Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/005857/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (આનંદઘન સ્તવન ચોવીશી વિવરણ हृध्य नयन निहाल rai ભાગ ૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ સહી જિનેવર હોવે રે. બોવે રે. જન સ્વરૂપ થઈ જિને આરાધે, તે popis2re શી ઈલિકાને . Page #3 -------------------------------------------------------------------------- ________________ ભાગ હૃદય નયન નિહાળે જવણી (આનંદઘન સ્તવન ચોવીશી વિવરણ) સ્તવન રચયિતા . યોગીરાજશ્રી આનંદઘનજી વિવરણકર્તા .. પં. પ્ર. મુક્તિદર્શન વિજયજી સંયોજન સહાયક .. સૂર્યવદન ઠાકોરદાસ જવેરી પ્રકાશકે .. શ્રી માટુંગા શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ હૃદય નયને નિહાળે જગધણી (આનંદઘન સ્તવન ચોવીશી વિવરણ) ભાગ : 3 પ્રકાશક : શ્રી માટુંગા શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ આવૃત્તિ : પ્રથમ સં.૨૦૬૪ ઈ.સ.૨૦૦૮ નકલ ઃ ૧૬૦૦ + ૪૦૦ જ્ઞાન ખાતાની મુદ્રણ ઃ મલ્ટી ગ્રાફિક્સ ૧૮, ખોતાચી વાડી, વર્ધમાન બિલ્ડીંગ, ૩જે માળે, પ્રાર્થના સમાજ, વી.પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૭ ૩૨૨૨ / ૨૩૮૮ ૪૨૨૨ મુલ્ય : ૪૦૦/- (ત્રણ પુસ્તકના સેટની કિંમત) પ્રાપ્તિ સ્થાન મલ્ટી ગ્રાફિક્સ ૧૮, ખોતાચી વાડી, વર્ધમાન બિલ્ડીંગ, ૩જે માળે, પ્રાર્થના સમાજ, વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૮૭ ૩૨૨૨ / ૨૩૮૮ ૪૨૨૨ શ્રી સૂર્યવદન ઠાકોરદાસ જવેરી ૮૦૨, સ્કાય હાઈ ટાવર, શંકરલેન, મલાડ (વેસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૬૪. ફોન : ૨૮૦૬ ૭૭૮૭ લાવણ્યશ્રીજી જૈન ઉપાશ્રય ૦૦૩ સૃષ્ટિ એપાર્ટમેન્ટ, સંજીવની હોસ્પિટલ પાસે, નવા શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ ૩૮૦ ૦૦૭. Page #5 -------------------------------------------------------------------------- ________________ શક્તિથી પમાભસ્વરૂપ એવા કે ઉજ્ઞાસુ છે તે શીઘાdશીઘ મરણ્યદાનંદસ્વરૂપ પર્યાયને પામે એવી અભ્યર્થના સહ - વાયક પરમાત્માને અર્પણ ! પં. મૃતદર્શનવિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્તવન ક્રમાંક /કડી સંખ્યા ૧/૬ ૨/૬ ૩૦૬ ૪/૬ ૬/૬ ૭/૮ ૮/૭ 6/c ૫/૬ સુમતિ-ચરણ-કજ આતમ અરપણા... ૧૦/૬ ૧૧/૬ ૧૨/૬ ૧૩/૭ ધ્રુવ ૧૪/૭ પંક્તિ અનુક્રર્માણ ઋષભ જિનેસર પ્રીતમ મહારો રે... પંથડો નિહાળું રે બીજા જિનતણો રે... અજિત અજિત ગુણધામ... સંભવદેવ ધૂર સેવો સવે રે... અભિનંદન જિન ! દરિસણ તરસીએ... પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરું રે... શ્રી સુપાસ જિન વંદીએ... દેખણ દે રે, સખી ! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ... સુવિધિ જિનેસર પાય નમીને... શીતળ જિનપતિ લલિત ત્રિભંગી.... શ્રી શ્રેયાંસર્જિન અંતરજામી... વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી... વિમળજિન દીઠાં લોયણ આજ... પ્રધાન સૂર કપટરહિતતા પૂર્વકની પ્રીતિ-ભક્તિ પરમાત્મ પંથ-મોક્ષમાર્ગ નિરીક્ષણ યોગની પૂર્વસેવારૂપ આત્મશુદ્ધિ વિચારણા ઉપાદાન-નિમિત્ત કારણ સમીક્ષા દરિસણ તડપન જ્ઞાન-ભક્તિ તથા સાધના-ઉપાસના જુગલબંધી પરમાત્મા-અંતરાત્મા-બહિરાત્મારૂપ ત્રિવિધ આત્મસ્વરૂપ વિચારણા સાધના-ઉપાસનાના તાણાવાણા પરમાત્મ સ્વરૂપથી આત્માને આંતરું પાડનારા કર્મ વિષેની વિચારણા પરમાત્મત્વ નિર્દેશક પરમાત્મ સ્વરૂપ નામ-ગુણ નિધાન અર્હમ એશ્વર્ય દર્શન દર્શન દુર્લભતા અંતર્ગત જીવવિચાર અંગપૂજા-અગ્રપૂજા-ભાવપૂજા-પ્રતિપત્તિ પૂજા વિધિ વિચારણા . જ્ઞાનયોગ અંતર્ગત સ્યાદ્વાદશૈલિએ ત્રિભંગીથી આત્મશીતળતા પ્રાપ્તિ પ્રક્રિયા અધ્યાત્મ અને અધ્યાત્મપુરુષ પરખ પ્રક્રિયા અંતર્ગત ભાવ અધ્યાત્મ મહિમાગાન કરમ-કરમફળ ચેતના અને દર્શન-જ્ઞાન ચેતના વિચારણા અંતર્ગત જ્ઞાનમયતાનું ગાન પરમાત્મસ્વરૂપ પ્રદાયક ધીંગ ધણી મળ્યાનું ખુમારીભર્યું ગૌરવગાન ધાર તરવારની સોહલી, દોહલી ચઉદમા જિનતણી ચરણસેવા... ચરણસેવા દુષ્કરતા અનંત ચતુષ્ક પ્રદાયક અનંતનાથ વિવરણ પત્રાંક ૧ 62 ૭૯ ૧૨૧ ૧૬૧ ૧૯૭ ૨૩૧ ૨૭૧ ૨૯૫ ૩૫૩ ૩૯૩ ૪૨૩ ૪૫૭ ૪૮૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્તવન ક્રમાંક /કડી સંખ્યા ધ્રુવ પંક્તિ પ્રધાન સૂર વિવરણ પત્રાંક ૧૫/૮ | ધર્મ જિનેસર ગાઉં રંગશું... ૫૨ ૧. ધર્મ માઁદઘાટન હૃદયચક્ષુ-ગ્રંથિભેદ જનિત સમ્યક્તથી પરમાત્મદર્શન ૧૬/૧૫ | શાંતિ જિન એક મુજ વિનતિ... ૫૬૫ શાંતિ સ્વરૂપ પ્રાપ્તિ પ્રક્રિયા અંતર્ગત સમત્વ યોગ વિચારણા ૧૭/૯ કુંજિન ! મનડું કિમહી ન બાજે.. ૬૩૫ મનને નાથવાની મથામણ મનોનિગ્રહ દુષ્કરતા ૧૮/૯ | ધરમ પરમ અરનાથનો... ૬૮૯ સ્વસમય પરસમયરૂપ આત્મધર્મની દ્રવ્ય-ગુણ-પર્યાય સાપેક્ષ સમીક્ષા ૭૫૧ ૧૯/૧૧ [ સેવક કિમ અવગણીએ, હો મલ્લિ જિન ! અઢાર દોષ રહિત તુર્યાવસ્થા-ઉજાગરદશા પ્રાપ્તિ વિચારણા ૨૦/૧૦ મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો... દાર્શનિક વિચારણા ૭૯૯ . ૨૧/૧૧ ૫ દરિસણ જિન અંગ ભણીએ..... ૮૪૪ અંગી એવા સર્વાગી જિનદર્શનના અંગ-રૂપ પદર્શન સમીક્ષા અષ્ટ ભવાંતર વાલડી રે.... ૯૨૨ સતી રાજમતિના મુખેથી મુખરિત થતો ચેતનાનો ચેતન સાથેનો સંવાદ ૨૩/૮ ધ્રુવપદ રામી હો સ્વામી માહરા.. ૧૦૯૬ આત્માના પરમાત્મસ્વરૂપની સ્પર્શના પૂર્વક અગુરુલઘુગુણ ગાન ૨૪/૭ વીર જિનેશ્વર ચરણે લાગું. ૧૧૯૮ આત્માના વીરપણાંના ઓવારણા ને વધામણા પરમાત્મમિલન તલસાટ ૨૫/૪ ! સામાન્ય જિન સ્તવન નિરંજન નાથ મોહે કેસે મિલેંગે... ૨૬ નિગોદથી નિર્વાણ સુધીની નય સાક્ષેપ યાત્રા ૧ ૨૨૯ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ તત્ત્વ વિચારણા ૧૨.૪૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ 844 હૃદય નયન નિહાળે જગધણી 21 શ્રી નોંમનાથ ભગવાનનું સ્તવને ખટદરિસણ જિન અંગ ભણીજે, ન્યાય ષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણઉપાસક, ટ્ દરશણ આરાધે રે ૫.૧ જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય-યોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતા, લહો દુગ અંગ અખેદે રે। ..૨ ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીયે, ગુરુગમથી અવધારી રે ૫.૩ લોકાયતિક કૂખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ૯.૪ જૈન જિનેશ્વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક આરાધે ધરી સંગે રે ૫.૫ જિનવરમાં સઘળા દરિશન છે, દર્શને જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે।। ૫.૬ જિન સરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે રે ૫.૭ સમાધિસ્થ થનાર તનભાવ અને મનભાવ છે. તન એ સ્થૂલ દેહ છે જ્યારે મન એ સૂક્ષ્મ દેહ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ INATH opes B A लुठन्तो नमतां मुर्ध्नि, निर्मलीकार - कारणम् । वारिप्लवा इव नमेः, :, पान्तु पाद-नरवांशवः । ॥२१॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ 21 નામ : ૨૧ મા શ્રી નમિનાથ લાંછન : નિલ મલ રાશિ : મેષ ગણ : દેવ માતા : વપ્રાદેવી પિતા : વિજય 10 ગર્ભવાસ : '૯-૮ દીક્ષા પર્યાય : ૨૫૦૦ વર્ષ સર્વ આયુષ્ય : ૧૦૦૦૦ વર્ષ, સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૩ ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અશ્વિની આસો સુ.૧૪ : નમિનાથજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અશ્વિની અ. વ.૮ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : અશ્વિની જેઠ વ.દ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે ઃ અશ્વિની મા. સુ.૧૧ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : અશ્વિની ચૈ. વ.૧૦ જન્મનગરી : મિથિલા દીક્ષાનગરી : મિથિલા વળજ્ઞાનનગરી : મિથિલા નિર્વાણભૂમિ : સમ્મેતશિખર Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 845 ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે; સમય પુરુષનાં અંગ કહ્યાં એ, જે છેકે તે દુરભવ્ય રે।। ૧.૮ મુદ્રા બીજ ધારણ અક્ષર, ન્યાસ અરથ વિનિયોગ રે; જે ધ્યાવે તે નવિ વંચિજે, ક્રિયા અવંચક ભોગે રે ૫.૯ શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે; ક્રિયા કરી નવિ સાધી શકીયે, એ વિખવાદ ચિત્ત સઘળે રે ષ.૧૦ તે માટે ૧૧ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિએ રે ૫.૧૧ પાઠાંતરે ૧. ડું ૨. દર્શન ૩. ષડ્ ૪. જોગ ૫. કરતાં ૬. દર્શન ૭. સ્વરૂપ ૮. ચૂરણ ૯. દૂરભવ ૧૦. વિષવાદ ૧૧. ઊભો સંસારભાવ એટલે મનમાં રહેલ રાગ અને દ્વેષ. ૨૦મા મુનિસુવ્રત સ્વામી ભગવાનના સ્તવનમાં જે બધા દર્શનોની સમીક્ષા કરી તે એક એક નયની અપેક્ષાએ છે. બધા દર્શનો એક એક નયોના મંતવ્યોને ‘જ’કાર પૂર્વક માનનારા હોવાથી એ બધા દર્શનો એકાંતવાદી છે. જ્યારે જૈનદર્શન એ સર્વનયગ્રાહી અનેકાંત દર્શન અને સ્યાદ્વાદ દર્શન હોવાથી તે સર્વાંગિક દર્શન છે; જે સર્વનયોની માન્યતાને સમજે-શ્રદ્ધા કરે-સ્વીકાર કરે, તે ક્યારે પણ કોઈ પણ વિષયમાં આગ્રહી ન બને. વસ્તુ સ્વરૂપને જોવાની યથાર્થદષ્ટિ હોવાથી તે દરેક વ્યક્તિના અભિપ્રાયને સમજી શકે અને તેથી તે સમાધાન કરે. જેને સર્વત્ર સમાધાન કરતાં આવડે તેને કષાયોનો ઉદ્ભવ જ ન થાય. કારણકે કષાયોની ઉત્પત્તિ એ અજ્ઞાન અને આગ્રહની પેદાશ છે. જે બીજાના કથનને, બીજાની વાતને, બીજાના અભિપ્રાયને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂલવી ન શકે, તે હંમેશા અજ્ઞાની અને આગ્રહી જ હોય. અજ્ઞાની અને આગ્રહી માટે ત્રણે કાળમાં મોક્ષના દરવાજા બંધ હોય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ 846 હૃદય નયન નિહાળે જગધણી ' સાચો જ્ઞાની સમન્વયવાદી અને સમાધાન પ્રિય હોય. તેનાથી તેને સર્વત્ર સમાધિ જ રહે અને જેને સર્વત્ર અને સર્વદા સમાધિ રહે; તેનો મોક્ષ નિકટ જ હોય. અધ્યાત્મના માર્ગમાં મુક્તિ મેળવવા બાહ્ય સંઘર્ષ-માનસિક સંઘર્ષ, આંતર સંકલેશ કરવાની સખ્ત મનાઈ છે. જ્યારે આંતરિક સંઘર્ષ પળેપળે કરવાનું વિધાન છે. બાહ્ય સંઘર્ષ ન કરવાથી અને સર્વને અનુકૂળ વર્તન કરવાથી પુણ્યબંધ દ્વારા સદ્ગતિ મળે છે, દુર્ગતિ ટળે છે. જ્યારે આંતરિક સંઘર્ષ કરવાથી સંવર અને નિર્જરા સતત સધાતા હોવાથી મુક્તિ તરફ પ્રયાણ થાય છે. સ્યાદ્વાદ શૈલિ જ એવી છે કે એ શૈલિથી મુમુક્ષુ મોક્ષમાર્ગ આરાધે તો તેને અલ્પકાળમાં મોક્ષ મળ્યા વિના રહે જ નહિ. આ શૈલિથી મોક્ષમાર્ગ આરાધતા છએ દર્શનપણ રાધાઈ જાય છે. આ શૈલિ સમજાવી જુદી ચીજ છે અને પરિણામ પામવી એ જુદી ચીજ છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી સ્યાદ્વાદ સમજાય છે પણ મોહનીયના થયોપશમથી પરિણામ પામે છે. સ્યાદ્વાદનું પરિણમન જેટલું ઊંચું તેટલી સમાધિ ઊંચી અને તેટલો મોક્ષ નજીક. આવા સ્યાદ્વાદને બતાવનાર જૈન દર્શન છે, તેથી તે સ્યાદ્વાદદર્શન તરીકે પણ ઓળખાય છે. વિશ્વને જૈનદર્શનની આ મૌલિક દેણ છે. તારક તીર્થંકર પરમાત્માઓનું જીવન એ જ આમાં દૃષ્ટાંત રૂપે છે. પૂર્વના ત્રીજા ભવથી માંડીને તેઓશ્રીનું જીવન જ્ઞાનપ્રધાન-વિવેક પ્રધાન-ઉપશમ પ્રધાન હોય છે. ક્યાંય કષાયની સ્પર્શના જ નહિ. ક્યાંય પણ અવિવેકની છાંટ સુદ્ધા નહિ. સર્વત્ર વિવેક-ઉપશમ અને સંવર પ્રધાન જીવન જ તેઓનું જોવા મળે. એક પણ દોષનું દર્શન જ મૂર્તિ એટલે કંધાકૃતિ-પ્રદેશપિંડાકૃતિ (હદ-કદ) રૂ૫ એટલે વર્ણ-ગંઘ-રસ-સ્પર્શ (ગુણ-પર્યાય) Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 847 ન થાય અને સર્વત્ર ગુણોનું જ દર્શન થાય. પ્રભુ શાસન અને સ્યાદ્વાદ દર્શન પરિણમે એટલે જીવનમાંથી સ્વાર્થવૃત્તિ, સંકુચિત વૃત્તિ, ક્ષુદ્ર વૃત્તિ, તુચ્છ વૃત્તિ, બીજાને હલકા જોવાની-હલકા ચિતરવાની વૃત્તિઓ વિદાય જ લે. ક્યાંય કોઈનું ખંડન નહિ, કોઇનો વિરોધ નહિ, કોઈ દુશ્મન નહિ, અપરાધી નહિ, વૈરી નહિ, ક્યાંય કોઈનો તિરસ્કાર નહિ-દ્વેષ નહિ-ધિક્કાર નહિ. તો શું હોય? તો કહે છે કે સર્વત્ર જીવમાત્ર પ્રત્યે મૈત્રી-પ્રેમકરૂણા-પ્રમોદ-માધ્યસ્થતા, વાત્સલ્ય, ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા, પરોપકાર-શીલતા, અનાગ્રહતા, સેવા, સહાનુભૂતિ ચામડા ઉતારનાર કે ફુલોથી પુજનાર નંદક કે નિંદક ઉભય પ્રત્યે-બન્ને ઉપર એક સરખો જ સમભાવ હોય; આ છે, જૈન શાસન અને સ્યાદ્વાદ દર્શન પરિણામ પામ્યાનું ફળ અને આ છે મોક્ષમાર્ગ, આ છે સમાધિ, આ છે ચારિત્ર જીવનની સફળતા અને આ છે આસન સિદ્ધિકતા. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી અને આત્માને સત્નો અર્થાત્ અવિનાશીનો રંગ ચઢાવે તે સત્સંગ છે. યોગીરાજ આનંદઘનજી મહારાજામાં આ તત્ત્વ પરિણમેલું હતું. તેઓમાં સાધનાની ગરિમા હતી. સ્વરૂપની તાલાવેલી હતી, સાધ્યની નિકટતા હતી, હૃદયની ગંભીરતા હતી, બોધની વિશાળતા હતી, પરિણતિનું ઊંડાણ હતું, જીવો પ્રત્યેની અપાર કરૂણા હતી, શાસ્ત્રોના મર્મને પામવાની કુશાગ્રતા હતી માટે આ ૨૧મા ભગવાનના સ્તવનમાં કોઇક જુદીજ દૃષ્ટિથી નમિ જિનના ચરણની ઉપાસના બતાવી રહ્યા છે. આ સ્તવનમાં એમને સમન્વયવાદની શૈલિથી જૈની દર્શનની સર્વાંગીતા, વિશાળતા અને વ્યાપકતા વર્ણવી છે. એમની પાસે પદાર્થને જોવાની જે દૃષ્ટિ છે, જે આત્મવિયાર-સવિયાર-સ્વરૂપવિયાર કરી શકે, તે સમ્યક્ત્વનો અધિકારી. Page #14 -------------------------------------------------------------------------- ________________ 848 હૃદય નયન નિહાળે જગધણી તેનો જોટો જગતમાં જડે તેમ નથી. જાણે તેઓ કહી રહ્યા છે કે જગતને તમે મિત્ર બનાવો! તમારું બનાવો! અને મોક્ષમાર્ગ સાધો! પોતાની લીટીને મોટી કરવા બીજાની લીટીને કાપીને નાની કરવી અને એ દ્વારા પોતાની મહાનતા બતાવવી એ જૈન શાસનનો સ્યાદ્વાદ નથી પણ કનિષ્ઠ વાદ છે. બીજાની જે લીટી છે, તેને તેમજ રહેવા દઇ આપણી લીટીને મોટી દોરી શકાય છે અને એ રીતે પણ પોતાની મહાનતા બતાવી શકાય છે. આનંદઘનજી મહારાજા, એ તે કાળના મહાન સાધક હોવાના કારણે તેમની શૈલિમાં મોટેભાગે પોઝિટિવ એપ્રોચ જ-વિધેયાત્મક અભિગમ જ જોવા મળે છે. અન્ય દર્શનો ખોટા છે એમ કહી કહીને તેને નકારવામાં આવે, તો આપણી પરિણતિમાં પણ ખંડનપ્રિયતા આવે. ખંડનની રુચિ એ અધ્યાત્મની વિરોધી છે. બીજાને ખોટા કહેવા કરતાં બીજા કઇ અપેક્ષાએ સાચા છે એવો પોઝિટિવ એપ્રોચ કરવામાં આવે તો સમન્વય સાધી શકાય. ત્રુટિની પૂર્તિ કરીને સામા આત્માને ઉપર ચઢાવી શકાય તેમજ મોક્ષમાર્ગ નિરાબાધપણે સાધી શકાય. અધ્યાત્મના માર્ગમાં બીજો જે માન્યતા ધરાવતો હોય તે ખોટી હોય, તો પણ તેને ખોટો કહેવાની ઉતાવળ કરવા જેવી નથી. કારણકે તે માન્યતા સાથે તેનો આત્મા જોડાયેલો છે. એ માન્યતાને પોતાનો આધાર બનાવીને – પોતાનો પ્રાણ બનાવીને તે જીવે છે એટલે તેને ખોટો કહેતાં તેના ભાવપ્રાણ દુઃભાતા તેની હિંસા થાય છે. એટલે જો કોઈ Positive approach-વિધેયાત્મક વલણ દ્વારા તેની ભૂલ બતાવી દેવાતી હોય અને કાર્યસિદ્ધિ થઇ જતી હોય તો તે માર્ગ જ અપનાવવાનું જ્ઞાનીઓ કહે છે. વળી તથાભવ્યતા અનુસારે ક્રમબદ્ધ પર્યાયની જે ભૂમિકા હોય, મન એ સ્થાન છે જ્ઞાન અને વેદનનું. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 849 તે ભૂમિકા પ્રમાણે, તે તે જીવને તથાપ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુરૂપ સંયોગો મળે છે. મળેલા સંયોગો અને ભૂમિકાને અનુરૂપ ઉત્થાનને માર્ગે લઈ જનારું વિકાસશીલ જીવન જીવતાં દરેક જીવની પોતાની આમ્નાય પ્રમાણેનું જીવન પ્રશંસાપાત્ર બને છે. આપણે તો કાર્યસિદ્ધિ સાથે પ્રયોજન છે. સામાને ખોટો કહેવા સાથે નહિ. વસ્તુની સચ્ચાઈનું પ્રતિપાદન પણ સ્વ-પરને લાભ થાય, તે હેતુથી કરવાનું છે.. જો સચ્ચાઇને કહેવા જતાં નુકસાન જણાતું હોય અથવા તો ભાવિમાં નુકસાનની સંભાવના જણાતી હોય, તો ત્યાં તે વસ્તુને ન જણાવવી અને મૌન રહેવું એજ માર્ગ છે. હવે નિજિનના ચરણની ઉપાસના કેમ કરવી તે બતાવે છે. ષટ્કરિસણ જિન અંગ ભણીજે, ન્યાય રંગ જો સાધે રે; નમિજિનવરના ચરણ ઉપાસક, પદ્ઘરિસણ આરાધે રે. અર્થ : સાંખ્ય, યોગ, બૌદ્ધ, મિમાંસક, ચાર્વાક અને જૈનદર્શન; આ છએ દર્શનો જિનેશ્વર ભગવાનના અંગરૂપે કહેવાય છે. શી રીતે ? તો કહે કે જિનેશ્વર ભગવાનની આકૃતિમાં છ દર્શનોની સ્થાપના છ અવયવમાં કરવામાં આવે તો, એ છએ દર્શનો જિનના અંગરૂપ અર્થાત્ અંગના અંગી તરીકે જણાશે. આ છએ દર્શનોનું યથાવસ્થિત સ્વરૂપ સમજીને જે આરાધન કરે તેને નમિ જિનેશ્વરના ચરણનો ઉપાસક જાણવો. વિવેચન ઃ જેમ પગ, હાથ, પેટ અને મસ્તક રૂપ અવયવોથીઅંગથી આખું શરીર (અંગી) કહેવાય છે તેમ છએ દર્શનો પણ જિનેશ્વર ભગવાનના અંગરૂપ છે. શરીરના એકએક અંગ તેમજ ઉપાંગ મળીને ભવભીરતાથી સમ્યક્ત્વ આવે છે. પાપભીરતાથી પાપબંધથી બયી શકાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ 850 હૃદય નયન નિહાળે જગધણી સંપૂર્ણ શરીર બને છે. એ શરીરનું એક પણ અંગ ખંડિત થાય એટલે પછી તે સર્વાંગ સુંદર નથી કહેવાતો પણ વિકલાંગ દૂષિત કહેવાય છે અને તેથી શક્તિહીન થાય છે. જે સર્વાંગની શક્તિ છે તે વિકલાંગની નથી. જેમ શરીરના એક એક અંગ મળીને સર્વાંગ કહેવાય છે અથવા તો તે એક એક અંગ એ સમગ્ર શરીરનો એક દેશ છે; તેમ જૈન દર્શનરૂપી એક અવિભાજ્ય અંગી કે અંશીમાંથી જ છુટા પડેલા-વિભાજિત થયેલા અન્ય અન્ય દર્શનો છે. સર્વ દર્શનની માન્યતાનો સમાવેશ સ્યાદ્વાદ એવા જૈનદર્શનમાં થાય છે. જૈન દર્શનના એક એક અંગરૂપે રહેલાં, તે તે દર્શનો પાસે પોતપોતાની રીતે સાધના કરવા માટેના આગવા વિકલ્પો છે કારણકે તે આસ્તિક દર્શનો છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, મોક્ષ વગેરેને માનનારા છે. તેઓના દર્શનમાં પણ આત્મકલ્યાણ કરવા માટે ત્યાગ, તપ, સંન્યાસ, વ્રત, જપ, નિયમ વગેરે બતાવવામાં આવ્યા છે. અનાર્યદેશ કરતાં આર્યદેશની મહત્તા જ એ છે કે જેના પગલે પગલે ત્યાગ અને વૈરાગ્યની વાતો છે કે જ્યાં ભોગને હેય એટલે ત્યાજ્ય અને ત્યાગને ઉપાદેય એટલે કે ગ્રાહ્ય માનવામાં આવેલ છે. જ્યારે અનાર્યોમાં ભોગની જ પ્રધાનતા છે. ત્યાગ જેવો કે મોક્ષ જેવો શબ્દ પણ જ્યાં નથી, તો પછી ત્યાં ત્યાગમાર્ગ કે મોક્ષમાર્ગ તો હોય જ ક્યાંથી ? આર્ય એટલે ઉત્તમ અને જ્યાં ઉત્તમતા નથી તે અનાર્ય. એ આસ્તિક દર્શનકારોએ બતાવેલ સાધનાના વિકલ્પોથી પણ સાધના કરવામાં આવે અને બીજી કોઇ ખટપટમાં પડવામાં ન આવે તો સાધ્યથી અભેદ થઈ શકાય છે-મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ તેમાં ભવભીરતાનો શબ્દાર્થ છે ભવનો ભય અને એનો લક્ષ્યાર્થ છે મોક્ષની ઈચ્છા-ભવભ્રમણથી મુક્તિ-સ્વયં પરમાત્મસ્વરૂપ બનવાની ઈચ્છા. Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 851 બુટિ હોય તો એટલી જ છે કે તેઓ પોતાના મતને એકાંતે માને છે એટલે અન્ય મતને-અન્ય સિદ્ધાંતને સાપેક્ષ રહીને તે સિદ્ધાંતોનું મંડાણ નથી. વળી તે દર્શનના પ્રણેતાઓ વીતરાગ અને સર્વજ્ઞ ન હોવાથી, ત્રણેકાળનું યથાર્થ જ્ઞાન ન હોવાથી, તેઓ વિશ્વવ્યવસ્થાને સમ્ય રીતે બતાવવા માટે કે સમજવા માટે સક્ષમ નથી-સમર્થ નથી. એકાંગી હોવાથી સર્વાગી જુઆત કરવા માટે સમર્થ નથી. છતાં પોતાની માન્યતામાં આગ્રહવાળા ન બને અને માત્ર કષાય નાશના લક્ષ્ય સાધના કરે, તો જરૂર ઈષ્ટલ પ્રાપ્ત કરી શકે છે. સાધનામાં અનાગ્રતા અને ગુણગ્રાહિતા આ બે બાપુ મોટી ચીજ છે. એ આવે તો પછી કોઈપણ સાધનાના વિકલ્પથી આગળ વધી શકાય છે. જૈન દર્શન એ સર્વાગી છે. સર્વજ્ઞ વીતરાગ ભગવાનથી પ્રણીત છે એટલે તેનામાં કોઈ પણ ત્રુટિ ન હોય. વળી એ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો અન્યદર્શનની એકાંગી સાધનાને પણ સ્વીકારે છે અને કહે છે કે અન્ય લિંગે પણ સિદ્ધ થઈ શકાય છે. ' જેના દર્શને બતાવેલ સવાંગી સાધના અને અન્યદર્શનોએ બતાવેલ એકાંગી સાધના, બંનેમાં અનાગ્રતા અને ગુણગ્રાહિતા એ બે મહત્વના અંગો છે, એ જો ન સચવાય તો જૈન દર્શનમાંથી પણ મોક્ષ ન મળે. મોક્ષ એ આંતરિક તત્વ છે, તેથી તેને મેળવવાનો માર્ગ પણ આંતરિક છે એટલે દોષ ક્ષય અને ગુણ વિકાસ અને એ દ્વારા ગુણસ્થાનકનો મારોહ ટકી રહે, તો ઈષ્ટસિદ્ધિ કરી શકાય. બાકી જૈનશાસન નિર્દિષ્ટ ત્યાગ માર્ગ સ્વીકાર્યા પછી અને ઘોર સંયમ, કષ્ટકારી અને નિર્દોષ ચર્ચા વગેરેની પાલના છતાં પોતાના સંપ્રદાયમાં ચાલતી માન્યતાના આગ્રહ, અન્યની માન્યતા પ્રત્યે અરૂચિ, દ્વેષ, નિંદા, ખંડન વગેરે આવે તો દોષ યાર સંજ્ઞા, ત્રણ એષણા અને ત્રણ ગારવની આસક્તિની બંધાયેલી ગાઢ ગ્રંથિઓને તોડવી, એનું નામ જ ગ્રંથિભેદ. ગ્રંથિભેદ કરવો, એજ સમકિત-સમ્યક્ત્વ છે જે મોક્ષમાર્ગ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ 852 હૃદય નયન નિહાળે જગધણી ક્ષય અને ગુણોનો વિકાસ ન થવાથી તેમજ ગુણગ્રાહિતા અને અનાગ્રહતા ન સચવાવાથી મોક્ષમાર્ગ અને ઇષ્ટસિદ્ધિ દૂર ને દૂર જ રહે, એમાં કોઇ શંકાને સ્થાન નથી. વીતરાગતા એ અનાગ્રતા છે. વીતરાગને કોઇ આગ્રહ હોય નહિ. સાચું કે ખોટું, સારું કે ખરાબ, મારું કે તારું, હું કે તું એવું કશું જેનામાં ન હોય તે વીતરાગ પરમાત્મા છે. આપણામાં કોઇ પણ પ્રકારનો આગ્રહ નથી આપણે તો અનાગ્રહી છે; એમ બોલવું ને માનવું, એ પણ એક પ્રકારનો આગ્રહ જ છે. આગ્રહ ન જોઇએ એનો અર્થ એ છે કે અનાગ્રહતાનો પણ આગ્રહ ન હોવો જોઇએ. શારીરિક કે માનસિક પ્રતિકૂળતામાં ટકી રહેવા માટે દૃઢ સંકલ્પ કરવો અને તે મુજબ ચાલવું એને જ્ઞાનીઓએ દૃઢધર્મિતા કહી છે અને તે આવકાર્ય છે પણ તે દઢધર્મિતાને બીજાની આગળ જાહેર કરવી તે બરાબર નથી. વીતરાગનો માર્ગ અનાદિનો છે. જેના રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ ગયા તેનું કલ્યાણ, બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહિ. એમ કલ્યાણ હોય નહિ, કદાગ્રહમાં કંઈ જ હિત નથી. શૂરાતન કરી આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું, પણ વિરોધ કરવો નહિ. મતભેદ રાખી કોઇ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. આપણો આત્મા એ ત્રિકાળ સત્ય છે. બાકી બીજું બધું કામચલાઉ વ્યવહાર સત્ય છે. વિશ્વ વ્યવસ્થા અને સંસાર વ્યવહાર સારી રીતે ચાલે, લોકો સંસારમાં પ્રસન્નતા પૂર્વક જીવે અને દુર્ગતિમાં ન જતાં અરૂપીનું લક્ષણ : પ્રદેશ સ્થિરત્વ અને પર્યાય સદશતા રૂપીનું લક્ષણ : પ્રદેશ અસ્થિરત્વતા અને પર્યાય વિસશતા. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી A 853 સદ્દગતિમાં જાય એ હેતુથી એને સત્ય કહેલ છે અર્થાત આપેક્ષિક સત્ય છે પણ નિરપેક્ષ સત્ય નથી. સાપેક્ષ સત્યના એવા આગ્રહી ન બનાય કે જેનાથી નિરપેક્ષ સત્યને પામવાનું ચૂકી જવાય. શાસ્ત્રની પંક્તિઓ-વચનો પણ સાપેક્ષ સત્ય છે માટે તેના પણ આગ્રહી ન બનાય. એનું પાલન કરતાં દેશકાળ અવશ્ય લક્ષમાં લેવા પડે. દેશ-કાળ સાપેક્ષ રહીને સ્વ-પરની ઉપશમ પરિણતિ ટકી રહે-વૃદ્ધિ પામે અને આપણા પરિચયમાં આવનારા-આપણને માનનારા-આપણા વચન ઉપર વિશ્વાસ મૂકનારાઆપણા ઉપર આદર-બહુમાન ધરાવનારા મુક્તિગામી બને તે રીતે દેશ-કાળ સાપેક્ષ શાસ્ત્ર પંક્તિનું યોજન એ શાસ્ત્ર પરિકર્મિત ગીતાર્થતા છે અને આવા ગીતાર્થોનો તેમજ તેની નિશ્રાએ ચાલનારાઓનો મોક્ષ છે; બીજાઓનો નહિ આ વાત કદી ભૂલવા જેવી નથી. - છયે દર્શન એ જિનેશ્વર પરમાત્માના અંગરૂપ હોવાથી અર્થાત્ પ્રભુથી તે જુદા ન હોવાથી તે છયે દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કરી, માધ્યસ્થ દૃષ્ટિથી-વિશાળ દૃષ્ટિકોણથી-હૃદયની અત્યંત ઉદારતા અને પ્રામાણિકતા પૂર્વક સ્યાદ્વાદ શૈલિથી તુલના કરી, જે છયે દર્શનોને પોતાના કરૂણાપુત હૃદયમાં સ્થાન આપશે–સ્થાપન કરશે અર્થાત્ તેમના ખંડન-મંડનમાં ન પડતા તેમનામાં રહેલ આંશિક સત્યતા, સાધનાના વિકલ્પોનો સ્વીકાર કરશે તે નમિજિનના ચરણનો સાચો ઉપાસક બનશે. નમિજિનના ચરણોની ઉપાસના માત્ર બાહ્ય પુજા-પ્રભાવનાભક્તિમાં ચરિતાર્થ થઈ જતી નથી. પરંતુ જેવી રીતે પ્રભુએ, જે રીતે સંસારની બાહ્ય ખટપટોથી અલિપ્ત રહી, કોઇપણ ગચ્છ, સંપ્રદાય, મત દર્શનમોહનીયકર્મનો ઉદય એટલે મિથ્યાત્વમોહનીયનો ઉધ્ય. Page #20 -------------------------------------------------------------------------- ________________ 854 854 .હૃદય નયન નિહાળે જગધણી છે કે દર્શન પ્રત્યે કોઇપણ જાતના સારા ખરાબનો કે સાચા-ખોટાનો કે મારા-તારાનો અભિપ્રાય આપ્યા વિના સંસારનો ત્યાગ કરી માત્ર એકાંતમૌન-ધ્યાન અને સ્થિરાસન દ્વારા અસંગ યોગ સાધ્યો અને અંતે ક્ષપકશ્રેણીશુક્લધ્યાન પામવા દ્વારા ઘાતકર્મોના ભુક્કા બોલાવી વીતરાગતા અને સર્વજ્ઞતાને સાધી; તે જ રીતે આપણે પણ જો વિતરાગ અને સર્વજ્ઞ બનવાની સાધના કરીએ, તે માટે સંસારની સર્વ જંજાળોથી મુક્ત રહીએ, દુનિયામાં ધર્મના નામે ચાલતા અનેક પ્રકારના મતભેદોથી અલિપ્ત રહીએ અને તે દ્વારા મુક્તિને નજીક લાવીએ, તો જ આપણે નમિજિનના ચરણો સેવ્યા કહેવાય બાકી નહિ. વ્યવહારથી નમિજિનના ચરણની ઉપાસના એ નિશ્ચયથી પોતાના શુદ્ધસ્વરૂપની ઉપાસના છે. જિનાલયમાં રહેલા નમિજિનના ચરણની ઉપાસના એ દેહાલયમાં રહેલા પરમાત્માની ઉપાસના કરવા માટે છે. નમિજિનના ચરણોની ઉપાસના એ શુદ્ધાત્માની ઉપાસનાથી જુદી હોઈ શકે નહિ. સાચી સર્વોત્કૃષ્ટ પૂજા એ પ્રતિપત્તિ પૂજા છે. બાહ્યથી ગમે તેટલી ઊંચી ભક્તિ કરવા છતાં, મોટા સાદે સુંદર રાગથી સ્તુતિ અને સ્તવનાઓ બોલવા છતાં, જો અંદરથી પરિણતિમાં વિવેક-ઉપશમભાવ ન કેળવાયો, તો ત્યાં વ્યવહારથી નંમિજિનના ચરણોની ઉપાસના જરૂર કહેવાશે પણ તત્ત્વથી તો નહિ જ કહેવાય. તત્ત્વથી નમિજિનના ચરણોની ઉપાસના એટલે પોતાના દેહરૂપી દેવળમાં છુપાયેલ શુદ્ધ એવા પરમાત્માની ઉપાસના. તે ત્યારે કરી કહેવાય કે આપણે છીયે દર્શનો પ્રત્યે માધ્યસ્થદષ્ટિવાળા બનીએ, ગુણગ્રાહિદષ્ટિવાળા બનીએ અને એ દ્વારા આપણામાં રહેલ આગ્રહો, મતાગ્રહો, કદાગ્રહો, હઠાગ્રહો, દુરાગ્રહો, મઠાગ્રહો, પૂર્વગ્રહો નીકળી જાય તો! અન્યથા નહિ! દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ એટલે સમ્યક્ત્વમોહનીયનો ઉદય. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 855 આપણો ચેતન ચકવો, શુભમતિ નામની ચકવી સાથે ઉપશમ સરોવરમાં નિરંતર ક્રીડા કરતો હોય, તો આપણે નમિજિનના ચરણોની વાસ્તવમાં ઉપાસના કરી કહેવાય. ઉપાસના એ બાહ્ય તત્ત્વ નથી. એ લોકોની નજરમાં આવે એવું નથી. બાહ્યભક્તિ એ ઉપાસના નથી પણ બાહ્યભક્તિ કરતાં ઉપાસ્ય જેવા થવાની તમન્ના, ઉપાસ્યની સાથે અભેદ પામવાનો તલસાટ અને પ્રતિ સમય ઉપાસ્યની દિશામાં ઉધ્વરોહણ એ ઉપાસના છે. ઉપાસના એ ઉપાસકને ઉપાસ્યથી અભિન બનાવે છે. જો ઉપાસ્યની ઉપાસના કરતાં ઉપાસક ઉપાસ્યથી અભિન્ન ન બને તો તે ઉપાસના શાની ? અહિંયા પહેલી કડીમાં યોગીરાજનું એ ભારપૂર્વક કહેવું છે કે તમે છ યે દર્શનોમાંથી એકપણ દર્શન પ્રત્યે વિપરીતભાવ ન લાવો ! કોઈના પ્રત્યે વિરોધી વર્તને ન કરો ! એ સર્વજ્ઞ પ્રણીત નથી માટે એની ઠેકડી ન ઉડાડો! એના પ્રણેતા વીતરાગ નથી માટે તેની હાંસી ન ઉડાવો કારણકે સર્વજ્ઞ ન હોવા છતાં પ્રામાણિક છે. વીતરાગ ન હોવા છતાં વિરાગી છે, તો તેમાં રહેલી તેટલી સચ્ચાઈનો સ્વીકાર કરો! તેઓ પણ આત્મા-મોક્ષને માને છે, આસ્તિક છે, નાસ્તિક નથી એટલા અંશે; તેને આદરથી જુઓ અને કદાચ તેઓ પોતાના દર્શનમાં અજ્ઞાનના કારણે આગ્રહી હોય તો તેમની કરૂણા ચિંતવો કે હે પ્રભો ! તેઓમાં રહેલ આટલો દોષ કોઈ પણ રીતે નીકળી જાય ! તે પણ વીતરાગ માર્ગના ઉપાસક બનો! એવી ભાવનાથી તમારા હૃદયને ભાવિત કરો, તો જ તમને નમિજિનના ચરણો સેવતા આવડ્યું છે; એમ મનાય. મોક્ષને પામવાનો આ જ માર્ગ છે. બીજાને ખોટા કહીને-ખરાબ કહીને ક્યારેય મોક્ષે ન જવાય કારણકે તેમ કરવાથી આપણી પરિણતિ દૂષિત થવાનો સંભવ છે. દર્શનમોહનીયકર્મનો ઉપશમ એટલે ઉપશમસમકિતનો ઉદય. Page #22 -------------------------------------------------------------------------- ________________ 856 હૃદય નયન નિહાળે જગધણી શાસ્ત્રોમાં જે એકાંત દર્શનોનું ખંડન જોવા મળે છે, તે તેમાં રહેલ એકાંતતા અને વિશ્વવ્યવસ્થા ન બતાવવાના કારણે છે. જે વ્યવહારનયનો એપ્રોચ-અભિગમ છે. તે બતાવવા પાછળનો મહાપુરુષોનો આશય એ છે કે સર્વાંગી દર્શન મળ્યા પછી એકાંગી દર્શન તરફ લોકો ન ચાલ્યા જાય અને તેમાં સર્વાંગીતાની બુદ્ધિ ન કરી બેસે. મધ્યમબુદ્ધિવાળા મધ્યમ સત્વવાળા અને મધ્યમગુણોવાળા જીવોને દરેક વિષયમાંથી તત્ત્વ ખેંચવા આવડતું નથી એટલે જો તે ત્યાંથી સારું માની લેવા જાય તો ત્યાંનુ સારું તો લઇ ન શકે અને પોતાનુ જે કાંઇ સારું છે તે પણ ગુમાવી દે તો, અતો ભ્રષ્ટ-તતો ભ્રષ્ટ થાય. હવેલી લેતા ગુજરાત ખોવા જેવા હાલ થાય. ધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટનો એવી સ્થિતિ થાય; માટે મધ્યમબુદ્ધિવાળા જીવો પોતાને જે કાંઇ સારું મળ્યું છે, તે જ પકડી રાખે અન તેમાં જ સારાપણાની બુદ્ધિ કરીને જીવે, તે તેમને માટે હિતકારી છે. આ જૈનશાસન નિર્દિષ્ટ વ્યવહાર માર્ગ છે, જે ઉપર ચઢવા માટે ક્રમિક વિકાસના સોપાનરૂપ છે. ત્યાં પણ એટલો ખ્યાલ તો જરૂર રાખવાનો કે આપણામાં જે છે તે આપણે પકડી રાખીએ, તેને ન છોડીએ, બીજામાં રહેલ જે સારું છે, તે આપણે ભલે ગ્રહણ ન કરી શકીએ પણ આપણી દૃષ્ટિએ બીજામાં જે ઉતરતું છે તેની હલકાઈ-નિંદા-બદબોઈગેઝેટીંગ-પ્રચાર તો ન જ થાય. તો જ આપણો વ્યવહાર ધર્મ વિશુદ્ધ કહેવાય અન્યથા તે વ્યવહાર ધર્મ પણ મલિન બને, જેનાથી ક્રમિક વિકાસના પગથિયા પણ ન ચઢાય. બીજામાં જે સારું છે તેનો સ્યાદ્વાદરષ્ટિથી સ્વીકાર કરવો તે દર્શનમોહનીયકર્મનો ક્ષય એટલે ક્ષાયિક સમકિતનો ઉય. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 857 ગુણાનુરાગ અને આત્મવિકાસનો માર્ગ છે અને જે ખોટું છે તેને ખોટું સમજી છોડી દેવું તે વિવેક છે. બીજાને સુધારવા કરતાં બીજા સારા બને તેવી ભાવના કરવી, એ મધ્યમ જીવો માટે વધુ સારું છે. આપણી પરિણતિ કોઈપણ સંયોગોમાં ન જ બગડે અને તે ઉત્તરોત્તર સુધરતી જાય તે જ આપણે જોવાનું છે. અન્યદર્શનોનું જે ખંડન શાસ્ત્રમાં જોવા મળે છે, તેનું એક કારણ એ પણ છે કે એની આચાર સંહિતા જૈનદર્શન જેવી સ્વચ્છ અને પારદર્શી નથી. એની આચાર સંહિતામાં તેમજ વિચાર સંહિતામાં પરસ્પર વિરોધ પણ છે. આ બધાના કારણે કરૂણાસંપન્ન પૂર્વના જ્ઞાની પુરુષોએ તે તે દર્શનોની એકાંગિતાનું ખંડન કરી બાળ જીવો તે તરફ ખેંચાઈને અહિત ન કરી બેસે તે માટે લાલબત્તી ધરી છે. વળી નમિજિનમાં નૈમિ શબ્દ દ્વારા યોગીરાજ એ પણ કહેવા માંગે છે કે નમિજિનની આરાધના આત્મામાં રહેલા અહંકારને નમાવવા માટે કરવાની છે. પ્રદર્શનનો અભ્યાસ કરતાં જો જ્ઞાનમદથી છકી જવાય, તો સાધના બાજુએ રહી જાય અને ગર્ભિત રીતે તો સંસાર જ પુષ્ટ થાય. મિથ્યાત્વ જ વૃદ્ધિ પામે, અજ્ઞાન જ વિલસે. તેમ ન થાય તે માટે નમિ શબ્દ દ્વારા નમ્ર બનવાનો સંકેત પણ આડકતરી રીતે કરી દીધો છે. આ તેમની આગવી શૈલિ છે. મૌલિક્તા છે-વિશેષતા છે. જ્ઞાનસત્તા મેળવ્યા પછી વીતરાગ સત્તામાં જ રહેવાનું છે; તો જ સર્વજ્ઞ બનાય. તે માટે માલિક નથી બનવાનું પણ સેવક બનવાનું છે. બાપ બનવું હોય તો દીકરા બનવું પડે. તેમ બાપની મિલ્કત જોઈતી હોય તો પણ દીકરો બનવું પડે. બાપની આગળ જેને નમ્ર થતાં આવડે, બાપના પંચમહાભૂત એ જેમ સંસારમાં શેયનો વિષય છે, એમ અધ્યાત્મમાં પંચાસ્તિકાય એ યનો વિષય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ હૃદય નયન નિહાળે જગધણી 858 ચિત્તને પ્રસન્ન કરતાં આવડે તે જ ખરેખર ભવિષ્યમાં બાપ થવાને લાયક છે. તે જ બાપની મિલ્કતનો અધિકારી છે. એવાને જ બાપની મિલ્કત પચે. અને તે જ સદ્ગતિગામી બની શકે. કેવલ્ય લક્ષ્મી એ સાચી લક્ષ્મી દેવી છે અને તે જ સરસ્વતી દેવી છે. તે પણ પ્રભુ પદે રહી પાદપીઠ બનવામાં જ જાતને કૃતાર્થ માને છે. पादौ पदानि तव यत्र जिनेन्द्र धत्तः। पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति। .. તીર્થકર નામ કર્મના ઉદયથી સર્વોચ્ચ ઐશ્વર્યના સ્વામી એવા તીર્થંકર પરમાત્મા આગળ દેવો અને ઈન્દ્રો પણ સેવક બનીને રહે છે, તે એ બનાવે છે કે સેવક બનવામાં જ આત્માની કૃતકૃત્યતા છે. “કોડી ગમે ઉભા દરબારે, વહાલા મારા જય મંગલ સુર બોલે રે, - ત્રણ ભુવનની ઋદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે...” આ રીતે છયે દર્શનોને પોતાના કરૂણાપુત હૃદયમાં સ્થાન આપવા દ્વારા નિમિજિનના ચરણોની ઉપાસના કરવાની વાત યોગીરાજે જણાવી. હવે બીજી ગાથામાં પતંગના ન્યાસની વિધિ બતાવે છે. જિન સુર પાદપ પાય લખાણો, સાંખ્ય-યોગ દોય ભેદ રે; આતમ સત્તા વિવરણ કરતાં, લાહો દુગ અંગ અખેદે રે.પદ્દરિસણ અર્થ : કપિલ મુનિ પ્રણીત સાંખ્ય દર્શન અને પતંજલિ ઋષિ પ્રણીત યોગ દર્શન, આ બંનેને તમે જિનેશ્વર પરમાત્મા રૂપી કલ્પવૃક્ષ તેના મૂળ રૂપે અર્થાત્ બે પગરૂપે વખાણો એટલે જાણો. કારણ કાર્યના ભાવમાં ત્રિકાલાબાધિત નિયમ છે કે; અંતિમ કાર્યનું કાર્ય ન હોય અને મૂળ કારણનું કારણ ન હોય. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 859 - આ બન્ને દર્શનો આત્માની શક્તિનું સ્પષ્ટ વિવેચન કરનાર છે તેથી તે સાંખ્ય અને યોગ બને દર્શનને ખેદ રાખ્યા વિના જ જિનમતરૂપી કલ્પવૃક્ષના બે અંગો ધારો. વિવેચનઃ વૃક્ષનો આધાર મૂળ છે. શરીરનો આધાર બે પગ છે. પગના આધારે શરીર ઊભું રહી શકે છે. મૂળના આધારે વૃક્ષ ટકી શકે છે, તેમ આ બન્ને દર્શનો આત્માની સત્તાનું જુદી જુદી રીતે વિવરણ કરે છે. તે આત્મા એ અધ્યાત્મનું મૂળ છે. - સાંખ્ય દર્શનમાં અનેક આત્માઓ માનવામાં આવ્યા છે અને પ્રત્યેક આત્માને પ્રકૃતિનું તત્ત્વ વળગેલું છે એમ માનવામાં આવ્યું છે. પ્રત્યેક શરીરે શરીરે ભિન્ન ભિન્ન આત્મા માનેલો છે. તે મત પ્રમાણે ૨૫ તત્ત્વો છે. - પ્રકૃતિ અને પુરુષ બંને ભિન્ન છે. આત્મા અકર્તા-અભોક્તા છે અને પ્રક્વતના વિકારરૂપ જગત્ છે જ્યારે પ્રકૃતિથી પુરુષને પોતાનું ભિન્નપણે સમજાઈ જાય છે, ત્યારે તે પોતાના સ્વભાવમાં રહી પ્રકૃતિથી છુટો પડી જાય છે. પોતે પુરુષ હોવા છતાં, કમલ પત્રના પાંદડાની જેમ નિર્લેપ હોવા છતાં, અકર્તા અને અભોક્તા હોવા છતાં, પ્રકૃત્તિના સાનિધ્યથી પોતાને પ્રકૃતિરૂપ માની લે છે અને પોતે પુરુષ છે એ ભૂલી જાય છે, ત્યારે ભ્રાંતિથી સંસારના સર્વકાર્યોનો કર્તા-ભોક્તા બને છે અને તેથી સંસારમાં રખડે છે પણ જ્યારે પ્રકૃતિ અને તેના ગુણધર્મોથી પોતે જુદો છે, ન્યારો છે, અક્રિય છે; એવું જ્યારે તેને સમજાઈ જાય છે, ત્યારે પ્રકૃતિથી છુટો પડી પોતાના આત્મામાં-સ્વરૂપમાં રહે છે અને તેથી પ્રકૃતિદ્વારા સર્જાતા સઘળા પ્રપંચો-માયાજાળ તેનો અંત આવે છે. અને તેથી પોતે મુક્ત બને છે. આમ સાંખ્યમત જ્ઞાનને પ્રધાનતા આપે છે અને પોતાના સ્વરૂપની જીવના સર્વ શુભાશુભ ભાવ કર્મ સાપેક્ષ છે. માત્ર જીવનો પરમ શુદ્ધભાવ જ કર્મ નિરપેક્ષ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ 860 હૃદય નયન નિહાળે જગધણી યથાર્થ ઓળખ થઈ જાય તો પછી પ્રકૃતિના પંજામાંથી છુટી શકાય છે, એમ કહે છે. આથી જ કરીને વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ સાંખ્યને બુદ્ધિશાળીઓમાં મુખ્ય તરીકે ઓળખાવે છે. સાંખ્ય દર્શનમાં આત્મતત્વને પામવા માટેની સૈદ્ધાંતિક વાતો બતાવી છે. થિયોરેટીકલ જ્ઞાન આપવામાં આવ્યું છે કે આ ઉપર કહ્યું, તે રીતે પુરુષની ઓળખ દ્વારા પ્રકૃતિથી મુક્ત થઈ શકાય છે. જ્યારે યોગદર્શન એ સાંખ્યદર્શનની જ માન્યતાઓ સ્વીકાર કરતું હોવા છતાં, તે સાંખ્યદર્શનનો પ્રાયોગિક વિભાગ છે; જેમાં સાંખ્યદર્શનના સિદ્ધાંતનું અમલીકરણ કેમ કરવું તેનો પ્રયોગ બતાવવામાં આવ્યો છે. એમાં અષ્ટાંગ યોગ સાધવાની વાત કરી છે. યમ-નિયમથી સાધનાની શરૂઆત બતાવી છે. આસન-પ્રાણાયામ-પ્રત્યાહારથી સાધનાનો વિકાસ બિતાવ્યો છે તથા ધારણા, ધ્યાન, સમાધિ દ્વારા સાધનાનો અંતિમ તબક્કો બતાવવામાં આવ્યો છે. અષ્ટાંગયોગની સાધનાને હઠયોગની સાધના કહી શકાય કારણકે તેમાં પ્રાણાયામ દ્વારા શ્વસન ક્રિયાનો વિરોધ કરવાનું બતાવ્યું છે. આસન દ્વારા કાયાની સ્થિરતા બતાવી છે. ધારણા દ્વારા ત્રાટકનું વિધાન કર્યું છે. આ રીતે શ્વસન પર નિયમન કરવા દ્વારા મન ઉપર નિયમન કરાવવાની વાત છે અને તે દ્વારા અંતે સમાધિ પામી સાધ્યને સિદ્ધ કરવાનું છે, જ્યારે રાજયોગમાં બળાત્કારે શ્વસન આદિનો નિરોધ કર્યા વિના જ્ઞાનયોગ દ્વારાઈશ્વર પ્રણિધાન દ્વારા-ભાવનાયોગ દ્વારા ચિત્તને શાંત કરી – ચિત્તને ભાવિત કરી ક્લેશાદિથી છુટવાનું વિધાન છે; જેમાં મન ઉપર નિયમન કરવા દ્વારા શ્વસન ઉપર-પવન ઉપર નિયમન કરવાનું છે. - આત્માનું શુદ્ધ સ્વરૂપ અનૈમિત્તક અને અનુપયરિત છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 861 આમ આ બન્ને દર્શનો આત્મતત્ત્વનું સમ્યગ્ વિવરણ કરતા હોવાથી તેમજ તેમની માન્યતા સ્યાદ્વાદી એવા જૈનદર્શનને મોક્ષની પ્રાપ્તિ માટે માન્ય હોવાથી – આ પાયા ઉપર જિનદર્શન ઊભું હોવાથી અને જૈનાચારનું આચરણ પણ આ સિદ્ધાંતને અનુસરીને હોવાથી શરીર જેના આધારે ઊભુ છે એવા બે પગના સ્થાને તે બન્ને દર્શનોને સ્થાન આપ્યું છે. તેથી જ એને જિન સુર એટલે કે જિનવચનના પાયારૂપ-આધારરૂપ જણાવેલ છે. અર્થાત્ સાંખ્ય દર્શન પુરુષ અને પ્રકૃતિના ભેદજ્ઞાન દ્વારા મુક્તિની વાત કરે છે. તે વાત જૈનદર્શનને અપેક્ષાએ સ્વીકાર્ય છે અર્થાત્ કોઇક જો વિશિષ્ટજ્ઞાની મહાપુરુષ કે જે અધ્યાત્મની વિશુદ્ધિને વરેલા છે, તેવાનો ભેટો થઈ જાય અને તેઓ પોતાની શુદ્ધિનો સંક્રમ સામા આત્મામાં કરે, તો આ ભેદજ્ઞાનનો પ્રયોગ શક્ય બની શકે છે અને તે દ્વારા આત્મા શીઘ્ર મુક્તિગામી બની શકે છે. જેમ કે છદ્મસ્થાવસ્થામાં રહેલ વીર પ્રભુ કે જે યોગની સાતમી પ્રભા નામની દૃષ્ટિ સુધી પહોંચેલા હતા તેમજ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકના પ્રકર્ષને પામેલા હતા; તેમના સાનિધ્યથી અતિક્રોધી એવો ચંડકૌશિક પણ ક્ષમાશીલ બની મોક્ષમાર્ગ આરાધક બન્યો હતો. તે જ રીતે પોતાને સર્વજ્ઞ માનતા ઈન્દ્રભૂતિ ગૌતમ પણ પ્રભુના દર્શને-પરિચયે સંશય ટળતાં અજ્ઞાનીમાંથી જ્ઞાની, અવિરતિમાંથી વિરતિધર બન્યા હતા તેમજ પ્રભુ મુખેથી ત્રિપદી સાંભળવા દ્વારા દ્વાદશાંગના ધારક ગણધર બન્યા હતા. આ સિવાય બીજા કેટલાય પ્રસંગો શાસ્ત્રોમાં જોવા મળે છે, જેનું વર્ણન ૧૫મા ધર્મનાથ ભગવાનના સ્તવનની ત્રીજી કડીમાં કરેલ છે, તે ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. જ્યારે યોગદર્શન જે અષ્ટાંગયોગ દ્વારા મોક્ષપ્રાપ્તિ બતાવે છે, તે સતત્ વીતરણ અને કેવળજ્ઞાની બનવા ઈચ્છે છે તે સમકિતિ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ હૃદય નયન નિહાળે જગધણી જૈનશાસનને માન્ય ક્રમિક વિકાસનો માર્ગ છે, એ રાજમાર્ગ છે, જે પુરુષાર્થ સાધ્ય છે. મોટા ભાગના આત્માઓ આ રીતે પુરુષાર્થ કરવા દ્વારા જ આગળ વધે છે. 862 જ્યારે સાંખ્યદર્શન દ્વારા બતાવેલ ભેદજ્ઞાનનો પ્રયોગ અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિ એ કૃપાસાધ્ય માર્ગ છે, જે વિહંગમ માર્ગ હોવા છતાં આપવાદિક માર્ગ છે. જો કોઇ વિશિષ્ટજ્ઞાની મહાપુરુષનો સમાગમ થાય અને તેની કૃપા થાય, તે કૃપાને જીવ ઝીલીને પરિણમાવે ત્યારે તે શક્ય બને છે. જૈનદર્શન આ બન્ને માન્યતાઓને સ્વીકારતું હોવાથી અર્થાત્ આ બન્ને રીતે મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે; એમ પ્રતિપાદન કરતું હોવાથી તે બન્ને દર્શનોને જિનેશ્વર પરમાત્માના ચરણોમાં, જે સ્થાન આપવામાં આવ્યું છે તે યથાર્થ છે. અર્થાત્ યોગીરાજ કહે છે કે હે ભવ્યાત્મન્ ! તમે કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વિના, ખેદ રાખ્યા વિના, અવઢવ રાખ્યા વિના, દુવિધા રાખ્યા વિના આ બન્ને દર્શનોને આત્મસાધનાના બે અંગરૂપ જાણો અને તેના દ્વારા અખેદે પરસત્તામાંથી નીકળી સ્વસત્તા-આત્મસત્તા તરફ વિહરણ કરો! આ બંને દર્શનોદ્વારા-તેમની માન્યતા દ્વારા પરની સાથેનું અનુસંધાન તોડી સ્વનું અનુસંધાન કરવાની અર્થાત્ શુદ્ધિકરણની ચારિત્રપ્રધાન સાધના થઈ શકે તેમ છે તેવું તમે નક્કી માનો! જ્ઞાન એ નિર્મળ જલ છે. જ્ઞાનની પૂર્ણતા થતાં સર્વ ગુણો એકી સાથે પૂર્ણપણે ખીલી ઉઠે છે. જ્ઞાનની નિર્મળતામાં લોકાલોક ઝળકે છે. આ જ્ઞાનની સ્વચ્છતા અને એકાગ્રતા કરવામાં છયે દર્શનોનો તલસ્પર્શી મધ્યસ્થતાપૂર્વકનો અભ્યાસ ઉપયોગી થઈ શકે તેમ છે, તેવું તમે નિશ્ચિતપણે જાણો ! સમકિતનું કાર્ય વિરતિ છે અને વિરતિનું કાર્ય આવેલ સમકિતની સાયવણી કરી નિષ્કષાય ભાવ લાવી આપવા એ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી આત્માની અનંતશક્તિને પ્રગટ કરવાના આ બધા માર્ગો છેઉપાયો છે તેનો તમે સ્વીકાર કરો ! દૃષ્ટિ ચોખ્ખી હોય તો માણસ ધૂળમાંથી પણ સોનુ શોધી શકે છે અને દૃષ્ટિ ચોખ્ખી ન હોય તો તળાવે જઈને પણ તરસ્યો આવે છે. આ તો બધા દૃષ્ટિ-દૃષ્ટિના ભેદ છે. અધ્યાત્મની પ્રાપ્તિ દૃષ્ટિ ચોખ્ખી કરવાથી છે. બીજાનું ખંડન કરવાથીબીજાને હલકા ચીતરવાથી અને પોતાની જાતને ઊંચી માનવાથી નથી. - સ્વસમયની જેમ જે પરસમયને પણ જાણે છે તે પરસમયને જાણવાથી સ્વસમયમાં દઢ શ્રદ્ધાવંત બને છે. પદર્શનના અભ્યાસથી જિનદર્શનની શ્રદ્ધા દઢ થાય છે. માટે ષદર્શનનો અભ્યાસ તીવ્રબુદ્ધિવાળા આત્માને કરવાનું વિધાન છે. વ્યવહારનયની દૃષ્ટિએ જૈનશાસ્ત્રો અને જિનાગમોનો અભ્યાસ કરવો એ સ્વ સમય છે અને જૈનેતર ગ્રંથોનો અભ્યાસ એ પરસમય છે. પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિએ જે ભાવો મનમાં આવે તેની સાથે એકત્ર કરીને વર્તે તે પરસમય છે અને જે જે ભાવો મનમાં આવે તેનો દૃષ્ટા બનીને રહે અથવા તો ઉપયોગને પોતાના સ્વરૂપમાં સમાવી દે તે સ્વસમય છે. આવા સ્વસમયથી મોક્ષ છે અને પર સમયથી સંસાર છે. વ્યવહારનયે જે સ્વસમય છે તેને નિશ્ચયનયથી સ્વસમયમાં પરિણમાવવાનું છે. અર્થાત્ શાસ્ત્રો ભણીને નિરંતર શુદ્ધાત્માને પકડવાનો છે અને તેમાં જ રહેવાનું છે. શુદ્ધાત્મા, શુદ્ધ ઉપયોગમાં પકડાય છે માટે જગતને જાણવા છતાં તેની અસરથી અને નામ તથા રૂપના મોહથી મુક્ત રહી નિર્લેપ રહેવાનું છે. જૈનશાસનમાં બાધક્રિયાની મુખ્યતા, બાળજીવો માટે છે. બાકીના તમામે તમામ જીવો માટે વિવેકની જ મુખ્યતા છે માટે વિવેક એ જ મોક્ષમાર્ગ છે. આત્માની સાચી અને ઊંડી સમજ અને તે પૂર્વકનું જીવન વિરતિમાં વર્તીએ ત્યારે સમકિતમાં ટકીએ અને કષાયભાવમાં આવવાના સંજોગો અને પ્રસંગોથી દૂર રહીએ. Page #30 -------------------------------------------------------------------------- ________________ 864 હૃદય નયન નિહાળે જગધણી એ મોક્ષમાર્ગ છે. ત્રણેકાળમાં અંતરંગ સાધનથી જ મોક્ષ થાય અને અંતરંગ સાધન સમ્યગદર્શનાદિ છે. તેને પ્રગટાવવાનું સાધન વિવેક છે. વિવેક એટલે જીવને આગળ વધવા માટે જેની ઉણપ દેખાય તેના ઉપર ભાર મૂકવો અને તે દ્વારા તેને આગળ વધારવો. ક્રિયાની તીવ્રરુચિવાળાને સત્સંગનું મહત્વ સમજાવાય. સત્સંગની તીવ્રરુચિવાળાને ક્રિયાનું મહત્વ સમજાવાય. બંનેની તીવ્રરુચિવાળાને ધ્યાનનું મહત્વ સમજાવાય. . જેમ જેમ ભેદજ્ઞાન તીવ્ર થતું જાય છે તેમ તેમ વિવેક બળવાન થતો જાય છે. અંદરમાં ભેદજ્ઞાન પ્રગટ્યુ હોય તો શુભભાવ સહજ આવે જ્યારે બીજાને લાવવા પડે, તે માટે પ્રયત્ન કરવો પડે. હવે ત્રીજી ગાથામાં બૌદ્ધદર્શન અને વેદાંતદર્શન એ બન્ને જિનેશ્વર પરમાત્મા રૂપી પુરુષના બે હાથ છે તે વાત જણાવે છે. ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દોય કર ભારી રે, લોકાલોક અવલંબન ભજીએ, ગુરૂંગમથી અવધારી રે.. ..૩ અર્થઃ ક્ષણે ક્ષણે વસ્તુ બદલાઈ રહી છે, તેવું માનનાર ભેદવાદીક્ષણિકવાદી સુગત એટલે કે બૌદ્ધ દર્શન છે અને આત્માને સર્વથા નિત્ય માનનાર અભેદવાદી-નિત્યવાદી એવું મિમાંસક દર્શન છે. તેમાં જેમિની ઋષિ પ્રણીત પૂર્વમિમાંસા અને વ્યાસઋષિ પ્રણીત ઉત્તર મિમાંસા છે. આ બંને જિનેશ્વર પરમાત્મારૂપી પુરુષના મડોટા એવા બે હાથ છે. લોક અને અલોકના અવલંબન રૂપે એટલે કે આધાર રૂપે રહેલા આ બે હાથ છે. આ વાત ગુરુગમથી અવધારવા યોગ્ય છે અને અવધારીને એ સ્વરૂપે ભજવા યોગ્ય છે. મિથ્યાત્વે આત્માના સત્-સમ્યમ્ સ્વરૂપને આવૃત્ત કરેલ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 865 વિવેચન ઃ બૌદ્ધમતમાં આત્માને ક્ષણિક માનેલો છે. પંચ સ્કંધમાં જે ક્ષણેક્ષણે ફેરફાર થાય છે તેને લઈને ક્ષણેક્ષણે ઉત્પન્ન થતો અને નાશ પામતો એવો વિજ્ઞાન સ્વરૂપ આત્મા માનેલો છે એટલે એક દેહમાં પણ ક્ષણેક્ષણે આત્મા બદલાઇ રહ્યો છે, તેમ દેહપણ પ્રત્યેક ક્ષણે બદલાઇ રહ્યો છે. દેહમાં સતત ચાલતી ચયાપચયની ક્રિયા એ દેહમાં બદલાવ છે અને સાધક ભાવમાં થતી ફેરફારી એ ભાવબદલાવ છે. જગતના તમામ પદાર્થો પ્રતિક્ષણ પરિવર્તન પામી રહ્યા છે. જિનેશ્વર ભગવાનના શાસનમાં પણ પર્યાયાર્થિકનયે દરેક વસ્તુના પર્યાયોને પ્રતિક્ષણ બદલાતા માન્યા છે. પર્યાય એટલે જ પલટણ, જે વિદેશ અને સદશ પ્રકારની હોય છે. મોક્ષના માર્ગમાં–અધ્યાત્મના માર્ગમાં વિદેશ પર્યાયને સદેશ બનાવવાની છે. શુદ્ધ પર્યાય એ પ્રિયતમા છે. શુદ્ધ દ્રવ્ય એ પ્રિયતમ છે. બન્નેનું અભેદ મિલન કરવાનું છે. સંસારદશા એ આત્માની વિભાવદશા છે, તેથી કર્મને આશ્રિત પુદ્ગલથી પ્રાપ્ત થતા દેહમાં ક્ષણેક્ષણે અવસ્થા બદલાયા જ કરે છે અને પુદ્ગલ દ્રવ્ય તો સ્વભાવથી વિનાશી છે માટે તેના પર્યાયો પણ સતત બદલાયા કરે છે. આમ પર્યાયાર્થિક નયથી વિચારતાં બૌદ્ધદર્શનની વાત સાચી છે માટે તે જિનેશ્વર પરમાત્માના અંગરૂપ છે, એમ કહી શકાય છે. આનાથી વિપરીત મિમાંસકો સર્વમાં એક જ આત્મા માને છે. તેઓ શ્રુતિ અનુસારે કહે છે કે – एक एव भूतात्मा भूते भूते व्यवस्थितः । પુછ્યા વહુધા દૈવ, દૃશ્યને ખતચંદ્રવત્।। જેમ ચંદ્રમા એક જ હોવા છતાં દરેક સરોવરમાં ભિન્નભિન્ન દેખાય છે તેમ આત્મા એક હોવા છતાં પણ પ્રત્યેક શરીરે ભિન્નભન્ન દેખાય છે. અવિરતિએ આત્માના પૂર્ણ સ્વરૂપને આવૃત્ત કરેલ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ 866 હૃદય નયન નિહાળે જગધણી તેઓના મતે આત્મા એક જ છે. પ્રાણીમાત્રમાં રહેલો છે, સર્વગત છે, નિત્ય છે અને સત્વ-રજ અને તમો ગુણ તેને બાધિત કરી શકતા નથી. હવે જૈનદર્શનના મતે, સંગ્રહનય સાપેક્ષ દૃષ્ટિએ દરેક આત્માની સત્તા સ્વરૂપથી એક સરખી હોવાથી એક જ છે. અને આત્માને નિશ્ચયનયના મતે બંધ નથી તેથી આ દર્શન પણ જિનના અંગરૂપે ઘટી શકે છે. એક બૌદ્ધમત ભેદની વાત કરે છે તો બીજો મિમાંસક મત કે જે વૈદિક છે તે અભેદની વાત કરે છે. આમ બન્ને મત એકબીજાથી વિરુદ્ધ વાત કરતા આર્યાવર્તના આગળ પડતા દર્શનો છે, જેને યોગીરાજે જિનેશ્વર પરમાત્માના બાહુમાં એટલે કે કરમાં-હાથમાં સ્થાન આપીને ભારી એટલે બળિયા લેખાવી એ ઉભય મતને સાધનાપંથે સાધકનું બાહુબળ ગણાવ્યું છે. અનિત્યતાની વાત કરનાર સુગત મત નિર્વેદનું નિદર્શન કરે છે તો નિત્યતાની વાત કરનાર મિમાંસક મત સંવેગનું નિદર્શન કરે છે. સુગત પર્યાયષ્ટિની સાધનાથી વિકાસની વાત કરતા દુઃખમુક્ત થવાનું જણાવે છે. તે કહે છે કે જીવમાત્રને આ વિનાશી પદાર્થોમાં નિત્યતાનો ભ્રમ થઇ ગયો છે એટલે એમાં રાગી બની સંસારમાં રખડે છે. જે ક્ષણેક્ષણે બદલાઈ રહ્યું છે, બગડી રહ્યું છે, સડી રહ્યું છે, પડી રહ્યું છે, નાશ પામી રહ્યું છે; એમાં નિત્યતાની બુદ્ધિ કરવાથી તારા આ હાલ થયા છે. તારે વારંવાર જન્મ-મરણ કરવા પડે છે માટે દુઃખ મુક્ત થવા વિનાશીનો રાગ છોડ અને વિરાગી બન! અનિત્યથી છુટવા અને દુઃખમુક્ત થવા વૈરાગ્યપ્રધાન સાધનાની વાત કરે છે જે સાધનાનો નેગેટીવ એપ્રોચ છે તેના દ્વારા આત્મામાં જે ચોંટેલું છે તેને ઉખેડવાનું છે અને જે ભરાયુ છે તેને ખાલી કરવાનું છે. કષાયે આત્માનાં પ્રશાંત સ્વરૂપને આવૃત્ત કરેલ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી છે. 867 " જે ક્ષણિક છે તે તું નથી અને તે તારું નથી એમ માની તેનો રાગ છોડ, વિરાગી બને અને તેમાંથી મહાવિરાગી-ત્યાગી બનીને વીતરાગી બન! આ દેશનાને વ્યવહારનય પ્રધાન દેશના પણ કહેવાય. કારણકે વ્યવહાર નય જે આપણું નથી અને આપણું થવાનું નથી તેને છોડાવવા પર ભાર મૂકે છે. વ્યવહારનય ત્યાગ પ્રધાન છે. આનાથી તદ્દન વિરુદ્ધની વાત મિમાંસક કરે છે. વેદાંત દર્શન નિત્યવાદના પાયા પર ઊભું છે. જૈન શાસનના દ્રવ્યાર્થિકનયે આત્મા નિત્ય છે. સંગ્રહનય ઉપભ્રંહિત દ્રવ્યાર્થિકનય કે નિશ્ચયનયના મતે આત્મા એક છે, નિત્ય છે, ત્રિગુણાતીત છે અને કર્મરજથી અલિપ્ત છે. - બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એ વેદાંતનું સૂત્ર છે. તે કહે છે કે આ જગત જે દેખાય છે, તે બધી માયા છે, સ્વપ્ન છે. સ્વપ્નદશામાં સ્વપ્નમાં જોયેલું સારું લાગે છે પરંતુ જાગૃત અવસ્થામાં તે મિથ્યા સમજાય છે. તેમ આત્મા જ્યારે કેવલ્યજ્ઞાન પામે છે ચોથી ઉજ્જાગરદશામાં આવે છે ત્યારે તેને સમજાય છે કે હું જેને સાચું માની વ્યવહાર કરતો હતો તે તો ખરેખર નકલી જ હતું. આના દૃષ્ટાંતમાં તેઓ કહે છે કે અંધકારમાં જેમ ભ્રાંતિથી દોરડામાં સર્પનો અહેસાસ થાય છે અને તેથી તેની નજીક જતાં ગભરાય છે. પરંતુ જ્ઞાનપ્રકાશથી તેમજ સૂર્યના પ્રકાશથી વિશેષ ધર્મોનો બોધ થતાં તેને જ્યારે નિર્ણય થાય છે કે આ તો દોરડું જ છે, સર્પ નથી ત્યારે તેનો ભ્રમ નીકળી જાય છે. ભય દૂર થાય છે અને સહેલાયથી તે દોરડામાં પ્રવૃત્તિ કરે છે. તેમ આ સંસાર અને તેના સંબંધો જ્યાં સુધી આત્માનું અજ્ઞાન છે ત્યાં સુધી ભ્રાંતિથી સાચા જણાય છે પણ તે અજ્ઞાન ટળી જતાં યોગથી આત્માનું અરૂપીપણું આવરાયેલ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ 868 હૃદય નયન નિહાળે જગધણી સમ્યજ્ઞાન અને પૂર્ણજ્ઞાન થતાં મિથ્યા છે એવો નિર્ણય થાય છે. પછી તેને મિથ્યા માનીને માત્ર વ્યવહાર જ થાય છે. વેદાંતના આ વાદને વિવર્તવાદ-માયાવાદ-ભ્રમણા કહેવાય છે. આ મતથી સંસારને મિથ્યા સમજી આત્માનું લક્ષ્ય કરી આત્મા જ પરમાત્મા છે, એવું દઢ કરી આત્મકેન્દ્રિત બની આત્માને પામવાની પોઝિટીવ સાધના કરવાની છે, જે જ્ઞાનપ્રધાન નિશ્ચયનયની સાધના છે, જેમાં આપણે જે પરમાત્મ તત્ત્વ દબાયેલું છે તેના ઉપર ઉપયોગનું ફોકસ કરી તેને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' એ સૂત્ર સાધનાના સંદર્ભમાં પરમ શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ કહેવાયું છે. પરમ પારણિામિક ભાવ એ જ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. તે સિવાય જે કાંઈ છે, તે જીવનું શુદ્ધ સ્વરૂપ નથી અને તેથી જીવના શુદ્ધસ્વરૂપ સિવાયનું બધું જ મિથ્યા છે, તે અપેક્ષાએ ચાર ગતિ વગેરે જે કાંઈ પ્રગટ દેખાય છે; એ તમામ મિથ્યા છે. આ ત્યાગ, વ્રત, દીક્ષા, ભણવું-ભણાવવું વગેરે પણ મિથ્યા છે, માયા છે કારણકે તે જીવનું અસલ સ્વરૂપ નથી. જો આપણું કશું નથી તો મમત્વ શા માટે કરવું? મોક્ષનું પહેલું કારણ આ છે કે બધું માયાવી અર્થાત્ આત્માથી ભિન્ન લાગવું જોઈએ અને તે હૃદયથી લાગવું જોઈએ. આ અપેક્ષાએ શુદ્ધનિશ્ચય નય સિવાયના તમામ નયો પણ માયાના જ વિષય બને છે. સાધના માર્ગનો નિષ્કર્ષ એ છે કે પરમ પરિણામિકભાવનું લક્ષ્ય રાખજે! જે કાંઈ અનુભવ આવે તેને છોડતા જવાનું છે. આ સમજણ આવવી જ પ્રભુનો અનુગ્રહ છે, આ જ બોધિબીજ છે. પર પદાર્થમાં તો મમત્વ ન જ કરવું પણ આપણી પોતાની શુદ્ધ કે અશુદ્ધ કોઈ પણ પર્યાયમાં પણ હું પણું ન કરવું. આમ થાય તો શરીરનું સુખ જે છોડે છે, તે મોહભાવોનો નાશ કરી શકે છે. માટે જ સર્વવિરતિઘર્મ, પંચ મહાવ્રત, સંયમને રાજમાર્ગ જણાવેલ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 869 અંતર્મુહૂર્તમાં. મોક્ષ છે. બીજા શબ્દોમાં કહીએ તો મન-વચન-કાયાનું જે કોઈ પણ પ્રવર્તન થાય છે, તેમાં હું પણું ન કરવું. સાધનાનું ફળ વૈરાગ્ય છે, ઉદાસીનતા છે, શુભભાવો નથી. જ્યાં પર્યાયમાં એકત્વ હોય છે ત્યાં ભાવાવેશ હોય છે. શુભભાવો આવવા જોઈએ, વધવા જોઈએ પણ તેમાં એકત્વ-મમત્વ ન હોવું જોઈએ. સાધક ધ્યાન-સાધના કરે છે પણ ધ્યાનમાં થતા અનુભવોને છોડી શકતો નથી, તેનું કારણ અનાદિની સુખ લાલસા છે. જ્યાં સુધી સુખની અલ્પ પણ ઈચ્છા હોય છે ત્યાં સુધી સાધનામાં આવતાં શાંતિ, આનંદ વગેરેમાં અટકી જવાય છે. પરમ દીનતાનો અભાવ એટલે પરમ પરિણામિકભાવ સ્વરૂપે પોતાને ભૂલી જવો તે. પદાર્થનો યથાર્થ નિર્ણય હશે તો જ પર્યાયમાંથી ભોક્તાપણું છૂટશે. પદાર્થના યથાર્થ નિર્ણય પહેલા ધ્યાનમાં પ્રવેશ ન કરી શકાય અને પ્રવેશ કરવામાં આવે તો તે ધ્યાન તરંગ સ્વરૂપ બની જાય. પહેલા તો સંસાર એકાંત દુઃખરૂપ લાગવો જોઈએ, સંવેગ આવવો જોઈએ. એ પહેલા તો શુભભાવોને જ. ઘૂંટવાના છે અને ઘૂંટાવવાના છે. માત્ર તેને મારા માનવાના નથી, એ જાગૃતિ કેળવવાની છે. ધ્યાન ઉપર જોર નથી આપવાનું પણ સમજણ અને વિવેક ઉપર જોર આપવાનું છે. ચાહે સમ્યકત્વની પર્યાય હો કે મિથ્યાત્વની પર્યાય હો, “હું પરમપરિણામિકભાવ સ્વરૂપ શુદ્ધ આત્મા છું!” એ લક્ષ્ય ક્યારે પણ છૂટવું જોઈએ નહિ. અધ્યાત્મમાં આ જ મોટી સિદ્ધિ છે. સુગત-બૌદ્ધ, અનિત્યને અનિત્ય જાણી તેનાથી છોડવાની અને છુટવાની વાત કરે છે તે માટે ત્યાગ અને વૈરાગ્યની નિષેધાત્મક વ્યવહાર નય પ્રધાન સાધના બતાવે છે જ્યારે મિમાંસક, જે ધ્રુવ છે અજ્ઞાનપણે પુણ્યના ઉદય વખતે સ્વરૂપ અભાન બનીને, જે સુખ ભોગવ્યું, તેની સજા દુઃખ છે. આરંભ-સમારંભ-પણ્યિ-ભોગમાં પાપબંધ થાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ 870 870 કિ . હૃદય નયન નિહાળે જગધણી નિત્ય છે-સ્વ છે-દેશકાલથી અતીત છે તેને ઉપયોગમાં ઉપયોગથી પકડવાની, વિધેયાત્મક જ્ઞાનપ્રધાન નિશ્ચયનયની સાધના બતાવે છે અને તે દ્વારા આત્માને આત્મામાં જ કરવાનું-શમવાનું જણાવે છે. જૈન દર્શન આ બંને માન્યતાઓનો સમન્વય કરે છે કે બ્રહ્મ સત્ય છે એ વાત, આત્માનું લક્ષ્ય કરી આત્માને પામવા માટેની સંવેગની તીવ્રતા છે, જે મોક્ષના અભિલાષ રૂપ છે. આત્માને આત્માની લગની ન લાગે તો આત્મા મળે કેમ ? જ્યારે જગત મિથ્યા એ સૂત્ર જગતનો અભાવ બતાવવા માટે નથી પણ જગત પ્રત્યે વૈરાગ્ય પેદા કરી ભવ નિર્વેદની તીવ્રતા જગાડવા માટે છે. ખરેખર જે આપણું નથી, જે સાંયોગિક છે, તેના ઉપરથી મન ઉઠે નહિ, તેનાથી છુટવાને માટે આત્મા ઝંખે નહિ, તેનો ત્રાસ ન અનુભવે, તો પછી તેનાથી છુટાય કેમ? સાધના એટલે અનિત્યથી છુટવા માટેનું અને નિત્યને પ્રાપ્ત કરવા માટેનું યુદ્ધ, જે બાહુબળથી – ભૂજાબળથી લડાતું હોય છે, માટે આ બંને દર્શનોને યોગીરાજે બાહુના સ્થાને મૂક્યા છે; તે યથાર્થ છે. આપણે જ્યારે ચાલતા હોઈએ છીએ ત્યારે આપણો એક હાથ આગળ ચાલે ત્યારે બીજો હાથ પાછળ જતો હોય છે. યોગીરાજ સંકેત કરે છે કે આગળ જતા હાથ દ્વારા શુદ્ધાત્માને પકડવો અને પાછળ જતા હાથ દ્વારા જે અનિત્ય છે તેને છોડતા જવું. યોગીરાજ કહે છે કે આ બંને દર્શનો ભલે એકાંત પકડીને બેઠા હોય પણ તું તો સ્યાદ્વાદી છું. દરેકમાંથી જે સારું છે તે કેમ ગ્રહણ કરવું ? એજ તારું ધ્યેય છે, તો તું જે અનિત્ય છે – ભેદરૂપ છે તેનાથી પર થા-મુક્ત થા અને જે ધ્રુવ છે, સ્વ છે, અવિનાશી છે તેની સાથે જોડાઈને-તેનાથી અભેદ પામી જા - તેમાં સમાઈ જા. * . જેવું અને જાણવું ભેગું થાય છે ત્યારે જ્ઞાન પૂર્ણ બને છે. એવું પૂર્ણ જ્ઞાન તેમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 871 - યોગીરાજ જણાવે છે કે આ વસ્તુ તારે ગુરુગમથી સમજવાની છે અને લોકાલોક એટલે કે આકાશના અવલંબને પ્રાપ્ત કરવાની છે કે જે ચૌદરાજલોકમય આકાશ કે જેમાં સર્વદ્રવ્યો અને તેના પર્યાયો રહેલા છે; તે લોક સ્વરૂપ આકાશ અને તેની ફરતે ચારે બાજુએ રહેલ અસીમઅસીમ-અનંત-અનંત અલોક સ્વરૂપ આકાશના સ્વરૂપને તું ગુરુગમ દ્વારા યથાર્થ જાણી લે અને પછી તેની બરાબર શ્રદ્ધા કરીશ તો તને તારો આત્મા પરમાત્મા સ્વરૂપે મેળવતા વાર નહિ લાગે. આકાશમાં અને તારા શુદ્ધસ્વરૂપી પરમાત્મામાં ઘણી સામ્યતા રહેલી છે. આકાશને બરાબર ઓળખતાં પરમાત્મા ઓળખાઈ જાય છે માટે આત્માને ચિદાકાશ પણ કહેલ છે. આત્મા એ ચૈતન્યમય આકાશ છે જ્યારે જે બધાને અવગાહના આપે છે તે અવકાશ એટલે કે આકાશ એ આકાશાસ્તિકાય છે. ' કોઈપણ વસ્તુને ઓળખવી જ્યારે કઠિન પડે ત્યારે બીજી પ્રસિદ્ધ વસ્તુની ઉપમા દ્વારા ઓળખાવતા, તે સહેલાયથી ઓળખાઈ જાય છે. આત્માની બાબતમાં પણ એવું જ છે. જ્યાં સુધી કોઈ પ્રસિદ્ધ દૃષ્ટાંત દ્વારા આત્માને ન ઓળખવામાં આવે ત્યાં સુધી આત્મા કેવો હશે? શું કરતો હશે? ક્યાં રહેતો હશે? વગેરે લાખો વિકલ્પોની જાળ પથરાઈ શકે છે પણ જ્યારે કોઈ દૃષ્ટાંત દ્વારા તેની ઓળખ અપાય છે ત્યારે ઘણા વિકલ્પો શાંત થઈ જાય છે. આ આકાશ લોકાલોક વ્યાપી છે, અસીમ છે, અમૂર્ત છે, અવિનાશી છે, જડ વીતરાગ છે. સરળ છે, સતત છે, સહજ છે, અવ્યાબાધ છે, અગુરુલઘુ છે, અખંડ છે, અભંગ છે, એ આકાશનું ગુણ કાર્ય જડ ચેતન દ્રવ્યોને અવગાહના આપવાનું છે. કોઈપણ જાતના ભેદભાવ વિના સતત કળા અને શક્તિમાં હરિફાઈ હોય શકે છે જ્યારે ગુણમાં અનુમોદના હોય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ 872 , હૃદય નયન નિહાળે જગધણી એટલે એક સેકંડ માટે પણ વિરામ લીધા વિના, સરળ એટલે કોઇપણ જાતના ભેદભાવ વિના અને સહજ-અપ્રયાસ એટલે કોઈપણ જાતના અલ્પ પણ પ્રયાસ વિના જે આકાશનું અવગાહના આપવાનું કાર્ય છે, તે અનાદિકાળથી ચાલુ જ છે અને અનંતકાળ સુધી ચાલુ જ રહેવાનું છે. | (લોકાલોક અવલંબન ભજીએ) - આવા લોકાલોક સ્વરૂપ આકાશનું અવલંબન લઈને એટલે કે આધાર લઈને એટલે કે એનો આદર્શ લઈને તું પણ સ્વયં એવો વ્યાપક, વિશાળ, અનંત, અક્ષય, અખંડ, અભંગ, અવિનાશી, અવ્યાબાધ, અગુરુલઘુ, અરૂપી, ચૈતન્ય વીતરાગ બની તારી જ્ઞાયકતા અને વેદકતાને તારી પર્યાયમાં પ્રગટ કર અને તારા જ્ઞાન અને આનંદવેદનમાં સતત, સરળ અને સહજ થઈ જા ! આમ ગુરુગમ એટલે કે સંત સમાગમ કરી તેનો આશ્રય કરી, તેને સર્વેસર્વા માની, હૃદયમાં સ્થાપન કરી; છદ્રવ્ય, નવતત્વાદિનું સ્વરૂપ બરાબર સમજ-અવધારણ કર અને પછી તેના અવલંબને ભજના એટલે સાધના કર ! તારા આત્માને બરાબર સમજાવ-ઠસાવ કે આ જે તું બહારથી દેખાઈ રહ્યો છે, તેવો તું નથી. પ્રત્યેક સમયે જે પર્યાયમાં અનુભવાઈ રહ્યો છે તેટલો પણ તું નથી. હું તો એ પર્યાયની ઓથે છુપાયેલો ચિદાનંદ ભગવાન છે. તારો જ્ઞાન પ્રકાશ લોકાલોકવ્યાપી હોવાના કારણે તને ચિદાદિત્ય કહેલ છે. તારું જ્ઞાન અત્યંત નિર્મળ અને સ્વચ્છ હોવાના કારણે તને ચિદાદર્સ કહ્યો છે. તું જ્ઞાનથી વ્યાપક હોવાના કારણે તને ચિદાકાશ તરીકે ઓળખાવ્યો છે અને તારા અસંખ્ય પ્રદેશો પૈકી એક એક પ્રદેશે અનંત કળા અને શક્તિમાં અહમનું પોષણ છે જ્યારે ગુણમાં તો અહમૂનો નાશ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 873 અનંત આનંદ છલકાતો હોવાના કારણે તને ચિદાનંદ તરીકે નવાજેલ છે. - તારી આ અનંત અનંત ગુણમય અને આનંદમય સંપત્તિને ઓળખીને તું તારા સ્વરૂપમાં સમાઈ જા! અને તારા સ્વરૂપને પ્રગટ કર ! તારી જાત-તારું પોત અરૂપીનું છે. તારું કુળ પરમાત્માના ઘરનું છે પણ વર્તમાનમાં ભાત રૂપીની છે. તો હવે ભાતને કાઢી નાંખ અને તારી જાતને જાતવાન બનાવ! જે પર્યાય સતત સ્વરૂપ તરફ ઢળેલી રહે છે તે પર્યાયમાં જ અંતે વીતરાગતાની પ્રસિદ્ધિ થાય છે માટે અધ્યાત્મના માર્ગમાં ઉપયોગમાંપર્યાયમાં સતત જ્ઞાયક-જ્ઞાયક અને જ્ઞાયક જ પકડાયેલો રહેવો જોઈએ. એ વાત ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. - જ્ઞાનમાં સ્વ અને પર બન્ને પ્રતિભાસે તો છે-ઝળકે તો છે પણ તે સમયે વર્તમાન જ્ઞાનપર્યાય કોને વિષય બનાવે છે? કોને મહત્વ આપે છે? તેના ઉપર પરિસ્થિતિ વળાંક લે છે. ઉપયોગ અંદરમાં વળીને સ્વને એટલે કે જ્ઞાયકને વિષય બનાવે તો તે જ સમયે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થતાં જીવ મોક્ષમાર્ગમાં આવી જાય છે કારણકે સંવરનિર્જરાની ધારા શરૂ થઈ જાય છે. હવે જો જીવ તે વખતે સ્વને છોડીને પરને એટલે કે દેહ-ઈન્દ્રિય-સ્વજન-ધન વગેરેને વિષય બનાવે તો તે જ સમયે તે બંધમાર્ગમાં ચાલ્યો જાય છે. સ્વતરફ ઢળેલી પર્યાયમાં રાગને સ્થાન રહેતું નથી કારણકે સ્વમાં રાગ છે જ નહિ. સ્વમાં જ્ઞાયક જ છે. આથી પર્યાય જેમ જેમ સ્વ તરફ ઢળતી જાય છે તેમ તેમ ભેદજ્ઞાન વધતું જાય છે અને આ ભેદજ્ઞાન તે જ અધ્યાત્મમાં બીજ કહેવાય છે. બીજ ઊગી છે તે ચંદ્રનો કોઈનું ય બુર ન ઈચ્છવું, કોઈનું ય બુર ન કરવું એ માનવતા છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ 874 હૃદય નયન નિહાળે જગધણી કટકો છે, એ કાંઈ ઠીકરું નથી તેમ ભેદજ્ઞાન થયું તે તો જ્ઞાન-સ્વભાવની દશા છે, તે કાંઈ વિકલ્પનો કટકો નથી. તે તો કેવલજ્ઞાનરૂપી પૂર્ણિમાના ચંદ્રની શરૂઆતની દશારૂપ બીજ છે. સ્વભાવમાંથી-સ્વભાવના આશ્રયે બીજ ઊગી છે તે અલ્પકાળમાં કેવળજ્ઞાનને સાધશે જ. બીજના ચાંદમાંથી પૂર્ણિમાનો ચાંદ ઊગવાનો છે. .. યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજા પ્રસ્તુત કડી દ્વારા સાધકને આવી જ્ઞાનધારા પ્રગટાવવાનો અનુરોધ કરે છે. કારણકે આવી જ્ઞાનધારા અપૂર્વ છે, આનંદદાયક છે અને સાધકને મોહની સામે ઝઝુમવાનું તેમજ જીતવાનું બળ પૂરું પાડે છે. વિકલ્પની ધારાથી તે તદ્દન જુદીજ છે. વિકલ્પમાં શુદ્ધાત્મા નથી અને શુદ્ધાત્મામાં વિકલ્પ નથી. . લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે, તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે.. ..