________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
પ૭
ઈષ્ટની પ્રાપક નથી, પણ અવરોધક છે. અજ્ઞાન જગત ઇષ્ટની અવરોધક સાધનાઓને ઇષ્ટપ્રાપક માની બેઠું છે અને એજ કારણ છે કે-તે જીવનની સઘળી જ ક્ષણો ધન, કીર્તિ, સત્તા અને પુત્રપરિવારાદિને મેળવવા માટે ખર્ચી નાખે છે. મૃત્યુ બાદ, ધન આદિ કોઇ જ વસ્તુ સાથે આવતી નથી. આત્મા પ્રયાણ કરી જાય છે અને સુખના સાધન રૂપ માનીને મેળવેલ ધન આદિ જ્યાંનાં ત્યાં રહી જાય છે. આપણી આંખ સામે અનેકો ગયા અને ધનાદિમાંનું કાંઇ જ સાથે લઇ જઇ શકયા નહિ, એ આપણે જોયું. આમ છતાં, એજ ધનાદિને સુખના સાધનરૂપે માનીને, આપણે આપણું જીવન એની જ સાધનામાં ખર્ચી નાખીએ, એ શું ભ્રમ નથી ? અજ્ઞાનપૂર્ણ ક્રિયા નથી ? વળી ધનાદિ વસ્તુઓ શું કેવળ પરિશ્રમથી પ્રાપ્ય છે ? આ જગતમાં ધનાદિ માટે પ્રયત્ન કરનારા કેટલા અને ધનાદિની પ્રાપ્તિથી શ્રીમન્ત આદિ બનનારા કેટલા ? એક પણ માણસ એવો શોધી શકશો, કે જેને પરિપૂર્ણ ધનાદિની પ્રાપિ થઇ હોય અને એથી જેની ધનાદિ માટેની કામના નાશ પામી હોય ? ધનાદિ માટેના પ્રયત્નો કરનારા લગભગ બધા, છતાં શ્રીમન્ન આદિ થોડા, -એ એક એવી વસ્તુને સુચવે છે, કે
ની પરિશ્રમ કરનારને પણ અપેક્ષા રહે છે. એ છે-પુણ્ય. ગમે તેટલી મહેનત કરવામાં આવે, પણ પુણ્યના અભાવમાં ધનાદિની પ્રાપ્તિ ય શકય નથી અને પ્રાપ્તિ માટેનું પુણ્ય હોવા છતાંય જો ભોગ માટેનું પુણ્ય ન હોય, તો પ્રાપ્ત ધનાદિનો ભોગવટો ય શકય નથી. આવી વસ્તુઓ પુણ્યના નાશ સાથે જ નાશ પામી જાય છે. જીવનના અન્ત સુધી પુણ્યોદય વર્તતો રહે અને એથી પ્રાપ્ત ધનાદિનો નાશ ન થાય, તોય અત્તે મૃત્યુ બેઠું જ છે, કે જે એનો વિયોગ કરાવનાર છે. આ રીતિએ માનવ માત્રે સૌથી પહેલાં એ વાત તો નિશ્ચિત કરી જ લેવી જોઇએ કે- “ધનાદિની પ્રાપ્તિ માટેની સાધના એ યથાર્થ સાધના નથી. કાણે કે-એ દુ:ખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખને પમાડનારી નથી.' આટલો નિર્ણય થયા વિના, યથાર્થ સાધનાની રૂચિ જાગે એ સંભવિત જ નથી..