________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૧૫
જ છે. વિજ્ય પોતાના શ્વસુરગૃહે એટલે ગોશ્રીના પિતાને ઘેર કેટલાક દિવસો સુધી રોકાયો, તે છતાં તેણે સીધી કે આડકરતી રીતિએ કોઇને પણ પેલી વાત કરી જ નથી. એવો કાંઇ અનિષ્ટ બનાવ જાણે કે બન્યો જ ન હોય અને અપશુકનના કારણે પાછી મોકલેલી પત્નીને જ જાણે પોતે પુનઃ તેડવા માટે આવ્યો હોય, એ જ જાતિનો વિજ્યનો વર્તાવ હતો. વિજ્યનો એવો વર્તાવ ગોશ્રીના અન્તરમાં સારી અસર ઉપજાવે, એ સ્વાભાવિક જ છે. રસ્તામાં પણ ગોશ્રીની સાથે વિજ્યે પેલી વાત છેડી જ નથી. સમજાવવા કે હિતશિક્ષા નિમિત્તે પણ વિજ્યું એ વાત ગોશ્રીને પૂછી નથી. ખરી વાત તો એ છે કે-આવા પ્રસંગોમાં એ બનાવને યાદ કરીને હિતશિક્ષા દેવા કરતાં, ગંભીરતા જાળવી ગુન્હો કરનાર તરફ મીઠાશભર્યું વર્તન રાખવું, એ જ સામા આત્મા ઉપર ઉપકાર કરવાનો સુન્દરમાં સુન્દર ઉપાય છે. ગંભીરતા કેવળ વાણીની જ નહિ, પણ વર્તનનીય જાળવતાં આવડવી જોઇએ. વર્તનમાં જો ઉપેક્ષા અગર દુર્ભાવ ણાય, તોય સામા આત્મા ઉપર તેટલી સુન્દર અસર ન નિપજે. તમે બનેલી વાતને બીલકુલ સંભારો નહિ, કોઇને ય કહો નહિ અને વર્તન પૂર્વના જેવું જ મીઠાશભર્યું રાખો, તો કારમી અયોગ્યતાથી પીડાતા આત્માઓ સિવાય, બીજાઓ ઉપર સારી અસર ન થાય એ શકય નથી. કાંઇકે ય યોગ્યતા ધરાવનાર માણસને તો એ જ જાતિનો વિચાર આવે કે- ‘આને મેં મારી નાખવાનો પ્રપંચમય પ્રયત્ન કર્યો-એ વાત આ સારી રીતિએ જાણે છે, છતાં કોઇને એ કહેતો નથી અને મને પણ આ ઠપકો આપતો નથી તેમજ મારા તરફ પૂર્વના જેવો જ ભાવભર્યો વર્તાવ રાખે છે, એ આની કેટલી બધી ઉત્તમતા છે ?' અને ઉત્તમ આત્મા માટેનો આવો વિચાર દોષિતમાં પણ ઉત્તમતા પ્રગટાવે, એ સહજ છે. પૂર્વે ભયંકરમાં ભયંકર દોષ કરનારો આત્મા પણ એ વિચારના યોગે સામાન્ય કોટિના પણ દોષથી વિમુખ બની જાય. પ્રશાન્ત આત્મા આવી આવી રીતિએ જ અન્યોને માટે પ્રશમનું કારણ બની શકે છે. વિજ્ય પોતાની