૪ અર્થ : જૈનદર્શન સિવાયના જે પાંચ દર્શન છે, એમાંના ચાર જે આસ્તિક દર્શનો છે, કે જે આત્મા અને આત્માની મુક્તિની વાતો કરે છે; એના સ્થાન ઉપર મુજબ બે પગ અને બે હાથમાં જોયા. હવે પાંચમો જે લોકાયતિક મત જે ચાર્વાકમત તરીકે પ્રસિદ્ધ છે, કે જે નાસ્તિક મત છે અને આત્મતત્ત્વને તેમજ મોક્ષને માનતો નથી, એને પણ એક દર્શન તરીકે ગણાવીને એને જિનમત-જિનદર્શનરૂપી કાલ્પનિક પુરુષના ચિત્રમાં કુક્ષિની જગ્યાએ સ્થાન આપે છે. તત્ત્વની વિચારણારૂપ અમૃતરસની ધારા, સ્વપર સમયના જાણકાર એવા ગુરુ વિના કેમ પી શકાય ? માટે જ ગુરુના ચરણકમળની ઉપાસના કરવા યોગ્ય છે. વિવેચનઃ આ મત ચાર અથવા પાંચ મહાભૂતો ૧) પૃથ્વી પોતાના સાધન અને શક્તિનો સદુપયોગ કરી બીજાંઓનું ભલું કરવું તે સજ્જનતા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 875 ૨) પાણી ૩) અગ્નિ ૪) વાયુ અને ૫) આકાશ છે તેને જ માને છે અને આ દેખાતું સમગ્ર જગત એ પંચભૂતનો વિકાર છે એમ કહે છે. - પેટ-કુખ, એ તળિયા વગરની કોઠી છે. એમાં ગમે તેટલું નાંખો તો પણ પાછુ ખાલીને ખાલી. અથવા તો પેટનો-જઠરનો જઠરાગ્નિ એવો તો ભસ્માસુર રાક્ષસ છે કે એને ગમે એટલી આહુતિઓ આપવામાં આવે તો તે બધીય સ્વાહા-ભસ્મીભૂત થઈ જાય છે. એ આગ એવી છે કે જે કદીય ઠરતી નથી, બુઝાતી નથી. આયુર્વેદમાં અનેક રોગોમાંનો એક રોગ ભસ્મક છે કે જેમાં તે ગમે તેટલું ખાય તો પણ પાછો તે ભૂખ્યોને ભૂખ્યો, તેના જેવું આ પેટ છે. કુરગડુ મુનિને આવો ભસ્મક રોગ હતો. જ્ઞાની કહે છે કે અનંતા મેરૂના ઢગલા થાય તેટલું આ જીવે આજ સુધી ખાધું છે છતાં પણ ધરાયો નથી. આવું જે માનવીનું પેટ છે તે અભાવ સૂચક છે. અર્થાત્ નાસ્તિ સૂચક છે અને ચાર્વાકમત એ નાસ્તિકવાદ હોવાથી એને પેટમાં-કુખમાં સ્થાન આપ્યું હોય એવી સંભાવના થઈ શકે છે. યોગીરાજ પોતે યોગસિદ્ધ મહાપુરુષ હતા તેથી તેમના જ્ઞાનમાં કેવા યોગના ચમકારા ચમકે છે તે વિચારી શકાય છે. યોગ ચમત્કાર એ કોઈની મોનોપોલી નથી. જે કોઈપણ સાધના દ્વારા શુદ્ધિને વરે તે એ પામી શકે છે. વળી આ નાસ્તિક મત પંચમહાભૂતને માને છે. પેટમાં જે કાંઈ ભોજન પધરાવવામાં આવે છે, તે પંચમહાભૂતમાંથી બનેલું હોય છે અને પંચમહાભૂત વડે બનાવાયેલું હોય છે અને પેટમાં ગયા બાદ તે પંચમહાભૂત રૂપે જ પરિણમે છે. દેહનિર્માણ, દેહવિસર્જન અને વચ્ચે દેહની વૃદ્ધિ-દેહની પુષ્ટિ બોધિનીજ એ પચ્યાત્મ તત્ત્વનું બીજ છે અને સમાધિ તેની સાધના છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ 876 હૃદય નયન નિહાળે જગધણી અને દેહની તુષ્ટિમાં પંચમહાભૂતનો જ ફાળો છે. આપણે ભોજનમાં જે ધાન્ય-વનસ્પતિ વગેરેનો ઉપયોગ કરીએ છીએ તે ધાન્ય-વનસ્પતિ આકાશની પાસેથી અવગાહના એટલે જગ્યા લે છે. મેઘરાજા પાસેથી જલતત્ત્વ લે છે. સૂર્યમાંથી અગ્નિ તત્ત્વ લે છે વાતાવરણમાંથી વાયુ તત્ત્વ લે છે અને પછી ધાન્યસ્વરૂપે, ફળફળાદિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ જે ધાન્ય-ફળફળાદિમાંથી જે ખાદ્ય વ્યંજન-વાનગી, જેના વડે બનાવાય છે તે પણ પાછા પંચભૂતમાંથી જ બનેલા હોય છે. પૃથ્વી તત્ત્વ ધાતુરૂપે પિત્તળ વિગેરેના વાસણમાં, જલ અને તેલના માધ્યમે, અગ્નિ-ચૂલા ઉપર, વાયુની મદદથી, અગ્નિને પ્રજ્વલિત કરવા દ્વારા ભજનમાં જે વચ્ચેનો ખાલી ભાગ કે જે આકાશ છે તેમાં પકાવાય છે અને ભોજન સ્વરૂપે તૈયાર થાય છે. તે ખોરાક રૂપે લેવાયેલ ભોજન પાછુ પંચ ભૂતરૂપે જ પરિણમે છે. શરીરમાં રસ અને રક્ત રૂપે પરિણમે છે તે જલતત્ત્વ છે. અસ્થિરૂપે પરિણમે છે તે પૃથ્વી તત્ત્વ છે, ઉષ્મા-ઉર્જારૂપે પરિણમે છે તેમજ આંખમાં તેજરૂપે-પેટમાં જઠરાગ્નિરૂપે પરિણમે છે તે અગ્નિતત્ત્વ છે. ઉર્ધ્વવાયુ-અધોવાયુ, સમાનવાયુ, વ્યાનવાયુ આદિરૂપે પરિણમે છે, તે વાયુતત્ત્વ છે અને આ પરિણમનને માટે અવકાશ-ખાલી જગ્યા-આકાશ જોઇએ છે તે પણ શરીરમાં હોય છે જ. પૃથ્વી તત્ત્વ જ જઠરમાં જલરૂપે પરિણમીને પછી તે જલ હૃદયમાં અગ્નિરૂપ બની આગળ તે વિશુદ્ધ ચક્રમાં વાયુ રૂપ થઇ શબ્દ બને છે અને પછી આજ્ઞાચક્ર અને બ્રહ્મરંધ્રમાં આકાશરૂપે વ્યાપક થાય છે. મૂળમાં શરીર પંચ મહાભૂતમાંથી બનેલુ હોય છે. જીવ અન્ય સ્થાનમાંથી મૃત્યુ પામી માતાની યોનિરૂપ ઉત્પત્તિ સ્થાનમાં આવે છે ત્યાં પિતાના શુક્રાણુ-વીર્ય અને માતાનું શોણિત બે ભેગું મળેલું હોય છે, તેને પોતાના સર્વ સુખ સુગવડનો ત્યાગ કરી બીજાં જીવોને સુખી કરવા, પોતાને કોઈ દુઃખ પહોંચાડે તો તે પણ સહન કરવું, તે સાધુતા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 877 આહારરૂપે ગ્રહણ કરી તેમાંથી શરીરનું નિર્માણ કરે છે; જે પંચભૂત સ્વરૂપ તત્ત્વોને ગ્રહણ કરીને વધે છે, ટકે છે અને જ્યારે એમાંથી આત્મા નીકળી જતાં આત્માથી વિખૂટું પડી જાય છે ત્યારે એને પાછુ પંચમહાભૂતને હવાલે કરાય છે. અગ્નિ સંસ્કાર કરવા દ્વારા અગ્નિને, કબ્રસ્તાનમાં જઇ કબરમાં દાટવા દ્વારા પૃથ્વીને, ગંગા વગેરે પવિત્ર નદીઓમાં જલશરણ કરવા દ્વારા જલને, જંગલમાં ત્યજી દેવા દ્વારા કે પારસી સંસ્કાર મુજબ દોખમામાં રાખવા દ્વારા વાયુ તત્ત્વને સોંપાય છે; જેમાં બધામાં આકાશ તો સર્વવ્યાપી હોવાના કારણે તેનો તો સમાવેશ થઈ જ જાય છે. પંચભૂત એ પોકળ તત્ત્વ છે. તેમાં પોલાણ છે, વિનાશી છે, તેની રચનાઓ પરિવર્તનશીલ છે. ખાલીપો છે, નક્કરતા નથી જ્યારે આત્મા એ પૂર્ણ, અખંડ, અવિનાશી અને નક્કર ઘન તત્ત્વ છે. જ્ઞાન અને આનંદથી ઘન બનેલ છે. તેની આ ઘનતામાં અન્ય તત્ત્વને પ્રવેશવાનો અવકાશ નથી. અજ્ઞાનને કારણે જીવને આત્મા નથી ઓળખાતો એટલે પંચભૂતમાં પોતાનાપણું કરે છે. જીભ ઉપર ગમે તેટલી મીઠાશ-સેક્રિન રાખશો પણ જો અંતરમાં વિવેક નહિ જાગે તો મોક્ષ નહિ મળે. સંયોગકાલે સંયોગોનો સમભાવે નિકાલ અને તે સિવાયના કાલમાં આત્મામાં-સ્વરૂપમાં રમણતા એ વિવેક છે. ચાર્વાકમતને પેટ ના સ્થાને મૂકી પેટ જેમ ખાલી છે, પોકળ છે તેમ ચાર્વાક મત પોકળ છે; એમ યોગીરાજ સિદ્ધ કરવા માંગે છે. આમ દેહનિર્માણથી માંડીને દેહવિલય સુધી પંચમહાભૂતનો ચક્રાવો જ છે. જે ઉત્પત્તિ સ્થાને અર્થાત્ યોનિમાં આવેલ જીવના આહારગ્રહણથી માંડીને આત્માથી વિખૂટો પડી જતાં વિસર્જન દ્વારા સમાપ્ત થાય છે. આમ ચાર્વાકના મતે બધું અભાવ સ્વરૂપ એટલે કે નાસ્તિ સ્વરૂપ જ છે. શક્તિ અને કળાનો સદુપયોગ-દુરુપયોગ ઉભય શક્ય છે. જ્યારે ગુણનો તો માત્ર સદુપયોગ જ હોય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ 878 હૃદય નયન નિહાળે જગધણી અર્થાત્ પંચભૂતનો બનેલ દેહ છે, ઇન્દ્રિયો છે પણ તેમાં રહેનારો નથી માટે બધું ખાલી જ ખાલી છે અને પેટ-કુક્ષી પણ તેવી જ ખાલી અને ખાલી જ છે માટે યોગીરાજે તેને પેટમાં સ્થાન આપેલું હોય એમ વિચારતાં તાળો મળી આવે છે. તર્કથી સંગત થાય છે. પંચભૂતનો બનેલ દેહ હોય પણ તેમાં રહેનાર જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા નહિ. હોય તો તે દેહને કે પંચભૂતાત્મક સમગ્ર જગતને ખ્યાતિ કોણ આપશે ? પ્રસિદ્ધિ કોણ આપશે? પ્રકાશિત કોણ કરશે? જેમ પેટમાં નાખવા છતાં એ પાછું ખાલીને ખાલી થઇ જતું હોવાથી તે ન નાંખ્યા બરાબર જ ગણાય છે તેમ પંચમહાભૂત સ્વરૂપ દેહને માનવા છતાં ચાર્વાક આત્માને ન માનતો હોવાથી તે પંચમહાભૂતને ન માનવા બરાબર જ છે. વિશ્વની સર્વ દોડધામમાં પંચભૂત જ છે. આત્મા સિવાય બધુ પંચભૂત જ છે. ખ્યાતને માને તેણે ખ્યાતાને માનવો જ પડે. પંચમહાભૂતને ખ્યાતિ આત્મા આપે છે માટે પંચમહાભૂત માનનારે આત્માને માનવો જ પડે. આપણે પણ જન્મથી મૃત્યુ પર્યંત પંચમહાભૂતના બનેલા દેહને સાચવવામાં, શણગારવામાં, વધારવામાં, પોષવામાં ભાનભૂલા બનીને અનંત જ્ઞાનાનંદમય એવા આપણા આત્માની ઉપેક્ષા કરી રહ્યા છે એટલે કે આપણું જીવન બાહ્યથી ધન, ધાન્ય, ફ્લેટ, ફર્નિચર, ગાડી, વાડી, લાડીથી સજાયેલું અને લદાયેલું હોવા છતાં તત્ત્વથી તે ખાલી, ખાલી અને ખાલી જ છે. આ અંદરનો ખાલીપો બહુ ખરાબ છે. એટલે બહારથી આપણે ધર્મક્રિયાઓ કરવા દ્વારા ધાર્મિકતાનો અંચળો ઓઢીને ફરીએ છીએ પણ અંદરથી ખાલી હોવાના કારણે તેમજ બહારથી ભરાતા અને ફુલાતા હોવાના કારણે આપણે છુપા નાસ્તિક છીએ. ચાર્વાક પ્રગટ નાસ્તિક છે. જન્મથી મૃત્યુ પર્યંત માનવી અજ્ઞાન, ચિંતા, પંયપરમેષ્ઠિનું ધ્યાન ઘરતાં ઘરતાં જીવ, પોતે સ્વયં નિસ્પૃહવૃત્તિને પામે, તે વધારે મહત્વની વસ્તુ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 879 ભય, સંશયાદિના સાગરમાં ગોથા જ ખાતો હોય છે. એક તત્ત્વ ચિંતકે માનવીના જીવન વિષે ફળાદેશ કરતાં લખ્યુ છે કે, “Life is empty and meaningless.'' જે ક્ષણે માનવી વિવેક ચૂકે છે, આત્માને ભૂલે છે અથવા તો દુનિયામાં મોટા દેખાવા, સારા કહેવડાવવા, પોતાની નામના, કીર્તિ, ખ્યાતિ અને પ્રતિષ્ઠાના પાટિયા મારવા દાનાદિ કાર્યો કરે છે અથવા તો તે માટે થઈને લોકોની પાસે પૈસાની ભીખ માંગે છે ત્યારે બહારથી તે સારો દેખાતો હોવા છતાં અંદરથી તે ખાલી થઇ ગયો હોય છે. પોતે તત્ત્વથી પરમાત્મા છે અને પરમાત્મા થવા માનવ ભવમાં આવ્યો છે; એ વાત તે ભૂલી ગયો હોય છે. પછીથી તે સારું દેખાતુ કાર્ય વ્યક્તિગત હોય, સામાજીક સ્તરે હોય, ધાર્મિક સ્તરે હોય, સંઘના લેવલે હોય કે દેશના સ્તરે હોય તો પણ તે ખાલી-ખાલી ને ખાલી જ છે કારણકે તેમાં પંચમહાભૂતનો ચકરાવો જ છે. તેમાં આત્માનું નામ નિશાન નથી. ફાળલબ્ધિનો પરિપાક ન થાય અને ભવિતવ્યતા સાનુકૂળ ન થાય ત્યાં સુધી જીવમાત્રની આ સ્થિતિ છે. બહારથી ભરાયેલો હોવા છતાં અંદરથી ખાલી-ખાલી ને ખાલી. અધ્યાત્મમાં આત્માનું અજ્ઞાન અર્થાત્ વિપરીત જ્ઞાન મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાનું છે; તે વાત એક ક્ષણ માટે પણ ભૂલવા જેવી નથી. જો આત્મા નહિ સમજાય તો બાકી પંચમહાભૂતનો ચકરાવો જ છે. જીવનું સંસારમાં મોલિક સ્થાન અનાદિ સૂક્ષ્મ નિગોદ છે, જેને શાસ્ત્રમાં અવ્યવહાર રાશિ કહેવાય છે. ત્યાં તો જીવને કશો જ ખ્યાલ હોતો નથી તેમજ ત્યાંથી બહાર નીકળી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય શાસ્ત્રમાં આપણા ભાવોનું આલેખન છે. જ્યારે ભાવો તો વાસ્તવિક આપણા પોતામાં જ છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ 880 2 હૃદય નયન નિહાળે જગધણી સુધીના અનંતભવો કરતાં અને અસંખ્ય પુદ્ગલ પરાવર્ત કે અનંત પુદ્ગલ પરાવર્ત પરિભ્રમણ કરતાં તેની દષ્ટિ દેહ ઉપર જ હોય છે એટલે મૂળમાં તો જીવની માન્યતા નાસ્તિકતાની જ છે. કાળક્રમે ચરમાવર્તમાં આવી, હળુકર્મી બની, આસ્તિકતાને પામીને સદાચાર, સમ્યકત્વ, પંચાચાર, દેશવિરતિ, સર્વવિરતિ, વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા, સર્વાનંદીતા, સિદ્ધતાને પામે છે; એ અપેક્ષાએ પણ ચાર્વાકમતને પેટમાં સ્થાન આપ્યું હોય તેમ લાગે છે. ચાર્વાકમતને પેટમાં સ્થાન આપવા દ્વારા બિંદુમાંથી સિંધુ થવાનો, નિકૃષ્ટતામાંથી ઉત્કૃષ્ટતા તરફ જવાનો, નાસ્તિમાંથી અસ્તિ તરફ જવાનો નિગોદથી નિર્વાણ સુધીના વિકાસનો યોગીરાજે અંગુલિનિર્દેશ કર્યો હોય તેવું જણાય છે. વળી નાસ્તિકમત એ વિશ્વનું અહિત કરનાર છે. એનાથી જીવ બેફામ પાપો કરી દુર્ગતિમાં જાય છે. આત્માની ત્રિકાળ સત્તા, જો ન માનવામાં આવે, તો જીવ તો ઠીક પણ આખું વિશ્વ દુરાચારી, અનાચારી બની નરકાદિમાં જાય. આખી વિશ્વવ્યવસ્થા તૂટી જાય. સદ્ગતિનો માર્ગ લુપ્ત થઈ જાય. માટે આવા નાસ્તિકમતને જાહેરમાં લાવવાનો હોતો નથી. તેને ભંડારી દેવાનો હોય છે. એને ગર્ભમાં જ ગર્ભિત કરી દેવાનો હોય છે અને ગુપ્તવાતોનું સ્થાન તો પેટ જ છે માટે તેને પેટમાં સ્થાન આપ્યું હોય, તે સંભવિત છે. ખૂદ ચાર્વાકમતનો પ્રણેતા પોતે જ નાસ્તિક હતો. તેની બેન અત્યંત રૂપ સંપન્ન હોવાના કારણે તેણે તેની સાથે લગ્ન કરવા હતાં. પોતાની બેનને વાત કરી તો તે કહે છે ના મારે લગ્ન તમારી સાથે નથી કરવા. મારે નરકાદિમાં જવું પડે. ત્યારે કહે છે કે આ નરક વગેરે હંબક છે, કશું છે નહિ; એમ કહીને પોતાની બેનને કહે છે કે જો હું આ રસ્તા શેય પદાર્થોને જોવા જાણવા જવું, એનું જ નામ વિકલ્પ. | વિકલ્પ વિનાશી છે. નિર્વિકલ્પકતા અવિનાશી છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 881 આગળ વરુનું ચિત્ર દોરૂં છું. સવારમાં પાણી ભરવા વાળી બાઈઓ આ ધૂળમાં ચિતરાયેલા વરુના પગલા વગેરે જોઇને તેમાં સાચા વરુની કલ્પના ફરી ત્યાંથી જ પાછી જતી રહેશે, પાણી ભરવા નહિ જાય અને સવારે તેવું જ બન્યું. બેનને વિશ્વાસ બેઠો અને તેણે પોતાના ભાઈની સાથે લગ્ન કર્યા. નાસ્તિકમત જીવને દુરાચારી બનાવવા સમર્થ છે માટે તેને ભંડારી દેવા પેટમાં સ્થાન આપ્યું હોય તે બનવાજોગ છે. (અંશ વિચારીજો કીજે રે) - અંશ જ વિકસિત થઈ પૂર્ણતામાં પરિણમે છે. વિચાર કરતા જણાશે કે મિથ્યાત્વ જ સમ્યકત્વમાં, સમ્યકત્વ દેશવિરતમાં, દેશિવરતિ સર્વવિરતિમાં, સર્વવરિત અપ્રમત્તતામાં, અપ્રમત્તતા ક્ષકશ્રેણીમાં, ક્ષપકશ્રેણી વીતરાગતામાં, વીતરાગતા સર્વજ્ઞતામાં, સર્વજ્ઞતા અયોગીતામાં અને અયોગીતા સિદ્ધત્વમાં પરિણમે છે. તેમ નાસ્તિકતાઅવળી સમજ જ આસ્તિકૃતામાં, સવળી સમજમાં પરિણમે છે, માટે અધ્યાત્મમાં સવળી સમજ ઉપર ખૂબજ ભાર મૂકવામાં આવ્યો છે. જો ગમે તેટલો ઊંચો ધર્મ બહારથી કરવામાં આવે પણ જો સમજ ફરી નહિ, તો જીવ મોક્ષના પંથે ચઢી શકતો નથી. અવિરતિના પાપ ઉપર ભાર આપી જીવને વિરતિધર બનાવવાનો જેટલો ઉપદેશ આપીએ છીએ તેટલો ઉપદેશ જીવની અવળી શ્રદ્ધા ફેરવીને સવળી સમજ પેદા કરવાનો અપાતો નથી તેમજ તે માટે પર્યાયમાં થતા ભાવોમાંથી હું પણું કાઢવાનો અપાતો નથી માટે બહારથી વિરતીધર બનવા છતાં પણ તત્ત્વથી તો તે દ્રવ્યલિંગી જ રહે છે અને તેથી જીવનના અંતસુધી હું સાધુ જ છું, સર્વવિરતિધર છું એ જ ખ્યાલમાં રહે છે. હજુ હું ગ્રંથિભેદજનિત સમ્યકત્વપણ પામ્યો નથી, મોક્ષમાર્ગના વિકાસક્રમના ચૌદ સોપાનમાં માત્ર પહેલે પગથિયે જ છું; તેવો ખ્યાલ પણ તે આત્મા ચૂકી જાય છે એટલે ગ્રંથિભેદજનિત સમ્યકત્વને પામવા જ્ઞાન-ધ્યાન-એકાંત-મૌન પંયપરમેષ્ઠિનું સ્વરૂપ, એ દરેક જીવનું સ્વ (સ્વ)રૂપ છે. એટલે કે એ સ્વગુણ પર્યાય છે. જ્યારે પંય પરમેષ્ઠિ વ્યક્તિ એ સજાતિય પર દ્રવ્ય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ 882 હૃદય નયન નિહાળે જગધણી અસંગયોગની સાધના કરવાને બદલે બીજા જીવોને પમાડવામાં જ જીવનો મોટાભાગનો સમય ચાલ્યો જાય છે, આ એક અજ્ઞાનનો જ વિલાસ છે; એ જીવને ખ્યાલમાં આવવું જોઈએ. એનો અર્થ એવો નથી કરવાનો કે વર્તમાનમાં ચાલી રહેલો ત્યાગમાર્ગ-દીક્ષામાર્ગ ખોટો છે પરંતુ દીક્ષા લીધા પછી જે લક્ષ્ય સુસ્પષ્ટ થવું જોઇએ અને તેને કારણે પ્રોપર ચેનલ, જે પકડાવી જોઇએ તે નથી પકડાતી. એટલા માટે તો યોગીરાજને કહેવું પડ્યું કે, ‘“માખન થા સો વિરલા પાયા, છાશે જગ ભરમાયા.' આત્મજ્ઞાની ગુરુ સિવાય જગતના બીજા ગુરુઓ દ્વારા આ ખ્યાલ આવવો ખૂબ મુશ્કેલ છે માટે યોગીરાજ ગુરુગમ અર્થાત્ સંતસમાગમ ઉપર ભાર મૂકી રહ્યા છે. (તત્ત્વ વિચાર સુધારસ ધારા ગુરુગમ વિણ કિમ પિજે રે) - તે માટે તત્ત્વની વિચારણા કરાવનાર, અમૃતરસનું નિરંતર પાન કરાવનાર ગુરુગમ એટલે આત્મજ્ઞાની, દિવ્યજ્ઞાની સત્પુરુષ-સંતપુરુષનો સમાગમ થાય અને જીવ તે અમૃતરસનું પાન હોંશેહોંશે કરે, આદર-બહુમાનપૂર્વક કરે તો તે તત્ત્વ સુધારસ પાન શક્ય બને છે. અન્યથા પોતાની મતિકલ્પનાથી ગમે તેટલો ધર્મ કરે, કાંઈ વળે તેમ નથી. મહાનાસ્તિક એવા પ્રદેશીરાજાને અમૃતરસનું પાન કરાવનાર કેશી ગણધર મળી ગયા અને તેની વાણીનું હોંશેહોંશે પાન કર્યું, તો મહામિથ્યાદષ્ટિમાંથી મહાસમ્યગ્દષ્ટિ બન્યા, દેશવિરતિધર બન્યા અને પોતાની પ્રાણપ્યારી પત્નીએ પણ બેવફા બની છઠ્ઠના પારણે ભોજનમાં ઝેર આપ્યું, તો પણ ભાવ ન બગાડ્યા, સમાધિ ટકાવી, પહેલા વૈમાનિક દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી ચ્યવી મનુષ્યમાં આવી આત્મકલ્યાંણ કરી મોક્ષે કષાયભાવ હોવાથી ગમે એટલો પુણ્યનો ઉદય હોવા છતાં આત્માનું સ્વરૂપ પ્રશાંત નહિ પણ અશાંત છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી સિધાવશે. જૈન-જૈનેતરમાં સર્વત્ર સત્સંગનો મહિમા ખૂબજ છે. પરીક્ષિત રાજાને પણ તત્ત્વસુધારસ પાન કરાવનાર મુનિ શુકદેવ મળ્યાં હતાં. એક ઘડી, આધી ઘડી, આધીમેં ભી આધ, તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ. 883 એક ફારસી કહેવત છે કે સંતપુરુષની સાથે કરાયેલ થોડા ટાઈમની સોબત એ ખુદા સાથે કરાયેલ હજારો વર્ષની બંદગી કરતાં પણ શ્રેષ્ઠ છે. રોહિણિયા ચોરનું દૃષ્ટાંત અત્રે વિચારી જવા જેવું છે. જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે.. ષટ્..૫ અર્થ : જુદા જુદા દર્શનોને જિનેશ્વર પરમાત્મા રૂપી પુરુષના જુદા જુદા અંગમાં સ્થાન આપ્યા પછી, હવે જૈન દર્શન એ વીતરાગ-સર્વજ્ઞતીર્થંકર પરમાત્મા દ્વારા પ્રરૂપિત હોવાથી તેને મસ્તિષ્કમાં સ્થાન આપે છે કે જે વર એટલે કે શ્રેષ્ઠ-ઉત્તમઅંગ છે, એવા ઉત્તમઅંગ મસ્તિષ્કમાં સર્વદર્શનના શિરતાજરૂપે-મુગટરૂપે સ્થાન આપ્યું છે. જિનેશ્વર પરમાત્માએ આપેલ ત્રિપદી અને તેમાંથી ગણધરોએ રચેલ દ્વાદશાંગી કે જે સર્વાક્ષર સંનિપાતી હોવાના કારણે જેમાં સર્વ અક્ષરનો ન્યાસ થયેલો છે, તેને જે આત્મા, ‘ધરા આરાધક’ એટલે મૂળથી સારી રીતે ધારીને આરાધે છે અર્થાત્ પોતાની તિકલ્પનાને તેમાં સ્થાન ન આપતા ગુરુગમથી આરાધે છે, તે સર્વ અક્ષર ન્યાસ આરાધક કહેવાય છે અને તે (આરાધે ધરી સંગે રે) - સાંગોપાંગપણે જિનદર્શનને આરાધી શકે છે અર્થાત્ બહુ થોડા સમયમાં મુક્તિ પામે છે. આપણી મિથ્યાદષ્ટિ અને આપણું અજ્ઞાન જ આપણું બગાડે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ 884 હૃદય નયન નિહાળે જગધણી વિવેચનઃ આપણા શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયોમાં ૧) બે હાથ ૨) બે પગ ૩) પેટ ૪) ગુદા ૫) ઉપસ્થ એટલે જનનેન્દ્રિય છે જ્યારે જ્ઞાનેન્દ્રિયમાં ૧) સ્પર્શેન્દ્રિય ૨) રસનેન્દ્રિય ૩) ઘ્રાણેન્દ્રિય ૪) ચક્ષુરીન્દ્રિય અને ૫) શ્રોત્રેન્દ્રિય છે. કર્મેન્દ્રિય દ્વારા કર્મ થાય છે-ક્રિયા થા છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે. આ બન્ને પ્રકારની ઈન્દ્રિયોનું સંચાલક મન છે અને તે મનનું સ્થાન પણ શ્રેષ્ઠ એવા ઉત્તમાંગ મસ્તિષ્કમાં છે. મસ્તિષ્કને ઉત્તમાંગ કહેલ છે. કારણકે પાંચે યા જ્ઞાનેન્દ્રિયનું અને મનનું સ્થાન મસ્તિષ્ક છે. વળી મસ્તિષ્કથી જ જીવનું જીવન છે. અન્ય અંગનું છેદન થતાં કે પછી કાર્યશક્તિ ગુમાવી દેવા છતાં જીવી શકાય છે. પરંતુ મસ્તિષ્ક એની કાર્યશક્તિ ગુમાવી બેસે કે એનું છેદન થતાં જીવનની સમાપ્તિ થઈ જાય છે. તેથી જ નમન-વંદનક્રિયામાં મસ્તિષ્કનું નમન સર્વસ્વ સમર્પિતતાના ભાવનું સૂચક છે. આ ઈન્દ્રિય પ્રદાનમાં કુદરતની કરામત એ છે કે બધી ઈન્દ્રિયો બે છે અને કાર્ય એક છે જ્યારે જનનેન્દ્રિય અને જીહુવા-રસનેન્દ્રિય એક છે અને તેના કાર્ય બે છે. અને પાછી તે હાડકા વિનાની છે. આ બે ઉપર કાબુ મેળવાય તો બાકીની બધી ઈન્દ્રિયો કાબુમાં આવી શકે છે. જૈનદર્શન એ વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત હોવાથી તે પૂર્ણનું આપેલું છે માટે પૂર્ણ છે. પૂર્ણમાંથી હંમેશા પૂર્ણ જ નીકળે-અને સતત નીકળે. વાદળા વિનાના સૂર્યમાંથી પૂર્ણપ્રકાશ જ નીકળે અને ત્રણેકાળ નીકળે. વળી પૂર્ણમાં અપૂર્ણ સમાઈ જાય પણ અપૂર્ણમાં પૂર્ણ ન સમાય. જેમ ૧૦૦ની રકમમાં ૯૯ સમાઈ જાય પણ ૯૯માં ૧૦૦ ન સમાય. સાગરમાં નદી સમાઈ જાય પણ નદીમાં સાગર ન સમાય. વળી નદીની ઉત્પત્તિનું મૂળ પણ સાગર છે. સંજ્ઞીપણા વિના, ભવ્યતા વિના, ચારિત્ર્ય વિના, જીવને મોક્ષ મળતો નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 885 જૈનદર્શન પાસે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા આપેલ છ દ્રવ્યો, પંચાસ્તિકાય, નવ તત્ત્વ, ૧૪ રાજલોક, ૧૪ ગુણસ્થાનક, ૧૮ પાપસ્થાનક, નય-પ્રમાણ-નિક્ષેપ, સપ્તભંગી, સ્યાદ્વાદ, અનેકાન્ત વગેરેનું જ્ઞાન હોવાથી નયવિવક્ષા દ્વારા એ વ્યક્તિ અને સમષ્ટિનું યથાર્થ વિશ્લેષણ કરવા માટે સક્ષમ છે. ગમે તેવા નહિ ઉકેલાયેલા પ્રશ્નો-સમસ્યાઓકોયડાઓ પણ સ્યાદ્વાદષ્ટિ અને નયવિવક્ષાથી ઉકેલી શકાય છે. દુનિયામાં સમસ્યા હોય અને તેનુ સમાધાન ન હોય, એવું બને નહિ. રોગ હોય અને ઔષધ ન હોય, એવું બને નહિ માત્ર તેનું જ્ઞાન-આવડત આપણને ન હોય અને તેને કારણે મૂંઝવણ રહે એવું બને. આ દર્શન જિનેશ્વર પરમાત્માએ આપેલું હોવાથી તે જૈનદર્શન કહેવાય છે. બાકી વાસ્તવિકતાએ તો તે સંપૂર્ણ આત્મવિજ્ઞાન-સ્વરૂપ વિજ્ઞાન જ છે; જેને કોઇ ધર્મ, જાતિ, પંથ, સંપ્રદાય કે દેશ સાથે લાગતું વળગતું નથી અને તેથી જ તે ‘વીતરાગ વિજ્ઞાન’ છે. એ ‘વીતરાગ વિજ્ઞાન' છે એની સાબિતિ એ છે કે એ દર્શનને કોઈ વ્યક્તિવિશેષના દર્શન તરીકે ઓળખાવાયેલ નથી. એ દર્શને સિદ્ધ થવાની પ્રક્રિયામાં ‘અન્યલિંગે સિદ્ધ’નો પણ એક ભેદ મૂકીને જણાવ્યું છે કે અન્યદર્શનના વિકલ્પથી-સાધનાથી પણ વીતરાગ-સર્વજ્ઞ બની સિદ્ધપદ પ્રાપ્ત કરી શકાય છે અને તે માટે કપિલ કેવલી અને વલ્કરચીરીના દૃષ્ટાંતો પણ આપ્યા છે. એટલું જ નહિ પરંતુ પોતાના ધર્મપ્રણેતા તીર્થંકર દેવોને પણ એમના પૂર્વભવમાં નરકગામી બતાવવા દ્વારા વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે. વળી વિધિ-નિષેધ પૂર્વકનો કષ-છેદ-તાપની કસોટીમાં ઉત્તીર્ણ થાય એવો નક્કર મોક્ષમાર્ગ પણ બતાવ્યો છે. પ્રતિક્રમણ, પચ્ચખાણ અને આલોચનની શુદ્ધિની પ્રક્રિયા એ જૈનદર્શનની આગવી દેણ છે. દેહાધ્યાસ એ દ્રવ્યાધ્યાસ છે. દિશા એ ક્ષેત્રાધ્યાસ છે. સમય એ કાળાધ્યાસ છે. આ ત્રણે અધ્યાસ છે, તે સંસારી જીવના મોહભાવો છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ 886 986 , હૃદય નયન નિહાળે જગધણી , * ખૂદ નવકારમંત્રના પહેલા પાંચ પદોમાં જેને પરમેષ્ઠિ માનીને નમસ્કાર કરાયેલ છે તે પાંચે ય નામો વ્યક્તિવાચક નથી પણ ગુણવાચક છે. અરિહંતાદિ પાંચ એ કોઈ વ્યક્તિવિશેષ નથી પણ સર્વોત્કૃષ્ટ ગુણસંપદાને વરેલ પદ વિશેષ છે અને તે શાશ્વત છે માટે નવકારમંત્ર પણ શાશ્વત છે. નમસ્કાર મંત્ર એ વિશ્વમંત્ર છે, એ એકલા જૈનોનો મંત્ર નથી. આઈન્ચમાં ત્રણેકાળ અને ત્રણેલોકને સમાવી દીધા છે. એક નમસ્કારમાં ત્રણેકાળ અને ત્રણેલોકમાં રહેલ સર્વવિભૂતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. જગતની કોઈ પણ વિભૂતિ નમસ્કારની બહાર નથી માટે નવકારનો આરાધક જીવરાશિથી નિરપેક્ષ ન રહી શકે. નવકારમાં ભાવ જગતની એકતા છે, તેના કારણે પંચપરમેષ્ઠિને કરાતો નમસ્કાર તેના આરાધકમાં જીવમાત્ર પ્રત્યે કરૂણાને વહાવે છે માટે નવકારનો આરાધક કરૂણા વિનાનો ન હોય. ધર્મની ક્રિયા એ ધાર્મિકતા નથી પણ જીવમાત્ર પ્રત્યે પ્રેમ એ ધાર્મિકતા છે. પ્રેમની અભિવ્યક્તિ એ ધર્મ છે અને તે જ વીતરાગતા છે. Test of religion is not religiousness but love. જીવમાત્ર પ્રત્યે પ્રેમ છે, તેથી અભયદાન છે. આ દર્શન ગુણરુચિ, ગુણબહુમાન, ગુણપક્ષપાત, ગુણાનુરાગ, ગુણવિકાસથી ધર્મ માને છે અને વિકાસની ઉત્તરોત્તર ભૂમિકાને ગુણસ્થાનક તરીકે ઓળખાવે છે. જેનદર્શનમાં આ માટે ચૌદ ગુણસ્થાનક બતાવવામાં આવ્યા છે. આ દર્શન દોષ, દોષરુચિ, દોષ પક્ષપાતથી અધર્મ માને છે અને દોષ તરીકે અઢાર પાપસ્થાનકને ઓળખાવે છે. કોઈપણ વ્યક્તિ પોતાને મળેલ વૈભવ, સત્તા, સંપત્તિ, શક્તિ, રૂપ, બળ વગેરેથી સદાને માટે મહાન બની શકતી નથી પણ ગુણોના વિકાસ દ્વારા ગુણસ્થાનકથી જ મહાન બની શકે છે. - ભ્રમ, ભ્રાન્તિ, અવ્યાસ એટલે, જે વસ્તુ જેવી ન હોય તેવી તેને માનવી અને જેવી હોય એવી, એને ન માનવી. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 887 વિજ્ઞાન એટલે ત્રણેકાળમાં સર્વક્ષેત્રે બધાને એક સરખી રીતે લાગુ પડે તે. અને આવું વિજ્ઞાન તે વીતરાગ વિજ્ઞાન છે. માટે કોરા શાસ્ત્રજ્ઞાનથી આ દર્શન મોક્ષ માનતું નથી પણ આત્મજ્ઞાન અને એનાથી આગળ વધીને વીતરાગદશા-વીતરાગ વિજ્ઞાનથી મોક્ષ બતાવે છે. એટલે આ દર્શનને માત્ર જૈનકુળમાં જન્મેલ અને જૈન નામ ધરાવનાર જ આરાધી શકે છે એમ નથી પણ કોઇપણ જાતિકુળમાં જન્મેલ વીતરાગ થવાની ભાવનાવાળો આરાધી શકે છે. એટલે જ શાસ્ત્રોમાં ચંડાળ કુળમાં જન્મેલ હરિકેશી મુનિ તેમજ મેતારજ મુનિનો પણ મોક્ષ બતાવ્યો છે. વીતરાગતાને પામવાની તીવ્ર ઝંખના અને પ્રચંડ તાલાવેલી જાગે છે અને તે માટે ઘનઘોર સાધના આરંભાય છે ત્યારે બહારના સંયોગો અકિંચિત્કર બની જાય છે. વીતરાગ પરમાત્મા માત્ર જૈનકુળમાં જન્મેલાના જ નથી પણ જે વીતરાગ થવા માટે ઝંખતા હોય તે બધાના છે. જેમ ભારતમાં જન્મેલ ડોક્ટર માત્ર ભારતીયોનો જ ન કહેવાય, માત્ર ભારતીયની જ સેવા કરે એમ નહિ પણ સમસ્ત વિશ્વની દરેકે દરેક વ્યક્તિનો કહેવાય. પ્લેનમાં ભારતીય ડોકટર બેઠેલો હોય અને રશિયન વ્યક્તિ બિમાર પડે તો તે તેની પણ સેવા કરે. તે એમ ન કહી શકે કે હું તો જે ભારતીય હોય તેની જ સેવા કરું બીજાની નહિ. એમ કહે તો તો એનું ડોકટરપણું લાજે. જો એક ડોકટર જેવી વ્યક્તિ પણ કોઈની મર્યાદિત ન હોય પણ સમસ્ત વિશ્વની હોય તો પછી વીતરાગ પરમાત્મા જેવા લોકોત્તમ પુરુષ અમુકના જ હોય અને અમુકના નહિ એમ કેમ કહેવાય ? આ દર્શન ધર્મ-અધર્મ, સત્-અસત્, અવિનાશી-વિનાશી, નિત્યઅનિત્ય, એક-અનેક, ભેદ-અભેદ, દ્વૈત-અદ્વૈત, દ્વન્દ્વ-નિર્દેન્દ્ર, રૂપીઅરૂપી, નિરાવરણ-સાવરણ, અમૂર્ત-મૂર્ત, દ્રવ્ય-ભાવ, નય-પ્રમાણ, સુખને સુખ કહ્યાં પછી, જો તે દુઃખરૂપ બને તો તે સુખ ભ્રમરૂપ છે. જેને ‘સ્વ' કહો તે ‘પર’ થાય તો તે ‘સ્વ’ ભ્રમ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ 888 હૃદય નયન નિહાળે જગધણી જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ-અપવાદ, બંને છેડાથી પરિસ્થિતિની અને વસ્તુતત્ત્વની યથાર્થ પરિપૂર્ણ સમજણ આપીને જગતને અંધકારમાંથી પ્રકાશનો, અજ્ઞાનમાંથી જ્ઞાનનો, ભોગમાંથી યોગનો, રાગમાંથી વીતરાગતાનો, અખંડ અને સળંગ મોક્ષમાર્ગ બતાવે છે. વળી કોઇપણ વાતમાં એકાન્ત આગ્રહી ન થતાં અનેકાન્ત સાપેક્ષ વસ્તુતત્ત્વના સ્વરૂપનું નિરુપણ કરે છે. જે સર્વને ગ્રાહ્ય બને તેમ છે અને તેથી જ અન્યદર્શનની એક એક નય સાપેક્ષ 'વિચારણાને પોતાના સ્યાદ્વાદ દર્શનમાં સમાવી લે છે. અરે! આત્માને નહિ માનનાર નાસ્તિક ગણાતા ચાર્વાક દર્શનને પણ સમાવી લે છે. ચાર્વાક દર્શન પોતે આત્મા વગેરેને ન માનતું હોવા છતાં યોગીરાજ તેને જિનેશ્વર પરમાત્મા રૂપી પુરુષના એક અંગ ‘પેટ’માં સ્થાન આપે છે તેનું એક કારણ એવું પણ વિચારી શકાય કે ચાર્વાક અનાર્યદેશમાં તો જનમ્યો નથી આર્યદેશમાં જનમ્યો છે. એટલે આત્માનો વિધિ મુખે ભલે સ્વીકાર નથી કરતો પણ નિષેધ મુખે તો સ્વીકાર કરે છે. આત્માના અભાવના પ્રતિયોગી રૂપે તો આત્માનો સ્વીકાર કરે છે. આ રીતે તેને આત્મા શબ્દ તો યાદ જ છે માત્ર તેનું સ્વરૂપ જેવું છે તેવું તેને નથી બેસતું પણ આત્માને કોઇપણ રીતે સ્વીકાર કરે છે માટે તેને ક્યારેક આત્મા સમજાવાની શક્યતા રહે. જો ચાર્વાક અનાર્યદેશમાં જ જનમ્યો હોત અને આત્મા, મોક્ષ જેવા શબ્દો પણ ન સાંભળવા મળ્યા હોત તો ભાવિમાં પણ તેના ઉત્થાનની સંભાવના ન રહેત. કારણકે પશુને પણ જે માનવ બનાવે તે આર્યદેશ છે અને માણસને પણ હેવાન બનાવે તે અનાર્યદેશ છે. આમ ચાર્વાકમાં પણ યોગીરાજ ભવિષ્યમાં આત્માને સમજવાની સંભાવના જોઇ રહ્યા છે. અને આ સંભાવના તદ્દન પાયા વિનાની છે એવું પણ નથી. સંસારી જીવના કર્તા-ભોક્તા ભાવ એ જ કાળ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 889 મહાનાસ્તિક એવા સિકંદરને માથે એરિસ્ટોટલ જેવા ગુરુ હતા. વિશ્વવિજેતા બનવાના કોડ સાથે એક પછી એક દેશને જીતતા માત્ર ૩૨ વર્ષની ઉંમરે અચાનક તેનું મૃત્યુ આવ્યું ત્યારે સિંકદર પણ મૃત્યુથી ધ્રુજી ઉઠ્યો હતો અને તેને પરલોકમાં જનાર કોઈક તત્ત્વ છે એમ સમજાયું હતું. સઘળી નદીઓને સાગર જેમ પોતાનામાં સમાવી લે છે, તેમ જૈનદર્શન સ્યાદ્વાદદર્શન હોવાના કારણે બધા જ એકાંગી દર્શનોને પોતાનામાં સમાવી લે છે અને તેથી ઉપરોક્ત સઘળા કારણોને અનુલક્ષીને જ યોગીરાજે જૈનદર્શનને મસ્તિષ્કના સ્થાને મૂક્યું છે, તે અત્યંત યોગ્ય જ જણાય છે. કોઈપણ માધ્યસ્થ, વિચારવંત વ્યક્તિ આનંદઘનજીની આ વિચારધારા સામે માથું નહિ ઊંચકી શકે. આ રીતે જૈનદર્શન એ સર્વનયગ્રાહી અનેકાંતિક દર્શન હોવાથી સર્વોપરિ છે અને તેથી સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થવા યોગ્ય છે; તેનો ઈન્કાર કોઇ પણ સુન્ન વ્યક્તિ કરી શકશે નહિ. અનેકાંત એ વૈભવ છે જ્યારે એકાન્ત એ મહાસત્તા છે. સ્વભાવ દશા છે. સાપેક્ષવાદ, અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ એ જૈનદર્શનની વિશાળતા, સર્વગ્રાહિતા, સર્વાંગિતા, વીતરાગતા અને મૌલિકતાને ઉદ્યોત કરનાર છે. વળી જૈનદર્શન બહિરંગ એટલે વ્યવહાર દૃષ્ટિથી અને અંતરંગ એટલે નિશ્ર્ચયદષ્ટિથી પણ ઉત્તમ છે. ઊંચામાં ઊંચી કોટિના ભાવો કેવી રીતે પેદા થાય? તેના માટેના આચારો કેવા હોવા જોઇએ? તે ભાવો પેદા કરવા પ્રણિધાનાદિ પાંચ આશયો વગેરેનું વર્ણન પણ ખૂબ ઊંડાણથી કરે છે. વળી જેમ અનુકૂળ સંયોગોમાં ઉત્સર્ગમાર્ગે મોક્ષમાર્ગ સાધવા ઉપર ભાર મૂકે છે અને તે માટે નાનામાં નાના દોષો અને જ્ઞાન મુંઝાયું છે, કેમકે આનંદથી તે વિખુટું પડ્યું છે. જ્ઞાન કાંઈ જ્ઞેયથી વિખુટું નથી પડ્યું. તેયને તો જ્ઞાન ચોંટ્યું છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ 890 હૃદય નયન નિહાળે જગધણી સૂક્ષ્માતિસૂક્ષ્મ અતિચાર કેવી રીતે લાગી શકે છે તેનુ વર્ણન કરે છે, તેમ પ્રતિકૂળ સંયોગોમાં આશયની શુદ્ધતા જાળવી ક્યાં સુધીના અપવાદ સેવી શકાય અને કઇ રીતે પડી રહેલા આત્માને બચાવી શકાય? કઇ રીતે સમાધિ ટકાવી શકાય? તેનુ વર્ણન પણ છેદગ્રંથો-પ્રાયશ્ચિતના ગ્રંથોદ્વારા કરે છે. વળી પર્યાયનયની દૃષ્ટિથી સંસારની અસારતા જણાવી, વૈરાગ્યની દૃઢતા કરી આત્મધર્મ-વીતરાગધર્મને પામવા નિશ્ચયદૃષ્ટિથી આત્માનુ શુદ્ધ સ્વરૂપ કેવું છે? તેને પામવા દ્રવ્યદૃષ્ટિપ્રધાન નિશ્ચયનયની સાધના પણ બતાવે છે. એ ભંગાણ પણ કરી આપે છે અને જોડાણ પણ સાંધી આપે છે. અનાત્મદશા-અનાત્મભાવથી ભંગાણ કરાવી આત્મભાવ-આત્મદશાની સાથે સંધાણ કરાવી પરમભાવ-સ્વભાવ અને સ્વભાવદશાએ પહોંચાડી સ્વભાવસ્થસ્વરૂપસ્થ બનાવે છે. એ Disection-Disconnectionની સાથે Unification-અભેદતાના માર્ગનો પણ ઉદ્યોત કરે છે. જિનેશ્વર પરમાત્માની વાણી કોઈ નયથી અધુરી હોતી નથી. વળી વાણી-વિચાર અને વર્તનની એકતા તેનામાં જોવા મળે છે. અંદરમાં કાંઈ ને બહારમાં કાંઇ એવી બેઢંગી, દોરંગી, કઢંગી, બેહુદી વાતો તેનામાં નથી હોતી. એક બાજુ અહિંસામાં ધર્મ બતાવી બીજી બાજુ સ્વર્ગની ઈચ્છા માટે યજ્ઞ કરવાની અને તે માટે તેમાં પશુઓને હોમવાની બેહુદી વાતો વૈદિકદર્શનની જેમ તે નથી કરતું. મોક્ષપ્રાપ્તિના આશયથી કરાયેલ અહિંસાનું વિધાન મોક્ષપ્રાપ્તિમાં કેમ પરિણમે તે માટે થઈને જ સ્યાદ્વાદશૈલિથી આચાર અને વિચારનું પ્રતિપાદન કરે છે. ટૂંકમાં કષ, છેદ અને તાપની કસોટીમાંથી ઉત્તીર્ણ થયેલું એ રાગ એ મૌલિક છે. દ્વેષ તો રાગની નિષ્ફળતાનું જ પરિણામ છે. માટે રાગ કાઢી અને વીતરાગી બનો ! Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 891 સુવર્ણજ્ઞાન છે. પરમ આરાધ્ય અને પરમ ઉપાદેય છે. જૈનદર્શનના એક એક આચારોને જગતના ચોગાનમાં મૂકવામાં આવે તો જગતનું મસ્તક અહોભાવે ત્યાં ઝૂકી જાય તેમ છે. તે જ રીતે એને બતાવેલ સ્યાદ્વાદ, અનેકાંતવાદ અને સાપેક્ષવાદના સિદ્ધાંતને જગત સમક્ષ રજુ કરવામાં આવે તો અનેકાંતદર્શનરૂપી સિંહ આગળ અન્ય દર્શનરૂપી શિયાળિયાઓ ભાગી જાય તેમ છે. અન્યદર્શનોરૂપી ઘુવડો ત્યાં સુધી જ ડોકિયા કરે છે જ્યાં સુધી અનેકાન્તરૂપી સૂર્ય ઉદય પામ્યો નથી. - આમ જૈનદર્શન સ્યાદ્વાદશૈલિથી સર્વોત્તમ હોવાથી પ્રભુની નયગર્ભિત વાણીને જે હૃદયમાં સ્થાપન કરે છે અર્થાત્ નયગર્ભિત વાણી દ્વારા આત્માદિ પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન કરી અંતે નયપક્ષથી પણ અતિકાન્ત થઈ દ્રવ્યદૃષ્ટિ પ્રધાન શૈલિથી સાધના કરે છે, તે જ વાસ્તવિક ભાવથી જૈનદર્શનની ઉપાસના છે અને તે જ મોક્ષ આપવા સમર્થ છે. (અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે) – પ્રભુએ ગણધરોને ત્રિપદી આપી. તેના ઉપરથી ગણધરો બીજબુદ્ધિના ધણી હોવાના કારણે તેમજ તીર્થકર ભગવંતના જ્ઞાનાતિશયના કારણે તે સાંભળતા જ તેઓને દ્વાદશાંગીનો ક્ષયોપશમ થઈ ગયો. સમસ્ત શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયો અને દ્વાદશાંગીની રચના કરી એમ શાસ્ત્રોમાં કહેવાય છે. આ ક્ષયોપશમ બધા જ ગણધરોને સૂત્રથી અને અર્થથી સંપૂર્ણ હોય છે. જેને સર્વાક્ષર સંનિપાતી જ્ઞાન કહેવાય છે. આમાં શ્રુતજ્ઞાનના બળે સમસ્ત . વિશ્વ અને તેના સમસ્ત દ્રવ્ય-પર્યાયોનું જ્ઞાન થાય છે. આ સર્વાક્ષર સંનિપાતિ જ્ઞાન ને અક્ષર ન્યાસ કહી શકાય, તેમ તેનાથી અલ્પજ્ઞાનને પણ અક્ષરન્યાસ કહી શકાય છે. આ શાસ્ત્રોમાં લિપિરૂપે રહેલ અક્ષરજ્ઞાન દુઃખ વેદવામાં દેહભાવે દુઃખી થઈ જઈએ તો અજ્ઞાની. Page #58 -------------------------------------------------------------------------- ________________ 1892 892 હૃદય નયન નિહાળે જગધણી કે ગુરુ દ્વારા વાણીથી ઉચ્ચરાયેલું અક્ષર જ્ઞાન-શ્રુતજ્ઞાન એ આત્માના અક્ષર સ્વરૂપને પામવા માટે છે. અક્ષર જ્ઞાનનો હૃદયમાં ન્યાસ એટલે સ્થાપન એવી રીતે કરવાનું છે કે જેનાથી આત્મા પોતાના સ્વરૂપની દિશામાં આગળ વધે. શ્રુતજ્ઞાન મૂળમાં સ્વર અને વ્યંજન સ્વરૂપ છે અને તે નિર્વિકલ્પ છે. કેમ કે એકલા સ્વર કે વ્યંજનનો ઉચ્ચાર કરવાથી વિકલ્પ થતો નથી. જેમ કે કે, આ બોલીએ તો કાંઈ વિકલ્પ થતો નથી પણ કાકા બોલીએ તો વિકલ્પ થાય છે. સ્વર અને વ્યંજન મળીને અક્ષર થાય છે. અક્ષરનો સમુહ તે શબ્દ છે. તે શબ્દમાં કર્તા અને ક્રિયાપદ ભળતાં વાક્ય બને છે. વાક્યની સમુહ તે અધ્યયન છે. અધ્યયનોનો સમુહ તે શ્રુતસ્કંધ છે. શ્રુતસ્કંધનો સમુહ છે. આગમ છે અને આગમોનો સમુહ દ્વાદશાંગ છે; જે બધું જ વિકલ્પાત્મક છે. સંસાર આખો વિકલ્પાત્મક છે. સઘળો વ્યવહાર વિકલ્પાત્મક છે. આ વિકલ્પાત્મક શ્રુતજ્ઞાનનું અવલંબન એવી રીતે લેવાનું છે કે જેથી આત્મા વિકલ્પમાંથી નિર્વિકલ્પ તરફ પ્રયાણ કરે. શ્રુતજ્ઞાનનો વાસ એટલે હૃદયમાં સ્થાપન એવી રીતે કરવાનું છે કે આત્મા અશુભમાંથી બહાર નીકળી શુભમાં આવી ત્યાં ન રોકાતા શુદ્ધ તરફ પ્રયાણ કરે અને પોતાના સ્વરૂપમાં પોતાના ઉપયોગને શમાવી દે. ઉપયોગને સ્વરૂપમાં ઠારી દેવો – શમાવી દેવો તે ઉચ્ચકોટિની સાધના છે અને સાથેની નિકટતા છે. સ્વરૂપમાં ઠરી ગયેલો ઉપયોગ નિર્વિકલ્પ છે. શ્રત મૂળમાં અક્ષર-સ્વર-વ્યંજનરૂપે નિર્વિકલ્પ છે અને તેનું ફળ વીતરાગતા-કેવલજ્ઞાન તે પણ નિર્વિકલ્પ છે. આમ જે વિકલ્પાત્મક શ્રુતજ્ઞાન કે જે અક્ષર સ્વરૂપ છે તેનો ખ્યાલ કરી આત્માએ સ્વરૂપના આરાધક બનવાનું છે અને તે આરાધના કરી તેના સુખ ભોગવવામાં દેહભાવે આત્માનો આનંદ ભૂલી જઈએ તો પણ અજ્ઞાની. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 893 સંગે આત્માને નિર્વિકલ્પ-શુદ્ધ ચૈતન્યમય વીતરાગ મૂર્તિ એવો પરમાત્મા બનાવવાનો છે. જે શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાનનું અવલંબન લીધા પછી વિકલ્પો ઘટવાને બદલે વિકલ્પોની પરંપરા વધે, તો આપણે અક્ષરન્યાસધરા આરાધક ન થયા કહેવાઈએ એટલે તેના સંગે આરાધના કરીને મુક્તિ પામવાની હતી, (આરાધે ધરી સંગે રે) આ પંક્તિને સફળ કરવાની હતી, તે ન થઈ એમ કહેવાય. " - આપણું કેવલજ્ઞાન આજે મતિજ્ઞાનમાં પરિણમ્યું છે. સમુદ્ર ખાબોચિયું થયું છે. વીતરાગતા રાગ-દ્વેષમાં ફેરવાઈ ગઈ છે. આનંદ, સુખ-દુઃખમાં પરિણમ્યું છે માટે આપણુ ચૈતન્યમય અંગ ખંડિત થયું છે. વિભાજીત થયું છે. તેને અખંડ, અવિભાજીત, પૂર્ણ બનાવવા માટે અક્ષર ન્યાસ ને ધરા એટલે મૂળથીજ-પહેલેથી જ એવી રીતે કરવાનો છે કે આત્મા અક્ષરન્યાસ ધરાથી આરાધક બની ઊંચી કોટિની આરાધનાથી આરાધિત બની મુક્તિસંગને પામે. આ અક્ષર ન્યાસ ધરાના આરાધક થવા માટે જેઓ પૂર્ણ બન્યા છે, તે કેવલી ભગવંતો, તીર્થંકર પરમાત્માઓ કે જે સિદ્ધતાને આરે આવીને ઊભા છે તેવા આત્મજ્ઞાની, સર્વોચ્ચ આત્મદશામાં ઝૂલતા એવા ગુરુભગવંતોના શરણે જઈ તેમના ઉપર અહોભાવ-બહુમાન કેળવી સત્સંગ કરવાનો છે અને તેમના આશ્રયે સન્ને ખેંચીને ઉપર ઉપરના ગુણસ્થાનક ઉપર આરોહ કરી મુક્તિની વરમાળાને વરવાનું છે. જિનવરમાં સઘળા દરશન છે, દરશને જિનવર ભજના રે સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજનારે.ષ..૬ પર દ્રવ્ય માટે જે દ્રવ્ય પોતાના ગુણ વડે નિમિત્તરૂપ બને (ઉપયોગી બને), તે વ્યનો, તે ગુણ, તે દ્રવ્યની શક્તિ કહેવાય. Page #60 -------------------------------------------------------------------------- ________________ 894 ( હૃદય નયન નિહાળે જગધણી અર્થ : જેમ તમામ નદીઓનો સમુદ્રમાં સમાવેશ થાય છે તેમ ભિન્ન ભિન્ન ધર્મને માનનારા દર્શનોનો જૈનદર્શનમાં સમાવેશ થાય છે. પણ નદીમાં સાગરની ભજના છે અર્થાત્ નદીમાં તો સાગરનો અંશ માત્ર છે. એટલે નદીમાં સાગર સમાઈ શકતો નથી તેમ અન્યદર્શનો તો સ્યાદ્વાર દર્શનનો અંશમાત્ર છે માટે અન્ય દર્શનોમાં જૈનદર્શન સમાઈ શકતું નથી. વિવેચનઃ સાગર પોતાના પેટાળમાં સઘળી નદીઓને સમાવી લે છે, એમ પરમાત્માના સ્યાદ્વાર દર્શનમાં સઘળાંય દર્શનો સમાવેશ પામે છે. સ્યાદ્વાર દર્શન સાગર જેવું ગંભીર, મર્યાદાશીલ, અગાધ, વિશાળ અને ગુણરત્નાકર છે. જોવાની ખૂબી તો એ છે કે નદીને પોતાનામાં સમાવી લેવા, પોતાના ખોળે ઝીલી લેવા, પોતાની સાથે એકરૂપ, તરૂપ કરી દેવા સાગર, નદીના સંગમ બિંદુએ સ્વયં પોતાનું તળ નીચું લઈ જઈને સરિતાને પોતાનામાં સમાવી લે છે-પોતામય બનાવી દે છે. એ જ રીતે જૈનદર્શન સ્યાદ્વાદ શૈલિ અપનાવી, નયદૃષ્ટિથી સર્વ અન્ય દર્શનોને પોતાની વિશાળ દૃષ્ટિથી પ્રમાણરૂપ સાગરમાં સમાવી દે છે અને તે દ્વારા સર્વદર્શનને પણ નય સાપેક્ષ દૃષ્ટિથી અંગભૂત બનાવી પ્રમાણભૂત ઠેરવવાની ગંભીરતા દાખવે છે માટે સાચે જ તે રત્નાકર છે. નદીઓ તટ-કિનારાથી બંધાયેલી હોવાથી સીમિત હોવા છતાં એનું વહેણ અસીમ-વિશાળ એવા સાગર તરફનું હોઈ, એ સાગર સન્મુખ થયેલી નદીની ભજનામાં સાગરની જ ભજના છે. કારણકે એ નદી જ વીતરાગતા, પ્રથમ મોહનો-રાગનો નાશ કરે છે અને અંતે વીતરાગતાના કાર્ય રૂપે, જ્ઞાન નિરાવરણ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 895 સાગરરૂપે પરિણમનાર છે. અને તેથી જ એ જેમ જેમ સાગર સમીપ જતી જાય છે તેમ તેમ તેનો તટ-પટ વિસ્તાર પામતો વિશાળ થતો જાય છે. એ જ રીતે અંશ અંશીમય બનવા તરફ એટલે કે પૂર્ણ પરમાત્મા બનવા તરફ જેમ જેમ જતો જાય છે તેમ વ્યાપકને વ્યાપક થતો જાય છે. ' એ જ પ્રમાણે સઘળાંય એક એક નય આધારિત દર્શનો તે તે નય સાપેક્ષ સાધનાથી વીતરાગતા ભણી જ વિકસિત થતાં હોવાથી તે જિનવરના દર્શનના એકએક અંગરૂપ હોવાના કારણે તે તે દર્શનની સાપેક્ષ ભજના એ જિનવરના દર્શનનીજ ભજના છે માટે તે તે દર્શનો ભલે એકાન્તવાદી હોય તો પણ જૈનદર્શનને માનનાર અનેકાન્તવાદીએ તેનો અપલાપ નહિ કરવો જોઈએ. પરંતુ તેમની પાસે સાધનાના જે ઊંચા વિકલ્પો છે કે જે જીવને વીતરાગ બનાવવામાં ઉપયોગી છે, તેને જૈનદર્શનના જ અંશરૂપ-રંગરૂપ સમજી તેનો સ્વીકાર કરવો જોઈએ અને તે દ્વારા વીતરાગ થવાની સાધના કરવી જોઈએ. વીતરાગ થવું હોય તો દૃષ્ટિની વિશાળતા-ઉદારતા કેળવવી પડશે. સમન્વય અને સંવાદિતાથી કર્ણપ્રિય સુમધુર સંગીતનું સર્જન થાય છે. બીજાને ખોટા કહીને સંસારમાં પણ નથી જીવી શકાતું તો પછી મોક્ષે તો કેમ જવાય? ' નિશ્ચયને માનનાર નિશ્ચયનો અહમ્ ન રાખે અને વ્યવહાર ધર્મનો અપલાપ ન કરે તો તેનો નિશ્ચયધર્મ વ્યવહાર ધર્મને સુધારી આપશે. વ્યવહારધર્મનું ખંડન ન કરતાં તેઓ પરત્વે ઉદારભાવ રાખે તો નિશ્ચયને માનનારનો નિશ્ચય ધર્મ ફળશે. તે જ રીતે વ્યવહાર ધર્મને પામનાર બીજાનું ખંડન ન કરે-ઉદારભાવ રાખે-અહમ્ રહિત બને અને નિશ્ચયનું લક્ષ્ય કરી આગળ વધે તો ફળરૂપે તેને મોક્ષ મળી શકે તેમ છે. ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ એ સંસારભાવમાં રંગ છે અને તે ગ ટકે છે અર્થ અને કામથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ 896 હૃદય નયન નિહાળે જગધણી જીવનમાં જેટલો સમન્વય અને સંવાદિતા સર્જાય તેટલું જીવન શાંત-પ્રશાંત-ઉપશાંત બને. વિસંવાદિતામાં કલુષિતતા અને વિખવાદ છે. અજ્ઞાનથી મુક્તિ તે જ સાચી મુક્તિ છે. અજ્ઞાનથી મુક્તિ એટલે કેવળજ્ઞાન-સર્વજ્ઞતા. આગ્રહોથી મુક્તિ તે જ ખરી મુક્તિ છે. આગ્રહથી મુક્તિ એટલે બંધન મુક્તિ નિર્ચથતા-અનેકાન્તતા. કષાયોથી મુક્તિ તે જ ખરેખર મુક્તિ છે. કષાયથી મુક્તિ એટલે વીતરાગતા. આ જગત ઉપર વિશુદ્ધ ચૈતન્યનું સામ્રાજ્ય છે. પરમ સામ્યવસ્થાનું સામ્રાજ્ય છે. તેનો ભંગ એ સંસાર છે. તેનો ભંગ એ ગુનો છે અને એની સજા ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ છે. પરમ સામ્યાવસ્થા આવતા જીવ અઈમ્ બની જાય છે. સામ્યવસ્થાની બહાર જાય ત્યારે જીવ દંડાય છે. પ્રેમની અભિવ્યક્તિ એ ધર્મ છે, તે જ વીતરાગતા છે. Test of religion is not religiousness but love. સ્યાદ્વાદ શૈલિ અપનાવી જૈનદર્શન અને તેના પ્રણેતાઓ પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપ વીતરાગતાને પ્રગટ કરવાનો ઉપાય બતાવે છે. - કોઈનો પણ ભૂતકાલીન પર્યાય યાદ કરીને તેની સાથે વર્તન કરવામાં આવે તો તે મિથ્યાષ્ટિપણું છે કારણકે જીવ માત્ર દ્રવ્યાસ્તિક નયે શુદ્ધ છે, તેની શ્રદ્ધા નથી. જીવને જીવ તરીકે એટલે કે પોતાના તુલ્ય જોવા જોઈએ તેથી જીવ પ્રત્યેના દ્વેષથી બચી શકાય છે. તેનાથી સંયોગ એ આત્મ સ્વરૂપ નથી. સ્વભાવ એ આત્મસ્વરૂપ છે. સંયોગથી અતીત થઈને સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 897 બોધિ પ્રાપ્ત કરી શકાય છે. જીવને જીવ તરીકે જોવા, તેમાં રહેલ જીવત્વ જાતિનો સ્વીકાર કરવો અને પછી ઉચિત વ્યવહાર કરવો, તે બોધિને પામવાનું કારણ છે અને જીવમાં શિવના દર્શન કરવા તે સમાધિ પામવાનું કારણ છે. પરમાત્માના દર્શન કરવાથી જેમ બધી ચિંતાઓ ટળી જાય છે અને આનંદ-આનંદ પ્રગટે છે તેમ જીવને પરમાત્મા તરીકે જોવાથી સમાધિ પ્રગટે છે. જેને તું હણે છે તેવો તું જ છે માટે કોઈને હણ નહિ. આ યોગશુદ્ધિ છે. આ વ્યવહાર નયનું વચન છે. આનાથી ધર્મની શરૂઆત થાય છે. જેને તું નમે છે તે તું જ છે. જેવો એ છે તેવો જ તું છે. તત્ તમ્ રિત આ ઉપયોગ શુદ્ધિ છે અને આ નિશ્ચયનયનું વચન છે. યોગશુદ્ધિના વ્યવહારવચનમાં જાતિ ઐક્યતા છે અને ઉપયોગશુદ્ધિના નિશ્ચયવચનમાં સ્વરૂપ ઐક્યતા છે. જાતિ એક્યતાના ભાવથી મૈત્રીભર્યો પ્રેમ વ્યવહાર થાય છે અને સ્વરૂપ ઐક્યતાથી સ્વરૂપપ્રાગટ્ય માટે ઉત્સાહિત થવાય છે. ઉપયોગ શુદ્ધિ શીઘ મોક્ષ આપે છે. યોગશુદ્ધિ ક્રમે કરીને મોક્ષ આપે છે. ઉપયોગ શુદ્ધિને કરવા પળને, કણને, ઝરણને, સમયને, પરમાણુને, સ્કંધને, સંયોગને, વિયોગને તથા તેના પ્રવાહને જોવો-માત્ર જોવો - બીજું કાંઈ જ ન કરવું. જે બને તેનો સહજ સ્વીકાર કરવો. એ જ શ્રેષ્ઠ છે - એ જ અધ્યાત્મ છે. આ સમાજની સંસ્કૃતિના મૂળમાં, આ ભૂમિની સુગંધમાં, આ પ્રજાના લોહીમાં કંઈક એવું છે, જે દેશના નાનામાં નાના અભણ ગામડિયાથી માંડીને પ્રખર પંડિતમાં તેમજ પરમજ્ઞાની એવા ઋષિમુનિઓમાં એક રૂપે વ્યાપેલું છે અને તે છે પ્રેમ અને આ પ્રેમનું પ્રગટીકરણ એ જ ધર્મ છે. શરીર રોગનું ઘર છે અને મન સંતાપનું ઘર છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ 898 , હૃદય નયન નિહાળે જગધણી કુદરતના તત્ત્વોને નિઃસ્વાર્થભાવે ચાહવા તે ધર્મ છે. જીવોની સેવા કરવી અને આનંદથી રહેવું તે વ્યવહારધર્મ છે અને સ્વયંની પરમાત્મદશાને પ્રગટ કરવી તે / વઘુ સહાવો ઘમો || ના સિદ્ધાંત અનુસાર ધર્મની પ્રાપ્તિ છે. જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે.. ... અર્થઃ જિનેશ્વર પરમાત્મામાં લીન થઈને-તદાકાર થઇને, જે તેની આરાધના કરે છે, તે નક્કી જિનેશ્વર થાય છે. જેમ ભમરી જ્યારે ઇયળને ચટકો મારે છે-ડંખ મારે છે ત્યારે તે ઈયળ ભમરી રૂપે થઈ જાય છે અને તે બાબતને આખું જગત જુવે છે. વિવેચનઃ ઈયળની ફરતે ભમરી ભભરાતી રહે છે-ઘુમરાતી રહે છે, તેની સામું જુએ છે અને અવાર નવાર ઈયળને ચટકા ભરતી રહે છેડંખ મારતી રહે છે. આ કંપની વેદનાથી ઈયળનું ધ્યાન સતત ભમરીમય બની જાય છે. ઈયળની વૃત્તિ ભમરીમાં તદાકાર થઈ જાય છે. ઉષ્ણકાળમાં ભમરી માટીનું ઘર બનાવે છે, અને તેમાં ઈયળને લાવીને મૂકે છે તથા તેને ચટકા મારે છે અને પછી બીજી માટી લાવી પોતાનું કરેલું ઘર બંધ કરે છે. તે દરમ્યાન ઈયળ તે, ભમરીના ડંખની વેદનાથી ભમરીનું ધ્યાન કરતી, મરીને તે જ કલેવરમાં ઉત્પન્ન થાય છે અને તે ઈયળને ભમરીના જેવી પાંખો તથા ડંખ મારવાની શક્તિ પેદા થાય છે. સત્તરમાં દિવસે ભમરી પોતાના તે ઘરને પોતાના ડંખથી ફોડે છે એટલે પ્રથમની ઈયળ જે ભમરી થઈ ગઈ હોય છે, તે ઉડી જાય છે અને તે વખતે આખું જગત તેને ભમરી રૂપે જ જુએ છે. દશ્યથી (મૂર્તિ-ગુરૂ-ગ્રંથાદિના આલંબને) દષ્ટિ ઠીક થાય છે, જે સાલંબન યોગ છે; જ્યારે વિના દયે દૃષ્ટિ ઠીક થાય, તે અધ્યાત્મ છે, જે નિરાલંબન યોગ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 899 - 899 એ જ રીતે, જેને જિન અર્થાત્ પરમાત્મા થવું હોય તેણે સમ્યકત્વ પામવું પડે. તે સમ્યકત્વ પામવા કે પામ્યા પછી પરમાત્માનું ધ્યાન કરવું પડે. તે ધ્યાન પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ચાર પ્રકારે છે. પિંડસ્થ ધ્યાન એટલે પરમાત્મા જે દેહરૂપી પિંડમાં રહેલા છે તે પરમાત્માની બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યોવન અવસ્થા, રાજ્યાવસ્થા વગેરેનું ચિંતન કરી તેમાં ઉપયોગને સ્થિર કરી શકાય. તે જ રીતે પદસ્થ અવસ્થામાં વર્ણમાળાના અક્ષરોનું તેમજ પરમાત્માના નામનું, ધ્યાન ધરી શકાય. ( રૂપસ્થ ધ્યાનમાં પ્રભુ વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી અષ્ટ પ્રાતિહાર્યોથી શોભિત, ૩૪ અતિશયોથી યુક્ત પ્રભાવક મહિમાવંત અને ૩૫ ગુણ અલંકૃત વાણીથી તીર્થ સ્થાપક-મોક્ષમાર્ગ પ્રરૂપક એવા સમવસરણમાં બિરાજેલા કે વિહાર કરતા, દેશના આપતા, બાર પર્ષદાથી શોભતા પ્રભુનું ધ્યાન ધરી શકાય તેમજ રૂપાતીત અવસ્થામાં પ્રભુની સિદ્ધાવસ્થાનું ધ્યાન ધરી શકાય. - પિંડસ્થ ધ્યાન એટલે ચ્યવનકલ્યાણક, જન્મકલ્યાણકની તીર્થંકર , ભગવંતના ગૃહસ્થકાળની ચિંતવના. પદસ્થ ધ્યાન એટલે દીક્ષાકલ્યાણકથી શરૂ થતી સાધનાકાળની ચિંતવના. રૂપસ્થ ધ્યાન એટલે કેવળજ્ઞાનકલ્યાણકથી શરૂ થતી તીર્થકરકાળની ચિંતવના. રૂપાતીત ધ્યાન એટલે નિર્વાણકલ્યાણકથી શરૂ થતી સિદ્ધાવસ્થાની ચિંતવના. દેહસુખનો ત્યાગ કર્યા વિના અને દુઃખ વચ્ચે રહી, દુઃખપૂફ બન્યા વિના, જીવ પરમાત્મા બની શકતો નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ 900 હૃદય નયન નિહાળે જગધણી રૂપાતીત અવસ્થામાં પ્રભુના આત્માના અસંખ્ય પ્રદેશો મેરુની જેમ પરમ સ્થિરત્વને પામેલા હોય છે, ઉપયોગ અવિનાશી બનેલો હોય છે, અનંતગુણોનું અભેદાત્મક વીતરાગ પરિણમન વિલસી રહેલું હોય છે, પ્રભુ અનંત આનંદને નિરુપાધિકપણે વેદી રહ્યા હોય છે અને પર્યાયમાં સદશતા હોય છે. સાદિ અનંતકાળ સુધી પ્રભુને હવે તે જ અવસ્થામાં રહેવાનું છે. ત્યાંથી પાછા ફરવાપણું નથી. નમ્રુત્યુણમાં સ્તવિત એક એક વિશેષણથી પ્રભુનું ધ્યાન ધરી શકાય છે. આમાં જેટલો ટાઈમ સુધી ઉપયોગ સ્થિર રહ્યો, લીનતા સધાઈ ગઈ તેટલો ટાઈમ સુધી આત્મા આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મા બન્યો કહેવાય. આમ કરવાથી આત્મ પ્રદેશો પરથી અનંતા કર્મોની નિર્જરા થાય છે. વળી સિદ્ધાંત એ છે કે સાધ્યનું જે સ્વરૂપ છે તેનો એક અંશ સાધનામાં ઉતારી શકાય તો સાધ્ય સાથે અભિન્ન થઇ શકાય. કેવલજ્ઞાનને સાધ્ય તરીકે લઈએ તો કેવલજ્ઞાન, વીતરાગ જ્ઞાન છે, સ્વાધીન જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે અને અક્રમિક અર્થાત્ નિર્વિકલ્પ જ્ઞાન છે. આવા સાધ્યનો એક અંશ વીતરાગતા એ સાધનામાં ઉતારી શકાય છે. જ્યાં સુધી મતિજ્ઞાન છે ત્યાં સુધી સાધના છે. તે મતિજ્ઞાન બારમા ગુણઠાણે અવિકારી થતાં વીતરાગતા આવે છે માટે તરત જ જીવ તેરમા ગુણઠાણે કેવલજ્ઞાન પામે છે અને તે પામતા કેવલજ્ઞાનના પહેલા સમયથી જ અનંત આનંદ વેદન શરૂ થઇ જાય છે. આ જ વાતને યોગીરાજે પાંચમા ભગવાનના સ્તવનમાં આ રીતે કહી છે જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ જેવા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તેવા જ મારામાં પણ સત્તાગત પ્રભુના રાગીઓ રંડાય છે અને રાગીઓ જુવે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 901. રહ્યા છે. એ રીતે પ્રભુના સ્વરૂપની સાથે એકાત્મયોગ સધાતા અનંતા આત્માઓ કેવળજ્ઞાન પામ્યા છે. અરિહંત પદ ધ્યાતો થકો, દવ-ગુણ-૫જાય રે, ભેદ છેદ કરી આતમાં, અરિહંત રૂપી થાય રે. અરિહંતને ઓળખતા આત્મા ઓળખાય છે. જે જાણતો અરિહંતને, ગુણ-દ્રવ્યને-પર્યયપણે તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ' - પ્રવચનસાર-ગા.૮૦ જે ખરેખર દ્રવ્ય-ગુણ-પર્યાયપણે અરિહંતને જાણે છે, તે પોતાના આત્માને જાણે જ છે અને તેનો મોહ ક્ષય પામે છે. આમ કહીને આચાર્યદેવે મોહક્ષયનો અફર માર્ગ બતાવ્યો છે. પ્રભુ પ્રતિમામાં પ્રભુના દર્શન કરતાં, પ્રભુના વીતરાગ પર્યાય સહિત દ્રવ્ય અને ગુણના દર્શન * કરવાના હોય છે. માત્ર એકલા પર્યાય ગુણ કે દ્રવ્યના દર્શન નહિ કરતાં પ્રભુના દ્રવ્યગુણપર્યાય એમ ત્રણેય અંગથી યુક્ત પ્રભુના પરિપૂર્ણ દર્શન કરવાના હોય છે. - ' કોઈને એમ શંકા થાય કે અત્યારે તો અહિંયા અરિહંત નથી પછી અરિહંતને જાણવાની વાત કેમ કરી? તો તેનું સમાધાન કરે છે કે ભાઈ! અહીંયા ક્ષેત્રની વાત નથી પણ અરિહંતનું સ્વરૂપ જાણવાની વાત કરી છે. અરિહંતની અહીં જ સાક્ષાત્ હાજરી હોય તો જ તેમનું સ્વરૂપ જાણી શકાય, ને દૂર હોય તો ન જાણી શકાય એવો કોઈ પ્રતિબંધ નથી. અરિહંત પ્રભુ સાક્ષાત્ બિરાજતા હોય ત્યારે પણ તેમનું સ્વરૂપ તો જ્ઞાન દ્વારા જ નક્કી થાય છે. મહાવિદેહમાં અરિહંત તો છે ત્યાં પણ પરિણામે રોવડાવે નહિ તેનું નામ રાગ નહિ. વિનાશી તત્ત્વનો રોગ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ 902 , હૃદય નયન નિહાળે જગધણી તેમના દ્રવ્ય-ગુણ-પર્યાય; દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, ગુણ એટલે આત્માના અનંતા ગુણો અને પર્યાય એટલે પ્રતિસમયની કેવળજ્ઞાન, કેવળદર્શનાદિની અવસ્થા જે અનુભૂત છે. નજરે તો દેખાતા નથી પરંતુ જ્ઞાન દ્વારા તેમના સ્વરૂપનો નિર્ણય થઈ શકે છે. અરિહંત પ્રભુ સાક્ષાત્ બિરાજતા હોય ત્યારે પણ આંખથી તો અરિહંતનું શરીર જ દેખાય છે. શું શરીર તે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય છે? ના! એ તો આત્માથી ભિન્ન છે! ચૈતન્ય સ્વરૂપ આત્મા તે દ્રવ્ય, જ્ઞાન-દર્શનાદિ ગુણો અને કેવળજ્ઞાનાદિ તેની પર્યાય તે અરિહંત છે. તેને યથાર્થપણે ઓળખે તો અરિહંતનું સ્વરૂપ જાણ્યું કહેવાય. અથવા તો અરિહંત-સિદ્ધસ્વરૂપને જાણીને તેના પોતાના સ્વરૂપને ધ્યાવવું તે. ઉપાસના છે-તે ધ્યાન છે. તેમાં અરિહંતની ઉપાસના તે ભિન્ન ઉપાસના છે જે આલંબનરૂપ છે અને પોતાના સ્વરૂપની ઉપાસના તે અભિન્ન ઉપાસના છે, જે શુદ્ધિકરણ છે, ગુણકરણ છે અને સ્વયંના પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ છે. જેમ જંગલમાં રહેલ વાંસનુ ઝાડ બહારના બીજા કોઈ સાધન વગર પોતે પોતાની સાથે જ ઘસાઈને અગ્નિરૂપ થઈ જાય છે તેમ આત્મા પોતે જ પોતાનામાં એકાગ્રતાના મંથન વડે પરમાત્મા થઈ જાય છે. જેમ વાંસમાં શક્તિરૂપે અગ્નિ ભરેલો છે, તે પોતે ઘસારા વડે વ્યક્ત અગ્નિરૂપે પરિણામ પામી જાય છે, તેમ આત્મામાં પરમાત્મ દશા શક્તિરૂપે પડી છે, તે પર્યાયને એકાગ્ર કરીને સ્વભાવનું મંથન કરતાં આત્મા પોતે પરમાત્મદશા રૂપે પરિણમી જાય છે. આમાં જે ત્રિકાળ શક્તિ છે, તે શુદ્ધ ઉપાદાન છે. પૂર્વની મોક્ષમાર્ગરૂપ પર્યાય, તે ક્ષણિક સત્ છે અને તે પોતે જ બહારમાં ઉપદેશ વગેરેનું બાહ્ય નિમિત્ત મળતાં, તેમજ ભીતરમાં ચિંતન-મનન વિનાશી તત્ત્વનો વિયોગ થાય એટલે રાગી રંડાય અને રંડાય એટલે રુવે. