાચ પહેલી વાર વિપુલ સંખ્યામાં રમણલાલની નવલકથાઓમાં મળે છે. એ ચિત્રોને રમણલાલની ભાવનાને સ્પર્શ થયો છે. ગુજરાતના નારીજીવનનાં શીલ અને શાલીનતાને તેમણે અંતરની પ્રફુલ્લતાથી વ્યક્ત કર્યા છે. કોકિલાના નિઃસ્વાર્થ વિશુદ્ધ અને ઉત્કટ પતિપ્રેમને નવલકથાના ખલનાયક જેવા જુગલકિશોર ઉફે નાથબાવા ઉપર પણ પ્રબળ પ્રભાવ પડે છે. એ પિતાની પત્ની પ્રત્યેની પ્રેમશંકામાંથી મુક્ત થાય છે અને આપઘાતને માર્ગેથી પાછા વળે છે. રમણલાલની પ્રેમમાધુરી તેમની ઘણું બધી નવલકથાઓમાં પ્રગટ થાય છે. જગદીશની ઉક્તિઓમાં પ્રેમ વિષેની ભાવના પ્રગટ થાય છે: “એ શરતી પ્રેમ એ બજાર ચીજ છે. કિંમત આપી માલ લેવા જેવું થાય છે. પત્ની તમને પ્રેમ આપે તે જ તમે એને સારો પ્રેમ આપી શકે તે એમાં મરવાપણું ક્યાં રહ્યું ?
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૮૪]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ 2*. ૪
કાંઈ પણ મળવાનું ન હેાય અને તમે મરી શકે! તા જ તમે પ્રેમી ! બાકી તા સૌંદર્યની ગુજરીમાં ઊભેલા સાદાગર ! તમને કોઈ સગવડ આપે એટલે તમે સામી સગવડ આપે।; તમને કાઈ આનંદ આપે એટલે તમે સામેા આનદ આપે; અને કદાચ કાઈ તમને પેાતાના જાન આપે તા તમે સામે જાન આપે. પણ એ બધામાં તમને પ્રથમ કાંઈ મળવુ જોઈએ જ ! નહિ ?' (‘કોકિલા', ૧૯૬૯, પૃ. ૨૨૦–૨૨૧.) સમગ્ર નવલકથામાં પ્રેમની ઉચ્ચતાના અંશા કલાત્મક રીતે પ્રગટ થયા છે.
સમકાલીન સમાજચત્રા : રમણલાલની નવલકથાએ તત્કાલીન સમાજમાં અતિ લાકપ્રિય થવાનું એક કારણ એ છે કે તેમણે સમકાલીન સમાજની એષણાઆકાંક્ષાઓનાં ચિત્રા તેમાં આલેખ્યાં છે. રમણલાલ ગાંધીજીના પ્રત્યક્ષ સ ંપર્કમાં આવેલા નિહ. પણ ગાંધીજીએ દેશને બેઠા કરવા માટે જે પરમ પુરુષાર્થ કર્યો અને સ્વતંત્રતા માટે સત્યાગ્રહનુ... આંદાલન ચલાવ્યું. તેનાથી તે, ખીન્દ્ર અનેક કવિએ-લેખકાની જેમ રામાંચિત થયા હતા. મુલકી ખાતામાં રમણલાલની સરકારી નેાકરી હતી. એ સરકારી નાકરી કરતાં કરતાં પણ તેમણે ગુજરાતની નવજાગૃતિનાં સ્પર્ધાના ઝીલ્યાં અને એમની નવલકથાઓમાં તે પ્રગટ કર્યાં.... ‘શિરીષ’ની ખીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં તેમણે નાંધેલું : ‘ગુજરાતને માટે મને પક્ષપાત છે. અને તેને લીધે મને દેખાતા તેના સૌંદઅંશે। આલેખવાનું મને ધણું ગમે છે. એ વૃત્તિના એક પરિણામ રૂપ મારી નવલકથાએ છે.' ‘દિવ્યચક્ષુ'ની પ્રથમ આવૃત્તિમાં પણ તેમણે એ જ વાત નોંધતાં લખ્યું છે : ‘અલબત્ત, ગુજરાતી જીવન મને ધણું ગમે છે, તેમાં થતા ફેરફારાનું અવલેાકન કરવામાં મને આનંદ થાય છે. અને તેનાં જૂનાંનવાં રસસ્થાને ને સ્પર્શ કરવા મને આટ્લાદક થઈ પડે છે. ગૂર જીવનમાં રસ લેવાના મારા આછાપાતળા પ્રયત્નામાંથી મારી વાર્તાઓના જન્મ છે.' રમણુલાલને ‘યુગમૂર્તિ વાર્તાકાર'નું બિરુદ આ કારણે જ મળ્યું છે. એમની ઘણી બધી, ખાસ કરીને ચેાથા દસકાની નવલકથાએમાં તેમણે ઉત્સાહપૂર્વક ગુજરાતના હેલે ચડેલા જીવનનાં, ગુજરાતી પ્રજાના શૂર જીવનનાં મનેાહર ચિત્રો આલેખ્યાં છે. તેમાંય ‘દિવ્યચક્ષુ’ એમની યુગભક્તિને વિશેષપણે રજૂ કરતી સમ નવલકથા છે.
દિવ્યચક્ષુ : ૧૯૩૧ની સાલમાં એ પ્રથમ વાર પ્રગટ થઈ ત્યારે ગાંધીજીની સત્યાગ્રહની લડતની આબાહવા ચારેકાર હતી. ગુજરાતના પ્રજાજીવનમાં ગાંધીજીની પ્રેરણાથી નવચેતનાનેા સંચાર થઈ રહ્યો હતા. રમણુલાલ તેના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેમણે ‘વ્યિચક્ષુ'માં એ યુગની હેલે ચડેલી યુવાનીનું અને ભાવનાની
Page #494
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨ ]
રમણલાલ દેસાઈ
[ ૪૮૫
ઊછળતી ભરતીનું સમર્થ પ્રતિબિંબ ઝીલ્યુ, અને યુગભક્તિના કલાત્મક પ્રતિધેાષ પાડયો. નવલકથાને નાયક અરુણ શ્રીમંત પિતાના પુત્ર છે; એક પીઢ ને બુઝુ નેતા જનાર્દનની પ્રેરણાથી તે સ્વાતંત્ર્યની લડતમાં જોડાય છે. અહિંસામાં તેને શ્રદ્ધા નથી, પણ વાર્તાકારે ધીમે ધીમે અનેક હૃદયસ્પશી ઘટનાઓમાંથી પસાર કરાવીને તેને આંતરવિકાસ કલાત્મક રીતે દર્શાવ્યેા છે. ‘દિવ્યચક્ષુ' વસ્તુગૂ થણી તેમ જ પાત્રચિત્રણ તથા યુગચિત્રની દૃષ્ટિએ તેમની ઉત્તમ નવલકથા છે. એમાં તેમણે રાષ્ટ્રીય ઉત્થાન માટે ચાલી રહેલી જાગૃતિ, અસ્પૃશ્યતાનિવારણ, સત્યાગ્રહ ઇત્યાદિ અનેક પ્રવૃત્તિએ સાંકળી લીધી છે, અને ગાંધીયુગમાં લેાકહેયને સ્પશી રહેલાં અહિંસા, સત્યાગ્રહ, દેશપ્રેમ, વિશ્વબંધુત્વ વગેરે જીવનમૂલ્યાના પુરસ્કાર કર્યાં છે. એમણે એ નવલકથાની ભૂમિકા તરીકે યોગ્ય રીતે જ સત્યાગ્રહ પ્રવૃત્તિને સમય પસંદ કર્યો છે, અને એ સમયનું સુરેખ, અકૃત્રિમ વાતાવરણ ઉપસાવ્યું છે. એમાં અરુણુ અને રંજનાની કથાના મુખ્ય પ્રવાહ છે. રાષ્ટ્રીય આંદોલનની ભૂમિકા પર બ ંને પાત્રોને આંતરવિકાસ વાર્તાકારે કુશળતાપૂર્વક નિરૂપ્યા છે. અરુણે આંખ ગુમાવી એ અંતિમ ઘટના કરુણ છે ખરી, પણુ અરુણ જેવા ભાવનાશાળી વીર યુવાન આંખા ગુમાવવાને કારણે સમગ્ર જીવન હારી બેસે, અને આપઘાત કરવા પ્રયત્ન કરે એ કરુણતા જ વેધક છે. પણ વાર્તાકારે નવલકથાના અંત કરુણ-મંગલ આણ્યા છે. વાર્તાકારની રુચિ મહદંશે નવલકથાને સુખાંત બનાવવા પ્રત્યેની છે. કલાના ભાગે પણ . એ કથાને સુખાંત બનાવવા પ્રેરાતા હેાય તેનું કૅાકિલા’ જેવી નવલકથામાં સહજ ઉડ્ડાહરણ જડશે. ‘દિવ્યચક્ષુ'માં અરુણુનાં ચક્ષુ ગયાં એ કરુણાંતમાં લેખકે મંગલતાના તાંતણા સફળતાપૂર્વક ગૂંથી લીધેા છે. આરંભમાં ચાંચલ્ય પ્રગટ કરતી, ફૂલફટાક લાગતી રંજના પણ અરુણ પ્રત્યેના પ્રેમને કારણે અને જનાર્દનની પ્રેરણાથી દેશસેવાની પ્રવૃત્તિમાં ભાગ લે છે અને વાર્તાકારે એની વીરતા, ત્યાગવૃત્તિ, સ્નેહભાવ ઇત્યાદિના વિકાસ અને વિવિધ અનુભવામાંથી પસાર કરાવીને દર્શાવ્યા છે. અરુણ અંધ બને છે અને ર ંજનનું સ્મરણ કર્યા કરે છે તે જોઈને પુષ્પા પાછી અરુણુની સાંપણી રંજનને કરે છે અને રજત અરુણુને આત્મહત્યાના પ્રયાસ નિષ્ફળ કરી તેનામાં નવું ચેતન પ્રગટાવે છે; તેની પ્રેરણા અને સાચા અર્થમાં સહધર્મચારિણી બની રહે છે. વાર્તાકારે નાયકનાયિકાની આંતરયાત્રાના વિકાસની મનેાહર તસવીર આ કૃતિમાં આલેખી છે. આ નવલકથામાં તેમ જ તેમની અન્ય નવલકથાઓમાં પણ પતિપત્ની વચ્ચેના સભ્યભાવ તેમણે નિરૂપ્યા છે. પતિપત્ની વચ્ચે સ્વામીસેવકને ભાવ કદી તેમને આકર્ષી શકયો નથી. અને એથી જ એમનાં ગુજરાતના સંસ્કારી કુટુંબનાં સ્વચ્છ, સ્વસ્થ મધુર દાંપત્યનાં
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૮૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
| [ , ૪ ચિત્રો આપણને મળે છે. જગદીશ-કેડિકલા, શિરીષ-રોહિણી, અરુણ-રંજના એ બધાં જ યુગલે એમના સુમધુર દામ્પત્યથી વાચકોને આકર્ષી રહે છે.
દિવ્યચક્ષુ'માં રાજકીય પ્રશ્નની સાથે જ રાષ્ટ્રીય ઉત્થાન માટે મહત્ત્વને એવો અસ્પૃશ્યતાનિવારણને પ્રશ્ન તેમણે વણી લીધું છે. અરુણ અને રંજનની મુખ્ય કથા સાથે જનાર્દન-સુશીલાના પ્રેમની, લગ્નપૂર્વે સુશીલાને માતૃત્વની, જનાર્દન-સુશીલા વચ્ચે લગ્નમાં સામાજિક અંતરાયની અને જનાર્દનના પશ્ચાતાપની અને એ પશ્ચાત્તાપમાંથી પ્રગટતી તેની દેશસેવાની લગનીની કથાને ગૌણ પ્રવાહ ભળ્યો છે. સુશીલાના નવજાત શિશુને અંત્યજવાસમાં ધના ભગતના હાથે ઊછરવાનું આવે છે; અને ધના ભગતના પાત્ર દ્વારા વાર્તાકારે અસ્પૃશ્યતાના પ્રશ્નની છણાવટ કરી છે. ધના ભગત આ કથાનું મંગલપાત્ર છે. એમની ઈશ્વરશ્રદ્ધા અને જીવનફિલસૂફી એમના વ્યક્તિત્વને બરાબર ઉપસાવી આપે છે. વાર્તાકારે ગૌણ પાત્રોની વ્યક્તિગત વિશેષતા પણ કુશળતાથી તારવી આપી છે. ધર્મચુસ્ત, આખાબોલા ધનસુખલાલ, સરકારી અધિકારીને પુત્ર કંદર્પ, મેજિસ્ટ્રેટ રહીમ, પશ્ચિમી ઢબછબમાં રાચનારા કૃષ્ણકાન્ત એ બધાં જ પાત્રોના ચિત્રણમાં વાર્તાકારની કલા દીપી નીકળી છે. આ નવલકથાનાં લગભગ બધાં પાત્રો અંગ્રેજી સતનત સામેની સત્યાગ્રહની લડતને પોતપોતાના આગવા દષ્ટિકોણથી જુએ છે, માપે છે પણ અંતે એમાંનાં લગભગ બધાં પાત્રો દેશની સમગ્ર પરિસ્થિતિને નવા પ્રકાશમાં જતાં થાય છે અને એમનાં હૃદયપરિવર્તન થાય છે. દિવ્યચક્ષુ'માં હાસ્યરસની નોંધ વિના એની વિવેચના અપૂરતી ગણાય. રમણલાલમાં સર્ગિક વિનોદશક્તિ છે. એમને હાસ્યરસ બહુધા વાર્તાપ્રવાહની વચમાં વેરાયેલી વિચારકણિકાઓમાં પ્રગટ થતો રહે છે. લેખકની અવલોકનશક્તિની એ કણિકાઓ ઘાતક છે. “પૂર્ણિમા' જેવી નવલકથામાં એમની સમાજ-સમીક્ષા અવારનવાર વક્રોક્તિ રૂપે પ્રગટતી દેખાય છે. એમાં એમણે આલેખેલું રાજ શેઠનું ઠઠ્ઠાચિત્ર એમનામાં રહેલી હાસ્યકાર તરીકેની શક્તિનો પરિચય સહેજે કરાવી દે છે. વાર્તાકાર એમની નવલકથાના નાયકને મોટે ભાગે ધૂની અને વ્યવહારશન્ય ચીતરે છે. અને એમની વ્યવહારશન્યતાની મીઠી માર્મિક મજાક કરવા માટે ઘણી વાર તેમના અંગત મિત્રનું પાત્ર હોય છે. “પૂર્ણિમા'માં અવિનાશ બિલકુલ વ્યવહારશન્ય અને ભાવનાઘેલે છે. એને મિત્ર રજનીકાંત એને ભદ્રંભદ્રપણાની મજાક ઉડાવ્યા જ કરે છે. કેકિલામાં જગદીશની વ્યવહારશૂન્યતાની જુગલકિશોર મશ્કરી ઉડાવે છે. “દિવ્યચક્ષુ'માં તે વાર્તાકારે રીતસર હાસ્યરસ નિપન્ન કરવા માટે સાક્ષર વિલનનું પાત્ર કયું છે. એની રંજન પ્રત્યેની વેવલાઈ, વાતચીતમાં ચાવળાઈ, એની દાંભિકતા એ બધાને વાર્તાકારે કટાક્ષના સફળ નિશાન
Page #496
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[ ૪૮૭
બનાવ્યાં છે. વિલાયન દ્વારા લેખકે સમકાલીન સાક્ષરાના આડંબરની ઠેકડી કરી છે. વિલેાચનનું પાત્ર મુખ્ય કથાપ્રવાહમાં સમરસ બનીને એક નવું પરિમાણુ ઉમેરે છે. રમણલાલના વિનાની વિશેષતા એ છે કે એ સ્વચ્છ અને નરવા હાય છે. સહુ ક્રાઈ માણી શકે એવા તે નિર્દોષ અને મીઠા હૈાય છે. અલબત્ત એમની ઉત્તરવયમાં લખાયેલી 'પ્રલય' જેવી નવલકથામાં વાર્તાકારના વિનેદ આકરા કટાક્ષપ્રહારનું રૂપ ધરીને આવે છે. વાર્તાકારની ગુલાખી હાસ્યવૃત્તિ કટુતાભરી નુકંતેચીનીમાં પલટાઈ ગયેલી દેખાય છે.
ગ્રામલક્ષ્મી : ગાંધીયુગનુ એક સમ` કલાત્મક ચિત્ર જો દિવ્યચક્ષુ'માં છે તા ખીજુ એ જ યુગનું વિશાળ ફલક પર આલેખાયેલું ચિત્ર લેખકની ‘ગ્રામલક્ષ્મી' (ચાર ભાગ, ૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭)માં મળે છે. ગાંધીજીએ ગ્રામેાહાર વિના રાષ્ટ્રાદ્ધાર શકય નથી એ વાત લેાકેાને ઠસાવી હતી અને સંખ્યાબંધ કા કરી ગાંધીજીની પ્રેરણાથી ગામડાંમાં દટાઈ ગયા હતા. રમણુલાલે અશ્વિનમાં એવા કાર્યકર કલ્પ્યા છે અને ગાંધીજીને! ગ્રામેાહારના આદર્શ એના પ્રત્યક્ષ કા દ્વારા સિદ્ધ થતા બતાવ્યા છે. લાકકલ્યાણ માટે ગ્રામસેવા ઊભા કરવાની કલ્પના પ્રથમ વાર ‘સરસ્વતીચંદ્ર' નવલકથામાં ગેાવર્ધનરામે કરી. પણ સરસ્વતીચંદ્ર કલ્યાણગ્રામને! માત્ર નકરો! કરીને અટકી ગયા. રાષ્ટ્રના ઉત્થાન માટે એ યેાજનાની દિશા સાચી હતી. પણ સરસ્વતીચંદ્રની વાત માત્ર ઉત્તમ ભાવનારૂપે જ પ્રગટ થઈ. એની યાજનાના અમલ થઈ શકયો નહિ. ગાંધીયુગમાં સેા મણુ વિચાર કરતાં પણ રતીભાર આચરણના — સક્રિયતાને મહિમા થયે અને નવલકથાઓમાં પણ પાત્રા માત્ર વિચારક બની ન રહેતાં રચનાત્મક કાર્યમાં પ્રવૃત્ત થતાં દેખાવા માંડયાં. ‘ગ્રામલક્ષ્મી'માં એન્જિનિયર બનીને નેકરી વિના નાસીપાસ થયેલા અશ્વિન પેાતાને ગામડે પાછે! આવ્યા અને ઘેાડાક માનસિક સંધર્ષ પછી ગ્રામલક્ષ્મીની પ્રેરણાથી ગ્રામેાધારના કાર્યોંમાં લાગી ગયા, ગ્રામે દ્વારા વિશાળ કાર્યકમ સિદ્ધ થતા દર્શાવવા માટે નવલકથાને એકાદ ભાગ પર્યાપ્ત થયા નહિ, ગ્રામસમાજની સંખ્યાબંધ સમસ્યાઓની છણુાવટ કરવા માટે અને ગ્રામાદ્વાર માટે સરકારી કે ગાંધીચીંધ્યે રાહ કે સામ્યવાદ એ પ્રશ્નની વિગતે ચર્ચા થઈ શકે તે હેતુથી લેખકે ‘ગ્રામલક્ષ્મી'ના ચાર ભાગ પ્રકટ કર્યા. રમણલાલની એ મહત્ત્વાકાંક્ષી નવલકથા છે પણુ કથાનું મુખ્ય વક્તવ્ય સુદી અને અપ્રસ્તુત ચર્ચાઓમાં રાળાઈ ગયું છે. વાર્તાકાર પાતે પણ આ ક્ષતિ અંગે સભાન છે. એથી ‘ગ્રામલક્ષ્મી'ના ચેાથા ભાગની પ્રસ્તાવનામાં (ઈ. ૧૯૩૭) એ અદેશા વ્યક્ત કરે છે ‘ગ્રામલક્ષ્મી' જેવી લખાણભરી નવલકથાનાં તત્ત્વે ચૂંથાઈ ગયાં હાય
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૮૮ ]
ગુજરાતી સાહિત્યનેા ઇતિહાસ
[ચ. ૪
–
-
એ શકય છે. અતિશય લખાણુ એ જ એક કલાવિરોધી તત્ત્વ બની જાય, દુનિયામાં વિપુલ કદની નવલકથા નથી લખાઈ એમ નથી. વિસ્તાર એ નવલકથામાં દેષ જ છે એમ પણ નથી. કથામાં લંબાણુ આવશ્યક બલકે અનિવાર્ય છે કે નહિં અને લખાણ કલાતત્ત્વાને અળપાવી દે છે કેમ એ અગત્યના પ્રશ્ન છે. ગ્રામલક્ષ્મી'ની કથા વિશે લેખકના અંદેશા · ભય સાચા છે - ખાસ કરીને ચોથા ભાગની બાબતમાં. એ અંતિમ ખંડ ગાંધીવાદ અને સામ્યવાદની ચર્ચાએથી ખચિત થઈ ગયા છે. વાર્તાકારની જે એક મેાટી મર્યાદા, વાર્તાપ્રવાહને અવરોધીને પેાતાનાં નિરીક્ષણા મખલકપણે વેરવાની, તે અહીં પરાકાષ્ઠાએ પહેાંચી છે. વાર્તાકાર પેાતાની કૃતિમાં જીવન વિશે કે જગત વિશે પેાતાનાં મંતવ્યા કે સમીક્ષાએ મૂકે તે સામે ભાગ્યે જ વાંધા લઈ શકાય. કાઈ પણ કલાકૃતિ લેખકના જીવન—જગત વિશેનાં મૂલ્યેાથી રહિત હાઈ શકે નહિ. સાહિત્યમાં જીવનમીમાંસા પ્રગટયા વિના રહેતી નથી. અલબત્ત સર્જકના એ અધિકાર માન્ય રાખ્યા પછી પ્રશ્ન એ મીમાંસા પ્રગટ કરવાની પદ્ધતિ બાબત ઊભા થાય છે. ઔચિત્યની દૃષ્ટિએ જ એને વિચાર થવા ઘટે.
રમણલાલની નવલકથામાં ઘટના અને નિરીક્ષણા એકસાથે જ ચાલ્યા કરે છે, એમણે વાર્તાની વચમાં વેરી મૂકેલાં સુવાકયોનું ‘સુવર્ણરજ' નામે દળદાર પુસ્તક પણ સ ́પાદિત થયુ છે. એટલે રમણલાલનાં સુવાકયો અને જીવનનરીક્ષણા લેકપ્રિય નીવડચાં નથી એમ તા નહિ કહી શકાય. લેખકના એમાં જીવન વિશેના વિશાળ અનુભવ અને ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજકારણ, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્રના સ્વાધ્યાય છલકાય છે. એમની નિરીક્ષણુશક્તિને પણ તેમાં પરિચય થાય છે. એમની આ સમીક્ષાએ કેટલીક વાર એમના સુંદર ગદ્યના પણ આસ્વાદ કરાવે છે. એમાંની વિનેાવૃત્તિ તા ઘણા બધા વાચાને પ્રસન્ન કરી શકી છે અને એમાંની વક્રોક્તિ પણ આસ્વાદ્ય હેાય છે. ટૂંકાં સૂત્રાત્મક વાકયો દ્વારા કેટલીક વાર લેખક સાંપ્રત યુગના પ્રશ્નો પર વેધક પ્રકાશ નાખે છે. રમણલાલની નવલકથામાં કારેક ઉત્તમ વિચારણા આસ્વાદ્ય બને છે ખરી પણ દરેક ઘટના વિશે પણ તે પેાતાનું મંતવ્ય આપવામાં ઉદારતાથી' પ્રવર્તે છે ત્યારે બુદ્ધિશાળી વાચકને તા ત્રાસ જ થાય છે. ઘણી વાર એમનાં વિધાના અતિવ્યાપ્તિના દોષવાળાં હેાય છે અને લેખકના વિચારક તરીકેના સ્તર વિશે પણ વિચાર આવે છે. કેટલીક વાર તા એમની નવલકથાઓમાં પાનાં ભરીને આવી વિચારણાઓ પ્રગટ થઈ છે અને ગ્રામલક્ષ્મી' નવલકથાને હાનિ પહેાંચાડવામાં એમની નિબંધાત્મક વિચારણાઓને મેાટા ફાળા છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨ ]
રમણલાલ દેસાઈ
[ ૪૮૯
‘ગ્રામલક્ષ્મી’માં વાર્તાકાર અંતિમ ધ્યેય નિશ્ચિત કરી રાખીને જ ઘટનાઓને ગણતરીપૂર્વક આલેખે છે અને પાત્રા પણ તેમના સંદેશવાહક જેવાં બની રહે છે. અશ્વિનને વાર્તાકારે આદર્શી ગ્રામસેવક મનાવવાના મનેરથ સેવ્યા છે. એટલે ગ્રામેાદ્વારની સવ પ્રવૃત્તિમાં નેતાગીરી એના હાથમાં જ રહે તેવી ચેાજના તેમને કરવી પડી છે. આદર્શ ગ્રામસેવકની હેસિયતથી તે બ્રહ્મચર્યના સંકલ્પ પણ કરે છે! તેમ છતાં સમગ્ર કથામાં તેનુ ં મહાન સમાજસેવક તરીકેનું કાઠુ પ્રગટતું નથી. એનાં કાર્ય વાર્તાકારથી પ્રેરાતાં હૈાય તેમ લાગ્યા કરે છે. આશ્ચર્યની વાત તે એ છે કે આવા મહાન કાર્યક્રમમાં અશ્વિનના માર્ગમાં કાઈ ભારે સંઘ આવતા નથી. એને ઘણા બધાને સહકાર અનાયાસે જ મળી રહે છે. અને લેખકની યેાજના મુજબ ગ્રામેાહારનું સ્વપ્ન અશ્વિન દ્વારા આસાનીથી સિદ્ધ થઈ જાય છે. અશ્વિનના મુખ્ય પાત્ર કરતાં તા મહેરુનું પાત્ર વિશેષ આકર્ષીક અને પ્રતીતિકર લાગે છે. અશ્વિનને પેાતાના ગામમાં પ્રવેશ થયે। ત્યારથી જ મહેરુને તેને પરિચય થાય છે. અને એ પછી સાઘત તે અશ્વિનના કાર્યમાં સહભાગી બને છે. પણ એનાં કાર્યમાંથી એના વ્યક્તિત્વની ખાસિયતા બરાબર પકડી શકાય છે. અન્ય નવલકથાઓમાં વાર્તાકારે યાજ્ગ્યા છે તેવા પ્રેમત્રિકાણુ અહીં પણ યોજવા પ્રયત્ન કર્યાં છે. પણ આત્રિકામાંથી કાઈ સ ધર્યાં ઉદ્ભવતા નથી. તારા છેવટે સ્થૂલ પ્રેમમાંથી મુક્ત થઈ દેઢાપભાગ વિનાના સૂક્ષ્મ પ્રેમની આખેાહવામાં તરવા માંડે છે, ‘ગ્રામલક્ષ્મી’માં વાર્તાકારને સહુથી ભારે મુશ્કેલી તે। ભાષાની છે. ગ્રામપ્રદેશનું વાસ્તવિક વાતાવરણ પ્રત્યક્ષ કરાવવા માટે ગ્રામપ્રદેશની તળપદી ખેાલી આવશ્યક ગણાય. તે મૂડી ા લેખક પાસે છે નહિ. પાત્રાચિત એટલી વિના અને ગ્રામજીવનના તહેવારા-વહેવારાના ઋતુચક્રાના નિરૂપણુ વિના તેમ જ ગ્રામજીવનમાં પડેલી સંકુચિતતા, ઈર્ષ્યા, દ્વેષ અને અન્ય બદીઓના ચિત્રણ વિના આ નવલકથામાં યથાયિત વાતાવરણુ સરાતું દેખાતુ નથી. વાર્તાકારે ગાંધીજીના પ્રોાધેલા ગ્રામે હારના કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક આ દળદાર નવલકથામાં નિરૂપ્યા છે. પણ વાર્તાકલા સાથે લેખકની એ વિશેની ભાવનાના વિનિયાગ થઈ શકયો નથી એ સ્પષ્ટ છે.
‘પૂર્ણિમા’ નવલકથા વિષયની દૃષ્ટિએ તેમની અન્ય સામાજિક નવલકથાએ કરતાં જુદી તરી આવે છે. તેમણે એમાં ગણિકાઓના પ્રશ્નની છણાવટ કરી છે. લેખકે આ નવલકથા પ્રગટ કરતાં પ્રસ્તાવનામાં એમાંના વિષય-વસ્તુને કારણે ખૂબ સંકાય અનુભવ્યા છે. લેખકને એ સાચ અર્થહીન છે. સાહિત્ય માટે કાઈ પણ વિષય સભ્ય કે અસભ્ય છે જ નહિ, કલા નીતિનિરપેક્ષ છે. કાઈ પણ વિષય
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૯૦]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચિં . ૪ કલાકૃતિ રૂપે પ્રગટ થઈ શક્યો હોય તે બસ છે. વાર્તાકારે પસંદ કરેલ વિષય સાચે જ નવીન અને આકર્ષક છે. અને એમનું શુભ પ્રયોજન એ છે કે “પતિતાઓ પ્રત્યે જગતની સહાનુભૂતિ ખુલ્લી રીતે પ્રદર્શિત થવા લાગી છે. અને તેમના ઉદ્ધાર માટે કઈ કઈ પ્રયત્ન પણ થઈ રહ્યા છે. એવી સહાનુભૂતિ અલ્પાંશે પણ વધે એ ઉદ્દેશથી “પૂર્ણિમાના વિષયની પસંદગી મેં કરી છે.” (પહેલી આવૃત્તિની પ્રસ્તાવના, ૧૯૩૨).
વાર્તાકારે કથાવિષય નવો – વણખેડાયેલો પસંદ કર્યો છે. પણ તેમની નિરૂપણરીતિ અગાઉની નવલકથાઓમાં છે તેવી જ રૂઢ છે. કથાનાયકને કંઈ ને કંઈ લગની અથવા ધૂન હોય છે. હૃદયનાથને વ્યાયામની લગની હતી, ગૌતમને યુદ્ધની લગની હતી. અરુણને દેશભક્તિને નાદ લાગ્યો હતો, અશ્વિનને ગ્રામલક્ષ્મીની સ્થાપના કરવી હતી. અવિનાશને પતિતોદ્ધારની ધૂન છે. અલબત્ત એની આ ધૂન પાછળ રાજેશ્વરીના સૌંદર્યનું આકર્ષણ કેટલું અને ગણિકાઓના ઉદ્ધાર માટેની ભાવના કેટલી તે માનસશાસ્ત્રીય તપાસનો વિષય બની શકે. રમણલાલની અનેક નવલકથાઓમાં સંકલના શિથિલ અને કેટલીક ઘટનાઓ અપ્રતીતિકર લાગે છે. એ સમયનાં સામયિકોમાં એ ધારાવાહી રૂપે પ્રગટ થતી હતી. અને તરત પુસ્તકરૂપે પ્રસિદ્ધ થતી હતી. એટલે એમને ફરી એ જોઈ જવાને સમય રહે નહોતો એવું કારણ તેમણે પોતે પણ “સ્નેહયજ્ઞ'ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે. “પૂર્ણિમા પણ આ દેષથી મુક્ત નથી. એક તે અવિનાશ જેવો ઉચ્ચ કુટુંબને નબીર એના મિત્ર રજનીકાન્ત સાથે ગણિકાવાસમાં જાય અને ત્યાંના ચોકીદાર હબીબ સાથે મારામારી થાય, છરાબાજી થાય એવી ઘટના ઝટ ગળે ઊતરે તેવી નથી. પણ એથી વિશેષ મોટી વાત તો એ છે કે પદ્મનાભ જેવો કુશળ વકીલ રાજેશ્વરી પિતાની જ ભાણેજ છે તે ઘટનાથી છેક સુધી અંધારામાં રહે અને રાજેશ્વરીને રખાત તરીકે રાખવા તૈયાર થઈ જાય એ કેને સંભવિત લાગે ? આ નવલકથામાં વ્યક્તિસ્વાતંત્રય અને રૂઢિચુસ્ત સમાજ વચ્ચે તીવ્ર સંઘર્ષની શક્યતાઓ હતી. અવિનાશને રૂઢ સમાજ સામે પડકાર ફેંકતે અને તેની સામે ટક્કર ઝીલત બતાવી શકાય એવી સામગ્રી આ કથાવસ્તુમાં હતી. પણ લેખકને પિતાના કથાનાયકે ઝંઝાવાત સામે છે, વિષમ પરિસ્થિતિઓને સજન્ડ પ્રતિકાર કરે, કષ્ટ વેઠે, એવું કદાચ ઈષ્ટ નથી. એમના હદયનાથ, અશ્વિન, શિરીષ, અવિનાશ એ બધા એ રીતે સુંવાળા જણાય છે. અવિનાશનાં માતાપિતા શરૂમાં વિરોધ કરે છે પણ પછી પુછાને વશ વર્તે છે. અને સામાજિક ઘર્ષણ ડુંક થાય છે ખરું પણ અવિનાશ આસાનીથી એમાંથી મુક્ત થઈ જાય છે. રાજેશ્વરીને પાત્રચિત્રણમાં લેખકનું કૌશલ ધ્યાન ખેંચી રહે છે. ખાસ તે એને સંયમી વર્તાવ અને એની
Page #500
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨] રમણલાલ દેસાઈ
[ ૪૯૧ શાલીનતા સ્મરણીય છે. તેને લેખકે ગણિકા ક૯પી છે, પણ નથી એનામાં લઘુતાગ્રંથિ કે નથી ગણિકાના જીવનમાં જોવા મળતી અશ્લીલતા – બીભત્સતા. લેખકે નજાકતથી એના અંતરની શ્રી પ્રગટ કરી છે. ગણિકા વિશેની આ નવલકથામાં તેમણે ઘટનાઓને આલેખનમાં કે ગણિકાઓનાં વર્ણનમાં કયાંય સુરુચિને ભંગ થવા દીધું નથી. તદુપરાંત સામાજિક અનિષ્ટ પર એમની મર્માળી વિવેચના પણ વિચારપ્રેરક છે. ખાસ કરીને રજનીકાંતના પાત્ર દ્વારા તેમણે એ પ્રજન સફળ રીતે પાર પાડયું છે. રાજા શેઠ જેવા સમાજના દંભી, બદમાશનું પાત્ર એમના કટાક્ષનું સારું નિશાન બને છે. “પૂણિમા'માં લેખકની કટાક્ષકલાને ખીલવાને સારે અવકાશ મળ્યો છે. વાચકેનું કુતૂહલ સાવૅત જાળવવા માટે તેમણે શિવનાથ શાસ્ત્રીનું રહસ્યમય પાત્ર રચ્યું છે. વાચકેના મનોરંજન માટે તે એમની ઠગ', “જયંત', જેવી આરંભની નવલકથાઓથી જ એકાદ ભેદી પાત્ર જવાની તરકીબ અજમાવતા રહ્યા છે. “જયંત, શિરીષ', “સ્નેહયજ્ઞ” અને બીજી અનેક નવલકથાઓમાં તેમની આ રીતિ જોવા મળે છે. પણ કેટલીક વાર એ પાત્રના વર્તન-વહેવારની રીત અથવા એ પાત્રની આસપાસ વીંટળાયેલું રહસ્યનું જાળું પ્રતીતિકર બનવાને બદલે તેમની વાર્તાકલાને હાનિ પહોંચાડે છે. જેમ કે “ભારેલો અગ્નિ'માં રુદ્રદત્ત જેવા એક ગુજરાતી બ્રાહ્મણના જીવનની આસપાસ તેમણે જે પડદે ર છે, તેમને એક ક્રાંતિકારી સેનાપતિ તરીકે કશ્યા છે, પરદેશ સાથે તેમના છૂપા સંબંધે સૂચવ્યા છે અને અંતે એ બધામાંથી નિવૃત્ત થઈ ગાંધીજીની ફિલસૂફી ઉચ્ચારે છે ને આચરે છે, – આ બધું સત્તાવનના સંગ્રામને સંદર્ભ જોતાં સુસંગત નથી લાગતું. કોકિલા'માં જુગલકિશોરનું પાત્ર કુશળતાથી ચીતરાયું છે. તેમ છતાં એ જ પાત્ર રશ્મિ, જુગલકિશોર અને નાથબાવા એમ ત્રણ રૂપે પ્રગટે છે. અને એ રીતે ભેદનું વાતાવરણ લેખક ઉપજાવવા માગે છે, પણ તે વાસ્તવિક નથી લાગતું. પૂર્ણિમા'માં શિવનાથ શાસ્ત્રી એવું ભેદી પાત્ર છે. પદ્મનાભ વકીલની બહેન નારાયણને એ સંસ્કૃત શીખવતાં તેના પ્રેમમાં લુબ્ધ બની તેને શિયળ ભંગ કરે છે અને પછી પશ્ચાત્તાપથી પીડાઈને દૂર તીર્થધામમાં ચાલ્યા જાય છે. નારાયણી એમની પ્રતીક્ષા કરીને થાકીને છેવટે ગણિકાનો વ્યવસાય સ્વીકારે છે. વર્ષો પછી શિવનાથ પશ્ચાત્તાપથી પુનિત થઈને નારાયણ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પણ તેને ગણિકા થઈ ગયેલી જોઈ લગ્ન માટે અનિચ્છા વ્યક્ત કરે છે અને રોષે ભરાયેલી નારાયણીની લાત પામે છે. એમના આ પૂર્વજીવન પર અંધારપટ છે. પણ અંતે એ પોતે જ રાજેશ્વરીના પિતા છે તે રહસ્ય છતું થાય છે. અને એમની પ્રેરણા અને સહાયથી જ, અને અલબત્ત નારાયણના ઊલટભર્યા સહકારથી અવિનાશનું રાજેશ્વરી સાથેનું લગ્ન શક્ય બને છે. “ પૂર્ણિમા” એક પ્રશ્નકથા છે
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૯૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
અને સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને વાર્તાકારે લેકરંજન માટે ઠીકઠીક સામગ્રી એમાં પીરસી દીધી છે. પૂર્ણિમા” એમની અન્ય નવલકથાઓ જેટલી જ રસપ્રદ બની શકી છે.
રમણલાલની અનેક નવલકથાઓમાં ભારેલે અગ્નિ (ઈ. ૧૯૩૫) કંઈક નવી તરાહ પ્રગટ કરે છે. રમણલાલે એમની આ નવલકથામાં અઢારસે સત્તાવનના સંગ્રામની ભૂમિકા લીધી છે. એ સંગ્રામમાં આપણા દેશના નવયુવાનોએ કેવી ખુમારી, શરવીરતા અને ખેલદિલી દાખવ્યાં તેનો પ્રેરક ચિતાર છે. ગૌતમ અને મંગળ પાંડેનાં પાત્રોની કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રભક્તિ વાચકને સ્પર્શી જાય તેવી રીતે નિરૂપાઈ છે. અંગ્રેજ સરદારને કાળાઓ પ્રત્યે તિરસ્કાર, એમની જોહુકમી, એમનું હિચકારાપણું ઇત્યાદિનાં રસિક ચિત્રો તે એમાં છે જ; પરંતુ લેખકે અંગ્રેજોની શિસ્તભાવના અને નીડરતાને પણ બિરદાવી છે. આ સમગ્ર સંગ્રામ દેશી સૈન્યના આગેવાનીમાં એકબીજા પ્રત્યે અવિશ્વાસ, તેમ જ સ્વાર્થ અને કુસંપને કારણે અંતે કેવો નિષ્ફળ નીવડ્યો તેને ચિતાર આકર્ષક છે. અંગ્રેજ અને ભારતના સૈનિકોને સંગ્રામની વચમાં વાર્તાકારે સમગ્ર વિશ્વને અહિંસા, શસ્ત્રસંન્યાસ અને સ્ત્રી સન્માનનાં મૂલ્યોનું ઉબોધન કરતા રુદ્રદત્તનું પાત્ર ઉપસાવ્યું છે. અહિંસાની ભાવના ભારતમાં યુગજૂની છે, પરંતુ રાજકારણમાં અહિંસા અને શસ્ત્રસંન્યાસ વગેરે મૂલ્ય મહદ્દઅંશે વીસમી સદીમાં વિકસ્યાં. ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાને વ્યાપક પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં અને પછી ભારતમાં વીસમી સદીમાં કર્યો. રુદ્રદત્તનું પાત્ર વાર્તાકારે ગાંધીજીને નમૂના પર રચ્યું હોય એમ જણાઈ આવે છે. પણ એમણે જે સમયગાળે નવલકથાની ભૂમિકારૂપે પસંદ કર્યો છે તે સમયગાળામાં રુદ્રદત્તની ભાવનાઓ અને એમનાં યુદ્ધ વિશેનાં મંતવ્ય અજુગતાં લાગે છે. વાર્તાકારની ભાવનાશીલતા એમને આ અસંભવિતતા તરફ ખેંચી ગઈ છે. આ સંગ્રામમાં ગુજરાતની પ્રજા ખાસ સંડોવાઈ નહતી તેમ છતાં ગુજરાતને એમણે સંગ્રામના એક મહત્ત્વના મથક તરીકે વર્ણવીને રદત્તને ક્રાન્તિવીરોના આચાર્ય પદે સ્થાપ્યો છે. એમાં એતિહાસિક ઘટનાઓ પ્રત્યે તેમણે અજુગતી છૂટ લીધી છે એવી ટીકા ખોટી નથી. “ભારેલે અગ્નિ માત્ર યુદ્ધની રમ્યગાથા નથી. એ નવલકથામાં રુદ્રદત્તની પૌત્રી તરીકે આશ્રમમાં ઊછરતી વાછરડા જેવી કલ્યાણ અને ગૌતમ સાથેના તેના અનુનયની કરુણમધુર કથા હદયસ્પર્શી છે. કલ્યાણ એના ગૌતમ પ્રત્યેના પ્રેમમાં જે ઉદાત્ત ભાવના દાખવે છે, ગૌતમને એ જે રીતે શૌર્ય માટે પ્રેરે છે તે કલ્યાણના સમગ્ર વ્યક્તિત્વને ઝળહળાવી મૂકે છે. વાર્તાકારે ગૌતમ-કલ્યાણના પ્રેમને સુખાંત બતાવ્યા
Page #502
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[૪૯૩
નથી તે કલાદષ્ટિએ યોગ્ય છે. યંબક, ધૂસી, પાદરી જેન્સન વગેરે ગૌણ પાત્રોનાં ચરિત્રની રેખાઓ પણ વાર્તાકારે બરાબર પ્રગટ કરી છે.
સમગ્ર નવલકથા એમાંની અસાધારણ અને હૃદયસ્પર્શી ઘટનાઓને કારણે, ચિત્તમાં સ્મરણીય બની રહે તેવાં વિવિધ પ્રકૃતિનાં પાત્રોથી, તેમ જ સચેટ ભાવનાભર્યા સંવાદને કારણે અને એમાંના પ્રેરક દૃષ્ટિકોણથી આસ્વાદ બની રહે છે.
રમણલાલની નવલકથાકલાને ચોથા દાયકામાં મધ્યાહ તપતું હતું. ગુજરાતમાં એ સમયે જાણે એ એકમાત્ર નવલકથાકાર હોય તેવી લોકપ્રિયતા તેમણે પ્રાપ્ત કરી લીધી હતી. રમણલાલની નવલકથાઓ એકસાથે કપ્રિય અને કલાત્મક બની રહી છે તેમની સર્જક તરીકેની સફળતા ગણાય. પણ એ પછીની નવલકથાઓમાં વાર્તાકારની કલા ઓસરતી જણાય છે. તેમણે તેમની ઐતિહાસિક નવલકથા “ક્ષિતિજ' (ઈ. ૧૯૪૧)માં એમની પ્રિય અહિંસાભાવના બે હજાર વર્ષ પૂર્વે પણ કેવી પુરસ્કાર પામતી હતી તેને ચિતાર આપે છે. એ સ્થળકાળની જે કંઈ અલ્પ-ઐતિહાસિક માહિતી લેખકે એકત્ર કરી તેને ભૂમિકારૂપે લઈને વાર્તાકારે આર્ય અને નાગ સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષની અને સમન્વયની તેમ જ વિદધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચેની ટકરામણ વર્ણવી છે. પણ વાર્તાને દેહ અ૫સત્ત્વ બની રહ્યો છે. વાર્તાકારને અદ્દભુત નિરૂપવાને શેખ અહીં ઠીક પોષાય છે, પણ એથી નવલકથા રોમાન્સના સીમાડા તરફ ખેંચાઈ જતી લાગે છે. વાર્તાનાં પાત્રોનું વલણ પણ અર્વાચીનતાના અણસારા આપનારું છે. ઉલૂપી કે કાંચનજધા પ્રાચીનયુગની સ્ત્રીઓને બદલે અર્વાચીન નારી હોવાની છાપ પાડે છે. અને સહુથી વિશેષ વાત તે, સુન્દરમે નેંધી છે તેમ, એ છે કે વાર્તાકાર એમની પ્રિય. અહિંસાની ભાવના માત્ર ગાંધીયુગની નહિ પણ ઠેઠ વેદકાળથી આર્ય પ્રજાની ઈષ્ટભાવના રહેલી છે એમ જણાવી તેને બચાવ કરવા પ્રેરાયા છે. ધારો કે એ ભાવનાની હયાતી આ જ રૂપમાં હોય તે પણ કથામાં તેની જે રીતની અભિવ્યક્તિ છે તે ચાલુ જમાનાના શાંતિવાદી માસ જેવી વિશેષ લાગે છે. અને વળી યુદ્ધ માત્ર અનાર્યલીલા” તથા “સર્જનમાં સંહાર ન હોય” એ દૃષ્ટિ આર્ય સંસ્કૃતિના જીવનદર્શન સાથે કેટલી અનુકૂળ છે તે પણ વિચારવાનું છે.” (ગુજરાત. સાહિત્ય સભાની કાર્યવાહી સને ૧૯૪૧-૪૨, પૃ. ૭૫)
રમણલાલે “ભારેલા અગ્નિમાં સત્તાવનના સંગ્રામમાં રુદ્રદત્તના પાત્ર દ્વારા અહિંસાના પ્રભાવની વાત પ્રગટ કરી હતી. એમની એ જ ભાવનાઘેલછા ક્ષિતિજ'માં તેમને ફરી ઈતિહાસવિરોધ તરફ ખેંચી ગઈ છે, તદુપરાંત લેખક
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૯૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
આ નવલકથામાં પ્રેમપ્રસંગમાં વધુ સ્થૂલતામાં સર્યા છે તે હકીકત પણ નોંધવી ઘટે.
૧૯૪૦ પછી રમણલાલની ભાવનામાં તેમ જ કલામાં ઓટ વરતાય છે. તેમણે ગાંધીજીની રાહબરી નીચે ગુજરાતનું – દેશનું ઉજજ્વળ, મંગલ ભાવિ કપેલું તે કપને જાણે કે ખંડિત થઈ હોય અને તેમનામાં નિરાશા અને વક્રતા વ્યાપી ગઈ હોય તેવું તેમની ઉત્તરવયની અનેક નવલકથાઓ વાંચતાં માલૂમ પડે છે.
છાયાન' (૧૯૪૧), ઝંઝાવાત (૧૯૪૮) અને તેમની છેલી “પ્રલય' નવલકથામાં તેનાં ઉદાહરણ મળશે. અલબત્ત એમની ભાવનાની ઉષ્મા “શોભના” (ઈ. ૧૯૩૯) નવલકથાથી જ થીજવા માંડતી દેખાય છે. એ નવલકથામાં ગુજરાતનું યૌવન કેવું વ્યર્થ બની ગયું છે અને યુવાનો સિનેમા તેમ જ ફેશનના પ્રભાવ નીચે આવીને કેવા પતંગવૃત્તિના બની ગયા છે, શિક્ષણના પ્રયોગો કેવા દષ્ટિવિહીન છે અને તેના કેવા સ્વાર્થ પટુ અને દંભી છે તે વક્રતાપૂર્વક દર્શાવવા તરફ જ તેમનું વલણ રહ્યું લાગે છે. એમની પ્રસંગ આલેખવાની રીત પણ અહીં નીરસ અને એકધારી રીતે વારંવાર અજમાયશને કારણે લપટી પડી ગઈ હોય તેવી લાગે છે. લેખકની કટાક્ષરીતિ પણ ધાર વિનાની બની ગઈ છે.
“છાયાન' (૧૯૪૧)માં સામાજિક જીવનની અદ્યતન ઘટનાઓનું નિરૂપણ છે. પણ “દિવ્યચક્ષુ'માં જે સાંપ્રત સમાજની ઘટનાઓનું તાજગીભર્યું ચિત્ર મળતું હતું તેને અહીં અભાવ વરતાય છે. વાર્તાકારે હડતાલે કે કેમી રમખાણેનાં ચિત્રો આપીને તેની પાછળ કામ કરતા લેકમાનસનું પૃથક્કરણ કર્યું છે તે તેમની અભ્યાસદષ્ટિનું નિદર્શક છે. તેમ છતાં સમગ્ર કથા કલાકૃતિ બની શકતી નથી. તેનું કારણ ઘટનાઓ વર્તમાનપત્રના હેવાલ જેવી બની ગઈ છે. લેખક એમાં અસાધારણતા કે ચમત્કારતા આણી શક્યા નથી, અને બીજુ કે તેમાં પાત્રો ધૂંધળાં આલેખાયાં છે. કોઈ પાત્રનું વ્યક્તિત્વ સ્પષ્ટપણે ઊપસતું નથી. તદુપરાંત રમણલાલ અહીં વાર્તાકાર મટીને ટીકાકાર તરીકે પ્રવર્તતા લાગે છે. સુન્દરમે યોગ્ય રીતે જ ટીકા કરી છેઃ “કલાકૃતિ કરતાંયે લેખકના પિતાના માનસના પ્રગટીકરણ તરીકે આ કૃતિ ખાસ મહત્વની છે. (ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી, ૧૯૪૧-૪૨, પૃ. ૭૯)
રમણલાલની ભાવનાસૃષ્ટિ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અને તે પછી દેશમાં વધતી જતી હિંસા, લાંચરુશવત, સત્તારી ઇત્યાદિને કારણે ખંડિત થઈ ચૂકી હતી. અને “ભના', 'ઝંઝાવાત” કે “છાયાનટમાં તેમના ચિત્તની નિરાશા વક્રતાપૂર્વક પ્રગટ થઈ હતી. પણ “પ્રત્ય'(૧૯૫૦)માં તો વાર્તાકારનું ચિત્ત સાવ
Page #504
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨] રમણલાલ દેસાઈ
[ ૪૫ નિરાશાવાદમાં ફંગોળાયું હોય તેમ સમગ્ર માનવજાતનું નખ્ખોદ કાપી નાખે છે. માનવજાતમાંથી તેમની શ્રદ્ધા જ ઊડી ગઈ હોય તેમ “પ્રલયમાં તેમને જાણે શાપ વરસે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ભારત સુધરશે, માણસ કંઈક પદાર્થ પાઠ શીખશે અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારત પણ ગાંધીજીના ચીધેલા માર્ગે જશે એવી લેખકની મંગલ ભાવના હતી. પણ દેશમાં અંધધૂધી અને રાજકારણની હીન ખટપટ અને ભષ્ટાચાર જોઈને તેમ જ સમગ્ર દુનિયામાં માણસની આંધળી શસ્ત્રદેટ અને સશક્ત સમૃદ્ધ દેશોની એકબીજાને ઘાતકી રીતે ભયાનક શસ્ત્રોથી રહે સીને ખતમ કરી નાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ જોઈને વાર્તાકારને માનવજાતનું ભાવિ ભેંકાર ભાસે છે. અને એમના ચિત્તમાં એ ભેંકાર અંગેની વૃત્તિમાંથી “પ્રલય' નવલકથા આકાર પામે છે. પ્રસ્તાવનામાં લેખકની આગાહી છે કે જે ઢબે આજનો જીવનપ્રવાહ વહી રહ્યો છે એ ઢબ જોતાં માનવપ્રલય બહુ દૂર દેખાતું નથી. (પ્રસ્તાવના, પૃ. ૮). વાર્તાકારે ઈસુના બે હજાર પાંચના વર્ષનો સમય કયો છે. એ દરમ્યાન ૧૯૭૫ થી ૧૯૮૦ સુધીના સમયગાળામાં ત્રીજી મહાભયંકર વિશ્વયુદ્ધ ખેલાઈ ચૂક્યું છે. એ પછી માનવજાતમાં જે દોષ રહ્યા છે તેમાં પણ વિજ્ઞાનધરી અને મુત્સદ્દી ધરીની બે છાવણીઓ એકબીજાની સાથે. સ્પર્ધા ખેલે છે અને છેવટે પ્રકૃતિનાં પરિબળો આગળ એ પણ અસહાય બને છે. મુત્સદ્દી ધરીને નેતા ડાર્લિંગ એના શત્રુના હાથે છરાને ઘા પામી મોત પામે છે, વિજ્ઞાનધરીને નેતા ચંદ્રહાસ પણ તેનું વિમાન અગ્નિમાં પડવાથી મરણ પામે છે. અને પૃથ્વી પરથી મનુષ્યજાતની હસ્તી નાબૂદ થઈ જાય છે. લેખક જણે કે રોષ અને વેદનાના ભાર નીચે અંતિમ ઉદ્દગાર કરે છે: “ઈસુના વર્ષ બે હજાર અને પાંચ છ પછી સને, સંવત, હિજરી અને શક હેલવાઈ ગયાં.” (પૃ.૩૧૯). આમ સમગ્ર માનવજાતના પ્રલય” સાથે નવલકથાને અંત આવે છે. લેખકે બે હજારની સાલ પછીનો સમયગાળે આ નવલકથામાં ભૂમિકા રૂપે લીધે છે અને ત્રીજા વિશ્વયુદ્ધ ઈ. ૧૯૭૫ થી ૧૯૮૦માં લડાઈ ચૂક્યું છે. એટલે તેમને વૈજ્ઞાનિક ઘટનાઓનું વિજ્ઞાને સર્જેલા ચમત્કારોનું આલેખન કરવાનું આવે છે. પણ વૈજ્ઞાનિક શાળાના નિરૂપણ માટે વાર્તાકારમાં વિજ્ઞાનના અભ્યાસથી આવતી સજજતા કે કલ્પના નથી. એટલે એમણે વૈજ્ઞાનિક સંશોધનને કારણે જે ચમત્કારક સગવડો ને સાધને ઊભાં થયાં તેનાં વર્ણનામાં તુક્કા જ ચલાવ્યા છે. દાખલા તરીકે ચંદ્રહાસ વિમાનમાં બેસીને ચંદ્રલોક સુધી પહોંચી શકે છે, અને ચંદ્રકિરણમાંથી સંજીવની લઈ આવે છે. વૈજ્ઞાનિક જોસેફના દિમાગમાંથી ઊર્મિઓને નાશ કરી નાખવા માટે બે સજીને શારડી મૂકીને ખોપરીને કરવા માંડે છે. વાર્તાકારે માનવજાતના ભાવિ વિશે જે નિરૂપણ કર્યું છે તેમાં પણ તેમના તરંગે જ છે. તેમની
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૯૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
ઈતિહાસદૃષ્ટિ ખેતી કરી છે. દાખલા તરીકે ઈ. ૧૯૬૦માં હિંદમાં ભારે રમખાણે ફાટી નીકળવાની કલ્પના કરી હતી. રશિયા અને ચીન અમેરિકા સાથે અથડી પડયાં તેવી ઘટના ક૯પી હતી. સને ઈ. ૧૯૭૫માં ત્રીજું વિશ્વયુદ્ધ કર્યું હતું.
સમગ્ર નવલથા સંકલનાની દૃષ્ટિએ તે વિશંખલ છે જ, પણ ભવિષ્યકાળ માટેની નવલકથા રચનાર પાસે જે ઊંડી દૃષ્ટિ, અભ્યાસ અને ઉચ્ચ ક૯૫નાશક્તિ જોઈએ તેને આમાં સદંતર અભાવ વરતાય છે. ને વાર્તાકારને ઉગ્ર ભાવ નવલકથામાં વારંવાર પુણ્યપ્રકોપરૂપે પ્રગટી નીકળે છે અને એ સંયમ પણ ચૂકી જતા દેખાય છે. એક જ ઉદાહરણ ટાંકીએ? ગાંધીના મૃત્યુ પછી “અહિંસા' શબ્દ તે લગભગ અદશ્ય થઈ ગયો હતો. રાજ્ય મેળવાય ભલે અહિંસાથી ! પરદેશી રાજસત્તાને દૂર કરી શકાય ભલે અહિંસાથી! પરંતુ રાજ્ય કરી શકાય – અહિ સાથી નહિ જ ! આમ અહિંસાના પ્રણેતાની છાંયે મોટાઈ મેળવી સત્તાની સંગીતખુરશી - musical chair ઉપર ચીટકી બેઠેલા રાષ્ટ્રડહોળુ પ્રધાનોએ ગાંધી ખૂની ગોડસેને ફાંસીએ ચઢાવી, બાપકાર જાહેરાત કરી અહિંસાને અરબી સમુદ્રમાં ડુબાડી દીધી હતી. આશ્રમોમાં બેસી ચાવળું ચિબાવલું બેલી આંખે ફાડી કે બંધ કરી પ્રાર્થનામાં પડેલાં “બાપુનાં બેઘલાંનું હિંસા વિરુદ્ધનું ટિટિયા માત્ર ઠરાવ કરી ઠંડું પડી ગયું.” (પૃ. ૨૩૪).
વાર્તાકારની કટુતા આ નવલકથામાં પરાકાષ્ઠાએ તે પહોંચી જ છે. પણ એ કટુતા પાછળ એમની રચનાત્મક દ્રષ્ટિ નથી, માત્ર શાપવાનું જ એમની કલમમાંથી પ્રગટે છે એ કઠે છે. માનવજાત એનાં અપલક્ષણે નહિ છેડે તો એ છેવટે આત્મવિનાશ જ નોતરશે એ ચેતવણું અલબત્ત સાચી છે. પણ એમણે જે રીતે “પ્રલય” નિરૂપ્યો છે તે રીત પાછળ વાર્તાકારનું તારણ્ય નથી. તેમના આક્રોશયુક્ત માનસને જ વિશેષ પરિચય આ નવલકથામાં થાય છે, | ગદ્યઃ રમણલાલની અનેક નવલકથાઓ એમાંનાં ઘટનાઓના આકર્ષક નિરૂપણથી, મનહર ચરિત્રચિત્રણથી, સમાજનાં તેમ જ ગૃહજીવનનાં મધુર–પ્રેરક ચિત્રાથી વિશાળ વાચકવર્ગને સત્કાર પામી શકી છે. રમણલાલની નવલકથાઓમાં વિપુલપણે વેરાયેલી વિચારકણિકાઓએ પણ ઘણા વાચકોને આકર્ષી છે. રમણલાલના ગદ્યમાં એમના વ્યક્તિત્વમાં છે તેવી કુમાશ, મધુરતા અને સંસ્કારિતા વરતાય છે. કેટલીક વાર એમની નાની નાની ઉક્તિઓ પણ માધુર્ય, લાઘવ અને ચાતુર્યને કારણે ચિત્તમાં અંકિત થઈ જતી હોય છે. વિનેદ અને કટાક્ષમાં તેમનું ગદ્ય ખીલી ઊઠે છે. “દિવ્યચક્ષુ'માં અરુણ આંખે ગુમાવી બેસે છે તે અને તે પછીના પ્રસંગોમાં તેમ જ “ભારેલો અગ્નિમાં રુદ્રદત્તના મૃત્યુના પ્રસંગનિરૂપણમાં
Page #506
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨] રમણલાલ દેસાઈ
[૪૯૭ તેમનું ગદ્ય હૃદયસ્પર્શી બન્યું છે. તેમ છતાં ગુજરાતના સમર્થ ગદ્યકારોની હરેળમાં રમણલાલ સ્થાન પામી શકે નહિ. મુનશીના ગદ્યમાં જે વેગ, તરવરાટ અને સામર્થ્ય છે તે રમણલાલમાં નથી, મેધાણુના ગદ્યમાં વરતાતું જેમાં પણ તેમના ગદ્યમાં નથી. રમણલાલનું ગદ્ય અનેક વાર, ખાસ કરીને એ વાર્તાની વચમાં પ્રવે-- શીને વિવિધ વિષયે કે પ્રસંગે પર ટીકાટિપ્પણું આપવા અધીર થઈ બેસે છે ત્યારે તે સાહિત્યને કશા ચમકાર વિનાનું સામાન્ય અને ક્યારેક તે ક્ષુલ્લક બની રહે છે. કેટલીક વાર પ્રાસાનુપ્રાસને સહારો લઈ એ સામાન્ય વિચારને ચમત્કારક રીતે રજુ કરવા આયાસ કરે છે ત્યારે તેમના ગદ્યની કૃત્રિમતા તરત છતી થઈ જાય છે. પ્રલય' નવલકથામાંથી એક ઉદાહરણ નોંધીએઃ “દુનિયાનું ભારે કમનસીબ છે કે ઇચ્છા નહિ છતાં કદી કદી નેતાઓને પણ સત્યવશ થવું પડે છે. પછી એ નેતા સૌરાષ્ટ્રનો સિંહ હય, મહારાષ્ટ્રને મુગટ હેય, ગુજરાતનું ગૌરવ હોય, બંગાળને બહાદુર હેાય, પંજાબનો પાર્થિવ હેય, મદ્રાસને મહામણિ હોય કે, બિહારને બજરમુષ્ટિ હાય ” (ચેથી આવૃત્તિ, ઈ. ૧૯૬૯, પૃ. ૩૦)
ઉપસંહાર : રમણલાલની નવલકથાકલાની આ ચર્ચા પછી અંતે એટલું કહી શકાય કે એમની ઘણી બધી નવલકથાઓમાં વસ્તુને વણાટ શિથિલ છે. અને કેટલીક વાર કૃતિના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચે પ્રમાણભાન પણ તે જાળવી શક્યા નથી. અનેક વાર પાત્રના પૂર્વજીવનને વિગતે આલેખવા જતાં તેમને અંતભાગના વર્ણનમાં ઉતાવળ કરવી પડી હોય ને કથાવસ્તુના તંત ક્યાંક અધ્ધર લટકતા રહી ગયા હોય તેમ બન્યું છે. “જયંત', “હૃદયનાથ', “ગ્રામલક્ષ્મી', પ્રલય” એ સર્વ આ રીતે જોતાં એમની કલાકચાશ દર્શાવનારી નવલકથાઓ છે. ઇતિહાસના પ્રેક્ષણવાળી “ઠગ” અથવા તે “ભારેલા અગ્નિ જેવી નવલકથામાં તેમણે ઈતિહાસની હકીકતો પ્રત્યે દુર્લક્ષ કરી, ઇતિહાસવિરોધ નોતર્યો છે. માનની હત્યામાં રાચનારા ઠગમંડળને તેમણે સિદ્ધાંતનિષ્ઠ અને દેશની સ્વતંત્રતા માટે ઝૂઝનારા રાજકીય ક્રાન્તિકારી મંડળ જેવાં દર્શાવવા પ્રયત્ન કર્યો છે. ભારે. અગ્નિમાં ૧૮૫૭ના સંગ્રામમાં તેમણે સ્વાતંત્ર્ય પ્રેમ, શસ્ત્રસંન્યાસ, સ્ત્રી-દક્ષિણ્ય, જેવા અર્વાચીન વિચારે અને ગાંધીજીની જીવનફિલસૂફીનાં ઉચ્ચારણે રદ્રદત્તના મુખે કરાવ્યાં છે. વાર્તાકારની ભાવનાઘેલછા તેમને અહીં અતાર્કિકતા સુધી
ચી ગઈ છે. આમ રમણલાલની નવલકથાઓમાં એમની કલાની અનેક મર્યાદાઓ છે. એમનું ગદ્ય પણ પ્રાણવાન નહિ તેમ છતાં રમણલાલની નવલકથાઓ, સાંપ્રતયુગનાં ચિત્રો અને શિષ્ટ રસિક કથાવિષયને કારણે ગુજરાતની પ્રજાને કામણ કરી શકી એ રમણલાલની વાર્તાકાર તરીકેની સફળતા છે.
ગુ. સા. ૩૨
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૯૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચિં. ૪ નાટકે
રમણલાલે એમના સાહિત્યજીવનની કારકિર્દીને આરંભ “સંયુક્તા' નાટક લખીને કરેલો. એમને રંગભૂમિ માટેનો રસ જીવંત હતા. રંગભૂમિના વિકાસ માટે તેમણે ઉચ્ચ અભિલાષાઓ પણ સેવી હતી. એમણે એ ભાવનાનું વર્ણન એમની આત્મકથામાં કર્યું છે: “સને ૧૯૧૫ની સાલમાં “સંયુક્તા' નાટક લખ્યું અને ભજવ્યું ત્યારે મનમાં અભિલાષાઓ જાગેલી ખરી કે નાટક લખી, અવેતન કલાકારે દ્વારા તેને ભજવી-ભજવાતી રંગભૂમિમાં પરિવર્તન લાવવું. ત્યારે અને આજ પણ મને રંગભૂમિની શક્તિ ઉપર ઘણે જ ભારે વિશ્વાસ હતો અને છે. કલાની દષ્ટિએ એમાં ઘણી શક્યતાઓ રહેલી મેં નિહાળી છે. વૈતનિક નાટક કંપનીઓનાં નાટકે મેં ખૂબ જોયેલાં અને તેમની ખૂબી-ખામી પણ મેં ખૂબ વિચારેલી. ખામીઓ દૂર કરી ખૂબીઓ વિકસાવી પશ્ચિમની રંગભૂમિની કક્ષાએ ગુજરાતી રંગભૂમિ આવે એવી અભિલાષાએ પશ્ચિમી નટનટીઓનાં જીવનચરિત્ર મેં ઠીકઠીક વાંચેલાં; રંગભૂમિ-થિયેટર તથા production આજન અંગેના પુસ્તકને પણ જોઈ ગયેલ; જૂનાં નવાં નાટકે પણ હું ઠીકઠીક વાંચી ગયેલો; અને રંગભૂમિના વિકાસ માટે કાંઈ કાંઈ વિચારો અને કલ્પનાઓ કરી રાખેલાં.” (“મધ્યાહનાં મૃગજળ'; પ્રથમ આવૃત્તિ, ઈ. ૧૯૫૬, પૃ. ૨૭૧)
રમણલાલે રંગભૂમિ વિશે પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ એવી ઠીકઠીક જાણકારી મેળવી હતી. “સંયુક્તા’ નાટકે એમનામાં નાટયલેખનપ્રવૃત્તિ માટે ઉત્સાહ પણ જગાવ્ય; અને “નવલકથાઓ લખવાની પ્રબળ સંજોગો ઊભા થયા ન હતા તે કદાચ હું નાટકશેલીને જ વળગી રહ્યો હેત.” – એમ લેખકે “અંજની' નાટકની પ્રસ્તાવનામાં નોંધ્યું છે (આવૃત્તિ બીજ, ઈ. ૧૯૩૯, પૃ. ૮). લેખકને નાટયપ્રવૃત્તિ માટે પ્રબળ ઉત્સાહ અને રંગભૂમિ વિશેની એમની સમજદારી પ્રશસ્ય હોવા છતાં નાટયસર્જન એ સમર્થ પ્રતિભાની અપેક્ષા રાખતી એક જુદી જ વસ્તુ છે. રમણલાલ નાટયસર્જનમાં નિષ્ફળ જ રહ્યા છે એ નિઃસંશય છે. એમનું “સંયુક્તા નાટક (૧૯૨૩) ભલે એક જમાનામાં ઠીકઠીક ભજવાયું હોય તે પણ વસ્તુસંકલનાની શિથિલતા, પાત્રનિરૂપણની કચાશ, સંઘર્ષના વિકાસને અભાવ, દીર્ધ અને વારંવાર નીરસ લાગે તેવા સંવાદ –એવી મર્યાદાઓ એમાં તરત વરતાય છે. આકર્ષક અતિહાસિક કથાવસ્તુને લેખક કલાત્મક નાટયરૂપ આપી શક્યા નથી. એમનું એ પછીનું નાટક “શંકિતહદય' (૧૯૨૫) એમાંના સાઘંત હાસ્યરસને કારણે લોકપ્રિય બન્યું હોય તથાપિ એ નાટકનું ગંભીર વસ્તુ હાસ્યરસના અતિરેકમાં કથળી ગયું છે. નાટકનાં પાત્રો કૃત્રિમ લાગે છે. કવિ ન્હાનાલાલનાં નાટકનાં પાત્રોની જેમ ભાવનાનાં ઉચ્ચારણ કરી જવાની કામગીરી તેમને
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[ ૪૯૯
ભાગે આવે છે. સંકલના શિથિલ છે અને ઘટનાએ અપ્રતીતિકર લાગે છે. અનંતરાય રાવળના શબ્દોમાં, “એનાં વસ્તુ તથા સંકલના અદેષ નથી. મુખ્ય વસ્તુ થા.. અને કાર્યાં વેગ ધીમેા છે.' ('સાહિત્યવિહાર', ઈ. ૧૯૪૬, પૃ. ૨૦૭) ‘અંજની’ (૧૯૩૮)માં પણ એમનાં અગાઉનાં નાટકના દોષ પ્રગટ છે. ફરી અનંતરાયનું એક મહંતવ્ય ટાંકીએ તાઃ “આવેશભર્યા સંવાદ, દિલ ધડકાવતા બનાવે, રસિક શૃંગારનાં દૃશ્યા, ‘કૅામિક' નામથી ધધાદારી રંગભૂમિને માનીતું થઈ પડેલું હાસ્યતત્ત્વ અને ગીતા એમનાં નાટકોનાં મુખ્ય લક્ષણા તે અંગ ખની ગયાં છે.” (એજન, પૃ. ૨૦૬) નાટકમાં ગીતાની આવશ્યકતા માટે તેમજ સ્વગતાક્તિ અંગે રમણલાલ આગ્રહી છે. એમનાં નાટકામાં એ બંને અગા વિપુલપણે પ્રગટ થતાં દેખાય છે. ‘અંજની'ની પ્રસ્તાવનામાં તેમણે નાંધ્યું છે : નાટકમાં યેાગ્ય સંગીતની ગૂ થણી, asides અને soliloquy—સ્વગતની રચના, અને પ્રવેશ દ્વારા યાાતા સમય સંકલનાના ઉપયોગમાં હું માનું છું. – પશ્ચિમની રચના અને તેના ભણકારા સમી કંઈક સુંદર ગુજરાતી નાટક રચનાએ પ્રત્યે ખૂબ સદ્ભાવ ધરાવતા હેાવા છતાં અને પશ્ચિમના કલાકારા પણ એ રચનાએ વ ગણે છે એમ મનાતુ હેાય તા તે ભૂલ છે.' (પૃ. ૯) ‘પરી અને રાજકુમાર' (ઈ. ૧૯૩૮), ‘તપ અને રૂપ' (ઈ. ૧૯૫૦), ‘ઉશ્કેરાયેલા આત્મા' (ઈ. ૧૯૫૪) તથા ખીજા કેટલાક એકાંકીસંગ્રહે! પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. એકાંકીને તે સુશ્લિટ આકૃતિમાં બાંધી શકયા નથી. જેમ ટૂંકી વાર્તામાં તેમ એકાંકીમાં પણ એમની બાંધણી શિથિલ જ રહે છે. વક્તવ્યને કલાત્મક રીતે રજૂ કરવાની તેમની અશક્તિ વાર્તામાં તેમ જ એકાંકીમાં તરત નજરે ચડે છે. એમને વિસ્તારથી જ વાત રજૂ કરવાનુ ફાવે છે. લાઘવના ગુણને અભાવ તેમની લગભગ બધી જ કૃતિઓમાં દેખાય છે. તેમનાં કેટલાંક એકાંકી રૂપક તરીકે પ્રતીત થાય છે. કેટલાંકમાં સામાજિક કટાક્ષ છે. એકાંકીમાં પણ ગીતા મૂકવાની પદ્ધતિ તેમણે અપનાવી છે. ‘પરી અને રાજકુમાર' તે। સંગીતરૂપક જેવું બની રહે છે. એમનાં એકાંકી ઘણુંખરું સંવાદેાથી આગળ વધતાં નથી. એમાં સોંઘર્ષના તત્ત્વ પર તેમની ખાસ નજર જ ન હેાય તેવી છાપ ઊઠે છે. કેટલાંક એકાંકીમાં તા વસ્તુખીજ (theme) પણ નાટયક્ષમ નથી લાગતું. અલબત્ત એમની વિનેદવૃત્તિને કારણે એમનાં કેટલાંક એકાંકી આસ્વાદ્ય બને છે. ઉશ્કેરાયેલા આત્મા' એ સાદ્યંત વિનાદ પીરસતું સરસ એકાંકી છે. કવિની તેમાં સારી વિડંબના છે. કુંવરજી દેસાઈ' અને ‘લાલા પટેલની લાયખરી' પ્રચારમાં સરી પડતી રચનાઓ છે. આ ઉપરાંત ‘પુષ્પાની સૃષ્ટિમાં' (૧૯૫૨), ‘કવિદ’ન’ (૧૯૫૭), બૈજુ બાવરા' (૧૯૫૯), ‘વિદેહી' (૧૯૬૦) જેવી નાટયકૃતિએ પણ એમણે આપી છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
૫૦૦]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ રમણલાલની સમગ્ર નાટ્યપ્રવૃત્તિને ખ્યાલ કરતાં સમજાય છે કે એ આ પ્રકારને ખેડવામાં સફળ થયા નથી. એમનું એક પણ નાટક કલાદષ્ટિએ ધ્યાનપાત્ર બનતું નથી. એમનાં નાટકે એટલે રંગભૂમિ પર ભજવાતાં નાટકની શિષ્ટ આવૃત્તિ. વાર્તાઓ
નવલકથાક્ષેત્રે નામના મેળવનારા રમણલાલે પ્રસંગોપાત્ત ટૂંકી વાર્તાને ક્લાપ્રકાર પણ ખેડ્યો છે. વીસમી સદીના ચેથા દસકામાં એમની નવલકથા-લેખનપ્રવૃત્તિ વેગથી ચાલી રહી હતી તે દરમ્યાન, એમના જ શબ્દ નોંધીએ તે ઃ કઈ કઈ વખત ટૂંકી વાર્તાઓ લખવાને પ્રસંગ માટે આવત– ખાસ કરીને કોઈ માસિકના તંત્રીની માગણી હોય ત્યારે.” (“ઝાકળ', ઈ. ૧૯૩૨, પ્રસ્તાવના). નવલકથાનું માધ્યમ તેમને વિશાળ પટ પર યુગચિત્રો આલેખવા માટે સારું માફક આવી ગયું હતું. પણ ટૂંકી વાર્તાને નાજુક પ્રકાર તેમને અનુકૂળ નીવડ્યો નથી. એમની પાસે વિષયનું વૈવિધ્ય આકર્ષક છે. પણ વિષયને કલાકૃતિને ઘાટ આપવામાં તે ભાગ્યે જ સફળ થયા છે. કથાપ્રવાહને અવરોધીને વિચારો ઠાલવવાની પદ્ધતિ તેમની નવલકથાઓમાં પણ કઠતી હતી. વાર્તામાં તે તે અસહ્ય બને છે. “દીવડી' (ઈ. ૧૯૫૧) જેવા વાર્તાસંગ્રહમાં તેમની આ વૃત્તિનું પ્રાબલ્ય. તરત ધ્યાન ખેંચે છે. એમના પ્રારંભને બે વાર્તાસંગ્રહ “ઝાકળ' (ઈ. ૧૯૩૨) અને પંકજ' (ઈ. ૧૯૩૫)માં તેમની સંવિધાનશક્તિનાં સારાં ઉદાહરણ પણ મળે છે. “આરબ પહેરેગીર (“ઝાકળ')માં મૃત્યુ પામેલા શેઠના બાળપુત્ર પ્રત્યે આરબની વફાદારીનું મનહર આલેખન છે. એ જ સંગ્રહમાં “પ્રભુને દરવાન, “સતીની દહેરી', “પિતરાઈ ઈત્યાદિ તેમની નીવડેલી વાર્તાઓ છે. “પ્રભુને દરવાનમાં તપસ્વીના જ્ઞાન કરતાં મંદિરના અબુધ દ્વારપાળ લક્ષમણની ભક્તિ ચડિયાતી છે તે વાત તેમણે ચમત્કારિક ઘટનાનું આલેખન કરીને સમજાવી છે. “સતીની દહેરીમાં સંજોગવશાત વિખૂટા પડેલા બે પ્રેમીઓની એકબીજા માટેની લગની અને સમર્પણની કથા છે. “પિતરાઈમાં બે પિતરાઈઓ વચ્ચેના કલહમાં પણ અંતે કુલીનતા કેવી પ્રગટી નીકળે છે તેની રસિક કથા છે.
પંકજ' વાર્તાસંગ્રહમાં પણ ખરી મા કલાત્મક વસ્તુગૂંથણીને કારણે તેમ જ આકર્ષક ચમત્કૃતિને કારણે આસ્વાદ્ય બની છે. બાળ કુસુમાયુધની મૂંઝવણને અને સાવકી માનાં સંવેદનને રસપ્રદ ચિતાર લેખક આ વાર્તામાં આપી શક્યા છે. “પુનર્મિલનમાં દામ્પત્યકલહ પછી પંદરેક વર્ષે આકસ્મિક માંદગી દરમ્યાન વિનોદરાય અને તેમની પત્ની રમાનું પુનર્મિલન સરજાય છે અને તેમને નવો સંસાર શરૂ થાય છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨ ] રમણલાલ દેસાઈ
[૫૦૧ જેમ નવલકથાઓમાં તેમ વાર્તાઓમાં પણ રમણલાલે ગુજરાતના સંસ્કારી ગૃહજીવનનાં ઉજજવળ-મધુર ચિત્ર આલેખ્યાં છે. ક્યારેક પ્રસન્ન દામ્પત્યમાં અહં કે ગેરસમજનું બુંદ પડી જાય છે, દામ્પત્યકલહ રચાય છે. પણ એ કલહને તીવ્ર બનાવવાનું લેખકને ઈષ્ટ નથી. આછીપાતળા સંધર્ષ પછી દંપતીજીવનમાં કેઈ ને કેઈ નિમિત્તે સમાધાનની ભૂમિકા રચાય છે – અને વળી તેમનું દામ્પત્ય પ્રસન્નતાથી અને પ્રેમના નવીન તેજથી ઝળકી ઊઠે છે.
રમણલાલની પ્રકૃતિને વાર્તાલેખનના આરંભકાળથી જ ચેરી-લૂંટ-ઉઠાઉગીરીને કારણે રચાતા ભેદભરમવાળી અથવા ભૂતપ્રેતની રહસ્યમય વાર્તાઓ રચવાનું ગમે છે. “ઠગ' અને “બંસરી' જેવી નવલકથાઓ તે ભેદભરમની આસપાસ જ ગૂંથાયેલી છે. એમની અન્ય નવલકથાઓમાં પણ કોઈ ને કાઈ રૂપે રહસ્યમયતા આવે છે. એમની વાર્તાઓ પણ એમના આ પ્રકારનું આલેખન કરવાના શોખથી મુક્ત નથી. પણ રમણલાલની આ પ્રકારની વાર્તાઓ ઘટનાની અપ્રતીતિકરતાની અને ધૂંધળીપણની છાપ ઉપસાવે છે. “ઝાકળ'માં “પરિવર્તનની ટૂંકી વાર્તા જોઈએ તે લેખકે તેમાં અવિનાશને એક જબરા ઉઠાવગીર તરીકે વર્ણવ્યો છે. કેઈ યુવતીની આંગળીમાંથી એ વટી સેરવી લે છે તે સમજી શકાય, પણ મબલક ઝવેરાતની ચોરીઓ તે કેવી રીતે કરે છે તે અધ્યાહાર જ રહે છે. “ભૂત” (“ઝાકળ') અથવા ચંદા જેવી વાર્તામાં લેખકે ભૂતપ્રેતના ચમત્કારનું નિરૂપણ કર્યું છે. પણ મૃતજીવની વાસના રહી જવાથી તેની અવગતિ થાય છે અને ભૂતપ્રેતની યોનિ તે ધારણ કરે છે એ પ્રચલિત માન્યતાથી લેખક આગળ વધતા નથી. અને ભૂતના ચમત્કારને પણ કલાઘાટ આપવાને બદલે અભુતરસની ઘટના વર્ણવીને જ લેખક સંતોષ માને છે.
રમણલાલની વિનોદવૃત્તિ એમની નવલકથાઓમાં – જેમ કે દિવ્યચક્ષુ'માં કવિ વિમોચનના ઠઠ્ઠાચિત્ર દ્વારા અને સમાજ, રાજકારણ, ધર્મ વિશેનાં કટાક્ષભર્યા નિરીક્ષણેમાં ઝળકી ઊઠી છે. ટૂંકી વાર્તામાં પણ તેમણે લેખક અને કવિઓને વાર્તાનાયક બનાવી તેમની પ્રાકૃતતાને પ્રગટ કરવા પ્રયત્ન કર્યા છે. પણ એમને કટાક્ષ બરાબર ખીલતા નથી અને વાર્તાનું કાઠું પણ બંધાતું નથી. ઘોડેસવાર” (“ઝાકળ')માં તેમણે હાસ્યરસિક કથા રચવાને સભાન પ્રયાસ કર્યો છે, પણ એમાં નિરૂપેલી ઘટના કૃત્રિમ લાગે છે.
