________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
જ્વર, અતિસારાદિ રોગ જેમ લંઘનાદિ વિના મટી શકે જ નહિ, તેમ અન્યના લાભમાં ઉપઘાત કરવા દ્વારા ઉપાર્જન થયેલ કર્મ, એ ઉપઘાત ચાલુ રાખવાથી નહિ પણ છોડવાથી જ નાશ પામી શકે. પ્રતિબન્ધક કર્મ નાશ પામવાની સાથે જ અભિલષિત પદાર્થોની પ્રાપ્તિમાં અટકાવ કરનાર કોઇ રહેતું જ નથી.
વૈભવની પ્રાપ્તિમાં અંતરાયભૂત થનાર કર્મ અન્યાય-માર્ગે ચાલવાથી જ ઉપાર્જન થયું છે અને ન્યાય માર્ગે ચાલવાથી જ તેનો વિનાશ શકય છે, એ નિશ્ચય અનિપુણ મતિવાળા પુરૂષોને થઇ શકર્તા દુષ્કર છે, તો પણ નિપુણમતિને ધારણ કરનારા કુશળ પુરૂષોને તે નિર્ણય થવો દુષ્કર નથી જ. કેવળ અર્થ જ નહિ, કિન્તુ કોઇ પણ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિનો ઉપાય કેવળ તેની ઇચ્છા જ કર્યા કરવી કે ન્યાય-અન્યાયનો વિચાર કર્યા વિના કોઇ પણ માર્ગે તેને મેળવવાના પુરૂષાર્થમાં જ રકત બનવું, તે નથી જ. કેવળ ઇચ્છાથી કે પુરૂષાર્થથી અથવા તે બંનેથી જ જો કાર્યની સિદ્ધિ થતી હોય, તો આ ગતમાં ઇચ્છિત પદાર્થો મેળવાની ઇચ્છા કોને નથી ? તે માટે ઘોર પુરૂષાર્થ ફોરવનારાઓની સંખ્યા પણ કયાં ઓછી છે ? છતાં અભીપ્સિત પદાર્થોની પ્રાપ્તિ કેટલાને થાય છે ? જ્વલ્લે જ. માટે વસ્તુની પ્રાપ્તિનો રહસ્યભૂત ઉપાય ઇચ્છા અને પુરૂષાર્થ ઉપરાંત બીજો કોઇ રહેલોજ છે, એ માન્ય રાખવું જ જોઇએ. એ રહસ્યભૂત ઉપાયને શાસ્ત્રકારોએ બીજા શબ્દોમાં ‘યોગ્યતા' કહેલી છે અને એ યોગ્યતાને પ્રાપ્ત કરાવનાર આચરણને જ શાસ્ત્રોમાં ન્યાય શબ્દથી સંબોધવામાં આવેલ છે. ‘યોગ્યતા’ વિના કોઇ પણ વસ્તુની પ્રાપ્તિ આ જગતમાં થઇ શકતી નથી અને યોગ્યતા પ્રાપ્ત થયા પછી વસ્તુની પ્રાપ્તિમાં કોઇ પ્રતિબંધક પણ થઇ શકતું નથી. જે કુવામાં પાણી છે, તે કુવામાં દેડકાઓને બોલાવવા વું પડે છે ? નહિ જ. અથવા જે સરોવર ભરેલું છે, ત્યાં પક્ષિઓને આવવા માટે આમંત્રણ આપવું પડે છે ? નહિ જ. એથી પણ સિદ્ધ થાય છે કે-વસ્તુની પ્રાપ્તિમાં યોગ્યતા એ જ મુખ્ય ચીજ છે. દાતારને ત્યાં જ યાચકો જાય છે. કૃપણને
૬૮