________________
૯૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ચઢતો નથી. એ અનર્થકારી સ્વાર્થનો ખ્યાલ શ્રી જિનશાસને ઘણી સારી રીતે આપ્યો છે. સ્વાર્થના આ ભેદો ઓળખવા એય સમ્યજ્ઞાન છે. તેવા સ્વાર્થનો સાચો તિરસ્કાર આવવો એ સમ્યગદર્શન છે. આ બન્ને સ્વાર્થીને છોડી દઇ માત્ર મોક્ષ મેળવવા માટે જ સંયમ પ્રવૃત્તિ આદરવી એ સમ્ય ચારિત્ર છે અને એવી પ્રવૃત્તિ ઇચ્છાનિરોધથી ઉજાળવી એ ઇચ્છાનિરોધને સમ્યક્ તપ કહેવાય. વારૂ, સેવાર્થી નાસ્તિકો સ્વાર્થ કેટલાક અંશે મૂકી દે છે તેથી સારા લાગે છે પણ તેઓની બધી પ્રવૃત્તિઓ કુટુંબીઓ, જ્ઞાતિજનો, મિત્રો, સમાજબાંધવો કે દેશબંધુઓ અને સમસ્ત માનવો કે પ્રાણીઓના ઐહિક સુખના લીધે જ હોય છે. તેઓ સેવાકાર્ય ઘણું કરે છે, પણ તે સ્વપઘાત નિવડે છે, કેમકે-પદુગલિક ચીજ માત્ર નાશવંત હોઇ તેની લાલસાથી કરેલી સેવા પણ પરિણામે આત્મઘાતક હોય છે. આસ્તિક પરોપકારાર્થી પણ એજ રીતે નિષ્ફળ નિવડે છે. કેમકે દ્રવ્ય પરોપકાર લાભકારક હોય છે એમ કાંઇ નક્કી નથી. આ જમાનામાં નાસ્તિક સેવાર્થી અને આસ્તિક પરોપકારાર્થી સંખ્યામાં ખૂબ વધ્યા છે અને તે સારા ગણાય છે, એ મામિથ્યાત્વ છે. જનસેવા એજ ઇશ્વરસેવા અને દ્રવ્ય પરોપકાર એ જ મહાધર્મ છે, એવી માન્યતા જુદા જુદા ધર્મોની છે. જિનશાસનમાં તેવાં વિવેકહીન ધર્મોને મિથ્યાત્વ ગણવામાં આવ્યું છે. કેટલાંક ધર્મગ્રંથોમાં પરલોકમાં સુખ મળે એ હેતુથી નીતિ અને ધર્મ આચરવાની ભલામણ, ખુલ્લી રીતે કરવામાં આવેલી છે, પણ એ કાંઇ ધર્માચરણનું ધ્યેય હોઇ શકતું નથી એવી જિનશાસનની માન્યતા છે. મોક્ષના હેતુથી જ ધર્માચરણ કરવું. મોલ ન મળ્યો તો પરલોક જરૂર સુધરશે, એટલે સ્વર્ગાદિમાં અથવા મનુષ્યગતિમાં પણ સુખાનુકૂળ સામગ્રીમાં જન્મ થશે.
ન દ્રષ્ટિએ વિચાર કરતાં મોક્ષાર્થીનો શિવાય બીજ ખોટા છે, એ ઉપરના વિવેચન પરથી ખુલ્લું થાય છે. નાસ્તિક સ્વાર્થી તો નિંદ્યજ છે પણ નાસ્તિક સેવાર્થી, ખાસ્તિક સેવાર્થી, પરોપકારાર્થી અને પરલોક સુખાર્થી આ બધા સાચા વિવેકથી પર હોવાને કારણે જૈન શાસનમાં મિથ્યાત્વી
કી નથી.
છે. એ મહા પરોપકારાથી