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 903 ધ્યાનરૂપ અત્યંતર નિમિત્તને પામીને મોક્ષરૂપે અર્થાત્ કેવલજ્ઞાનરૂપે પરિણમી જાય છે. આ કેવલજ્ઞાન અનંત આનંદવેદન સ્વરૂપ છે. આવી દશા સ્વભાવના આશ્રયે જ પ્રગટ થાય છે. માટે જૈનદર્શનમાં સ્વભાવનો મહિમા ખૂબ જ ગાવામાં આવ્યો છે. અરિહંત અને સિદ્ધ ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરી તેવું જ સ્વરૂપ મારું છે, એમાં જરાપણ જુદાપણું નથી, એમ સમજીને જેણે પોતાના ઉપયોગને પોતાના સ્વભાવ તરફ વાળી લીધો એટલે કે ભિન્ન ઉપાસના છોડી અભિન્ન ઉપાસનામાં આવી ગયો તેને પરમાત્મદશા પ્રાપ્ત થઇ ગઈ. જે વ્યક્તિ આત્માને જેવા સ્વરૂપે જાણે છે, તે તેવા સ્વરૂપે જ તેને ભજે છે અને તેવા સ્વરૂપે પરિણમે છે. આત્માને જેણે વિકલ્પરૂપ જાણ્યો તો તે શુદ્ધાત્મપરિણામને ક્યાંથી કરશે? તે અશુદ્ધ પરિણમનનો કર્તા થઈને તેવો જ પોતાને અનુભવશે. અને જેણે પોતાના આત્માને શુદ્ધ આનંદરસ ઝરતો જ્ઞાનમય જાણ્યો તે તેનો કર્તા થઈને તેવો જ પોતાને અનુભવશે. - ચૈતન્યનું લોહચુંબક લગાડતાં, જે પરિણામ આત્મામાં ખેંચાઈ આવે, તે આત્માના ખરા-શુદ્ધ પરિણામ છે. જે ખેંચાઇ ન આવે, તે રાગાદિ અશુદ્ધ પરિણામો છે, તે ખરેખર અનાત્માના છે. ચૈતન્યસ્વરૂપના આકર્ષણથી જે પરિણામ ચેતનમાં ઉભરાઇ આવે, તે આત્માના ખરા શુદ્ધ પરિણામ છે. જે પરિણામ બહારના આકર્ષણથી બહારથી ખેંચાઈને આવે છે, તે રાગાદિ અશુદ્ધ પરિણામ છે અને તે અનાત્મ એટલે કે જડપરિણામ છે. સ્વભાવની સન્મુખતામાં રાગાદિનું કર્તૃત્વ રહેતું નથી. સ્વભાવથી સમાધિથી મનોયોગમાં સમત્વ રહેશે. સમત્વમાં રહેવાશે તો સમ્યક્ત્વ શીઘ્ર પ્રાપ્ત કરી શકાશે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા છતાં જો સમત્વ નહિ રહે, તો આવેલું સમ્યક્ત્વ પણ યાલ્યુ જઇ શકે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ 904 , હૃદય નયન નિહાળે જગધણી વિમુખ પરિણામમાં જ રાગાદિનું કર્તુત્વ રહે છે. સમ્યગ્દષ્ટિ જીવને વિકલ્પથી ભિન્ન જ્ઞાન-આનંદમય આત્માની અનુભૂતિ થયેલી છે માટે વિકલ્પ થવા છતાં તેને વિકલ્પનું કર્તુત્વ નથી કારણકે અનુભૂતિમાં નિર્વિકલ્પ આત્મા અનુભવાયો છે. જ્યારે અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવને વિકલ્પથી ભિન્ન આત્માનો અનુભવ નથી માટે તે વિકલ્પનો-રાગનો કર્તા બને છે. એ રીતે બન્નેના પરિણમનમાં ઘણો તફાવત છે. એક બંધ માર્ગમાં છે-સંસાર માર્ગમાં છે . તો બીજો અબંધ માર્ગમાં-મોક્ષમાર્ગમાં છે. ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમય પુરુષના અંગ કહ્યા છે, જે છેકે તે દુર્ભવ્ય રે.. પ.૮ : અર્થઃ ૪૫ આગમ એ મૂળ આગમ સૂત્રો છે, જેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, છ છેદ સૂત્રો, ૪ મૂળ સૂત્ર છે અને ૨ ચૂલિકા મળી કુલ ૪૫ આગમ છે. એના ઉપર ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ અને વૃત્તિ એટલે ટીકાઓ મહાપુરુષો દ્વારા રચાયેલી છે. આમ મૂળ સૂત્ર સાથે ચારનો સમાવેશ થતાં તે પંચાંગી કહેવાય છે. આગમરૂપી પુરુષના અંગભૂત આ પંચાંગી અને ગુરુપરંપરા દ્વારા મળેલ અનુભવ, તેને જે છેદે અર્થાત્ ઉત્થાપે તે દુર્ભવ્ય છે-ભારે કર્મી છે. | વિવેચનઃ ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, ટીકા અને સુવિહિત મહાપુરુષો દ્વારા ચાલ્યો આવતો અનુભવ, એ બધાને સમય એટલે આગમરૂપી પુરુષના અંગ કહ્યા છે. તેને જે છેદે એટલે કે ઉત્થાપે તે દુર્ભવ્ય એટલે નક્કી ભારેકર્મી હોવો જોઈએ. કારણકે જેના દ્વારા ભૂતકાળમાં અનંતા આત્માઓનું કલ્યાણ થયું છે, વર્તમાનમાં અનેક જીવો કલ્યાણ કરી રહ્યા ક્ષપકશ્રેણિ એટલે અત્યંતર વીતરાગ યાત્રિ. જ્યારે બાહ્યયાત્રિ એટલે કિલ્લેબંધી. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી & 905 છે અને ભાવિમાં જેના અવલંબને અનેક આત્માઓ કલ્યાણ સાધવાના છે; તેવા આત્મહિતકર આગમ પુરુષના અંગોને છેદવાનું કાર્ય, ભારે કર્મી સિવાય બીજા આત્માઓ દ્વારા થઈ શકે તેમ નથી. આગમના મૂળ સૂત્રો જે ગણધર રચિત છે તેને સૂત્ર કહેવાય. તે સૂત્ર માત્ર વસ્તુ સ્વરૂપનું સૂચન કરતા હોવાથી તેમજ તેમાં ઘણા ગંભીર રહસ્યો ભરેલા હોવાથી તેને સૂત્ર કહેવાય. ટૂંકમાં થોડામાં ઘણું સમાવી દેવામાં જે સમર્થ હોય તેવી રચના એ સૂત્ર છે. પૂર્વધર મહર્ષિ વાચકવર ઉમાસ્વાતિ દ્વારા રચાયેલ તત્ત્વાર્થને પણ તત્ત્વાર્થ સૂત્ર કહેવાય છે. તેમ અન્યદર્શનમાં થઈ ગયેલ પતંજલિ ઋષિ દ્વારા રચાયેલ યોગદર્શન, તે પણ સૂત્રાત્મક શૈલિમાં હોવાથી તેને પણ યોગસૂત્ર કહેવાય છે. જેમાં સૂત્રના શબ્દોને છુટા પાડી, સૂત્રના અર્થને યથાર્થ રીતે વિસ્તારથી યુક્તિપૂર્વક યોજન કરી બતાવવામાં આવે, તેવા પ્રકારની રચનાને નિર્યુક્તિ કહેવાય. નિયુક્તિના રચયિતા ચૌદપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામી છે. તે નિયુક્તિના રહસ્યો પણ જ્યારે સમજવામાં મુશ્કેલી પડવા લાગી ત્યારે મહાપુરુષોએ નિર્યુક્તિના રહસ્યો જરા વિસ્તારથી સમજાવે તેવા ભાષ્યની રચના કરી, એ ભાષ્યના અર્થને પણ સરળ કરીને સમજાવે તેવી ચૂર્ણિની રચના કરી અને જેમાં સૂત્રના રહસ્યોને અત્યંત સરળતાપૂર્વક અને સહેલાયથી સમજાવી શકાય તે માટે વૃત્તિ એટલે ટીકાઓનું સર્જન કર્યું. ભગવાન ઉમાસ્વાતિ મહારાજા વગેરે ભાષ્યકાર કહેવાય. ચૂર્ણિના રચયિતા જિનદાસ મહત્તર કહેવાય અને વૃત્તિકારટીકાકાર તરીકે ભગવાન હરિભદ્રસૂરિજી, શીલાંકાચાર્ય, અભયદેવ સૂરિ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા વગેરે ગણાવી શકાય. જેનો સંબંધ થાય છે અને છૂટી જાય છે અને સદા સાથે રહેતું નથી; તેને મિથ્યા કહેવાય છે-અસત્ કહેવાય છે-વિનાશી કહેવાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ 906 હૃદય નયન નિહાળે જગધણી આ પંચાંગીની રચના પાછળનો આશય, તે તે મહાપુરુષોના હૃદયમાં રહેલ કરૂણા હતી અને અલ્પમતિવાળા જીવો તેના અવલંબને સૂત્રોના રહસ્યોને - મર્મોને પામે અને કોઈપણ રીતે સંસાર સાગર તરી જાય તે હતો. જો પંચાંગીની રચના મહાપુરુષો દ્વારા ન થવા પામી હોત, તો વર્તમાન કાળના અલ્પબુદ્ધિવાળા જીવો કોઇ રીતે શાસ્ત્રોના મર્મને પામી શકે તેમ નહોતા. અરે! આ પંચાંગની વાત તો જવા દો, એનાથી પણ આગળ વધીને જ્યારે ટીકાના રહસ્યો પણ વર્તમાનમાં અલ્પમતિવાળા જીવોને પામવા કઠિન થઈ પડ્યા છે, ત્યારે વર્તમાનમાં પણ તેવા શક્તિસંપન્ન આત્માઓ તેની ટીકાના રહસ્યો સમજાવવા, ગુજરાતી વિવેચનો' લખી જગત ઉપર ઉપકાર કરી રહ્યા છે. જે કાળમાં જગતના જીવો, જે સાધનોના ઉપયોગથી પ્રભુશાસનના મર્મને પામતા હોય, તેવા સાધનનો વિવેક અને ગીતાર્થ બુદ્ધિથી ઉપયોગ કરી જગતના જીવોને ધર્મ પમાડવા જેવો છે. કારણકે ધર્મ વિનાનું જીવન જીવને પશુગતિ તરફ લઈ જાય છે. ધર્મને આરાધવા માટે ધર્મ સમજવો અનિવાર્ય થઈ પડે છે. ધર્મ સમજવા માટે ધર્મ સમજાવનાર જ્ઞાનીપુરુષની નિશ્રા અને આલંબન ખૂબજ ઉપયોગી થઇ પડે છે. જગતના જીવોને ધર્મ પમાડવા જેવો બીજો કોઇ ઉપકાર નથી. કોઇપણ વ્યક્તિ, તે તે દેશકાળને ઉચિત કોઇપણ સાધનનું અવલંબન લઈ ધર્મના માર્ગે આગળ વધતો હોય અને બીજાને સર્વજ્ઞપ્રણીત ધર્મ પમાડવામાં નિમિત્ત બનતો હોય તો આપણે તેની ટીકા-ટીપ્પણમાં નહિ પડવું જોઇએ. આપણને એ સાધનનો ઉપયોગ કરવાનું ઠીક ન લાગે અથવા આપણા સંપ્રદાયમાં તેનો નિષેધ હોય તો આપણે મર્યાદાનું પાલન કરવા અને વ્યવસ્થાભંગ ન થાય તે માટે થઈને તે સાધનોનો ઉપયોગ ન કરીએ, એમાં આપણો કોઇ દોષ નથી પણ વિશ્વના બધાં ય ક્ષણિક અને ક્રમિક ભાવોને અખંડરૂપે જોઈશું, તો વીતરાગી બની શકીશું. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 907 મર્યાદાનું પાલન કરવા રૂપ ધર્મ જ છે. પરંતુ આપણી જેમ જ બીજાએ પણ વર્તવુ જોઈએ અને તે ન દેખાય તો શાસ્ત્રના નામે કે બીજી કોઈ પણ ચીજના નામે ખંડનમંડનના પાટા ઉપર ઉતરવું, પત્રિકાબાજી કરવી, વાયુદ્ધ કરવું, એ કોઈપણ રીતે ઉચિત લાગતું નથી. અમે જે કાંઈ કરીએ છીએ તે જ બરાબર છે, તે જ શાસ્ત્રસંમત છે, તે જ દેશકાળ ઉચિત છે અને બીજાઓ જે કરે છે તે બરાબર નથી, શાસ્ત્રવિરુદ્ધ છે; આમ બોલવું તથા તે દ્વારા અનેક લોકોનો બુદ્ધિભેદ કરવો, મતિ ભ્રમ ઉભો કરવો, એ વિવેક નથી. જે ચીજ પ્રભુશાસનમાં ઘણા બધા આચરતા હોય તેને ખોટી કહેતા પહેલાં લાખ-લાખ વિચાર કરવા જેવો છે. અન્યથા આવી પ્રરૂપણા દ્વારા એવા ભયંકર પાપકર્મના બંધના ભાગીદાર થવું પડે છે કે જે ઉદયમાં આવતા જીભ ન મળે, જીભનું કેન્સર થાય. બોલવાની શક્તિ હણાઈ જાય; કાંઈ બોલવું હોય અને કાંઈ બોલાઈ જાય માટે આવા વિષયમાં મૌન રહેવું અને જે બની રહ્યું છે, તેનો ગર્ભિત સ્વીકાર કરવો એ જ સર્વશપ્રણીત માર્ગ છે. * શાસ્ત્રોમાં દરેક વસ્તુની પુષ્ટિ કરનારા દૃષ્ટાંતો, તર્કો મળી શકે તેમ છે. એકાંતવાદીને પણ પોતાની સિદ્ધિ માટે યુક્તિઓ, તર્કો, દષ્ટાંતો મળે છે તો પછી સર્વજ્ઞ શાસનમાં કેમ ન મળે ? પણ તેનો ઉપયોગ પોતાના સમર્થનમાં ન કરાય. એ જ વિચારવું જોઈએ કે આના દ્વારા સ્વ અને પર ઉભયની પરિણતિ તો બગડતી નથી ને? એ ખ્યાલ રાખીને જ આ માર્ગમાં આગળ વધવાનું છે. આ વિષયમાં ઉપમિતિ ભવપ્રપંચ કથાના રચયિતા સિદ્ધર્ષિગણિ મહારાજા પીઠિકામાં લખે છે કે – મૌન ધારણ કરીને બેસી રહેવાથી કોઈને જ્ઞાન-દર્શન-ચારિત્ર આપવાનું બની શકે તેમ નથી અને બીજા પ્રાણીઓને જ્ઞાન-દર્શન-ચારિત્ર સંપાદન કરાવવારૂપ ઉપકાર કરવો એ જે ‘સ્વ'ને જાણે છે તે ચેતન છે. જે “સ્વ'ને જાણે છે તે પર’ એવાં વિરોધી તત્ત્વને પણ જાણે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ 908 હૃદય નયન નિહાળે જગધણી જ પરમાર્થથી પરોપકાર છે. તેના જેવો અન્ય કોઇ પરોપકાર હોય તેમ સંભવતું નથી. પ્રાણીને સન્માર્ગ પ્રાપ્ત થઇ ગયો હોય તો તે સન્માર્ગ જન્માંતરમાં પણ પોતાને આંતરા વગર કે અગવડ વગર મળી શકે એવી જેની અભિલાષા હોય, તેણે ઉપર જણાવ્યો છે; તેવા પ્રકારનો પરોપકાર કર્યા કરવો. કારણકે પરોપકારનો સ્વભાવ જ એવો છે કે તે કરનાર પ્રાણી જન્માંતરમાં ઉત્તરોત્તર વધારે સારા માર્ગનો સંયોગ પ્રાપ્ત કરે છે અને તેનો આદર કરે છે. આ વિષયમાં સિદ્ધાન્ત દિવાકર આ.વિ. જયઘોષસૂરિજી મહારાજા લખે છે કે-પરોપકાર કરવાની શક્તિ હોવા છતાં, જે આત્માઓ પરોપકાર કરતા નથી, તે પોતાના હાથે એવા અંતરાય કર્મો બાંધે છે કે જેના ઉદયે ભવાંતરમાં ઉપકાર કરનાર અનેક આત્માઓ વિદ્યમાન હોય, જેના દ્વારા અનેક ઉપર ઉપકાર થતો હોય છતાં પોતાના ઉપર જ ઉપકાર થતો નથી. મોટા મોટા દાતારોને પણ તેના પાપકર્મના ઉદયે આપવાનું મન થતું નથી અને કદાચ કોઇ આપે તો બીજો તરત જ તમાચો મારી પડાવી લે છે. જેને દાનાંતરાયનો ઉદય હોય તે દાનાંતરાયને તોડવાનો પુરુષાર્થ ન કરે તો પ્રત્યેક સમયે તે લાભાંતરાય કર્મને બાંધે છે. જ્યારે શક્તિ મુજબ ઊંચીકોટિનો પરોપકાર કરવાથી અંતરાયો નાશ પામે છે. વિવેક અને કાર્યશક્તિ પ્રબળ થાય છે અને તેથી બહુલતા પોતાને ક્યારે પણ બીજાના ઉપકારની જરૂર જ ન પડે તેવી સ્થિતિ સર્જાય છે અને કદાચ નિકાચિત કર્મના ઉદયે ક્યારેક જરૂર પડે તો તેને સહાય માંગવા જવી પડતી નથી. ઉપકાર કરનારા સામેથી મળી આવે છે. ભવોભવ આ રીતે ઉપકાર કરતા રહીએ તો, એ શક્તિના સદુપયોગથી પાત્રતાના કારણે અનેક શક્તિઓ સ્વતઃ સિદ્ધ થાય છે બઘાંને સમાવે એવું પ્રેમ તત્ત્વ છે. પ્રેમ એ સર્વ તત્ત્વ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી જ 909 અને એને જ કારણે તીર્થંકર નામકર્મ, ગણધરનામકર્મ વગેરે અદ્વિતીય પુણ્ય બંધાય છે, જેના ઉદયે અનેક આત્માઓને ધર્મ પમાડી આત્મા મોક્ષે જાય છે. વળી ઉપમિતિકાર પ્રસ્તાવ-પાંચમાં લખે છે કે સાચો ધર્મ બતાવનાર તરફ ગુણાનુરાગી પ્રાણીઓ ખૂબ આદર દર્શાવતા હોય છે અને પોતાને જીવન આપ્યું હોય તેટલો ઉપકાર દર્શાવતા હોય છે. વિમલકુમારનો રત્નચૂડ સાથેનો સંવાદ એની સાક્ષી પૂરે છે અને સર્વજ્ઞ ધર્મની પ્રાપ્તિના સંબંધમાં જે પ્રાણી આ જીવને જરાપણ નિમિત્ત માત્ર થાય, તે પરમાર્થથી આ જીવોનો ગુરુ છે એમ સમજવું. નિર્યુક્તિ-ટીકા વગેરેનું અવલંબન ન લઈએ તો સૂત્રોના મર્મો સમજાય તેમ નથી અને પોતાની મતિકલ્પનાથી અર્થ કરવા જઈએ તો મહાઅનર્થ સર્જાય તેમ છે; જેમ કે જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી છે એ વાત છે, ત્યાં જિનપ્રતિમાનો અર્થ એક હજાર વર્ષ પહેલા થયેલા ટીકાકાર અભયદેવસૂરિજીએ અરિહંતની પ્રતિમા એવો અર્થ કર્યો છે. જ્યારે મૂર્તિના આલંબનને ઉત્થાપનારા આધુનિક ટીકાકાર શ્રીઘાસીલાલજીએ - જિનપ્રતિમાનો અર્થ, કામદેવની પ્રતિમા એવો કર્યો છે. જો પ્રાચીન ટીકાકારનું અવલંબન લીધું હોત તો આવો અનર્થ ન થાત. કારણકે પુજા કર્યા પછી દ્રૌપદીએ નમુથુણનો પાઠ કહ્યો છે. હવે જો કામદેવની પ્રતિમા હોય તો તેની સન્મુખ આવું સુત્રપઠન સુસંગત થાય નહિ. (સમય પુરુષના અંગ કહ્યા છે, જે છેદે તે દુર્ભવ્ય રે) - સૂત્ર, નિયુક્તિ ભાષ્ય વગેરે આગમ પુરુષના અંગ કહ્યા છે. તેને જે છેદે છે તે દુર્ભવી-અભવી-ભારેકર્મી-દીર્ઘ સંસારી યાવત્ અનંત સંસારી છે. આ ગાથા ઉપરથી નક્કી થાય છે કે આનંદઘનજી જૈન શ્વેતાંબર દેહભાવ અને દેહભાન છોડી, આત્મભાવમાં આવી આત્મભાનમાં રહી, આત્મામાં સ્થિતિ કરે તે જ્ઞાની. Page #76 -------------------------------------------------------------------------- ________________ 910 હૃદય નયન નિહાળે જગધણી મૂર્તિપૂજક સંપ્રદાયના હતા કારણકે દિગંબર સંપ્રદાય, આત્માના વિકાસક્રમમાં સહાયક આચારાંગાદિ મૂળ આગમો માન્ય રાખતા નથી, તો પછી પંચાંગીને તો માનવાની વાત જ ક્યાં રહી ? સ્થાનકવાસી અને તેરાપંથીઓ મૂળ સુત્ર માને છે પણ તેના બાકીના અંગો નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા માન્ય કરતા નથી. એટલે નક્કી થાય છે કે પંચાંગીને માનનાર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય છે અને તે પંચાંગીને પ્રમાણભૂત માનનાર-મનાવનાર શ્રીમાન આનંદઘનજી મહારાજા શ્વેતાંબર આમ્નાયને સ્વીકારનાર હતા, તેમનું મૂળ નામ લાભાનંદજી હતું. આગમ ગ્રંથોને અમાન્ય કરનાર દિગંબર આમ્નાય અને આગમગ્રંથો સાથે ચેડા કરનાર સ્થાનકવાસી, તેરાપંથી આમ્નાયને નજર સમક્ષ રાખીને આગમ અને પંચાંગીનું માહાત્મ્ય સમજાવવા યોગીરાજના મુખેથી આ કડી સરી પડી હોય તેવી કલ્પના થઈ આવે છે. ગણધર ભગવંતોએ આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે જે સૂત્રોની રચના કરી હતી, તેને આજ સુધી અખંડ રાખનાર - એ જ્ઞાનના વહેણને વહેતું રાખનાર કોઈ તત્ત્વ હોય તો તે આ પંચાંગી છે માટે તેની સાથે ચેડા કરાય નહિ; એમ યોગીરાજ કહી રહ્યા છે. પંચાંગીની સાથે ચેડા કરવા એ અગ્નિ સાથે ચેડા કરવા જેવું છે. અગ્નિ સાથે ચેડા કરનારનો તો એકભવ બગડે છે જ્યારે શાસ્ત્રોની પંક્તિના મન માન્ય-મનઘડંત અર્થ કરવાથી તો ઉત્સૂત્રભાષણનું પાપ થાય છે, જેના ફળરૂપે જીવને દીર્ઘકાળ સંસારમાં ભટકવું પડે છે. મરિચી, જમાલી, સાવદ્યાચાર્ય તેમજ પ્રભુ શાસનમાં થયેલા નિન્દવો આનુ દૃષ્ટાંત છે. ઉત્સૂત્ર ભાષણનું પાપ બહુ મોટું છે, તે વાત યોગીરાજે ચૌદમાં અનંતનાથ ભગવાનના સ્તવનમાં કરી છે. તેથી વધુ જાણકારી માટે મૂર્તિ એ યાંત્રિકતા છે, સ્તુતિ એ માંત્રિકતા છે અને અષ્ટપ્રકારી પૂજા, એ પંચભૂતથી થતી પરમાત્માની પૂજા છે, તે તાંત્રિકતા છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 911 આત્માર્થીઓએ એ સ્તવન ઉપરનું વિવેચન આ સંદર્ભમાં જોઈ લેવા ભલામણ છે. જૈન શાસનમાં સ્વચ્છંદ મતિકલ્પનાને કોઇજ સ્થાન નથી. શાસ્ત્રમાં બે પ્રકારના જીવો બતાવ્યા છે. ૧) ધારણા મેધાવી ૨) મર્યાદા મેધાવી. જો એક જ જીવમાં આ બંને પ્રકાર જોવા મળે તો તેના દ્વારા ગચ્છનું સંચાલન સારી રીતે થઈ શકે તેમ છે માટે તે ગચ્છનાયક બનવા યોગ્ય છે. પરંતુ બન્નેમાંથી એક જ હોય તો મર્યાદા મેધાવીને જ આગળ કરાય. ધારણા મેધાવીને નહિ. કારણકે એકલા ધારણા મેધાવીમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ મુખ્ય છે. જ્યારે મર્યાદા મેધાવીમાં મોહનીયનો ક્ષયોપશમ મુખ્ય છે. મુદ્રા બીજ ધારણા અક્ષર-ન્યાસ અરથ વિનિયોગે રે; જે ધ્યાવે તે નવિ વંચી, ક્રિયા અવંચક ભોગેરે. પર્..૯ અર્થ : જેમ ૮મી કડીમાં સમય પુરુષના છ અંગ કહ્યો તેમ અહીં યોગના છ અંગ; મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ, અર્થ વિનિયોગ બતાવે છે. આ અંગોને જે ગુરુગમથી સાધે છે, તે કર્મ શત્રુઓથી અથવા અડ઼ રિપુઓથી એટલે કે કષાયોથી ઠગાતો નથી કેમકે તેની ક્રિયા મહાપુરુષોએ બતાવેલ આજ્ઞાનુસારે હોવાથી તે આત્માને ન ઠગવારૂપ છે. - વિવેચનઃ આ સ્તવનની ૮મી કડીમાં પંચાંગીની મહત્તા બતાવી. તે દ્વારા દર્શન અને જ્ઞાન ઉપર ભાર મૂકયો. હવે આ દર્શન અને જ્ઞાનમાંથી આગળ વધીને ચારિત્રમાં કેમ જવું, તેની વાત કરે છે. જાગરણપૂર્વકના આચરણની વાત કરે છે. જ્ઞાનથી જે તત્ત્વ જાણ્યું છે, શ્રદ્ધાથી જેમાં પોતાપણાનો ભાવ કર્યો છે તેમાં હવે સમાઈ જવાની વાત કરે છે. તે માટે યોગના છ અંગોને બતાવે છે. જ્ઞાનાયાર-દર્શનાયાર સૈદ્ધાંતિક Theoretical છે. જ્યારે યાત્રિાયાર-તપાયાર રચનાત્મક-ક્રિયાત્મક Practical છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ 912 હૃદય નયન નિહાળે જગધણી મુદ્રા એટલે જે જ્ઞાનક્રિયા જ્ઞાની બનવા માટે કરવાની છે, તેનું સ્થાન અર્થાત્ તે જ્ઞાનક્રિયા કરતી વખતે શરીરના હાથ, પગ વગેરે અવયવોને કેવા Pause-પોઝ-મુદ્રામાં રાખવા ? તે જણાવે છે. જેમાં કાયોત્સર્ગ જિનમુદ્રામાં રહીને કરવાનો છે. ચૈત્યવંદન યોગમુદ્રામાં રહીને કરવાનું છે. જયવીયરાય-પ્રાર્થના સૂત્ર જાવંતિ ચેઈઆઈ, જાવંત કવિ સાહુ, મુક્તાસુક્તિ મુદ્રામાં રહીને બોલવાનું છે. પરમાત્માનું ધ્યાન સુખાસનમાં, પદ્માસનમાં, સિદ્ધાસનમાં કે જિનમુદ્રામાં રહીને કરવાનું છે. જ્ઞાની પુરુષોએ તે તે સૂત્રોને બોલતા તે તે મુદ્રાઓ સાચવવાનું વિધાન કરેલું છે. તેનાથી તે તે સૂત્રો ઉપરનું બહુમાન કેળવાય છે. તેને રચનારા ગણધરો-મહાપુરુષો ઉપર બહુમાન કેળવાય છે તેમજ તે આદર બહુમાનથી સૂત્રોના ભાવને સ્પર્શવાની આત્મામાં યોગ્યતા કેળવાય છે. પ્રમાદનો નાશ થાય છે અને તેનાથી કાયયોગની સ્થિરતા થવાથી કાયગુપ્તિ-કાય સલીનતા કેળવાય છે. ઉપયોગની એકાકારતામાં વૃદ્ધિ થાય છે. હવે બીજ કહેતા બીજમંત્રને કહે છે. “ઉ” એ પંચપરમેષ્ઠિનો અને ત્રિપદીનો વાચક બીજમંત્ર છે. “ઉ”માં પંચપરમેષ્ઠિ રહ્યા છે તેમજ ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ ત્રિપદી પણ તેમાં રહેલી છે. “ૐ” બીજમંત્ર છે ત્રિપદી સૂચક “ૐ' માં અ+ઉ+મૂ. વર્ણાક્ષરોનું સંયોજન છે; જેમાં અ=અસ્તિ-ધ્રુવ-અચલ, ઉ=ઉત્પાદ, મૂત્રવ્યય-મરણના સંયોજનથી ‘ૐ’ બનેલ છે. ઉપરાંત એમાં અ=અરિહંત + અ=અશરીરીસિદ્ધ+આ=આચાર્ય + ઉ=ઉપાધ્યાય + મ=મુનિ એ પંચાક્ષરોના સંયોજનથી બનતો “3”એ પંચ પરમેષ્ઠિનો વાચક બીજમંત્ર બને છે. તેવી રીતે “અઈએ સિદ્ધચક્રનો વાચક બીજમંત્ર છે. “હ” એ બીજમંત્રમાં ૨૪ તીર્થકરો સમાયેલા છે. જૈ'એ સરસ્વતીનો વાચક બીજમંત્ર સાપેક્ષ ગુણો યોગશ્ચિત છે. નિરપેક્ષ ગુણો યોગનિરપેક્ષ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 913 છે: આ બીજમંત્રોના શુદ્ધ વિધિપૂર્વકના હ્રસ્વ, દીર્ઘ કે પ્લુતમાં કરાયેલ ઉચ્ચારણથી પ્રાણાયામ સહજ થાય છે. એના ધ્વનિ, આંદોલનોથી રોગીઓના રોગનો પણ નાશ થઇ શકે છે. વિધિપૂર્વકના ‘ૐ’ ‘અર્હ’ના જાપથી કે ધ્યાનથી કેન્સર જેવા અસાધ્ય રોગો પણ મટી શકે છે તેમજ તેના આંદોલનો યોગીઓને યોગ સાધનામાં પ્રસન્નતા જન્માવે છે. બીજમંત્રોનું પ્લુતમાં એટલે કે તે મંત્રને લંબાવવા પૂર્વક ઉચ્ચારણ કરવાથી આજુબાજુમાં રહેલ અશુદ્ધિનું વાતાવરણ દૂર થાય છે. ભૂત-પ્રેત-પિશાચશાકીની-ડાકીનીના ઉપદ્રવો દૂર થાય છે તેમજ ચિત્તમાં અત્યંત શાંતિ અને પ્રસન્નતા છવાય છે. આ બીજાક્ષરોનું યોગસાધનામાં આ રીતનું મહત્વ છે. વિધિ પૂર્વકના તેના જાપ કે ઉચ્ચારણથી તેના અધિષ્ઠાયક દેવો પ્રસન્ન થાય છે. ક્યારેક તે સાક્ષાત્ દર્શન આપે છે, તો ક્યારેક અદશ્ય રહી વરદાન માંગવાનું કહે છે અને તે વખતે જો સાધક અત્યંત નિઃસ્પૃહ રહી કંઈ ન માંગતા પોતાની સાધનામાં સહાયક બનવા જ જણાવે છે ત્યારે તેની નિઃસ્પૃહતાથી તેના કાયમના સેવક બનીને રહે છે. શ્રીપાલ જ્યારે પરદેશ કમાવવા જાય છે ત્યારે સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વર યક્ષની સહાયથી તેઓ ઘણી આપત્તિઓના સમુદ્રને તરી ગયા છે અને ન કલ્પેલી સંપત્તિના માલિક બન્યા છે. તે જ રીતે આ બીજમંત્રોની સાધના માંત્રિકતા અને તાંત્રિકતામાં પણ ઉપયોગી બને છે. હવે ધારણાની વાત કરે છે, જેમાં જે ક્રિયા, આશયની શુદ્ધિ અને ભાવની વૃદ્ધિપૂર્વક કરવાની હોય છે; તેમાં ઉપયોગને સ્થાપનાચાર્ય કે પ્રતિમામાં રાખવાનો હોય છે. આના આલંબને ચિત્તની એકાગ્રતા ટકાવવાની છે. આને ત્રાટક પણ કહેવામાં આવે છે. રખડતા અને ભટકતા ચિત્તને ભક્ત થવું એટલે સંસારથી વિભક્ત થવું અને પરમાત્મા સાથે અભેદ થવું. Page #80 -------------------------------------------------------------------------- ________________ 914 હૃદય નયન નિહાળે જગધણી નાથવાનો-સ્થિર કરવાનો આ એક અમોઘ ઉપાય છે. કારણકે સ્થિર ચિત્તે કરાયેલી ક્રિયા જ આત્માને સંસાર સાગર તરવા ઉપયોગી છે. ચલચિત્તતા એ જ સંસાર છે અને સ્થિરચિત્તતા એ જ મોક્ષમાર્ગ છે. હવે અક્ષરનો ન્યાસ કરવાનું બતાવે છે. એકલા અક્ષરથી કોઇપણ જાતનો વિકલ્પ ઉદ્ભવતો નથી માટે માત્ર વર્ણાક્ષરોના ધ્યાનથી. પણ નિર્વિકલ્પ થઇ શકાય છે. આથી જ સિદ્ધચક્રના પૂજનમાં ક વર્ગાય, ચ વર્ગીય સ્વાહા વગેરે બોલીને વર્ણમાળાના અક્ષરોનું પૂજન કરવામાં આવે છે. તેમજ તે પૂજનના બહુમાનરૂપે સોપારી વગેરે ફળો પણ મૂકવામાં આવે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના પાંચમાં પ્રકાશમાં આ વર્ણાક્ષરોને ષટ્ચક્રોમાં કમલાકારે સ્થાપન કરીને અથવા તો હૃદય કમલમાં સ્થાપન કરીને એટલે કે એક એક અક્ષરનો એક એક કમળની પાંખડી ઉપર ન્યાસ કરીને તે અક્ષરના ધ્યાનની પ્રક્રિયા બતાવી છે. આ અક્ષરો એ જ્ઞાનનું મૂળ છે. તેના ધ્યાનમાં ઉપયોગની સ્થિરતા થતાં વિકલ્પનો નાશ થાય છે અને તેનાથી આત્મા પોતે અક્ષર પદઅવિનાશી પદ – કૈવલ્યપદને પામી શકે છે. વર્ણાક્ષરોના સમુહથી બનેલા શાસ્ત્રોનું અવલંબન પણ એ રીતે લેવાનું છે કે જેથી આત્મા વિકલ્પમાંથી નિર્વિકલ્પતા તરફ પ્રયાણ કરે. અક્ષરો ભેગાં થઈ શબ્દ બને છે. શબ્દ એ વિકલ્પ છે. અશબ્દ-નિઃશબ્દ એ આત્માનું અક્ષર સ્વરૂપ છે. એટલે કે વિકલ્પના સહારે અશબ્દ એટલે કે નિર્વિકલ્પમાં જવાનું છે અર્થાત્ અક્ષર એટલે કે અક્ષય થવાનું છે કે જે શબ્દનું મૂળ છે. શબ્દ મુદ્રા-બીજ-ધારણા અને અક્ષર ન્યાસ ને હૃદય કમળમાં ધારણ કરવા દ્વારા અર્થને એટલે કે તેના ફળને પામવાનું હોય છે; અર્થાત્ આ બધા યોગો છે, તેનો વ્યાપાર ઉપર બતાવેલી રીતે કરવાનો છે. તે દ્વારા મોહનીયકર્મના ક્ષયોપશમે સાઘકમાં જૈનત્વ જોવું અને મોટ્નીય કર્મના સર્વથા ક્ષયે સિદ્ધ જૈનત્વ જોવું. પછી તે વ્યક્તિ જૈન છે કે જૈનેતર તે નહિ જોવું. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 915 આત્માની પરિણતિ ઉચ્ચ-ઉચ્ચતર-ઉચ્ચતમ બને તો આ યોગોનો વ્યાપાર સાર્થક થયો કહેવાય. એ થયેથી જ સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. સિદ્ધિ પ્રાપ્ત થયા વિના વાસ્તવમાં વિનિયોગ થઈ શકતો નથી અને સિદ્ધિની પ્રાપ્તિમાં ઉપર બતાવેલા મુદ્રા, બીજ, ધારણા, અક્ષર તેનું જ્ઞાન અને તેનો ન્યાસ આ બધા અંગો ઉપયોગી થઈ પડે છે. સિદ્ધિ પ્રાપ્ત કરીને પછીથી તેનો વિનિયોગ કરવાનો છે એટલે કે પ્રાપ્ત સિદ્ધિનું અન્ય સુયોગ્ય આત્માઓને પ્રદાન કરીને સંતતિ યોગમોક્ષમાર્ગના વહેણને અખંડ વહેતું રાખવાનું છે. વિનિયોગ એ પ્રાપ્ત સિદ્ધિનું વિતરણ છે.જે જ્ઞાનનું પ્રવહણ છે એ સિદ્ધિની સુવાસ છે-પમરાટ છે, પરિમલ છે, મહેંક છે. આ પ્રકારે, જે કોઈ પણ વ્યક્તિ સાધના કરશે-ધ્યાન કરશે, તે કોઇથી ઠગાશે નહિ અને સ્વયં કોઇને ઠગશે નહિ. આમ તેને પ્રાપ્ત થયેલ યોગ અવંચક થશે એટ્લે યોગાવંચક થઇ ક્રિયાવંચક બનશે અને અંતે ઉપર ઉપરના ફળો પ્રાપ્ત કરવા દ્વારા અંતે અંતિમ ફળ મોક્ષ પ્રાપ્ત કરવા દ્વારા કૈવલ્યલક્ષ્મીથી મંડિત થશે. માત્ર શરત એટલી જ છે કે આ યોગક્રિયા કોઈપણ જાતના કપટ વગર-આત્મવંચના કર્યા વિના આત્મસાક્ષીએ પ્રામાણિક બનીને- ઋજુ અને પ્રાજ્ઞ બનીને કરવાની છે અને તો જ ફલાવંચક બને અર્થાત્ ઈષ્ટફલ - મોક્ષ પ્રાપ્ત થાય. આમ યોગીરાજે આ કડીમાં મોક્ષની પ્રાપ્તિ માટેનો આખો ક્રમિક વિકાસનો, સ્ટેપ બાય સ્ટેપ માર્ગ બતાવ્યો છે, જેને આપણે અનુસરીએ તો જરૂર લાભ થાય. અવિધિનો ડંખ અને વિધિનું બહુમાન, સાધનામાર્ગમાંયોગમાર્ગમાં અત્યંત ઉપયોગી છે. તેનાથી સંસ્કારયુક્ત સ્વચ્છ પુણ્યનું ઉપાર્જન થાય છે. શુદ્ધ જ્ઞાતા દૃષ્ટાને બધું છે-છે ને છે. જ્યારે કર્તા-ભોક્તા વાળા જ્ઞાતા-દૃષ્ટાને નથી-છે-નથી (કાળની ક્રમિક્તાએ). Page #82 -------------------------------------------------------------------------- ________________ 916 , હૃદય નયન નિહાળે જગધણી શ્રત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાનિધન મિલેરે કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે રે.ષ..૧૦ અર્થ : સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે વિચાર કરીને બોલું છું, તો આ વખતમાં મને નીચે પ્રમાણેની સ્થિતિ દેખાય છે. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના લક્ષણોવાળા સુગુરુ દેખાતા નથી, શાસ્ત્રમાં . કહ્યા પ્રમાણે ક્રિયા કરીને અનુભવ જ્ઞાની ગીતાર્થગુરુ વિના મોક્ષનું કારણ બને તેવું હું સાધુપણું પામી શકતો નથી. તેથી રાત્રિ-દિવસ એ ખેદ સઘળાના મનમાં વ્યાપી રહેલો છે. વિવેચનઃ આ સ્તવના કરનાર આનંદઘનજી મહારાજ તે કાળના મહાન જ્ઞાની હતા, મહા યોગી હતા, અધ્યાત્મવિદ્ હતા, શાસ્ત્રોના મર્મને પામેલા શ્રુતજ્ઞ હતા, ભાવસાધુ હતા. છતાં પોતાનામાં પ્રમાદ, અતિચારવાળી અવસ્થા દેખવાથી તેમજ નિરતિચાર ચારિત્રની સ્પર્શના પોતાનામાં ન દેખાતાં તેઓને પોતાના માટે સાધુ શબ્દ વાપરવો ડંખતો હતો અને તેથી જાતને સાધુ કહેવડાવતા ડરતા હતા. - હાલમાં પોતાનામાં તેવા પ્રકારના ભાવસાધુના ગુણો ન હોવા છતાં પોતાને લોકો તેવા પ્રકારના મોટા નામથી બોલાવે તેવું ઈચ્છતા જૈનાભાસ સ્વરૂપ, નામધારી અને વેષધારી આત્માએ આના ઉપરથી બહુ વિચારવાની જરૂર છે. કોઈપણ જાતના વિશિષ્ટ ગુણ વિના, વિશેષ પ્રકારના શાસ્ત્રબોધ વિના, પરિણતિ વિના, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ-અપવાદ વગેરેનું યથાસ્થાને યોજન કરવારૂપ ગીતાર્થતા વિના ગણિ, પંન્યાસ, આચાર્ય એવા માત્ર નામ ધારણ કરવાથી કદી પણ આત્માનું કલ્યાણ થયું નથી અને ભાવમાં થનાર નથી. પદની અને શિષ્યની પૂઠા-લાલસાથી સાદુભગવંતનું જ્ઞાન, નીચલી અદાલત Small Court જેવું છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 911 ચરિત્રજીવન અત્યંત મલિન બને છે. એક પણ ખોટી ઈચ્છાનો કીડો અંદર સળવળે પછી તેને સફળ કરવા આત્મા ચારિત્રજીવનથી કેટલો નીચો ઉતરે અને કયું ખોટું કામ ન કરે તેનું કોઈ ગણિત માંડી શકાય તેમ નથી. નામ પ્રમાણેના ગુણ વિના આત્માનું ભાવ-દારિદ્ર ટળે નહિ. સંસારનું પરિભ્રમણ ઊભું જ રહે. જન્મી જિન શાસન વિષે, મુનિ થયો બહુવાર, . મુનિ દશા સમજ્યા વિના, હું ભટક્યો બહુવાર, મુનિ થયો, વાચક થયો, સૂરિ થયો બહુવાર, ન થયો મૂરખ આતમા, અંતર્મુખ અણગાર. - આનંદઘનજી મહારાજને પોતાના સમયમાં આત્મજ્ઞાની ગુરુઓનો દુકાળ દેખાતો હશે તેની વેદના તેમને પીડતી હશે માટે તેમના મુખમાંથી સરી પડેલા આ ઉદ્ગારો છે. : આ જ વાત તેઓએ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કહી છે. . આગમધર એટલે આગમના મર્મને પામેલા, સમ્યકત્વવંત-તત્ત્વની શ્રદ્ધાવાળા, સંવરની ક્રિયાને કરનારા, સંપ્રદાયથી=સંપ્રદાયની મર્યાદાને સાચવનારા, અવંચક એટલે દંભ વિનાના, આત્મ સાક્ષીએ પ્રામાણિક અને અનુભવના દરિયા જે હોય છે, તેવાને જ ગુરુ જાણવા. પદૃર્શનને યથાતથ જાણનારા, સ્વીકારનારા, તેને જાણીને સાધનામાં સતત રહેનારા, નિગ્રંથ જ્ઞાની ગીતાર્થ માર્ગદર્શક ગુરુભગવંતનો યોગ થવારૂપ યોગાવંચકતા નથી. યોગીરાજના કાળમાં જેમ સદ્ગુરુની દુર્લભતા હતી તેમ વર્તમાનમાં પણ છે. સદ્ગુરુ વિના મોક્ષમાર્ગ બતાડે કોણ? સન્માર્ગે ચઢાવે કોણ? ચલાવે કોણ? મંઝિલે પહોંચાડે કોણ? ગણધર ભગવંત-શ્રુતકેવળીનું જ્ઞાન, ઉપલી અદાલત High Court જેવું છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ 918 , હૃદય નયન નિહાળે જગધણી જ્ઞાનીનું માર્ગદર્શન મળે નહિ તેથી જ્ઞાનક્રિયા-સ્વરૂપ ક્રિયા થાય નહિ અને તેથી જ્ઞાનશૂન્ય કોરી ક્રિયાથી જે સાધવાનું છે તે સધાય નહિ એટલે સિદ્ધિ સાંપડે નહિ. દશ-દશ દૃષ્ટાંતોથી દુર્લભ એવો પણ મળેલો માનવભવ એળે જાય. ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ. આતમ ગુણ અકષાયતા, ધર્મ ન જાણે શુદ્ધ-ચંદ્રાનન જિન સાંભળો મોરી અરદાસ. તત્ત્વ રસિક જન થોડલા રે, બહુલો જન સંવાદ જાણો છો જિનરાજજી રે, એ સઘળો વિખવાદ ચંદ્રાનન જિન.. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવક્રિયા રુચિકીન : ઉપદેશક પણ તેહવારે શું કરે જીવ નવીન? ચંદ્રાનન જિન.... - - દેવચંદ્રજી મહારાજ સઘળા વિખવાદને ત્યજીને ચિત્તને પ્રસન્નતાથી ભરી દેનારા ભાવનિક્ષેપે રહેલા વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા આજે મળ્યા નથી પણ એના ચીંધેલા રાહે ચાલીને જગતને એ માર્ગે દોરનારા સદ્ગુરુ પણ પ્રાયઃ શોધ્યા જડતા નથી. તેનો વિખવાદ આજે છે કારણકે આજે તો સર્વત્ર પ્રશાંતતા જોવા મળતી નથી પણ માન્યતાના વિખવાદ જ જોવા મળે છે. આવી હદયની વેદના યોગીરાજ ઠાલવી રહ્યા છે. પાઠાંતરે વિષવાદ શબ્દ છે. એ વિષવાદ શબ્દને લઈને અર્થઘટન કરીએ તો સદ્ગુરુના યોગની દુર્લભતાથી સૂત્રાનુસારી શાસ્ત્રયોગથી વચનયોગ કાયયોગ સાધી શકાતો નથી તેથી ચિત્ત વિષમય કલુષિત થઈ ગયું છે. ઉપશમતાના અમૃતપાનની જગાએ વિવાદ-વિખવાદની કલુષિતતાનું વિષપાન થઈ રહ્યું છે. કેવળીભગવંતનું જ્ઞાન, સર્વોચ્ચ અદાલત Supreme Court જેવું છે. ' Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી , 919 તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદવન લહીએ રે.ષ..૧૧ અર્થ હે પ્રભો! શાસ્ત્રોમાં કહેલા આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુ મળતા નથી તેમજ પરમાત્માના પ્રતિનિધિ સમા સદ્ગના અભાવમાં ક્રિયા કરી સાધુપણું સફળ કરવાની મારી શક્તિ નથી. તેથી હે પ્રભો! આપની પાસે હાથ જોડીને ઉભો છું અને વિનંતી કરું છું કે મને યોગ્ય અવસરે સમય પુરુષના ચરણની શુદ્ધ સેવા આપજો કે જેથી આનંદઘન સ્વરૂપ પરમાત્મપદ પ્રાપ્ત થાય! - વિવેચનઃ હે જિનોમાં શ્રેષ્ઠ એવા દેવાધિદેવ પ્રભો! હું બે હાથ જોડી, માથું નમાવી નતમસ્તકે આપની સન્મુખ ઊભો રહી, ગદ્ગદ્ હૃદયે પ્રાર્થના કરું કે, મને એવો કાળ અને એવું આચરણ આપજો કે જેથી આગમપુરુષના ચરણની સેવા કરી શકું અર્થાત્ શ્રુતજ્ઞાનની સમ્યમ્ આરાધના કરું, જેથી મને ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર વગેરેનો નયગર્ભિત બોધ થાય! મારી પરિણતિમાં વિવેક, વૈરાગ્ય, ઉપશમભાવ, ગીતાર્થતા વૃદ્ધિ પામે! મારી પરિણતિમાં જગતના વિનાશી પદાર્થો ન વિલસતા એક માત્ર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયક ભગવાન જ રમ્યા કરે. જ્ઞાયક ભગવાનની સાથે નિરંતર ઉપયોગ કેવી કરતો રહે, જેથી થોડા જ સમયમાં સંસારથી છુટકારો પામું અને આનંદઘન સ્વરૂપ પરમાત્મ પદમાં વાસ કરું! સાદિ અનંતકાળથી અજ્ઞાનઘન બનીને જીવ્યો તેથી દુઃખઘન બનીને ભટક્યો છું. હવે મારી ભટકણનો અંત આવે એ જ હૃદયની ભાવના છે! એ સિવાય આપની પાસે હું બીજું કાંઇજ માંગતો નથી! આ સ્તવનમાં યોગીરાજે પદર્શનને જિનેશ્વર પરમાત્મરૂપી પુરુષના અંગરૂપ બતાવી એનો સાપેક્ષદષ્ટિએ સ્વીકાર કરવાનો જે નિર્દેશ કર્યો છે, જેવું થાય છે એવું કે જેવું થવાનું છે એવું, પરમાત્મા જુએ છે, તે તેમનું અકર્તુત્વ છે-વીતરાગતા છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ 920 હૃદય નયન નિહાળે જગધણી તેના અનુસંધાનમાં આપણા સહુના જીવન વ્યવહારનો જે અભિગમ છે તેને પણ ન્યાય આપવા પ્રયત્ન કરીએ. આ સઘળાય દર્શનના પોતપોતાના જે આગવા વિકલ્પો છે, તે વીતરાગતા લાવવા માટે ઉપયોગી છે કેમ કે તે વિકલ્પોથી વિરાગી બની શકાય છે. માત્ર તે તે દર્શનો અપૂર્ણ અને એકાંગી હોવાથી વિશ્વ વ્યવસ્થા અને વિશ્વ સ્વરૂપને સમજાવવા નાકામયાબ બને છે અને તેથી સ્યાદ્વાદ દર્શનથી મહાત થાય છે. આપણા સહુનો અનુભવ છે કે પરણવા લાયક ઉમેદવાર યોગ્ય કન્યાને વરવા ઈચ્છતો હોય છે અને તે દ્વારા સંસારસુખ પામવા ચાહે છે. તેવા કોઇક ઉમેદવારને પ્રથમ કન્યા બતાવવામાં આવી. યુવાનને ગમી અને તેણે હા પાડી પણ તે વખતે તેનો કોઇ હિતેચ્છુ કહે છે કે ભાઈ! આ કન્યા તો પરણી ચૂકેલી છે, બીજાની થઈ ગયેલી છે; એ સમજીને તું પરણજે! ત્યારે તે ઉમેદવાર સ્પષ્ટ શબ્દોમાં ના કહે છે કે જે બીજાને વરી છે તે મારી કેમ થાય ? આ જ વાત સાંખ્યદર્શનની છે કે પુરુષ સ્વ છે અને પ્રકૃતિ પર છેપારકી છે, તે પ્રકૃતિને તું ગમે તેટલી ચાહીશ તો પણ તે તારી કેમ થશે? હવે તે ઉમેદવારને બીજી કન્યા બતાવવામાં આવતા તે પણ પસંદ પડી. તેણે હા પાડી પણ તે વખતે તેને ફોડ પાડવામાં આવ્યો કે આ કન્યાની ગ્રહદશા એવી છે કે હસ્તમેળાપ સમયે જ કદાચ મૃત્યુ આવે, તો ત્યારે પણ તે મૂરતિયો ના પાડે છે કે જે પરણતી વખતે યા તો પછી તરત જ મરવાની છે, તેની સાથે હું સંબંધ કેમ બાંધુ? તો એ જ વાત ક્ષણિકવાદી-અનિત્યવાદી બૌદ્ધની છે. સંસારની ક્ષણિકતા બતાવવા દ્વારા તે જીવને સંસારથી છુટવા ઉપર ભાર મૂકે છે. જ્ઞાની ભગવંતે આપણને સ્યાદ્વાદ શૈલી આપી છે, તે આપણા વિકલ્પોને સમતોલ રાખવા માટે અને વિકલ્પોમાં ઉંયો સ્વરૂપ રસ પાડવા માટે આપેલ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથજી 921 હવે ત્રીજી કન્યા સાથે વાત ચાલી. તે પણ પસંદ પડતા પેટછૂટી વાત નિખાલસપણે જણાવી કે ભાઇ! સમજીને હા પાડજે કે આ કન્યા દેખાય છે તો સુંદર પણ બહુરૂપી છે-માયાવી છે. જે રૂપમાં દેખાય છે તે રૂપ તેનુ રહેવાનું નથી. સર્પિણી, ભુજંગિણી, ચિત્રિણી, શંખીણી, જોગીણી, ભક્તાણી, નટડી વગેરે અનેક રૂપો તેના છે. તો તે વખતે કયો મૂરતિયો ભૂલભૂલામણીમાં અટવાવનારી બહુરૂપીણીનો હાથ પકડવા તૈયાર થાય? આ વાત વેદાંતદર્શન અંતર્ગત મિમાંસકની છે. આ વાતમાં ય મેળ પડ્યો નહિ એટલે ચોથી કન્યા બતાડવામાં આવી અને કહી દીધું કે આ દેખાવમાં ક્ન્યા છે પણ હકીકતમાં કઠપૂતળી છે, માટીનું રમકડું છે – માટીનું પૂતળું - રાખનું રમકડું છે. માટીના પૂતળા સાથેતો સંબંધ બંધાતો હશે? મૂરતિયો વાંઢો રહેવાનું કબુલ કરે છે પણ માટીના પૂતળા સાથે પરણવાની સ્પષ્ટ ના પાડે છે. આ વાત નાસ્તિક ચાર્વાક દર્શનની છે કે જે પંચમહાભૂતમાંથી . બનેલા દેહરૂપ માટીના પૂતળાને જ માને છે તેની અંદર રહેલ તત્ત્વને નહિ. આ નાનકડા દષ્ટાંત ઉપરથી જાણી શકાય તેમ છે કે દરેક દર્શન પાસે વૈરાગ્ય પમાડી વીતરાગતા તરફ લઇ જનારા સારા-ઊંચા સાધનાના વિકલ્પો છે. આ સર્વ વિકલ્પોનો સાપેક્ષ દૃષ્ટિથી-દ્રવ્ય-ગુણ-પર્યાયની દૃષ્ટિથી સ્યાદ્વાદ દર્શનમાં સમાવેશ થયેલો છે માટે તે જે અનિત્ય છે તેને અનિત્ય તરીકે, માયાવી અને વિનાશીને તે રીતે ઓળખાવીને, પુદ્ગલના દેહને માટી તરીકે બતાવીને તેનાથી છોડાવે છે અને નિત્યથી અભેદ થવાનો સર્વાંગ સુંદર માર્ગ બતાવે છે. આમ આ નાનકડા ૧૧ કડીના સ્તવનમાં યોગીરાજે ગાગરમાં સાગર ભરી દીધો છે અને સંસ્કૃત-પ્રાકૃતના અજાણ જીવોને પણ અધ્યાત્મ માર્ગ-મોક્ષમાર્ગ બતાડ્યો છે. આ ખરેખર તેમનો યોગચમત્કાર છે. સ્યાી ખોટા અહમ્ કાઢવાના છે. ન્યાયાધીશ નથી બનવાનું. અસ્યાદ્-પરમાત્મ તત્ત્વને માથે રાખવાના છે. પરમાત્માનું શરણ સ્વીકારવાનું છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ 922 , હૃદય નયન નિહાળે જગધણી 22 શ્રી નૈમનાથ જિન સ્તવન રાગ : મારૂણી .... “વણરા ઢોલા..” એ દેશી મ.૧ અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ, મનરાવાલા; મુગતિ-સ્ત્રીશું આપણે રે, સગપણ કોઈ ન કામ.' - ઘર આવો હો વાલમ! ઘર આવો, મારી આશાના વિસરામ; મ. રથ ફેરો હો સાજન! રથ ફેરો, માહરા મનના મનોરથ સાથ. મ.૨ નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ; મ. ઇશ્વર અરધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મ.૩ પશુજનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર; ૫. માણસની કરુણા નહી રે, એ કુણ ઘર આચાર. પ્રેમ કલ્પતરુ છેદીયો રે, ધરિયો યોગ ધતૂર; મ. ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર. - મ.પ મારું તો એમાં કશું નહીં રે, આપ વિચારો રાજ; મ. રાજસભામાં બેસતાં રે, કીસહી વધશે લાજ. મ.૬ પ્રેમ કરે જગ જન સહુને, નિરવાહે તે ઓર; મ. પ્રીત કરીને છાંડી દિયે રે, તેહશું ન ચાલે જોર. મ-૪ પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવ નહિ નીકળે? Page #89 -------------------------------------------------------------------------- ________________ NEM | NATH BHAGWANI यदुवंश - समुद्रेन्दुः, कर्म - कक्ष - हुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूयाद् वोऽरिष्टनाशनः॥ ॥२२॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ નામ : ૨૨ મા શ્રી નેમિનાથ લાંછન : શંખ રાશિ : કન્યા પણ : રાક્ષસ માતા : શિવાદેવી પિતા : સમુદ્રવિજય ગર્ભવાસ : E-૮ દીક્ષા પર્યાય : 900 વર્ષ ', સર્વ આયુષ્ય : ૧૦૦૦ વર્ષ સમ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા આસો વ.૧ ૨ નૈમિનાથજી જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા શ્રા. સુ.૫ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા શ્રા. સુ.૬. કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા ભા.વો)) નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : ચિત્રા અ. સુ.૮ જન્મનગરી : સૂર્યપુર દીક્ષાનગરી : ગીરનાર કેવળજ્ઞાનનગરી : રૈવતગિરી (ગીરનાર) નિર્વાણભૂમિ : ગીરનાર Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી જો મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ; મ. નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હુવે નુકસાન. દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ; મ. સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. 923 શ્રદ્ધાનું દુષણ શંકા. જ્ઞાનનું ભૂષણ શંકા. મ.૮ મ.૯ સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત; મ. ઇણ લક્ષણ સાચી સખીરે, આપ વિચારો હેત. રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ; મ. રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માગ. એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો જાણે લોગ; મ. અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ. જિણ જોણે તુજને જોઉં રે, તિણ જોણી જુવો રાજ; મ. એકવાર મુજને જુવો રે, તો સીઝે મુજ કાજ મ.૧૩ મોહ દશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વ વિચાર; મ. વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મ. આશય સાથે ચાલીયે રે, એહિજ રૂડું કામ ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરથાર; મ. ધારણ પોષણ તારણો રે, નવ સર મુગતાહાર કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ; મ. કૃપા કરી પ્રભુ દીજીયે રે, ‘આનંદઘન’ પદ રાજ મ.૧૦ મ.૧૧ મ.૧૨ મ.૧૪ મ.૧૫ મ.૧૬ મ.૧૭ આનંદઘનજી મહારાજની ચેતના પરમાત્મ સ્વરૂપને પામવા તલસી રહી છે તે આ ૨૨મા શ્રીનેમિનાથ ભગવાનના સ્તવનમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પોતાના અંતરમાં રહેલી વ્યથાને આર્તનાને-હૃદયના નિર્મળ પ્રેમને, Page #92 -------------------------------------------------------------------------- ________________ 924 S24 NE , હૃદય નયન નિહાળે જગધણી હૃદયની વિરહ વ્યથાને તેઓએ રાજીમતિના માધ્યમે વાચા આપી છે. નેમ અને રાજુલના બનેલા ઐતિહાસિક પ્રસંગને યથાવસ્થિત માન્ય રાખીને-તે પ્રસંગને સાંગોપાંગ સ્વીકારીને સ્વયં પોતે જ નેમ-રાજુલરૂપે પરિણમીને હૃદયનો ઘેરો વલોપાત પ્રભુ આગળ ઠાલવી રહ્યા છે. પોતાની ભીતરમાં રહેલ હૃદયનું નિર્મળ ઝરણું ઝરમર-ઝરમર થઈને વહી રહ્યું છે, તે જ ઝરણું આગળ જઈને મોટા વહોળારૂપે નદીમાં રૂપાંતરિત થાય છે અને અંતે નેમનાથ ભગવાન (નિશ્ચયથી નિજ પરમાત્મા) રૂપી પ્રગાઢ સમુદ્રમાં જે ઓગળી જવા-એકરૂપ થવા મથી રહ્યું હતું તે પોતાની હૃદય વ્યથાને-વિરહ વેદનાને રાજીમતિના માધ્યમે ઠાલવીનેવાચા આપીને સ્વયં પોતે જ નેમનાથ ભગવાનની આગળ વિનવી રહ્યાં છે. પોતાના હૃદયમાં પરમાત્માનો એટલે કે પોતાના શુદ્ધસ્વરૂપનો વિયોગ સતત સાલ્યા કરે અને તેથી સર્વત્ર ઉદાસીનતા આવે એ ઉપાસના યોગની ગરિમા છે. પ્રભુ આગળ ઝુરનારને પ્રભુ મળ્યા વિના રહે નહિ એ નિયમ છે. ' , નેમ અને રાજુલના તે સમયે બનેલ ઐતિહાસિક બનાવને નયષ્ટિથી-અનેકાન્ત દષ્ટિથી વિચારી શકાય છે. કોઈ પણ પ્રસંગનું અર્થઘટન એવું કરવું જોઈએ કે જેનાથી શ્રોતા વર્ગ-વાચક વર્ગ અધ્યાત્મને પામે અને તેના ભવચક્રનો અંત આવે. તે વખતે બનેલો બનાવને ઉપમાઓ, અલંકાર, છંદો, પ્રાસ, શૃંગાર રસ વડે અલંકૃત કરવામાં આવે, તો તે કર્ણપ્રિય જરૂર બને પણ હૃદયંગમ ન બને. અને આનંદઘનજી જેવા મહાયોગીરાજની રચનામાં અધ્યાત્મ ન હોય એવી તો કલ્પના પણ કેમ કરી શકાય? સારી એવી ચીજ પણ કર્ણપ્રિય બને તો પુણ્યબંધ કરાવવા દ્વારા સદ્ગતિ આપે. જ્યારે હૃદયંગમ બને તો નિર્જરા કરાવવા દ્વારા મોક્ષ પદનું લક્ષ્ય હોય. વ્યક્તિની ભક્તિ હોય. વ્યક્તિ આદર્શ છે, આલંબન છે. વ્યક્તિની ભક્તિ ભક્તભાવે કરવાની હોય, કે જેથી લક્ષ્ય પ્રાપ્તિની શક્તિ સાંપડે. Page #93 -------------------------------------------------------------------------- ________________ 10. In! શ્રી બિડા દેવી Page #94 -------------------------------------------------------------------------- ________________ ははははは335 これになれるのに 200かかり今 Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી - 925 આપે. અધ્યાત્મ એ જીવનમાં હૃદયંગમ બનાવવાની ચીજ છે. ત્રણેકાળમાં અધ્યાત્મની વાતો કરનારા ઘણા હોય છે પણ તેને હૃદયંગમ કરનારા તો વિરલા હોય છે. બાળ જીવો આગળ ધર્મનો પ્રભાવ બતાવવાનો હોય છે જ્યારે પ્રબુદ્ધ જીવો આગળ ધર્મનું સ્વરૂપ સમજાવવાનું હોય છે. ધર્મનો પ્રભાવ-ધર્મનો ચમત્કાર બતાવવાથી બાળ જીવો ઘર્મમાં જોડાય છે, આગળ વધે છે, પરંતુ ધર્મનું સ્વરૂપ સમજાવાથી જીવ ધર્મમાં સ્થિરતા પામે છે. આપત્તિમાં પણ ધર્મને ત્યજતો નથી. - આનંદઘનજી મહારાજની સમગ્ર સ્તવન ચોવીસી અધ્યાત્મરસથી ભરપુર છે. પ્રસ્તુતમાં પણ જો આપણે રાજીમતિના અંતરમાં રહેલા ભાવોને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો કોઈ નવી જ અનુપ્રેક્ષા વાચક પરમાત્માને સ્પર્યા વગર રહેશે નહિ. અહિંયા વાચક પરમાત્માથી અધ્યાત્મની તીવ્ર રૂચિવાળા શ્રોતાઓ અને વાચકોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. છે. આ સ્તવનમાં શ્રીમદ્ આનંદઘનજીએ પહેલી ૧૩ કડીમાં રાજીમતિના માધ્યમે પોતાની હૃદયવ્યથાને ઠાલવીને-પોતાના પ્રભુ પ્રત્યેના નિર્મળ પ્રેમને વાચા આપીને કંઈક જગ્યાએ ભગવાનને ઓલભા એટલે ઠપકાઓ પણ આપ્યા છે, જે તેમની હૃદય-વ્યથાની ઉત્કૃષ્ટતા બતાવે છે. તે તત્ત્વદષ્ટિએ-નિશ્ચયદૃષ્ટિએ વિચારતાં નિર્મળ પ્રેમરોગની ભરતી સિવાય બીજું કંઈ જ નથી કારણકે તે આત્માનું સ્વરૂપ નથી પણ હૃદયમાં ઉછળતા પ્રાકૃતિક ભાવોની વ્યક્તતા છે, જેમાં માત્ર દેહ-ઈન્દ્રિય-કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પરનું આધિપત્ય જ વિશેષરૂપે જોવા મળે છે. આત્મા પોતાના ચૈતન્યઘરમાં રહેવા અસમર્થ બને ત્યારે મોટામોટા યોગીઓનું પણ હૃદય કેવું હોય છે, તેનો આ ચિતાર છે. અન્યદર્શનમાં થઈ ગયેલ રામકૃષ્ણ પરમહંસ અને ચૈતન્ય મહાપ્રભુને પણ આવી જ કોઇક પરમાત્મ જે થયું નથી, છતાં જે થનાર છે. તે જૂએ છે અને એ જ પ્રમાણે થાય છે, તે પરમાત્માની જ્ઞાનસત્તા છે-સર્વજ્ઞતા છે-જ્ઞાનની મહાનતા છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ 926 હૃદય નયન નિહાળે જગધણી વિરહની વેદના પીડતી હતી. પોતાની આ વેદના જ્યારે અસહ્ય બને ત્યારે ભક્ત, પ્રભુ આગળ તેની વેદના ઠાલવે છે અને ત્યારે ભક્તને ઓલંભા આપવાનો પણ હક છે. ભક્તોની દુનિયા ન્યારી હોય છે; તે ગમે તેવું કરે તો પણ તે દોષ પાત્ર બનતો નથી. કારણકે હૃદયમાં શુદ્ધપ્રેમનું ઝરણું અને નિખાલસતા વહી રહ્યા છે એવા આત્માઓ પ્રભુને ઠપકાઓ આપે તો પણ તે દોષરૂપ નથી. અશુભકર્મનો બંધ કરનાર નથી. અહિંયા નિર્મળ પ્રેમરોગની ભરતી શબ્દ વાપર્યો છે તેનું કારણ એ છે કે એમાં પ્રકૃતિરૂપે રહેલું સ્ત્રીતત્ત્વ રાજીમતિના માધ્યમે વિલસી રહ્યું છે, જેમાં સ્વયંનું તત્ત્વ અકર્તાપણું-અભોક્તાપણું ભુલાઈ જવા પામ્યું છે. હકીકતમાં તો પોતાનો અંતરાત્મભાવ-અંતરાત્મદશા એ જ મોટું આલંબન છે કે જેના માધ્યમે સ્વયંની જ્ઞાનચેતના જાગૃત થતાં પુરુષચૈતન્યમાં લીનતા સાધી શકાય છે અને પરમાત્મતત્ત્વ એવા નેમિનાથ ભગવાનને વરી શકાય છે. એવો આડકતરો ચિતાર શ્રીમદ્ આનંદઘનજી મહારાજે અણસારેલ છે. શુદ્ધ નિશ્ચયનય તો સાતમા ગુણઠાણાના સમ્યક્ત્વને જ સમ્યક્ત્વ માને છે; ત્યાંજ સમ્યગ્ જ્ઞાન માને છે અને ત્યાં જ સમ્યક્ ચારિત્ર માને છે એટલે એના મતે તો સાતમા ગુણસ્થાનક પહેલા છઠ્ઠા ગુણઠાણા સુધી અજ્ઞાન જ છે અદર્શન જ છે અને અચારિત્ર જ છે; તેથી તેના મતે તો પ્રભુ આગળ ઠાલવવામાં આવેલી વિરહ વ્યથા કે જેમાં પ્રકૃતિરૂપે સ્ત્રીતત્ત્વ રાજીમતિના માધ્યમે વિલસી રહ્યું છે તે અજ્ઞાન જ છે અને તેથી તેને નિર્મળ પ્રેમરોગની ભરતી કહીએ તો તે કાંઇ ખોટું નથી. શુદ્ધ નિશ્ચયનય તો આત્મામાં ઠરી જવામાં જ ધર્મ માને છે, જે આત્માની નિર્વિકલ્પ દશા છે. તે પહેલાની વિકલ્પયુક્ત દશાને તે આત્મા જ કહેવા તૈયાર નથી. શાતા-અશાતાથી અતીત થવું એટલે દેહાતીત થવું. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 927. 9 927 આ સ્તવનની બાકીની છેલ્લી ચાર કડીઓમાં યોગીરાજે રાજીમતિની ચેતનાને બહિરાત્મભાવથી પરાણમુખ થતી અને અંતરાત્મભાવ તરફ ઢળતી બતાવી છે, તેના ઉપર અનુપ્રેક્ષા કરતાં તત્ત્વ સ્પર્શના થઈ શકે તેમ છે. દ્રવ્ય-ભાવ અને પરમના માર્ગે વિચારતા અથવા તો સ્કુલ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતમભાવે વિચારતા કાંઈક તત્ત્વ સ્પર્શના પામી શકાય છે. તો હવે તે રીતે વિચારવાનો અત્રે નમ્રપ્રયાસ કરવામાં આવે છે. ૧) બહિરાત્મભાવ એ સ્થૂલ છે. અંતરાત્મભાવ એ સૂક્ષ્મ છે જ્યારે પરમાત્મભાવ સૂક્ષ્મતમ છે. ૨) પ્રકૃતિ એ સ્થૂલ તત્વ છે. તેની સાથે કર્મ સંયોગે જોડાયેલ પુરુષ ચૈતન્ય એ સૂક્ષ્મતત્વ છે જ્યારે પ્રગટ પરમાત્મ દશા-પૂર્ણ ચૈતન્ય એ સૂક્ષ્મતમ તત્ત્વ છે. ૩) શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સ્થૂલ છે .. ભાવ ચેતના એ સૂક્ષ્મ છે. • અમનસ્કતા એ સૂક્ષ્મતમ છે. ૪) : કર્તાપણાનો અહંકાર સ્કૂલ છે. * વિકસિત જ્ઞાન ચેતના સૂક્ષ્મ છે. * અકર્તાપણું એ સૂક્ષ્મતમ છે. ૫), બહિરાત્મભાવ હેય છે. અંતરાત્મભાવ જોય છે-આદરણીય-આચરણીય છે. પરમાત્મભાવ ઉપાદેય છે-બેય છે. ૬) મિથ્યાત્વ-અજ્ઞાનભાવ સ્થૂલ છે. સમ્યકત્વ-જ્ઞાનભાવ સૂક્ષ્મ છે. કેવળજ્ઞાન સૂક્ષ્મતમ છે. સ્વભાવમાં રહીને વિભાવને ટાળી શકાય એનું નામ ધર્મ Page #98 -------------------------------------------------------------------------- ________________ 928 હૃદય નયન નિહાળે જગધણી પર્યાયમાં રમણતા સ્થૂલ છે. ગુણોની સ્પર્શના સૂક્ષ્મ છે. ત્રિકાળી ઘુવતત્ત્વ-દ્રવ્ય સામાન્ય એ સૂક્ષ્મતમ છે. પરાવલંબન ધૂલ છે. સ્વાવલંબન સૂક્ષ્મ છે. નિરાલંબન સૂક્ષ્મતમ છે. ૯) ધ્યાતા થવાનું છે. ધ્યાન કરવાનું છે. ધ્યેય પરમાત્મા છે જે લક્ષ્યરૂપે રાખવાનું છે. ૧૦) પરસમય એ સ્થૂલ છે. સ્વસમય એ સૂક્ષ્મ છે. શુદ્ધોપયોગમાં રમણતા એ સૂક્ષ્મતમ છે. ૧૧) પર્યાયમાં જગત જણાય તે સ્કૂલ છે.' પર્યાયમાં જ્ઞાયક જણાય તે સૂક્ષ્મ છે. પર્યાયમાં જ્ઞાયક વેદાય તે સૂક્ષ્મતમ છે. ૧૨) પ્રમેય સ્કૂલ છે. પ્રમાતા સૂક્ષ્મ છે. પ્રમાણ સૂક્ષ્મતમ છે. ૧૩) અશુભ ઉપયોગ સ્કૂલ છે. શુભ ઉપયોગ સૂક્ષ્મ છે. શુદ્ધ ઉપયોગ સૂક્ષ્મતમ છે. વિભાવમાં રહીને સ્વભાવમાં આવી ન શકાય અને વિભાવને ટાળી ન શકાય તેનું નામ અધર્મ. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 929 ૧૪) પર્યાયાર્થિક નયે વિચારણા પૂલ છે. દ્રવ્યાર્થિક નયે વિચારણા સૂક્ષ્મ છે. શુદ્ધાત્મા નયોથી પર નયાતીત છે જે સૂક્ષ્મતમ છે. ૧૫) સૂત્ર સ્કૂલ છે. અર્થ સૂક્ષ્મ છે. પરમાર્થ સૂક્ષ્મતમ છે. ૧૬) મોહનો અભિગમ સ્થૂલ છે. મોહથી ઉપર ઉઠવું સૂક્ષ્મ છે. સ્વરૂપમાં સ્થિરતા સૂક્ષ્મતમ છે. (૧૭) મિથ્યાત્વથી યુક્તતા સ્થૂલ છે. - વિરતિમાં સંલગ્નતા સૂક્ષ્મ છે. - કેવળ સ્વરૂપ રમણતા સૂક્ષ્મતમ છે. ૧૮) વ્યવહાર યુક્તતા સ્થૂલ છે. નિશ્ચય-સ્વયમાં સ્થિતિનો પુરુષાર્થ સૂક્ષ્મ છે. શુદ્ધોપયોગમાં સ્થિતિ સૂક્ષ્મતમ છે. આ સ્તવનની છેલ્લી ચાર કડીમાં યોગીરાજે રાજીમતિની ચેતનાને બાહ્યભાવમાંથી નીકળીને આંતરભાવમાં સ્થિરતા પામતી તેમજ પરમાત્મભાવ તરફ પ્રયાણ કરતી બતાવી છે. સ્કૂલમાંથી નીકળી સૂક્ષ્મ તરફ જઈ સૂક્ષ્મતમનું લક્ષ્ય કરતી ઓળખાવી છે. દ્રવ્યમાંથી ભાવમાં અને ભાવમાંથી પરમમાં અર્થાત્ સ્વમાં ભવન થતી સ્વભાવમાં જતી જણાવેલ છે, જે માત્ર રાજીમતિના માટે જ નથી પણ રાજીમતિના ઉપલક્ષણથી યોગીરાજના પોતાના માટે તેમ દમથી જોતું એટલે સ્યાદ્ અને એકી સાથે એક જ સમયે સર્વ નથી દેખાતું માટે પણ સ્યાદ્ ! Page #100 -------------------------------------------------------------------------- ________________ 930 હૃદય નયન નિહાળે જગધણી જ આપણા સહુના માટે આ જ કર્તવ્ય છે એવો ધ્વનિ ગુંજિત કર્યો છે. . હવે સ્તવનની શરૂઆત કરવામાં આવે છે. ભગવાનશ્રી નેમિનાથપ્રભુ ઉગ્રસેન રાજાની કન્યા રાજીમતિને પરણવા જાન લઈને આવ્યા હતા પણ પશુઓની કરૂણાને લીધે પરણવાનું માંડી વાળી પોતાનો રથ પાછો લઇ જતા હતા; તે વખતે રાજીમતિએ કરેલીં વિનતિરૂપ આ સ્તવના છે; જેમાં શાબ્દિક અર્થ કરતાં આધ્યાત્મિક અર્થઘટન કાંઈક જુદુ જ છે, જે વાચક પરમાત્માને એકાગ્રચિત્તે વાંચતામનન કરતાં સમજાશે. અષ્ટ ભવાંતર વાલણી રે, તું મજ આતમરામ, મનરાવાલા, મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કોઈ ન કામ. મનરા..૧ ઘર આવો હો વાલમ ! ઘર આવો, મારી આશાના વિસરામ, મ. રથ ફેરો હો સાજન ! ૨થ ફેરો, મારા મનના મનોરથ સાથ.. મનર...૨ :: અર્થ : હે નાથ ! આ ભવમાં આપ નેમીશ્વર, થયા છો અને હું રાજીતિ થઈ છું. આપની સાથેનો મારો સંબંધ માત્ર આ ભવનો જ નથી; તે પહેલા પણ આઠ-આઠ ભવોથી આપ મારા પ્રાણનાથ થયેલા છો, આપે મને આપની પ્રાણપ્યારી વલ્લભા ગણીને સ્વીકારી છે, તેથી આ નવમા ભવે પણ આપ જ મારા આતમરામ છો. મારા આત્મામાં આપ જ રમી રહ્યા છો. વળી આપ જ મારા મનના સ્વામી છો, તેથી હું કહું છું કે, હવે આપે જે મુક્તિરૂપી સ્ત્રી સાથે પરણવાની ઇચ્છા કરી છે, તેની સાથે સગપણ રાખવાનું કોઇ જ કામ નથી કારણકે મારો અને આપનો આઠ ભવોનો સ્નેહ છે તેથી હે નાથ ! આપના મનમાં જે મુક્તિરૂપી સ્ત્રી સાથે પરણવાની ઈચ્છા થઇ છે, તેને કાઢી નાંખો. જ્ઞાતાની ખરી વ્યાખ્યા એ છે કે, એ જાણવા જતો નથી, કરવા જતો નથી અને જોવા જતો નથી. Not going to know. Not going to do. Not going to see. Page #101 -------------------------------------------------------------------------- ________________ 1918 19plblew blokell llo OPRURRAPPORT WW W .BRRRAPARPER CVT 7 SINI HOLLOBRE NS SON SAVSKA POOL Page #102 --------------------------------------------------------------------------  Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 931 આપ રથને પાછો વાળો અને મારા પિતાના ઘરમાં જ્યાં હું છું ત્યાં આપ પાછા ફરો. મારી તમામ આશાઓ આપનાથી સફળ થવાની છે, તેથી મારી આશાના આપ વિશ્રામરૂપ છો. આપ છતાં મારી આશાઓ નષ્ટ થઇ રહી છે, મારા મનના મનોરથો જતા રહ્યા છે તેથી મારા મનના મનોરથોને પૂરવા આપ રથને પાછો વાળો. હે સાજન ! મારા મનના મનોરથની સાથે આપ રથ પાછો ફેરવો, અને મારે ઘેર આવો! રથ ફેરો એ પ્રયોગ બે વખત કર્યો છે તે પ્રીતિની પ્રબળતા બતાવવા માટે છે અને આગ્રહ સ્વરૂપ છે. તેથી તે દોષરૂપ નથી. વિવેચન : અહિંયા રાજીમતિ જે સ્ત્રી તત્ત્વ છે તે પ્રકૃતિનું તત્ત્વ છે, જે પંચ મહાભૂતનું બનેલું રાજીમતિના સ્ત્રીરૂપે રહેલું શરીરનું ખોળિયું છે કે જે સ્વયં બહિરાત્મદશામાં રહીને અંદરની આર્તનાને રજુ કરે છે પણ તે રાજીમતિના શરીરમાં બિરાજમાન ચૈતન્યતત્ત્વ જે છે તે પુરુષ છે. આવી રીતે ચૌદરાજલોકમાં-ચોર્યાશી લાખ જીવાયોનિમાં રહી પરિભ્રમણ કરતાં સર્વ જીવાત્માના શરીર-ખોળિયાઓ તેમજ તેમને મળેલ વાણી, શ્વાસોશ્વાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે સ્ત્રીલિંગે રહેલ પ્રકૃતિનું તત્ત્વ જાણવું અને તે જીવાત્માના ખોળિયામાં બિરાજમાન ચૈતન્યતત્ત્વ તે પુરુષ માત્ર જાણવો. આ રીતે વિચારતા શ્રીમદ્ આનંદઘનજીનો દેહ, ઇન્દ્રિય, વાણી, વિચાર, વર્તન, શ્વાસોશ્વાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આનંદઘનજીની પ્રકૃતિ જાણવી અને આધ્યાત્મિક અર્થઘટનમાં તેને જ રાજીમતિ જાણવી. આનંદઘનજીના ખોળિયામાં રહેલ ચૈતન્યમય આત્મા તે જ પુરુષ જાણવો અને આધ્યાત્મિક અર્થઘટનમાં તેને જ પરમાત્મા જાણવો અને આવો જે ભીતરમાં રહેલ જે પરમાત્મા છે તે પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવા રાજીમતિનો સ્વાંગ સજીને વ્યવહાર નયે નેમિનાથ પ્રભુને અને નિશ્ચયનયે સંસારીજીવને સંભાવના, શક્યતા અને સંવેદના એ ત્રણ છે જ્યારે પુદ્ગલને માત્ર સંભાવના અને શક્યતા એમ બે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ 932 . હૃદય નયન નિહાળે જગધણી પોતાના દેહમાં રહેલ ચૈતન્યમય પરમાત્માને વિનવી રહેલ છે. અત્રે શ્રીમદ્ આનંદઘનજી મહારાજને પોતાની જ પ્રકૃતિ (પર્યાય) કે જે સ્ત્રી તત્ત્વ છે અને માનવનું ખોળિયું ધારણ કરીને રહેલ છે, તે પ્રકૃતિની પાછળ પોતાનો ચૈતન્યમય ભગવાન આત્મા છુપાઈ ને રહેલ છે, તેની ઓળખ થવાથી હવે તેઓ પોતે પ્રકૃતિરૂપે રહેલ આનંદઘનજીના ખોળિયામાં ઓતપ્રોત થઈને-રાજીમતિનો સ્વાંગ સજીને નેમ-રાજુલના પ્રસંગને માત્ર ઐતિહાસિક ન સમજતાં પોતાના નિજ પરમાત્માને પ્રગટ કરવા નેમિનાથ પ્રભુને વિનંતી કરી રહ્યા છે અને તે માટે થઈને હૃદયની નિર્મળ પ્રેમની ગંગાને વહાવી રહ્યા છે, જેને પહેલી તેર કડીઓમાં ઓલભા આપવા સહિત બતાવી રહ્યા છે. જેની ઉપર અતિ પ્રેમ હોય તે વ્યક્તિને પોતાનું ઈષ્ટતત્ત્વ જ્યારે ન મળે, ત્યારે ઓલંભા આંપવા તે ભક્તિનો એક પ્રકાર છે. ભક્ત ભગવાનમય બનીને જીવતો હોય છે, પ્રભુને સર્વસ્વ સમર્પણ કરીને રહેલ હોય છે, તેનું સામ્રાજ્ય જગતથી જુદુ હોય છે, તે જે કાંઈ પણ કરે તેને પ્રભુ માન્ય રાખે છે; કારણકે પ્રભુને ખબર છે કે તે મારો છે. સંતાન માતપિતા સાથે રુસણા ધ્યે-અબોલા લે-કીટ્ટા કરે તેવો આ ભક્તિ વ્યવહાર છે. રાજીમતિ તે સ્ત્રી કલેવરને ધારણ કરવાથી ખોળિયુ સ્ત્રીનું છે પણ તેમાં બિરાજમાન પુરુષ ચૈતન્ય છે, જે અંતરાત્મ સ્વરૂપે છે, જેમાં આંતર મનથી ઉપર ઉઠવાપણું છે. તે પોતે સ્વયંની ભાવચેતનાને જગાડવા પુરુષાર્થ શીલ છે. રાગીમાંથી વિરાગી બનવા તત્પર છે. તેનાથી કર્તાપણાનો જે અહંકાર હતો તે ઓગળવા લાગ્યો, જ્ઞાન ચેતના વિકસ્વર થવા લાગી, જે હેય હતું તેનો બોધ થતાં, તે શેય પણામાં પરિવર્તિત થયું. આમ અજ્ઞાન, મિથ્યાત્વ, બહિરાત્મભાવ, તત્ત્વમાં અશ્રદ્ધાન વગેરેનો યથાર્થ ઘર્મ તત્વથી ઘર્મનું સ્વરૂપ સમજે. નામ ઘર્મથી ઘર્મ ન સમજો. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 933 બોધ થતાં જ્ઞાન સમ્યગ્ જ્ઞાનરૂપે પરિણમવા માંડ્યું, ઉપયોગમાં જ્ઞાન, જ્ઞાનરૂપે વેદાયું. પર્યાયની સત્તા, ધ્રુવની સત્તાથી ભિન્ન છે અને પર્યાય પોતાના ષટ્કારકથી સ્વતંત્ર પરિણમે છે. પર્યાયનું ઉપાદાન તે તે સમયની પર્યાયક્ષણ છે. પર્યાયક્ષણ જ પર્યાયની જન્મદાતા છે. એ ખ્યાલ આવતા પર્યાયની રમણતા ગઈ, ગુણોની પર્યાયમાં સ્પર્શના થઇ. આમ પર સમયમાંપરભાવોમાં રાચવાપણું જે હતું, જે પરાવલંબન હતું તે ગયું ને સ્વાવલંબન વિકસ્વરતાને પામ્યું. સ્વ-સમયની અંતરાત્મભાવથી ઝાંખી થઇ. ધ્યાનનો વિષય પહેલા જે પ્રકૃતિ તત્ત્વના મૂળધર્મો હતા તે આત્મભાવને, અંતરાત્મભાવને પામવાથી ધ્યાનનો વિષય હવે આત્મજ્ઞાન થયો. આમ પહેલા જ્ઞેયતત્વ બહારનું જગત હતું તે હવે જ્ઞપ્તિરુપે પ્રકાશ્યું. આમ પ્રમેયપણું- બહિરાત્મપણું જતાં પ્રમાતા-ચૈતન્ય પુરુષની જાગૃતિ થઈ. શુભાશુભ ઉપયોગમાં બંધભાવને જાણ્યો, આશ્રવદ્વારોને જાણ્યા, મોહનીયનો અભિગમ જે વિશેષ હંતો ત્યાં રાગાદિથી પર થવાનો પુરુષાર્થ આંતરભાવથી જાગ્યો. આમ મિથ્યાત્વભાવોની જે જડતા હતી, તે વિરતિભાવમાં કેન્દ્રીકરણ થવા લાગી. પર્યાય ઉપરથી દૃષ્ટિ ઉઠતાં ધ્રુવસત્તાનું પુષ્ટિકરણ થયું. દ્રવ્યાર્થિકનયની પુષ્ટિ થઈ. વ્યવહાર નયને ગૌણ કરીને નિશ્ચયમાં સ્થિત થતાં સ્વયંની સ્થિતિમાં પુરુષાર્થ પલટાયો. આમ અંતરાત્મભાવમાં સ્થિરતા થતા સ્કૂલમાંથી સૂક્ષ્મની ઝાંખી થઇ. આવી ચેતના રાજીમતિની થઇ, તે વાત યોગીરાજે પાછળની છેલ્લી ચાર કડીમાં ઉપસાવી છે, જે વ્યવહારનય સંમત રાજીમતિના પક્ષમાં ઘટમાન થાય છે. આના દ્વારા યોગીરાજ આનંદઘનજી મહારાજ એ ફલિતાર્થ કાઢવા માંગે છે કે કોઈપણ આત્મા જ્યારે બાહ્યભાવમાં મગ્ન અને લગ્ન હોય છે, ત્યારે એની સ્થિતિ આ સ્તવનમાં બતાવેલ પહેલી ૧૩. કડીમાં સુખમાં વૈરાગ્ય લાવે તે સાયો જ્ઞાની અને દુઃખમાં બ્રહ્મદશા-જ્ઞાનદશા લાવે તે સાયો જ્ઞાની. Page #106 -------------------------------------------------------------------------- ________________ 934 હૃદય નયન નિહાળે જગધણી રમમાણ રાજીમતિ જેવી હોય છે, જે તેમાં રહેલ પ્રકૃતિતત્ત્વ છે અર્થાત્ અજ્ઞાન, મોહાવેશ, પકડ વિ. દ્વારા પ્રકૃતિને વશ પડેલ આત્મા જ રાજીમતિ બનીને જીવતા હોય છે પણ એ જ આત્મા પરથી જ્યારે પ્રકૃતિનો અધિકાર ઉઠે છે અને એ આત્મા કાંઈક વિચારક બને છે. ત્યારે તે બહિરાત્મભાવમાંથી નીકળી આંતરાત્મભાવ તરફ પ્રયાણ કરે છે અને તે વખતે તેને લક્ષ્ય રૂપે પરમાત્મતત્ત્વ લક્ષિત હોય છે એટલે તે વખતે તાત્ત્વિક રીતે રાજીમતિ અર્થાત્ રાજી=આનંદઘન અને મતિ એટલે ચેતના એટલે કે આનંદઘનયુક્ત ચેતના બનેલ હોય છે. આમ એક જ સ્તવનની ૧૭ કડીઓમાંથી પહેલી ૧૩ કડીઓમાં રાજીમતિ શબ્દથી તે તે વ્યક્તિને મળેલ પુરુષ દેહ કે સ્ત્રી દેહ રૂપે મળેલ ખોળિયુ તેમજ તેને પ્રધાન કરીને થતાં મન-વચન-કાયાના ભાવો રૂપ પ્રકૃતિ તત્ત્વની ઘટમાનતા છે. જ્યારે પાછલી ચાર કડીઓમાં આત્માની જાગૃતિની પ્રધાનતા હોવાથી પ્રકૃતિનું તત્ત્વ ગૌણ થતું હોવાથી અને આત્મભાવની બળવત્તા પ્રધાન થતી હોવાથી આનંદઘન પ્રભુ અર્થાત્ નિજ પરમાત્માની પ્રધાનતા છે, કે જે વ્યવહાર નયે નેમિનાથ પ્રભુ તરીકે વિવક્ષિત છે. પ્રકૃતિ શબ્દ ઉપર વિશેષ વિચાર કરતાં પ્રકર્ષણ કૃતિ એટલે વિશેષભાવમાં રહીને કરાયેલું તે પ્રકૃતિ છે. એટલે નામ-રૂપ-દેહમાં સંલગ્નતા, એકાકારતા, મમતા છે જે અજ્ઞાન રૂપ છે, અંધકાર સ્વરૂપ છે, ચાંચલ્ય યુક્તતા છે, જેને રાત્રિ, નદી, સ્ત્રી, દીર્ઘપ્રસવ, ઈંડા, ઋણભાર, શરીરનું ડાબુ અંગ, ચંદ્રનાડી, કૃષ્ણપક્ષ, અપાન વાયુ V-અધોમુખ ત્રિકોણ, શક્તિનું પ્રતિક વગેરે દ્વારા ઓળખાવી શકાય. જ્યારે પુરુષ શબ્દ પરત્વે વિચારતા પુરિ શેતે=પુરુષ એટલે કે અધાતિકર્મની પુણ્ય પ્રકૃતિનો બંધ કરવો હશે તો, તે પણ ઘાતિકર્મમાં વિવેક કરવાથી જ થશે. