Book Title: Chaud Gunsthanak Part 01 Gunsthanak 1
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 411
________________ ૪૦૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ Ocજા ૧૭. જાતે જ કરવો પડે. પ્રાર્થનાના અઠંગ ઉપાસક એવા એક ભાઇને પૂછવામાં આવ્યું. એક પ્રાર્થના અને દસ પ્રાર્થનાના પ્રભાવમાં શો ફેર પડે ? એવું સાદું ગણિત આમાં નહીં ચાલે, પ્રાર્થનામાં સંખ્યા અને ગુણવત્તા બેય જોવામાં આવે. યાદ રાખો કે ગુણવત્તા ઉપરથી પણ સંખ્યા નક્કી થઇ શકે. એક જ ઉત્તમ પ્રાર્થના દસ જેટલી થઇ જાય, ને સો નિર્બળ પ્રાર્થનાઓનું પરિણામ પણ એવું જ આવે. જો આમ જ હોય તો પ્રાર્થનાની ગુણવત્તા વધારવા માટે આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઇએ. એની કલાને બરાબર શીખવી જોઇએ. આ માટે થોડી પ્રાથમિક બાબતો સમજી લેવી જોઇએ. સ્વામી રામતીર્થ પાસે એક યુવક આવ્યો. કહે : ભગવાન નથી. આ નવા સમાચાર તું કયાંથી લઇ આવ્યો ? આ તો ભયંકર કહેવાય ! રામબાદશાહે બનાવટી ગંભીરતાથી કહ્યું. ભગવાન હોય તો મારી પ્રાર્થના ના સાંભળે ? એ વાત ખરી. પ્રાર્થના ના સાંભળી એટલે એ બિચારાનો કાંકરો જ કાઢી નાંખ્યો. સારું તું મને એ બતાવ કે તે ખરેખર પ્રાર્થના કરી હતી કે બીજું કંઇક ? પ્રાર્થના જ કરેલી. એ વખતે તું કયાં હતો ? નાટકની ટિકિટ ખરીદનારાઓની લાઇનમાં ઊભો હતો. હા પ્રાર્થના માટે જગા તો સરસ પસંદ કરી. મારી ધારણા પ્રમાણે તારે ટિકિટ જોઇતી હતી એટલે જ ને ? હા, પણ મારો નંબર આવ્યો ને બારી બંધ થઇ ગઇ. ભગવાન છે જ નહીં. આવી લુક બાબતો ઉપરથી ભગવાનને એના સિંહાસનેથી રૂખસદ આપી દેનારાઓની સંખ્યા ઘણી મોટી છે. એમને એ પણ ખબર નથી

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440