Book Title: Chaud Gunsthanak Part 01 Gunsthanak 1
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 397
________________ ૩૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે. વિશ્વ સાહિત્યમાં અને ફિલસુફીમાં અલ મુસ્તફા અમર બની ગયા છે. એમને એક શિષ્યા પૂછે છે : અને ગુરૂદેવ અમને પ્રાર્થના વિશે કહો. તમે શ્રદ્ધા વિશે જાણી લેશો તો પ્રાર્થના વિશે જાણવાની કોઇ જરૂર નહીં રહે. પછી એ પ્રાર્થના અને શ્રદ્ધા બન્ને વિશે સુંદર વાર્તાલાપ કરે છે પણ એમનો મૂળ મુદી એ છે કે જેના અંતરમાં શ્રદ્ધા નથી એ પ્રાર્થનાનો પૂરો લાભ કયારેય નહીં લઇ શકે. આ શ્રદ્ધા અને સમર્પણની એક બેલડી છે. હિન્દીનાં જાણીતાં કવયિત્રી મહાદેવી વર્મા પાસે એક સાધિકાએ માર્ગદર્શન માટે વિનંતિ કરેલી. શું માર્ગદર્શન જોઇએ છે ? મહાદેવીએ પૂછ્યું. મને જીવન ઉદ્વારનો રાહ બતાવો. સમર્પણ એ જ રાહ. આટલું જ ? હા, પરમાત્માને શરણે તારું સર્વસ્વ સમર્પિત કરી દે. તને સર્વ કંઇ મળી જશે. આ જ મહાદેવજીએ અન્યત્ર લખ્યું છે : સમર્પણ એ પણ શ્રદ્ધાયુકત પ્રાર્થનાની પહેલી શરત. અનન્ય નિષ્ઠા : યુરોપમાં નોલ નામના એક મહાન સંત થઇ ગયા. પ્રભુના નામના ઘોષ ગજાવતા ગજાવતા એ સ્કોટલેન્ડ જઈ પહોંચ્યા. ત્યાંના માણસો પશુઓ કરતાં પણ બદતર જીવન જીવતા હતા. એમનું હૃદયપરિવર્તન કરવા એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા. અનેક પ્રવચનો કર્યા, પણ કંઇ ના વળ્યું. એમણે પોતાના મનને તપાસવા માંડ્યું. અંદરથી આદેશ આવ્યો કે હવે માત્ર પ્રાર્થનાનો જ રસ્તો બાકી રહ્યો છે. તરત જ પ્રાર્થના શરૂ કરી. એ પરમાત્માને રાત દિવસ પ્રાર્થવા લાગ્યા કે, પ્રભુ, આ લોકોનું હૃદય પરિવર્તન કરાવ અથવા મને ઉપાડી લે. એમની પ્રાર્થના પરમાત્માએ સાંભળી જ.

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440