Book Title: Chaud Gunsthanak Part 01 Gunsthanak 1
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 435
________________ ૪૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આ નિયમ સામાન્ય છે. પણ ચિત્તની અસંખ્ય વૃત્તિઓ છે તેને દબાવવા આ નિયમ પણ ઉપયોગી છે. આથી રસઇંદ્રિય ને ક્રોધ બંને જીતવામાં બળ આવે છે. શાંતિ રહે છે. ઉપાધિ વિના જમાય છે. પ્રારબ્ધવશાત્ શરીરને દુઃખરૂપ ન હોય તે ભોજન જમી લેવું. આથી સંતોષ અને શાંતિ બંને આવતાં જાય છે. (૧૦) મૌન રાખવું - દિવસમાં પોતાને અનુકૂળ હોય તેટલો સમય વાણીનું મૌન રાખવું. આ સમયમાં કાગળ પર કે સ્લેટ પર પણ બનતા સુધી ન લખવું. હરફર ન કરવી. એક ઠેકાણે બેસવું. ઇશારા ન કરવા. ચિત્તની ચંચળતા મટાડવા. મનને શાંત કરવા, મનને આત્મામાં વાળવા મૌન એ સુંદર ઉપાય છે. મૌનમાં બહુ બળ છે. વાણીનું મૌન એ આરંભની ક્રિયા છે. એ મૌન સિદ્ધ થતાં અથવા સિદ્ધ કરવાના અભ્યાસકાળમાં મનને મૌન કરવા અભ્યાસ કરવો. સાચું મૌન મનનું મૌન છે. મન નિવિચાર રહે. સંકલ્પવિકલ્પ રતિ રહે, ઇચ્છા રહિત રહે એ મૌન બહુ સુખપ્રદ છે. સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440