________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૧૩
પ્રશસ્ત કષાયનાં વર્તન સામે પણ પ્રશસ્ત કષાયનો નિષેધ કરવાને માટે ક્ષમાની વાતો કરે છે, ત્યારે ખરે જ તેઓ વધુ દયાપાત્ર લાગે છે, એવાઓની સમાની વાતો, એ ખરે જ મિથ્યા આડંબર સિવાય બીજું કશું જ નથી. ઘોર મિથ્યાત્વથી રીબાતાઓની સઘળી જ સારી વાતો, એ અજ્ઞાન યા તો દખ્ખના નૃત્ય સિવાય અન્ય કશું જ હોતું નથી. એવાઓની સારી વાતો આદિ પણ ખોટા માટે જ હોય છે.
આ જાતિના ઉત્તમ વિચારો દ્વારા, ક્ષમાપ્રધાન આત્માની માફક એ પ્રમાણે ચિત્તવીને વિજય પોતાને ઘેર પહોંચ્યો સ્ત્રીને લીધા વિના જ આવેલા પુત્રને જોઇને, વિજયની માતાએ વિજયને પૂછયું કે- “ભાઈ એકલો કેમ ? માતાના એક પ્રશ્નનો ઉત્તર આપતાં વિજયે, પણ જેવો ઉત્તર તેની સ્ત્રીએ પોતાના માતા-પિતાને આપ્યો હતો, તેવો જ ઉત્તર આપ્યો. પોતાની માતાને ઉત્તર આપતાં વિજયે કહ્યું કે- “હે માતા ! અપશુકનના કારણથી મેં વહુને આણી નથી.' વિજય જેવો વિચક્ષણ આત્મા આ ઉત્તર આપે છે, ત્યારે તે જરૂર સમજપૂર્વક આપતો હશે એમ માનવું જ રહ્યું.
સામાન્ય રીતિએ ઉત્તમ આત્માઓની કોઇ પણ પ્રવૃત્તિ વિચારપૂર્વકની હોય છે. સામા આત્માનું અહિત ન થઇ જાય, એવી શુદ્ધ બુદ્ધિના યોગે અપાયેલો આવો ઉત્તર યોગ્ય જ મનાવો જોઇએ. માતા પણ પોતાના પુત્રના ઉત્તરથી સંતોષ પામી.
આ પછી પ્રસંગે પ્રસંગે વિજયનાં માતા-પિતા વિજયને વહુને લઇ આવવા માટે ઘણી ઘણી રીતિએ કહેતાં હતાં, પણવિજયને તેડવા જવાનો ઉત્સાહ થતો જ ન હતો. માતા-પિતા વસ્તુસ્થિતિથી અજ્ઞાત હતાં એટલે તેઓ પ્રેરણા કરતાં હતાં, પણ વિજય વસ્તુસ્થિતિથી સુજ્ઞાત હતો, માટે તેને ઉત્સાહ નહોતો થતો. ઉત્સાહ નહિ થવામાં વિજયને તેણીના ઉપર વેષ ન હતો. વિજયના મનમાં એમ જ થતું હતું કે- “એ બીચારીને આવવું નથી, તો પછી લેવા જઇને તેણીને શા માટે દુઃખ આપવું જોઇએ ?”