પ્રયોજન પહેલેથી નક્કી કરીને એ પ્રયજન પાર પાડવા માટે વાર્તાકાર સભાનપણે ઘટનાઓ રચી હોય તેવી છાપ સંગ્રહાની સંખ્યાબંધ વાર્તાઓમાં ઊપસે છે. પ્રસંગોને તાલમેલ એમની અનેક વાર્તામાં જોવા મળશે. “હીરાની
Page #511
--------------------------------------------------------------------------
________________
૫૦૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ચમક' એ એમના છેલ્લા વાર્તાસંગ્રહમાં (ઈ. ૧૯૫૩) જે વાર્તા પરથી તેમણે સંગ્રહનું શીર્ષક હેર્યું છે તે વાર્તા તપાસીએ તો તેમાં શાહજાદ ઔરંગઝેબ ચુસ્ત ઈસ્લામધમી હાઈ વ્યસનને કદર વિરોધી છે. એક સાધુને તે તેના ભાંગના વ્યસન માટે ફિટકારે છે. સાધુ તેને આ ઘમંડ જોઈ ભવિષ્યવાણી ઉચ્ચારે છે કે એ શાહજાદે પણ એક દિવસ વ્યસનમાં પછડાશે. એ પછી ઔરંગઝેબ સૂબા તરીકે ખાનદેશ જાય છે. હીરા નામની દાસી સાથે પ્રેમસંબંધમાં આવે છે અને એ દાસી ઔરંગઝેબના પ્રેમના પારખા માટે તેને શરાબ પીવાની વિનંતી કરે છે. ડીક આનાકાની પછી ઔરંગઝેબ શરાબ પીવા તત્પર બને છે. સાધુની ભવિષ્યવાણી સાચી પાડવા માટે જ આ પ્રસંગ ગોઠવાયો હોય તેવી તરત છાપ પડે છે. “હીરાની ચમકી સંગ્રહમાં કદાચ એમની વધારેમાં વધારે અપકવ કૃતિઓ છે.
રમણલાલે નવ જેટલા વાર્તાસંગ્રહો આપ્યા છે. ઉપર નિર્દેશેલા સંગ્રહ ઉપરાંત “રસબિંદુ' (૧૯૪૨), “કાંચન અને ગેર' (૧૯૪૯), “દીવડી' (૧૯૫૧), ભાગ્યચક' (૧૯૫૨), “સતી અને સ્વર્ગ' (૧૯૫૩) અને “ધબકતાં હૈયાં' (૧૯૫૪) એમના અન્ય વાર્તાસંગ્રહે છે. પણ સમગ્રપણે જોતાં ઉચ્ચ કોટિના વાર્તાકાર તરીકે કઈ ખાસ કલાગુણ તે દાખવી શકતા નથી તેની પ્રતીતિ થાય છે. પિતાનું વક્તવ્ય સઘન રીતે સચોટતાથી કહેવાની એમને ફાવટ જ નથી. એમને ટૂંકી વાર્તા જેવ, લાઘવની અને સચોટતાની સહેજે અપેક્ષા રાખતો નાજુક કલાપ્રકાર અનુકૂળ ન નીવડે તે સ્વાભાવિક છે. કવિતાપ્રવૃત્તિ
રમણલાલની કવિતારચનાપ્રવૃત્તિના ફળરૂપે “નિહારિકા' (ઈ. ૧૯૩૫) અને શમણાં (ઈ. ૧૯૫૮) એ બે કાવ્યસંગ્રહ પ્રગટ થયા છે. એમાં મહદંશે એમનાં નાટક કે નવલકથાનાં પાત્રો મુખે ગવાયેલાં ગીતે છે. “નિહારિકા' માં “બુદ્ધને ગૃહત્યાગ', “જલિયાવાલા બાગ” અને બીજી થોડીક છે દેબદ્ધ રચનાઓ મળે છે. પણ એમાં ખાસ દૈવત દેખાતું નથી. રમણલાલે નરસિંહરાવ, ન્હાનાલાલ, કલાપી જેવા કવિઓની પ્રબળ અસર ઝીલી છે અને એમની છાયા આ કાવ્યોમાં સહેજે વરતાય છે. આત્મકથાલેખન
“ગઈકાલ' (ઈ. ૧૯૫૦) અને “મધ્યાદનનાં મૃગજળ” (ઈ. ૧૯૫૬) એ બે તેમનાં આત્મકથાનાં પુસ્તક છે. પ્રથમ ભાગમાં તેમણે પોતાના જન્મથી માંડીને પિતે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તેટલા સમયગાળાને (ઈ. ૧૮૯૨થી ૧૯૦૮) હેવાલ છે. બીજા ભાગમાં એમના કોલેજકાળથી માંડીને ઈ. ૧૯૩૧માં તે
Page #512
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[૫૦૩
નાયબસૂબા તરીકે નવસારીમાં રહ્યા ત્યાં સુધીની વિગત છે. રમણલાલના જીવનમાં કેઈ અસાધારણ વળાંકે નથી. મુખ્યત્વે એમનું જીવન શાંત અને સ્થિરપણે વહ્યું છે. એટલે આ આત્મકથાત્મક પુસ્તકમાં વાચકોને આકર્ષક લાગે, પ્રેરક નીવડે તેવી કેઈ વિશિષ્ટ ઘટનાઓ નથી. આત્મકથા-લેખનમાં લેખક સહેજે સંકોચશીલ રહ્યા છે. પોતાના સંસર્ગમાં આવેલી કેટલીક વ્યક્તિઓને પિતાની “આત્મકથાથી માઠું લાગી ન જાય તેની કાળજી પણ તેમણે લીધી છે. એમની આત્મકથામાં કથારસ ઝાઝેર નથી. એમનાં મંતવ્યો, નિરીક્ષણો જ પુસ્તકને મોટા ભાગ રોકે છે. તેમના સમૃદ્ધ સાહિત્યજીવનમાંથી તેમણે માત્ર થોડીક છૂટક ઘટનાઓ આલેખીને જ સંતોષ માને છે. “ગઈકાલ' કરતાં “મધ્યાહનનાં મૃગજળ'ને ભાગ પ્રમાણમાં ઠીક રોચક બને છે. પરંતુ એકંદરે તેમણે સામાજિક અને થોડુંક રાજકીય અવલોકન, વિવેચન – અને તે પણ વિશંખલ – આપવામાં જ આત્મકથાલેખનની સાર્થકતા જોઈ છે. એટલે એમની આ કૃતિ કલાના અંશે પ્રગટ કરવાને બદલે મહદંશે ઇતિહાસ કે સમાજશાસ્ત્રના અંશે પ્રગટ કરતા ગ્રંથ જેવી બની ગઈ છે. અન્ય કૃતિઓ
જીવન અને સાહિત્ય ભાગ ૧ અને ૨ (અનુક્રમે ઈ. ૧૯૩૬ અને ૧૯૩૮)માં રમણલાલ એક સારા, સાચા નિબંધકાર તરીકે પ્રતીત થાય છે. સાહિત્ય વિશેની તેમની વિચારણાઓ પાછળ એમને પેતાને લેખક તરીકેને અનુભવ અને શિષ્ટ સાહિત્યનો અભ્યાસ બંને હોવાથી એમના નિબંધે વિચારસમૃદ્ધ બન્યા છે. તેમની શૈલી આકર્ષક અને રોચક છે. “અપ્સરા' (ભાગ ૧ થી ૫ અનુક્રમે ઈ. ૧૯૪૩ ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮ અને ૧૯૪૯)માં તેમને ગણિકાજીવન વિશેને ઊંડો અભ્યાસ અનેક દષ્ટિબિંદુથી થયેલો જોવા મળે છે. “પૂર્ણિમા' નવલકથા નિમિત્ત આ અભ્યાસ કરવાને તેમને મેકે મળેલો. ગુલાબ અને કંટક(ઈ. ૧૯૪૮)માં તેમની કટાક્ષકલાના ચમકારા છે. રમણલાલની ગુલાબી હાસ્યવૃત્તિને સુખદ પરિચય “પૂર્ણિમા”, “દિવ્યચક્ષુ' જેવી અનેક નવલકથાઓમાં થાય છે. પરંતુ સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જે યુદ્ધખેરી, ભ્રષ્ટાચાર, લાંચ-રુશવત, દંભ ઇત્યાદિ અનિષ્ટ છાતી કાઢીને મહાલવા લાગ્યાં તે જોઈને તેમણે પારાવાર અકળામણ અને નિરાશાને અનુભવ કર્યો અને તેમાંથી વક્રતા આવી. “પ્રલય” જેવી નવલકથા એનું ખાસું ઉદાહરણ છે. એમની અનેક સ્વાતંત્તર કૃતિઓમાં એમની કટાક્ષકલા બળપૂર્વક પ્રગટ થાય છે. “ગુલાબ અને કંટકમાં એમના વેધક કટાક્ષને પરિચય કરાવે તેવી પ્રસંગોપાર વેરાયેલી વિચારણાઓ છે. પાવાગઢ' (૧૯૨૦) જેવી પ્રવાસકથા આપનાર
Page #513
--------------------------------------------------------------------------
________________
૫૦૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ ૪
રમણલાલે ‘મહારાણા પ્રતાપ' (૧૯૧૯), ‘નાના ફડનવીસ' (૧૯૨૨) આદિ જીવનચિત્રો અને ‘ભારતીય સ`સ્કૃતિ' (૧૯૫૪) જેવા ઇતિહાસગ્રંથ પણ આપેલ છે. ‘સાહિત્ય અને ચિંતન’ (૧૯૫૨), ‘કલાભાવના’ (૧૯૬૨) પણ એમના એ વિષયના અભ્યાસને રજૂ કરતાં પુસ્તક છે.
રમણલાલે નાટયલેખનથી પેાતાની સાહિત્યિક કારકિદીના આરંભ કરી, ટૂંકી વાર્તા, કાવ્ય, નિબંધ, વિવેચન, આત્મકથા, ચરિત્ર એમ અનેક સાહિત્યપ્રકાર પ્રસંગાપાત્ત ખેડયા. પરંતુ નવલકથાકાર તરીકે એમણે જે સફળતા—લેાકપ્રિયતા પ્રાપ્ત કરી તેની તુલનામાં અન્ય સાહિત્યસ્વરૂપાના ખેડાણથી મળેલી સફળતા અલ્પ છે.
રમણલાલનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે સ્મરણીય અ`ણુ નવલકથાઓ દ્વારા જ છે. ચૂનીલાલ વધુ માન શાહ (૧૮૮૭–૧૯૬૬)
વીસમી સદીનાં સાઠથી પણુ વધુ વર્ષના વિશાળ સમયપટ પર ચૂનીલાલ વમાન શાહની નવલકથાલેખનપ્રવૃત્તિ પ્રસરી રહી છે. આરંભની કારકિર્દીમાં તેમણે હિંદી, મરાઠી, અંગ્રેજી વગેરે ભાષાઓમાંથી નવલકથાઓ અનુવાદ કે રૂપાંતર રૂપે ગુજરાતીમાં પ્રગટ કરી. ઠક્કુર નારાયણ વિસનજીની નવલકથાએ રસપૂર્ણાંક ગુજરાતમાં વહેંચાતી હતી. એ સમયે ચૂનીલાલ શાહે પણ નવલકથાલેખનની પ્રવૃત્તિ રસપૂર્વક સ્વીકારી. તેમણે ઐતિહાસિક તેમ જ સામાજિક અને પ્રકારની નવલકથા લખવાને કસમ અજમાવ્યેા છે. ‘કર્મ યાગી રાજેશ્વર’, ‘એકલવીર’, ‘સામનાથનું શિવલિંગ’ (૧૯૧૩), ‘અવંતીનાથ’, ‘રૂપમતી’ (૧૯૪૧) વગેરે તેમની બહુજનસમાજમાં પ્રશંસા પામેલી નવલકથાઓ છે. ‘નગ્ન સત્ય' (ભાગ ૧-૨), ‘વિકાસ', ‘જિગર અને અમી', એક માળાનાં ત્રણ પુ ́ખી' (ભાગ ૧–૨) એ તેમની સામાજિક નવલકથાઓ છે. કંટકછાયા પથ' એ દાઢસા કરતાંય વધુ વર્ષની ગુજરાતની સાંસ્કૃતિક પરિસ્થિતિના ચિતાર આપવા મથતી તેમની મહત્ત્વાકાંક્ષી નવલકથા છે.
.
ચૂનીલાલમાં લેખક તરીકે એક પ્રકારની સ્વસ્થતા છે, સયમ છે; કેટલીક વાર તા ઊર્મિની બાબતમાં ટાઢા લાગે એવી સ્વસ્થતા તે દાખવે છે. ઇતિહાસદૃષ્ટિ ધરાવનારા આ લેખક ઐતિહાસિક ઘટનાઓનાં અતિચિત્રણ કરતા નથી. ઘટનાએનુ એમનું આલેખન વાચકને પ્રવાહમાં ધસડી જાય એવું વેગવાન હેતુ નથી. તેમ છતાં વાચકના રસ જાળવી શકે તેટલી કળા તે અવશ્ય દાખવે છે. એ સંસારના અનુભવી છે, બહુશ્રુત છે. એટલે એમની વિચારસમૃદ્ધિ થારસને
Page #514
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨]
ચૂનીલાલ શાહ
[ ૫૦૫
ભોગે પણ નવલકથામાં પ્રગટયા વિના રહેતી નથી. એમની કૃતિઓમાં આયાસ અને વિચારભાર વરતાય છે.
એમની ઐતિહાસિક નવલકથાઓમાં એકલવીર' એમાંની ટેકનીકને કારણે ધ્યાનપાત્ર બની હતી. પાટણનાં ખંડિયેરેમાં કાઈક ભોંયરામાંથા પોતાને હસ્તપ્રત મળી હાય અને તેને પે।તે અનુવાદ રજૂ કરતા હેાય એવી રીતે તેમણે જયંત. સિંહ સોલંકીની આપવીતી પ્રગટ કરી છે. પાટણની કીતિ ચેામેર પ્રસારવાની કથાનાયક જયંતસિંહની તમન્ના અને તેનાં પરાક્રમનું ચિત્ર એ કથાના આકર્ષક અંશ છે. અને વધુ આકર્ષીક બનાવવા માટે વાર્તાકારે જયંતસિંહ સાથે કળી અને ભવાની એ એ યુવતીઓનુ પ્રેમાકણુ પ્રયોજ્યું છે. આ પ્રેમત્રિકાણુની કથા રસભરી બની છે. જયસિ ંહને ગુજરાતની પ્રતિષ્ઠાની પુનઃપ્રાપ્તિ માટે સતત પ્રેરનારી ‘ભાવના’ દ્વારા વાર્તાકારે રાષ્ટ્રીય અસ્મિતાની અર્વાચીન ભાવના રજૂ કરી છે.
ચૂનીલાલ શાહની વાર્તાકલાનું સામર્થ્ય પ્રગટે છે ‘રૂપમતી’માં. બાઝ બહાદુર અને રૂપમતીના પ્રેમકિસ્સાને વાર્તાકારે ઐતિહાસિક દષ્ટિએ પૂરતા ચકાસ્યા પછી કલ્પનાબળે તેને કલાત્મક ઘાટ આપ્યા છે; બાઝ બહાદુરનું વિધમી કન્યા રૂપમતી પ્રત્યેનું પ્રથમ આણુ, તેમના પ્રેમના વિકાસ અને પ્રેમને કરુણ અંજામ એ સના આલેખનમાં લેખકની સર્જકતા રૂડી રીતે પ્રતીત થાય છે. પ્રેમની તીવ્રતાનું આલેખન કરવામાં પણ લેખકે કલાસંયમ જાળવ્યા છે. અસિદ્ધ પ્રેમનું ગૌરવ તેમણે કલાત્મક રીતે પ્રગટ કર્યુ છે. અલબત્ત રાજપ્રપંચના ચિત્રણમાં લેખકની કલમ ફિસ્સી પડે છે. એ શેા કથામાં નીરસ બને છે. પણ સમગ્રપણે જોતાં ઊર્મિથી સભર ઘટનાઓથી સમૃદ્ધ રૂપમતીના ગૌરવભર્યા આત્મસમર્પણને રજૂ કરતી આ નવલકથા લેખકને યશ આપે તેવી છે.
લેખકની સામાજિક કૃતિએ પણ વિપુલ સખ્યામાં પ્રાપ્ત છે. આ પ્રકારની નવલકથાઓમાં વાર્તાકાર સફળ કથાકારને બદલે વિચારક અથવા સમાજસુધારક તરીકે વધુ ઊપસે છે. ‘વિકાસ'માં સ્ત્રીજાતિની પરાધીનતા, તેમનું પુરુષો દ્વારા શાષણ, સ્ત્રીજાગૃતિ વગેરે પ્રશ્નો વિવિધ સ્ત્રીપાત્રા દ્વારા વાર્તાકારે ચર્ચ્યા છે. પણ પાત્રા એ ચર્ચા માટે જ પ્રયોજાયાં હેાય તેવી છાપ પડે છે. કાઈ પાત્ર લેખકનું સર્જકત્વ પ્રગટ કરે તેવું નથી. અલબત્ત વાર્તાકાર પાસે વિચારસમૃદ્ધિ સારી છે પણ એના વિનિયેાગ સફળ રીતે થઈ શકયો નથી. એક માળાનાં ત્રણ પુ ́ખી'માં પણ જૂની અને નવી પેઢી વચ્ચેના વિચારભેદ, લગ્નજીવનની સમસ્યા વગેરે
Page #515
--------------------------------------------------------------------------
________________
૫૦૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ પ્રશ્નોની છણાવટ છે. પણ વિચારમાં કોઈ નવીન તાજગીભર્યો અભિગમ દેખાતો નથી અને કથા સંકલનની દૃષ્ટિએ શિથિલ છે.
જિગર અને અમી'માં વાર્તાકારની પ્રકૃતિનું એક પ્રચ્છન્ન પાસું–રોમૅન્ટિક વલણ – પ્રગટ થાય છે. એમણે એ નવલકથાને એક સત્યઘટનાત્મક કથા તરીકે ગણાવી હતી. એ કથાનાં પાત્રોને જોવા-જાણવાનું એ સમયે પ્રજામાં ભારે કૌતુક જાગ્યું હતું અને એમાંની કેટલીક ધર્મવિષયક ચર્ચાઓએ ઊહાપોહ પણ જગાવ્યો હતો.
લેખકની એક મહાકાય નવલકથા “કંટકછાયો પંથમાં ઈ. ૧૮૧૩ના અગણેતરા કાળથી માંડીને ઈ. ૧૯૪૭માં ભારતને સ્વાતંત્ર્યપ્રાપ્તિ થઈ ત્યાં સુધીની ઘટનાઓ નિરૂપાઈ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની રેખાઓ તેમાં ક્રમબદ્ધ રીતે મળે છે. પરંતુ કથા અને ઈતિહાસ એ બેને સુભગ સમન્વય એમાં થયો નથી. વાર્તાકારે લગભગ ૧૪૦ વર્ષને સમય આ કૃતિમાં આવરી લેવા પ્રયત્ન કર્યો છે. એમણે લંગ મોટી મારી છે પણ કથાને કે મહત્ત્વની અતિહાસિક ઘટનાને યોગ્ય ન્યાય તે આપી શક્યા નથી. લેખકની સર્જકતાની એમાં ભાગ્યે જ પ્રતીતિ થાય છે.
ચૂનીલાલ શાહ નવલકથાકાર અને વાર્તાકાર હોવા ઉપરાંત એક જાગ્રત પત્રકાર પણ હતા. “પ્રજાબંધુ' સાપ્તાહિકમાં તેમણે એક નિષ્ઠાવાન પત્રકાર તરીકેની પ્રતીતિ કરાવી હતી. સમકાલીન કૃતિઓનાં વિવેચન “પ્રજાબંધુ'માં નિયમિત પ્રગટતાં રહ્યાં એને યશ તેમને ઘટે છે. સાહિત્યપ્રિયીના તખલ્લુસથી એમણે ગ્રંથસમીક્ષાઓ લખી હતી અને સાહિત્યની ચર્ચાઓ કરી હતી. ગુણવંતરાય આચાર્ય (૧૯૦૦-૧૯૬૫)
વીસમી સદીને ચોથા અને પાંચમા દાયકામાં વિપુલ સંખ્યામાં રંજનલક્ષી નવલકથાઓ પ્રગટ કરનાર ગુણવંતરાય આચાર્ય વિશેષે કરીને એમની “દરિયાલાલ' (૧૯૩૮) નવલકથાને કારણે સ્મરણીય છે. એમની નવલકથાઓમાં વિશાળ જનસમૂહને આકર્ષી રાખનાર કોઈ તત્વ હેાય તે તે કથારસ છે. રોમાન્સને અનુભવ કરાવે તેવી આકર્ષક, કોકપ્રેરક અને ચમત્કારિક ઘટનાઓના સબળ આલેખન દ્વારા સામાન્ય વાર્તાસિક સમાજનું તે મન હરી લે છે. પરિસ્થિતિઓના નાટયામક અને ચમત્કારક નિરૂપણમાં ક્યારેક તે મુનશીની લગોલગ પહોંચી જાય છે. કારી કિતાબ' (૧૯૩૫) જેવી સામાજિક અથવા તે “દરિયાલાલ” કે “જળસમાધિ (૧૯૩૯) જેવી રોમાંચક કૃતિઓમાં એમની આ શક્તિને પરિચય થશે. તેમ છતાં મહદંશે એમની કલમ મુનશીની રંગદર્શિતાના ફિક્કા અનુકરણમાં ફસાઈ પડતી
Page #516
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૨]
ગુણવંતરાય આચાય
[ ૫૦૭
—
જણાય છે. સ્થૂલ-ભૌતિક ઘટનાઓનું ભરપટ્ટે આલેખન, એ જ એમની શક્તિ ને એ જ એમની મર્યાદા. એમની કલમે કાઈ ચિરસ્મરણીય પાત્ર સરજાયું નથી.. ‘દરિયાલાલ' જેવી એમની લેાકાદર પામેલી નવલકથામાં પણ કથાનાયક રામજી દરિયામાં અને આફ્રિકાનાં જંગલામાં સાહસેા ધણાં કરે છે, અને કાકની જેમ એને પણ સદાય સફળતાનું વરદાન છે. પરંતુ આ પાત્રની પણ કાઈ સચોટ મુદ્રા ઊપસતી નથી. ગુણવંતરાયનાં પાત્રા એમણે સિદ્ધ કરવા તાકેલાં પ્રયેાજન. માટે સર્જાયાં હૈાય તેવાં - એમની ભાવનાઓનાં વાહક છે, ‘દરિયાલાલ’માં વાર્તાકારે ગુલામીની પ્રથાની નાબૂદીનું પ્રયાજન તાકયું છે, અને રામજી એ પ્રયેાજન સિદ્ધ કરવા માટે જ લેખકે સર્જ્યો હાય તેવી છાપ પડે છે. એના પ્રયત્નામાં અવરોધ આવે તાપણુ એ સફળ થશે જ એની વાચકને ખાતરી હાય છે. આફ્રિકાના જંગલમાં ત્યાંની પ્રથાના મ ખેાજ ખેા દેવ સમક્ષ રામજીના લિ ધરવાની ઘટના બને છે અને એને ડરાવવા ત્યાંના વતનીએ ભયંકર રમતા – પ્રયાગ કરે છે ત્યારે પણ રામજી અવિચલ રહે છે. એને આ આફતમાંથી મુક્તિ મળવાની ગળાલગ ખાતરી હાય તેવા તેના વર્તાવ જણાય છે. એ આખી ઘટના નાટકી અથવા અતિર ંજિત લાગે છે. કેટલીક વાર ગુણુવંતરાયની નવલકથાએ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી અસર પેદા કરે છે. તેની પાછળ પણ ઘટનાઓનું આવું સનસનાટીભર્યું અતિરંગી ચિત્રણ જવાબદાર છે. પ્રયાજન સિદ્દ કરવાના ઉત્સાહમાં વાર્તાકાર ઘટના પ્રતીતિકર નીવડશે કે નહિ તેને પણ ખ્યાલ રાખતા નથી. એમણે કલ્પેલા અમુક નિશ્ચિત ધ્યેય તરફ જ ઘટનાઓની અને પાત્રાની ગતિ હેાય છે. દ્રિનારાયણું'માં પણ એની પ્રતીતિ થશે.
‘ગારખ આયા’ (૧૯૩૪) એ સામાજિક નવલકથામાં પણ વાર્તાકારે ગારખમઘ્યેન્દ્ર જેવાં પ્રાચીન દંતકથાનાં પાત્રાને આધુનિક સામાજિક પ્રશ્નો દામ્પત્યના પ્રશ્નોની ચર્ચા માટે ોતર્યા છે. એટલે સ્વાભાવિક રીતે જ એ પાત્રા લેખકનાં પ્રચારમાધ્યમ બની રહે છે. ગારખમહેન્દ્ર વિશે વર્ષોથી પ્રશ્નના ચિત્તમાં અમુક સંસ્કારા દૃઢ થઈ ગયા હેાય ત્યારે એમના મુખે પ્રશ્નમાં તેમને માટેના એ સંસ્કારને ધક્કો વાગે તેવી ચર્ચા રજૂ કરવી અનુચિત લાગે છે. આવુ અનૌચિત્ય તેમનામાં વાર વાર દેખાય છે.
-
આચાર્યની નવલકથાઓમાં ઘટનાઓની ભરમાર છે, પણ ધબકતું જીવન બહુ ઓછું દેખાય છે. 'દરિયાલાલ' અને ‘જળસમાધિ' એ તેમની દરિયાઈ નવલ
થાએ છે. ગુજરાતમાં દરિયા વિશેની કથા લખનાર ભાગ્યે જ કોઈ વાર્તાકાર છે. ગુણવંતરાય એ રીતે નવા પ્રદેશ નવા વિષય નિરૂપે છે. પરંતુ દરિયાઈ નવલકથામાં પણ જીવન પ્રગટતું નથી. ‘દરિયાલાલ'માં સહેજે દરિયાઈ જીવન વિશે
Page #517
--------------------------------------------------------------------------
________________
૫૦૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ન'. ૪
અપેક્ષા રહે, પરંતુ ઘટનાનાં સ્થળ મુખ્યત્વે આફ્રિકાનાં જંગલા બને છે. અલબત્ત એ જંગલાનાં વન–ચિત્રાલેખનમાં તેમની શક્તિ સારી એવી ખીલી ઊઠી છે. નિવેદિતા'માં પણ નિવેદિતા ત્યક્તાની સ્થિતિમાં દક્ષિણ ભારતના જંગલમાં શિક્ષણસંસ્કારની પ્રવૃત્તિ કરવા જાય છે — ત્યાંના પ્રદેશના વાર્તાકાર સરસ ચિતાર આપી શકયા છે. પણ ‘દરિયાલાલ' કે ‘જળસમાધિ'માં એ દરિયાઈ જીવનના હૃદ્ય સ્પર્શી કરાવી શકયા નથી. દરિયાલાલ'માં કથાનાયક રામજી ચાંચિયા સાથે દરિયાઈ યુદ્ધ ખેડે છે તે વર્ણન કૃત્રિમ લાગે છે. દરિયાલાલ’ પછીની ‘જળસમાધિ' નવલકથામાં પશુ વિષય આકર્ષીક હેાવા છતાં તેની રજૂઆત નિર્મૂળ લાગે છે. કથાનાયક કાનજી માલમ નામના દરિયાખેડુ વાસ્દા ડી ગામાને હિંદ આવવાના માર્ગો બતાવે છે એ મુખ્ય વસ્તુની આસપાસ તેની ચાંચિયાગીરીની દંતકથાઓ તેમ જ ખીજી કેટલીક કલ્પિત ઘટના વાર્તાકારે નિરૂપી છે. પણ દરિયાઈ સાહસા—દરિયાઈ જીવન એ સં અસરકારક લાગતાં નથી. આયાને દરિયાઈ જીવનને પ્રત્યક્ષ અનુભવ કદાચ નહિ હેાવાથી આ કૃત્રિમતા અથવા અવાસ્તવિકતા તેમનાં વર્ષોંનામાં પ્રવેશી ગઈ છે. આચાર્યંમાં દરિયાઈ જીવનની દિલચસ્પી ભલે હાય, પણ ‘સુકાની' જેવા નવલકથાકારે દેવા ધાંધલ' નવલકથામાં દરિયાઈ જીવનને જે સાક્ષાત્કાર કરાવ્યા છે તેવા આચાર્ય એમની આ પ્રકારની નવલકથાઓમાં કરાવી શકયા નથી. સામાજિક નવલકથાઓમાં પણ આચાર્યની નબળી વસ્તુસંકલના, અપ્રતીતિકર પાત્રચિત્રણું, નાટકી ઢબના સંવાદો, પ્રચારાત્મકતા વગેરે લક્ષણા ધ્યાન ખેંચી રહે છે. 'નિવેદિતા'માં એમણે ત્યક્તા નારીના બચાવનુ, એની સુરક્ષાનું પ્રયાજન તાકયું છે, પરંતુ એ નીતિએધમાં અને પ્રચારકતામાં અટવાઈ પડયા છે.
‘હાજી કાસમ તારી વીજળી', ‘દેશદીવાન', ‘કરાલ કાળ જાગે', ‘સામ સિંહ ખીàાલા', ‘ભલે ઉગા ભાણ', ‘રત્નાકર મહારાજ' વગેરે અનેક નવલકથાએ આયાયે આપી છે. એમની ‘સક્કરબાર', ‘હરારી', ‘સરફરાશ', ‘સરગાસ' જેવી દરિયાઈ સાહસકથા જાણીતી પણ થઈ હતી. આચાયે ગુજરાતના સેલ ક યુગની ભૂમિકા લઈને તેમ જ વિજયનગરના સુવર્ણયુગની ભૂમિકા લઈને પણ સંખ્યાબધ નવલકથાઓ રચી છે. એમની ઐતિહાસિક નવલકથાએમાં ઇતિહાસ સાથે તે ઘણી છૂટછાટ લઈને પણ કથાને આસ્વાદ્ય કલાકૃતિ બનાવી શકયા નથી તેના રંજ રહે છે.
આચાયે ‘અખાવન' (૧૯૫૭), ‘મા’રરાજ’, ‘અલ્લાબેલી' (૧૯૪૬) જેવાં નાટકા પણ લખ્યાં છે. તેમાં તેમના કેાઈ વિશેષ વરતાતા નથી.
Page #518
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩
ધૂમકેતુ ગૌરીશકર ગાવધનરામ જોશી [ઈ. ૧૮૯૨–૧૯૬૫]
જીવન
સૌરાષ્ટ્રના વીરપુર(જલારામ ભગતનુ)માં જન્મ, તા. ૧૨-૧૨-૧૮૯૨.. ધૂમકેતુના શૈશવકાળ દરમિયાન સુરાજી ઠાકારનું વીરપુર આ સમાજના એક અભેદ્ય કિલ્લારૂપ હતું. ધૂમકેતુ માટે વીરપુર સ ંસ્કારતી બની રહ્યું. સૌરાષ્ટ્રના ગ્રામવિસ્તારમાં ધૂમકેતુને ઉછેર થયા. બચપણુ અને કિશારાવસ્થા દરમિયાન સમાજના સામાન્ય અને પછાત ગણાતા સ્તરની અનેક વ્યક્તિએના સંપર્કમાં તે આવ્યા હતા. ધૂમકેતુની ટૂંકી વાર્તાઓમાં ગાંધીજીના પ્રભાવથી સ્વતંત્ર રીતે જે દીનજના અને સ્વમાની તેમ જ સંસ્કારસપન્ન ગ્રામજનેાનાં ચિત્રા આવે છે તેનાં ખીજ એમનો બાલ્યસૃષ્ટિમાં રહેલાં જણાશે. ‘જીવનપથ’માં ધૂમકેતુ લખે છે : પેલા લંગડા, ભૂતાવળની આખી સૃષ્ટિ રજૂ કરતા રાજપૂત, એની સામે વાતમાં તાલ પુરાવતી ખાંટની વિધવા બાઈ સેામલ, પેલી તાતી ડેાશી, બકાલી નરસૈ લુવાણા, સુમરા, પીંજારા, ખાંટ, કાળી, રાવળિયા, મીર, કારડિયા રજપૂત, ભરવાડ, મૅક્સિમ ગાકીએ પેાતાની જીવનસ ંસ્મરણાંજલિમાં જે પડેાશીઓમાં પેાતે વસ્યા હતા એમને સંભાર્યાં, એવા આ હંંમેશનુ... લાવીને હંમેશ ખાઈ જનારા, નીચલામાં નીચલા થરના મારા પાડાશીઓમાંથી, અનેક તા આજ દિવસ સુધી સાથે ચાલ્યા આવ્યા છે' (પૃ. ૯).
સામાન્ય પ્રજાજીવન વિશેનાં જીવંત નિરીક્ષણા ધૂમકેતુની વાર્તાઓમાં વાંચવા મળે છે. એ નિરીક્ષણ્ણાના મૂળ સ્રોત લેખકની કિશારાવસ્થામાંથી વહેતા જણાશે : અને પછી નીકળું આખું ગામ ફરવા... લેટ માગતાં માગતાં ઘરઘરના જે અનુભવ મળ્યા, રહેણીકરણી, રીતભાત, વેશસાવટ, બૈરાંનાં ણુકાં, . . . માર્મિક વિનાદ, શૃંગારગૌષ્ટિ, નિંદાગૌષ્ટિ, ગુપ્તગૌષ્ટિ — કયાંક રખારીમાં દેરવટું વાળ્યું હાય. એટલે ધણી ખાટલામાં નાનકડા છેાકરા સૂતા હેાય તે બૈરું મેટું, દૂધના માઘરણાની રમઝટ ખેાલાવતું હેાય, કયાંક મારપીટ ચાલતી હૈાય, કયાંક રોટલા ઘડાતા હૈાય...' ('જીવનપથ', પૃ. ૧૭૧).
-
ધૂમકેતુને બાલ્યાવસ્થાથી વાચનના શાખ હતા. 'નર્મગદ્ય'ના ઇતિહાસ
Page #519
--------------------------------------------------------------------------
________________
૫૧૦]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
ચ'. ૪
વિભાગનાં પૃષ્ઠના વાચને એમને ઘણી પ્રેરણા આપી હતી, ઝવેરચંદ મેધાણીએ ‘નર્માંદના વીરાએ સિંચેલું શિશુહૃદય' એવા ઉચિત શીર્ષીક હેઠળ ન ગદ્યના ઇતિહાસવિભાગના વાચને ધૂમકેતુમાં પ્રેરેલા પ્રભાવને વવ્યા છે. બચપણુથી ઇતિહાસ અંગેનાં પુસ્તકા વાંચવાની ધૂમકેતુને વિશેષ રુચિ હતી. ભવિષ્યમાં ઐતિહાસિક નવલકથાઓના મેાટા ફલક ઉપર થનાર લેખનના સ`સ્કાર કદાચ આ રીતે શૈશવ અવસ્થા દરમિયાન નખાયા હરો. ધૂમકેતુએ કિશારાવસ્થાનું સ્મરણ આ રીતે નોંધ્યું છે: ગુજરાતી સાહિત્યમાં કાઈ પુસ્તક તે વખત સુધીનું છપાયેલું એવું રહ્યું નહિ કે જે મેં વાંચ્યું ન હેાય, ખાસ કરીને અતિહાસિક નવલકથાઓનું” (‘જીવનપથ', પૃ. ૧૬૮; ઈ. ૧૯૦૭ આસપાસની પરિસ્થિતિના અહીં નિર્દેશ છે). શ્રીમન્નથુરામ શર્માના ખીલખાના આશ્રમના સ`પન્ન દક્ષિણામૂર્તિ પુસ્તકાલયના ધૂમકેતુએ પૂરા કસ કાઢયો હતા.
જીવરાજ જોશી પાસે સાંભળેલી વાર્તાઓએ બાળક ધૂમકેતુની સુપ્ત સર્જનશક્તિને સ"કારી હતી. કુદરતી સૌંદર્ય નિહાળવાના સંસ્કાર ધૂમકેતુના સર્જક ચિત્તે ઝીલેલા છે. વીરપુરથી જેતપુર સુધીના આ ચાર ગાઉના રસ્તાએ મને જેટલે કલ્પનારસ પાયેા છે એટલા ભાગ્યે જ ખીજા કાઈ રસ્તાએ પાયા હશે' (એ જ, પૃ. ૧૩૩). લેખક તરીકે ખ્યાતિ મળી તે પહેલાં ધૂમકેતુએ ઘણા કલમવ્યાયામ કરી લીધા હતા. ખીલખાના શ્રીમન્નથુરામ આશ્રમમાં ‘હું તા રાત પડે ને મારા કામમાં ચાટું. કાઈને ખબર ન પડે એમ મેં તા લગભગ ત્રણથી ચાર હાર કાગળ — ફૂલ્સŠપના પા કાગળ —— એ વખતે લખી નાખ્યા ! આ વ્યાયામે મને લખાણ કરવાની — ઘણું લખી શકવાની ટેવ આપી' (એ જ, પૃ. ૧૭૬),
ધૂમકેતુના સુદી, સુસંવાદી અને લેખનપ્રવૃત્તિ માટે પાષક નીવડેલ દાંપત્યજીવનના પ્રારંભ ઈ. ૧૯૧૦માં કાશીબહેન જોડેના લગ્નથી થયા.
ઈ. ૧૯૧૪માં પારખંદર હાઈસ્કૂલમાંથી ધૂમકેતુ મૅટ્રિકમાં પાસ થઈને જૂનાગઢની બહાઉદ્દીન કૅાલેજમાં આગળ અભ્યાસ માટે દાખલ થયા. ઈ. ૧૯૧૬માં આન ંદશંકર ધ્રુવના ‘વસન્ત'માં ધૂમકેતુના લેખા છપાવા લાગ્યા હતા. ઈ. ૧૯૨૦માં વિદ્યાર્થીકાળનું સીધુ· ચઢાણુ પૂરુ કરી, અગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીના ખી.એ. થઈ, પહેલાં ગાંડલ રાજ્યની રેલવે ઑફિસમાં તથા ત્યાર બાદ ગાંડલની હાઈસ્કૂલમાં ઈ. ૧૯૨૩ સુધી ધૂમકેતુએ કામગીરી ખાવી. ઈ. ૧૯૨૩માં મળેલું' નામે એમની પાછળથી ખુબ જાણીતી બનેલી ટૂંકી વાર્તા ‘પોસ્ટ ઑફિસ’ ‘સાહિત્ય’ સામયિકમાં પ્રસિદ્ધ થયેલી. ૧૯૨૬માં “તણખા' મંડળ–૧ વાર્તાસંગ્રહ પ્રગટ થયા. ધૂમકેતુની પહેલી સામાજિક નવલકથા
Page #520
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩ ]
ધૂમકેતુ
[૫૧૧
‘પૃથ્વીશ' ૧૯૨૩માં અને પહેલી ઐતિહાસિક નવલકથા 'ચૌલાદેવી' ૧૯૪૦માં પ્રગટ થઈ હતી.
ઈ. ૧૯૨૩થી તેએ અમદાવાદમાં સ્થિર થયા. પહેલાં તે શેઠ અંબાલાલ સારાભાઈની ધી રીટ્રીટ' બ ́ગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર બાદ ૧૯૨૫થી સર ચીનુભાઈ ખૈરેતેટની ‘શાંતિકુ ંજ' બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નાકરીનું સ્થળાંતર કર્યું અને ત્યાં નેકરીમાં સ્થિર થયા. આ ખાનગી શાળા સાથે દર ઉનાળે ભારતનાં જુદાંજુદાં સ્થળાએ પ્રવાસ કરવાનું ધૂમકેતુને બન્યું હતું. એ પ્રવાસના અનુભવા એમની ટૂંકી વાર્તાના લેખનમાં કચારેક કાચી સામગ્રીરૂપ બની રહેતા.
રણજિતરામ સુવર્ણ ચંદ્રકના ધૂમકેતુએ ઈ. ૧૯૩૫માં અસ્વીકાર કર્યો. ઈ. ૧૯૪૮થી ૧૯૫૩ સુધીનાં પાંચ વર્ષના ગાળામાં થયેલા ઉત્તમ સર્જનલેખે આત્મકથા ‘જીવનપ’થ' (૧૯૫૩) માટે એમને નદ સુવણુંચંદ્રક મળ્યો હતા. ૧૯૪૪માં વડાદરા મુકામે મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ બન્યા. ૧૯૫૩માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે એમના ષષ્ટિપૂર્તિ સમારંભ યાજ્ગ્યા હતા. ૧૯૫૭-૫૮માં ભારતની સાહિત્ય અકાદમીના ગુજરાતી ભાષાના સલાહકાર ખેામાં કામગીરી બજાવી. રશિયા જવા માટે ૧૯૫૮માં મળેલા આમંત્રણને એમણે સવિનય અસ્વીકાર કર્યાં હતા.
મેાટા ભાગના સમય વાચન અને લેખનપ્રવૃત્તિમાં વિતાવતા આ એકલવિહારી લેખકનું મૃત્યુ ઈ. ૧૯૬૫ની ૧૧મી માર્ચે થયું.
સાહિત્યસર્જન
અર્વાચીન ગુજરાતના એક સુકીર્તિત લેખક ધૂમકેતુએ ગદ્યસાહિત્યનાં ધણાં સ્વરૂપે ઉપર હાથ અજમાવ્યા છે. ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, આત્મકથા, જીવનકથા, પ્રવાસ, જીવન તેમ જ સાહિત્ય વિશે વિચારણા રજૂ કરતા નિબધા, નિબંધિકા, બાળકા અને પ્રૌઢા માટેની બહુસંખ્ય રચના સાહિત્યકાર ધૂમકેતુની બહુમુખી પ્રતિભાના નિર્દેશ કરે છે. પરંતુ ધૂમકેતુની કીર્તિદા રચના એમની ટૂંકી વાર્તાઓને યેાગ્ય રીતે જ ગણવામાં આવે છે. મેાટે ભાગે ગાંધીયુગ દરમિયાન એમની કૃતિઓ રચાઈ અને પ્રગટ થઈ. પરંતુ ધૂમકેતુને ગાંધીપ્રભાવના લેખક કહી શકાશે નહિ. આમ છતાં, ગાંધીજીએ પ્રખાધેલી ઉન્નત જીવનભાવનાઆથી તેઓ વિમુખ તા નહેાતા રહ્યા. દેશની આઝાદી પ્રાપ્ત થઈ એ પછીના ગાળામાં ધૂમકેતુએ ઠીક પ્રમાણમાં લખ્યુ છે. અનુસ્વાતંત્ર્યકાળના આધુનિક
Page #521
--------------------------------------------------------------------------
________________
૫૧૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2' ૪
(modern) લેખકાના એક સમકાલીન સર્જીક ધૂમકેતુ ખરા, પરંતુ સ્વાતંત્ર્યાત્તર સાહિત્યપ્રવાહ સાથે સ્વાભાવિક રીતે જ એમનું કેાઈ અનુસ ંધાન નથી જણાતું. ઢકીવાર્તાઓ
કૃતિઓ : (૧) તણુખા મંડળ પહેલું (૧૯૨૬), (૨) તણખા મંડળ ખીજુ (૧૯૨૮), (૩) તણખા મંડળ ત્રીજુ` (૧૯૩૨), (૪) ‘અવશેષ’ (૧૯૩૨), (૫) પ્રદીપ (૧૯૩૩), (૬) તણખા મંડળ ચેાથુ' (૧૯૩૬), (૭) મલ્લિકા અને બીજી વાર્તા (૧૯૩૭), (૮) ત્રિભેટા (૧૯૩૮), (૯) આકાશદીપ (૧૯૪૭), (૧૦) પરિશેષ (૧૯૪૯), (૧૧) અનામિકા (૧૯૪૯), (૧૨) વનછાયા (૧૯૪૯), (૧૩) પ્રતિબિંબ (૧૯૫૧), (૧૪) વનરેખા (૧૯૫૨), (૧૫) જલદીપ (૧૯૫૩), (૧૬) વનકુંજ (૧૯૫૪), (૧૭) વનવેણુ (૧૯૫૬), (૧૮) મંગલદીપ (૧૯૫૭), (૧૯) ચન્દ્રરેખા (૧૯૫૯), (૨૦) નિકુંજ (૧૯૬૦), (૨૧) સાંધ્યરંગ (૧૯૬૧), (૨૨) સાંધ્યતેજ (૧૯૬૨), (૨૩) વસંતકુંજ (૧૯૬૪), (૨૪) છેલ્લા ઝબકારા (૧૯૬૪). ધૂમકેતુની કોષ્ઠ વાર્તાઓ' (૧૯૫૮), ધૂમકેતુનાં વાર્તારત્ના' (૧૯૬૬) વગેરે એમની ચૂંટેલી વાર્તાઓનાં સંપાદના પણ પ્રગટ થયાં છે.
ધૂમકેતુની ટૂંકી વાર્તાને મલયાનિલ, ધનસુખલાલ મહેતા અને કનૈયાલાલ મુનશી પછીના ગુજરાતી ટૂંકી વાર્તાના સાહિત્યનું પહેલું સકાચભેદક બળ ગણી શકાય. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તાની પ્રમાણમાં સીમિત સૃષ્ટિમાં માટે ભાગે શહેરના શિક્ષિત સમાજનું જીવન આલેખાતું હતુ' અને એમાં પણ ભાવની તીવ્રતા નહેાતી. પરિસ્થિતિ, પાત્ર અને કથાવસ્તુનું માતબર વૈચિત્ર્ય ધૂમકેતુની વાર્તાસૃષ્ટિએ આણ્યું. એમની પૂર્વે વાર્તાનાં પાત્રા શહેરના શિક્ષિત સમુદાયના એક મર્યાદિત ફલકમાંથી માટે ભાગે આવતાં હતાં. ધૂમકેતુની વાર્તાઓમાં એ ફલકના અપૂર્વ કહી શકાય એવા વિસ્તાર સિદ્ધ થયા.
ગામડાંઓમાં, નગરના કંગાલ લત્તામાં અને અશિક્ષિત કહેવાતા માનવસમુદાયમાં શાક કે પ્રેમનું સંવેદન અનુભવી શકે એવાં નર-નાર વસી શકે એ પૂધૂમકેતુકાળના વાર્તાકારાને મન, વિજયરાય વૈદ્ય બતાવ્યું છે એમ, લગભગ કલ્પનાતીત બાબત હતી. ધૂમકેતુએ ટૂંકી વાર્તાના ફલકને વિષયની દૃષ્ટિએ અપૂર્વ વિશાળતા અપી. પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીનકાળને સ્પર્શતી અને કયારેક તા ભાવિ જગતમાં ડાકિયું કરવા મથતી (‘કવિતાના પુનર્જન્મ’ જેવી) ટ્રેંકી વાર્તાએ એમણે રચી. ગુજરાતના નાના ગામડાથી માંડીને હિમાલયની ગાદ સુધીની વૈવિધ્યસભર પશ્ચાદ્ભૂમિકાવાળી વાર્તાએ ધૂમકેતુએ રચી છે. એમની
Page #522
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[ પ૧૩ વાર્તાઓમાં પ્રગટ થતા વિષય અને વાતાવરણના વૈવિષે ‘તણખા'કાળમાં હેરત જગવી હતી. ટૂંકી વાર્તાના આજના વિકાસને તબકકે આ બાબત કેઈને કદાચ સામાન્ય ભાસે, પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તાના “પૂર્વતણખાકાળ” માટે વાર્તા લેખનનાં નવાં ક્ષેત્રને ખેડતી અને સર કરતી આ નવપ્રસ્થાનકારી ઘટના હતી. ગુજરાતી ટૂંકી વાર્તાની કેડીને રાજમાર્ગનું સ્વરૂપ આપવાનું અગત્યનું કાર્ય બજવનાર સર્જકમાં ધૂમકેતુ મોખરે હતા.
ધૂમકેતુની ટૂંકી વાર્તાઓનાં પાત્રો જે પછાત અને દરિદ્ર માનવસમાજને એમને પ્રત્યક્ષ પરિચય છે એમાંથી ઘણી વાર આવતાં હોય છે. એમની ઘણું વાર્તાઓ ગામડાની ભૂમિકામાંથી સરજાઈ હોય છે. રશિયાની ૧૯૧૭ ની કાન્તિ અને ગાંધીજીની દરિદ્રનારાયણની તેમ જ પ્રામાભિમુખતાની ભાવના ગુજરાતી લેખકેમાં દલિતપ્રેમ તથા ગ્રામપ્રીતિ પ્રેરવામાં કેટલેક અંશે નિમિત્તભૂત બની એ પહેલાંય જીવનના સાવ નીચલા કહી શકાય એવા સ્તરના પ્રત્યક્ષ સંપર્કને કારણે સર્જક ધૂમકેતુમાં સચ્ચાઈ ભરેલ દીનજવાત્સલ્ય અને ગ્રામપ્રીતિ સલ્ફરતાં અનુભવી શકાય છે.
ગાંધીજીની કે સમાજવાદી વિચારધારાથી ભીંજાઈને નહિ, પણ સર્જક તરીકેની એક આપજરૂરિયાતથી પ્રેરાઈને પીડિત વર્ગ તરફનું સહાનુભૂતિનું – માનવ હમદર્દીનું વલણ ધૂમકેતુએ ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્વાભાવિક રીતે સર્વ પ્રથમ પ્રગટાવ્યું. ધૂમકેતુના આવા વલણને પાછળથી ગાંધીજીની વિચારધારાની પુષ્ટિ, અલબત્ત, મળી હોવી જોઈએ. ધૂમકેતુએ એમની ટૂંકી વાર્તાઓમાં દર્શાવ્યું કે મનુષ્યનાં પ્રેમ, વિષાદ, વાત્સલ્ય ઇત્યાદિ વિષયક સંવેદનેને મનુષ્યના સામાજિક મોભા સાથે કાંઈ લેવાદેવા નથી. આર્થિક દૃષ્ટિએ પ્રમાણમાં સુખી અને કાંઈક સામાજિક મોભો ધરાવતા એક શિક્ષિત પેસ્ટ માસ્તરમાં જે વાત્સલ્યભીનું પિતૃહદય. ધબકી રહ્યું છે તે જ પ્રેમકેમિળ પિતૃહદય સમાજથી કાંઈક તિરસ્કૃત એવા એક અશિક્ષિત ગરીબ શિકારી અલી ડોસામાં પણ ધબકી રહ્યું છે. સામાજિક કે. આર્થિક બાહ્ય આવરણોને ભેદીને પેલા સનાતન મનુષ્યના હૃદયધબકારને ધૂમકેતુની વાર્તાઓએ પ્રગટાવે છે.
ધૂમકેતુ પૂર્વેની વાર્તાઓનું ગદ્ય કેટલીક વાર ફિક , લપટું અને એનીમિક” લાગતું હતું. ધૂમકેતુએ એમાં લેકબેલીની લસલસતી લાલીને સંચાર કરી ગુજરાતી ગદ્યને નવું જ પરિમાણ બક્યું. એ ગદ્ય નરી સરલતાની શોભા પ્રગટાવી, શકે છે, કવિતાની કુમાશ ધારણ કરીને મને હર આલંકારિકતામાં સરી શકે છે,
ગુ. સા. ૩૩
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૧૪]. ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ૨, ૪ પ્રસંગે ઓજસ્વી બનીને મનુષ્યના રાગા વેગના ફૂંફાડાઓને ઝીલી શકે છે અને મનુષ્યની વિધવિધ ભાવ-મુદ્રાઓને અનુનય બનીને સફળતાપૂર્વક અંકિત કરી શકે છે, તે પ્રસંગે લકવાણની સુગંધ અને અભિવ્યંજકતાનેય પ્રગટાવી શકે છે. માનવ-હૃદયનાં નાજુક સંવેદનને, એની નજાકત ન નંદવાય એ રીતે, વાણીના પાત્રમાં તેઓ ગ્રહી શકે છે. ઇંદ્રિયગ્રાહી સૌંદર્ય ધરાવતાં ધૂમકેતુની વાર્તાઓનાં સાક્ષાત્કારક વર્ણનેની હવા વાચકને એપાસથી વીંટળાઈ વળે છે.
માત્ર આંતરસામગ્રીની દષ્ટિએ નહિ, અભિવ્યક્તિની દષ્ટિએ પણ ધૂમકેતુઓ એમના એ કાળમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપની દષ્ટિએ એમની વાર્તાઓમાં અપ્રસ્તુત કેટલુંક દેખાશે. આમ છતાં, ટૂંકી વાર્તાના
સ્વરૂપનું હાર્દ પામી જઈને વાર્તા-સજન કરનાર આપણું પહેલા સર્જક ધૂમકેતુ હતા, એમ સ્વીકારવું રહ્યું. અભિવ્યક્તિની દષ્ટિએ એમની વર્ણનકલા અને એમનું ગદ્ય આપણું ધ્યાન ખેંચે છે. સાહિત્યસર્જન પાછળ સાહિત્યકારની એક અભિલાષા સ્વભાષાને અધિકાર અભિવ્યતિક્ષમ બનાવવાની હોય છે. ભાષાના નિહિત સૌંદર્ય અને શક્તિને અનાચ્છાદિત કરવાનું સાહિત્યકારનું જે એક કર્તવ્ય હેય તે ધૂમકેતુએ એને રૂડી પેરે બનાવ્યું છે. આજના વિવેચનમાં સર્જકે ભાષાનું નવવિધાન કર્યું છે કે કેમ, એવો પ્રશ્ન ઠીકઠીક વાર પુછાય છે. ધૂમકેતુએ એમના કાળમાં ગુજરાતી વાર્તાસાહિત્યની ભાષા સમૃદ્ધિની ક્ષિતિજેને વિસ્તૃત કરવાને પ્રયાસ આરંભ્ય હતા. ગુજરાતી ભાષાના કાઠાને એમણે મજબૂત બનાવ્યું, ગુજરાતી ભાષાની ગુંજાયશ એમણે વધારી આપી, એની કાળજીપૂર્વક નોંધ લેવાની અત્યારે જરૂર છે.
કવિતા વેડામાં સર્યા વિના ગદ્યને કવિતાની સરહદે લઈ જવાના પ્રયોગને પ્રથમ અણસાર મનહર ભાવસૃષ્ટિમાં વિહાર કરાવતી ધૂમકેતુની વાર્તાઓના ગદ્યમાંથી મળી શકશે. એ જ રીતે, ટૂંકી વાર્તાને અંતે અનપેક્ષિત આંચકે આપીને એને સાવ જુદા ભાવસંદર્ભમાં મૂકી આપવાની – અણધાર્યા અંતથી વાર્તાને ચમત્કૃતિ આપવાની પદ્ધતિનું સૂચન ધૂમકેતુની “એક ટૂંકી મુસાફરીમાંથી મળી શકશે. રોમૅન્ટિક પ્રકૃતિના આ વાર્તાકારની સૃષ્ટિમાં અતીન્દ્રિય તત્ત્વનું નિરૂપણ થયું છે. પરંતુ એમની વાર્તાઓને કેન્દ્રભૂત વિષય છે અનેક સ્વરૂપમાં વિસ્તરતા. માનવપ્રેમ.
વાર્તા કહેવાની ધૂમકેતુ પાસે એક નૈસર્ગિક છટા છે. ક્યારેક તે વાર્તા જાણે પ્રત્યક્ષ રીતે કહી સંભળાવાતી ન હોય, એ રણકાર એમાંથી જાગ્યા કરે છે. વાર્તામાંથી બેલચાલના લહેકાઓને પકડી શકાય છે. વકતૃત્વનું ઓજસ પણ
Page #524
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[ પ૧૫ એમાંથી કવચિત પ્રગટે છે. આ દષ્ટિએ “રજપૂતાણું' વાર્તાનું શ્રવણ કરવા જેવું છે. પ્રાચીન તથા મધ્યકાળની વાર્તાઓની ચાલી આવતી કળાની ઢબની કૃતિઓ, ટૂંકી વાર્તાને કલેવરમાં ઢાળી, ગુજરાતને ધૂમકેતુએ પહેલી વાર આપી છે. આપણું પરાપૂર્વથી ચાલી આવતી વાર્તાકલાનું અનુસંધાન ધૂમકેતુની નવલિકાઓમાં દેખાશે. સાથોસાથ, સુરેખ વસ્તુસંકલનવાળી અર્વાચીન સ્વરૂપની સુઘડ ટૂંકી વાર્તાઓ પણ ધૂમકેતુએ વિપુલ પ્રમાણમાં રચી છે.
ધૂમકેતુની સારી વાર્તાઓ સિસૃક્ષાના નૈસર્ગિક આવેગપૂર્વક લખાયેલી છે એવો અનુભવ વાચકને સ્પષ્ટ રીતે થઈ શકે છે. રોમેન્ટિક પ્રકૃતિના કલાકાર ધૂમકેતુની વાર્તાઓ મોટે ભાગે લાગણતત્ત્વના પ્રાધાન્યવાળી. એમની વાર્તાઓમાં ધૂની કલાકારે, મસ્ત પ્રેમીઓ અને ખ્યાલમસ્ત આદમીઓનાં પાત્રચિત્રણે ઘણાં મળશે. નવા પરિવર્તિત જમાના સાથે મેળ ન બેસાડી શકનારાં પાત્રો, બુદ્ધિથી વિચારનારાં નહિ, પણ લાગણીથી વિચરનારાં પાત્રો અને ખુવાર થઈ જાય ત્યાં સુધી પિતાની ધૂનને વળગી રહેવામાં સુખ માનનારાં, દુન્યવી રીતરસમેથી પર એવાં પાત્રોની એમની વાર્તાસૃષ્ટિમાં કમીના નથી. “વ્યવહારને મિષ્ટ કરતી, જીવનની પકડમાં વિશિષ્ટ સામર્થ્ય બતાવતી”, આપણું જીવનમાં ઝડપી ગતિએ વિદાય લઈ રહેલી ગુજરાતના જીવનની તલપદીય સંસ્કારિતાને તથા આધુનિક સભ્યતાના રંગરોગાન ચડડ્યા વિનાની આપણું જીવનની અસલિયતને કવિતામાં જે ન્હાનાલાલ મૂર્ત કરે છે, તે નવલિકાસૃષ્ટિમાં ધૂમકેતુ-મેઘાણું. આપણું એકવિધ બનતા જતા જીવનમાંથી વિલીન થતી જતી તળપદી રેનક ધૂમકેતુને એક પ્રિય વાર્તાવિષય બની રહે છે. ધૂમકેતુની એક સબળ ટૂંકી વાર્તા “સ્ત્રીહદય' તથા ગોપાલ', “એની સમજણ”, “સત્યનું દર્શન ઈત્યાદિ ઉદાહરણરૂપે અહીં યાદ આવશે.
ધરતી સાથે જેમની નાળ હજુ કપાઈ નથી એવાં પાત્રો તરફ ધૂમકેતુ બિરાદરીની સહજ એવી લાગણી અનુભવે છે. નાદાર અવસ્થામાં જૂના ખર્ચાળ સંગીતશોખને વળગી રહેવામાં હાંસલ શું ? જમીનદારની મૃત્યુતિથિએ આર્થિક બદલાની આશા સિવાય ગાયન-વાદન કરવામાં અંધ ગયાને પ્રાપ્તિ શું ? (“એની સમજણ” વાર્તા). શા માટે ધના ભગતે ખુવારીની જાણ છતાં જરીપુરાણ બનેલી ઘડાગાડીને વળગી રહેવું જોઈએ? (“સત્યનું દર્શન વાર્તા). શા કારણે હા રબારી એનાં ઢોરઢાંખરને જીવને ભેગે વળગી રહે છે? (“ગપાલ'). કેવળ બુદ્ધિની દૃષ્ટિએ વિચારીએ તે એમાં મૂર્ખાઈ નહિ તો ઘેલું અવ્યવહારુપણું લાગે. પરંતુ જીવનની ચીલાચાલુ વ્યાવહારિકતા કે ધૂળ નફાટાની ગણતરીએ ચાલનારાં આ પાત્રો નથી. પહેલી વફાદારી પિતાની લાગણતંત્ર પ્રત્યે, જીવનમાં સ્વીકારેલા
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૧૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ આદર્શ પ્રત્યે. જીવનમાં પોતાના અનોખે ચીલે “કંટકના યારમાં” ચાલવામાં અને એમ કરતાં ઉઝરડાવામાં એમને આનંદ છે. જે સમાજમાં અને જે જીવનકાળમાં એમનાં મૂળ નંખાયાં છે તે સમાજ તથા કાળ નષ્ટપ્રાય થઈ રહ્યો હોય ત્યારે પણ એને વળગી રહેવામાં એ પાત્ર જીવન સાર્થક્યને અનુભવ કરે છે. જીવનમાં સફળતા અને સુખ વિશે અનૂ માપદંડ ધરાવનારાં આવાં પાત્રોનાં આલેખને સારાં થયાં છે.
ટૂંકી વાર્તા ક્ષણાર્ધની લીલા છે. એવી એક નાની પળની રમત સમી. વાર્તાઓ છે “સવાર અને સાંજ', “તિલકા', “ત્રિકેણ, વગેરે. ટૂંકી વાર્તા જીવનના મર્મસ્થાનને એક ઘડીમાં જ પ્રત્યક્ષ કરાવી શકે છે, એવા ધૂમકેતુના કથનને સાર્થ કરતી, માનવસ્વભાવમાં વાતવાતમાં આવતાં પરિવર્તનો આલેખ આપતી (‘બિંદુ, “નારીને પરાજય, “એક નાની પળ” વગેરે) અને નરી સરળતાની સુંદરતા ધરાવતી આ કૃતિઓ છે. સાંપ્રત કથાસાહિત્યમાં જે વારંવાર વાર્તા-વિષ્ય બને છે તે રસહીન જડ એકવિધતામાં સરતી જતી આધુનિક યંત્રસભ્યતા અને મશીની જીવનના ભણકારા ધૂમકેતુ ઘણું વહેલેરા સાંભળી શક્યા હતા, એની પ્રતીતિ “ભૈયાદાદા' તથા “કવિતાને પુનર્જન્મ' જેવી વાર્તાઓ કરાવે છે.
ટૂંકી વાર્તામાં આરંભને કાપે કઈ રીતે મૂકવો એની ધૂમકેતુને સહજ સૂઝ છે. કૃતિની શરૂઆતમાં જ જે ખોટું વેતરાઈ જાય તે વાર્તાને છેવટ સુધી નેઠે પડે નહિ તે દેખીતું છે. પ્રસંગોના મધ્યપ્રવાહમાં વાચકને સીધેસીધા જ મૂકી દેતી શરૂઆત કઈ રીતે કરવી, વાર્તાને મધ્યભાગમાં કઈ રીતે બહેલાવવી અને અંતિમ ચેટ શી રીતે મારવી એના એક સરસ ઉદાહરણ જેવી વાર્તા છે પ્રેમાવતી. પાત્રોનાં વિરોધી વ્યક્તિનાં તુલ્યબળ પરિમાણો ધૂમકેતુ એમાં ઊભાં કરી શક્યા છે. આમ તો કરુણ એ ધૂમકેતુને પ્રિય રસ લાગે છે, પણ યથાપ્રસંગ બીભત્સરસનિરૂપણમાંય એમને સિદ્ધિ મળ્યા વિના રહેતી નથી તેની (તેજસ્વી પ્રેમાવતીના) મડદાલ પતિના વર્ણન દ્વારા આપણને પ્રતીતિ થાય છે. પ્રેમાવતી'માં સતત ગાળાગાળી કરતા, જડબાતોડ બોલકણું, રોફીલા, બરછટ વ્યવહારવાળા ફોજદારનું વૈશિષ્ટય (individuality) જાળવતું વર્ગ સૂચક (typical) પાત્ર આપણું ધ્યાન ખેંચે છે. આ ફોજદાર પ્રેમાવતી વિશે જે કાંઈ બોલે છે તે અગ્ય છે અને અગ્ય છે માટે જ પાત્રસંગત જણાય છે.
આવા શક્તિશાળી વાર્તાલેખકના સર્જનની કેટલીક ગંભીર કોટિની મર્યાદાઓ દેખાયા વિના રહેતી નથી. હકીકતમાં એમના સર્જનમાં ઉચ્ચારતાને ક્રમ સતત જણાયા કરે છે. એમની વાર્તાઓનું વાચન જેમ પ્રશંસાના તેમ નિરાશાના
Page #526
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[પ૧૭ ઉદ્ગારે જાણે કે એકી સાથે પ્રગટાવે છે. ધૂમકેતુના વાર્તાસર્જનમાં લગોલગ જોવા મળતી શિખરચી સિદ્ધિઓ અને ખીણનીચી મર્યાદાઓ વાચકને વિમાસણમાં મૂકી દે એ વિશિષ્ટ અનુભવ કરાવી જાય છે. જીવનને તેઓ લગભગ સ્થિતિચુસ્ત ખાનાંઓમાં વહેંચી દે છે. પ્રાચીન સંસ્કૃતિ વિરુદ્ધ આધુનિક સભ્યતા, શીલસંસ્કારસંપન્ન જૂની પેઢી વિરુદ્ધ નઠેર બેજવાબદાર નવી પેઢી, જડ હૃદયહીન અમલદાર (મૈયાદાદા' વાર્તાને કડવી તેય સાચી ફરજ બજાવતે જુવાન અફસર) વિરુદ્ધ રસમય ચૈતન્યના પ્રતીક સમા ભૈયાદાદા. પરંતુ જીવન આમ સદ્ગુણ-દુર્ગુણ, ઊજળું કાળું, જૂનું નવું એવા જડ ને ચોકકસ વિભાગમાં કાંઈ વહેંચાયેલું છે ખરું ? એ પ્રશ્ન ખુશીથી પૂછી શકાય.
ધૂમકેતુએ કુલ ૨૪ વાર્તાસંગ્રહમાં ૫૦૦ જેટલી ટૂંકી વાર્તાઓ આપી છે. પ્રારંભની વાર્તાઓમાં દેખાતાં નાવીન્ય અને રસના ચમત્કારને બાદ કરતાં પાછળની મોટા ભાગની વાર્તાઓમાં વાર્તાકાર તરીકેની પોતાની રીઢી બની ગયેલી લઢણોનું નીરસ પુનરાવર્તન ધૂમકેતુ કર્યા કરે છે. પરિણામે સમગ્ર રીતે જોતાં એમનાં પાત્ર પ્રસંગો લગભગ સમાન બીબાંઓમાં જુદાં જુદાં લેબલ નીચે ઢળાચેલાં નજરે પડશે. જે વિશેષ પાત્ર ઉપર સાહિત્યકારની સર્જકશક્તિની “સર્ચ લાઈટ ફેંકાતી હોય તે પાત્રની (આજુબાજુનાં પાત્રોથી અલગ પડતી) કોઈ વિશેષતા વાર્તામાં રચાવી જોઈએ. પાત્રની આગવી વૈયક્તિકતા (particular essence) લેખકે રચી આપવી જોઈએ. એક ફ્રેંચ કલામર્મ ટૂંકી વાર્તાનું સર્જન કરવા મથતા પાસાંને સલાહ આપતાં કહેલાં કીમતી વચને અહીં યાદ આવશે: “એક જ શબ્દથી મને સમજાવ કે અમુક ગાડીએ જોડાયેલો ઘડો બીજા પચાસ ઘેડાથી ક્યાં અને શી રીતે જુદે પડે છે ?” ધૂમકેતુ પાસે પાત્રસર્જનની આવી કળા, એકંદરે જોતાં, અલ્પ પ્રમાણમાં છે. ધૂમકેતુની પાત્રસૃષ્ટિની બહુરૂપતા વાસ્તવિકતાએ સાંકડી સીમામાં બંધાઈ ગયેલી લાગે છે.
ટૂંકી વાર્તાના આરંભબિંદુ તરીકે તેઓ ઘણી વાર પાત્રને લેતા લાગતા નથી. પરંતુ અમુક વિચારને લેતા જણાય છે. વિચારના રમકડાને પછી પાત્રના
ખામાં તેઓ ભરે છે. પરિણામે વાર્તા પૂરી થાય ત્યારે વાચકના હાથમાં શેષ રહી જાય છે વિચારનાં નિર્જીવ રમકડાં. અને પાત્રનું પાત્રત્વ પ્રતીત થવું તે કરાણે રહી જાય છે. અહીં પ્રશ્ન થાય ? પાત્રાધારે વિચાર કે વિચારાધારે પાત્ર? જવાબ સ્પષ્ટ હોવો જોઈએ. ખરેખર તો લેખકને સર્વ પ્રથમ પાત્ર સ્ફરવું જોઈએ. એ પાત્ર દ્વારા લેખક પિતાને કોઈ પ્રિય વિચાર રજૂ કર્યા વિના ન જ રહી શકે એમ હોય તો કલાત્મક રીતે ને પાત્ર પિતાનું માઉથપીસ છે એવી છાપ
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૧૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર, ૪
પડચા વિના છે. રજૂ કરતા, પરંતુ ધૂમકેતુમાં તા વિચારાધારે પાત્રને ઊંધા ક્રમ ઘણી વાર દેખાય છે.
નરવી મા`િક વિનેદવૃત્તિ દાખવતી ‘એક ટૂંકી મુસાફરી' તથા ‘હતા ત્યાં ને ત્યાં' જેવી હાસ્યરસિક વાર્તાએ ધૂમકેતુએ આપી છે. માનવચારિત્રની નબળાઈમાંથી જન્મતુ, પરંતુ એ દુળતાઓ પ્રત્યે સમભાવશીલ સ્મિત પ્રેરતુ હાસ્ય ધૂમકેતુએ પ્રસ્તુત કૃતિમાં રેલાવ્યું છે. એ જ ધૂમકેતુ, હું પણ વિતદ કરી શકું છું, એવી કંઈક સભાન મનેાવૃત્તિથી પ્રેરાઈને હાસ્ય જન્માવવાને નિષ્ફળ પ્રયાસ કરતી ‘પાર પેન' જેવી વાર્તા લખે કે પછી અરુચિકર અને સાવ સ્થૂળ હાસ્ય જન્માવતી (હાસ્યને પ્રગટાવવા માટે લેખકને એક સ્થળે ગાયની પાછળ ધણખૂટને દોડાવવા પડયો છે!) એક વિચિત્ર અનુભવ' જેવી વાર્તા જ્યારે રચે ત્યારે ખુદ વાચકને એક વિચિત્રતર અનુભવ થાય એમાં શું આશ્ચર્યું ?
ધૂમકેતુની ટૂંકી વાર્તાઓમાં જીવન તરફના સમ્યક્ દિણુ નથી અનુભવાતા. શહેર-ગામડું, જૂની પેઢી—નવી પેઢી, ઊજળું તથા કાળું, એવા લગભગ સ્થિતિચુસ્ત ખાનાંઓમાં તે જીવનને વહેંચી દેતા જણાય છે. જીવન તરફના એમના પ્રતિભાવા લગભગ પૂર્વનિશ્ચિત પ્રકારના (set responses) જણાશે. વાર્તાકાર તરીકે પેાતાની લઢણાનું, સર્જક તરીકેની પાછળની તદ્રાવસ્થા દરમિયાન, ધૂમકેતુ નીરસ પુનરાવર્તન કર્યા કરે છે. વાકપલઢણા, પ્રસંગો, પાત્રા અને લાગણીઓનાં ધૂમકેતુનાં નિરૂપણામાં આવાં યાંત્રિક પુનરાવર્તને દેખાશે એમની ધણી વાર્તાએ સક તરીકેની અદમ્ય સિસક્ષાવૃત્તિમાંથી પ્રગટતી હૈાય એવું જણાતું નથી. એમાં વાર્તાકલા ઉપરની લેખકની ામેલી હથેાટી દેખાય છે. પરંતુ પરિપાકમાં નિર્જીવતા વરતાય છે. એમની વાર્તાએ કયારેક લૂખી અહેવાલાત્મક રીતિમાં સરી પડે છે. વાચકની બુદ્ધિશક્તિ ઉપર એમને આછા ભરીસા હશે કે કેમ, લેખક એમની વાર્તાઓમાં કશું વ્યંજિત રહેવા દેતા નથી, વાર્તાની વચ્ચે વચ્ચે કૅામેન્ટરી કર્યાં કરે છે અને વાર્તાઓમાંથી બધુ... વાળીઝૂડીને વાચકના લાભાથે વાચકના હાથમાં સૂત્રાત્મક વિચારસંભારનું — જીવનદર્શનનુ` એક અલગ પડીકું પડાવી દે છે, “લે ભાઈ, લેતા જા, તને ખપ લાગશે”–એ ઢખે.... ખુદ પ્રસંગેા અને પાત્રાને તેઓ કેટલીક વાર કેમ ખાલવા નહિ દેતા હેાય ? કલાકાર તરીકેનું તાટસ્થ્ય વીસરીને વાર્તાની વચ્ચે સૂત્રેાચ્ચારણા કરવા માટે તેઓ કેમ ધસી આવતા હશે ? વાર્તાને અંતે “ઇતિ સિદ્ધમ્ ” (Q. E. D.) કરવાતા આગ્રહ શા માટે સેવતા હશે? કૃતિને છેવાડે સામાજિક રાગદેગનું નિવારણ કરતું પ્રિસ્ક્રિપ્શન કેમ ચોંટાડી બેસતા હશે ? એવા એવા પ્રશ્નો જાગ્રત વાચકેાને અવશ્ય થવાના.
Page #528
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[૫૧૯ટૂંકી વાર્તાનું સર્જન વાચકની રુચિને વિકાસ સૂચવે છે. વાચકની વિકસિત રુચિ ઉપર ધૂમકેતુને એ છે વિશ્વાસ હશે કે કેમ, ઇંગિતની જરૂર હોય. ત્યાં વાર્તાની વચ્ચે ધસી આવીને લેખક સંભાષણ આપી બેસે છે. સુન્દરમ પૂછે છે એમ, કૃતિના, સૌદર્યદર્શનના કોયડાને આટલે સરળ બનાવી દેવાય ખરો. કે? “ક૯૫નાની મૂર્તિઓ', ‘જનાં સ્મરણેનું એક પાનું' જેવી વાર્તાઓમાં પાત્રો કે પ્રસંગને આપમેળે બોલવા દેવાને બદલે ખુદ લેખક પાત્રો અને પ્રસંગે વતી, સર્જકને છાજતી દૂરતા અને પરલક્ષિતાને વીસરી બેસીને જ્યારે બોલવા લાગે છે ત્યારે વાચક તરીકે કહેવાનું મન થાયઃ રહે વાર્તાકાર, તમારી વાર્તાને બોલવા દે; એને હું ખોલવા દે.
“નવલિકા, એ વિશે કાંઈક' નામે લેખમાં ધૂમકેતુએ એક વિવેચકનો આવો Hd 21527 : “The writer may say what he must, but he must not say what he may”, ટૂંકી વાર્તામાં કહેવા જેવું લેખકે બધું જ કહેવું જોઈએ, પરંતુ બિનજરૂરી કશું જ કહી ન શકાય, એવું ધૂમકેતુ જાણે છે અને છતાં “જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ' –એવો ઘાટ એમની નિરર્થક મંદથી. લચી પડતી “વાત ગઈ, સુગંધ રહી ગઈ છે. કૃતિઓને થયેલે દેખાશે. ધૂમકેતુની ઘણી કૃતિઓમાં – અરે પેસ્ટ ઓફિસ જેવી સારી વાર્તામાંયે– કાટછાંટને અવકાશ રહી જતા દેખાય છે. પ્રસંગને વાર્તામાં સ્થાન અવશ્ય છે, પણ પ્રસંગે એ વાર્તાઓ નથી, એવું વિવેચક ધૂમકેતુ લખે છે અને છતાંય અસરની એકતા ન પ્રગટાવતી, પ્રસંગોને સાવ ઢગલે વાળી દેતી વાર્તા “મારાં ઘર' લખવામાં લેખક ધૂમકેતુને કશો બાધ નડ્યો નથી. આમ વિવેચક ધૂમકેતુ અને લેખક ધૂમકેતુ પરસ્પરને તાળી દેતા હોય એવું સર્વત્ર જણાતું નથી.
- ટૂંકી વાર્તાઓમાં લાગણીનિરૂપણની અતિશયતા, એ ધૂમકેતુની વાર્તાકાર તરીકે એક અન્ય પ્રસિદ્ધ મર્યાદા. ગોળ નાખે ગળ્યું થાય, એવી વૃત્તિથી પ્રેરાઈને તો ધૂમકેતુ લાગણીને વધુ પડતા ઘેરા રંગ રેડી બેસતા નહિ હોય ને ? પરંતુ લાગણના નિરૂપણમાં તે, સુન્દરમે અન્યત્ર માર્મિક રીતે દર્શાવ્યું છે એમ, શકુનના ગોળની એક કાંકરી જ મને મીઠું કરવા માટે પૂરતી થાય. વળી, ધૂમકેતુની “જીવનનું પ્રભાત” કે “પૃથ્વી અને સ્વર્ગ' જેવી અન્યથા આસ્વાદ્ય કૃતિઓ વાંચતી વેળાએ આપણે વાર્તાઓ વાંચી રહ્યા છીએ કે વિવાદાસ્પદ ચિંતનવાળા નિબંધો, એ વહેમ રહ્યા કરે છે. નિબંધને જાણે ટૂંકી વાર્તાનું મારું ન પહેરાવી દીધું હોય, એવું ધૂમકેતુમાં ઘણે સ્થળે લાગ્યા કરે છે. એમની આવી વાર્તાઓ સભાન મૂલ્યપ્રજનની ખીંટીએ લટકતી બની જાય છે. ધૂમકેતુની આવી
Page #529
--------------------------------------------------------------------------
________________
પર૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ ટૂંકી વાર્તાઓમાં Beautiful non-sense કહી શકાય એવી સામગ્રી પણ ઠીકઠીક પ્રમાણમાં મળે છે. ધૂમકેતુના સર્જનમાં આ રીતે લગલગ જોવા મળતી શિખરઊંચી સિદ્ધિઓ અને ખીણનીચી ખામીઓ વાચકને વિમાસણમાં મૂકી જાય છે, એક વિશિષ્ટ અનુભવ કરાવી જાય છે.
બહેલાવી શકાય એવી ધૂમકેતુની વાર્તાઓ કયારેક માત્ર અહેવાલાત્મક કોટિની બની જાય છે (“માછીમારનું ગીત'). અહેવાલાત્મકતાના ભાર નીચે વાર્તા દબાય છે, શુષ્ક બને છે. શું બની રહ્યું છે એનું વર્ણન લેખક કરે છે, પણ પ્રસંગને ખરેખર બનત દેખાડતા નથી. રસનું વર્ણન કરે છે, પણ રસનો ચમત્કાર સજી શકતા નથી (‘હૃદય અને પ્રેમ'). ધૂમકેતુની સારી કહી શકાય એવી વાર્તાઓમાં પણ અપ્રસ્તુતને બાજે વરતાયા વિના રહેતું નથી. ટૂંકી વાર્તાના દેહ ઉપર જામેલા આ વધારાના મેદને કારણે સમગ્ર કૃતિમાં કૃતિને અનુભવ એથી થઈ શકતો નથી.
જીવનના ઉત્તરકાળમાં ધૂમકેતુની વાર્તાકાર તરીકેની લઢણ જ નવશિક્ષિત કે અલ્પશિક્ષિત પ્રૌઢ તથા કિશોરોને અપીલ કરે તેવી ઘડાઈ ગયેલી વરતાય છે, એટલે સુધી કે નવશિક્ષિત માટે બેધક પ્રસંગકથાઓ રચવામાં રત થઈ ચૂકેલા ધૂમકેતુ પ્રસંગકથા (tale) અને ટૂંકી વાર્તા (short story) વરચેને ભેદ જ લગભગ ભૂલી બેઠેલા લાગે છે. ટૂંકી વાર્તાના વાઘા નીચે રજૂ થયેલી આ કૃતિઓ ખરેખર તે સાદી સીધી દાદાજીની વાતો જેવી પ્રસંગકથાઓ જણાય છે. છૂટાછવાયા પ્રસંગોને એકત્વની કોઈ અસર ઉપસાવ્યા વિના વર્ણનાત્મક ઢબે રજૂ કરી જતી કૃતિઓને ટૂંકી વાર્તાનું નામાભિધાન કઈ રીતે આપી શકાય? પ્રસંગેને વાર્તામાં સ્થાન અવશ્ય છે, પણ પ્રસંગે એ વાર્તાઓ નથી, એમ ધૂમકેતુએ જ અન્યત્ર નેવું છે ને!
જીવનના ઉત્તરકાળમાં ટૂંકી વાર્તા લેખકના બદ્ધમતે ઉચ્ચારવાનું માધ્યમ બનતી લાગે છે. કૃતિને અંતે સરવાળો કરીને વાર્તાને સાર આપવાની પેરવી લેખક લગભગ કરી બેસે છે, પરંતુ એમાં સરવાળે વાર્તાકલાની બાદબાકી થઈ જતી વરતાશે. જીવનની ઊંડી શ્રદ્ધાની વાતને પણ લેખક સાવ સપાટી પરથી સ્પર્શે છે. વાત ઊંડા સંવેદનની હેય, પણ વાર્તાને અંતે એવું કઈ સંવેદન જાગતું જણાતું નથી. વાર્તાને અંતે નાના શે ડંખ-તણખો મૂકી જવાની આ કૃતિઓમાં ક્ષમતા નથી. ધૂમકેતુના અંતિમ વાર્તાસંગ્રહ “છેલે ઝબકારે”માં રસને કેાઈ ચમત્કાર નહિ મળે અને નહિ મળે પાત્રસર્જનની કશી વશેકાઈ. પ્રસંગજમાવટની કોઈ નિશાની નહિ મળે અને નહિ મળે ગદ્યની કોઈ રિદ્ધિ.
