________________
૧૯૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ શકતી જ નથી; તેમ ચરમાવર્તકાલમાં પણ જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા પછીથી જ થાય છે, પણ જ્યાં સુધી જીવ કર્મોની ચરમ પણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં હોય છે, ત્યાં સુધી તો તેને નિયમા તે બીજ આદિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કે જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિન માટે, પહેલાં અચરમાવર્ત કાલ પ્રધાનપણે બાધક અને કાલની એ બાધા ટળી ગયા પછી કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રધાનપણે બાધક, જડ નો અનાદિકાલીન યોગ :
શ્રી જૈનશાસનમાં એ વાત પ્રસિદ્ધ છે કે-આત્મા જેમ અનાદિકાલીન છે, તેમ જs કર્મો પણ અનાદિકાલીન છે અને મારી સાથેનો જs એવાં કર્મોનો યોગ પણ અનાદિકાલીન છે. આત્માના સુવિશુધ્ધ સ્વરૂપને આવનાર જો કોઇ પણ વસ્તુ હોય, તો તે એક કર્મોનો યોગ જ છે. જે સમયે આત્મા એ જs કર્મોના યોગથી સર્વથા રહિત બને છે, તે સમયે જ એ પરિપૂર્ણ મુકિતને પામ્યો એમ કહેવાય છે. આત્માને જો ખરેખરી પરાધીનતા હોય, તો તે જડ કર્મોના યોગની જ છે. સઘળીય પરાધીનતાઓનું મૂળ આત્માની સાથેનો જડ કર્મોનો યોગ છે. આત્માને જે કાંઇ દુખો આદિ ભોગવવાં પડે છે, તે આ જડ કર્મોના યોગને કારણે જ ભોગવવા પડે છે. આત્માની એકાત્તિક અને આત્યંતિક સુખમય એવી સ્વાભાવિક અવસ્થાને રોધનાર પણ એક માત્ર જs કર્મોનો યોગ જ છે. આ જs કર્મોનો આત્માની સાથેનો યોગ પહેલ-વહેલો કયારે થયો અને શાથી થયો, એ સર્વજ્ઞ પરમાત્માઓથી પણ કહી શકાતું નથી; કારણ કે-આત્માની સાથેનો જડ કર્મોનો યોગ અનાદિકાલીન છે. સર્વથા સુવિશુદ્ધ સ્વરૂપવાળો આત્મા કોઇ પણ કારણે કદી પણ જs કર્મોના યોગવાળો બની શકતો જ નથી. જો સર્વથા સુવિશુદ્ધ સ્વરૂપવાળો આત્મા કોઇ પણ કારણે કદી પણ જs કર્મોના યોગવાળો બની શકતો હોય, તો મુક્તિની સાધનાનો માર્ગ નિરર્થક બની જાય છે,