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 935 $ 935 આત્મારૂપી ઘરમાં જે સૂતેલો છે-રહેલો છે તે પુરુષ છે પુરુષ શબ્દનું અર્થઘટન એવું પણ થઈ શકે કે જે દેહમાં પુરાયેલો છે તે પુરુષ છે અથવા તો જે પૂરેપૂરાની ઈચ્છા રાખે છે તે પુરુષ છે એવા પુરુષને જ્ઞાન, પ્રકાશ, વિવેક, સૂર્યનાડી- પિંગળા દિવસ, A=ઉર્ધ્વમુખ ત્રિકોણ, શરીરનું જમણું અંગ, શિવનું પ્રતિક વગેરે કહી શકાય. જે Positive ઘનભાર છે. નિશ્ચય માર્ગ છે. હસ્વભાવ સ્વરૂપ છે. | (અષ્ટ ભવાંતર વાલહી રે) - અષ્ટ ભવાંતરની વાતથી રાજીમતિ એ યાદ કરાવે છે કે છેલ્લા આઠ-આઠ ભવોથી અખૂટ રીતે આપણો સંબંધ ચાલ્યો આવે છે. હે પ્રભો ! આપ જ મારા આતમરામ છો તેથી મુક્તિરૂપી સુંદરી સાથે આપણે શું સંબંધ વગેરે દ્વારા શાબ્દિક અર્થઘટન સર્વત્ર કરાઈ રહ્યું છે. ' પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારતા ખ્યાલ આવશે કે યોગીરાજે આ વાત દોહરાવી જે નથી. પરંતુ આનંદઘનજી પોતે જ રાજીમતિરૂપપ્રકૃતિરૂપ થઈને સ્વયં પોતાના નામને અનુરૂપ ગુણ પ્રમાણે આનંદયુક્તમતિ ચેતનામાં વિશેષ વિશેષરૂપે લહેરાવવા માટે થઈને, આનંદના કવનરૂપે એક પછી એક કડીઓની છોળ ઉપર છોળ ઉછાળી રહ્યા છે ને પોતાના સ્વામિ નેમિનાથ પ્રભુને વિનવી રહ્યા છે કે, હે નાથ ! “અષ્ટ ભવાંતર' એટલે આઠ કર્મ તેની ભવાંતર પ્રક્રિયા કે જે પુનરાવૃતિ રૂપ છે જેને દ્રવ્યકર્મભાવકર્મ અને નોકર્મથી ઓળખી શકાય છે. તેની જડ પકડ - ચુંગાલમાં રહીને આપણે એટલે દરેકે દરેક સંસારી જીવોએ અનંત અનંતકાળથી સંસારને લંબાવ્યો છે. “ભવાંતર' એટલે ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતાં, આઠ કર્મોના આવરણની ચુંગાલમાં ફસાઈને સાંયોગિક પરિણામોને કરતાંતેમાં જ પોતાનું હિત માનતા-સર્વસ્વ માનતા તેમાં જ ઊંડાને ઊંડા ફસાતા જ્ઞાનને પ્રકાશ કહેલ છે જ્યારે આનંદને અનુભૂતિ કહેલ છે. આનંદ એ એકાન્ત અનુભવ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ 936 હૃદય નયન નિહાળે જગધણી ગયા છે, તેમાં આપણી સમજણે મુક્તતાને ઇચ્છી છે. તે મુક્તતાને આધ્યાત્મિકરૂપે પ્રેમ કરેલ છે. સ્વયંમાં સ્થિરતા થતાં ભાવ ચારિત્ર જ કેમ વિશેષ થાય તેને જ પ્રાર્થનારૂપે ઈચ્છયો છે. કેમ કે પરમાર્થથી તો આત્મા પોતાના પરિણામસ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે. રાગાદિ પરિણામોનો જ કર્તા છે તેમ અશુદ્ધ નિશ્ચયનયથી કહી શકાય છે કેમ કે શુદ્ધ નિશ્ચયનયથી- દ્રવ્યાર્થિક નયથી તો આત્મા શુદ્ધ જ છે, પરમ પારિણામિકભાવ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. પરિણામ માત્ર પર્યાયમાં થાય છે. આત્મામાં એટલે કે દ્રવ્યમાં તો કર્મના કર્તાપણાનો સર્વથા અભાવ છે એટલે કે નિગોદથી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા દેવો સુધીના તમામે તમામ સંસારી જીવોમાં મૂળભૂત સ્વભાવ અકર્તાપણું છે. ઉપયોગમાં-પર્યાયમાં રાગાદિ પરિણામ સાથે સ્વની એકરૂપતાતાદાત્મ્યતા સધાય છે ત્યારે જ આત્મા મિથ્યાત્વરૂપ બંધ પરિણામને પામે છે અને અધ્યાત્મમાં મિથ્યાત્વના બંધને જ મુખ્ય બંધ પરિણામ કહ્યો છે, કારણકે તે જ સંસારનું મૂળ છે, તે નીકળી જતાં તે પછી અવિરતિ પ્રત્યયિક ચારિત્રમોહજન્ય કાષાયિક બંધ પરિણામ હોવા છતાં આત્માને ત્યાં અબંધ સ્વભાવી માનવામાં આવ્યો છે. રાગ-દ્વેષ-કષાય પરિણામ જીવને બાંધતા નથી. તે તો ચારિત્રમોહજન્ય કષાય પરિણામ છે. તે જીવને સંસારમાં ભટકાવતા નથી પણ તેમાં થતી ઉપયોગની એકરૂપતા મિથ્યાત્વના બંધમાં પરિણમે છે. મિથ્યાત્વનું કારણ અજ્ઞાન છે. વિપરીત જ્ઞાન છે. વિપરીત જ્ઞાન, ઉદયજન્ય ભાવમાં એકતા કરાવે છે જ્યારે રાગાદિ પરિણામનું કારણ ચારિત્રમોહ છે. આત્માને રાગાદિક જે ઉપજે છે, તે પોતાના જ અશુદ્ધ પરિણામ મતિજ્ઞાન કેવળજ્ઞાનને જાણી તો શકે, પણ માણી (વેદી) નહિ શકે.. કેવળજ્ઞાન જ કેવળજ્ઞાનને વેદી-અનુભવી શકે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી $ 937 છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો, અન્ય દ્રવ્ય રાગાદિકને ઉપજાવતું નથી પણ અન્ય દ્રવ્ય તેમનું એટલે કે બંધ પરિણામનું નિમિત્તમાત્ર છે અને તેથી તે વ્યવહાર કથન છે. અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્યના ગુણ-પર્યાય નિપજાવતા નથી અર્થાત્ અન્ય દ્રવ્યના ગુણ-પર્યાય વડે અન્ય દ્રવ્ય નિપજતું નથી. એવો નિયમ છે અને જેઓ એમ જ માને છે કે કર્મ, નિમિત્ત, મને રાગાદિ ઉપજાવે છે તેઓ માત્ર એકાંત કરે છે, તેથી તેઓ નય વિભાગને સમજ્યા જ નથી અને તેથી તેઓને મિથ્યાષ્ટિ કહ્યાં છે. એ રાગાદિ જીવની પર્યાયમાં ઉપજે છે, જીવમાં નહિ. જીવ તો પોતે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વરૂપ છે. પર દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. મૂળમાં ભૂલ જીવની જ છે. ઊંધી દષ્ટિ જીવની છે એમ માનવું તે જ સમ્યગૂ જ્ઞાન છે. નિમિત્તનો વાંક કાઢવો તે અજ્ઞાન છે. જીવ જ્યારે રાગાદિ ભાવોને કરે છે, ત્યારે તે જ પ્રદેશમાં રહેલ કાર્મણવર્ગણા ઓટોમેટિક ખેંચાઈ આવે છે અને કર્મરૂપે પરિણમે છે. આમ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો તે પુદ્ગલ સત્તા છે. કારણકે જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે કર્મણવર્ગણા રૂપ પુદ્ગલ જ પરિણમે છે. માટે તે જ તેનું ઉપાદાન છે. રાગાદિ પરિણામ તેમાં નિમિત્ત છે. | ‘ઉપરોક્ત અર્થઘટનથી એ તો વિદિત થાય છે કે રાજીમતિએ કરેલ “અષ્ટભવાંતર” શબ્દ અત્રે કોઈ ઓર જ અર્થમાં સમજાય છે. આઠ ભવો તે તો માત્ર પર્યાયરૂપે ગતિનામરૂપ ધરાવતાં હતાં, તે તો ભૂતકાળમાં ખતવાઈ ગયા, તેનાથી તો હવે વર્તમાન કાળ કે જે પોતાનો સ્વકાળસ્વસમય છે તેમાંજ રહેવાનો ઇશારો છે. “અષ્ટભવાંતર' એટલે અષ્ટકર્મો જે ઉદય સમયે સાંયોગિક પરિણામ માત્ર છે, જે જીવને ભવાંતરમાં પુણ્યપાપની ઉદય સ્થિતિમાં મૂકે છે, તેથી એક વાત નક્કી થાય છે કે શુભભાવ કરવાથી તો બંધ થાય છે પણ બંધનો અભાવ થતો નથી. પરંતુ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો અભાવ એ તો સમ્ય દર્શનની પ્રાપ્તિથી જ - પૂર્ણ તત્ત્વ એવું કેવળજ્ઞાન અને સિદ્ધત્વ, સામે અને સાથે રાખ્યા વિના, કોઈપણ તત્ત્વનો પરમાર્થ હાથ લાગશે નહિ. Page #110 -------------------------------------------------------------------------- ________________ 938 , હૃદય નયન નિહાળે જગધણી છે. તેનાથી જ ઉપરોક્ત બંને પ્રકૃતિઓનો બંધ અને ઉદય ટળે છે. “અષ્ટભવાંતર વાલડી રે એ પંક્તિનું અર્થઘટન એ નીકળ્યું કે, આનંદઘનજીના દેહરૂપે રહેલ પોતાની પ્રકૃતિરૂપ રાજીમતિએ પોતાની આંતર-વ્યથાને ઠાલવતાં બહિરાત્મભાવમાંથી નીકળીને અંતરાત્મભાવમાં લીન થવાનું સંબોધેલ છે. અષ્ટ ભવાંતરોમાં કર્મનું જોર નબળું પાડવા જ પુરુષાર્થ કરવો જોઈએ. આવો પુરુષાર્થ તે જ અધ્યાત્મ પ્રેમથી યુક્ત છે. મનરાવાલાનો અર્થ મનના માણીગર, મારા મનના પ્રિય એ પ્રમાણે છે.. (મુગતિ સ્ત્રી શું આપણે રે-સગપણ કોઈ ન કામ) અનંત મુક્તજ્વરૂપ મોક્ષ મેળવવો, એ આપણું લક્ષ્ય છે. તે ન મળે ત્યાં સુધી આપણે આપણી યાત્રા અંતરાત્મભાવથી પરમાત્મભાવ તરફ ચાલુ રાખવાની છે. નિજ પરમાત્મા સાથે સગપણ ન જોડાય એટલે કે કાળ લબ્ધિનો પરિપાક ન થાય ત્યાં સુધી આપણે આપણો આ પુરુષાર્થ જારી રાખીએ તે સિવાય આપણે બીજાનું શું કામ છે? (ઘર આવો હો વાલમ ઘર આવો) – આનંદઘનજીની પ્રકૃતિ કે જેણે રાજીમતિનો સ્વાંગ સજ્યો છે, તે ચૈતન્યમય નિજ પરમાત્મા કે જે વ્યવહારે નેમિ પ્રભુ છે, તેને સંબોધે છે કે હે વાલમ ! હે પ્રાણનાથ ! તમે ઘરે આવો, ધ્રુવપણામાં આવે, સ્થિર થાઓ, પર્યાય દૃષ્ટિ છોડો, અપરિણામી એવા દ્રવ્યમાં રહો, તમારી અખંડતાને ઓળખો ! તમારું સ્વરૂપ અગુરુલઘુ છે, તમે સકળ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક છો, તેને ઓળખી તેમાં સ્થિર થાઓ, સ્વરૂપમાં રમણતા કરો! (મારી આશાના વિસરામ) – સ્વયંના તત્ત્વમાં, સ્વયંથી લય પામવું, એ જ મારી આશા છે અને એ જ મારો વિશ્વાસ છે. દ્રવ્ય સામાન્ય એવા આત્મામાં શુદ્ધોપયોગે લીન થવું-સમાઈ જવું તે જ મારી આશાનો , કેવળદર્શન ન થાય ત્યાં સુધી આપણને દર્શન નથી પણ દષ્ટિ છે. કેવળદર્શન એ સમગ્ર દર્શન છે જ્યારે દષ્ટિ એ આંશિક દર્શન છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 939 વિશ્રામ છે. તે જ મારી આશાની પરિપૂર્તિ છે. (રથ ફેરો હો સાજન રથ ફેરો) - આ પંક્તિ ઉપર તાત્વિક વિચારણા કરતા એમ જણાય છે કે આનંદઘનજીની પ્રકૃતિ કે જેને રાજીમતિનો સ્વાંગ સજ્યો છે, તે પ્રકૃતિમાં રહેલ “પુરુષ ચૈતન્ય” કે જે ત્રિકાળી દ્રવ્ય રૂપે છે તેને સ્વયંને ઢંઢોળીને કહી રહ્યું છે કે, હવે બહુ ભવાંતર કર્યા. ભવોભવમાં પુનરાવૃત્તિ અખંડ ધારાએ કરી તેથી તે ચિત્તસ્થવૃત્તિ ! તમે હવે પાછા ફરો ! કાયારૂપી રથને જે મનરૂપી ઘોડલા ઉન્માર્ગે ચલાવી રહ્યા છે તેનાથી કર્મનો બંધ થઈ રહ્યો છે તેનાથી પાછા ફરો ! જો પાછા ફરો તો તે આપણને ક્યારે ક્યાં લઈ જશે? યોગોનું કંપન સતત ચાલુ છે. મનનું ચાંચલ્ય સંકલ્પ-વિકલ્પમાં સતત વર્તી રહ્યું છે. શુભાશુભભાવો સતત બંધ પરિણામને કરી રહ્યા છે, જે આશ્રવદ્વાનોનો સદ્ભાવ કરી રહ્યા છે. ચોવીસે કલાક સતત અંતર-બહિર્શલ્પરૂપે વચનયોગ ચાલુ છે. તેના કંપનો વિસ્તાર પામી રહ્યા છે. તેનાથી થતો બંધ પરિણામ ગતિ અને આયુષ્યને આપનારો છે, તેથી તે ચિત્તસ્થવૃત્તિઓ તમે શાંત થાવી. અંતરાત્મભાવમાં સ્થિર થાવ, નિજ આત્મતત્ત્વમાં જીવંતતાને આણો કે જ્યાં કોઈ કંપન કે સ્પંદન માત્ર નથી. આશ્રવ કે બંધ દ્વારો નથી તેથી - શુદ્ધોપયોગમાં સ્થિર થાવ. કર્મ બંધનો અભાવ કરો. હે સાજન ! હે સ્વામિહે મારા મનરાવાલા એટલે ઈષ્ટદેવ નિજ પરમાત્મા! પૂર્ણતાના આરે જવા લક્ષિત થાવ ! સ્વમાં સ્વથી સ્થિતિવંત થવું એ જ આપણું સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર છે. તે મારા મનરાવાલા-હે વાલમ ! નેમનાથ પ્રભુને શરણમાં લ્યો તો જ આ લક્ષ્યવેધ સાચો ગણાશે.. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે - આત્માની પ્રતીતિ, જ્ઞાન ને (રમણતારૂપી ધર્મને અનુભવ પ્રકાશ કહે છે. યથાર્થ જ્ઞાન વિના અનુભવ ભેદનો નિષેધ કરવો, એ જ્ઞાનયોગથી-નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. ભેદને સ્વીકારીને, ભેદને ટાળીને, અભેદ થવું; એ વ્યવહારથી મોક્ષમાર્ગ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ 940 હૃદય નયન નિહાળે જગધણી ન હોય. આત્માની પ્રતીતિ સાધક છે અને સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ સાધ્ય છે. સમકિતના ફળમાં રાજ્યપદ કે દેવપદ આવતું નથી પણ ત્રણની એકતારુપ સમ્યક્ પરિણમનનું ફળ આવે છે. પુણ્યનું ફળ દેવલોક એ સમકિતનું ફળ નથી. સમકિતી રાગનું જ્ઞાન કરે છે પણ રાગ એ ધ્યેય નથી. નિર્મળતા વધવી એ ધ્યેય છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તેની સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ દશા થવી તે ગુણમોક્ષ છે–તે ભાવમોક્ષ છે અને અઘાતી કર્મોનો નાશ થતાં. દ્રવ્યમોક્ષ થાય છે અર્થાત્ સિદ્ધદશા થાય છે આત્મપ્રદેશોનું સ્થિરત્વ થાય છે માટે ગુણમોક્ષ એ દ્રવ્યમોક્ષનું કારણ છે અને દ્રવ્યમોક્ષ એ કાર્ય છે. જ્યાં (ચિત્તફેરો) ચિત્તનો સંગ સર્વથા છૂટી જાય છે તેને. સ્વભાવની પૂર્ણતા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. મનનું વિલીનીકરણ થવાથી પરમાત્મા પ્રગટ થાય છે. અંતર્જલ્પ વિકલ્પનું છૂટી જવું તે સાધકદશા છે અને પરમાત્મદશા એ સાધ્ય છે. જ્યાં સુધી જીવમાં વિકાર છે, ત્યાં સુધી પુદ્ગલકર્મ નિમિત્ત છે અને જ્યારે તે કર્મો ખરે છે-અભાવ થાય છે, ત્યારે જીવમાં વિકારની લાયકાત હોતી નથી. કર્મ ખરવા તે કારણ છે અને વિકારનો નાશ થવો તે કાર્ય છે. જ્યાં કાળલબ્ધિ સાધન છે ત્યાં દ્રવ્યનો તેવો ભાવ થવો તે સાધ્ય છે. જ્યાં વર્તમાન પર્યાયનો પુરુષાર્થ સાધન છે ત્યાં દર્શન-જ્ઞાન વગેરે ગુણોનો તેવો જ ભાવ થવો તે સાધ્ય છે. જ્યારે કાળલબ્ધિનો પરિપાક થાય છે ત્યારે વૃક્ષ ઉપરથી પાકેલા પાંદડાઓ અને પાકેલા ફળો સહજ રીતે જેમ ખરી પડે છે તેમ આત્મદ્રવ્ય સહજ રીતે જ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચારિત્ર, ક્ષપકશ્રેણી, વીતરાગતા, સર્વજ્ઞતા જે પદાર્થ ઉપર જેવી દૃષ્ટિ અને જેવા ભાવ કરો તેવું તમને ફળ મળે. ॥ ધ્યાયેતિ કૃતિ નોનાયેતિ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 941. ૧૨ 941 રૂપે પરિણમી જાય છે. જ્યાં સુધી તે કાળલબ્ધિનો પરિપાક નથી થતો ત્યાં સુધી જીવને વર્તમાન પર્યાયને સુધારવાનું લક્ષ્ય રાખવું પડે છે અર્થાત્ ત્યાં ઈચ્છા પૂર્વકના વીર્યનું પ્રવર્તન છે. ત્યાં વિકલ્પ છે સાહજિકતા નથી; જેમ કે જે ફળો કાચા હોય છે, તેને વૃક્ષ ઉપરથી તોડવાનો તેમ જ ઘાસમાં નાંખી પકવવાનો પ્રયત્ન કરવો પડે છે. આ રીતે તાત્વિક અર્થઘટન કરતાં રાજીમતિનું “રથ ફેરો’.એ પંક્તિનું રહસ્ય કોઈ જુદો જ રંગ બતાવે છે. (માહરા મનના મનોરથ સાથ) - હે ચૈતન્યદેવ નિજ પરમાત્મા! પૂર્ણતાને આરે જવા સ્વરૂપ મારા મનોરથોને સાથ આપો અર્થાત્ મારા મનોરથોને સાધો, લક્ષ્યવેધ કરો, બહિરાત્મપણું છોડો, અંતરાત્મભાવથી આગળ વધી પરમાત્મભાવમાં લીનતા સાધો, સ્વ આત્મતત્ત્વમાં-સ્વ ઘરમાં નિવાસ કરો, સ્થિરતા કરો ! પરમાનંદમયી ચેતના રૂપે ઉપયોગને પરિણમાવોઆ રીતે ચૈતન્ય ભગવાન આત્મા ભીતરમાં જાગે છે ત્યારે તેને પોતાને વળગેલ પ્રકૃતિનું તત્ત્વ ખટકે છે. અનંતકાળનું સંસારનું પરિભ્રમણ પોતાના અજ્ઞાનનો વિલાસ હતો એમ સમજાય છે અને તેથી તેનાથી છુઢવા પોતાના ઈષ્ટદેવને પ્રાર્થે છે. .. નારી પખો સ્યો નેકલો રે, સાચ કહે જગનાથ, મ. ઈશ્વર અરધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મનરા.૩ " અર્થ એકલો સ્ત્રીના પક્ષનો સ્નેહ શા કામનો ? હે જગતના સ્વામી ! હું સાચું કહું છું, તેનો આપ વિચાર કરો ! મહાદેવે પાર્વતીજીને, પોતાના અરધા શરીર સાથે જોડી દીધેલાં છે, અને આપ તો મારો હાથ પણ ઝાલતા નથી, અર્થાત્ મારી સાથે પાણિગ્રહણ પણ કરતાં નથી, એ કેવી વાત છે ? તે આપ વિચારો ! અર્થ અને કામ, ઘર્મ વિના નહિ જ મળે. પરંતુ યાદ રાખો કે ધર્મનું ફળ અર્થ-કામ નહિ પણ મોક્ષ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ 942 હૃદય નયન નિહાળે જગધણી હો કાળો માત્ર સ્ત્રીના તરફનો જ સ્નેહ હોય અને આપ સ્નેહ વગરના થાઓ તે યોગ્ય નથી, બન્ને તરફના સ્નેહની જરૂર છે, મહાદેવ અને પાર્વતી વચ્ચે કેવો સ્નેહ છે? તે આપ વિચારો ! મોટાઓ આવો સ્નેહ રાખે છે, જ્યારે આપ મોટા હોવા છતાં તેમ કરતા નથી તો તે વાત કેટલી યોગ્ય છે, તેનો વિચાર કરી આપ રથને પાછો વાળો. વિવેચનઃ પ્રસ્તુતમાં રાજીમતિમાં રહેલો પ્રાકૃત બહિરાત્મભાવ પોતાની હૃદય-વ્યથાને વાચા આપીને કહી રહ્યો છે કે હે જગનાથ ! તમે તો સત્યના જીવંત રૂપ છો, સત્યના આચરણના પક્ષમાં છો, તો વિદિત કરો કે સચ્ચાઈનો આપ એકાંત તો કરતા નથીને ? માત્ર નારીની એકપક્ષીય સ્નેહ શા કામનો? તાત્ત્વિક અર્થઘટન કરીએ તો નારી એટલે પ્રકૃતિ એટલે કે પોતાને પ્રાપ્ત થયેલ દેહ કે જે સ્ત્રીલીંગે પ્રકૃતિ તરીકે ઓળખાય છે અને તેમાં બિરાજમાન પુરુષ ચૈતન્ય તેનો સ્વામિ આતમરામ-નેમિનાથ ભગવાન છે. રાજીમતિ સ્વયંના ચૈતન્યના પક્ષે રહીને પોતામાં રહેલ પ્રાકૃત દેહને વિસારી અત્યાર સુધી જે બહિરાત્મલક્ષી ભાવોમાં જકડાઈ ગઈ હતી તેની સત્યતા જાણવા પોતાના સ્વામી જગન્નાથને વિનવે છે કે સત્ય શું છે ? તે મને જણાવો. ત્યારે પોતાના દેહમાં રહેલ અંતરાત્મતત્ત્વ પુરુષ ચૈતન્ય તે પ્રકાશ પાથરે છે કે, જે સત્ છે અર્થાત્ ત્રિકાળ છે, અવિનાશી છે તે સત્ય છે. સને દ્રવ્યનું લક્ષણ કહ્યું છે. જેને જેને અસ્તિત્વ હોય, સત્તા હોય તે સત્ છે અને જે સત્ છે તે દ્રવ્ય છે. તે સ્વયંભૂ છે. અર્થાત્ તેની સત્તા પોતાથી છે. સ્વ પણ છે અને પર પણ નથી, એમ અનેકાંત છે અને તેથી એ નક્કી થાય છે કે દરેક દ્રવ્ય પોતાના ગુણપર્યાયોથી જ સત્ છે, અર્થાત્ બીજા દ્રવ્યના ગુણ-પર્યાયો કે બીજું દ્રવ્ય તેના સમાં દાશનેકગ્રંથો એ સાધન છે. જ્યારે સાધ્ય તો અધ્યાત્મવાદ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 943 અર્થાત્ અસ્તિત્વમાં કોઈ કામ કરતા નથી. તે સ્વતઃ સિદ્ધ છે, તે કોઈની અપેક્ષા રાખતું નથી. તે સ્વતંત્ર છે. અર્થાત્ પોતે સ્વયંભૂ છે માટે સ્વયંસિદ્ધ છે. પોતે પોતાના પોતાપણાથી જ પ્રસિદ્ધ છે. - દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી સત્ છે. દરેક દ્રવ્યના પરિણામ સ્વકાળમાં પોતાનારૂપે ઉપજે છે. પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિનો ક્રમ નિરંતર ચાલવા છતાં દરેક પર્યાયમાં તે દ્રવ્ય પ્રવાહથી એક સરખું પ્રવહે છે, તેથી તે એકરૂપ ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રુવપણામાં સમય ભેદ નથી. ત્રણેય એક જ સમયે છે. ઉત્પાદ-વ્યયની પરંપરામાં દ્રવ્ય સદાય સ્વભાવથી એક સરખુ રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ મોતીના હારની જેમ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક છે. | હે જીવ! તારા દેહરૂપી દેવળમાં રહેલ પુરુષ ચૈતન્ય જે અંતરાત્મ સ્વરૂપ છે, જે ત્રિકાળી સત્ છે, શુદ્ધ છે, તેનું તું લક્ષ્ય કર ! તે જ સત્ય છે. બહારના તારા આ વિનાશી પ્રાકૃત સ્વરૂપને તું જ નહિ પણ જે ધર્મ(શુદ્ધતા) આત્મામાં દ્રવ્યરૂપે ત્રિકાળ મોજુદ છે તેને તું જો ! તેનું લક્ષ્ય કરી કારણ તારો તે આત્મા જ્ઞાનાનંદથી ભરપુર છે. હે ચેતન! તું સ્વરૂપે ચેતન હોવા છતાં તારી પર્યાયમાં ચેતનતા પ્રગટી નથી કારણ તારે બહિરાત્મદશામાં વિશેષ ઝુલવાપણું થયું છે. તારો સત્ સ્વભાવ તને સમજાયો નથી તેથી હે ચેતના તારા ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યનું લક્ષ્ય કરી અને તારી પર્યાયમાં શુદ્ધતાને પ્રગટ કર. તારા પુરુષ ચૈતન્યમાં રમણતા કર. તેમ કરવાથી પર્યાયમાંથી વિકારી ભાવોનો વ્યય થાય છે અને અવિકારીભાવો પ્રગટ થાય છે. વિકારીભાવો જતાં અવિકારીભાવોમાં ત્રિકાળ ટકનાર એવા ધ્રુવદ્રવ્યની પ્રાપ્તિ થાય છે. આપણામાં વર્તતા મોહાદિભાવો એ લકવા સમાન છે. જેને લઈને સ્વરૂપવેદન અનુભવાતું નથી. Page #116 -------------------------------------------------------------------------- ________________ 944 હૃદય નયન નિહાળે જગધણી તે જ રીતે આત્મા જ્યારે ગ્રંથિભેદજનિત સમ્યકત્વ પરિણામને પામે છે ત્યારે પૂર્વના મિથ્યાત્વના પરિણામનો વ્યય, સમ્યકત્વ પરિણામનો ઉત્પાદ અને પોતાની ધ્રુવતાને આત્મા સ્પર્શે છે. આ ત્રણેય આત્મામાં જ સમાય છે. આમ ઉત્પાદવ્યય અને ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે, તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે એટલે કે દરેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં વર્તે છે. આવું સમજનાર જ્ઞાનીને પોતાના આત્માના ઉત્પાદ-વ્યય-ધ્રુવતા સિવાય બહારમાં કિંચિત્પણ કાર્ય પોતાનું ભાસતું નથી એટલે ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ જ પોતાનો આત્મા સત્ છે, તેના આશ્રયે નિર્મળતાનો જ ઉત્પાદ થાય છે, મલિનતાનો વ્યય થાય છે ને ધ્રુવતાનું અવલંબન રહ્યા કરે છે. આનું નામ ધર્મ છે. આ સત્ય છે. તેને તું પિછાણ! આથી વિશેષ કાંઈ જ કહેવું નથી. આમ રાજીમતિના પોતાના પ્રાકૃત સ્વભાવમાં પૃચ્છા કરવા દ્વારા બોલાયેલ સ્તવનની ત્રીજી કડીના પૂર્વાર્ધનું આધ્યાત્મિક રહસ્યનું ઉદ્ઘાટન કર્યું, જે વાચક પરમાત્માએ પોતાના હૃદયમાં વારંવાર સ્થિર કરવા યોગ્ય છે. . (ઈશ્વર અરધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ) – પોતાના પ્રાકૃત સ્વભાવમાં ઉછળતા તરંગોને-કલ્લોલોને આનંદઘનજીની પ્રકૃતિ જે માનવ દેહે રહેલ છે તે છોડી શકતી નથી, તેથી નેમિનાથ પ્રભુને વિરહ વ્યથાથી વિનવે છે એટલે કે નિજ પરમાત્માને ઢંઢોળે છે. દરેક પદાર્થને પોતાનો માર્મિક અર્થ હોય છે. આ કડીનું અર્થઘટન કરતા એમ સમજાય છે કે રાજીમતિજી નેમિપ્રભુને વિનંતીરૂપે કહી રહેલ છે કે મહાદેવજીએ એટલે કે શિવશંકરે પાર્વતીજીને પોતાની અર્ધગના કરીને પોતાના આખા ડાબા અંગમાં સમાવિષ્ટ કરી અર્ધનારીશ્વર કહેવાયા; એવો સ્નેહ તમે છે સુદેવ-ગુર-સુધર્મને આપણે એટલા માટે સ્વીકારવાના છે, કે જેથી આપણું પોતાનું પરિવર્તન થાય અને આપણે પોતે “સુ” બનીએ-નિત્યત્વને-અમરત્વને પામીએ. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 945 સ્વામિન્ ! કેમ દાખવતા નથી અર્થાત્ મારું પાણિગ્રહણ કેમ કરતા નથી? આનું તાત્ત્વિક અર્થઘટન કરતા સમજાશે કે આ જગતમાં અનાદિ અનંતકાળથી બે પ્રવાહો અખંડિત રૂપે ચાલી રહ્યા છે જે પુરુષ અને પ્રકૃતિરૂપે જાણવા. અધ્યાત્મમાં ત્રણ પ્રકારના ઈશ્વર સંબોધ્યા છે ૧) જડેશ્વર ૨) વિભાવેશ્વર ૩) સ્વભાવેશ્વર. આ રીતે ત્રણ પ્રકારના ઇશ્વર ગણાવવામાં આવ્યા છે. ૧) જડેશ્વર તે રજકણ આદિ, અજીવ દ્રવ્ય તે જડેશ્વર છે કેમકે પોતાની પર્યાય કરવામાં તે સ્વતંત્ર છે. ૨) જે વિભાવના સ્વામી થઈને વિભાવ કરે છે તે જીવ વિભાવેશ્વર છે અને ૩) જે ચૈતન્ય સ્વભાવના સ્વામી થઈને જે સ્વભાવને કરે તે સ્વભાવેશ્વર છે. જગતમાં આવા ત્રણેય પ્રકારના અનંત ઈશ્વર છે. જડેશ્વર પણ અનંત, વિભાવેશ્વર પણ અનંત અને સ્વભાવેશ્વર પણ અનંત છે. ' . જડ પરમાણુઓ જગતમાં અનંત છે, તે દરેક જડેશ્વર છે. નિગોદથી લઈને બધા અજ્ઞાની જીવો વિભાવના સ્વામી થાય છે માટે વિભાવેશ્વર પણ અનંત છે. અનંતા સિદ્ધો છે તે સ્વભાવના સ્વામી થઈને સ્વભાવની પર્યાય સ્વતંત્રપણે કરે છે માટે તે બધા સ્વભાવેશ્વર છે. જડેશ્વર અને સ્વભાવેશ્વર બને પોતપોતાના સ્વભાવમાં રહેલા હોવાથી તે જગતને કોઈ પણ રીતે નડતા નથી. ઉપદ્રવ કરતા નથી. સ્વભાવમાં રહેનારની એક વિશેષતા છે, કે તેઓ કોઈને નડતા નથી, તેમ તેઓને પણ કોઈ નડતું નથી. જ્યારે જે વિભાવના સ્વામી બનીને રહેલા છે તે વિભાવેશ્વર પોતે પોતાને પણ નડે છે, બીજાને પણ નડે છે અને બીજા પણ તેને સાધનથી પર થઈ સાધ્ય સમીપ થતાં જઈ, સાધ્યથી અભેદ થવું તે સાધના છે. સામાયિક આદિ ક્રિયા ત્યારે જ પૂરી થઈ કહેવાય જ્યારે કેવળજ્ઞાન થાય. Page #118 -------------------------------------------------------------------------- ________________ 946 ( હૃદય નયન નિહાળે જગધણી 946 છે , નડે છે. જે પોતે પોતામાં રહે છે તે કોઈને ય અડતો નથી, તેથી કોઈને નડતો નથી અને કોઈનું કશુંય તેને અડતું નથી, તેથી નડતું નથી. જડેશ્વર આપણે બની શકવાના નથી કારણકે આપણી જાતિ જડ નથી પણ આપણે વિભાવેશ્વરમાંથી સ્વભાવેશ્વર બની શકીએ તેમ છે કારણકે આપણે ચૈતન્ય જાતિના છીએ. આખું વિશ્વ અજ્ઞાનના યોગે પોતાને ભૂલી ગયું છે અને વિભાવને પોતાનું સ્વરૂપ માની રહ્યું છે. એ જ્યાં સુધી વિભાવનો સ્વામી થઈને રહેશે ત્યાં સુધી અશુદ્ધ પર્યાયોને પોતાની ગોદમાં તેને રાખવી જ પડશે માટે તે અનિચ્છાએ પણ અર્ધનારીશ્વર કહેવાશે કારણકે તે પુરુષ પ્રકૃતિની સાથે જોડાઈને રહ્યો છે અને તેથી પોતાના પૌરુષત્વને-આત્મતત્ત્વને મલિન કરી બેઠો છે. આથી જણાશે કે અર્ધનારીશ્વરરૂપે પંકાયેલા મહાદેવજી દ્વારા એ પ્રસ્તુત થાય છે કે શિવ-શંકરે કોઈ પાર્વતીને અડધા અંગમાં સમાવિષ્ટ કરી જ નહોતી. એ અર્ધનારીશ્વર હતા જ નહિ. એ મહાદેવ મહાદેવ રૂપે જ હતા. લૌકિકષ્ટિ-પૂલદષ્ટિ પોતાની રીતે જે અર્થઘટન કરીને પૂજાઅર્ચના કર્યા જ કરે છે. તેઓ સારભૂત અર્થવ્યવસ્થા-સિદ્ધાંતવસ્તુસ્વભાવને સમજવાની કોશિષ કરતા જ નથી. પુરુષ ચૈતન્યની પર્યાયમાં રહેલ વિભાવદશા યુક્ત રાગાદિ-પરિણામ, કષાય-ચતુષ્ક, મોહ, આદિ પ્રકૃતિ સ્વભાવ છે. તે નારી રૂપમાં વખણાઈ છે તેને જ અર્ધાગના કહેવાઈ કેમકે પર્યાય અવસ્થામાં મહાલવું, સ્વયંના સ્વભાવથી વિરુદ્ધતામાં વાસ કરવો એ જ યુગ્મતા છે, આને જ વૈત કહ્યું છે જે અદ્વૈત એવા આત્માને દુષણ રૂપ છે. પુરુષ અને પ્રકૃતિ અનાદિ પ્રવાહરૂપે છે. અહિંયા પુરુષ તે જીવદ્રવ્ય એટલે કે મૂળ સત્તા છે અને એ પુરુષમાં (અસંખ્યાત પ્રદેશી આત્મામાં) વિરૂપમાં જ્ઞાતા-દષ્ટ ભાવ સક્રિય છે. સ્વરૂપમાં જ્ઞાતા-દષ્ટ ભાવ ક્રિય છે. ' Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 947 શક્તિ રૂપે અનંતા ગુણો રહેલા છે જે સાધના દ્વારા વિશુદ્ધિ વધતાં પર્યાયમાં પરિણમનરૂપે પ્રગટે છે. પુરુષ સત્તારૂપે એટલે આધારરૂપે છે અને ગુણ-પર્યાય આધેય રુપે છે તેને પ્રકૃતિરૂપે ઓળખાવી શકાય. એટલે કે પુરુષ અને પ્રકૃતિ બંને મળીને જીવ દ્રવ્ય છે. અહિંયા શીવ અને પાર્વતીના દૃષ્ટાંતરૂપે દ્રવ્ય પર્યાયનો સંબંધ બતાવ્યો છે. દ્રવ્યો તેના ગુણો અને તેના પર્યાયો, એ સિવાય આ વિશ્વમાં બીજું કાંઇ નથી. વળી ત્રણેમાં ગુણો અને પર્યાયોનો આધાર આત્મા-પુરુષ ચૈતન્ય એ જ સર્વસ્વ છે. કોઇ પણ એક દ્રવ્યના ગુણો અને પર્યાયો, અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયોરૂપે થતા નથી. સર્વ દ્રવ્યો પોતાના ગુણ અને પર્યાયોમાં જ રહે છે. આવી પદાર્થોની સ્થિતિ મોહક્ષયના હેતુભૂત છે અને તે પવિત્ર એવા જિનાગમોમાં કહેવામાં આવી છે. તેથી અત્રે રાજીમતિના લેબાશમાં રહેલ પોતાની પ્રકૃતિને ઉદ્દેશીને આનંદઘનજી કહી રહ્યા છે કે હે રાજીમતિ ! હે પ્રકૃતિ ! આ જે દેખાઇ રહી છે, વર્તમાનમાં અનુભવમાં આવે છે, તે તારો સ્વભાવ જ નથી. એ તો પ્રકૃતિનું તંત્ર છે. તું તો પોતે પુરુષ ચૈતન્ય છે. તારામાં રહેલા નિજપરમાત્માને તું જાણ ! જે પ્રાકૃત ભાવો છે, કર્મના ઉદય જન્ય કે ક્ષયોપશમ જન્ય જે ભાવો છે તેને તું તારા ન માન ! તેને તું છોડ ! તારા સ્વરૂપને તારી પર્યાયમાં-તારા સ્વમાં તું બરાબર ધારી રાખ ! એ જ તારું મારી સાથેનું પાણિગ્રહણ છે એમ સમજ, એમ જાણ, એમ સ્વીકાર કર! તેને અપનાવતા તું પારગામી થઈશ અને મુક્તિને વરીશ. (તું મુજ ઝાલે ન હાથ) - એટલે સ્વ-સ્વામી સંબંધ. સ્વ એટલે રાજીમતિની નિજ-ચેતના અને સ્વામી, તે નેમિપ્રભુ અને તે જ પરમાર્થે સંસાર માર્ગમાં ‘“હું દેહ છું’’; એ ભાવથી ‘પર’ દ્રવ્યનો ‘સ્વ’માં ઉપયાર છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ 948 , હૃદય નયન નિહાળે જગધણી ઈષ્ટ એવા નિજ પરમાત્મા તેમાં સ્થિતિ કરવી, લયતા કરવી, શુદ્ધોપયોગમાં રાચવું-એકરૂપ થવું-ધ્રુવતાને પામવી-સકળ નિરાવરણ થવું, શુદ્ધ એવા પરમપારિણામિક ભાવને વરવું એ જ પાણિગ્રહણ એટલે કે તારા હસ્તને ગ્રહણ કરવા બરાબર જાણ ! પાણિગ્રહણ એકવાર અંગીકાર કર્યા પછી પ્રાણ લે પણ છોડી ન શકાય, તેનો અર્થ પાણિગ્રહણ. એટલે કે પારગામી થવું અર્થાત્ સ્વમાં ડૂબી જવું-સ્વરૂપમાં લીનતા સાધવી. આવું તાત્વિક, માર્મિક અને સાત્વિક પાણિગ્રહણ આ અનાદિ અનંત સંસારમાં અજ્ઞાનના યોગે રખડતા જીવે એકવાર પણ કર્યું નથી. જો તે કર્યું હોત તો અનાદિ ભવ પરંપરાનો અંત આવી ગયો હોત અને તે દેહાલયમાંથી નીકળીને સિદ્ધાલયમાં બિરાજમાન થયો હોત. એણે જે પાણિગ્રહણ કર્યું છે તે વિનાશી એવા દેહનું કે જે પ્રકૃતિનું તંત્ર છે, તેનું કર્યું છે. જ્યારે અહિંયા તો યોગીરાજ પુરુષતંત્રરૂપે રહેલા શુદ્ધાત્માનું તેની શુદ્ધ-વિશુદ્ધ-અતિવિશુદ્ધ એવી પર્યાય સાથેનું પાણિગ્રહણ કરવાની વાત કરી રહ્યા છે. આ પાણિગ્રહણ થતાં આત્મા, પરમાત્મા બને છે અને સર્વદુઃખોથી મુક્ત થાય છે. અનંતકાળથી ભટકતાં મૂઢ આત્માએ આવું પાણિગ્રહણ જાણ્યું પણ નથી તો પછી તેને પામવાની તો વાત જ ક્યાંથી હોય? જ્યાં સુધી બુદ્ધિ ઢેડવાડે ભટકતી હોય ત્યાં સુધી આધ્યાત્મિક દશાનું ઉત્થાન જ થતું નથી. એ તો સદ્ગુરુનો યોગ થાય અને જીવ તેની કૃપાને ઝીલે ત્યારે જ શક્ય બને છે. જ્ઞાનીના એક એક વચનમાં અનંતા આગમોનો મર્મ સમાયેલો છે. જ્યારે બુદ્ધિ નિષ્પક્ષપાતી અને સત્યશોધક સ્વભાવવાળી બને છે અને તારક તત્ત્વો પ્રત્યે આદર-બહુમાનવાળી બને છે ત્યારે અંદરમાંથી કેવા પ્રકારના ચૈતન્ય રત્નો નીકળે છે તેનો આ આંશિક પરિચય છે. મોક્ષમાર્ગમાં “હું સિદ્ધસ્વરૂપ છું''; ભાવથી ‘સ્વ'નો ‘સ્વમાં-સ્વરૂપમાં ઉપયરિ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી . પરમાનંદ દશામાં વિલસવું એ જ સાધકનું ધ્યેય છે. બાકી બધું ઉપચાર માત્ર છે. આ સંસારમાં સર્વત્ર પરમાત્મા જ છે માટે તેની સાથે જ પાણિગ્રહણ કરવા જેવું છે. એને છોડીને બીજાની સાથે પાણિગ્રહણ કરવું એ ન કરવા બરાબર જ છે. આ વાતને ખૂબ ઊંડા ઉતરીને સમજવાની જરૂર છે. તેમ કરવાથી યથાર્થ અનુભવ તેને થઈ જાય છે. યથાર્થ અનુભવ થયાની કસોટી એ છે કે અગર કોઈ તેની પ્રશંસા કરે કે, “તમારા સિદ્ધાંતો બહુ સરસ છે તો તેમાં તેને મોટાપણાનો અનુભવ ન થવો જોઈએ. સંસારમાં કોઈ આદર કરે કે અનાદર તેની કોઈ અસર સાધક પર ન થવી જોઈએ, અગર કોઈ એમ કહી દે કે, “સંસાર નથી અને પરમાત્મા છે” એ તો તમારી કોરી કલ્પનાજ છે, બાકી કાંઈજ નથી તો આવી કાંટા જેવી વાણીથી સાધકને જરા પણ ખરાબ લાગવું ન જોઈએ. એટલું જ નહિ પણ પોતાની વાતને સિદ્ધ કરવા માટે તેને દૃષ્ટાંત આપવાની કે પ્રમાણ શોધવાની ઈચ્છા માત્ર પણ ન થવી જોઈએ અને ક્યારે એવો ભાવ પણ ન થવો જોઈએ કે આ તો અમારો સિદ્ધાંત છે, આ તો અમારી માન્યતા છે, બીજાના સિદ્ધાંત કરતા અમારા સિદ્ધાંત ચડિયાતા છે, બીજામાં કાંઈ નથી અમારામાં જ બધું છે, મેં એને બરાબર સમજી લીધું છે, હું બીજાને બરાબર દલીલો દ્વારા સમજાવી શકું તેમ છું. | સર્વજ્ઞના સિદ્ધાંતની વિરુદ્ધ કોઈ ગમે તેટલું વિવેચન કરે તો પણ સર્વજ્ઞના સિદ્ધાંતમાં ન્યુનતાનો અનુભવ ન થવો જોઈએ તેમ જ પોતાનામાં કોઈ પણ જાતનો વિકાર સુદ્ધા પણ પેદા ન થવો જોઈએ. પોતાનો યથાર્થ અનુભવ હંમેશા સ્વાભાવિકરૂપમાં, અટલ સ્વરૂપે બન્યો રહેવો જોઈએ. આ વિષયમાં સાધકને કાંઈપણ વિચારવું જ ન પડે, એવી ભેદક પદાર્થ હોય તો તે પુણલદ્રવ્ય છે. પગલદ્રવ્ય નિમિત્ત રૂપે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં ભેદ રહેવાનો જ. Page #122 -------------------------------------------------------------------------- ________________ 950 , હૃદય નયન નિહાળે જગધણી મહાન સ્થિતપ્રજ્ઞદશા પ્રગટે ત્યારે પ્રભુ સાથે પાણિગ્રહણ થયું છે, એમ માનવું, બાકી નહિ. પરમાત્મા પણ છે અને સંસાર પણ છે; એ દૃષ્ટિથી જોવામાં આવે તો પરમાત્મામાં સંસાર છે અને સંસારમાં પરમાત્મા છે. પરંતુ તત્ત્વદૃષ્ટિથી જોવામાં આવે તો સંસારમાં પરમાત્મા નથી અને પરમાત્મામાં સંસાર નથી કારણકે સંસારની કોઈ સ્વતંત્ર સત્તા છે જ નહિ, કેવળ પરમાત્મા જ પરમાત્મા છે, જીવનમુક્ત બનેલા આત્માઓની સિદ્ધિની સખી સમી આ દૃષ્ટિ છે; બીજાની નહિ. સામાન્ય સંસારી જીવો આ વાતને સમજી શકે તેમ નથી. પૂર્વભવમાં આત્મયોગ સાધ્યો હોય તેવા નિકટ-મોક્ષગામી જીવો જ આ સમજી શકે તેમ છે. પરમાત્માના જ્ઞાનમાં આખોય સંસાર ઝળહળે છે. એ સંદર્ભમાં પરમાત્મામાં સંસાર છે પરંતુ એ પ્રતિબિંબિત થતો સંસાર પરમાત્માને અડતો ય નથી ને નડતો ય નથી તેથી તે અપેક્ષાએ પરમાત્મામાં સંસાર નથી. વળી સંસારમાં પરમાત્મા છે કારણકે સત્તાગત મૂળ પરમાત્મસ્વરૂપ એવા આત્મા વડે જ એની વિભાવદશામાંથી આ સંસાર ઊભો કરાયો છે પરંતુ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી પરમાત્મદશા નથી માટે તે અપેક્ષાએ સંસારમાં પરમાત્મા નથી. સયોગી કેવળી ભગવંત અને અરિહંત-તીર્થંકર પરમાત્મા સંસારમાં છે-જગતમાં છે પણ એમને લેશ માત્ર સંસાર અડતો કે નડતો નથી તેથી સંસાર પરમાત્મામાં નથી. સંસાર, એ પરમાત્માની ખાણ છે જેમાંથી પરમાત્મ સ્વરૂપનો કાચો માલ મળે છે, જેનું પ્રભુ શાસનની રીફાઈનરીમાં શુદ્ધિકરણ થતાં તે શુદ્ધ-પરમાત્મ સ્વરૂપે સિદ્ધશિલામાં સ્થાન પામે છે એટલું જ નહિ પણ સર્વકાળે અને સર્વ સમયે કોઈને કોઈ ક્ષેત્રમાં કેવળી મન ઈચ્છા કરે છે અને મન ભોગવે છે. બુદ્ધિ નથી ભોગવતી. બુદ્ધિ વિચારે છે. ઈચ્છિતની પ્રાપ્તિનું આયોજન કરે છે. બુદ્ધિને તો કાર્યસિદ્ધિ-સફળતાનો આનંદ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી A 951 ભગવંતો અને તીર્થકર ભગવંતોનું અસ્તિત્વ તો હોય જ છે, એ અપેક્ષાએ પણ કહી શકાય કે સંસારમાં પરમાત્માં છે. પશુજનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર, મ. માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર. મનરા..૪ અર્થ: હે પ્રભો! તમોએ મનમાં વિચારીને પશુજાતિ ઉપર કરુણા કરી ત્યારે તમને મનુષ્યજાતિની હું હોવા છતાં તેની કરૂણા નથી આવતી એ કયા ઘરનો આચાર છે ? હે પ્રભો! આપે રથને પાછો ફેરવતાં પહેલા વિચાર કરવો જોઈતો હતો. મારા પરણવાથી આ પશુઓને દુઃખ થશે કેમ કે તેમના પ્રાણ લેવાશે તેથી મારે પરણવું નથી એમ વિચારી આપે રથને પાછો વાળ્યો. પણ હું આપની છેલ્લા આઠ ભવોની સ્ત્રી છું અને આ જનાવરો કરતાં માણસનું પુણ્ય તો અનંત ગણે છે, એમ તમે કહો છો, તો હું પણ એક મનુષ્યાણી સ્ત્રી છું. તેથી જે હીન પ્રાણી ઉપર દયા કરે તેને તેવા પ્રાણીઓ કરતાં વધારે પુન્યવાન ઉપર તો જરૂર દયા કરવી જોઈએ. મારી વિનંતીને માન આપીને આપ પાછા ફરતા નથી અને મારા ઉપર દયા કરતા નથી તો આ કોના ઘરનો ન્યાય છે? અર્થાત્ આ રીતે કરીને આપ મારા ઉપર અન્યાય કરી રહ્યા છો તે યોગ્ય નથી. આપને આ શોભાસ્પદ નથી. કરુણાના ઈચ્છિત આ પાત્રને પુનઃ લક્ષમાં લો ! વિવેચનઃ ઉપરમાં જણાવ્યા પ્રમાણે શાબ્દિક અર્થ ઘટન કરતા જે ફલિત થાય છે તેના કરતા આધ્યાત્મિક અર્થઘટન કરતા કોઈ જુદો જ અર્થ નીકળે છે તે જોઈએ. દ્વૈત તત્ત્વના સાક્ષી બની રહેવું પરંતુ દૈત તત્ત્વના ભોગી નહિ બનવું. Page #124 -------------------------------------------------------------------------- ________________ 952 હૃદય નયન નિહાળે જગધણી પશુ જનની- તેમાં પશુ એટલે પશુતા-જડતા-અજ્ઞાન-અંધકારમિથ્યાત્વ ભવાભિનંદિતા આ બધા પશુભાવો છે. તેનાથી ઉપર ઉઠવાપણું, દિવ્યભાવ-અંતરાત્મભાવ-શિવભાવ-પરમાત્મભાવમાં આવવાપણું, અનાદિ અનંતકાળથી જે પરભાવોમાં રમણતા હતી-બહિરાત્મપણું હતું તેને છોડવું તે જ કરૂણા છે. તે જ અનુગ્રહપણું જાણવું. (આણી હૃદય વિચાર) - એટલે કે પ્રાકૃતિક ભાવોમાંથી મારો પણ ઉદ્ધાર કરો ! પ્રાકૃતિકપણું તે જડતા છે. તેમાં રમણતા એ સ્વની હિંસા છે. માનવી ઉત્તમ પાત્ર છે. તે હંમેશા કલ્યાણકામી જ હોય. પ્રાકૃતિક ભાવોથી ઉપર ઉઠવાપણાના પરમ પુરુષાર્થથી યુક્ત હોવાથી સભાનતાપૂર્વકની આત્મજાગૃતિ કેવળ મનુષ્યપણામાં જ પ્રાપ્ત થઇ શકે છે. બાકી મનુષ્ય અને પશુમાં શું ફરક હોઇ શકે ? અજ્ઞાનના અંધકારમાંમિથ્યાત્વમાં, અવિરતિપણામાં, કષાયભાવોમાં રાચવું, યોગોની ચંચળતા તે જ માણસમાં જોવા મળે કે જેમાં આત્મજાગૃતિ વિકસિત ન થઈ હોય અને તેથી તેવા માણસને નીતિશાસ્ત્રમાં પશુ સમાન ગણ્યો છે; માત્ર તેને શિંગડા અને પુછડું જ નથી. આકૃતિ પશુની નથી પણ આચાર તો પશુભાવ જેવા જ છે. પશુભાવથી જો ઉપર ઉઠવાપણું ન હોય તો તેનો ઉદ્ધાર શી રીતે થાય ? (કુણ ઘર આચાર ?) આ સંસારમાં બહિરાત્મભાવમાં રમતા જીવો જ વિશેષપણે જોવામાં આવી રહ્યા છે. દાન-શીલ-વ્રત-તપ-જપ વગેરે દ્વારા લૌકિક અને ભૌતિક અનુકૂળ સંયોગોને જ ઈચ્છનાર, તેમાં ધર્મ માનનાર અને મનાવનાર, એ દ્વારા લોકોત્તર ધર્મને પણ લૌકિક બનાવનાર એવા આત્માઓને પૂછવું પડે કે આ વળી કયા ઘરનો આચાર છે ? અદ્વૈત તત્ત્વના આગ્રહી થવું અને ભોગી પણ બનવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 953 મનુષ્યપણામાં પ્રાપ્ત સંયોગોમાં જો આંતર જાગૃતિ વિકસી નહિ હોય તો રાગાદિ-પરિણામ કષાય-સમુહને લાવનાર થશે, દીર્ઘ સંસારને વધારનાર થશે. તો આ પ્રાપ્ત સંયોગો શું પશુભાવથી યુક્ત નથી ? કે જેથી તે જીવને ભવાંતરમાં તિર્યંચાદિ ગતિમાં લઇ જનાર ન થાય ? આમ આનંદઘન ચેતનામાં લહેરાતી આનંદઘનજીની પ્રકૃતિ સ્વરૂપ રાજીમતિ પોતાના સ્વામી ચૈતન્ય પરમાત્માને અને વ્યવહારે નેમિપ્રભુને સંબોધન કરી રહેલ છે કે મારા અંતરમાં જે જન્મ જન્માંતરના પશુભાવના સંસ્કારો પડેલા છે, તેનાથી મને છોડાવો-મારો ઉદ્ધાર કરો ! સંવરનિર્જરાયુક્ત ધર્મની ર્મને સ્પર્શના થાય તેમ કરો ! જો કે અનંત મુક્તત્વ સ્વરૂપ મોક્ષદશામાં વર્તતા, અને અનંત આનંદવેદનની અનુભૂતિ કરતા પ્રભુને તો સર્વ જીવો પ્રત્યે સમભાવ જ વર્તે છે પછી તે મનુષ્ય હોય કે પશુ. તેથી કરુણા-અનુગ્રહ તે-તો નિમિત્ત માત્ર છે. પોતાના અંતરમાં રહેલ અંતરાત્મભાવ જ જીવને ચેતવી રહ્યો છે કે, તું તારામાં રહેલ પ્રકૃતિના લેબાશને છોડ ! નિજ પરમાત્મામાં રમણતા કર! ત્રિકાળી ધ્રુવ એવા આત્મદ્રવ્યમાં સ્થિરતા લાવ ! બહિરાત્મભાવમાં રાચવાપણું એ જ પશુતા છે તેને તું સમજ અને તારી સ્વભાવ રમણતા એ જ તુજ ઘર. આચાર છે તે સ્વઘરને તું જાણ ! પ્રકૃતિ અને પુરુષના ભેદને નહિ સમજવાથી જ પ્રાણી અનંતકાળથી પોતાના ચૈતન્યઘરથી ભ્રષ્ટ થઇ ચારગતિમાં ભટકી રહ્યો છે, તેને પોતાના ઘરમાં લાવવાની તાતી જરૂર છે. બહિરાત્મદશા અને પ્રકૃતિની આધીનતા એ પશુતા છે. તેમાંથી ઉપર ઉઠવું એ માનવતા છે. વિશેષ ઉપર ઉઠવું જ્ઞાની સાઘકે ઈષ્ટના સંયોગમાં-સુખમાં વૈરાગ્ય રાખવો અને અનિષ્ટના સંયોગમાં-દુઃખમાં ધૈર્ય ઘરવું. Page #126 -------------------------------------------------------------------------- ________________ 954 હૃદય નયન નિહાળે જગધણી એ દિવ્યતા છે અને પોતાનામાં સમાઈ જવું અને પછી ક્યારેય પણ તેમાંથી બહાર ન નીકળવું, તે પરમાત્મા છે. એને પામવાનો અનુરોધ યોગીરાજ કરી રહ્યા છે. પોતાના સ્વભાવમાં જ રહેવું અને સ્વભાવની બહાર ન નીકળવું એ જ નિજ ઘર આચાર છે. ' પ્રેમ કલ્પતરુ છેદીયો રે, વરીયો યોગ ધતૂર, એ. ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર.. મનરા.૫ અર્થ હે નાથ ! આપે પ્રેમરૂપી કલ્પવૃક્ષને છેદી નાંખ્યો છે અને તેની જગ્યાએ યોગરૂપી ધતૂરો વાવ્યો છે પણ મને જરા કહો તો ખરા કે આવી ચતુરાઈ શીખવનાર આ જગતમાં શૂરવીર એવો કયો ગુરુ મળ્યો છે? રાજીમતિ કહી રહી છે કે તે સ્વામિન્ ! આપ પ્રેમ તોડવાને ઈચ્છતા હો તેમ મને લાગતું નથી પણ આપને કોઈએ ભમાવ્યા છે તો જેણે આપને ભમાવ્યા હોય તેવા ગુરુનું નામ મને આપો. વિવેચન : રાજીમતિના અંતરમાં રહેલ પ્રેમરોગની ભરતી તેની આર્તનાને–વેદનાને ઘેરી બનાવી રહી છે. વિનંતી ઉપર વિનંતી કરી રહી છે અને પૂછી રહી છે કે તે સ્વામિન્ ! આપણા દિવ્યપ્રેમરૂપી કલ્પવૃક્ષનું છેદન કેમ કર્યું? આ યોગરૂપી ધતુરો અર્થાત્ ધતિંગને કેમ અપનાવ્યું? શિવ-શંકરને વહાલું એવું આ ધતુરાના પુષ્પ વૃક્ષને કેમ વાવ્યું ? તમને સંકોચ કેમ ન થયો? શ્રેય અને પ્રેયને આપે કેમ ન જાણ્યું? આપને આવી ચતુરાઈને શીખવનાર એવો કોણ ગુરુ મળ્યો ? જગતના સામાન્ય ગુરુથી તો આપ ભરમાવે એવા નથી તો કયા એવા શ્રેષ્ઠ ગુરુ તમને મળ્યા? તાત્વિક અર્થઘટન કરીએ તો જણાશે કે અધ્યાત્મ શૈલિમાં આનંદઘનજી ની આંતરચેતના કે જે સ્વયં રાજમતિ રૂપે લહેરાઈ રહી મોહનીયકર્મની અસર ન લેવી તેનું નામ મોક્ષ પુરૂષાર્થ અને એનું જ નામ મોક્ષ સાધના. Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 955 છે, તે પોતાના અંતરમાં રહેલ નિજ-પરમાત્મા કે જે વ્યવહારે નેમિપ્રભુ છે, તેને પામવા તલસી રહી છે, દરેક ભવે ભવે, તે ચેતના પોતાના અંતરના ઉઘાડને કરતી સ્વયં વિલસી રહી છે. અંતરાત્મભાવ પ્રગાઢ બની રહ્યો છે. દર્શન મોહનીય કર્મના ઉદયથી પ્રાપ્ત જડતાને શિથિલ કરી રહી છે. એ આંતર ચેતના સવિશેષ ઉઘાડ પામવા મંથન કરી રહી છે. સંસારનો પ્રેમ એ પ્રેમ નથી પણ વિષ છે. એ વિષ વેલડીને કાપીએ તો જ પરમાત્મ પ્રેમરૂપી કલ્પતરૂ પુષ્ટિ પામે. આંતર ચેતનાનો ઉઘાડ જેમ જેમ થતો જાય છે તેમ તેમ સંસારનો પ્રેમરૂપી કલ્પતરૂ કે જે હકીકતમાં વિષવેલડી છે, તે છેદતી જાય છે. બહિરાત્મભાવ, શુભાશુભ ભાવોમાં રાચવાપણું, પ્રકૃતિમાં મહાલવાપણું, કર્તાપણાના અહંકારને પોષવાપણું આવા બધા અજ્ઞાનભાવોમાં વિશેષ વિશેષ જકડાઈને આ જીવે ધતુરા જેવા વિષવૃક્ષના ઝુંડના ઝુંડ જ ઉગાડ્યાં હતાં, તેમાં જ્યારે નિજચૈતન્ય સત્તાનો અવબોધ થયો, સુખની પરિભાષાની તાત્વિકરૂપે ઓળખાણ થઈ ત્યારે ચેતના જેને પૂર્વમાં પ્રેમ કલ્પતરૂ માનતી હતી, તેને હવે માત્ર વિષવૃક્ષ-ધ_રવૃક્ષને પોષવા સમાન નિરર્થક જાણી. નિજના ઊંડાણમાં દષ્ટિ કરતાં પોતાની સત્તા, પોતાનો અવબોધ, ચૈતન્યની અનુભૂતિમાં લીનતા સધાતા સ્વયંના તેજને ઓળખ્યું અને જણાયું કે પૂર્વમા – . ૧) આત્માના અનાદિ-અનંત અસ્તિત્વનો સ્વીકાર ન કર્યો, તેનો નિષેધ કર્યો, આત્માના ધ્રુવસ્વભાવની દૃષ્ટિ ન કરી, આત્માના નિર્વિકારી સ્વભાવની શ્રદ્ધા ન કરી, તેથી જ સાદિ-સાંત આયુષ્યની યોગ્યતા પ્રાપ્ત થઈ. ૨) સ્વયંનું સ્વરૂપ જે અનાદિ-અનંત, અખંડ, અતીન્દ્રિય જ્ઞાનમય છે, તેને ન જાણું, તેની શ્રદ્ધા ન કરી, તેની વિરાધના કરી, તો ખંડ કેવળજ્ઞાનાવરણીયકર્મને હઠાવવા માટે મોહનીયકર્મનો નાશ કરવાનો છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ 956 હૃદય નયન નિહાળે જગધણી ખંડપણું એટલે પાંચ ઈન્દ્રિયો મળી યાવત્ એકેન્દ્રિયપણાની પ્રાપ્તિ થઈ. ૩) સહજ વીર્યશક્તિના ધારક એવા સ્વયંના સ્વભાવનો નિષેધ કરતાં અલ્પવીર્ય મળ્યું એટલે મનબળ, વચનબળ, કાયબળ મળ્યાં. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય રૂપ ભાવપ્રાણોની શ્રદ્ધા ન કરી, માટે દ્રવ્યપ્રાણોને ધારણ કરી ચારેગતિમાં અનંતકાળ રખડવાપણું થયું. ૪) અનંતગુણમય અને અનંત આનંદમય એવા પોતાના પ્રભુને ન જાણ્યો, ન શ્રદ્ધેય કર્યો, માટે તો શ્વાસોશ્વાસરૂપ ખેદને ધારણ કરવો પડ્યો. આત્મવિશુદ્ધિ થતાં ચિત્તવિભ્રમ નીકળી જાય છે. આત્માના ત્રિકાળી, ધ્રુવ, પરમ પારિણામિકભાવ સ્વરૂપ ચૈતન્યનું લક્ષ્ય રાખીને ચાલીએ તો પ્રત્યેક સમયે મિથ્યાત્વના દલિકો નીકળતા જ જાય છે. પર્યાયમાં શુદ્ધિ એ પોતાના ઘર તરફ દૃષ્ટિ કરવાથી થાય છે. પરમ પારિણામિકભાવનું આલંબન એ શુદ્ધાત્માનું આલંબન છે, તેના અવલંબને પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે. (ધરીયો યોગ ધતૂર) – આનો મર્મ સમજાતા રાજીમતિએ શ્રેય અને પ્રેય બેને જુદુ કરી નાખ્યું. ‘પ્રેમ કલ્પતરૂ’ બહારની કોઇ દુન્યવી ચીજ નથી પણ સ્વયંની ચૈતન્ય જ્યોતિ, એ જ પ્રેમકલ્પતરૂ છે. જ્યારે બહિરાત્મભાવો-અજ્ઞાનભાવો-કષાયભાવો એ ધતૂર વિષ વેલડી જેવા છે; તેનું છેદન-ભેદન સાધનામાં અતિઆવશ્યક જણાય તો જ નિજ-પરમાત્માને પામી શકાય. ધરીયો યોગ ધતૂરમાં ‘ધરીયો યોગ' શબ્દ મુમુક્ષુપણું, સંન્યાસપણું, અપરિગ્રહીપણું, વિરાગીપણું, સ્થિરપણું જેણે પ્રાપ્ત કર્યુ છે તેને ઉદ્દેશીને ધારણા-ધ્યાન-સમાધિ એ મનને સ્થિર રાખવાની-મનને સ્વાઘીન રાખવાની પ્રક્રિયા છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 957 કહી શકાય. જ્યારે ધતૂર શબ્દ ધતૂરાનો છોડ કે જેમાં પંચવર્ણા પુષ્પો હોય છે, તે છે. તેમાં શ્વેતવર્ણવાળા ધતૂરાના છોડ ઠેર ઠેર ઉગેલા હોય છે જ્યારે કૃષ્ણવર્ણવાળા ધતૂરાના ફુલ અલભ્ય ગણાય છે. કોઈકને જ પ્રાપ્ત થાય છે. માદક અસરવાળા ધતૂરાનો ઉપયોગ નામધારી સંન્યાસીઓ ચલમમાં તેને ભરી પછી ચલમને ફેંકવામાં કરે છે અને તેના દ્વારા ઘેનમાં પડ્યા રહે છે. આ બધી મહાદેવજીના પૂજકોની જમાત કહેવાય. આમ ધતૂરામાંથી ધતૂર શબ્દ છેતરપીંડી અર્થમાં ઓળખાવા લાગ્યો. પ્રસ્તુતમાં આની કોઈ વિશેષતા નથી પણ અધ્યાત્મશલિએ વિચારતા જણાશે કે બધા જ બહિરાત્મલક્ષીભાવો, પર્યાયદૃષ્ટિપણું, અજ્ઞાન, મિથ્યાત્વપણું, પરાવલંબીપણું, પર-સમયમાં રાચવાપણું, રાગાદિ પરિણામ, અનંતાનુબંધી કષાય-ચતુષ્ક કે જે દીર્ધ સંસારને વધારનાર છે; તે સઘળી જમાત ધતૂર જેવી છે. છેતરામણી છે. આત્મભાવોથી પરાડમુખ કરનાર છે. તેથી જ ધતૂરની વિષવેલડીઓ સમાન છે, તેનું છેદન-ભેદન કરવાનું છે. આત્મભાવોમાં રમણતા કરવાની છે. પુરુષ-ચૈતન્યમાં વિલસવાનું છે. વિતરાગભાવોને વિકસાવવાના છે. પોતાના ત્રિકાળી ધ્રુવ નિજ-પરમાત્માનું * લક્ષ્ય કરી પર્યાયમાં કેવલ્ય અને સિદ્ધત્વ પ્રગટ કરવું, એ જ પ્રેમકલ્પતરૂ જાણવું. આવા પ્રેમકલ્પતરૂનું છેદન-ભેદન કરવાથી જીવને અનંત સંસારમાં રખડવાનું થાય છે. “ધરીયો યોગ ધતૂર” પંક્તિમાં યોગીરાજ આનંદઘનજી મહારાજે રાજીમતિના પ્રકૃતિ-સુલભ પાત્રમાં રહીને ઘણી જ ગૂઢ બાબતોને અણસારેલ છે. ' આ વિષયને વધુ સ્પષ્ટ સમજવા સૂત્રકૃતાંગ નામના આગમના આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર એ કાયાને સ્થિર રાખવાની પ્રક્રિયા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ 958 ( હૃદય નયન નિહાળે જગધણી બીજા અધ્યયનમાં ૧૩ પ્રકારની (યોગ) ક્રિયાનું વર્ણન છે; તેમાં પ્રથમની ૧૨ ક્રિયાઓ શ્રમણ-શ્રમણી-ત્યાગી-વિરાગી માટે જાણીને છોડવા યોગ્ય છે જ્યારે તેરમી ઈર્યાપથિકી ક્રિયા તે આદરવા યોગ્ય છે. પ્રથમની બાર ક્રિયાઓમાં રહેલા જીવો સિદ્ધ થયા નથી, થતા નથી અને થશે પણ નહિ તેથી “પ્રેમકલ્પતરૂ છેદિયો રે' એ પંક્તિથી શ્રીમદ્ આનંદઘનજીએ રાજીમતિના લેબાશમાં રહીને પોતાની વિરહ-વેદનાને હૃદય-વ્યથાને પ્રભુ આગળ ઠાલવી છે. ઘાતિ-અઘાતિના પંજામાં ફસાઈને પોતાના નિજપરમાત્માને ભૂલી ગયા છે અને જન્મ-જન્માંતરોમાં, ચોર્યાશીલાખ જીવાયોનિમાં ભટકતા પાર વિનાની વેદનાઓ વેઠી છે; તેનો ઉપદેશ આડકતરી રીતે “ધરીયો યોગ ધતૂર' પંક્તિથી ઉદ્ધોધેલ છે. આ જગતમાં કેટલાક કપટી, ધૂર્ત પુરુષો ઠગનારી વિદ્યા દ્વારા વિવિધ પ્રકારના ઉપાયો યોજીને લોકોને ઠગે છે, તે સર્વે પાપસ્થાનકો જાણવા. આ જગતમાં વિવિધ પ્રકારની વિદ્યાવાળા, વિવિધ પ્રકારના અભિપ્રાયવાળા, વિવિધ પ્રકારના આચારવાળા, વિવિધ પ્રકારની દૃષ્ટિવાળા, વિવિધ પ્રકારના આરંભવાળા, વિવિધ પ્રકારના અધ્યવસાયવાળા, અલ્પ સત્વવાળા પુરુષો નીચે બતાવેલા પાપશાસ્ત્રોનો અભ્યાસ કરે છે. જેમકે ભૂમિકંપ આદિ પૃથ્વી સંબંધી શિક્ષા દેનારા શાસ્ત્રો, ઉત્પાત દ્વારા આકાશમાંથી લોહી આદિની વૃષ્ટિના ફળ બતાવનારા શાસ્ત્રો, સ્વપ્નના શુભાશુભ ફળ બતાવનારા, આકાશમાં થતાં ચિન્હ, મેઘ, મેઘધનુષ આદિના ફળ બતાવનારા, અંગોનું ફરકવું, પક્ષીના અવાજ, સ્ત્રીના અંગોમાં યવ, પદમ, શંખ, ચક્રાદિ લક્ષણો, પુરુષના અંગોમાં મસી, તલ, વગેરે દ્વારા ફળ બતાવનારા સામુદ્રિક શાસ્ત્રો, સ્ત્રીલક્ષણ, પુરુષલક્ષણ, અશ્વના લક્ષણ, હાથીના લક્ષણ, વૃષભના, બકરાના, કૂકડાના, તેતરના, બટેર પક્ષીના, લાવક પક્ષીના, ચક્ર, છત્ર, ચર્મ, દંડ, ખડ્ઝ, મણિ, વગેરેના લક્ષણ યમ-નિયમની સાધના ઉપકરણ વડે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 959 છે રક બતાવનાર શાસ્ત્રો; તેનો અભ્યાસ કરનારા, મંત્રવિદ્યા, તંત્રવિદ્યા, સૌભાગ્ય, દોર્ભાગ્ય, ગર્ભધારણ, ઉચ્ચાટન, ઈન્દ્રજાળ, યજ્ઞહોમ, ધનુર્વિદ્યા, અસ્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા, ચંદ્ર-સૂર્યની ગતિ, બૃહસ્પતિની ગતિ, ઉલ્કાપાતના ફળ, દિદાહના ફળ, મૃગાદિક વનચર જીવોના શુભાશુભ શુકન, પક્ષીઓના ભાષણ વગેરેને બતાવનારા શાસ્ત્રો, ધૂળવૃષ્ટિ, કેશવૃષ્ટિ, રક્તવૃષ્ટિના ફળ બતાવનારા શાસ્ત્રો, વૈતાલિક વિદ્યા, દંડનું ઉપશમન કરનારી વિદ્યા, તાળા ઉઘાડવાની વિદ્યા, ચાંડાલીની વિદ્યા, શાંબકી વિદ્યા, દ્રાવાડી વિદ્યા, કાલિંગ વિદ્યા, ઉપર ચડાવનારી, નીચે પાડનારી વિદ્યા, છંભિણી, અંભિની, શ્લેષ્ણી, રોગિણી, રોગાપહારિણી, ભૂત, પ્રેત, પિશાચ, શાકિની, ડાકીનીવિદ્યા, અદશ્ય થવાની, નાની વસ્તુને મોટી કરવાની વિદ્યા આ બધાનો અભ્યાસ પાખંડીઓ, ધૂર્તો આ જગતમાં અન્ન, પાણી, વસ્ત્ર, ઉપાશ્રય, શયન, સ્થાન, વિવિધ પ્રકારના કામ ભોગો, નામના, પ્રતિષ્ઠા, કીર્તિ વગેરે માટે કરે છે. આ બધી વિદ્યાઓ સમ્ય આચાર, સદ્અનુષ્ઠાન, વગેરેનો નાશ કરનારી છે. એનું સેવન કરનારા અનાર્ય પુરુષો, આયુષ્યનો ક્ષય થતાં અંતે અસુર સંબંધી દેવોના આભિયોગિક, ફિલ્મીષિક વિગેરે હલકા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે અને પછી ત્યાંથી ચ્યવીને બધિર, મૂંગ, લુલા, લંગડા, આંધળા, અપંગરૂપે થઈને દીર્ઘકાળ સુધી સંસારમાં "દુઃખોને ભોગવે છે. આ વાત સૂત્રકૃતાંગ નામના આગમમાં ભગવંતે બતાવી છે. અજ્ઞાની જીવો આરંભ-સમારંભ-ભોગ-પરિગ્રહ વગેરેમાં મમત્વવાળા, અને આસક્ત હોઈ તેઓને આવા મિથ્યાશાસ્ત્રોના અભ્યાસના કડવા વિપાકો ભોગવવા પડે છે. ઉપરોક્ત વિષય “ધરીયો યોગ ધતૂરના સંદર્ભમાં યોગ્ય લાગવાથી મૂકેલ છે. કવિવર્ય આનંદઘનજીએ ખૂબ ચતુરાઈ પૂર્વક ઉપરોક્ત કડીનો આસન-પ્રાણાયામ-પ્રત્યાહારની સાધના કરણ વડે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ 960 હૃદય નયન નિહાળે જગધણી ઉલ્લેખ કરીને મુમુક્ષુ આત્માઓને ચેતવ્યા છે અને માનવભવમાં જીવનું કર્તવ્ય શું છે, તે જાણવા, આચરવા અને પરિણમાવવા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. ઉપરોક્ત અજ્ઞાનમાંથી બહાર નીકળી આત્માને ઓળખી, પિછાનીને આત્મજ્ઞાની થવા માટેનો આ ભવ છે; તેવી ચેતવણી તેઓ આપી રહ્યા છે. તેના સિવાય આ માનવભવમાં બીજુ કાંઈપણ કરવું એ પ્રેમકલ્પતરૂને છેદવા જેવું છે અને યોગધતૂરને વાવવા જેવું છે. આવું ઉપરોક્ત બહિરાત્મભાવોથી યુક્ત સંસારી જીવોનું સ્વરૂપ જાણીને રાજીમતિનો તેમજ આનંદઘનજીનો આત્મા વિભાવોથી થંભીંને સ્વરૂપ ભણી હરણફાળ ભરી રહ્યો છે અને કલ્યાણની કામના હોવાથી કહી રહ્યો છે - (ચતુરાઇરો, કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર) - ઉપર કહેલી સઘળી વસ્તુને પામવી તેમાં શું ચતુરાઇ છે? તે તો સ્વયંને ઠગવા બરાબર છે. આ બધા કુયોગો છે. તેને આદરવાથી અનંત સંસારમાં ભટકવું પડે છે. લોકોને છેતરવા, આંજી નાંખવા, લોકમાં, મહાન ગણાવવું, પ્રાયશ્ચિત્ત આદિને આદરવું નહિ, સદ્ધર્મને અને પોતાના આત્માને ઓળખવો નહિ; આ બધામાં શું ચતરાઇ છે તે તો તમે મને કહો ? એમ સ્વયં રાજીમતિ પોતાના આત્માને ઢંઢોળી-ઢંઢોળીને પૂછી રહી છે. વસ્તુતઃ તો પોતાના આત્માને પ્રાપ્ત કરવાના ઉપાયને જ ભગવાને યોગ કહ્યો છે અને પ્રાપ્ત થયેલ આત્માનું રક્ષણ કરવું તેને જ ક્ષેમ કહ્યું છે. તેવા યોગ-ક્ષેમ કરનારા ગુરુને પામીને તેના ઉપર જ આદર અને બહુમાનની છોળો ઉછાળવી જોઇએ. તેના જ ગુણગાન ગાવા જોઇએ. જગતના ચોગાનમાં તેને જ ઓળખાવવા જોઇએ કે ફલાણા-ફલાણા ધારણા-ધ્યાન-સમાધિની સાઘના અંતઃકરણ વડે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નેમિનાથજી ૬ 961 શ્રી નેમિનાથજી 961 ગુરુ પાસેથી મારો આત્મા આ સંસાર સાગરને પાર પમાડનાર એવા સમ્યગ્ગદર્શનાદિરૂપ મોક્ષમાર્ગને પામ્યો. હવે તે માર્ગથી આગળ વધીને હું મોક્ષને પામીશ. ધર્મ પમાડનાર ઉપદેશકને પોતાના ઉપકારી, મહા ઉપકારી ગણીને તેના ચરણોમાં મસ્તકને ઘસી નાંખવું જોઈએ અને તેની ખાતર જીવનમાં ફના થવાની કે ફકીરી લેવાની પણ તૈયારી રાખવી જોઈએ. આવો મુક્તતાનો મુક્તકંઠે ઉપદેશ દેનારને જ “ગુરુ મલિયો જગ સૂર” પંક્તિથી નવાજવો જોઈએ. આ સંસારમાં બધું જ મળવું સુલભ છે માત્ર આત્માને ઓળખાવનાર જ્ઞાની ગુરુ, આત્મજ્ઞાની મહાપુરુષ મળવા દુર્લભ છે અને મળ્યા પછી પણ તે, તે રીતે ઓળખાવા તો તેનાથી પણ દુર્લભ છે. અતિ દુર્લભ છે અને ઓળખાયા પછી તેની શ્રદ્ધા થવી, આત્મા મેળવવા તેની ખાતર ફના થઈ જવું તે તો અતિ-અતિ-અતિ દૂર્લભ છે. બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોધમાં લખે છે – . ચૈતન્યપદ દર્શક ગુરુ તો અતિ અતિ દુર્લભ મહા ચિંતામણિ સમ જ્ઞાન સમ્યગુ પામવું દુર્ઘટ અા - જો સ્વરૂપ શુદ્ધ જણાય તો તે શ્રેષ્ઠ સમ્ય જ્ઞાન છે - જે કર્મરજ હરતો નિરંતર જ્ઞાન વાયુ ધ્યાન તે 1. જગતમાં શૂરવીર, પરાક્રમી જો કોઈપણ હોય તો તે આત્મજ્ઞાની ગુરુ છે. તેનો ઉપદેશ સાંભળવો તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે. તેના ઉપદેશશ્રવણથી અનાચારનો ત્યાગ અને આચારનું પાલન, એ પ્રાથમિક ભૂમિકા છે અને પછી આચારને અનુરૂપ પરિણતિ કેળવવી અને આત્મામાં ઠરતા જવું એ વિકાસનો ક્રમ છે. શ્રી જિનેન્દ્ર પરમાત્માનું મૌનીન્દ્ર પ્રવચન સમ્યગૂ જ્ઞાન-દર્શન નામનો નાશ છે. અનામીનો નાશ નથી. રૂપનો નાશ છે. અરૂપીનો નાશ નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ 962 962 હૃદય નયન નિહાળે જગધણી ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે, જે અન્યદર્શનમાં રહેલા યજ્ઞયાગાદિ મિથ્યા આચારોને હેય અર્થાત્ ત્યાજ્ય કહી છોડાવે છે જ્યારે સ્વદર્શનમાં રહેલ અહિંસા, વ્રત, તપ, જપ, નિયમ વગેરેને ઉપાદેય સમજાવી તેનો સ્વીકાર કરવાનું કહે છે અને તેના દ્વારા અશુભમાંથી શુભમાં આવવા દ્વારા અંતે આત્માને ઓળખી આત્મામાં જ રહેવાનું ફરમાવે છે. યોગીવર્ય આનંદઘનજી મહારાજે છેલ્લી કડીમાં અણસારેલ સાર, સમાન “ગુરુ મિલિયો જગ સૂરમાં એ જ વાત દોહરાવી છે કે જે બુદ્ધિમાન પુરુષ સમ્યમ્ આચારનું પાલન કરે છે અને અનાચારનો “ધરિયો યોગ ધતૂર” એ પંક્તિથી ત્યાગ કરે છે તે બધા પાપોથી મુક્ત બનીને ઈચ્છિત અર્થને મેળવી લે છે. • અંતે એટલું જ કહેવું છે કે – “જે ગુરુભગવંત સ્વયંના તત્ત્વમાં લયલીન થયાં છે. બ્રહ્મભાવમાં નિમગ્ન છે. પરમ ઉદાસીનતાને જેઓ વરેલા છે, પરમ મોની છે, ઉપયોગથી ઉપયોગને વેદે છે, શુદ્ધોપયોગમાં જ જેની પ્રત્યેક સમયે રમણતા છે, તે જ જગતમાં પૂજનીય છે, તે જ શૂરવીર છે અને તે જ સાચા ગુરુ છે. તેવાના આશ્રયે રહીને ચાલનારનું જ કલ્યાણ છે. ધર્મને માટે પહેલી વિધિ આત્માનો નિર્ણય કરવાનો કહ્યો છે તે સમજ્યા વિના આડુ અવળુ કરે તો ધર્મ થાય નહિ. આત્માના સ્વભાવનો તત્ત્વથી નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી જેટલા વ્રત-તપ કરે તે બધું ઘી વિના, માત્ર ગોળના પાણીમાં લોટ શેકીને શીરો કરવા જેવું છે, જે બરાબર નથી. ધર્મની વિધિમાં આત્માનો નિર્ણય કરવારૂપ સમ્યગુદર્શન તે ઘીમાં લોટ શેકવા બરાબર છે. જિનવચન ચારે અનુયોગમય છે. તેનું બાહ્ય ત્યાગનો ય મહિમા છે કે નરક-તિર્થય ગતિથી બચાવે છે અને . ઠેઠ નવરૈવેયક સુધી પહોંચાડે છે. પરંતુ તેમાં જે અટક્યા તો મોક્ષ પ્રાપ્તિ નહિ થાય. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 963 રહસ્ય જાણવા સૌ પ્રથમ દ્રવ્યાનુયોગમાં છએ દ્રવ્યનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જેના દ્વારા આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે. ચરણકરણાનુયોગમાં રાગ ઘટાડવા અને પરિણામ સુધારવા નિમિત્તની પ્રધાનતાથી કથન છે. ગણિતાનુયોગમાં ઉપયોગની એકાગ્રતા માટેની વિચારણા હોય છે અને ધર્મકથાનુયોગમાં ધર્મકથા દ્વારા બોધ પમાડાય છે, જે બાળજીવો માટે ઉપકારક હોય છે. બધા પડખાથી મેળ કરીને તત્ત્વ નિર્ણય કરવો જોઇએ. જમણવારમાં ભલામણ કરી હોય કે દાળ મોળી હોયતો મરચામીઠાની થાળી ફેરવજો એટલે બધા જરૂર પુરતું મરચું-મીઠુ લઇ લેશે પણ બીજા કોઇની થાળીમાં કોઇ પીરસાણુ જ ન હોય ત્યાં સૌથી પહેલા મરચા-મીઠાની થાળી લઈને જાય તો જમનારા માલ વિના મરચું-મીઠુ શેમાં નાંખશે ? ત્યાં તો લોકો રાડો નાંખેકે ભાઈ ! પહેલા મોહનથાળ લાવો ! દાળ, શાક લાવો. એમ આત્મા તો માલ છે. આત્મા તો સર્વદ્રવ્યમાં સર્વોપરિ છે. તેના નિર્ણય વિના-તેના દેઢ શ્રદ્ધાન વિના મીઠા-મરચા સ્થાનીય વ્રતતપ-જપ રૂપ થાળો ફેરવ્યા કરે તો તેનાથી કાંઇ વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત ધર્મ ન થઈ જાય. આત્મ તત્ત્વના યથાર્થ નિર્ણય અને સમ્યગ્ શ્રદ્ધાન વિના વ્રત-તપ-જપ કરવા મંડી જાય એ માલ વિનાના એકલા મરચા મીઠા જેવું છે. તેથી જ ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગ પ્રથમ ક્રમાંકે છે. દ્રવ્ય છે તો એના શુદ્ધિકરણનો પ્રશ્ન છે; તે કારણે દ્વિતીય ક્રમાંકમાં ચરણકરણાનુયોગને સ્થાન આપ્યું. દ્રવ્ય અને દ્રવ્યના શુદ્ધિકરણના દાખલા-ઉદાહરણ આપવા કથાનુયોગને ત્રીજા ક્રમાંકે મૂક્યો અને અંતે બધાયનું ગણિત છે તેથી ગણિતાનુયોગને ચોથા નંબરે મૂક્યો છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે અને આત્માના સ્વરૂપના બળનું ભાન કરાવે; તે અધ્યાત્મ છે. આત્માના બળથી આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ 964 હૃદય નયન નિહાળે જગધણી શાસ્ત્રોમાં જે ક્રમાંકથી તત્ત્વ પીરસાયું છે તે ક્રમાંકનું પણ આગવું મહત્વ ને રહસ્ય છે. તત્ત્વના યથાર્થ નિર્ણય અને સભ્ય શ્રદ્ધાન વિના જન્મ-મરણનો અંત ક્યારે પણ આવે નહિ. તીર્થકરોના ભવોની ગણત્રી પણ સમ્યગદર્શન પામ્યા પછી જ શાસ્ત્રોએ કરી છે તે પહેલા નહિ. જગત ભલે ગાંડા કહે, નિંદા કરે પણ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરીને જ રહેવું જોઈએ.' આંધળાની ગાયના અલ્લા રખવાળ એ વાત અહીં ધર્મમાં ચાલે તેમ નથી. આ તો જન્મ-મરણ ટાળવાની વાત છે. પરમ સત્ય વીતરાગ ધર્મમાં અંધશ્રદ્ધાથી ધર્મ થઈ જાય તેવું અહીં પોપાબાઈનું રાજ્ય નથી આ તો અનંતા તીર્થકરોએ કહેલ સ્વરૂપ-માર્ગ છે, જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. એ સ્વરૂપ-વિજ્ઞાન છે. આત્મ-વિજ્ઞાન છે. જેમાં આંધળી શ્રદ્ધાને કોઈ સ્થાન નથી તેમ તત્ત્વના શ્રદ્ધાનમાં એક અંશ જેટલી કચાશ પણ ચલાવી શકાય તેમ નથી. જ્ઞાનીઓ જાગરણપૂર્વકના આચરણને અધ્યાત્મની કોટિમાં મૂકે છે અને તે જ લોકોત્તર માર્ગ છે. જાગરણ વિનાનું આચરણ ગમે તેટલું ઊંચુ હોય તો પણ તે અભવ્યના નિરતિચાર ચારિત્રની જેમ પ્રશંસનીય નથી અને બહારથી તે આચરણ લોકોત્તર ધર્મનું કહેવાતું હોય તો પણ તત્ત્વથી તે લૌકિક જ છે. બાપ દાદાના ચોપડામાં લખેલી વાત ન સમજાય તો પણ ત્યાં જીવ કહે છે કે બાપા તો હોંશિયાર હતા તેની ભૂલ હોય જ નહિ ને તે કદી ખોટુ લખે નહિ. મને નથી સમજાતુ એ મારો દોષ છે માટે તે સમજવાનો જ પ્રયત્ન કરે પણ નથી સમજાતુ તેમ માની તેને છોડી ન દે; તેમ તેને ખોટા પણ ન કહે. તેમ પ્રભુના વચનો શાસ્ત્રોના ચોપડે લખાયેલા છે તેને ઉત્તમ આત્માઓ ખોટા છે એમ કદી કહે નહિ. ન આત્મચિંતા કરે તે સમ્યગ્દષ્ટિ, તન મનની ચિંતા કરે તે મિથ્યાદષ્ટિ. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 965 સમજાય તો પણ તેને સાચા માની સમજવાનો પ્રયત્ન કરે. આત્મ સન્મુખ દૃષ્ટિ રાખીને તેમાં જ લીન બનીને પ્રભુએ વીતરાગી પરિણામની ધારાને ટકાવી છે અને તે દ્વારા ક્ષણે ક્ષણે રાગાદિના ભુક્કા બોલાવ્યા છે. આ જ કર્યું છે. આ સિવાય આહારને લેવો કે છોડવો એ ભગવાને કાંઈ જ કર્યું નથી. સ્વરૂપ લીનતા વધતાં અંદરથી આહારની ઈચ્છા-લાગણી-વિકલ્પ જ ન થાય તેવી આંતરિક સ્થિતિ હતી અને તેથી તે વખતે બહારમાં પણ આહારનો સંયોગ ન થાય તેવી ભવિતવ્યતા હતી માટે બહારમાં આહારનો સંયોગ ન બન્યો ત્યારે તેટલા સમય સુધી પ્રભુએ આહારને છોડ્યો એમ વ્યવહારથીવ્યવહારમાં કહેવાયું. સાધના કાળમાં સ્વરૂપ લીનતાની અલ્પતા થતાં છઠ્ઠા ગુણઠાણે પ્રભુને તત્ત્વના વિકલ્પ આવે, કર્મની કઠોરતા દેખાતા અભિગ્રહાદિના વિકલ્પ પણ આવે પણ પ્રભુ તે વિકલ્પના સ્વામી થતા ન હતા, તેને પોતાના માનતા ન હતા પણ તેના જ્ઞાતા-દષ્ટા હતા માટે તત્ત્વથી પ્રભુએ તેને કર્યું એમ ન કહેવાય પણ નિમિત્ત-નૈમિત્તિકભાવથી થયું કહેવાય. જ્યારે અજ્ઞાની વિકલ્પોનો કર્તા બને છે. સ્વામી બને છે આ - કરે છે માટે ત્યાં આગળ તેણે કર્યું, એમ કહેવાય. જ્ઞાનીને બધું થયા કરે અને અજ્ઞાની બધું કર્યા કરે. આ હતો પ્રભુનો સાધના માર્ગ અને તે જ માર્ગે યોગીરાજ આગળ વધી રહ્યા છે અને આપણને પણ તે વિશુદ્ધમાર્ગે આગળ વધવાનો નિર્દેશ કરે છે. પ્રભુએ આંતર-સ્વભાવની સન્મુખ થઈને અતીન્દ્રિય આનંદનું વેદન કર્યું છે. રાગરહિત સહજ આત્મા તરફના વલણમાં નિરાકુળ શાંતિ અને વીતરાગી આનંદના શેરડા પ્રગટે તેનું નામ ધર્મ છે. જેમ જે આત્મચિંતા ન કરે તે સંડી હોય તો પણ અસંસી જેવો જ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ 966 , હૃદય નયન નિહાળે જગધણી અત્તરનો મોટો ડુંગર હોય, ને તેમાં છરો મારતાં સુગંધનો ફવારો છૂટે, તેમ ભગવાન આત્મા આનંદ કંદ છે. નિરાકુળ શાંતિનો ડુંગર છે, તેની દૃષ્ટિ કરી તેમાં લીનતા થતાં ચૈતન્ય અમૃતના ડુંગર સમાન આત્મામાંથી શાંતિના ફુવારા છૂટવા લાગ્યા તેનું નામ વીતરાગી ધર્મ છે. આવો વીતરાગી ઘર્મ આત્માને મોક્ષ આપવા સમર્થ છે, અન્ય ધર્મ નહિં. જે શુભાશુભભાવે આત્માને શુભાશુભકર્મનો બંધ પડે, તે ભાવે આત્માનો અબંધ સ્વરૂપ- સંવર નિર્જરા રૂપ ધર્મ થાય નહિ. આત્મજ્ઞાનીસપુરુષ દ્વારા તત્ત્વનો નિર્ણય કરે નહિ, પોતાની બહિર્મુખદૃષ્ટિને આંતરમુખ બનાવે નહિ અને ધર્મના નામે બાહ્ય પ્રવૃત્તિમાં રોકાય તો તેનાથી કાંઈ ભવના ફેરા ઘટે નહિ. - સાધકે સતત વિચારવું જોઈએ કે હું પ્રેમકલ્પતરૂને છેદી રહ્યો છું? કે યોગ ધતૂરને વાવી રહ્યો છું? જો તેનો જવાબ હામાં આવે તો સમજવું કે તે હજુ અધ્યાત્મની કોટિમાં આવ્યો નથી. વીતરાગ સર્વજ્ઞ પ્રણીત લોકોત્તર ધર્મની આરાધના અજ્ઞાનભાવે થાય નહિ અને છતાં જીવ કરે તો તેનાથી ભવની પરંપરાનો અંત આવે નહિ. , યોગીરાજ આનંદઘનજીએ અત્યંત નીડર બનીને પંચમકાળમાં સતુધર્મને ઓળખાવ્યો છે અને જીવનમાં પોતે જીવી બતાવ્યો છે. અનંતભવનો છેડો લાવી એક જ ભવ બાકી રહે તેવી પવિત્રદશા આત્માને વિષે પ્રગટ કરી છે. તેમના જીવનને અને વચનને સમજવા મતાગ્રહ અને કદાગ્રહથી દૂર રહેવું જોઈએ અને જ્ઞાનની વિશાળ દૃષ્ટિના ન્યાયથી અતિ મધ્યસ્થપણે વિચારવું જોઈએ. ત્રણેકાળમાં જે જે આત્મજ્ઞાની પુરુષો થયા છે તેમણે સમગ્ર જગતને એકમાત્ર આત્મા જ ઓળખાવ્યો છે અને પોતાની વિશુદ્ધિના બળે યોગ્ય આત્માઓને સન્મુખ રહેલ પદાર્થ પ્રતિ, જેવાં ભાવ કરીએ અને જેવી દષ્ટિ સ્થાપીએ, એવું ફળ આપણને દષ્ટાને મળે છે અને નહિ કે દશ્યને. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 967 આત્માનું જ પ્રદાન કર્યું છે, તે વાત ભૂલવા જેવી નથી માટે તેમની નિંદાથી લાખો યોજન દૂર રહેવા જેવું છે. મારું તો એમાં કશું નહીં રે, આપ વિચારો રાજ, મ. રાજસભામાં બેસતાં રે, કિસહી વધશે લાજ.. મનરા..૬ અર્થ: રાજીમતિ કહે છે કે, આપે જે આ અયોગ્ય આચરણ કરેલું છે તેમાં મારું તો કંઈ જવાનું નથી પણ હે નાથ ! આપ જરા વિચાર કરો કે, આપ જ્યારે રાજસભામાં અનેક લોકોની વચ્ચે બેસશો ત્યારે તે વખતે આપની શોભા કેવી વધશે ? તેનો જરા વિચાર કરો અને રથને પાછો ફેરવો. જો મેં કંઈપણ અપકૃત્ય કર્યું હોય અને આપ મારી સાથેનો પ્રેમ તોડતા હો તો તેમાં આપનો કોઈ દોષ નથી, પણ હું શુદ્ધ છું, સત્યપ્રતિજ્ઞાવાળી છું. વળી આપે વિવાહ કરી મારું પાણિગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરી છે અને તે માટે થઈને જ યાદવોની સાથે જાન લઈને આપ અત્રે આવ્યા છો. તેમ છતાં આપ તોરણથી રથ ફેરવીને પાછા જાવ છો તે બરાબર નથી. આપની શોભા રાજસભામાં બેસતાં વધશે નહિ પરંતુ પ્રતિજ્ઞા ભંગ કરવા રૂપ વાતથી ઘટશે માટે આપ સત્યપ્રતિજ્ઞાવાળા બનો. જેમ આપે વાગ્દાન સ્વીકાર્યું છે તેમ કન્યાદાન પણ સ્વીકારો. રાજસભામાં બેસતાં પૂર્વે આપ હસીને પાત્ર ન બનો. ચતુર રાજકુંવરો દ્વારા આપ ઉપહાસને ન પામો ! વિવેચનઃ પ્રેમના ઘેરા વમળમાં ફસાતી રાજમતિએ ઉપાલંભ આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આ જ વાતને આધ્યાત્મિક દૃષ્ટિએ વાગોળતાં કંઈક નવું જે અર્થઘટન થશે કે આનંદઘનજીની પ્રકૃતિ જે વીતરાગદષ્ટિ એ સિદ્ધદષ્ટિ છે. એ સ્યાદ્વાદ દષ્ટિ છે. રચાદ્વાદષ્ટિ એ સંસારીજીવને વીતરાગદષ્ટિવંત બનાવવાનું સાધન છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ 968 , હૃદય નયન નિહાળે જગધણી ર રાજીમતિ બનીને સ્વયંની ચેતનામાં લહેરાઈ રહી છે, તે પોતાની જ આંતરવ્યથાને નિજ-પરમાત્મા (નેમિનાથ પ્રભુ) આગળ કહી રહી છે કે હે નાથ! હવે આપ પ્રગટ થાવ! પ્રતીતિમાં આવો! જો પ્રભુ તેમ નહિ થાય તો આ આનંદઘન ચેતના આપને પામવા બળવત્તર થઈ રહી છે, અનાદિ અનંતકાળથી વિરહ વ્યથાને ભોગવી રહી છે, આક્રંદ કરી રહી છે તે હવે બહારના આકર્ષણોમાં, શરીરસ્થ ઈન્દ્રિયોમાં, મન આદિના અજ્ઞાનપણામાં લપેટાઈ જશે. માટે હે નાથ! આપ જાગૃત થાઓ! અંતરાત્મભાવમાં સ્થિર થાઓ! અંતરંગભાવ ચેતનાને ઓળખો, બગડતી બાજીને સુધારી લો. હે પ્રભો! આપ તો અનંત જ્ઞાનધારક ચિદાનંદ કંદ છો ! શું આ જડ મડદા સાથે તમને સગાઈ શોભે છે? એ મડદા સાથે ભાઈબંધી કરીને અનંતકાળથી તમે રખડ્યા અને દુઃખી થયા, હવે એનો સંગ છોડો ને તમારી પ્રભુતા સંભારો ! આ શરીર જડ-મડદું, અઢીમણ માંસનો લોચો તેને હું કહેતાં તમને શરમ કેમ નથી આવતી ? હવે શરીર ધારણ નથી કરવા, ચેતી જાવ! તમે ચેતન છો! જડ નથી. તમારામાં રાગ-દ્વેષ નથી. રાગ-દ્વેષ-ક્રોધ વગેરે તો થઈ થઈને મરી ગયા છતાં તમે તો જીવતા રહ્યા છો! તો તમારા જીવંત ભાવને-ચેતન ભાવને દેખો-અનુભવો, બગડતી બાજીને સુધારી લો! હે નાથ ! જો આપ આપનું સ્વરૂપ નહિ ઓળખો અને તેમાં સ્થિરતા નહિ પામો તો આ સંસાર ચોદરાજલોકમય સભાવાળો છે; તેમાં જડ ચેતન દ્રવ્યો ઠાંસીઠાંસીને ભરેલા છે. તેમાં પણ જીવ દ્રવ્યની મુખ્યતા છે. જો આપ આપમાં નહિ રહો તો પુદ્ગલ દ્રવ્યના સંયોગે પરદ્રવ્ય સાથે એકત્વ અને મમત્વ કરતા આપને મિથ્યાત્વના બંધ-પરિણામથી બંધાવુ પડશે. પછી આ ચૌદરાજલોકમય સભામાં બેસવા માટે આપને કયું સ્થાન ૩૧૧ તા. વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ અભેદ છે. નિશ્ચયમાં સ્વદ્રવ્ય અને સ્વક્ષેત્ર અભેદ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 969 મળશે? શું નરક, તિર્યંચ જેવી માઠી ગતિઓ કે એકેન્દ્રિયાદિ જેવા હલકા સ્થાનોમાં આપને બેસવું ફાવશે ? આપ ત્યાં પ્રસન્નતા પૂર્વક રહી શકશો ? તેવા સ્થાનોમાં રહેવાથી આપની શોભા વધશે ? ચોદરાજલોકમય સભામાં બેસતા બીજા જીવો આપને કઈ નજરે જોશે? શું આપ તેઓની નજરમાં કર્મસત્તાના અપરાધી, ગુન્હેગાર અને કેદી તરીકે દેખાવ તેમાં તમારી અને મારી શોભા ખરી ? આંતરભાવને પામેલી ચેતના, પોતાના સ્વામી ચૈતન્યપ્રભુને વિનવી રહી છે કે હે નાથૅ ! આપ આપનું સ્વરૂપ ભૂલી જાવ છો માટે તેનો દંડ ભોગવવો પડે છે. સ્વસમયમાં સ્થિર થવું એ ચૌદરાજલોકમય સભાના અગ્રસ્થાને બિરાજવા જેવું છે જ્યારે પર-સમયમાં રાચવું એ નરકતિર્યંચમય ગતિમાં રખડવા જેવું છે. જ્ઞાનસ્વરૂપી આપ છો ! આપ જ્યારે સ્વ-પરનું ભેદજ્ઞાન કરીને પરથી વિભક્ત થઈ સ્વની સાથે એકત્વરૂપે પરિણમો છો ત્યારે આપ પોતે જ સ્વસમય છો અને જ્યારે આપ આપના જ્ઞાન સ્વરૂપને ભૂલીને, પરને જાણતા પર-પદાર્થ સાથે કે તેના યોગે નિપજંતા રાગાદિ સાથે એકત્વરૂપે પરિણમો છો ત્યારે આપ પોતે જ તે વખતે પર-સમય છો! પર-સમયમાં વિખવાદ છે, કલેશ છે, અશુદ્ધતા છે, દુઃખ, દુઃખ ને દુ:ખ છે. માટે હે નાથ ! તમે જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કરીને રાગ વગરના શુદ્ધ, સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આપના આત્માને દઢપણે પરિણમાવો ! અનંતાનંત તીર્થંકરો આ જ ઉપાયથી મોક્ષ પામ્યા છે અને તમારે માટે પણ આ જ મોક્ષનો ઉપાય છે. મોક્ષમાર્ગ શુદ્ધ દ્રવ્યમાં જ સમાય છે, રાગનો કોઈ અંશ તેમાં ભળતો નથી. સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આંશિક શુદ્ધભાવે પરિણમેલો આત્મા પોતે જ મોક્ષનું કારણ છે અને પૂર્ણ-દશામાં તે પોતે જ મોક્ષરૂપ છે. આવા જે વર્તમાનકાળ ભૂત-ભાવિ સાપેક્ષ છે તે અનિત્ય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ 970 970 , હૃદય નયન નિહાળે જગધણી , નિજ પરમતત્ત્વને જાણીને તેની જ અંતર્મુખ શ્રદ્ધા કરો, તેમાં જ ઉપયોગને ઠરવા દો તો તમને પરમસુખ થશે. રાજસભામાં બેસતાં રે.... કિસહી વધશે લાજ... સભા એટલે પ્રયોજનથી-હેતુથી લોકોનું એક સ્થાનમાં એકંઠા થવું. તેમાં પણ સમસ્યા હોય, તેનો ઉકેલ લાવવાનો હોય ત્યારે ખાસ સભા ભરાતી હોય છે. પછી તે સભા કૌટુમ્બિક હોય, સામાજિક હોય, પ્રાંતિક હોય, દેશિક હોય કે વૈશ્વિક હોય, તે સર્વેનું લક્ષ સમસ્યાનો ઉકેલ લાવવાનું, વસ્તુનો નિર્ણય કરવાનું, વગેરે હોય છે. તે સભામાં લોકોને મળવા માટે જઈએ ત્યારે આબરૂને ખાસ સાચવવી પડે છે એટલે કે પોતાની પ્રામાણિકતાને-સજ્જનતાને કોઈ બુટ્ટો (ડાંઘ) ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. જે વ્યક્તિએ કાંઈ પણ ખોટું કામ કર્યું હોય અને પછી તેને સભામાં આવવાનું થાય ત્યારે તેને નીચું જોવું પડે છે. તે ઊંચી આંખે કોઈની સામે જોઈ શકતો નથી. નહિ તો લોકોના માટે તે ઉપહાસના સ્થાનભૂત બને છે. પ્રાચીનકાળમાં બળવાન રાજાને ત્યાં સભા ભરાય ત્યારે તેની સભામાં ખંડિયા રાજાઓ, સામંત રાજાઓને આવવું પડતું હતું, તેનાથી સભા શોભતી હતી, તેમાં નિર્મીત કાર્યોને-પ્રયોજનોને હલ કરવાના રહેતા હતા. વર્તમાનકાળે પણ પ્રાંતના પ્રશ્નો હલ કરવા વિધાનસભા, દેશના પ્રશ્નો હલ કરવા લોકસભા તેમજ વિશ્વના પ્રશ્નોને હલ કરવા UNી નું આયોજન થયેલું છે. તે દરેક સભામાં જેઓ અનિંદનીય કાર્ય કરી જીવતા હોય છે તેઓ શોભાને પામે છે-અગ્રસ્થાને બિરાજે છે. ગામ, સમાજ, દેશ, વિશ્વના લોકો તેને બહુમાનની નજરે જુવે છે. જે વર્તમાનકાળ ભૂત-ભાવિ નિરપેક્ષ છે તે નિત્ય . Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 971 તેમ હે નાથ ! ચૌદરાજલોકમય સભાના આપને સર્વોચ્ચ શિખરાન્વિત સ્થાને બિરાજવું હોય તો આપને બંધ-પરિણામમાંથી નીકળીને અબંધ-પરિણામરૂપ મોક્ષમાર્ગમાં આવવું જોઈએ. કારણકે ષદ્ભવ્યાત્મક આ વિશ્વમાં જીવ દ્રવ્ય સર્વોપરિ છે અને નવતત્ત્વાત્મક વિશ્વમાં છેલ્લું મોક્ષતત્ત્વ એ જ શ્રેષ્ઠ છે, તેમાં બેસવું એ જ આપની શોભા છે. ‘આત્મા છે અને આત્મા નિત્ય છે'; એ સ્થાપન છે અર્થાત્ સિદ્ધાંત છે. એમાં સ્થાપિત થવા માટે આત્માના કર્તાપણાનું અને ભોક્તાપણાનું ઉત્થાપન-ઉચ્છેદન કરવાનું છે અને મોક્ષને પામવાના ઉપાય માટે મોક્ષના માર્ગે પ્રસ્થાન કરવાનું છે, અર્થાત્ પ્રયાણ કરવાનું છે. ચૌદરાજલોકમય આ વિશ્વ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ઠાંસીઠાસીને ભરેલો છે. તેમાં પણ ચારગતિમય આ વિશ્વમાં ચોર્યાશી લાખ જીવાયોનિમાં રહેલા જીવો પોતાના કર્મના વિપાકને ભોગવી રહ્યા છે. એક ક્ષણમાત્ર પણ તેઓ સુખ-શાંતિ-સમાધિ અનુભવી શકતા નથી. રાગાદિભાવોથી તેઓ પોતાની શુદ્ધ ચેતનાનો ઘાત અનંતકાળથી કરતા આવ્યા છે. અને કરી રહ્યા છે તેમાંથી હે નાથ ! છુટકારો પામવો એ જ આપનું એકમાત્ર કર્તવ્ય છે. આત્મા તો ચૈતન્યમૂર્તિ છે, અખંડ પરમાનંદ વિલાસી છે. તેને ન ઓળખતા, વર્તમાન અવસ્થામાં જે શુભાશુભભાવો થાય છે તેને અજ્ઞાની જીવો પોતાનું સ્વરૂપ માની લે છે અને તેથી તેઓ પોતાની શુદ્ધ ચેતનાનો ઘાત કરી રહ્યા છે અને આ જ સંસારમાં રખડવાનું મૂળિયું છે. આ જ મિથ્યાત્વ છે અને આ જ મહાબંધ છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજા રાજીમતિના સ્વાંગમાં ઉપરોક્ત કડી ઉચ્ચારે છે ત્યારે ‘રાજસભા' ને ચૌદરાજલોક સાથેના સાંકેતિક અર્થમાં ભૂતકાળ દૃષ્ટાંતરૂપ છે. ભવિષ્યકાળ લક્ષ્યરૂપ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ 972 972 હૃદય નયન નિહાળે જગધણી , વિસ્તાર કરવા દ્વારા પોતાની હૃદય વ્યથાને વ્યક્ત કરતા કહે છે કે હે નાથ ! મારું અસ્તિત્વ હજુ ચોદરાજલોકમાં કોઈક એક ખૂણામાં ધબકી રહ્યું છે, કેવલજ્ઞાન પર્યાય પ્રગટ થઈ નથી, ક્ષપકશ્રેણી હજુ મંડાઈ નથી અને મને પ્રભુપદને પામવાની તાલાવેલી ઘણી છે. તેથી હે પ્રભો! હવે આપ પ્રતીતિમાં આવો ! વ્યક્તતામાં આવો ! જેથી મારા યોગક્ષેમને હું કરી શકું! બહિરાત્મભાવમાં મારી એકરાગતા થાય નહિ, જેથી બંધ પરિણામનો મારે ભોગવટો કરવો પડે નહિ. તેથી હે પ્રભો ! ચૈતન્યમૂર્તિ એવા મારી શોભા જળવાશે. “કિસાહી વધશે લાજ કડી દ્વારા વસ્તુ સ્વભાવને જ અણસારેલ છે. જડ-પુદ્ગલના પરિણમન અનાદિકાળથી સ્વંતત્રપણે પોતાના તત્ત્વમાં થઈ રહ્યા છે. તેમની સત્તા ભિન્ન છે તે અન્ય દ્રવ્યમાં સ્પર્શના પામતું. નથી. તેવી જ રીતે ચૈતન્યતત્ત્વ પણ પોતાનામાં જ સ્વતંત્ર રીતે પરિણમન કર્યા જ કરે છે. તે અન્ય દ્રવ્ય રૂપે કદાપિ પરિણમતું નથી. આ જ વસ્તુસ્વભાવ છે તેથી “કિસડી વધશે લાજ' ને અવકાશ જ રહેતો નથી. પરંતુ જીવ પોતાનો સ્વભાવ ચૂકીને જ્યારે પરદ્રવ્ય સાથે એકતા કરે છે ત્યારે વિકારી ભાવોથી પર્યાયમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો ઘાત થાય છે અને ત્યારે બંધ-પરિણામથી આવરણ ઉભુ થાય છે અને તે જ લાજરૂપ ગણાય છે. ઉદયમાં જેટલા રાગાદિ પરિણામ તેટલી આત્માની અશુદ્ધિ અને જેટલી વીતરાગ પરિણતિ તેટલી શુદ્ધિ. ઉપયોગ સ્વમાં તન્મય થઈને રહે તેટલી શુદ્ધિ અને ઉપયોગ બહારમાં એકત્ર કરે તો અશુદ્ધિ. અજ્ઞાનીને હંમેશા એકત્વ હોવાના કારણે ઉદયને તે પોતાનો માને છે. ઉદય એ આત્માના શુદ્ધસ્વરૂપથી ભિન્ન છે તેવું તેને લાગતું નથી. ગમે લયોપશમભાવના આનંદને નિશાની માનજો પણ લક્ષ્ય નહિ માનશો.' ક્ષયોપશમભાવમાં આગળ વધશો તો ક્ષાયિકભાવ પ્રાપ્ત કરશો. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 973 તેવા શુભ કે અશુભ વિકલ્પો આવે પણ જો તેની સાથે એકત્વ કરે તો ત્યાં અશુદ્ધતા આવી જાય અને સવિકલ્પ દશામાં પણ જો એકત્વ ન કરે તો શુદ્ધ જ રહે. ભેદજ્ઞાન વિનાની શાંતિ-સ્થિરતા ગમે તેટલા સારી હોય તો પણ તે વાસ્તવમાં સારી નથી. યથાર્થ પરિણમન ન આવે ત્યાં સુધી વસ્તુ ન મળે. જેટલા અંશમાં શાંતિ-શુદ્ધતા અનુભવાય છે, તેમાં એકત્વ નથી કરવાનું પણ તેને ઉદયધારાથી (કર્મધારાથી) જુદા પાડતા જવાનું છે. શબ્દ દ્વારા તે જુદી પાડી શકાતી નથી પણ ભીતરમાં શાનથી જુદી કરી શકાય છે. જ્ઞાનથી જુદી કરાય તો જ અનુભવમાં જુદી અનુભવી શકાય. એકવાર ઉદયધારા અને શુદ્ધતા, એ બેનો ભેદ પડી જાય તો કામ થઈ જાય તેમ છે. પછી ઉપયોગ, ઉદયધારાથી છુટો પડીને તે શુદ્ધતાને વધુને વધુ પોતાનામાં સમાવે, ઉપયોગ વધુ ને વધુ તેની સાથે જોડાય. ઉપયોગનું ફોકસ વધુને વધુ તે પ્રગટ થયેલ, વીતરાગ પરિણતિના અંશ ઉપર નાંખીને તેને ઉદયધારાથી છુટો પાડ્યા કરે. આમ કરવાથી વીતરાગ પરિણતિનું પરિણમન વધુને વધુ જોર પકડતું જાય છે અને ઉદય ધારાથી તે વીતરાગ પરિણતિ છુટી પડતી જાય છે અને આ જ અત્યંતર મોક્ષમાર્ગ છે. પોતાનું શુદ્ધસ્વરૂપ જે અંશથી પ્રગટ થયું છે તેને વારંવાર ઉપયોગમાં લઈને - તેનું વારંવાર ધ્યાન કરીને ઉદયધારાથી સતત છુટા પાડતા રહેવાનું છે. આ પ્રયત્ન સતત જારી રાખવાનો છે. આ વસ્તુ રાગ-દ્વેષ વિનાની છે. મારા-તારા વિનાની છે. ભેદજ્ઞાન થયા પછી ઉપયોગ પોતાની સાથે રહે તે સાચી શાંતિ કહેવાય. સ્વસંવેદન કહેવાય. તે પહેલાની શાંતિ કે સંવેદન એ પોતાનું નથી. આત્મામાં જે શુદ્ધાંશ પ્રગટ્યો છે, તેને ક્ષણે ક્ષણે છુટો પાડીને તેમાં ઉપયોગને સ્થિર બહિરાત્મા અસાધક છે. અંતરાત્મા સાધક છે. પરમાત્મા સિદ્ધ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ 974 , હૃદય નયન નિહાળે જગધણી કરતા જવાનું છે. બારીકાઈથી ક્ષણે ક્ષણે ભેદજ્ઞાન વધારતા જવાનું છે અને તેને માટે ઉપયોગને સૂક્ષ્મ અને તીક્ષ્ણ બનાવતા જવાનું છે, તે માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે પણ મોટાભાગના સાધકો આ એકાગ્રતાથી આવતી શાંતિ-સ્થિરતા વગેરેમાં અટકી જાય છે પણ ઉપયોગને ભીતરમાં લઈ જઈ શુદ્ધાંશને તેમાં પકડી ઉદયધારાથી છુટા પડતા નથી માટે તત્ત્વથી મોક્ષમાર્ગ સાધી શકતા નથી. એકબાજુ કર્મધારા (ઉદયધારા) છે તો બીજી બાજુ જ્ઞાનધારા છે ઉપયોગ બેમાંથી એકને જ પકડે છે. જો તે ઉપયોગ જ્ઞાનધારાને પકડીને ભીતરમાં ચાલ્યો ગયો તો તે શુદ્ધ-ઉપયોગ કહેવાય છે અને જો તે ઉપયોગ કર્મધારાને પકડે છે તો તે અશુદ્ધ ઉપયોગ કહેવાય છે. પછી તે અશુદ્ધ-ઉપયોગ શુભ પણ હોઈ શકે છે તે વાત જુદી છે. | ગમે તેવા ઊંચા શુભભાવો આવે, ગમે તેવી શાંતિ-સમાધિ અનુભવાય પણ જો તેમાં એકત્વ ન કરે તો જ તે શુદ્ધ કહેવાય. તે માટે ઉપયોગને ત્રિકાળી, ધ્રુવ, શુદ્ધ-આત્મદ્રવ્ય ઉપર જ રાખવો પડે. તો જ એત્વમાંથી છુટી શકાય. સાધક અવસ્થામાં પણ સિદ્ધ અવસ્થા જેવી જ પોતાની અવસ્થાને પકડવાની છે. ગમે તેની સાથે ઉપયોગ જોડાય પણ આત્માને ખ્યાલ રહે કે શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને તત્ત્વો, સાથે રહેલા છે; તો ઉદય સાથે ઉપયોગ ખેંચાય ખરો પણ એકત્વ ન કરે, તો આ જ મોટી જીત છે. અને ઉપર કહેલ એકત્વ એ લાજ છે-આત્મા માટે શરમજનક છે અને તેનાથી જ પોતાના આત્માને બચાવવાનો છે. એ વાત યોગીરાજ આનંદઘનજી “કિસતી વધશે લાજ કડી દ્વારા અણસારી રહ્યા છે. અજ્ઞાનના કારણે ધર્મના નામે શુભભાવ-શુભક્રિયા કરવા છતાં પ્રભાવથી ઇન્દ્રિયજનિત સુખ મળે. પ્રસાદીથી આત્માનુભૂતિ થાય. Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 975 ઉપયોગમાં તેની સાથે એકત્વ કરી આપણો આત્મા અનંતકાળથી ભવે ભવે મોક્ષમાર્ગ ચૂકતો આવ્યો છે. મોક્ષમાર્ગ હારી રહ્યો છે. તેનાથી બચવા શ્રીમદ્ આનંદઘનજીનો અનુરોધ છે. સૌ કોઇ આત્માઓ યોગીરાજના હૃદયમાં રહેલા આ અધ્યાત્મને સ્પર્શી પોતાનો ભવ સુધારી, બગડેલી બાજીને સુધારી લે, તે માટે થઈને, અમારા દ્વારા યોગીરાજના હૃદયગત ગંભીર ભાવોને ખોલવાનો આ એક નમ્ર પ્રયાસ છે. પ્રેમ કરે જગજન સહુ રે, નિરવાહે તે ઓર, મ. પ્રીત કરીને છાંડી દિયેરે, તેહશું ન ચાલે જોર.. મનરા..૭ ઘર્મ એટલે ગુણ-પર્યાય- ધર્મી એટલે દ્રવ્ય. અર્થ : સમસ્ત લોકમાં રહેલા મનુષ્યાદિ જીવો, પ્રેમ સંબંધનેરાગના સંબંધને બાંધે છે. પ્રેમ ભાવથી ઓતપ્રોત કરે છે. તેમાં એવા થોડાક જ લોકો હશે કે જે સંબંધને બાંધ્યા પછી લાંબા સમય સુધી તેનો નિર્વાહ કરે છે. પ્રીતિથી બંધાયેલાં એકમેકમાં તરબોળ થયેલાં, અતૂટ .સ્પંદનોથી લય પામેલાં તે સંબંધોને જ્યારે તે છોડી દે છે તો શું ત્યારે તે કામ બહાદુરીનું કહેવાય? તેના ઉપર કયું જોર ચાલી શકે ? તમારા પ્રત્યે અનન્ય ભાવવાળી, શુદ્ધ શિયળને સાચવનારી, ભવાંતરોથી તે પ્રીતિના તારને જેણે તૂટવા દીધા નથી, તમારામાં જ અનુરક્ત થયેલ ચુંદડીને જેણે ઓઢેલ છે, ચઢશે તો તમારા નામની જ પીઠી ચડશે અન્ય કોઇની નહિ એવી, મારામાં તમને શું ઓછું જણાયું કે આપ મારા પ્રત્યેની પ્રીતિના તારને તરછોડી દઈને સંન્યાસના માર્ગે સંચરી ગયા? આપે તારા-મૈત્રક તો નહિ પણ હસ્તમિલન-પાણિગ્રહણ પણ કર્યું નહિ. હે નાથ! આપે મારામાં એવી તે કઈ અયોગ્યતા જોઈ કે મુક્તિને પામવા આપ ગિરનાર સંચરી ગયા ! પાછું વળીને જોતા પણ નથી! ભવાંતરોથી લાગલગાટ એક સરખી ચાલી આવતી પ્રીતને શું આવી રીતે તરછોડાય? Page #148 -------------------------------------------------------------------------- ________________ 976 ( હૃદય નયન નિહાળે જગધણી આમ રાજીમતિ પ્રેમવિરહથી ઘેલી બનેલી પોતાની અંતરની વેદનાને ગાઢ-પ્રગાઢ-અતિગાઢ બનાવતી એક પછી એક આલાપને ઉત્કટ રીતે ઠાલવી રહી છે. વિવેચનઃ સૂક્ષ્મ રીતે વિચારતાં કંઈક જુદી જ અનુપ્રેક્ષા તરફ આ કડીનો ભાવ લઈ જાય છે. જગતના લોકો વિવિધ પ્રકારની પ્રકૃતિ ધરાવતા હોવાથી તેઓનો પ્રેમ અર્થાત્ રાગ પણ વિવિધતાથી ભરેલો હોય છે. બાહ્યાત્માઓ તદ્ભવ પુરતો એકાંત પ્રેમ કરતા હોય છે. તેઓમાં આત્મપ્રેમ કે પરમાત્મપ્રેમનો સંભવ હોતો નથી. અધ્યાત્મના વિકાસક્રમમાં જે ચૌદગુણસ્થાનકો બતાવવામાં આવ્યા છે, તેમાંના પહેલાં છ ગુણસ્થાનકોમાં રહેલા જીવોના પ્રેમ-યોગનો અભ્યાસ કરીએ તો તરતમતાએ તેઓનો પ્રેમ-રાગ ઉત્તરોત્તર વિશુદ્ધતામાં પગરણ માંડે છે. તેની પ્રાપ્તિ અભ્યાસના યોગથી થાય છે. ગુરુ ઉપદેશ અને ગુવજ્ઞાને ધારણ કરતાં વિશુદ્ધિના માર્ગે પ્રેમ વિકસતો જાય છે. તેમાં પણ તે પ્રેમનો નિર્વાહ કરવો-જાળવવો, સ્થિર રાખવો તે કોઈ વિરલ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. જીવનો પ્રેમરાગ મિથ્યાત્વ અવસ્થામાં સ્વાર્થમિશ્રિત અને કામ્યભાવવાળો હોય છે. કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગની ચાહના વાળો પ્રેમ, દોષોનો સંગ હોતે છતે થાય છે. જેમ લોક વ્યવહારમાં વ્યાપારી અન્ય વ્યાપારી સાથે, સ્ત્રી-પુરુષ સાથે, શેઠ-નોકર સાથે, કામીજનો કામિની સ્ત્રીઓ સાથે, રાજાઓ અન્ય રાજાઓ સાથે, એક દેશની પ્રજા અન્ય દેશની પ્રજા સાથે પરસ્પર મૈત્રી સંબંધ બાંધે છે; તે પોતાના સાંસારિક પ્રલોભનો અને સ્વાર્થને સિદ્ધ કરવાના હેતુથી હોય છે. તેમાં કોઈ ઉપકારની કે સામી વ્યક્તિના હિતની ભાવના હોતી નથી; તેથી તે પ્રેમ લાલચવાળો, કામ્ય ભાવવાળો નામ-રૂપાદિ સુધી જ પૂણલદ્રવ્યના એક એક ગુણના ભેદો અનંત છે. જ્યારે આત્મદ્રવ્યની એક એક ગુણની શક્તિ અનંત છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 977 સીમીત હોય છે. તેમાં નિશ્ચયે કામ્યબુદ્ધિ હોય છે. જગતના સર્વપ્રાણીઓ પ્રાયઃ કરીને કામ્યતા એટલે ભોગના સાધનોની પ્રાપ્તિ માટે જ આવો પ્રેમ કરે છે. વિષયોમાં રક્તતા, ઇષ્ટતા, સ્વપણાની પ્રતિષ્ઠા, એ કામ્યતા છે. આવો કામ્યબુદ્ધિવાળો પ્રેમ, તે સ્વાર્થબુદ્ધિવાળો-ફળની આકાંક્ષાવાળો પ્રેમ છે. જો તે ન સચવાય તો વૈરભાવોની વૃદ્ધિરૂપ દ્વેષભાવનો જનક બને છે. આવો સ્વાર્થયુક્ત પ્રેમ, જીવો પોતાના અજ્ઞાન અને મિથ્યાત્વના કારણે કરે છે, જેના ફળમાં પોતાના સ્વાર્થને-દોષોને પોષે છે. સ્ત્રી-પુરુષનો વિષયાભિલાષી પ્રેમ હોય છે, તો માતા-પિતાનો સંતાનો પ્રત્યેનો પ્રેમ સેવાના ફળની આશાવાળો હોય છે. રાજા અને પ્રજાનો પ્રેમ રક્ષણની અપેક્ષાવાળો હોય છે. વ્યાપારીવ્યાપારી વચ્ચેનો પ્રેમ અર્થની લાલસાથી હોય છે, જેમાં ઇષ્ટની સિદ્ધિ ન થાય તો તે પ્રેમ વૈરમાં પરિણમે છે. આવો પ્રેમ તામસ પ્રકૃતિ યુક્ત ગણાય અને તે હિંસાદિમાં પરિણમે. આવા જીવોને ધર્મપરિણામમાં બુદ્ધિ થતી નથી અને થાય તો ચાહના વગરની હોય છે. દ્વિતીય સાસ્વાદન ગુણસ્થાનકનો કાળ બહુ અલ્પ એટલે વધુમાં વધુ છ આવલિકાનો હોય છે. ત્યાં સમ્યક્ત્વથી પતન પામતા આવવાપણું હોય છે. અહિંયા કાંઇક ઉપર ઉઠવાપણું હતું પણ હાલ તો પતન પરિણામ જ છે એટલે ત્યાંથી નીચે ઉતરીને પાછા પહેલા ગુણસ્થાનકે આવવાપણું હોય છે. આ અવસ્થાએ અશુદ્ધ અંશ હોવા છતાં સાધુ સંગતિ, ગુણાનુરાગ, વંદન, પુજન, સત્કાર, સન્માન, ઉપદેશશ્રવણ વગેરે ત્યાં હોય છે. દેહથી ભિન્ન પોતે આત્મા છે અને પોતે દેહમાં રહેલો છે એવો ખ્યાલ હોય છે. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, વિવેક, ગુરુની ઉપાસના, અધ્યાત્મભાવના, તત્ત્વબોધ, વગેરે હોય છે. રાજસપ્રકૃતિ છૂટતાં દૃષ્ટિમાં દૃષ્ટા સમાઈ જાય; એ છે ‘અપ્પાણં વોસિરામી’નો સાયો અર્થ. Page #150 -------------------------------------------------------------------------- ________________ 978 હૃદય નયન નિહાળે જગધણી સાત્વિકવૃત્તિ કેળવાય છે. સાથોસાથ પોતાના અંગત સ્વાર્થોનું ધ્યાન, તેને નુકસાન ન થાય તેનો ખ્યાલ પણ હોય છે. પરમાર્થનો દેખાવ, વ્યવહાર ઔચિત્ય, માર્ગાનુસારી ગુણો પ્રતિનો પ્રેમ, જીવો પ્રત્યે દયા, દીનઅનાથનું ભરણપોષણ, ન્યાય સંપન્ન વૈભવ વગેરે ગુણો પણ અહિંયા જોવા મળે છે. ત્રીજા મિશ્રગુણઠાણે મિશ્રભાવરૂપ પ્રેમ હોય છે. આ ગુણઠાણાનો કાળ પણ અલ્પ એટલે અંતર્મુહૂર્તનો હોય છે. આત્મા પ્રતિ પ્રેમ હોય છે તો પણ પુદ્ગલ ભોગ ઉપર કંઇક વધારે પક્ષપાત રહે છે, ધર્મ પ્રત્યે પ્રેમ અલ્પ હોય છે. અંતરંગ ચિત્તની પ્રસન્નતાયુક્ત સ્નેહસંબંધ કેળવે છે. દર્શન, વંદન તેમજ ધર્માનુષ્ઠાન કરતા ચિત્ત આલ્હાદતાને પામે છે, 'ધર્મ પ્રત્યેનો પ્રેમ બીજરૂપે વિકસિત થતો જાય છે. શુદ્ધ-અશુદ્ધ એવા મિશ્રભાવયુક્ત દરેક પ્રવૃત્તિ હોય છે. ભોગની ઇચ્છા ખરી પણ જડ વસ્તુનો ભોગ પણ હોય છે. મોક્ષમાર્ગી બનવાની ઇચ્છા હોવા છતાં આત્મસુખ માટે વિષયસુખ મિશ્રિત પ્રેમ હોય છે. વિષયોમાં મુખ્યતા રહે છે. પ્રથમની બે ભૂમિકા કરતા કાંઇક વધારે વિશુદ્ધતા હોય છે. પારમાર્થિક સંબંધવાળો પ્રેમ તો હજુ વિકસિત થયો જ નથી હોતો. અંગત ભૌતિક સ્વાર્થની મુખ્યતા હોવાથી આત્મલાભથી વંચિતતા હોય છે. આત્મતત્ત્વની પ્રાપ્તિ એ સત્યપ્રેમ, નિઃસ્વાર્થ પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ વિના સંભવિત નથી. હવે ગુણસ્થાનકની ચોથીભૂમિકામાં ભેદજ્ઞાનના બળે આત્માનુભૂતિ હોય છે. એક અતર્મુહૂર્ત માટે ઉપશમ સમ્યકત્વના કાલમાં આત્મતત્ત્વની વિશુદ્ધભાવે સ્પર્શના હોય છે. અહિંયા સ્વાર્થયોગ નહિ પણ પ્રેમયોગ હોય છે. સત્યપ્રેમ હોય છે. અવિરતિનો ઉદય હોવાના કારણે અનુભૂતિમાં ટકવાપણું નથી હોતું પણ ત્યાંથી બહાર નીકળવાપણું હોય છે. છતાં ત્યાંય ભય જ ન હોવો તે શાંતતા છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ - શ્રી નેમિનાથજી , 970 અનુભવેલ તત્ત્વનુ જબરજસ્ત આકર્ષણ, રુચિ અને સ્મૃતિ હોય છે, તેથી જેમ અંદરથી ઠરવાપણું નથી હોતું કારણકે અવિરતિનો ઉદય છે, તેમ બહાર પણ ઠરવાપણું નથી હોતું કારણકે સમ્યકત્વની સ્પર્શના છે. આત્મતત્ત્વની ઝાંખી હોય છે. અહિંયા જ્ઞાનધારા અને કર્મધારા બે જુદી અનુભવાય છે. વીતરાગ પરિણતિનો અંશ પ્રગટી ચૂકેલો છે એટલે તેનું જ આકર્ષણ રહે છે. સંસારના કાર્યો રસ રહિત કરાય છે. ધર્મના કાર્યોમાં ઉત્સાહ-આનંદ-રુચિ-બહુમાન-આદર હોય છે. જીવો પ્રત્યે મૈત્રી-પ્રેમવાત્સલ્ય ઉભરાય છે. અહિંયા હવે કોઈ અપરાધી લાગતું નથી. જીવ માત્ર નિર્દોષ દેખાય છે. પ્રેમયોગ અને તત્ત્વબોધની મુખ્યતા હોય છે. - પાંચમી ભૂમિકામાં ચારિત્રની દેશથી સ્પર્શના હોય છે. ધર્મપ્રવૃત્તિની મુખ્યતા હોય છે. નિવૃત્તિરૂપ ચારિત્ર ગૌણભાવે હોય છે. પ્રેમયોગી બનેલા આત્માઓ ઉદયકર્મને સમભાવે વેચે છે તેમજ યમદિનું પાલન પણ સમભાવે હોય છે. શાસ્ત્ર અનુસારે ન્યાય-નીતિ-સદાચારનું વ્યવહારમાં 'પાલન હોય છે. દેવ-ગુરુ-સાધર્મિક બંધુઓની સેવા હોય છે. સત્ય-પ્રેમનો - ઉદય હોય છે. શુદ્ધતા યુક્ત સ્થિરબુદ્ધિ પ્રગટે છે. અણુવ્રતાદિનું પાલન તથા તપધર્મનું સેવન હોય છે. કષાયનો ત્યાગ હોય છે તેમજ ચારિત્ર સ્વીકારવાના મનોરથ હોય છે. . છઠ્ઠીભૂમિકામાં શુદ્ધિ કરતા કરતા આગળ વધેલ હોવાથી આરંભસમારંભમય પાપપ્રવૃત્તિઓનો ત્યાગ, વિષયવાસના-પરિગ્રહવૃત્તિ, લોકેષણા વગેરેનો ક્ષય થયો હોવાથી અભેદભાવે પ્રેમ પ્રગટ થાય છે. સંકલ્પવિકલ્પની અત્યંત અલ્પતાવાળું, કષાય વિનાનું, સ્વરૂપમાં રમણતાવાળું જગતથી સર્વથા નિર્લેપ જીવન હોય છે. શરીરની સ્પૃહાથી પણ તેમનું મન સર્વથા વિરામ પામેલું હોય છે. સ્વ અને પરનો યર્થાથબોધ હોવાથી શેયને જાણીને શેયને યોંટે તે બહિરાત્મા. Page #152 -------------------------------------------------------------------------- ________________ 980 હૃદય નયન નિહાળે જગધણી આત્મામાં રમણતા હોય છે. સર્વવિરતિ એ બીનશરતી શરણાગતભાવ છે. જ્યારે દેશવિરતિ એ શરતી શરણાગતભાવ છે. અત્રે પ્રસ્તુત “પ્રેમ કરે જગજન સહુ રે, નિર્વા તો ઓર'માં યોગીરાજ દુન્યવી પ્રેમની વાત કરતા નથી પણ આત્મા પ્રતિનો પ્રેમ દિનપ્રતિદિન કેમ વધતો જાય તેની વાત કરે છે અને તે માટે એકથી છ ભૂમિકામાં પ્રેમનું સ્વરૂપ કેવું હોય છે, તે બતાવે છે અને એમ કહેવા માંગે છે કે સ્વાર્થ લાલસાવાળો, કામ્યભાવવાળો પ્રેમ કે જે મોહ અને અજ્ઞાનના ઘરનો છે તે દૂર કરવા જેવો છે અને ચોથી-પાંચમી-છઠ્ઠી ભૂમિકામાં ઉત્તરોત્તર વિશુદ્ધિને આલિંગતો નિસ્વાર્થ, નિર્વાજ, નિર્મળ પ્રેમ જે આત્માના ઘરનો છે અને મોક્ષ તરફ લઈ જનાર છે, તેવો પ્રેમ કરવા જેવો છે. આવા પ્રેમને જે આત્માઓ પ્રગટાવે છે અને પછી નિરવાહે છે, તેવા જીવો ઓર અર્થાત્ વિરલા હોય છે. વિશુદ્ધ પ્રેમ તરફ પગરણ માંડવા અને તેનો જ લક્ષ્યવેધ કરવો તે વિરલ આત્માનું કર્તવ્ય છે. “નિર્વાહે તે ઓર' એ કડીનો આ રહસ્યાર્થ છે. છઠ્ઠી ભૂમિકામાં રહેલા જીવો આત્મા ઉપર કરેલા પ્રેમને સારી રીતે નિભાવે છે. બાકીની ભૂમિકામાં જીવો આત્મા તરફનો પ્રેમ કરે છે પણ ત્યાં પાછા ફરવાની સંભાવના છે. નિર્વાહ તો એ છે કે એક વખત દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ થયા પછી તેમના ઉપદેશાદિમાં ઓતપ્રોત થઇને ધર્મને આત્મસાત્ કરવો અને પરમ શુદ્ધતાને વરવું. આ જ લક્ષ્યવેધ છે-આ જ નિર્વાહ છે. આવા ધર્મથી સંવર અને નિર્જરા તત્ત્વની પ્રાપ્તિ થાય અને મોક્ષ સાધી શકાય. “પ્રીત કરીને છોડી દે રે, તે શું ન ચાલે જોર' અધ્યાત્મના માર્ગમાં ઉત્તરોત્તર વિશુદ્ધિની કક્ષાને ઓળંગી જવાની છે. અંતે આત્માની પરમવિશુદ્ધતાને પ્રાપ્ત કરવાની છે. જે પરિણામ શેયને જાણીને જ્ઞાનમાં સમાય તે અંતરાત્મા. Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 9 981 પર્યાયમાં પ્રગટી રહ્યા છે, તેમાં જીવાત્માનો પુરુષાર્થ રહેલો છે. સ્વ પ્રતિ ઉપયોગને ઢાળતા રાગ ધીમે ધીમે બદલાતો જાય છે, ઘટતો જાય છે વિશુદ્ધતાને સ્પર્શતો જાય છે. રાગ વીતરાગતામાં પરિણમે તે પહેલા પ્રત્યેક કક્ષાઓથી આત્માને આગળ વધારવાનો છે. શુદ્ધ પ્રેમ પ્રતિ સમયે આત્મામાંથી અંકુરિત થાય છે. યોગીરાજ કહે છે કે એક વખત આત્મા પ્રત્યે વિશુદ્ધ પ્રેમ પ્રગટાવ્યો હોય, ઉત્તરોત્તર તે વૃદ્ધિ પામતો હોય છતાં જે જીવો આવી સ્વ સાથેની પ્રીતિને છોડી દે છે અને દુન્યવી પ્રેમ-રાગમાં ફસાઈ જાય છે, તેવા જીવો અજ્ઞાન-મિથ્યાત્વાદિથી યુક્ત છે. તેવા જીવો પ્રતિ આપણું શું જોર ચાલી શકે ? આપણે શું કરી શકીએ ? આત્માનો નિર્મળ પ્રેમ સમ્યગદર્શનાદિથી યુક્ત છે, જેમાં જીવે સ્વયંની આંતરલબ્ધિને વરવાનું હોય છે. દુન્યવી પ્રીતિ આખરે સંસાર સમુદ્રમાં ડુબાડી દેનાર છે. આમ યોગીરાજ પોતે રાજીમતિના સ્વાંગમાં રહી પોતાનું આંતર મંથન-હૃદય વલોણું કરી રહ્યા છે અને એ વાત તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યા છે કે આપણે સૌએ સ્વયંના તત્ત્વમાં વિલીન થઈ જવાનું છે-સ્વમાં ઓગળી જવાનું છે-પરમાં એક ક્ષણ પણ રાચવાનું નથી. એક વખત હાથમાં આવેલ આ મનુષ્યભવ, તેમાં પરમાત્મપ્રેમ પ્રગટ થયા પછી જરાપણ પ્રમાદમાં ન રહેવું-ગાફેલ ન થવું. ઉપર ચઢ્યા પછી ઉપર જ ચઢતા રહેવું પણ નીચે ન ઉતરવું. આમ સ્તવનની આ કડીમાં પ્રમાદી બનેલી ચેતનની ચેતનાને ઢંઢોળી ઢંઢોળીને જગાડવાની વાત તેઓશ્રી કરી રહ્યા છે. ' ઉપશમશ્રેણી સુધી ચઢેલા અને ઠેઠ અગિયારમા ગુણસ્થાનકની વીતરાગતાનો આસ્વાદ પામેલા એવા અનંતા ચૌદપૂર્વીઓ ત્યાંથી પાછા ફરી પ્રમાદી બની આજે નિગોદમાં રૂલે છે; તેમજ શ્રેણિકાદિની જેમ ક્ષાયિક સમકિત અને જિનનામકર્મની નિકાચના કરવા છતાં પૂર્વબદ્ધ - નરકાયુષ્યને કારણે પહેલી-બીજી અને ત્રીજી નારકીમાં રહેલા તીર્થકરના શેય જેના જ્ઞાનમાં જણાય છે, તે પરમાત્મા. Page #154 -------------------------------------------------------------------------- ________________ 982 હૃદય નયન નિહાળે જગધણી આત્માઓ કે જેઓ નરકમાંથી નીકળી મનુષ્યમાં આવી તીર્થંકર થવાના છે, તેવા આત્માઓ પણ આજે અસંખ્યાતા નરકમાં છે. આ લોકસ્થિતિ છે, જેનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ આ જાણીને આપણે પ્રભુપ્રેમને ઉત્તરોત્તર વધારતા જવું અને અંતે વીતરાગ-સર્વજ્ઞ બનવા તરફ અપ્રમત્તપણે પ્રયાણ કરવું. જો મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ, મ. નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હવે નુકસાન.. મનરા..૮ અર્થ : જો કદિ મનમાં પહેલેથી પ્રવ્રુજિત (દીક્ષિત) થવાનું હતું તો નિસપતિ એટલે સગાઈ-સંબંધ નહોતા કરવા જોઇતા. હે જાણ! હે સમજવાન! શું આપ નથી સમજતા કે સગાઈ સંબંધ કરીને છોડી દેતાં સ્ત્રી-માણસ હેરાન થાય છે અને વખતે મરી પણ જાય છે. વિવેચન : પ્રવજ્યા ગ્રહણ કરીને જો ગિરનાર તરફ જ વિચરવું હતું, તો પછી આપે આ બાબતે અમારા કુટુંબીજનો સાથે સંબંધ બાંધવાની વાત જ છેડવાની જરૂર નહોતી. વિવાહ અર્થે જ્યારે આપ અત્રે પધાર્યા ત્યારે આ વાત લોકમાં પ્રસરી ચૂકી હતી કે રાજીમતિ નેમિકુમારની થઇ ચૂકી છે. હવે જ્યારે આપ રથવાળીને પાછા જાવ છો ત્યારે લોકમાનસમાં સહેજે શંકા-કુશંકા મારા માટે થાય. લોકો અનેક રીતે વિચાર કરે. સતી સ્ત્રી બીજો પતિ ઈચ્છવા કરતાં, બીજું શરીર ઈચ્છવું કબુલ કરે તે જગજાહેર છે. ક્યારેક કોઇક સ્ત્રી બીજો પતિ ઈચ્છે તો પણ આ સ્ત્રીને તેના પૂર્વપતિએ શા માટે છાંડી હશે? તેમાં શું દોષ હશે? શું તે વિષકન્યા હશે ? એવી શંકાઓ બીજાને થાય તેવું છે. આમ કરવાથી આપની દયાનો નાશ થાય છે. આમ કરવા દ્વારા આપે અમારા કુટુંબીજનોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આપણા આનંદની વિકૃતિ સુખ છે અને સુખને આનંદ માનવાની સજા દુઃખ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 983 જે 63 - “નિસપતિ કરત ન જાણ’ - મેં એક વખત મનથી આપને નિસપતિ-નિજપતિ તરીકે સ્વીકારી લીધા છે. હવે હું અન્ય કોઈને પણ પતિ તરીકે સ્વીકારીશ નહિ કેમકે સતી સ્ત્રી નિજના માનેલા ભરથાર સાથે જ પ્રેમ કરે છે. એકવાર આપને નિજપતિ તરીકે માની ચૂકેલી જગતમાં નેમીશ્વરનાથની કહેવાઈ ચૂકી છું, તેથી હવે હું મન-વચનકાયાથી અન્ય કોઈને ઇચ્છતી જ નથી. તો હવે આપ મને છોડી દેવાની વાત કરો તો મને અને મારા કુટુંબીઓને કેટલું નુકસાન પહોંચે ? તેનો ખ્યાલ કરવો જરૂરી છે. આમ પુનઃ પુનઃ રાજીમતિ રથને પાછા ફેરવવાનું કહી રહેલ છે. “ - સૂક્ષ્મદષ્ટિએ વિચારતાં આ ગાથા અગાઉની ગાથાઓનો જ પડઘો પાડી રહી છે. સંકલ્પ-વિકલ્પમાં રહેલું મન અનેક જાળાઓ રચે છે, અનેક તરંગો-કલ્લોલોને ઉત્પન્ન કરે છે. મન એ પ્રકૃતિ વિભાગ છે. એ પુદ્ગલ સ્વભાવને અનુસરે છે. મનનું જે પરિણમન ચાલે છે, તેમાં સભાનતાપૂર્વકની આત્મજાગૃતિ વિકસેલી ના હોય તો તેમાં સતત તરંગોકલ્લોલો ઉઠ્યા જ કરતા હોય છે. રાજીમતિના સ્વાંગમાં રહેલ આનંદઘનજીની પ્રકૃતિ પોતાના નિજ પરમાત્માને (વ્યવહારે નેમિપ્રભુને) કહી રહી છે કે અનાદિઅનંત કાળથી નિજ-પરમાત્મા તરીકે તો આપ જ છો છતાં ભવાંતરોમાં ભટકતાં આપ ભૂલાઈ ગયેલા તે આજે આત્મા અને પરમાત્મા વચ્ચેની કડી પકડાઈ ગઈ છે. હવે તો આપને પામવાની મથામણ ચાલી રહી છે. હે નાથ! મનુષ્યપણુ પામ્યો, આપ કૃપાળુની ઓળખ થઈ ગઈ એટલે આપ મારા ઘર આંગણા સુધી આવ્યા એમ કહેવાય. હવે જો આપ મારા અંતરમાં પ્રગટ ન થાવ તો પછી હું ક્યાં જાઉં ? કોને મારા નાથ તરીકે સ્વીકારું? કોનો હાથ જ્ઞાનની નિર્મળતા અને સંપૂર્ણતા એ જ મોક્ષ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ 984 . હૃદય નયન નિહાળે જગધણી પકડું? આપના સિવાય મારું બીજુ છે પણ કોણ? હું દેવભવમાં હતો ત્યાં આપની અપૂર્વ વાણી સાંભળી હતી, આપે મને કોલ આપ્યો હતો કે આ દેવભવમાં તને પરમાત્મ સ્વરૂપ મળવુ કઠિન છે પણ મનુષ્યભવમાં તેનો યોગ થઇ શકશે. હે પ્રભો! આજે તે કાળ આવી ગયો છે છતાં આપ મારા અંતરમાં પ્રગટ થતાં નથી, તો હવે હું ક્યાં જાઉં? કોને મારી આપવીતી કહું ? હે નાથ ! સ્વરૂપથી તો હું અને આપ એક જ છીએ તેથી જ નિસપતિ કરત ન જાણ” દ્વારા એ જ અંગૂલિનિર્દેશ છે. નિસ એટલે નિજ અને પતિ એટલે સ્વામી અર્થાત્ આપ પોતે જ મારા સ્વામી છો. નિસપતિ’ શબ્દનો શ્લેષ કરતાં પણ નિ એટલે નિશ્ચય “સ' એટલે સમ્યકત્વ પ” એટલે પ્રમાણ અર્થાત્ જ્ઞાન , તિ' એટલે તલ્લીનતા અર્થાત્ ચારિત્ર , અર્થાત્ નૈયિક સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રને પામવું એ જ નિસપતિ’ શબ્દનો લક્ષ્યાર્થ છે. અર્થાતુ પોતાના પરમાત્મ-સ્વરૂપને વરવું એ જ “નિસપતિ પણું છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં તલ્લીનતા એ જ “નિસપતિપણું છે પરમ-પારિણામિક ભાવથી યુક્ત જે ધ્રુવતત્ત્વ છે, જે પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, તેને પામવું તે જ નિસપતિ શબ્દનો મેંદપર્યાર્થ છે. “નિસપતિ કરત ન જાણ’ - હે નાથ ! આપ આવા મારા સ્વામી હોવા છતાં, હું આજે તેને જાણતો હોવા છતાં પામી શકતો નથી, એ અશુદ્ધ યેતનમાં (સંસારી જીવમાં) અને પૂગલદ્રવ્યમાં રહેલાં સાદિ-સાન્ત ભાવ વિનાશી હોવાથી-અસત્ હોવાથી, જગતને મિથ્યા કહેલ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 985 મારા માટે કેટલું બધું લજ્જાસ્પદ છે. આવા મારા નાથને માથે કર્યા પછી જો હું તેને મારા હૃદયમંદિરમાં ન પ્રગટાવું તો લોકમાં મારી લાજ શું રહેશે? મનુષ્યભવ અને પ્રભુશાસન મળવા છતાં મારા આંગણે આવેલા હે નાથ ! શું આપ પાછા ચાલ્યા જશો? મારી સાથે આપનું તારામૈત્રક નહિ રચાય ? પાણિગ્રહણ નહિ થાય ? તો પછી હું કોના આધારે જીવીશ? . હે નાથ ! ગમે તેમ કરીને પણ આપ પ્રતીતિમાં આવો! વ્યકતતામાં આવો ! મારી જ્ઞાનની પર્યાયમાં પૂર્ણપણે પ્રકાશો! જો આપ તેમ નહિ કરો તો આ બહિરાત્મભાવો, પ્રકૃતિના તત્ત્વો, શરીરસ્થ દેહ-ઈન્દ્રિયોમન-બુદ્ધિ-રાગાદિ પરિણામમાં મને તાણી જશે. મારો આત્મા પરાવલંબી ન બને, પર-સમયમાં-પર-તત્ત્વમાં રમણતા ન કરે, જ્ઞાતા-જોયપણાને છોડીને કર્તાભાવમાં ન આવી જાય, તેનો ભય મને સતત વિકલ્પરૂપે સાલી રહ્યો છે. પૂર્વના ભવોમાં પણ નિસપતિ એટલે મારા સ્વામી તરીકે આપને જે. આરાધેલા છે. * સતી સ્ત્રી જેમ એક ભરથારને મનથી સ્વીકારી લે પછી તે પ્રાણાતે પણ તેના સિવાય અન્યને ઇચ્છતી નથી, તેમ આ મારું પ્રાકૃત-મન પણ સ્ત્રી જેવું જ જાણવું જે તમને નિસપતિ તરીકે અંગીકાર કર્યા પછી પરસમય, પર-તત્ત્વને ભજવા તૈયાર જ થતું નથી. તેથી મારા અંતરંગ ભાવો ઝૂકી ઝૂકીને આપને પ્રાર્થી રહ્યા છે કે આપ પ્રતીતિમાં પ્રકાશો, પર્યાયમાં ઝળહળો !! નિસપતિ શબ્દના અર્થ-ગાંભીર્યમાં નિજ પરમાત્મારૂપે આપ ઓતપ્રોત છો તેનું રહસ્ય માર્યું જશે. જો આપ ન પ્રકાશો તો ઉપાસનામાંવિવેકમાં કોણ રહેશે? લોકોમાં એ જાણ થઇ ચૂકી છે કે આ આનંદઘન હજારો ભવો સુધી જે કર્મબંઘ કરેલાં છે, તે બે ઘડીની ક્ષપકશ્રેણિ ના અલ્પકાળમાં ખતમ કરી શકાય છે, તે અપેક્ષાએ ઘર્મ, કર્મ કરતાં બળવાન છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ 986 , હૃદય નયન નિહાળે જગધણી પ્રકૃતિરૂપે રહેલ ત્યાગી-સંન્યાસી-મુમુક્ષુ આત્મા છે. પરમાત્માની શોધમાં અહીં-તહીં ભવાંતરોથી ભટકી રહેલ છે. હજુ સુધી પણ નિજ-પરમાત્માએ (નેમિનાથ જિનેશ્વરે) તેનું પાણિગ્રહણ પણ કર્યું નથી એટલે કે પારગામી પણ બનાવ્યો નથી. નિજ-પરમાત્મામાં સ્વસ્વામીસંબંધે સ્થિરતા કરવી, લયતા કરવી, શુદ્ધોપયોગમાં રાચવું, એકરૂપ થવું, ધ્રુવતાને પામવી, સકળ-આવરણ રહિત થવું, શુદ્ધ એવા પરમપારિણામિકભાવને વરવું તેનું નામ જ પાણિગ્રહણ છે. એકવાર અંગીકાર કર્યા પછી પ્રાણાતે પણ ન છોડે તે પાણિગ્રહણ એટલે પારગામી થવું. સ્વથી સ્વમાં લીનતા પામવી-સ્વમય બનવું. હે નાથ! જો આમ જ મારી ઉપેક્ષા થતી રહેશે અને મારે ભાંડ ભવાયાની જેમ ચારગતિમાં ભટકવાનું જ રહેશે, તો તમને જગતમાં નિસપતિ' તરીકે કોણ કરશે ? આમ એક વખત નિસપતિ તરીકે સ્વીકાર્યા પછી જો મને છોડી દેશો તો આપના પ્રતિનો મારો જે ઉપાસ્યભાવ છે, તે માર્યો જશે. તેના કારણે મને જે નુકસાન થશે, તેનો તો આપ વિચાર કરો ! હે નાથ ! ઉત્તરોત્તર ભાવવિશુદ્ધ પ્રગટ્યા પછી આ કિનારે આવેલુ વહાણ ડૂબી ન જાય તેનો ખ્યાલ કરો ! મિથ્યાત્વ ગુણસ્થાનકથી માંડીને સપ્તમ ગુણસ્થાનક સુધી નિજચૈતન્ય તત્ત્વમાં આપણો સંબંધ પરિણત થયો. ભવાંતરોથી સાધના કરતાં કરતાં મારું મન પરમાત્મ-તત્ત્વમાં વિલસી જવા માટે પોકારી રહ્યું છે કે આ વિરાગી ભાવ ચેતના જ્યારે પોતાપણામાં વિલસી રહી છે, આગળ વધી રહી છે વિકસ્વર થઈ રહી છે/સ્વ-સમયમાં લીનતા સાધી રહી છે ત્યારે “નિસપતિ કરીને છાંડતા રે માણસ હુએ નુકસાન એ પંક્તિને લક્ષ્યમાં લો !!! આપ પૂર્ણપણે પ્રકાશો, પ્રતીતિમાં આવો, ગુણ આત્માના ભાવ પ્રમાણે બંધ થાય છે અને બંધ પ્રમાણે ઉદય થાય છે. " ध्यायेति इति लोलायेति ! Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી અભિરામ બનો તો જ ‘નિસપતિ’ શબ્દની સાર્થકતા થશે. બાકી આપના તરફથી કરાયેલી ઉપેક્ષાવૃત્તિ તો મને પર-સમય/પર-તત્ત્વ અને પરાવલંબી બનાવી દેશે. આ મોટું નુકસાન થવાનો સંભવ છે. મેળવેલું ગુમાવવા જેવું થશે, કિનારે આવેલું વહાણ ડૂબી જશે, ‘જીતી બાજી ગયો હારી રે' એ ઉક્તિ સાર્થક થશે. બધું જ એળે જશે માટે હે મારા મનરાવાલા ! હે મારા મનના માણીગર ! હું ફરીફરીને આપને પ્રાર્થુ છું કે આપ મારા દીલમાં દીવો કરો - સ્વયંમાં સ્થિતિ કરો ! પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ... આ જ વાતને Lead Kindly Light ના ભાવાનુવાદ પ્રેમળ જ્યોતિમાં શિશુભાવે આ ીતે કહી છે કે (રાગ : માંડ તાલ : દાદરા) દૂર પડ્યો નિજ ધામથી, હું ને ઘેર ઘોર અંધાર; માર્ગ સૂઝે નહિ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય; દૂર માર્ગ જોવા લોભ લગીરના, એક ડગલું બસ થાય.. મારે એક ડગલું બસ થાય 987 આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માંગી મદદ ન લગાર; આપ બળે માર્ગ જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ, હવે માંગુ તુજ આધાર ..૧ ..મારો ..૨ આત્મા એ નિશ્ચય તત્ત્વરૂપ છે અને દૃશ્ય જગત એ વ્યવહારરૂપ છે. ...મારો ..૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ 988 હૃદય નયન નિહાળે જગધણી ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ વીત્યા વર્ષોને લોપ સ્મરણથી, અલન થયા જે સર્વ.. મારે આજ થકી નવું પર્વ . ...મારો ..૪ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમ ભેર; નિધ્યે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર, . દાખવી પ્રેમળ જ્યોતિની સેર ...મારો કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ; ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશે નિજ દ્વાર ...મારો રજની જશે પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ; દિવ્યગુણોના વદન મનોહર, મારે હૃદય વસ્યા ચિરકાળ, જે મેં ખોયા હતા ક્ષણવાર ..મારો ૭ - નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા રાજીમતિ પોતાના હૃદયની વ્યથાને ઠાલવી રહ્યા છે. દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ, મ. સેવક વંછિત નવિ લહેરે, તે સેવકનો દોષ. મનરા..૯ અર્થ હે નાથ ! આપ દીક્ષા અંગીકાર કરતા પહેલા એક વર્ષ પર્યત સંવત્સરી-દાન અર્થાત્ વર્ષીદાન આપનાર છો, તેમાં સૌ કોઈ પોતાના મનોવાંછિતને મેળવશે જ્યારે, હું તો આપની ભવોભવની સેવિકા એટલે દાસી છું છતાં આપે મારા મનોવાંછિતને પૂર્યા નથી; તેમાં તે નાથ ! આપનો નહીં પણ મારા કર્મનો જ દોષ છે. દરિદ્રના ઘરે રત્નોની વૃષ્ટિ ન થાય તેમાં રત્નોનો શું વાંક હોઈ શકે ? આ કેવું છે?” પ્રશ્નના જવાબમાં દષ્ટિ જગત-નિશ્ચય જગત સાંપડશે. * Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 989 - 989 . આપ તો કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી જેવા છો! દીક્ષા લેતા પહેલા વર્ષીદાન આપવા દ્વારા જગતના દ્રવ્યદારિદ્રને ફેડનાર છો! આપના તે દાન દ્વારા બાળ, યુવાન, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, ગ્લાન, રોગી, નિરોગી, દલિત, શ્રીમંત, તપસ્વી, સંન્યાસી પોતપોતાના વાંછિતને મેળવશે જ્યારે હું આપની ભવાંતરોની દાસી હોવા છતાં આપે મારા મનોવાંછિતને પૂર્યા નથી; તેમાં હે નાથ! આપનો કોઈ દોષ નથી પરંતુ મારા ઉદયમાં આવેલા કર્મોનો જ દોષ છે, સેવકની સેવાનો દોષ સમજુ છું. આ રીતે રાજીમતિજી પોતાના હૃદયની વેદનાને ઉત્કટ રીતે ઠાલવી રહ્યા છે. વિવેચન . દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ.. સૂક્ષ્મદ્રષ્ટિએ વિચારતાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજાએ રાજીમતિના સ્વાંગમાં રહીને ઉચ્ચારેલા આ શબ્દો કોઈ વિશેષ અર્થની સિદ્ધિ તરફ જ લઈ જાય છે. જે દ્વારા અર્થ ગાંભીયર્તાને પામી શકાય છે. . અહિંયા “દેતાં” શબ્દ આપવાના, છોડવાના, ત્યાગના, વૈરાગ્યના, મૂછ ઉતારવાના, લોભ કષાયને તોડવાના અર્થમાં સીમિત થયેલો જણાય - છે. દાન દેતી વખતે દેનારનો-દાન કરનારનો હાથ ઉપર રહેલો હોય છે જ્યારે લેનારનો હાથ, ખોબો કે ઝોળી નીચે તરફ રહેલ જણાય છે; જે ગ્રહણ કરવાના અર્થમાં, લેવાના ભાવમાં, અંગીકાર કરવાના, સ્વીકાર કરવાના ઈચ્છિત અર્થની સિદ્ધિ કરવાના અર્થમાં સમજી શકાય છે. આમ ‘દેતા' શબ્દ ત્યાગ અને ગ્રહણ અર્થમાં વપરાયેલ છે. અન્ય મતમાં, અન્ય દર્શનમાં અથવા તો વર્તમાન કાળમાં કે ત્રણે કાળમાં સંપ્રદાયમાં જે જે રીતે પોતે સમજેલા સીમિત અર્થમાં ત્યાગ શબ્દ જે સમયથી જીવ પોતાના બહિરાત્મભાવને જેતો થશે તે સમયથી જીવ અંતરાત્મા બનશે. Page #162 -------------------------------------------------------------------------- ________________ 990 990 , હૃદય નયન નિહાળે જગધણી , વપરાય છે તેવા અર્થમાં અહિંયા પ્રસ્તુત ત્યાગ અને ગ્રહણની વાત નથી. સામાન્યથી બાહ્યદૃષ્ટિથી કરાતા ઘરબારને છોડવારૂપ ત્યાગને ત્યાગ મનાય છે અને અણુવ્રતો કે મહાવ્રતોનો તેમજ વેશ પરિવર્તનના સ્વીકારને ગ્રહણ મનાય છે. જૈન દર્શને અનેકાન્ત અને સ્યાદ્વાદના માધ્યમ દ્વારા જે ત્યાગ અને ગ્રહણની વાત કરી છે તે અન્ય કોઈએ કરી જ નથી. જૈનદર્શન પરદ્રવ્ય, પર-ક્ષેત્ર, પર-કાળ અને પર-ભાવને છોડવાની વાત કરે છે અને સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાળ અને સ્વભાવને સ્વીકારવાની વાત કરે છે. એ વિસ્થાપનની સાથે સાથે સ્થાપનની વાત કરી સ્થાપન પ્રતિના પ્રસ્થાનનો સુસ્પષ્ટ સરળ-સુરેખ-અખંડ મોક્ષમાર્ગ બતાડે છે. . . આત્મા જ્ઞાનસ્વરૂપ છે, સ્વયને જાણે છે માટે જ્ઞાતા છે, તેવા દઢજ્ઞાનની વાત અહિંયા કહેવી છે અને ત્યાગ એટલે જે પરિણામ-ફળક્રિયા-પર્યાય આવે તેમાં મમત્વ બુદ્ધિનો ત્યાગ તેને અહિંયા બતાવવો છે. હું તો ત્રિકાળી-ધ્રુવ-પ્રત્યક્ષ પ્રતિભાસમય આત્મદ્રવ્ય છું માટે પર્યાયમાં થતાં પરિણામ પણ મારા નહીં એવો જે સહજ સ્વીકાર, ભીતરમાંથી ઉભરતો અને ઉભરાતો વૈરાગ્યમય ભાવ તે ત્યાગ છે. જેમાં છોડવાનું નથી, દમન નથી, બળાત્કાર નથી પરંતુ સંસ્કારિત ભાવ હોવાથી સહેજે છુટી જવાપણું છે તે ત્યાગ છે. આ બધા સમ્યગુદૃષ્ટિ આત્માના સ્વભાવ લક્ષણો છે. સમ્યકત્વનું ગ્રહણ અને મિથ્યાત્વના ત્યાગની આ વાત છે. સ્વ-તત્ત્વ, સ્વ-સમય, ત્રિકાળી ધ્રુવદ્રવ્યમાં સ્થિતિવંત દશા, તેમાં ઠરવાપણું તે જ સ્વભાવનું ગ્રહણ જાણવું અને પર-સમય, પરતત્ત્વ, પર-ભાવમાં રમણતાને છોડવી, રાગાદિ ભાવોથી વિરમવુંઅટકવું તેનું નામ ત્યાગ સમજવો. તત્ત્વદષ્ટિથી વિચારતાં આ જ સાચું સન્યાસીપણું-સાધુપણું છે. ઘર્મ તત્ત્વ એકાંતે આત્મદ્રવ્ય છે. કર્મ તત્ત્વ એકાંતે પુણલદ્રવ્ય છે. ' Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 991 - 88ી અહિંયા સમ્યજ્ઞાનનું ગ્રહણ છે, અજ્ઞાનનો ત્યાગ છે. સ્વમાં સ્થાપન છે અને પરથી ઉત્થાપન છે. સમતાનું ગ્રહણ છે, મમતાનો ત્યાગ છે. સ્વભાવનું ગ્રહણ છે, વિભાવનો ત્યાગ છે. પર-પદાર્થ પોતાનામાં છે, તેનું સ્વતંત્ર પરિણમન સમયે સમયે ચાલુ છે. જ્ઞાન સ્વભાવી આત્મા જ્યારે પોતાના સ્વભાવમાં રહે છે ત્યારે તેને પર-પદાર્થનું-વિભાવભાવોનું ગ્રહણ જ હોતું નથી કારણકે મમતા પૂર્વકના ગ્રહણને જ અધ્યાત્મમાં ગ્રહણ મનાયું છે. મમત્વભાવ એ જ વળગાડ છે અને એ જ તો ગ્રહણ છે. જો એ ન હોય તો પછી આત્માને જ્ઞાયકભાવમાં જ રહેવાપણું હોય છે. તેને સતત ખ્યાલ હોય છે કે પર પદાર્થના લક્ષે થતાં ભાવ મારા નથી તેમ આત્માના લક્ષે થતો ભેદ એ પણ મારો નથી. પરિણામમાં મમતા નથી, મારાપણું નથી. મારાપણું એક માત્ર ત્રિકાળી દ્રવ્યમાં છે. સ્વ-સ્વામી સંબંધ શુદ્ધાત્મામાં છે. - પરિણામ પ્રત્યેના મમત્વનો ત્યાગ એનું નામ ત્યાગ છે કેમ કે પરિણામ પ્રત્યે ગ્રહણભાવ નથી. આ પ્રકારની જ્ઞાનશક્તિ કે વૈરાગ્યશક્તિ એક અંતર્મુહૂર્તમાં પ્રગટે છે. તેથી તેને ખ્યાલ આવે છે કે કોઈ પણ પર્યાય પ્રગટ થાય તેનો હું સ્વામી નથી. હું તો શુદ્ધાત્માનો સ્વામી છું, જ્ઞાયક " મારો સ્વ અને હું તેનો સ્વામી છે. પરાશ્રિત કે સ્વાશ્રિત જે નાશવંત પરિણામ પેદા થાય છે તેનો હું સ્વામી નથી. ' આમ ત્રિકાળી, ધ્રુવ, શુદ્ધ આત્મદ્રવ્ય સાથે સંબંધ જોડવો તે ગ્રહણ અને પર્યાય-પરિણામ સાથે સંબંધ તોડવો તે ત્યાગ છે. કિન્તુ અનાદિ અનંત કાળથી જન્મ-જન્માંતરમાં ભટકતાં અજ્ઞાની-મિથ્યાત્વી જીવોનો સંબંધ પર્યાય સાથે છે. તેથી શરીર મારું, કુટુમ્બ મારું, પરિવારપૈસા-ધન-વૈભવ મારો; આવા પર્યાયનું ગ્રહણ સતત ચાલુ-જ છે, જેને સાઘક સાધન રહિત ન હોય અને સાધ્યના લક્ષ્ય વિનાનો ન હોય. Page #164 -------------------------------------------------------------------------- ________________ 992 હૃદય નયન નિહાળે જગધણી છોડવાની કે તોડવાની જીવ વાત જ કરતો નથી. તેમાં જ સતત રાચેમાગે છે અને પ્રતિ સમયે કષાય-સમુહને એકઠો કરે છે. પોતાની સાચી સમજણને તૈયાર કરતો નથી અર્થાત્ તે દિશામાં પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી જ્ઞાયક તે સ્વ અને હું તેનો સ્વામી એવો સ્વ-સ્વામી સંબંધ જોડાતો નથી. પરંતુ ક્ષણે ક્ષણે ચાલતા વિનાશી અને વૈભાવિક પરિણામો સાથે જ પોતાનો સંબંધ જોડાયેલો રહે છે. એના કારણે અજ્ઞાનના પ્રભાવે કષાયનું વિષચક્ર ચાલુ જ રહે છે પરંતુ ક્યારેક કોઈ આત્મજ્ઞાની ગુરુ મળી જાય અને તેમાં પોતાનો જ્ઞાયક ભગવાન ઓળખાઈ જાય ત્યારે પોતાના જ્ઞાયક સાથે જ પોતાનો સંબંધ જોડાતાં ઉપયોગ જ્ઞાયકમય બની જતાં પરિણામ પરિણામમાં આવી જાય છે. “શરીર, કુટુમ્બ, પૈસા, પેઢી મારા,” આવું મારાપણું છુટી જાય છે, તો ત્યાં સામ્ય દર્શન પ્રગટે છે. તેમાં જ જો સ્થિરતા વધે તો ભાવ ચારિત્ર ઉદયમાં આવે છે. તેમાં પણ વિશેષ સ્થિરતા થતાં ક્ષપકશ્રેણીના માધ્યમે જીવ પૂર્ણતાને વરે છે અર્થાત્ કૈવલ્યદશાને પામે છે. | સરવાળે તો સઘળી ત્યાગની, છોડવાની, વૈરાગ્યની, પરિગ્રહ ઉતારવાની, સંન્યાસની જ આ વાતો છે. જે દેતાં શબ્દની પરિભાષિકતામાં સમાયેલી છે. તીર્થંકર પરમાત્માના હાથે દાન લેતા જીવો દાનના માધ્યમે તીર્થકરોના વરદ્હસ્તમાંથી નીકળતા જ્યોતિપુંજના અનુગ્રહને પામે છે. તે અનુગ્રહ લેનારના હાથમાં કે ઝોળીમાં નહિ પરંતુ સર્વાત્મપ્રદેશે થાય છે. તે કારણે જ્યાં સુધી તે ભવ્યાત્માઓ મોક્ષ-દશાને ન પામે ત્યાં સુધી અંતરાળ કાળમાં સ્વયંની જ્યોતિનો ઉઘાડ કરે છે. બીજારોપણ રૂપે થયેલી આ અવસ્થા ભવ-ભવાંતરની સ્થિતિને ઘટાડીને સમ્યગદર્શનાદિ પમાડવા દ્વારા વિરતિ ધર્મમાં આગળ વધારી શુદ્ધ ઉપયોગની રમણતાને સ્પર્શે છે. ઉપયરિત તત્ત્વ સાધન હોય પણ સાધ્ય ન હોય. આપણી વર્તમાન દશા ઉપયરિત છે એટલે ઉપયરિત તત્ત્વોને સમજવા જોઈએ. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 993 આમ તીર્થંકર પરમાત્માઓ દ્વારા ગ્રહણ થયેલ જ્યોતિપુંજનુ દાન જીવમાં આત્મધર્મનો સદ્ભાવ કરાવે છે અને ભવાભિનંદીતાને છોડાવે છે. “દાન” શબ્દમાં પહેલો “દ' કાર છે તેની વ્યુત્પત્તિ “દિયતે દાન શ્રદ્ધાય” એટલે કે દાન, લેનારમાં આત્મધર્મનો સદ્ભાવ કરે છે અને “નકાર છે તે શિયન્ત પશુપાશના' એટલે કે પશુભાવ - ભવાભિનંદીતાના ત્યાગ અર્થમાં છે. દાન લેનારને પશુતા-ભવાભિનંદીતાનો ત્યાગ થાય છે અને સભ્યશ્રદ્ધાનો આવિર્ભાવ થાય છે. આમ પ્રસ્તુત “દાન' શબ્દથી લૌકિક દાનની વાત નથી, શુભોપયોગની વાત નથી, પુણ્યની પરંપરા પ્રાપ્ત કરાવે તેવા દાનની વાત નથી, પરંતુ જીવના ઉત્તરોત્તર વિકાસ દ્વારા ઠેઠ મોક્ષ-પ્રાપ્તિ સુધીના અર્થ ગાંભીર્યમાં પ્રયોજાયેલ આ દાન છે. અર્થાત્ પ્રભુના હાથે દાન લેતા તેના શરીરમાંથી નીકળતા જ્યોતિપુંજની સ્પર્શના થતા ભવ્યાત્માઓના વિષયકષાયો મોળા પડી જાય છે અને હું મોક્ષસ્વરૂપ જ છું આવી દઢ શ્રદ્ધા આત્માના અસંખ્ય પ્રદેશ અસ્થિમજ્જા બની જાય છે. * “દાન' શબ્દમાં “દકાર વિધેયાત્મક કહી શકાય તેનો લક્ષ્યાર્થ એકાકાર થવામાં વિશ્રાંત થાય છે અર્થાત્ સ્વરૂપમાં લીનતા સાધવાના અર્થ ગાંભીર્યથી યુક્ત છે જ્યારે “નકાર નિષેધાત્મક અર્થમાં પ્રયોજાયેલ છે જેનો લક્ષ્યાર્થી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયભાવના વમન અર્થમાં ચરિતાર્થ થાય છે અર્થાત્ પ્રભુના હાથથી અપાયેલ સાંવત્સરીક દાનને લેતા, ભવ્યાત્માઓ પોતાના સર્વાત્મપ્રદેશે જ્યોતિપુંજના અનુગ્રહને પામે છે. તેના પ્રભાવે મિથ્યાત્વ, અવિરતિ, કષાયભાવનું વિરેચન થાય છે અને સમ્યગદર્શન-સમતા-સમાધિ-સ્વરૂપ રમણતાનું પર્યાયમાં પ્રગટીકરણ થાય છે. જે સદાનું સાથે ને સાથે છે, તે ભીતરમાં ભંડારાયેલ-દાટી દીધેલાને બહાર લાવવું તે “દા' છે અને જે નથી રહેનાર તેને જાકારો આપવો તે - દેહના વીર્ય (નિરોગીતા)થી આત્મા જીવે, તે પુણ્યનો ઉદય. જ્યારે આત્મા આત્માના વીર્ય (રાગરહિતતા)થી જીવે, તે અધ્યાત્મદશા. Page #166 -------------------------------------------------------------------------- ________________ 994 હૃદય નયન નિહાળે જગધણી ‘ન' છે. આમ ‘દા' અક્ષરથી જે સદા ‘છે' તેને પ્રગટ કરવાની વિધેયાત્મકતા છે અને ‘ન’ અક્ષરથી જે ‘નથી’ તેનો ત્યાગ કરવાની નિષેધાત્મકતા છે. આ જ વાસ્તવિક દાન શબ્દનો લક્ષ્યાર્થ છે જે અંતે ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે. આમ પ્રભુના વરહસ્તમાંથી નિકળેલ જ્યોતિપુંજ ભવ્યાત્માઓમાં બીજારોપણથી માંડીને પૂર્ણતાના ચૈત્યવૃક્ષમાં પર્યવસિત થાય છે. આ દાન માત્ર લેનારને જ સ્પર્શતુ નથી પરંતુ પ્રભુના સાંનિધ્યમાં આવેલ અભવિ સિવાયના પ્રત્યેક નાના મોટા જીવને સ્પર્શે છે. પછી તે તિર્યંચ પંચેન્દ્રિય હોય, અંસન્ની હોય કે કોઈ પણ હોય ! એ પરમાત્મામાંથી વહી રહેલા શુદ્ધ પુદ્ગલ પરમાણુની પાવક સ્પર્શના છે. આમ ચૌદ રાજલોકમાં વ્યાપ્ત ચોર્યાસીલાખ જીવાયોનિમાંહી રહેલા સર્વ ભવિ જીવાત્માઓમાં, જે કોઈ પણ પ્રકારની ઉત્તરોત્તર ભાવ વિશુદ્ધિઓ જોવા મળે છે, તે સર્વને આ ભવ કે ભવાંતરમાં તીર્થંકરોના વરદ્ હસ્તે પ્રાપ્ત થયેલા દાનના માધ્યમથી જ્યોતિપુંજની સ્પર્શના સૂક્ષ્મ રીતે તેમના આત્મપ્રદેશોને સ્પર્શી ચૂકેલી હોય છે. આ એકચક્રી સ્પર્શના અનંતકાળથી અવિરતપણે ચાલુ છે. જેના પ્રભાવે ભવ્યાત્માઓ સ્વમાં સ્થિતિવંત થાય છે, સ્વમાં લયતા પામે છે, નિજ-પરમાત્મસ્વરૂપમાં ઓગળી જાય છે, સ્વરૂપમય બને છે; આ જ સ્વરૂપ-મોક્ષ છે. આજે પણ લોક વ્યવહારમાં જોવા મળે છે કે ઈતિહાસના પાને પૂર્વમાં અબજોપતિ શ્રાવક કર્મના દુર્ભાગ્યોદયે સ્વસંપતિ ગુમાવતાં ત્યારે તે કાળમાં સમજણમાં આગળ વધેલા અન્ય સાધર્મિક શ્રાવકો પોતાની ઓળખ ગુપ્ત રાખીને સંપત્તિ ગુમાવી દેનારમાં પોતાની સંપત્તિનો વિનિયોગ કરીને પોતાના જેવા સમકક્ષ બનાવી દેતા અને ઉત્તમ સાધર્મિક ભક્તિનું મોહ વિનાશી છે. વીતરાગતા અવિનાશી છે. દુઃખ વિનાશી છે. દુન્યવી સુખ વિનાશી છે. આત્માનું પૂર્ણ સુખ અવિનાશી છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 995 દૃષ્ટાંત પૂરુ પાડતાં હતા. સંપત્તિ ગુમાવનાર શ્રાવક પણ સંપૂર્ણ રીતે બેઠો થઇ જતો ને ઉપકારી જનોનું ઋણ વાળવામાં પાછી પાની કરતો નહિ. આવા ઐતિહાસિક દૃષ્ટાંતો ઇતિહાસના પાને પાને કંડારાયેલા છે જ્યારે અહિંયા તો તીર્થંકર પ્રભુનો દાન-પ્રસાદ, જ્યોતિપુંજ ભવ્યજીવોને કલ્યાણના કામી બનાવે છે તે વાત કરવી છે, આજે આપણામાં માર્ગાનુસારિપણાથી માંડીને અધ્યાત્મની જે ચરમ-વિશુદ્ધિઓ જોવા મળે છે તે કોઇકના કોઇક ભવે પ્રભુના હાથેથી ગ્રહણ કરાયેલ ‘દાન’ નો પ્રભાવ છે, જે આપણને મોક્ષગામી-પારગામી બનાવ્યા વિના રહેશે નહિ. આ જ વસ્તુસ્થિતિને જણાવતા રાજીમતિના સ્વાંગમાં રહેલ યોગીરાજ આનંદઘનજીની આર્તના બુલંદ બને છે અને તેનો પોકાર આ કડીમાં ઉદ્ઘોષિત કરતાં કહે છે કે સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.. મનરાવાલા. આપના વર્ષીદાનના પ્રભાવે સર્વ જગતના લોકો પોતાનુ ઇચ્છિત મેળવે છે પરંતુ આ સેવકની નિરંતર એક જ રટણા-અભિલાષા નિજપરમાત્માને મેળવવાની હોવા છતાં મારા મનના એ મનોરથોને આપે પૂર્ણ કર્યા નથી. તેમાં હે નાથ ! આપનો કોઇ દોષ નથી પણ આપના સેવક એવા મારો જ એ દોષ છે અને તે એ છે કે પુદ્ગલ ભાવની રમણતા એ હંજુ મારામાંથી છૂટતી નથી. ‘‘વાંછિત પોષ’” તેને જ જણાય કે જે શ્રીનેમિનાથ પ્રભુના ત્યાગને ઓળખે, તેના માર્ગને અનુસરે, સ્વસમયસ્વતત્ત્વમાં રમણતા કરે ત્યારે જ ઈષ્ટની પ્રાપ્તિ થાય. તેથી હે પ્રભુ ! હવે સમજાય છે કે દોષો તો દોષોના સ્થાનમાં છે, તે કોઈને વળગતા નથી. પરંતુ રાગાદિભાવમાં સ્વ સાથે થયેલ એકરૂપતા જ બંધ પરિણામને કરે છે, તે જ દોષ સમાન છે. હે પ્રભુ ! હવે જણાય છે કે જ્યારે ઈન્દ્રિયોના વિષયને રોગ માને તેનું નામ યોગી ઈન્દ્રિયોના વિષયને આનંદ માને તેનું નામ ભોગી. Page #168 -------------------------------------------------------------------------- ________________ 996 હૃદય નયન નિહાળે જગધણી સ્વતત્ત્વમાં એકરૂપતા-લીનતા સધાય છે ત્યારે કર્મ પરિણામ સાથે ગ્રાહ્યગ્રાહકભાવ રહેતો નથી. તેથી ત્યાં પૂર્વે બંધાયેલ કર્મો અત્યંત પણે ખરી પડે છે-નિર્જરી જાય છે, તે જ આત્માની આત્યંતિક નિર્મળતા છે. આવી સ્થિતિમાં કર્મનું દાસત્વ-ગુલામીપણું ટળે છે. ત્રિકાળી ધ્રુવ પરમ વિશુદ્ધ આત્મદ્રવ્ય સ્વયંની જ્યોતિરૂપતામાં લીન બને છે તે જ સ્વભાવ-રમણતારૂપ સફળ ચારિત્ર છે. સ્વરૂપાચરણ ચારિત્ર છે. હે પ્રભુ! હવે સમજાય છે કે કરોડો પ્રકાશ વર્ષ દૂર રહેલો. આ પાર્થિવ સૂર્ય સમગ્ર લોકને પ્રકાશી રહ્યો છે, તેની ઉષ્ણતાને બક્ષી રહ્યો છે, સમસ્ત જીવરાશિ તે ઉષ્ણતા જ્યોતિથી નવપલ્લવિત બનીને મહાલી રહી છે, તેમાં સૂર્ય તો પોતાના સ્વભાવગત બિંબમાં પૂર્ણપણે પ્રકાશી રહ્યો છે; પરંતુ તેના પ્રકાશ-રેણુઓ/પ્રકાશ-કિરણો/ઉષ્ણતા By-product રૂપમાં નિખરી રહ્યા છે. લોકમાં રહેલ જીવમાત્રને તેની ઉષ્ણતાનો લાભ અનાયાસે પ્રાપ્ત થાય છે. સૂર્ય કદાપિ પોતાનું સ્થાન છોડીને પોતાના ગુણધર્મરૂપ ઉષ્ણતાને બક્ષવા જતો નથી. ઉષ્ણતા આપમેળે કાંઇ પણ કર્યા વિના ફેલાઇ રહી છે. જો કોઇ એનો લાભ ઉઠાવી શકતા નથી તો તેમાં સૂર્યનો દોષ નથી. ઘુવડ જેવા પક્ષીએ સૂર્યને જોયો નથી તેમાં સૂર્યનો દોષ નથી. સૂર્ય તેના સ્વરૂપમાં નિત્ય પ્રકાશમાન હોવા છતાં જેમ ઘુવડ પક્ષી તેનો લાભ પામતું નથી તેમ તારક પરમાત્માનું શાસન સદા માટે સમ્યગ્ જ્ઞાનનો પ્રકાશ ફેલાવતું હોવા છતાં અવિ, દુર્ભાવિ, વગેરે જીવો પોતાના સ્વભાવગત મહામિથ્યાત્વરૂપ અંધકારને જ ભજે છે તે, તેના પ્રાકૃતિક સ્વભાવગત દોષને જ આભારી છે. જો કરોડો પ્રકાશ વર્ષ દૂર રહેવા છતાં સૂર્યની જ્યોતિરૂપ ઉષ્ણતા સહજ રીતે જીવમાત્રને સ્પર્શે છે, લાભયુક્ત થાય છે, તો પરમ કલ્યાણના રોગમાં જીવ, પર સેવા વડે કરીને અને કર્મના ઉદયે કરીને પરાધીન છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 997 કામી, “સવિ જીવ કરું શાસન રસી'ની પરમોત્તમ ભાવનાને સ્પર્શનારા શ્રી તીર્થંકરપ્રભુના વરદ્ હસ્તેથી જ્યોતિપુંજ રૂપ “દાન' પ્રભાવના તેમની હયાતી જ જીવંત કોટિ સૂર્ય કરતાં અત્યંત પ્રભાવપૂર્ણ રૂપમાં જીવમાત્રને સ્વરૂપમોક્ષ પ્રદાન કરે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. ઉત્તરોત્તર ભાવ વિશુદ્ધિને પ્રાપ્ત કરવા દ્વારા કલ્યાણકામીત્વરૂપ મોક્ષને વરે જ તેમાં કોઈ સંશય નથી. તીર્થકરોના દેહમાંથી નીકળતા તેજોરશ્મિ અન્યને સ્પર્યા વિના રહે જ નહિ, જીવોનું કલ્યાણ થાય-થાયને-થાયજ !! તીર્થંકર પરમાત્માઓના પાર્થિવ-દેહમાંથી નીકળતી “ઓરા યોગ્ય આત્માઓને સ્પર્યા વિના રહે જ નહિ. આ મહાપુરુષો તો જંગમ પ્રતિમારૂપ તીર્થ છે. તેમને સ્પર્શેલી ધૂળ પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે. એમની સાચવી રાખેલી દાઢાના પાણીનો સ્પર્શ થતાં ઈન્દ્રોના કષાય પણ શાંત પડી જતાં હોય છે. લોકમાં આ પણ જોવાય છે કે અગ્નિ પોતે પોતાના પૂર્ણરૂપમાં છે, તે પોતાની ઉષ્ણતાને રેલાવતો નથી પણ ઉષ્ણતા જેનો સ્વભાવ ગત ગુણ છે, તે સ્વયમેવ રેલાઈ છે. અગ્નિ પોતાના સાનિધ્યમાં આવનાર પ્રત્યેકને ઉષ્ણતાથી પ્લાવિત કરે છે, ઉષ્મા-હુંફ આપે છે-લાભયુક્ત કરે છે. તેમ જે સ્વયંની જ્યોતિમાં એકરૂપ થઈ ગયા છે, બ્રહ્મસ્વરૂપ થયા છે તેના સાનિધ્યમાં આવનાર પ્રત્યેકને તેની ઓરા જ્યોતિપુંજ સ્પર્યા વગર રહે નહિ, સ્પલ જ્યોતિપુંજ તેની ઉત્તરોત્તર ભાવવિશુદ્ધિને કરે, શુદ્ધ ઉપયોગમાં રમણતા કરાવે. આત્મપ્રદેશોમાં થતી આ ભાવસ્પર્શના જીવને કલ્યાણકામી બનાવીને સ્વરૂપમોક્ષને જરૂર મેળવી આપે. ' હે પ્રભુ! શું ચંદ્રમાં સૂર્ય કરતા કરોડો પ્રકાશવર્ષ દૂર રહીને તેની શીતળતા જીવમાત્રમાં નથી ફેલાવતો ? પોતાના શીત રશ્મિઓથી શું જગતને વ્યાપ્ત કરતો નથી ? દૂર હોવા છતાં ચંદ્રમાના રશ્મિ કિરણો ભોગમાં જીવ ભોગ્ય પદાર્થનો ત્યાગ કરવા માટે સ્વાધીન છે. ભોગ નથી ત્યાં રોગ નથી. Page #170 -------------------------------------------------------------------------- ________________ 998 હૃદય નયન નિહાળે જગધણી જગતને સ્પર્શે છે-લાભયુક્ત થાય છે. ચંદ્ર તો પોતાના સ્વભાવ ગુણ શીતળતામાં રક્ત છે જો ચંદ્રની ચાંદની દૂર હોવા છતાં સ્વયંનો શીતળતા ગુણ રેલાવીને સર્વને પ્લાવિત કરે છે તેમ સ્વરૂપમાં નિરંતર રમણ કરતા મહાપુરુષો પણ શુદ્ધ ઉપયોગની રમણતાથી સ્વયંની જ્યોતિમાં એક રૂપ થયેલા હોય છે, તેમાંથી સ્પંદિત થતી ઓરા પ્રકાશ-વલય તેમના સાનિધ્યમાં આવનારના આત્મપ્રદેશોને સ્પંદિત કર્યા વગર રહેતા નથી. દૂર રહેલ એવો ચંદ્ર પણ માણેકઠારી પૂનમના દિવસે ચંદ્રપ્રકાશ-ચાંદનીમાં રાખેલી ઔષધિની રોગનિવારણ શક્તિમાં વૃદ્ધિ કરે છે. વસ્તુતઃ આ સર્વ દૃષ્ટાંતો એક જ વાતનો અંગુલિનિર્દેશ કરે છે કે તીર્થંકરો અને મહાપુરુષોનો યોગ પરમ-કલ્યાણ સ્વરૂપ મનાયો છે. તે જીવમાત્રને મોક્ષગામી બનાવે છે. તીર્થંકરોના દાનધર્મનો મહિમા આ લોકમાં સર્વદા અજેય રહેલો છે. જે કોઇએ પણ તેમના સાનિધ્યને અહોભાવથી અંગીકાર કર્યુ છે, તેઓ પરમ-કલ્યાણના ભાગી બન્યા છે અને જેઓએ તે પરમભાવને અહોભાવથી સ્વીકાર્યો નથી, તેઓએ પોતાના સંસારને અનંતકાળ લંબાવ્યો છે. તેઓ પરમ-લાભથી વંચિત બન્યા છે તેથી જ યોગીરાજ કહી રહ્યા છે ‘સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.’’ * હવે યોગીરાજ ‘‘અંતે સખીઓની વાત સાચી ઠરી'' તે રીતના રહસ્યવાળી વાત દશમી કડીમાં જણાવે છે કે - સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત, મ. ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત.. મનરા..૧૦ અર્થ : હે નાથ ! આપ જ્યારે જાન જોડીને આવી રહ્યા હતા ત્યારે દૃષ્ટિનો દૃષ્ટા બનનાર, જ્વાલા બનીને દૃષ્ટિને ભસ્મ કરે છે અને તેવા પ્રકારની સાઘના દ્વારા, તે સર્વ વિકારોને-ઘાતિકર્મોને ખત્મ કરે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 999 ચંદ્રાનના, વગેરે સખીઓ કહેતી હતી કે, આ વર બધી રીતે તો સારો છે પણ રંગે શામળો છે. વરના બીજા બધા લક્ષણો તો બાજુ પર રહો, વર સૌથી પહેલા તો ગોરો હોવો જોઇએ. ત્યારે મેં સખીઓને કહેલું કે હે સખીઓ ! તમે તો એના ચામડીના વર્ણને જ જુઓ છો પણ એના ગુણો તો જુઓ ! ગુણોથી એ શ્યામ નહીં પણ શ્વેત છે. આપના ગુણો અને લક્ષણોની વાત કરીને મેં સખીઓને ચૂપ કરી દીધી હતી. પણ આપ જ્યારે લીલા તોરણથી રથ ફેરવીને પાછા જઇ રહ્યા છો અને હસ્ત મેળાપ કરવા જરા પણ તૈયાર નથી એટલે મારી સખીઓ સાચી ઠરી છે અને હું આપની આઠ આઠ ભવના સંબંધવાળી હોવા છતાં સખીઓ આગળ ખોટી ઠરી છું. મારી સખીઓએ તો એટલી હદ સુધી મને કહેલું કે કાળાં વર્ણવાળા મનુષ્યો હૃદયના કઠોર હોય છે માટે તું તેને પરણવાની આશા છોડી દે, અને વાત પણ એમ જ બની છે. આપ મારી જરાય દયા ખાતા નથી એટલે સખીઓની આગળ હું તો એકદમ ભોંઠી પડી ગઈ છું. આપે જો રથને તોરણ તરફ પાછો વાળ્યો હોત તો મારી બાજી સુધી જાત. સખીઓને વરનું શામળાપણું કઠે છે કારણકે લક્ષણશાસ્ત્ર શામળાપણાને કઠોરતાની નજરે જુએ છે, તેથી તેની ઇચ્છા કરવી વ્યર્થ એ વગર દ્વારા સખીઓ રાજીમતિના કલ્પાંતને શાંત કરવા સમજાવી રહી છે, છે ત્યારે સખીઓની વાતને ન ગણકારતાં રાજીમતિ કહે છે કે તમે જેને બહારથી શામળો કહો છો, તેની ભીતરમાં નજર કરીને જુઓ, તો તમને દેખાશે કે તે ગુણોથી અજોડ છે અને તેથી જ તે શામળા નહિ પણ શ્વેત છે. શ્વેતપણું શાંતતાનું પ્રતીક છે. જગતમાં વર્ણનું-રૂપનું પ્રાધાન્ય નથી પણ ગુણોનું પ્રાધાન્ય સર્વશ્રેષ્ઠ છે. એમ કહેવા દ્વારા રાજીમતિએ સખીઓને જેમ મિઠાઈ કોઈ પણ હોય, તેમાં ગળપણ જોઈએ જ; એમ સાધન ગમે તે કરો, પણ તેમાં નિર્જરા તત્ત્વ (કર્મ ક્ષય) હોવું જ જોઈએ. Page #172 -------------------------------------------------------------------------- ________________ 1000 + 1000 , હૃદય નયન નિહાળે જગધણી ચૂપ કરી દીધી હતી તે રાજીમતિ, નેમિપ્રભુ તોરણથી પાછા ફરી જવાથી કલ્પાંત કરી રહી છે, વલોપાત કરી રહી છે પરંતુ આ કડીના માધ્યમ દ્વારા શ્રીમદ્ આનંદઘનજી મહારાજાનો અંગુલિનિર્દેશ તો કંઈ ઓર જ દૃષ્ટિકોણ ધરાવે છે. વિવેચનઃ શ્રીમદ્ આનંદઘનજીની હૃદયવ્યથા રાજમતિના માધ્યમે સ્વ તત્ત્વને પામવા ઉત્કટને ઉત્કટ બની રહી છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારતા સ્તવનની કડીના પ્રત્યેક પદો વિશેષ વિશેષ જ્ઞાનગાંભીર્ય તરફ જઈ રહ્યા છે. સખી કહે એ શામળો રે" - એમાં સખી શબ્દનોં અર્થ પ્રકૃતિનાં ધર્મોવાળી, ચાંચલ્યથી યુક્ત, સ્ત્રી એવો થાય પરંતુ “સખી’ શબ્દનો શ્લેષ કરતા સ+ખ+ઈ થાય. તેમાં સ એટલે સમ્યકત્વ, ખ એટલે આકાશ અર્થાત્ અભાવ, શૂન્યતા અને છે એટલે ગાઢ અર્થાત્ જેમાં સમ્યકત્વનો અત્યંત અભાવ છે એટલે કે જે મિથ્યાત્વ પરિણતિથી યુક્ત છે, જે પરભાવમાં રમણતા કરે છે. જેનામાં દરેક વસ્તુને ઉપર-ઉપરથી જ જોવાપણું છે-જેનામાં વસ્તુતત્ત્વને પામવાનું ઊંડાણ નથી તે સખી છે તે સ્ત્રી છે. જ્ઞાનની સ્પર્શના ન હોવાના કારણે જે પરદ્રવ્ય-પરક્ષેત્રપરકાળ અને પરભાવમાં રમણ કરનારી છે તે સખી છે. જે ક્ષુદ્રતાતુચ્છતાદિ દોષોને વરેલી છે તે સખી છે. “સખી કહે એ શામળો રે” તેમાં શામળાપણું એ લક્ષણશાસ્ત્ર મુજબ કઠોરતાને સૂચવે છે. કૃષ્ણવર્ણ વેધક સ્વભાવવાળો હોવાથી ફળને નિપજાવનાર છે. કૃષ્ણવર્ણ યુક્ત પદાર્થમાં વેધકતા-તીર્ણતા-કઠોરતા હોય છે. આ તો થઈ પદાર્થયુક્ત અવસ્થા પણ તાત્ત્વિક અર્થ ઘટનમાં “શામળો” શબ્દ તેના વર્ણગુણના ધર્મરૂપે ચિંતવવાનો નથી કારણકે તે સામેના માણસ પાસે અંશે પણ જે સત્ય તત્ત્વ હોય તેને સ્વીકારવું તેનું નામ પ્રામાણિકતા છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1001. તો “શામળો” શબ્દની પ્રકૃતિ યુક્તતા છે, પરંતુ “શામળો’’ શબ્દનો શ્લેષ કરતા “શામળો” થાય; તેમાં શા એટલે શાશ્વત્ અને મળો એટલે દોષો. જીવમાત્ર સત્તાએ શુદ્ધ ઉપયોગવંત હોવા છતાં અનાદિ અનંતકાળથી કર્મસંયોગે મલિન બનેલ છે. દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મનો વળગાડ તેને વળગેલ છે, તેને કારણે તેના શ્વેત એટલે ઉજળા એવા પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, સુખ, વગેરે ગુણો શામળા થઈ ગયેલા છે. અથવા આ શામળા થઈ ગયેલા ગુણોને હવે શ્વેત-ઉજળા બનાવવા પ્રયત્ન કરવાનો છે તે માટે “શામળો શબ્દમાં રહેલ “શા' એટલે શાસ્ત્રોના રહસ્યાર્થને જેમણે પચાવેલ છે તેવા કૃતધરો, પૂર્વધરો, સૂરિવરો, ઉપાધ્યાયો એ બધાને કોટિકોટિ વંદન કરવાના છે. જેઓ સદા-સર્વદા સમ્યગ્રદર્શનાદિ ગુણોથી યુક્ત છે, ઉત્તમોત્તમ શીલ અને સંયમને પાળનારા છે, શ્રેષ્ઠ તપને આચરનારા છે, જેઓ સદેવ નિરાશ્રવી છે તે શ્રમણ છે. આવા આત્માઓ તસુભાર પણ મોહને પામતા નથી. તેઓનો મોહ પ્રતિસમયે * લય પામતો હોય છે. આવા આત્માઓ શુદ્ધ ઉપયોગની રમણતામાં રમનારા હોવાથી સ્વભાવ લક્ષણથી જ્ઞાન-દર્શન યુક્ત છે. શરીર હોવા છતાં અશરીરી ભાવ તેમને વર્તે છે. કિલષ્ટ કર્માષ્ટક બંધથી વિમુક્તતા વર્તે છે, તેથી તે સદેવ શાશ્વત સુખી છે માટે તેઓ જ શાશ્વત શબ્દને સાર્થક કરનારા છે. જે શાસ્ત્રના અર્થને માત્ર ભણતા જ નથી, ગોખતા જ નથી, ધ્યાવે પણ છે અને તેથી તે ઘાતિકર્મોનો નાશ કરનારા છે તે શ્રમણ છે. ધ્યાનને ધ્યાવતાં સર્વ પદાર્થોમાં નિઃશંકતા પ્રાપ્ત થાય છે માટે જે માત્ર ગોખણપટ્ટી જ કરે છે, માત્ર શાસ્ત્ર પાઠી છે તેને મૂર્ખ પણ કહ્યા છે કારણકે નિજ તત્ત્વથી તેઓ અજાણ છે. અનુભવમાં, પ્રતીતિમાં, લક્ષ્યમાં સ્વ તત્ત્વ તેમને આવ્યુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-આશ્રિત ભાવ આવે તે વ્યવહારધર્મ છે. ભાવ આશ્રિત ભાવ આવે તે નિશ્ચયધર્મ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ 1002 હૃદય નયન નિહાળે જગધણી નથી તેવા; બધા તો સંયોગ લક્ષણ-અઘાતિ કર્મની ઉદય સ્થિતિથી પ્રાપ્ત થતાં ભાવોને ભોગવનારા હોય છે અને તેથી આત્માની અશુદ્ધતાને ભજનારા હોવાથી અશાશ્વત છે, વિનાશી છે, પરિણામી છે, ખંડખંડપણામાં વ્યાપેલા છે, મૂર્ત છે. આત્માની આવી સ્થિતિ કર્મસંયોગે છે, જેને દૂર કરવાની છે. “શામળો” માં “શા' શબ્દ શાશ્વતતાને સૂચવે છે અને તે માટે મળરહિત થવાનો અંગુલિનિર્દેશ કરે છે. શામળો' શબ્દનું હજુ તાત્વિક અર્થઘટન કરવાનું બાકી છે જેને જાણવા દ્વારા “શામળો” શબ્દ કેટલો બધો મૂલ્યવાન છે તે જણાશે. ભલે સખીઓએ તેમની સ્વામીન “રાજીમતિ” આગળ પોતાની મૂર્ખતાથી, અજ્ઞાનતાથી, મિથ્યાત્વભાવથી તેનું અવમુલ્યન કરી નાખ્યું, પરંતુ આ “શામળો” એ ખરેખર “શામળો” નથી પણ ભાવિના તીર્થંકર નેમિપ્રભુ છે. તેમનુ પરમ-મીન, પરમ ઉદાસીનતા, સમાધિ, જ બધાને દઝાડી રહી હતી પણ તે તો જે કોઈ એમાં ડૂબકી મારે તેને શુદ્ધ કરનારી નિર્મળ પ્રેમની ગંગા છે. શા-મળો” તેમાં મળો શબ્દનો અર્થ ગાંભીર્યમાં જતાં “મળો એટલે દોષો, ખામી, અશુચિતા, રોગ, અશુદ્ધતા, સડો, વગેરે અર્થમાં લઈ શકાય. જેમ શરીરમાં ધાતુ સમ હોય ત્યાં સુધી શરીરની આરોગ્યતા જળવાય છે પણ જ્યારે એ કથળે છે-વિષમ બને છે ત્યારે અનારોગ્યતા પ્રાપ્ત થાય છે, જે રોગનું ઘર કહેવાય. આરોગ્યતા-શુદ્ધતા એ મળો-રોગદોષોના નિવારણથી પ્રાપ્ત થાય છે. શરીરમાં જ્યાં સુધી સાતે ધાતુઓ સમ હોય છે ત્યાં સુધી આરોગ્ય જળવાઈ રહે છે પણ જ્યારે એ જ ધાતુઓ કથળે છે-વિષમ બને છે ત્યારે અનારોગ્યપણું પ્રાપ્ત થાય છે, જે રોગનું ઘર કહેવાય છે. વૈદ્યો-ડોક્ટરો નાડીની વિષમતાને જાણીને યોંગ્ય તમે જે ભોગવો છો તે તમારો ભાવ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1003 ઉપચાર કરે છે ત્યારે રોગનુ શમન થાય છે અને ફરી પાછી આરોગ્યતા પ્રાપ્ત થાય છે કારણકે દોષો-રોગ-મળોનું શમન થયેલું હોય છે. જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય શરીરમાં સાડા ત્રણ ક્રોડ રુંવાટા છે અને એક એક રુંવાટે રુંવાટે પોણા બબ્બે રોગ રહેલા છે. તે બધા પુણ્યની મહેરબાની હોય ત્યાં સુધી શાંત પડ્યા રહે છે એટલે માનવી શાતા અનુભવી શકે છે. એ જ રોગો નરકમાં તીવ્ર અશાતાનો ઉદય થતાં એક સામટા ઉદયમાં આવે છે ત્યારે ત્યાં તે નારકીના જીવને લેશમાત્ર સુખ અનુભવાતું નથી. તેવી રીતે મોટા મોટા ઉદ્યોગોમાં કરોડો રૂપિયાના ખર્ચે યંત્રો ચાલતા હોય છે, તેમાં ક્યાંય ખામી સર્જાય તો જ્યાં સુધી તેના જાણકાર ઈજનેરો તે ખામીને દૂર ન કરે ત્યાં સુધી તે કારખાનાના માલિકનો જીવ ઊંચોને ઊંચો રહે છે. જ્યારે તે ખામી દૂર થાય છે અને યંત્રો ફરીથી પાછા યથાવત્ કામ કરતા થાય છે ત્યારે તે માલિક ‘હાસકાર’નો અનુભવ કરે છે. દૃષ્ટિનો વિકાર એ જ સંસાર ! તે જ રીતે પવિત્ર એવા સ્થાનો કે જ્યાં દેવપૂજા-ભક્તિ-કીર્તનાદિ થાય છે ત્યાં દુર્ગંધ મારતાં લોહી, માંસ, મળ, મૂત્રાદિ હોય તો તે સ્થાનની પવિત્રતા હણાય છે, તેથી ત્યાં મળો-દોષોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. વસ્ત્ર પણ મલિન થતાં તેનું શુદ્ધિકરણ આવશ્યક બને છે. આમ વ્યવહારના સ્તર પર અશુચિનું-અશુદ્ધિનું-દોષોનું-ખામીઓનું નિર્મૂલન આવશ્યક મનાયું છે. અન્યથા જાનહાનિ, વગેરેનો અવકાશ રહે તેમ ભાવસ્તરની ભૂમિકાએ તો અશુદ્ધિ-દોષોનું ઉન્મૂલન અતિ-અતિ-અતિ આવશ્યક મનાયુ છે, તેનાથી સાધકદશા નિરાળી બને છે. મુમુક્ષુઓ, સાધુઓ, સંયમીઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ સાધના માર્ગમાં ગંભીર બની, સ્વ-તત્ત્વને પામવામાં Page #176 -------------------------------------------------------------------------- ________________ 1004, હૃદય નયન નિહાળે જગધણી રત રહે છે. સાધના એટલે સાધ્ય એવા નિજ પરમાત્મતત્ત્વમાં ઓગળી જવું. સ્વરૂપાચરણ ચારિત્રમાં સ્થિતિવંત રહેવું. - અત્રે આપણે ભાવસર પર મળો-દોષોને જાણવાનો પ્રયાસ કરીએ. મિથ્યાત્વભાવમાં રમણતા, અવ્રતનું સેવન, કષાયનું આચરણ અને યોગોનું કંપન એ અધ્યાત્મમાં ભાવસ્તર પરના દોષો છે. મન, વચન, કાયાના વ્યાપારથી યોગોનું કંપન તેમજ નિષિદ્ધ એવા પાપોના કરણ, કરાવણ અને અનુમોદનરૂપ વ્યાપાર વડે આપણે દોષોને અનુભવી રહ્યા છીએ. જે . દોષોની શુદ્ધિ, ઈરિયાવહિયા, અઢાર પાપસ્થાનક, વંદિતાસૂત્ર, બૃહ અતિચાર, આલોચના, વગેરે દ્વારા પ્રતિક્રમણના માધ્યમે આપણે વ્યવહારમાં કરી રહ્યા છીએ. સર્વ દોષો-મળોનું વૈખરી વાણીરુપે પ્રતિક્રમણ કરીએ છીએ પરંતુ તેમ છતાં ભીતરમાં વૃત્તિઓ તપાસતાં તેમાં કોઈ ફેરફાર જણાતો નથી. રાગાદિ પરિણામ, કાષાયિક પ્રવૃત્તિ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ, વગેરેને પ્રસંગે ઉપસ્થિત થતાં જીવાત્મા આચરી જ રહ્યો છે. આંતર . જાગૃતિ વિકસિત ન થઈ હોવાના કારણે તેમાં જીવ પુનઃ પુનઃ પ્રવૃત્તિ કર્યા જ કરે છે. અત્રે આ પ્રતિક્રમણ સૂત્રમાં ગુંથેલ સર્વ દોષોને સૂક્ષ્મદષ્ટિથી જોતાં મહાપુરુષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર પ્રકારે વહેંચ્યા છે. આ ચારે પ્રકારના દોષોને સૂક્ષ્મદ્રષ્ટિથી ચિંતનાત્મક સ્તરે મૂલવતા સત્ય વસ્તુની સ્પર્શના થયા વગર રહેતી નથી. શુભભાવરૂપ પરિણતિમાં વ્યવહાર પ્રતિક્રમણ કહ્યું છે, જેમાં આપણને અશુભભાવોની વિરમણતા સ્પર્શે છે. શુભભાવોનું ગ્રહણ અને અશુભભાવોનો ત્યાગ એ વ્યવહાર પ્રતિક્રમણ છે, જે નીચેની કક્ષાએ રહેલા જીવો માટે ઉપાદેય છે. પ્રાયઃ કરીને દરેક જીવો વિકાસક્રમની કર્તા-ભોક્તા ભાવ કાઢી નાંખવા તે સાધના છે અને પૂર્ણ જ્ઞાતા-દષ્ટાવંત બનવું તે લક્ષ્ય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1005 શ્રેણીએ આ રીતે જ ચઢે છે પરંતુ ઉપરની કક્ષાએ રહેલા જીવો માટે તો શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા સ્વરૂપ, પરમાર્થ પ્રતિક્રમણ જ ઉપાદેય કહ્યું છે. વ્યવહાર પ્રતિક્રમણમાં પણ જ્યારે પાપનો પશ્ચાતાપ, દોષોનો સરળ હૃદયે એકરાર, વગેરે શુભ પરિણતિનું લક્ષ્ય ચૂકાઈ જાય છે ત્યારે તે પ્રતિક્રમણ ક્રિયા-જડતામાં પરિણમે છે અને ત્યારે તે વ્યવહારમાં ટીકાને પાત્ર બને છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ અધ્યાત્મસારના યોગ અધિકારમાં કહ્યું છે કે જેને આત્મામાં જ રતિ છે, આત્મામાં જ તૃપ્તતા છે, જે આત્મામાં જ સંતુષ્ટ છે, તેને બીજી કોઈ ક્રિયાનું પ્રયોજન નથી. સિંહગુફાવાસી મુનિ તેમજ બીજા તેવા પ્રકારના આત્મામાં રમણ કરતાં જીવોની અપેક્ષાએ એ પરમાર્થ પ્રતિક્રમણની સાર્થકતા છે. જેમાં રતિ અને અરતિનો અવકાશ નિષિદ્ધ થઈ ગયેલો છે તેવા સતત ધ્યાનનું અવલંબન કરીને આત્મામાં રહેલા મહામુનિઓને કઈ ક્રિયાનું પ્રયોજન છે? અર્થાત્ કોઈપણ ક્રિયાનું પ્રયોજન નથી. આ જ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને સમયસારના કર્તા ભગવાનશ્રી કુંદકુંદાચાર્યે સમયસારમાં વ્યવહાર પ્રતિક્રમણને વિષકુંભ કહ્યો છે, વિષના ઝાડ ઉગાડવા સમાન કહ્યો છે કારણકે શુભક્રિયાથી જન્મેલ શુભભાવરૂપ પરિણતિ પુણ્યપરિણામ રૂપ ફળને જ આપે છે અને શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા સ્વરૂપ અમૃત પ્રક્રિયા અને અમૃત-પરિણામની અપેક્ષાએ તો તે શુભ પરિણામ અશુદ્ધતા રૂપ જ છે, જેનાથી કર્મબંધ છે અને તે કર્મબંધથી તો ફરી પાછું જન્મમરણના ચક્કરમાં જ આવવું પડે છે. શુભાશુભ ભાવરૂપ વ્યાપાર એ તો આશ્રવ માર્ગ છે અને આશ્રવ માર્ગને તો જ્ઞાનીઓએ સર્વથા હેય કહ્યો છે. સંવર માર્ગને જ અધ્યાત્મમાં ઉપયોગી ગણ્યો છે. આશ્રવભાવથી તો આત્માનું તેજ હણાય છે. આત્મા પોતાના સ્વરૂપથી પરાશમુખ થાય છે. શુભભાવ શબ્દનો અર્થ એ તત્વ નથી. શબ્દની પાછળનો આશય એજ ખરું તત્ત્વ છે, એજ શબ્દનો લક્ષ્યાર્થ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ 1006 ( હૃદય નયન નિહાળે જગધણી એ તત્ત્વદૃષ્ટિથી વિચારતાં આત્મભાવ નથી પરંતુ પરભાવ છે-પુદ્ગલભાવ છે અને તેથી તે પર સમય છે. શુદ્ધ ચૈતન્યમય આત્મતત્ત્વના લક્ષ્ય વિનાના કોરા શુભભાવો તો જીવે અનંત ભવચક્રમાં અનંતી વાર કર્યા છે. પરસમય અને પરભાવમાં જીવનનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે, તેનાથી સમયે સમયે મિથ્યાત્વનું જ પાન જીવ કરી રહ્યો છે. એ માટે થઈને જ જ્ઞાનીઓએ સૌ પ્રથમ મિથ્યાત્વ નામના ભાવમળનું-ભાવદોષનું પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. મિથ્યાત્વ જેવો આત્માનો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવો આત્માનો કોઈ બીજો રોગ નથી, મિથ્યાત્વ એ મહા અંધકાર સ્વરૂપ છે. મિથ્યાત્વ એ જ ભય છે. અત્રે મિથ્યાત્વ એટલે વિપરીત પરિણતિ, વિપરીત શ્રદ્ધાન, ઉલટી માન્યતા, અજ્ઞાનયુક્ત ચેષ્ટા વગેરેથી જીવને અતિભારે કર્મબંધ થાય છે. સર્વજ્ઞ કથિત ધર્મમાં વિપરીત માન્યતા રાખવી, પ્રમાણને ગ્રહણ ન કરવું, કેવળ એકાંતને કરવું આ બધું મિથ્યાત્વને પુષ્ટિ કરનારું કહેવાય. જૈન સિદ્ધાંતોનો તલસ્પર્શી અભ્યાસ કર્યા વિના સારભૂત તત્ત્વ પકડાતું નથી. હું પરનું કાંઈ કરી શકું છું, હું પરને સુખી, દુઃખી કરી શકું છું, પરથી મને લાભ છે; એવી માન્યતા પ્રાણીમાત્રમાં અનાદિકાળથી ચાલી આવી છે. આવી માન્યતા કોઈને શીખવવાથી નથી આવી પણ અનાદિથી છે જ. આવી માન્યતાને વિપરીત શ્રદ્ધાન તરીકે ઓળખવામાં આવે છે અને અધ્યાત્મની પરિભાષામાં તેને અગૃહીત મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. જ્યારે જન્મ થયા પછી કુદેવ, કુગુરુ, વગેરેના પરિચયમાં આવવાનું થાય છે અને તેમની પાસે ઉપદેશ શ્રવણ દ્વારા કુદેવ વગેરેમાં સુદેવની તેમજ અતત્ત્વમાં તત્ત્વની જે બુદ્ધિ થાય છે તે ગૃહીત મિથ્યાત્વ તરીકે ગણવામાં આવ્યું છે. બાહ્ય ત્યાગ કર્યા પછી, એટલે સાધુવેશ ધારણ કર્યા બાદ, ઉપકરણ-કરણ દ્વારા જાગૃત રહી અંતઃકરણમાં રમે-સ્વરૂપ સ્થિરતા આવે તો તે અપ્રમત્ત અવસ્થા છે, એમ કહેવાય. Page #179 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નેમિનાથજી , 1007 જીવ અજીવ પદાર્થો અનંતધર્માત્મક હોવા છતાં તેને એકાતે એક જ ધર્મવાળા માનવા, જેમકે આત્મા એકાંતે નિત્ય છે અથવા એકાંતે ક્ષણિક છે; તેમ માનવું તે એકાંત મિથ્યાત્વ છે. શરીરને આત્મા માનવો તેમજ પુણ્ય અને શુભ રાગથી ધર્મ માનવો તે વિપરીત મિથ્યાત્વ છે. હિતાહિતનો વિવેક કર્યા વગર પ્રવૃત્તિ કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે. યજ્ઞયાગાદિ ક્રિયામાં પશુ વધને કરવો, તેમાં થતી હિંસાને હિંસા ન માનવી પણ ધર્મ માનવો અને તેવા યજ્ઞયાગાદિ દ્વારા દેવલોકની પ્રાપ્તિ માનવી, તે અજ્ઞાન મિથ્યાત્વ છે. સમસ્ત દેવોને તથા સમસ્ત ધર્મોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ અથવા તો એકાંત મિથ્યાત્વ છે. આમ સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે, તેનો નાશ થયા વિના અવિરતિ આદિ બંધના કારણો પણ ટળતાં નથી. તેથી સર્વપ્રથમ તો ગ્રાહત અને અગ્રહીત મિથ્યાત્વ ટાળવું જોઈએ. તેથી જ કહ્યું છે કે જ્યાં સુધી આ સર્વ મિથ્યાત્વનું પ્રતિક્રમણ થતું નથી ત્યાં સુધી અવ્રત-પ્રમાદ-કષાય, વગેરેનું પણ પ્રતિક્રમણ થતું નથી. . . જેણે મિથ્યાત્વનું પ્રતિક્રમણ એક સમય માટે પણ કર્યું નથી તેને અપ્રતિક્રમણ ભાવ વર્તે છે. અનાદિ અનંતકાળથી આત્મા સ્વભાવે અકર્તા ' હોવા છતાં-જ્ઞાયક હોવા છતાં, પોતાની ભૂલથી-અપરાધથી પર્યાયમાં થતાં વૈભાવિક પરિણામોનો સ્વભાવથી કર્તા ન હોવા છતાં પણ પોતાને કર્તા માને છે, એને અપ્રતિક્રમણ-દશા કહેવામાં આવે છે. જીવોએ સ્વયંના પરિણામલક્ષી થવું જોઈએ. કેવળ પોતાનો જે નિજ શુદ્ધ ઉપયોગ, તેમાં એકાગ્ર થઈને તેમાં જ લીનતા સાધવી જોઈએ. આવા શુદ્ધ ઉપયોગની લીનતાને જ્ઞાનીઓ પરમાર્થ પ્રતિક્રમણ કહે છે. આ પરમાર્થ પ્રતિક્રમણથી મિથ્યાત્વનો જડમૂળથી નાશ થાય છે. આ રીતે વ્યવહાર દેહસુખ એ ભોગ સાધના છે. આત્મસુખ એ યોગ સાધના છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ 1008 ° હૃદય નયન નિહાળે જગધણી - પ્રતિક્રમણ અને પરમાર્થ પ્રતિક્રમણનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. નિશ્ચય પ્રતિક્રમણ ખરેખર તો સમ્યગ્રષ્ટિને હોય છે અને તે ચારિત્રનો ભેદ હોવાથી મુખ્યપણે મુનિરાજોને હોય છે અને ગૌણપણે પંચમગુણસ્થાનક વર્તી શ્રાવકને પણ હોય છે. તેથી જ જ્ઞાનીઓ ફરમાવે છે કે ભવની સાર્થકતા મિથ્યાત્વનું વમન કરવામાં છે અને સારભૂત એવા મોક્ષપદદાયી સમ્યકત્વનું ગ્રહણ કરવામાં છે. “શા-મળો' શબ્દમાં મળો શબ્દથી દોષોનું ગ્રહણ થયું અને તેમાં પણ ભાવસ્તર પર થતો પ્રથમ-દોષ મિથ્યાત્વ તેની આ વાત થઈ. આ મિથ્યાત્વનું વમન અતિઆવશ્યક છે અને તે ત્યારે જ શક્ય બને કે જીવ અંતર્મુખ દૃષ્ટિ કરી, પોતાના સ્વરૂપ તરફ વળી, પોતાના અકર્તા-જ્ઞાયક સ્વભાવને દૃષ્ટિમાં લે, તો જ મિથ્યાત્વના પરિણામ છૂટે અને ત્યારે તેને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું કહેવાય. સમ્યગ્દર્શનના કાળમાં મિથ્યા અહંકાર-કર્તબુદ્ધિ-કરવાપણાની માન્યતા-કર્તાભાવ છૂટી જાય છે. આ કર્તાભાવ-કબુદ્ધિ એ માન્યતાનો દોષ છે-શ્રદ્ધાનો દોષ છે તે નીકળી જવા છતાં ચારિત્રમોહજન્ય, કરવાનો વિકલ્પ ઉઠે છે, તેને કર્તાનય કહેવામાં આવે છે. આ મિથ્યાત્વનું પ્રતિક્રમણ સર્વ બહિરાત્મદશામાં રહેલા અજ્ઞાની જીવોએ કરવાનું છે. તેને બદલે માત્ર વૈખરી-વાણીરૂપ પ્રતિક્રમણમાં જ આપણે લગ્ન રહીએ છીએ અને સ્વરૂપ તરફ દૃષ્ટિ પણ કરતા નથી એ આપણી કેવી અજ્ઞાન દશા છે? કેવી મૂઢતા છે ? દ્વિતીય કક્ષાએ કર્મબંધના કારણ તરીકે અવિરતિપણાને જણાવેલ છે. તેથી તેનું પ્રતિક્રમણ કરવાનું છે. આ તો “શામળો” શબ્દની માયાનો વિસ્તાર છે. મિથ્યાત્વનું પૂર્ણપણે વમન થતાં જ્યારે જીવ અવ્રતમાંથી વ્રતમાં આવે છે, વિરતિ-ધર્મના પરિણામ પ્રગટે છે ત્યારે આત્મવિજ્ઞાન ત્રિકાળ છે. વ્યક્તિ સાદિ-સાન્ત છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1009 અવિરતિનું - અવ્રતનું પ્રતિક્રમણ થાય છે. આત્મા પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકાર-નિષ્ક્રિય-નિત્ય છે. સ્વસંવેદનથી પ્રત્યક્ષ કરવા યોગ્ય છે. સ્વસંવેદનથી વિપરીત અવ્રતપરિણામરૂપ વિકાર-દોષ–અપરાધને અવિરતિપણું કહેવામાં આવે છે. ષટ્કાય જીવોના વધનો પરિણામ એ છ પ્રકારે અવિરતિ છે. તેમ પાંચ ઇન્દ્રિય અને મનના વિષયોમાં રાગાદિભાવે પ્રવર્તન એ બીજા છ પ્રકારે અવિરતિ છે. એમ બાર પ્રકારે અવિરતિ કહેવામાં આવી છે. તેથી મુમુક્ષુઓને આ બારે પ્રકારની અવિરતિનું પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. જે જીવો બહિરાત્મભાવમાં નિમગ્ન છે, અવ્રતી છે, તેમને વિરતિધર્મને ધારણ કરવાનું કહ્યું છે. શુદ્ધ ઉપયોગમાં રમણતા થતાં સહેજે અવિરતિધર્મનું પ્રતિક્રમણ થઈ જાય છે. શુભાશુભ-પર્યાય વિનાના ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને નિરંતર પ્રતીતિમાં લેવું અને તેમાં જ ઉપયોગને જારી રાખવો એ શુદ્ધ ઉપયોગ છે. સર્વજ્ઞ ભગવાનનું આ શાશ્વત વિધાન છે કે આ ભવમાં જો વિશેષ પુરુષાર્થ ઉપડે તો અવ્રતનું પ્રતિક્રમણ કરી લેવા જેવું છે. ઉત્તરોત્તર ભાવોની વિશુદ્ધિથી અવ્રતના પ્રતિક્રમણના શ્રીગણેશ મંડાય છે. તેનાથી આગળ વધીને પ્રમાદ અને કષાયનું પણ પ્રતિક્રમણ કરવાનું છે. આત્માની આત્મસ્વરૂપે વિસ્મૃતિ તે પ્રમાદ છે, જેમાં વિષય, કષાય, નિદ્રાં, વિકથા અને મઘનો સમાવેશ થાય છે. આ બધા જ તત્ત્વો આત્માના સ્વરૂપને ભૂલાવનારા હોવાથી પ્રમાદ કહ્યા છે. પહેલા ગુણસ્થાનકથી લઈને છઠ્ઠા ગુણસ્થાનક સુધી પ્રમાદને સ્થાન છે, જે સ્વરૂપ-રુચિથી માંડીને સ્વરૂપ-રમણતામાં અવસ્થા ભેદે પ્રતિબંધક બને છે. પ્રમાદ, ચારિત્રપાલનમાં અનુત્સાહને લાવે છે. પ્રમાદનું પ્રતિક્રમણ થતાં પ્રમાદ અંતર્ગત કષાયનું પ્રતિક્રમણ પણ આવી જાય છે. શ્રુત-દૃષ્ટ-અનુભૂત; એમાં માત્ર અનુભૂત જ ‘સ્વ' છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ 1010 , હૃદય નયન નિહાળે જગધણી ક્રોધ, માન, માયા, લોભના વ્યાપાર રૂપ આત્માની અશુદ્ધ : પરિણતિને કષાય કહે છે. પ્રમાદ પંદર ભેદે છે તો કષાય-નોકષાય મળી ૨૫ પ્રકારે છે. તેથી પ્રમાદ અને કષાયમાં સામાન્ય અને વિશેષનો તફાવત જોવાય છે. સર્વથા અકષાયનું પ્રતિક્રમણ તો મુનિવરોને શ્રેણી માંડતા આવશે તો પણ તે પહેલા આત્મભાવમાં રમણતા જેટલા અંશમાં છે તેટલા અંશમાં કષાયનો પાવર તૂટી ગયેલો હોવાથી બાકીના કષાયનું પ્રતિક્રમણ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે પણ છે જ. ટૂંકમાં મિથ્યાષ્ટિ જીવોએ પ્રધાનતયા મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવાનું હોય છે, અવિરતુ સમ્યદૃષ્ટિ જીવોએ અદ્વૈતભાવનું પ્રતિક્રમણ કરવાનું છે તથા મુનિવરોને કષાયભાવનું પ્રતિક્રમણ કરવાનું છે. સયોગી અવસ્થા સુધી યોગ પ્રવર્તન મનાયું છે, યોગનું પ્રતિક્રમણ કરવાનું નથી પરંતુ ચૌદમાં ગુણસ્થાનકે અયોગીદશા આવતા યોગ સ્વયં છૂટી જાય છે અને ચૌદમા ગુણસ્થાનકે અયોગી-અવસ્થાએ અકંપ થતાં સિદ્ધ-અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી આત્મા અકંપદશાને ન પામે ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટવા છતાં સિદ્ધ-પર્યાયનો ઘાત છે. સિદ્ધ-પર્યાય પ્રગટાવવા યોગ, અયોગરૂપે પરિણમવો જોઇએ. આત્મા પોતે ત્રણે ય કાળમાં અકર્તા જ હતો. પરંતુ અજ્ઞાનથી પોતાને ભૂતકાળમાં કર્તા માનતો હતો તેનું હવે શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા દ્વારા પ્રતિક્રમણ કરે છે. ભૂતકાળમાં લાગેલા દોષને હવે છોડી દીધા તે વર્તમાનની આલોચના છે અને ભાવિકાળે જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી ભીતરમાં જે પરિણામ થશે તેનો હું કર્તા બનીશ નહિ, જ્ઞાતા જ રહીશ આવી પ્રતિજ્ઞાનો જે ભાવ વર્તે છે તે ભાવિના પચ્ચખ્ખાણ છે. આમ શુદ્ધ ઉપયોગમાં રમણતા કરતા આત્માને ભૂતકાળના દોષોનું પ્રતિક્રમણ, સ્વરૂપાનંદ જે આવરાયેલ છે, તેને અનુભવતા શીખો તે ઘર્મ છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી - 1011 વર્તમાનની આલોચના અને ભાવિના પચ્ચકખાણ ત્રણે ય ઘટે છે. આમ શ્રીમદ્ આનંદઘનજી મહારાજે આ દશમી કડીમાં “શામળો” શબ્દનો પ્રયોગ કરીને ઘણી ઊંડી માર્મિકતાને ઉઘાડી કરી દીધી છે અને તેને રાજીમતિના સ્વાંગમાં કડી દ્વારા ઉલ્લેખ કરીને કહે છે કે, “હું કહું લક્ષણ સેત.” અર્થાત્ મંદબુદ્ધિવાળા, અજ્ઞાની, મોહમાં વિલસતા જીવો જે પર્યાયમાં મગ્ન છે માત્ર પર્યાય દૃષ્ટિથી જ જોનારા છે અને જે બાહ્ય રૂપ-રંગ જોઈને વસ્તુનો નિર્ણય કરનારા છે તે રાજીમતિની સખીઓના સ્થાને છે અને તેથી એ જેણે “શામળો” કહીને નવાજે છે તે તો રાજીમતિ જેવી કુશાગ્ર દૃષ્ટિ જેની પાસે છે, જે પર્યાયને ન જોતાં દ્રવ્યદૃષ્ટિથી પદાર્થને જોનાર છે, તેવા ઉત્તમ, વિનયવંત, હળુકર્મી, નિકટ મોક્ષગામી જીવો તો તેણે શામળો એટલે કે મળ-રહિત, ઉજ્જવળ, શ્વેત તરીકે જુવે છે. * શુદ્ધ ઉપયોગમાં રમણતા કરતા જીવો નિરંતર સ્વભાવદશામાં ઝૂલતા હોવાથી તે સમગ્ર વિશ્વને પોતાના જેવું શુદ્ધ અને ઉજ્જવળ જુએ છે; જ્યારે મિથ્યાત્વયુક્ત મલિનભાવ અને મલિન દૃષ્ટિમાં રમતા જીવો - પોતે મલિન હોવાથી આખા વિશ્વને મલિન જુવે છે. આ દષ્ટિ, દષ્ટિનો ભેદ છે. * રાજીમતિની સખીઓ જેવી ઉપર છલ્લી દષ્ટિ ન રાખતા રાજીમતિ જેવી તાત્વિક દૃષ્ટિ રાખવાનું આડકતરુ વિધાન યોગીરાજ કરી રહ્યા છે. અત્રે “શામળો' શબ્દમાં “મળો’’ શબ્દ ઉપર ભાવસ્તરથી કરાયેલ પ્રસ્તાવના મુમુક્ષુ આત્માઓ માટે દીવાદાંડી સમાન છે. જેના લક્ષણોને પારખીને તેઓ પોતાની નાવને સંસાર સમુદ્રમાં ડૂબવા દેતા નથી અને તેથી સંસારનો જેમ ત્યાગ કર્યો છે એમ સાધુ ભગવંતે સંગનો, વ્યવહારનો પણ ત્યાગ કરવો જોઈએ અને એકાંત-મૌન-અસંગ યોગ કેળવવો જોઈએ. Page #184 -------------------------------------------------------------------------- ________________ 1012 હૃદય નયન નિહાળે જગધણી “હું કહું લક્ષણ સેત” કડી દ્વારા રાજીમતિના સ્વાંગમાં યોગીરાજે એ જ વાતનું પુષ્ટિકરણ કર્યું છે અને “હું કહું” દ્વારા સ્વ-સ્વામીભાવનો સંબંધ પ્રસ્થાપિત કરેલ છે. હું તે સ્વ જાણવો કે જે આનંદઘનજીમાં રહેલ નિજ પરમાત્મા છે, જે ધ્રુવ છે, અપરિણામી છે, અચલ છે, અખંડ છે, અમૂર્ત છે, અનંત-ચતુષ્કથી યુક્ત છે, અનંતગુણોનું ધામ છે અને સ્વામી તે છે કે જેને તેઓ પ્રાર્થી રહ્યા છે, તેમના અંતરમાં બિરાજમાન શ્રીનેમિપ્રભુ છે તેમને લક્ષિત કરીને સખીઓના માધ્યમે પ્રકૃતિગત બાહ્યરૂપ, રંગને . જોઈને “શામળો” શબ્દને ઉદ્ઘોષિત કરે છે, જે તે શબ્દના અંતરંગ મર્મને ન જાણતી, તેના લક્ષણોને ન જાણતી, ભેદવિજ્ઞાનના પ્રયોગથી રહિત હોવાના કારણે “શામળો” શબ્દની મર્મગ્રાહિતાને ન જાણતી - ન અવલોકતી માત્ર “શામળો” છે માટે પ્રીતિ કરવા યોગ્ય નથી એમ તેની સ્વામીનિ “રાજીમતિ”ને કહેતી જણાવાઈ છે. '' - જ્યારે સ્વામીનિ રાજીમતિ પ્રકૃતિગત લહેરોમાં ડૂબેલી હોવા છતાં જાગ્રત છે માટે જ પોતાનામાં રહેલા નિજપરમાત્માને લક્ષ કરીને, પ્રકૃતિગત ધર્મોવાળી હેત, સ્નેહ, પ્રીત, લજ્જા, વગેરે લક્ષણોથી યુક્ત સખી નામથી ઓળખ પામેલ પોતાની જ પ્રકૃતિને સંબોધીને કહી રહી છે કે “હું કહું લક્ષણ સેત”. અર્થાત્ પ્રત્યેક જીવાત્માઓને લક્ષિત કરીને તે કહી રહી છે કે અનાદિકાળથી મળો-દોષોની પરંપરા સર્જીને જે અતિક્રમણ કરેલું છે તેનું પ્રતિક્રમણ કરવું જ જોઈએ અને ધારાવાહી શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવી જોઈએ. આ જ પરમાર્થ પ્રતિક્રમણ છે. ધારાવાહી શુદ્ધ ઉપયોગ આવે એટલે પરમાર્થ પ્રતિક્રમણ થઈ જ જાય. પરમાર્થ પ્રતિક્રમણ તેને કહેવાય કે જે પર્યાયને પોતે કરે પણ નહિ, અને પર્યાયનો પોતાનામાં સ્વીકાર પણ ન કરે ત્યારે ધારાવાહી શુદ્ધ ઉપયોગ આવે. માટે છે પૂણ્યના બંધની, જ્ઞાનીએ પ્રસંશા કરેલ છે. પરંતુ પૂણ્યોદય બાબતે, ” પુણ્યના ઉદયના સદુપયોગની પ્રસંશા કરેલ છે જ્યારે દુરુપયોગને નિંદનીય જણાવેલ છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજીક 1013 ભવ્યાત્માઓ! તમે લક્ષિત થાવ, સાધ્ય એવા નિજ પરમાત્માની પ્રાપ્તિને તમે બરાબર સમજો અને તે જ નિજ “લક્ષણ સેત” હોવા તુલ્ય છે તેમ તમે નિશ્ચયે જાણો ! આગળ જતાં રાજીમતિના સ્વાંગમાં રહીને શ્રીમદ્ આનંદઘનજી મહારાજા પ્રસ્તુત કડીના ઉત્તરાર્ધ દ્વારા પણ એ જ વાતનું પુનઃ પુનઃ દઢીકરણ કરતા કહે છે કે – “ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત”. મનરાવાલા. શામળો” શબ્દનો શ્લેષ મળો-દોષોનું મર્મગ્રાહી અર્થઘટન વ્યવહાર અને નિશ્ચયના પક્ષેથી દ્રવ્યસ્તર અને ભાવસ્તરના માધ્યમે જે કર્યું, તે સર્વ પ્રાકૃતિક દોષોનો સ્વીકાર “સખી” નામથી છે. સર્વ દોષોનો સ્વીકાર છે. તેના સત્યપણામાં પ્રાકૃતિકતા એ મોટો દોષ છે અર્થાત્ જે મળો-દોષો થાય છે તે પ્રકૃતિગત છે તે પ્રકૃતિના દોષો છે, આત્માના નથી અને તેથી જ તે આત્માની બહાર છે. . . પ્રકૃતિ ધર્મવાળી સખી છે અને તેણે પ્રકૃતિના ધર્મ રૂપે આ દોષો છે-મળો છે; એવી ઓળખ હોવાથી તે સાચી છે. અતિક્રમણ થઈ રહ્યું છે તેની તેણે જાણ છે, સત્ય રૂપે સ્વીકાર છે. મળો-દોષો પ્રાકૃતિક સ્તર પરના હોવાથી તેનું પરિણમન પોતાનામાં જ છે અર્થાત્ પ્રકૃતિમાં જ છે અને તેથી તે આધ્યાત્મિક-દૃષ્ટિથી વિચારતાં પોદ્ગલિક છે. અધ્યાત્મમાં પુરુષ એ જ ચેતન છે જ્યારે પ્રકૃતિ એ તો સાંયોગિક તત્વ હોવાથી ચેતન નથી પણ ચેતનની છાયા છે-ચેતનનો પડછાયો છે. પ્રકૃતિનું પરિણમન પ્રકૃતિમાં થઈ રહ્યું છે, જે તત્ત્વદૃષ્ટિથી ચેતનને સ્પર્શતું નથી. દરેક દ્રવ્યો પોત-પોતાના ગુણ પર્યાયોમાં જ રહે છે, અન્ય દાનનો લક્ષ્ય અર્થ છે, પોતાને કાંઈ પણ જોઈતું નથી. જ્યારે દાનનો વ્યવહારિક અર્થ છે; બીજાઓને હેંચી દેવું-ત્યાગ કરવો-પરિગ્રહ ઓછો કરવો-મૂ ઉતારવી. Page #186 -------------------------------------------------------------------------- ________________ 1014, હૃદય નયન નિહાળે જગધણી દ્રવ્યના ગુણ-પર્યાય રૂપે થતા નથી. આ જ વસ્તુ સ્વભાવ છે, તે લક્ષણોની ઓળખ કરવાની છે માટે કહે છે કે હે ચૈતન્યમૂર્તિ નિજ પરમાત્મા! તમે સ્વયને ઓળખો અને પોતાનામાં રહો, એ જ લક્ષ કરવાનું છે તેથી જ કહે છે કે – “આપ વિચારો હેત.”, આપ” શબ્દમાં “આ” થી આત્મા અને “પ”થી પ્રત્યક્ષ પ્રતિભાસંમયતા અર્થાત્ આત્મામાં રહેલી પ્રત્યક્ષ પ્રતિભાસીયતાને ઓળખો! અનુભવમાં લો ! સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં “વિચારો” અર્થાત્ વિશેષે કરીને ચાર કરો, રમણતા કરો અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગને પાછો ફેરવો! તે પણ હેતપૂર્વક એટલે બહુમાન પૂર્વક, ઉમળકો લાવી-લાવીને, Being Entirely in Existance – સ્વમાં હોવાપૂર્વક, સ્વમાં રહેવાપૂર્વક, સ્વને પ્રતીતિમાં લાવવાપૂર્વક, સ્વને અનુભવવાપૂર્વક પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગને પાછો ફેરવો ! આજ હેત” શબ્દની સાર્થકતા બતાવે છે. ‘હેત’ શબ્દમાં રહેલ “હકાર સર્વસિદ્ધિદાયક ચિંતવાયેલો છે. બધા મંત્રોનો પ્રાણ “હકાર છે અને તે “હકાર દ્રવ્યપ્રાણ-સૂર્ય છે. પિંગળા નાડી-જમણો સ્વર છે, વગેરે જાણવું. ‘હકાર વર્ણાક્ષરમાળાનો છેલ્લો વ્યંજન છે “હકાર ની પૂર્વે જેટલા પણ સ્વર-વ્યંજનયુક્ત માતૃકા વર્ણાક્ષરો છે તેની શરૂઆતમાં “અ” કાર સ્વર રહેલ છે. આ “અ” અને “હ'ની વચ્ચે સઘળા વર્ણાક્ષરો આવી જતાં “અહ” મંત્ર એ સિદ્ધચક્રનો વાચક-પંચ પરમેષ્ઠીનો વાચક બનતાં તે સ્વયંના વાચ્ય-વાચક સંબંધનો આડકતરો નિર્દેશ કરાવે છે. આમ ‘હકાર તે “હું” નો વાચ્ય બનતાં સ્વભાવ લક્ષણનો ઘાતક છે. અત્રે હું તે અહંકારનો વાચક નથી કારણકે તે તો મળ છે-દોષ છે, તેનો તો નાશ કરવાનો છે. ત્યાગ હંમેશા “પર” દ્રવ્યનો કરાય. “સ્વ” દ્રવ્યનો ત્યાગ થાય નહિ. “પર” દ્રવ્ય એટલે તન-મન અને ઘન (પરિગ્રહ). આ ત્રણે ય મારા નથી માટે મારે તે ત્રણે ય જોઈએ નહિ. Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1015 “હેત’ શબ્દમાં વપરાયેલ “તકાર ‘ત રૂપો ન ભવતિ' એટલે કે પરિણામ મારામાં થતાં નથી તેથી તેનું કર્તાપણું મારામાં નથી, અહંકાર આત્મામાં નથી, પરિણામમાં છે માટે તે આત્માની બહાર છે. આમ તકાર તલ્લીનતાને સૂચવે છે. સ્વયંથી સ્વયંમાં ઓગળી જવું તે તલ્લીનતા છે. આમ આખી ગાથાને સમીક્ષણ દૃષ્ટિથી જોવામાં આવે તો આ જ વાતનું પુષ્ટિકરણ થાય છે કે “સખી' શબ્દથી સમ્યકત્વનો ગાઢ અભાવ એટલે કે મિથ્યાત્વના પરિણામ તે મારામાં નથી અને ‘શામળો' શબ્દમાં રહેલ મળો-દોષો ભાવસ્તરપર થતાં પરિણામ તેનો પણ હું કર્તા નથી. શામળો' શબ્દનું માર્મિક અર્થઘટન શુદ્ધ ઉપયોગની રમણતામાં થયું છે. તે થતાં અવ્રતનું પ્રતિક્રમણ થયું, કષાય-પરિણામ તેમજ ઉપયોગ-કંપન હેય જાણ્યું. ' આમ વિવેક-સૂર્યનો ઉદય થતાં જે પર-શેય હતું તે બધું હેય થઈ ગયું. ઉપાદેય એક માત્ર શુભાશુભભાવ રહિત આત્મા જ જાણ્યો, તેને જ ઉપાસ્યો. આમ કહેત' શબ્દની સાર્થકતા થઈ. સ્વથી સ્વમાં જ - રમણતા થઈ. * આમ યોગીરાજ આનંદઘનજી મહારાજાવડે રાજીમતિના સ્વાંગમાં રહી ઉચ્ચારેલાં પ્રત્યેક પદો ઘણા અર્થગાંભીર્ય તરફ લઈ જાય છે અને મુમુક્ષુને, સંન્યાસીઓને, સાધુઓને, સંયમીઓને સ્વયેની જાગૃતિ કેમ કરવી તેનો જ નિર્દેશ કરે છે અને જણાવે છે કે મુમુક્ષુ આત્માઓએ મિથ્યાત્વનો ત્યાગ, સમ્યકત્વનું ગ્રહણ, અવ્રતનો ત્યાગ, શુદ્ધ ઉપયોગરૂપ વ્રતનું ગ્રહણ, કષાયનો ત્યાગ, અકષાય સ્વભાવનું ગ્રહણ, યોગોના અને - ઉપયોગના કંપનનો ત્યાગ અને અકંપ અવસ્થા સ્વરૂપ પરમાત્મભાવનો સ્વીકાર કરવાનો છે. તે માટે સર્વત્ર ઉદાસીનતા કેળવવાની છે. ગુણ કેળવવા એ મોક્ષમાર્ગ છે. ગુણને કેળવનાર બાહ્ય સાધન કરણ અને ઉપકરણ છે. જ્યારે અત્યંતર સાઘન અંતઃકરણ છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ 1016 , હૃદય નયન નિહાળે જગધણી ઉદાસીનતાની શરૂઆત ઉપેક્ષાથી થાય. પોતે બધે જ, સીધો જ રહેતો હોય છતાં એને અવળાપણાના અનુભવ થતા હોય તો પણ જેને એ અવળાપણું અંદરમાં અસર ન કરે અને પોતાનું સીધાપણું છોડે નહિ અને સીધો જ રહ્યા કરે એને ઉપેક્ષા સંયમ કહ્યો છે એટલે કે તેને ઉદાસીનભાવ કહ્યો છે. આત્મા નિઃશબ્દ છે. શબ્દમાત્ર એ સમભાવે નિકાલ બાબત બની રહે છે; એ ગ્રહણીય બાબત નથી. બોલાતી વાણીનો આત્મા જોનારો છે પછી તે વાણી Real પણ કેમ ન હોય? તો પણ તે નિકાલી બાબત છે. . ચરમ તીર્થંકર શાસનપતિ મહાવીરસ્વામીની અંતિમ સોળ પ્રહરની દેશના, તેમના પોતાના માટે નિકાલી હતી. તે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. - શરીરની જે બધી ક્રિયાઓ છે, એમાં અંદરની બધી જે ઝીણી. ઝીણી ક્રિયાઓ છે, તેમાં સૌથી ઝીણી ક્રિયા આંખના પડદા પર જ છે અર્થાત્ ત્યાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુઓની અદભૂત રચના છે. તે પણ જો નિકાલી બાબત હોય તો પછી કઈ ક્રિયા ગ્રહણીય હોઈ શકે? તે વિચારવા યોગ્ય છે એવો અંગુલિનિર્દેશ આડકતરી રીતે યોગીરાજ પ્રસ્તુત કડીમાં કરી રહ્યા છે. રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ, મ. . રાગ વિના કેમ દાખવો રે, મુગતિ સુંદરી માંગ... મનરા...૧૧ અર્થઃ રાજીમતિજી પોતાનો આંતર વલોપાત ઠાલવતાં ઠાલવતાં ઠપકો-ઓળંભારૂપે પ્રભુને કહી રહી છે કે સંસારમાં સર્વ જીવો રાગી સાથે રાગ રાખે છે. પણ હું તો વેરાગી છું તેની સાથેનો રાગ શા કામનો ? એમ જો આપ કહેતા હો તો પછી આપ મુક્તિરૂપી સ્ત્રીને વરવાની ઇચ્છા કેમ કરો છો ? શું તે રાગ નથી ? દાન-શીલ-તપ-ભાવ એ યાર ત્યાગ ધર્મ છે. જે પર છે તેનો ત્યાગ કરવો તેને ત્યાગધર્મ કહેવાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1017 . વિવેચનઃ રાજીમતિના સ્વાંગમાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજ સાહેબનો આંતરિક વલોપાત સ્વ-તત્ત્વને પામવા અત્યંત ઉત્કટતાને વરી રહ્યો છે, તે ભગવાન નેમિનાથ-દાદાના સંવાદમાં પ્રશ્નોની ઝડી પર ઝડી વરસાવવા દ્વારા આપણે જોઈ રહ્યા છે. તેઓશ્રી કહી રહ્યા છે કે હે નાથી લોક વ્યવહારમાં પણ દેખાય છે કે પરસ્પરનો રાગ પરસ્પરનો પૂરક બનીને રહે છે. રાગ વિના સંસારનો વ્યવહાર અસંભવિત છે. રાગી જીવો માટે વૈરાગ્યની વાતો હાસ્યાસ્પદ છે, તેમ વૈરાગી જનો માટે સંસારના પદાર્થો પરનો રાગ સંભવિત નથી. બન્નેનો સ્વભાવ ભિન્ન-ભિન્ન છે. છતાં આપના વિષયમાં અમને બહુજ કૂતુહલ છે કે એકબાજુ આપ મને તરછોડીને જઈ રહ્યા છો માટે આપ વેરાગી છો અને બીજી બાજુ આપ મુગતિ સુંદરીને વરવાની ચેષ્ટા કરી રહ્યા છો, તો મુગતિ સુંદરીને વરવાની ચેષ્ટારૂપ આયામ એ શું રાગનો ઘાતક નથી તો બીજું શું છે? અર્થાત્ એ રાગ જ છે તો પછી આ રાજીમતિ ભવ-ભવાંતરથી આપને વાંછી રહી છે તે શું ખોટું છે ? . હે મારા નાથ ! આપ મને સમજાવો કે આવી પરસ્પર વિરુદ્ધ વાતો કેમ સંભવે? રાજીમતિના સ્વાંગમાં રહીને પૂછાયેલા પ્રશ્નનો જાણે કે પ્રભુ જવાબ જ ન આપતા હોય તેમ કહી રહ્યા છે કે – “રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ.” - રાગાદિભાવો એ વિકારી ભાવો છે, અજ્ઞાનભાવ છે, પછી તે રાગ સ્ત્રીનો હોય કે પુરુષનો, બાળકનો હોય કે યુવાનનો, જડનો હોય કે ચેતનનો! આ મોહદશાની ઉદય સ્થિતિ, જ્ઞાની કે અજ્ઞાની સર્વને સંસાર ભ્રમણના હેતુરૂપ થાય છે. માંને પોતાના પુત્ર પ્રત્યે હેત હોય છે, તો નવોઢા સ્ત્રીને પોતાના પ્રિયતમ પ્રત્યે રાગ હોય છે. આ બધો મૂછ વિકલ્પરહિત થવું-નિર્વિકલ્પક બનવું-મનાતીત થવું-શૂન્ય બનવું-પૂર્ણ થવું, એ ભાવઘર્મ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1019 દ્રવ્યકર્મો વિદ્યમાન છે, તેનો ઉદય પણ છે. તે ભલે રહો! તો પણ જ્ઞાની નિરાશ્રવ જ છે કારણકે દ્રવ્યદૃષ્ટિ સ્વરૂપ તરફ છે. કર્મોદયનું કાર્ય રાગ, દ્વેષ કે મોહરૂપ આશ્રવભાવ, તેનો ઉપયોગમાં અભાવ વર્તતો હોવાથી દ્રવ્યકર્મના ઉદયો બંધનું કારણ નથી. જેમ પુરુષમાં રાગભાવ હોય તો જ જુવાનીને પામેલ સ્ત્રી તેને વશ કરી શકે છે, તેમ જીવમાં આશ્રવભાવ હોય તો જ ઉદય પ્રાપ્ત દ્રવ્યકર્મો નવો બંધ કરી શકે છે. - જ્ઞાની મળ્યા પછી અંતર ક્રિયા ચાલ્યા કરે છે. જ્ઞાનીનો યોગ થયે છતે અને અંતરથી તેની ઓળખાણ થયે છતે, સુપાત્ર જીવને અંતરમાં શુદ્ધિની, ભાવભાસનની, અંતર-સંશોધનની અને સ્વભાવ-સન્મુખતાની ક્રિયા ચાલુ થઈ જાય છે. આ અંતર ક્રિયા તેને છેક કેવળજ્ઞાન સુધીનું લક્ષ કરાવી, હૃદય પલટો કરાવી, દઢ અંતરદષ્ટિ કરાવે છે. જ્ઞાની મળ્યા • પછી, જ્ઞાની તરીકે ઓળખાયા પછી અંતરદષ્ટિ ન થાય, તો સમજવું કે હજુ જ્ઞાની ફળ્યા નથી. અશુદ્ધ નિશ્ચયનયથી વિભાવ ભાવો જીવની પર્યાયમાં થતાં હોવાથી ' જીવના જે માનવામાં આવ્યા છે, તેને શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી ટાળી શકાય છે. એટલે કે જડ અને ચેતનનું પરિણમન પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર છે. જીવના ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તા-કર્મ સંબંધ નથી. નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. નિમિત્ત કાંઈ કશું કરતું નથી. પરંતુ નિમિત્ત વગર ક્યારેય કશું થતું પણ નથી. અભેદ દૃષ્ટિમાં તો કર્તા-કર્મભાવ જ નથી કિંતુ શુદ્ધચેતનામાત્ર જીવ વસ્તુ છે. મનને પર સમજી મનાતીત થવું તે ધર્મ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1019 દ્રવ્યકર્મો વિદ્યમાન છે, તેનો ઉદય પણ છે. તે ભલે રહો ! તો પણ જ્ઞાની નિરાશ્રવ જ છે કારણકે દ્રવ્યદૃષ્ટિ સ્વરૂપ તરફ છે. કર્મોદયનું કાર્ય રાગ, દ્વેષ કે મોહરૂપ આશ્રવભાવ, તેનો ઉપયોગમાં અભાવ વર્તતો હોવાથી દ્રવ્યકર્મના ઉદયો બંધનું કારણ નથી. જેમ પુરુષમાં રાગભાવ હોય તો જ જુવાનીને પામેલ સ્ત્રી તેને વશ કરી શકે છે, તેમ જીવમાં આશ્રવભાવ હોય તો જ ઉદય પ્રાપ્ત દ્રવ્યકર્મો નવો બંધ કરી શકે છે. જ્ઞાની મળ્યા પછી અંતર ક્રિયા ચાલ્યા કરે છે. જ્ઞાનીનો યોગ થયે છતે અને અંતરથી તેની ઓળખાણ થયે છતે, સુપાત્ર જીવને અંતરમાં શુદ્ધિની, ભાવભાસનની, અંતર-સંશોધનની અને સ્વભાવ-સન્મુખતાની ક્રિયા ચાલુ થઈ જાય છે. આ અંતર ક્રિયા તેને છેક કેવળજ્ઞાન સુધીનું લક્ષ કરાવી, હૃદય પલટો કરાવી, દૃઢ અંતરદષ્ટિ કરાવે છે. જ્ઞાની મળ્યા • પછી, જ્ઞાની તરીકે ઓળખાયા પછી અંતરદષ્ટિ ન થાય, તો સમજવું કે હજુ જ્ઞાની ફળ્યા નથી. અશુદ્ધ નિશ્ચયનયથી વિભાવ ભાવો જીવની પર્યાયમાં થતાં હોવાથી - જીવના જે માનવામાં આવ્યા છે, તેને શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી ટાળી શકાય છે. એટલે કે જડ અને ચેતનનું પરિણમન પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર છે. જીવના ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તા-કર્મ સંબંધ નથી. નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. નિમિત્ત કાંઈ કશું કરતું નથી. પરંતુ નિમિત્ત વગર ક્યારેય કશું થતું પણ નથી. અભેદ દૃષ્ટિમાં તો કર્તા-કર્મભાવ જ નથી કિંતુ શુદ્ધચેતનામાત્ર જીવ વસ્તુ છે. મનને પર સમજી મનાતીત થવું તે ઘર્મ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ 1020 હદય નયન નિહાળે જગધણી આ આત્મામાં જે રાગ-દ્વેષ રૂપ વિકારભાવોની ઉત્પત્તિ થાય છે. ત્યાં પરદ્રવ્યોનો કોઈપણ દોષ નથી પણ સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. આ સત્યની સ્પર્શના રાગી જનોને જ્યારે થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે રાગ-પરિણામની પ્રાપ્તિ, એ પોતાના અવળા પુરુષાર્થથી જ છે અને તે બંધનું કારણ છે. તેનાથી પોતાનામાં વિરાગીપણું પ્રગટે છે. સ્વયંના ગુણોનું ખેંચાણ વધતાં પોતાના ત્રિકાળ સ્વરૂપને જાણવાનો જે ઇન્કાર હતો તેનો સ્વીકાર થાય છે અને તે ધર્મમાં પરિણત . થાય છે. આમ આશ્રવ અને બંધ-પરિણામથી મુક્ત થવાનો પુરુષાર્થ ટકી રહે છે. સ્વયંનું તત્ત્વ જે નિશ્ચય સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રથી યુક્ત છે તે જ હિતકારી છે. આમ આત્મામાં એકાગ્ર થઈ શુભાશુભ ઇચ્છાનો રોધ થવા દ્વારા, જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થાય તેને તપે કહ્યું છે. વિરાગી બનેલ આત્મા શુદ્ધોપયોગની દિશામાં મહાલતાં-મહાલતાં કેવલજ્ઞાન પર્યાય કેમ પ્રાપ્ત થાય ? પૂર્ણ સ્વાધીન નિરાકુલતારૂપ સુખની પ્રાપ્તિ કેમ થાય? તેને પૂર્ણ રીતે જાણીને આત્મસાત્ કરવાનો પુરુષાર્થ પૂર્ણ રીતે આદરે છે. રાગીપણામાં થયેલ સર્વ મિથ્યાત્વાદિ ભૂલોને વિરાગી બનેલો આત્મા સુધારતો જાય છે. આમ રાગ ઘટતો જાય છે, વૈરાગ્ય પ્રગટ થાય છે. આ વૈરાગ્યપણું એ જ સંન્યાસપણું છે જ્યાં સ્વયંને સ્પર્શવાપણું છે, પરદ્રવ્યપરભાવનો અહેસાસ ઓગળી ગયેલ છે, જ્યાં કેવળ વૈરાગ્યમાં જ મહાલવાનું છે. તેથી જ કડીમાં કહ્યું છે ને કે, “વૈરાગી સ્યો રાગ.” વૈરાગ્ય એ સ્વયંની નિપજ છે, પરમ-શૂન્યતા છે, સંસારીભાવથી પરા મુખતા છે, આ જ મહાસમાધિ છે; જ્યાં કોઈ રાગ, દ્વેષ કે મોહભાવની સ્પર્શના જ નથી, જ્યાં સ્વયંમાં કરવાપણું છે. બહિપરિણામોની ધૂલિ પણ સ્પર્શતી મન-વયન-કાયાના યોગને સ્થિર કરવા તેનું નામ ધ્યાન. Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1021. નથી. રાગ વિરાગમાં પલટાયો તે વીતરાગતાને સ્પર્યા વિના રહેવાનો નથી જ્યાં સ્વયંના અનંત પૂર્ણગુણોનું અભેદભાવે પરિણમન છે. રાગ-ભાવ જ મોટો પરિગ્રહ છે. એ રાગીઓમાં જ સંભવી શકે. વિરાગી આત્માને તે સ્પર્શતો જ નથી. વૈરાગ્ય એ પોતાનો નિજ ધર્મ છે. આમ રાજીમતિના સ્વાંગમાં રહી યોગીરાજ આનંદઘનજી મહારાજે ઘણીજ માર્મિક ભાષામાં પ્રશ્નોત્તર રૂપે દોહરાવ્યું કે, “રાગી શું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ.” હવે રાગ વિના કેમ દાખવો રે, મુગતિ સુંદરી માગ” એ કડીનું અર્થઘટન વિચારીએ. અત્રે એ જ સમજવાનું છે કે વૈરાગ્યભાવમાં વિલસતા મુમુક્ષુ જનોને થતાં પરિણામભાવ, તે સ્વયંના પ્રતિ થતાં ઉઘાડરૂપ રાગભાવ છે. સંસારી જનો ને જેવો રાગભાવ છે, તેવો તો તે છે જ નહિ, સંસારી જનોનો રાગભાવ તે તો એકાતે કર્મબંધનું કારણ છે કેમકે તેમને તો આત્મા પ્રત્યે અપ્રીતિ છે જે આત્માની ભાવહિંસા છે. આત્મા પ્રતિ સદ્ભાવ તેમને વિકસ્યો જ નથી, તેથી કર્મનો અભાવ તેમને થતો જ નથી. પરંતુ જે નૈશ્ચયિક સમ્ય દર્શન સહિત છે તે વિરાગી છે, અને જેમણે શુદ્ધઉપયોગરૂપ-સંયમધર્મના સારરૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે, શુદ્ધઉપયોગ દ્વારા આત્માનો અનુભવ કરે છે, પરદ્રવ્ય કે પરભાવમાં જરા ય અહંભાવ કરતાં નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે, નિર્મમત્વભાવમાં જે રઢ છે, હિંસાદિ અશુભ ઉપયોગનું તો જેમણે અસ્તિત્વ જ મિટાવી દીધું છે, જેઓ સાતમા ગુણસ્થાનકના નિર્વિકલ્પ ઉપયોગમાં વારંવાર લીન હોય છે; આવા આત્માઓ આંતર, બાહ્ય પરિગ્રહના ત્યાગી છે. તેમનો સ્વભાવ રાગાદિ થી થતા ઘાતથી રહિત શુદ્ધ ચૈતન્યમય-પ્રાણમય છે. મોક્ષતત્ત્વની પૂર્ણશ્રદ્ધા સહિત સર્વજ્ઞ વીતરાગ ભવિષ્યનો અંત લાવવો એનું નામ ઘર્મ. Page #194 -------------------------------------------------------------------------- ________________ 1022 હૃદય નયન નિહાળે જગધણી સ્વભાવ યુક્ત બનવા સઘળો પુરુષાર્થ આદરેલ છે. આવા વિરાગી આત્માઓને સંવર-નિર્જરાની સાચી સમજણ વિકસેલ છે, પૂર્ણ શ્રદ્ધાન યુક્ત ચેષ્ટત્વ છે કારણકે સંવર-નિર્જરારૂપ નિશ્ચય રત્નત્રય સ્વભાવ છે, તેને આદરે છે. આમ વિરાગી આત્માઓને સ્વયં પ્રતિ રાગ-પરિણામ હોતા નથી કિન્તુ સ્વયંની સાચી ઓળખ અને શ્રદ્ધાન હોવાથી તે શુદ્ધ આત્માને ધ્યાવે છે. પર્યાયમાં થતાં પરિણામમાત્રને જાણે છે. પર્યાયમાં થતાં ભાવોના પોતે કર્તા બનતા નથી કેમકે તેમની દષ્ટિ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર હોય છે, તેથી તેમનું જ્ઞાન સમ્ય થાય છે. આ સંખ્ય જ્ઞાનમાં કર્તાબુદ્ધિનો દોષ રહેતો નથી. કોંબુદ્ધિ-કર્તાભાવ છૂટી ગયા. પછી કર્તાપણાનો વ્યવહાર રહે છે. જ્યાં સુધી કોંબુદ્ધિ રહે ત્યાં સુધી વીતરાગભાવ થાય નહિ. રાગી જનો પાસે તો રાગ છે. રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ એમ તેઓને એકત્વ બુદ્ધિ છે. કર્તા બુદ્ધિ છૂટી જતાં વીતરાગભાવ પ્રગટ થાય છે, તો તેના ઉપર કર્તાનો ઉપચાર આવ્યો અને રાગનો જ્ઞાતા તેવી બુદ્ધિ છૂટી ગઈ, તો વીતરાગભાવનો જ્ઞાતા તેવો વ્યવહાર આવ્યો. અજ્ઞાન ગયા પછી કર્તાનો અને જ્ઞાતાનો બન્નેનો વ્યવહાર આવે છે અને બન્ને વ્યવહારનો-ઉપચારનો નિષેધ કરી અંદરમાં ચાલ્યો જાય છે ત્યારે સાચી શુદ્ધ ઉપયોગરૂપ દશા આવે છે. તેથી જ કડીમાં ઉચ્ચારાયેલ છે કે, “રાગ વિના કેમ દાખવો રે, મુગતિ સુંદરી માગ.” આમ વિરાગી જનોનો સ્વયં પ્રત્યેનો રાગ બહિરંગ રાગયુક્તતાના ભાવોથી રહિત છે, સ્વયંને પામવાના આંતર પ્રયાસ રૂપ પરિણામ છે, જે સમ્ય છે, આદરણીય છે, જે મુગતિ સુંદરીને વરવાને યોગ્ય છે, જે મુક્ત જ્ઞાન, રોય સાપેક્ષ છે. પરંતુ જ્ઞાનનું ખરું કાર્ય-લક્ષણ આનંદ છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1023 છે. ચાર ગતિના પરિભ્રમણથી પર થયાં છે; જે “સું-દરી” માં દરી એટલે ગુફા અને હું એટલે સ્વયં અર્થાત્ સ્વયંમાં લય પામવાપણું છે. જે સ્વયંના આત્મામાં આત્માથી પરોવાયેલા છે અને તેથી “સુંદરી શબ્દના રાગથી ઉપર ઉઠેલા છે, અંતરાત્મભાવ વડે નિજના પરમાત્માને ધ્યાવે છે, જેની તત્ત્વરુચિ સમ્યકત્વયુક્ત છે, તેના દ્વારા નિજસ્વભાવનું ગ્રહણપણું તે જ આત્મજ્ઞાન છે, સમ્યગૂ જ્ઞાન છે, પરિહાર બુદ્ધિથી સઘળા કાર્યોને કરે છે, તેવા આત્માઓને મુક્તિ દૂર નથી. સુદઢ એવી સમ્યકત્વરૂપ પરિણતિથી અને સુદઢ સમ્યગૂ ચારિત્રના પાલનથી નિજ આત્માને ધ્યાવતાં-ધ્યાવતાં, આવા વૈરાગી જનો વીતરાગ રૂપ થતાં પરમપદ જે મોક્ષસ્વરૂપ જ છે તેને વરે છે, તેને ભાવે છે. આમ સ્વયંના પરમશરણીય તત્ત્વમાં ઓગળી જવું-લીન થઈ જવું તે જ “મુગતિ સુંદરી માગ”નો ભાવાર્થ છે જે ઇચ્છા નિરોધ સ્વરૂપ છે. રાગીજનો માટે રાગ તે ઇચ્છા છે-અભીપ્સા છે જ્યારે વિરાગી જનો માટે માંગ જેવી વસ્તુ જ રહેતી નથી, કેવળ ઈચ્છા-નિરોધ જ છે, જે સ્વયંમાં પરિણમી જવા સ્વરૂપ છે,. સ્વયંમાં ઓગળી જવા સ્વરૂપ છે. એ ભાવનું “સ્વ” ના ભાવમાં ભવનરૂપ “સ્વભાવ” પરિણમન છે, જે પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ સ્વ”નું સ્વમય-સમય થવા રૂપ પરિણમન છે. એ બહારથી આવ્યું નથી એટલે પાછું ચાલી જવાનું નથી. એ જે અંદર હતું તે જ ઉગ્યું છે-ખિલ્યું છે-નિખર્યું છે પ્રગટ્યું છે, તેથી તે સદાકાળ રહેવાનું છે. એ બે દ્રવ્યોનું સાંયોગિક મિલન નથી પણ પર્યાય જે આધેય છે, તેનું આધાર એવા પોતાના જ દ્રવ્ય સાથેનું અભેદ મિલન-અભેદ પરિણમન છે. - લગ્નના માંડવેથી પાછા જવામાં આપના જીવનમાં કેવો વિરોધ આવે છે? તે બતાવતાં રાજીમતી કહે છે – દષ્ટિ એ આંતરિક દશા છે. એ ક્રિયા નથી. જ્યારે ત્યાગ એ ક્રિયા છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ 1024 હૃદય નયન નિહાળે જગધણી એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો યે જાણે લોગ, મ. અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ.. મનરા..