Page #530
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩ ]
ધૂમકેતુ
[ પર૧
લેખક રીઢાં સૂત્રોચ્ચારણા કરે છે ત્યારે કલાકારનેા નહિ, પ્રચારકનેા અવાજ કાને અથડાય છે. એમની વાર્તાઓના વિષયે પણ જરીપુરાણા : માબાપ સારાં, છેાકરાં નઠારાં; વિલીન થતા જૂના જમાના ‘એ માણસા ગયા, એ રંગત ગઈ, એ રંગ ગયા’. બદલાતી જતી ‘હવા’ના ઉલ્લેખા તા અબખે પડી જાય તે હ્રદ સુધીના મળશે.
-
વાર્તાકાર તરીકેની ઉત્તરાર્ધની કારકિર્દીમાં ધૂમકેતુએ કેટલીય પ્રાચીન તથા મધ્યકાલીન કથાએ રજૂ કરેલી છે. આવી પરાપૂર્વથી ચાલી આવતી કથાઓને ટૂંકી વાર્તાના ઘાટમાં ઢાળવાની ધૂમકેતુની એક વિશેષતા છે. પરંતુ અહીં રજૂ થયેલી દંતકથાઓ–ઇતિહાસકથાઓ વાંચતાં તે એમ છાપ પડે કે, મૌલિક સર્જકતત્ત્વની ઓટ અનુભવતા લેખક એમની મ`પ્રાણુ બનેલી સિસક્ષાને બહારના ધક્કાએ આપવા માટે પ્રાચીન કથાઓના તૈયાર મસાલેા ખચી ખુટામણ તરીકે વાપરી રહ્યા છે. ... વીસી દરમિયાન ગુજરાતી નવલિકાના ગગનને ‘તણખા' વડે અજવાળનાર ધૂમકેતુના અસ્તાચળ ભણીને આવા નિસ્તેજ છેલ્લે ઝબકારા’ નિહાળતી વેળાએ વિષાદને અનુભવ થાય છે. ‘તણખા’ના રચનાર ધૂમકેતુ તા એના એ જ છે, પણ પેાતાનામાંના સર્જનનાં પેલાં જૂનાં સફળ આયુધે। હાજર હાવા છતાં, કામે અર્જુન લૂટિયા, એવા સાહિત્યસર્જનના અપરાä કાળમાં ધૂમકેતુને! ઘાટ થયેલા દીસે છે.
આ રીતે ધૂમકેતુનાં વાર્તારત્નાની પ્રભા કયારેક નિર્મળ રીતે ચમકે છે, તા કયારેક લલિત સાહિત્યેતર વ્યવધાને થી રજોટાઈને એ ઝાંખી પડે છે. આમ છતાં, ગુજરાતી ટૂંકી વાર્તાના માળખામાં પ્રાણ પૂરનાર, આંકેલે કાઈ મા ન હતા એવી સ્થિતિમાં ગુજરાતી ટૂંકી વાર્તા માટે એક રાજમા આંકી આપનાર, કેટલીક સ્મરણીય વાર્તાઓના સર્જન દ્વારા ગુજરાતને વાર્તાવ તું” કરનાર, ગુજરાતને ભારતના વાર્તાસાહિત્યના નકશા ઉપર સગૌરવ મૂકી આપનાર અને ગુજરાતી ગદ્યને અભિવ્યક્તિની નવી ક્ષમતાએ પ્રગટાવી આપીને હાડેતું બનાવનાર ધૂમકેતુનું વાર્તાકાર તરીકેનું મૂલ્ય, રસદષ્ટિ તેમ જ ઐતિહાસિક દષ્ટિનું સથા ખંડન કરીએ તેા જ આછું આંકી શકાય એમ છે,
નવલકથાઓ
ધૂમકેતુએ ચેાવીસ ટૂંકી વાર્તાના સંગ્રહે। ઉપરાંત સાત સામાજિક નવલકથા ‘પૃથ્વીશ’ ૧૯૨૩, ‘રાજમુગુટ' ૧૯૨૪, ‘રુદ્રશરણુ(મલ્લિકા)' ૧૯૩૭, ‘અજિતા’ ૧૯૩૯, ‘પરાજય’ ૧૯૩૯, ‘જીવનનાં ખંડેર' ૧૯૬૩ અને મ`ઝિલ
Page #531
--------------------------------------------------------------------------
________________
પર૨]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચં. ૪ નહીં કિનારા' ૧૯૬૪ લખી છે. ચાલુક્ય નવલકથાવલિની તથા ગુપ્તયુગ નવલકથાવલિની અતિહાસિક કૃતિઓ એમણે રચી છે.
ચૌલાદેવી ૧૯૪૦, “રાજસંન્યાસી ૧૯૪૨, “કર્ણાવતી' ૧૯૪૨, “રાજકન્યા ૧૯૪૩, “જયસિંહ સિદ્ધરાજ' ત્રણ ભાગમાં અનુક્રમે ૧૯૪૫, ૧૯૪૬ અને ૧૯૪૮, ગુર્જરેશ્વર કુમારપાળ' ૧૯૪૯, “રાજર્ષિ કુમારપાળ' ૧૯૫૦, “નાયિકાદેવી' ૧૯૫૧, “રાય કરણઘેલો' ૧૯૫૨, “અજિત ભીમદેવ ૧૯૫૩, “આમ્રપાલી' ૧૯૫૪, “નગર વૈશાલી ૧૯૫૪, “મગધપતિ’ ૧૯૫૫, “મહાઅમાત્ય ચાણક્ય' ૧૯૫૫, “ચંદ્રગુપ્ત મૌર્ય' ૧૯૫૬, “સમ્રાટ ચંદ્રગુપ્ત' ૧૯૫૭, “પ્રિયદર્શી અશોક' ૧૯૫૮, “પ્રિયદર્શી સમ્રાટ અશોક ૧૯૫૮, “મગધ સેનાપતિ પુષ્યમિત્ર' ૧૯૫૯, “ચૌલાદેવી” (સંક્ષિપ્ત) ૧૯૬૦, “કુમારદેવી ૧૯૬૦, “ગુર્જરપતિ મૂળરાજદેવ” બે ભાગમાં ૧૯૬૧, પરાધીન ગુજરાત” ૧૯૬૨, “ચંદ્રગુપ્ત મૌર્ય (સંક્ષિપ્ત) ૧૯૬૩, “ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત” બે ભાગમાં અનુક્રમે ૧૯૬૩, ૧૯૬૪, “ધ્રુવદેવી” ૧૯૬૬.
આમ જુમલે બત્રીસ નવલકથાઓ લખી, જેમાંની સાત સામાજિક અને પચીસ ઐતિહાસિક છે. એતિહાસિક નવલકથાઓ લખવા માટેનું ધૂમકેતુનું આકર્ષણ આ કૃતિસંખ્યા મારફત પ્રગટ થાય છે. ધૂમકેતુની નવલકથાઓની સંખ્યા ટૂંકી વાર્તાઓના સંગ્રહને મુકાબલે મોટી છે. જોકે નવલકથારચનાની સરખામણીએ ટૂંકી વાર્તાના લેખનમાંથી સર્જક તરીકેનો યશ ધૂમકેતુ વિશેષ રળ્યા છે.
ઉપર નેધેલ કૃતિસંખ્યાંક ઉપરથી વાર્તાકાર ધૂમકેતુની રચનાઓના વૈપુલ્ય અને સાતત્યને આપણને ખ્યાલ આવે છે. સામાજિક નવલકથાઓ
ધૂમકેતુએ વાચકના મનોરંજન માટે નવલકથાઓ લખી છે. પણ ધૂમકેતુને મન અહી કેઈ સસ્તું મનરંજન અભિપ્રેત નથી. “પરાજયની પ્રસ્તાવનામાં ધૂમકેતુ લખે છે: “મને રંજન કરનારી વસ્તુઓમાં નવલકથાની ગણતરી થાય છે. પણ મનોરંજન કરનારાં રમકડાં માત્ર રમકડાંરૂપે રહી શકે છે....” મનરંજનના એક રમકડા તરીકે નવલકથાલેખનને એમણે સ્વીકાર્યું નહોતું. વાચકના રંજન અથે નવલકથા લખાઈ છે એ વાત સાચી. પરંતુ એ રંજન દ્વારા વાચકના વ્યક્તિત્વનું ઘડતર કરવાનો ધૂમકેતુનો ઈરાદો હતો. સાહિત્યના આનંદ પાસે બીજા સઘળા આનંદ લૂલક લાગે, કેમ કે સાહિત્ય દ્વારા પ્રાપ્ત થતો આનંદ સમર્થને. - શક્તિશાળીને આનંદ છે, એવો ધૂમકેતુને અભિપ્રાય હતો.
“રાજમુગુટ” અને “પૃથ્વીશ” નવલકથાઓ દ્વારા સામાજિક નવલકથાના લેખનના ક્ષેત્રે ધૂમકેતુએ પ્રવેશ કર્યો. સમકાલીન પરિબળોની અસર એમની
Page #532
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩ ]
ધૂમકેતુ
[ ૫૨૩
સામાજિક નવલકથાઓ ઉપર વરતાય છે. આઝાદી પહેલાંનાં દેશી રજવાડાંઓમાં પ્રજાકીય જાગૃતિ આવતી જતી હતી; પ્રજાકીય ચળવળા શરૂ થઈ હતી. ગાંધીજીની સર્વવ્યાપક પ્રતિભાના સંસ્પર્શના અનુભવ બધે થતા હતા. ભારતના અન્ય વિસ્તારામાં તેમ જ દેશી રજવાડાંઓમાં સ્વાતંત્ર્યની ભાવનાનું સ્ફુરણ થયું હતું.. ગામડાનું નવાત્થાન કરવાની તમન્ના, દલિતસમભાવ જેવી વૃત્તિએ વ્યાપક બનતી જતી હતી, ધૂમકેતુની સામાજિક નવલકથાઓમાં આવાં સમકાલીન સ્ફુરણા પ્રગટયાં છે. આવાં સમકાલીન સ્ફુરણેા જ પ્રગટાવવાં એવે। નવલકથાકાર ધૂમકેતુના ઉદ્દેશ નથી. ‘પરાજય' અને ‘અજિતા'માં પ્રણયનું આલેખન મહત્ત્વનું સ્થાન
ધરાવે છે.
ધૂમકેતુની સામાજિક નવલકથાએનાં પાત્રોમાં આદર્શ માટેની ધૂન જોવામળે છે. આદર્શ નિષ્ઠા પ્રગટ કરવાની બાબતમાં ધૂમકેતુનાં પાત્રોનું સામ્ય રમણુલાલની ધ્યેયનિષ્ઠ પાત્રસૃષ્ટિ સાથે જાય છે. અજિતા’ના અજિત, ‘પરાજય’ના અભય અને ‘રુદ્રશરણુ’ના અવનીશ આદનિષ્ઠ પાત્રો છે. નવલરામ ત્રિવેદી આ સંદર્ભ'માં લખે છેઃ ... ધૂમકેતુનાં શ્રીમંત પાત્રો નિર્માલ્ય હેાય છે. પણ રખડુ, નિજાનંદમાં મસ્ત અને મુશ્કેલીઓથી ઘેરાયેલાં એમનાં ગરીબાઈમાં ઊછરેલાં પાત્રો સ્વમાન અને સત્ત્વની કાઈ અજબ ખુમારી બતાવે છે... ધૂમકેતુનાં ઘર બાળીને તીરથ કરવા નીકળી પડે તેવાં પાત્રો જુદાં પડી આવે છે. ઝીણામાં ઝીણી દરેક બાબતમાં હિસાબ મૂકનાર ગુજરાતીઓને આ ખેપરવા બાદશાહે અને આત્માના અમીર...અનેાખા જ લાગે છે.
સામાજિક નવલકથાનાં કેટલાંક પાત્રો ભૂતકાળમાં સુખસાહેખી માણતાં ચીતરાયાં છે. પરંતુ વમાનમાં એમને ગરીખી ભાગવવાની આવે છે. જોકે, ગરીખીથી એ પાત્રો હતપ્રભ થઈ જતાં નથી. આવું પાત્રનિરૂપણુ ‘મંઝિલ નહિ. કિનારા', ‘અજિતા' અને પરાજય'માં જોવા મળે છે. આથી ઊલટી રીતે કયારેક પાત્રો ભૂતકાળમાં ગરીબ હેાય અને વમાનમાં ધનાઢય અને એવુ' આલેખન પણ થયું છે. ‘અજિતા'ના જયસુખલાલ, ‘મંઝિલ નહિ કિનારા'ના ઈશ્વરચંદ્ર એનાં ઉદાહરણા છે. શ્રીમંતાઈમાંથી ગરીબાઈ અને ગરીબાઈમાંથી શ્રીમંતાઈ, એવી તરાહ ધૂમકેતુની સામાજિક નવલકથાઓમાં ગાઠવાઈ ગઈ છે. સામાજિક નવલકથાઓમાં ગરીબાઈ-શ્રીમ'તાઈની જેમ પ્રણયત્રિકાણુ પણ દારાયેલે જોવા મળશે. પ્રણયત્રિકાણુનાં ઉદાહરણા ‘પરાજય', ‘અજિતા' અને ‘રુદ્રશરણુ’માં મળશે.
ગામડાનું શાંત સાદું જીવન જીવવાની તમન્ના ધૂમકેતુની નવલકથામાં કેટલીક વાર વ્યક્ત થાય છેઃ કાઈ વખત એને વિચાર આવી જતા...આ બધી કડાકૂટ
Page #533
--------------------------------------------------------------------------
________________
પર૪]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪
કરવા કરતાં, નિરાંતે આવા નાના ગામડામાં સ્થિર થઈ, એકાદ જીવનસ ગાર્થિની શેાધી કાઢી, અહી` જ એકાદ ભેંસ રાખી, નાનીસરખી ધીરધાર કરી, આસપાસનાં ગામડાંઓમાં ઓળખાણુ પિછાણુ વધારી, આવડે તેવું વૈદું કરી, ઘર બંધાવી, થાડું સ્વચ્છ ફળી રાખી, ચેડાં ઝાડ રાપી જીવનવાટિકા રચી કાઢી હાય તે। શું ખાતું?' (‘પરાજય’, પૃ. ૨૯). આવા દૃષ્ટિબિંદુમાં લેખકના અ’ગત અભિપ્રાય પ્રગટ થયા છે એમ તારવી બતાવવું મુશ્કેલ છે. છતાં એમ લાગે છે કે ધૂમકેતુની જીવન માટેની અંગત મહેચ્છા ઉપરનાં વાકયોમાં કદાચ પ્રગટ થઈ હોય. શિક્ષિતા, ડૉકટરા, વકીલ, ઇજનેરા, અમલદારો, સમાજના ઉપલા થરના લે, ઇત્યાદિ તરફ વાર્તાકારના હ્રદયની સહાનુભૂતિ હેાય એવું જણાતું નથી. આજની કેળવણી તરફ ધૂમકેતુની કટાક્ષષ્ટિ જણાય છે : આપણી કેળવણીએ જે ત્વરાથી પાસેના ગામડાનું અસ્તિત્વ ભુલાવ્યું છે, તે ત્વરાથી પેલા ગૃહસ્થે જવાબ આપ્યો' (‘પરાજ્ય', પૃ. ૧૯૦).
સામાજિક નવલકથાઓમાં વાસ્તવિક જીવનનિરૂપણ કરવાને ધૂમકેતુના પ્રયાસ હેાય છે. ગ્રામજીવનનું ચિત્રણ કરતી વખતે ગામડાનાં વેરઝેર તરફ વાર્તાકાર આંગળી ચીંધી બતાવે છે. દેશી રજવાડાની ખટપટથી તે માહિતગાર છે. નવલકથામાં વાસ્તવિકતાના નિરૂપણની સાથે ધૂમકેતુ પેાતાને પ્રિય એવી આદર્શનિષ્ઠાને વીસરતા નથી. વાચનક્ષમ શૈલીમાં આ નવલકથાએ રચાઈ છે. ઐતિહાસિક નવલકથાઓ
ધૂમકેતુના ચિત્તમાં કશેારવયથી જ ઇતિહાસની વાતા સાંભળવા અને વાંચવાનું આકણ જામેલું હતું. લેખનની કારકિદીના આરંભમાં જ ધૂમકેતુએ ‘સિદ્ધરાજ જયસિંહ' અને ‘કુમારપાળ’ જેવા ઐતિહાસિક વિષય ઉપરના નિખધા લખ્યા હતા, તેમાં ઇતિહાસ પરત્વેના એમના ચિત્તનેા ઝેક જોવા મળે છે. આ નિબંધ વાંચીને મુનશીએ ધૂમકેતુને પત્રમાં લખેલું: તમારા કુમારપાળ અને સિદ્ધરાજના નિબ ંધોએ મારું ધ્યાન ખેચેલું. મને લાગેલુ` કે મારી પેઠે જ વિચાર કરનારા એક માણસ છે ખરા.'
ઈતિહાસ માટેના આવા આકષઁણુના ખીજમાંથી ઐતિહાસિક નવલકથાનુ એક વૃક્ષ પાછળથી રચાયુ. ઐતિહાસિક નવલકથાના લેખનમાંથી મુનશીને મળેલા યશને કારણે ધૂમકેતુના ચિત્તમાં એવી કૃતિ રચવાના સળવળાટ કદાચ જાગ્યા હાય. ધૂમકેતુની પ્રકૃતિ એક રામૅન્ટિક સર્જકની. આવી પ્રકૃતિને કારણે જ્વલ'ત ભૂતકાળમાંથી કથાખીજ લઈને ઐતિહાસિક કૃતિ રચવાનું ધૂમકેતુને દિલ થયું... હાય તે પણ સંભવિત ગણાય. પરતંત્ર દેશના લેખકને સ્વમાન અને
Page #534
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[પર૫: આત્મગૌરવની પ્રસ્થાપના અર્થે જાજ્વલ્યમાન ઇતિહાસ તરફ વળવાનું દિલ થાય એ સ્વાભાવિક લાગે છે.
ઇતિહાસની પ્રાપ્ય હકીકતોને શક્ય તેટલા પ્રમાણમાં વફાદાર રહીને ઐતિહાસિક નવલકથાઓ લખવાનું ધૂમકેતુનું વલણ છે. ઐતિહાસિક તથ્યને કાળજીપૂર્વક ભેગાં કરવાની ચીવટ ધૂમકેતુમાં દેખાય છે. સારે એવો શ્રમ ઉઠાવીને ચૌલુક્ય અને ગુપ્તયુગને લગતી નવલકથાઓનાં સાધનો ધૂમકેતુઓ એકઠાં કર્યા છે. મુનશીની નવલકથાઓમાં “ઇતિહાસ” અને “કથા” એ બેમાં કથા તરફનો. ઝુકાવ વિશેષ જોવા મળે છે, ધૂમકેતુને કથા રચવી છે, પણ એ કથાનું ઐતિહાસિકપણું જાળવવાની મુનશીને મુકાબલે ધૂમકેતુમાં વિશેષ ખેવના છે.
સાહિત્યકૃતિ તરીકે કોની ઐતિહાસિક નવલકથાઓ ચડિયાતી ઃ મુનશીની કે ધૂમકેતુની ? એ પ્રશ્ન પુછાય તે સહજ રીતે જવાબ મળવાનો કે મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ધૂમકેતુની એ પ્રકારની કૃતિઓની તુલનાએ સાહિત્યગુણ. વિશેષ છે. આમ છતાં, ઈતિહાસ પ્રત્યે વફાદારી જાળવવાની તમન્ના, આગળ નોંધ્યું તેમ, ધૂમકેતુમાં વધારે છે. ઐતિહાસિક નવલકથાના લેખનમાં મુનશીએ. પાડેલ ચીલે ધૂમકેતુ આગળ વધ્યા છે; ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાના લેખનને ક્ષેત્રે મૌલિક પ્રદાન કર્યું નથી.
ઐતિહાસિક નવલકથાઓમાં ઈતિહાસ અને કથાને શો સંબંધ હોવો જોઈએ, એ પ્રશ્ન આપણું વિવેચનસાહિત્યમાં ઠીકઠીક ચર્ચા છે. ધૂમકેતુ આ સંદર્ભમાં કહે છે: “ખીચડીમાં જેવું મીઠું, તેવું નવલકથામાં ઈતિહાસતત્ત્વ માનવુંઃ તેથી વિશેષ નહિ અને ઓછુંયે નહિ.” ઈતિહાસતત્ત્વનું મહત્ત્વ સ્પષ્ટ રીતે સ્વીકારીને નવલકથાલેખનના બીજ ઘટકની અગત્ય વિશે પણ ધૂમકેતુ સાથોસાથ નિર્દેશ કરી લે છે.
ભૂતકાળના ખાતરમાંથી વર્તમાનની ભયને કસવાળી બનાવવાને ધૂમકેતુને ઈરાદો છે. આવા હેતુથી પ્રેરાઈને ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાના લેખન માટે બે કાળ પસંદ કર્યા જણાય છેઃ ગુજરાતના ઇતિહાસને સુવર્ણકાળ ગણુતે સોલંકીયુગ અને ભારતના ઈતિહાસને એ જ તબકકો ગુપ્તયુગ, ચૌલુક્ય નવલકથાવલિમાં ગુજરાતના ઐક્ય અને એશ્વર્ય માટેની ખેવના અને ગુપ્તયુગ, ગ્રંથાવલિમાં સમગ્ર ભારત દેશની એકતા અને આબાદી માટેની વાર્તાકારની મહેચ્છા પ્રગટ થઈ છે. દેશની ભૂતકાળની ભવ્યતાને વર્તમાનકાળમાં મૂર્તિમંત કરવાને વાર્તાકારને મનભાવ જણાય છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
પર૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ નવલકથાનું એક પ્રકરણ પૂરું થતું હોય ત્યાં કોઈ નવા પ્રસંગનું બીજ ધૂમકેતુ નાખે છે. એ રીતે વાચકની જિજ્ઞાસાને જાગ્રત રાખી, વાર્તાના દેરને આગળ લંબાવવાની ધૂમકેતુની આવી પદ્ધતિને પરિચય એમની સામાજિક તથા એતિહાસિક ઉભય પ્રકારની નવલકથાઓમાં થાય છે. વાચકની પ્રાથમિક કક્ષાની કુતૂહલવૃત્તિને જાગ્રત રાખવાની ધૂમકેતુની આ પદ્ધતિ સામાન્ય કેટની લાગે છે. વાચકના કુતૂહલને જાગ્રત રાખવા માટે ધૂમકેતુ કઈ કેયડો કે ભેદભરમની વાત પણ કથાવસ્તુમાં ગૂથી લેતા હોય છે. ગુપ્ત રસ્તાઓને થતો ઉપયોગ, પાનું છુપાઈ જવું, છુપાઈને ભેદભરમ પામી જવું ઇત્યાદિ તરકીબથી નવલકથામાં જાસૂસી વાર્તાનું વાતાવરણ લેખક જન્માવે છે. પ્રાથમિક કક્ષાની રુચિવાળા વાચકની ધૂળ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાની નેમથી આ નવલકથાઓ લખાઈ હોય તેવી છાપ પડ્યા વિના રહેતી નથી. લેખકની એવી નેમ ન હોય તો પણ નવલકથાકલાનું ઊંચું નિશાન તેઓ સર કરી શક્યા નથી, એવું લાગે છે.
લગભગ સરખા પ્રકારના પ્રસંગેનું પુનરાવર્તન એ ધૂમકેતુની નવલકથાએની એક મર્યાદા છે. આવા પુનરાવર્તનને કારણે કથાવસ્તુનું પોત પાંખું પડી જાય છે. પાત્રલક્ષણોનું વર્ણન લેખક ઠીક ઠીક પ્રમાણમાં કરે છે. તેથી પાત્રના પ્રત્યક્ષ વ્યવહારમાંથી પાત્રલક્ષણે ઊપસી આવે એવી આકાંક્ષા સંતોષાતી નથી. આ મુદ્દાને અનુલક્ષમાં રામપ્રસાદ શુકલ નેધ કરે છેઃ “અવંતીનાથ'માં સિદ્ધરાજના પરદુઃખભંજનપણાનું શબ્દચિત્ર વધુ પ્રમાણમાં છે. એના વર્તનમાંથી જ એ પ્રત્યક્ષ થાય એવા પ્રસંગે યોજાયા નથી (૧૯૪૮-૪૯નું ગ્રંથસ્થ વાડમય, પૃ. ૨૪). પાત્રનિરૂપણની ગોવર્ધનરામની વર્ણનાત્મક પદ્ધતિને ધૂમકેતુ ઠીકઠીક આશ્રય લે છે. પાત્રનિરૂપણમાં કોઈ વખત પ્રમાણભાન ચૂકી જવાય છે. “અજિત ભીમદેવના “ચૌલાનું નૃત્ય” એ પ્રકરણમાં ચૌલાની મુદ્રાઓ, ચરણગતિ, નયનાભિનય ઇત્યાદિમાં લેખકની કલ્પના સામર્થ્યનું પ્રમાણ ઘણું વધી જાય છે. એ પ્રકરણ વાંચતાં આપણને અવશ્ય એમ થઈ આવે છે કે આટલું બધું ન કર્યું હત તે ઠીક થાત (૧૯૫૩–૫૪નું ગ્રંથસ્થ વાડ્મય, પૃ. ૮૯, રામપ્રસાદ બક્ષી).
ધૂમકેતુની અતિહાસિક નવલકથાઓનાં પાત્રોનાં લક્ષણેની એક પદ્ધતિ બંધાઈ ગઈ છે. ઉદાહરણ તરીકે, આ નવલકથાના સરદાર અને રાજાએ યુદ્ધવીર હોય છે. પરંતુ એ યુદ્ધવીરો મોટે ભાગે એમને મંત્રીઓની બુદ્ધિ વડે જ દોરવાય છે. મુત્સદ્દીગીરીના દાવપેચ ખેલતા મંત્રીઓની સહાય વિના ક્ષત્રિય સરદારો અને રાજવીઓના યુદ્ધવીરપણુની કઈ વિસાત નથી, એવી છાપ પડે છે. અતિહાસિક નવલકથામાં યુદ્ધ આવે અને રાજખટપટ આવે. રાજખટપટના ઉસ્તાદ મંત્રી
Page #536
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩]
ધૂમકેતુ
[ ૫૨૭
હાય છે. મત્રીએ આવે એટલે એમાં મુખ્યમત્રીપદ પામવા માટેની સ્પર્ધા આવે જ. આને પરિણામે ધૂમકેતુની નવલકથાઓમાં એકવિધતા આવે છે. ખાદ્ય દૃષ્ટિએ જુદીજુદી નવલકથામાં વિવિધ પ્રસંગેા બનતા દેખાય છે, પરંતુ વૈવિધ્યનું આ એક મહેારુ છે. એ મહારુ' હઠાવી લેતાં એકવિધતાનેા મુખવટા ઊપસી આવે છે.
ધૂમકેતુની એકલદેકિલ નવલકથા વાચનક્ષમ લાગે. પરંતુ બધી નવલકથાઓને સામટી જોતાં એકસૂરાપણાની છાપ ઊઠયા વિના રહેતી નથી. ઉદાહરણ તરીકે, મહામાત્યનું પાત્ર એક ખીબામાંથી ઘડાયેલુ વરતાય છે. ચૌલુકય નવલકથાવલિના દામાદર, સાંત, મુંજાલ અને ઉદયન તથા ગુપ્તયુગ નવલકથામાળાના વકાર, ચાણુકચ, રાધાગુપ્ત, પતંજલિ અને હરિષણ : આ બધાનાં નામેા` જુદાં છે, પણ એ સર્વાં ધડાયા છે એક સમાન ામ્યુલા અનુસાર. તે રાજખટપટ ખેલે છે. એમની રાજખટપટ સ્ટોર્મ ઇન એ ટી-કપ' જેવી કયારેક લાગે છે. એમની પાસે ઊચી કનિષ્ઠા છે. કાસિદ્ધિ માટે માર્ગ વચ્ચે આવતાં વિઘ્ના દૂર કરવાની નિશ્ચયાત્મકતા એમની પાસે છે. પેાતાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગમે તેવું સાધન વાપરતાં આ મંત્રીએ ખચકાતા નથી. દામેાદર મંત્રી કહે છેઃ મારું ધ્રુવપદ્ તા પાટણની મહત્તા છે. એ જે વડે થાય તે શુભ; એ જે વડે વણુસે તે અશુભ (‘કર્ણાવતી’, પૃ. ૧૯૧).
ધૂમકેતુની નવલકથાઓમાં—ખાસ કરીને ગુપ્તયુગ નવલકથાવલિમાં— રાજખીમારીના પ્રસ ંગે। આવે છે. રાજખીમારી આવે એટલે ભિષગ્નરા પણ પ્રવેશવાના. એકાદ નતિકા અને તેના પ્રેમમાં પડેલ કાઈ રાજકુમાર કે કળાકાર આવવાના. નકીમાં ચૌલા અને આમ્રપાલીનાં પાત્રા જાણીતાં બન્યાં છે. ધૂમકેતુનાં સ્ત્રીપાત્રા પુરુષપાત્રા કરતાં અધિક તેજસ્વી બતાવાયાં છે—સામાજિક તથા ઐતિહાસિક ભય પ્રકારની નવલકથાઓમાં. મહાઅમાત્ય ચાણકય' જેવી ઐતિહાસિક નવલકથામાં એક કદમ આગળ જઈને ધૂમકેતુ નારી સૈન્યનુ નિરૂપણ કરે છે. એમાં શૃંગારદેવીને નારી સૈન્યની ‘અધિપતિની' બતાવવામાં આવી છે. ધૂમકેતુની થાની નાયિકાએ લલિતકલા માટે અભિરુચિ ધરાવતી હાય છે. તેઓ કલાસ્વામિની પણુ હાય છે. કલા ઉપરના નાયિકાના સ્વામિત્વને કારણે નાયકના હ્રદયમાં પ્રેમ જન્મતા કયારેક દર્શાવવામાં આવે છે. આમ્રપાલી'માં બિંબિસાર આમ્રપાલીના પ્રેમમાં પડે છે અને અજિત ભીમદેવ'ના ભીમ ચૌલાના પ્રેમમાં પડે છે. એમાં કારણભૂત વાત નાયિકાનું કલા ઉપરનું સ્વામિત્વ હાય છે.
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૨૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2*. ૪
ધૂમકેતુની ઐતિહાસિક કથાઓમાં વિષકન્યાઓ આવે છે, પક્ષીઓ અને પ્રાણીઓ આવે છે; સાધુસંન્યાસીએ પણ આવે છે. વાર્તામાં ભેદભરમ ઊભે કરવા માટે સાધુનું પાત્ર પ્રયોજતું દેખાય છે. કચારેક અતિપ્રાકૃત (સુપરનેચરલ) આલેખન પણ થવાનાં. પ્રણયનિરૂપણુ તા હાય જ. વળી સામાજિક નવલકથા હાય તા પ્રણયત્રિકા પણ જોવા મળવાના. પાચિત્રણમાં પાત્ર વિશે બધું વિગતે કહેવાના લેખકને શાખ છે. વાચકની કલ્પનાશક્તિ ઉપર પાત્રલાક્ષણિકતા ઘેાડીઘણી વ્યંજિત રહે તેવી રીતે છેાડી દેવાનું લેખકને પસંદ નથી.
સરળ પ્રાસાદિક વાણીમાં ધૂમકેતુ વના કરે છે. સંક્ષિપ્ત નહિ, પણ વિસ્તૃત વર્ણના રજૂ કરવાની ધૂમકેતુને ફાવટ છે. વાત રજૂ કરતી વખતે જરૂર કરતાં વધુ માણુ નાખવાની વાર્તાકારને આદત છે. એથી નવલકથાની ક્રિયા મંદ પડી જાય છે. રાયકરણઘેલેા' નવલકથાનું વાચન વાચકને થકવે એવું છે. એ હકીકતથી ધૂમકેતુએ ચેતવા જેવું છે”, એવી અનંતરાય રાવળે આપેલી ચેતવણી સાચી લાગે છે. (‘સમાલેાચના', પૃ. ૧૧૩). ધૂમકેતુ, જોકે, નવલકથા લેખનના અંત સુધી ચેતલા” હેાય એવું જણાતું નથી.
વના કરતી વખતે શકચાશકયતાને ખ્યાલ લેખક કયારેક વીસરી જાય છે. પ્રિયદર્શી અશાક'માં કાદવકીચડ પાથરીને, રાતેારાત કૃત્રિમ જંગલ ઊભાં કરીને, કાઈ તરફ અગ્નિભડાર ખડકીને પ્રતિસ્પર્ધીના સૈન્યને આગળ વધતું અટકાવવાનું વર્ણન આવે છે, તેમાં અતિશયોક્તિના ઘેરા રંગ વધારે અને યથાતાની માત્રા ઓછી જણાશે.
ધૂમકેતુની કથાએમાં વિચારબિંદુએ રજૂ થયા કરતાં àાય છે. આ વિચારબિંદુએ પાત્રની મનેાભૂમિકામાં પ્રગટેલાં હેાય એવું જણાતું નથી. પાત્રના અવાજરૂપે નહિ, પણ લેખકના અવાજરૂપે આ વિચારબિંદુએ રજૂ થયાં છે, તેને એક મર્યાદા ગણી શકાય. આવાં વિચારબિંદુએ વાર્તાના સમગ્ર પ્રવાહમાં સમરસ થઈ ગયેલાં હેાય એવું અનુભવાતું નથી. (અનન્વય અલંકારથી યિતવ્યને ઉઠાવ આપવાની ધૂમકેતુની રીત લાંબે ગાળે ચવાઈ ગયેલી લાગે છે.)
બિનજરૂરી પ્રસ્તારને કારણે નવલકથાના દેહમાં આવતી શિથિલતા, પ્રસંગે અને પાત્રાના થતા પુનરાવનને કારણે જન્મતી એકવિધતા, કથાવિકાસની અસમતાલ તિ જેવી ધૂમકેતુની કથનકલાની મર્યાદાઓ જાણીતી બની છે. નવલિકાકાર તરીકે ધૂમકેતુને જેટલા યશ પ્રાપ્ત થયેા છે તેટલા નવલકથાકાર તરીકે પ્રાપ્ત થયેા નથી. આમ છતાં, સુવાચ્યતા એ ધૂમકેતુની નવલકથાઓના ધ્યાન ખેંચે તેવે ગુણુ છે. આ લેાકપ્રિય નવલકથાએ ઊંચી સાહિત્યિક ગુણવત્તાની કાટિએ પહેાંચી
Page #538
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩]
ધૂમકેતુ
A [પર૯ શકી નથી. પણ એ કૃતિઓએ તંદુરસ્ત મનરંજન પૂરું પાડ્યું છે તે વાત નક્કી. ઉજજવલ ભાવનાઓ અને ઊંચી આદર્શમયતા ધૂમકેતુની નવલકથાઓનું– વિશેષે એતિહાસિક કથાઓનું એક લક્ષણ બની રહે છે. ચૌલાદેવી' પાત્રાલેખન અને વાર્તારસની આકર્ષકતાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે એવી કૃતિ બની છે. નવલકથામાં પ્રકૃતિદર્શન કરાવતાં કર્તાની કલમ ઝળકે છે. અને કેાઈ વાર લખાણ કાવ્યકોટિ સુધી પહોંચે છે. “અવંતીનાથ સિદ્ધરાજ'–૩માં ધૂમકેતુએ એક સિદ્ધહસ્ત વાર્તાકારની ઢબે ત્યાગ ભટ્ટની ઉપકથાને મુખ્ય વસ્તુમાંથી સ્વત:કલિત થતી બતાવી છે (૧૯૪૮-૪૯નું ગ્રંથસ્થ વાડમય).
ગુપ્તયુગની નવલકથાઓમાં “આમ્રપાલી', “મહાઅમાત્ય ચાણક્ય' ઇત્યાદિ પ્રસિદ્ધ થયેલી છે. સમ્રાટ અશોક અંગે રચેલી બે કથાઓમાં અશોકનો કલિંગવિજય, ત્યાર પછી એને થતા પશ્ચાત્તાપ જેવા પ્રસંગે અસરકારક રીતે રજૂ થયા છે. ગુપ્તયુગ નવલકથાવલિના નાનામોટા પ્રસંગોમાં “ઈતિહાસ-સામગ્રી નિયોજવાની શક્તિ દેખાય છે.” ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં ધૂમકેતુનું કઈ વિશિષ્ટ અર્પણ નથી. ઉચ્ચ આશયોવાળી વાચનક્ષમ નવલકથાઓ આપી જનાર લેખક તરીકે ધૂમકેતુને ઉલ્લેખ, અલબત્ત, થતા રહેશે. લલિતેતર સાહિત્ય
લોકશિક્ષક ધૂમકેતુ: વાર્તાકાર તરીકે ધૂમકેતુ પ્રસિદ્ધ છે. જો કે, ધૂમકેતુએ લગભગ બધાં જ ગદ્યસ્વરૂપ પર હાથ અજમાવ્યો છે. ઠંડી કુરતા અને બીજાં નાટકો' (૧૯૪૨)માં ધૂમકેતુએ સ્પષ્ટ રીતે હેતુલક્ષી કહી શકાય તેવી નાટયકૃતિઓ આપી છે. “ઈતિહાસની તેજમૂતિઓ-૧, ૨ (૧૯૫૩, ૧૯૫૯), “જીવનઘડતરની વાત”, “જાતકકથાઓ', બાળનાટકે, લેકરામાયણ, મહાભારતની કથાઓ' (૧૯૬૦), ‘ઉપનિષદકથાઓ (૧૯૫૦) ઈત્યાદિ બહુસંખ્ય કૃતિઓ લેકભોગ્ય શૈલીમાં ધૂમકેતુએ રચી છે. બાલસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની આ રચનાઓ લેકશિક્ષણ આપવાના ઇરાદાએ થયેલી છે. બાળકે, નવશિક્ષિત અને અલ્પશિક્ષિત કી માટે ઉપયોગી બને તેવું શિષ્ટસાહિત્ય રચવાની સેવા લોકશિક્ષક ધૂમકેતુએ બજાવી છે. “ગીતાંજલિ' (૧૯૫૭) અનુવાદ, પઘરેણુ, “રજકણું, “જલબિંદુ', મેઘબિંદુ વગેરે અનેક કૃતિઓ એમણે આપી છે.
જિબ્રાનનું જીવનદશનઃ “જિબ્રાનની જીવનવાણ' (૧૯૪૯), “જિબ્રાનનું જીવનસ્વપ્ન' (૧૯૫૮), “જિબ્રાનનું જીવનદર્શન' (૧૯૬૧), “જિબ્રાનનાં જીવનમૌક્તિકે' (૧૯૭૯) એ ચાર પુસ્તકે મારફત ખલિલ જિબ્રાનના જીવનવિચારને
ગુ. સા. ૩૪
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૩૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ થ. ૪
ધૂમકેતુએ ગુજરાતને પરિચય કરાવ્યો છે. કિશારલાલ મશરૂવાળાએ ‘વિદાય વેળાએ’ (‘The Prophet') આપીને ગુજરાતનું ધ્યાન ખલિલ જિબ્રાન પ્રત્યે પહેલું ખેંચેલું. જિબ્રાનનું ભાવનારંગ્યુ. ચિંતન ધૂમકેતુના માનસને જચે એવુ છે. હું લખતા હતા, પણુ લખાણ મને લખી રહ્યું હતું.' એ તે ધૂમકેતુનું એક પ્રિય જિબ્રાનકથન હતું. મુક્તવિહાર કરતું, કાઈ ફ્રિકામાં ન બંધાતું, રસિક દૃષ્ટાંતાથી શોભતું, સૂત્રાત્મક ઉક્તિઓવાળુ` ખલિલ જિબ્રાનનું ઊર્મિરતિ ચિંતનસાહિત્ય મુગધ રસિક' વાયકાને ભાવે તેવું છે. [જિબ્રાન અંગેનાં ધૂમકેતુનાં પુસ્તકામાં એક ને એક કથનનાં કયાંક પુનરાવત ના થાય છે. ‘જિબ્રાનની જીવનવાણી'માં ‘યાપાત્ર પ્રશ્ન' વિશે જે કથન થયુ છે તે જ કથન ‘જિબ્રાનની જીવનવાટિકા'માં થાડા શબ્દાંતરે થયેલુ છે (પૃ. ૧૨૭), (પૃ. ૨૧). આવું નબળું ‘એડિટંગ’ ધૂમકેતુની ઉત્તર અવસ્થાનાં લખાણામાં જોવા મળે છે.]
હાસ્યરસની કૃતિ : હાસ્યરસની નિળધિકાએ લખવાના હેતુ ધ્યાન સમક્ષ રાખી ધૂમકેતુએ ‘પાનગાખી’ (૧૯૪૨) આપેલ છે. નવલરામ જ, ત્રિવેડીએ ‘પાનાષ્ઠી'ના ‘ગુજરાતનું હાસ્ય' નામે આમુખ લખેલા છે. ગુજરાતના હાસ્યલેખકાની સૃષ્ટિમાં ધૂમકેતુને એ આમુખમાં આવકાર અપાયા છે. પણ એમાં ધૂમકેતુની ‘પાનગૈાખી’ની હાસ્યકૃતિએની લાક્ષણિકતાએ વિશે એક શબ્દ કહેવાયા નથી, કદાચ એવા શબ્દ કહી શકાય તેવા નવલરામ માટે અવકાશ નહિ હાય. ધૂમકેતુને નૈસર્ગિક હાસ્યવૃત્તિ વરેલી નથી. ‘પાનગોષ્ઠી'માં હાસ્યના સ્પંદ અનુભવી શકાતા નથી. હાસ્ય જન્માવવા માટે ધૂમકેતુને ઘણું કષ્ટ ઉઠાવવું પડે છે. અને આમ છતાં, એ કષ્ટ હાસ્યપરિણામદાયી નીવડતું નથી. હું પણ વિનાદ કરી શકું છુ” એવી કાંઈક સભાન મનેાવૃત્તિથી પ્રેરાઈને હાસ્ય જન્માવવાના ધૂમકેતુ નિષ્ફળ પ્રયાસ કરે છે. હાસ્યરસની કૃતિઓ સવાના ઉદ્યમ ધૂમકેતુએ શા માટે કર્યાં હશે એનું ‘પાનગેાષ્ઠી'ના વાચન બાદ આપણને આશ્ચર્ય રહે છે.
પ્રવાસવર્ણન : ‘પગઢડી’(૧૯૪૦)માં ઈ. ૧૯૨૬ અને એની આસપાસનાં વર્ષો દરમિયાન લખાયેલાં પ્રવાસવર્ણના સમાવાયાં છે. ઈ. ૧૯૨૬ના ગાળા એટલે ધૂમકેતુના લેખક તરીકેના આરંભકાળ, પરંતુ એ આરંભકાળ દરમિયાન ટૂંકી વાર્તાના ક્ષેત્રે એમણે જે તેજલસાટા આંકી આપ્યા છે તેની સાથે સરખામણી કરી શકાય એવું વિત્તવાળું સન ‘પગદંડી'માં પ્રાપ્ત થતું નથી. હિમાલયના પ્રદેશમાં લેખકે પરિભ્રમણા કરેલાં છે. એ પરિભ્રમણેામાંથી હૃદયપલટા' જેવી ટૂંકી વાર્તા જન્મી છે.
રોમૅન્ટિક સ્કૂલના એક સર્જીક ધૂમકેતુની વાર્તાઓમાં દેખાતી ગોકુળિયા
Page #540
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩ ] ધૂમકેતુ
[ ૫૩૧ ગામની કલ્પનાનું મૂળ કદાચ આ પગદંડીમાં રહેલું છે. “લીલી નાઘેર'ની વાડીએનું આ વર્ણન એક ઉદાહરણ તરીકે વાંચોઃ “ઠેર ઠેર આંબાના ઝાડ નીચે છોકરાં રમતાં હોયઃ રેટ પર દુહા લલકારાતા હાયઃ મોર ને કોયલ બોલી રહ્યાં હાયઃ ને ચાસટિયામાંથી તાજી તાજી સુગંધી ચાલી આવતી હોય. . . બને તરફ ઘેઘૂર ઝાડવાં મૂકી રહ્યાં હાય . . .” (“પગદંડી', ૩જી આવૃત્તિ, પૃ. ૩૬). આ વર્ણન ખોટું છે એમ નહિ, પરંતુ હાલની યંત્રોદ્યોગપ્રધાન અને વિસ્તરતી જતી શહેરી સભ્યતાની વચ્ચે એ ખૂબ દૂરના ભૂતકાળનું કવેસાઈ વર્ણન લાગે તો નવાઈ નહિ. ધૂમકેતુનાં પ્રવાસવર્ણને ક્યાંક શાળા-કૅલેજના વર્ણનની કક્ષાનાં જણાય છે: “પૃથિવી માતાએ નીલી સાડી ધારણ કરી હોય તેમ તળાટીનાં સર્વ સ્થાને વૃક્ષોથી ભરપૂર દેખાતાં હતાં (પૃ. ૧૦૪). ખીલેલાં પુષ્પો પર ભ્રમર ગુંજારવ કરી રહ્યો છે, પક્ષીઓ નિર્ભય બની કુદરતનાં ગહન અને ગંભીર સુત્રો પઢી રહ્યાં છે, સ્થળે સ્થળે નવીનતા ભરી છે (પૃ. ૧૦૭). “સૌરાષ્ટ્રની સુંદરી પગથી માથા સુધી નીલી સાડી ઓઢી ભરનિદ્રામાં પડી હોય......” (પૃ. ૧૧૩). કાકાસાહેબ કાલેલકર, સુન્દરમ, ચન્દ્રવદન ઇત્યાદિનાં પ્રવાસવર્ણનેની સરખામણીમાં “પગદંડી’નાં વર્ણને કઈ શિખાઉ લેખકે લખ્યાં હોય તે કક્ષાનાં જણાય છે.
જીવનવિચારણઃ ગુજરાત, ગુજરાતી ભાષા, ગ્રામજીવન, ગ્રામપુનર્રચના, કેળવણી, પત્રકારત્વ, નાટ્યકલા ઇત્યાદિ વિશેના ધૂમકેતુના નિબંધ અને લઘુનિબંધો જીવનવિચારણા (૧૯૭૦)માં સંઘરાયા છે. જીવનવિચારણાના આમુખમાં અનંતરાય રાવળે (૧) તલસ્પર્શી શાસ્ત્રીય પર્યાલોચક અને (૨) સમાજશ્રેયાથી ચિંતનરસિક વચ્ચેનો ભેદ પાડીને ધૂમકેતુને તલસ્પર્શી શાસ્ત્રીય પર્યાલોચક તરીકે નહિ, પરંતુ સમાજહિતચિંતા હૈયે ધરનાર એક ચિંતનરસિક લેખક તરીકે ઓળખાવેલ છે. ધૂમકેતુના વિચારો સાથે સહમત થઈ શકાય કે ન થઈ શકાય, એ વિચારની ધૂમકેતુ પૂરતી પ્રામાણિકતા વિશે મતભેદ રહે તેમ નથી. ધૂમકેતુના વિચારોના ઊંડાણથી અગર તો એ વિચારોની સુગ્રથિત રજૂઆતથી વાચક કદાચ પ્રભાવિત ન થાય. પરંતુ “જીવનવિચારણું' વાંચતી વખતે એક “રંગદશી પ્રકૃતિના સાહિત્યકારના સત્સંગને અનુભવ તો એવા આશંકિત વાચકને પણ થવાને.
આધુનિક સમાજજીવનના પ્રશ્નો ધૂમકેતુ કયારેક ઇતિહાસદૃષ્ટિ રાખી વિચારે છે. જીવનને અનેક બિંદુઓએ સ્પર્શવાને ધૂમકેતુને ઉદ્યમ છે. આજની કેળવણીમાં વિચારજીવનને પ્રત્યક્ષ આચારજીવન સાથે કેવો વિચ્છેદ રચાય છે તેની
Page #541
--------------------------------------------------------------------------
________________
પ૩૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચિ . ૪ વાત ધૂમકેતુ માર્મિક રીતે કહે છે. આજની કેળવણી ક્રિયારહિત જ્ઞાન આપી રહી છે એને લેખકને અફસોસ છે. જોકે, જ્ઞાનરહિત ક્રિયાના તેઓ હિમાયતી નથી. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય તેમને ઇષ્ટ છે. ધૂમકેતુ વિચારસરણીમાં ઘણી વાર સમન્વય(સુવર્ણમધ્ય)ના પુરસ્કર્તા જણાય છે. ગામડામાં પૂર્વની જડતા ઘર કરી રહી છે. શહેરોમાં પશ્ચિમની ધમાલ. આ બન્નેની વચ્ચે શી રીતે સંવાદ થાય એ આપણા જીવનને પહેલો પ્રશ્ન છે (પૃ. ૩૪).૧ બુદ્ધિ અને ભાવના “ખરી રીતે એકબીજાનાં વિરોધી નહિ, પણ પૂરક તો છે” (પૃ. ૧૭૨).
ગાંધીજીના જમાનામાં ધૂમકેતુએ લેખનકાર્ય કરેલું. ગાંધીજી તરફ લેખકને આદર છે. અહિંસાને ધૂમકેતુ હિંદુ સંસ્કૃતિનું “અણમેલું પુષ્પ” ગણે છે. આમ છતાં, ધૂમકેતુને ગાંધીવાદી વિચારસરણના લેખક ગણી શકાય નહિ ગાંધીવિચારસરણીમાં રેંટિયાનું આગવું મહત્ત્વ છે. ધૂમકેતુને રેટિયાને વિરોધ નથી. પરંતુ સર્જક હોવાના નાતે જીવનમાં રેંટિયો વત્તા રંગભૂમિ(આનંદવિનોદ)ના મહત્વને તેઓ ઉમેરી આપે છે.
“જીવનવિચારણના નિબંધ સ્વરૂપની દષ્ટિએ સુગ્રથિત નથી જતા. ક્યાંક દષ્ટિબિંદુ માર્મિક રીતે પ્રગટ થયું હોય એમ અનુભવાય, વળી ક્યાંક ઠોસ વિચારસામગ્રીની ઓછપ વરતાય. પુસ્તકનાં ચારસોએક પાનના દળના પ્રમાણમાં વિચારસંપ્રાપ્તિ ઓછી થાય, કેમ કે ધૂમકેતુની પદ્ધતિ પથરાટપૂર્વક દષ્ટિબિંદુ રજૂ કરવાની છે.૩
સાહિત્યવિચારણાઃ ધૂમકેતુએ સાહિત્યવિવેચક થવાને કેાઈ સભાન પ્રયત્ન કર્યો હોય એવું જણાતું નથી. ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું વિશાળ પરિશીલન ધરાવનાર, અનેકવિધ સાહિત્યસ્વરૂપનું ખેડાણ કરનાર ધૂમકેતુ જેવા પ્રથિતયશ સર્જક સાહિત્યવિવેચન તરફ સહજ રીતે વળ્યા છે. કવિતાને જીવનનાં સર્વ દુઃખદર્દીના શામક તત્ત્વ (cure-all) તરીકે લેખક ઓળખાવે છે. ધૂમકેતુની સાહિત્યવિચારણામાં તીવ્ર જીવનલક્ષિતા રહેલી છે. લોકજીવન-સમૂહજીવન–સમાજજીવન સાથે સાહિત્યનું અનુસંધાન કઈ રીતે થઈ શકે તથા સમાજજીવનને સાહિત્ય તંદુરસ્ત અને દયેયગામી કઈ રીતે બનાવી શકે તેની વિચારણા ધૂમકેતુએ સારી પેઠે કરી છે.
- ટૂંકી વાર્તાના એક પ્રેકિટસિંગ આર્ટિસ્ટ' તરીકે ટૂંકી વાર્તાના સ્વરૂપ અંગે ગષણ એમણે કરી છે. ટૂંકી વાર્તા અંગેના ગુજરાતી સાહિત્યવિવેચનને પાયો ધૂમકેતુ તથા દ્વિરેફે નાખી આપે છે. ટૂંકી વાર્તા વિશે ગુજરાતમાં આજે સ્વીકૃત થયેલા કેટલાક વિચારોનાં બીજ ધૂમકેતુના નવલિકાવિવેચનમાં જોઈ શકાશે. નવલિકાના નામમાંથી ઊઠત વનિ નવલનું એ ટૂંકાવેલું સ્વરૂપ હોય એવો
Page #542
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩ ]
ધૂમકેતુ
[૫૩૩
આભાસ ઊભો કરે છે. એ આભાસને દૂર કરવાનું કર્તવ્ય ધૂમકેતુએ બનાવ્યું છે. નવલિકાવિચાર જેવો “સાહિત્યવિચારણને એક નોંધપાત્ર વિભાગ “અર્થને છે. મહા-આચાર્ય આનંદશંકર ધ્રુવ', “કવિવર હાનાલાલ” અને “આપણું દિવ્ય ગાયક મેઘાણી” એ વિભાગના હદયના ભાવસ્પર્શવાળા સારા અંજલિલેખ છે,
જ્યારે એ જ વિભાગના રમણલાલ દેસાઈ વિશેના “મનહર શૈલીકાર' નામે લઘુ લેખની ધૂમકેતુ થોડી ગપસપ કરી અટકી જતા હોય, વિષયના મર્મને સ્પર્શવાનું બાકી રાખતા હોય, એવી છાપ પડે છે.
ધૂમકેતુની સાહિત્યવિચારણું એક સ્વૈરવિહારની છાપ ઊભી કરે છે. જીવનવિચારણાની જેમ સાહિત્યવિચારણા' (૧૯૬૯)ને નિબંધની માંડણું વ્યવસ્થિત નથી. ધૂમકેતુનાં સાહિત્યવિષયક લખાણમાં છૂટાછવાયા સ્કૂલિંગ મળી આવે. પણ એ ફુલિંગને ઘાટ બંધાતું નથી. સાહિત્યકાર ધૂમકેતુની રોમૅન્ટિક પ્રકૃતિ તરફ આંગળી ચીંધી આપણું વિવેચકેએ વિચારક અને સાહિત્યસમીક્ષક ધૂમકેતુની મર્યાદાને તપાસવાનું વલણ રાખ્યું છે. રોમૅન્ટિક સ્કૂલના આ વાર્તાકારમાં વિવેચકને આવશ્યક એવી તાલીમ અને સજ્જતા...અપેક્ષવી એ કાંઈક વધારે પડતું છે એમ નોંધીને રમણલાલ જોશીએ પણ વિવેચક ધૂમકેતુની મર્યાદાઓ અંગે ખુલાસો આપ્યો છે (‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ', પૃ. ૧૪૯).
ધૂમકેતુએ એમર્સનનું એક કથન ટાંકયું છે : “What is the hardest task in the world? To think. દુનિયાનું કઠિનતમ કાર્ય વિચાર કરવાનું છે “જીવનવિચારણ, પૃ. ૩૩૫). આ વિચારના અનુસંધાનમાં એમ કહી શકાશે કે, “જીવનવિચારણા” તથા “સાહિત્યવિચારણા'ના નિબંધો ધૂમકેતુની “વિચારણાની પુષ્ટિ કે પૂર્તિ કે દુરસ્તી કરી આપવાની યા તેને પડકારવાની વિચારોત્તેજના” વાચકને પૂરી પાડે છે. આ અર્થમાં બંને ધ્યાનપાત્ર પુસ્તકે ગણાય.
જીવનચરિત્ર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર ધૂમકેતુએ લખ્યું છે. ધૂમકેતુની સંખ્યાબંધ ચૌલુક્ય નવલકથાઓના સગડ આ જીવનચરિત્ર તૈયાર કરવામાં એમણે ઉપયોગમાં લીધેલી અભ્યાસ સામગ્રી સુધી જાય છે. વિશ્વનાથ મ. ભટ્ટ-લિખિત જીવનચરિત્ર “વીર નર્મદાની કક્ષાની કૃતિ “શ્રી હેમચંદ્રાચાર્ય (૧૯૩૯) બની શકી નથી. આ જીવનચરિત્રનું એક આનુષગિક મહત્વ ઐતિહાસિક નવલકથાઓના લેખન તરફ ધૂમકેતુને દોરી જવામાં રહેલું છે.
“શ્રી હેમચંદ્રાચાર્ય રસિક રીતે લખાયું છે. વાર્તાકાર ધૂમકેતુની નિરૂપણ કલાને લાભ આ ચરિત્રકૃતિને સાંપડયો છે. હેમચંદ્રાચાર્યના જીવનના પ્રસંગેને ધૂમકેતુએ ઉઠાવદાર શૈલીમાં આલેખ્યા છે. ધૂમકેતુના વાચનફલકની સાક્ષી પૂરતાં સંસ્કૃત અને અંગ્રેજી ભાષાનાં અવતરણ, પાદધો વગેરે પ્રસંગનિરૂપણની વચ્ચે
Page #543
--------------------------------------------------------------------------
________________
પ૩૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ આવ્યાં કરે છે. જોકે, આવી અવતરણસામગ્રી સમગ્ર જીવનચરિત્ર સાથે સમરસ થઈ જતી હોય એવી છાપ પડતી નથી. હેમચંદ્રાચાર્યના જીવનકાર્ય વિશે સંશોધન માગી લેતા કેટલાક પ્રશ્નોને ધૂમકેતુએ નોંધ્યા છે. પણ એને એમ નેધીને જ છોડી દીધા છે. એ વિશે સંશોધનાત્મક અભિગમ એમણે સેવ્ય નથી.
આત્મચરિત્ર: ઈ. ૧૮૯૨થી ૧૯૨૬ સુધીના કાળની ધૂમકેતુની આત્મકથા જીવનપંથ' (૧૯૪૯) અને જીવનરંગ' (૧૯૫૬) નામે બે ભાગમાં રજૂ થઈ છે. એ કાળના જમાનાનો ધબકાર એમાં ઝિલાયો છે. ઈ. ૧૯૨૬ પછીના ગાળાને જીવનસ્વ” તથા “જીવનદર્શન” નામે બીજા બે ગ્રંથમાં આવરી લેવાને લેખકને ઇરાદે હતું, જે ફળીભૂત થઈ શક્યો નહિ. વિદ્યાથી ધૂમકેતુ તથા લેખક ધૂમકેતુની ઘડતરકથા “જીવનપંથતથા “જીવનરંગ'માં મુખ્યત્વે રજૂ થયેલી છે. આત્મકથાના આ બંને ભાગે સુવાચ્ય છે. ક્યાંક Truth is sometimes stranger than fictionને અનુભવ થાય એ પ્રકારના પ્રસંગો વાંચવા મળે છે.
- ધૂમકેતુની વાર્તાઓમાં ઊતરતા ગણાતા વર્ગના માણસોનું ચિત્રણ મહેરબાની દાખલ’ નહિ, પણ એક નૈસર્ગિક સહાનુભૂતિથી, સ્વાભાવિક રીતે, વાર્તાના મહત્ત્વનાં પાત્રો લેખે કરવામાં આવે છે. એનું કારણ સામ્યવાદ અગર ગાંધીવાદના પ્રભાવમાં શોધવાની જરૂર નથી. એવી માનવસૃષ્ટિ વચ્ચે ધૂમકેતુ ઊછર્યા છે એ પાયાનું કારણ છે. “પેલો લંગડે, ભૂતાવળની આખી સૃષ્ટિ રજૂ કરતા રાજપૂત, એની સાથે વાતમાં તાલ પુરાવતી ખાંટની વિધવા બાઈ સોમલ, પેલી તેતી ડોશી, બકાલી નરર્સ લુવાણ, સુમરા, પીંજારા, ખાંટ, કાળી, રાવળિયા, મીર, કારડિયા રજપૂત, ભરવાડ: ઍકિસમ ગોકએ પિતાની જીવનસ્મરણાંજલિમાં જે પડોશીએમાં પોતે વચ્ચે હતે એમને સંભાર્યા છે, એવા આ હંમેશનું લાવીને હંમેશ ખાઈ જનારા, નીચલામાં નીચલા થરના મારા પાડોશીઓમાંથી અનેક તે આજ દિવસ સુધી સાથે ચાલ્યા આવ્યા છે (પૃ. ૯, પ્ર. આ ). લેખકે નાનપણમાં ખૂબ રખડપટ્ટી કરી છે, એને કારણે ભાતભાતના અનુભવો મળ્યા. વીરપુરથી જેતપુર સુધી પગે ચાલીને રોજ ભણવા જાય (આવવા-જવાને સોળ માઈલ થાય). “વીરપુરથી જેતપુર સુધીના ચાર ગાઉના રસ્તાએ મને જેટલે કલ્પનારસ પાયે છે તેટલે ભાગ્યે જ બીજા કોઈ રસ્તાએ પાયે હશે. (પૃ. ૧૩૩).
વાર્તારસને પહેલે ચટકે લગાડ્યો લેખકની માતાએ. રેટિયો કાંતતાં કાંતતાં ધૂમકેતુને ઘણી વાર્તાઓ કહેલી. વીરપુરની આર્યસમાજી રિયાસત વીરપુર દરબારમાં જીવરાજ જોશી અત્યંત રસિક ઢબે વાર્તાઓનું કથન કરે. એ વાર્તા ઓએ બાળક ધૂમકેતુમાં “સુપ્ત પડેલ વાર્તારસ જગાડો.” વીરપુરમાં નિમાયેલ હેડમાસ્તર નૂરમહમ્મદ ફુમકીનાં પત્ની મરિયમ બીબી આગળ ધૂમકેતુએ સંખ્યાબંધ
Page #544
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[૫૩૫ વાર્તાઓ વાંચી હતી. એમાંથી ધૂમકેતુને સાહિત્યરસ જાગ્યો. ચૌદ-પંદર વર્ષની વય સુધીમાં “ગુજરાતી સાહિત્યમાં કોઈ પુસ્તક તે વખત સુધીનું છપાયેલું એવું રહ્યું નહિ કે જે મેં વાંચ્યું ન હોય. ખાસ કરીને અતિહાસિક નવલકથાઓનું, એમ કલાપીની ઢબે ધૂમકેતુ પિતાની વાચનકેફિયત નોંધે છે (પૃ. ૧૬૮). બીલખાના શ્રીમન્નથુરામ શર્માના આનંદાશ્રમના પુસ્તકાલયમાં થયેલું વાચન પણ ધૂમકેતુની લેખક તરીકેની કારકિર્દીમાં પ્રેરક નીવડયું છે. પહેલવહેલું લખવાનું ત્યાં શરૂ થયું.
ધૂમકેતુની ગદ્યશૈલીના ઘડતર પાછળ સુદીર્ઘ પરિશ્રમ રહેલો છે. વાર્તાકાર તરીકેની કારકિર્દીના આરંભમના દિવસોમાં ગોંડલમાં રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને ધૂમકેતુ લખવા માટે બેસી જાય, ઘાસલેટિયા ફાનસના અજવાળે. એ રીતે સેંકડો પાનાંઓ લખાયાં. આરંભના એ દિવસેનું લગભગ દોઢ હજાર પૃથ્યનું વણુછાણું લખાણ થયું હશે. વાર્તાકાર તરીકે ધૂમકેતુની સિદ્ધિઓને વિચાર કરતી વખતે આ આકરી તાલીમને વીસરવાની નથી. વ્યક્તિ અને લેખક ધૂમકેતુના ઘડતરની ઘણી રસિક અને લેખકને સમજવામાં માર્ગદર્શક નીવડે એવી હકીકત આત્મસ્થાના બંને ભાગોમાં સેંધાયેલી છે. તત્કાલીન જમાનાને રંગ, નિખાલસ સત્યકથન અને રસાળ શૈલીને કારણે ધૂમકેતુની આત્મકથા ધ્યાનપાત્ર બની છે.
જે રીતે ધૂમકેતુના લલિત સાહિત્ય વિભાગમાં એમની ટૂંકી વાર્તાઓને અગ્રસ્થાને મૂકી શકાય, તે રીતે લલિતેતર સાહિત્યસર્જનમાં જીવનપંથ અને જીવનરંગને મોખરાનું સ્થાન આપી શકાય.
૧. “પૃથ્વી અને સ્વર્ગમાં વાર્તાને લેખક ચલણના સિક્કાઓ અને છાપેલી નેટના વિધી જણાય છે: “નવી નોટેએ માણસને જેવા માણસાઈ વિનાના બનાવ્યા છે એવા બીજી કોઈ વસ્તુઓ બનાવ્યા નહિ હોય! આનો ઉપાય છે ? સિક્કાને નાશ કરો. વસ્તુવિનિમયની પ્રથા ચલાળાને બદલે જુવાર લ્યો ને કપાસને બદલે વસ્ત્ર . ધીને બદલે દૂધ આપો ને દૂધ માટે છાશ લ્યો” (પૃ. ૩૭૭). આધુનિક કાળના સંકુલ જીવનમાં (માણસને પોતાની વિશેષ નિપુણતા પ્રમાણે જ્યારે કામગીરી બજાવવાનું બનતું જાય છે ત્યારે) ધૂમકેતુની યોજના કેટલે અંશે સ્વીકાર્ય અને વ્યવહાય ગણી શકાય?
૨. શહેર તથા ગામડાના જીવનનાં સારાં તને સમન્વય કરવાનું લેખકને અભિમત છે. પરંતુ આ અવતરણને તર્કસંગત અર્થ જડતા અને ધમાલ વચ્ચે સંવાદ સાધવાને થાય છે. ગામડાના સુસ્ત જીવનમાં ઈષ્ટ પ્રવૃત્તિસંચાર થાય અને ધમાલથી ભરેલા શહેરી જીવનમાં શાંતિનો અનુભવ થાય એવું લેખકઅભિપ્રેત મંતવ્ય એમનાં વાક્યોમાંથી ફલિત થતું નથી.
૩. નિબંધની નીચે પ્રકાશનસાલ આપી નથી. એની સાલ નોંધી હોત તો લેખકજીવનને કયા તબક્કે આ કૃતિઓ લખાઈ છે તેને અભ્યાસીઓને અંદાજ મળી શક્ત.
Page #545
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ ઝવેરચંદ મેઘાણી (ઈ. ૧૮૯૬–૧૯૪૭)
જીવન
“હું પહાડનું બાળક છું”—પિતાને પહાડના બાળક તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવનાર ઝવેરચંદ મેઘાણીને જન્મ ૨૮-૮-૧૮૯૬ ના દિવસે સૌરાષ્ટ્રના પાંચાલ પ્રદેશના ચોટીલા ગામે વણિક કુટુંબમાં થયે હતો. તેમના વડવાઓનું વતન ગરકાંઠાનું ગામડું લેખાતું ભાયાણીનું બગસરા. તેમના પિતા કાળિદાસ કાઠિયાવાડ એજન્સી પોલીસના એક નાના દરજ્જાના અમલદાર હતા. પિતાની વારંવાર બદલી થતી હોવાથી તેમને શિક્ષણકાળ સગાંવહાલાંને ત્યાં રાજકોટ, બગસરા, અમરેલી વગેરે સ્થળોએ વીત્યા હતા. માત્ર વૅકેશનને સમય કુટુંબ સાથે ગાળવાનો લહાવો મળતો. આ ગાળામાં તેમના પહાડના સંસ્કાર થોડા થોડાયા પિલાતા રહ્યા કારણ કે પિતાના નિવાસનાં ચોક, દાઠા, ચમારડી, લાખાપાદર વગેરે થાણાં ગીરમાં, પહાડમાં કે નદીનેરાંવાળી વાંકી ને વિકરાળ જગ્યાઓ ઉપર
સ્થપાયેલાં હતાં. સાહિત્યકાર મેઘાણને પોષક નીવડનાર સોરઠની વનપ્રકૃતિ અને જનપ્રકૃતિના સંસ્કાર આ રીતે ઝિલાયા. શાળાજીવન દરમિયાન કલાપીનાં કાવ્ય દર્દ સભર કંઠે ગાઈને મિત્રમાં “વિલાપી' તરીકે પંકાયા. ૧૯૧૨માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત સાથે બી.એ. થયા. ભાવનગરની સનાતનધર્મ હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે નોકરી સ્વીકારીને એમ.એ.ને અભ્યાસ કરવાનું વિચાર્યું. પરંતુ મોટાભાઈની માંદગીને કારણે એ અભ્યાસ રઝળતો મૂકીને તેમને કલકત્તા જવું પડયું અને ત્યાં જ જીવણલાલન ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. બંગાળી ભાષા-સાહિત્યને પરિચય કેળવવાની તક આપોઆપ મળી આવી. વ્યવસાય અંગે ત્રણેક માસ વિલાયત પણ જઈ આવ્યા. પાછા આવ્યા પછી બે વરસ કારખાનામાં રહ્યા પણ જીવને જંપ વળે નહિ. સાહિત્યજીવનનો – ઉમાશંકર જોશી ઉમેરે છે તેમ સૌરા
નો પણ – દુનિવાર સાદ તેમને વતનમાં પાછા બોલાવતા હતા. એક મુરબ્બી મિત્રને પત્રમાં લખ્યું, “અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીને ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ બે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું જીવનની આ ગધૂલિને સમયે – અંધકાર ને પ્રકાશની
Page #546
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી
[ ૫૩૭ મારામારીને વખતે, મારો ગોવાળ મને બેલાવી રહ્યો છે. હું રસ્તે નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું. હું બંધહીન નથી એમ કહેવા દેજે.”૧ પત્રને અંતે વતનમાં પાછા વળવાને ઉમળકે અને અધીરાઈ પ્રગટ કરનાર વિલક્ષણ સહી કરી “લિ. હું આવું છું.”
નિગૂઢ વતનસાદના દેરાયા કલકત્તાની ઉજજવળ કારકિદી મૂકી બગસરા પાછા આવેલા મેઘાણ ડાક સમય દિશાશૂન્ય બની ગયા. ખેતી, વેપાર, શિક્ષકની નોકરી-શું પસંદ કરવું તેની ગડમથલમાં પડયા. ગડમથલના આ ગાળામાં તેમના ભાવિ જીવનની રેખા આંકનારી ત્રણ મહત્વની ઘટનાઓ બની. એક, નાનપણથી જ તેમના પર વાત્સલ્યભાવ રાખનાર હડાળાના સાહિત્યરસિક દરબાર વાજસૂરવાળાને પરિચય તાજે થયો. વાજસૂરવાળા તેમની ઠાવકી બાનીમાં જૂની લેકકથાઓ કહેતા તેમ જ ખાસ તેમને માટે શોધાવી શેધાવીને વાર્તાકાર, રાવળા, ચારણેને હડાળા તેડાવતા. દરબારની પુત્રીઓ કાઠી લગ્નગીતો ગાઈ સંભળાવતી. આમ લોકસાહિત્યને પાકે રંગ ચડ્યો. બીજું, જેતપુરના ભદ્ર કુટુંબની કન્યા દમયંતીબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ત્રીજુ, વડીલ મિત્ર ગુલાબચંદભાઈના કુટુંબ સાથે નવદંપતીએ સૌરાષ્ટ્રનાં ભિન્નભિન્ન સ્થળોનો પ્રવાસ કર્યો. આ પ્રવાસના પરિણામે મોતીની ઢગલીઓ', “અમરરસની પ્યાલી, અને “રાને પિકાર” લેખ લખાયો.
જીવનની કેાઈ ધન્ય ક્ષણે તેમણે “ચોરાને પિકાર' નવ માસ પૂર્વે જ નીકળેલા સાપ્તાહિક સૌરાષ્ટ્ર પર મોકલી આપ્યો. તે લેખથી પ્રભાવિત થઈને તંત્રી અમૃતલાલે તેમને રાણપુર તેડાવીને સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં સ્થાન આપ્યું. ૧૯૨૨માં દિશાશૂન્ય મેઘાણને પિતાને યોગ્ય દિશા સાંપડી ગઈ. “સૌરાષ્ટ્રના ઉપક્રમે તેમની સાહિત્યિક કારકિદી વિકસી. ટાગોરની કથા એ કાહિની'નું તેમનું રૂપાંતર અને તેમનું પ્રથમ પુસ્તક “ડોશીમાની વાતો'ય પ્રગટ થયાં. પ્રવાસને માટે મોકળાશ મળતાં સપ્તાહના ત્રણ દિવસે શુક્ર, શનિ, રવિમાં ઠેરઠેર ભટકીને ભેગી કરેલી લોકસાહિત્યની સામગ્રીમાંથી “સૌરાષ્ટ્રની રસધાર’ વગેરેને ઘાટ ઘડાયો. ‘મિસરને મુક્તિસંગ્રામ', “હંગેરીને તારણહાર', “સળગતું આયર્લેન્ડ વગેરે પુસ્તિકાઓ લખાઈ.
૧૯૨૬માં પત્રકારત્વને કાવાદાવાથી કંટાળીને થોડોક સમય નિવૃત્તિ લીધી. ૧૯૨૮માં લોકસાહિત્યના સંશોધન માટે “રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયે. ૧૯૩૦માં સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં જોડાવાના પાયા વગરના આરોપસર બે વિરસની કેદની સજા પામ્યા. ૧૯૩૨માં રાજકીય કારણોસર “સૌરાષ્ટ્ર બંધ થતાં
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૩૮] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪ મિત્રોએ મળીને સાહિત્ય અને ઈતિહાસનું સાપ્તાહિક “ફૂલછાબ' શરૂ કર્યું. પરંતુ થોડા સમય બાદ “ફૂલછાબ'ને રાજકીય રંગે રંગવાનું નક્કી થતાં તેમાંથી તે ખસી ગયા. ૧૯૩૩માં તેમનાં પત્નીએ અગ્નિસ્નાન કર્યું. સૌરાષ્ટ્ર છોડીને મુંબઈ ગયા. ત્યાં અમૃતલાલના જન્મભૂમિના સાહિત્યિક કલમ “કલમ અને કિતાબ'નું સંપાદન સંભાળ્યું. ૧૯૩૪માં નેપાળનાં વિધવા સન્નારી ચિત્રાદેવી સાથે લગ્ન કર્યા. ૧૯૩૬માં “ફૂલછાબ બંધ પડે તેવી સ્થિતિ સર્જાતાં સૌરાષ્ટ્ર જઈને તેને દોર હાથમાં લીધું અને ૧૯૪૫ સુધી તેનું સંચાલન સંભાળ્યું. ૧૯૪૩માં “ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે શ્રોતાઓથી છલકાતા સભાગૃહમાં
સાહિત્યનું સમાલોચન” એ વિષય પર પાંચ વ્યાખ્યાન આપ્યાં. ૧૯૪૬માં “માણસાઈના દીવા' માટે “મહીડા પારિતોષિક મેળવ્યું. એ જ વર્ષે રાજકોટ સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખનું સ્થાન શોભાવ્યું. ૧૯૪૭માં બેટાદમાં ૯મી માર્ચની રાતે પચાસ વર્ષની વયે હૃદય બંધ પડવાથી અવસાન થયું.
આયુષ્યની અર્ધશતાબ્દીની પ્રથમ પચીસી સાહિત્યસર્જનક્ષેત્રે લગભગ નિષ્ક્રિય જ રહી છે. બીજી પચીસીમાં તેમણે લોકસાહિત્યનું સંપાદન, કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, વિવેચન વગેરે વિવિધ વિષયોને આવરી લેતા ૮૮ ગ્રંથ રચ્યા. તેમના સાહિત્યને ઘડનારાં મુખ્ય પરિબળો પાંચ છેઃ લેકસાહિત્ય, સોરઠી સમાજજીવન, ગાંધીપ્રેરિત યુગચેતના, પત્રકારત્વ અને પરભાષાના સાહિત્યને પરિચય. મેઘાણીની કિંચિત સર્જકતા આ પરિબળો સાથેના સુમેળથી આ કાલખંડના સાહિત્યમાં મેઘાણી સાહિત્યની એક નોખી ભાત ઉપસાવે છે. આપણે તેમના આ સાહિત્યપ્રદાનનું વિષયવાર વિહંગાવલોકન કરીએઃ
સાહિત્ય લોકસાહિત્યનું સંપાદન | મેઘાણીને જે અવાજ બોલાવતા હતા તે જે કેવળ સાહિત્યને જ અવાજ હેત તો તેમને સૌરાષ્ટ્રને ખેળ પાછા ફરવાની જરૂર જ ન પડત. કલકત્તામાં બેઠાં બેઠાં જ તે સાહિત્યસર્જન કરી શક્યા હોત. પરંતુ તેમને જે સાહિત્ય બેલાવતું હતું તે એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય – સોરઠી સાહિત્ય—હતું. તેમની ભીતરની ભયમાં તેમને પોતાને પણ અકળ રીતે જૂના રસનાં ઝરણાં વહ્યા કરતાં હતાં. દરબાર વાજસૂરવાળાએ પાણકળાની જેમ એ ઝરણ તરફ ધ્યાન દેવું અને મેઘાણીને સ્વધર્મ સમજાઈ ગયો. લોકસાહિત્યનું સેવન, સંશોધન, સંપાદન, સમાલોચન એ તેમનું જીવનકાર્ય બન્યું. તેમની કલમ કવિતા, નવલિકા, નવલકથા, વિવેચન વગેરે અનેક સાહિત્યપ્રકારોમાં વિહરી હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં
Page #548
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી
[પ૩૯ તેમનું ચિરંજીવ અર્પણ તો લોકસાહિત્યને ક્ષેત્રે જ ગણાશે. ઉમાશંકર જોશી પરના પત્રોમાં તે લખે છે કે, “મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી. લોકસાહિત્યની એક જ કલગી બસ છે ને એને vindicate કરવા માટે મારી પાસે ઘણું છે.” “મારું ઇતર લેખન જરૂર જરૂર ભલે ભૂંસાઈ જાઓ. (ને ભૂંસાઈજ જશે તે !) હું ફક્ત એકલી લોકસાહિત્યનું નામ લઈને ઊભો રહીશ. એમાં રહેલી નાનમ પણ મને મારી પોતાની લાગશે.”૩ મેઘાણીનાં આ વિધાનની યથાર્થતા સ્વયંસિદ્ધ છે.
લોકસાહિત્યના ક્ષેત્રે મેઘાણીની પ્રતિષ્ઠાનું કારણ એ નથી કે અત્યાર સુધી વણખેડાયેલા આ ક્ષેત્રને તેઓ પહેલી વખત ખેડે છે. લેકસાહિત્યનું સમાલોચનીના ત્રીજા વ્યાખ્યાનમાં તેમણે પોતે જ પોતાના પુરોગામીઓ તરીકે દલપતફાર્બસ, નર્મદ, મહીપતરામ, પારસી સંપાદક ફ, બ, કીનકેઈડ વગેરેની નેંધ લીધી જ છે. અર્વાચીન યુગના આરંભકાળથી જ લોકસાહિત્યનાં પડ ઊકલતાં આવતાં હતાં. છતાંય સાચા પ્રારંભકાર તે મેઘાણી જ ગણાવાને પાત્ર છે કારણ કે તેમના પુરોગામીઓનું મૂળભૂત કાર્યક્ષેત્ર લોકસાહિત્ય ન હતું, કેટલાક તે શિષ્ટસાહિત્ય તરફથી યથાવકાશ લેકસાહિત્ય તરફ વળ્યા હતા, જ્યારે મેઘાણીનું મૂળભૂત કાર્યક્ષેત્ર જ લોકસાહિત્ય છે. સાહિત્ય જ તેમને આંગળી ઝાલીને શિષ્ટ-સાહિત્ય તરફ દોરી જાય છે. તેમના પુરોગામીઓની જેમ તે લોકસાહિત્યની એકાદ શાખા પર અછડતી નજર ફેરવવાને બદલે તેની શાખા-પ્રશાખાઓને ફેફસી વળે છે. મેઘાણીએ અપૂર્વ લગન અને ધગશથી લેકસાહિત્યના સંશોધનને પોતાની સર્વ શક્તિ અર્પણ કરી દીધી. એટલે જ તો આજેય આપણને મેઘાણી અને લેકસાહિત્ય જાણે કે અભિને લાગે છે.
“સૌરાષ્ટ્રની રસધાર-૧ની પ્રસ્તાવના દર્શાવે છે તેમ પ્રાંતપ્રેમે, કહે કે પ્રાંતીય અભિમાને, મેઘાણીને સાહિત્યના સંપાદન તરફ વાળ્યા. પરંતુ જે આ કાર્ય માત્ર અભિમાનના આવેશના ક્ષણિક ઊભરા હેઠળ જ શરૂ થયું હોત તો ઊભરાની જેમ જ શમી જાત. હકીકત તો એ છે કે લોકસાહિત્યનું સેવન કરતાં કરતાં તેમણે સૌરાષ્ટ્રના આત્માને પિછાન્ય હતો. સૌરાષ્ટ્રની વિલુપ્ત થતી જતી તળપદી સંસ્કારિતા જોકસાહિત્યમાં ઝિલાઈ હતી. સૌરાષ્ટ્રની સમગ્ર સંરકારિતાને તે નહિ પણ લોકસાહિત્યમાં નીતરેલા તેના અર્કને જાળવી શકાય તેમ હતા. આ અર્કને જાળવવાની આવશ્યકતા પણ હતી કારણ કે વર્તમાન યુગને તેમાંથી જ પ્રેરણા મળી શકે તેમ હતી. લોકસાહિત્યના પરિચયે તેમને એ પ્રતીતિ પણ કરાવી હતી કે નરસિંહરાવ અને મુનશી જેવા ઉન્નતભ્ર સાહિત્યકારો માને છે તેવું અસંસ્કારી
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૪૦ ].
ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪ આ સાહિત્ય નથી. તેમણે ઉદાહરણ આપી આપીને વારંવાર એ વાતનું સમર્થન કર્યું છે કે લેકસાહિત્ય પણ શિષ્ટસાહિત્યની હરોળમાં બેસવાનું અધિકારી છે. શેરડીમાં રસ કરતાં છેતરાંનું પ્રમાણ વિશેષ હોવા છતાં સાકર કરતાં તેની જુદી જ લિજજત છે તેમ લેકસાહિત્યને પણ પિતાની ઓર લિજજત છે. લોકસાહિત્ય પ્રત્યેની સમાજની સૂગ દૂર કરીને લોકસાહિત્યના કસુંબાને ઘરઘરનું પીણું બનાવ વાને તેમને મને રથ હતા.
સાહિત્યનું સંપાદન અનેક દૃષ્ટિકોણથી થઈ શકે. પરંતુ આ કામ કઈ અ૯પસાધન એકલદોકલ વ્યક્તિનું નહિ પણ સાધનસંપન્ન સંસ્થાનું છે. મેઘાણીએ સંપાદનમાં મુખ્યત્વે સાહિત્યિક અને ગૌણપણે સામાજિક દૃષ્ટિકોણની મયાદામાં રહીને જ કામ કરવાનું સ્વીકાર્યું છે. તેમના જ શબ્દોમાં જોઈએ તો “લોકવાણીમાં મારે પ્રધાન રસ ઉલાસલક્ષી છે. હું તેમાંથી શોધન કરું છું રસાલાસક સૌન્દર્યનું. કઈ પણ લલિત વાયનું સર્વોપરિ સાફલ્ય એની રસલ્લાસિતામાં રહેલું છે.”૪ સાહિત્ય દષ્ટિએ તે “કેરી ચૂંદડી' જેવી પદાવલિમાંના કેરી” જેવા શબ્દની વ્યંજના પારખે છે. “તારી માનેતીની ઊઠી આંખ” જેવી પંક્તિમાંના રસસ્થાન પર આંગળી મૂકે છે, કથાગીતનું સંવિધાન તપાસે છે, ગીતના ઢાળવૈવિધ્યની અને વ્રતકથાઓને ક્યારેક ગજગતિએ તો ક્યારેક કુરંગગતિએ ચાલતા ગદ્યની લયલીલાની નોંધ લે છે. પાઠભેદોને પણ તેમણે આ દૃષ્ટિએ તપાસ્યા છે. લોકસાહિત્યના મને પામવા માટે માત્ર શબ્દશુદ્ધિ કે પાઠશુદ્ધિ જ નહિ પણ સુમેળ, સુસંગતતા અને સંઘેડાઉતાર પરિપૂર્ણ ઘાટને પણ તે આવશ્યક માને છે અને ખૂટતાં તવોની ખંતીલી શોધ કરે છે.
તેમનાં સંપાદનમાં સાહિત્યિક અભિગમની જેમ સામાજિક અભિગમ પણ સક્રિય છે. આપણે સામાજિક ઈતિહાસનાં પગલાં તેમણે લેકસાહિત્યમાં જયાં છે. કથાઓ, વ્રતકથાઓ, લગ્નગીતો, ખાયણાં વગેરે આપણા સમાજજીવન પર કેવો પ્રકાશ પાથરે છે તેનાં સૂચને સંપાદિત ગ્રંથની પ્રસ્તાવનામાં છે. સેરઠની વિવિધ કેમને ઈતિહાસ પણ તેમણે ઉકેલ્યો છે. સોરઠી લોકસાહિત્યને તેમણે ગુજરાતના અન્ય પ્રદેશના લોકસાહિત્યની સાથે, મારવાડી, મરાઠી, પંજાબી, બંગાળી વગેરે ભગિનીભાષાઓના લેકસાહિત્યની સાથે તેમ જ પરદેશી લોકસાહિત્યની સાથે તુલનાત્મક દૃષ્ટિએ તપાસીને તેમનાં સામ્યસામ્યની સાહિત્યિક અને સામાજિક ધોરણે વિવેચના પણ કરી છે. આપણાં કથાગીત અને યુરોપિયન બૅલડમાં સમાન લક્ષણો વિકસે છે. ત્યાં સારા-માઠાં બેલડને કસવાના નિયમો નક્કી થયેલા છે. આપણે ત્યાં એવા નિયમ ન હોવાથી આપણાં કથાગીતાને યુરોપીય બેલડની કસોટીએ પણ ચઢાવી જોયાં છે.
Page #550
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી
[૫૪૧ લેકસાહિત્યના સંપાદનની પિતાની સજતા વિશે મેઘાણી કહે છે કે, “હું મને પોતાને ધરતીનું ધાવણ ધાવેલ તેમ જ યુનિવર્સિટીના ખોળામાં ઊછરી મોટા થયેલે માનું છું, કેમ કે લેકસાહિત્ય પ્રત્યે મને અભિમુખ કરી લોકસાહિત્યનાં મૂલ્યાંકન શીખવનાર પણ મને યુનિવર્સિટીમાંથી મળેલી કેળવણું છે એ મારી માન્યતા છે. તુલનાત્મક અભ્યાસદષ્ટિ અને સત્યાન્વેષણની સાન આપણને વિદ્યાલયમાંથી મળે છે; આપણી ઊર્મિ અને આસક્તિ ભલે જન્મગત હોય. ઊર્મિ અને આસક્તિ એકલાં નકામાં છે. એમની વિદ્યુતચેતનાને જે વિદ્યાપીઠે દીધેલી વિવેકબુદ્ધિ સાથે જોડીએ તે જ સત્યની યાત્રા કરી શકાય છે.”૫ પરંતુ મેઘાણીના અભિગમમાં જેટલું ઊર્મિતત્વ જણાય છે તેટલી શાસ્ત્રીય વિવેકબુદ્ધિ જણાતી નથી. મેઘાણીના સંપાદનમાં રહેલા શાસ્ત્રીયતાના અભાવ વિશે તે સમયે જ ફરિયાદ ઊઠી હતી. આવી ફરિયાદને મેઘાણીનો શો જવાબ હતો તે તેમને ઉમાશંકર જોશી પરના એક પત્રમાંથી જાણવા મળે છે, “.Revival માટે મેં રસમાગ લીધે તો વિદ્વાને કહેશે કે આમાં શાસ્ત્રીયતા નથી.....પણ પાંચસો ગીત દુહા, આટલાં ભજન ને આટલાં ચારણું કાવ્ય ને એનામાં રસ મૂકતી બીજી ચેકબંધ પ્રસાદીઓને બેજ ખેંચનારને અશાસ્ત્રીય કહીને કાઢી નાંખે શો લાભ છે? ને એમ હું ગણુઈને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તર જેવો નીકળી જાઉં તોયે શો અફસોસ છે? પણ હું મારી પાસે જીવનતત્ત્વ છે તેને ક્યાં લઈ જઉં તે કઈ કહેશે ?” વ્યાકરણ વસ્તુને બરાબર ન જાણી શકે તે તેમને ખ્યાલ પણ અવારનવાર પ્રગટ થતો રહ્યો છે. તેમ છતાં તેમણે એ નિખાલસ એકરાર તે કરે જ છે કે, “આ પુસ્તકમાં પડેલું તમામ લેખન શુદ્ધ શાસ્ત્રીય ન કહેવાય. પણ લેકસાહિત્યના વિષય પર જેમને ઉદ્યમ કરવો હોય તેમને ખપની અસલ સામગ્રી મેં તેમાં એકઠી કરી મૂકી છે.”૮ પોતાના સંપાદનકાર્યનું મૂલ્ય તેમણે “એકઠી કરેલી સામગ્રીથી વિશેષ આકયું નથી.
સંપાદનકાર્યમાં મેઘાણીની ઘણી ઊણપ છે તે વાત સાચી, પરંતુ શાસ્ત્રીય ક્ષેત્રે પ્રારંભકારની પાસેથી આપણે પૂર્ણતાની અપેક્ષા ન જ રાખી શકીએ. તેમને એકલે હાથે અનેક ક્ષેત્રે કામ કરવાનું હતું. તેમાંય પત્રકારત્વના ધંધાથી ખીલે બંધાયાં બંધાયાં ગળે પડેલી રસ્સી જેટલે કુંડાળે ભમવા દે તેટલું જ ભમી શકાય તેમ હતું. સમયની જેમ સાધનો પણ ટાંચાં હતાં. સહાય હતા નહિ. સવેતન સહાયક માટેની તેમની માંગ પણ સંતોષાઈ જાણી નથી. આ પ્રકારના કાર્યથી અપરિચિત જનતામાં પણ કોઈક ભડક હતી. કેટલાકના મનમાં એવીય આશંકા હતી કે પિતાની આગવી મૂડી પડીએ ચઢીને મઝિયારી બની જશે તે પિતાને
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૪૨]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ ગ્રં. ૪
ભાવ નહિ પુછાય. મેઘાણીના સંપાદનમાં દેાષ જોતાં પહેલાં પ્રારંભકાર તરીકેની કેટલીક છૂટછાટ મૂકવી જ રહી. જોકે મેધાણીને કેટલીક સ્વભાવગત મર્યાદાઓ નડી છે તેની નોંધ આપણે લેવી જોઈએ. તેમની ઉલ્લેખનીય મર્યાદા છેઃ લાકકથાએની યથાતથ રજૂઆતને બદલે સર્જકતાનેા ગાઢ સ્પ, અતિશય ર`ગરાગભરી શૈલી, ઊર્મિલ અભિગમ અને મિશનરી આવેશ. આ ક્ષેત્રે મેધાણીની મર્યાદાઓની ગમે તેટલી કડક નોંધ લઈએ તાપણ તેમના કાર્યનું મૂલ્ય એન્ડ્રુ થાય તેમ નથી. તેમની નાનમ પણ મેટપ બની જાય તેવું કીમતી તેમનુ અર્પણ છે.
મેઘાણીને પ્રાપ્ત થયેલા ‘જીવનતત્ત્વનેા વારસા આપણને ૧૬ કથાસંગ્રહેા, ૧૦ ગીતસંગ્રહેા અને ૫ વિવેચનગ્રંથ રૂપે મળ્યા છે. ૧૯૨૩થી ૧૯૨૭ના ગાળામાં પ્રગટ થયેલા સૌરાષ્ટ્રની રસધાર'ના પાંચ ભાગોમાં સારડી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની, યુદ્ધની ને દાસ્તાની, દારુણુ, કરુણ, ભીષણુ અને કામળ લાગણીઓની સાએક વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. તુલનાત્મક અભ્યાસ માટે સિંધી અને બંગાળી કથાઓને પણ સ્થાન આપ્યું છે. આ કથાઓની યથાતથ રજૂઆત કરવાને બદલે આલેખન-મંડનની વિવિધ રીતિએ અજમાવીને રંગદીશૈલીમાં પુનઃસર્જન કર્યું છે.
૧૯૨૦થી ૧૯૨૯ સુધીમાં પ્રગટ થયેલા સારઠી બહારવટિયા'ના ત્રણ ભાગમાં તેઓ જેને પ્રસંગવીર — પરિપૂર્ણ વીર નહિ — તરીકે ઓળખાવે છે તેવા વીર રામવાળા, જોગીદાસ ખુમાણુ, ભીમેા જત. ચાંપરાજ વાળા, વાલા નામેારી, મૂળુ માણેક વગેરે બહારવટિયાની કથાઓ છે. આ કથાને કેવળ કંઠસ્થ સાહિત્ય પર આધાર રાખીને એકઠી કરી નથી પણ તેની દસ્તાવેજી મૂલ્યવત્તા માટે શ્રૃતિહાસગ્રન્થેા, બહારવટિયાના સાગરીતા, પેાલીસખાતાના અધિકારીઓ વગેરેની પાસેથી મળેલી માહિતીને! પણ આધાર લીધેા છે. તેમ છતાં તેની રસભરી રજૂઆત માટે પ્રાપ્ત માહિતી પર કલ્પનાના વરખ ચઢાવવાનું એમણે અનિવાર્ય માન્યું છે. સંપાદકનું મૂળભૂત કર્તવ્ય વરખ ચઢાવવાનું નહિ પણ ચઢયો હોય તા ઊતરડી લેવાનુ છે તે વાત તેમને સમજાઈ નથી કે ગમી નથી.
કંકાવટી’(૧૯૨૭–૨૮)ના બે ભાગમાં કુલ ૪૬ વ્રતકથાઓ છે. વ્રતકથાએના સંપાદન પાછળનેા તેમને હેતુ જૂના આદર્શો અને ભાવનાએની જાળવણીના છે. બહુજનસમાજને નરી પરીકથાની મેાહક સૃષ્ટિને પરિચય મળી રહે તે તેનું આનુષંગિક ફળ છે. પ્રવેશકેા કંઠસ્થ વ્રતસાહિત્ય' અને શાસ્ત્રવ્રતા અને લેકવ્રતા'માં દ્વિષયક અભ્યાસપૂર્ણ માહિતી છે. સારઠી ગીતકથાઓ’(૧૯૩૧)માં ‘મેહાઉજળી’, 'શેણી-વિજાણું' વગેરે કરુણાન્ત પ્રેમકથાઓ છે. (તેની
Page #552
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪]. ઝવેરચંદ મેઘાણી
[૫૪૩ પ્રસ્તાવના “પહાડોની ગોદમાં લેખકના જીવનની કેટલીક અંગત માહિતી અને ગદ્યકથાથી ગીતકથાને જુદી પાડનારી રચનારીતિની લાક્ષણિક્તાઓની સમજ માટે ઉપયોગી છે.) “દાદાજીની વાતો' (૧૯૨૭, જેની નવી આવૃત્તિમાં ડોશીમાની વાતો' પણ સાંકળી લેવામાં આવી છે.) અને “રંગ છે બારોટ' (૧૯૪૫)માં બાલભાગ્ય કથાઓ છે. “સેરઠી સંતો (૧૯૨૮) અને “પુરાતન જ્યોત' (૧૯૩૮) બિનસાંપ્રદાયિક લોકસંતેની જીવનકથાના સંગ્રહે છે.
રઢિયાળી રાત'(૧૯૨૫, ૨૬, ૨૭, ૪૨)ના ચાર ભાગમાં હવે તે ગુજરાતભરમાં પ્રચલિત થયેલાં લેકગીતે સંપાદિત કર્યા છે. તેની સાથે ક્રમશઃ પહેલો પરિચય, લોકસૃષ્ટિ', “લેકગીતનું બંધારણું', અને “સર્વની રઢિયાળી રાત' એ આસ્વાદમૂલક અને માહિતીસભર પ્રવેશકે જોડાયેલા છે. ત્રીજા ભાગના પ્રવેશકમાંનું વર્ગીકરણ ભૂલભરેલું લાગે છે. “રાસડા”ની જૂજવી જાતેમાં “કથાગીતા'ની સાથે જાતજાતનાં ઊર્મિગીતને પણ સમાવેશ કર્યો છે તે ઉચિત નથી.
ચૂંદડી'(૧૯૨૮-૨૯)ના બે ભાગમાં લગ્નગીતોને સંચય છે. હાલરડાં (૧૯૨૮), ઋતુગીતા' (૧૯૨૯), “સેરઠી સંતવાણી' (૧૯૪૭), સરહ્યા દુહા (૧૯૪૭) શીર્ષકમાં સૂચવાયેલા વિષયને લગતા સંગ્રહે છે.
લોકસાહિત્યઃ ધરતીનું ધાવણ'(૧૯૩૯, ૧૯૪૪)ના બે ખંડોમાં ઉપર્યુક્ત ગ્રંથોના પ્રવેશકે, અન્ય સંપાદકના ગ્રંથોની પ્રસ્તાવનાઓ અને વ્યાખ્યાનેને સમાવી લેવામાં આવ્યાં છે. “રા. બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે આપેલ વ્યાખ્યાન લોકસાહિત્યઃ પગદંડીને પંથ' નામે ગ્રંથસ્થા થયું છે; તેમાં લોકસાહિત્યની, પ્રાચીનકાળથી શિષ્ટસાહિત્યના ધોરીમાર્ગની સમાંતર ચાલી આવતી પગદંડી તરીકે ઓળખ આપી છે. વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા ના ઉપક્રમે આપેલ વ્યાખ્યાન “ચારણે અને ચારણી સાહિત્ય (ગ્રંથસ્થ : ૧૯૪૩)માં ચારણુજાતિ અને ચારણી સાહિત્યની લાક્ષણિકતાઓને પરિચય આપવામાં આવે છે. ૧૯૪૧-૪રની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે ૧૯૪૩માં મુંબઈમાં આપેલાં પાંચ વ્યાખ્યાને ૧૯૪૬માં લોકસાહિત્યનું સમાલોચન નામે ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. પ્રથમ વ્યાખ્યાન “કશ્યભાષાના સાહિત્યસીમાડામાં નરસિંહરાવનાં વિધાનને નિમિત્ત બનાવીને, કશ્યભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને, પ્રાંતપ્રાંતના લોકસાહિત્યને તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. બીજા વ્યાખ્યાન “ગુજરાતનું લેકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળે'માં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સેરઠી સંસ્કારિતાને પરિચય આપ્યો છે. ત્રીજા વ્યાખ્યાન કેડી પાડનારાઓમાં ગુર્જર લોકસાહિત્યના
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૪૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર'. ૪
અન્વેષણ-વિવેચનના ઇતિહાસ છે. ચોથા વ્યાખ્યાન સ્વતંત્ર અને સજીવન સ્રોત'માં જૂના અને નવા શિસાહિત્યની રચનારીતિની ઓળખ છે. પાંચમા વ્યાખ્યાન સતામુખી ઉલ્લાસ'માં વિવિધ સર્જનપ્રકારોનું સંકલનાબદ્ધ દિગ્દર્શન છે. મેઘાણીની લેાસાહિત્ય વિશેની પાકટવયની સળંગસૂત્ર વિચારણા આ ગ્રંથમાં મળતી હૈ।વાથી તેનું અદકેરુ મૂલ્ય છે. આ ગ્રંથમાં એ પણ જોઈ શકાય છે કે આદિથી અંત સુધી લેાકસાહિત્ય પરત્વેના તેમના અભિગમ ઊર્મિ જન્મ જ રહ્યો છે.
કવિતા
સેરઠના પહાડી પ્રદેશમાં ઊછરેલા બાળકના ચાર ચિત્તે માણેલી દુહાસેારઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની ઊર્જા છલકાતી કવિતાનું આકર્ષણ, બંગાળનિવાસ દરમિયાન બાઉલ–ભજના અને રવીન્દ્રકવિતાનેા પરિચય, સાર પાછા ફર્યા પછી લેાકસાહિત્યને સઘન સમાગમ — આ કાવ્યસંસ્કારાથી કવિ મેધાણીને। માનપિંડ બધાયા.
બાર વરસની વયે ચિમનાજીની દાનવીરતાની પ્રશસ્તિરૂપે તેમણે પ્રથમ પદ્યરચના કરી. ૧૯૧૬માં નૂતનવર્ષાભિનંદન નિમિત્તે શિખરિણી છંદની ત્રણ કડી રચી, શિખરિણીના પ્રથમ પ્રયત્નની સુઘડતા એટલુ તા ચેકસ દર્શાવે છે કે જો તેઓ દાબદ્ધ પદ્યરચનાના માર્ગે નિષ્ઠાપૂર્વક આગળ વધ્યા હેાત તાયે કવિ તરીકે પાછા તેા ન જ પડયા હેાત. પરંતુ તેમણે એક નવી જ કેડી પકડી. ગાંધીયુગની કાવ્યપ્રવૃત્તિ વિશે વિચારતાં ઉમાશંકર જોશીએ નાંધ્યું છે કે, ‘નવી કવિતા કાયિતવ્ય પરત્વે મહાત્મા ગાંધીજી અને આયેાજન પરત્વે પ્રે. ઠાકાર એમ બે ભિન્ન પ્રકારની વ્યક્તિઓના ખભા ઉપર ચઢીને ચાલી રહી છે. ૯ મેઘાણીની કવિતા કથિયતવ્ય પરત્વે તે ગાંધીજીનેા ટેકા લે છે પરંતુ આયોજન પરત્વે બળવંતરાયના આધાર છેડી દઈને લેાકસાહિત્ય અને ચારણીસાહિત્યને ખભે ચડવાનું પસંદ કરે છે. પ્રવાહી પદ્યમાં રચાતી વિચારપ્રધાન કવિતાની વચ્ચે મેઘાણીની સમૂહભાગ્ય ગેયરચનાઓના રણકે જુદા તરી આવે છે.
મેઘાણીની લેાકપ્રિયતા અને કવિયશ જેના પર નિર્ભર છે તે કાવ્યગ્રંથ ‘યુગવંદના’ (૧૯૩૫) પ્રગટ થયા તે પૂર્વે તેમની બેત્રણ કાવ્યપુસ્તિકા પ્રગટ થઈ ચૂકી હતી. ‘વેણીનાં ફૂલ' (૧૯૨૩) અને ‘કિલ્લાલ' (૧૯૩૦) માટે તેમને પ્રેમભર્યાં પક્ષપાત પણ હતા અને પેાતાનાં કાવ્યાની મુલવણી વખતે તેની નોંધ લેવાવી જોઈએ તેવા તેમને! આગ્રડ પણ હતા.
વેણીનાં ફૂલ' એ તેમનેા પ્રથમ ગીતસંગ્રહ, પ્રથમ આવૃત્તિમાંનાં બત્રીસ
Page #554
--------------------------------------------------------------------------
________________
૫. ૧૪]
ઝવેરચ'દ મેઘાણી
[ ૫૪૫
ગીતામાં નવી આવૃત્તિવેળાએ દસ નવાં ગીતા ઉમેરાતાં ગીતની સંખ્યા ખેતાળીસે પહેાંચે છે. આમાંનાં કેટલાંક ગીતામાં બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા ઝિલાઈ છે. લાકગીતાના લય, કયારેક તા મુખડાં, ઉપાડી લઈને આ ગીતા રચ્યાં છે. લેાકગીતાના મનમેાહક લય અને સરલ–સુગમ પદાવલિના કલેવરમાં નવયુગના પ્રાણ પૂરીતે, લેાકગીતામાં જોવા મળતી દાતણુ, નાવણુ, ભાજન વગેરે જેવી પુનરુક્તિઓ અને અરુચિકર ગ્રામ્યચિત્રા ટાળીને, લેાકગીતાની હરાળમાં બેસી શકે તેવાં નવાં બાલકિશાર–સ્રીભાગ્ય ગીતા રચી આપવાની તેમને ઢાંશ છે. કટાપકંઠ પરિવર્તન પામીને લેાકગીતામાં પલટાઈ જાય, એકની મટીને અનેકની સંપત્તિ બની જાય, તેમાં જ તેની સાર્થકતા તેમને જણાઈ છે. જોકે તેમ બની શકયું નથી.
આ ૪૨ ગીતામાંથી બાળકેની સ્વપ્નસૃષ્ટિને આકારતું ‘દાદાજીના દેશમાં’, કિશાર માનસને વીરરસના પાને ચઢાવે તેવુ. તલવારને વારસદાર', ચારણી છટામાં વીરબાળા હીરબાઈના કિસ્સો કહેતા રાસડા ‘ચારણકન્યા', રવીન્દ્રનાથના કાવ્ય પરથી રૂપાંતિરત, મરતા બાળકની વેદના રજૂ કરતું કરુણગીત ‘આવજો વહાલી બા' વગેરે કૃતિએ કંઈક સુરેખ ઊતરી આવી છે. દરિયા'નાં ‘રિયા ડાલે રે માઝમરાતના’ એ લહિલ્લાલભર્યા ઉપાડ અને ‘ઝલક ઝલક રે જળમાછલી/ ઝળકે જાણે વીરમારાની આંખ રે' એ ઉત્પ્રેક્ષા આસ્વાદ્ય છે. આવાં વિરલ સ્થાનેાને બાદ કરતાં મેાટા ભાગની રચના એક યા ખીા કારણે કથળી ગયેલી. જોવા મળે છે. સંગ્રહના પ્રથમ ગીત ‘વેણીનાં ફૂલ'ની ‘બાગબગીચાના રાપ નથી એ'ની/ઊગતા મારે ઘેર’ કે માઢડાં ના મકાડજે બાપુ !' જેવી પ`ક્તિઓમાંની ભાઈની ક્ષમાયાચના એક જ ઘરનાં છેારુ કિશાર ભાઈ-બહેનના સંદર્ભમાં અનુચિત લાગે છે. પ્રાસ ખાતર આવેલા સંસ્કૃત શબ્દ ચૂલ' શિશુખેાલીમાં અતડા પડી જાય છે. નીંદરભરી'ની ‘નીંદરભરી રે ગુલાલે ભરી/ખે'નીબાની આંખડી નીંદરભરી રે!' એ લયમધુર ધ્રુવકડી મનને ખેચેન ખેંચે ત્યાં તા ખીજી કડીમાં જ અંકાશી હીંચકાની હેાડી કરી'માં આકાશરૂપી હીંચકારૂપી હેાડીના કિલષ્ટ રૂપકમાં ગીત ગૂ`ચવાઈ જાય છે. લાકગીતની લગાલગ ચાલવા માગતા મેધાણી તેનાથી ઘણા દૂર સરી ગયા છે. કાળુડા રંગ', 'લીલેા રંગ', ‘પીળા રંગ', ‘રાતા રંગ' એ ચાર રંગકાવ્યા કડીએ કડીએ વિસ્મયને અનુભવ કરાવે તેવી કલ્પનાની ચમત્કૃતિ વગરની રંગાની યાદી આપીને અટકી જાય છે. તેમાંય દરેક ગીતમાં વ્હાલા રંગના વિરાધમાં અ ંતે આવતી ‘હાં રે એક દવલા છે/માનવીનાં મેલાં કાળાના કાળુડા રગ !' જેવી ખેાધક પ`ક્તિ કવિને અભિપ્રેત પરાકાષ્ઠાની ચેટના અનુભવ
ગુ. સા. ૩૫
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪ કરાવવાને બદલે કલેશના અનુભવ કરાવે છે. વીરડા', ‘ગામડાંના વિસામા', ‘આભના દીવડા’, ‘આભનાં મેતી', ‘આભનાં ફૂલે', ‘આભના ચંદરવા' વગેરે ગીતા પણ ચારુ કલ્પનાને અભાવે યાંત્રિક રચનારીતિમાં જકડાઈ ગયાં છે.
કિલ્લાલ' એ ‘વેણીનાં ફૂલ'ના સગાત્ર ગીતસંગ્રહ છે. સ ંવર્ધિત આવૃત્તિમાંનાં ૨૫માંનાં કેટલાંક ગીતે બાલભાગ્ય છે. તેા કેટલાંક ભાવિષયક છે. બાળક અને માતા વચ્ચેનેા ઊર્મિસંબંધ તેના કેન્દ્રમાં છે. ‘ચૂંદડી', ‘હાલે ગલૂડાં રમાડવા જી રે’, ‘શિવાજીનું હાલરડુ', ‘આષાઢી સાંજ’ વગેરે ગીતા લેકકંઠે વસી ગયાં છે. ‘સેાણલાં સૂંધા', ‘રાતી બંખેાળ ભવાની', ‘રાતાં માતાં ને રામે રામે સુંવાળાં /હાય મીઠાં ગાલમસૂરિયાં રે' વગેરે પંક્તિ ઇન્દ્રિયસંતર્પક બની છે. ‘વેરી સામે લડશુ’/મા કાજે મરશુ' (‘પાપા પગલી')ની ખેાધકતા, ‘નીંદર જોડે સંવાદ'નું દીનજનવાત્સલ્ય, સાલાં ઃ મૃત્યુનાં’માંની અમંગલતા, સાંજ નમતી હતી, નમતી હતી જાણે હૈયાની વાસના વિરમતી'તી' (‘રાત પડતી હતી')ની વિરક્તિ આવું ઘણુ બધુ કિલ્લોલ'ની આખેાહવાને ઉપકારક નથી.
સાત સ્વત ંત્ર અને આઠ પરતંત્ર એમ પંદર સંગ્રામગીતાના સંગ્રહ ‘સિંધુડા' (૧૯૩૦)ને પાછળથી વિખેરી નાખીને તેમાંનાં ગીતા અનુગામી સંગ્રહેામાં સમાવી લીધાં છે,
યુગવંદના’મેઘાણીને રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યગ્રંથ છે. મેધાણી ગાંધીયુગના એકમાત્ર એવા કવિ છે જેની રચના પંડિતયુગના કલાપી અને ન્હાનાલાલની જેમ લેાકહ્રદય અને લેક સુધી પહેાંચી હાય. મેધાણીની આ લાકપ્રિયતા પાછળ તેમની યુગ-આરાધના રહેલી છે. ગ્રંથની પ્રસ્તાવનામાં ‘યુગવંદના' શીકના અર્થ સમજાવતાં તે લખે છે કે <... કાઈ ચિરંજીવી કાવ્યતત્ત્વથી પ્રેરાયેલ નહિ પણ ચાલુ કાળનાં જ ખળાએ સ્ફુરાવેલાં સમયજીવી ગીતા આમાં પ્રધાન સ્થાને છે. એટલે આ યુગને જ અર્પણ થયેલ 'જલિથી અધિક મહિમાને એ ન માગી શકે તેવાં છે.' (પૃ. ૬) મેઘાણીએ જે નિશાન તાકયું છે તે વીંધવામાં તેમને મહદશે સફળતા મળી છે પરંતુ કાવ્યાને સાચા અર્થમાં ‘કાવ્યો' બનવુ હાય તા કંઈક વિશેષ અપેક્ષા રહે છે. રાષ્ટ્રગીત બનવા માગતી કવિતાએ વધુમાં વધુ કલાનિર્માણુ પેાતાનામાં ઊતરેલું બતાવવું જોશે '૧૦ એ કલાધર્માં તેમણે કળ્યા છે પણ પાળ્યા નથી. તેથી જ સંગ્રહનાં કુલ ૭૮ કાવ્યેામાંથી કસેાટીએ ચઢાવવાનું મન થાય તેવી જૂજ કૃતિએ
જ મળે છે.
‘યુગવંદના'નાં કાવ્યો પાંચ ખામાં વહેંચાયાં છે. પ્રથમ ખંડ ‘યુગવંદના'માં
Page #556
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪ ]
ઝવેરચંદ મેઘાણી
[ ૫૪૭
રાષ્ટ્રભક્તિનાં ૨૪ કાવ્યા છે (ઝાકળનું બિંદુ' આ ખંડમાં આગંતુક લાગે છે.) મુક્તિઆંદોલનની ભૂમિકામાં આ કાવ્યા ઊગ્યાં છે, વીર અને કરુણ તેના મુખ્ય રસા છે. મુખ્યત્વે લેાકલયા અને ચારણી છટાઓ ઉપયાાયાં છે. ચારણી છટા વીરરસને ઉપકારક નીવડી છે પણ કરુણને ખેાલકા બનાવીને રાળી નાખે છે. આ ખ'ડની મેાટા ભાગની રચનાઓને લેાકપ્રિયતા મળી છે. આ લાકપ્રિય રચનાઓમાં કવિતાની ઝલક અહીંતહી. વરતાય છે પણ સુવાંગ કાવ્યકૃતિઓ મળતી નથી. મેધાણીની કાવ્યભાવનાના પર્યાયરૂપ બની ગયેલ શીર્ષીક ધરાવતું સંગ્રહનું પ્રથમ ગીત ‘કસુ બીના રગ' જોઈએ :
‘લાગ્યા કસુંબીને। રંગ
રાજ; મને લાગ્યા કસુ’ખીને રંગ’
એ ફી લયથી આ ગીત ઊપડે છે. કેન્દ્રીય ભાવ, લય અને ધોળાં ધાવણુ કેરી ધારાએ ધારાએ / પામ્યા કસુંબીના રંગ' જેવી સેન્દ્રિય પ`ક્તિઓને આધારે પાંચ અંતરા સુધી તા ટકી રહે છે પણ છઠ્ઠા અંતરાથી તે કવિની પકડમાંથી છટકી જાય છે. કસુંબીના રંગ દ્વારા કવિને જે ભાવના અભિપ્રેત છે તેની સાથે પીડિતની આંસુડાધાર–હાહાકારે / રેલ્યા કસુંબીના રંગ' અને ધરતીનાં ભૂખ્યાં કંગાલાને ગાલે છલકાયા કસુંબીના રંગ' પક્તિઓના મેળ મળે તેમ નથી. યુગધર્મથી પ્રેરાયેલા કવિએ ગમે તેમ કરીને આ કડીએ અહીં ચેોંટાડી દીધી છે. તેમના ખીન્ન લેાકપ્રિય કાવ્ય તરુણેાનું મનેારાજ્ય'ની પ્રથમ કડી યુવાનેાના તન-મનની ખુમારીને અનુરૂપ થનગનતાં ઘેાડાં અને આભવીંઝતી ગુરુડપાંખનાં પ્રતીકાને કારણે ચેટદાર બની છે. બસ, તેમની શક્તિ અહીં જ ખરચાઈ ગઈ છે. કાવ્ય એક મુક્તકથી આગળ વધતું નથી. ચાર ગાંધીકાન્યામાંથી વિશેષ વખણાયેલુ., રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાવવામાં નિમિત્તરૂપ છેલ્લા કટારી' ગાંધીજીના મનેામંથનને આબાદ ઝીલતું હેાવા છતાં વાચાળતાને કારણે પ્રાસંગિકતાના સ્તરથી ઉપર ઊંચકાતું નથી. ‘ફૂલમાળ'ની ઉપાડની કડીમાંની સ્મશાનમાં ‘।પાતાં’ રૂખડાંની અને અંતમાંની પહેરીને પળ્યા પાંખણે હે। જી’ની ‘પાંખણે' શબ્દની ‘આયની’ કરુણને ઉચિત ઉઠાવ આપે છે. કાણુ ગાશે’ની સ્રગ્ધરાની સફાઈદાર પ`ક્તિ શી રીતે ગિયા આ અજગર સરીખે! સુપ્ત તાતિંગ દેશ ?'ની અજગર'ની ઉપમા ભારતની વિશાળતા અને આલસ્યવૃત્તિ બન્નેને એકસાથે પ્રગટ કરતી હાવાથી યાદગાર બને તેવી છે. ઐતરાદા વાયરા ઊઠે’તું વેગીલુ” ચિત્ર ‘ભૂરિયાં લહૂરિયાંની આંધી ઉરાડતા / હુહુકાર સ્વરે, કાળ, ઊઠા !' આંખ અને કાન બન્નેને સતપે` છે. ઝંડાવ`દન'માં ભાવનાના જેટલા
Page #557
--------------------------------------------------------------------------
________________
પ૪૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
| (ચં. ૪ ઝળકાટ છે તેટલું ચૂંટાયેલું કવિત્વ નથી. “ઊઠે’માં શંગારમિશ્રિત વીરની ન્હાનાવાલીય ચાલ તેમને ફાવી નથી. કાવ્યગત ભાવ કે ભાવનાને કવિતાની કક્ષા સુધી પહોંચાડવાની ધીરજ અને શક્તિનો અભાવ વરતાઈ આવે છે.
બીજા ખંડ પીડિતદર્શનનાં સોળ કાવ્યોની ભૂમિકા સૂચિત ગીત “કવિ, તને કેમ ગમે ?”માં જોઈ શકાય છેઃ “અહોરાત કરોડ ગરીબોના પ્રાણ ધનિકને હાથ રમે- ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે !” આ જીવનદષ્ટિ તેમને કોદાળીવાળો', “કેદીનું કલ્પાંત', બીડીઓ વાળનારીનું ગીત', “દૂધવાળો આવે”, “હાલરડું' વગેરે ગરીબેનાં ગીતે લખવા પ્રેરે છે. ગરીબેનાં લહિયાળ આંસુમાં કલમ બાળીને લખાયેલાં આવાં ગીતે કવિતાની શાહીથી વંચિત રહી ગયાં છે. યુગધર્મની સાથે કવિકર્મ મેળ મેળવવાને પડકાર તે સફળતાપૂર્વક ઝીલી શક્યા નથી. આ પ્રચારપ્રધાન કાવ્યોમાંથી ઘણ રે બોલે ને—” તેમાંનાં તળપદાં પ્રતીકને કારણે અને સૂચિત દીઠી સાંતાલની નારી આછી સરલ રેખાઓને કારણે જુદાં તરી આવે છે. 'કાલ જાગે'માં આખા ગીતમાં પથરાયેલાં “આનાં આવર્તન ભાવને બુલંદ બનાવે છે.
ત્રીજા ખંડ “કથાગીતામાં એક કથાકાવ્ય અને બાકીના સાત કથાગીતે છે. ધરતી માગે છે ભેગ” સિવાયનાં બધાં જ કાવ્ય રૂપાંતરિત કે સૂચિત છે. સૌથી વિશેષ પ્રસિદ્ધિ પામેલું કોઈને લાડકવાયો' મિસિસ લાસ્ટના “સમબડી'ઝ ડાર્લિંગ' પરથી આપણને લેશમાત્ર પરાયું ન લાગે તેવી કલાથી રચાયેલું ઉત્તમ કથાગીત છે. મરાઠી સાખીના લલિત-ગભીર લયમાં કડીએ કડીએ ચિત્ર ઊપસતાં આવે છે. આછાપાતળા કથાતંતુમાં પરોવાયેલાં ચિત્રોની ટોટલ ઈફેકટ’માંથી કરુણ નિષ્પન્ન થાય છે. વસ્તુસંકલનની આ કલાસૂઝ પ્રશસ્ય છે. સૂના સમદરની પાળે” પણ કલાસૂઝ દર્શાવતું કથાગીત છે. તેની ખૂબીઓની નોંધ ચંદ્રકાન્ત ટોપીવાળાએ લેકરંગને કવિ'માં લીધી છે.૧૧ “અભિસાર રવીન્દ્રપ્રેરિત છે. રવીન્દ્રનાથની પ્રતિભાને સ્પર્શ પામેલી સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં અને ગુજરાતી ખંડકાવ્યની કાન્ત-દીધી પરંપરા હોવા છતાં તેમાંથી સુવડખંડકાવ્ય કંડારાયું નથી. રૂપમેળ વૃત્તોનાં બંધ અને પસંદગી બને નિર્બળ છે. સેનાનાવડી” પણ રવીન્દ્રનાથના “સોનાર તરી’ના આધારે રચાયેલું રૂપકગર્ભ કથાગીત છે. બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી રૂપાંતરમાં મૂળમાંના નાયકને સ્થાને નાયિકા ક૯પવામાં આવી છે. જાણકારી પછી પણ નારી પાત્ર જ યોગ્ય લાગવાથી પિતાને આલેખનને જ વળગી રહ્યા છે. વીર બંદે કરુણ નહિ, કરુણાભાસી બને છે.
Page #558
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી
[૫૪૯ ચોથા ખંડ “આત્મસંવેદન'નાં ૧૩ અને પાંચમા ખંડ “પ્રેમલહરીઓનાં ૧૭ કાવ્યોમાં સામાજિક ભાવને બદલે અંગત સંવેદન તરફ વળે છે. સામાજિક વિષયમાં લોકસાહિત્ય-ચારણી સાહિત્યના સંસ્કારવાળી બાનીએ ઠીક કામ આપ્યું હતું. પરંતુ અંગત ભાવોના ગાન માટે નવી બાની ઉપજાવવાની આવશ્યક્તા ઊભી થઈ હતી, જે તે ઉપજાવી શક્યા નથી. “વિક્વંભર’ના દુહા લેકસાહિત્યના સાક્ષાપરિચય વગરને કોઈ કસબી કવિ રચે તેના કરતાં પણ મોળા છે. બે કાવ્યમાં રૂપમેળ વૃત્તો પણ અજમાવી જોયાં છે, તેમાંય “ના, ના, તથાપિ તુજને હું વિલુપ્ત માનું ના, ના, તથાપિ તુજ પે મુજ પ્રેમ એ છે !” (“તદ્દરે–તન્તિકે') જેવી પંક્તિઓ સ્પષ્ટ દર્શાવે છે કે તે કલાપીથી દૂર જઈ શક્યા નથી. સમકાલીન કાવ્યરૂપે અને કાવ્યબાની તરફના સદંતર દુર્લક્ષનું જ આ પરિણામ જણાય છે. લોકબાનીની પસંદગીમાં પણ તેઓ મુખ્યત્વે કઢાળો અને ચારણી છટા પર મૂક્યા છે. એકબે શબ્દો કે એકાદ બે પંક્તિના લસરકાથી અંતરમર્મને અનાયાસ અભિવ્યંજિત કરવાની જોકસાહિત્યની કળ તેમને હાથ લાગી નથી.
“એકતા' (૧૯૪૦) ૪૭ કાવ્ય સંગ્રહ છે. આ સંગ્રહમાં તેમણે આત્મનિરીક્ષણ” નામે પ્રવેશક મૂક્યો છે. આ પ્રવેશકમાં તેમની કાવ્યભાવનાની રૂપરેખા અને પ્રસ્તુત સંગ્રહમાં તેમની જીવનદષ્ટિમાં આવેલા પરિવર્તનની નેંધ હોવાથી તે મહત્વને બને છે. કવિતામાં વ્યક્ત કરતાં અવ્યક્ત જ વધુ મહત્ત્વનું છે એમ કહીને તેમણે વ્યંજનાને મહિમા સ્વીકાર્યો છે. પીડિતાનાં કાવ્યોમાં પીડકેને દઝાડતા કટાક્ષોના ઉગ્ર દેશને બદલે આખરી કલ્યાણકારી ઉદ્દગારો જ તેમને યોગ્ય લાગે છે. અફસોસની વાત એ છે કે “એકતારોનાં કાવ્યોમાં વ્યંજનાને બદલે ઠેરઠેર અભિધા જ જોવા મળે છે. શું ઉગ્ર દેશ કે શું કલ્યાણકારી ઉગારેને વ્યવહારની ભૂમિ પરથી ઊંચકીને કવિતાની કક્ષા સુધી લઈ જવાની કલાદષ્ટિ તેમની પાસે નથી. સંગ્રહનાં ૪૭ કાવ્યમાંથી તેમને વધુ પ્રાણપ્રિય લાગેલાં છ કાવ્યમાંથી માત્ર ચાર “શબ્દના સોદાગરને’, ‘તકદીરને ત્રિફનારી”, “ગરજ કોને ?” અને “વર્ષા જ કાવ્ય તરીકે શોભી શકે તેવાં છે, બાકીનાં ઘણાં ગીત “કાવ્ય” નામને પાત્ર લાગતાં નથી. કાવ્યદષ્ટિએ નહિ તે ભાવદષ્ટિએ સારાસારને વિવેક હોવા છતાં કાવ્યો ગ્રંથસ્થ કરતી વેળાએ તેને ઉપયોગ કર્યો નથી, નહિતર તેમને પિતાને જ ભાષણિયા, દૂષિત કે કલુષિત લાગેલાં “ગરીબોદ્ધારની ચાલાકીઓ', “મને વેચશો મા’, ‘ન ધણિયાતી નથી” વગેરેને તેમણે સંગ્રહમાં સમાવેશ ન કર્યો હત
બાપુનાં પારણાં' (૧૯૪૩) મેઘાણીનાં ગાંધીજીવિષયક કાવ્યને સમુચ્ચય
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૫૦]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ છે. “રવીન્દ્રવીણા' (૧૯૪૪) રવીન્દ્રનાથના કાવ્યસંગ્રહ “સંચયિતા'નાં કાવ્યો પરથી રચાયેલાં ૬૬ કાવ્યોને સંગ્રહ છે. મેઘાણી આ કાવ્યમાં શબ્દશઃ અનુવાદને માર્ગે ચાલ્યા નથી. ક્યારેક તેમણે તળભૂમિને અનુરૂપ રૂપાંતર કર્યું છે તે કયારેક મૂળમાંથી પ્રેરણા મેળવીને અનુસર્જન કર્યું છે. રૂપાંતર-અનુસર્જનમાં તેમણે સોરઠી લેકઢાળો, રૂપમેળ વૃત્ત અને ક્યારેક ગદ્યને પણ પ્રયોગ કર્યો છે. અભિસાર', “સોનાનાવડી', “જાગેલું ઝરણ’, ‘બે પંખી' વગેરે “રવીન્દ્રવીણાનાં જાણતાં કાવ્યો છે. ઉમાશંકર જોશીએ “રવીન્દ્રવીણા'નાં કાવ્ય માટે એક માર્મિક વિધાન કર્યું છે. “મેઘાણીની લાક્ષણિક શૈલી “રવીન્દ્રવીણાંમાં ઢાકાની મલમલને સેરડી લેબડીના નવા આકર્ષક સ્વરૂપે રજૂ કરે છે જે આ વિધાનમાં ભોળાભાઈ પટેલને લાગ્યું છે તેમ “રવીન્દ્રવીણાનાં રૂપાંતરોનું યથાર્થ મૂલ્યાંકન ન હોય તોયે રૂપાંતરની પ્રક્રિયાને યથાર્થ પરિચય તો મળી રહે છે જ.
મેઘાણી ગાંધીપ્રેરિત દેશભાવનાથી તરબોળ ભીંજાયેલા કવિ છે. કેશિયા સુધી કવિતાને પહોંચાડવાની ગાંધીજીની ભાવનાની નિકટતમ જે કઈ કવિ હોય તે તે મેઘાણું છે. લોકસાહિત્ય માટેના સ્વયંભૂ પ્રેમ અને ગાંધીજીએ જગાવેલી યુગચેતનાના આવિષ્કારરૂપ તેમની કવિતામાં નો રણકે સંભળાયો. આ રણકે જેટલે યુગધર્મને આભારી છે એટલે કવિકર્મને પણ આભારી હોત તે “યુગવંદના' આપણુ કાવ્યસાહિત્યનું એક વિશિષ્ટ પરિબળ બની રહેત. કવિતાને જનતાને અવાજ બનાવવાની એક મહત્ત્વની પ્રક્રિયા મેઘાણએ શરૂ કરી હતી પરંતુ કવિપ્રતિભાની ઓછપને કારણે તેમની કવિતાની અપીલ અ૮ ૫જીવી નીવડી અને તેમણે આદરેલી કાવ્યપ્રક્રિયા ડેડ-ઍન્ડ’વાળા સાઇડટ્રેકમાં સ્થગિત થઈ ગઈ. નવલિકા
મેઘાણી “સૌરાષ્ટ્રમાં જોડાયા તે પહેલાં બાલસામયિક બાલમિત્ર'માં સ્ટરિઝ ઑફ પ્લાન્ટ લાઈફ' અને “ટેરિઝ ઑફ એનિમલ લાઈફ” એ બે અંગ્રેજી પુસ્તકમાંના સીધા કથેલા વિષયો પરથી વાર્તારૂપે લખાયેલાં “ભમરા), ગોકળગાવી, વરસાદનાં ટીપાં વગેરે લખાણે પ્રગટ થયાં હતાં. “સૌરાષ્ટ્રમાં જોડાયા ત્યારે લેકકથાઓ ડોશીમાની વાતે'ની અને ટાગોરની “કથા ઓ કાહિની' નામની પદબંધ કથાઓ પરથી રૂપાંતરિત “કુરબાનીની કથાઓ'ની હસ્તપ્રતો તૈયાર થઈ ગઈ હતી. વાર્તાલેખનને આ તેમને પ્રથમ તબકકો. બીજા તબક્કામાં સૌરાષ્ટ્રની રસધાર', સોરઠી બહારવટિયા, કંકાવટી વગેરેની લોકકથાઓના પુનઃકથન દ્વારા તેમની કલમ વાર્તાલેખન માટે બરાબર પળેટાઈ. ત્યાર પછી ત્રીજા તબક્કામાં મૌલિક વાર્તાઓનું સર્જન શરૂ થયું. ૧૯૩૧માં “કિશોરની વહુ' નામે પ્રથમ મૌલિક
Page #560
--------------------------------------------------------------------------
________________
. પ્ર. ૧૪ ]
ઝવેરચંદ મેઘાણી
[૫૫૧
વાર્તા લખી. ૧૯૩૧થી ૧૯૩૫ના ગાળામાં લખાયેલી વાર્તાઓના ચાર સંગ્રહેા પ્રગટ થયા : ‘ચિતાના અંગારા' ખંડ ૧-૨, ‘આપણા ઉંબરમાં’ અને ધૂપછાયા’, આ સંગ્રહેાની નવી આવૃત્તિ પ્રગટ કરવાને બદલે તેમાં નવી વાર્તાઓ ઉમેરીને મેઘાણીની નવલિકાઓ'(૧૯૩૧, ૧૯૩૫)ના બે ખંડ પ્રગટ કર્યાં, ત્યાર પછી લખાયેલી વાર્તાઓને ત્રીજો ખંડ ‘વિલાપન અને ખીજી વાતા' (૧૯૪૬)ના નામે પ્રગટ થયા. આ ઉપરાંત તેમના ખીન્ન પાંચ વાર્તાસંગ્રહે। પણ પ્રગટ થયા છે. તેમની પાસેથી આપણને કુલ આઠ વાર્તાસંગ્રહેા અને સવાસેા જેટલી વાર્તાઓ
મળે છે.
ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનું મુખ્ય અર્પણ મેઘાણીની નવલિકાઓ'ના ત્રણ ખ`ડમાંની ક઼ર વાર્તાઓ છે. આ વાર્તાએમાં સંવિધાનનું ખાસ વૈવિધ્ય જોવા મળતું નથી. ‘વહુ અને ધાડા', બેમાંથી કાણુ સાચું !', ‘હુ‘', પદભ્રષ્ટ’ વગેરેમાં આત્મકથનને, ‘અલ્લામિયાંની ટાંક'માં ભાણરીતિની એક્તિને, ‘મારા બાલુભાઈ’, ‘ભલે ગાડી મેાડી થઈ', 'ધૂંધા ગાર', ‘ક્રૂડ વાર્તા' વગેરેમાં કટાક્ષની તિય ક્ શૈલીના, ‘વહુ અને ઘેાડા'માં એ બે પાત્રાની સહે।પસ્થિતિને —રચનારીતિના આવા કેટલાક પ્રયોગા તેમણે કર્યા છે ખરા પણું તે સપાટી પરના હેાવાથી તેમની સ`વિધાન-કલાનું કાઈ નવું પરિમાણ પ્રગટતું નથી. એક હાર ને એક સ્વરૂપેામાં નવલિકાને રમાડવાના તેમના ઉમળકાના લાભ રચાયેલી વાર્તાઆને મળ્યા નથી.૧૪ ધૂમકેતુએ પાડેલા ચીલા પર જ તે એકધારા આગળ વધ્યા છે.
સમાજનાં અવિદગ્ધ પાત્રોની સબળાઈ અને વિદ્રુગ્ધ પાત્રોની નબળાઈ વારંવાર વાર્તાને વિષય બની છે. કેટલીક વાર્તામાં તે। આ એ પ્રકારનાં પાત્રોના નિધાન દ્વારા તેમના તફાવત ઘેરા રંગે ઉપસાવવાની પ્રયુક્તિ તેમણે અપનાવી છે. ચંદ્રભાલનાં ભાભી', ‘ખેમાંથી ક્રાણુ સાચું ?', 'ખાલીએ રંગ બગાડયો', ‘બદમાશ', ‘પદભ્રષ્ટ' વગેરે તેમની આ પ્રકારની વાર્તા છે.
અસફળ લગ્નજીવન એ તેમના ખીજો પ્રિય વિષય છે. આ પ્રકારની વાર્તામાં માટે ભાગે પતિ કે સાસરિયાંના અત્યાચારના ભાગ બનેલી પત્નીએની વેદના કેન્દ્રસ્થાને છે. વહુ અને ઘેાડા’, ‘મેારલીધર પરણ્યો', ‘ચાંદી'ની નાયિકાએ ચાંદીના રાગથી પીડાતા પતિની પત્નીએ છે. કિશેારની વહુ' ક્ષયની જીવલેણ ખીમારીને। ભાગ મનેલી મેાટા ઘરની વહુવારુ અને ચમનની વહુ' મર્દાનગી વગરના પતિની પત્ની છે. જયમનનું રસજીવન'ની રમા પ્રેમવેવલા પતિની ઘેલછાના ભાગ બની છે. ‘કલાધરી'ના દામ્પત્યજીવનની અસફળતાનું કારણ પતિને હડધૂત કરનારી પત્નીની કલાપ્રિયતા છે. રમાને શું સૂઝયું ?'ની રમા અને
Page #561
--------------------------------------------------------------------------
________________
પર]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર. ૪
‘અલ્લામિયાંની ટાંક'ની અંજની સંસ્કારી અને સુકુમાર જીવનસાથીને બદલે હી-મૅનને, ધ્રુવ-મૅનને ઝંખતી વિલક્ષણ સ્વભાવની નાયિકાએ છે. ભૂરાઈના દ્વાર પરથી' અને ‘સદાશિવ ટપાલી' વિષમ સંજોગામાં એકખીજાની દૂકમાં ટકી રહેનારાં ૬'પતીનાં કરુણ-મધુર દાંપત્યચિત્રાને ઉઠાવ આપે છે.
મેઘાણીની કેટલીક વાર્તાઓના કેન્દ્રમાં સીધું સમાજદર્શન રહેલું છે. મંછાની સુવાવડ' અને ‘કેશુના બાપનું કારજ' ચીલેચાલુ સામાજિક કુરિવાજોને ભેગ બનેલાં પાત્રાની અને અનંતની બહેન', ‘લાડકા રંડાપેા' અને ‘લેાકાચારના દાનવ સામે' કુરિવાજોના દૃઢ મનેાબળથી સામનેા કરનારાં પાત્રાની વાર્તાઓ છે. આ વાર્તાઓમાં વાર્તાકારને બદલે પ્રચારક મેઘાણીના ચહેરા દેખાય છે. કાનજી શેઠનું કાંધુ' અને ‘ઠાકર લેખાં લેશે' સમાજનાં સ્થાપિત હિતા દ્વારા થતા શાણુને વિષય બનાવે છે. ગાંધીયુગમાં કહેવાતા સમાજસુધારકેાના એક વ ઊભા થયા હતા. મેઘાણીએ આવા સુધારાને કટાક્ષની નજરે જોયા છે. ‘શારદા પરણી ગઈ'ના સુધારાવીર રાજેશ્વરભાઈ, હુ'ના પરપીડનમાં આનંદ માણનારા રાજેશ્વરભાઈ, ‘પદભ્રષ્ટ’ના સેવાના નામે મેવા જમનારા રાજેન્દ્રભાઈ આ પ્રકારના સુધારકેા છે. ‘કડેડાટ' અને ‘મારો વાંક નથી'માં વિશ્વયુદ્ધના ઓથાર નીચે ચંપાતા ગ્રામજીવનની ગૂ ગળામણુ રજૂ થઈ છે.
‘વિલાપન’, ‘સદુબા’, ‘મેં તમારા વેશ પહેર્યા’, ‘માડી, હું કેશવે।', ‘શિકાર’, ભરતા જુવાનના માંએથી', ગરાસ માટે' વગેરે દંતકથાત્મક કે સત્યઘટનાત્મક વાર્તા છે, તેમાં મહદંશે 'રસધાર'ની નિરૂપણશૈલીના પડઘા સંભળાય છે. વિલાપન'ના નાયકના પિતાની ઉક્તિમાંના ગદ્યલય આસ્વાદ્ય છે.
‘ધૂપછાયા'ની તેમની પ્રસ્તાવના દર્શાવે છે કે વિસ્મય અને તાટસ્થ્ય એ વાર્તાકારનાં લક્ષણા છે તે વાત તેમને બરાબર સમજાઈ છે. માનવમનના કેટલાક મ પર તેમની નજર ઠરી છે. નમાયા બાળકને પેટના માનીને પ્રેમથી ઝેરનારાં ચંદ્રભાલનાં ગંદાંગેાખરાં મિત્રપત્ની ઝબકભાભી; ‘સાચા પ્યારની આગમાં પાપની ખાક થાય છે: બાળક ઈશ્વરનું છે : ને દુનિયા ઝખ મારે છે' પારસી દાક્તરના આ ઉગારામાંથી પ્રેરણા મેળવીને પત્ની સવિતા અને તેના પુત્ર પર પ્રેમથી લળી પડનારા ભેાળા–ઉદાર કાળુ; પહેલાં કુટુ ખીઓના અને પછી ગામલે કેાના અન્યાયને ભાગ બનીને ડાકણ તરીકે પંકાયેલાં આપક્રમી અને આપમતીલાં પાનાર ડેાશી; ‘ઇસકું ધ્યાન રખના' એ એક વાકય પર વારી જઈને પેાતાને સોંપાયેલી નારીને માટે અડધા-અડધા થઈ જનાર ‘બદમાશ' પઠાણુ અલારખા; મદિરના રક્ષણ ખાતર મુસલમાન ધર્મને અંગીકાર કરીને આત્મવિલાપન સાધનાર ચિતારા હરદાસ,
Page #562
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪]
ઝવેરચંદ મેઘાણી
[ ૫૫૩
સુધારાના અત્યાચારને ઠંડી તાકાતથી વેઠનારા દુલા શેઠ વગેરે પાત્રોના જીવનમર્માને તેમણે પારખ્યા છે. જો કલાકારના તાટસ્થ્યપૂર્વક ઉચિત સંદર્ભો યેાજીને તેમને આકાર આપ્યા હેાત તા તેમાંથી કેટલીક ઘાટીલી વાર્તાઓ સર્જાઈ હાત. પરંતુ પાતે જેને દાહ્યલું માને છે તેવા કલાતાટસ્થ્યના અભાવને કારણે કે રચનાશૈથિલ્યને કારણે વાર્તાઓના ઘાટ બરાબર ઘડાતા નથી કે ખંડિત થાય છે.
‘જેલ આફ્સિની મારી’(૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારા અને તેમનાં સ્વજનેાના જીવનનાં કેટલાંક દસ્યા જેલ ઑફિસની બારીની નજરે ઝિલાયાં છે. જો આ ખારી નિરૂપિત દૃસ્યાની તટસ્થ સાક્ષી બની હાત તા જેલજીવનનાં કરુણ દૃસ્યાનું વાસ્તવિક ચિત્ર સાંપડત, પરંતુ તે સતત કટાક્ષ અને વ્યાજસ્તુતિના આશરો લેતું માર્બિડ પાત્ર બની જાય છે, તેથી ચિત્રો કરુણ કે કરુણા બનવાને બદલે મૅલાડ્રામૅટિક અને કૃત્રિમ બની ગયાં છે. તિરસ્કૃત જીવનને બદલે ફ્રાંસીના ફંદાને વધારે પસંદ કરવા યોગ્ય માનનાર ફાંદાળા ભીલ, માતા સાથેની મુલાકાતમાં લાગણીના અપૂર્વાં સંયમ દાખવતા ક્લબહાદુર ૫ જાખી, આત્મસ્થ યાગી જેવા અનવરખાં પઠાણુ, ફાંસી પામેલા પુત્રની લાશ માટે જેલરને ભાઈ-બાપા કરતી હીરજીની માતા વગેરે પાત્રો ઠીક ઊપસી આવ્યાં છે. અહીં સ્વતંત્ર નવલિકાઓ નહિ પણ ચિત્રોની હારમાળા જ મળે છે.
મહીડા પારિતાષિક વિજેતા કૃતિ માણસાઈના દીવા'(૧૯૪૫)માં મેધાણીએ લોકસેવક રવિશંકર મહારાજના મઢે સાંભળેલી તેમના જીવનની... અનુભવકથા આલેખી છે. તેનું દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે માટે ખેાલચાલના લય-લહેકા અને કથનશૈલી મહારાજનાં જ રાખ્યાં છે, તેમ છતાં મેઘાણીની કલમના ચમકારા વરતાયા વગર રહેતા નથી. મહીકાંઠાના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કામેાના માણસાના જીવનમાં ટમટમતા માણસાઈના દીવાની આ કથાઓ છે. અન્યાયના ભાગ બનીને બહારવટે ચડેલા મેાતી બારૈયા, હરાયા ઢાર જેવા ખેાડિયા, બાળક જેવા નિષ્પાપ ચાર ગાકળ, ચારીને પ્રભુદત્ત કર્તાવ્ય માનનારા ફૂલા વાવેચેા, કાળાં કરતૂતાની પરંપરા સર્જનારા બાબર દેવે, ચેરીને ધિક્કારનારાં જી’ખા વગેરેનાં વ્યક્તિચિત્રો કે પ્રસંગચિત્રો મહારાજના સેવાકાર્યના તંતુમાં પરાવાયાં છે. નિઃસ્વાર્થ લેાકસેવક તરીકેનું મહારાજનું વ્યક્તિત્વ પણ સુરેખ અંકાયું છે. ‘માણસાઈના દીવા’ની કથાએ પણ પ્રસ ંગચિત્રો આપી અટકી જાય છે, નવલિકાને આકાર ધારણ કરતી નથી.
પ્રતિમાઓ’ (૧૯૩૪) અને ‘પલકારા’ (૧૯૩૫)માં વિદેશી ચલચિત્રા પરથી રૂપાંતરિત ૧૫ વાર્તાઓના સમાવેશ થયા છે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૫૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
રજૂ થયેલી કચકડાની કથાઓને શબ્દદેહ આપવાનું મેઘાણીનું કૌશલ પ્રશંસનીય છે. આખરે’, ‘એ આવશે, ‘આત્માને અસુર’, ‘માસ્તર સાહેબ” વગેરે વાર્તાઓ સારી સર્જાઈ છે. નવલિકા તરીકે થોડીક પ્રસ્તારી લાગે, પણ નિરર્થક લંબાણ અહીં નથી; કહે કે લાંબી ટૂંકી વાર્તાઓને આકાર તે ધારણ કરે છે. કલાતાટસ્થ પણ આ વાર્તાઓમાં સૌથી વિશેષ જળવાયું છે. મેઘાણીના ગદ્યમાં વરતાતે રંગરાગને થશેડો અહીં જવલ્લે જ જોવા મળે છે. જે મૌલિક વાર્તાકાર મેઘાણીએ ‘પ્રતિમાઓ–પલકારા'ના રૂપાંતરકારને ગુરુપદે સ્થાપ્યા હેત તે તેમને ઘણું શીખવા મળ્યું હોત તેમ માનવાનું મન થાય છે.
દરિયાપારના બહારવટિયા ઍટન વુલ્ફના પુસ્તક “ધ આઉટલેઝ ઑફ મેંડને ડેઝ'ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત એક બહારવટિયણ અને ત્રણ બહારવટિયાની કથાઓને સંગ્રહ છે. આ વાર્તાઓ સોરઠી બહારવટિયા’ની પરંપરામાં ગોઠવાય તેવી છે. પરંતુ આ મેઘાણીએ કરેલું સંપાદન નહિ પણ રૂપાંતર હોવાથી તેની અહીં નોંધ લીધી છે.
તેમના એકમાત્ર નાટિકા-સંગ્રહ ‘વંઠેલાં' (૧૯૩૪) વિશે પણ અહીં જ વાત કરી લઈએ. સંગ્રહમાંની એકાધિક દવાળી ત્રણ એકાંકી નાટિકાઓમાંની એક જયમનનું રસછવન” એ જ નામની નવલિકાનું નાટયરૂપાંતર છે. “વંઠેલાં સમાજસુધારાની વેદી પર અનંત અને તેની પત્ની કંચને આપેલા બલિદાનની સામાન્ય કક્ષાની અને યશોધરા” સ્ત્રી-ઉદ્ધાર માટે બલિદાન આપનાર યશોધરાની નાટ્યકક્ષા સુધી ન પહોંચતી કરુણાંત નાટિકાઓ છે. આ ક્ષેત્રે મેઘાણીનું કોઈ નોંધપાત્ર અર્પણ જોવા મળતું નથી. નવલકથાઓ
૧૯૩૨માં “ફૂલછાબ'નું પ્રકાશન શરૂ થતાં તેના ભેટપુસ્તક તરીકે નવલકથા આપવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયે મેઘાણીની કલમને નવલકથા તરફ વાળી. તેમણે કુલ ૧૩ નવલકથાઓ રચી છે. આ તેરમાંથી નવ નવલકથાઓ સ્વતંત્ર અને ચાર પરતંત્ર છે. આ પરતંત્ર નવલકથાઓને અનૂદિત કે રૂપાંતરિત કહેવાને બદલે પરપ્રેરિત કહેવી જ વધારે યંગ્ય છે કારણ કે તેમાં તેમણે મૂળ કૃતિને શબ્દશઃ અનુવાદ કે તળભૂમિને અનુરૂપ રૂપાંતર આપવાને બદલે તેનાં વસ્તુ, પાત્ર કે પરિસ્થિતિમાંથી પ્રેરણા મેળવીને નવેસરથી જ માંડણ કરી છે. તેમની મૌલિક અને પરપ્રેરિત નવલકથાઓમાં કોઈ તાવિક તફાવત ન હોવાથી તેમને એક જ પંગતમાં બેસાડીને વિચારણા થઈ શકે તેમ છે. વિહંગાવલોકનની સરળતા ખાતર આ નવલકથાઓનું વસ્તુસંકલનાની દષ્ટિએ વગીકરણ કરીએ તે એક પ્રશ્નપ્રધાન,
Page #564
--------------------------------------------------------------------------
________________
[૫૫૫
પ્ર. ૧૪]
ઝવેરચંદ મેઘાણી ત્રણ ચરિત્રલક્ષી, છ સમાજલક્ષી અને ત્રણ ઘટનાપ્રધાન નવલકથાઓ મળે છે.
મેઘાણીની પ્રથમ નવલકથા “સત્યની શોધમાં' (૧૯૩૨) અપ્ટન સિંફલેરકૃત “સેમ્યુઅલ ધ સીકર'ના આધારે લખાઈ છે. મૂળ કૃતિ એક કલાકૃતિ નથી એવી પ્રતીતિ હેવા છતાં તેના પર પસંદગી ઉતારી તેનું કારણ તેમાં સમાજવાદી વિચારસંભાર છે. રોટલે રળવા માટે લક્ષ્મીનગરમાં આવી ચડેલે ખેડુ યુવાન શામળ ભદ્રવર્ગની નઠોરતાના કેટલાક અનુભવોને લીધે સત્યની શોધમાં નીકળે છે. તેની સત્યશોધનની પ્રવૃત્તિ સમાજના શિષ્ટ વર્ગ માટે પડકારરૂપ નીવડે છે. કથાને અંતે કાન્તિકારી લેકનેતા તરીકે પોલીસદમનને ભોગ બનેલે શામળ લોહીતરબોળ હાલતમાં જોવા મળે છે. એક ગ્રામીણ યુવક શામળનું લેકનેતામાં થતું પરિવર્તન તેને ગજની અને ટૂંકા સમયગાળાની દૃષ્ટિએ અસ્વાભાવિક લાગે છે. વર્ગવિગ્રહની સમસ્યાને આલેખવા મથતી આ નવલકથા લેખકના પ્રગટ પૂર્વગ્રહને કારણે પ્રશ્નપ્રધાન બનવાને બદલે પ્રચારપ્રધાન બની ગઈ છે.
મેઘાણીની ત્રણ ચરિત્રલક્ષી નવલકથાઓમાંની એક “નિરંજન' (૧૯૩૬) તેમની પ્રથમ મૌલિક નવલકથા છે. ગામડાગામના શિક્ષક પિતા પાસે વિનય-વિવેકના પાઠ પઢેલે નિરંજન કોલેજમિત્ર સુનીલાની પ્રેરણાથી કૃત્રિમ વિનમ્રતા ત્યાગીને પિતાનું સર્વ પ્રગટાવવામાં કેટલેક અંશે સફળ થાય છે. પણ સુનીલાની સમક્ષ જ તે હતપ્રભ બની જાય છે–આ મુખ્ય કથાતંતુ છે. નિરંજનની ડાબા જમણું આધુનિક જીવનના અને ગ્રામજીવનના પ્રવાહ વહે છે. નવલકથાને અંતે, માતાપિતાના દામ્પત્યજીવનથી પ્રભાવિત અને ઓસરામકાકાનાં વાણીવિચારથી પ્રેરિત નિરંજન જમણી બાજુએ મૂકી જાય છે. સિંહણ જેવી સુનીલાના મોહમાંથી મુક્ત થઈને અર્ધ શિક્ષિત સયુના સ્વીકારમાં સમાધાન શોધે છે.
ઐતિહાસિક સંદર્ભમાં આ નવલકથાની કેટલીક વિશેષતાઓ ધ્યાન ખેંચે છે. કથાનિરૂપણમાં લેખકની કલમ નિરંજનને પગલે પગલે આગળ વધે છે. ઘટનાઓ કરતાં ઘટનાઓના નિરંજનના મન પર ઝિલાતા આઘાત-પ્રત્યાઘાત જ - વધારે મહત્ત્વના હોવાથી ગુજરાતી નવલસાહિત્યમાં ચરિત્રલક્ષી નવલકથાને પ્રથમ ફણગો અહીં જોવા મળે છે. એક કેલેજિયન યુવાનનાં પિતાની કારર્કિદી ઘડવા માટેનાં મને મંથને અને મથામણે આપણી નવલકથામાં પહેલી વાર પ્રાધાન્ય પામે છે. યુવાનોના સજાતીય સ્નેહાકર્ષણનું ચિત્ર નિષેધમુક્તિની નવી દિશા ઉઘાડે છે. નિરંજનમાં બીજ રૂપે કેટલીક ક્ષમતા પડેલી હોવા છતાં નિર્બળ પ્રસંગજના અને અસંગત તથા બીબાંઢાળ પાત્રાલેખનને કારણે તે વેડફાઈ જતી જણાય છે.
હોલ કેઈનની ધ માસ્ટર ઑફ મૅન’ પરથી રચાયેલી “અપરાધી' (૧૯૩૮)ના
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૫૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ શ્ર'. ૪
કેન્દ્રસ્થાને ન્યાયાધીશ શિવરાજનું અપરાધી માનસ છે. પેાતાની સાથેના જ અવૈધ સંબંધથી જન્મેલા બાળકની હત્યા માટે ગુનેગાર ઠરેલી ગભરુ ખેડુ કન્યા અજવાળાના ખટલા તેની સમક્ષ જ આવી પડતાં તે પ્રબળ ચિત્તસંઘર્ષ અનુભવે છે, અજવાળીનું મૌન, નિર્દોષ રામભાઈ પ્રત્યેની મિત્ર તરીકેની કવ્યભાવના અને સરસ્વતી માટેના પ્રેમ તેના સંઘને જલદ બનાવે છે. નાયકની ખરાખરીની ક્ષણ એકંદરે સફળ રીતે ઝડપાઈ હાવાથી તેમની પરપ્રેરિત કૃતિમાં તે અગ્રસ્થાનની અધિકારી હરે છે.
અપ્ટન સક્લેરની જ ખીજી કૃતિ ‘લવ્ઝ પિલપ્રિપેઇજ’ને ‘બીડેલાં દ્વાર (૧૯૩૯)માં ઢાળી છે. વિષમ સંજોગામાં મુકાયેલા ભાવનાભક્ત કલાકાર અજિતની પોતાનું પાત જાળવવાની મથામણની આસપાસ પ્રસંગે! ગૂ થાય છે. લેખક જેને સ` પ્રસ ંગેાના મેર સમેા ગણે છે તે પત્નીના પુરુષમત્રા સાથેના સ્ક્વેર પ્રણયસહચારના એકરારનેા પ્રસંગ ‘પ્રાંતીય સંસાર'ની આખેાડવામાં અસ્વાભાવિક લાગે છે. આ નવલકથાનેા સીધે। સારાનુવાદ જ લેખકને વધારે યારી આપત.
વસુંધરાનાં વહાલાં દવલાં' (૧૯૩૭) તેમની પ્રથમ સમાજલક્ષી નવલકથા છે. વિક્ટર હ્યુગાની ધ લાફિંગ મૅન'માંની મદારી, હાડટ્ટો બાળક અને આંધળી છેકરીની પાત્રત્રપુટી લેખકના મનમાં રમતી ત્રાજવડાં ત્રાકાવા ત્રાજવડાં'’પક્તિની સાથે સંકળાઈને પરાઈ ન લાગે તેવી રીતે નવા અવતારે સેારઠની ધરતી પર ઊતરી આવી છે. નઠાર માનવાતને બદલે પ્રાણીએ સાથે આત્મીયતા અનુભવતા મદારીની અનાથ બાળકા માટેની વત્સલતા તેના વ્યક્તિત્વને આકર્ષક ઉઠાવ આપે છે. વસધરાનાં વહાલાંદવલાં પાત્રા તાટસ્થ્યના અભાવને લીધે વ્યત્યય પામીને લેખકનાં દવલાં-વહાલાં પાત્રા બની ગયાં છે !
સેરઠના સમાજજીવનને સ્પર્શતી ત્રણ મૌલિક નવલકથાએ સારઠ, તારાં વહેતાં પાણી' (૧૯૩૭), ‘વેવિશાળ' (૧૯૩૯) અને ‘તુલસીકયારા' (૧૯૪૦) તેમની લેાર્કાપ્રય નીવડેલી કીર્તિદા કૃતિ છે. ‘વહેતાં પાણી' ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયગાળાના સારહી જીવનની વાતાવરણપ્રધાન જનકથા છે. તે આપણી પ્રથમ પ્રાદેશિક નવલકથાનું માન મેળવે છે. અ ંગત જીવનના અનુભવે અને તત્કાલીન વાસ્તવિક વ્યક્તિએ તથા ઘટનાએના આધારે તેનું કાઠુ ઘડાયું છે. દાદા-દૌહિત્ર મહીપતરામ-પિનાકીના પાતળા કથાત ંતુમાં દીપડેા ચીરનારા રૂખડ શેઠ, તેમની જોગમાયા જેવી પત્ની સિપારણું, બહારવટે ચડેલે લખમણ પટગર અને તેના સાથીદારો, સુરેન્દ્રદેવ,
Page #566
--------------------------------------------------------------------------
________________
×. ૧૪]
ઝવેરચંદ મેઘાણી
[ ૫૫૭
દેવુબા, પુષ્પા વગેરે પાત્રાની કથા પરાવાઈ છે. કથાના કેન્દ્રસ્થાને નાયક-નાયિકા નહિ પણ સમગ્ર જનસમાજ હાવાથી અરૂઢ સંકલનાની છાપ ઊપસે છે. પરંતુ છૂટાછવાયા પ્રસંગામાંથી, એક સફળ નવલકથા માટે લેખક પેાતે જ જેને આવશ્યક માને છે તેવી “અખંડરૂપી વણાટની વિશિષ્ટ ભાત રચાતી નથી.૧૫
વેવિશાળ' ધનિક બની ખેઠેલા કુટુ`બની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક કથા છે. પેાતાના નાનાભાઈની પુત્રી સુશીલાનુ સુખલાલ સાથે થયેલું વેવિશાળ તાડી નાખવાના ચ'પકશેઠના પેતરાને, સુખલાલ અને તેના કુટુંબ પ્રત્યે સુશીલાને સમભાવ, સુખલાલે પેાતાના પગ ઉપર ઊંભા રહેવાની કેળવેલી લાયકાત, ભદ્રિક ભાભુના શાંત પ્રભાવ અને આખામાલા ખુશાલની વ્યવહારકુશળતા કેવી રીતે નિષ્ફળ બનાવે છે તેની કથા રસપ્રદ રીતે કહેવાઈ છે. સપાટ પાત્રાલેખન અને અપ્રતીતિકર પ્રસ`ગયેાજનાની ક્ષતિ હેાવા છતાં તેમની અન્ય નવલકથાઓને મુકાબલે વેવિશાળ' વધારે સુગ્રથિત કૃતિ લાગે છે.
તુલસીકયારા' અધ્યાપક વીરસૃતના પરિવારની કથા છે. કંચન સાથે વીરતનું ખીજી વારનું લગ્ન કરાવી આપનાર વિલક્ષણૢ લગ્નદષ્ટિ ધરાવતા ભાસ્કર કંચનને ઉન્માર્ગે ચડાવે છે. તેનું આ પગલું વીરસુતના કુટુંબને હચમચાવી નાખે છે. કથાના અંતમાં, આંધળા હેાવાના ઢોંગ કરતા મામા જ્યેષ્ઠારામની પાકી વ્યવહારદષ્ટિ, સેામેશ્વરની ઉદારતા અને વિધવા ભાભી ભદ્રાની સહૃદયતા, કાઈ અજ્ઞાત વ્યક્તિ સાથેના અવૈધ સબધથી સગર્ભા બનેલી ક ંચનને કુટુંબમાં સમાવી લે છે. જૂની પેઢીની સંસ્કારિતાને લેખકે આ રીતે અંજિલ આપી છે. વીરસૃત-ક ંચનનું ચરિત્રચિત્રણ સુસંગત નથી. ભાસ્કરને લેખકે સંકુલ બનાવવાને પ્રયત્ન કર્યો છે. પણ તે માટેની મનેવૈજ્ઞાનિક ભૂમિકા સુદૃઢ નથી. કેટલાક પ્રસ`ગેા કાકતાલીય ન્યાયે યેાજાયા છે.
‘પ્રભુ પધાર્યા’ (૧૯૪૩) નવી ભાત પાડતું વસ્તુ લઈને આવતી સમાજ લક્ષી નવલકથા છે. ગુજર-ખમી પ્રજાના સ`સ્કાર-સપને આલેખતી આ વાર્તા બ્રહ્મદેશની ભૂમિમાં રૈપાઈ છે. લેખકને હેતુ મુખ્યત્વે બ્રહ્મી પ્રજાનુ સમાજચિત્ર રજૂ કરવાના હાવાથી કથાતત્ત્વ પાંખું છે. બર્માની નારીપ્રધાન સમાજરચના, . લગ્નપ્રથા, ગુર્જર-બ્રહ્મી આંતરલગ્ન, ઉત્સવ, નૃત્યો, હુલ્લડા, ધાર્મિક-રાજકીય આંદોલના, ફૂ‘ગીઓનું વર્ચસ્, હિંદી વેપારીઓની શાણુંખેરી વગેરે પ્રસંગેાની હારમાળા ખમી` સમાજની તાસીર દર્શાવે છે. જુદાંજુદાં પાત્રાની
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૫૮ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ. ૪
જે ઝલક આલેખાઈ છે તેમાં બ્રહ્મી નારી-પાત્રા વિશેષ ઉઢાવદાર બન્યાં છે. ઢા–વેના ડૉ. નૌતમના પિતા સાથેના પ્રણયસંબંધને વ્યંજિત રાખવામાં લેખકની કવચિત્ જ પ્રગટતી કલાસૂઝ વરતાય છે.
૧૯૪૦-૫૦ના સમયગાળાની સામાજિક સમસ્યાઓને આવરવા માગતી ‘કાળચક્ર’ (૧૯૪૭) તેમની અપૂર્ણ નવલકથા છે.
મેઘાણીની ત્રણેય પ્રસંગપ્રધાન નવલકથાઓની ભૂમિકા ઐતિહાસિક છે, “કેટલીક ઐતિહાસિક માહિતી અને ‘જોરારતા' તથા ‘ભૂચરમારી'ના લેાકવૃત્તાંત પર આધારિત ‘સમરાંગણ' (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર ત્રીજાના રાજ્યઅમલના સમયગાળાની કથા છે. મુઝની લાચારી, રજપૂત રાજાએ પરના તેના આંધળા વિશ્વાસ, કેટલાક રાજાએ કરેલા વિશ્વાસધાત, ભૂચરમારીના યુદ્ધમાં પરાજય, ધ્રાળને પાદર તેની આત્મહત્યા વગેરે ઘટનાઓને માતા-પુત્ર જોમાંબાઈ-નાગડાજીના વિયાગ અને વેશપલટા, નાગડાજીરાજુલની પ્રણયકથા, નાગડાના કરુણ અંત, સરાણિયાની પુત્રીની અલૌકિક શક્તિ, કેટલીક ચમત્કારિક ઘટનાઓ વગેરે લેાકકથાની સામગ્રી સાથે સાંકળી લેવામાં આવી છે, પરિણામે કૃતિની સમગ્ર છાપ અતિહાસિક નવલકથાને બદલે ફુલાવેલી લેાકકથા જેવી પડે છે.
રા’ ગગાજળયા’ (૧૯૩૯) પંદરમી સદીના જૂનાગઢના રા' માંડલિકના સમયની કથા કહે છે. રાજ ગગાજળથી સ્નાન કરવાના નિયમને લીધે માંડલિકમાંથી ગંગાજળયા બનેલા રા'. અંતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે, એક સદાત્માના આ અધઃપતનમાં મેઘાણીને યાગ્ય રીતે જ એક ટ્રેજેડીની શકચતા જણાઈ; પરંતુ કથાનાયકના ચિત્તવ્યાપાર પર મીટ માંડીને તેમાંથી કલાકૃતિ કાંતી કાઢવાને બદલે તેમણે મૂળ કથાના ક્રાથળામાં હમીરજી ગાહિલની ભીલપત્ની અને પુત્રના વૃત્તાન્ત. ચારણાનું ત્રાગું, વાવાજા અને ભૂથાંની ચમત્કારક ઘટનાએ, નરસિહ-રતનમામીની દંતકથાઓ વગેરે સામગ્રી ગમે તેમ લવીને એક કઢ ગેા આકાર ઊભા કર્યા છે. વસ્તુસકલના એટલી બધી શિથિલ છે કે નવી આવૃત્તિવેળાએ પ્રકરણાને ક્રમ બદલવાની જરૂર જણાઈ અને બદલી પણ શકાયા. મેધાણીની આ નિર્બળતમ નવલકથા છે.
