________________
૧૮૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ક્રિયાઓ ભાવધર્મનું કારણ બની શકે છે, એવી પણ ક્રિયાઓ ભાવધર્મનું કારણ બને છે, તેમાં સદૂભકિત એ જ કારણ છે. બાકી મુગ્ધ જીવોને લાભ જ થાય એવો નિયમ નહિ અને ગતાનુગતિકપણે ધર્મક્રિયાઓને કરનારાઓમાં તો કોઇ કોઇને જ લાભ થઇ જાય છે. હવે ધર્મક્રિયાઓને કરનારાઓમાંના ચોથા વિભાગના આત્માઓ તો વિધિબહુમાનથી રહિત જ હોય છે. વિધિબહુમાનથી રહિત હોવા છતાં પણ, તેઓ પોતાની પૌગલિક લાલસાને સફલ કરવાને માટે ધર્મક્રિયાઓના બાહા કલેવરને સારી રીતિએ જાળવનારા. હોય એ શકય છે. આ બધું છતાં, ત્રીજા વિભાગના અને ચોથા વિભાગના આત્માઓ જે ધર્મક્રિયાઓને આચરતા હોય છે, તે ધર્મક્રિયાઓ અન્ય આત્માઓને માટે બહુમાનનું કારણ નથી જ બનતી-એવું એકાન્ત કહી શકાય નહિ, પણ એ રીતિએ શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપ્તિ જે આત્માઓને થાય, તેઓ જો એ ત્રીજા અને ચોથા વિભાગના આત્માઓના પરિચયમાં આવે, તો પછી તેનું બીજનાશાદિ પરિણામ આવવાનો સંભવ પણ ખરો. એવો ભય પહેલા બે વિભાગના આત્માઓ માટે નહિ. આપણી ધર્મક્રિયાઓ કયી કક્ષામાં ?
આપણે પણ ધર્મક્રિયાઓ તો કરીએ જ છીએ ને ? આપણે ધર્મક્રિયાઓ કરીએ તો છીએ, પણ તે કયા હેતુથી કરીએ છીએ ? આપણે મોક્ષપ્રાપક ધર્મના અર્થી છીએ એ માટે ધર્મક્રિયાઓ કરીએ છીએ કે ધર્મસિદ્ધ છીએ એ માટે ધર્મક્રિયાઓ કરીએ છીએ ? જો ધર્મસિદ્ધ પણ નથી અને મોક્ષપ્રાપક ધર્મના અર્થ પણ નથી, તો આપણી ગણના કયા વિભાગમાં થાય તેમ છે ? ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે ભકિતભાવ જાગ્યો હોય અને એથી એમ થયું હોય કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી આ ધર્મક્રિયાઓ છે, માટે કલ્યાણના હેતુથી આ જ કરવા લાયક છે, તો તો જ્યારે ખબર પડે કે- “ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષના આશયથી જ આ ધર્મક્રિયાઓને આચરવાની કહી છે અને સંસારના ઇહલૌકિક અગર પારલૌકિક સુખના આશયથી આ ધર્મક્રિયાઓને આચરવાનો નિષેધ કર્યો