________________
૧૮૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ રહિત એવી શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય; અને એ પ્રશંસા એવી જ હોય, કે જેમાં હું પણ આ ધર્મક્રિયાઓને આચરૂં એવી ઇચ્છાને જન્માવવાનું સામર્થ્ય ન હોય, એવું બને જ નહિ. આવી રીતિએ, ધર્મક્રિયાઓને આચરવાની આત્મામાં જે ઇચ્છા જન્મ, તેને ઉપકારી મહાપુરૂષો શુદ્ધ ધર્મ રૂપી કલ્પવૃક્ષના બીજની ઉપમા આપે છે. આજની મોટા ભાગની ધર્મક્રિયાઓ :
અહીં આપણે એ વાતનો પણ વિચાર કરવો જોઇએ કે-આપણે કેટલીક ધર્મક્રિયાઓને તો પામ્યા છીએ, પણ ધર્મકલ્પવૃક્ષના બીજને પામ્યા છીએ કે નહિ ? એમ માનતા નહિ કે-આ બીજ્ઞા અભાવમાં ધર્મક્રિયાઓ સંભવતી જ નથી. આ બીજના અભાવમાં પણ ધર્મક્રિયાઓ સંભવે છે. અભવ્યોની-દુર્ભવ્યોની અને ચરમાવર્તન પામેલા ભવ્યોમાં પણ જેઓ ગુરૂકર્મી હોય છે તેઓની ધર્મક્રિયાઓ આ જાતિના બીજ્વાળી હોતી નથી. એવા આત્માઓને ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે ગમતી નથી. સદાચરણ. સદાચરણ તરીકે જ ગમવું-એ જુદી વસ્તુ છે અને “મારો અમુક સ્વાર્થ આ સદાચરણ દ્વારા જ સિદ્ધ થાય તેમ છે' –એવું લાગવાથી સદાચરણ ગમવું એ જુદી વસ્તુ છે. ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે રૂચે-એવું નિર્મલ હૈયું જેનું હોય, તેને તો ધર્મક્રિયાઓના ફલનો વિશેષ અને સ્પષ્ટ ખ્યાલ ન હોય તો પણ, ધર્મક્રિયાઓ રૂચે; જ્યારે કેવળ પીગલિક સ્વાર્થવાળાને માટે કોઇ ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે તેને રૂચી છે એમ કહેવાય નહિ. એને તો એવી ખાત્રી થઇ છે કે- “આ ક્રિયાઓથી મારો અમુક સ્વાર્થ સિદ્ધ થવાનો છે' માટે જ એને આ ધર્મક્રિયાઓ ગમી છે. બીજી ક્રિયાઓથી જો એને પોતાનો સ્વાર્થ સિદ્ધ થશે એમ લાગે, તો આ ધર્મક્રિયાઓને છોડતાં અને બીજી અનાચારાદિકની પાપક્રિયાઓને વળગતાં પણ એને વાર લાગે નહિ. આજે ધર્મક્રિયાઓને આચરનારાઓમાંના મોટા ભાગની દશા એવી જણાય છે કે-એમને ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે તો રૂચી નથી, પણ “મારો અમુક પૌદ્ગલિક સ્વાર્થ આ ધર્મક્રિયાઓથી તો અવશ્ય સિદ્ધ થશે'