________________
૧૩૦
:
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
, ,...
"જાણે ચકરાવા લેતું હોય છે. ભ્રમણશકિત પેદા થતાં મગજ જ્યારે ચકરાવા લેવા માંડે છે, ત્યારે શું થાય છે? એ ઉંધું દેખે છે. વૃક્ષો, મકાનો વિગેરે જે જે સ્થિર વસ્તુઓ તેની નજર ચઢે છે, તે તેને ભમતી લાગે છે. ચકરાવા પોતે ખાય છે, છતાં એને લાગે છે કે-આખુંય જગત્-પૃથ્વી પણ ચકરાવા ખાઇ રહેલ છે. જ્યાં સુધી એ ભ્રમણશકિતનો વેગ મંદ પડતો નથી, ત્યાં સુધી એ જીવને બધું સ્થિર છતાં અસ્થિર લાગે છે. છોકરાંઓ ફેરફુદડી રમે છે, એય જાણો છો ને ? પહેલાં તો એ ધીમે ધીમે ગોળ ફરે છે. એમ કરતાં તેઓમાં ભ્રમણશકિત પેદા થઇ જાય છે, એટલે ભ્રમણનું જોર વધે છે. એ વખતે એમને મકાનો, વૃક્ષો અને જમીન વિગેરે ઉથલપાથલ થઇ જતું હોય એમ લાગે છે. એ વેગ એવો હોય છે કે-એને એકદમ રોકી શકાતો નથી. ભમવા માંડેલો છોકરો વેગમાં આવ્યા પછીથી એકદમ સ્થિર થવા માંગે તોય એકદમ સ્થિર થઇ શકતો નથી. જો તે વેગને સહી શકતો નથી, તો તે વેગમાં ને વેગમાં જમીન ઉપર પછડાય છે અને તેમ નથી બનતું તોય વેગ મંદ પડ્યા પછીથી એને એકદમ નીચે બેસી જવું પડે છે. નીચે બેસી ગયા પછીથી પણ કેટલાક સમય સુધી એની આંખે તમ્મર આવતાં હિોય છે અને એનું મગજ ચકરાવા ખાતું હોય છે, એટલે તે વખતેય બધું જ તેને ભમતું દેખાય છે. આથી કેટલીક વાર એવા છોકરાઓની આંખોને હાથ દઇને દાબી દેવી પડે છે. જ્ઞાનિઓ ફરમાવે છે કે-અચરમાવર્ત કાલમાં જીવોનું સંસારપરિભ્રમણ જોરદાર હોય છે. એ પરિભ્રમણના યોગે જીવોમાં જે ભ્રમણશકિત પેદા થાય છે, તેના વેગને લીધે જીવો હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય માનવાની એવી તો ભ્રમણાવાળા હોય છે કે-એ જીવોને હેયોપાદેયના સ્વરૂપને સમજાવનારનો ગમે તેવો સારામાં સારો યોગ થઇ જાય તોય તે તેમને માટે નિષ્ફળ જ નિવડે. ધર્મયૌવન કાળમાં :
ચરમાવર્ત કાલમાં જ એ વેગ મન્દતાને પામે છે અને એ આવર્તનો અન્તભાગ આવતાં તો જીવનું સંસારભ્રમણ સર્વથા અટકી જાય છે, અને