૧૨ અર્થ: હે નાથ ! આપની એક વાત ગુહ્ય છે-ગુપ્ત છે પરંતુ તે ગુપ્ત હોવાનું ઘટતું નથી કેમકે સઘળા લોકો તે જાણે છે. જેને સઘળા જાણે, તેને ગુપ્ત શી રીતે કહેવાય? કયું ગુપ્ત ઘટતું નથી તે બતાવતાં રાજીમતિ કહે છે કે એક બાજુ આપ બાળ બ્રહ્મચારી ગણાઓ છો અને બીજી બાજુ આપ અનેકાન્તિક અર્થાત્ વ્યભિચાર દોષને ભોગવો છો, તે વાત સઘળા લોકો જાણે છે. ન્યાયની શૈલિમાં પાંચ પ્રકારના હેત્વાભાસ બતાવ્યા છે, તેમાંનો એક હેત્વાભાસ અનેકાન્તિક છે; જેનો બીજો અર્થ વ્યભિચાર થાય છે. ગુહ્ય અને સર્વ જાણે, બ્રહ્મચારી અને વ્યભિચારી, અનેકાન્તિક એવા હેત્વાભાસને ભોગવનારા અને અનેકાન્તવાદના પ્રણેતા એ સર્વમાં પરસ્પર વિરોધ પ્રત્યક્ષપણે જ દેખાય છે. . વિવેચનઃ બારમી ગાથાના અનુસંધાનમાં રાજીમતિના સ્વાંગમાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજનો આંતર સંવાદ શ્રી નેમિપ્રભુ સાથે ચાલી રહ્યો છે. તેઓશ્રી સ્વયંની ખોજ પ્રત્યે અત્યંત ઉત્કટતાને ધારણ કરી રહ્યા છે અને સ્વયંની વેદનાને વ્યક્ત કરતાં પ્રભુ આગળ કહી રહ્યા છે કે તે મારા નાથ ! હે જગ વલ્લભ ! તમે મને આપની આંતર ગુહ્યતાને સમજાવો-વિદિત કરો-પ્રકાશ પાથરો ! એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો યે જાણે લોગ” આમાં ગુહ્યપણું છે અને પાછો સઘળો ય લોગ જાણે છે તો પછી ગુહ્યપણું, ગુપ્તતા ક્યાં રહી ? જો લોકને સઘળું વિદિત છે તો પછી ગુપ્તતાગુહ્યતાને અવકાશ જ રહેતો નથી. તો પછી આવો વિરોધાભાસ કેમ ? શરીર” એ “હું' છું.” એ વિધાનમાં પર્યાયનો દ્રવ્યમાં ઉપયાર છે.' આ મારું શરીર છે.” એ વિઘાનમાં દ્રવ્યનો પર્યાયમાં ઉપયાર છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1025 તેને આપ જણાવો કેમકે ગુપ્તતા-ગોપનીયતા-અતિશય ગુહ્ય-ગોપનત્વ તો કોઈને ન કહેવા જેવું હોય, કોઇ દેખી ન શકે તેવું હોય તો તે ગુહ્ય શબ્દની મર્યાદામાં કહેવાય. જ્યારે અહિંયા તો સઘળો લોક જાણી રહ્યો છે, તો પછી ગુહ્ય ક્યાં રહ્યું ? આવો વિરોધ કેમ ? પ્રશ્ન-પરત્વેના ઉત્તરમાં દિવ્યધ્વનિ ઘોષિત થતાં રાજીમતિના સ્વાંગમાં રહેલ શ્રીમદ્ આનંદઘનજીનો આત્મા કહી રહ્યો હતો કે ગુહ્ય શબ્દના શ્લેષમાં જ અર્થ છુપાયેલો છે. ‘ગુહ્ય’ શબ્દમાં જે ‘ગ’કાર છે તે વર્ણમાળાના વ્યંજનનો ત્રીજો વર્ણાક્ષર છે. તે પૂર્વેના બે વ્યંજનો ‘ક’ અને ‘ખ’ છે તેમાં ‘ક’કાર તે બ્રહ્મા અર્થાત્ સર્જનના અર્થમાં છે જ્યારે ‘ખ’કાર એટલે આકાશ વ્યાપકતાના અર્થમાં છે અને ‘ગ' કાર તે અંધકાર. તેમાં વળી હ્રસ્વ ‘ઉ’ જોડાતાં ગાઢ અંધકારમયતા અર્થમાં છે જે મિથ્યાત્વાદિ જાણવા. ગુહ્ય શબ્દમાં ‘હ્ય’ તેને છૂટો પાડતાં ‘હ’કાર અને ‘ય’કાર નીકળે છે. ‘હુ’ કાર એ પ્રાણ તત્ત્વ છે જે ચૈતન્યપ્રાણ જાણવો અને ‘ય’ કાર તે વાયુ તત્ત્વ જાણવું અર્થાત્ સ્વયંમાં થતું પરિણમન જાણવું. આમ આખા ‘ગુહ્ય’ શબ્દનું સંયોજન-સરવાળે એમ સમજાવે છે કે ચૈતન્યમય પ્રાણ તત્ત્વનું સ્વયંમાં થતું પરિણમન કદાપિ ગાઢ અંધકારમયતામાં લાદતું નથી. મિથ્યાત્વાદિ પરિણામો તેને આવરી શકતા નથી; તેથી તે તત્ત્વને ગુહ્ય કહો, અનેકાંતિક કહો કે બ્રહ્મચારી કહો તે, સર્વ એકાર્થ વાચી છે. સર્વમાંથી એક જ ગુહ્ય અર્થ પ્રગટિત થાય છે. તેથી હે પ્રભો ! આપ પણ ગુહ્યાતિગુહ્ય છો ! કદાપિ આવરાયેલા નથી. હે નિજ પરમાત્મા ! તમે તો આત્મસ્વરૂપી છો, પૂર્ણતાના આનંદમાં રમનારા છો તેથી સ્વરૂપથી આપ ગુહ્ય છો, બ્રહ્મભાવથી આપ ગુહ્ય છો, સંસારી ભાવનો આપનામાં અભાવ છે તેથી પણ આપ ગુહ્ય છો, કર્મબંધના જે પરિણામ ન જૂએ-જે મૂળને ન જૂએ તે અજ્ઞાની છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ 1026 હૃદય નયન નિહાળે જગધણી મૂળ કારણોથી આપ પરાક્રમુખ છો તેથી ગુહ્ય છો, વૃક્ષના મૂળમાં બીજનું રુપાંતર જેમ ગુહ્ય છે તેમ આપ સર્વ કાર્ય કરવામાં પણ ગુહ્ય છો !!! તલમાં તેલ, ફુલમાં સુગંધ, અરણી કાષ્ટમાં જેમ અગ્નિ ગુહ્ય છે તેમ આપ સ્વરૂપથી ગુહ્ય છો, બંધ-મોક્ષના પરિણામથી પણ આપ ગુહ્ય છો, કર્તાકર્મ પરિણામથી પણ આપ ગુહ્ય છો, કાર્ય-કારણના ભેદથી પણ આપ ગુહ્ય છો, જ્ઞાન-દર્શનની વિશુદ્ધિથી પણ આપ ગુહ્ય છો, સ્વરૂપાચરણ ચારિત્રથી આપ ગુહ્ય છો, આપનામાં રહેલી અનંતાનંત શક્તિઓના ગોપનીયત્વથી આપ ગુહ્ય છો, અનંત-વીર્યશક્તિના સ્ફુરણથી આપ ગુહ્ય છો, આપ ઈન્દ્રિયાતીત છો, અંતઃકરણ અને તેના વિકારોથી આપ મુક્ત છો. દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ જે શરીરસ્થ છે તેનાથી આપ પર છો, તે બધાના કારણે આપ ગુહ્ય છો, વસ્તુ સ્વરૂપને પૂર્ણ રીતે જાણનાર છો તેથી આપ ગુહ્ય છો, ગતિ-આગતિના રૂંધનથી આપ પર છો તેથી આપ ગુહ્ય છો, નામકર્મની પ્રકૃતિઓથી આપ પર છો તેથી આપ ગુહ્ય છો, જીવાદિ નવ તત્ત્વો તેમજ ષદ્રવ્યના પૂર્ણ જ્ઞાતા છો, ચેતન-અચેતન સ્વરૂપના જાણનારા છો તેથી આપ ગુહ્ય છો !!! આપ સ્વરૂપમાં રમમાણ છો, નિશ્ચય-વ્યવહારના ભેદાભેદ જ્ઞાનથી યુક્ત હોવા છતાં તેનાથી અતીત છો માટે આપ ગુહ્ય છો ! આપ સ્વપર પ્રકાશક છો, આપનું સ્વરૂપ સામાન્ય-જીવો જાણી શકતા નથી માટે આપ ગુહ્ય છો, વ્યક્તાવ્યક્ત સ્વરૂપથી પરા મુખ છો તેથી આપ ગુહ્ય છો ! ગુપ્તતા આપનો સ્વભાવ છે તેથી આપ અતિશય ગુહ્ય છો. આ પ્રમાણે શ્રીમદ્ આનંદઘનજી મહારાજા રાજીમતિના સ્વાંગમાં પોતાની આંતરવેદનાને ઠાલવતાં ‘ગુહ્ય’ શબ્દની ગાંભીર્યતાને જણાવી રહ્યા છે કે “એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો યે જાણે લોગ'... આત્મામાંથી અજ્ઞાન જાય તો શાસ્ત્રજ્ઞાન પામ્યું પ્રમાણ લેખાય. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1027 આના દ્વારા તેઓશ્રી એક જ વાત કરી રહ્યા છે કે હે મારા નાથ! આપની આ સઘળી ગુહ્યતાથી સઘળો ય લોક પરાક઼મુખ હોવાથી આપ એમની નાતના નથી કારણકે ગુહ્યતા એ બાહ્ય ચીજ નથી, તે તો અંતરંગ પરિણમન સાથે સંબંધ ધરાવે છે; જ્યારે સઘળો ય લોક બાહ્ય ભાવમાંપર-સમયમાં/પર-તત્ત્વમાં રાચી રહેલો છે, ગાઢ અંધકારમય એવા મિથ્યાત્વના પરિણામમાં ઝીલી રહ્યો છે. કર્મબંધના મૂળ કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, યોગમાં ડૂબી રહેલો છે. સઘળો ય લોક સ્વ ઓળખના અભાવવાળો છે, કર્તાભાવમાં રાચનારો છે, કાર્ય-કારણભાવને નહિ જાણનારો, તત્ત્વરુચિ વિનાનો, જડ-ચેતનના સ્વતંત્ર પરિણામને નહિ ઓળખનારો છે. તેથી જ આપનામાં રહેલી ગુહ્યતમ સ્થિતિ તે તેમનામાં ન ઘટતી હોવાથી સઘળો ય લોક ‘ગુહ્ય’ શબ્દની જમાતનો નથી અને તેથી જ અનાદિ-અનંત કાળથી પોતાની સમજણ બુદ્ધિથી-વિપરીત માન્યતાના ઘેરાવાથી ચોર્યાશી લાખ જીવાયોનિમાંહી નિરંતર ચારગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે અને તેમાં જ રાચ્યા માચ્યા રહે છે. આ ‘ગુહ્ય’ શબ્દના મર્મથી અજ્ઞાત હોવાના કારણે જ તેમનો સંસાર અખંડ રહ્યો છે અને અવિરત રહ્યો છે. માત્ર પર્યાય-દષ્ટિમાં રાચતો અને સંસારી પર્યાયના લાભમાં પોતાના લાભને માનતો આ સઘળો ય લોક એમ જાણી રહ્યો છે અને એમ માની રહ્યો છે કે અમારી આ કરણી-ભરણી એ સમગ્ર લોકને પ્યારી છે; તેથી તે સાપેક્ષ છે અને તેથી નિરપેક્ષ એવું ‘ગુહ્ય’ અમને માન્ય નથી, સ્વીકાર્ય નથી. અમે તો અમારી માનેલી સાપેક્ષતામાં રમનારા છીએ, નિરપેક્ષ એવી ગુહ્યતા સાથે અમારે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી. આ રીતે પ્રભુને વારંવાર ઉપાલંભ-ઠપકો આપવા દ્વારા રાજીમતિ સંસારી જીવનું વેદન અને લાગણી એ કાળ છે. સંસારી જીવની ક્રમિક અવસ્થા એ કાળ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ 1028 , હૃદય નયન નિહાળે જગધણી કહી રહી હતી કે જે ગુહ્ય અમારા લોકમાં ઘટતું નથી તેથી આપ અનેકાંતમાં રમો છો એ જ તમારી ગુહ્યતા છે. તમે કદાપિ અમારી નાતના થનારા નથી. તમે અમારા જેવા કોઈપણ લક્ષણો ધરાવતાં નથી, તેથી તમે ન્યાત બહારના કહેવાઓ છો ! તમારા માનેલ ગુહ્યતા, અનેકાંતતા, બ્રહ્મચારીપણું, વગેરે અમારી ન્યાતની માન્યતામાં “રોગ' સમાન ગણત્રીમાં લીધેલ છે, અમે આવા રોગને સંઘરતા નથી. જો તમને અમારી જેમ માનસ-પરિવર્તનમાં માનનારા ન હોય તો તમારે અને અમારે શું સંબંધ . છે ? તમારી સાથે સંબંધ રાખવા વડે કરીને શું ? માટે હે નાથ ! આપ જે “અનેકાંતિક ભોગવો છો તે તો માત્ર “બ્રહ્મચારી ગત રોગ જ સમજવો. તેથી જો આપણો સંબંધ જાળવવો. હોય તો આ ગુહ્યત્વાદિને વિસારો, બાજુએ મૂકો અને સંસારને માણો, પુનરાગમન કરો, હજુ પણ સમય છે. ગુહ્યતાને ભોગવવાનો તમારો સમય હજુ પાક્યો નથી માટે આપ વિચારો ! આ રીતે રાજીમતિના સ્વાંગમાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજા નેમિનાથ પ્રભુને પ્રાર્થી રહ્યા છે કે હું મારા નાથ ! આપ તો અનેકાંતિકને ભોગવી રહ્યા છો કે જે જગતમાં બ્રહ્મચારી ગત રોગ ગણાય છે. તો હવે આપ આપના આ અનેકાંતિકપણાને પૂર્ણપણે વિદિત કરો, જેથી જન માનસમાં પથરાયેલું અજ્ઞાન દૂર થાય, લોકમાં પ્રકાશ પથરાય ! પ્રભુ જાણે કે આ પ્રશ્ન પરત્વેના પ્રત્યુત્તરમાં પ્રકાશ પાથરી રહ્યા હોય તેમ ઉદ્ઘોષિત થતો દિવ્યપ્રકાશ રાજીમતિના સ્વાંગમાં રહેલ શ્રીમદ્ આનંદઘનજીના માનસપટપર પથરાઈ રહ્યો. શાસ્ત્રકાર ભગવંતોએ આ અનેકાન્ત વગેરે શબ્દ પર સારો એવો સાઘન બહારનું હોય ! પરંતુ સાઘના તો અંદરની હોય ! સાધના બહારની ન હોય ! Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1029 પ્રકાશ પાથરેલ છે. અનેકાન્ત એટલે અનેક અંત અર્થાત્ અનેક ધર્મો જેમાં હોય તે અનેકાન્ત. તેનાથી વિરુદ્ધ શબ્દ તે એકાંત છે. અનેક ધર્મોને બતાવનારો અનેકાન્ત, પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારો છે. અસ્તિ-નાસ્તિ, સત્-અસત્, નિત્ય-અનિત્ય, એક–અનેક, ઇત્યાદિ પરસ્પર વિરુદ્ધ જણાતાં ધર્મોને એક જ વસ્તુમાં અપેક્ષા ભેદે રાખનાર તે અનેકાન્ત છે. આત્મા સદા સ્વ-રૂપે છે અને પર-રુપે નથી એવી જે નિર્મળઢષ્ટિ તે જ સાચી અનેકાન્તદષ્ટિ છે. અનેકાન્તના બે ભેદ છે સમ્યગ્ અને મિથ્યા. તેમ એકાન્ત પણ સમ્યગ્ અને મિથ્યા બે ભેદે છે. છે. તેમ તે સમ્યગ્ અનેકાન્ત તે પ્રમાણ અને મિથ્યા અનેકાન્ત તે પ્રમાણાભાસ સમ્યગ્ એકાન્ત તે નય અને મિથ્યા એકાન્ત તે નયાભાસ છે. આત્મા પોતાપણે છે અને પરપણે નથી એમ જાણવું અને માનવું સમ્યગ્ અનેકાન્ત છે. જ્યારે આત્મા પોતાપણે પણ છે અને પરપણે . પણ છે તેમ જાણવું અને માનવું તે મિથ્યા અનેકાન્ત છે. આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પર વસ્તુઓનું કાંઇ કરી શકતો નથી, શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ ન થાય, નિશ્ચયના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય. જેમ જેમ વ્યવહાર ઘટતો જાય તેમ તેમ નિશ્ચય પ્રગટતો જાય, વ્યવહાર હોતે છતે ધર્મ થાય પણ વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય, ધર્મ તો ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યરૂપ નિશ્ચયના આશ્રયે જ થાય આમ જાણવું, માનવું અને સ્વીકારવું તે સમ્યગ્ અનેકાન્ત છે. તેનાથી વિપરીતપણે જાણવું અને માનવું તે મિથ્યા અનેકાન્ત છે. આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે. શુદ્ધભાવથી પણ ધર્મ થાય અને શુભભાવથી પણ ધર્મ થાય. નિશ્ચયના આશ્રયે પણ ધર્મ થાય અને દોષોને-વિકારોને કાઢી નાંખતા બાકી રહે છે તે આત્માનું સ્વરૂપ છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ 1030 , હૃદય નયન નિહાળે જગધણી 1030 4 વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય એમ જાણવું અને માનવું તે મિથ્યા અનેકાન્ત છે. કોરા વ્યવહારના અવલંબને વ્યવહાર-ધર્મ થાય કે જે પુણ્યબંધદ્વારા સદ્ગતિ આપનાર છે પણ સંવર-નિર્જરારૂપ આત્મધર્મ કે જે મોક્ષમાર્ગ સ્વરૂપ છે, તે ન થાય. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ પણ ન કહેવાય. અનંતીવાર વ્યવહાર કર્યો છતાં નિશ્ચય પ્રગટ્યો નથી એ હકીકત છે. નિશ્ચયના લક્ષે જ નિશ્ચયધર્મ પ્રગટે અને વ્યવહારના લક્ષે વ્યવહાર ધર્મ જ પ્રગટે. એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીએ, એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે, એમ માનવું અથવા તો સમ્ય અનેકાન્તથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વસ્તુ-સ્વરૂપની કલ્પના કરી તેમાં તેનો આરોપ કરવો અને તે રૂપે તે વસ્તુને પ્રરૂપવી તે મિથ્યા અનેકાંત છે. સમ્યજ્ઞાન તે ધર્મ છે તેમ જાણવું અને માનવું તે સમ્યગૂ એકાંત છે કારણકે તેમ કહેવામાં ગર્ભિતપણે સમ્યજ્ઞાન પૂર્વક વૈરાગ્ય હોય છે એમ આવી જાય છે. તેમ ત્યાગ એ જ ધર્મ છે એમ કહેવું અને માનવું તે મિથ્યા એકાંત છે કારણકે ત્યાગ સાથે સમ્યજ્ઞાન નિયમો હોય એવું નથી. અભવ્યને ત્યાગ હોય છે પણ સમ્યજ્ઞાન નથી હોતું જ્યારે ચતુર્થ ગુણસ્થાનકે સમ્યગુજ્ઞાનીને અનંતાનુબંધી કષાયના ક્ષર્યોપશમેજન્ય વૈરાગ્ય નિયમા હોય છે. સ્વ-રૂપે હોવાપણું અને પરરૂપે નહિ હોવાપણું એ રૂપે પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એકદેશનો વિષય કરનાર નય તે સમ્ય એકાંત છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો વસ્તુના અનેકાન્ત સ્વરૂપને સમજાવવાવાળી કથન પદ્ધતિને સ્યાદ્વાદ કહે છે. સ્યાદ્ એટલે કથંચિત- કોઈક પ્રકારેકોઈક સમ્ય અપેક્ષાએ અને વાદ એટલે કથન કરવું તે. આમ કોઈ પરાશ્રિત પર્યાય એ વાસ્તવિક પર્યાય નથી. કારણકે તે વિનાશી પર્યાય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1031 સમ્યગ્ અપેક્ષાએ કરાતું કથન એ સ્યાદ્વાદ છે આમ સ્યાદ્વાદ એ અનેકાન્તનો ઘોતક છે, બતાવનાર છે અને અનેકાન્ત એ ઘોત્ય છે, બતાવવા યોગ્ય છે. આમ બંને વચ્ચે ઘોત્ય-દ્યોતક સંબંધ છે. સ્યાત્પદ એ અનેકાન્તવાદમાં રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના ભ્રમને નષ્ટ કરવા માટે રામબાણ મંત્ર સમાન છે. એક જ પદાર્થમાં વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી પરસ્પર બે વિરોધી શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે જેમકે જે સત્ છે તે જ અસત્ છે, જે અસ્તિ છે તે જ નાસ્તિ પણ છે, જે એક છે તે અનેક છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે; આવો વસ્તુ સ્વભાવ જે સમજે તે જ સ્વથી પરનું ભેદજ્ઞાન કરી સ્વસન્મુખ થઈ નિશ્ચિત પણે અંતરંગ સુખનો સાચો ઉપાય કરી શકે. પ્રસ્તુત આ કડી ‘એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો યે જાણે લોગ’’ તેના ઉપર વિચારતાં એ જ વસ્તુ જણાય છે કે ગુહ્ય કે ગુહ્યતમ કોઇ પણ હોય તો તે અનેકાન્ત છે અને તે જ બ્રહ્મચારીપણું છે. વસ્તુસ્વભાવમાં રહેલ અર્થગાંભીર્યથી જોતાં સઘળું એક જ ભાસે છે, એક જ અર્થમાં જણાય છે. ‘ગુહ્ય’ શબ્દને સમીક્ષણના ક્ષેત્રે અવલોકવામાં આવે તો ગુહ્ય શબ્દને અનેકાન્તના વિવિધ અર્થમાં વિભાજીત કરી શકાય. સમ્યગ્ અનેકાન્ત, (પ્રમાણ) મિથ્યા અનેકાન્ત (પ્રમાણાભાસ), સમ્યગ્ એકાંત (નય), મિથ્યા એકાંત (નયાભાસ) વગેરેના અર્થમાં ગુહ્ય શબ્દને મૂલવવામાં આવે તો, જીવાત્માઓની સ્થિતિ, તેમની એકાંત માન્યતા ક્યાંક અટકી ને પડી છે, તેનો બોધ સ્પષ્ટપણે થાય છે. પુરુષ અને પ્રકૃતિના મિશ્રણથી ઊભા થયેલા સંસારમાં પુરુષ એ ચૈતન્ય તત્ત્વ છે. તે લોકથી પર છે અને નયોથી પણ પર છે. નયો લોક વ્યવહારમાં વ્યાપીને રહેલા છે; આત્મામાં નહિ. આત્મા નયાતીત છે. શાસ્ત્ર ભણીને, તેના દ્વારા મળેલાં જ્ઞાનવિકલ્પનો ઉપયોગ કરી, મોહનો નાશ કરવો તે ધર્મ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ હૃદય નયન નિહાળે જગધણી લોક વ્યવહારમાં ભેદાભેદનું જ્ઞાન કરાવવા, પ્રમાણને અનુસરવા નયોની પ્રરુપણા કરવામાં આવી છે, જેથી સર્વનયોથી અને સર્વ પરપદાર્થો અને તેના સઘળા પર્યાયોથી ભિન્ન એવા આત્માનો બોધ સ્પષ્ટ થાય અને તો જ તેવા આત્મતત્ત્વનું શ્રદ્ધાન થઇ શકે અને તો જ તેમાં રમણતા કરી શકાય. બ્રહ્મભાવમાં મહાલવું, સ્વરૂપમાં લયલીન થવું, આત્માના આનંદ સ્વરૂપમાં ચરવું-નિમગ્ન થવું તે જ બ્રહ્મચારીપણું છે અને તેમાં જ આત્માના અનંતગુણોની સ્પર્શનીયતા રૂપ અનેકાન્તિકતા છે. શુદ્ધોપયોગમાં રમણતા રૂપ એકાકારતા છે અને આ જ ગુહ્યતા છે. જગતને માટે અનંતકાળથી આ તત્ત્વ ગુહ્ય રૂપે જ રહેલું છે અને બ્રહ્મમાં ચરવા રૂપ બ્રહ્મચારીપણું અર્થાત્ આત્માના અનંતગુણોમાં રમણતા એ જગતને રોગ તુલ્ય ભારે લાગે છે. આ જ સંદર્ભમાં આત્માને “અલખ-અલક્ષ્ય' કહ્યો છે. 1032 લોક વ્યવહારમાં-સંયમી જીવનમાં સંયમી આત્માઓ માટે બ્રહ્મચર્યની સમાધિના દશ સ્થાનો ભગવાન મહાવીરદેવે ફરમાવેલ છે. સંયમ જીવનની સાર્થકતા માટે બ્રહ્મચર્યની આવશ્યકતા અનિવાર્ય છે. બ્રહ્મમાં ચર્ચા કરવી અર્થાત્ આત્મસ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરવી એ જ ધ્યેય સાધકનું હોવું જોઇએ. તે માટે ભગવંતે ઉપદેશેલ તત્ત્વમાંથી પોતાને જે અતિ ઉપયોગી હોય તેને ધારી રાખવી અને પૂર્ણપણે આચરણમાં મૂકવી જોઇએ કેમકે અબ્રહ્મચર્યનો પરિણામ એ જડ એવા દેહ અને જડ એવા કર્મના સંસર્ગથી જન્મેલો વિકાર છે, જે શરીરસ્થ છે, વેદ મોહનીય કર્મના ઉદયથી છે, જે માત્ર સંસારને વધારનારો છે, અનેક પ્રકારની આપત્તિઓને લાવનારો છે માટે જ અબ્રહ્મના ત્યાગ દ્વારા અને બ્રહ્મમાં ચરવા દ્વારા સ્વરૂપ-સ્થિરતા કેળવવાની છે. જગત જે યાલી રહ્યું છે તે પર્યાયથી યાલી રહ્યું છે. દ્રવ્ય તો માત્ર આધારરૂપ છે. પર્યાય છે ત્યાં દ્રવ્ય છે અને દ્રવ્ય છે તો તેનો પર્યાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી શ્રી તીર્થકર ભગવંતોએ સ્વયંના અનુભવના નિચોડરૂપે બ્રહ્મચર્ય અને સમાધિના દશ સ્થાનોને હૃદયમાં અવધારીને સંયમ પુષ્ટ, સંવર પુષ્ટ, સમાધિ-પુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત-બ્રહ્મચારી બની અપ્રમત્તપણે વિચરવાનું કહેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રના નિચોડ રૂપે આ જ વસ્તુને પ્રભુએ ફરમાવી છે. આદર્શ વ્યવહાર, શુદ્ધ લક્ષણોપેત બ્રહ્મચર્ય-પાલનની વાત સૌ કોઈ આત્મા માટે સુલભ નથી, તેમ અશક્ય પણ નથી. જીવનનું આ મહામુલું અમુલ્ય ધન છે. યોગોના શક્ય એટલા રૂંધન દ્વારા બ્રહ્મચર્યનું આરાધન એ આત્મવિકાસના પગથિયારૂપે છે. નિશ્ચયથી બ્રહ્મચારીપણું એ સ્વયંથી સ્વયંમાં વિલસવા રૂપ છે, આત્મામાં મહાલવા રૂપ છે. સ્વસમય, સ્વતત્ત્વમાં રમણતા રૂપ છે સ્વરૂપાચરણ ચારિત્ર રૂપ છે. અબ્રહ્મભાવમાં રમણતા તે પરસમય, પર-તત્ત્વ, અજ્ઞાનના વિલાસરૂપ છે, મોહમાયાના આંચળારૂપ છે, જે અજ્ઞાની, મિથ્યાદૃષ્ટિ જીવોને સુલભ છે * અને તે લોકપ્રવાહથી અનાદિ-અનંતકાળરૂપ છે જે જ્ઞાનીઓની પરિભાષામાં રોગ સમાન જાણેલ છે. આવા રોગીઓથી આખો લોક ઠસોઠસ ભરેલો છે. “બ્રહ્મચારી ગત રોગમાં ‘ગત' શબ્દથી વર્તમાન, ભૂત અને • ભવિષ્યકાળ સંકળાયેલો છે. જિણ જોણે તમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ, મ. એકવાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ. મનરા...૧૩ અર્થ રાજીમતિનો ઉત્કટ પ્રેમ નેમિનાથ પ્રભુ પ્રત્યે બળવત્તરતાને પામી રહ્યો છે, આંતર સંવાદ દ્વારા વારંવાર પૃચ્છાને પામી રહ્યો છે અને તેના દ્વારા આંતર-વેદનાને પ્રગતિ કરી રહ્યો છે. રાજીમતિની આંતર આત્માનો પોતાનો અર્થાત્ સ્વયંનો અધ્યાય એટલે સ્વાધ્યાય ! એટલે કે આત્માનો જ અધ્યાય! આત્મા સિવાય પર નો અધ્યાય નહિ. Page #206 -------------------------------------------------------------------------- ________________ 1034 , હૃદય નયન નિહાળે જગધણી ચેતના વારંવાર નેમિ પ્રભુને પ્રાર્થી રહી છે કે હે નાથ ! હે મારા અંતરના ઘનશ્યામ ! મારી સરાગી-દૃષ્ટિથી જેમ હું તમને જોઉ ! તેવી રીતે આપ પણ એકવાર મારા પ્રતિ એ જ દૃષ્ટિથી નિહાળો, અનુગ્રહથી જુઓ! આપની સાથેનો હસ્તમેળાપ તો દૂર રહ્યો પરંતુ આપે તારામૈત્રક પણ રચ્યું નથી, આંખથી આંખ પણ મિલાવી નથી તો હવે હે નાથ ! એકવાર પ્રેમભરી દૃષ્ટિથી મુજને નિહાળો તો મારા મનના મનોરથ પૂર્ણ થયાનો અહેસાસ રહેશે, મારું કાર્ય સીઝશે, મુજ કાર્ય પૂર્ણ થયું એમ હું માનીશ! વિવેચન : પર્યાયદૃષ્ટિથી વિચારતાં કડીનો સામાન્ય અર્થ ઉપર પ્રમાણે જણાઈ રહ્યો છે પરંતુ ઊંડાણથી અવલોકતાં સ્તવનની આ તેરમી કડી આધ્યાત્મિક-દૃષ્ટિએ કોઈ જુદો જ ચીલો ચાતરી રહી છે. સ્કૂલદૃષ્ટિથી “રાજીમતિ’ શબ્દને નિહાળીએ તો તે પ્રકૃતિગત ચેષ્ટાથી યુક્ત સામાન્ય નારી-પ્રકૃતિ જણાય, પરંતુ એ જ શબ્દને તત્ત્વદૃષ્ટિથી જોઈએ તો પહેલી કડીમાં જણાવ્યું છે તેમ “રાજી' એટલે આનંદઘન અને મતિ' એટલે ચેતના. અર્થાત્ આનંદઘન ચેતનામાં લહેરાઈ રહેલું પુરુષ ચૈતન્ય તે રાજીમતિ છે. આમ શ્રીમદ્ આનંદઘનજી મહારાજા પોતે જ રાજીમતિરૂપ પ્રકૃતિગત ચેષ્ટાથી પોતાની જ આંતર-વેદનાને ઠાલવી રહ્યા છે. વ્યવહાર-નયે શ્રીનેમિપ્રભુ કે જે નિશ્ચય-નયે નિજ-પરમાત્મા જ છે તેને આવી રહ્યા છે, પ્રાર્થી રહ્યા છે; તેનું પ્રતિબિંબ આ કડીમાં સ્વચ્છ રીતે આલેખાઈ રહ્યું છે. એક જ કડીમાં દ્વિ-અર્થ કરવા દ્વારા તેમની અપૂર્વ લાક્ષણિકતા જણાઈ આવે છે. પર્યાયદષ્ટિ યુક્ત સમાન્ય અર્થ જેમ જુદો તરી આવે છે તેમ તે જ કડીનો આધ્યાત્મિક અર્થ-દ્રવ્યદૃષ્ટિ યુક્ત અર્થ પણ કોઈ અપૂર્વ સંવેદનાને જગાડે છે. દરેક વસ્તુના લાક્ષણિક અર્થ કરવાની આ જ તેમની પર”ને સ્વરૂપ બુદ્ધિએ જાણવું તે અધ્યાસરૂપ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી વિશિષ્ટતા સ્વયંને પામવાની ઉત્કટતાને આગળ ધરી દે છે. કડીનો પ્રત્યેક શબ્દ અર્થ ગાંભીર્યથી સંયોજાયેલ છે. માઁ સરસ્વતીની કૃપાએ શબ્દો સ્વયં હૃદયગુહામાંથી આવી એમની જીહ્વાગ્રેથી સરી પડ્યા છે. 1035 ‘‘જિણ’’ શબ્દનો અર્થ ‘જિનેશ્વર પરમાત્મા’ થાય તેમ તેનો બીજો અર્થ ‘જેમ’ પણ થાય. ‘જાણે’ શબ્દનો અર્થ જોવું-શ્રદ્ધા અર્થમાં છે. તેથી જ – " “જિણ જોણે તુમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ, એકવાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ.’’ એટલે કે જિનેશ્વર પરમાત્મા જેમ સ્વયંના સ્વરૂપને અકંપદશામાં વેદી રહ્યા છે, જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે તેમ હે નિજ-પરમાત્મા! આપ પણ નિજ જ્યોતિસ્વરૂપ-ચૈતન્ય આનંદઘનસ્વરૂપને પ્રતીતિમાં લાવો, અનુભવના ઉઘાડમાં લાવો ! હે રાજ ! જો સ્વરૂપવેદનમાં માત્ર એકવાર મુજ પ્રતિ દ્રષ્ટિપાત થશે તો આપની અનંત-શક્તિ દ્વારા કરાયેલ શક્તિપાત મારા અંતરના દરવાજા ઉઘાડી નાંખશે, મારી ભવોભવની અભિલાષા પૂર્ણ થશે, હું પારગામી બનીશ, આપનો મારા ઉપર અનુગ્રહ થયો એમ ‘ કહેવાશે ! આમ ‘જિણ' શબ્દથી દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયષ્ટિથી વિચારતા દ્વિ-અર્થની સંકલના જણાય છે. મન એટલે ઇચ્છા-વિયાર-રાગ-દ્વેષનું બંડલ ! પ્રસ્તુત તેરમી કડીને પર્યાયષ્ટિથી વિચારતાં સામાન્ય અર્થ જણાય છે, જેમાં રાજીમતિનો નેમિપ્રભુ પ્રત્યેનો રાગભાવ ઉછળતો દેખાય છે, જે પરસમય-પરતત્ત્વ-પરદ્રવ્ય અને પરભાવમાં રમણતા રૂપ છે, જે બહિરાત્મપણું છે, પ્રકૃતિગત ચાંચલ્યતા છે, રાગીધરોનો રાગભાવ છે-વિકારભાવ છે, જે અજ્ઞાન અને મિથ્યાત્વભાવને પ્રસ્તુત કરે છે, કર્તાપણાના અહંકારને Page #208 -------------------------------------------------------------------------- ________________ 1036 , હૃદય નયન નિહાળે જગધણી - સૂચવે છે. પર-સમયમાં રમણતા છે, તેથી જ કર્તાપણું છૂટતું નથી કેમકે નિજ-પરમાત્મતત્ત્વ તો સકલ નિરાવરણ, ત્રિકાલ અકર્તા છે. સમસ્ત જીવરાશિઓનો આત્મા સ્વભાવથી ત્રણે ય કાળ અકર્તા છે, અનાદિઅનંત કાળથી અકર્તા છે. આ અકર્તાપણું એનો મૂળ સ્વભાવ છે. જો જીવાત્મા તેને દૃષ્ટિમાં નહિ લે અને પરદ્રવ્યનો હું કર્તા છું. એમ માનશે તો પણ તે તત્ત્વથી પરદ્રવ્ય કે પરભાવનો કર્તા બની શકવાનો નથી કારણકે “વત્યુ સહાવો ઘમ્મો' કહ્યો છે. દરેક દ્રવ્યનો સ્વભાવ ત્રણે ય . કાળ એક સરખો જ હોય છે, તે ક્યારે ય પણ બદલાતો નથી, તેમ ક્યારેય પણ બગડતો નથી. ટૂંકમાં આત્મા ક્યારે ય પણ પોતાની શુદ્ધતાને છોડતો નથી. તત્ત્વદૃષ્ટિથી-અધ્યાત્મશલિથી જોતાં પરિણામ, પરિણામમાં થાય છે, પર્યાય-પર્યાયમાં થાય છે, જે સત્તાથી-ત્રિકાલસત્તાથી ભિન્ન છે. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમનમાં હસ્તક્ષેપ કરતું નથી. આમ તેરમી કડી પર્યાયદષ્ટિથી આલેખાયેલ છે પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોતાં તેમાં દ્વિ-અર્થી સંકલના જણાય છે અને તેનો આધ્યાત્મિક અર્થ દ્રવ્યદૃષ્ટિમાં જ વિરામ પામે છે. આ વસ્તુસ્થિતિને શ્રીમદ્ આનંદઘનજી મહારાજે પોતાની આર્તનાના માધ્યમે સ્વ-પર બોધાર્થે રજુ કરેલ છે; એ જ એમની વિશિષ્ટકોટિની લાક્ષણિકતાને બતાવે છે. નેમ-રાજુલનો આ તેર ગાથાનો સંવાદ સામાન્ય અર્થથી જોવામાં આવે તો તેનો વ્યાપ જુદો જ જણાશે. જે વ્યવહાર લક્ષી છે, ત્યાં માત્ર સંસાર જ રહેશે. માત્ર દષ્ટિને બદલવાની જરૂર છે. તે બદલાતાં અર્થઘટન બદલાઈ જશે. પછી એ સંવાદ નેમ-રાજુલનો ન રહેતાં સર્વ મુમુક્ષુ આત્માઓનો બનીને રહેશે. આત્માને જે દુખરૂપ કોઈ હોય તો તે દેહ સ્વયં જ છે અને અત્યંતરતાએ અજ્ઞાન અને મોહ એ દુઃખરૂપ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1037 આખરે તો પર્યાયષ્ટિ ટાળવાની છે અને દ્રવ્યદૃષ્ટિમય જ થવાનું છે, જે સ્વભાવગત છે. આ જ સ્તવનની ૧૧મી કડી ‘રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ’’માં રાગીની સરાગી-અવસ્થા તથા વીતરાગતા ઉપર વિશેષ દૃષ્ટિકોણથી આલેખન થઇ ચૂક્યું છે, તે જ વસ્તુ વિશેષને ૧૩મી કડી “જિણ જોણે તુમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ'' થી પર્યાયઢષ્ટિકોણથી આલેખવામાં આવેલ છે. ‘તિણ જોણી જુઓ રાજ' દ્વારા વીતરાગી-અવસ્થામાં સ્થિર થયેલા નેમિનાથ પ્રભુને રાજીમતિજી ‘રાજ' શબ્દ દ્વારા સંબોધિત કરી રહેલ છે અને તે સંબોધન વીતરાગ પ્રતિનું છે, એવો અંગુલિનિર્દેશ કરે છે. શ્રીનેમિ પ્રભુ વીતરાગ ભાવમાં ઝૂલનારા છે. તેમનામાં રાગ સંભવતો જ નથી. “જિણ જોણે તુમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ” આ કડીને પર્યાયષ્ટિથી જોતાં રાજીમતિના સરાગીપણાને જ વિશેષ રીતે જણાવે છે: રાગ અને વીતરાગતા સાથે રહી શકે નહિં. વીતરાગને રાગભાવની ધૂલી કોઈ કાળે સ્પર્શી શકતી નથી. બંનેનો વસ્તુ સ્વભાવ જ જુદો છે. વિશેષ દૃષ્ટિકોણથી જોતાં કવિવર્ય આનંદઘનજી મહારાજા પોતાના પ્રકૃતિરૂપ ખોળિયામાં રહીને પોતાના નિજપરમાત્માને પોતાની પર્યાયમાં પ્રગટ થવા, પ્રતીતિમાં આવવા, અનુભવમાં આવવા વારંવાર પ્રાર્થી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે પ્રભો ! આપ તો અનાદિથી શુદ્ધ જ છો, વર્તમાનમાં પણ આપ શુદ્ધ જ છો, ભૂતકાળની પ્રત્યેક પર્યાયોમાં ‘પર'માં સુધારો સંભવે અગર ન પણ સંભવે. પરંતુ આપણે નિર્ણય કરીએ, તો આપણા ‘સ્વ’ને નિશ્ચિત રીતે સુધારી શકીએ. સ્વમાં સ્વાધીન છીએ જ્યારે પરમાં પરાધીન છીએ. Page #210 -------------------------------------------------------------------------- ________________ 1038 હૃદય નયન નિહાળે જગધણી પણ આપ તો શુદ્ધ જ હતા અને ભવિષ્યકાળમાં પણ શુદ્ધ જ રહેવાના છો કારણકે આપનો સ્વભાવ જ પ્રત્યક્ષ પ્રતિભાસમય, સકળ નિરાવરણ સ્વરૂપ છે. આપ પરમ-પારિણામિક ભાવ સ્વરૂપમાં નિમગ્ન છો, અમૂર્ત છો, અખંડ છો ! મારી પર્યાયમાં આપ દ્રવ્યદૃષ્ટિમયતાની એક ઝલક કરી ઝળકો- અભેદરૂપે પરિણમો તો હું માનીશ કે આપનો મારા ઉપર અનુગ્રહ થયો છે. આપે મારી સાથે પાણિગ્રહણ કર્યું છે ! ' પાણિગ્રહણ તે હસ્તગ્રહણ છે. લોકવ્યવહારમાં તે કર્યા પછી પ્રાણાતે પણ છોડી ન શકાય એવો તેમાં એકરાર હોય છે. તેને પ્રાણના અંત સુધી નિભાવવામાં આવે છે. તેનું આધ્યાત્મિક અર્થઘટન કરતાં દ્રવ્યદૃષ્ટિના આયનામાં એ જણાય છે કે પાણિગ્રહણ કરવું. એટલે પારગામી થવું. સંસારનો અંત કરવો. સ્વરૂપમાં ડૂબી જઈ તેમાં લયતા પામવી. તેથી હે નાથ ! આવા પાણિગ્રહણને હું ઈચ્છી રહી છું અર્થાતુ આપના સંબંધે સંસારનો અંત કરી પારગામી બનવા સિવાય મારી કોઈ બીજી ઈચ્છા નથી. આપ જો મારી આ ભાવનાને પૂર્ણ કરશો તો શુદ્ધોપયોગમાં રમણતા કરવા દ્વારા મારા કાર્ય સીઝયા ગણાશે. - પાણિગ્રહણ એટલે ઉપયોગરૂપી જ્ઞાનપર્યાયનું અભેદમાં સમાઈ જવું, સાદિ-અનંત કાળ સુધી પરમ-પારિણામિક ભાવમાં સ્થિર થઈ જવું, વિકારી ભાવોનું પર્યાયમાં પ્રગટ થવું અને અજ્ઞાન ના કારણે તેમાં મમત્વ કરી રાગપાશે બંધાવું તે તો જન્મ-મરણનાં ચક્રમાં પડવા જેવું છે. જે દૃષ્ટિથી હું આપને જોઈ રહી છું તે દૃષ્ટિથી આપ મને જોતા નથી તો હવે શું ? તેને જણાવતી આ કડીમાં યોગીરાજ રાજીમતિના આંતર મનોમંથનને વાચા આપી રહ્યા છે – હૃદયમાં રાખવું એનું નામ રૂયિ! Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1039 - “મોહ દશા ઘરી ભાવના”રે, ચિત્ત લઈ તત્ત્વ વિચાર, મ. વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર.. મનરા..૧૪ અર્થ : અત્યાર સુધી તો મોહદશા ધારણ કરીને હું વિચારણા કરતી હતી ત્યારે મને સર્વ વિપરીત લાગતું હતું પણ તત્ત્વદષ્ટિથી ચિત્તમાં વિચારણા કરતા હવે બધું યે બરાબર લાગે છે અને તે પ્રાણનાથ ! મને નિરધાર એટલે ખાત્રી થઈ છે કે આપે વીતરાગતા ધારણ કરી લીધી છે. તત્ત્વદૃષ્ટિના આયનામાં જોતાં હવે સમજાય છે કે આપે જે કાંઈ કર્યું છે, તે બધું આપની વીતરાગતા સાથે બરાબર બંધબેસતું છે. - વિવેચનઃ રાજીમતિના સ્વાંગમાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજનો નિજપરમાત્મા પ્રતિનો ઉત્કટ પ્રેમ, આધ્યાત્મિક રુચિ, જ્ઞાનનું વેદન, સ્વયંની ખોજ પ્રત્યેનો તલવલાટ વિશેષ-વિશેષ સ્વરૂપને પામવા વલવલી (તરફડી) રહ્યો છે અને તે વલવલાટ રાજીમતિરૂપ પ્રાકૃતિક ચેષ્ટા દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. અને તે “મોહદશા ધરી ભાવના રે, જીવ લહે તત્ત્વ વિચાર”એ પંક્તિમાં સ્વ-પર બોધાર્થે જણાવાઈ રહ્યો છે. ' આ અગાઉની તેરે તેર કડી પર્યાયદષ્ટિયુકત-પરસમય-પરતત્ત્વમાં રાચવાપૂર્વક આલેખાયેલી છે, જેમાં નિર્મળ પ્રેમરોગની ભરતી-પ્રેમરોગનો સંનિપાત વ્યક્ત થતો હતો. જેમાં મનરૂપી ઘોડલા કાયારૂપી રથને ચલાવવામાં એટલે કે સંકલ્પ-વિકલ્પ કરવામાં જોડાયેલા હતા, જે પ્રકૃતિગત ચાંચલ્યતાને બતાવે છે, સરાગીપણાને ઓળખાવે છે અને અધ્યાત્મની નીચેની ભૂમિકાને જણાવે છે. આમ પોતાનામાં રહેલ મોહદશા-રાગની અવસ્થાને જોતાં સમજાયું કે મારી ચિત્તવૃત્તિ ઉપર રાગે કબજો જમાવેલ છે. એકાંતિક બનેલો રાગ, આંતર-વેદના આંતર-વલોપાત અને સંનિપાતમાં પરિણમ્યો છે જેના કારણે મારો આત્મા જ્ઞાતા-દષ્ટાભાવની જાગૃતિપૂર્વકની સભાનતા ધ્યાન દ્વારા ઉપયોગની ઘારા, તૈલવત્ એકધારે ચાલી જાય છે, તે નિશ્ચય યારિત્ર્ય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ 1040 હૃદય નયન નિહાળે જગધણી ગુમાવી બેઠો છે. તત્ત્વદષ્ટિથી જોતાં જ્યાં ચિત્તવૃત્તિની વિષમતા ઓળખાઈ ત્યારે આ જ વલોપાત, નિજ-પરમાત્મસ્વરૂપના પરિણમનમાં પલટાવા માંડ્યો. ઉપયોગને સાચી દિશા મળી. “ભાવના' એટલે એકાગ્રતા. સ્વયં પ્રતિ થતી તત્ત્વ-વિચારણા પ્રગટ થતાં જણાયું કે સ્વયં સ્વયંના પુરુષાર્થથી જ મોહની આ પ્રગાઢદશાને બદલવી પડશે. પરસમય-પરતત્ત્વની ભજના એ જ અશુદ્ધતાનું કારણ છે. પોતાના નિજપરમાત્માને ભૂલીને પર-પદાર્થ સાથે રાગાદિભાવે જોડાવું-રાગાદિભાવે વિચારણા કરવી તે પરસમય છે, જે એકાંતે બંધનું કારણ છે અને તે સંસાર પરિભ્રમણ સિવાય અન્ય કોઈ ફળને આપતું નથી. પરસમય-પરતત્ત્વની ભજના એ આશ્રવ તત્ત્વ છે, જેની સત્તા ચૈતન્ય-સ્વભાવથી ભિન્ન છે. ચૈતન્ય-તત્ત્વ એ સ્વયંમ જ પરિણમે છે, અન્યરૂપે પરિણમતું નથી, તેવું જ્ઞાન લાધ્યું. : સ્વયંની મુક્તિનો માર્ગ બંધભાવથી વિપરીતપણે આદરવામાં જ જાણ્યો. આશ્રવતત્ત્વનો નિરોધ કરવો એ જ સંવરતત્ત્વની ભજના છેસાધના છે. વાસ્તવિક ધર્મની શરૂઆત ત્યાંથી જ છે. સંવર થતા વિકારીભાવોનું સ્થંભન થાય છે. ચિત્તવૃત્તિમાં નિર્મળતા પ્રગટે છે. અને એ નિર્મળતાની વૃદ્ધિ એ જ નિર્જરા છે. સ્વયંનું તત્ત્વ પોતાની આત્યંતિક શુદ્ધદશાની ચરમ સીમાએ પહોંચે છે ત્યારે તે જ મોક્ષ કહેવાય છે, એમ જ્ઞાનમાં સમજાયું. મોહ દશા ધરી ભાવના રે, ચિત લહે તત્ત્વ વિચાર એના પર ઉહાપોહ થતાં મોહદશાનું વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થવા માંડ્યું અને ભાવનાના ઉપયોગમાં સ્વરૂપનો સ્પષ્ટ બોધ લાધ્યો. ‘ભાવાતુ ભાવ પ્રસૂતિ’ એ ન્યાયે સ્વરૂપમાં સ્થિરતા વધવા માંડી. ભાવના-યોગના પરિપાક-રૂપે આંતરિક-દશા શુદ્ધતામાં પલટાઈ ગઈ અને સ્વયંના પ્રાણનાથના નિરધાર પ્રતિ કેન્દ્રિત થંઈ. અક્ષરનો વિસ્તાર શબ્દ છે. શબ્દનો વિસ્તાર સૂત્ર છે. સૂત્રનો વિસ્તાર અધ્યાય છે અને અધ્યાયનો વિસ્તાર આગમ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1041 • ભાવના-યોગમાં એકાગ્રતા એ શુદ્ધભાવોની જનની સમાન છે. તેથી મહામુનિવરો, મુમુક્ષુ-આત્માઓ તેમજ દીક્ષા પૂર્વે તીર્થકરો પણ વૈરાગ્યની દઢતા કરવા તેમજ તત્ત્વને આત્મસાત્ કરવા અનિત્યાદિ બાર ભાવનાઓનું નિરંતર સેવન કરે છે. બાર ભાવનાઓમાં પ્રથમની છ ભાવના વૈરાગ્યની દ્યોતક છે અને પછીની છ ભાવના તત્ત્વદૃષ્ટિની પ્રેરક છે જે મુમુક્ષુ આત્માને મુક્તિપંથનું પાથેય છે. જે આંતર-ઉદ્વેગોને શાંત કરવા દ્વારા વિષય-કષાયથી વિરક્તિ અને સંવર-નિર્જરરૂપ મોક્ષમાર્ગમાં અનુરક્તિ કરાવે છે, વિપત્તિમાં વૈર્યતાને બક્ષે છે, સંપત્તિમાં વિનમ્રતા પ્રદાન કરે છે, ભીતરમાં રહેલ મોહ અને ભયને હણીને ક્ષીણમોહમાં પલટાવે છે. આ ભાવનાઓના વારંવાર સેવનથી સંસાર, ભોગ પ્રત્યે ઉદાસીનતા અને સાચો વૈરાગ્ય કેળવાય છે. સાચી સમજણ એ દૂરગામી પરિણામોને આપે છે તેથી જ સાચી સમજણ એ જીવનનો સાર ગણાય છે તેનું મૂળ વૈરાગ્ય અને વૈરાગ્યપૂર્વકના ત્યાગમાં રહેલું છે. • સાચી સમજણથી એ તત્ત્વ વિકસે છે કે સાંયોગિક પદાર્થો કે તેનો પરિગ્રહ, આત્મામાં મોહભાવ ઉત્પન્ન કરવામાં પ્રબળ નિમિત્ત છે અને તેના કારણે ઉત્પન્ન થતો મોહભાવ અત્યંત મારક (ઘાતક) છે. અનાદિના સંસ્કારના કારણે પ્રાપ્ત સંયોગોમાં તે તરફનું ખેંચાણ સતત રહ્યા કરે છે. ચંચળ મનને નાથવું ઘણું દૂષ્કર છે. આ બધા પ્રકારના વ્રત, તપ, જપ વગેરેનો આયામ મનને કાબુમાં લેવા માટે જ બતાવવામાં આવ્યો છે. તત્ત્વની સમજણ ઉદય પામ્યા પછી દુન્યવી પદાર્થોનું મહત્વ રહેતું નથી. તત્ત્વનો નિર્ણય કરવા દ્રવ્યદષ્ટિને અપનાવવાની છે અને પર્યાયદષ્ટિને છોડવાની છે. એ પર્યાયદૃષ્ટિથી પરકમુખ થવા આ બાર ભાવનાઓનું ઘોલન ઉપયોગી છે; થયું એને કહેવાય કે જે થયા બાદ ટળે નહિ, વિનાશ પામે નહિ અને જે થયાં પછી સ્થિર થઈ જાય-સ્થાયી બની જાય. Page #214 -------------------------------------------------------------------------- ________________ 1042 હૃદય નયન નિહાળે જગધણી ઉપમિતિકારે ઉપમિતિમાં ધ્યાનયોગને દ્વાદશ અંગનો સાર કહેલ છે અને તે ધ્યાનયોગમાં જવા ભાવના યોગ, એ રસાયણ છે કે જેનાથી ચૈતન્ય સ્વરૂપની સન્મુખતા થાય છે. તેના વિના એકલા કોરા શુભભાવથી મોક્ષમાર્ગ હાથમાં આવતો નથી. તેથી જ બાર ભાવનાની અનુપ્રેક્ષા વડે વૈરાગ્યની વૃદ્ધિ થતાં, આત્માની નિકટમાં વાસ થાય છે, જે તાત્ત્વિક ઉપવાસ છે. જેનાથી ચૈતન્યની શાંતિ પૂર્ણપણે વિકસે છે. ભેદજ્ઞાનપૂર્વકની ભાવનાઓ નિત્ય સેવવાલાયક છે, જે વૈરાગ્યની જનની હોવાથી મુનિઓને તત્ત્વરુચિમાં દઢ કરે છે. રાજીમતિને હવે સમજાણું કે પોતાના ચૈતન્યસ્વરૂપ સિવાય ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત પૌદ્ગલિક પદાર્થો અનિત્ય અને ક્ષણભંગુર છે, સમસ્ત સંસારના સાંયોગિક પદાર્થો ઇન્દ્રજાળ સમાન છે, સ્વપ્ન સમાન છે, મોહદશાની સેનાની વૃદ્ધિ કરનાર છે. આમ અનિત્યતાનો બોધ દૃઢ થતાંસાકાર થતાં તેના ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઇ, પરમાનંદ સ્વરૂપ પોતાનો આત્મા જ ઉપાદેય લાગ્યો. આ સ્તવનની પૂર્વની તેરેતેર કડીઓને બારભાવનાના સ્તરમાં મમળાવીએ તો રાજીમતિનું આંતર-મંથન/વલોપાત સ્પષ્ટ બોધને સ્પર્શાવ્યા વિના રહે નહિ. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે ‘મોહ દશા ધરી ભાવના રે' માં “ભાવના” શબ્દનો ઉલ્લેખ કરીને તેરે તેર ગાથાઓમાં બાર ભાવનાઓની ગૂંથણી કરીને બોધને વિશેષ-વિશેષ સ્તરે સ્પષ્ટ કર્યો છે, માર્મિકતાને ઉદ્ઘાટિત કરી છે એ જ બતાવે છે કે તેમની આંતરિકદશા વૈરાગ્યમય અને તત્ત્વદષ્ટિ પ્રેરક હતી તથા સ્વ-સ્વરૂપને પામવાની તીવ્ર ઝૂરણા તેમનામાં નિરંતર વૃદ્ધિ પામતી હતી. બારે ભાવનાઓના માધ્યમે પૂર્વની તેરેતેર કડીઓને વિચારતાં કર્યું એને કહેવાય કે જે કર્યાં બાદ, પછી કાંઇ કરવાપણું રહે નહિ. Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1043 વિહંગાવલોકન કરતાં, રાજીમતિના જીવનમાં કેવો વળાંક આવ્યો તે હવે આપણે વિચારીએ. અષ્ટ ભવાંતર વાલડી રે, તું મુજ આતમરામ. મનરા વહાલા મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કોઈ ન કામ.. મારા વ્હાલા..૧ “અષ્ટ ભવાંતર' એટલે ભવોની પુનરાવૃત્તિ કરતાં ઘાતિકર્મોની જાળમાં ફસાઈને મેં ધ્રુવપદ એવા સ્વયંના તત્ત્વને વિસાવું, પરસમય પરતત્ત્વમાં રાચીને અજ્ઞાનની વૃદ્ધિ કરી; એ જ ચાહના હવે અનિત્યતામાં ભાસી. જાણ્યું કે સંયોગો બધા જ નાશવંત છે. ચૈતન્યમય આત્મા એ જ શાશ્વત છે. તેની આરાધના જ કરવા યોગ્ય છે. આ સત્યની ઓળખ જ સ્વયંની પ્રાપ્તિ છે. બાકી પર્યાયમાં રાચવું એ અનંત સંસારને વધારનાર ભાવમરણ સમાન છે. નિજ પરમાત્માની આરાધનામાં નિરંતર લાગેલા રહેવું એ જ સાર છે. અનિત્ય પદાર્થો ક્યારે પણ પોતાના થતા નથી, થશે નહિ; તેથી નેમિકુમારને પામવા જે હું વિષાદ કરી રહી છું, તે સર્વ નિરર્થક છે. આ પર્યાયદૃષ્ટિને છોડવી, એ જ યોગ્ય છે; એમ અનિત્યતાનો બોધ પૂર્ણપણે જીવંત થયો. અનિત્ય ભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – “સંયોગ ક્ષણભંગૂર સભી, પર આત્મા છુવધામ હૈ, પર્યાય લય ધર્મા, પરન્તુ દ્રવ્ય શાશ્વત ધામ હૈ, ઇસ સત્ય કો પહેચાનના હી, ભાવના કા સાર હૈ, ધ્રુવ ધામ ની આરાધના, આરાધના કા સાર હૈ.” હવે પ્રસ્તુત સ્તવનની બીજી કડી અશરણ ભાવનાનો પડઘો કારણ-કાર્યને સર્વાગી જેવું તેનું નામ જ્ઞાન ! Page #216 -------------------------------------------------------------------------- ________________ 1044 . હૃદય નયન નિહાળે જગધણી 104મ કે પાડી રહી છે તેને આપણે વિચારીએ. ઘર આવો હો વાલમ! ઘર આવો, મારી આશાના વિસરામ! મ. રથ ફેરો હો ! સાજન ! રથ ફેરો, મારા મનના મનોરથ સાથ.. મનરા..૨ પર-પદાર્થની ઈચ્છા કરવામાં પોતાની અશરણતા જોઇ, પૂર્ણતામાં લક્ષ્યવેધ કરવો એમાં જ સાચું શરણ છે, એ તત્ત્વ સમજાયું. પોતાના નિજપરમાત્માનું શરણ, એ જ સાચું શરણ છે, એ જ સ્વ-પદને મેળવી આપે છે. વિશેષમાં એ જાણ્યું કે અનિત્યતાની જેમ અશરણતા પણ એક વસ્તુ સ્વભાવ છે. જેમ વસ્તુ અનિત્ય સ્વભાવને કારણે નિરંતર બદલાયા કરે છે, તેમ તેમાં રહેલ અશરણ ધર્મના કારણે તેના પરિણમનમાં કોઈ શરણ, સહાય કે મદદની સંભાવના જણાતી નથી, પર-પદાર્થના શરણની ઈચ્છા એ જ મોટી પરતંત્રતા છે. જ્યારે સ્વભાવગત પ્રત્યેક પદાર્થ સર્વથા સ્વતંત્ર છે, તેનું પરિણમન પોતાના ગુણ-પર્યાયમાં સહજ ચાલ્યા જ કરે છે. કર્મના ઉદયથી થતી સાંયોગિક પદાર્થની પ્રાપ્તિ, તેને પોતાની જાણવી અને પોતાની માનવી, તે તો ભ્રાન્તિ છે, મિથ્યાત્વ છે. સાંયોગિક પદાર્થ માત્ર અનિત્યતાનો દ્યોતક છે. જ્યારે પોતાના ગુણોની જાણકારી મેળવી તેને ઓળખી અનુભવવા, દ્રવ્યદૃષ્ટિની દઢતા કરી આત્માની અનુભૂતિ કરવી અને એક દ્રવ્ય, બીજા દ્રવ્ય રૂપે ક્યારે ય પણ પરિણમતું નથી; આવો સ્વીકાર કરવો તે જ સાચી શરણતા છે. તેથી જ કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહ્યું છે કે – “વસ્તુ સ્વભાવ વિચારથી, શરણ આપકો આપ, વ્યવહારે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.” અનિત્ય એવી પર વસ્તુને નિત્ય માની, એમાં સ્વ પણાની બુદ્ધિ કરવાનો સ્વભાવ, તેનું નામ જ મોહ-મૂઢતા-રાણ-મિથ્યાત્વ. Page #217 -------------------------------------------------------------------------- ________________ - શ્રી નેમિનાથજી , 1045 - Us - હવે ત્રીજી કડી સંસાર ભાવના પર કેવો પડઘો પાડી રહી છે, તે કહે છે. નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ ! મ. ઈશ્વર અધગે ઘરી રે, તું મુજ ઝાલે ન હાથ. મનરા.૩ પ્રાકૃતિક ભાવોમાં ચંચળતાને કારણે મેં રાગાદિ પરિણામોને જીવંત રાખ્યા, તેમાં રુચિપૂર્વકની તન્મયતા કરી, સ્વયંની પુરુષાર્થ-ચેતનાને ન ઢંઢોળી, તો હવે પાણિગ્રહણ ક્યાંથી થાય ? અર્થાત્ પારગામી ક્યાંથી બનાય? સંયોગ-વિયોગથી ભરેલા સંસારભાવને જ નિરંતર ઇચ્છયો છે, તો હવે સુખી કેમ થવાય? - અનાદિ મિથ્યાત્વના ઉદયથી જેમાં એક તસુભાર પણ સુખ નથી, એવા સંસારમાં ચતુર્ગતિ પરિભ્રમણ કર્યું છે, ત્રાસ-સ્થાવરના ભાવોમાં ઘોર દુઃખો અનુભવ્યા છે, જન્મ-મરણના ચકરાવા કર્યા છે, પાપભાવો દ્વારા અશુભમાં પ્રવર્તન કર્યું છે, આ વિષયચક્રમાંથી તે ક્યારે પણ બહાર નીકળ્યો જ નથી. આમ ચોર્યાશી લાખ જીવાયોનિમાં ભટકવાપણાને જીવત રાખ્યું છે. વીતરાગ-સર્વજ્ઞદેવ પ્રણીત સત્યાર્થ ધર્મની વાંછા પણ ન કરી, આમ પોતાના વાસ્તવિક સ્વરૂપથી અજાણ, જીવ નવા-નવા કર્મો બાંધતો જ રહ્યો છે, સંસારને લંબાવતો જ રહ્યો છે. આમ વાસ્તવિકતાનું ભાન થતાં રાજીમતિને સમજાયું કે સંસાર-ભાવનાના અવલંબને સંસારની અસારતા અને પોતાના સ્વરૂપની સારભૂતતાનું ચિંતન જ એક શ્રેય-માર્ગ છે. | મારામાં રહેલા બહિરાત્મલક્ષી ભાવો જ મને સંસારથી ભિન્ન એવાં આત્માના શુદ્ધચૈતન્ય સ્વભાવનું ભાન કરવા દેતા નથી, તેથી નેમિપ્રભુને જે વસ્તુ પરિણામે પણ દુઃખરૂપ છે, તેમાં સુખબુદ્ધિ-ભોગવૃત્તિ કરવી, તેનું નામ પણ મોહ, મૂઢતા, રાગ, મિથ્યાત્વ. Page #218 -------------------------------------------------------------------------- ________________ 1046 , હૃદય નયન નિહાળે જગધણી 1046 , પામવા વિષાદ કરવો એ કોઈ રીતે યોગ્ય નથી. સૌ પ્રથમ બહિરાત્મલક્ષી ભાવોને નષ્ટ કરાય, તો જ સમ્યકત્વાદિ-ભાવોમાં સ્થિરતા થાય. મોક્ષમાર્ગ તેમાં જ રહેલો છે અને તેમાં જ આત્માનું સાચુ હિત સમાયેલું છે. આ જ સંસાર-ભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – “સંસાર છે પર્યાય મેં, નિજ આત્મા છુવધામ હૈ !' સંસાર સંકટમય, પરન્તુ આત્મા સુખધામ સુખધામ સે જો વિમુખ, વહ પર્યાય હી સંસાર હૈ! ધુવધામ કી આરાધના, આરાધના કા સાર હૈ!” . હવે ચોથી કડીમાં એકત્વ ભાવનાનું પ્રતિબિંબ ઝીલાઈ રહ્યું છે. તે બતાવે છે – પશુજનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર, મ. માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર? મનરા..૪ એકત્વ ભાવનાના દર્પણમાં પ્રસ્તુત કરીને વિચારતાં આ સંસારમાં પોતાના આત્માનું એકત્વ જણાયું. પશુભાવમાંથી દિવ્યભાવમાં સ્થિરત્વને પામવું, ભવાભિનંદીપણાનો ભાવ છૂટવો, એમાં જ આત્માનું સાચું કલ્યાણ છે; એ વાત રાજીમતિને સમજાઈ. અનાદિ-અનંતકાળથી પરભાવની રમણતામાં જ રમું છું, તે જ બહિરાત્મપણું છે; તો તેમાં મારો ઉદ્ધાર ક્યાંથી થાય ? પ્રભુનો અનુગ્રહ ત્યારે જ થાય કે હું સભાનતાપૂર્વકની આત્મજાગૃતિથી મારા આત્માને કલ્યાણકામી બનાવું ! આ જ આચાર છે, આ જ શિરસ્તો છે. પરપદાર્થમાં સચ્ચિદાનંદની વૃદ્ધિ એ વિષયભાવ છે. અને તેમાં આપણે કષાયભાવો, જીવ નૈમિત્તિક કરીએ છીએ. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1047 - IU4/ * ચિંતનના સ્તરે જણાયું કે છએ દ્રવ્યો પોત-પોતાના એકત્વમાં રમી રહ્યા છે, પોત-પોતાના ગુણ-પર્યાયમાં પરિણમી રહ્યાં છે. આવું એત્વપણું એ વસ્તુનું સ્વરૂપ છે. સંસારી અવસ્થામાં ચેતનદ્રવ્યને જડ એવા પુદ્ગલ દ્રવ્યનો સંયોગ છે-સહકાર છે પણ કારકતા નથી. તેથી તે તેના સંદર્ભમાં એકત્વપણાને જ સૂચવે છે. આમ એકત્વપણું તે આત્માનો દ્રવ્યગત સ્વભાવ છે. અનાદિ-અનંતકાળથી વસ્તુનો જે સ્વભાવ છે, તે વસ્તુના અખંડપણાનો સૂચક છે. પદાર્થમાત્ર સ્વયંમા જ પરિણમી રહ્યા છે, તે જ સ્વતંત્રતાનું સૂચક છે. સ્વયંનુ ઉપાદાન જ નિમિત્તને પામીને કારણ બની, કારક થઈ, કાર્યમાં પરિણમે છે. - આમ એકત્વની પ્રતીતિમાં સ્વાધીનતાનું સ્વાભિમાન જાગૃત થાય છે, આત્માને સ્વાધીન બનાવવાની ભાવના પુષ્ટ થાય છે અને રુચિ સ્વાભાવિક રીતે સ્વસમ્મુખતા પ્રતિ ઢળે છે, આ જ એકત્વ ભાવનાનું વાસ્તવિક ફળ છે. જ્ઞાની આંત્માઓ પોતાના જ્ઞાનમય વીતરાગ-સ્વરૂપમાં જ્ઞાતા-દષ્ટાભાવે એકત્વપણે રહે છે. - આમ જુઓ તો અજ્ઞાની કે જ્ઞાની, કોઈનું પણ કાર્યક્ષેત્ર પોતાના આત્માની બહાર નથી, સ્વયમાં જ છે પરન્તુ અજ્ઞાનીને ભ્રમથી તે બહારમાં જણાય છે. આમ રાજીમતિને એકત્વપણાનો બોધ લાધ્યો. પશુભાવો દિવ્યભાવમાં પલટાવા માંડ્યા, અંતરાત્મદશાની વૃદ્ધિ થતાં પોતાનામાં છુપાયેલ પરમાત્મપદ દેખાવા માંડ્યું, વિષાદના વાદળો વિખરાયા, એકત્વભાવનો બોધ જીવંતરૂપે પરિણત થયો. આના પુષ્ટિકરણમાં કહ્યું છે કે એકાકી ચેતન સદા, ફિરે સકલ સંસાર, સાથી જીવ ન દૂસરો, યહી એકત્વ વિચાર.”- ભાવના સંગ્રહ અજ્ઞાન કદી અજ્ઞાનને જાણવા ન દે અને માયા કદી માયાને જાણવા ન દે; એવું કાર્ય અજ્ઞાન અને માયાનું છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ 1048, હૃદય નયન નિહાળે જગધણી • • “જન્મ-મરણ એક જ કરે, સુખ દુઃખ વેદે એક, નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. જો જીવ તું છે એકલો, તો તજ સૌ પરભાવ, આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીવ્ર મોક્ષ સુખ થાય.” - યોગસાર પાંચમા અને છઠ્ઠી કડીમાં અન્યત્વ ભાવના ઉપર જે પ્રકાશ પંડી રહ્યો છે તેને જણાવે છે. પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયો જોગ ધતૂર, મ.. ચતુરાઈસે કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર?.. મનરા..૫ માહરૂ તો એમાં કશુ નહીં રે, આપ વિચારો રાજ! મ. " રાજસભામાં બેસતાં રે, કિસહી વધશે લાજ?. મનરા..૬ પ્રસ્તુત કડી પાંચ અને છ ઉપર ચિંતન કરતાં રાજીમતિને પોતાનામાં રહેલ અન્યત્વ ગુણનો બોધ લાધ્યો. નેમિપ્રભુને પામવાનો વલોપાત, તેમને અપાતા ઓળંભા, પ્રેમરોગની ભરતી, પ્રેમરોગનો સંનિપાત વગેરે જ્વર જેવા ભાસ્યા. મુમુક્ષુપણું, સંન્યાસીપણું, અપરિગ્રહપણું, વૈરાગ્ય એ જ મોક્ષમાર્ગમાં સ્થિરત્વને આપનાર છે એમ નિર્ણય થયો. ગુરુભગવંતો તત્ત્વરુચિને જાગ્રત કરનાર છે, તે તત્ત્વરુચિમાં બાધક મારી મનોવાંછા છે, જે પ્રાકૃતિક સ્તરે વિષાદતાને પ્રેરી રહી છે. આત્મતત્ત્વની ઉપાસનામાં બાધકરૂપ આ છેતરપીંડી છે. પરતત્ત્વમાં રમાડનારી આ ચેષ્ટા કદાપિ મારી થનાર નથી. પરદ્રવ્યનો સંયોગ આત્માને અનાદિથી વળગેલો છે પણ બંનેના લક્ષણો તદ્દન જુદા છે. આત્મા અસંયોગી વસ્તુ છે જ્યારે પોલિક સંયોગ વિકારી ધર્મવાળા છે, નાશવંત છે; જ્યારે આત્મા સ્વભાવથી જ અમૂર્ત, ધ્રુવ-અવિનાશી, અખંડ, અક્રિય, અક્રમિક, અદ્વિતીય શાસ્ત્રાર્થ નથી કરવાની પણ પોતાના જીવનને સામે રાખીને સ્વરૂપાર્થ કરવાના છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1049 લક્ષણવાળો છે. જ્ઞાયક સ્વભાવી આત્મા એકત્વ-વિભક્ત રૂપ છે. પોતાના સ્વભાવથી એકત્વ છે ને પરભાવોથી વિભક્ત એટલે કે ભિન્ન છે. સ્વભાવમાં ઉપયોગરૂપ એકત્વ પરિણમન થતાં સમસ્ત પરભાવોથી ભિન્નતા થઈ જાય છે. તે જ બતાવે છે કે જીવમાં એકત્વ અને અન્યત્વે બંને ધર્મો રહેલા છે. દૂધ અને પાણીની જેમ જીવાત્મા અને શરીર એકક્ષેત્રે આવી સંયોગરૂપે એકમેક થયેલા છે છતાં બંને ભિન્ન છે, તેવી રીતે સમસ્ત પદાર્થ-સમસ્ત વિષયોમાં જાણવું. આમ સાંયોગિક પરદ્રવ્યોથી પોતાના પરમાત્મ તત્ત્વની અત્યંત ભિન્નતાનું ચિંતન એ જ તત્ત્વથી અન્યત્વભાવનાનો સાર છે. અન્યત્વ ભાવનાના ચિંતનના બળે સ્વમાં એકાગ્રતા કેળવવાની છે, સ્વમાં સ્થિર થવાનું છે, સ્વમાં ઓગળી જવાનું છે. આમ અન્યત્વ ભાવનાનું અવલંબન લેતાં રાજીમતિના ચિત્તમાંથી વિષાદના વાદળો વિખરાઇ જવા લાગ્યા. તત્ત્વ સ્પર્શનાનો સૂર્ય ઉગવા માંડ્યો. આ જ વાતના પુષ્ટિકરણમાં કહ્યું છે કે - “જિસ દેહમેં આતમ રહે, વહ દેહ ભી જબ અન્ય હૈ, તબ ક્યા કરે ઉનકી કથા, જો ક્ષેત્ર સે ભી ભિન્ન હૈ, જો જાનતે ઈસ સત્ય કો, વે હી વિવેકી ધન્ય હૈ, ધ્રુવધામ કે આરાધકો કી બાત હી કુછ અન્ય હૈ.’’ બતાવે છે સાતમી કડીમાં અશુચિ ભાવનાનો આદર્શ ઝળકી રહ્યો છે તે પ્રેમ કરે જગ જન સહુ રે, નિરવાહે તે ઓર, મ. પ્રીત કરીને છાંડી દિયે રે, તેહ શું ન ચાલે જોર.. મનરા..૭ આ કડી ઉપર ચિંતન કરતા રાજીમતિને એ ખ્યાલમાં આવ્યું કે પ્રેમ એટલે દુન્યવી પદાર્થ ઉપરનો રાગ નહિ પણ ઉત્તરોત્તર વિશુદ્ધિને જ્યાં ઈરાદાપૂર્વક ખોટું કરવું છે, ત્યાં જૂઠું બોલવું જ પડે છે અને તે દંભ છે, જે ભયંકર સંસાર છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ 1050 હૃદય નયન નિહાળે જગધણી ઓળંગી જવી. જે આત્માની પરમ વિશુદ્ધિને પ્રાપ્ત કરાવે તે ખરેખર પ્રેમ છે; જે ખરેખર સ્વ પ્રતિ ઢળતાં રાગ, વીતરાગતાની અવસ્થામાં મૂકાતો જાય છે. જ્યારે દુન્યવી રાગ તો દુર્નિવાર છે. સંસારી જીવો બહુલતયા અજ્ઞાન અને મિથ્યાત્વાદિથી યુક્ત છે, તત્ત્વજ્ઞાનથી વિમુખ છે. તેઓની બુદ્ધિ, પ્રેમ, રાગ, કામ્યભાવથી યુક્ત હોવાથી સંસાર સાગરમાં ડૂબાડનાર છે. શરીર પ્રત્યે હોવાથી અશુચિવાળો છે. આમ પણ સંયોગી પદાર્થમાં આત્માની અત્યંત નજદીક પદાર્થ શરીર હોવાથી તે જ કેન્દ્રસ્થાને રહે છે કે જે શરીર મલિન પદાર્થોથી ભરેલ કોથળી સમાન છે. નવ-નવ દ્વાર દ્વારા શરીરમાંથી અશુચિનું વહન સતત થયા જ કરે છે. તેવી જ રીતે રાગાદિ પરિણામો-કષાયો પણ મેલા છે, તેની સાથે થયેલ એકરાગતા જીવાત્માને. અશુદ્ધ કરનાર છે. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા તો અતિ પવિત્ર છે. શરીરની બાહ્ય દેખાતી શુચિ-પવિત્રતા પણ આત્માની હાજરીના કારણે છે. આત્માથી વિખૂટા પડી ગયેલ શરીરને શરીર નહિં કહેતાં, લાશ કે મડદું કહેવાય છે અને તેના અંતિમ-સંસ્કાર કર્યા સિવાય આ સંસારમાં કોઈનો છૂટકો નથી. શરીરની પવિત્રતાના મૂળમાં પવિત્ર એવા આત્માની પવિત્રતા છે, તે આત્માની સાથે આત્મીયતા કરી આત્માકાર થયા સિવાય શાશ્વત શુભ્રતા-સ્વચ્છતા-શુદ્ધતા-નિર્મળતા-પવિત્રતાની પ્રાપ્તિ શક્ય નથી. શરીર, ક્રોધાદિ ભાવો બધા આત્મા સાથે હોવા છતાં સ્વભાવથી જ ભિન્ન છે. તેથી જ આ વિનાશી, મલિન, અસ્થિર અને નિર્ગુણ શરીરને સ્થિર, નિર્મળ, અનંત ગુણમય આત્માના ધ્યાનમાં લગાડવું જોઈએ. આત્મા તો સ્વભાવથી જ પવિત્ર છે જ્યારે દેહ તો પવિત્ર થનાર નથી. આ તત્ત્વ રાજીમતને અશુચિ ભાવનાના ચિંતનથી લાધ્યું. કહ્યું છે કે શબ્દ એ મતિજ્ઞાનનો દ્રવ્ય પર્યાય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી “ઇસ દેહ કે સંયોગ મેં, જો વસ્તુ પલભર આયગી, વહભી મલિન મલ-મૂત્રમય, દુર્ગંધમય હો જાયગી, કિન્તુ રહ ઇસ હમેં, નિર્મલ રહા જો આતમા, વહ શેય હે, શ્રદ્ધેય હૈ, બસ ધ્યેયભી વહ આતમા.’ 1051 હવે આઠમી કડી ઉપર ચિંતન કરતા રાજીમતિને આશ્રવ ભાવના ઉપર જે બોધ થયો તે જણાવે છે. જો મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ, મ. નિસપતિ કરીને છોડતાં રે, માણસ હુવે નુકસાન.. મનરા..૮ આઠમી કડી દ્વારા રાજીમતિનો આંતર-વલોપાત ઓળંભારૂપે પ્રગટ થઈ રહ્યો હતો તે હવે તેને આશ્રવના સ્વરૂપમાં જોયો. પ્રકૃતિગત ચંચળતાની બળવત્તરતાને આશ્રવરૂપે જાણી. ખ્યાલ આવ્યો કે યોગોનું કંપન માત્ર આશ્રવ છે, જે સ્વ સાથે એકીરણ થતાં બંધપરિણામને સર્જે છે, જે આત્માને દુઃખને દેનારા થાય છે. જેનો સંબંધ ગતિચતુષ્ક અને કષાયસમુહ સાથે થાય છે. જેના ફળ રૂપે આત્માને નવા નવા આયુષ્યનો બંધ પડે છે. કષાય-પરિણામ જે ઉપયોગકંપન છે તે ભાવાશ્રવ છે કે જે જીવાત્માને દુઃખરૂપ કહ્યો છે, જેનું નિમિત્ત પામીને આત્મા ઉપર દ્રવ્યાશ્રવ થાય છે અને અંતે બંધ-પરિણામને પામે છે. શ્રુતજ્ઞાન, એ મતિજ્ઞાનની અક્ષરમૂર્તિ છે. - વીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ, આશ્રવને સર્વથા હેય કહે છે. આશ્રવભાવ આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તો પણ તત્ત્વદષ્ટિથી વિચારતાં આત્મા નિર્બંધ સ્વરૂપી છે. માટે આશ્રવો આત્મસ્વરૂપથી ભિન્ન હોવાથી તેને હેય કહ્યા છે અને હેય છે માટે શ્રદ્ધેય નથી અને ધ્યેય પણ નથી, તેમ ઉપાદેય પણ નથી. તેથી તે માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનની Page #224 -------------------------------------------------------------------------- ________________ 1052 , હૃદય નયન નિહાળે જગધણી શુભાશુભ પર્યાયસ્વરૂપ છે. જ્યારે આત્મા તો સ્વરૂપે પરમાત્મા છે માટે પરમ શેય છે, પરમ શ્રદ્ધેય છે, પરમ ધ્યેય છે, પરમ ઉપાદેય છે. આમ ધર્મી જીવ આશ્રવોને દુઃખરૂપ ચિંતવીને સ્વયંના નિજપરમાત્માની ભાવના વડે તે આશ્રવોથી મુક્ત થઈ જાય છે. એમ કહેવાય કે “આશ્રવ ભાવના' પણ ભાવના હોવાથી શુદ્ધ આત્મતત્ત્વની જ છે, જેમાં આશ્રયદ્વારોથી છુટવાની મથામણ છે, તેથી આશ્રવ-ભાવના તે આશ્રવ-તત્ત્વ નથી પણ સંવર-તત્ત્વ છે. તત્ત્વાર્થ સૂત્રમાં સંવર-તત્ત્વ પ્રકરણમાં બાર ભાવનાઓના સ્વરૂપને સંવરના કારણરૂપે જણાવ્યું છે. “આશ્રવ નિરોધ”ને સંવર કહ્યો છે. એ સંવર સમિતિ, ગુપ્તિ, દશવિધ યતિધર્મ, બાર ભાવના, બાવીસ પ્રકારના પરિષહ. જય અને પાંચ પ્રકારના ચારિત્રથી એમ સત્તાવનભેદ થાય છે. આત્માનું ભાન તે સંવર કહેલ છે તેમાં પણ શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે, કાર્તિકેય સ્વામી કહે છે કે “જે પુરુષ ઉપશમ પરિણામમાં લીન થઈ પૂર્વકથિત મિથ્યાત્વાદિ ભાવોને હેય માની છોડે છે તેને આશ્રવ ભાવના હોય છે.” રાજીમતિએ પોતાની ચિંતનાત્મક ભૂમિકામાં આશ્રવ પદાર્થને તેના સ્વરૂપે જાણ્યો, તેમાં અટકવાપણામાં બંધ-પરિણામને જોયો. અત્યાર સુધી તો પોતાની વિચારધારામાં વિષાદ-ઓળંભા વગેરેની ચાહના આશ્રવ સ્વરૂપ છે જ, પરન્તુ તેમાં થયેલ એકરાગતા એ તો મિથ્યાત્વના ભયંકર બંધ સ્વરૂપ છે; એ રીતે પોતાની ચિંતનધારા-તત્ત્વધારામાં પરિણમી, આના પુષ્ટિકરણમાં કહ્યું છે - જો યોગને કી ચપલાઈ, તાતે હૈ આશ્રવ ભાઈ, આશ્રવ દુઃખકાર ધનેરે, બુદ્ધિવંત તિરે નિરવેરે...” હવે સંવર-ભાવના ઉપર પડઘો પાડતી વિચારણાને જણાવે છે – પરિભ્રમણ, સંયોગ-વિયોગ પ્રધાન છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1053 દેતાં દાન સંવચ્છરી રે, જગ લહે વાંછિત પોષ, મ. સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.. મનરા..૯ આકડીમાં રાજીમતિની વાંછા જે પરાકાષ્ટાએ પહોંચેલ હતી; તેમાં તેને બોધ લાધ્યો કે સંસારમાં પતિના પ્રેમને ઇચ્છવો એ મૂર્છા છે, એ અસારતા છે. આ એક પ્રાકૃતિક જડતા છે. પરના ગ્રહણપૂર્વકનો ત્યાગ એ ત્યાગ જ નથી. જે પોતાનું છે તે તો છે જ માટે તેના ગ્રહણનો કોઇ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી અને જે પર છે તે તો પર હોવા માત્રથી જ તેનો ત્યાગ નથી. પુરુષ-ચૈતન્ય સ્વભાવમાં રમી રહ્યું છે, તે વિભાવ-ભાવથી જે પરમાં રમણતા કરે છે તે જ ગુલામી છે, સેવકપણું છે. વાંછિત પોષ ત્યારે જ ગણાય કે જ્યારે તે સ્વામીના ત્યાગને ઓળખે અને તે માર્ગને અનુસરે અત્રે આત્મભાન થવું અને તેમાં સ્થિરતા કેળવવી, પરભાવથી વિરક્ત થવું; તે જ સંવર સ્વરૂપ છે. તેને સુખકર જાણી પોતે તે રૂપે પરિણમે તે જ સાચી સંવર’ ભાવના છે. જેમાં રાગાદિ ભાવોને લેશમાત્ર પણ પોતાના ઉપયોગમાં ભેળવતો નથી. આમ ઉપયોગને શુદ્ધાત્માની પ્રીતિમાં જોડે છે ત્યારે ત્યાં કર્મોનો સંવર થાય છે. વીતરાગ ભાવનો જ્યાં અંશ ઝળકે ત્યાં મોક્ષમાર્ગ છે. સમિતિ, ગુપ્તિ, પરિષહ જયં, દેશવિધ-યતિધર્મ, બાર ભાવના, પાંચ ચારિત્ર આ સર્વને સંવરના કારણો કહ્યા છે; તેના પાલનથી આશ્રવ રોકાય છે અને સંવરમાં સ્થિરતા વધતાં નિર્જરા થાય છે અને તેનાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય છે. આમ ધ્યાનનું કારણ સંવર છે. પરિવર્તન, ઉત્પાદ-વ્યય પ્રધાન છે. આત્માના સ્વસ્વભાવની અપેક્ષાએ પરમાર્થથી જોઇએ તો આ · સંવર, વગેરે એ કોઇ તત્ત્વ નથી કારણકે તે તત્ત્વ તો ભેદજ્ઞાન કરાવવામાં Page #226 -------------------------------------------------------------------------- ________________ 1054 . હૃદય નયન નિહાળે જગધણી હેતુરૂપ છે, તેથી તે આત્માની બહાર છે. આત્મા અનાદિ અનંત કાળથી સ્વયંના શુદ્ધ સ્વભાવથી નિર્મળ-નિર્વિકલ્પ ત્રિકાળી અખંડ એક જ્ઞાયક છે, અને રહ્યો છે, તે જ્ઞાનાનંદ સ્વભાવી છે. તે જ્ઞાયક સ્વયંના જ્ઞાનમાં અનુભવગમ્ય છે. જે સ્વયં જ્ઞાતા, જ્ઞાન અને શેય રૂપ છે. આવા આત્માના સ્વરૂપને રાજીમતિએ ચિંતનની ભૂમિકામાં બોધરૂપે જાણ્યું; તેથી તેની વાંછાઓ, ઓગળવા લાગી. તત્ત્વ-બોધ જીવંત બન્યો. આના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – “મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન, ચરિત્ત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન, ને મુજ આત્મ સંવર યોગ છે.”. હવે દશમી કડીમાં રાજીમતિનું ચિંતન નિર્જરા-ભાવના ઉપર વિસ્તરે છે – સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત, મ. ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત.. મનરા..