ગુજરાતના જય” (૧૯૩૯, ૪૨) ખંડ ૧–૨. વિક્રમની તેરમી સ'વત્સરીની છેલ્લી પચીસીમાં ગુજરાતના પુનરુદ્ધાર માટે થયેલા પ્રયત્નાની નવલકથા છે. ‘વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ' તેમ જ અન્ય પ્રબા, રાસાઓ અને નાટકામાંથી વીણેલી સામગ્રીમાંથી આ નવલકથા ઘડાઈ છે. ધાળકાના રાણા
Page #568
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી
| ૫૫૯ લવણુપ્રસાદ, વિરધવલ અને વીરમદેવ-વીસળદેવની ત્રણ પેઢીને આવરી લેતી અનેકકેન્દ્રી નવલકથાને નાયક વણિકમંત્રી વસ્તુપાલ અને નાયિકા તેજપાલની પત્ની અનુપમાદેવી લાગે છે. મેઘાણીની આ પૂર્વેની બે પ્રસંગપ્રધાન, એતિહાસિક નવલકથાઓ લેકકથાની ધાટીએ લખાઈ છે. જ્યારે આ નવલકથા આપણે ત્યાં મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓની જે પરિપાટી ઊભી થઈ છે તેમાં ગોઠવાઈ જાય તેવી છે. કથાનાયક તરીકે સર્વશક્તિમાન અને સર્વજ્ઞ મંત્રી. એકાદ ભાવનાશાળી નારીપાત્ર, જાસૂસીના આટાપાટા, યુદ્ધમાં વિજય, પ્રકરણે પ્રકરણે પ્રાધાન્ય ભેગવતાં પાત્રોનાં પરાક્રમ, પ્રણયનાં ચટકાં, આપણી એતિહાસિક નવલકથાઓની આ બધી સામગ્રી અહીં મોજૂદ છે. મેઘાણી મુનશી–ધૂમકેતુ જેવું વસ્તુસંકલન, ચરિત્રચિત્રણ કે વાતાવરણ સર્જનનું કૌશલ દાખવી શક્ય નથી.
મેઘાણીની નવલકથાઓ ગવર્ધનરામ, મુનશી, દેસાઈના હાથે વિકસતા આવતા નવલસાહિત્યમાં પ્રાદેશિકતાને નવો રંગ ઉમેરે છે. ગુજરાતને જય અને “પ્રભુપધાર્યા ને બાદ કરતાં બાકી બધી જ નવલકથાઓની લીલાભૂમિ સેરઠી સમાજજીવન છે. (તેમાંય “પ્રભુ પધાર્યાનાં ભારતીય પાત્રો તે મૂળ સેરઠનાં જ વતની છે.) જેમ બીજે તેમ અહીં પણ, સોરઠની તળપદી બરછટ સંસ્કારિતાની સામેના પલ્લામાં ભદ્રવર્ગની નવી ચીકણ સભ્યતાને મૂકીને પહેલા પહલાને નમતું. દર્શાવવાને લેખકને અપરોક્ષ ઉપક્રમ રહ્યો છે. આમ કરવા જતાં ક્યારેક જૂનાંનવાં જીવનમૂલ્ય માટેના રાગ-દ્વેષે ઘેરો રંગ પણ પકડયો છે. જાતીયજીવન પરત્વે મેઘાણીને અભિગમ ઉદાર રહ્યો છે. એક યા બીજા પ્રકારના જાતીય આવેગથી ખેંચાયેલાં નિરંજન, ભાસ્કર, પુષ્પા, કંચન, તેજુ, પ્રભા વગેરેને તેમણે હંમેશાં સમભાવથી ચીતર્યા છે. મેઘાણીએ કવિતાની જેમ નવલકથાને “યુગવંદના' માટે ઉપયોગ નથી કર્યો તે વિગત પણ નોંધપાત્ર છે.
વાર્તા કહેવી, વાર્તા સારી રીતે કહેવી ને વાર્તા જ કહેવી'ને મેધાણી વાર્તા કારની પહેલી અને છેલ્લી ફરજ માને છે.૧૬ આ આદર્શને સાર્થક કરે તેવી દઢબંધ નવલકથાઓ તે આપી શક્યા નથી. વિષયાંતરે, ટીકાટિપ્પણો, સમજૂતીઓ, કટાક્ષના કાંકરા અવારનવાર ખેંચે છે. તેમની નવલકથાઓ ઘણું ખરું સમયના તકાદા નીચે પત્રકારની ચાલતી કલમે લખાયેલી હોવાથી તેને મનન કરીને મઠારવાને અવકાશ તેમને મળ્યો લાગતો નથી. નવલકથાને સર્જકની વિશિષ્ટ કલાદષ્ટિનું પરિણામ માનવાને બદલે લોકકથાની જેમ લેખક અને લેકેનું સહિયારું સર્જન ગણવાને લીધે તેમની ધારાવાહી નવલકથાઓમાં તેઓ ક્યારેક વાચકોનાં સૂચને પણ અનુસર્યા છે.
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૬૦ ]. ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪ મેધાણીની સફળ પાત્રસૃષ્ટિમાં શ્રીપતરામ માસ્તર, ઓસરામ ટાંગાવાળા, સુશીલા, ભાભુ, સુખલાલના પિતા, ભદ્રાભાભી, મહીપતરામ, સિપારણ, મદારી, તેજ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં જ પાત્ર તળપદા સેરઠી સમાજનાં સરલ વ્યક્તિત્વ ધરાવનારાં પાત્રો છે. આ પરથી એક વાત જણાઈ આવે છે કે તેમને એક રગે ખેંચાતાં સરળ પાત્રોનું ચિત્રણ જ વધારે ફાવે છે. નિરંજન, સુનીલા, કંચન, ભાસ્કર, પ્રભા, અજિત વગેરે સંકુલ સ્વભાવનાં પાત્રોના ચિત્રણમાં તેમની કલમ લથડતી ચાલે છે. તળપદા સમાજનાં સરળ લાગતાં માનવીઓને પણ પિતાની ઘડભાંગ હોય છે તે વાત, પન્નાલાલની જેમ, તેમને સમજાઈ નથી. સોરઠી જનજીવનને અંતરમને અવગત કરીને ઉતારવાનું તેમને સૂઝયું નથી. નવલકથાની સૃષ્ટિમાં જ પાત્રના દલેદલ ઊઘડી આવતા પુગલમાં રસ લેવાને બદલે અમુક પાત્રોના વ્યવહારને સામાજિક વ્યક્તિઓ સાથે તાળા મેળવીને કે મળી જતાં સંતોષ અનુભવ્યો છે તેથી જ કવચિત પાત્રો ઉભડક રહી જવા પામ્યો છે. પ્રકીર્ણ
મેઘાણીએ રીતસરની આત્મકથા લખી નથી પણ તેમના અંગત જીવનની કેટલીક માહિતી તેમના જ શબ્દોમાં કેટલાંક લખાણોમાંથી મળી રહે છે. “સોરઠી ગીતકથાઓ'ની પ્રસ્તાવના તેમના પ્રારંભના જીવન પર અને એક્તારો” તથા વેરાનમાં'ની પ્રસ્તાવનામાં તેમનાં મનોવલણો પર ઠીક પ્રકાશ પાથરે છે. પરકમ્મા (૧૯૪૬) અને “છેલું પ્રયાણ (૧૯૪૭)માં તેમણે પોતાના પ્રિય વિષય લેકસાહિત્યની શોધનકથા આપી છે. તેમાં તેઓ પોતે જેને “કેયનાં છડિયા કહે છે તેવા વાર્તાસાહિત્યના વેરણછેરણ પ્રસંગે, દુહાઓ, છૂટક વાક્યો અને શબ્દપ્રયોગોનાં રસાળ શૈલીમાં થયેલાં ટાંચણે ગ્રંથસ્થ થયાં છે. લોકસાહિત્યના સંશોધન માટેની તેમની ખંત અને ખાંખતનાં તેમાં દર્શન થાય છે. લિ. સ્નેહાધીન ઝવેરચંદ' (૧૯૪૮) તેમના કૌટુંબિક અને સાહિત્યિક જીવનમાં ડેકિયું કરવાની તક આપતા ૧૭૬ ચૂંટેલા પત્રોનું મરણોત્તર પ્રકાશન છે. સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં (૧૯૨૮) અને “સોરઠને તીરે તીરે' (૧૯૩૩) સોરઠના ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનના પરિચાયક પ્રવાસગ્રંથો છે.
વેરાનમાં, (૧૯૩૯) પરિભ્રમણ (૧૯૪૪-૪૭)ના ત્રણ ખંડ અને સાંબેલાના સૂર (૧૯૪૪) એ પાંચ તેમના લેખસંગ્રહે છે. “વેરાનમાંમાં પરદેશી સાહિત્યકાર અને સાહિત્યકૃતિઓ પરથી ઉપજાવેલાં કરુણ ને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે. “પરિભ્રમણમાં મોટે ભાગે “જન્મભૂમિની
Page #570
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪]
ઝવેરચંદ મેઘાણી
[ ૫૬૧
કટાર કલમ અને કિતાબ'માં પ્રસિદ્ધ થયેલા સાહિત્ય અને જીવનવિષયક લેખા છે. તેમના વિવેચનલેખામાં દેશપરદેશના કલાકારા-સાહિત્યકાર અને તેમની કૃતિઓના પરિચયે ; ‘પ્રગતિવાદ’ જેવાં આંદેલના પ્રત્યેના તેમના પ્રતિભા વે; ગુર્જર સાહિત્યકારો વિષેની નોંધેા; સાત ગુજરાતી નવલકથાએ, સાત ગુજરાતી કાવ્યસંગ્રહા અને પંદર ગુજરાતી નવલિકાસંગ્રહેાની સમીક્ષા અને સાહિત્યની સીમારેખાને સ્પર્શતા પ્રશ્નોની વિચારણાને સમાવેશ થાય છે. મેઘાણીનું વિવેચન તાત્ત્વિક દૃષ્ટિએ નહિ પણ સામાન્ય વાચકને પેાતાના રસાસ્વાદના ભાગીદાર બનાવવાના અને લેાકરુચિને સાહિત્યાભિમુખ બનાવવાના આશયથી થયું છે. ‘સાંખેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણા'ના ઉપનામથી લખાયેલા કટાક્ષપ્રધાન લેખાને સંગ્રહ છે. આ ઉપરાંત તેમણે એશિયાનુ` કલંક', ‘હંગેરીનેા તારણહાર' વગેરે દી ઇતિહાસલેખા અને નરવીર લાલાજી', ‘ઠક્કરબાપા', ‘દયાનંદ સરસ્વતી’ વગેરેનાં લઘુ જીવનચરિત્રોની પ...દરેક પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે.
પત્રકારત્વ એ મેધાણીના જીવન અને સાહિત્યનું એક અનિવાયં અંગ છે. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર'માં જોડાયા ત્યારથી માંડીને ૧૯૪૫માં ‘ફૂલછાબ'માંથી નિવૃત્ત થયા ત્યાં સુધી, ટ્રેંકા સમયગાળાને બાદ કરતાં, તે વૃત્તપત્રો સાથે સફ્ળાયેલા રહ્યા હતા. પત્રકારત્વના વેરાનથી તે કયારેક અકળાયા હોવા છતાં તેને અનિવાય જીવનધર્મ માનીને સાહિત્યદીવી'ના તેજે એ યાત્રામાં ઊલટભેર આગળ વધ્યે ગયા હતા. આ લેાકપ્રેમી સાહિત્યકાર માટે પત્રકારત્વ જીવન અને સાહિત્યને જોડનારી સેતુબંધ જ બની ગયું હતુ. એક બાજુ પત્રકારત્વને તેમણે સાહિત્યરંગી તાર' આપ્યા તા ખીજી બાજુ સાહિત્યક્ષેત્રે લેાકેા સુધી પહેાંચવાની પત્રકારની વૃત્તિ-દષ્ટિની મર્યાદા આપમેળે સ્વીકારી લીધી. તેમનુ સંપાદન-સર્જન-વિવેચન વૃત્તપત્રાને ઉપક્રમે જ થયું છે. તેમની રામૅન્ટિક ગદ્યટામાં પણ પત્રકારત્વના રંગ ભળેલા છે. વિ. મ. ભટ્ટે તા તેમને પત્રકારી જમાતના સાહિત્યકાર' તરીકે જ ઓળખાવ્યા છે. ૧૭
સાહિત્યિક કારકિર્દીની શરૂઆતથી તે અંત સુધી અનુવાદ-અનુસર્જનની તેમની પ્રવૃત્તિ ચાલુ રહી છે. તે આ પ્રવૃત્તિને મૌલિક સર્જન જેટલી જ મૂલ્યવાન માને છે. ખલકે, એ બેની વચ્ચે કાઈ તાત્ત્વિક ભેદરેખા હાય એમ પણ તે માનતા નથી. સંપાદન, કવિતા, નવલકથા, નવલિકા આ દરેક ક્ષેત્રે તેમણે રૂપાંતરા-અનુસર્જના આપ્યાં છે, જેની આપણે યથાસ્થાને તૈાંધ લીધી જ છે. મૂળ કૃતિની લગાલગ ચાલનારા અનુવાદ્ય તેમણે માત્ર નાટકના ક્ષેત્રે જ આપ્યા છે. તેમણે દ્વિજેન્દ્રલાલ રાયનાં નાટકા પરથી ‘રાણા પ્રતાપ' (૧૯૨૩) તથા ‘શાહજહાં’
ગુ. સા. ૩૬
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૬૨]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ (૧૯ર૭) અને રવીન્દ્રનાથના પદ્યનાટક પરથી “રાજા-રાણી' (૧૯૨૬) એમ ત્રણ બંગાળી નાટકના અનુવાદ આપ્યા છે. “રાણા પ્રતાપ નાયકનાં ટેક, સંધર્ષ, જય-પરાજયનું તથા “શાહજહાં નાયકના અંતિમ દિવસોની વ્યથાનું આલેખન કરતાં નાટકે છે. જેિન્દ્રલાલે મૂળમાં વાપરેલા સંસ્કૃત તત્સમ શબ્દને સ્થાને અનુવાદમાં પ્રયોજિત અરબી-ફારસી કે તળપદા શબ્દો મંગલયુગીન વાતાવરણને વિશેષ ઉપકારક છે. જોકે “રાણા પ્રતાપ'માં વપરાયેલ “નવલકથા' જેવા શબ્દ તે યુગના વાતાવરણને અનુરૂપ નથી. રવીન્દ્રનાથનું “રાજા એ રાની” જાલંધરના રાજા વિક્રમદેવના રાણુ સુમિત્રા માટેના એકાંતિક પ્રેમે જન્માવેલી કરુણ પરિસ્થિતિનું નાટક છે. અનુવાદક પ્રસ્તાવનામાં નોંધે છે તેમ સગપાંગ તે નહિ પણ મહદંશે પયારમાં લખાયેલા આ નાટકને તેમણે ગદ્યમાં ઉતાર્યું છે. બંગાળી ગીતાના ગુજરાતી લોકલયોમાં, કવચિત સંવર્ધિત, ભાવાનુવાદ આપ્યા છે. એ કિ ઉપદ્રવ !”, “આમિ શિશુ !', “નિન્દાવાક્ય”, “સંભાષણને સ્થાને ક્રમશઃ “આ શો ગજબ“હું ના ગીગલે !', “ખણખોદ', “સામૈયાં', વગેરેના પ્રયોગમાં અનુવાદકની સૂઝ પ્રગટ થાય છે. ત્રણે નાટકને અનુવાદ સૂઝવાળા હોવાથી સંતોષકારક છે.
મેઘાણીને માટે અભિવ્યક્તિનું મુખ્ય વાહન ગદ્ય જ રહ્યું છે. તેમણે સાદ્યન્ત રોમેન્ટિક ગદ્ય છટા અપનાવી છે. રોમેન્ટિક ગદ્ય ગુજરાતી સાહિત્ય માટે નવાઈની વાત નથી પણ તેમાં ભળેલો લોકસાહિત્યને રંગ અને તેને મળે સોરઠી વાણીને મરડ તે મેઘાણીનું આગવું પ્રદાન છે. માત્ર સંવાદમાં જ નહિ, કથન-વર્ણનમાં પણ તેમણે લોકબોલીને બહેળે ઉપયોગ કર્યો. સોરઠી શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગ, અલંકાર-ટા, લય-લહેકાને કારણે ગુજરાતી ગદ્યનો એક નવો રંગ ઊઘડયો. કથાસાહિત્યમાં લેકબોલીના સર્જનાત્મક ઉપગથી અનુગામી વાર્તાકારો મડિયાપન્નાલાલ વગેરેના જાનપદી કથાસાહિત્ય માટે એક નવી કેડી પડી.
મેઘાણીના આ વિપુલ કહી શકાય તેવા વાડ્મય-સર્જનમાંથી કાળની ચાળણીમાં ચળાતાં ચળાતાં, ઉમાશંકર જોશી કહે છે તેમ, “લેકસાહિત્ય, શેશવ અને કૌમારનાં થોડાંક સ્વતંત્ર ગીતા, અતિહાસિક મહત્ત્વનાં રાષ્ટ્રીય ગીત, ચારેક વાર્તાઓ અને બેએક નવલકથાઓ બચશે.”૧૮ જે કંઈ બચશે તે ગુજરાતની ભાવિ સાહિત્યરસિક પેઢીઓને આ સોરઠી સાહિત્યકારની લાક્ષણિક અદાને પરિચય જરૂર આપી રહેશે.
Page #572
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી
[૫૬૩ ટીપ ૧ “મેઘાણી ગ્રંથ-૧ સં. ઉમાશંકર જોશી, (૧૯૭૧) પૃ. ૧. ૨ લિ. નેહાધીન ઝવેરચંદ' (૧૯૪૮) પૃ. ૧૭૬. ૩ એ જ, પૃ. ૧૭૭. ૪ લોકસાહિત્યનું સમાલોચન' (૧૯૪૬) પૃ. ૧૯૭. ૫ લોકસાહિત્ય: ધરતીનું ધાવણ ખંડ ૧ (૧૯૭૧), પ્રસ્તાવના, પૃ. ૫-૬. ૬ નં. ૨ પ્રમાણે, પૃ. ૧૭૬. ૭ “લોકસાહિત્ય: ધરતીનું ધાવણ ખંડ ૨ (૧૯૭૨), પૃ. ર૭ર. ૮ એ જ, ખંડ ૧, પૃ. ૯. ૯ “શૈલી અને સ્વરૂપ', ઉમાશંકર જોશી, (૧૯૬૦) પૃ. ૨૧૬ -૧૭. ૧૦ પરિભ્રમણ ખંડ ૧ (૧૯૪૬), પૃ. ૩૬. ૧૧ “ઝવેરચંદ મેઘાણી” (સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટઃ ૧૯૬૮), પૃ. ૧૧૩-૧૧૪. ૧૨ “કવિની સાધના', ઉમાશંકર જોશી, પૃ. ૧૨૧. ૧૩ નં. ૧૧ પ્રમાણે, પૃ. ૧૨૮, ૧૩૦. ૧૪ નં. ૨ પ્રમાણે, પૃ. ૧૬૯. ૧૫ “બીડેલાં દ્વારનું અનુકથન, પૃ. ૨૬૨-૬૩ વારતાઓમાં, ખાસ કરીને “મહાન વારતા”માં, જે વિશાળ લીલાભૂમિ પર રમણ કરતાં પાત્રો-ઘટનાઓનું એક કેન્દ્રસ્થ કથાપ્રસંગની ચોયફરતું ગૂંથણુ જોઈએ, અનેક તાણાવાણાના ટક છૂટક ત્રાગાની ગૂંથણી સાથે ઊઠત અખંડરૂપી વણાટ જોઈએ, તે એમાં નથી.” ૧૬ મેઘાણ ગ્રંથાવલી' (૧૯૭૫) ખંડ-૧; “વિશાળ” નવલકથાની પ્રસ્તાવના પૃ. ૧૫. ૧૭ નિકષરેખા', વિશ્વનાથ મ. ભટ્ટ, (૧૯૪૫) પૃ. ૧૬૮. ૧૮ નં. ૧ પ્રમાણે, પૃ. ૧૭.
Page #573
--------------------------------------------------------------------------
________________
[૧] સામાન્ય
૧ અંજારિયા, હિંમતલાલ
૨ ઝવેરી, કૃષ્ણલાલ
૩ ઝવેરી, મનસુખલાલ
૪ ઠાકર, ધીરુભાઈ
૫ દેરાસરી, ડાહ્યાભાઈ
હું પાઠેક, જયન્ત
૭ પાઠક, રામનારાયણ
૮ પારેખ, હીરાલાલ
૯ મહેતા, હીરા ક. ૧૦ મુનશી, કનૈયાલાલ ૧૧ ત્રિવેદી, નવલરામ ૧૨ ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ ૧૩ વૈદ્ય, વિજયરાય
૧૪ ‘સુન્દરમ્’
૧૫ ‘ગુજરાતીમાં ગદ્યસ્વરૂપ અને વિકાસ'
૧૬ ગ્રંથ અને ગ્રંથકાર'
૧૭ ગ્રંથ અને ગ્રંથકાર’
સંદર્ભ સૂચિ
‘સાહિત્યપ્રવેશિકા’ (૧૯૨૨, ૧૯૫૧), ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માગસૂચક સ્તંભા' (૧૯૫૮).
હિસ્ટરી ઑફ ગુજરાતી લિટરેચર' (અ.) (૧૯૭૮).
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા' (૧૯૭૨).
સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’(૧૯૧૧, ૧૯૬૯) ‘આધુનિક કવિતાપ્રવાહ' (૧૯૬૩). અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે।' (૧૯૩૮, ૧૯૭૦).
અર્વાચીન ગુજરાતનું રેખાદર્શીન' ખંડ ૧, ૨, ૩ (૧૯૩૫, ૧૯૩૬, ૧૯૩૭). ‘આપણું વિવેચનસાહિત્ય’ (૧૯૩૯). ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ (અં.) (૧૯૩૫), ‘સમાજસુધારાનું રેખાદર્શીન' (૧૯૩૪). અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય' (૧૯૫૦). ગુજરાતી સાહિત્યની રૂપરેખા' (૧૯૪૩, ૧૯૪૯); સાહિત્યને વિશ્વકાષ યાને સાહિત્યપ્રિયના સાથી'-૧ (૧૯૬૭) ‘અર્વાચીન કવિતા' (૧૯૪૬),
સપાના
પ્ર. વિલે પારલે સાહિત્યસભા (૧૯૬૭). પુસ્તક ૧ થી ૮ (૧૯૩૦થી ૧૯૩૭) સં હીરાલાલ પારેખ.
પુસ્તક ૯ (૧૯૩૭થી ૧૯૪૧) પ્ર. વ" ૧૯૪૪ સ’. ચૂનીલાલ શાહ, બચુભાઈ રાવત, કે. કા. શાસ્ત્રી.
Page #574
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[ ૫૬૫
૧૮ “ગ્રંથ અને ગ્રંથકાર'
૧૯ ગ્રંથ અને ગ્રંથકાર'
પુસ્તક ૧૦ (૧૯૪૨થી ૧૯૫૦), પ્ર. વર્ષ ૧૯૫૨ સં. ધીરુભાઈ ઠાકર અને ઇંદ્રવદન કા. દવે. પુસ્તક ૧૧ (૧૯૫૧થી ૧૯૬૦) પ્ર. વર્ષ ૧૯૬૬ સં. પીતાંબર પટેલ અને ચિમનલાલ ત્રિવેદી, નં. ૧૬થી ૧૯ના પ્ર. ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ગુજરાત દર્શન–સાહિત્ય ૧, ૨, (૧૯૭૨) સં. ભોગીલાલ ગાંધી, બંસીધર ગાંધી, પ્રકાશ ન. શાહ, પ્ર. સરદાર પટેલ યુનિવર્સિટી
૨૦ “જ્ઞાનગંગેત્રી” ગ્રંથ
શ્રેણ–૧૦, ૧૧
[૨] પ્રકરણવાર પ્રકરણ ૧ કવિ, ન્હાનાલાલ
ભટ્ટ, વિશ્વનાથ
કવીશ્વર દલપતરામ –૧, ૨ (પૂર્વાર્ધ અને ઉત્તરાધ) ૩ (૧૯૩૩, ૧૯૩૪) (૫) ૧૯૪૦ (ઉ.), ૧૯૪૧. “પૂજન અને પરીક્ષા'(પૂર્વાર્ધ : ૧૮૬૨)માંને
પંડિતયુગ” એ લેખ ગંધાક્ષત' (૧૯૪૯)માં “અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પ્રેરકબળે' લેખ; “સાહિત્યનિષ(૧૯૫૮)માં “અધી સદીનું સરવૈયું લેખ.
રાવળ, અનંતરાય
પ્રકરણ ૨ ગાડીત, જયંત
જોશી, ઉમાશંકર
ઝવેરી, મનસુખલાલ ઠાકાર, બલવન્તરાય ત્રિવેદી, નવલરામ,
“હાનાલાલ' (૧૯૭૭); “હાનાલાલનું અપદ્યાગદ્ય' (૧૯૭૬).
અભિરુચિ' (૧૯૫૮); “શૈલી અને સ્વરૂપ (૧૯૬૦); “શરદપૂનમ કાવ્યનું સંધટન” સંસ્કૃતિ' ઑગસ્ટ, ૧૯૬૩.
હાનાલાલ' (૧૯૬૭). વિવિધ વ્યાખ્યાને” ગુર૭ ૨, વિભાગ ૧ (૧૯૪૮) કેટલાંક વિવેચનો' (૧૯૩૪); “નવાં વિવેચને' (૧૯૪૧). વિવેચના' (૧૯૩૮, ૧૯૬૪); “પરિશીલન' (૧૯૪૯). કવિ ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકો' (૧૯૬૩).
ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ
દવે, ઈશ્વરલાલ
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૬૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ દિવેટિયા, નરસિંહરાવ મને મુકુર ૧; ૨ (૧૯૩૬ બી. આ.) દેસાઈ, રમણલાલ
ગુજરાતનું ઘડતર' (૧૯૪૫). ધ્રુવ, આનન્દશંકર
સાહિત્યવિચાર' (૧૯૪૧, ૧૯૪૭). પરીખ, બાલચન્દ્ર
રસદ્રષ્ટા કવીશ્વર' (૧૯૫૮); “માંગલ્યદ્રષ્ટા
મહાકવિ' (૧૯૬૮). પાઠક, રામનારાયણ
કાવ્યની શક્તિ' (૧૯૩૯); “આલોચના”
(૧૯૪૪); કાવ્યસમુચ્ચય” ભાગ ૨ (૧૯૨૪). મણિયાર, ઉમેદભાઈ નાનાલાલ' (સં.) (૧૯૭૭). રાવળ, અનંતરાય
“સાહિત્યવિહાર' (૧૯૪૬); “ગંધાક્ષત' (૧૯૪૯);
સાહિત્યવિવેક' (૧૯૫૮); “સાહિત્યનિષ” (૧૯૫૮); “સમાલોચના' (૧૯૬૬); ગ્રંથસ્થ
વાય' (૧૯૬૭); “ઉન્સીલન' (૧૯૭૪). વૈઘ, વિજયરાય
જૂઈ અને તકી' (૧૯૩૯); “નીલમ અને
પિખરાજ' (૧૯૬૨). શાહ, ધનવન્ત
કવિશ્રી ન્હાનાલાલની કવિતામાં જીવનદર્શન”
(૧૯૭૭). ઉપરાંત [૧] સામાન્યમાંથી ને. ૧૪ તેમ જ સંપાદિત ગ્રંથે ?
(૧) કૌમુદી' વૈમાસિક રૂ. ૩, અં. ૪,૧૯૨૭:
હાનાવાલ સુવર્ણ મહોત્સવ અંક. (૨) “કવિશ્રી ન્હાનાલાલ સ્મારક ગ્રંથ', રાજ
કુમાર કૈલજ, રાજકોટ. (૩) “ન્હાનાલાલ સ્મારક અંક સ્ત્રીજીવન,
માર્ચ ૧૯૪૬. (૪) ન્હાનાલાલ શતાબ્દી ગ્રંથ, ગુજરાત
યુનિવર્સિટી. (૫) “હાનાલાલ અધ્યયનગ્રંથી, બહાઉદ્દીન T કોલેજ, જૂનાગઢ (૧૯૭૭). (૬) “ગ્રંથને “હાનાલાલ જન્મશતાબ્દી અંક
જૂન ૧૯૭૭. (૭) “કવિલેકીને “હાનાલાલ શતાબ્દી વિશેષાંક
મે-જૂન ૧૯૭૭. (૮) મહાકવિ ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ પ્રકાશિત
કરેલાં ન્હાનાલાલ-જયન્તી વ્યાખ્યાને.
Page #576
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩
ઝવેરી, મનસુખલાલ ત્રિવેદી, નવલરામ ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ
દેસાઈ, જહાંગીર
ધ્રુવ, આનંદશંકર
પાઠક, રામનારાયણ
બક્ષી, રામપ્રસાદ
ભટ્ટ, વિશ્વનાથ
રાવળ, અનંતરાય
વૈદ્ય, વિજયરાય
કવિ, ન્હાનાલાલ જોશી, ઉમાશંકર
સદ સૂચિ
ઉપરાંત સંપાદિત પ્રથા :
ઝવેરી, મનસુખલાલ ત્રિવેદી, નવલરામ પરમાર, તખ્તસિંહ
શેાડા વિવેચનલેખા' (૧૯૪૪). ‘કેટલાંક વિવેચનેા' (૧૯૩૪),
૧૯૩૯નું ગ્રંથસ્થ વાડ્મય' (૧૯૩૯); ‘વિવેચના’ (૧૯૩૯; ૧૯૬૪); ‘પરિશીલન’ (૧૯૪૯); ‘ઉપાયન' (૧૯૬૧).
‘ચમકારા’ (૧૯૩૧), પ્રસ્તાવના. સાહિત્યવિચાર' (૧૯૪૧).
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ (૧૯૩૩). ‘વાઙમયવિમર્શ'' (૧૯૭૦ ખી. આ.) ‘વિવેચનમુકુર' (૧૯૩૯). ‘સાહિત્યવિહાર’ (૧૯૪૬),
[૫૬૭
‘જૂઈ અને કેતકી' (૧૯૬૩).
(૧) ‘કિવ ખબરદાર કૅનાત્સવ અભિન`દન ગ્રંથ' (૧૯૩૧);
(૨) કવિશ્રી અ. ફૅ. ખબરદાર સ્મારક ગ્રંથ’ (નવે. ૧૯૬૧);
(૩) ‘વીસમી સદી'નેા ખબરદાર અંક (નવે. ૧૯૩૧);
(૪) ‘સાહિત્ય' માસિકનેા ખબરદાર કÈાત્સવ અંક (નવે. ૧૯૩૧);
(૫) ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા' (જૂન— જુલાઈ ૧૯૪૭);
() ‘વસંત” માસિક (માધ સ, ૧૯૮૧) વગેરે.
*
‘આપણાં સાક્ષરરત્ને’-૧ (૧૯૩૪); ૨ (૧૯૩૫). હૃદયમાં પડેલી છષ્મીએ’ (૧૯૭૭), ‘ચિત્રાંકન’ (૧૯૭૪),
બ્યુટલાંક વિવેચન' (૧૯૩૪, ૧૯૪૪). ‘અક્ષરલેાકની યાત્રા’(૧૯૮૦),
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
પાઠક, રામનારાયણ રાવળ, અનંતરાય
રાવળ, અનંતરાય અને
અન્ય (સ.) વૈદ્ય, વિજયરાય
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ‘કાવ્યની શક્તિ’ (૧૯૩૯). ‘સાહિત્યનિકષ’ (૧૯૫૮),
પ્રકરણ ૪ ઉમરવાડિયા, બટુભાઈ કાઠારી, દિનેશ, ઠાકર, લાભશંકર ચોકસી, મહેશ
ઉપરાંત [૧] સામાન્યમાંથી નં. ૩, ૪, ૧૩, ૧૪, તેમ જ ‘કવિલાક’ મા –એપ્રિલ ૧૯૭૭; ‘લલિતનેા લલકાર' (૧૯૫૧) સાથે જોડેલા શંકરલાલ શાસ્ત્રી અને મનસુખલાલ ઝવેરીના લેખેા; શયદા સ્મૃતિ પુસ્તિકા (૧૯૬૮); ‘ગુલઝારે શાયરી' (૧૯૬૧) વગેરે.
ધ્રુવ, આનંદશંકર
પડયા, ચંદ્રશંકર
પાક, રામનારાયણ
ભટ્ટ, ઉપેન્દ્ર
ભટ્ટ,
ચં. ૪
વિશ્વનાથ
કવિશ્રી ખેાટાદકર શતાબ્દી અધ્યયનગ્રંથ’ (૧૯૭૧)
‘જૂઈ અને કેતકી’ (૧૯૩૯); ‘માણેક અને અકીક' (૧૯૬૭)
ચૌધરી, રઘુવીર અને શર્મા, રાધેશ્યામ ‘ગુજરાતી નવલકથા' (૧૯૭૨).
જોશી. ઉમાશંકર જોશી, રવિશ કર
હૃદયમાં પડેલી ખીએ' (૧૯૭૭). ‘રવિતિ’ (૧૯૮૦).
ઝવેરી, મનસુખલાલ
કનૈયાલાલ મુનશી' (વેારા : ૧૯૭૦); કનૈયાલાલ મુનશી' (કુમકુમ : ૧૯૭૮). ‘કેટલાંક વિવેચને'; (૧૯૩૪, ૧૯૪૪) ‘નવાં
ત્રિવેદી, નવલરામ
ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ ‘દર્શી ક’
દિવેટિયા, નરસિંહરાવ
કીર્તિદાને કમળના પત્રા' (૧૯૩૮). ‘ઈનર લાઈફ' (૧૯૬૫).
‘ગુજરાતી નાટયસાહિત્યના ઉદ્ભવ અને વિકાસ' (૧૯૬૫).
વિવેચનેા’ (૧૯૪૧). વિવેચના' (૧૯૬૪), વાગીશ્વરીનાં કફૂલેા' (૧૯૬૩).
‘મનેામુકુર' ગ્રંથ ૩ (૧૯૩૭), ‘સાહિત્યવિચાર’ (૧૯૪૧).
ચંદ્રશંકરનાં ગદ્યરત્ન' (૧૯૬૬). ‘સાહિત્યવિમર્શ’ (૧૯૩૯); આલાયના' (૧૯૪૪); ‘સાહિત્યાલેાક' (૧૯૫૪) અને ‘આકલન’ (૧૯૬૪).
ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ’(૧૯૬૬), ‘સાહિત્યસમીક્ષા’ (૧૯૩૭); ‘વિવેચનમુકુર’ (૧૯૩૯).
Page #578
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
૫૬૯] મહેતા, ચન્દ્રકાન્ત
કથાવિશેષ' (૧૯૭૦). રાવળ, અનંતરાય
સાહિત્યવિહાર' (૧૯૪૬); “ગંધાક્ષત' (૧૯૪૯); ગ્રંથસ્થ વાડ્મય' (૧૯૬૭); “સમાલોચના
(૧૯૬૬). વૈદ્ય, વિજયરાય
જઈ અને કેતકી' (૧૯૩૯); “નીલમ અને
પોખરાજ' (૧૯૬૨). વ્યાસ, જયંત
મુનશીની ઐતિહાસિક નવલકથાઓ' (૧૯૭૮). શર્મા, રાધેશ્યામ
વાચના' (૧૯૭૨). શાહ, ચૂનીલાલ વર્ધમાન વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા' (૧૯૫૨)માં
ગુજરાતીમાં ઐતિહાસિક નવલકથા લેખ. શુકલ, રામચંદ્ર
ગુજરાતી સાહિત્ય એનું મનન અને વિવેચન”
(૧૯૩૬). સુન્દરમ્
“અવલેકના' (૧૯૬૫). ઉપરાંત, “મુનશી : હિઝ માઈન્ડ ઍન્ડ આર્ટ' (સં.) પ્રકરણ ૫ ઉમરવાડિયા, બટુભાઈ કીર્તિદાને કમળના પત્રો' (૧૯૩૮). કવિ, ન્હાનાલાલ
“આપણું સાક્ષરરત્નો—ર (૧૯૩૫). કોઠારી, જયંત
અનુષંગ' (૧૯૭૮); “નિબંધ અને ગુજરાતી નિબંધ (સં.) ૧૯૭૬; “ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા (સં.) ૧૯૭૭ અને “એકાંકી
અને ગુજરાતી એકાંકી (સં.) ૧૯૮૦. કોઠારી, ભાઈલાલ
વિવેચનસંચય' (૧૯૫૯). ચેકસી, મહેશ
ગુજરાતી નાટયસાહિત્યનો ઉદ્દભવ અને
વિકાસ' (૧૯૬૫). જોશી, ઉમાશંકર
હૃદયમાં પડેલી છબીઓ' (૧૯૭૭). ઝવેરી, મનસુખલાલ,
ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન(૧૯૫૩) શાહ, રમણભાઈ ઠાકર, ધીરુભાઈ
રસ અને રુચિ(૧૯૬૩); વિક્ષેપ” (૧૯૭૩) તંત્રી, મણિભાઈ નારણજી ગુજરાતી નવલકથાનું સાહિત્ય' (૧૯૧૧). ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ
વિવેચના' (૧૯૩૯, ૧૯૬૪) દરજી, પ્રવીણ
નિબંધ–સ્વરૂપ અને વિકાસ' (૧૯૭૫); સ્પંદ' (૧૯૭૬); “પ્રત્યગ્ર' (૧૯૭૮).
Page #579
--------------------------------------------------------------------------
________________
ચં. ૪
૫૭૦ ] ક્લાલ, જયન્તિ
દવે, ઈશ્વરલાલ
કાયા લાકડાની માયા લૂગડાની' (૧૯૬૩). ‘સાહિત્યગાષ્ઠિ' (૧૯૭૧), ‘સાહિત્યકસભ’ (૧૯૭૩).
દેસાઈ, મીનુ
પડયા, ચંદ્રશંકર
પાઠક, નંદકુમાર
ચંદ્રશ કરનાં ગદ્યરત્ના’ (૧૯૬૬), એકાંકી – સ્વરૂપ અને સાહિત્ય' (૧૯૫૬). ‘સાહિત્યવિમર્શ’ (૧૯૩૯).
પાક, રામનારાયણ
બક્ષી, રામપ્રસાદ અને અન્ય (સ.) ‘વાઙમયવિહાર’ (શ્રી જ્યેાતીન્દ્ર દવે ષષ્ટિપૂર્તિઅભિનંદન ગ્રંથ)માં રામપ્રસાદ બક્ષીના જયોતીન્દ્ર વિશે, અને જયાતીન્દ્ર દવેના અન્ય સાહિત્યસજ કા વિશેના લેખા
ચરિત્ર સાહિત્ય : સ્વરૂપ અને વિકાસ' (૧૯૬૬). ‘નિકષરેખા’ (૧૯૪૫),
‘એકાંકી – સ્વરૂપ અને વિકાસ' (૧૯૭૭). ‘અનુરણન' (૧૯૭૩); ‘કથાવિશેષ’ (૧૯૭૦). ‘આરામખુરશીએથી’ (૧૯૪૫). ‘સાહિત્યવિવેક’ (૧૯૫૮); ‘સાહિત્યનિકષ’ (૧૯૫૮); ‘સમીક્ષા' (૧૯૬૨); ‘સમાલયના’ (૧૯૬૬); ગ્રંથસ્થ વાડ્મય' (૧૯૬૭). ‘સૌરભ' (૧૯૭૯).
ભટ્ટ, ઉપેન્દ્ર ભટ્ટ, વિશ્વનાથ
ભાવસાર, મફત
મહેતા, ચન્દ્રકાન્ત મહેતા, ધનસુખલાલ રાવળ, અને તરાય
વાળંદ, નરેાત્તમ વૈદ્ય, વિજયરાય
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
શાસ્ત્રી, દુર્ગાશ ંકર અને અન્ય (સં.) ‘સાહિત્યપરામર્શ' (૧૯૪૫). શાસ્ત્રી, શ’કરલાલ ‘સાહિત્યને આવારેથી’ (૧૯૩૯)
શુકલ, રામચંદ્ર
‘જૂઈ અને કેતકી' (૧૯૩૯); ‘માણેક અને અકીક' (૧૯૬૭).
ગુ. સા. મંડળ, રાં દેર. જૂની રગભૂમિના લેખક ચેકસી, મહેશ
ઠાકર, ભરતકુમાર ઠાકર, જશવન્ત
•
ઉપરાંત, નાશાદકૃત ‘મુસલમાને! અને ગુર સાહિત્ય' (૧૯૩૫); અને બાનવામૃત ‘મુસ્લિમેાએ ગુજરાતી ભાષાની બાવેલી સેવા’પ્ર, મુસ્લિમ
ગુજરાતી સાહિત્ય એનુ` મનન અને વિવેચન’ (૧૯૩૬).
‘ગુજરાતી નાટચસાહિત્યના ઉદ્ભવ અને વિકાસ’ (૧૯૬૫). ડાહ્યાભાઈ ધેાળશાજી – એક અધ્યયન’ (૧૯૭૮). ‘નાટયશિક્ષણનાં મૂળતત્ત્વા' (૧૯૫૬); ‘અભિ
Page #580
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[૫૭૧. નયકળા'; “જયશંકર સુંદરીની દિગ્દર્શનકળા
વગેરે. ઠાકર, ધીરુભાઈ
પ્રતિભાવ' (૧૯૭૨). ડોસા, પ્રાગજી
‘તખતે બોલે છે' (૧૯૭૮). દરજી, પ્રવીણ
ચર્વણું' (૧૯૭૬). દલાલ, જર્યાન્તિ
“કાયા લાકડાની માયા લૂગડાની' (૧૯૬૩). નાયક, સુરેશ
ગુજરાતી રંગભૂમિના શિલ્પી બાપુલાલ
નાયક' (૧૯૮૦). પરીખ, રસિકલાલ
આકાશભાષિત' (૧૯૭૪). મહેતા, ધનસુખલાલ
ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિને ઈતિહાસ”
(૧૯૫૬). માસ્તર, ધર્મેન્દ્ર
ધંધાદારી ગુજરાતી રંગભૂમિનાં નાટકોનાં
ગીતા' (૧૯૭૬). રાવળ, અનંતરાય
સાહિત્યવિહાર' (૧૯૪૬); તારતમ્ય (૧૯૭૧)ઉપરાંત “ગુજરાતી નાટ્યશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ' (૧૯૫૨); કવિશ્રી પ્રભુલાલની આત્મકથા; કવિશ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટની આત્મકથા; અમૃત જાનીની આત્મકથા; જયશંકર સુંદરીની આત્મકથા; ડે. ડી. જી. વ્યાસના લેખે; “ગુજરાતી નાટય'ના અંકે; “નાટક' પાક્ષિકના અંકા; એકસો પચીસ વર્ષના મહેન્સમાં પ્રગટ થયેલ મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, વિસનગર, મહેસાણા, રાજકોટ વગેરેની ઉત્સવ સમિતિઓનાં સુવેનિયરે; ડાહ્યાભાઈ ધોળશાજીનાં નાટક સાથે
જોડાયેલી જયતિ દલાલની પ્રસ્તાવનાઓ; મોજમઝા' તથા “ચિત્રપટ'ના અંકે, રમણીકલાલ જયચંદ દલાલની દોરવણ નીચે પ્રગટ થયેલાં ફૂલચંદ શાહનાં નાટકે. પ્રકરણ ૬ કૃપાલાની, આચાર્ય
ગાંધીજી : જીવન અને વિચાર, (અનુવાદ :
૧૯૭૩) દેસાઈ, મહાદેવ
“મહાદેવભાઈની ડાયરી” ૧થી ૧૭. દેસાઈ, શાંતિલાલ
ગાંધીજી –એક અધ્યયન' (૧૯૫૨). પટેલ, ચી. ના.
ગાંધીજીની સાહિત્યસાધના અને બીજા લેખે’ (૧૯૭૮); ટ્રેજિડી : સાહિત્યમાં અને જીવનમાં”
(૧૯૭૮). પરીખ, રસિકલાલ
બુદ્ધિપ્રકાશ' (ઓકટો. ૧૯૭૪)માં “સાહિત્યકાર ગાંધીજી એ લેખ.
Page #581
--------------------------------------------------------------------------
________________
ચિ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
. ૪ ૫૭૨] પાઠક, રામનારાયણ
આકલન' (૧૯૬૪). પાઠક, હીરાબહેન
વિકતિ' (૧૯૭૪). પારેખ, નગીનદાસ
સ્વાધ્યાય અને સમીક્ષા' (૧૯૬૯) ઉપરાંત બુદ્ધિપ્રકાશ' નવે-ડિસે. ૧૯૬૮; ડિસે. ૧૯૬૯; ફેબ્રુ. તેમ જ માર્ચ ૧૯૭૦; “વિદ્યાપીઠ' ડિસે. ૧૯૭૮; “સમપર્ણ ૧૬ ફેબ્રુ. ૧૯૬૯માંના
લે. મેદી, રમણ
ગાંધીજીનું સાહિત્ય' (૧૯૭૧). રાવળ, અનંતરાય
તારતમ્ય' (૧૯૭૧); “ઉન્સીલન' (૧૯૭૪). સુન્દરમ
સાહિત્યચિંતન' (૧૯૭૮); “સમર્ચના”
(૧૯૭૮) ઉપરાંત, “સંસ્કૃતિને વિશેષાંક વર્ષ ૨, અંક ૩. પ્રકરણ ૭ ગાંધી, મોહનદાસ
‘હિંદ સ્વરાજ' (૧૯૬૯). જોશી, ઉમાશંકર અને અન્ય (સં.) “કાલેલકર અધ્યયનગ્રંથ' (૧૯૬૧). જોશી, ઉમાશંકર
“શૈલી અને સ્વરૂપ' (૧૯૬૦); “પ્રતિશબ્દ'
(૧૯૬૭). ઝવેરી, મનસુખલાલ
ઘડા વિવેચનલેખે' (૧૯૪૪); “દૃષ્ટિકોણ
(૧૯૭૮). દેસાઈ, મગનભાઈ
“રાજા રામમોહન રાયથી ગાંધીજી' (૧૯૫૭). પટેલ, જયંતીભાઈ
કાકા કાલેલકર જીવન અને સાહિત્ય' (૧૯૭૪). પટેલ, મગનભાઈ
ગાંધીજીનું ધર્મદર્શન' (૧૯૭૨). પટેલ, મણિભાઈ
‘મહાત્મા ગાંધીની કેળવણુની ફિલસૂફી' (૧૯૫૯). પાઠક, રામનારાયણ
સાહિત્યવિમર્શ (૧૯૩૯); “સાહિત્યલોક
(૧૯૫૪); “આકલન' (૧૯૬૪). મહેતા, ચન્દ્રકાન્ત
કાકા કાલેલકર' (૧૯૮૦). રાવળ, અનંતરાય
“સમાલોચના' (૧૯૬૬). પ્રકરણ ૮ જોશી, ઉમાશંકર
અભિરુચિ' (૧૯૫૯). ઝવેરી, મનસુખલાલ
“અભિગમ” (૧૯૬૬); “દષ્ટિકણિ' (૧૯૭૮).
Page #582
--------------------------------------------------------------------------
________________
પટેલ, ચી, ના. પરીખ, નરહર
પાઠક, રામનારાયણુ
બલસારા, કેતકી
રાવળ, અને તરાય
યાજ્ઞિક, અમૃતલાલ
પ્રકરણ ૯
કાલેલકર, કાકાસાહેબ
કાઠારી, જયંત
જોશી, ઉમાશંકર માલવણિયા, દલસુખ
ઉપરાંત, ગુજરાત
‘ચિદ્ધાષ’ (૧૯૭૧).
ઉપરાંત ‘મહાદેવભાઈની ડાયરી’ ભાગ-૨,૩; ‘બુદ્ધિપ્રકાશ’ જાન્યુઆરી ૧૯૫૦
ના અંક
ઠાકર, ધીરુભાઈ દવે, ઈશ્વરલાલ
પટેલ, ગેાપાળદાસ અને
કલાથી, મુકુલભાઈ (સ....)
બ્રોકર, ગુલાખદાસ
મહેતા, ચન્દ્રકાન્ત રાવળ, અનંતરાય
સદભસૂચિ
વાળંદ, નરાત્તમ વ્યાસ, હરીશ -
‘અભિક્રમ' (૧૯૭૫).
શ્રેયાથીની સાધના' (૧૯૫૩).
‘સાહિત્યવિમર્શ’ (૧૯૩૯).
શ્રી કિશારલાલ મશરૂવાળા—એક અધ્યયન”
(૧૯૭૦),
સાહિત્યનિકષ’ (૧૯૫૮).
[ ૫૭૩
ગાંધીપરિવારના જ્યેાતિ રા' (૧૯૭૫).
‘અનુષ’ગ’ (૧૯૭૮),
હૃદયમાં પડેલી છખીએ' (૧૯૭૭). ‘પ્રજ્ઞાચક્ષુ ૫. સુખલાલજી’ (૧૯૭૭);
વિદ્યાસભાનું પ્રકાશન : પંડિત સુખલાલજી : પરિચય તથા અંજલિ’ (૧૯૬૭).
‘વિક્ષેપ' (૧૯૭૩) ‘અનુભાવિત' (૧૯૭૯).
કેળવણીકારનું પાત અને પ્રતિભા' (૧૯૫૯),
રૂપસૃષ્ટિમાં’ (૧૯૬૨).
‘અનુરણન’ (૧૯૭૩),
‘સાહિત્યવિવેક’ (૧૯૫૮); ‘સમાલાયના’
(૧૯૬૬).
‘આપણા જયોતિધરા' (૧૯૮૦).
મહાત્મા ગાંધીના ગુજરાતી સાહિત્ય પુર
પ્રભાવ' (૧૯૭૯).
‘મુનિ જિનવિજયજી’ (૧૯૭૮).
સાંડેસરા, ભોગીલાલ
ઉપરાંત, ‘કુમાર’ ૧૯૭૬ ફેબ્રુ; ‘મિલાપ' ૧૯૭૬ અંક ૩૧૭; ગ્રંથ' ફેબ્રુ ૧૯૭૬, ઑગસ્ટ ૭૬; ફ્રાસ' ૧૯૭૪ પુ. ૩૯, અંક ૪.
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૭૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
પ્રકરણ ૧૦ કાલાણું, કાન્તિલાલ રામનારાયણ વિ. પાઠકઃ વાડમય પ્રતિભા' (૧૯૮૧). કાઠારી, જયંત
વિવેચનનું વિવેચન' (૧૯૭૩). જોશી, ઉમાશંકર
પ્રતિશબ્દ' (૧૯૬૭); “હૃદયમાં પડેલી છબી
એ” (૧૯૭૭). જોષી, સુરેશ
ગુજરાતી કવિતાને આસ્વાદ' (૧૯૭૧). ઝવેરી, મનસુખલાલ “પર્યેષણા' (૧૯૫૩); “અભિગમ' (૧૯૬૬) ઠાકર, ધીરુભાઈ
સાંપ્રત સાહિત્ય' (૧૯૬૮). ઠાકર, બળવંતરાય “આપણી કવિતાસમૃદ્ધિ' (૧૯૭૧); “નવીન કવિતા
વિશે વ્યાખ્યાનો' (૧૯૬૪). ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ પરિશીલન' (૧૯૪૯). દરજી, પ્રવીણ
નિબંધઃ સ્વરૂ૫ અને વિકાસ' (૧૯૭૫). ધ્રુવ, આનંદશંકર,
દિગ્દર્શન' (૧૯૪૧). પરીખ, રસિકલાલ પુરોવચન અને વિવેચન' (૧૯૬૫). પાઠક, જયંત
રામનારાયણ વિ. પાઠકઃ સર્જક અને વિવેચક
(૧૯૭૦). પાઠક, હીરા
કાવ્યભાવન' (૧૯૬૯); “વિકૃતિ' (૧૯૭૪). બક્ષી, રામપ્રસાદ
વામયવિમર્શ(૧૯૭૦). બૂચ, હસિત
અન્વય' (૧૯૬૯); “તદ્ભવ' (૧૯૭૬). બેટાઈ, સુંદરજી
“સુવર્ણમેઘ' (૧૯૬૪). બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ
“અન્વીક્ષા' (૧૯૭૦). માંકડ, ડોલરરાય
કાવ્યવિવેચન' (૧૯૪૯). મેઘાણ, ઝવેરચંદ “પરિભ્રમણ-૨, ૩ (૧૯૪૭). રાવળ, અનંતરાય
“સમાલોચના' (૧૯૬૬); “ગ્રંથસ્થ વાડ્મય
(૧૯૬૭); “ઉપચય' (૧૯૭૧) શેઠ, ચંદ્રકાન્ત
રામનારાયણ વિ. પાઠક' (૧૯૭૯) સુન્દરમ્
“અવલોકના' (૧૯૬૫); “સમર્ચના' (૧૯૭૮). ઉપરાંત [૧] સામાન્યમાંથી ૪, ૬, ૮, ૨૦; ગુજરાત સાહિત્ય સભા કાર્યવાહી–૧૯૩૪, ૧૯૩૭, ૧૯૩૮, ૧૯૩૯, ૧૯૪૧, ૧૯૪૫, ૧૯૫૬, ૧૯૬૧, ૧૯૬૪, ૧૯૬૬; સામયિક : “ઉદ્ગાર” નવે. ૧૯૭૯; કવિલેક’ જાન્યુ. ૧૯૭૬; “કુમાર” સપ્ટે. ૧૯૫૫; “કેસૂડા” ૧૯૫૭; “કૌમુદી' ચૈત્ર સં. ૧૯૮૧, માઘ
Page #584
--------------------------------------------------------------------------
________________
સંદસૂચિ
[૫૭૫ ૧૯૮૩, કાર્તિક-ષિ સં. ૧૯૮૫, જુલાઈ ૧૯૩૧, જાન્યુ. ૧૯૩૪; “ગ્રંથ ઑગસ્ટ ૧૯૬૫; “ગ્રંથાગાર' ફેબ્રુ-માર્ચ ૧૯૫૬; “નવચેતન ઍક. ૧૯૫૫, નવે. ૧૯૫૫, મે ૧૯૫૭; પરબ” ફેબ્રુ. ૧૯૮૧, માર્ચ ૧૯૮૧; “પ્રસ્થાન' ભાદ્રપદ સં. ૨૦૧૧, ભાદ્ર. આસો સં. ૨૦૧૨; “બુદ્ધિપ્રકાશ' નવે.-ડિસે. ૧૯૪૯ ઑગસ્ટ ૧૯૫૩, સપ્ટે. ૧૯૫૫, એપ્રિલ ૧૯૫૬; “રેખા’ જુલાઈ ૧૯૪ર, એપ્રિલ ૧૯૪૫; “શારદા' માર્ચ ૧૯૩૧; “સંસ્કૃતિ એક. ૧૯૫૫, મે ૧૯૫૬. પ્રકરણ ૧૧. કોઠારી, જયંત
વિવેચનનું વિવેચન' (૧૯૭૬). જોશી, રમણલાલ
વિનિયોગ' (૧૯૭૭). જોષી, સુરેશ
કાવ્યચર્ચા' (૧૯૭૧). ઝાલા, ગૌરીપ્રસાદ
અક્ષરા' (૧૯૭૬). ઠાકર, ધીરુભાઈ
રસ અને રુચિ' (૧૯૬૩). દરજી, પ્રવીણ
નિબંધ : સ્વરૂપ અને વિકાસ” (૧૯૭૫). દવે, વ્રજરાય વગેરે (સં.) ઉપાયનશ્રી વિ. ૨. ત્રિવેદી ષષ્ટિપૂર્તિ અભિ
નંદન ગ્રંથ' (૧૯૬૧). દેશી, હસમુખ
પરિપ્રેક્ષા' (૧૯૭૪). પાઠક, રામનારાયણ
સાહિત્યવિમર્શ' (૧૯૩૯). પારેખ, મધુસૂદન
આવિર્ભાવ' (૧૯૭૩). બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ
અન્વીક્ષા' (૧૯૭૦); “પૂર્વાપર' (૧૯૭૬). ભટ્ટ, ગૌરીભાઈ (પ્ર) મંગળયાત્રા” સ૮ ડોલરરાય માંકડ સ્મૃતિ ગ્રંથ
(૧૯૭૧). મડિયા, ચૂનીલાલ
ગ્રંથગરિમા' (૧૯૬૧). રાવળ, અનંતરાય
ગંધાક્ષત' (૧૯૪૯); “સમાચના' (૧૯૬૬)
ગ્રંથસ્થ વાડમય (૧૯૬૭); રાવળ, અનંતરાય, દવે ઈશ્વર- ડોલરરાય માંકડ: જીવન અને સર્જન (એક
લાલ, પંડ્યા, ઉપેન્દ્ર સમીક્ષા)' (૧૯૭૬). સુન્દરમ્
અવલોકન' (૧૯૬૬). આ ઉપરાંત “એતદ્ જૂન ૧૯૮૦; “ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી ૧૯૩૪, ૧૯૩૮, ૧૯૩૯, ૧૯૩૯-૪૦, ૧૯૪૬-૪૭, ૧૯૪૯-૫૦, ૧૯૫૭, ૧૯૫૮, ૧૯૫૯, ૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૪; “ગ્રંથ” જાન્યુ, ડિસે. ૧૯૬૪, ફેબ્રુ. ૧૯૬૬, જુલાઈ ૧૯૬૮, જૂન ૧૯૭૪, જાન્યુ. ૧૯૭૭, એપ્રિલ ૧૯૭૮; બુદ્ધિપ્રકાશ” નવે. ૧૯૭૪; જાન્યુ. ૧૯૭૭; સંસ્કૃતિ' સપ્ટે. ૧૯૭૦, મે ૧૯૭૪; “સ્વાધ્યાય ઓકટે. ૧૯૬૩, ઐકટે. ૧૯૭૧
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૭૬]
પ્રકરણ ૧૨ અધ્વર્યું, વિાદ અને જાની, કનુભાઈ કાઠારી, દિનેશ અને
ઠાકર, લાભશંકર
ગાંધી, સી. એચ.
ચેાકસી, મહેશ
ચૌધરી, રઘુવીર અને શર્મા, રાધેશ્યામ જોશી, ઉમાશ કર
જોષી, સુરેશ
ત્રિવેદી, નવલરામ દાશી, હસમુખ
પડયા, ઉપેન્દ્ર
પાક, જય ત
પાઠક, રામનારાયણ
બ્રોકર, ગુલાબદાસ ભટ્ટ, વિશ્વનાથ
મિડયા, ચૂનીલાલ
મહેતા, ચન્દ્રકાન્ત
મહેતા, દીપક
રાવળ, અનંતરાય
વૈદ્ય, વિજયરાય
સુન્દરમ્
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ ૪
‘ભાયાલાક’ (૧૯૬૫).
‘ઈનર લાઈફ' (૧૯૬૫).
ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રીય અસ્મિતા’ (૧૯૭૩),
‘ગુજરાતી નાટયસાહિત્યના ઉદ્ભવ અને વિકાસ’ (૧૯૬૫).
‘ગુજરાતી નવલકથા' (૧૯૭૨).
‘અભિરુચિ’ (૧૯૫૯); ‘હૃદયમાં પડેલી ખીએ’ (૧૯૭૭).
કથાપકથન’ (૧૯૬૯).
કેટલાંક વિવેચને' (૧૯૩૪, ૧૯૪૪). ‘રમણુલાલ વ. દેસાઈ : વ્યક્તિત્વ અને વાડ્ મય' ભાગ ૧, ૨ (૧૯૬૩).
‘અવખાધ’ (૧૯૭૬); ‘પ્રતિખેધ’ (૧૯૮૦).
‘આલાક’ (૧૯૬૬). સાહિત્યવિમર્શ’ (૧૯૩૯).
‘રૂપસૃષ્ટિમાં’ (૧૯૬૨).
‘વિવેચનમુકુર’ (૧૯૩૯). ‘કથાલાક’ (૧૯૬૮).
‘કથાવિશેષ' (૧૯૭૦).
‘રમણલાલ વ. દેસાઈ' (૧૯૮૦); ‘કથાવલેાકન’ (૧૯૭૮).
‘સાહિત્યવિહાર’ (૧૯૪૬); ‘સમીક્ષા’ (૧૯૬૨); ‘સમાલાચના' (૧૯૬૬); ગ્રંથસ્થ વાડ્મય’ (૧૯૬૭).
નીલમ અને પેાખરાજ’ (૧૯૬૨). ‘અવલેાકના' (૧૯૬૫).
વસ...તલાલ દેસાઈ અભિનંદન ગ્રંથ’ (૧૯૪૨); ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી ૧૯૩૯-૪૦, ૧૯૪૧-૪૨, ૧૯૪૬-૪૭.
ઉપરાંત, શ્રી રમણુલાલ
Page #586
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[૫૭ ૭૭
પ્રકરણ ૧૩ “ઉશનસ્
મૂલ્યાંકનો' (૧૯૭૯) જાડેજા, દિલાવરસિંહ
પ્રતિધ્વનિ' (૧૯૭૨) જોશી, ઉમાશંકર
શેલી અને સ્વરૂપ' (૧૮૬૦) ઝવેરી, મનસુખલાલ
ઘેડા વિવેચનલેખો' (૧૯૪૪), પર્યું પણ
(૧૯૫૨), અભિગમ (૧૯૬૬) ઠાકર, ધીરુભાઈ
“રસ અને રુચિ' (૧૯૬૩) દવે, ઈશ્વરલાલ
ટુંકી વાર્તા–શિલ્પ અને સર્જન (૧૯૬૭);
સાહિત્યગોષ્ઠિ' (૧૯૭૧) પટેલ, ભોળાભાઈ
“અધુના (૧૯૭૩) પાઠક, જયંત
આલેક (૧૯૬૬); “ભાવયિત્રી' (૧૯૭૪), રમેશ
શુકલ સાથે ટૂંકી વાર્તા સ્વરૂપ અને સાહિત્ય પાઠક, રામનારાયણ
સાહિત્યવિમર્શ' (૧૯૩૯), “સાહિત્યાક'
(૧૯૫૪; ૭૩), “આકલન' (૧૯૬૪) મડિયા, ચૂનીલાલ
વાર્તાવિમર્શ' (૧૯૬૧), મહેતા, પ્રકાશ
“અન્વીતિ' (૧૯૭૮) રાવળ, અનંતરાય
ગ્રંથસ્થ વાડમય' (૧૯૬૭) “તારતમ્ય”
(૧૯૭૧), ધૂમકેતુનાં વાર્તારોની પ્રસ્તાવના શર્મા, રાધેશ્યામ, ઓઝા, ધૂમકેતુની ભાવસૃષ્ટિ' (૧૯૭૩)
મફત (સં.) શુકલ, રામચંદ્ર
નવલિકાસંગ્રહ ૧-૨ (સં.); ગુજરાતી
સાહિત્ય એનું મનન અને વિવેચન' (૧૯૩૬) સુન્દરમ
“અવલેકના” (૧૯૬૫) ઉપરાંત, ધૂમકેતુ ષષ્ટિપૂર્તિ અંક; ધૂમકેતુ સ્મૃતિ અંક” (સ્ત્રીજીવન); “ગુજરાત. સાહિત્યસભાની કાર્યવાહી ૧૯૩૩-૩૪, ૧૯૩૬-૩૭, ૧૯૩૭-૩૮ ૧૯૪૮-૪૯, ૧૯૫૩-૫૪; “સાહિત્ય” ૧૯૨૪, ૨૫, ૨૭; “સંસ્કૃતિ' ન. ૧૯૬૧; “ગ્રંથ ફેબ્રુ. ૧૯૬૬; પ્રકરણ ૧૪
શી, ઉમાશંકર (સં.) “મેઘાણી ગ્રંથ ૧; ૨' (૧૯૭૧) જોશી, ઉમાશંકર
હૃદયમાં પડેલી છબીઓ' (૧૯૭૭) ગુ. સા. ૩૭
Page #587
--------------------------------------------------------------------------
________________
39]
ઠક્કર, કપિલભાઈ ઠાકર, ધીરુભાઈ, ચંદરવાકર પુષ્કર, એઝા ધનવંત
દવે, ઈ. મેા. (સં.) દેસાઈ, મગનભાઈ
પરમાર, જયમલ્લ અને વર્મા
નિરંજન (સ.) પડથા, ઉપેન્દ્ર
પાઠક, જયંત અને પટેલ, જયંત
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ (સં) ભટ્ટ, વિશ્વનાથ
રાવળ, અને તરાય
“સુંદરમ્'
‘ઝવેરચંદ મેધાણી' (જીવનકથા : ૧૯૮૧) ‘મેઘાણી સ્મારક વ્યાખ્યાના'
‘મિ-ઝવેરચંદ મેધાણી સ્મૃતિસ્થ્ય ક’ ‘વિવેકાંજલિ’ (૧૯૬૦) ‘ઝવેરચંદ મેઘાણી’
[ચ. ૪
‘પ્રતિખાધ' (૧૯૮૦)
ઝવેરચંદ મેધાણી : જીવન અને સાહિત્ય’
(૧૯૬૮)
‘ઝવેરચંદ મેઘાણી' (૧૯૬૮)
નિકષરેખા' (૧૯૪૫)
‘સમાલોચના' (૧૯૬૬); ગ્રંથસ્થ વાડ્મય'
(૧૯૬૭) અવલેાકના' (૧૯૬૫)
Page #588
--------------------------------------------------------------------------
________________
“અક્કલના દુશ્મન' ૨૧૭ ‘અક્ષયરાજ’૨૫ર
“અક્ષરા' ૪૭૮
અખા ૧૦૫, ૨૨૩, ૨૨૪, ૪૦૯ “અખા ભક્ત અને તેની કવિતા’૨૨૩
અખાવન' ૫૦૮
અચલાયતન' ૬૩
‘અજખકુમારી' ૨૪૩ ‘અજવિલાપ’ ૧૪૩
શબ્દસૂચિ
‘અજાતશત્રુ' ૨૫૧
‘અજામિલ' ૨૧૩ અજામિલ-આખ્યાન' ૨૪૬ ‘અજિત-અજિતા' ૫૬, ૫૯, ૬૦,
૬૩, ૬૫, ૭૦
“અજિત ભીમદેવ' ૫૨૨, ૧૨૬, પર૭
‘અજિતા’ પર૧, ૫૨૩
અડધે રસ્તે' ૧૫૭, ૧૯૧, ૧૯૨ અડાલા તારા પાપટલાલ ૧૯૯
૨૦૦
“અદલ' જુમા ખબરદાર અરદેશર
‘અધિકારી’ ૨૫ર
‘અધૂરાં લગ્ન’ ૨૫૩ ‘અધૂરી આશા' ૨૫૫ “અધૂરા સંસાર' ૨૫૦ ‘અધ્યાત્મવિચારણા' ૩૬૨
અધ્યાપક કેશવલાલ ૨૫૩-૨૫૪
અધ્યાપકની નોંધ : ૧ અને ૨’૪૦૭
‘અધ્યાપનકળા' ૩૮૬
અધ્વર્યું રામચન્દ્ર ૧૫૨
‘અન ગભદ્રા અથવા વલ્લભીપુરના વિનાશ’
૨૧૪-૨૧૫
‘અન ગભસ્મ' ૨૩૫ ‘અનંતકળા' ૩૬૫
અનંતા ૨૦૨ ‘અનામિકા' ૫૧૨
‘અનારકલી’ (ત્રાપજકરકૃત) ૨૫૩ ‘અનારકલી' (બ્રહ્મભટ્ટ રઘુનાથકૃત) ૨૫૧ 'અનારક્કી અથવા અપરાધી અકબર' ૨૧૪
અનાનાં અડપલાં અને ખીજા પ્રકા લેખા' ૨૨૪–૨૨૫ ‘અનાસક્તિયાગ' ૨૦૭૧, ૨૮૪, ૩૦૨,
૩૦૩
અનીતિ કે નીતિ' ૨૫૩ ‘અનુક્રમણિ રામાયણુ' ૧૩૨ ‘અનુપમ ક્યા’ ૨૧૫ ‘અનુભવબિંદુ' ૨૩૮ ‘અનુભવિકા' ૧૦૨ ‘અન્ટુ ધિસ લાસ્ટ' ૨૬૦, ૨૦૫
‘અન્વીક્ષા’ ૪૭૮
અપરાધી’ ૫૫૫–૫૫૬
‘અપસરા કે ચૂડેલ ’૨૩૬ ‘અપ્સરા' (ભાગ ૧થી ૫) ૫૦૩ અબજોનાં બંધન’૨૪૯
અબ્દુલ જબ્બાર અમીન' ૨૩૬
અબ્દુલ રહેમાણુ ૩૭૧
અબ્દુલ લતીફ ૨૩૬ અભયદેવસૂરિ ૩૬૧
Page #589
--------------------------------------------------------------------------
________________
૧૮૦]
|
ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
(ચં. ૪
૧૫૪, ૪૦૪, ૪૦૬, ૪૦૮, ૪૧૩,
૪૧૬ “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' ૨૨૬ અર્વાચીન ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન”
૪૪૯
અભિજ્ઞાન શાકુન્તલ” ૨, ૧૮, ૨૨, ૭૧, ૮૧, ૮૫, ૧૪૨, ૨૪૨,
૩૨૩ “અભિધર્મ ૩૯૧
અભિનયકલા' ૩ “અભિનવ મહાભારત ૩૯૯ અમર આશા' ૨૫૦ અમરકેશ” ૧૧૭, અમરછ દીવાન” ૨૫૪ અમરમિયાં “મલિક ૨૩૬ અમરવેલ' ૫૬, ૬૪, ૭૨-૭૩, ૭૬ અમરસિંહ રાઠોડ’ ૨૫૩ અમર હાક ૨૫૩ અમી' ૨૦૭ અમીય નિમાઈ ચરિત' ૧૨૭ “અમે બધાં ૨૬, ૨૦૯, ૨૧૦ “અરુણોદય ૨૫૨ “અરેબિયન નાઇટ્સ' ૪૨૬ “અર્થ' (પટેલ ચતુરભાઈ શંકરભાઈ
કૃત) ૧૩૦ અચંટ ૩૬૨ અર્થશાસ્ત્ર (કૌટિલ્યકૃત) ૧૭૧,
૩૭૧ “અર્થશાસ્ત્રની પરિભાષા” ૩૮૯ “અર્થશાસ્ત્રપ્રવેશિકા' ૩૮૮–૩૮૯
અર્ધમાગધી કેશ” ૨૩૪ “અર્ધ શતાબ્દીના અનુભવનેલ ૭૮,
૮૦, ૮૨, ૧૦૦ “અધી સદીનું અંકદર્શન' ૩૮૯ અર્વાચીન કવિતા' ૧૦૦, ૧૫૩,
૧૫૪ : “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણા
અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' ૪૬૫,
૪૬૭, ૪૬૮ . અલંકારપ્રવેશિકા’ ૪૭૧ “અલાબેલી ૫૦૮ અલારખિયા હાજી મહમદ શિવજી ૫,
૧૪૦, ૧૫૩, ૧૮૮ અલ્પાત્માનું આત્મપુરાણું ૨૦૬ “અવલોકના' ૪૩૬, ૪૭૮ અવશેષ” ૫૧૨ અવંતીનાથ ૫૦૪ અવારનવાર ૩૩૭ અવિભક્ત આત્મા’ ૧૬૧, ૧૮૨
૧૮૭, ૧૮૮ “અશોક ૨૫૧ અશે જરથુષ્ટ્રની ગાથાઓ પર ન
પ્રકાશ” ૧૧૨ અશ્રુધારા” ૨૩૬ “અશ્રુમતી' ૨૪૨ અસાધારણ અનુભવ અને બીજી વાતો',
૨૦૯
અ.સૌ. કુમારી' ૨૦૨ અહમદ અશરફ ૨૩૬ “અહલ્યાબાઈ (દ્વિવેદી પ્રભુલાલકૃત)
૨૫૨ અહલ્યાબાઈ' (‘પાગલકત) ૨૫૦ અહિંસાની તાલીમ' ૩૯૬ અહિંસાવિવેચન' ૩૫ર-૩૫૩, ૩૫૯
Page #590
--------------------------------------------------------------------------
________________
શબ્દશ
અકલ ટૉમ્સ કૅબિન' ૨૨૦ અંગ્રેજી અને સાંસ્કૃતિક સ્વરાજ્ય'
૩૮૭
‘અજની' ૪૯૮, ૪૯૯
અ’જલિ’ ૧૨૪, ૧૨૫ અંજારિયા હિંમતલાલ ગ. ૧૫૩, ૪૩૩
૪૩૭
‘અંતરનાં અમી' ૧૪૭ અંત્યજ સાધુ ન દ’૩૭૫
‘અધ’૨૫૪
અધારના સીમાડા' ૩૯૦
અંધારી ગલી' ૨૪૮
‘અંબડચરિત્ર' ૨૩૫
અ`બરચરખા' ૩૮૯ અંબાણી પે।પટલાલ ૧૦૦
અંબુજ' ૧૪૭ આડિલ્સ ઑફ ધ કિંગ' ૫૧
આઈ ફીલા ધ મહાત્મા' ૧૯૫ ‘આઇવેન્હા' (ભાગ ૧–૨) ૨૨૦
‘આકલન' ૩૩૮, ૩૦૬
‘આકાશદીપ' ૫૧૨ ‘આકાશનાં પુષ્પા’.૨૧૨
‘આકાશનાં ફૂલ' ૧૪૯ આકાશભાષિત' ૪૫૫ “આચાય આન દેશ કરભાઇ’ ૨૩૧
આચાય ગિરાશકર ૧. ૨૩૮ આચાર્ય ગુણવ'તરાય ૫૦૬-૫૦૮ આચાર્ય વલ્લભજી હૈ. ૧૫૨ આચાર્ય શ્રી પ્રફુલ્લચંદ્ર રાય’૩૯૪ આચાર્ય હરિનારાયણુ ગિ. નેચર'
૨૩૮
‘આજની દુનિયા' ૨૫૨
[૫૧
આજ્ઞાંકિત' ૧૮૨, ૧૮૩–૧૮૪ ‘આટલું તા જાણજો' ૩૯૩ ‘આતમનાં મૂલ' ૩૬૭
‘આતમવાણી' ૨૫૩ આતિથ્ય’ ૪૩૯
આત્મકથા' (ગાંધીકૃત) ૪, ૨૫૯,
૨૭૦, ૨૭૧, ૨૮૦, ૨૮૪, ૨૮, ૨૯૨-૩૦૧, ૩૦૨ આત્મકથા' (મહેતા સુમ તકૃત) ૨૩૭ આત્મકથા' (યાજ્ઞિક ઈંદુલાલકૃત ભા. ૧ થી ૫) ૨૧૭
‘આત્મકથાનક' ૨૧૮
આત્મરચના અથવા આશ્રમી કેળવણી'
૩૮૬
‘આત્મશિપની કેળવણી' ૧૯૩ આત્મસંયમનું રાજ્ય’ ૧૪૧ આત્માના અધિકાર ભાગવતું સ્ત્રીતત્ત્વ'
૧૪૩ આત્માગાર’ ૧૨૫
આથમતે અજવાળે' ૨૦૯
આદર્શ દૃષ્ટાન્તમાળા' (ભા. ૧–૨) ૨૧૮
આદિવચા’(ભા. ૧-૨) ૧૬૦,
૧૯૩, ૧૯૬ આનંદકાવ્યમહાદધિ” (ભા. ૧ થી૮)
૨૩૫
‘આનંદમીમાંસા' (પરીખ ર. છે. કૃત)
૪૫૪
‘આન‘દમીમાંસા' (પાઠક રા. વિ.કૃત)
૪૩૨
આન‘દલહરી' ૨૪૭ ‘આનંદાશ્રમ’ ૨૧૫
Page #591
--------------------------------------------------------------------------
________________
૧૮૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આપણું ઉંબરમાં પપ૧
“આવું કેમ સૂઝયું ? ૪૬૩ આપણા દેશમાં આપણું રાજ્ય ૩૮૭ આશાનિરાશા' ૨૧૭ આપણાં સાક્ષરરત્ન” (ભા. ૧-૨)
“આશ્ચર્યકારક ભુલવણ ૨૦૩ 2૧, ૧૦૦
“આશ્રમને ઉલ્લુ' જુએ મશરૂવાળા આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણે કિ. ઘ. ૨૨૬
આશ્રમપ્રાર્થના ૩૮૫ આપણું પરમ યંત્ર” ૩૮૭
આશ્રમભજનાવલિ” ૧૫૩ આપણું વિવેચનસાહિત્ય' ૧૫૪ આંકડાશાસ્ત્રનાં મૂળતર' ૩૯૨ આપણે ધર્મ ૪૦૬, ૪૦૮
આંધળાનું ગાડું ૩૮૫ આપવીત' (કસબી ધર્માનંદકૃત) ઈતિહાસની અમૃતાક્ષરી' ૯૧ ૩૯૧
ઇતિહાસની તેજમૂર્તિઓ' (ભા. ૧-૨) “આપવીતી' (બૂચ વેણુલાલકૃત) ૨૧૮
૫૨૮ આબરૂદાર” ૨૫૪
ઇતિહાસઃ સ્વરૂપ અને પદ્ધતિ' ૪૫૬ . આબુ' ૨૩૪
ઈનેક આઈન' ૪૮ “આમ્રપાલી' પર૨, ૫૨૭, ૫૨૯
ઇ-ટ્રેડકશન ટુ ધ સ્ટડી ઑફ લિટરેચર આરતીના દીવા ૨૫૫
૪૬૧ આરામ ખુરશીએથી' ૨૦૯
ઇમ્સન ૧૦, ૨૦૧, ૨૦૨, ૪પ૧
‘ઇલિયડ પ૧, ૩૮૪ આરામગાહ ૨૩૮ આરોગ્યની ચાવી' ૨૭૧, ૩૦૫, ૩૦૬,
“ઇસ્લામને સુવર્ણયુગ” ૩૯૪
ઈંગ્લાંડનું વહાણવટું' ૨૩૮ 3०७ “આરોગ્યમંજરી' ૩૮૪
ઇગ્લિશ રાજબંધારણ” ૧૬ આર્નલ્ડ એડવિન ૨૫૯
ઇગ્લેન્ડની સંસ્કારયાત્રા” ૨૩૧ આર્નલ્ડ મૅથ્ય ૯૩, ૪૦૮, ૪૬૦,
ઇંગ્લેન્ડને ઇતિહાસ' ૨૧૩
ઈદિરા' ૧૪૮ ४६७ “આર્યપંચામૃત” ૧૪૯
ઈદિરાની આપવીતી’ ૩૯૮ આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા' ૪૩૨,
ઇંદુકુમાર' ૫, ૬, ૧૫, ૧૬, ૧૭, ૪૩૬
૨૦, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, આર્યવિધવા” રર૦
૩૨, ૩૬, ૩૭,૪૦,૪૧, ૪૬, ૪૭, આત્મ ૬
૫૦, ૫૬, ૫૭, ૫૯, ૬૦, ૬૧, “આલેચના' ૪૦૬, ૪૦૭
૬૩, ૪, ૬, ૬૭, ૬૮, ૬૯, આલેકર ૪૭૭
૭૩, ૬, ૮૯, ૯૨, ૧૦૦ આવસથી વિઠ્ઠલરાય કેશ્વર ૧૩૪ ઇંદુકુમાર' (અંક ૧) ૬, ૧૫, ૧૬,
Page #592
--------------------------------------------------------------------------
________________
શથિ ૨૦, ૨૪, ૨૫, ૨૭, ૨૯, ૩૨, ઉપનિષપંચક' ૧૮, ૨૨, ૮૬ ૪૧, ૪૬, ૪૭, ૨૬, ૫૭, ૫૯, ઉપનિષદકથાઓ પ૨૯ ૬૧, ૬૮, ૮૯, ૯૨, ૧૦૦
ઉપનિષદતિ ૧૪૨ ઈંદુકુમાર' (અંક ૨) ૪૦,૫૬, ૬૭ ઉપનિષદની વાતો” ૨૩૧ ઈદુકુમાર' (અંક ૩) ૫૬, ૬૦, ૬૭, ઉપનિષદનું તત્ત્વજ્ઞાન' ૩૯૬ ૬૮, ૬૯
ઉપાધ્યાય જયસાગર ૩૬૯ ‘ઇંદ્રજિતવધકાવ્ય” ૯
ઉપાધ્યાય યશવિજય ૩૬૨ ઇંદ્રજી જયકૃષ્ણ ૨૩૮
ઉપાધ્યાય શાંતિચંદ્ર ૩૬૮ ઇંદ્રજી ભગવાનલાલ ૨
“ઉપાયન” ૧૫૪, ૪૬૫, ૪૬ ક. ૪૭૮ ‘ઈશ-ઉપનિષદ ૩૮૬
ઉપાસકદશા' ૩૭૨ ઈશુ ખ્રિસ્ત’ ૩૪૩, ૩૫૬, ૩૫૯ ઉમર ખય્યામ ૯, ૧૪૦, ૧૫૩, ૨૨૨ ઈશુચરિત ૩૮૪
ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ ૨૦૦ઈશુનું બલિદાન” ૩૬૭
૨૦૧, ૨૦૪, ૨૪૪, ૪૪૧ ઈશુ ભાગવત’ ૩૬૬
ઉમાદેવડી” ૨૪૨ ઈશોપનિષદ' ૩૬૭
ઉમાસ્વાતિ ૩૬૨ ઈસુ ખ્રિસ્તનું જીવન” ૨૩૮
ઉમિશ્ર ગુજરાતી કોશ' ૨૩૭ ઉક્તિરત્નાકર' ૩૭૧
ઉર્વશી-પુરૂરવા' ૨૪૭ ઉક્તિવ્યક્તિ પ્રકરણ ૩૭૧
ઉકા’ ૨૧૫ “ઉગમણે દેશ' ૩૨૪
ઉશ્કેરાયેલે આત્મા’ ૪૯૯ ઉઘાડી આંખે' ૨પર
ઉષા' ૧૯, ૨૦, ૩૭, ૭૩-૭૪, ૯૮ ઉત્તમલાલ ત્રિવેદીની ગરિદ્ધિ ૪૪૧
ઉષાકાન્ત” ૨૧૩ ઉત્તરગીતા ૧૪૪
ઉષાકુમારી ૨૫૧ ઉત્તરરામચરિત' ૨, ૧૩૬, ૩૨૩ ઊગતી જુવાની ૪૪૪, ૪૫૫ ઉત્તરાધ્યયનસૂત્ર' ૩૯૬
ઊડતાં પાન” ૪૪૭ ઉત્તરાપથની યાત્રા” ૩૬૭
ઊધઈનું જીવન ૩૫૪ ઉતરાયન” ૧૨૮, ૧૫૪
ઊરભંગ' કર૭ ઉદયપ્રભાત’ ૨૪૭
"ઊર્મિમાળા' ૧૪૧ ઉદયભાણું ૨૪૨
ઊર્મિલાનું સ્વપ્ન અને બીજાં કાવ્યો” ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ ૨૫-૨૫૩ ૧૪૨ ઉદબોધન” ૮૦, ૧૦૦
ઊંધિયું” ૨૦૮ ઉદ્યોતનસૂરિ ૨૨૫
દમાં વસિષ્ઠનું દર્શન’ ૪૭૭ ઉન્મત્તરોઘવ', ૧૫ર
દબંહિતા ૨૩૫
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૮૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
ઋતુગીતા” ૫૪૩ ઋતુવર્ણન ૧૪૮ ઋતુસંહાર” ૧૨૪, ૧૫૧ એક અબળા” ૨૫૨ એક ક્રાન્તિકારની આત્મકથા' (ભા.
