________________
૩૯૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે. વિશ્વ સાહિત્યમાં અને ફિલસુફીમાં અલ મુસ્તફા અમર બની ગયા છે. એમને એક શિષ્યા પૂછે છે :
અને ગુરૂદેવ અમને પ્રાર્થના વિશે કહો.
તમે શ્રદ્ધા વિશે જાણી લેશો તો પ્રાર્થના વિશે જાણવાની કોઇ જરૂર નહીં રહે.
પછી એ પ્રાર્થના અને શ્રદ્ધા બન્ને વિશે સુંદર વાર્તાલાપ કરે છે પણ એમનો મૂળ મુદી એ છે કે જેના અંતરમાં શ્રદ્ધા નથી એ પ્રાર્થનાનો પૂરો લાભ કયારેય નહીં લઇ શકે.
આ શ્રદ્ધા અને સમર્પણની એક બેલડી છે.
હિન્દીનાં જાણીતાં કવયિત્રી મહાદેવી વર્મા પાસે એક સાધિકાએ માર્ગદર્શન માટે વિનંતિ કરેલી.
શું માર્ગદર્શન જોઇએ છે ? મહાદેવીએ પૂછ્યું. મને જીવન ઉદ્વારનો રાહ બતાવો.
સમર્પણ એ જ રાહ. આટલું જ ? હા, પરમાત્માને શરણે તારું સર્વસ્વ સમર્પિત કરી દે. તને સર્વ કંઇ મળી જશે.
આ જ મહાદેવજીએ અન્યત્ર લખ્યું છે :
સમર્પણ એ પણ શ્રદ્ધાયુકત પ્રાર્થનાની પહેલી શરત. અનન્ય નિષ્ઠા :
યુરોપમાં નોલ નામના એક મહાન સંત થઇ ગયા. પ્રભુના નામના ઘોષ ગજાવતા ગજાવતા એ સ્કોટલેન્ડ જઈ પહોંચ્યા. ત્યાંના માણસો પશુઓ કરતાં પણ બદતર જીવન જીવતા હતા. એમનું હૃદયપરિવર્તન કરવા એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા. અનેક પ્રવચનો કર્યા, પણ કંઇ ના વળ્યું. એમણે પોતાના મનને તપાસવા માંડ્યું. અંદરથી આદેશ આવ્યો કે હવે માત્ર પ્રાર્થનાનો જ રસ્તો બાકી રહ્યો છે. તરત જ પ્રાર્થના શરૂ કરી. એ પરમાત્માને રાત દિવસ પ્રાર્થવા લાગ્યા કે, પ્રભુ, આ લોકોનું હૃદય પરિવર્તન કરાવ અથવા મને ઉપાડી લે. એમની પ્રાર્થના પરમાત્માએ સાંભળી જ.