૧-૨) ૪૪૯ એક ગુર્જર આત્માની ઘડતરડ્યા' જુઓ “અર્ધ શતાબ્દીના અનુભવ
બેલ” એક જ ભૂલ' ૨૪૩ એક્તારો” ૫૪૯, ૫૬૦ એક ધર્મયુદ્ધ' ૩૭૫, ૩૭૬ “એક પિપટની યાત્રા' ૩૮૮ એક બાળકની ઝાંખી ૩૯૯ એક માળાનાં ત્રણ પંખી' ૫૦૪, ૫૦૫ એકલવીર' ૫૦૪, ૫૦૫ એકલો જાને રે ૩૯૯ એક સત્યવીરની કથા’ ૨૭૫ એકસૂત્રિત શિક્ષણજના' ૪૭૭ એકસપાનશન ઑફ ઈન્ડિયા” ૧૪૨ એજ્યુકેશન ઈન એન્સિયન્ટ ઈન્ડિયા' - ૪૭૭ એન્જિનિયર ગોવર્ધનરામ ડાહ્યાભાઈ
૧૨૫ એન્ટ લે ૧૬ એબ્રહામ લિંકન ૩૯૭) એમ. એ. બનાકે કર્યુ મેરી મિટ્ટી
ખરાબ કી?” ૧૪૨ એમર્સન પ૩૩ એમાં શું?' ૨૪૮ એરેબિયન નાઈટ્રસ” ૨૩૫ એલિમેન્ટસ ઑફ ધ સાયન્સ ઑફ
લેન્ગવેજ' ૨૨૮ એલિયટ ટી. એસ. ૧૦ એટિવન વેરિયર ૩૮૦ એશિયાનું કલંક’ પ૬૧ “એંશી દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણ' ૩૯૦ ઐતિહાસિક સંશોધન ૨૨૫ ‘ઓખાહરણું' ૨૪૫ એજ અને અગર' ૨૬, ૩૭, ૪૭,
૪૮-૪૯, ૬૫, ૯૫ ઓ ભગત” જુઓ ખબરદાર .
ફ. ૧૦૫ ઓઝા આશારામ ૨૪૧ ઓઝા ઉછરંગરાય કેશવરામ ૧૨૬ ઓઝા કાશીરામ ભાઈશંકર “પ્રેમી
૧૪૪ ઓઝા ગણપતરાય વ. ૨૪૪ ઓઝા ચન્દ્રકાન્ત મંગળજી ૧૩૩ ઓઝા જગન્નાથ હ. ૧૫૨. ઓઝા બાબુભાઈ ૨૨૫ ઓઝા મંગળજી હ. ૨૩૪ ઓઝા ૨. ઉ. ૨૪૪ ઓઝા વાઘજી આશારામ ૨૪૫, ૨૫૧ ઓઝા શાન્તિલાલ સા. ૧૫૨ ઓતરાતી દીવાલે' ૩૧૮-૩૧૮ ઐથેલો” ૨૦૩ ઍન કોમ્પ્રોમાઈઝ' ૩૫૩, ૩૭૩, ૩૭૯ લ ઇઝ વેલ ધેટ એન્ડસ વેલ ૨૦૩ એલિયા જેશી' જુઓ ઠારી જગ જીવનદાસ ત્રિકમજી ૨૦૬
Page #594
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂશ્ચિ
આલિયા જોશીને અખાડા' (ભા. ૧ -૨) ૨૦૬
કચ્છની રસધાર' ૨૩૯ કચ્છના ઇતિહાસ' ૨૩૯ કથા આ કાહિની' ૫૩૭ “કથાકુસુમાંજલિ' ૩૯૪
કથારત્નાશ′ ૨૩૪
‘કથાવલિ' (ભા. ૧–૨) ૪૬૩
‘કથાવિહાર' ૨૨૯ ‘કથાસરિતા' (પાઠક રા. વિ.) ૪૩૭ “કથાસરિતા' (બક્ષી રામપ્રસાદ) ૪૪૦ ‘કથાસરિત્સાગર’ ૪૩૭
કનક કેસરી' ૨૪૭
-કનકતારા' ૨૫૪
કન્યાદાન' ૨૪૮ કન્યાને પત્રા’૩૯૩
ખીર ૮૮, ૯૭ ‘કમલાકુમારી' ૨૧૬
“કરણધેલા' ૧૦, ૧૭૪, ૪૬૧, ૪૮૧ ‘કરણઘેલા' (મૂલાણીકૃત) ૨૪૩ “કરણી તેવી ભરણી’૩૯૭
કરબલાઈ સાદિક ૨૩૬
કરસનદાસ મૂળજી ૭૮ ‘કડિયા’૩૯૩
કરાલ કાળ જગે' ૫૦૮
“કરિયાવર' ૨૪૭
“કરીમ મહંમદનાં કાવ્યા અને લેખા' ૧૨૩
“કરુણુરસ’ ૪૩૭–૪૩૮, ૪૪૦
કર્કશા પર કાબૂ ૨૦૩ ‘ભાર' ૪૨૭ -કર્ણામૃતપ્રભા′ ૩૭૧
‘કર્ણાવતી' પ૨૨, ૫૨૭ શ્રુત વ્યને ૫થે' ૨૪૭ કર્તવ્યભાન' ૨૩૬
‘કર્મ ગ્રન્થ' (ભા. ૧ થી ૪) ૩૬૨,
‘કર્મ યાગી રાજેશ્વર' ૫૦૪ ક་વિપાક' ૧૪૦ ‘કલચિત્રા' ૨૦૩
કલાકારની સ`સ્કારયાત્રા' ૨૧૮ ‘કલાને ચરણે’ ૨૩૭
કલાપી ૧, ૨, ૯, ૧૩, ૧૫, ૧૭, ૨૨, ૨૪, ૨૮, ૮૩, ૧૦૨, ૧૦૫, ૧૧૧, ૧૧૪, ૧૧૭, ૧૨૩, ૧૨૬, ૧૩૦, ૧૩૨, ૧૩૩, ૧૩૫, ૧૩૮, ૧૩૯, ૧૪૩, ૧૪૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૨૧૧, ૫૦૨, ૫૩૫, ૫૩૬, ૫૪૬, ૫૪૯
‘કલાપી’ ૨૩૨
કલાપીના ૧૪૪ પદ્મા' ૨૧૧ ‘કલાપીના કેકારવ' ૧૩ કલાપીને વિરહ' ૮૨
[૫૮૫
‘કલાભાવના' ૫૦૪ કલામ દિરે' ૨૩૦
‘કલિકા' ૧૦૨, ૧૦૩, ૧૦૬, ૧૧૦
૧૧૧
કલેકટેડ વર્ડ્સ ઑફ મહાત્મા ગાંધી' (ગ્રંથ ૪૮, ૫૫, ૫૭, ૬૨, ૬૪)
૩૦૮
‘કલ્પનાકુસુમેા' ૨૦૦
‘કલ્પસૂત્ર' ૨૩૪
‘કલ્યાણુ જેઠા બક્ષીનું જીવનવૃત્તાંત' ૨૧૭ 'કલ્યાણુરાય' ૨૪૩ ‘કલ્યાણિકા' ૧૦૨, ૧૦૭
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૮૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
૧૪૫, ૧૪૬, ૧૪૮, ૧૪૯, ૨૨૪,
४०४ કંથારિયા સી. એલ. ઉપર કંસવધ' (ઓઝા વાઘજી આશારામ
કૃત) ૨૪૫ કંસવધ' (ભટ્ટ હરિશંકરકૃત) ૨૦૩ કાકાની શશી' ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૮૭, ૧૯૦,૪૦૮,
કલેલિની' ૧૧૬, ૧૧૮ કવિ કિશોર ૨૫૫ કવિ કાલિદાસ ભગવાનદાસ ૧૪૮ કવિ ગૌરીશંકર ૨૫૫ કવિચરિત્ર ૪૬૩ કવિતાકલાપ” ૨૫૩ કવિતાપ્રવેશ ૧૨૩ કવિ ત્રિભુવનલાલ કાશીલાલ ૧૩૩ કવિદર્શન’ ૪૯૯ કવિ દલપતરામ ડાહ્યાભાઈ જુઓ :
દલપતરામ કવિની સાધના' પ૬૩ કવિ ન્હાનાલાલ દલપતરામ જુઓ :
ન્હાનાલાલ કવિ મનહર ૨૫૫
જિન ૨૫૪ કવિરવિ’ ૧૪૬ કવિવરની પ્રતિભા અને કુરુક્ષેત્રનું
મહાકાવ્ય' ૧૦૦ કવિ શ્રી ન્હાનાલાલ સ્મારક ગ્રન્થ”
૪૦૬ કવિ–સાક્ષર વચ્ચે ૧૨૭ કવીશ્વર જુગલકિશોર ૨૪૪ “કવીશ્વર દલપતરામ” ૧૮, ૨૨, ૭૭–
૭૯, ૮૭, ૧૦૦ કવીશ્વર દલપતરામ (ભા. ૨) ૧૦૦ કવીશ્વર દલપતરામ (ભા. ૩) ૧૦૦ કહાનજી ધર્મસિંહ ૧૫૩, ૨૪૪ કંકાવટી' (ભા. ૧-૨) ૫૪૨, ૫૫૦ “કંટકથા પંથ' પ૦૪, પ૦૬ કંથારિયા બાળાશંકર ૨, ૯, ૧૫,
કાગડાની નજરે ૩૪૯, ૩૫૫ કાગ દુલાભાઈ ભાયાભાઈ ૧૪૯-૧૫૦ કાગવાણી” ૧૫૦ કાજી હસમુખલાલ ૨૩૮ કાઠિયાવાડની જુની વાર્તાઓ” ૧૪૦ કાઠિયાવાડની દંતકથાઓ” ૨૦૦ કાઠિયાવાડની લેકવાર્તાઓ' ૧૪૦,
૨૨૯ કાઠિયાવાડી' જુઓ દવે નરભેરામ
પ્રાણશંકર ૨૦૩ કાઠિયાવાડી સાહિત્ય' ૧૫૩ કાદમ્બરી' ૨ કાદરી મેહબૂબમિયાં ૨૩૬ કાન્ત' ૨, ૪, ૬, ૯, ૧૩, ૧૫, ૧૭, ૧૯, ૨૦, ૨૨, ૨૪, ૨૮, ૭૭, ૮૨, ૮૮, ૮૧, ૯૯, ૧૦૨, ૧૦૫, ૧૧૧, ૧૧૪, ૧૧૭, ૧૨૪, ૧૨૬, ૧૩૦, ૧૩૨, ૧૩૫, ૧૪૭, ૧૪૭, ૧૪૯, ૨૦૭, ૨૧૦, ૨૪૨, ૨૪૬, ૪૦૪, ૪૦૯, ૪૨૦, ૪૨૨, ૪૩૩,
૪૩૯, ૪૬૮, ૪૭૭, ૫૪૮ કાન્તા” ૯
Page #596
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
કાન્તિવિજયજી ૩૬૮, ૩૬૯ કાપડિયા સાકરલાલ મ. ૨૧૫ કાબરાજી કેખુશરે ૨૦૩, ૨૪૧, ૨૪૨ કામદાર કેશવલાલ ૨૩૮
કામદાર મેરારજી મથુરાદાસ ૧૪૦ કારાવાસની કહાણી' ૨૩૨ કાર્પેન્ટર એડવર્ડ ૨૭૭
કાર્લાઇલ ૯૩ કાલાણી કાન્તિલાલ ૪૦૬, ૪૧૮,
૪૨૪
કાલિદાસ ૧૭, ૫૫, ૮૧, ૮૫, ૧૧૭,
૧૨૪, ૧૫૧, ૨૩૮, ૩૭૭, ૪૦૯ કાલિવાહન’ ૨૫ર
કાલેલકર અધ્યયનગ્રન્થ' ૩૩૮ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ ૪, ૫, ૬, ૭, ૪૬, ૧૧૪, ૩૦૯-૩૩૮, ૩૫૪, ૩૭૯, ૩૮૫, ૪૦૯, ૫૩૧ કાલેલકરના લેખા' (ભા. ૧-૨) ૩૩૪ કાલેલકર સતીશ દત્તાત્રેય ૩૩૭ કાવ્યકલિકા’ ૧૪૭
‘કાવ્યકળા’ ૨૨૭
‘કાવ્યકળા અને ધ્રુવાખ્યાન' ૧૪૭
‘કાવ્યકુસુમાકર’ ૨૧૫ ‘કાવ્યકુસુમાંજલિ’૨૨૭ ‘ક,વ્યકૌસ્તુભ' ૧૫
કાવ્યગંગ : વિદ્યાથી વિલાસ' ૧૨૨
કાવ્યચર્ચા' ૪૭૮
‘કાવ્યઝરણાં’ ૧૪૭ ‘કાવ્યતત્ત્વવિચાર’ ૪૦૬, ૪૩૩ કાવ્યનવનીત તે નળાખ્યાન' ૨૩૩
કાવ્યનિમજ્જન' ૧૫૩
કાવ્યની શક્તિ' ૪૦૬, ૪૩૨, ૪૩૫
[૫૮૭
કાવ્યપરિચય' (ભા. ૧-૨) ૪૦૬,
૪૦૮, ૪૩૩ કાવ્યપરિશીલન' ૪૦૬
‘કાવ્યપ્રકાશ’(ઉલ્લાસ ૧ થી ૬) ૪૦૬,
૪૩૨, ૪૫૬ કાવ્યપ્રકાશખંડન' ૪૫૬
કાવ્યમા' ૧૧૭, ૧૫૩ કાવ્યમાં શબ્દ’૪૩૫
કાવ્યરસિકા' ૧૦૨, ૧૦૩, ૧૦૪,
૧૦૭
કાવ્યવિનેાદ' ૧૫૩ કાવ્યવિલાસ’ ૧૪૨
કાવ્યવિવેચન' ૪૩૬, ૪૭૨, ૪૭૩,
૪૭૪, ૪૭૫, ૪૭૮
કાવ્યશાસ્ત્ર' ૪૩૨
‘કાવ્યસમુચ્ચય’ (ભા. ૧-૨) ૪૦૬,
૪૩૩
કાવ્યસાહિત્યમીમાંસા' ૨૦૮, ૨૩૨ કાવ્યાસુધાકર’ ૧૫૩
કાવ્યાદર્શ′ ૪૫૬
‘કાવ્યાનુશાસન’ ૪૫૬
‘કાવ્યામૃત' ૧૪૦ કાવ્યા પ્રદીપ’ ૧૪૧ કાવ્યાવિન્દ' ૧૩૩
‘કાસ્મલન’ જુએ : પડયા ૨. હું. ૧૨૯ કાસ્મલનનાં કાવ્યો' ૧૨૯ કાશ્યપ શિવનદન ૪૪૮
‘કાળચક્ર' ૫૫૮
કાંચન અને ગેરુ' ૫૦૨
કાંટાવાળા મટુભાઈ હરગોવિન્દ ૫, ૨૨૨–
૨૨૩
કાંટાવાળા હરગોવિન્દદાસ ૨૨૨-૨૨૩
Page #597
--------------------------------------------------------------------------
________________
૧૨૭
૫૯૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ “કાંતણુવિદ્યા ૩૮૮
‘કુલીન કન્યા’ ૨૫૦ કિરણાવલિ' ૧૩૦
‘કુલીનની કન્યા’ ૧૩૨ કિલ્લેલ” ૫૪૪, ૫૪૬
“કુલીન વિધવા’ ૩૮૨ કિશારીલાલ શર્મા, જુઓ ઉમરવાડિયા “કુવલયમાલા” ૨૨૫ બટુભાઈ ૨૦૧
કુસુમ ૧૩૫ કીકાભાઈ પરભુદાસ ૨૩મ
કુસુમકળીઓ” ૧૩૩ કીસ ૯, ૨૬૮
“કુસુમકંટક અથવા રમણું કે રાક્ષસી ? કથ ૨૩૫
૨૧૫ કનકેઈડ ૫૩૯
“કુસુમકાન્ત' ૨૧૫ કીર્તનિકા ૧૦૧, ૧૦૨, ૧૦૭ કુસુમગુર૭ ૧૪૮ કીર્તિકેલાસ” ૨૪૭
કુસુમમાળા' ૧૫ કીર્તિદાને કમળના પત્રો' ૨૦૧
કુસુમાકર' જુઓ: જે શીપુરા શં, છે. કુમારદેવી' (ધૂમકેતુ'કૃત) પર કુમારદેવી' (મુનશી લીલાવતીકૃત)
કુસુમાંજલિ (દિવેટિયા ભીમરાવકૃત) ૨૨૦
૧૪૧ કુમારનાં સ્ત્રીરત્નો' ૨૧૭
"કુસુમાંજલિ' (પટેલ મગનભાઈ ચતુરકુમારપાલપ્રતિબોધ' ૩૬૮
ભાઈકૃત) ૧૪૧ “કુમારપાળ' ૨૫૨
“કુળકથાઓ૩૬૬ કુમારપા ૩૯૭
કુંજ' ૧૩૫ “કુમારસંભવ” ૧૫૧
કુંજબાળા” ૨૪૩ કુમારિકા' ૧૪૩
કુંજલીલા” ૧૪૩ કુમુદકુમારી' ૨૧પ
કંજવેણુ ૧૪૭ “કુરબાનીની કથાઓ' પપ૦
કુંવરબાઈનું મામેરું' (દેસાઈ મ. પ્રકુરુક્ષેત્ર ૧૮, ૨૨, ૨૬, ૩૧, ૪૦, સંપાદિત) ૩૮૮
૪૩, ૪૪, ૪૭, ૫૦-૫૩,૫૪, ૫૫, કુંવરબાઈનું મામેરું' (પ્રેમાનંદ અને ૫૭, ૧, ૨, ૮૬, ૮૭, ૮૯, નરસિંહકૃત સંપાદકઃ દેસાઈ મ. પ્ર.) ૯૩, ૯૮
૩૮૮ કુરેશી નિઝામુદ્દીન ૨૩૬
કૃપલાની આચાર્ય ૩૮૮ કુલપતિઝ લેટર્સ ૧૯૫
કૃપારસકે” ૩૬૮ કુલપતિના પત્ર” ૧૯૬
કૃષ્ણકથા” ૨૩૬ કુલાંગાર અને બીજી કૃતિઓ” ૪૦૫,
“કૃષ્ણકુમારી” ૧૪૩ ૪ર૭, ૪૩૨
કૃણમિશ્ર ૧૫ર
Page #598
--------------------------------------------------------------------------
________________
શબ્દસૃષિ
[૫૮૯કૃષ્ણમૂર્તિ ૨૩૫
* કલાસકુમારી ૨૧૫ કૃષ્ણાવતાર' (ખંડ ૧ થી ૮) ૧૫૮, “કેકિલનિકુંજે ૧૩૩ ૧૬૩, ૧૭૮-૧૭૯, ૧૮૧
કિલા' (દેસાઈ ર. વકૃત) ૪૮૧કેઈન હોલ ૫૫૫
૪૮૨, ૪૮૩, ૪૮૪, ૪૮૫, ૪૮૬કેટલાક લેખ” ૧૯૩
૪૯૧ કેટલાક સંવાદ' ૨૫૩
કોકિલા' (મૂલાણું મૂળશંકરકૃત) ૨૪૩કેટલાંક કાવ્યો' (ભાગ ૧) ૧૭, ૨૦,
કોઠારી જગજીવન ત્રિકમજી ૨૦૬ ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૮, કોઠારી જગજીવન મા. ૨૧૫ ૨૯, ૩૧, ૩૫, ૩૬, ૩૮, ૯૧ કોઠારી જયન્ત ૪૪૬, ૪૭૮ કેટલાંક કાવ્યો' (ભાગ ૨) ૧૪, ૨૦, કેઠારી વિઠ્ઠલદાસ મગનલાલ ૩૮૮૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૫, ૩૬, ૩૮૯ ૩૮, ૯, ૧૦૦
કેનન ડેઈલ આર્થર ૨૦૯ કેટલાંક કાવ્યો' (ભાગ ૩) ૩૫, ૩૬, કોની મહત્તા ?' ('પાગલકૃત) ૨૫" ૩૮, ૪૭
કેની મહત્તા” (પ્રાંતીજવાલા મનવી) કેટલાંક વિવેચને' ૨૩૧
૨૪૮ કેતકીનાં પુ' ૨૩૨
કાને વાંક?' ૫, ૧૫૭, ૧૫૮, ૧૬૩, કેદારનાથજી ૩૪૧, ૩૪૨, ૩૪૬, ૩૪૭
૧૬૪, ૧૬૫, ૧૮૩ “કેદીનાં કાવ્ય” ૨૩૬
કોમેડી ઓફ એર ૨૦૩ કેનેપનિષદ' ૩૮૮
કેરી કિતાબ' પ૦૬ કેલકર ૨૧૬
કૅલરિજ ૯ કેશવલાલ દલપતરામ ૨૪૪
કેલાબાને કારગે” ૨૪૮ “કેસર કિશેર” ૨૪૨
કેલિંગવુડ ૪૬૭ કેસરિયાં ૧૨૪, ૧૨૫
કોલેજકન્યા” ૧૨૯ કેસરીસિંહ પરમારે” ૨૪૫
લેજિયન” (કવિ જામનકૃત) ૨૪૮ કેળવણીના પાયા ૩૪૦, ૩૪૨, ૩૪૪
કૅલેજિયન’ (દિવેટિયા ભેગીન્દ્રરાવ કૃત) -૩૪૫, ૩૫૧, ૩૨૩, ૩૫૬, ૩૫૭,
૨૧૩
કોસંબી ધર્માનંદ ૩૮૧, ૪૦૬, ૪૩૨ ૩૫૯ કેળવણુ વડે ક્રાન્તિ' (ભા. ૧-૨)
કૌટિલ્ય ૧૭૧, ૩૭૧, ૪૩૨
કૌટુંબિક અર્થશાસ્ત્ર' ૩૮૩ ૩૮૮ કેળવણીવિકાસ' ૩૪૫-૩૪૬, ૩૫૫, કૌમુદી-મિત્રાનંદ' ૨૩૪ ૩૫૮
કૌશિક-આખ્યાન' ૩૮૫ કેળવણીવિવેક ૩૪૫-૩૪૬
ક્રાન્તિની જ્વાલા” ૧૩૦
Page #599
--------------------------------------------------------------------------
________________
૧૦૫
૧૯૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચિ. ૪ કોચે ૪૫૪, ૪૬૭
ખેડૂતને શિકારી’ ૩૮૫ કૌ ચાલેંટે ૨૩૫
ખેતીની જમીન' ૩૭૫ કચવધ” ૨૧૫
ગઈ કાલ” પ૦૨, ૫૦૩ કલાન્ત કવિ' ૧૧૦, ૧૪૮
“ગગનરાજ' ૩૮૦ કલાન્ત કવિ કે કલાન્ત કવિ ? ૨૨૪ “ગજર' ૧૩૩ 'કલાન્ત કોકિલ' ૧૪૮
“ગજલસ્તાન ૧૫૩ કલાર્ક રેટ એચ. ૬૩
“ગજેન-મૌક્તિકો” ૧૩૦, ૨૩૮ કિવલર-કૂચ આર્થર ૪૪૪
“ગઝલે રંજૂર' ૧૩૨ ક્ષત્રવિજય” ૨૫૧
ગટે જુઓઃ ગેઈથે ક્ષિતિજ' ૪૯૩-૯૪
ગઢવી પિંગળશીભાઈ ૧૫૦ ક્ષેમાનંદ ભટ્ટ' જુઓ ખબરદાર અ.ફ. ગણપતિ ૨૩૩
ગણાત્રા વલ્લભદાસ ભગવાનજી ૧૩૩ ક્ષેમેનદ્ર ૪૦૭, ૪૧૧
ગણત્રા વસનજી દયાળજી “વસંત' ૧૯૨ ખજેનાની શોધમાં ૩૦૦
ગત શતકનું સાહિત્ય” ૪૪૬ ખબરદાર અરદેશર ફરામજી ૪, ૬, ૯૮, ગદ્યકુરુમ” ૨૩૨. ૧૦૧–૧૧૫, ૧૪૫, ૧૫૩, ૧૫૪, ગમનલાલ હીરાલાલ “પુપ” ૨૫૫ ૨૨૫, ૪૧૬, ૪૨૦, ૪૨૨, ૪૬૧, ગરવી ગુજરાત” ૨૫૩ ४७४
“ગરીબ કન્યા” ૨૫૦ ખબરદાર સ્મારક ગ્રન્થ” ૧૧૨, ૧૧૪
ગરીબનાં આંસુ' ઉપર ખયરુન્નિસા “સલિમા' ૨૩૬
ગર્વ ખંડન” ૨૧૫ ખરે નારાયણ મે. ૧૫૩
ગલગોટા” ૧૨૮ ખલિલ જિબ્રાન ૩૫૩, પ૨૯, ૫૩૦ ગવસી મોહમ્મદ જમીલુદીન ર૩૬ ખંડકાવ્ય' ૧૨૨
ગંગાદાસ દુઆરકાદાસ ૨૫૫ અંધેડિયા જદુરાય દુર્લભજી ૨૦૮, ગંગાલહરી” ૧૪૪, ૧૫ર ૨૧
ગંધાક્ષત’ ૪૭૮ “ખંભાતને ઈતિહાસ' ૨૩૩
ગાઝી કાસમ ૨૩૬ “ખાદીભક્ત ચુનીભાઈ ૩૮૬
ગાડગીલ કાકાસાહેબ ૨૧૫ ખાન ઇમામખાન કસરખાન ૨૩૬ ગામોષ્ઠિ ૩૮૮ ખાંડેકર વિ. સ. ૨૧૫.
ગામડાનું સ્વરાજ’ ૨૧૭ ખુડખુડિયા ઉસમાન બચલ ૨૩૬
ગામડામાં જઈને શું કરવું ?” ૩૩૭ ખુશ્કી અને તરી ૪૪૮
ગામડાંની સ્વચ્છતા' ૩૮૯
Page #600
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
ગાલ્લી મારી ઘર ઘર ાય' ૩૮૬ -ગાંધી કહાન ચક્ર ૧૪૮-૧૪૯ ગાંધી ચિમનલાલ ભોગીલાલ ‘વિવિત્સુ’
[૫૧
ગાંધીજી અને સામ્યવાદ’ ૩૫૨ ‘ગાંધીજીના સહવાસમાં' (ભા. ૧-૨)
૧૨૯
ગાંધી જન્મશતાબ્દી મહેાત્સવ ગ્રન્થ' ૨૧૭ ગાંધીજી ૪, ૬, ૭, ૮, ૯, ૧૧,૨૦, ૨૧, ૨૨, ૪૬, ૮૧, ૧૦૩, ૧૦૪, ૧૨૮, ૧૩૦, ૧૩૩, ૧૩૮, ૧૪૩, ૧૪૭, ૧૫૫, ૧૬૦, ૧૬૧, ૧૮૫, ૧૯૦, ૧૯૪, ૧૯૫, ૨૧૩, ૨૨૩, ૨૨૭, ૨૫૩, ૨૫૫, ૨૫૬-૩૦૮, ૩૧૧, ૩૧૨, ૩૧૩, ૩૨૪, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૨૯, ૩૩૦, ૩૩૩, ૩૩૪, ૩૩૭, ૩૩૮, ૩૪૦, ૩૪૨, ૩૪૬, ૩૪૮, ૩૪૯, ૩૫૨, ૩૫૮, ૩૬૦ ૩૬૩, ૩૬૪, ૩૬૯, ૩૭૩, ૩૭૪, ૩૭૬, ૩૮૦, ૩૮૧, ૩૮૫, ૩૮૭, ૩૮૮, ૩૮૯, ૩૯૦, ૩૯૧, ૩૯૨, ૩૯૩, ૩૯૪, ૩૯૫, ૩૯૬, ૩૯૭, ૩૯૮, ૩૯૯, ૪૦૧, ૪૦૪, ૪૦૯, ૪૧૦, ૪૧૫, ૪૨૦, ૪૨૯, ૪૩૧, ૪૩૪, ૪૪૫, ૪૫૦, ૪૫૮, ૪૮૦, ૪૮૫, ૪૮૭, ૪૮૮, ૪૮૯, ૪૯૧, ૪૯૪, ૪૫, ૪૯૬, ૪૯૭, ૫૦૯, ૧૧૧, ૫૧૩, ૧૨૩, ૧૩૨, ૫૩૪, ૧૩૮, ૫૪૪, ૫૪૬, ૫૪૭, ૫૪૯, ૫૫૦, ૫૫ર
“ગાંધીજી′ ૩૮૫
ગાંધીજી અને મજૂર પ્રવૃત્તિ' ૩૯૮
૩૯૯
ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ' ૩૯૮
૨૧૭
ગાંધીજીનાં સંસ્મરણા' ૩૬૭ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત'
(ભા. ૧થી ૫) ૩૯૩ ગાંધીજીની નિવારી' ૩૯૨ ગાંધીજીની સાધના' ૩૯૨ ગાંધીજીનું ગીતાશિક્ષણ' ૩૦૨ ‘ગાંધીજીનું ધર્માંન' ૩૩૮ ગાંધીજીના અક્ષરદેહ’ ૨૭૧, ૨૯૩ ગાંધીજીના અક્ષરદેહ' (ગ્રન્થ ૩, ૪, ૫, ૭, ૮, ૯, ૧૧, ૧૨, ૧૪, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૨૪, ૨૬, ૨૭, ૩૦, ૩૪) ૩૦૮ ગાંધીજીને જીવનમા' ૩૮૭ ગાંધીજી સાથે અઠવાડિયું' ૩૯૬ ગાંધી જેઠાલાલ ૩૪૯ ગાંધીદીક્ષા' ૩૯૮ ગાંધી દેવદાસ ૩૭૪, ૩૮૧ ગાંધીપરિવારના જ્યેાતિ’- ૩૩૭ ગાંધી પ્રભુદાસ છગનલાલ ૩૯૫ ‘ગાંધોઞાપુ’ ૧૦૨ ગાંધીબાપુના પવાડા' ૧૦૨, ૧૦૩,
૧૦૬
ગાંધી મનુબહેન ૩૯૯ ‘ગાંધીવિચારદેાહન' ૩૪૮, ૩૫૬ ગિરધરલાલ હરકીશનદાસ ૨૪૪ ગીઝા ૨૦૮ ‘ગીતગોવિન્દ’ ૨, ૪૯, ૧૫૨ ‘ગીતમ’જરી' (ભા. ૧-૨) ૨૮ ‘ગીતલહરી’૧૫૩
Page #601
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
૫૨]
ગીતસંગીત' ૧૪૮ ગીતા અમૃતસાગર’ ૧૫૨ ગીતાદર્શોન' ૩૯૬ ‘ગીતાધર્મ’૩૩૨
ગીતાધ્વનિ’ ૩૫૩, ૩૫૯ ગીતાનિષ્કર્ષ' ૨૩૦
‘ગીતાનું... પ્રસ્થાન’ ૩૮૮
ગીતાના પ્રબંધ' ૩૮૮
ગીતાના બુદ્ધિયોગ' ૪૭૭
ગીતાબાધ' ૩૦૨, ૩૦૮
ગીતામંથન’ ૩૪૮, ૩૫૬, ૩૫૯
ગીતાસાર' ૩૩૨
‘ગીતાંજલિ’ ૧૪૭, ૧૫૨, ૧૯૮૯, પ૨૯ ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર' ૧૦૮,
૧૯૪
‘ગુજરાતના ઐતિહાસિક લેખા' (ભા. ૧થી ૩) ૨૩૮ ગુજરાતના જ્યેાતિ રા' ૧૯૩ ‘ગુજરાતનાં તીસ્થાના' ૨૨૫ ‘ગુજરાતની અસ્મિતા' ૧૯૩ ‘ગુજરાતની કીર્તિગાથા' ૧૯૫ ‘ગુજરાતની ગુના' ૨૪૭
‘ગુજરાતની ભૂગાળ' ૮૭ ગુજરાતની રાજધાનીએ' ૪૫૬ ગુજરાતની લેાકમાતાએ' ૩૯૮ ‘ગુજરાતનુ' ગૌરવ' ૨૧૫
‘ગુજરાતનું... પાટનગર : અમદાવાદ' ૨૩૩ ગુજરાતનું વહાણવટુ” ૨૩૩ ગુજરાતના ઇતિહાસ' (ભા. ૧-૨)
૨૩૬
‘ગુજરાતના જય' (ભા. ૧–૨) ૫૫૮
૫૫૯
[ચ. ૪ ‘ગુજરાતના તપસ્વી' ૨૦, ૨૧, ૧૦૨ ગુજરાતના નાથ' ૧૫૮, ૧૬૩, ૧૬૬,
૧૬૭, ૧૬૮, ૧૪૯, ૧૭૦, ૧૭૪, ૧૭૫, ૧૯૫, ૧૯૬ ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિ
હાસ' ૨૨૫
‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' (ગ્રંથ ૧ થી ૬) ૪૫૭ ‘ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ’ (ભા.
૧થી ૪) ૨૩૩ ‘ગુજરાત વર્નાકયુલર ઇતિહાસ' ૭૭, ૭૮
સેાસાયટીને
ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી’ (સને ૧૯૪૧-૪૨) ૪૯૩, ૪૯૪ ‘ગુજરાતી કવિતા’ (વર્ષ ૧થી ૪) ૩૮૬ ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ ૧૦૯,
૧૧૩, ૪૧૬, ૪૭૪
‘ગુજરાતી કાવ્યપ્રકારા' ૪૭૩ ‘ગુજરાતી જૂનાં ગીતા' ૧૫૩ ‘ગુજરાતી નવલકથાનું સાહિત્ય' ૨૩૪ ગુજરાતી પિંગલ : નવી દષ્ટિએ’ ૪૦૪,
૪૦૬, ૪૩૫, ૪૩૬ ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય'
(ભાગ ૧) ૪૪૧
‘ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ' ૩૭૨ ‘ગુજરાતી લૅન્ગ્વેજ ઍન્ડ લિટરેચર’
૪૪૦-૪૪૧
‘ગુજરાતી શબ્દા་ચિંતામણિ શ’
૨૩૫
ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપે।' ૨૩૩ ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ ૧૧૫, ૧૫૪, ૪૪૫૪૪૬
Page #602
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ “ગુજરાતી સાહિત્ય પરિષદ (૨૮મું ગેલ્ડન ટ્રેઝરી” ૦ સંમેલન) હેવાલ ૪૭૮
ગોલ્ડસ્મિથ ૧૫ર, ૨૦૪, ૨૨૮ ગુજરાતી હેળીસંગ્રહ’ ૧૫૩
ગેલ્ડસ્મિથની મુસાફરી” ૧પર ગુને અને ગરીબાઈ ૩૯૭
ગવર્ધનરામઃ ચિંતક અને સર્જક” ગુપ્ત પાંડવ” ૧૫ર
૪૬૫, ૪૬૮ “ગુરુ ગોવિંદસિંહ” ૧૪૭
ગવર્ધનરામની મનનનેધ” ૪૩૯, ગુરુચરિત્ર' ૩૦૯
૪૪૧ ગુરુદક્ષિણા” ૮૦, ૧૦૦
ગવર્ધનરામનું જીવનચરિત્ર ૨૧૬ ગુરુદેવનાં ગીત' ૩૮૬
ગોવર્ધનરામનું મનોરાજ્ય’ ૪૩૯ ગુરુમહિમા' ૧૫૦
ગાવાલણી અને બીજી વાત” ૧૯૯ ગુર્જરપતિ મૂળરાજ દેવ” (ભા. ૧-૨) ગોવિંદગમન ૪૦૬, ૪૩૩ પ૨૨
ગોસાઈ નારાયણભારતી ઉપર “ગુર્જર વાર્તાવૈભવઃ ૩ઃ સામાજિક ગોહેલ સુરસિંહજી તખ્તસિંહજી : કથાઓ' ૪૦૬, ૪૩૩
જુઓ: “કલાપી” ગુર્જરેશ્વર કુમારપાળ' પરર
ગળમટોળ શર્મા: જુઓ “મલયાનિલ” ગુલઝારે શાયરી” ૧૪૫
૧૯૮ ગુલાબ' ૨૪૨
ગોળવાળા રમણલાલ રણછોડલાલ ૧૨૨ ગુલાબસિંહ ૨૨૦
ગોરીનાં ગીતો’ ૧૨૮ ગુલામગીરીને વિજય’ ૨૨૦ ગૌરીશંકર આશારામ વૈરાટી ૨૪૭, “ગૃહદીપિકા' ૨૧૯
૨પર ગોઈયે ૧૦,૫૬, ૫૭, ૧૪૦
ગ્રંથ અને ગ્રંથકાર' ૨૨૬ ગોકુળગીતા” ૧૧૬
ગ્રંથગરિમા’ ૪૭૮ ગોખલે અરવિંદ ૨૧૫
“ગ્રંથસ્થ વાય’ (૧૯૪૮-૪૯) પરદ પકાવ્યો” ૧૫૩
“ગ્રંથસ્થ વાડ્મય' (૧૯૫૩-૫૪) ૧ર૬. ગાપિકા' ૪૦, પ૬, ૫૭, ૬૦,૬૨, ગ્રંથસ્થ વાલ્મય' (૧૯૬૭) ૪૩૬
૬૩, ૬૪, ૫, ૬૬, ૬૭, ૯૩ “ગ્રામપુનર્ઘટના” ૩૮૬ ગાયટેનાં જીવનસૂત્રો” ૨૩૨
“ગ્રામભજનમંડળી’ ૩૮૬ ગેરક્ષાકલ્પતરુ' ૩૯૪
“ગ્રામરચના ૩૯૮ “ગોરખ આયા” પ૦૭
“ગ્રામલક્ષ્મી' (ભા. ૧થી ૪) ૧૮— રાબાદલચરિત્ર ૩૭૧
૪૮૮, ૪૯૭ ગેક મેકિસમ ૫૦૯, ૫૩૪
ગ્રામવિદ્યાપીઠની ભૂમિકા ૩૮૬ ગલાબસિંહ' ૨૦૩
“ગ્રામસેવાના દસ કાર્યક્રમો' ૨૮૬ ગુ. સા. ૩૮
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૯૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ગ્રેગ રિચર્ડ ૩૯૬
ચંદ્રરમણુ” ૨૦૩ ગ્રેજ્યુએટ ૨૪૮
ચંદ્રકમાં ૩૯૦ ગ્રેઝ ઍલેજ' ૧૫ર
ચંદ્રશેખર નાટક ૨૦૬ “ઘટકર્પર' ૧૫૧
ચંદ્રહાસ ૨૪૫ ધડતર અને ચણતર’ ૩૮૪
ચંદ્રોક્તિકા” ૧૪૮ “ઘનશ્યામ વ્યાસ” જુઓ મુનશી ક.મા. ચાઈકા યાત્રા” ૧૩૩ ૧૫૮
“ચાણક્યનીતિ અથવા ચચ્ચ વધી “ઘર-ઉપયોગી વૈદક સંગ્રહ’ ૧:૦
૨૧૪ ઘરમાં મોન્ટીસોરી ૩૮૭
“ચારણે અને ચારણી સાહિત્ય” ૫૪૩ ઘેલી ગુણિયલ” ૨પર
ચારણિયા હાસમ હીરજી ૧૩૫ ઘેડા મોતીલાલ ર. ૨૩૫
“ચાર તીર્થકર’ ૩૬૩ ઘોષ અરવિન્દ જુઓ “શ્રી અરવિન્દ' “ચાર યોગીની વાર્તા ૧૪૪ ઘોષ શશિકુમાર ૧૨૭
ચાર સંન્યાસી ૨૧૫ “ચકેરીપ્રબોધચન્દ્રાંતિકા અને પ્રેમ- ચાર્વાક ૩૬૨ નિમજજન” ૧૪૫
“ચાલગાડી' (એટી-નાની) ૩૮૫“ચક્રવતી અશોક ૨૧૬
૩૮૬ ચક્રવતી ગુર્જરે” ૧૯૫
ચાલુ જમાનાને ચિતાર ૨૧૨ ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર ૩૭૫, ૩૭૬ ચાંપરાજ હાડ' ૨૪૫ ચણીબાર” ૩૮૫
ચિ. ચંદનને ૩૩૭ ચતુરભાઈ ગોવિંદભાઈ ૧૫૧
ચિતા” ૧૪૫ ચતુરવિજયજી ૨૩૪, ૩૬૮
ચિતાના અંગારા (ખંડ ૧-૨) ચતુર્વેદી છે. સીતારામ ૪૦૬
૫, ૫૫૧ “ચન્દ્રરેખા’ ૫૧૨
‘ચિત્રદર્શને' ૨૦, ૨૮ ચન્દ્રાનના' ૨૦૦
‘ચિત્રસેન ગાંધર્વ” ૨૪૫ “ચમકારા' ૧૫૪
ચિત્રાંગદા' ૬૩, ૩૭૫ ચંડાળ ચોકડી' ૨૦૯
‘ચિત્રાંગદા અને વિદાય અભિશાપ ચંદરવાકર પુષ્કર ૮
૩૭૫, ૩૮૩ ચંદ્રગુપ્ત” ૨૪૭
ચિષ' ૩૪૫, ૩૫૯ ચંદ્રગુપ્ત મૌર્ય પર
ચિંતન અને પુરુષાર્થમાં સમન્વય ચંદ્રગુપ્ત મૌર્ય (સંક્ષિપ્ત) પર
૩૩૬ ચંદ્રબાવની' ૧૫૦
ચિંતનનાં પુષ્પો' ૨૩૦ ચંદ્રભાગા’ ૨૪૭
ચીનને અવાજ’ ૩૯૬
Page #604
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
પિ૯૫ ચુડેલને વસે' ૨૧૫
જ૫' ૩૮૮ ચુંબન અને બીજી વાતો' ૪૦૬, ૪૩૨ જમશેદ ૨૦૩ ચૂનીલાલ અમથાશા ૨૪૪
જય ચિતડ ૨૫૩ “ચૂંદડી' (ભા. ૧-૨) ૫૪૩
જયદેવ ૪૬, ૬૯ ચેખોવ ૧૦, ૩૯૬, ૩૯૭
જયભારતી” ૧૪૫ ચેટરજી સુનીતિકુમાર ૩૭૧
“જયરાજ' ૨૪૩ બચતન્યકુમાર૨૦૩
જયરાશિ ૩૬ર ચૈતન્યકુમારી' ૨૪૩
જયશંકર સુંદરી” ૨૪૬, ૩૯૯ ચેક્સી નાજુકલાલ ૨૧૮
જય સાહિત્ય' ૪૪૯ ખેરવાલિ ૨૧૫
જયસિંહ સિદ્ધરાજ' (ભા. ૧થી ૩) ચૌધરી રઘુવીર ૪૬૩
પર૨, ૫૨૬, પર૯ “ચૌલાદેવી ૫૧૧, પર૨, પ૨૯
જય સોમનાથ ૧૫૬, ૧૫૯, ૧૬૩, ચૌલાદેવી' (સંક્ષિપ્ત) પરર
૧૬૬, ૧૭૦–૧૭૩, ૧૭૪, ૧૭૬, દેનુશાસન ૪૧૭
૧૯૬ છાયાનટ” ૪૯૪
જયંત' ૪૮૦, ૪૮૧, ૪૮૨, ૪૯૧, છીએ તે જ ઠીક' ૧૮૨, ૧૮૫, ૧૮૬,
૪૯૭ ૧૮૭, ૧૯૧
જયંતવિજયજી ૨૩૪ છેલ્લું પ્રયાણું ૫૬૦
“જયંતી વ્યાખ્યાને” ૨૩૨ છેલ ઝબકારો' ૫૧૨, પર૦, ૫૨૧
જયાકુંવર” ૨૧૮ “છેલો પાવાપતિ’ ૧૨૯
જયા-જયંત’ ૫, ૧૭, ૨૦, ૨૬, ૩૬, જગજીવનરામ ભવાનીશંકર ૧૫ર
૩૭, ૩૦, ૪૦, ૬-૪, ૬૮“જગતકાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું
૭૦, ૭૩, ૯૫, ૧૦૦, ૧૨૬ સ્થાન” ૧૮, ૮૧
“જર્મન જાસૂસની આત્મકથા” ૧૪૭
જલદીપ” ૧૫ર જગતના અરણ્યમાં ૨૧૨ જગતના ઈતિહાસનું રેખાશન’ ૩૯૭
જલબિંદુ પર જગતની ધર્મશાળામાં ૨૧૨
“જહાંગીર–સૂરજહાં ૧૬, ૪૦, ૫૬, “જગત્રેરણા ૩૯, ૪૦, ૫૬, ૫૭,
પ૭, ૬, ૬૨, ૪, ૫, ૬૦ ૫૯, ૩, ૪, ૫, ૭૦
“જળસમાધિ ૫૦૬, ૫૦૭, ૫૦૮ જગદેવ પરમાર” ૨૪૫
જંજીરને ઝણકારે ૨૫૩ જડિયા કાશીબહેન બહેચરદાસ ૧૪૯ જાગીરદાર' ૨૫૦ જનસ્વભાવ” ૨૩૭
જાગીરદાર છેટાલાલ ડા. ૨૦૮–૨૦૯ જન્મદાતા ૨૪૮
જાગૃતિમાળા' ૧૪૩
Page #605
--------------------------------------------------------------------------
________________
પ૯૬ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ જાતકકથાઓ' (ત્રિવેદી હરભાઈકૃત) જીવનનાં ઝરણાં (ભા. ૧-૨) ૩૯૨ ૩૮૬
જીવનનાં વહેણે” ૪૫૧ જાતકકથાઓ' (ધૂમકેતુ'કૃત) પર જીવનની વાટેથી” ૨૨૦ જાતકકથાસંગ્રહ ૩૯૧
જીવનનું પરોઢ ૩૯૫ જાતીય વિકૃતિનાં મૂળ” ૩૮૬
જીવનને આનંદ’ ૩૧૪-૩૧૫, ૩૩૪ જાતે મજૂરી કરનારાઓને ૩૯૫ જીવનપંથ ૫૦૦, ૫૧૦, ૫૧૧, જાત્રાળુ” જુઓ: પાઠક રા. વિ. ૪૦૩ ૫૩૪–૫૩૫ જાની અંબાલાલ બુ. ૪, ૧૫૭, ૧૫૮, જીવનપાથેય” ૩૯૯ ૨૨૩-૨૨૪, ૨૨૬
જીવનપકાર’ ૩૯૯ જાની દુર્લભજી રા. ૧૫૨
જીવનપ્રદીપ’ ૩૩૨, ૩૩૮ જાની લાલજી વીરેશ્વર ૧૫ર
જીવનભારતી' ૩૩૪-૩૩૬, ૩૩૮ જામન” જુએ : ભાટિયા જમનાદાસ “જીવનરંગ” પ૩૪–૫૩૫ મે. ૨૪૭
જીવનલીલા' ૩૧૭–૩૧૮ જાલંધર આખ્યાન' ૨૩૦
જીવનવિકાસ” ૩૩૨-૩૩૪, ૩૩૮ જિગર અને અમી ૫૦૪, પ૦૬ ‘જીવનવિચારણા પ૩૧, ૫૩૨, ૫૩૩ જિનપ્રભસૂરિ ૩૭૧
જીવનવ્યવસ્થા” ૩૧૧ જિનભદ્રસૂરિ ૩૬૯
જીવનશૈધન” ૩૪૨, ૩૪૬–૩૪૮, જિનાગમકથાસંગ્રહ' ૩૭૨
૩૫૦, ૩૫૬, ૩૫૭, ૩૫૯ “જિબ્રાનનાં જીવનમૌક્તિકે' પર૯ જીવનસંગ્રામ” ૩૯૯, “જિબ્રાનની જીવનવાટિકા' પ૩૦
જીવનસંદેશ” ૨૩૫ જિબ્રાનની જીવનવાણી પર૯, ૫૩૦ જીવનસંભારણું ૨૧૯ જિબ્રાનનું જીવનદર્શન પર
જીવનસંસ્કૃતિ ૩૨૮-૩૩૦ જિબ્રાનનું જીવનસ્વપ્ન” પ૨૯
જીવનસિદ્ધિ ૨૩૫ જીવતા તહેવારો' ૩૩૭
જીવનસૌરભ ૩૯૦ જીવતી જુલિયેટ' ૨૩૨
જીવનસ્વન’ ૫૩૪ જીવન અને સાહિત્ય' (ભા. ૧-૨) ૫૦૩
"જીવન્તપ્રકાશ” ૧૨૫ જીવનઘડતર” ૩૮૯
જુગલકિશારી' ૨૪૩ જીવનઘડતરની વાતો” પ૨૯
જુન્નરકર બળવંતરાય ૧૫૧ જીવનચિંતન' ૩૩૦-૩૩૨
જુલિયસ સીઝર” ૨૦૩ જીવનદર્શન’ પ૩૪
“જુવાનીની વાતો” ૧૨૬ “જીવન દ્વારા શિક્ષણ ૩૮૯
જૂઈ અને કેતકી” ૧૫૪, ૪૪૪ “જીવનનાં ખંડેર' પર
જૂની મૂડી” ૩૬૭
Page #606
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[૫૯૭ જેકિલ અને હાઈડ' ૩૮૮
જોશીપુરા શંભુપ્રસાદ છેલશંકર “કુસુમાજેલ ઑફિસની બારી” ૧૫૩
કર” ૧૨૭ જેલ ડાયરી” ૩૮૫
જોષી સુરેશ હ. ૪૬૭, ૪૭૮ જેસલમેરની ચિત્રસમૃદ્ધિ ૨૩૪ જ્ઞાતાધર્મકથા ૩૭૨ જૈન ઈતિહાસની ઝલક ૩૭૧ જ્ઞાનબિન્દુ ૩૬૨ જૈન એતિહાસિક ગુર્જર કાવ્યસંચય જ્ઞાનભક્તિ અથવા વિષ્ણુપદશતક ૧૪૮
જ્ઞાનસુધા' ૨૧૯
જ્યારે સૂર્યોદય થશે ૧૪૯ જેન કાવ્યસંગ્રહ ૨૩૫
તિરણુ” ૧૪૫ જૈન ગુર્જર કવિઓ” ૨૩૫
જ્યોતિપુંજ” ૧૫ જૈન ચિત્ર કલ્પદ્રુમ ૨૩૫
“ ના” ૨૧૩ જેને તર્કભાષા” ૩૬૨
જવલંત વાળા ૨૫૫ જૈન દર્શન’ ૨૩૪
વાળાઓ” ૨૩૬ જૈન ધર્મને પ્રાણ ૩૬૩
ઝરણાં ટાઢાં અને ઊનાં ૨૦૭ “જેન સંવાદો” ૨૩૮
ઝવેરચંદ મેઘાણ પ૬૩ જોટે રત્નમણિરાવ ભીમરાવ ૨૩૨-૨૩૩
ઝવેરી કૃષ્ણલાલ મે. ૨૧૬ ‘જોડણીકોશ ૫
ઝવેરી ચંદુલાલ દલસુખરામ ૨૫૫ જોશી ઉમાશંકર ૪, ૮૮, ૪૦૬, ૪૦૬,
ઝવેરી જીવણચંદ સાકરચંદ ૨૩૫ ૪૦૭, ૪૦૯, ૪૨૭,૪૩૩, ૪૩૫,
ઝવેરી મનસુખલાલ મગનલાલ ૧૩૫, ૪૩૯, ૪૫, ૫૩૬, ૫૩૯, ૫૪૧,
૨૦૬, ૪૨૦ ૫૪૪, ૫૫૦, ૫૬૨, ૫૬૩
ઝવેરીલાલ દલસુખરામ ૨૪૪ જેશી કલ્યાણરાય નથુભાઈ ૨૩૮ ઝવેરી હીરાચંદ ક. ૨૦૦ જોશી ખટાઉ વલ્લભ ૨૪૪
ઝંઝાવાત’ ૪૯૪ જેશી ગૌરીશંકર ગોવર્ધનરામ જુઓઃ
ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત’ ૨૨૫ ધૂમકેતુ’
ઝાકળ ૫૦૦, ૫૦૧ જેશી છગનલાલ ૩૯૮
ઝાલા ગૌરીપ્રસાદ ૪૪૦
ઝેર તો પીધાં છે જાણી જાણું ૪૭ ૫. જોશી પ્રબોધ ૨૫૬
‘ટહુકાર” ૧૪૩ જોશી પ્રાણશંકર સે. ૩૮૯
હીકા” ૧૨૮ જેશી બાલકૃષ્ણ ચૂ. ૩૯૯
ટાગોર રવીન્દ્રનાથ ૧૯, ૬૩, ૮૫, ૮૮, જોશી ભ. લા. ૨૪૪
૯૬, ૯૭, ૧૨૦, ૧૨, ૧ર૭, જોશી રમણલાલ ૪૪૧, ૫૩૩
૧૩૨, ૧૪૩, ૧૭૬, ૨૦૨, ૨૧૫, જોશી રવિશંકર ૨૩૮, ૪૦૬
૨૨૮,૩૦, ૨૩૮, ૨૬૭, ૩૧૦,
Page #607
--------------------------------------------------------------------------
________________
પ૯૮]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ૩૧૧, ૩૨૭, ૩૨૮, ૩૩૩, ૩૩૬, ડાઉડન ૮૨ ૩૬ ૦, ૩૭૪, ૩૭૫, ૩૭૬, ૩૭૮, “ડાકઘર' ૬૩, ૧૨૬ ૪૨૯, ૪૩૪, ૫૩૭, ૫૪૪, ૫૪૫, ડિકન્સ ચાર્લ્સ ૩૪૭ ૫૪૮, ૫૫૦, ૫૬૨
ડિકિન્સ ૩૯૬ ટુ ધ નેશન્સ” ૨૩૦
ડિટેકિટવ બહાદુર શેરલોક હોમ્સ ૨૯ ‘ટૂંકી વાર્તાઓ-૩ ૧૪૭
ડેઝર્ટ વિલેજ' ઉપર ટેનિસન ૯, ૧૭, ૧૮, ૩૦, ૩૬, ૩૮, ડેડાણવાલા મુલ્લાં નૂરભાઈ ૨૩૬ ૪૮, ૫૧, ૯૩, ૯૭
ડેમેજડ ગુડઝ ૨૦૪ મિંગ ઓફ ધ ઍ ૨૦૩
‘ડિં. મધુરિકા” ૧૮૨, ૧૮૫ ટોપીવાલા ચન્દ્રકાન્ત ૫૪૮
. મને હેરને દર્દી ૨૦૪ ટોમ્સન ફ્રાન્સિસ ૧૦૭, ૧૧૦ ડેટન યોજના ૩૮૬ ટોસ્ટય ૨૧૩, ૨૩૫, ૨૩૭, ૨૩૮, ડોલ્સ હાઉસ ૨૦૨
૨૬૦, ૨૭૫, ૩૨૭, ૩૫૪, ૩૫૫, ડોસાણુ લમીબહેન ગો. ૨૩૯ ૩૯૬, ૪પર, ૪૬૩, ૪૬૪
‘ડોસીમાની વાતે ૫૩૭, ૫૪૩ ઠક્કર કપિલ ૫, ૧૪૯
૧મા ઍલેકઝાંડર જુઓ “દૂમાં ઠક્કરબાપા ૩૪૦, ૫૬૧
ઍલેકઝાંડર” ઠકુર નારાયણ વિસનજી ર૦૩, ૨૧૩– ઢીંગલી ૨૦૨ ૨૧૫, ૫૦૪
તજાએલ તિલકા ૨૩૮ ઠગ” ૪૮૦,૪૮૧,૪૧, ૪૯૭, ૫૦૧ તણખામંડળ” (પહેલું) ૪૦૮, ૫૧૦, ઠંડી કૂરતા અને બીજાં નાટકે' પર
૫૧૨ ઠંડે પહોરે ૨૧૧
તણખામંડળ” (બીજુ) ૫૧૨ ઠાકર નારાયણલાલ ૨. ૧૩૩
તણખામંડળ” (ત્રીજુ) ૪૦૮ ઠાકુર પંડિત ઓમકારનાથ ૨૩૮ તણખામંડળ” (ચોથું) ૫૧ર ઠાકુર રવીન્દ્રનાથ જુઓ ટાગોર રવીન્દ્રનાથ
તવાખ્યાન” ૨૩૪ ઠાકોર બલવંતરાય કલ્યાણરાય ૩, ૬,
તત્વાર્થસૂત્ર' ૩૬૨ ૧૦, ૪૧, ૪૬, ૮૨, ૯૨, ૯૯,
તરવાંજલિ” ૧૩૦ ૧૦૫, ૧૦૬, ૧૧૪, ૧૩૦, ૧૪૭,
તો પપ્લવસિંહ' ૩૬૨, ૪૫૬ ૨૪૪, ૪૦૧, ૪૦૬, ૪૦૭, ૪૦૯,
તથાગત' ૩૮૬ ૪૨૦, ૪૨૩, ૪૬ ૬, ૫૪૪
તના રતિલાલ ના. ૨૦૩, ૨૩૯ ઠાકર બાબુરાવ ગ. ૨૦૪
તપ અને રૂ૫ ૪૯૯ ઠાકેર વૈકુંઠલાલ શ્રી. ૨૩૮
તપસ્વિની' (ભા. ૧થી ૩) ૧૬૩, ૧૬૪, ઠેબા મહમદ ગગુભાઈ ૨૩૬
૧૬૫, ૧૬૬
Page #608
--------------------------------------------------------------------------
________________
સગ્નલ સૂચિ
તાવન ૧૨૫ ‘તર ગમાળા’ ૧૨૯ ‘તરંગાવલિ' ૧૨૨ ‘તરુણીના તરંગ કિવા ચિતાડનુ સૌ ’૨૩૬
‘તપણુ’ ૧૭૦, ૧૮૨, ૧૮૭, ૧૮૮,
૧૮૯ ‘તલવારની ધારે’૨૪૮
‘તવારીખની તેજછાયા' ૨૧૮
તંત્રકથા' ૩૯૪ તંત્રી મણિભાઈ ૨૩૪
‘તંબૂરાના તાર’ ૧૪૦
‘તાતી તલવારે' ૨૫૩
તારાપેારવાલા એરચ જહાંગીર ૧૫૩ ‘તારાસુંદરી’૨૪૨
‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રા’ ૩૭૫ તાલેયારખાન આવાખાનુ જ. ૨૦૪ તાપીદાસ ૨૩૩
તાપીદાસકૃત અભિમન્યુ આખ્યાન અને અભિમન્યુનું લેાકસાહિત્ય' ૨૩૩
‘તિમિરમાં પ્રભા' ૩૫૪, ૩૫૯
‘તિમિ’ગલ' ૪૪૯
‘તિલાત્તમા' ૨૩૩ ‘તુલસીકયારા’ ૫૫૬, ૫૫૭
તેજછાયા' ૧૪૯
ત્યારે કરીશું શું?’૩૫૫, ૩૯૩ ‘ત્રણ વાર્તાઓ’૩૭૫
ત્રવાડી છગનલાલ મનસુખરામ ૧૪૫– ૧૪૬
ત્રવાડી હૈ. સી. ર૪૪ ત્રાપજકર પરમાણુંદ મણિશંકર ૨૫૩,
૨૫૪
[ ૫૯
ત્રિપાઠી ગાવર્ધનરામ માધવરામ ૧,
૨, ૩, ૫, ૧૭, ૨૨, ૨૮, ૩૮, ૪૧, ૨૭, ૭૪, ૮૧, ૮૨, ૮૫, ૯૬, ૯૭, ૧૧૧, ૧૪૩, ૧૫૫, ૧૬૨, ૧૯૪, ૨૧૩, ૨૧, ૨૨૭, ૨૮૧, ૨૮૨, ૩૨૭, ૩૮૩, ૪૦૯, ૪૧૫, ૪૨૩, ૪૩૯, ૪૪૦, ૪૫૫, ૪૬૦, ૪૬૮, ૪૮૭, પર૬, ૫૫૯ ત્રિપાઠી ચિમનલાલ દામેાદરદાસ ‘કુંજ”
૧૪૪
ત્રિપાઠી ધનશંકર હ. ૨૧૫
ત્રિપાઠી મનઃસુખરામ સૂ`રામ ૨૨૭,
૪૬૮
ત્રિપાઠી મણિભાઈ દામેાદરદાસ ૧૪૪ ‘ત્રિભુવિનાદિની’ ૧૩૩ ‘ત્રિભેટા’ પ૧ર
ત્રિયારાજ’ ૨૪૫ ત્રિવિક્રમ’૨૪૫
ત્રિવેદી અતિસુખશ કર કમળાશંકર
૨૦૭–૨૦૮, ૨૩૨
ત્રિવેદી ઉત્તમલાલ ૪, ૧૫૭, ૪૪૧ ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર ૨૦૭,
૨૦૮, ૪૦૪, ૫૪૩ ત્રિવેદી ચિમનલાલ શિ. ૪૦૬, ૪૧૮ ત્રિવેદી ચીમનલાલ ૨૫૫
ત્રિવેડી ત્રિભુવન પ્રેમશંકર ‘મસ્તકવિ”
૮૨, ૮૪, ૧૪૦
ત્રિવેદી નટવરલાલ ઉગ્રેશ્વર ૧૪૭ ત્રિવેદી નવલરામ જગન્નાથ ૨૩૧
૨૩૨, ૪૮૨, ૧૨૩, ૧૩૦ ત્રિવેદી પ્રાણજીવન ત્રિ. ૧પર ત્રિવેદી મણિલાલ ત્રિભુવન ‘પાગલ
Page #609
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
૬૦૦ ]
૨૪૭, ૨૪૯–૨૫૦, ૨૫૪, ૨૫૫ ત્રિવેદી રતિલાલ મેાહનલાલ ૨૩૧ ‘ત્રિવેદી વાચનમાળા' ૨૦૮ ત્રિવેદી વિષ્ણુપ્રસાદ ૨, ૪, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૧૧, ૧૫૪, ૪૨૦, ૪૫૮, ૪૬૪–૪૭૦, ૪૭૪ ત્રિવેદી હરગાવિંદ પ્રેમશ કર ૧૪૦ ત્રિવેદી હરભાઈ દુર્લભજી ૨૩૮,
૩૮૬-૩૮૭
“ત્રીજું સુખ’ ૨૦૬
ઘેડાં આંસુ થેાડાં ફૂલ' ૩૯૯ ઘેાડાંક અદના' ૨૩૧
ઘેાડાંક છુટ્ટાં ફૂલ' ૨૦૭ થૈડાં રસદને’– ૧૬૦ થારે ૩૨૭
‘થ્રી મસ્કેટિયર્સ’ ૨૧૫, ૩૯૭ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને
ચ. ૪
દરગાહવાલા સૈયદ ઇમામુદ્દીન ૨૩૬ ‘દરિદ્રચારુદત્ત’ ૪પર ‘દરિદ્રનારાયણુ' ૫૦૮
દરિયાપારના બહારવટિયા’ ૫૫૪ ‘દરિયાલાલ' ૫૦૬, ૫૦૦, ૫૦૮ દરિયાવની મીઠી લહર' ૪૪૭ ‘દર્પણુના ટુકડા' ૨૩૧
દર્શન અને ચિંતન' (ભા. ૧-૨)
ઇતિહાસ’ (ભા. ૧-૨) ૪, ૨૭૧, ૨૮૪, ૨૮૫, ૨૮-૨૯૨, ૩૦૮, ૩૯૪
“દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનુ ગમન અને પુનર્રમન' ૩૯૨
“દગાબાજ’ ૨૧૫
‘દગાબાજ દાસ્ત’ ૨૫૦
દત્ત અશ્વિનીકુમાર ૨૩૦ ક્રુત્ત રમેશચંદ્ર ૧૨૭, ૨૧૯ દયાનંદ સરસ્વતી' પ૬૧
દયારામ ૪૧, ૪૯, ૮૦, ૮૧, ૮૨,
૯૭, ૧૯૪, ૨૧૮, ૪૦૯, ૪૧૬ ‘દયારામનું જીવનચરિત્ર’ ૨૨૯ દયારામ-રસસુધા' ૨૨૯ દયાશંકર વસનજી ૨૪૨
૩૬૧, ૩૬૩
‘દર્શનિકા’ ૧૦૨, ૧૦૩, ૧૦૬, ૧૦૭,
૧૦૮-૧૧૦, ૧૧૧
દલવાડી પૂજલાલ ૬ ‘દલપતકાવ્ય’ ૭૮ દલપત પિં’ગળ′ ૪૧૬, ૪૧૭
દલપતરામ ૨, ૫, ૬, ૯, ૧૨, ૧૩,
૧૪, ૧૫, ૨૨, ૨૮, ૪૧, ૪૪, ૪૫, ૭૮, ૮૧, ૮૨, ૯૪, ૯૫, ૯૭, ૧૦૧, ૧૦૨, ૧૦૪, ૧૦૮, ૧૦૯, ૧૧૫–૧૧૭, ૧૬૧-૧૨૪, ૧૪૧–૧૪૩, ૧૪૫, ૧૪૯, ૨૨૪, ૨૨૯, ૨૪૦, ૨૪૨,૨૪૪, ૪૧૨, ૪૨૨, ૪૬૦, ૨૩૯
‘દલપત્રામની વાતા' ૩૯૦ લાલ ઈશકાક ૨૩૬
દલાલ ચંદુલાલ ભગુભાઈ ૩૯૨-૩૯૩ દલાલ ચિમનલાલ ડાહ્યાભાઈ ૨૨૫,
૩૬૯
લાલ જયંતિ ૪૨૪
દલાલ રમણીકલાલ જ, ૨૩૫ દલાલ રાજેન્દ્ર સા. ૨૧૫ દવે કનુબહેન ૨૧૮
Page #610
--------------------------------------------------------------------------
________________
[ ૬૦૧
સંદર્ભસૂચિ દવે જુગતરામ ચીમનલાલ ૭, ૩૮૫ દિવેટિયા ચૈતન્યબાળા ૪૦૭ દવે તીન્દ્ર હ. ૧૦૫, ૨૦૪-૨૦૬, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ ૨૧૦
૨, ૩, ૯, ૧૫, ૧૭, ૨૨, ૨૪, દવે દુર્ગાનાથ ગે. ૨૪૪ ,
૨૮, ૮૨, ૧૦૨, ૧૦૫, ૧૧૫, દવે દુર્ગારામ મંછારામ ૪૬૮
૧૧૮, ૧૨૨, ૧૨૬, ૧૩૦, ૧૩૨, દવે નરભેશંકર પ્રાણજીવન ૨૦૩
૧૪૧, ૧૪૩, ૧૫૮, ૨૧, ૨૨૨, દવે નર્મદાશંકર લાલશંકર જુઓ:
૨૨૫, ૩૮૧, ૪૦૯, ૪૩૭, ૪૪૦, નર્મદ
૪૬૯, ૫૦૨, ૫૩૯, ૫૪૩ દવે મંજુલાલ જમનારામ ૧૨૬, ૧૫ર દિવેટિયા ભીમરાવ ભોળાનાથ ૨, ૪૧, દવે મેહનલાલ પાર્વતીશંકર ૨૨૭, ૧૨૪, ૧૪૧, ૧૪૮, ૨૪૪ ૨૩૨
દિવેટિયા ભોગીન્દ્રરાવ ૫, ૨૧૩ દવે રણછોડભાઈ ઉદયરામ ૨, ૨૪૦- દિવેટિયા ભેળાનાથ સારાભાઈ ૨, ૬, ૨૪૨, ૨૪૪
૧૪૮ દવે શિવશંકર તુલજાશંકર ૧૪૮ દિવેટિયા માધવરાવ બા. ૨૧૫ * દવે સાકરલાલ અ. ૨૩૫
દિવેટિયા સત્યેન્દ્રરાવ ભીમરાવ ૧૪૧ દવે હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દિવેટિયા હરસિદ્ધભાઈ ૨૩૪ જુઓ : સ્વામી આનંદ
“દિવ્યચક્ષુ ૪૮૧–૪૮૭, ૪૯૪, ૪૯૬, દશવૈકાલિક સૂત્ર ૩૯૬
૫૦૧, ૫૦૩ દાઉદભાઈ “બેચેન ૨૩૬
દીક્ષિત પ્રસન્નવદન ૨૩૫ દાખલી મહંમદ આરેફ “સેવક” ૨૩૬
“દીનદયાળ” ૨૪૭ દાણી અમૃતલાલ ૧૧૭
દીપમાળા' ૩૮૪ દાદાજીની વાતો' ૫૪૩
દીવડી” ૫૦૦, પ૦૨ દાદી શતશાઈ ૧૧૩
દીવાનજી પ્રહલાદજી ચં. ૨૦૩ દાધીચ મહાવીરપ્રસાદ શિવદત્તરાય ૧૩૩
દુકાળ” ૨૧૭ દામાણુ હરજી લવજી જુઓઃ “શયદા'
“દુઃખને વિસામો' (૫૬ ભાગ) ૨૩૭ દાલચીવડાની દસ વાર્તાઓ' ૨૨૮
દૂમા ઍલેકઝાન્ડર ૧૦, ૧૭૩-૧૭૬, દાંપત્યસ્તોત્રમ્ ૨૮, ૩૭
૨૧૫, ૩૯૭. દિગ્દર્શન' ૪૦૬, ૪૦૮, ૪૩૩
રકાળ જયેન્દ્રરાય ભગવાનલાલ ૨૦૭, દિલનાં દાન ૨૫૦
૨૦૮ ‘દિલ્હીની સુલતાનાઃ રઝિયા બેગમ
“દષ્ટાન્તકથાઓ' ૩૮૪ ૨૧૫
દષ્ટિપરિવર્તન' ૪૪૯ દિલ્હીમાં ગાંધીજી” (ભા. ૧-૨) ૩૯૯
દેવરસ ૩૯૮
Page #611
--------------------------------------------------------------------------
________________
૬૦૨]
ગુજરાતી સાહિત્યને ઈતિહાસ દેવયાની' ૨૪૫
૧૩૨ દેવળદેવી” ૧૪૧
દેસાઈ મણિલાલ ઈચ્છારામ ૨૩૫ દેવાશ્રયી સૂર્યરામ ૨૧૮
દેસાઈ મણિલાલ ખંડુભાઈ ૧૩૨ દેવીચંદ્રગુપ્તમ્ ” ૧૮૭
દેસાઈ મનુભાઈ જશવંતરાય ૧૪૮ દેવી સંકેત” ઉપર
દેસાઈ મહાદેવ હરિભાઈ ૫, ૩૩૭, દેવીસ્તુતિ” ૧૫ર
૩૫૩, ૩૬૬, ૩૭ર-૩૮૩, ૩૨૩, દેવેન્દ્ર ૩૬૨
૪૦૨, ૪૩૦ દેવો ધાધલ ૫૦૮
દેસાઈ રમણલાલ વસંતલાલ ૧૦૩, દેવોને ખુલ્લો પત્ર' ૨૧૧
૨૧૩, ૨૪૪, ૪૬૦, ૪૭૯–૫૦૪, દેશકીર્તન” ૧૩૦, ૧૪૭
૫૩૩, ૫૫૯ દેશદીવાન ૫૦૮
દેસાઈ રમણીક ૨૩૯ દેશદેશની વાતો” ૨૩૮
દેસાઈ રામપ્રસાદ ૨૧૮ દેશપાંડે પાંડુરંગ ૩૩૮, ૩૮૮
દેસાઈ લલ્લુભાઈ નારણજી ૧૫ર દેશબંધુનું ચરિત્ર' ૨૧૮
દેસાઈ વાલજી ગોવિંદજી ૩૯૪ ‘દેશીનામમાલા’ ૩૭ર
દેસાઈ સોરાબજી મં. ૨૩૭ દેશી શબ્દસંગ્રહ’ ૩૭૨
દેસાઈ હરિપ્રસાદ વ્ર. ૨૩૭–૨૩૮ દેશદીપક' (દિવેદી પ્રભુલાલકૃત) રાપર દેશદીપક' (“વેરાટીકૃત) ૨૪૭
દેસાઈ હઝુમતી ધીરજલાલ ૧૩૪
દેઢડહાપણને સાગર” ૨૧૧ દેસાઈ અંબાલાલ ગે. ૨૦૪ દેસાઈ ઈચ્છારામ સૂર્યરામ ૨૧૪
દેઢ સદીને આર્થિક ઈતિહાસ ૩૮૯ દેસાઈ કુમારપાળ ૧૫૦
દેશી બેચરદાસ જીવરાજ ૩૬ ૦, ૩૬૧, દેસાઈ કેશવલાલ છે. ૨૩૫, ૨૪૪
૩૭૧-૩૭૨ દેસાઈ ગોવિંદભાઈ ૨૧૮
દેશી મણિલાલ ૨૧૮ દેસાઈ ચંદુલાલ મણિલાલ ૧૪૩-૧૪૪
દોશી મણિલાલ ન. ૨૩૫ દેસાઈ જહાંગીર મા. ૧૫૪
દ્રૌપદીનાં ચીર’ ૩૯૪ દેસાઈ દીપકબા ૧૨૨
દ્રૌપદીસ્વયંવર' (ઓઝા વાઘજી દેસાઈ નટવરસિંહ બ. ૧૫૧
આશારામકૃત) ૨૪૫ દેસાઈ પ્રફુલ્લ કાન્તિલાલ ૨૫-૨૫૫
દ્રિૌપદી સ્વયંવર (શ્રીપાલરચિત) ૩૯૪ દેસાઈ પ્રાણલાલ કીરપારામ ૨૦૦
દ્વારિકાપ્રલય' ૨૬, ૪૦, ૪૭, ૫૦, ૮૭, દેસાઈ મગનભાઈ પ્રભુદાસ ૩૮૭-૩૮૮ દેસાઈ મણિભાઈ ભગવાનજી ૩૯૭
“દ્વિરેફ' જુઓઃ પાઠક રા. વિ. દેસાઈ મણિભાઈ હરિભાઈ “મસ્ત મણિ” “દ્વિરેફની કિશોર વાર્તા ૪૦૭
૯૧
Page #612
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
[૬૦૩ દ્વિરેફની વાતો' (ભા. ૧થી ૩) ૪૦૫, “ધ સાગા ઍફ ઈન્ડિયન કલ્ચર' ૧૯૫. ૪૨૪-૪ર૭, ૪૫૫
ધ સ્ટેટ’ ૧૬ દ્વિવેદી પ્રભુલાલ દયારામ ૨૪૧, ૨૪૮,
ધ સ્ટોરી ઑવ ઈવાન ધ ફૂલ” ૨૭૪ ૨૫૧–૨૫૨, ૨૫૪, ૨૫૫
ધામી મોહનલાલ ચુનીલાલ ૧૩૪ દ્વિવેદી મણિલાલ જ. ૨૩૮
ધાલા જેરાજ અહમદ ૧૫ર દ્વિવેદી મણિલાલ નભુભાઈ ૧, ૨, ૩,
“ધી ઈન્ડિયન થિયેટર ૨૩૮ ૬, ૧૫, ૪૧, ૧૨૬, ૧૪૫, ૨૪૦,
ધીખતે જ્વાળામુખી' ૨૧૫ ૨૪૨, ૨૪૬, ૩ર૭, ૪૧૫
ધીરજ' ૧૩૩ ધ અલી આર્યન ઇન ગુજરાત' ૧૮૫
ધીરજનાં કાવ્ય” ૧૩૩ ધ લેરી ઘંટ વૉઝ ગુર્જર દેશ ૧૯૫
ધીરજલાલ ચિમનલાલ ૨૦૪ ધ ટ્રાવેલર’ ૧૫૨ ધનપાલ ૩૭૨
ધી લાઈટ શાઇન્સ ઇન ડાર્કનેસ
૩૫૪ ધ પ્રોફેટ’ ૩૫૩ ધબકતાં હૈયાં” પ૦૨
ધૂપછાયા ૫૫૧–-પપર ધ માસ્ટર ઓફ મૅન’ ૫૫૫
ધૂમકેતુ’ ૮, ૨૪૪, ૪૦૯, ૪ર૭, ધમ્મપદ ૩૭૨, ૩૯૧, ૪૦૬, ૪૩૨ ૪૪૪, ૫૦૦-૫૩૫, ૫૫૧, પ૫ : ધરતીની આરતી' ૩૬૭
ધૂમકેતુનાં વાર્તારને પ૧ર ધરતીનું લૂણ' ૩૬૫
ધૂમકેતુની ભાવસૃષ્ટિ' ૫૩૩ ધરતીને મથાળે” ૩૯૦
ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ’ ૫૧ર ધ રિલિજ્યન ઑફ જરથુસ્ત્ર’ ૨૨૮ ધૂમ્રસેર' ૨૧૦ ધર્મકીર્તિ ૩૬૨
ધોળકિયા નથુશંકર ઉ. ૧૫૩ ધર્મચક્રપરિવર્તન” ૩૦૧
ધોળશાજી ડાહ્યાભાઈ ૨૪૦–૨૪૩ ધર્મનાં પદો' ૩૭૨
૨૫૫ ધર્મનિષ્ઠા' ૧૪૮
કું ગટુલાલ ૨૩૮ ધર્મની ભૂમિકા” ૨૦૭
ધ્રુવ આનન્દશંકર બાપુભાઈ ૧, ૨, ધર્મને જય” ૨૩૬
૩, ૫, ૮૩, ૧૦૨, ૧૦૩, ૧૧૦“ધર્મ પ્રદીપ” ૨૩૪
૧૫૩, ૧૫૪, ૩૨૭, ૩૭૭, ૩૮૩, ધર્મવીર' ૨૪૩
૪૦૧, ૪૦૪, ૪૦૬, ૪૦૭,૪૦૮, ધર્માલ્યુદયમહાકાવ્ય” ૨૩૪
૪૧૫, ૪૩૦, ૪૩૩, ૪૩૯,૪૬૪. ધર્મોદય’ ૩૩૬–૩૩૮
૪૬૮, ૫૧૦, ૫૩૩ ધર્મોનું મિલન” ૩૯૬
ધ્રુવ કેશવ હર્ષદ ૨, ૩, ૮૧, ૮૨ ધ લેઈક ઑફ પામ્સ” ૨૧૮
૧૧૩, ૩૮૩, ૪૧૬, ૪૨૦, ૪૭૪
Page #613
--------------------------------------------------------------------------
________________
-૬૦૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ૪૭૫
નરસિંહ મહેતા” ૨૪૫ ધ્રુવ દુર્લભ શ્યામ ૨૩૭
“નરસિંહયુગના કવિઓ૧૯૩ ધ્રુવદેવી પર
“નરસિંહરાવની રાજનીશી” ૩૮૧, “ધ્રુવસ્વામિનીદેવી” ૧૮૨, ૧૮૭
૪૪૧ ધ્રુવ હરિ હર્ષદ ૨, ૬, ૧૫, ૪૧, નરસૈયે-ભક્ત હરિને ૧૯૩
૧૦૨, ૧૦૩, ૧૧૫, ૧૧૭, ૧૩૨ નરેલા હરદાન ૧૫૦ ધ્વજારોપણ અથવા બારડોલીને નર્મગદ્ય' ૪૬ ૩, ૫૦૯, ૫૧૦ ધનુષ્યટંકાર” ૧૨૮
નર્મદ ૧, ૨, ૫, ૬, ૨૨, ૩૫, ૪૧, વન્યાલેક” ૪૫૫, ૪૭૮
૫૦, ૭૦, ૮૧, ૯૫, ૧૦, ૧૦૩, નગદ સ” ૨૪૮
૧૦૪, ૧૦૯, ૧૧૪, ૧૧૫, ૧૩૨, નગરકર દુ. વિ. ૨૪૪
૧૪૮, ૨૨૪, ૨૨૯, ૨૪૦, ૨૪૨, નગર વૈશાલી પર
૨૪૪, ૨૭૩, ૪૦૯, ૪૪૭, ૪૬૦, “નગ્ન સત્ય” (ભા. ૧-૨) ૫૦૪
૪૬૫, ૪૬૩, ૪૬૮, ૫૧૦, ૫૧૧, નઘરોળ” ૩૬૭
૫૩૯ નજરઃ લાંબી અને ટૂંકી” ૨૦૬ નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યનઝીર ૧૫૩
પ્રણેતા' ૪૦૬, ૪૦૯, ૪૩૫ નદી સૈયદ અબુ ઝફર ૨૩૬
નર્મદઃ અર્વાચીનોમાં આદ્ય' ૧૯૩ નનામિયાં રસૂલમિયાં ૧૫ર
નર્મદનું મંદિરઃ ગદ્યવિભાગ ૪૬૩ નભોવિહાર' ૪૦૬, ૪૧૩, ૪૧૪, નર્મદનું મંદિરઃ પદ્યવિભાગ’ ૪૬૩ ૪૩૫
નર્મદાશંકર કવિ” ૪૦૪, ૪૦૬ નયગાંધી જયરામદાસ જે. ૨૩૯ નવગીત” ૨૨૯ -નયચંદ્રસૂરિ ૩૭૧
નવજીવન” (પાદરાકર મ. મકૃત) નયનનાં નીર’ ૨૩૬
૧૨૩ નય્યર સુશીલા ૩૯૭
‘નવજીવન” (“વૈરાટીકૃત) ૨૪૭ નરકેસરીરાવ શંભુનાથ' જુઓ : ‘નવજીવન-વિકાસવાર્તા ૩૯૭ ખબરદાર અ. ફ.
‘ટ નવી વાતો' ૨૧૧ નરપતિ ૨૨૮
નવલગ્રન્થાવલિ ૩૯૩ નરવીર લાલાજી ૫૬૧
નવલગ્રન્થાવલિ' (તારણ) ૧૪૬ નરસિહનું જીવન” ૧૨૯
નવલરામભાઈ ૮૨, ૧૦૦ નરસિહ મહેતા ૪૧, ૫૮, ૬૯, ૭૧, નવલશા હીરજી ૨૪૭ ૮૮, ૯૭, ૨૨૩, ૩૨૪, ૨૩૪, નવલાં દર્શન અને બીજા લેખો' ૩૬૬ ૪૦૬, ૪૩૩
“નવવલરી” ૧૩૦
Page #614
--------------------------------------------------------------------------
________________
નવાબ સારાભાઈ ૨૩૫
‘નવા યુગની વાર્તા' ૨૨૦ ‘નવાં ગીતા' (ભા. ૧-૨) ૧૨૪ ‘નવાં વિવેચના' ૨૩૧
નવી ગરબાવળી’ ૧૨૪ ‘નવીન યુગ’૨૫૧
‘નવીન સુંદર ચતુર સ્ત્રીવિલાસ મનહર’
૧૫૩
‘નવુ ને જૂનુ” ૨૪૮
‘નવા અવતાર’ (ભા. ૧થી ૩) ૪૬૩ નવા સંસાર' ૧૪૫
નસીબ ફેરવવાની કળા' ૨૨૦–૨૨૧
નળાખ્યાન ૪૦૮-૪૦૯ ‘નળાખ્યાન’ (દેસાઈ મ. પ્ર.સંપાદિત)
૩૮૮
ન દનિકા' ૧૦૨, ૧૦૫, ૧૦૭
નંદશંકર જીવનચિત્ર' ૨૧૬
નાકર ૨૨૪
નાકરચરિત' ૨૨૩
નાગરદાસ અમરજી ૧૫૧
‘નાગાનન્દ’૨૩૫
નાચીજ આદમ ૨૩૬
‘નાજુક સવારી’ ૪૪૭
‘નાટચરસ' ૪૩૭–૪૩૮
‘નાટવિવેક’ ૨૦૯
‘નાટયશાસ્ત્ર’ ૫, ૪૫૧, ૪૫૫
સંદર્ભ સૂચિ
‘નાદરૂપ’ ૨૩૮
નાનજીઆણી કરમાલી રહીમભાઈ ૨૩૬ નાનજીઆણી મુહમ્મદહુસેન બલસારવી
૨૩૭
‘નાનસેન’ ૩૯૦ ‘નાના ફડનવીસ' ૫૦૩
[ ૬૦૫.
નાનામિયાં રસૂલમિયાં ૨૩૬ નાનાસાહેબ અથવા સ્વધર્મ માટે પ્રાણાપણુ’ ૨૧૪ નામાનાં તત્ત્વા’ ૩૪૯.
નાયક અમૃત કેશવ ૧૪૨
નાયક બાપુલાલ ૨૪૬-૨૪૭ નાયક વસંત ૨૫૫
‘નારદ’જુએ કાંટાવાળા મટુભાઈ
૨૨૨ ‘નારીકુ’જ’૨૧૯ નારીગૌરવના કવિ' ૩૩
નાહટા ભવરલાલ ૩૭૧ નિકષરેખા’ ૪૫૭, ૪૭૮, ૫૬૩ નિકુંજ’ ૫૧૨
નિકાલસ નિકક્ષ્મી' ૩૯૭
‘નિજકુંજ' ૧૪૩
નિજામુદ્દીન નૂરુદ્દીન ૨૩૭ નિજમુદ્દીન પીરસાહેબ ૧પર ‘નિત્યનેા આચાર' ૪૦૬, ૪૩૨
‘નિપુણુચંદ્ર’૨૪૯
‘નિબધ અને ગુજરાતી નિબંધ' ૪૩૬
‘નિબંધમાલા' ૪૬૩
‘નિર’જન’ ૫૫૫
‘નિર્ગુણુ’ ૧૩૫
‘નિગ્રન્થ સૌંપ્રદાય' ૩૬૨ ‘નિર્ઝરિણી’ ૧૧૬, ૧૧૮ નિર્ભીય ભીમવ્યાયામ? ૧૫૨ ‘નિવૃત્તિવિનાદ’ ૨૦૭ નિવાપાંજલિ' ૩૮૮ નિવેદિતા' ૫૦૮
નિશીથ' ૪૩૯ નિહારિકા' ૫૦૨
Page #615
--------------------------------------------------------------------------
________________
F૦૬ ]
નીતિ અને ધર્મ : કેટલીક પ્રાચીન
વાર્તાઓ' ૩૯૬ નીતિવિચાર’ ૨૩૭ નીતિશતક' ૧૫૨ નીતિશાસ્ત્ર' ૨૦૮
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
નીલકંઠે મહીપતરામ રૂપરામ ૨, ૫૩૯ નીલકંઠ રમણભાઈ મહીપતરામ ૨,
૩, ૫, ૬, ૮૨, ૨૦૯, ૨૧૧, ૨૧૮, ૨૪૦, ૨૪૨, ૨૪૬, ૪૦૯, ૪૪૩, ૪૬૮
નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ ૨૧૮
૨૧૯, ૩૩૬ ‘નીલનેની’ ૨૩૫
નીલમ અને પેાખરાજ' ૪૪૭ ‘નીલમણિ’૨૪૫
-‘નૂતનશ્રી’ ૧૩૫
નૂરે સુખન' ૨૩૬ નૃત્યરત્નાશ’(ભા. ૧-૨) ૪૫૬ ‘નૃસિંહસાર' ૩૮૬ નૃસિ’હાચાય ૧, ‘નેપસેક’૨૦૪ ‘નૈપેાલિયન’ ૨૫૦
નેહરુ જવાહરલાલ ૨૬૭, ૩૭૪, ૩૭૫, ૩૭૮, ૩૭૯, ૩૯૭
નેહરુ મેાતીલાલ ૩૭૪
નૈવેદ્ય' ૪૭૩, ૪૭૪, ૪૭૫, ૪૭૭ નેાઈસ વિલRsિ૩૬૫ નૌતમલાલ સાહિત્યવિલાસી' ૨૫૪
‘ન્યાયનાં વેર' રપર
ન્યાયવિજયજી ૨૩૪
ન્યાયાવતાર' ૩૬૨ -ન્યાયી નરેશ' ૨૫૦
ચં. ૪
ન્હાના ન્હાના રાસ' (ભા. ૧થી ૩)
૨૦, ૨૪, ૨૬, ૨૮, ૩૯ ન્હાનાલાલ ૧, ૩, ૫, ૬, ૯, ૧૦,
૧૨–૧૦૦, ૧૨, ૧૦૫, ૧૦૬, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૧, ૧૨૦, ૧૨૩ ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૨, ૧૩૩, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૨૦૭, ૨૨૦, ૨૨૧, ૨૩૮, ૨૪૪, ૨૪૯, ૨૫૦, ૩૩૬, ૩૫૩, ૪૦૪, ૪૦૯, ૪૩૦, ૪૪૪, ૪૪૬, ૪૬૪, ૪૯૮, ૫૦૨, ૫૧૫, ૧૩૩, ૫૪૬, ૫૪૮ ન્હાનાલાલ કવિની જીવનષ્ટિ' ૪૪૬ ‘ન્હાનાલાલ શતાબ્દી ગ્રન્થ' ૧૦૦ ન્હાનાલાલ શતાબ્દી સ્મૃતિ વિશેષાંક’ (ગ્રંથ') ૧૦૦
‘-ન્હાનાલાલ સુવર્ણમહાત્સવ અંક' (કૌમુદી) ૧૦૦
ન્હાનાલાલ સ્મારક ગ્રન્થ' ૪૩૩ ‘પગદંડી' ૫૩૦-૫૩૧ પચાસ ધર્મસ વાદા' ૩૧ પચીસસે વર્ષ પૂર્વેનું હિંદુસ્તાન’૨૧૪ પટેલ ઇબ્રાહીમ દાદાભાઈ ‘એકાર’ ૨૧૨ પટેલ ખત્રી ઇબ્રાહીમ ૨૩૪ પટેલ ગેાપાલદાસ જીવાભાઈ ૩૯૬-૩૯૭ પટેલ ગાવિંદ હ. ૧૨૫
પટેલ ચતુરભાઈ ઉમદભાઈ ૧૩૫ પટેલ ચતુરભાઈ શંકરભાઈ ૧૩૦
પટેલ ચંદુલાલ ૩૯૯
પટેલ જીવાભાઈ અ. ૧૩૫
પટેલ ડાહ્યાભાઈ લ. ૧૨૨, ૨૦૦
Page #616
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[ ૬૦૭ પટેલ નરસિંહભાઈ ઈ. ૨૩૫ પરણુ પ૨૯ પટેલ નાગરદાસ ૧૫ર
પવિની” ૧૪૮ પટેલ નાગરદાસ ઈ. ૧૩૦, ૨૩૮
પદ્મિની અથવા ભસ્મીભૂત ચિત્રો' ૨૧૪ પટેલ નેહાનાલાલ દલપતરામ ૧૩૪
પદ્યરચનાની ઐતિહાસિક આલેચના પટેલ પન્નાલાલ ૮, ૪૭૮, ૫૬૦,
૩, ૪૧૬ ૫૬૨
“પનુકાવ્ય” ૧૪૮ પટેલ બેચરલાલ ત્રિકમજી “વિહારી ઉપરકમા” ૫૬૦ ૧૩૪
પરભવની પ્રીત' ૨૫૩ પટેલ ભોળાભાઈ ૫૦
પરમ સખા મૃત્યુ ૩૩૨ પટેલ મગનભાઈ ચતુરભાઈ ૧૪૧-૧૪૨ પરમાર અમરચંદ ૧૫૩ પટેલ મગનભાઈ જે, ૩૩૮
પરમાર કિશનસિંહ વૃદ્ધિસિંહ જુઓઃ પટેલ મગનલાલ શં. ૨૩૭
મુનિ જિનવિજયજી પટેલ મણિબહેન વલભભાઈ ૩૯૯ પરમારથ-સાર ૧૫૩ પટેલ રાવજીભાઈ મણિભાઈ ૨૭૬, પરમાર દેશળજી ૧૨૮-૧૨૮, ૧૫૪ ૩૦૧-૩૯૨
પરશુરામવિજય” ૨૩૭ પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ ૩૭૫,
પરાજય” પર૧, પર૨, પર૩, પર૪ ૩૦૭, ૩૭૯, ૩૦૮, ૩૯૯૪૦૨, પરાધીન ગુજરાત” પરર ૪૨૯
પરિભ્રમણ (ભા. ૧થી ૩) ૪૩૬, પટેલ શિવાભાઈ ગોકળભાઈ ૩૮૯ ૫૬૦, ૫૬૩ પટ્ટણ પ્રભાશંકર દ. ૧૪૯
પરિશીલન' ૪૬૫, ૪૭૮ પઠાણ અબ્દુલ સતારખાન ૨૩૭
પરિશેષ ૫૧૨ પડદા પાછળ” ૨૦૨
પરિહાસ” ૨૩૨ પડી પટોળે ભાત” ૨૫૩
પરી અને રાજકુમાર’ ૪૯૯ પઢિયાર અમૃતલાલ સુંદરજી ૪૩, ૪૬, પરીખ નરહરિ દ્વારકાદાસ ૩૩૭, ૩૪૧, ૭૭, ૨૨૦-૨૨૧
૩૪૫, ૩૬૬, ૩૭૩, ૩૭૫, ૩૭૮, પતંજલિ ૭૧
૩૮૧, ૩૮૬, ૩૯૩, ૪૦૨, ૪૦૬, ‘પતિના વાંકે' ૨૫૦
૪૩૩ ‘પત્રદૂત” ૧૪
પરીખ રસિકલાલ છોટાલાલ ૪, ૫૩, પથપ્રદીપ” ૧૫૪
૧૦૦, ૩૬૨, ૩૭૨, ૪૦૬, ૪૦૩, પથિકનાં પુષ્પ” ૨૩૦
૪૦૬, ૪૨૦, ૪૩૨, ૪૫૦-૪પ૭ પથિકની સંસ્કારયાત્રાઓ' ૨૩૧ પરોપકારી પુરુષ અને દંભીદાસનું ‘પદ્ધ અને પોયણું ૩૯૮
રાજીનામું ૨૦૪
Page #617
--------------------------------------------------------------------------
________________
૬૦૮ ]
૩૮૯
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ પર્વતસિંહ હમીરસિંહ ૨૪૪
પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર ૪, ૧૫૭, પર્વમહિમા” ૩૯૮
૨૨૭–૨૨૮ પષણ' ૪૩૬
પંડયા નર્મદાશંકર બાલાશંકર ૧ર૭, પલકારા” પપ૩–૫૫૪ પલાણ નરોત્તમ ૪૭૮
પંડયા નવલરામ લક્ષ્મીરામ ૨, ૮૧, પવિત્ર મુની ૨૦૪
૧૪૬, ૨૪૦, ૨૪૨, ૩૮૩, ૪૦૯, પહેલું પાનું ૪૪૯
૪૨૨, ૪૪૮, ૪૬૮ પહેલો કલાલ પર
પંડ્યા નાગરદાસ રેવાશંકર ૧૪૦ પંકજ' ૫૦૦
પંડયા બુલાખીરામ રણછોડ ૧૩૨ પંચતંત્ર' ૩૯૪
પંડયા મનસુખરામ કાશીરામ ૧૩૨ “પંચદંડ' ૨૨૮, ૨૩૪
પંડયા માર્તડ ૩૭૫ પંચદંડ ને બીજ કાવ્યો” ૨૩૩ પંડયા યશવંત સવાઈલાલ ૨૦૨-૨૦૩, પંચાખ્યાન” ૨૩૪
૨૪૪ “પંચામૃત' .૧૫૩
પંડયા રંજિતલાલ હરિલાલ કાશ્મલન પંચાલ ગોવર્ધન ૪૦૬, ૪૩ર
૧૨૯ પંચોળી હિંમતલાલ જગન્નાથ ૧૩૫ પંડથી શંકરલાલ મગનલાલ પંડિત અંબાલાલ ૨૫૩
(“મણિકાન્ત') ૧૨૩ પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવન- પંડ્યા શાંતિકુમાર ૧૩૪ ચરિત્ર” ૨૧૮
પાઈઅ-૧૨છી-નામમાલા” ૩૭૨ પંડિત ગુરુદત્ત વિદ્યાથીનું જીવન- પાઈઅ-સમહષ્ણ' ૩૬૦ ચરિત્ર” ૨૨૭
પાઉન્ડ એઝરા ૧૦ પંડિત જગન્નાથ ૯,૪૧૨
પાગલ” જુઓઃ ત્રિવેદી મણિલાલ ત્રિ. પંડિત ભગવાનલાલ ઇદ્રજીનું જીવન- પાગલ હરનાથ ૧૨૭, ૩૯૮ ચરિત' ૨૨૫-૨૨૬
“પાટણની પ્રભુતા” ૧૫૮, ૧૬૩, ૧૬૬, પંડિત શિવપ્રસાદ દ. ૨૧૮
૧૬૭, ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૧૭૨, પંડિત સુખલાલજી ૪, ૩૩૯, ૩૬૦- ૧૭૪, ૧૭૫
-૩૬૩, ૩૬૮, ૩૭૨, ૪૫૦, ૪૫૬ પાઠકજી ચંદ્રિકા ૧૪૯ પંડયા ઉપેન્દ્ર છે. ૪૭૭
પાઠકજી જનાર્દન ૨૪૪ પંડયા કમળાશંકર ૩૯૮
પાઠકજી જયમનબહેન ૧૪૮ પંડયા કાન્તિલાલ છ. ૪, ૧૫૭, ૨૧૬ પાઠકજી મેશચંદ્ર જનાર્દન ૨૦૮, પંડયા કૃપાશંકર ઝીણુભાઈ ૧૪૮
૨૩૨ પંડ્યા ગજેન્દ્ર લાલશંકર ૧૨૯
પાઠક પ્રભાશંકર જન્મશંકર ૧૪૯
Page #618
--------------------------------------------------------------------------
________________
પાઠક પ્રાણુજીવન વિશ્વનાથ ૨૦૧ પાઠક રામનારાયણ વિશ્વનાથ ૪, ૫,
સદભ સૂચિ
૧૦૩, ૧૦૪, ૧૦૮, ૧૫૪, ૨૦૨, ૩૧૩, ૩૨૭, ૩૩૮, ૩૪૬, ૩૯૧, ૩૪, ૪૦૧–૪૩૬, ૪૫૦, ૪૫૧, ૪૫, ૪૫૯, ૫૩૨ પાઠક વિશ્વનાથ સદારામ ૧૫૨, ૪૦૧ પાઠક હીરાબહેન ૧૧૪, ૧૫૪, ૩૦૪,
૪૦૩, ૪૦૬, ૪૧૯, ૪૨૭, ૪૩૩ ‘પાઠસંચય’૩૯૩
પાત જલ યોગસૂત્ર' ૩૬૨ પાતાળપ્રવેશ' ૩૯૦ પાદરાકર મણિલાલ મેાહનલાલ ૧૨૩,
૧૩૪
પાનગાષ્ઠિ' ૫૩૦
“પાનદાની’ ૨૩૪
પાપની દશા' ૨૩૭
પાયાની કેળવણીના પ્રયોગ' ૩૮૯ પારસના સ્પર્શે’ ૪૪૭
પારસી લગ્નગીતા–ગરબા' ૧૫૨ પારિજાત' ૪૭૬ પરિભાષિક શબ્દકાશ' ૪૬૩
પારેખ નગીનદાસ ૩૫૬, ૪૦૪, ૪૦૬,
૪૨૨, ૪૩૨
પારેખ ભીમજી હરજીવન ‘સુશીલ’ ૨૩૮ પારેખ હીરાલાલ ત્રિ. ૨૨}
‘પારેવાં’ ૨૨૯
પાÖતી પરિણય' ૧૫૧
પાલિ પાઠાવલિ' ૩૭૦
પાર્લ્સેવ ૯
પાવાગઢ′ ૫૦૩
પાંખડીએ' (ગાંધી ચિ. મેાકૃત)
ગુ. સા. ૩૯
[F૦૯
૧૨૯
પાંખડીએ' (ન્હાનાલાલકૃત) ૨૨,
૭૬-૭૭, ૪૬૪ ‘પાંખડીએ’ (‘શયદા’કૃત) ૧૪૫ ‘પાંચ પ્રેમકથાઓ’ ૨૨૭ પાંડવગુપ્તનિવાસ’ ૧૫૨ પિંગળપ્રવેશ' ૪૦૬, ૪૧૯ પીડાગ્રસ્ત પ્રફેિસર' ૧૮૨, ૧૮૬ પીરજાદા સૈયદ સદરુદ્દીન ૨૩૬ પીર હજરત સૈયદ પીર મશાયખ કાસિ
મશાહ ૨૩૫
‘પુણ્યકથા’ ૫૬, ૫૭, ૬૬, ૬૭ પુણ્યવિજયજી ૨૩૪ ‘પુત્રસમેાવડી' ૧૮૨, ૧૮૮
‘પુનર્જન્મ’ ૨૪૫
‘પુરંદર-પરાજય’ ૧૫૮, ૧૮૨, ૧૮૭,
૧૮૮
“પુરાણુવિવેચન” ૨૨૫
પુરાણી અંબાલાલ બાલકૃષ્ણે ૬, ૨૩૦—
-૨૩૧
પુરાણી છેટાલાલ બાલકૃષ્ણ ૨૩૦ ‘પુરાણીના પત્રા’ ૨૩૧ ‘પુરાતન જ્યાત' ૫૪૩ ‘પુરાતન પ્રખંધસંગ્રહ' ૩૭૧ પુરુષોત્તમદાસ ત્રિકમદાસ ૨૪૪ પુરુષાત્તમ વિશ્રામ માવજી ૨૧૫ ‘પુરાવયન અને વિવેચન’ ૪૩૬, ૪૫૫ પુરાહિત નર્મદાશંકર ભે. ૨૩૫ પુલામા અને ખીજાં કાવ્યો' ૧૨૨,
૧૪૩
‘પુષ્પસેન-પુષ્પાવતી' ૨૪૨ પુષ્પાંજલિ' ૧૩૦
Page #619
--------------------------------------------------------------------------
________________
૬૧૦]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ પુષ્પોની સૃષ્ટિમાં ૪૯૯
“પ્રતાપપાંડવ” ૩૦૯ ‘પુંડલિક' ૨૫૪
“પ્રતાપલક્ષ્મી” ૨૪૩ પૂજા અને પરીક્ષા' ૪૫૮, ૪૫૯, પ્રતિબિંબ ૫૧૨ ૪૬૪, ૪૭૮
પ્રતિમાઓ પ૫૩–૫૫૪ ‘પૂજારિણું' ૬૩
પ્રદીપ’ ૫૧૨ પૂજારીને પગલે ૨૧૨
પ્રબંધ કેશ” ૩૭૧ પૂર્ણયુગ” ૨૩૧
“પ્રબંધચિંતામણિ ૩૭૧ પૂણિમા ૪૮૧,૪૮૩, ૪૮૬, ૪૮૯- “પ્રબોધચંદ્રોદય” ૧૫ર ૪૯૨, ૫૦૩
પ્રબોધબત્રીશી' ૨૨૮ પૂર્વ આફ્રિકામાં ૩ર ૬
“પ્રબોધબત્રીશી અથવા માંડયું બંધારાપૂર્વરંગ' ૩૩૭
નાં ઉખાણું” ૨૨૯ પૂર્વાપર’ ૪૭૮
પ્રભાચંદ્રાચાર્ય ૩૭૧ ‘પૂર્વાલાપ' ૪, ૪૦૬, ૪૦૮, ૪૦૯, પ્રભાતના રંગ' ૪૪૭ ૪૨૦, ૪૩૩
“પ્રભાતને તપસ્વી' અને “કુટદીક્ષા પૃથિવીવલ્લભ ૧૫૮, ૧૬૩, ૧૬૯
૧૨, ૧૦૫ ૧૭૦
“પ્રભાવકર્યારિત’ ૩૭૧ “પૃથુરાજરાસા૯, ૧૪૧
પ્રભાસ્કર જનાર્દન હાનાભાઈ ૧૨૬, પૃથ્વીરાજ ચૌહાણ ૨પર
૧૨૮ “પૃથ્વીરાજ રાઠોડ' ૨૪૫
પ્રભુચરણે ૧૨૪ પેટલીકર ઈશ્વર ૫, ૮, ૨૧૩
પ્રભુ પધાર્યા ૫૫૭-૫૫૮, ૫૫૯ પેરેડાઈઝ લેસ્ટ’ ૫૧.
“પ્રભુપ્રસાદી” ૧૪૭ પેંડસે શ્રી. ના. ૨૧૫
પ્રમાણમીમાંસા' ૩૬૨ પઢામણું ૧૩૩
પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા” ૩૯૪ પોયણું ૨૦૭
પ્રિલય ૪૮૭, ૪૯૪-૪૭, ૫૦૩, પરસ-સિકંદર” ૨૪૩
પ્રવીણસાગર” ૧૫ પૌરાણિક નાટકે' ૧૭૦, ૧૭૮, ૧૮૨,
“પ્રવેશિકા” ૩૮૮ ૧૮૭-૧૮૧
“પ્રસાદ ૧૩૦ hયારેલાલ ૩૯૭
“પ્રસૂનાંજલિ” ૧૨૬ પ્રકાશિકા' ૧૦૨, ૧૦૫, ૧૫૩
પ્રસ્તાવમાળા’ ૧૦૦ “પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુ’ ૪૪
‘પ્રલાદ ૩૮૫ પ્રણયમંજરી” ૧૨૩
પ્રાકૃત કથાસંગ્રહ ૩૭૦ પ્રણવભારતી” ૨૩૮
પ્રાકૃત માર્ગોપદેશિકા' ૩૭૨
Page #620
--------------------------------------------------------------------------
________________
સંદર
[૬૧૧ પ્રાકૃત વ્યાકરણ ૩૭૨
પ્રેમપ્રભાવ” ૧૯૯ પ્રાચીન કવિઓ અને એમની કૃતિઓ પ્રેમભક્તિ' જુઓ ન્હાનાલાલ ૨૩૯
પ્રેમભક્તિ ભજનાવલિ ૨૮ પ્રાચીન ગુજરાતના ઇતિહાસ માટેની “પ્રેમલીલા' (ભા. ૧) ૨૨૯ સાધનસામગ્રી' ૩૭૦
પ્રેમવિજય’ ૨૫૧ ‘પ્રાચીન ગુજરાતી દેઃ એક ઐતિ. પ્રેમવિલાસી જુઓઃ મણિલાલ હરહાસિક આલોચના ૪૦૪, ૪૦૬,
ગોવિંદ, ૪૧૨, ૪૧૪, ૪૧૬, ૪૩૫
પ્રેમશતસહી' ૧૪૮ પ્રાચીન જિન લેખસંગ્રહ’ (ભા. ૧-૨)
પ્રેમસખી' જુઓઃ પ્રેમાનંદસ્વામી ૩૬૮
પ્રેમાનંદ ૫૪, ૫૫, ૮૧, ૮૪, ૧૨૯, પ્રાચીન પિંગલ નવી દષ્ટિએ ૪૧૭ ૨૨૨, ૨૩, ૨૪, ૨૩૩, ૪૦૮, “પ્રાચીન બૌદ્ધકથાઓ' ૩૯૬
૪૦૬, ૪૧૫ પ્રાચીન ભારતમાં શિક્ષણ” ૪૭૭ પ્રેમાનંદકૃત રણયજ્ઞ અને વજિયાત પ્રાચીન શીલકથાઓ” ૩૯૬
રણજગ” ૨૩૩ પ્રાચીન સાહિત્ય ૪૩૯, ૪૭૬ પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન પ્રાણચિકિત્સા ૧૨૮
પ્રેમાનંદસ્વામી ૩૫ પ્રાયશ્ચિત્ત' ર૦૪
એમાંજલિ ૧૩૦ પ્રાસંગિક પ્રતિસાદી ૩૩૭
“પ્રેમ” જુઓઃ ઓઝા કાશીરામ પ્રાંતીજવાલા “મનસ્વી જુઓઃ ભટ્ટ
ભાઈશંકર ચિમનભાઈ
પ્રો. ઘેડે કેશવ કવેનું ચરિત્ર ૨૧૯ “પ્રિયકાન્ત’ ૧૨
મિથિયસ અનબાઉન્ડ પ૭ પ્રિયદર્શિકા” ૧૫ર
પ્રૌઢશિક્ષણ ૩૮૮ પ્રિયદર્શી અશોક પર૨, પ૨૮ પ્લેટે ૨૦૨, ૩૪૫, ૪૧૧ પ્રિયદર્શી સમ્રાટ અશાક પર૨
લેટેનું આદર્શ નગર ૨૦૨ પ્રેમકળા” ૨૪૩
ફઈબાકાકી” ૨૦૮ પ્રેમકુંજ' ૨૦, ૫૬, ૫૭, ૬૩, ૬૪, ફર્સ્ટ ડિસ્ટિલર ૪૫૧ ૬૫, ૬૬, ૬૭, ૬૯
ફાઉસ્ટ' પ૭, ૧૧૨ “પ્રેમગીત” ૧૩૦
ફારસી-અરબી શબ્દકેશ” ૨૩૭ પ્રેમનાં ઝરણું ૧૩૨
ફારૂકી અમરમિયાં હ. ૨૩૭ પ્રેમનું મૂલ્ય ૪૫ર
ફાર્બસઃ જુઓ ફોર્મ્સ ઍ. કિ. પ્રેમને શિકાર” ૨૩૬
ફાર્બસચરિત્ર” ૭૭ પ્રેમપંથ' (ભા. ૧થી ૧૦) ૩૮૪ ફિશર લૂઈ ૩૯૬
Page #621
--------------------------------------------------------------------------
________________
૬૧૨) ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪ ફૂલકણું ૧૩૪
બાજીરાવ પેશ્વા” (ત્રાપજકરકૃત) ૨૫૩ ફૂલપાંદડી' ૮૨, ૨૩૮
બાજીરાવ પેશ્વા (‘પાગલ’કૃત) ૨૫૦ ફૂલવાડી ૧૩૧, ૧૩૩
બાણ ૪૩૯ ફૅન્સી ફારસો' ૨૧૧
બાણકવિ ૧૫૧ ફોરમ” ૨૧૯
બાદરાયણ” ૧૦૫ ફરમલહરી' (ભા. ૧ થી ૧૨) ૨૩૮ બાનવા ઈમામશાહ લા. ૨૩૬ ફોર્મ્સ એલેક્ઝાંડર કિનલેક ૭૮, ૫૩૯ બાપુના આગાખાન મહેલમાં એકવીસ
દિવસ” ૩૭ ફાન્સ આનાતોલ ૪૫૯ ક્રોઈડ ૧૧, ૧૮૪
બાપુના પત્રો – ૮: શ્રી નારણદાસ ફલોરેન્સ નાઇટિંગેલનું જીવનચરિત્ર ગાંધીને (ભા. ૧) ૩૦૮ ૨૧૯
બાપુના પત્રો – ૫ કુ. પ્રેમાબહેન કંટકને
3०८ બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર ૧૦૬, ૧૫૪, ૪૩૭–૪૪૧, પર૬
બાપુની આશ્રમી કેળવણી ૩૮૯ બક્ષી હિંમતરાય ક. ૨૧૭–૨૧૮
બાપુની છાયામાં’ ૩૮૭ બધેકા ગિજુભાઈ ભગવાનજી ૭, ૩૮૪–
બાપુની ઝાંખી” ૩૩૭ ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૪૦૧, ૪૩૦
“બાપુ–મારી મા’ ૩૯૯ બરફીવાલા શાન્તા ૮૨, ૧૫૩
બાપ્પા રાવળ” ૨૪૭ બર્ક ૩૭૩
બાયરન ૯, ૧પર બજેસ પેરી ૩૫૪
બારડોલીના ખેડૂત” ૩૦૩ બર્ન્ડ રસેલની સામાજિક ફિલસૂફી' બારડોલી સત્યાગ્રહને ઈતિહાસ” ૩૭૫ ૨૧૨
૩૭૬, ૩૭૭, ૩૭૮ બવે ગ. ગો. ૧૫૩
બારિસ્ટર” ૨૪૩ બલવંતસિંહ ૩૯૭
બારોટ ચૂનીલાલ પુરુષોત્તમ ૩૯૪ બલસારી કેતકી ૩૫૯
બાલકની માગણી ને હઠ ૩૮૭ બળદેવ હરિકૃષ્ણ ૧૫૧
બાલચરિત’ ૪૨૭ બળેલી રસ્સી ૨૪૮
બાલચંદ્ર ૧૫ર બંગકેસરી’ ૩૮૪
બાલચારિત્ર્ય ૩૮૭ “બંગભંગ” ૨૧૭
બાલશિક્ષા' ૩૭૧ બંગાળને નવાબ' ૨૫૦
બાલસમ્રાટ’ ૨૫૪ બંસરી” ૪૮૧, ૫૦૧
બાળકાવ્યમાળા’ ૧૩૪ “બાઈબલ” ૭૨, ૨૫૯, ૨૬૬
બાળકાવ્યો' ૪૫, ૧૦૦ બાગે બેહસ્ત” ૨૦૩
બાળકના ગાંધીજી ૩૮૫
Page #622
--------------------------------------------------------------------------
________________
બાળકાનાં રમકડાં' ૩૮૭ બાળકાને વાર્તા કેમ કહેશે। ?' ૩૯૦ બાળકાના પાકાર' ૩૯૨ ‘બાળગીતાવલી’ ૧૨૪, ૧૨૫ બાળવાડી' (ભા. ૧થી ૩) ૧૪૭ બાળવાર્તાની વેણીઓ' ૩૮૭ બ્રાઉનિંગ ૧૦
‘બિનધંધાદારી રંગભૂમિને ઇતિહાસ'
૨૦૯
સંદર્ભસૂચિ
બિરલા ૩૮૯૭ ‘બિલ્વમ ગળ’ ૨૪૫ બિહારની કેામી આગમાં' ૩૯૯ બિહાર પછી દિલ્હી' ૩૯૯ ખીડેલાં દ્વાર' ૫૫૬, ૫૬૩ બુદ્ધ અને મહાવીર' ૩૪૩, ૩૫૬ ‘બુદ્ધુચરિત' (આČલ્ડ એડવિનકૃત) ૨૫૯ ‘બુદ્ધુચરિત’ (કાસ...ખી ધર્માન દકૃત) ૩૮૧ ‘બુદ્ધચરિત્ર' (દોશી મણિલાલકૃત) ૨૧૮ ‘જીહ્નચરિત્રામૃત' ૩૯૪
‘બુહૃદેવ’૨ ૫૧
‘બુદ્ધધર્મ અને સંધ’ ૩૯૧ બુદ્ધ ધૈર્ય ચંદ્ર ૧૫૩ ‘મુદ્દલીલા' ૩૯૧
‘મુદ્દલીલાસારસંગ્રહ’ ૩૯૧ બુદ્ધિનું બજાર' ૨૧૧ ‘બુદ્ધિપ્રકાશ-લેખસંગ્રહ' (ભા. ૧–૨)
[ ૬૧૩
ખૂચ હિરરાય ભગવંતરાય ૨૧૬ ખૂચ હીરાલાલ જાદવરાય ૧૪૮ ‘અહ૪૫′ ૨૩૪ ‘બૃહપિંગલ’ ૨૨૫, ૪૦૫, ૪૦૬,
૪૧૭, ૪૧૮, ૪૩૫, ૪૩૬ ‘બૃહદ્ભજનસાગર’ ૧૫૩ ‘બૃહદ્ વ્યાકરણુ’૨૦૮ મેઈન ૨૩૫
બેકાર' જુએ : પટેલ ઇ. દા. ‘મે ખરાબ જણ' ૧૮૨, ૧૮૩, ૧૮૪
મે ખુદાઈ ખિદમતગાર' ૩૭૫ ખેજ હાટ ૧ ખેતાજ બાદશાહ' ૩૯૪ મે દેશગીતા' ૧૨૪ ‘મેધારી તલવાર’ ૨૧૫ બે નવલકથા' ૩૯ ૬ એ નળાખ્યાન' ૨૨૯ મે નાટકા' ૨૩૯ ખેનાને વીરપસલી' ૧૪૩ બૅન્કર શકરલાલ ૩૯૯ બૈજુ બાવરા' ૪૯૯ ખાઝવેલ ૩૮૦ માઝાંકે (માઝાંકિટ) ૪૦૮ ખાટાદકર દામેાદર ખુશાલદાસ ૪, ૩૫,
૯૮, ૧૦૨, ૧૧૫–૧૨૩, ૧૨૪, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩, ૧૪૩, ૧૪૪, ૪૬૦, ૪૧ ખાટાદકરનાં કાવ્યેા' ૨૩૨ ખાટાદકરની કાવ્યસરિતા’ ૧૫૪
૨૩૨
બુદ્ધિસ્ટ ઇન્ડિયા' ૨૩૨ ખૂચ ગજેન્દ્ર ગુલાબરાય ૧૩૦ ખૂચ જન્મશંકર મહાશંકર જુઓ : ‘લલિત’ ખૂચ વેણીલાલ ૭. ૨૧૮
ખાટાદકર શતાબ્દી ગ્રંથ’ ૧૧૭, ૧૧૮
ખાડાણા ૨૧૫ બોધિસત્ત્વ’ ૩૮૧
Page #623
--------------------------------------------------------------------------
________________
૧૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ , ૪ બારકર ૨૧૬
ભગવાનની લીલા' ૪૭૭ બેરિસદ સત્યાગ્રહ ૩૯૯,
“ભગવાન પરશુરામ” ૧૬૩, ૧૭૮ બેલ કાગળ” ૨૫૪
ભગવાન બુદ્ધ’ ૩૬૭ બૌદ્ધ ગુફાઓ ૨૩૦
ભગવાન મહાવીરના દશ ઉપાસકે’ ૩૭ર બૌદ્ધસંઘને પરિચય” ૩૯૧
ભગવાન મહાવીરની ધર્મકથાઓ' ૩૭૨ બૌધાયન ૧૮૬ કે
“ભગ્નપાદુકા' ૧૬૩, ૧૬૬, ૧૭૩-૧૭૪ બ્રહ્મચર્યાશ્રમ ૧૮૨, ૧૮૪, ૧૮૫ ભજનામૃત” ૧૪૮ બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ ૪૬૫, ૪૭૮, ૫૬૩ ભજનિકા” ૧૨, ૧૦૭ બ્રહ્મભટ્ટ જીવણલાલ ૨૫૫
ભટ્ટ અમૃતલાલ નાનકેશ્વર ૧૨૨, ૧૪૩ બ્રહ્મભટ્ટ મગનલાલ બા. ૧૫૩
ભટ્ટ કિલાભાઈ ઘનશ્યામ ૧૩૬, ૧૫૧બ્રહ્મભટ્ટ રધુનાથભાઈ “રસકવિ” ૨૪૮, ૧૫૨ ૨૫૦–૨૪૧
ભટ્ટ ખીમજી વ. ૧૫૩ બ્રહ્મદેશને પ્રવાસ ૩૨૪
ભટ્ટ ગિરજાશંકર મ. ૨૦૦ બ્રાહ્મધમ” ૨૩૮
ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર ૨૩૯ બૂક સ્ટાર્ડ ૮૨
ભટ્ટ ચિમનભાઈ ૨૪૮ બ્રેકર ગુલાબદાસ ૨૧૦
ભટ્ટ ચૂનીભાઈ ૪૦૧ ભક્ત પ્રહૂલાદ ૨૫૩
ભટ્ટ જયરાશિ ૪૫૬ ભક્ત સુરદાસ” ૨૪૬
ભટ્ટ જયંતકુમાર મ. ૨૧૮ ભક્તિવિજય” ૩૦૯
ભટ્ટ દામોદર જ. ૧૫૩ ભક્તિવિજય' (શુકલ નથુરામ સુંદરજી- ભટ્ટ દે. . ર૧૧ કૃત) ૨૪૫
ભટ્ટ ધીરજલાલ અ. ૨૦૦ ભક્તિગ” ૨૩૦
ભટ્ટ નાનાભાઈ ૭, ૩૮૩-૩૮૪, ૩૮૬, ભગતરાજ” ૨૪ર ભગવતીસૂત્ર” ૩૭૨, ૩૯૬
ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ જુઓઃ ભગવદજજુકીયમ” કર૭, ૪૬૮, ૪૭૭
ભટ્ટ નાનાભાઈ ભગવદ્ગીતાઃ એક અભિનવ દષ્ટિબિંદુ
ભટ્ટ પુરુષોત્તમ જોગીભાઈ ૧૨૨ ૩૮૯
ભટ્ટ પુરુષોત્તમ શિ. ૨૧૮ ભગવદ્ગીતા ઍન્ડ મૅડર્ન લાઈફ' ૧૯૫ ભટ્ટ ભોગીલાલ મ. ૧૫ર ભગવદ્ગીતાજતિ” ૧૪૨
ભટ્ટ મણિશંકર રત્નજી જુઓઃ કાન્ત ભગવદ્ગોમંડલકેશ” ૩૯૯
ભટ્ટ મહાશંકર લલ્લુભાઈ ૧૪૮ ભગવાન કૌટિલ્ય' ૧૬૩, ૧૬૬, ૧૭૦ ભટ્ટ મુનિ કુમાર મણિશંકર ૨૧૦-૧૧૧ –૧૭૧, ૧૭૨, ૧૭૬, ૧૮૩ ભટ્ટ મૂળશંકર મેહનલાલ ૩૬૭, ૩૮૯
( ૪૦૧
Page #624
--------------------------------------------------------------------------
________________
સદભસચિ
[૬૧૫
ભટ્ટ રામપ્રસાદ ૨૫૫ ભટ્ટ રામપ્રસાદ હ. ૨૫૫ ભટ્ટ રેવાશંકર ૧૫૧ ભટ્ટ લલ્લુભાઈ નાનાભાઈ ૧૪૬-૧૪૭ ભટ્ટ વિજય ૨૫૫ ભટ્ટ વિજયશંકર ૨૫૫ ભટ્ટ વિશ્વનાથ મગનલાલ ૪, ૧૧૦,
૧૧૮, ૧૫૪, ૪૧, ૪૫૭-૪૬૪, ૪૭૮, ૪૮૨, ૫૩૩, ૫૬૧, પ૬૩ ભટ્ટ શંકરલાલ ૧૫ર ભટ્ટ સામેશ્વર ૪૫૬ ભટ્ટ હરગોવિંદ કાનજી ૧૩૨ ભટ્ટ હરિકૃષ્ણ બ. ૧૫૩ ભટ્ટ હરિપ્રસાદ ગૌ. જુઓ : મસ્તફકીર ભટ્ટ હરિશંકર મા. ૨૦૩ ભટ્ટ હેમુભાઈ ૨૫૫ ભદ્ર' જુઓઃ દલાલ ચંદુલાલ ભગુભાઈ ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય' ૨૧૪ “ભદ્રભદ્ર' ૨, ૩, ૫, ૨૧૦ “ભદ્વાભામિની' ૨૦૩ “ભયને ભેદ ૩૮૬ ભરત (“નાટયશાસ્ત્રકાર) ૯, ૫૬,
૪૫૧, ૪૫૫, ૪૭૨ ભરદરિયે ૧૪૫ ભરૂચા હાશિમ યુસુફ – “ઝાર રાંદેરી
૨૩૬ ભર્તુહરિ ૧૫ર, ૨૪૫ ભલે ઉગા ભાણું ૫૦૮ ભવાનીશંકર નરસિંહરામ ૨૪૪ ભાઈશંકર નાનાભાઈ ૨૪૪ ભાગ્યચક્ર' પ૦૨ ભાગ્યદય ૨૪૩
ભાગ્યોદય ભૂમિકા–૧ ૧૪૮ ભાજીવાલા રૂસ્તમ છે. ૧૫૩ ભાટિયા જમનાદાસ મોરારજી જામન”
૨૪૭, ૨૪૮, ૨૫૪ ભણિદાસ ૧૦૬ ભાયાણુ હરિવલ્લભ ૩૭૧, ૪૧૭ ભારતદુર્દશા નાટક' ૧૪૨ ભારતના સર્પો ૩૯૮ “ભારતના સંતપુરુષો” ૨૧૮
ભારતનાં સ્ત્રીરો ” (ભા. ૧થી ૩) ૨૧૮ “ભારતને ટંકાર” ૬, ૧૨, ૧૦૩,
૧૦૭, ૧૦૯, ૧૫૪ “ભારત ભારતી” ૧૪૫
ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત પર “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને
લેખનકલા” ૨૩૪ “ભારતીય તત્વજ્ઞાનની રૂપરેખા ૩૯૬ ભારતીય તત્વવિદ્યા' ૩૬૧ ભારતીય પુરાતત્ત્વ” ૩૭૧ ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ” ૨૨૬ ભારતીય સંસ્કૃતિ” ૫૦૪ ભારતીય સંસ્કૃતિને ઉજ્ઞાતા ૩૩૬ ભારેલા અગ્નિ જ૮૧, ૪૮૨, ૪૮૩,
૪૯૨, ૪૯૩, ૪૯૬, ૪૯૭ ભાલણ ૨૨૪, ૨૨૯, ૨૩૪ “ભાલણ ૨૨૯ ભાલણ, ઉદ્ધવ અને ભીમ' ર૨૯ ભાવનાસૃષ્ટિ’ ૪૬૪ ભાવિપ્રાબલ્ય” ૨૫૧ ભાવિ સમાજરચનાની દિશામાં ૩૯૭ ભાવીણ ૨૧૬
Page #625
--------------------------------------------------------------------------
________________
૬૧૬.
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ ભાવે વિનાબા ૬, ૩૩૭, ૩૫૨, “મદનમંદિર ૨૦૨ ૩૯૧
“મદાલસા' (ઓઝા વાઘજી આશારામભાસ ૩, ૧૫૧, ૪ર૭, ૪૫૧
કૃત) ૨૪૫ ભાસ્કર કવિ ૧૫ર
“મદાલસા” (પટેલ ગોવિંદ હકૃત) ભિક્ષુ અખંડાનંદ ૨૩૭
૧૨૫ ભિક્ષુ બાબા' ૨૪૮
મદ્રાસવાલા અબ્દુલ લતીફ હાજી ભીમ ૨૨૩, ૨૩૩
હુસેન ૨૩૬ ભીષ્મ પિતામહ ૨૪૫
મધુબંસરી” ૨૪૮ “ભીંતપત્ર દ્વારા લેકશિક્ષણ ૩૯૦ “મધુબંસી” ૧૩૩ ભૂતબંગલો” ૨૩૬
“મધુરાં ગીતા' ૨૦૦ ભૂદાન અને સર્વોદય’ ૩૯૦
મધ્યમ પિંગળ' ૪૦૬, ૪૧૮, ૪૧૯ “ભૂલને ભોગ” ૨૪૮
મધ્યમ-વ્યાગ ૧૫ર “ભૂલારામ” જુઓ પાઠક રા. વિ. ૪૦૩ મધ્યાહ્નનાં મૃગજળ” ૪૯૮૫૧૨–૫૦૩ ભૂષણ વી. એમ. ૪૦૬
મનનવિહાર' ૪૦૭ ભોજરાજ” ૨૪ર
મનપસંદ નિબંધો ૪૪૯ “ભ્રમર ૧૩૫, ૧૪૭
“મનુરાજ’ ૧૦૩, ૧૧૨–૧૧૩ મગધપતિ પર
મનસ્મૃતિ ૨૩૫ મગધસેનાપતિ પુષ્યમિત્ર પરર. “મને મુકુર’ ૩ મજમુદાર પ્રીતમલાલ ૧૩૪
“મને વિહાર’ ૪૦૫, ૪૩૦-૪૩૧ મજમુદાર મંજુલાલ રણછોડલાલ ૨૩૩
મમ્મટ ૯, ૪૦૭, ૪૫૬, ૪૭ર મઝધાર’ ૩૮૯
મરદના ઘા” ૨૪૭ મડિયા ચુનીલાલ ૮, ૪૫૩, પર મર્ચન્ટ ઑફ વેનિસ ૪૨૭ મઢડાકર–નાગર” જુઓઃ પંડયા નાગર- મલબારીનાં કાવ્યરતને ૧૧૩ દાસ રેવાશંકર ૧૪૦
મલબારી બહેરામજી ૧૦૧, ૧૧૧ મણિકાન્ત જુઓ પંડયા શંકરલાલ
મલયાનિલ” ૧૯૮–૧૯૯, ૫૧૨ મગનલાલ ૧૨૩
મલેરિયા' ૩૮૮ મણિકાન્ત કાવ્યમાળા૧૨૩
મલ્લિકા' ૨૦૦ મણિમહત્સવના સાહિત્યબોલ
મલ્લિકા અને બીજી વાતો ૫૧૨ (ભા. ૧-૨) ૮૦, ૧૦૦
મશરૂવાળા કિશોરલાલ ઘ. ૪, ૫, ૬, મણિલાલ હરગોવિંદ પ્રેમવિલાસી', ૭, ૮૬, ૩૧૩, ૩૩૭, ૩૩૯-૩૫૯,
૩૬૬, ૩૮૦, ૩૮૭, ૫૩૦ મસ્યગંધા અને બીજાં નાટકો' ૨૦૧ મસ્તકવિ' જુઓઃ ત્રિભુવન પ્રેમશંકર
૧૩૨
Page #626
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[૬૧૭ મસ્તફકીર” ૨૦૮, ૨૧૦
મહારાણા પ્રતાપ ૫૦૪, મસ્તફકીરની મસ્તી ૨૧૦
“મહારાણી મયણલ્લા અથવા ગુજ. “મસ્તફકીરને હાસ્યભંડાર” ૨૧૦
રાતની માતા’ ૨૧૪ “મહત” ૧૪૭
મહાવીરવાણુ ૩૭ર મહમદઅલી “આજિઝ ૨૩૬.
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ મહમદ સાદિક ૨૧૨-૧૩
૩૯૬ મહાગુજરાતને મહાકવિ” ૧૨૪, ૧૨૫ મહાવીરસ્વામીને આચારધર્મ' ૩૯૬ “મહાત્મા ગાંધી ૩૯૬
મહાવીરસ્વામીને સંયમધર્મ ૩૯૬ મહાત્મા ગાંધીજીના કેટલાક જીવન- “મહાશ્વેતા-કાદંબરી' (શાહ ફૂલચંદ પ્રસંગે ૩૯૨
ઝવેરચંદકૃત) ૨૪૬ “મહાત્મા ગાંધીજીનું જીવન’ ૨૦૦ “મહાકતા કાદંબરી' (શુકલ નથુરામ મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ' (૧થી ૪) સુંદરછકૃત) ૨૪૫ ૩૦૭
મહાસતી અનસૂયા' ૨૪૬ મહાત્માજીની છાયામાં ૩૯૭
મહિમ્નસ્તોત્રમ્ ૧૫ર “મહાત્મા ભીષ્મ' ૨૫૩
મહિલાઓની મહાકથાઓ” ૨૩૮ મહાત્મા મૂળદાસ” ૨૫૪
“મહીપાલદેવ” ૨૨૯ મહાત્મા શેખ સાદીનું ચરિત્ર ૨૩૬ મહેતા કલ્યાણજી વિઠ્ઠલભાઈ ૧૪૭“મહાદજી સિદે ૨૫૦
૧૪૮, ૧૫૩ મહાદેવભાઈની ડાયરી” (ભાગ ૧ થી મહેતા કંચનલાલ વાસુદેવ જુઓઃ ૧૭) ૩૭૫, ૩૯૨, ૩૯૪
મલયાનિલ' “મહાદેવભાઈનું પૂર્વચરિત' ૩૯૩ મહેતા કૌશિકરામ વિ. ૨૧૮ મહાન નેપોલિયન ૧૨૮
મહેતા ગગનવિહારી લલુભાઈ ૨૧૧“મહાન મુસાફર” ૩૦૦
૨૧૨ “મહાભારત” ૫૦, ૭૧, ૧૪૯, ૧૭૮, મહેતા ગોકુળદાસ કુ. ૨૦૦ (૩૨૩, ૩૮૩, ૩૮૪, ૪૦૮
મહેતા ચન્દ્રવદન ચી. ૭૦, ૧૮૫, “મહાભારત” (એસ. રાધાકૃષ્ણન કૃત) - ૧૮૬, ૧૮૭, ૧૯૧, ૨૩૧ ૩૯૬
મહેતા જયસુખલાલ કૃષ્ણલાલ ૧૪૦, “મહાભારતની કથાઓ' પર૯
૨૧૨–૨૧૩ મહાભારતની સમાલોચના' ૨૨૭ મહેતા જીવનલાલ અમરશી ૨૩૫ મહારાજ થયા પહેલાં ૩૯૦
મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ ૧૯૮, મહારાજ મુંજ' ૨૫૩
૧૯૯, ૨૦૫, ૨૦૬, ૨૦૯-૨૧૦, મહારાજ રવિશંકર ૩૯૮, ૫૫૩
૫૧૨
Page #627
--------------------------------------------------------------------------
________________
મહેતા
૬૧૮].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ મહેતા નરસિંહ જુઓઃ નરસિંહ “મંગલસૂત્ર” ૧૨૩, ૧૩૪
મંગળપ્રભાત” ર૭૧ મહેતા નર્મદાશંકર દે. ૩
મંગળયાત્રા” ૪૭૮ મહેતા નંદશંકર તુલજાશંકર ૨, ૨૧૩, “મંઝિલ નહિ કિનારા પર૧–પર૨,
૨૧૬ મહેતા ફિરોજશાહ રુ. ૨૦૪
“મંદાકિની ૧૨૬ મહેતા બબલભાઈ ૩૯૦–૩૯૧
“મા” ૨૩૦ મહેતા ભરતરામ ભા. ૨૩૫
માઘ ૫૯. મહેતા મધુરિકા ૧૫૩
માણસાઈના દીવા' ૫૩૮, પપ૩ મહેતા મનહરરામ હરિહરરામ ૨૩૭ માણેક અને અકીક ૪૪૭, ૪૭૮ મહેતા માનશંકર પીતાંબરદાસ ૨૩૭ માણેક કરસનદાસ ૪૦૪ મહેતા મેહનલાલ દલીચંદ ૨૩૫ “માતૃભૂમિ ૨૩૬ મહેતા મોહનલાલ પ્રસાદરાય ૧૧, “મા તે મા” ૧૪૫ ૧૫ર
માધવકેત” ૨૧૫ મહેતા રણજિતરામ વાવાભાઈ ૪, માધવનિદાન’ ૩૯૮
૩૮, ૮૦, ૧૩૫, ૧૪૭, ૧૪૭, માધવાનલકામકંદલા” ૨૩૩ ૧૯૮, ૨૦૯, ૨૨૧, ૫૧૧, ૫૩૭ “માધવીકંકણ અથવા શાહજહાનના છેલ્લા મહેતા રમણીક કિશનલાલ ૧૩૩
દિવસો' ૨૧૪ મહેતા રમણુકરાય અ. ૨૩૫
“માનવ અર્થશાસ્ત્ર' ૩૯૪ મહેતા વલભજી ભાણજી ૧૪૭
માનવતાને વેરી ૩૬૭ મહેતા વિનાયક નંદશંકર ૨૧૬ “માનવતાના સંસ્કારો' ૩૯૦ મહેતા શારદાબહેન સુમંત ૨૧૯ “માનવતાનાં ઝરણું ૩૯૮ મહેતા શાંતિશંકર વ. ૧૩૩
“માનવી ખંડિયેરો” ૩૩૭, ૩૫૪ મહેતા સત્યેન્દ્રપ્રસાદ સાં. ૨૧૫ “માનસિંહ' ૨૪૩ મહેતા સુમંત ૨૩૭
“મામેરું' (પ્રેમાનંદરચિત) ૧૨૯, ૪૦૯ મહેતા હંસાબહેન ૨૦૩
મામેરું' (માંકડ ભ. લ.સંપાદિત) મહેતા હીરા ક. જુઓઃ પાઠક
૧૨૭ હીરાબહેન
“માયા” ૨૧૭ મહેતા હીરાલાલ દ. ૧૩૩
માયાના રંગ’ ૨૫ર “મહેરુનિસા' ૨૨૨
“માયા મહેન્દ્ર ૨૫૦ “મંગલદીપ’ ૫૧૨
“માયામોહિની' ૨૧૫ મંગલવિજયજી ૨૩૪
માયાવિજય નાટક' ૧૪૩
Page #628
--------------------------------------------------------------------------
________________
મારફતિયા તુલસીદાસ ૨૪૦ મારફતિયા નગીનદાસ ૨૪૦, ૨૪૨
ભા’રરાજ' ૫૦૮ મારા શુભ વિચારા' ૧૪૮
મારી કમળા અને ખીજી વાતા' ૧૬૨ મારી નકથા' (દવે જુગતરામની)
૩૮૬
‘મારી જીવનકથા’ (નેહરુ જવાહરલાલની) ૩૭૫, ૩૭૮, ૩૭૯
મારી જીવનકથા' (રાજેન્દ્રપ્રસાદની)
સોંદસૂચિ
૩૯૫
મારી જીવનસ્મૃતિ' ૨૧૮ મારી નેધપેાથી' ૨૦૬
મારી બિનજવાબદારી કહાણી' ૧૯૧,
૧૯૨
મારી વીસ વાર્તા' ૨૩૫
‘મારી હકીકત' ૪૬૩
મારી હજની મુસાફરી' ૨૩૬
‘મારું ગામડું′ ૩૯૦
‘મારુ... જીવનવૃત્ત’ ૩૬૨ મારા ચીનના પ્રવાસ' ૩૯૮
મારા દેશ’ ૨૪૭
માક કાર્લ ૧૧, ૨૭૭, ૩૫૨ માર્ટિના ૧૬, ૩૮ ‘માલતીમાધવ’૨
‘માલતીમાધવ’ (શાહ ફૂલચંદ ઝવેરચંદકૃત) ૨૪૬
‘માલવકેતુ’ ૨૦૩
માલવપતિ મુ’જ' ૨પર
માલાદેવી અને બીજું નાટકા' ૨૦૧ માવળ કર ગણેશ વાસુદેવ ૩૮૯૨, ૩૯૮ ‘માશી-ભાણેજ' ૩૯૨
[૬૧૯
માસ્તર કરીમ મહંમદ ૧૨૩ માસ્તર લહેંગા અબ્દુલ્લાહ ૨૩૬ માંકડ ડાલરરાય ૨. ૪૨૩, ૪૭૦–
४७८
માંકડ ભગવાનલાલ લક્ષ્મીશ’કર ૧૨૭ માંકડ મુ. ૨૪૪ માંડલિયા યુ* ૨૩૬
માંડવીકર બાળકરામ નં. ૧પર માંડૂકચ ઉપનિષદ' ૩૮૮ ‘મિત્ર' જુએ પટ્ટણી પ્રભાશંકર ૬. મિલ્ટન ૫૧ મિશ્ર ધ્રુવે ક ૩૬૨ મિસરા મુક્તિસંગ્રામ' ૫૩૭ ‘મીનળ-મુંજાલ’૨૪૭
મીરાં ૫૫, ૬૯, ૭૧, ૮૧, ૮૩, ૮૮, ૯૭, ૨૩૪
મીરાંબાઈ' ૨૪૬
મીરાંબાઈ: એક મનન' ૨૩૩
‘મુકુલ’ ૧૩૫ ‘મુકુલવીણા’ ૧૪૮
‘મુક્ત હાસ્ય’ ૨૧૦ ‘મુક્તિના રાસ' ૧૪૯ ‘મુદ્રાપ્રતાપ’ ૨૪૬
‘મુદ્રારાક્ષસ' ૨, ૧૭૧ મુનશી કનૈયાલાલ માણેકલાલ ૫, ૧૦, ૭૪, ૧૦૪, ૧૦૮, ૧૫૫-૧૮૯૭, ૨૦૪, ૨૧૯, ૨૨૧, ૨૪૪, ૨૯૬ ૪૦૬, ૪૦૯, ૪૪૫, ૪૬૧, ૪૭૪, ૪૮૦, ૪૯૭, ૫૦૬, ૫૧૨, ૫૨૪, ૫૨૫, ૫૩૯, ૫૫૯
મુનશી નિઝામુદ્દીન ૨૫૫ ‘મુનશીની નવલિકાઓ' ૧૬૨
Page #629
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
૧૨૦ ]
મુનશી લીલાવતી ૧૬૦, ૧૬૧, ૧૯૧,
૨૧૯—૨૨૦
“મુનશી સૂક્તિસંચય' ૪૦૬, ૪૩૩ મુનશી સૈયદ હામીદમિયાં ડાસામિયાં ૨૩૬
મુનિ જિનવિજયજી ૪, ૩૬૦, ૩૬૭–
૩૭૧, ૩૭૨, ૪૫૦
મુનિ પુણ્યવિજયજી ૩૬૮ મુનિશ્રી ક્રેટાલાલજી ૧૩૩ મુનિ સંતલાલજી ૩૯૯ મુસસે હાલી' ૨૩૬
‘મુસલમાનેાની ચડતીપડતીના ઇતિહાસ' ૨૩૬
“મુસાફર' જુએ નાયક અમૃત કેશવ મુહમ્મદ કાઝિમ ૨૩૭
મુહમ્મદ કાસિમ ૨૩૭
‘મુસ્તુફાવાદી' ૨૩૬
‘મુ...બઈમાંના મહેાત્સવ' ૮૦, ૧૦૦ ‘મૃચ્છકટિક’ ૪૫૨, ૪૭૭ ‘હુલા’ ૨૧૩
‘મૂરખરાજ અને તેના ભાઈએ' ૨૭૫ મૂલાણી મૂળશંકર ૨૪૩, ૨૪૭, ૨૫૧,
૨૫૫
‘મૂસિકાર’ જુએ પરીખ રસિકલાલ છે. “મૂળરાજ સાલકી' ૨૪૩ મૂળશંકર રામજી ૧૫૨
મેઈન ૧૬
ભેંકડાનેલ ૨૨૭
મૈકષઁથ’૨૦૩
“નૅકૅાલ કે ગાંધીજી ?' ૩૮૭ ‘મેધદૂત’ ૨, ૧૯, ૨૦, ૨૮, ૮૧, ૮૫, ૧૨૪, ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૪૬,
[ચ, ૪
૧૫૧
‘મેઘબિં’દુ’ પર૯ મેધમાલિની' ૨૪૯
મેઘસંદેશ' ૧૩૩
‘મેઘાણી ગ્રન્થ ૧' ૫૬૩ ‘મેધાણી ગ્રન્થાવલી’ ૫૬૩ ‘મેઘાણીની નવલિકાઓ' (ખંડ ૧થી૩)
૫૫૧-૫૫૩
મેઘાણી ઝવેરચંદ ૫, ૮, ૧૩૧, ૧૩૯, ૧૪૯, ૧૫૦, ૨૨૧, ૨૪૪, ૪રર, ૪૩૦, ૪૬૦, ૪૭૮, ૪૯૭, ૧૧૦, ૫૧૫, ૧૩૩, ૫૩૬-૫૬૩ મેઝર ફાર મેઝર' ૨૦૩ મેટરલિંક ૨૦૪, ૨૯, ૩૫૪ ‘મેકરલિકના નિબંધે’૨૦૯ મેનાં ગુજરી' ૪પર, ૪૫૩૪૫૪ મેરિડથ જૉર્જ ૧૧૦
મેરુતુ ંગાચાર્ય ૩૭૧ મેવાડના ગુહિલા' ૨૩૭ મેવાડના ચાંદ’ ૨૪૩
‘મેાગલ સંધ્યા′ ૨૧૫ મેાલેા મહારાજ’૨૫૩ ‘મેટાલાલ' જુએ : ખબરદાર અ. ક્
મેાટી ભાભી' ૧૪૫
મેડક તારાબહેન ૩૮૭
મેાતને હંફાવનારા' ૩૬૫ મેાદી પ્રતારાય ૯૯
મેાદી રમણીકલાલ ૩પર મેાદી રામલાલ ચૂનીલાલ ૪, ૨૨૯-૨૩૦ મોપાસાં ૧૦, ૫૧૭ મેામિન મે।હમ્મદ સી. ૨૩૬ માલે ન ૩૫૩, ૩૭૩, ૩૭૫, ૩૭૯
Page #630
--------------------------------------------------------------------------
________________
સદ
માહમ્મદશાહનું ટ્રેંકુ જીવન' ૨૩૬ મેાહંમદ હુસેન ‘રાંદેરી' ૨૩૬-૨૩૭ ‘માહિની' ૨૧૩
માહિતીચંદ્ર' ૨૪૧
મૌલાના અમુલ કલામ આઝાદ’ ૩૭૬ મૌલાના પીર મેટામિયાં સૈયદ ૨૩૬ મ્યુનિસિપલ ઇલેકશન' ૨૪૨ ‘યજ્ઞસ દેશ’ ૩૯૦ યમુનાગુણાદ' ૧૪૦
યુરોડા આશ્રમ’ ૨૧૭
યશાવિજયજી ૩૭૨ યાજ્ઞિક ઇન્દુલાલ કનૈયાલાલ ૨૧૭, ૪૦૨, ૪૩૦, ૪૩૩
યાજ્ઞિક ઝવેરીલાલ ૨૪૪
યાનિક લપતિરામ દુ. ૧૫૨
યાજ્ઞિક રમણુલાલ ૪. ૨૩૮ ‘યુગપ્રભાવ’૨પર
‘યુગલગીત' ૧૪૩
‘યુગવ’ના’ ૫૪૪, ૫૪૬-૫૪૯, ૫૫૦,
૫૫૯
‘યુગાન્તર' ૩૯૮ યુરપ–એશિયાના સાહિત્યમાંને
લક્ષ્મવાદ (symbolism)' ૧૨૬ યુરાપના સુધારાના ઇતિહાસ' ૨૦૮
યેાગતત્ત્વ’ ૧૨૮
ાગદર્શન' ૩૬૨ યેાગ પતંજલિ' ૨૪૭
ચેાગવાસિષ્ઠ' ૩૯૬ ચેાગવિ’શિકા' ૩૬૨
‘ાગસૂત્રો' ૭૧
રક્ત કરબી' ૬૩
સૂચિ
રખડવાના આનંદ’ ૩૧૫-૩૧૭ રખે ભૂલતા' ૨૪૮ ‘રઘુવ’શ’ ૧૫૧, ૪૨૭, ૪૭૭
રચનાત્મક કાર્યક્રમ’ ૨૭૧, ૩૦૫, ૩૦૬ ‘રજકણ' પર૯
રઢિયાળી રાત' (ભા. ૧થી૪) ૫૪૩ ‘રણકેસરી' ૨૫૦
‘રણુગ ના’૨૫૩ ‘રણુગીતા' ૪૩, ૪૪ રણજિતરામના નિબંધા' ૨૨૧ ‘રણજિતસિંહ' ૨૪૭
રણના રાસ' ૧૧૪–૧૨૫ ‘રણુરસિયાંના રાસ’ ૧૩૧ ‘રણવીરસિંહ’– ૨૧૫
[ ૬૨૧.
‘રણુસ’ગ્રામ’ (‘પાગલ’કૃત) ૨૫૦ ‘રણસંગ્રામ' (યાજ્ઞિક ઇંદુલાલકૃત) ૨૧૭ રત્નચંદ્રસ્વામી ૨૩૪
‘રત્નપરીક્ષા’૩૭૧
રત્નાકર મહારાજ' ૫૦૮
‘રમણુકાવ્ય’૧૨૨ રમણીકવિજયજી ૨૩૪
‘રમા–રણજિત’ ૨૪૫
‘રવિવિનું ઉપસ્થાન અને તપણુ’૩૩૬ ‘વિદ્યુતિ’ ૨૩૮
રવિશંકર મહારાજ' ૩૯૦
‘રવીન્દ્રવીણા' ૫૫૦
‘રવીન્દ્રસૌરભ' ૩૩૬
‘રશિયાનું ઘડતર’ ૩૯૦
રસગ’ગા’ ૨૩૪
રસગીતા' ૨૦૧
‘રસજીવન’ ૨૦૨
‘રસઝરણાં’ ૨૧૩
Page #631
--------------------------------------------------------------------------
________________
(ચં. ૪
૬૨૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રસના રસ” ૨૪૮
રાજસૂત્રોની ત્રિપુટી' ૬૭, ૭૫ “રસનાં ચટકાં ૨૧૨
રાજહંસ” ૨૪૬ રસનિધિ ૧૩૫
રંગ અવધૂત ૧૫ર રસબિંદુ પર
રંગ છે બારોટ ૫૪૩ રસમંજરી” ૧૪૨, ૧૪૩
રંગનાથી વગીકરણ ૩૯૫ રસાંજલિ ૧૩૦
રિગનાથી સૂચીકરણ ૩૯૫ રસિકનાં કાવ્યો' ૧૩૪
રંજૂર ભાનુનંદ પ્રાણજીવનદાસ ૧૩૨ “રસિકમણિ” ૨૪૩
રાજા એ રાની' પર “રસિકવલભ' ૨૩૪
રાજાજી જુઓ: રાજગોપાલાચારી “રસૂલે અરબી ૨૩૬
ચક્રવતી રસેલ બટ્ટેન્ડ ૨૧૨
રાજાધિરાજ' ૧૫૮, ૧૬૩, ૧૬૬, રરિકન ૨૬૦, ૨૭૫, ૩૨૭, ૩૯૬ ૧૬૭, ૧૬૮, ૧૬૮, ૧૭૦, ૧૭૨, રંગતરંગ” (ભા. ૧થી૬) ૨૦૬
૧૭૫, ૧૯૬ “રાઈને પર્વત ૩, ૫, ૯, ૨૪૦, રાજા-રાણી” પ૬૨ ૨૪૩, ૪૦૮, ૪૧૩, ૪૫૧
રાજા રામમોહનરાય” ૨૩૭ રા' ગંગાજળિયો' ૫૫૮
રાજા રામમોહનરાયથી ગાંધીજી-હિંદના, રાજકન્યા” પર૨
ઇતિહાસની સમીક્ષા’ ૩૮૭ રાજગોપાલાચારી ચક્રવતી ૩૮૦,
રાજે ૪૦૯ ૩૮૫, ૩૯૭
રાણકદેવી ૨૪૫ રાજતરંગ” ૨૪૫
રાણા અમરસિંહ ૨૪૭ રાજપુતાનાનાં દેશી રાજ્યો” ૨૧૫ રાણે પ્રતાપ” પ૬૧, ૫૬૨ રાજબીજ ૨૪૩
રાતરાણ ૧૪૯ “રાજમુગુટ' પર૧, ૫૨૨
રાધાકૃષ્ણન સર્વપલી ૩૬૧, ૩૯૬ રાજગ” ૧૨૮
રામ અને કૃષ્ણ ૩૪૩, ૩૫૬, ૩૫૭, રાજરમત’ ૨૪૮
૩૫૯ રાજર્ષિ કુમારપાળ” પરર
રામચરિત ૩૯૭ “રાજર્ષિ ભરત ૨૦, ૫૬, ૬૪, ૬૬ રામચરિતમાનસ' ૨૫૮, ૨૮૪ રાજશેખરસૂરિ ૩૭૧
રામચંદ્રાચાર્ય ઉપર રાજસંન્યાસી પર
રામની કથા” ૧૨૯ “રાજસિદ્ધાન્ત' ૩૭૧
રામમોહનરાય જસવંતરાય ૧૨૨ રાજસિહ ૨૪૫
રામવિજય” ૩૦૯ રાજસિહ-વિમળદેવી ૨૪૫
“રામવિગ” ૨૪૨
Page #632
--------------------------------------------------------------------------
________________
:
-
૫૦
સંદભષિ
: [૨૩ રામસિંહ માનસિંહ ૨૪૪
રાષ્ટ્રીય ગખાવલી” ૧૪૪ “ર” મહીપાલ” ૨૪૭
“રાષ્ટ્રીય ગીત યાને દેશભક્તિનાં કાવ્ય રામાયણ’ ૬, ૮, ૭૧, ૧૨૫, ૧૨૯, ૧૩૨
૧૩૨, ૧૪૯, ૧૫૧, ૨૩૭, ૩ર૩, “રાષ્ટ્રીય રાસકુંજ' ૧૨૩
૩૮૩, ૩૮૪, ૩૯૬, ૪૦૮, ૪૭૭ રાષ્ટ્રીય રાસમંદિર ૧૨૩ ‘રામાયણ” (“વરાટીકૃત) ૨૪૭ રાસ” ૧૨૪, ૧૨૫ રામાયણનું રહસ્ય” ૨૩૩
રાસ અંજલિ ૨૦૧ રામાયણને રસાત્મક સાર” ૧૩૨ બરાસકટેરી” ૧૩૪ “રા' માંડલિક' ૨૫૦
રાસકુંજ' ૮૨ રાય કરણઘેલો' પર૨, પર૮
રા'કૌમુદી ૧૩૨ રાયચુરા ગોકુલદાસ દ્વારકાદાસ ૨૨૯
રાજચંદ્રિકા (ભા. ૧-૨) ૧૦૨ રાયચુરાની રસીલી વાર્તાઓ” ૨૨૮ રાસતરંગિણું ૧૧૬, ૧૧૮, ૧૨૨, “રાયણું (ભા. ૧-૨) ૩૮૫
૪૬૧
રાસનલિની' ૧૨૪, ૧૨૫ રાય દ્વિજેન્દ્રલાલ પ૬૧, ૫૬૨
રાસનંદિની” ૧૨૬ રાયપસેણિયસૃત્ત' ૩૭ર
રાસનિકુંજ' ૧૩૨ રાવણમંદોદરી સંવાદ' ૨૨૯
રાસપાંખડી” ૧૨૯ રાવણવધ” ૨૪૫
રાસપદ્મ” ૧૩૨ રાવત બચુભાઈ ૪૦૦.
રાસપુજ’ ૧૩૪ રાવળ અનંતરાય મ. ૧૦૨, ૧૧૯,
રાસબત્રીશી” ૧૨૩ ૧૨૦, ૧૫૩, ૧૫૪, ૨૩૨, ૪૨૦,
૪૩૨, ૪૪૩, ૪૯૯, પ૨૮, પ૩૧ રાસમંજરી' (ઓઝા કાશીરામ ભાઈરાવળ છગનલાલ વિ. ૧૪૮
શંકરકૃત) ૧૪૪ રાવળ જગુભાઈ મોહનલાલ ૧૩૪
રાસમંજરી' (શેઠ કેશવ હ.કૃત)
૧૨૪, ૧૨૫ રાવળ રવિશંકર મ. ૨૧૮
રાસમંદિર' ૨૨૯ રાવળ શંકરપ્રસાદ છગનલાલ ૧૫૨,
રાસમાલિકા” ૧૩૪ ૨૨૮–૨૨૯
રાસમાળા” ૭૮, ૧૭૭ રા. વિ. પા. ની પત્રધારા' ૪૦૭
રાસરમણુ” ૧૩૪ “રાષ્ટ્રગીત” (બુદ્ધ ધૈર્યચંદ્રસંપાદિત) ૧૫૩
રાસરસિકા ૧૩૪ રાષ્ટ્રગીત' (યાજ્ઞિક ઈદુલાલસંપાદિત) રાસવર્ણન ૧૧૬ ૨૧૭
રાસસરિતા' (ભા. ૧) ૧૩૪ રાષ્ટ્રિકા ૧૫, ૧૦૭, ૧૦૯ રાહતી બદ્રનિઝામી ૨૩૬
Page #633
--------------------------------------------------------------------------
________________
૬૨૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ રિસાર પોલ ૧૪૩, ૨૩૦
૧૨૫ રતિદર્પણ” ૧૫૩
લગ્નગીતમણિમાળા' ૧૨૩ રુબાઈયાત” ૧૪૦, ૧૫૩, ૨૨૨ લગ્નબંધન” ૨૪૮ રુદ્દશરણ (મલિકા) પર૧, પર૩ “લગ્નસુખ’ ૪૬૩ “રુદ્રાધ્યાય’ ૪૭૭
લઘુકાવ્યબત્રીશી” ૧૩૩ રૂઢિબંધન” ૨૫૦
‘લઘુ ચાણક્ય નીતિસંગ્રહ ૧૫ર “રૂપકુમારી” ૨૫૦
લતીફ ઇબ્રાહીમ ૧૩૦, ૨૩૬ રૂ૫નર્તન” ૧૪૯
લલિત” ૪, ૧૧૫, ૧૨૪, ૧૨૬, “રૂપમતી’ ૫૦૪, ૫૦૫
૧૩૫–૧૪૦ રૂપલીલા” ૧૨૭
લલિત ત્વસિમલ” ૧૪૮ રૂપલેખા' ૧૨૭
લલિતનાં કાવ્યો' ૮૨, ૧૩૬ રૂપિયાનું ઝાડ ૪૫ર
લલિતનાં બીજાં કાવ્યો' ૧૩૬ “રૂપેરી રાજહંસ ૨૧૫
લલિતને લલકાર” ૧૩૬ રેખાચિત્રો અને બીજા લેખો' રર૦ લવકુશ” ૨૫૫ રેતીની રોટલી ૨૦૬
લઝ પિસ્ચિમેજ' ૫૫૬ રૅશટૅલ ૨૦૮
લાઈફ ઓફ ધી વ્હાઈટ ઍન્ટ’ ૩૫૪ “રોગ, યોગ અને પ્રગ' ૨૦૬ લા કોર્ટે મિસિસ ૫૪૮ રજન્સ ૪૫૯
“લાક્ષાગૃહ ૩૪૨ રોમાં રોલાં ૧૨૬
લા પિએમી દ રવીન્દ્રનાથ ટાગોર રેમિ ઍન્ડ જુલિયટ' ૪૨૭
૧૨૬ લક્ષાધિપતિ રમણ” ૨૪૨
લા મિઝરેબલ ૩૯,૦ ૩૯૭ લક્ષ્મીનારાયણ ૨૫૧
“લાલખાંની લુચ્ચાઈ ૨૪૫ લક્ષ્મીના લેભે ૨૫૦
લાલશંકર હરિપ્રસાદ ૧૫ર લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ લિ. સ્નેહાધીન ઝવેરચંદ ૫૬૦, ૫૬૩ ૨૦૦.
'લિંકન ૩૯૭ લખા ભગત” જુઓ ખબરદાર અ. લીલાંસૂકાં પાન’ ૪૪૬-૪૪૭ ફ, ૧૦૫
લેખસંગ્રહ” (ભા. ૧-૨) ૨૨૮ લખા ભગતના છાપા” ૧૦૫
લેટર્સ ફ્રેમ જૉન ચાઈનામેન ૩૯૬ લખેગીતા' ૧૦૫
લેડી ઑફ ધ લેઈક' ૧૪૧ લગ્નગીત' (પાદરાકર મ. મોકૃત) ‘લેન્ડરના કાલ્પનિક સંવાદ' (ભા. ૧-૨ ૧૨૩
૨૨૭ લગ્નગીત' (શેઠ કેશવ હકૃત) ૧૨૪, લોકગીતા ૩૬૭
Page #634
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[૬૨૫ લેકજીવન” ૩૩૭
વનેચર' જુઓ આચાર્ય હ. ગિ. ૨૩૮ લેપથી” ૩૮૬
“વરકન્યા’ ૨૫૩ કલેકભાગવત ૩૮૪
વરઘોડો” ૨૧૭ લેકભારત” ૩૮૪
વરતિયા ગણેશરામ ૧૫ર કલેકમાતા’ ૩૧૭
વઝવર્થ ૯, ૧૫ર, ૨૮૫ “લોકવાર્તાનું સાહિત્ય” ૨૩૩
“વર્તમાન” જુઓ પાઠક રા. વિ. ૪૨૮ લેકરહસ્ય” ૧૪૭
વર્મા જયકૃષ્ણ નાગરદાસ ૨૦૦ લેકરામાયણું ૩૮૪
વર્માની વિવિધ વાર્તાઓ ૨૦૦ સાહિત્યઃ ધરતીનું ધાવણું (ખંડ) “વલભીપતિ’ ૨૪૭ ૧-૨) ૫૪૩, ૫૬૩
વકલરાય ઠઠ્ઠાખોર’ જુઓ: ખબરદાર લોકસાહિત્યનું સમાલોચન' ૫૩૮, અ. ફ. ૧૦૫ ૫૩૯, ૫૪૩, ૫૬૩
“વલ્લભ” ૧૩૩ લેકસાહિત્યઃ પગદંડીને પંથ ૫૪૩ વલભકાવ્ય” ૧૪૭ લોટવાળા રણછોડલાલ ૨૧૭
વલ્લભ (ભટ્ટ) ૧૦૬ લેધિયા સુલેમાન શાહ ૨૩૬, ૨૩૭ વલભનું જીવન ૧૨૯ લે પામુદ્રા (ખંડ ૧-૪) ૧૬૩, ૧૭૮,
“વલ્લભાચાર્ય ૮૬ ૧૮૨, ૧૮૯-૧૯૦
વશી અંબેલાલ ક. ૨૦૦ લે મહર્ષિણ ૧૬૩, ૧૭૮
વસંત” જુઓ ગણાત્રા વસનજી દયાળજી લોરેન્સ ૪૫૦
‘વસંતકુંજ' ૫૧૨ લેહીની અસર” ૨૫૦
વસંતપ્રભા” ૨૪૩ લેહીને વેપાર ૨૧૫
વસંતવિવેદી' જુઓ દેસાઈ ચંદુલાલ
મણિલાલ વકીલ જેઠાભાઈ ૧૫૧ વજિયે ૨૩૩
વસંતવિહાર' ૧૩૨ “વડીલેના વાંકે' ૨પર
વસંત્સવ” ૫, ૧૨, ૧૫, ૧૬, ૧૭,
૨૦, ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦, વડોદરાને વડલે” ૧૩૬
૩૧, ૩૨, ૩૩, ૩૭, ૪૬, ૪૭, વડોદરામાં ચાલીશ વર્ષ ૨૦૧૮
૪૮, ૬૩, ૭૩, ૮૧, ૮૮, ૯૧ વણાટપ્રવેશ” ૩૮૯
વસુદેવહિંડી” ૨૩૪ વન જ’ ૫૧૨
“વસુંધરાનાં વહાલાં દવલાં ૫૫૬ વનછાયા ૫૧૨
વસ્તુપાલ-તેજપાલપ્રબંધ' ૫૫૮ વનરેખા” ૫૧૨
“વલાં ૫૫૪ “વનવેણુ” ૧૧૨
વા મયવિમર્શ' ૧૫૪, ૪૩૮-૪૩૯, ગુ. સા. ૪૦
४७८
V
Page #635
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
૬૬ ]
વાચનપટ' ૩૯૦ ‘વાર્તાનું વન' ૨૦૧ ‘વાદમહાણુ વ′ ૩૬૧
વાદળી' (મહેતા વલ્લભજી ભાણજીકૃત) ૧૪૭
વાદળી’ (‘વલ્લભ’કૃત) ૧૩૩ વામા ૪૦૬, ૪૩૨
‘વારસદાર' ૨૫૦
‘વાર્તાનુ` શાસ્ત્ર' (ખંડ ૧–૨) ૩૮૫ વાલા નામેારી’ ૨૫૪ વાલ્મીકિ ૨૩૭ વાલ્મીકિનું આદર્શ ન’ ૨૩૧
વાવાશેઠનુ’. સ્વાતંત્ર્ય' ૧૫૮, ૧૮૨,
૧૮૩, ૧૨૪
વાહ રે સૈ વાહ” ૧૮૨, ૧૮૬ વાંચતાં આવડી ગયું ૩૯૦ વાંચવા જેવી વાર્તા' ૩૯૦ વિકાસ' ૫૦૪, ૫૦૬ ‘વિકૃતબુદ્ધિના વિવાહ’ ૨૩૫ વિક્રમચરિત્ર' ૨૪૩
‘વિક્રમેાશીય' ૩, ૧૫૧
વિચારમાધુરી' (સા. ૧) ૪૦૬, ૪૦૮,
[ ગ્રં. ૪
વિદ્યાથી એનું માનસ' ૩૮૬ વિદ્યાથી ગ્રીષ્મપ્રવૃત્તિ' ૩૮૭ વિદ્યાવારિધિ ભારવિ’ ૨૫૧, ૨પર વિદ્યાવિજયજી મહારાજ ૨૩૪ ‘વિવ્રુતિ’ ૩૦૪, ૪૩૬
વિઠાંસ ગેાપાળરાવ ગજાનન ૨૧૫
વિદ્યાંસ ભાસ્કરરાવ ૨૧૬ વિધવા’ ૧૪૩ ‘વિધવાવિવાહનિબંધ' ૧૪૪ ‘વિધિના લેખ’ ૨૫૪
વિનાયકની આત્મકથા' ૪૪૮, ૪૭૮ ‘વિનેાદકાન્ત’જુ વૈદ્ય વિજયરાય
૪૩૩
‘વિજયકમળા' ૨૪૨ વિજયકેસરસૂરિજી ૨૩૪
વિજયધસૂરિ ૩૭૦, ૩૭૨ ‘વિષયાવિજય’૨૪૨
‘વિજ્ઞપ્તિત્રિવેણી' ૩૬૯
વિદાય વેળાએ' ૩૫૩, ૩૫૯, ૫૩૦
વિદૂરને। ભાવ' ૧૪૦ વિદેહી' ૪૯૯ ‘વિદ્યાર્થિનીને પત્રા' ૩૩૭
४४७
‘વિતાદશાસ્ત્ર’ ૨૧૧
વિવિપન’ ૨૧૫
વિભાકર નૃસિંહ ભગવાનદાસ ૧૫૭,
૨૪૮-૨૪૯
‘વિભૂતિવિજય’ ૨૪૫
‘વિયાગી’ ૧પર ‘વિરહાદ્બાર’ ૧૨૨
‘વિરાજવહુ’ ૩૭૫
‘વિલસુ' ૧૪૨, ૧૪૮
વિલાયતી વિલાસમાં ફેશનબાઈ' ૨૧૫ ‘વિલાસપંથે’ ૨૫૦
‘વિલાસિકા’ ૧૦૨, ૧૦૫, ૧૦૭,
૧૫૩
વિલાપન અને ખીજી વાતા' ૫૫૧ ‘વિવાહસ ગીત’ ૧૪૨, ૧૪૩ વિવાહસંસ્કાર’ ૨૩૭
‘વિવિત્સુ' જુએ ગાંધી ચિ. મા. ૧૨૯ ‘વિવિધતીર્થંક૫' ૩૭૧ ‘વિવેકધીરગણિ ૩૬૯
Page #636
--------------------------------------------------------------------------
________________
[૬૨૭
સંદર્ભસૂચિ વિવેકાનંદ ૧૨૮, ૨૪૭, ૩૧૦, ૩૨૭ “વીરપૂજન ૨૪૭ ૩૨૮, ૩૩૩, ૩૭૩
વીરમતી' (ઓઝા વાઘજી આશારામવિવેકાંજલિ” ૩૮૮
કૃત) ૨૪૫ વિવેચનનું વિવેચન ૪૭૮
વીર રમણી” (“પાગલ કૃત) ૨૫૦ વિવેચનમુકુર ૧૫૪, ૪૫૭, ૪૫૯, વીર રમણ” (“વૈરાટીકૃત) ૨૪૭ ४७८
વીર વલ્લભભાઈ ૩૭૫ વિવેચના ૧૫૪, ૪૩૬, ૪૬૫, ૪૬૮ વીર વિક્રમાદિત્ય” ૨૪૨ વિશાખદત્ત ૧૮૭
વીર હમીર” ૨૪૭ વિશેષ કાવ્યો' ૪૦૫, ૪૧૯
વરહાક ૨૫૩ વિશ્વગીતા' ૨૨, ૩૬, ૪૦, ૫, ૬૦,
વીરાંગનાની વાતો ૧૯૯ ૬૪, ૬૭, ૬૯-૭૨, ૭૬, ૮૯,
“વીસમી સદી' (કવિ જામનકૃત) ૨૪૮ ૯૩, ૪૦૮
વુલ્ફ એગ્ટન પ૫૪ “વિશ્વધર્મ' ૨૪૬
વૃદ્ધ ચાણકયનું ભાષાંતર’ ૧૫ર વિશ્વસંહિતા' ૩૮૪
વેણીનાં ફૂલ” પ૪૪, ૫૪૬ વિશ્વામિત્ર ૨૪૫
વેણુગીત” ૧૪૩ “વિષપાન” ૨૦૫
વેણુવિહાર' ૩૯, ૪૦, ૪૦-૫૦, વિહારવર્ણન” ૨૩૪ વિહારિણુ” ૧૧૩, ૧૨૬
વેદતાત્પર્ય એધિની” ૧૪૮ વિહારી' જુઓ : પટેલ છે. ત્રિ.
વેદ મૂળજી દુર્લભજી ૧૪૩ ૧૩૪
વેદવાદઢાત્રિશિકા ૩૬ર વીણવિહાર” (ભા. ૧-૨) ૧૨૬ વેનિસને વેપારી' ૨૦૩ “વીણવેલી ૨૪૨
“વેરની વસૂલાત” ૫, ૧૫૬, ૧૫૭, વીતક વાતો” ૨૨૩
૧૫૮, ૧૬૩, ૧૬૪, ૧૬૫, ૧૭૨, વીમાવાળા ઈશ્વરલાલ ૧૫ર
૧૭૪, ૧૭૫ વીમાવાળા નટવરલાલ ૨૩૫
વેરાન જીવન’ ૩૯૮ વીર અભિમન્યુ' ૨૫૩
વેરાનમાં પ૬૦ “વીર જગડુશા” ૨૫૩
વેવિશાળ” પપ૬, ૫૫૭, ૫૬૩ વીર દુર્ગાદાસ” ૨૪૭
વૈદિક કાલનું ભારતીય યુદ્ધ અથવા વીર નર્મદ' ૪૬૨-૪૬૩, ૫૩૩
વશરાદિ વિગ્રહ’ ૨૩૭ “વીરનાં વેર” ૨૫૮
વૈદિક પાઠાવલિ ૪૫૬ વીરની વાતો' (ભાગ ૧ થી ૩) ૧૯૯ વિદેહીવિજય’ ૧૪૨ વીરપસલી ૧૨૪-૧૨૫
વૈદ્ય પ્રભુલાલ ૨૧૮
Page #637
--------------------------------------------------------------------------
________________
ફર].
વૈદ્ય ભદ્રમુખ ૪૪૯ વૈદ્ય મનુભાઈ પ્ર. ૪૦૬ વૈદ્ય વિજયરાય કલ્યાણરાય ૪, ૧૦૫,
૧૦૭, ૧૧૦, ૧૧૧, ૧૧૫, ૧૫૪, ૪૩૦, ૪૪૧-૪૫૦, ૪૫૮, ૫૧૨ વૈદ્ય શંકરલાલ કુંવરજી ૧૫૧ વૈભવના માહ' ૨૫ર બૈરાટી' જુઓ : ગૌરીશ કર આશારામ
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
૨૪૭
વૈશાલીની વનિતા' ૨૦૩
વૈષ્ણવ અનંતપ્રસાદ ૧૩૫, ૧૩૬ વૈષ્ણવધર્મના સ ંક્ષિપ્ત ઇતિહાસ’૨૨૫ ‘વૈષ્ણુવી બે।ડશત્ર’થા’ ૧૮, ૨૨, ૩૯, ૮૬ વાશિંગ્ટન નૂકર ટી. ૩૩૩ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ ૩૭૨, ૩૯૬
વ્યાપારી ભૂંગાળ' ૩૯૨
વ્યાસ (‘મહાભારત’કાર) ૧૦, ૫૫,
૪૦૯
વ્યાસ કૃષ્ણશંકર અં. ૩૯૯ વ્યાસ જયશંકર વાઘજી ૨૫૫
વ્યાસજીની વાર્તાઓ' ૨૨૯ વ્યાસ ત્રિભુવન ગૌરીશ કર ૧૨૪, ૧૨૫
વ્યાસ ૬. ગ. ૨૪૪
વ્યાસ નરભેરામ ૨૫૫
વ્યાસ પોપટલાલ ૨૫૪ વ્યાસ મણિલાલ બ. ૨૨૯ વ્યાસ મેાતીલાલ છેોટાલાલ ૧૪૮ વ્યાસ લલિતાશંકર લાભશંકર ૨૫૫ વ્યાવિહાર' ૧૩૦
વ્રજવિહારી' ૧૩૫
શકુંતલાનું સ’ભારણું' ૮૫ ‘શકુંતલા રસદર્શન' ૨૦૧
શક્રાધ્યાયસ્તાત્ર' ૪૭૭ ‘શતકત્રય' (ભર્તૃહરિકૃત) ૧૫૨ શત્રુંજયતીર્થ ધારક પ્રબંધ' ૩૬૯
શયખ ગુલામરસૂલ ૨૩૭ ‘શયદા’ ૧૪૪–૧૪૫, ૨૧૩ ‘શરતના ઘેાડા' ૨૦૨, ૨૦૩ ‘શરદસમીક્ષા’ ૪૦૬, ૪૦૮ ‘શરદિની' ૧૨૬
શરીફ્ સાલેહ મુહમ્મદ ૨૩૭ ‘શરીરવિકાસ' ૩૮૬
[ગ્ર ૪
શર્માજી ગિરિધર ૧૫૨, ૧૫૩ શર્મા નરસિંહ ૧૫૩
શર્મા મહારાણીશંકર અંબાશંકર ૧૩૨ શર્મા શ્રીકૃષ્ણ ૧૪૬, ૧૪૭ શર્મા સીતારામ જેસિંગભાઈ ૧૨૬ શર્વિલક’ ૪૫૨, ૪૭૫, ૪૭૮ શશિકલા અને ચૌરપંચાશિકા' ૧૫૨ ‘શશિકળા’ ૧૪૬
શહીદીના સંદેશ' ૨૧૭ શંકરસ‘ગીતાવલિ' ૧૩૨
શંકરાચાય ” ૨૫ર
શકિત હૃદય' ૪૯૮
શ’કુક ૪૦૮
શંભાજી’ ૨૫૦
‘શંભુમેળા’૨૫ર ‘શાકુન્તલ’ જુએ ‘અભિજ્ઞાન શાકુન્તલ ‘શાકુન્તલ' (ધેાળશાજી ડાહ્યાભાઈકૃત)
૨૪૨
‘શાકુન્તલ' (મૂલાણી મૂળશંકરકૃત)
૨૪૩
‘શાણા' જુઆ મેધાણી ઝવેરચંદ શામળ ૧૦૨, ૧૦૪, ૨૨૧, ૨૨૩,
Page #638
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
"
[ કર
૨૨૪, ૨૫૭ શામળનું વાર્તાસાહિત્ય” ૨૩૨ શારદાપ્રસાદ વર્મા જુઓ : તન્ના
રતિલાલ ના. ૨૩૮ શાલિવાહન’ ૨૫ર શાસ્ત્રી કેશવરામ કા. ૪, ૪૦૭ શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ ૪, ૨૨૫,
૨૨૬ શાસ્ત્રી વ્રજલાલ ૨, ૨૩૪ શાસ્ત્રી શંકરલાલ ૧૩૫, ૧૩૯, ૨૩૪,
૨૫૫ શાસ્ત્રી શ્રીનિવાસ ૨૬૮ શાસ્ત્રી સુખેશ્વર ૨૪૪ શાસ્ત્રી હરિપ્રસાદ ૪૫૭ શાહ અમૃત એમ. ૧૫૩ શાહ કે. ટી. ૨૪૪ શાહ ચૂનીલાલ વર્ધમાન પ૦૪-૫૦૬ “શાહજહાં પ૬૧, ૫૬૨ શાહજી' ૨૫૦ શાહ જેઠાલાલ ગો. ૨૩૪ શાહ ધીરજલાલ ટે. ૨૩૮ શાહ નટવરલાલ ૧૫૧ શાહ નંદલાલ નકુભાઈ ૨૫૫ શાહ પિપટલાલ પુ. ૨૩૮ શાહ પિટલાલ પૂંજાભાઈ ૧૫ર “શાહ પ્રણીત લાલસિહ-સાવિત્રી નાટક
અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર ૧૧૬ શાહ પ્રિયબાળા ૪૫૬ શાહ ફૂલચંદ ઝવેરચંદ ૨૪૬ શાહ બાપાલાલ ગ. ૨૩૮ શાહ ભા. ગ. ૨૪૪
શાહ માવજી દામજી ૨૩૮ શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ ૧૩૧
૧૩૨ શાહ રમણલાલ ના. ૨૩૮ શાહ શાંતિલાલ મે, ૨૪૪ શાહનશાહ અકબરશાહ' ૧૬, ૩૬, ૪૦, ૪૪, ૫૬, ૫૭, ૬૦, ૨,
૬૪, ૬૭, ૬૮, ૮૬, ૯૩ શાંડિલગેત્રી કેશવરામ ૧૪૮ શિકારકાવ્ય” ૧૪૦ શિક્ષકનું કર્તવ્ય ૧૪૨ શિક્ષણ અને સંસ્કૃતિ ૩૯૮ શિક્ષણના મારા અનુભવો ૩૮૯ શિક્ષાપત્રી” ૧૮, ૨૨, ૮૬ “શિરીષ' ૪૮૧, ૪૮૩, ૪૮૪, ૧૯૧ શિરૂરકર વિભાવરી ૨૧૫ શિવ તનમનશંકર લા. ૧૫૨ શિવલીલામૃત” ૩૦૯ શિવાજી અને જે બુનિસા ૧૪૦ શિવાજી ને અફઝલખાનનું કંદયુદ્ધ ૨૩૭ શિવાજીને વાઘનખ” ૨૧૫ શિશુ અને સખી” ૧૫૬, ૧૦૧, ૧૯ર,
૧૯૬ શિહેરની હકીકત૨૧૧ શુક્રતારક” ૪૪૮ શુકલ એમ. એન. ૨૦૩ શુકલ ચંદ્રશંકર પ્રાણશંકર ૩૭૬,
૩૯૫-૩૯૬ શુકલ નાબહેન ૧૪૯, ૨૦૪ શુકલ નથુરામ સુંદરજી ૨૪૫ શુકલ પથુ હ. ૮૨, ૨૩૮ શુકલ ભાઈશંકર કુબેરજી ૧૪૨–૧૪૩
Page #639
--------------------------------------------------------------------------
________________
૩૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ શુકલ યશવંત ૩૬૮
શૈવલિની' ૧૧૬, ૧૧૮, ૧૧૪, ૪૬૧ શુકલ રામપ્રસાદ પર
શેપનહાઉર ૪૩૯, ૪૫૪ શુકલ શિવશંકર પ્રાણશંકર ૩૯૭– શો બર્નાડ ૩૫૪, ૩૮૯ ૩૯૮
શેભના ૪૯૪ શક ૪૫ર
શોભારામની સરદારી” ૨૧૭ શુંગારત્રિવેણી ૧૫ર
“શ્રમને પ્રસાદ' ૩૯૦ “શૃંગારશતક' ૧૫ર
“શ્રવણકુમાર” ૨પર શૃંગી ઋષિ” ૨૫૧
શ્રવણુપિતૃભક્તિ નાટક ૨૫૭ શેકસપિયર ૧૦, ૧૭, ૫૫, ૫૭, ૭૦, શ્રીઅરવિન્દ ૬, ૭, ૧૨૮, ૧૫૭, ૨૦૩, ૨૦૪, ૨૧૫, ૩૮૪, ૩૯૯, ૧૬૪, ૨૩૧, ૩૧૦, ૩૨૭, ૩૨૮, ૪ર૭, ૪૨૮
૩૩૩, ૪૨૯ શેઠ અમૃતલાલ ૭, ૨૧૭
શ્રી અરવિન્દનું કાવ્યદર્શન’ ૨૩૧ શેઠ કેશવ હ. ૮૨, ૮૪, ૧૨૪-૧૨૫, શ્રી કિશોરલાલ મશરૂવાળા : એક ૧૨૮
અધ્યયન” ૩૫૩, ૩૫૯ શેઠ ત્રિભુવનદાસ જ. ૨૧૮
શ્રી કુંભનાથનું શિવાલય” ૧૪૯ શેઠ મોહનલાલ અ. ૧૫ર
શ્રીકૃષ્ણ ૧૪૮ શેઠ લીલાવતી જુઓઃ મુનશી લીલાવતી શ્રીકૃષ્ણ ચૈતન્ય” (ભા. ૧) ૧૨૭, ૩૯૯ શેતરંજના દાવ ૨૪૮
શ્રીકૃષ્ણભજનસંગ્રહ” ૧૪૪ શેરલોક હોમ્સનાં સાહસકર્મો ૨૦૯ શ્રીકૃષ્ણરત્નપ્રભા” ૧૫૧
શ્રીજી ઈરાનશાહને પવાડો' ૧૦૨, શેલત ચૂનીલાલ રા. ૧૫૩
૧૦૩, ૧૦૬ શેલત વાસુદેવ રામચંદ્ર ૧૩૧, ૧૩૩ “શ્રી ડોલરરાય માંકડ: જીવન અને
સર્જન’ ૪૭૮ શેલી ૮, ૧૦, ૨૬, ૨૭, ૯૩, ૨૯૯
શ્રીધર ૨૨૯ શેષ” જુઓઃ પાઠક રા. વિ.
શ્રીધર” જુએ : ખબરદાર અ, ફ. શેષનાં કાવ્યો' ૪૦૫, ૪૧૮, ૪૨૦
૧૦૫ ( ૪૩૨, ૪૫૫
શ્રીધરાણુ કૃષ્ણલાલ ૨૪૪, ૪૭૬ શેષ વિવેચને” ૨૩૧
શ્રી નેત્રમણિભાઈને' ૩૩૭ શેષાદ્રિ જુઓ: ખબરદાર અ. ફ. શ્રીપાલ ૩૬૮ ૧૦૫
“શ્રીભગવતીસાર” ૩૯૬ શૈલી અને સ્વરૂપ” ૧૦૦, ૫૩ શ્રીમદ્ભગવદ્ગીતા' ૧૮, ૨૦, ૨૪, શૈવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ” ૨૨૫ ૨૮, ૩૮, ૪૫, ૮૬, ૨૩૫, ૨૫૯,
શેરિડન ૨૦૪
Page #640
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[ ૬૩૧ ૨૬૦, ૨૬૩, ૨૬ ૮, ૩૦૨, ૩૦૩, સતી તારલ’ ૫૫૪ , ૩૨૩, ૩ર૩, ૩૨૯, ૩૩૦, ૩૩૨, “સતી પદ્મિની' ૨૪૨ ૩૪૮, ૩૫૩, ૩૮૮
“સતી પાર્વતી ૨૪૨ શ્રીમદ્ ભગવદ્ગીતા (હાનાલાલનો “સતી વત્સલા' ઉપર
અનુવાદ) ૧૮, ૨૦, ૨૪, ૪૫, ૮૬ “સતી સંગીતાવલી” ૧૩૨ શ્રીમદ્ ભાગવત’ ૩૮, ૭૧, ૭૨, ૧૩૪, “સતી સંયુક્તા' ૨૪૨ ૩૮૩, ૩૯૬
“સત્તાને મદ' (દ્વિવેદી પ્રભુલાલકૃત) ૨૫ શ્રીમદ્ રાજચંદ્ર ૨૬૦, ૩૮૭
“સત્તાને મદ' (વૈરાટીકૃત) ૨૪૭ શ્રીમધુપત કાવ્ય” ૧૪૬, ૧૪૭ “સત્ય” ૨૩૭ શ્રી મહાવીરકથા' ૩૯૬
સત્યના પ્રયોગે' જુઓ: “આત્મકથા” “શ્રીમંતાઈને શેખ” ૨૪૮
સત્યની શોધમાં ૫૫૫ શ્રીમોટા ૩૯૯
સત્યપ્રકાશ” રૂપર શ્રી રાજચંદ્ર જીવનયાત્રા” ૩૯૭ “સત્યમય જીવન” ૩૫૩, ૩૫૯ શ્રીરામકથા’ ૩૯૪
સત્યાગ્રહગીતા” ૧૩૩ શ્રીરામકથામૃત” ૧૨૫ -
સત્યાગ્રહની મર્યાદા ૩૨૩, ૩૭૫, ૩૭૯ શ્રી શાંતિદેવાચાર્યકત બધિચર્યાવતાર' સત્યાગ્રહની મીમાંસા' ૩૮૭ ૩૯૧
સત્યાગ્રહની સપ્તપદી' ૩૮૭ શ્રી સયાજીયશબાવની” ૧૪૪
સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ ૨૭૧, ૩૦૫, શ્રી હર્ષદેવ” ૫૬, ૬૮, ૮૬
૩૦૬ શ્રી હેમચંદ્રચાર્ય' પ૩૩–૫૩૪
સત્યાગ્રહી ગેરિસન ૩૯૪ શ્રેયાથીની સાધના’ ૩૪૧, ૩૫૯, ૩૯૩ સત્યાથી દેવેન્દ્ર ૧૪૨ તભાનું ૨૧૫
“સદયવત્સકથા” ૨૩૩ સઈયદ ઇબરાહીમ “મુહિબ ૧૫ર સદર (સદ્ધ) હકીમ મહમદ ઉસમાન ૨૩૬ સક્કરબાર ૫૦૮
સન્નારીઓને બે બેલ ૧૪૩ સજી લે શૃંગાર” ૩૯૪
“સન્મતિતક' ૩૬૧ સજજન કેણુ (દ્વિવેદી પ્રભુલાલકૃત)
સફાઈમાં ખુદાઈ ૩૮૦ ૨૫૨
સબરસિયું” ૨૦૮ સજજન કેણું” (“પાગલકૃત) ૨૫૦ સમ આસ્પેકટ્સ ઑફ હિસ્ટ્રી ઑફ “સતી અનસૂયા ૨૪૫
જેરેસ્ટિનિઝમ” ૨૨૮ સતી અને સ્વર્ગ ૫૦૨
સમદર્શ આચાર્ય હરિભદ્ર ૩૬૨ સતી અંજની' ૨૫૪
સમયને ઓળખો ૨૩૪ “સતી ઊજળી' ૨૫૦
સમય સાથે” ૨૫
Page #641
--------------------------------------------------------------------------
________________
૬૩૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ સમરકેસરી' ૨૫૨
૧૬૪, ૨૨૦, ૩૯૭,૪૦૮, ૪૦૯, સમરાંગણુ” પપ૮
૪૧૩, ૪૫૫, ૪૫૬, ૪૬૫, ૪૬૮, સમાજ” ૧૨૭
૪૭૫, ૪૮૭ “સમાજદર્પણ” ૨૩૭
“સરસ્વતીચંદ્ર' (બ્રહ્મભટ્ટ રઘુનાથભાઈ “સમાજના કંટક” ૨૪૭
કૃત) ૨૫૧ સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ ૩૯૨ “સરસ્વતીચંદ્રનાં સમણુ” ૧૪૩ “સમાધિમાગ ૩૯૧
“સરસ્વતીચંદ્રનું રાજકારણ” ૨૩૮ “સમાલોચના ૪૩૫, પર૮
“સરસ્વતીચંદ્રને મહિમા–એની પાત્ર“સમિત્પાણિ ૨૩૦
સૃષ્ટિમાં ૪૫૫ “સમીસાંજને ઉપદેશ ૩૯૬
“સરિતાથી સાગર’ ૩૯૭ સમુદ્રગુપ્ત” (દ્વિવેદી પ્રભુલાલકૃત) ઉપર સરોવરની સુંદરી ૧૪૧ “સમુદ્રગુપ્ત (‘પાગલ કૃત) ૨૫૦
સમસ” ૧૦૦ સમૂહજીવન અને છાત્રાલયે ૩૮૯ સર્વોદય’ ર૭૫ સમૂળી ક્રાન્તિ’ ૩૪૨, ૩૫૦–૩પર, ‘સર્વોદયની વાત' (ભા. ૧થી ૫) ૩૯૦ ૩૫૫, ૩૫૬, ૩૫૮, ૩૫૯
સર્વોદયની સરવાણી” ૩૯૮ સમૂળી ક્રાન્તિ અને બીજા લેખો' ૩૫૮, સર્વોદયવિચારણ” ૩૬૬ ૩૫૯
સર્વોદય સમાજની ઝાંખી’ ૩૮૩ “સમ્રાટ ચંદ્રગુપ્ત” પર “સમ્રાટ હર્ષ ૨૫૩
સહજાનંદસ્વામી ૩૪૩, ૩૪૪, ૩૫૯
સહાયવૃત્તિ ૩૯૩ સરગેસ ૫૭૮
“સળગતું આયર્લૅન્ડ’ પ૩૭ સરજનહાર” ૨૫૦
“સળગતે સંસાર” ૨૫૦ “સરદાર-બા” ૨૪૨
“સંકેત ૪૫૬ સરદાર વલ્લભાઈ” (ભા. ૧-૨) ૩૦૩
“સંગતનાં ફળ” ૨૪૩ સરદાર વલ્લભભાઈનાં ભાષણ' ૩૯૮
સંગીતગીતા” ૧૫ર “સરદાર વલ્લભભાઈ પટેલના લેખો ૩૯૯
સંગીતવનિ ૧૩૨ “સરફરોશ” ૫૦૮
“સંગીત લીલાવતી' ૨૫૩, ૨૫૪ સર વસંતકુમાર ૨૫૦
“સંગીતાંજલિ' (ભા. ૧થી ૬) ૨૩૮ સર વિ.દા. ઠાકરશીનું જીવનચરિત્ર સંગ્રામસિંહ ૩૭૧ ૨૩૮
સંઘમિત્રા” ૪૬, ૫૬ સરસ્વતીચંદ્ર' ૫, ૬, ૧૩, ૧૫, ૧૭, સંઘવી સુખલાલજી સંઘજી જુઓ : ૧૮, ૬૬, ૭, ૭૦, ૮૨, ૯૫, પંડિત સુખલાલજી
Page #642
--------------------------------------------------------------------------
________________
સંઘવી હિરલાલ દ્વ્રા. ૧૫૩
સૌંચય' ૨૨૦ ‘સ‘ચિયતા' ૫૫૦
‘સંજય' જુએ ઃ પરીખ ર. છે।. ૪પર
સ ́ાના જહાંગીર એલજી
૨૦૪,
૨૨૪–૨૨૫
‘સંત તુકારામની વાણી’ ૩૫૩ ‘સંત ફ્રાન્સિસ' ૩૭૫
“સંતલીલામૃત' ૩૦૯ ‘સાંતાનાના વાંકે' ૨૫૨
“સતાના અનુજ' ૩}
“સતાના કાળા′ ૩૬૭
‘સ' દેશરાસક' ૩૭૧ ‘સ‘દેશિકા' ૧૦૨, ૧૦૭, ૧૧૦ સય્યાસ્તવનાંજલિ' ૧૩૨
સ’પટ ડુંગરશી ધ. ૨૩૮ સ'પત્તિ માટે' ૨૫ર
સખેાધન' ૮૦, ૧૦૦ ‘સંયુક્તા’ ૪૮૦, ૪૯૮
સદ સૂચિ
‘સંયુક્તાખ્યાન’ ૧૨૯
‘સવાદમાલા' ૨૩૫
‘સવાદસંચય' ૨૦૦
‘સંવાદી સૂર' ૨૪૮
“સંસાર' ૨૦૪
સંસાર અને ધર્મ' ૩૪૮-૩૫૦, ૩૫૫, ૩૫૬, ૩૫૯
સસાર એક નાટક ૨૦૧
‘સંસારચિત્ર’ ૨૪૮
‘સંસારચિત્રા’ ૨૦૦
‘સ સારદણુ' ૧૨૭ ‘સૌંસારમ થન' ૮૦, ૧૦૦ ‘સંસારમાં સ્વર્ગ' ૨૨૦
[ ૬૩૩
‘સંસારયાત્રા’ ૨૪૮
‘સંસારલીલા' (કાંટાવાળા મટુભાઈકૃત)
૨૨૩
સંસારલીલા’ (‘પાગલ’કૃત) ૨૫૦ સ’સારિકા' ૧૦૨
‘સ‘સ્કારલક્ષ્મી' ૨૫૪
‘સંસ્કૃત નાટક' ૨૩૫ ‘સંસ્કૃત નાટક સાહિત્ય’ ૪૫૫ સંસ્કૃત નાટચસાહિત્યના વિકાસની રૂપરેખા’ ૪૭૧ ‘સંસ્કૃત સાહિત્યનેા ઇતિહાસ’૨૨૭
‘સાકી’ ૧૨૩
‘સાગર’ ૧૩૨, ૧૪૪
‘સાગરનાં મેાતી' ૨૫૫ સાગરપતિ' ૨૫ર
‘સાગરસમ્રાટ’ ૩૯૦
સાચાં મેાતી ૧' ૧૪૮
‘સાચુ` સ્વ’ ૨૨૦ ‘સાચા સજજન’ ૨૫૦ સાદીક અબ્દુલરહીમ ૨૩૬
સાદીક મહમદ ૨૩૬
સાદીક મેલવી ગુલામ મેાહમદ ૨૩૬
સાદી કસરતના દસ દાવ' ૮૭ ‘સાધના' ૨૩૦ ‘સાધુચરિત ત્રિવેદીસાહેબ' ૩૮૮ ‘સાપ' ૩૯૮ સામંતસિંહ બીહેાલા' ૫૦૮ ‘સામાજિક નાટકો’ ૧૮૨, ૧૮૪, ૧૮૬ ‘સામે પાર' ૨પર
‘સારથિ’ ૨૨, ૭૪–૭૬, ૯૩, ૯૮ સારેાદી મરજી ૨૩૬ ‘સાર્થ જોડણીકાશ' ૩૮૭, ૪૫૭
Page #643
--------------------------------------------------------------------------
________________
૬૩૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચિં. ૪ સાવરકર વિનાયક ૨૧૫
સાહિત્યાક ૪૦૬, ૪૩૫ “સાવિત્રી” (દ્વિવેદી પ્રભુલાલકૃત) ૨૫ “સાહિત્યસ્વાદ' ૪૦૭ “સાવિત્રી (શ્રીઅરવિંદકત) ૨૩૧ સાંગાણી દામુ ૨૫૫ “સાવિત્રગુંજન” (ભા. ૧-૨) ૨૩૧ સાંડેસરા ભોગીલાલ ૪ “સાહસિકોની સૃષ્ટિ” ૩૯૦
સાંધ્યગીત” ૧૧૩ “સાહિત્ય અને ચિંતન ૫૦૪ “સાંધ્યતેજ' ૫૧૨ સાહિત્યકલા' ૨૨૭
“સાંધ્યરંગ” ૫૧૨ સાહિત્યકુંજ” ૧૨૭
સાંબેલાના સૂર ૫૬૦, ૫૬૧ “સાહિત્યદર્શન ૪૪૩
સાંભરરાજ' પર “સાહિત્યદ્રષ્ટાને” ૨૩૪
સિદ્ધહેમશબ્દાનુશાસનમ' ૨૩૪ સાહિત્યની પાંખે' ૨૩૦
સિદ્ધાર્થ બુદ્ધ' ૨૪૯ સાહિત્યને એવારેથી ૨૩૪
સિદ્ધિચંદ્ર ૪૫૬
“સિરાજુદ્દૌલા” ૨પર સાહિત્યને ચરણે ૨૩૭
સિલેકશન્સ ફોમ અવેસ્તા ઍન્ડ ઍલ્ડ સાહિત્યને સ્વાધ્યાય (પૂર્વાર્ધ) ૪૬૧,
પશિયન’ ૨૨૮ ૪૬૨
“સિલેકશન્સ મ કલાસિકલ ગુજરાતી સાહિત્યપ્રિય” જુઓઃ શાહ ચુ. વ. “સાહિત્યપ્રિય સાથી ૧' ૪૪૯
લિટરેચર’ ૨૨૮ સાહિત્યમંથન ૮૧, ૧૦૦, ૪૪૪
સિવિલિઝેશન, ઈર્ઝ કોઝ ઍન્ડ કૉર’
૨૭૭ “સાહિત્યમાં સાર્વભેમ જીવન’ ૩૩૬ સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો” ૪૭૨,
સિંકલેર અપ્ટન ૫૫૫, ૫૫૬
સિંધુડો' ૫૪૬ ४७८
“સિંહાસનબત્રીશી' ર૨૪ સાહિત્યવિચાર’ ૧૫૩, ૧૫૪, ૪૦૬,
“સીટ ઑફ ઓથોરિટી ૧૦૦ ૪૩૩ સાહિત્યવિચારણું ૫૩૩
સીતા” ૧૪૩ “સાહિત્યવિદ ૨૦૭
સીતાવનવાસ ૧૩૫, ૧૩૬ સાહિત્યવિમર્શ' ૪૦૬, ૪૩૫, ૪૩૬
સીતાસ્વયંવર’ ૨૪૫ “સાહિત્યવિહાર' ૧૫૩, ૪૯૯
સીતાહરણું ૩૯૫ સાહિત્યસમીક્ષા' ૧૫૪, ૪૫૭, ૪૫૯,
સીદીકી મેહંમદ મીઠા ૨૩૬
સીદીકી રઝીયુદ્દીન અબ્બાસમિયાં ૨૩૬ ४७८ “સાહિત્યસંસ્પર્શ' ૪૬૫, ૪૬૬, ૪૬૭
સીધાં ચઢાણ ૧૫૭, ૧૫૮, ૧૦૧
૧૯૨ “સાહિત્ય સોપાન (ભા. ૧થી૩) ૪૦૬
સીખેલીન’ ૨૦૩
Page #644
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
[ ૬૩૫.
સુરીશ્વર અન સમ્રાટ’ ૨૩૪ સુરેયા એમ. એ. ૧૫ર સુરેયા કુલસુમ ૧૫ર “સૂર્યકુમારી૨૫૧ “સુલભા ૨૧૫ સુવર્ણની ભાયા” ૩૫૫ સુવર્ણરજ' ૪૮૮ સુવાસિની' ૨૦૦ સુશીલ” જુઓઃ પારેખ ભીમજી હર
જીવન ૨૩૮ સુંદરગણિ ૩૭૧ સુંદરપુરની શાળાને પહેલે કલાક
૩૮૬
સીલી ૧૪૨ સુકન્યા સાવિત્રી' ૨૪૬ સુકાની ૫૦૮ “સુખમની' (દેસાઈ મગનભાઈ પ્ર.) ૩૮૮ “સુખમની” (બક્ષી રામપ્રસાદ) ૪૪૦ સુખી કે દુખી ? ૨૫૩ સુખી સંસાર” ૨૫૦ સુતરિયા રંગીલદાસ ૨૩૫ “સુત્તનિપાત” ૩૯૧ સુદામાચરિત' ૪૦૯ સુદામાચરિત : કવિ પ્રેમાનંદ અને નર-
સિંહકૃત' ૩૮૮ સુદામાચરિત' (જાની અંબાલાલ–સંપા
દિત) ૨૨૪ સુદામાચરિત' (દેસાઈ મગનભાઈ
સંપાદિત) ૩૮૮ સુદામાચરિત્ર' (મજમુદાર મંજુલાલ
સંપાદિત) ૨૩૩ સુદામાજીના કેદારા’ ૩૮૮ “સુધાચંદ્ર ૨૪૯ “સુધાહાસિની' ૨૧૯
સુબેધક કાવ્યસંગ્રહ ૧૧૬ “સુબોધચંદ્રિકા' ૧૪૬ સુભદ્રાદેવી જુઓ ઃ ક્રોઝ ચાલોટે ૨૩૫ સુભદ્રાહરણ” (પ્રેમાનંદનું) ૨૨૪ “સુભદ્રાહરણ” (ધળશાજીકૃત) ૨૪૨ “સુભાષિતરત્નભાંડાગાર” ૧૧૭ સુમતિ સી. ૧૪૭ “સુમનસંચય” ૨૧૫ સુરત જિલ્લા સર્વોદય યોજના ૩૮૬ સુરદાસ ૬૯ “સુરસાગરની સુંદરી ૨૧૫
“સુંદરમ ૫, ૬, ૮૮, ૯૮, ૧૨,
૧૦૪, ૧૦૫, ૧૦૮, ૧૦૯, ૧૧૮, ૧૨૧, ૧૨૫, ૧૫૩, ૧૫૪, ૪૦૪, ૪૦૯, ૪૧૬, ૪૧૯, ૪૨૦, ૪૩૦,
૪૩૯, ૪૫૧, ૪૯૩, ૫૧૯, ૫૩૧ “સુંદરરામ ત્રિપાઠી જુઓઃ ઉમરવાડિયા
બટુભાઈ ૨૦૧ સુંદરવન’ ૩૯૪ સુંદરવેણું ૨૪૩ “સૂચીકરણ ૩૯૫ “સૂતપુત્ર કર્ણ ૩૮૪ સૂત્રકૃતાંગસૂત્ર' ૩૯૬ સૂત્રાવલી” ૨૩૦ સેઈનર્સબરી ૪પ૯ સેતલવાડ વિમળાગૌરી મૌ. ૨૨૦ સેમ્યુઅલ ધ સિકર” પપપ “સેવિકા' (પૂર્વાર્ધ) ૧૪૯ સૈયદ અઝીમુદ્દીન “મુનાદી’ ૨૩૬ સોક્રેટીસ ૨૭૫
Page #645
--------------------------------------------------------------------------
________________
૬૩૬]
સ્ટીવનસન લઈ ૩૮૮
ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચ. ૪ સોણલાં ૧૪૯
“સૌરાષ્ટ્રની રસધાર (ભા. ૧થી ૫) “સો દષ્ટાંતિક દેહરા' ૧૦૧, ૧૦૨ ૧૨૬, ૫૩૭, પ૩૯, ૫૪૨, ૫૫૦, સેનાને સૂરજ’ ૨પર
પપર સેનેરી જાળ” ૨૪૮
“સૌરાષ્ટ્રને મંત્રીશ્વર' ૪૪૮ “મનાથ” ૨૩૩
શ્કેટ વેલ્ટર ૧૦, ૨૧૫, ૨૨૦ સોમનાથનું શિવલિંગ' ૫૦૪ - સ્ટડી ઑફ રિલિજિયની ૧૦૦ મનાથશતક' ૧૪૩
સ્ટડીઝ ઇન ગુજરાતી લિટરેચર” ૨૨૪ સેમપુરા રેવાશંકર ૨૧૮
સ્ટડીઝ ઇન લેન્ડ રેવન્યુ એન્ડ સેમપ્રભાચાર્ય ૩૬૯
ઈકનેમિકસ” ૧૪૨ સેમાણી બા. ૨. ૨૪૪ સેમેશ્વર ૩૭૧
સ્ટોરીઝ ઑફ એનિમલ લાઈફ ૫૫૦ સેરઠ, તારાં વહેતાં પાણી પ૬૦ સ્ટેરીઝ ઑફ પ્લાન્ટ લાઈફ” પપ૦ સેરઠને તીરે તીરે ૫૬૦
સ્તવનમંજરી” ૧૨૨ સેરઠને સિંહ ૨૫૩
“સ્ત્રીગતાવલિ ૧૫૩ સેરઠબાવની ૧૫૦
“સ્ત્રી પુરુષમર્યાદા’ ૩૪૮-૩૪૯, ૩૫૦ સેરઠિયા દુહા ૫૪૩
સ્ત્રીશક્તિ’ ૧૪૩ સેરઠી ગીતકથાઓ ૫૪૨, ૫૬૦ સ્નેહમંજરી” ૧૪૯ સોરઠી બહારવટિયા” (ભા. ૧થી ૩) “સ્નેહમંદિર ૨૫૫ ૫૪૨, ૫૫૦, ૫૫૪.
સ્નેહમુદ્રા” (ગે. મા. ત્રિકૃત) ૫, સોરઠી વીરાંગનાની વાર્તાઓ રર૮ ૧૫, ૭, ૯૫, ૧૩, ૪૩૯, સોરઠી સંતવાણી ૫૪૩ સેરઠી સંતો ૫૪૩
સ્નેહમુદ્રા' (બ્રહ્મભટ્ટ રઘુનાથભાઈકૃત) સેરડી સિહ’ ૨૫૦
૨૫૧ સરોઝ ઓફ વર્ટર” ૧૪૦
“સ્નેહયજ્ઞ' ૪૮૨, ૪૯૦, ૪૯
“સ્નેહરશ્મિ ૫, ૪૦૪ - સેલંકી મેરી સેમ્યુઅલ ૨૦૦
સ્નેહવિરહપંચદશી' રરર સૌભાગ્યકંકણુ” ૨૫૪
સ્નેહસરિતા' ૨૪૯ સૌભાગ્યવાન” ૨૫૦
સ્નેહસંગીત” ૧૨૪, ૧૨૫ સૌભાગ્યસુંદરી' (મૂલાણું મૂળશંકરકૃત) ૨૪૩
સ્નેહસંભ્રમ' ૧૮૨, ૧૮૬ સૌભાગ્યસુંદરી' (શુક્લ નથુરામ સુંદરજી સ્નેહસુધા' ૨૫૦ કૃત) ૨૪૬
“હાંકુર’ ૨૨૭ સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં પ૬ ૦
સ્પિનગર્ન ૪૫૯
Page #646
--------------------------------------------------------------------------
________________
‘સ્મરણમ’જરી’ ૨૫૧ ‘સ્મરણમુકુર’૩
‘સ્મરણયાત્રા’ ૩૩૬, ૩૩૭, ૩૩૮ ‘સ્મૃતિ’ ૪૫૧
સ્મૃતિ અને દર્શન' ૨૩૧
સ્મૃતિકુંજ' ૧૩૨ ‘સ્મૃતિસંવેદન’ ૨૫૩
‘સ્રોતસ્વિની' ૧૧૬, ૧૧૮
‘સ્વદેશ’૨૧૫
‘સ્વદેશગીતામૃત' ૧૫૩ સ્વદેશગીતાવલિ’૧૨૪–૧૨૫
સ્વદેરાગીતા’ ૧૨૬
સ્વદેશી ધર્મ' ૩૩૭
સ્વદેશી હિલચાલ’ ૧૪૨
સ્વપ્નદ્રષ્ટા' ૧૫૭, ૧૬૩, ૧૬૪,
૧૬૫, ૧૬૬
‘સ્વપ્નવસંત’ ૧૨૭
સંદર્ભ સૂચિ
સ્વપ્નવિભાવરી' ૧૨૭
સ્વપ્નસિદ્ધિની શેાધમાં' ૧૬૧, ૧૯૧,
૧૯૨
‘સ્વયંવર’- ૨૪૭
સ્વરાજનાં ગીતા' ૧૫૩
સ્વરાજ્ય એટલે શું ?' ૩૮૭
સ્વરાજ્યકીન’૧૪૭
સ્વરૂપવિવેક' ૧૪૩
‘સ્વની કૂંચી' ૨૨૦ સ્વર્ગા ખાને' ૨૨૦
સ્વર્ગની સડક' ૨૨૦
સ્વર્ગની સીડી' ૨૨૦
સ્વાધ્યાય' ૨૩૮
સ્વામિની' ૧૩૦
સ્વામી આનંદ ૩૧૦, ૩૨૨, ૩૩૭,
[ ૬૩૭
૩૫૭, ૩૬૩–૩૬૭, ૩૮૫, ૩૮૦ સ્વામી રામતીર્થનું જીવનચરિત્ર' ૩૩૭ સ્વામી વિવેકાનંદ’ (ભા. ૪-૫) ૧૨૭ સ્વિનબ ૧૦૨ ‘સ્વૈરવિહાર’ (ભા. ૧–૨) ૪૦૫, ૪૨૮
૪૩૦, ૪૩૫, ૪૩૬
સ્વૈરવિહારી' જુએ પાઠક રા. વિ.
૪૦૩
હઝરત માહમ્મદ સાહેબનું જીવનચરિત્ર
૨૩૬
હેડસન ૪૬૧, ૪૨
હમીદ લાખા ૨૩}
‘હમીર મહાકાવ્ય' ૩૭૧
‘હરરાય દ્વિવેદી’જુઓ : ઉમરવાડિયા ટુભાઈ ૨૦૧
‘હરારી' પ૮
હરિગીત અને ખીજાં કાવ્યા' ૧૩૩ હિરજન સ ંતા' ૩૯૯ હરિદર્શન' ૪૦, ૪૯-૫૦ હરિભદ્રસૂરિ ૩૬૨, ૩૬૯ હરિલાલ ગાંધી ૩૯૨ હરિવંશ’૨૨૪
રિવિજય' ૩૦૯
હરિશ્ચંદ્રાખ્યાન’ ૨૫૭ ‘હરિસંહિતા’ ૧૮, ૨૨, ૪૦, ૪૭,
૫૩–૧૬, ૬૧, ૬૨, ૭, ૮૭,
૯૩, ૯૮, ૧૦૦ હરિસ`હિતા'નાં ઉપનિષદો ૩૯૮ હરિહર દીવાના' ૨૫૪ ‘હસ્તમેળાપ' ૨૫૩ હળપતિ-મુક્તિ' ૩૮૬
હુંગેરીના તારણહાર' ૫૩૭, ૫૬૧.
Page #647
--------------------------------------------------------------------------
________________
[
,
૬૩૮]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ “હંસાદેવ” ૨૪૭
१४ હંસાવતી વિક્રમચરિત્ર ૨૨૯
હિંદી-ગુજરાતી કેશ’ ૩૮૮ “હાઈમાટે ૨૦૪
હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસને ઇતિહાસ” હાજી કાસમ તારી વીજળી ૫૦૮
(ભા. ૧-૨) ૨૦૦ હાજી ગુલામઅલી હાજી ઈસમાઈલ હિંદી સંસ્કૃતિ' ૩૯૧ રહમાની” ૨૩૬
હિંદુ જીવનદર્શન’ ૩૯૬ હાતમતાઈ” ૧૪૪
હિંદુધર્મની આખ્યાયિકાઓ' ૩૮૪ હાફીઝ ૯
હિંદુસંસારચિત્ર’ ૧૪૭ હામી ૧૫ર
‘હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક હારમાળા અને તેને લેખક' ૨૧૬
સ્થાન” ૨૧૯ હાડી થેમસ ૬૩
હીપ ખુમાણ” ૨૫૦ હાલરડાં ૫૪૩
હીરવિજયસૂરિ ૩૬૯ હાલી ઉપર
હીરાની ચમક ૫૦૧-૦૨ હાસ્યકુંજ' ૨૧૨
હીરાલાલ ઉમિયાશંકર ૧૫ર “હાસ્યમંદિર” ૨૧૮
હુદા વલીમોહમદ નાનજી ૨૩૬ હાસ્યવિલાસ' ૨૧૦
હુન્નરસિહ મહેતા” જુઓ: ખબરદાર હિતેપદેશ” ૨૪૪
અ, ફ, ૧૦૫ હિમાલયને પ્રવાસ” ૩૧૨–૩૨૪
હું, સરલા અને મિત્રમંડળ” ૨૦૯ હિમાંશુવિજયજી ૨૩૪
હૂ વક એલન ૩૫૪ હિરિયાણું ૩૯૬
હૃદયકલ્લોલ ૧૪૯ હિંદ અને બ્રિટાનિયા' ૬
‘હૃદયકુંજ' (ગુચ્છ ૧, ૨) ૧૪૪ ‘હિંદને જવાહર' ૩૯૭
“હદયકુંજનાં પુષ્પ” ૧૪૭ ‘હિંદના સરદાર ૩૯૨
“હૃદયતરંગ” ૧૨૨ હિંદનાં વિદ્યાપીઠ” ૨૩૧
હૃદયધ્વનિ (નાદ ૧થી ૪) ૧૨૫ હિંદની અંગ્રેજ વેપારશાહી - ઈ. સ. હૃદયનાથે' ૪૯૭ ૧૬૦૦થી ૧૮૦૦” ૩૮૭
હૃદયની રસધાર ૨૧૧ હિંદની હાલત ૧૪૮
હદયપુષ્પાંજલિ ૧૩૯ હિંદ-બ્રિટનને નાણુવ્યવહાર' ૩૯૭
હૃદયબંસી” ૧૪૭ ‘હિંદ માતા” ૨૫૦
હૃદયમંથન” (મહેતા. ક. વિકૃત) ૧૪૮ ‘હિંદ સરકારની શિક્ષણજના ૩૮૮ હૃદયમંથન” (શુકલ શિ. પ્રાકૃત) ૩૯૮ ‘હિંદ સ્વરાજ' , ૨૭૧, ૨૩૪, ૨૭૬, હૃદયરંગ' (ભાગ ૩) ૧૪૨
ર૭૭–૨૮૧, ૨૯૩, ૩૨૪, ૩૩૮, હંદગાર' ૧૪૪
Page #648
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
ફિ૩૯ ‘હતુબિંદુ’ ૩૬૨
૨૧૦, ૨૧૧, ૪૪૧, ૪૪૯, ૫૦, હેમચંદ્રાચાર્ય ૩૬૨, ૩૭૨, ૪૧૨, ૪૧૭,
૪૭૧ ૪૪૫, ૪૫૬, ૪૬૭, ૫૩૩, ૫૩૪
ગુજરાત” ૧૧, ૧૫૮, ૧૬૦, ૧૯૬, “હેમચંદ્રાચાર્ય' (દેશી બેચરદાસકૃત)
૨૦૪,૨૧૧, ૨૨૨, ૪૦૩, ૪૪૧, ૪૫૦ ૩૭૨
ગુજરાતી” ૧૧, ૧૫, ૧૪૨, ૧૫૮, હેમરતન ૩૭૧
૧૯૯, ૨૨૩, ૨૩૫ હેમ્લેટ ૨૦૩
ગુજરાતી નાટ” ૪૩૨ હેલન કેલર ૩૮૮
ગુજરાતી પંચ” ૨૧૪ હૈયાનાં હેત' ૨૫૦
“ગુણસુંદરી’ ૨૦૦, ૨૧૧ હોથલ પદમણું ૨૪૭, ૨પર
ગ્રંથ ૧૦૦ હોપકિન્સ ૧૦
ચન્દ્ર ૧૫, ૧૧૭ હામર ૫૧
ચેતન ૧૪૯, ૨૦૧, ૪૪૧, ૪૫૦ હારા મ. બ. ૨૪૪
જન્મભૂમિ પ૩૮, ૫૬૦ ‘હારીસમુદાય” ૧૫૩
જય સ્વદેશી ૨૩૮ હેરી સંગ્રહ ૧૫૩
જર્નલ ઑફ ઍમ્બે એશિયાટિક સેસાહ્યુગો વિકટર ૨૧૩, ૩૯૭
યટી’ ૪૭૧ ' સામયિકે
જર્નલ ઓફ ભાંડારકર ઓરિએન્ટલ
રિસર્ચ ઇન્સ્ટિટયૂટ’ ૪૭૧ “અખંડ આનંદ' ૨૨૧, ૨૫૧
જૈન સાહિત્ય સંશોધક' ૩૬૯ “આયુવેદ વિજ્ઞાન ૨૨૫
“જ્ઞાનસુધા' ૬, ૧૧, ૧૨, ૧૭, ૨૩, “આર્ય પ્રકાશ” ૧૫૮
૮૧, ૧૪૪ ઈસ્ટ ઍન્ડ વેસ્ટ” ૧૪૦
ડાંડિ૪૪૭, ૪૬૩ ઈન્ડિપેન્ડન્ટ' ૩૭૪
દેશભક્ત’ ૪૭૯ ઈન્ડિયન ઓપિનિયન’ ૨૭૧-૨૭૭
નવગુજરાત' ૪૮૦ ઈન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટરલી’ ૪૭૧
નવચેતન” ૨૨૨, ૨પર ઊર્મિ ૧૧, ૪૭૦
‘નવજીવન’ ૪, ૭, ૧૧, ૮૧, ૨૬૬, કરકેસરી” ૨૩૮
૨૭૧, ૨૮૩, ૨૮૫, ૨૮૬, ૨૯૨, કવિતા” (અનિયતકાલિક) ૪૦૦
૩૬૪, ૩૭૪, ૩૮૫ કવિલોક ૪૦૦
‘નવજીવન અને સત્ય” ૨૧૭ કાઠિયાવાડ ટાઈમ્સ” ૧૩૬
નાગરિક” ૪૭૦ “કુમાર” ૧૧, ૨૧૧, ૨૧૮, ૪૦૦ નૂતન ગુજરાત” ૨૧૭ કેળવણું ૨૩૮
પટેલબંધુ” ૧૪૭ કૌમુદી' ૧૧, ૧૦૦, ૧૧૧, ૧૨૯, પુરાતત્વ ૪૦૨, ૪૩૨, ૪૫, ૪૭૧
Page #649
--------------------------------------------------------------------------
________________
૨૩૦
૬૪૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચં. ૪ “પ્રજાબંધુ” ૧૧, ૨૧૪, ૫૦૬
૧૫૪, ૧૬૦, ૧૯૮, ૨૦૮, ૨૨૨, પ્રબુદ્ધ ભારત' ૩૦૯ પ્રસ્થાન” ૧૧, ૧૦૦, ૨૦૨, ૨૧૧,
શરદ ૨૦૩ ૪૦૩, ૪૦૭, ૪૨૪, ૪૨૯,૪૩૩,
‘શારદા” ૨૨૯ ૪૩૪, ૪૫૦
શિક્ષણ અને સાહિત્ય' ૩૮૭, ૩૮૮ ફૂલછાબ” ૧૧, ૫૩૮, ૫૫૪, ૫૬૧ શિક્ષણપત્રિકા' ૩૮૭ ફેન્સે સભા સૈમાસિક” ૧૧
“સમર્પણ” ૧૯૬ બાલમિત્ર ૫૫૦
સત્યાગ્રહ ૩૮૭ બુદ્ધિપ્રકાશ” ૧૧, ૭૮, ૧૪૪, ૨૦૮, સમાચક' ૧૫૭, ૩૨૩ ૨૨૫, ૨૨૬, ૪૩૨, ૪૩૫
સંસ્કૃતિ” ૧૧, ૩૩૮ બે ઘડી મોજ' ૧૪૫, ૨૧૩
“સાબરમતી’ ૪૦૨ બોમ્બે ક્રોનિકલ’ ૨૧૨
સાહિત્ય ૫, ૧૧, ૧૩૫, ૧૫૪, ૨૨૨, “બ્રહ્મવાદિન ૩૦૯
૨૨૩, ૫૧૦ “ભારત” ૨૩૮
સાંજ વર્તમાન” ૧૯૯, ૨૩૮ ભારતીભૂષણ” ૧૪૫
“સુદર્શન' (ઉમરવાડિયા બટુભાઈનું) ૨૦૧ ભારતીય વિદ્યા ૩૭૦
“સુદર્શન' (દ્વિવેદી મણિલાલનું) ૧૫, ભાર્ગવ ૧૫૮
૧૪૦, ૧૪૧, ૧૪૮, ૧૪૯ “માનસી” ૧૧, ૪૪૧, ૪૨, ૪૫૦ સુવર્ણમાળા' ૨૧૫ “મુંબઈ સમાચાર” ૧૫૩, ૨૧૭ સુંદરી સુબોધ ૫, ૧૧, ૧૪૪, ૧૯૮ મેંડર્ન રિવ્યુ ૪૦૩
સૌરાષ્ટ્ર ૭, ૧૧, ૨૩૮, ૫૩૭, ૫૫૦, યંગ ઈન્ડિયા” ૨૧૭, ૨૭૧, ૨૮૩, ૫૬૧ ૨૯૩, ૩૬૪, ૩૭૪
સ્ત્રીહિતોપદેશ' ૨૧૦ “યુગધર્મ ૧૧, ૨૧૧, ૨૧૭, ૪૦૨, ૪૦૩,
સ્વદેશવત્સલ” ૧૫ ૪૦૭, ૪ર૪, ૪૩ર-૪૩૩, ૪૫૦
‘સ્વાધ્યાય” ૪૭૮ રાષ્ટ્રમત' ૩૧૦
હરિજન” ૨૭૧, ૩૦૫, ૩૪૧, ૩૪૨, રેખા” ૪૩૬
૩૫૨, ૩૫૮, ૩૫૯, ૩૮૭ રોહિણી ૪૪૨
હરિજનબંધુ ૩૦૫, ૩૪૧, ૩૪૨, સંત” ૫, ૧૧, ૧૧૫, ૨૦૮, ૫૧૦ ૩૫૮, ૩૮૭ “વાર્તાવારિધિ' ૧૯૮
હરિજનસેવક' ૩૦૫, ૩૪૧, ૩૪૨, “વિનોદ ૧૪૯, ૨૦૧
૩૫૮, ૩૮૭ વીણ ૨૦૩
હિન્દ્રવિજય” ૧૪૪ “વીસમી સદી' ૫, ૧૧, ૧૪૦, ૧૫૩,
૦૧૭
Page #650
--------------------------------------------------------------------------
________________
સ'દસૂચિ
અંગ્રેજી શબ્દસૂચિ
"Advanced Studies in Indian
Logic and Metaphysics" 362 "A Rightous Struggle" 376 Clark Barret H. 100 "Clouds" 127
"Date of Rigveda" 476 "Dynasts" 63 "Gandhiji in Indian Villages" 376
"Gospel of Selfless Action or The Gita according to Gandhi" 376
"Gujarat And Its Literature" 194, 478
ગુ. સા. ૪૧
[૪૧
"Indian Philosophy" 361 Lawrance D. H. 478 "Pastoral Poems" 147 "Puranik Chronology" 476 "The Eclipse of Faith" 376 "The Prophet" 530 "The Silken Tassel" 111 "The Story of Bardoli" 376 "The Types of Sanskrit Drama" 471
"The Yugapuranam" 476 "Unworthy of Wardha" 376 "With Gandhiji in Ceylon"
376 "Zarthushtra" 111
Page #651
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
પૃષ્ઠ પંક્તિ શુદ્ધ ૫૯ ૩૧ ત્યાર પછીના ૬૩ ૨૫ “જગપ્રેરણા ૬પ ૮ કવિ કેટલો ૬૫ ૨૨ પણ પાત્રોની ૭૦ ૨૭ ભૂમિકાને એ નાટકમાં
મૂકી કવિએ ૭૩ ૬-૭ નોંધપાત્ર ગણાવાના ૭૬ ૧૨ સાથે પોતાની કલ્પનાને
પણ
"પૃષ્ઠ પંક્તિ શુદ્ધ ૨ ૨૩ આદિને ૫ ૨૧ “વીસમી સદી ૧૧ ૮ પર વધતો ગયેલો
ફ્રાઈડપ્રેરિત ૧૩ વેળાએ ૧૭ ૮ સુમધુર ૨૧ ૧૯ પગારમાંથી ૨૬ ૨ “વસંતોત્સવની ૨૬ ૪૫ એ શિલી, કેટલાંક ૨૯ ૧૫ એમની આત્મલક્ષિતામાં ૩૧ ૩ સંધિકા ૩૧ ૧૮ પંક્તિમાંની ૩૧ ૨૧૨૨ “શશીરાજ'ના ચન્દ્રોના ૩૪ ૧૩ પુણ્યનું ગાન ૩૫ ૧૦ કેટલાંક કાવ્યો'નું ૩૫ ૧૫ પ્રભા શું ૩૫ ૧૬ જીવનની ૪૩ ૧૮ સજજ નિઃશતાથી ૪૬ ૫ પેઢીને તેણે ૪૬ ૮ “ઈન્દુકુમાર ૪૬ ૧૦ ગાંધીજીનાં ૪૭ ૨૬ “હરિસંહિતા ૫૦ ૨;૩ કાવ્ય લાલિત્ય; બંનેમાં ૫૩ ૨૦ કવિએ એમાં પ૬ ૧૩ નાટકમાં ૫૯ ૨ એમનાં નાટકની ૫૯ ૩૦ આદિને સચોટ
૭૮ ૧૪ એ બન્યું ૭૮ ૨૪ દલપતરામને “પ્રજાના ૭૮ ૯ આસ્વાદ્ય ૮૧ ૨૩ પુસ્તક અન્ય ૮૪ ૨ અણસંતોષાયેલી રહેલી ૮૫ ૨૭ છે. એમાંના ૮૭ ૨૮ છે તેમાં ૮૯ ૧ નારીજીવનના ૮૯ ૨૫ )ને ચાળે ૯૦ ૩ પ્રકાશનું ૯૦ ૫ ઇન્દ્રિ ૯૦ ૩૧; ૩૨ સુદ્ર; પોતાનાં ૯૧ ૭ સૌન્દર્ય ને ૯૪ ૧૫ કાવ્યાપકર્ષકારક ૯૬ ૧૭ કવિ-આવૃત્તિ ૯૯ ૩ લડાવાતું ૯૯ ૪ અન્તહિત ૯૯ ૨૦ જોવાતાં થવાં જોઈએ.
Page #652
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક પૃષ્ઠ પતિ શુદ્ધ ૧૦૬ ૧૭ ખબરદારના રાસમાં ૧૦૬ ૨૧ સાહેલડી ૧૦૮ ૨ આ ચિંતનકાવ્યમાં ૧૦૮ ૧૭ ઉભયના પંથ ન્યારા ૧૧૩ ૧ વિવિધતા ૧૧૩ ૧૩ વ્યાખ્યાન ૧૧૫ ૨ પત્રો ૧૧૫ ૧૨ કાવ્યગ્રંથ દર્શનિકા ૧૨૮ ૧૦ જીવનનિષ્ઠાના ૧૨૯ ૨૭ (૧૮૯૬–૧૯૭૩) ૧૩૨ ૧૯ પંડ્યા ૧૪૭ ૧૮ કુંજવેણુ ૧પર છેલ્લી કાવ્યોના ૧૫૭ ૬ આપત્તિ ૧૬૩ ૨ “શામળશાને વિવાહ ૧૬૬ ૨૯ દ્વારા સત્તાને ૧૭૧ ૩૨ શિવરાશિ ૧૭૨ ૧૨ “રાજાધિરાજ'માં ૧૭૫ ૮ સાહિત્યમાં ૨૦૨ છેલ્લી એકાંકીઓને ૨૧૫ ૨૭ કપાસી (૧૮૮૬) ૨૨૮ ૨૮ સંસ્કૃત ૨૩૪ ૬ “ગુજરાતી નવલકથાનું
સાહિત્ય' (૧૯૧૧) ૨૩૫ ૧૫ કૃતિઓ ૨૩૫ ૨૦ (૧૮૯૬-૧૯૫૫) ૨૩૭ ૨૮ માં આલેખનાર અને ૨૩૯ ૨૦ ગાયનવાદન ૨૪૦ ૨૯ દલપતરામ, ૨૬૪ ૨૨-૨૩ ગાંધીજી અત્યંત દુઃખી
હૃદયે માનવતાની એક જત લઈને ને આખલી
પૃષ્ઠ પતિ શુદ્ધ
જવા માટે કલકત્તા
પહોંચ્યા હતા. ૨૭૭ ૧૪ હપતે ૨૭૯ ૧૦ તેમ નથી... ૨૮૬ ૨૮ પરિપ્રેક્ષ્યમાં ૩૦૮ ૮ એ જ, પ. ૩૦૯ ૪ (ઈ.સ. ૧૮૮૫-૧૯૮૧ ૩૧૭ ૨૫ “જીવનલીલા' એ ૩૩૮ ૮ ૧૮૯૦ના ૩૪૧ ૨૬ સત્યાગ્રહમાં ૩૪૮ ૨૧ છે” ૩૪૮ ૨૪ ગૂઢને ૩૫૫ ૩ મધ્યવતી વિચાર ૩૫૫ ૪ વિસ્તૃતીકરણ ૩૬૪ ૨૯ મુલવણીઓને ૩૬૫ ૨૧ ફૂટતી ૩૬૬ ૨૮ આનંદના ૩૯૦ ૧૨ (૧૯૧૦-૧૯૮૧) ૪૦૪ ૪ ૨૧-૮-૧૯૫૫ ૪૧૩ ૧૯ શાંત રસમાં ૪૧૪ ૭ તરીકે ૪૧૪ ૩૨ મામિકમાં માર્મિક ૪૧૭ ૨૩ “ગુજરાતી પિંગલ ૪૨૫ ૨૧ “સૂરદાસ ૪૨૭ ૩૧ બે હરિજન ૪૩૧ ૨૭ માટે સાહિત્ય ૪૩૧ ૨૯ ઘડવામાંયે ૪૩૬ ૨ “વિક્રુતિ” ૪૩૮ ૫ વ્યંગ્યના ૪૪૨ ૨૯-૩૦ પત્રકારત્વે એમની ૪૪૮ ૧૮ વ્યક્તિત્વનું
Page #653
--------------------------------------------------------------------------
________________
૬૪૪]. | ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ . ૪ પૃષ્ઠ પંક્તિ શુદ્ધ
પૃષ્ઠ પંક્તિ શુદ્ધ ૪૫૩ ૨ અવરોધતી
૪૯૪ ૧૨ અને નેતાઓ ૪૫૫ ૧૩ ધ્યાનપાત્ર
૪૯૫ ૬ ભ્રષ્ટાચાર ૪૫૬ ૧ પરિચયલક્ષી
૫૦૯ ૨૪ છણકા ૪૬૨ ૧૯ નિભક સત્યકથન ૫૦૯ ૨૫ ગારગોષ્ઠિ, નિંદા ગોષ્ઠિ, ૪૬૪ ૭ નિદિધ્યાસન કર્યું છે
| ગુપ્તગોષ્ઠિ– ૪૬૮ ૧૮ સર્જક'માં
૫૦૯ ૨૮ પૃ. ૧૪૧, ઈ. ૧૯૭૯) ૪૭૪ ૧૬ કલ્પનાપ્રવૃત્ત
૫૩૫ ૮ આરંભના ૪૭૭ ૨ અભિનિવેશ
૫૩૭ ૨૪ મેકળા મળતા ૪૭૭ ૬ આવિર્ભાવ
૫૪૦ ૨ બેસવાને ૪૭૭ ૭ પણ થયે છે
પ૪૨ ૮ જીવનતત્વને ૪૮૧ ૧૭ વધુ કલાત્મક રૂપે ૫૪૮ ૧–ર નહાનાલાલીય ૪૮૫,૪૮૬૧૨, ૨૧; ૧ | રંજન પ૫૬ ૨૧ વસુંધરાનાં ૪૮૬ ૩૧ વિમોચનનું
૫૫૮ ૨૫ કઢંગે ૪૮૭ ૧; ૨ વિમોચન; વિમોચનનું ૫૬૦ ૨૮ “વેરાનમાં' (૧૯૩૫) ૪૯ર ૨૮ વાછરડી
પ૬૩ ૧૦ “વારતાઓમાં,
Page #654
--------------------------------------------------------------------------
________________
પરિષદ-પ્રકાશિત ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
સંપાદક ઉમાશંકર જોશી અનંતરાય રાવળ યશવન્ત શુકલ
સહાયક સંપાદક ચિમનલાલ ત્રિવેદી
ગ્રંથ ૧ (પ્ર. વર્ષ ૧૯૭૩) પહેલા ગ્રંથમાં ગુજરાતની ભૌલિક અને રાજકીય-સાંસ્કૃતિક ભૂમિકા, ગુજરાતી ભાષાને વિકાસ અને સાહિત્યિક પૂર્વપરંપરા ઉપરાંત ઈ. સ. ૧૧૫થી ૧૪૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના પ્રાચીનકાળને આવરી લેવામાં આવ્યું છે. એમાં એ સમયના રાસ, ફાગુ, બારમાસી, છાપ, વિવાહલુ, છંદ, લૌકિક કથા, રૂપકગ્રન્થિ, માતૃકા આદિ સાહિત્યપ્રકારને પરિચય અને એમના વિકાસનું વિગતે નિરૂપણ થયું છે. એ કાલખંડના ગદ્યપ્રકારોને પણ આ ગ્રંથમાં સદષ્ટાંત પરિ
ચય કરાવવામાં આવ્યો છે. પૃષ્ઠ સંખ્યા ૩૩૭]
અપ્રાચ
કિં. રૂ. ૪-૦૦
Page #655
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ ૨ (પ્ર. વર્ષ ૧૯૭૬) બીજા ગ્રંથમાં ઈ. સ. ૧૪૫થી ૧૮૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના મધ્યકાળને આવરી લેવામાં આવે છે. એમાં નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ આદિ પ્રમુખ કવિઓ વિશે સવિસ્તર આલેખન થયું છે. મધ્યકાલીન સાહિત્યનાં પરિબળો તથા સાહિત્યપ્રકારે, જૈનસાહિત્ય, પ્રબંધ-સાહિત્ય, ફાગુ સાહિત્યઆદિભક્તિયુગની કવિતા, જ્ઞાનમાર્ગી કવિતા, આખ્યાન-કવિતા, કથાપ્રવાહ-લેકવાર્તા, પદકવિતા-સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા અને ગદ્યસાહિત્યનો ઈતિહાસ પણ એમાં સ્વતંત્ર પ્રકરણમાં આપ્યો છે. તદુપરાંત પારસી કવિઓ, લેકસાહિત્ય, ભવાઈ, ક્યા પ્રકૃતિઓ થાઘટકે તેમજ મધ્યકાલીન બંધ વિશેનાં પણ વિસ્તૃત પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. પૃષ્ઠ સંખ્યા ૮૬૦),
[કિં. રૂ. ૩૨-૫
ગ્રંથ ૩ (પ્ર. વર્ષ ૧૯૭૮) ત્રીજા ગ્રંથથી અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઈતિહાસ-લેખનને આરંભ થાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પરિબળે નિરૂપતી “ભૂમિકા' પછી આ ગ્રંથમાં દલપતરામ, નર્મદ, નંદશંકર, નવલરામ, ગોવર્ધનરામ, બાલાશંકર, મણિલાલ, નરસિંહરાવ, કાન્ત, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર, બલવન્તરાય, કલાપી આદિ આપણું પ્રમુખ સાહિત્યકારો તથા આ સમયાવધિના અન્ય કવિઓ અને ગદ્યલેખકેના પ્રદાનને આલેખવામાં આવ્યું છે. દલપતરામથી કલાપી સુધીના સાહિત્યકારો આ ગ્રંથમાં આવરી લેવામાં આવ્યા છે. પૃષ્ઠ સંખ્યા ૬૬૦).
[કિં. રૂ. ૧૭-૦૦
Page #656
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ ૪ (પ્ર. વર્ષ ૧૯૮૧) ચોથા ગ્રંથમાં કવિ ન્હાનાલાલથી આરંભી ઝવેરચંદ મેઘાણી સુધીને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આલેખવામાં આવ્યું છે. આરંભમાં આ સમયાવધિનાં પરિબળે નિરૂપતી ભૂમિકા આપીને એમાં ન્હાનાલાલ, ખબરદાર-બેટાદકર લલિત આદિ કવિઓ, કનૈયાલાલ મુનશી, વાર્તા-નવલકથાનિબંધ-ચરિત્ર વિવેચન-સંશોધન-જૂની રંગભૂમિ વ. ક્ષેત્રે અર્પણ કરનાર ગદ્યલેખકે, ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, મશરૂવાળા, પં. સુખલાલજી-૨વામી આનંદ-મુનિ જિનવિજયજી-મહાદેવભાઈ દેસાઈ આદિ નિબંધ-ચરિત્ર-સંશાધનસંપાદન કેળવણી બાલસાહિત્ય, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગદ્યલેખકે, રામનારાયણ પાઠક, રામપ્રસાદ-વિજયરાય-રસિકલાલ-વિશ્વનાથ-વિષ્ણુપ્રસાદન્ડોલરરાય એ છ સાક્ષર, રમણલાલ દેસાઈન્ચ. વ. શાહ-ગુણવંતરાય એ ત્રણ નવલકથાલેખકે, ધૂમકેતુ અને ઝવેરચંદ મેઘાણીના અર્પણને આવરી લેવામાં આવ્યું છે. પૃષ્ઠ સંખ્યા : ૬૪૮]
કિં. રૂ૩૨-૫૦
પ્રત્યેક ગ્રંથમાં પ્રકરણવાર સંદર્ભની સૂચિ અને સવિસ્તર શક સૂચિ ગુજરાતી સાહિત્ય પરિષદ : અમદાવાદ-૯
Page #657
--------------------------------------------------------------------------
________________
પરિષદનાં નવાં પ્રકાશના
આનંદવર્ધનના વિવિચાર : સંપાદક : નગીનદાસ પારેખ મૂળ પાઠ સાથે, કાવ્યશાસ્ત્રીય ચર્ચાના વિરલ ગ્રંથ
વીક્ષા અને નિરીક્ષા : લેખક : નગીનદાસ પારેખ સૈદ્ધાન્તિક અને કૃતિનિષ્ઠ વિવેચનનું મૂલ્યવાન પુસ્તક
કાવ્યમય : ૧ (મધ્યકાલીન)
પૃષ્ઠ : ૧૨૮, ડેમી, મૂલ્ય : રૂ. ૪૦-૦૦
કાવ્યસંચય : ૨ (અર્વાચીન)
પૃષ્ઠ : ૩૧૬, ડેમી, મૂલ્ય : રૂ. ૩૦-૦૦
સ, અનંતરાય રાવળ, હીરાબહેન પાઠક
સં. ધીરુભાઈ ઠાકર, ત્રજલાલ દવે
પૃષ્ઠ ૨૭૮, ડેમી, મૂલ્ય : રૂ. ૨૫-૦૦
પૃષ્ઠ ૨૯૮, ડેમી, મૂલ્ય : રૂ. ૨૫-૦૦
કાવ્યસ`ચય : ૩ (અર્વાચીન–અદ્યતન)
સં. રમણુલાલ જોશી, જયન્ત પાઠક
પૃષ્ઠ ૨૦૨, ડેમી, મૂલ્ય : રૂ. ૨૫-૦૦
પૂર્વ વાહિની : લેખિકા : જ્યોતિ થાનકી
ભગિની નિવેદિતાનું જીવનચરિત્ર, રસળતી શૈલીએ
પૃષ્ઠ ૨૪૬, ડેમી, મૂલ્ય : રૂ. ૧૮-૦૦
ઉર્દૂ સાહિત્ય અને ગુજરાત : સંપાદક : રઘુવીર ચૌધરી ઉર્દૂ અને ગુજરાતી સાહિત્ય વિશે, સાંસ્કૃતિક આદાનપ્રદાન વિશે રસપ્રદ લેખો, નીવડેલી ગઝલા તેમ જ ઉર્દૂ સંમેલનના હેવાલ અને તસવીરી સાથે. પૃષ્ઠ ૨૨૨, ડેમી, મૂલ્ય : ૨૫-૦૦ લેાકસાહિત્ય : સંપાદકા : પ્રભાશંકર તેરૈયા, નરાત્તમ પલાણુ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના, સ'શેાધન લેખ અને રસપ્રદ લાકગીતા સાથે પૃષ્ઠ ૯૮, ડેમી, મૂલ્ય : ૧૨-૦૦
પ્રકાશન વિભાગ : ગુજરાતી સાહિત્ય પરિષદ પરિષદ ભવન, ટાઈમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, અમદાવાદ-૯ ફોનઃ ૭૭૯૪૭
Page #658
--------------------------------------------------------------------------
________________ પરિષદનાં પ્રકાશને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૧ અપ્રાપ્ય ગુજરાતી સાહિત્યને ઇતિહાસ ગ્રંથ-૨ 32-50 ગુજરાતી સાહિત્યને ઇતિહાસ ગ્રંથ-૩ 17-0 8 ગુજરાતી સાહિત્યને ઇતિહાસ ગ્રંથ-૪ 32-50 સં', ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવન્ત શુક્લા | સહાયક સ’, ચિમનલાલ ત્રિવેદી સાહિત્ય અને પત્રકારત્વ સં', કુમારપાળ દેસાઈ 15-00 સાહિત્ય-વિવેચન અને તત્વજ્ઞાન સં. રસિક શાહ 05-00 સુવર્ણ મહોત્સવ જયંતકૃષ્ણ હરિકૃષ્ણ દવે 09-00 આદિવયને અને બીજી વ્યાખ્યાને કનૈયાલાલ મુનશી 20-00 મીસરનું પ્રાચીન સાહિત્ય ચંદ્રશંકર શુકલ 10-00 નર્મદ ચિત્રાવલિ આલેખન : રવિશંકર રાવળ, કનુ દેસાઈ 10-00 નર્મદ શતાબ્દી-ગ્રંથ સં. જતીન્દ્ર દવે, વિજયરાય વૈદ્ય અને અન્ય 32 -50 હૈમ સારસ્વત સત્ર 31-50 અતિહ, ‘શાધન દુર્ગાશંકર શાસ્ત્રી 17-25 પ્રેમાનંદનાં ત્રણ બાખ્યાન સં'. કે. કા. શાસ્ત્રી, ચૈતન્યબાળા દિવેટિયા 2700 કાવ્ય-વિચાર સં'. નગીનદાસ પારેખ 17--00 ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ સં'. રામપ્રસાદ બક્ષી, રમણલાલ જોશી 10-75 સાહિત્ય-આસ્વાદ | સં. હીરાબેન પાઠક, ચિમનલાલ ત્રિવેદી 09-00 પ્રગતિના પંથે મૃણાલિની દેસાઈ 12-00 ટ્રેજિડી : સાહિત્યમાં ને જીવનમાં ચી, ના, પટેલ 18-00 પંચતંત્ર ભેગીલાલ સાંડેસરા 19-25 પરિષદ પ્રમુખનાં ભાષણે H 1-2 ભાગ-૧ :-48-00 ભાગ-૨ : પર-૦૦ ભારતીય સંસ્કારી અને તેનું ગુજરાતમાં અવતરણ દુર્ગાશંકર શાસ્ત્રી અપ્રાપ્ય પ્રકાશ્ય ગદ્યસંચય : 1-2 ગુજરાતી નવલિકા : 1-2 ગુજરાતી એકાંકી | ગુજરાતી બા- * પરિષદના આજીવન સભ્યોને તમામ પ્રકાશને 25, વળ વળતરની યોજના, વરદી અને મફત સૂચિ માટે લખે પ્રકાશન વિભાગ ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, ટાઈમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ મા કાન : 77947