૧૦ રાજીમતિ સ્વયંને ઢંઢોળીને કહી રહી હતી કે જે આ શામળા, સોહામણાને પ્રાપ્ત કરવા તારો આંતરિક વિષાદ ઘેરો ને ઘેરો બની રહ્યો છે, તે કદાપિ તારો થનાર નથી. છતાં પણ અંતઃકરણની બળવત્તરતા તેને છોડતી નથી. સખીઓ સામાન્યથી સ્વામીની આજ્ઞાંકિત હોય છે. અહિંયા સખીઓ એટલે ગાઢ મિથ્યાત્વમાં રમણતા કરનારી, મિથ્યાત્વ-ભાવોની પુષ્ટિ કરનારી બહિરાત્મભાવોની મારામાં રહેલી પ્રબળતા એ જ અભિપ્રેત છે; જે હેત, સ્નેહ, ઈર્ષા, પ્રીતિ, લજ્જા, કામ્યભાવ, સ્વાર્થી મનોવૃત્તિ, ગોપનીયતા, વગેરે લક્ષણોથી જણાય છે. શામળો શબ્દ મળો, દોષો, વગેરે અર્થને જણાવે છે. આ સર્વથી એ જ વાત જણાય છે કે આશ્રવભાવો એ બંધના હેતુ કહ્યા છે, તેનાથી હું હજુ સુધી છૂટી શકી નથી, તો પછી બોલવું એટલે સંસાર! વિચારવું એટલે સંસાર ! ઈચ્છતું એટલે સંસાર! બોલીએ નહિ, વિચારીએ નહિ, ઈચ્છીએ નહિ તો સંસાર શું? * Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1055 મારામાં આત્મજ્ઞાન-આત્મભાન ક્યાંથી આવે ? મિથ્યાત્વ-ભાવમાં રમણતા છે, વળી પાછી હું અવ્રતી છું, રાગાદિ કષાયો મારામાંથી ગયા નથી, પ્રમાદ પણ સાથે છે, યોગોનું કંપન પણ વર્તે છે. આ તો સંસારના તાપમાં તપતાં એવા મારા આત્મામાં ઇંધણને નાંખવા સમાન છે, જે આંતરઅગ્નિને પ્રજ્વલિત કરી રહેલ છે. તેથી જ હવે આ દુર્લભ એવા આ મનુષ્યભવમાં આત્મહિત કરી લેવા જેવું છે. કર્મોની નિર્જરા એ જ શ્રેયનો માર્ગ છે. શુભભાવોથી યુક્તતા એ પ્રેયનો માર્ગ છે જે કર્મધારા છે; જ્યારે ઉપયોગમાં રાગ વગરની જે શુદ્ધતા છે તે જ્ઞાનધારા છે, તે પ્રશાન્તવાહિતા છે અને તે સંવર-નિર્જરાયુક્ત હોવાથી મોક્ષનું કારણ છે. શુદ્ધતારૂપ જ્ઞાનધારાને અંગીકાર કરવી તે જ મારું સ્વરૂપ છે અને શુભાશુભ હોવાથી યુક્ત જે કર્મધારા છે તે મારું સ્વરૂપ નથી, માટે તે છોડવા યોગ્ય છે. આમ રાજીમતને ભેદજ્ઞાન થયું. ચૈતન્ય સ્વરૂપમાં રહેવારૂપ વિશેષ પુરુષાર્થ વડે શુદ્ધતાની વૃદ્ધિ કરવાની છે અને અશુદ્ધતાની હાનિ કરવાની છે. આ જ ભાવનિર્જરા છે અને આવી ભાવનિર્જરા જ્યાં હોય છે ત્યાં પુદ્ગલ કર્યો પોતાની કર્મરૂપ અવસ્થાને છોડીને અકર્મરૂપ એટલે કે કાર્મણવર્ગણારૂપે થઇ જાય છે, તેને દ્રવ્યનિર્જરા કહી છે. પોતાના ચૈતન્યની શુદ્ધતાની જેને ખબર નથી અથવા તો ગુણોને પ્રગટ કરવાની જેને તીવ્રરુચિ નથી, તેને સમ્યક્-તપ કે નિર્જરા હોતી નથી. અધ્યાત્મસારના યોગાધિકારમાં જ્ઞાનયોગને જ શુદ્ધ તપ કહ્યો છે અને તે આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ છે. તેથી જ નિર્જરા એ ‘શામળા’ પ્રત્યેના પ્રશસ્તરાગ વડે નહિં પરંતુ શુદ્ધાત્મસ્વરૂપમાં રમણતા કરવાથી છે, માટે તેની જ વૃદ્ધિ કરતા રહેવું, એ જ મારું કર્તવ્ય છે; એમ રાજીમતિને સમજાયું. ચૈતન્ય સ્વરૂપના આનંદમય ધ્યાન વડે ભીતરમાં જે ધ્યાનાગ્નિ દેહભાવે દેહમાં રહેવું તે કર્તા-ભોક્તા ભાવ દેહધર્મે દેહમાં રહેવું તે જ્ઞાતા-દૃષ્ટા ભાવ. Page #228 -------------------------------------------------------------------------- ________________ 1056 , હૃદય નયન નિહાળે જગધણી પ્રગટે છે, તેના તપમાં કર્મો બળીને ભસ્મીભૂત થાય છે. તેથી જ ધ્યાનાગ્નિ વડે જે કર્મોને તપાવે અને આત્માને ઉજળો કરે તેને તપ કહ્યો છે; આવા આત્માના ભાન વિના બહારમાં આહારાદિને છોડીને ઉગ્ર તપ કરે તો પણ તેનાથી મોક્ષના કારણરૂપ નિર્જરા થતી નથી, ભવભ્રમણ મટતું નથી. દેહાદિ પ્રત્યે જે ઔદાસીન્યભાવ કેળવવાનો કહ્યો છે, તે પણ શામળાને અર્થાત્ નિજપરમાત્માને પ્રાપ્ત કરવા માટે છે. નિજ ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે જ શુદ્ધતાની વૃદ્ધિરૂપ તપ અને નિર્જરા થાય છે. નેમિપ્રભુ આવા જ તપમાં લીન થયેલા છે, એમ રાજીમતિને હવે સમજાયું. ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય પણ આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે “નિર્જરા એ સંવરપૂર્વક થાય છે અને શુદ્ધોપયોગથી સમૃદ્ધ તપ જ. નિર્જરાનું કારણ છે. ધર્મની ઉત્પત્તિ તે સંવર છે. તેમાં વૃદ્ધિ તે નિર્જરા છે અને તેમાં પૂર્ણતા તે મોક્ષ છે. આમ શુદ્ધિની ઉત્પત્તિ અને સ્થિતિરૂપ સંવર તથા વૃદ્ધિરૂપ નિર્જરા એ મોક્ષમાર્ગ છે; તેથી જ મોક્ષમાર્ગમાં ભાવનાનું અધિક મહત્વ છે અને તેમાં નિરંતર આગળ વધતા રહેવાની ભાવના જ નિર્જરા છે. આ સત્યતાનું ભાન રાજીમતિને થતાં તેના ચિત્તમાં રહેલા વિષાદના ભાવો વીતરાગતામાં પલટાવા માંડ્યા. નિર્જરાભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે – “શુદ્ધાત્મકી રૂચિ, સંવર સાધના હૈ નિર્જરા, ધૃવધામ નિજ ભગવાન કી આરાધના હૈ નિર્જરા, વૈરાગ્ય જનની, બંધ કી વિધ્વંસની હૈ નિર્જરા, હે સાધકો કી સંગિની, આનંદ જનની નિર્જરી.” શૂલ જગતની ઉત્પત્તિ એ પ્રકૃતિનું કાર્ય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી રાજીમતિનું ચિંતન એક એક કડી ઉપર આગળ વધતાં હવે લોકભાવના ઉપર વિસ્તરે છે – રાગી શું રાગ સહુ કરે રે, વૈરાગી સ્યો રાગ? મ. રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માંગ.. મનરા..૧૧ ચિંતનના સ્તરે રાજીમતિને પોતાનામાં રાગની બળવત્તરતા જણાઈ, રાગ એ સંનિપાત જ્વર જેવો ભાસ્યો. રાગી પ્રત્યેનો રાગ સંસાર વધારનાર છે જ્યારે તેનાથી ઉલટું રાગી પ્રત્યેનો વિરાગ એ મુમુક્ષુના લક્ષણો ધરાવે છે. રાગ હોય ત્યાં દ્વેષ હોય જ. આ જ મોહનીય કર્મની બળવત્તરતા જાણવી. જ્યાં રાગ છે ત્યાં પરસમયમાં પરતત્ત્વમાં મહાલવાપણું છે અને તેથી તે સ્વરૂપ-રમણતામાં બાધક છે, અંતરાયભૂત છે. આખો લોક બહિર્મુખ છે. પળે પળે રાગાદિના બંધનમાં જકડાતો જાય છે. રાજીમતિને ચિંતન કરતાં આ લોક શું છે? જીવાત્માઓને ભવભ્રમણ કેમ? વગેરેનું જ્ઞાન થયું અને જણાયું કે લોકના કોઇક ખુણામાં તો મારું અસ્તિત્વ છે જ. આ પદ્વવ્યાત્મક લોકને તો કોઈએ બનાવ્યો જ નથી. જીવાદિ દ્રવ્યો અનાદિઅનંત કાળથી સ્વયં છે જ, સત્ સ્વરૂપે છે જ. આ લોકને કોઈએ માથા ઉપર ધારણ કરી રાખ્યો નથી તેમ તેનો નાશ પણ કોઈ કરી શકતું નથી. જેની ઉત્પત્તિ નથી તેનો નાશ પણ કેમ હોઈ શકે? ઉત્પાદ-સ્વભાવના કારણે દરેક દ્રવ્યમાં નવી-નવી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. વ્યય-સ્વભાવના કારણે દરેક પર્યાયનો બીજી ક્ષણે નાશ થાય છે અને ધ્રુવ સ્વભાવના કારણે દરેક દ્રવ્ય પોતાના નિજસ્વરૂપને ટકાવી રાખે છે. વસ્તુના આવા ઉત્પાદ, વ્યય અને ધૃવાત્મક સ્વભાવ સિવાય કોઈ તેનો કરનાર, હરનાર કે ધરનાર નથી. આ લોકનું આવું જ સ્વરૂપ પુણલના ગુણધર્મોને, જીવે પોતાના માનવા તે જીવનું મિથ્યાત્વ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ 1058 હૃદય નયન નિહાળે જગધણી છે, જેમાં જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યો અનંતની સંખ્યામાં છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક-એકની સંખ્યામાં છે અને કાળ અપ્રદેશી ઉપચરિત દ્રવ્ય છે. અનંતાનંત સિદ્ધભગવંતો પણ લોકના અગ્ર ભાગે સ્વસ્વરૂપમાં લીનપણે રહેલા છે. ષદ્ભવ્યાત્મક લોકમાં મારું અસ્તિત્વ ચૈતન્યસ્વરૂપે છે. હું જ્ઞાતા-દષ્ટા એવો આત્મા છું, ધ્રુવ છું, એક છું, અખંડ છું, સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય અનંતાનંત ગુણોનો પિંડ છું. વીતરાગી સમભાવરૂપ છું. આત્મામાં લોકાલોકનું જ્ઞાતાપણું છે, કર્તાપણું નથી. કર્તાપણું આવ્યું એટલે રાગ-દ્વેષની બટેલીયન પણ આવી જ સમજો. તેથી જ ચૈતન્ય-સ્વરૂપમાં વિલસવું એ જ સ્વભાવ/લક્ષણ છે. સ્વસંવેદનરૂપ સ્વાનુભૂતિ વડે આત્માનું સમ્યજ્ઞાન પ્રકાશે છે. આવા સમ્યાન સાથે અનંતાનુબંધી કષાયોનો અભાવ થતાં વીતરાગી સમભાવ પ્રગટે છે, જેનાથી જીવને પરિભ્રમણ થતું નથી. આમ પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની જીવો દુઃખ ભોગવતા રહ્યા છે અને ચૌદરાજલોકમાં સર્વત્ર ભ્રમણ કરતાં જન્મ-મરણ કર્યા જ કરે છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ સમભાવ વગર જીવ કષાયરૂપ વિષમભાવથી સર્વત્ર દુઃખી જ જણાય છે. સમભાવ વિના ક્યાંય પણ સુખ નથી. આખો લોક રાગમોહ-માયા-મમતાના ભાવોમાં તણાતો જ જાય છે, તો શું હું પણ આ રાગાદિભાવોથી મુક્ત છું ખરી ? જો નથી તો મારી અને `અજ્ઞાનીમિથ્યાત્વી જનોની સ્થિતિ તો એક થઈ. ‘રાગી શું રાગ સહુ રે’ એ લોક સંજ્ઞા હજી પણ મારામાંથી ગઈ નથી. હું ધર્મી થવા ઈચ્છું છું. મારો ચૈતન્ય-લોક તો મારા આત્માની અંદર છે તેને જ મારે અવલોકવાનો છે. મારો લોક જનમાનસ જેવો મારાથી બહાર નથી, તેમ બહારનો લોક મારામાં નથી. રાજીમતિના માનસપટ આરાઘના વિકલ તત્ત્વ છે. સિદ્ધત્વ સકલ તત્ત્વ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી & 1059 ઉપર લોકભાવનાનો દિવ્યપ્રકાશ પથરાઈ ચૂક્યો હતો, તેથી તે પોતાના સ્વતંત્ર અસ્તિત્વને માણવા દઢીભૂત થતી ગઈ. સ્વયંની ચેતનામાં રાગની વિભાવદશા ઓગળતી ગઇ. આમ વૈરાગ્ય એ જ શ્રેયનો માર્ગ છે. પૂર્વે પણ મહામુનિવરોએ આ જ માર્ગ હાંસલ કરેલો હતો અને નેમિનાથ ભગવાને પણ હસ્તગત કરેલો આ વૈરાગ્યનો માર્ગ એ જ શ્રેયનો માર્ગ છે માટે મારે પણ તેને અનુસરીને મારી ભીતરમાં છુપાયેલ વીતરાગતાને પ્રગટ કરવી જોઈએ. આમ લોકભાવનાના ભાવનથી રાજીમતિના હૈયામાં તત્ત્વપ્રેરક પ્રકાશ રેલાતો રહ્યો. લોકભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – “આ જગના સંસ્થાનનો કરવો સદા વિચાર, લોકભાવના એ કહી, ધર્મ વૃદ્ધિ કરનાર, લોકભાવના ભાવવા, તત્ત્વજ્ઞાન ઉપાય, બહાર મન ભટકે નહિ, અંદર સ્થિર થઈ જાય.” * . હવેની ૧૨મી કડીમાં બોધિદુર્લભ-ભાવના ઉપર રાજીમતિનું ચિંતન વિસ્તરે છે તેને બતાવે છે – . એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો જાણે લોક, મ. અનેકાન્તિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ.” મનરા..૧૨ આ કડી દ્વારા રાજીમતિમાં રહેલ દુરાગ્રહ છતો થતો હતો. તે નેમિનાથ પ્રભુને ઉપાલંભ આપવા દ્વારા કહી રહી હતી કે જે ગુહ્યગોપનત્વ સ્વમાં ઉપયોગવંતતા સ્વરૂપ છે, પરથી પરાકામુખ થવારૂપ છે તે સઘળું જ્ઞાયકમાં સમાય છે. પરિપૂર્ણ બોધમાં રમવું, બ્રહ્મભાવમાં મહાલવું, સ્વથી સ્વને વેદવું, આત્માના આનંદમાં નિમગ્ન થવું તે જ બ્રહ્મચારીપણું છે, તે જ અનેકાન્તિકતા છે અને તેમાં તમારી રમણતા છે બાલાર મન એ સ્વરૂપને અનુરૂપ, જેટલાં ભાવો કરીએ, તે સાધના છે, જ્યારે પરને અનુરૂપ થતું, તે સંસાર ભાવ છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ 1060 , હૃદય નયન નિહાળે જગધણી પણ અમારા લોકમાં તે ઘટતું નથી. તેથી તમે કદાપિ અમારી ન્યાતના થનારા નથી, તમે અમારા જેવા કોઈપણ લક્ષણો ધરાવતા નથી, તેથી તમે ન્યાત બહાર છો! તમારામાં રહેલ ગુહ્યતા, અનેકાન્તિકતા, બ્રહ્મચારીપણું, વગેરે અમારી ન્યાતમાં રોગ-સમાન ગણત્રીમાં લીધેલ છે. અમે આવા રોગને કદાપિ સંઘરતા નથી. જો તમે અમારી જેમ માનસ-પરિવર્તનમાં માનનારા ન હોવ તો અમારી સાથેના તમારા સંબંધ આગળ જતાં કેમ વિકસિત થશે ? આમ રાજીમતિ પ્રેમના ઉત્કટપણામાં પોતાની અંદરમાં રહેલ ઉભરાને નેમિનાથ પ્રભુ આગળ ઠાલવતી હતી. પરંતુ જ્યારે ઉભરી બધો બહાર નીકળી ગયો ત્યારે ચિંતનાત્મક ભૂમિકામાં તેને તત્ત્વબોધ લાધ્યો, જાણ્યું કે અગુહ્યપણું, અબ્રહ્મચારીપણું, એકાંતપણું એ બધું એકાન્ત મિથ્યાત્વયુક્ત વિકારીભાવી છે, તેમાં સમ્યમ્ બોધને પામવો એ દુર્લભ છે. પરંતુ જો સાચો ઉપાય હાથ લાગી જાય તો દુર્લભ પણ સુલભ થઈ શકે છે માટે તે અશક્ય તો નથી જ. અનંત જીવો તે પામીને મોક્ષે સિધાવ્યા છે. અત્યારે આ પંચમકાળમાં પણ સમ્યગૂ જ્ઞાન થઈ શકે છે, અનેક જીવોએ તે આરાધ્યું છે. સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રની અખંડતાને બોધિ કહેવાય છે. સમ્યજ્ઞાન પામવું પણ મહાદુર્લભ કહ્યું છે તો રત્નત્રયની દુર્લભતાની તો શી વાત ? તેમાં પણ સમ્યગદર્શન, જ્ઞાન થયા પછી ચારિત્રદશા પામવી દુર્લભ છે. આવી દુર્લભ બોધિને મુમુક્ષુ આત્માઓ પોતાના આત્મામાં સાધે છે, તે આત્મસ્વભાવને સાધનરૂપ કરીને જ સાધે છે. રાગાદિ પરિણામથી બોધિ ક્યારે પણ સધાતું નથી. નિજ ચૈતન્યતત્ત્વની સન્મુખતાથી જ મોક્ષમાર્ગ સધાય છે. વીતરાગમાર્ગી સન્તોએ આ રીતે દુર્લભબોધિ ધર્મને સાધેલ છે. અઘાતી કર્મના ઉદયથી થતાં સંયોગોની પ્રાપ્તિ એ તો બાહ્ય ચીજ આવરણ, એ પુલવ્ય (કાર્પણ વણા) છે. જ્યારે વિકાર એ ચૈતન્યનો અશુદ્ધ પર્યાય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1061. 1061 છે. આવા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતાં શુભ ફળો અને પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થતાં અશુભ ફળો તો જીવને અનંતીવાર મળ્યા માટે તે સુલભ છે જ્યારે બોધિને પૂર્વે આરાધી નથી માટે તે દુર્લભ છે. વિશેષ તો એ છે કે અનંતગુણા જીવો તો હજુ એવા છે કે જેઓ નિગોદમાંથી નીકળ્યા જ નથી, એકેન્દ્રિયપણામાંથી નીકળીને ત્રસપણે પણ પામ્યા નથી. નિગોદમાંથી નીકળીને ત્રસપણાની પ્રાપ્તિ પણ દુર્લભ કહી છે. તેમાં ય મનુષ્યપણું, પંચેન્દ્રિય પૂર્ણતા, નિરોગી શરીર, ઉત્તમ જાતિ, કુળની પ્રાપ્તિ વગેરેને ઉત્તરોત્તર દુર્લભ ગણાવ્યા છે. તેમાં ય વીતરાગ વાણી, સર્વજ્ઞ કથિત ધર્મ અને સમ્ય દર્શનને પામવું તે તો અત્યંતઅત્યંત દુર્લભ છે; તો પછી રત્નત્રયની પૂર્ણતા પામવી કેટલી દુર્લભ ગણાય? આ કાળમાં શુદ્ધાત્માની વાત સાંભળવા મળવી તે દુર્લભ છે, સાંભળવા મળે પણ જો સમજે નહિ અને આત્મસાત ન કરે, તો તેની કોઈ કિંમત નથી. દુર્લભ એવા બોધિધર્મને પામવામાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. નેમિનાથ પ્રભુ જે વીતરાગતા પ્રતિ પ્રયાણ કરી રહ્યા છે, તેનો રાજીમતિને અણસાર આવ્યો. પરને પ્રાપ્ત કરવાનો જે દુરાગ્રહ, મિથ્યાત્વ, અજ્ઞાન છે તેને જાણ્યું. તેમાં એકાંતે સંસારીપણું છે તેનો બોધ થયો. બોધિદુર્લભ-ભાવનામાં ગુહ્યપણું, બ્રહ્મચારીપણું, અનેકાંતિકપણું, વગેરેમાં સ્વ તત્ત્વનો આનંદ ઉલ્લસિત થયો. ભૂલને સુધારી લેવી એ જ શ્રેયનો માર્ગ છે તે સમજાયું. આના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – “દુર્લભ હૈ નિગોદ સે થાવર અરૂ ત્રસ ગતિ પાની, નર કાયા તો સુરપતિ તરસે, સો દુર્લભ પ્રાણી, ઉત્તમ દેશ, સુસંગતિ, દુર્લભ શ્રાવક કુલ પાના, દુર્લભ સમ્યગ્દર્શન, દુર્લભસંયમ, પંચમ ગુન થાના, યારે ય છઘજ્ઞાનમાં, જાણવા જવું એ રાગ ઉપયોગ છે. જ્યારે કેવળજ્ઞાનમાં સહજ જણાય જાય એ વીતરણ ઉપયોગ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ 1062 હૃદય નયન નિહાળે જગધણી દુર્લભ રત્નત્રય, આરાધન, દીક્ષા કા ધરના. દુર્લભ મુનિવર કો વ્રત પાલન, શુભભાવના કરના, દુર્લભ તે દુર્લભ હૈ ચેતન, બોધિ જ્ઞાન પાવે, પાકર કેવળજ્ઞાન નહી ફીર ન ઇસ ભવમેં આવે.’’ હવે તેરમી કડીમાં રાજીમતિનું ચિંતન ધર્મભાવના ઉપર ચાલે છે તે બતાવે છે – જિણ જોણે તુમને જોઉં રે, તિણ જોણી જુવો રાજ ! મ. એકવાર મુજને જુવો રે, તો સિઝે મુજ કાજ.. મનરા..૧૩ પ્રસ્તુત કડી દ્વારા રાજીમતિમાં જે સરાગી દૃષ્ટિપણાનો જે આવેગ હતો, જે બળવત્તરતા હતી, વારંવારની વિનવણીઓ હતી; તે સઘળું ય જણાતાં પોતાની પામરતાની અવધિ જાણી. જાણ્યું કે સરાગીપણું એ જ સંસારને લંબાવનાર છે. વીતરાગી-દૃષ્ટિ એ જ મોક્ષમાર્ગ છે, તેથી સરાગીપણામાંથી વિરક્ત થવું એ જ શ્રેયનો માર્ગ છે. દ્રવ્યદૃષ્ટિ કેળવી શુદ્ધસ્વરૂપમાં ઉપયોગની લયતા કરશું અને પર્યાયષ્ટિ યુક્તતાને છોડતાં જઇશું, તો જ વીતરાગ-માર્ગમાં સ્થિત થવાશે. ધર્મની શરૂઆત આત્માના શુદ્ધસ્વરૂપના ભાનથી છે. સત્યધર્મની ઉત્પત્તિ થતાં સંવર-તત્ત્વ સમજાય છે. વિશેષ તેમાં સ્થિરતા વધતાં શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થાય છે. પર્યાયમાં મોક્ષનું પ્રગટીકરણ કરવા માટે શુદ્ધ, વીતરાગ, આત્મતત્ત્વ ઓળખી તેનું શ્રદ્ધાન કરવું અત્યંત જરૂરી બની જાય છે. શુદ્ધ તત્ત્વના શ્રદ્ધાન વિના આત્મધર્મની શરૂઆત થતી નથી. માટે તેની જ ભાવના કરવાની છે. આ ધર્મભાવનાના પ્રભાવે મોહભાવો ક્ષીણ થતાં શુદ્ધ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ સારભૂત ભાવોની પ્રાપ્તિ થાય છે. વિરાગી આત્માઓ આત્માના સર્વગુણો સમકાળે વિદ્યમાન છે. જ્યારે પુદ્ગલના સર્વ ગુણ પયાર્યો સમકાળે વિદ્યમાન નથી. આત્મા અક્રમ દ્રવ્ય છે. પુદ્ગલ ક્રમભાવી દ્રવ્ય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1063 જ્યારે પોતાનામાં વીતરાગ-ધર્મને ધારણ કરે છે ત્યારે જ અવિચલ સુખને પોતાનામાં વેદે છે. આમ ભાવધર્મરૂપે પરિણમેલો આત્મા પોતે જ ધર્મ છે. તેથી જ કહ્યું છે કે “ધર્મસ્ય મર્મ ધારયતિ ઈતિ ધર્મ” એ વ્યુત્પત્તિથી શુદ્ધ ધર્મને જ ધારણ કરવાનો છે માટે મિથ્યાત્વનો નાશ થયો હોય ત્યારે જ સાચા ધર્મની શરૂઆત થાય છે. મોહ-દષ્ટિ જાય પછી જ ધર્મની શરૂઆત થાય છે. વીતરાગ-ચારિત્રમાં આરૂઢ થયેલા મુનિવરો સાક્ષાત્ ધર્મ સ્વરૂપ છે. શુભાશુભ ભાવમાં આરૂઢ થયેલા અને માત્ર પુણ્યકર્મમાં રાચતા આત્માઓને વાસ્તવમાં ધર્મી કહ્યા નથી. મોહથી ન્યારો નિર્મોહતા સ્વરૂપ ધર્મ છે. સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે ય ભાવો મોહથી ન્યારા છે કારણકે તેમાં રાગનો અંશ માત્ર પણ નથી. ચતુર્થ ગુણસ્થાનકે જે રાગ ભાવ છે તે સમ્યગદર્શન ધર્મમાં સમાતો નથી તેમ મુનિદશામાં જે સંજ્વલન કષાય છે તે ચારિત્ર-ધર્મમાં નથી સમાતો. રાગ તે ચારિત્રમોહ છે તે ચારિત્ર-મોહથી ન્યારો ભાવ તે ચારિત્ર ધર્મ છે આમ ધર્મભાવનાના ચિંતનથી રાજીમતિના ચિત્તમાંથી સરાગી ભાવો વિલીન થવા લાગ્યા, રાગભાવની ઉત્કટતા સર્વથા ઓગળી ગઈ. ધર્મભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – . . - “નિજ આતમા કો જાનના, પહિચાનના હી ધર્મ છે, નિજ આતમા કી સાધના, આરાધના હી ઘર્મ હૈ, - શુદ્ધાત્મા કી સાધના, આરાધના કા મર્મ હૈ, - નિજ આતમા કી ઔર, બઢતી ભાવના હી ધર્મ હૈ.” આ રીતે તેરે તેર ગાથાઓમાં અનિત્યાદિ ભાવનાથી લઈ ધર્મભાવના સુધીનું ગૂંથણ કરીને શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સ્વ-પર બોધાર્થે ઉક્ત કડી “ધરી ભાવના રે” માં “ભાવના” શબ્દનો ઉલ્લેખ કરીને મહાન પ્રજ્ઞારૂપી છીણીથી, જ્ઞાન અને કર્મના ઉદયને છૂટા પાડીને, કર્મના ઉદયને નહિ વેદતા, જે માત્ર સ્વરૂપને-જ્ઞાનદશાને વેદે છે; તે ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન લઈ શકે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ 1064 હૃદય નયન નિહાળે જગધણી ઉપકાર કરેલ છે. રાજમતિમાં આ ભાવનાઓના જીવંત ભાવનાથી જીવનમાં આવેલો આ મહાન વળાંક જ ચૈતન્ય સન્મુખતા પ્રતિ લાવી દે છે. વૈરાગ્યા વાસિત થયેલી રાજીમતિમાં હવે પહેલાના જેવો પ્રેમરોગ જેવો સંનિપાત જ્વર, વલોપાત, ઉત્કટતા, વિષાદ રહ્યા નહિ. તે બધા વિલીન થઈ ગયા. વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર” માં એકરૂપતા સાધી, માહ્યલો જાગી ગયો. પર-તત્ત્વમાં રાચવારૂપ પરાવલંબન હતું તે ગયું. વિવેક સૂર્યનો ઉદય થતાં આત્મા એ જ ઉપાદેય છે, તેનું સંપૂર્ણ ભાન થયું. સ્વ પ્રત્યેનો ગુણાનુરાગ વધવા માંડ્યો, રાગાદિ ભાવોથી પર થવાનો પુરુષાર્થ જારી રાખ્યો, મિથ્યાત્વાદિ ભાવોનું ઉલ્લંઘન થતાં વિરતિપણાના ભાવમાં સંલગ્નતા થઈ. મહાવ્રતોના ઉચ્ચારણ માત્રથી ભૂતકાળની પ્રત્યેક પર્યાયમાં વિલસવાપણાના ભાવનું પ્રતિક્રમણ થયું વર્તમાન ક્ષણ આલોચનામાં પરિવર્તિત થઈ અને જ્યાં સુધી કેવળજ્ઞાન પર્યાય ન પ્રગટે ત્યાં સુધી અનાગતના પ્રત્યાખ્યાનમાં તે જોડાઈ ગઈ. ત્રિકાળી ધ્રુવ તત્ત્વની નિરંતર ભજના થતાં સ્વરૂપાચરણ ચારિત્રમાં લીનતા વધવા માંડી. શુદ્ધોપયોગમય સ્થિતિમાં જ પરમ શરણીયતા ભાસી. નેમિનાથ પ્રભુએ આરાધેલો આ માર્ગ જ મોક્ષમાર્ગ છે એવી દૃઢ પ્રતીતિ થઈ. આમ ચિત્ત તત્ત્વવિચારમાં લીન થતાં ભીતરમાં જ્ઞાતાદારૂપે પરિણમન થવા માંડ્યું. સ્વયંનુ જ્ઞાન, જ્ઞાનની પર્યાયમાં જ્ઞપ્તિરૂપે ભાસવા લાગ્યું. જ્ઞાન, જ્ઞાતા અને શેય એ ત્રણેનો અભેદ થયો. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ભગવાન જણાયો. જ્ઞાન ચેતના ઉલ્લસિત થવા લાગી. સ્વના આશ્રયે જ મોક્ષમાર્ગ છે અને સ્વના આશ્રયે જ મોક્ષ છે તેની દઢતા થઈ. જેમ જેમ સ્વરૂપમાં લીનતા સધાતી ગઈ, તેમ તેમ હું મોક્ષ સ્વરૂપ જ છું; એ શ્રદ્ધાન અસ્થિમજ્જા થતું ગયું અને હવે પોતે એટલે કે રાજીમતિએ વીતરાગતાને જ આદરવી એવો દૃઢ નિશ્ચય લક્ષિત થયો. સ્યાદ્વાદી એટલે ગુણગ્રાહી. Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1065 આમ પ્રાણનાથ નિરધાર દ્વારા આનંદઘનજી મહારાજે રાજીમતિમાં આવેલ આંતરિક વળાંકની જ રજૂઆત કરી છે, પ્રાણનાથ એવા નેમિનાથ પ્રભુનું વ્યવહારે લક્ષ કરીને તત્ત્વથી તો સ્વયંના જે નિજપરમાત્મા કે જે પ્રાણનાથ છે તેને જ આરાધવાના છે. ‘પ્રાણનાથ’માં જે ‘પ્રાણ’ શબ્દ છે તેમાં ‘પ્ર’કાર પ્રકૃષ્ટપણાને બતાવે છે અને ‘ણ’કાર અણનમતાને દૃષ્ટિગોચર કરે છે અને ‘નાથ’ શબ્દ સ્વ-સ્વામી સંબંધને નિર્દેશે છે. તેથી આ બધાનો સરવાળો કરતા પ્રકૃષ્ટપણે અણનમ સ્વયંની આત્મજ્યોતિ સ્વરૂપ ચૈતન્ય પ્રાણપુરુષ ચૈતન્ય જ પ્રાણનાથ છે. .. આમ ‘સ્વ’ સાથેના ‘સ્વામી' સંબંધની પૂર્ણ ઓળખ થતાં તેમાં જ તરૂપ થવું એવા ‘નિરધાર’ સાથે રાજીમતિ સ્વરૂપમાં વિલસવા લાગી. ‘નિરધાર' શબ્દ દ્વારા લક્ષિત એવા નિત્યનાથ, નિરંજનનાથ, નિર્મળાનંદ, નિત્યમુક્તપણામાં સ્વૈરવિહારી એવા સ્વયંના આત્મામાં રમણતા દ્વારા અનરાધાર સ્વરૂપને પામવું, એવા નિશ્ચયને પામીને • રાજીમતિએ નિજપરમાત્મા એવા પ્રાણનાથનું શરણ ગ્રહ્યું. રાજીમતિના સ્વાંગમાં આમ શ્રીમદ્ આનંદઘનજી મહારાજે તેર તેર કડીના નિચોડરૂપે આ ચૌદમી કડીમાં સ્વયંને પામવાની ઉત્કટતાને જ બળવત્તર કરી છે, તે માત્ર રાજીમતિ કે આનંદઘનજી મહારાજની જ નહિ તે પરંતુ સર્વ મુમુક્ષુ આત્માઓના, સંયમીઓના બોધાર્થે સ્વયંના આત્મામાં તરૂપ થવા દ્વારા પોતાના આત્માની આત્યંતિક નિર્મળતા કેમ પ્રગટે તે જ વસ્તુને લક્ષિત કરે છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજની વાંછા સ્વરૂપે આવી કલ્યાણકારી ભાવનાનો જ પડઘો પ્રસ્તુત સ્તવનમાં પડી રહ્યો છે. હવે સેવકનું કર્તવ્ય શું હોય ? તે વાતને રાજીમતિના માધ્યમે યોગીરાજ આ પંદરમી કડીમાં જણાવી રહ્યા છે. ઉપવાસ એટલે સ્વરૂપભાવમાં વસવું. Page #238 -------------------------------------------------------------------------- ________________ 1066 હૃદય નયન નિહાળે જગધણી સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ, મ. આશય સાથે ચાલિયે રે, એહિ જ રૂડું કામ.. મનરા...૧૫ અર્થઃ સાચો સેવક તે છે કે જે સ્વામીના માર્ગને અનુસરે. જ્યારે સ્વામીએ વીતરાગતા આદરી છે તો સેવક તરીકેનું મારું પણ કર્તવ્ય છે કે મારે પણ તે જ વીતરાગતાને આદરવી. સ્વામીના આશયને અનુસરીને ચાલવું એ જ એક શ્રેષ્ઠ કામ છે. એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી અર્થાત્ મારે પણ સ્વામીને અનુરૂપ વીતરાગતાની સાધના જ કરવી રહી. વિવેચનઃ ચૌદમી કડીમાં જોયા પ્રમાણે ભાવનાઓના ભાવનથી રાજીમતિના જીવનમાં આંતરદશાનો ઉઘાડ થયો. સમજણનું સ્તરે વૃદ્ધિ પામ્યું. પોતે કોણ છે અને પોતાના સ્વામી કોણ છે? એ સ્વ-સ્વામી સંબંધની ઓળખ થઈ અને તે થતાં જ પોતાના સ્વયંના આત્માને છોડીને પરને સ્વામી કરવાનો તલસાટ, ઉભરો એ અજ્ઞાનનો વિલાસ હતો એ વાત સ્પષ્ટપણે સમજાય ગઈ. પોતાનામાં અજ્ઞાન, મિથ્યાત્વ, વિષયોનો રોગ, ગુલામી, પરતંત્રતા, પરાધીનતા હતાં. માટે જ પોતાના સ્વયંના તત્ત્વને ભૂલીને તે પરને સ્વામી કરવા તલસતો હતો, એ વાત રાજીમતિને સમજાઈ. પર-દ્રવ્યમાં અણુમાત્ર પણ જે રતિ કરે છે, તે મૂઢ અને અજ્ઞાની બનીને સ્વરૂપમાં વિપરીતતાને ધારણ કરે છે. મારામાં રહેલ અજ્ઞાન જ મને આત્મ-સ્વભાવથી વિમુખ કરે છે. અજ્ઞાનના યોગે પરને પોતાનું માનીને જીવે વિષયોની ગુલામી કરી છે, માટે જ પરને સ્વામી કરવાના અને એના સેવક બનવાના – ગુલામીના ભાવો ઊભા રહ્યા છે. મારે જો આ ભવોભવની ગુલામીમાંથી છૂટવું હોય તો નેમિનાથ પ્રભુએ સમસ્ત સંસારનો ત્યાગ કરી જે વીતરાગ-માર્ગનું સેવન કર્યું છે, તે માર્ગ જ મારે પણ આદરવા યોગ્ય છે. વીતરાગ-માર્ગના સેવન સિવાય બીજી કોઈ રીતે લયોપશમ સમકિત, સાયિક સમકિતની અપેક્ષાએ વ્યવહાર છે. " Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1067 આત્મામાં રહેલા ઘાતિકર્મોથી છૂટકારો થતો નથી અને પરતંત્રતાની બેડીમાંથી છૂટી શકાતું નથી. વીતરાગ માર્ગનું સેવન એટલે મહાવ્રતોને અંગીકાર કરવા, સમિતિ-ગુપ્તિથી મુક્ત થવું અને નિશ્ચય સમ્યકત્વથી યુક્ત બનીને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રત્નત્રયીને આરાધવી, નિરંતર પોતાના શુદ્ધ ચૈતન્યમય આત્માનું લક્ષ કરી તેના અવલંબને સ્વરૂપમાં સ્થિરતા અને રમણતા કરવી અને તેના દ્વારા શુભાશુભભાવરૂપ જે આશ્રવો છે, તેનાથી અટકવું.. આત્માને જ્યારે પોતાનું ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયક તત્ત્વ કેવું છે? એનું ભાન અને શ્રદ્ધા પ્રગટે છે ત્યારે જ પરમાં હુંપણા અને મારાપણાના ભાવરૂપ મિથ્યા માન્યતાનો અંત આવે છે. માટે આવી જ્યાં સભાનતા પ્રગટે છે ત્યાં સંવરનો જન્મ થાય છે અને આ સંવરનો જન્મ થયા પછી સ્વરૂપનું લક્ષ્ય કરીને જેટલું આત્મઘરમાં રહેવાપણું થાય છે તે નિર્જરા છે. આવા સંવર-નિર્જરરૂપ માર્ગને જ વીતરાગી માર્ગ કહેવામાં આવ્યો છે અને તેના સેવનને જ પરમાર્થથી ધર્મ ગણવામાં આવ્યો છે. શુદ્ધાત્માને ધ્યાવતાં જ મુક્તિનો પંથ કપાય છે. નિજ સ્વભાવમાં રમણતા તે નિજ-ધર્મ છે. વિષયોમાં રાગાદિ પરિણામ યુક્ત દશા હોય ત્યાં સુધી તો આત્મ-સ્વભાવનું ભાન જ નથી અને તેથી તેનું ભાવનઘોલન વગેરે કાંઇ જ નથી; માટે ત્યાં સંવર-નિર્જરા રૂપ મોક્ષમાર્ગ પણ નથી. પરંતુ આશ્રવ અને બંધનો જ માર્ગ છે. સંવર-નિર્જરા સિવાય આત્માએ અસંખ્ય ભવો સુધીના એકઠા કરેલા સંચિત કર્મોનો નાશ થતો જ નથી. સ્વભાવના આશ્રયે જ સમ્યગ્રજ્ઞાનની ધારા પ્રગટે છે; માટે પરમ શરણ્ય એવા નિજ-પરમાત્માને જ ધ્યાવવાનો પુરુષાર્થ કરવાનો છે. તો જ “તો રહે સેવક મામ” પંક્તિની સાર્થકતા થઈ કહેવાય. હું એજ છું!” એ દ્રવ્યદષ્ટિ છે. જ્યારે અવસ્થાંતરતાએ “હું' એવો ને એવો નથી.” એ પર્યાયદષ્ટિ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ 1068 , હૃદય નયન નિહાળે જગધણી 1068 , એક માત્ર મિથ્યાત્વ જતાં ખોટી માન્યતાઓનો નાશ થાય છે અને પોતાનો, પોતાના સ્વામી સાથેનો સાચો સંબંધ સ્થાપિત થાય છે. મિથ્યાત્વની હાજરીમાં કરેલા સ્વામીના સંબંધો એ બધા પરમાર્થથી ખોટા સંબંધો છે. સમ્યગ્દર્શન થતાં પોતાના આત્માનો પોતાનામાં જ રહેલા પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત થાય છે એટલે તેને પ્રાપ્ત કરવા સાચી સેવા આવે છે; તેથી સાચું સેવકપણું પ્રાપ્ત થાય છે. “તો રહે સેવક મામ” પંક્તિની સાર્થકતા થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી અવિરતિપણાના ત્યાગથી વિરતિપણું અને પ્રમત્તદશાના ત્યાગથી અપ્રમતપણું પ્રગટ થતાં શુદ્ધોપયોગરૂપ આત્મઘરમાં વિશેષ કરીને રહેવાનું થાય છે એટલે સ્વ-સ્વામી સંબંધ પુષ્ટ-પુષ્ટતર થતાં સેવક, સેવ્ય એવા સ્વામીની નિકટ-નિકટતર જત જાય છે અને અંતે પોતે પણ સ્વામીના તુલ્ય બની જાય છે. સેવક-સેવ્યના ભેદ ટળી જઈને અભેદ સધાઈ જાય છે. . અજ્ઞાનદશામાં, ગાઢ મિથ્યાત્વદશામાં જે સ્વામી સંબંધ હતો તે મિથ્યા હતો એટલે ત્યાં સેવકપણું સાચું ન હતું. આવું સેવકપણું તે જ દાસત્વ, ગુલામીપણું હતું. ત્યાં પરતત્ત્વની સેવના હતી. સાચો સ્વામીસેવક સંબંધ સ્થાપિત થતાં જીવને શ્રદ્ધાનું થઈ જાય છે કે પોતાના આશ્રયે જ નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે, મલિનતાનો વ્યય થાય છે અને ધ્રુવતાનું અખંડ આલંબન રહ્યા જ કરે છે. પોતાનું કાર્ય પોતાનામાં જ જણાય છે. પરમાં પોતાનું કોઈ કાર્ય ભાસતું નથી. આત્મા પરને રજમાત્ર પણ સ્પર્શતો નથી. આવો વસ્તુ સ્વભાવ છે, એમ જાણીને રાજીમતિને એ સ્પષ્ટ થઈ ગયું કે વીતરાગતાને પ્રગટ કરવાના આશય સાથે જ ચાલવું જોઈએ. એ જ એક રૂડું એટલે શ્રેષ્ઠ કામ છે, તેને છોડીને બીજું કોઈ જ કામ જગતમાં શ્રેષ્ઠ નથી. જ્ઞાનથી (મતિજ્ઞાનથી) જ્ઞાન (કેવળજ્ઞના)નું ધ્યાન ધરવું એ રાજયોગ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1069 ઉત્પાદ-વ્યય અને ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે, તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે એટલે કે દરેક દ્રવ્ય પોતાના સ્વભાવપણે જ વર્તે છે પણ બીજા દ્રવ્યના કારણે કોઇના ઉત્પાદ-વ્યય-ધ્રુવતા થતાં નથી. મારો પોતાનો આત્મા પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવમાં અનાદિ-અનંતકાળ વર્તે છે. આવા સ્વભાવ-ધર્મને જાણ્યા પછી, પરથી પોતાનું ભેદજ્ઞાન કરવા દ્વારા પોતાના આત્મામાં સ્થિરતા થાય છે. તે પહેલા નહિ એમ રાજીમતિને જણાયું. મારા આત્મામાં વર્તતા આ વિષાદના ભાવો, આર્તતા, હૃદયવ્યથા, વિરહ-વેદના, પ્રેમરોગનો સંનિપાત, વિકારીભાવો એ જ ગુલામી છે, દાસત્વ છે, મોહદશા છે, અજ્ઞાન છે. આવો નિશ્ચય થતાં નિજપરમાત્મા કે જે વ્યવહારે નેમિપ્રભુ છે તેના આશ્રયે જ મોક્ષ છે. પારગામીપણું છે માટે નેમિપ્રભુના આશય સાથે ચાલીએ તો એહિ જ રૂડું કામ થયું કહેવાય. * આત્માએ પોતે પોતાનામાં લીનતા સાધવી, પોતાનામાં ઓગળી જવું. વીતરાગી પરિણામનું નક્કરપણું પામવું એ જ નેમિપ્રભુનો આશય છે. કારણકે તેઓએ પણ આ જ વીતરાગી પરિણામની ધારાને સાધવાનો પ્રયત્ન કર્યો છે માટે રાગધારા, અજ્ઞાનધારાને તોડીને સમ્યગ્રજ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામની વીતરાગી-ધારાને પ્રગટાવીએ તો જ તેમના આશય સાંથે ચાલ્યા કહેવાઇએ અને તો જ તે રૂડું કામ થયું કહેવાય. નિજ સ્વભાવમાં રમવું તે જ સર્વ આગમોનો સાર છે. - આમ “આશય સાથે ચાલીએ રે, એહિ જ રૂડું કામ” કડીમાં ઉક્ત ઉદ્ગારો દ્વારા શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સ્વ-પર બોધાર્થે તત્ત્વરુચિની જાગૃતિ લાવવા અદ્ભૂત શબ્દોની ગૂંથણી કરી છે, જે તેના જ્ઞાનનો આપણો ઉપયોગ, જે પ્રવાહથી નિત્ય , તેને સ્થિતિથી સ્થિર કરવો તે નિર્વિકલ્પકતા છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ 1070 હૃદય. નયન નિહાળે જગધણી ઊંડાણને સ્પર્શીએ ત્યારે જ ખ્યાલ આવે છે. પોતાના આત્મામાં કેવલજ્ઞાન-પર્યાયનો સંપૂર્ણ ઉઘાડ કરવા ઇચ્છતા આત્માએ, પરભાવોની અપેક્ષા રાખીને પરતંત્રતાને ઈચ્છવી એ અત્યંત નિરર્થક છે અને ચતુર્ગતિ પરિભ્રમણરૂપ મહાદુઃખનું કારણ છે. મહામુનિવરોએ, તીર્થંકરોએ આદરેલો આ માર્ગ જ મોક્ષમાર્ગ છે અને એ જ સર્વ જન હિતકારી છે; એમ રાજીમતિને સ્પષ્ટ બોધરૂપે પરિણમ્યું. ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમનાથ ભરથાર, મ. ધારણ, પોષણ, તારણો રે નવસર મુગતાહાર.. મનંરા..૬ અર્થ : મન, વચન, કાયાના શુદ્ધ પ્રણિધાને કરીને અથવા ઇચ્છાદિક ત્રણ યોગે કરીને શ્રી નેમિપ્રભુને સર્વપ્રકારે મારા સ્વામી તરીકે સ્વીકારી લઈ મેં તેમની જ આરાધના શરૂ કરી છે. તેને જ આશ્રયદાતા પાલનહાર, તારણહાર અને નવસેરો મોતીનો હાર માની લીધો છે. નવસેરા હારની માફક શ્રીનેમિનાથ સ્વામિને હૃદયમાં પૂરેપૂરા ધારણ કર્યા છે તેથી મારા સર્વ મનોરથોની પૂર્તિ થશે. મોતીનો નવસેરો હાર હૃદય વિષે રહીને આનંદ આપે છે તે પ્રમાણે ત્રિવિધ યોગથી ધારણ કરવામાં આવેલ નેમિપ્રભુ પણ મારા આનંદને માટે થયા છે. વિવેચન ઃ શ્રી નેમિનાથ પ્રભુના જીવનરૂપી વિશાળ જીવનઆકાશમાં શ્રી રાજીમતીરૂપી વિજળી ખૂબ ચમકે છે તેથી પ્રભુના જીવનના પ્રસંગો સાથે રાજીમતીને વણી લઇને સ્તવનકારે પ્રભુની અસાધારણ વીતરાગતાનું અદ્ભૂત નિરૂપણ કર્યું છે. બીજા ત્રેવીસ તીર્થંકર ભગવંતો પણ જન્મથી વિરાગી હતા પરંતુ તેમાંના શ્રી મલ્લિનાથ સિવાયના દરેક તીર્થંકરોને ભોગાવલી બાકી હોવાથી પરણ્યા હતા ત્યારે શ્રીનેમિનાથ પ્રભુના આત્મા લક્ષણથી જેમ જ્ઞાન સ્વરૂપ છે તેમ જ્ઞાન (કેવળજ્ઞાન) પરમાત્મા સ્વરૂપ છે. જ્ઞાન પરમ તત્વ છે. જ્ઞાન પરમાત્મા છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1071 જીવનમાં તો એ વિશેષતા છે કે તેઓ પહેલેથી જ પરણ્યા નહોતા અર્થાત્ બાલ બ્રહ્મચારી હતા. ખૂબી તો એ હતી કે રૂપગુણના ભંડાર સમાન રાજકુમારી સામે ચાલીને પત્ની થવા તૈયાર હતી અને તે રૂપે થવામાં પોતાને પરમ ભાગ્યશાળી માનતી હતી ઉપરાંત પાછળના આઠ-આઠ ભવથી પત્ની બનતી આવતી હતી. એ રીતે સ્નેહસંબંધને ટકાવી રાખ્યો હતો. કલ્પના કરી શકાય કે એ અબંધ થવા માટેના કલ્યાણ સંબંધ હતાઋણાનુબંધ હતા. સ્નેહનું આવું જોરદાર દોરડું કાપવું ઘણું મુશ્કેલ હતું; છતાં શ્રી નેમિપ્રભુએ ક્ષણવારમાં જ તે કાપી નાંખ્યું હતું અને પોતાની વીતરાગતાને જગજાહેર કરી હતી. આ તેમના જીવનની વિશેષતા છે. તો આ બાજુ જોઇએ તો રાજીમતિ પ્રભુને છોડવા તૈયાર નથી અને તેથી જ છેવટે તેમની પાસે દીક્ષા લે છે અને કેવળજ્ઞાન પામીને પ્રભુ પહેલાં જ મોક્ષે જાય છે. જાણે કે પ્રભુ જેને વરવા ચાહે છે તેને જોવા માટે જ પહેલા મોક્ષે જાય છે! આમ જોતાં તો વીતરાગ પરમાત્મા સાથે નારીનું વર્ણન બેહુદું છે, કઢંગુ છે, દોષરૂપ છે. છતાં રાજીમત અંતે વીતરાગતાને પામે છે માટે તે વર્ણન દોષને બદલે ગુણરૂપ બની જાય છે. વર્ણન કરનાર કવિનું તાત્પર્ય બંનેના પ્રેમ પ્રસંગોનું રસમય વર્ણન કરવામાં નથી પરંતુ ભવાંતરના બે અવિઘટક પ્રેમીઓ પણ સ્નેહસંબંધ તોડીને કેવી રીતે મોક્ષે જાય છે તે બતાવવામાં છે. વીતરાગતા એ અનેક જન્મોના પુરુષાર્થ પછી મળતી પ્રસાદી છે તેને મેળવનાર આ અદ્ભુત ભાવદંપતીપણાનો અજોડ દાખલો છે તેથી જ્યાં જ્યાં નેમિનાથ પ્રભુનું વર્ણન આવે ત્યારે રાજીમતિની યાદ પણ સહેજાસહેજ આવી જાય છે. જૈનેતર દર્શનમાં પણ કૃષ્ણ અને ગોપીઓના પ્રસંગો છે. જેમાં જ્ઞાન એ ચૈતન્યનું ચિહ્ન છે અને સુખનું સાધન છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ 1072 , હૃદય નયન નિહાળે જગધણી રાધા કૃષ્ણની ભક્તિ કરતાં કરતાં પોતાને ભૂલી જઈને કૃષ્ણમય બની હોય છે. એમ બંનેના પ્રેમ સંબંધનું વર્ણન આવે છે પણ ત્યાં તદ્ભવ મોક્ષગામીપણાનું તાત્પર્ય નથી. શ્રીનેમિપ્રભુ પરમાત્મદશાને વર્યા, કેવલ્યને પામ્યા તેમનું નિમિત્ત લઈને રાજીમતિ પણ પરમાત્મા બન્યા અને પ્રભુ પહેલાં મોક્ષમાં જઈ સિદ્ધ થયા તે વિશેષતા છે. પ્રસ્તુત કડીના કેન્દ્રસ્થાનમાં રાજીમતિ છે તેથી યોગીરાજ આનંદઘનજીએ ત્રિવિધ શબ્દ વાપરીને તેને ધારણ-પોષણ-તારણો સાથે ગૂંથવાનો પ્રયાસ કર્યો છે અને તે દ્વારા રાજીમતિના આંતર મનોમંથનને વાચા આપી આધ્યાત્મની પરાકાષ્ટાને તેમજ યોગચમત્કારને સર્જવાનો પ્રયત્ન કર્યો છે. વાત તો છે રાજીમતિની પણ તે આપણને સૌને લાગુ પડે છે. - પ્રસ્તુત સ્તવનની સત્તર કડીઓમાંથી શરૂઆતની તેર કડીઓમાં રાજીમતિનો નેમિપ્રભુ પ્રત્યેનો સ્નેહરાગ અને વિલાપ જોવા મળે છે પરંતુ, ચૌદમી કડીથી રાજીમતિની દષ્ટિ બદલાય છે અને તેથી નેમિપ્રભુના દેહને ન જોતાં તેમના આત્માને જોતાં દિવ્ય ચમત્કાર સર્જાય છે. નેમિપ્રભુએ જે કર્યું, તે જ મારે પણ કરવા યોગ્ય છે એમ શ્રદ્ધામાં આવે છે. આંતર મનોમંથન વૃદ્ધિ પામે છે. વૈરાગ્યના ઉપર-ઉપરના શિખરો સર થાય છે. પ્રગાઢ તત્ત્વચિંતનથી સારાયે સંસાર પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે. મિથ્યાત્વભાવોનું વમન થતાં અતિનિર્મળ એવી સમ્યકત્વદશા પ્રગટે છે, જે આત્માના ભાવ-આરોગ્યનું સૂચક છે. બહિરાદશા અને અંતરાત્મદશાની તુલનાત્મક વિચારણા કરતાં રાજીમતિને સમજાયું કે નિર્વાણમાર્ગને આપનારી વિમલ રત્નત્રયીની આરાધના જે મતિજ્ઞાનમાં આપણે ઈચ્છા કરીએ છીએ, તે જ મતિજ્ઞાનમાં નિરિહિતા લાવવાની છે અને એ જ મતિજ્ઞાનમાં, રાગને બદલે વૈરાગ-વીતરાગતા, તેમ વિકલ્પને બદલે નિર્વિકલ્પતા લાવવાની છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 107 ક્યાં? અને મોક્ષમાર્ગમાં અંતરાય કરનાર, બાધારૂપ બનનાર મિથ્યા જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના ક્યાં? સુદેવ-સુગુરુ-સુધર્મરૂપ તત્વત્રયીની ઉપાસના ક્યાં? અને સંસારમાં રખડાવનાર કુદેવ-કુગુરુ-કુધર્મરૂપ કુતત્વત્રયી ક્યાં ? ખોટી સમજણ અનાદિકાળથી હતી, તેનાથી મોટી શ્રદ્ધા અને ખોટા આચરણ થયાં, પરિણામે રત્નત્રયીની અનંતકાળથી વિરાધના જ વિરાધના કરી. તેના પ્રભાવે મોહમૂઢ બની મનબળ-વચનબળ-કાયબળની નિર્બળતા પ્રાપ્ત થઈ-વીર્યહીનતા મળી; તેના પ્રભાવે પાપનું જ કરણકરાવણ અને અનુમોદન ચાલુ રહ્યું. ફળ સ્વરૂપે મિથ્યાજ્ઞાન-દર્શનચારિત્રની જ પુષ્ટિ થઈ રસગારવ-રિદ્ધિગારવ, શાતાગારવમાં ગરકાવ થઈ જવાનું બન્યું. પરિગ્રહના ભાવથી ભારે થઈ, ચેતના મૂર્ણિત બની. માયાશલ્ય, નિયાણ-શલ્ય, મિથ્યાત્વ-શલ્યથી સ્વરૂપ ધર્મ નાશ પામ્યો, દુર્ગતિમાં છેદન, ભેદનાદિ દુઃખો વેધ્યા. આધ્યાત્મિક પતન થયું. કૃષ્ણ-નીલકાપોત ત્રણ અશુભલેશ્યા જ બહુલતયા રહી તેનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત બનેલા આત્માને જન્મમરણની ઘટમાળ જ અલી. કષાયોની પરંપરા વધી-વિષચક્ર જ ચાલ્યું. ભવસાગરના વમળમાં ફસાવાપણું થયું. - રાજીમતિને હવે સમજાયું કે નેમિપ્રભુના સ્નેહરાગથી તેમને પામવા જે વિલાપ કર્યો, આર્તધ્યાન કર્યું તેનાથી મેં મારા જ આત્માની કબર ખોદી નાખી છે. મારા આત્માને મેં દુર્ગતિનું ભાજન બનાવ્યો છે. અત્યાર સુધી જે અવળાઈ, ઊંધાઈ, વિપરીતતા કરી તેનું સચોટ ભાન થયું અને ખ્યાલ આવ્યો કે સુખને પામવાની મારી દિશા જ ખોટી હતી. પરમાંથી સુખ શોધવાનો મારો પ્રયત્ન એ રેતીમાંથી તેલ કાઢવા જેવો હતો. જ્યાં દિશા જ ખોટી હોય ત્યાં દશા કેવી રીતે સુધરે ? સત્ય સમજાતા સહજ એટલે બીજના ટેકા વિના. સતત એટલે કાળાંતર-વિક્ષેપ વિના. સરળ એટલે ભેદ વિના. વ્યના પોતાના ગુણ પ્રમાણેનું સહજ-સતત-સરળ કાર્ય એટલે જ દ્રવ્યનું વસ્તૃત્વ. Page #246 -------------------------------------------------------------------------- ________________ 1074 હૃદય નયન નિહાળે જગધણી રાજીમતિના જીવનમાં વળાંક આવ્યો. વલણમાં બદલાવ આવ્યો. દિશા ફરી. વિમુખતામાંથી અભિમુખતા અને સન્મુખતા આવી. અધ્યાત્મમાં પહેલા દિશા-મોક્ષ છે પછી દશા-મોક્ષ છે. સમ્યકત્વની પ્રાપ્તિ એ દિશા-મોક્ષ છે જ્યારે કેવલજ્ઞાનનું પ્રગટીકરણ એ દશા-મોક્ષ છે. ઉપરોક્ત વિચારણાના પરિપાક રૂપે નિર્ણય થયો કે સ્વામી નિવાર્ણમાર્ગને અનુસરીને વીતરાગ, સર્વજ્ઞ બન્યા છે. તે વીતરાગ માર્ગ જ નિશ્ચય રત્નત્રયીથી યુક્ત અનંત-ચતુષ્ક પ્રદાયક હોવાથી મારે માટે પણ તે જ આદરણીય છે-આરાધ્ય છે-ઉપાસ્ય છે. અનંત ચતુષ્ટય ને પામવા વીર્યને રત્નત્રયીમાં ફોરવવું તે જ યોગ્ય છે. અત્યાર સુધીમાં અનંતાનંત આત્માઓ રત્નત્રયીમાં ઉત્કૃષ્ટ વીર્ય ફોરવીને જ અનંત ચતુષ્ટયના ભોક્તા બન્યા છે. રાજીમતિએ એ પણ જાણ્યું કે ધર્મનું લક્ષણ એવા અહિંસા, સંયમ અને તપને ત્યારે જ પમાય કે જ્યારે તેના તતદ્ સ્વરૂપને પૂર્ણપણે જાણવામાં આવે. ધર્મનું લક્ષણ અહિંસા કહ્યું છે અને તે સ્વરૂપ-રમણતારૂપ શુદ્ધોપયોગરૂપ છે. સ્વરૂપના ઉત્સાહથી તેનો જેટલા અંશે ઘાત ન થાય તેટલા અંશે અહિંસા છે. તેમાં મિથ્યાષ્ટિ જીવને તો ખરી અહિંસા હોતી જ નથી. ત્રિકાળી ધ્રુવ સામાન્ય નિજ આત્માની રૂચિ-પ્રીતિને સ્વરૂપ ઉત્સાહ કહ્યો છે તેમાં શુદ્ધોપયોગરૂપ રમણતા તે અહિંસા છે. પરસમય અને પરભાવમાં રમણતા તે આત્મા પ્રતિનો ક્રોધ છે, અપ્રીતિ છે, અરૂચિ છે અને તેને જ તત્ત્વથી હિંસા કહી છે. આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામનો ઘાત કરવાવાળો ભાવ તે આત્મા સિદ્ધ સ્વરૂપ છે, બ્રહ્મસ્વરૂપ છે; એમ સમજી દેહભાન ભૂલી આત્મામાં લીન થવું એ મોક્ષ પુરુષાર્થ છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી ભાવ હિંસા છે તેથી તાત્પર્ય એ આવ્યું કે રાગાદિભાવોની ઉત્પત્તિ ન થવી તે જ તત્ત્વથી અહિંસા છે, તે જ ભાવથી અહિંસા છે અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે જ તત્ત્વથી હિંસા છે. કારણકે તેમાં ચૈતન્ય પ્રાણો હણાય છે. - મિથ્યાદષ્ટિ આત્માને મિથ્યાત્વના કારણે રાગાદિ ભાવો સતત ચાલ્યા જ કરે છે અને તેથી સમયે-સમયે તેને ભાવમરણ ચાલુ જ છે અને આ ભાવમરણ તે આત્માની હિંસા છે તેથી ત્યાં ભાવધર્મનો અંશ પણ નથી. આ હિંસાના પાપમાં અસત્યાદિ ચારે ય પાપો સમાઈ જાય છે. સ્વરૂપનું લક્ષ કરાવવા માટે તેને જુદા બતાવ્યા છે. તેથી જો સ્વરૂપનું લક્ષ્ય નિરંતર રહેતું હોય તો દ્રવ્ય-પ્રાણોના વિયોગ થવા માત્રથી હિંસાનું પાપ કહેલ નથી પણ પ્રમાદભાવ તે જ હિંસા છે. પ્રમાદના યોગથી ભાવ પ્રાણોનું મરણ અવશ્ય થાય છે. સમાલોચન કરતાં એ નક્કી થયું કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ એ સ્વરૂપનો ઘાત કરનાર હોવાથી તેને હિંસા જાણવી અને સમિતિ, ગુપ્તિ; મહાવ્રતો, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય, પરિષહ-જય, જ્ઞાયકભાવમાં રમણતાદિને અહિંસા જાણવી કારણકે તે ઉત્તરોત્તર ભાવવિશુદ્ધ દ્વારા "સંવર-નિર્જરાનું કારણ બને છે. “સંયમ શબ્દમાં ‘સ એટલે સમ્ય પ્રકારે અને યમ એટલે વ્રતો જાણવા. વ્યવહારવ્રત શુભભાવરૂપ છે પાંચમાં ગુણસ્થાને દેશવિરતિધરને તે વ્રતો દેશથી હોય છે જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવિરતિધરને તે સર્વથી હોય છે જ્યારે સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા હોય છે અને તેનાથી આગળ-આગળના ગુણસ્થાને તે નિર્વિકલ્પ દશામાં વિશેષ-વિશેષ લીનતા હોવાથી ચારિત્રગુણની વિશુદ્ધિ હોય છે. વ્યવહાર ચારિત્ર એ પરાશ્રિત છે સ્વને ય ન જાણે અને પરને ય બરોબર ન જાણે, તેનું નામ અજ્ઞાન. પોતે જાતે અનુભવે છતાં, જાત અનુભવનું ય જ્ઞાન નહિ તે અજ્ઞાન. Page #248 -------------------------------------------------------------------------- ________________ 1076 હૃદય નયન નિહાળે જગધણી જે શુભભાવરૂપ છે જે બંધમાર્ગ છે જ્યારે નિશ્ચય ચારિત્ર એ આત્માશ્રિત છે જે શુદ્ધોપયોગરૂપ છે અને તેથી સંવર નિર્જરા સ્વરૂપ છે. ‘તપ’ એટલે આત્માથી આત્મામાં તપનપણું અર્થાત્ સ્વથી સ્વમાં વિશ્રાન્ત થયું. તરંગ વિનાના ચૈતન્યનું પ્રતપન એ તપ છે જે સંવર-નિર્જરા સ્વરૂપ છે તપના જે બાર ભેદો બતાવવામાં આવ્યા છે તેની તાત્ત્વિક વિચારણાં કરતાં તે સ્વરૂપમાં સ્થિરતા લાવવા માટે કહેલ છે એમ જણાય છે આમ રાજીમતિએ અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ધર્મના ત્રિવિધ લક્ષણને જાણ્યા. વળી રાજીમતિને એ પણ સમજાયું કે જે નેમિનાથ ભગવાનના માર્ગે ચાલવા હું ઉત્સાહિત થઇ છું તે માર્ગને આત્મસાત્ કરવામાં અવરોધરૂપ મન-વચન-કાયાના યોગો છે જે આશ્રદ્વારો રૂપ છે. જેના કંપનપણામાં સ્પંદિત થતાં યોગો બંધ-પરિણામને કરે છે જેના ફળ સ્વરૂપે ગતિ અને આયુષ્ય પ્રાપ્ત થાય છે. મન-વચન-કાયાના આલંબનથી આત્મપ્રદેશોનું કંપન થવું તેને યોગ કહેવામાં આવેલ છે. આ દ્રવ્યયોગ છે. દ્રવ્યયોગ, કર્મ અને નોકર્મના ગ્રહણમાં નિમિત્તરૂપ યોગ્યતાને ભાવયોગ કહેલ છે. યોગના પંદર ભેદોને જાણીને સાધનામાં સ્થિર થવાનું છે જેમાં મનોયોગ ચાર ભેદે છે. વચનયોગ ચાર ભેદે છે અને કાયયોગ સાત ભેદે છે. ભાવમન શરીસ્થ છે. સંકલ્પ-વિકલ્પમાં અટવાયેલું રહે છે તેની ચાંચલ્યતા બંધ-પરિણામને કરે છે તેથી જ સાધનામાર્ગમાં મનની ચંચળતાને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાયક આત્મા જ્યારે શુદ્ધ ઉપયોગમાં સ્થિરતા કરે છે ત્યારે યોગોને ગ્રાહ્ય-ગ્રાહકભાવ ન મળવાથી વ્યવહારમાં યોગોને સ્થિર કર્યા એમ કહેવાય છે. સ્વરૂપ જ્ઞાન અને ધ્યાન એ મોક્ષપુરુષાર્થ પ્રઘાન છે. જ્યારે ત્યાગ-સંયમ-તપ ઇત્યાદિ એ માટેના સાઘન છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1077 * ત્રણે યોગના સમ્યક પ્રવર્તનથી ઉપયોગ શુદ્ધ થાય છે અને આ શુદ્ધોપયોગ જ ઉપયોગ-ધૈર્ય દ્વારા મોક્ષનું કારણ બને છે. એ માટે જ વીતરાગ દેવમાં, નિગ્રંથ ગુરુમાં અને પરમ અહિંસામય ધર્મમાં શ્રદ્ધા કરી દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્ત્વત્રયીની ઉપાસના કરવાની છે એટલે કે ગુરૂકુલવાસમાં રહી સંતસમાગમ અને સત્સંગ દ્વારા વીતરાગી દેવના વીતરાગ સ્વરૂપને જાણીને એવું જ વીતરાગ સ્વરૂપ પોતાનામાં પણ ભીતરમાં રહેલું છે; તેની દઢ શ્રદ્ધા કરવાની છે અને તેને પ્રગટાવવા રાતદિ ઘોર સાધના કરવાની છે. અસત્નો રંગ ઉતારવાનો છે અને સત્નો રંગ ચઢાવવાનો છે. ટૂંકમાં આત્મજ્ઞાનથી હું પરમાત્મ સ્વરૂપ જ છું એવો આત્મવિશ્વાસ પ્રગટાવવાનો છે - આત્મ-શ્રદ્ધાન દઢ કરવાનું છે અને પ્રતિસમયે શુદ્ધ ઉપયોગવંત બની આત્માચરણ કરી પરમાત્મદશાને પ્રગટાવવાની છે. સ્વયંના નિજ શુદ્ધાત્મામાં વસવું, સ્થિરતાને પ્રાપ્ત કરવી તે જ સ્વરૂપાચરણ ચારિત્ર છે, કે જે સ્વયંની અનંતશક્તિનો ઉઘાડ કરી દે છે. આ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ, પરથી અત્યંત નિરપેક્ષ હોવાથી મોક્ષના ઉપાયરૂપે પ્રબોધાયેલ છે તેને જ અવધારવાનો, આદરવાનો અને આત્મસાત્ કરવાનો છે. . કિન્તુ મેં તો સમ્યને બદલે વિપરીત આચરણ કર્યું છે, મારું દર્શન 'તો મોયુક્ત હતું. મારામાં મોહનીય કર્મની બાળવત્તરતા હતી. મોહનીય કર્મનું મૂળ તો રાગ છે. પ્રથમ તો મહકારણ એવા રાગને જ હણવાનો છે. રાગહનનથી જ મોહનન છે. નેમનાથ પ્રભુ પ્રત્યેનો મારો રાગ એ શું મિથ્યા નથી ? પોતાના ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય પરમાત્મ-તત્ત્વને ભૂલીને ઉપયોગને અન્યત્ર લંબાવવો એ શું વ્યાજબી છે? નેમિનાથ પ્રભુ પ્રત્યેનો મારો સ્નેહરાગ-કામરાગ તે પણ મહાવિકાર છે, એ મોહ છે. જેનાથી કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ ઉત્પન્ન થાય છે, જેનાથી સાંસારિક અન્ય વસ્તુઓ, વ્યક્તિઓ અને જીવ માત્ર સાથેનું વિવેકપૂર્ણ જીવન, સવ્યવહાર અને સદુપયોગ એ સદાચાર છે. એ ઘર્મપુરુષાર્થ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ 1078 1076 હૃદય નયન નિહાળે જગધણી ઉલઝનોમાં ફસાવાપણું થાય છે. એમાંથી મોહ, લોભ, લાલચ, માયા, કપટ, જૂઠ, સ્વાર્થ, દગો, વિશ્વાસઘાત, આદિ અનેક દોષો ઉદ્ભવે છે. અને સંયોગ-વિયોગ, હર્ષ-શોક વગેરેની શૃંખલા સર્જાય છે. આમ તત્ત્વચિંતનમાં અર્થગાંભીર્યતાની સ્પર્શના થતાં રાજીમતિને ઐદંપર્યાઈ હાથ લાગ્યો. “કામરાગ'માં કામ શબ્દ તો આનંદ સાથે જોડાયેલો છે. જે કામના-ઈચ્છા છે તે તો નિર્ભેળ અનંત અવ્યાબાધ, સંપૂર્ણ, શાશ્વત, અપ્રતિપક્ષ, અપ્રતિપાતિ સુખની એટલે કે આનંદની છે; જેમાં દુઃખ લેશમાત્ર નથી અને આનંદનો કોઈ પાર નથી, કોઈ છેડો નથી, કોઈ અંત નથી. એ તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિની કામના છે, જો કામના આત્માના શાશ્વત સુખની છે તો પછી સ્નેહ આત્માનો છે માટે સ્નેહરાગ એ આત્મરાગ બને છે. ' આમ આત્મકામ એટલે કે આત્મકામના છે અને આત્મસ્નેહ એટલે કે આત્મરાગ છે તો પછી દૃષ્ટિ આત્મદષ્ટિ છે. દષ્ટિ, દૃષ્ટિ ઉપર એટલે કે પોતાના ઉપર છે એટલે કે દૃષ્ટા ઉપર છે અર્થાત્ દ્રવ્યદૃષ્ટિ છે. આમ કામરાગનું આત્મકામમાં, સ્નેહરાગનું આત્મસ્નેહમાં અને દૃષ્ટિરાગનું આત્મદષ્ટિમાં પરિવર્તન થવું તે શુદ્ધ આત્મપરિણતિ છે જેનો આરંભ ચોથા અવિરત સમ્યકત્વ ગુણસ્થાનકથી છે અને સમાપ્તિ ચૌદમા ગુણસ્થાનકે છે કે જ્યાં પછી સિદ્ધત્વની પ્રાપ્તિ છે. આત્મવિમુખ પ્રવર્તન પરિવર્તિત થઈને આત્માભિમુખ પ્રવર્તન થતાં રાગનું પાત્ર નિજ આત્મા બનતાં આત્મનિમજ્જન થવાય છે. સ્વમય બનાય છે રાગ હનનથી મોહનન થતાં મોહન થવાય છે. રાગનું પાત્ર ત્યારે જ બદલાય કે જ્યારે સ્થૂલ કુયોગ છૂટે અને સુયોગ સાંપડે, સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ સાંપડે તો ખોટા દેશવિરતિ અસંખ્ય ભેદ હોય છે. સર્વવિરતિ એક ભેદે હોય છે. ક્ષયોપથમિક સમકિત (દેશ સમકિત) અસંખ્ય ભેદ હોય છે જ્યારે સાયિક સમકિત (સર્વ સમકિત) એક ભેદ હોય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1079 દેવ, ખોટા ગુરુ અને ખોટા ધર્મથી છૂટાય. એ માટે સદ્ગુરુનો સુયોગ થવો જોઈએ. જે સાચા દેવ અને સાચા ધર્મતત્ત્વની ઓળખ કરાવે. ગીતાર્થ, સંવિગ્ન, નિગ્રંથ, ત્યાગી ગુરૂ એ પરમાત્મ-તત્ત્વના ચાહક અને વાહક છે. તેઓ પરમાત્માની તેમજ પરમાત્મા જેનાથી બનાય છે તે દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગરૂપ ધર્મની ઓળખ કરાવે છે અને એના દ્વારા મોક્ષમાર્ગના દર્શક બને છે. વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માની ઓળખ થવાની સાથે ભીતરના નિજપરમાત્માની ઓળખ થાય છે. સાધક આત્માનો વર્તમાન પર્યાય અલ્પજ્ઞ છે પણ તેનું દ્રવ્ય તો પરમાત્માતુલ્ય પૂર્ણ જ છે. એ નિજ પરિપૂર્ણતાના આશ્રયે દ્રવ્યદૃષ્ટિ કેળવી પરિપૂર્ણ થવાશે પણ અલ્પજ્ઞ પર્યાયના આશ્રયે પરિપૂર્ણ થવાશે નહિ કારણકે જે પોતે સ્વયં જ અપૂર્ણ છે તેના આશ્રયે પૂર્ણ કેમ બનાય ? પૂર્ણના આશ્રયે જ પૂર્ણતા પ્રગટે એવો ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે. આથી જ પ્રભુશાસનમાં દ્રવ્યદૃષ્ટિનો મહિમા અદકેરો બતાવવામાં આવ્યો છે. અલ્પજ્ઞ પર્યાયના આશ્રયે જ સંસાર લંબાય છે, તેને દ્રવ્યદૃષ્ટિનું આલંબન લઈ ટૂંકાવી નાંખવાનો છે અને મોક્ષે જવાનું છે. આમ વિચાર-વલોણું કરતાં નિષ્કર્ષરૂપી નવનીત લાધ્યું કે આત્મકામી-આત્મસ્નેહી-આત્મલક્ષી થવા માટે વીતરાગ પરમાત્મા એવા સુદેવનો, નિગ્રંથ એવા સુગુરુનો અને આત્માને આત્મામાં ધારી રાખનારા સુધર્મનો યોગ થવો જોઈએ. પોતામાં પોતાપણાનું શ્રદ્ધાન એ જ આત્મવિશ્વાસ-આત્મદઢતા છે કે જે સમ્યગુ દર્શન છે, પોતામાં રહેલ પોતાપણાની જાણ એટલે કે હું કોણ? એ યક્ષ પ્રશ્નનો ઉકેલ તે આત્મજ્ઞાન, એ જ સભ્ય જ્ઞાન મૂર્તિમાં ભગવાનના દર્શન કરી, પોતાના આવરણનો ભંગ કરી, નિરાવરણ બનીએ, તો નિશ્ચયથી ઘર્મ થયો કહેવાય. Page #252 -------------------------------------------------------------------------- ________________ 1080 હૃદય નયન નિહાળે જગધણી છે તથા પોતાનામાં રહેલ પોતાપણાનું પ્રકાશન એટલે કે પરમાત્મભાવનું પ્રકાશન એ જ ચારિત્ર છે; આવું જ્ઞાન રાજીમતિને થયું. જ્ઞાનનો આવો ઉઘાડ થતાં એ જ્ઞાન પ્રકાશમાં સમ્યગ્ સમજણ આવી કે મારી જીવંતતા, મારું ચૈતન્યત્વ એ કાંઈ મન-વચન-કાયાદિ દ્રવ્યપ્રાણથી નથી પણ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ભાવપ્રાણથી છે.. જ્યાં મન-વચન-કાયાદિ એ આત્માના પ્રાણ જ નથી તો પછી એ મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એવો પ્રશ્ન જ ક્યાં રહે છે ? કરણ-કરાવણ અને અનુમોદનની ક્રિયામાં તો કરવાપણું છે અને તેનાથી તો શુભાશુભ આશ્રવ છે અને તેનાથી તો શુભાશુભ બંધ છે. વળી બંધ છે માટે તો ગતિચતુષ્કમાં ભમવાપણું છે-ભટકવાપણું છે-ફેંકાવાપણું ને ફંગોળાવાપણું છે. સાધક એવા આત્માનું પ્રયોજન તો પરમાત્મા થવાનું છે. મોક્ષ પામવાનું છે. આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં અક્રિય છે. કરવાપણું, બનવાપણું કે થવાપણું એ આત્માના સ્વભાવમાં નથી. આત્માના સ્વભાવમાં તો ઠરવાપણું, સમાવાપણું અને હોવાપણું છે. આમ મન-વચન-કાયયોગના ત્રિકરણ એ અશુભ હોય તો હેય જ છે પણ શુભ હોય તો પણ તે ઉપાદેય તો નથી જ. ગુપ્તિમાં ન રહેવાય અને મિતાચરણ થઈ જાય એ વાત જુદી છે. દેવચંદ્રજી મહારાજ અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં ગુપ્તિને ઉત્સર્ગ અને સમિતિને અપવાદ તરીકે ઓળખાવે છે. સાધના તો મનવચન-કાયાની ગોપનીયતા સ્વરૂપ ગુપ્તિની જ હોય; જેનાથી યોગાતીત થઇને, ઉપયોગવંત બનીને અશરીરીપણાને પમાય, નિઃશબ્દ થવાય. પોતાનામાં જે પરનું ભરાવાપણું-ખૂંપવાપણું છે, તે પર જ ખૂંચે છે અને કઠે છે. કાંટાની જેમ એ પોતાના પોતાપણાને ભેદે છે-વીંધે છે. દૃશ્ય એ નિમિત્ત છે. જ્યારે દષ્ટિ એ આંતરવૃત્તિ છે-ભાવ છે, જે ઉપાદાનરૂપ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1081 તેથી તે શલ્યરૂપ છે. આત્માના સ્વરૂપને આવરનારા તે ત્રણ ઘટકો માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય છે. માયાશલ્યમાં છળ, કપટ, ઠગાઇ, બેવફાઈ, છેતરપીંડી, વંચકતા છે. સરળતાનો અભાવ છે. આ શલ્યના પ્રભાવમાં જીવો જેવા દેખાય છે તેવા હોતા નથી અને જેવા હોય છે તેવા દેખાતા નથી. મન-વચનકાયાના પ્રવર્તનમાં વિપરીતતા હોય છે. નિયાણશલ્યમાં નાદાની છે. મહામુશ્કેલીથી મેળવેલી મહામૂલ્યવાન લબ્ધિને કોડીના મૂલ્યે વેચી દેવાની મૂર્ખામી છે. અવિનાશીના બદલામાં વિનાશીને ખરીદર્વાની બાલચેષ્ટા છે. હવેલી લેવા જતા ગુજરાત ખોવા જેવું છે. મિથ્યાત્વશલ્યમાં પોતાપણાની અભાનતા છે અને જે પોતાનું નથી એવા પરમાં નિજ-આત્માની બુદ્ધિ છે. સ્વના વિષયમાં બેભાનતા છે અને પરમાં ગુમરાહ બનવાપણું છે. વિનાશીમાં અવિનાશીનો, અનિત્યમાં નિત્યનો અને અશુચિમાં શુચિપણાનો ભ્રમ છે-ભ્રાન્તિ છે જે અવિવેક ખ્યાતિ છે. એ અવિદ્યા-અજ્ઞાન છે. આત્મા નિઃશલ્ય થાય તો આત્મશીલ થાય. આત્મશીલ ન થાય ત્યાં સુધી આત્મા એનો રંગ નહિ બતાવે. વલણ ફરે તો વર્ણ બદલાય. જેવું વલણ તેવો વર્ણ. જેવા ભાવ તેવો રંગ. આત્માનું વલણ અને ભાવ ઉજળા છે તો વર્ણ પણ તેજો-પદ્મ-શુક્લલેશ્યાનો છે પરંતુ જો વલણ અને ભાવ ઉજળા નથી પણ મિલન છે તો વર્ણ પણ કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યાનો છે. વર્ણ-લેશ્યા આત્માની ઉજ્જવળતા અને મલિનતાના સૂચક છે. વિપરીત-વલણ અને અશુભ-ભાવમાં આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપની સંતપ્તતા છે પણ જો વલણ આત્મલક્ષી અને ભાવ શુભ ક્ષણિક મન એ ક્રમિક મન છે. એમાં દૃશ્ય પ્રમાણે ઉપયોગ બદલાતો રહે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ 1082 હૃદય નયન નિહાળે જગધણી છે તો સમતા-સમાધિ અને સમરૂપતાની સંતૃપ્તતા છે. જે જીવને અનાદિના ભવભ્રમણમાંથી છોડાવીને લોકના અગ્રભાગે શાશ્વત સ્થિરતાને આપે છે. એ માટે જીવે એના ત્રિપારિણામિક ભાવને જાણી લઈને પોતાના ભવનની યોગ્યતા રૂપ જે ભવ્યત્વ છે તેનું ભવન કરવાનું છે અને જે દુર્વ્યવ્યત્વ છે કે જે અનાદિઅનંત કાળથી ચૌદ રાજલોકમાં સંસાર ભ્રમણ કરાવે છે તે સંસરણ માર્ગથી છૂટવાનું છે. સ્વના ભાવમાં ભવન ભવિજીવનું જ થાય છે. તે પણ ચરમાવર્તકાળમાં જ થાય છે અને તે પણ ત્યારે જ બને કે જીવ ચરમ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે તો. આ ત્રણે કરણોની શક્યતા ચરમાવર્તકાળમાં જ છે પણ ચરમાવર્તકાળમાં આવવા માત્રથી તે. થઈ જતાં નથી. ચરમાવર્તકાળમાં આવ્યા પછી પણ જે જીવ કર્મલઘુતાને પામે છે અને પછી જેનામાં પુરુષાર્થ વીર્ય ઉપડે છે તેં જ ભવિ આત્મા ઉપરોક્ત ત્રણ કરણ કરે છે. કરણ થાય તો ભવન થાય. એ માટે બુદ્ધિને સદ્ગુદ્ધિ એટલે કે પ્રજ્ઞા બનાવવી પડે છે, હેય-ઉપાદેયનો સતત વિવેક કરવો પડે છે અને સાધ્યને અનુરૂપ સાધનોને ભેગાં કરી સાધના કરવામાં આવે ત્યારે જે શુદ્ધિકરણ થાય છે તે જ ઉપરોક્ત ત્રણ કરણ છે; જેનાથી સૂત્ર-અર્થની તત્ત્વથી સદ્દહણા કરતાં ભૂતકાળના પાપોનું પ્રતિક્રમણ થાય છે, ભાવિમાં પાપ નહિ કરવાના પચ્ચક્ખાણ લેવાય છે અને વર્તમાનમાં વર્તવાથી કાળની અસરથી મુક્ત થઇ કાલાતીત બનાય છે અને અકાળ રહેવાય છે. નવ નોકષાય અને ચાર કષાયથી અળગા થઈ, ત્રિયોગની ગુપ્તિથી ગુપ્ત થઇ, શ્વેતમાંથી અદ્વૈતમાં આવીને ઉપયોગની ચંચળતાને નાથવાની છે અને ઉપયોગની નિષ્કપતાને હાંસલ કરવાની છે. ધ્યાતાને જ્યારે ધ્યેયનું અધાતિકર્મના ઉદયને ન વેદતા, કેવળ આત્માને વેદવો, તેનું નામ ધ્યાન છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી ૧૨ 1083 સતત લક્ષ રહે છે ત્યારે જીવ ધ્યેયના ધ્યાનથી, ધ્યાતા બનતા ધ્યેય સાથે ધ્યાતાનો અભેદ સધાય છે અને ઉપયોગ અકંપદશાને પામે છે અને યોગ અકંપદશા ભણીની યાત્રા શરૂ થાય છે. ઉપયોગ કંપન રહિત થતાં યોગ અકંપનદશા પ્રગટે છે ત્યારે જીવ સિદ્ધત્વને વરે છે. ધ્યેયનું અવિરત ધ્યાન અર્થાત્ ધ્યેયને પામવાની આતુરતા-તલપ એ તપ છે. ગુપ્તિથી ગુપ્ત અને સમિતિથી સમિત જીવન એ સંયમ છે અને જીવ માત્ર પ્રતિ મૈત્રી, પ્રેમ, અભયદાન એ વ્યવહાર-નયે અહિંસા છે. આમ અહિંસા-સંયમ-તપ રૂપ ત્રિવિધ ધર્મથી આત્મધર્મને પમાય છે. - આત્મા એના મૌલિક સ્વરૂપમાં અક્રિય છે માટે ક્રિયામાંથી અક્રિયતામાં જવું તે સાધના છે. તે સ્વરૂપ ક્રિયા છે. એ માટે જે મહામુનિવરોએ એકાંત-મૌન-સ્થિરાસન અને ધ્યાનની સાધના દ્વારા અસંગયોગ સાધ્યો છે. અસંગ યોગ એ ગુપ્તિ છે, જેનાથી વિપુલ પ્રમાણમાં સિંવર-નિર્જરા સધાય છે. . ' • આત્મા જો પોતે અવસ્થામાં (પર્યાયમાં) અવસ્થિત ન થતાં પોતાના ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્ય કે જે અધિષ્ઠાતા છે તેમાં અધિષ્ઠાન કરે, તો પ્રત્યેક ક્ષણે આત્મા ઉપરથી સંવર-નિર્જરા સધાવા દ્વારા કર્મોના ધોધના ધોધ ખરી પડે છે. શુદ્ધિકરણની આ પ્રક્રિયામાં સાધકને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે કે શુદ્ધ ચેતનનો એક પણ ગુણ નિચેતન-ચેતન અર્થાત્ મિશ્રચેતનમાં નથી અને મિશ્રચેતનનો એક પણ ગુણ શુદ્ધ ચેતનમાં નથી. - શુદ્ધ ચેતન પોતે અયોગી-અશરીરી છે માટે દેહ ધારણ કરીને રહેલા દેહી આત્માની ચેષ્ટાના માત્ર એણે જોનારા અને જાણનારા જ બની રહેવાનું છે પણ કર્તાપણાના ભાવથી બંધાવાનું નથી અને બંધપરિણામના ભોક્તા બની ભોગી થવાનું નથી. આ કાયગુપ્તિ છે. સ્વયંની દૃષ્ટિથી સ્વયંની દષ્ટિને એટલે કે જ્ઞાન-દર્શન ઉપયોગને જોવો; તે મોક્ષમાર્ગ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ 1084 હૃદય નયન નિહાળે જગધણી વળી શુદ્ધચેતન અણાહારી છે માટે મિશ્રચેતન જ્યારે-જ્યારે આહાર કરતું દેખાય ત્યારે તેના પણ જ્ઞાતા-દૃષ્ટા બની રહેવાનું છે પરંતુ કર્તા-ભોક્તા બનવાનું નથી. આ જૈનશાસન નિર્દિષ્ટ અદીઠ એવો અત્યંતર તપ છે, જે જીવને મોક્ષે લઈ જાય છે. વળી શુદ્ધચેતન એના શુદ્ધ સ્વરૂપમાં મૌન છે-અશબ્દ છે-નિઃશબ્દ છે. જડના સંયોગે ચેતન આજે મિશ્રચેતન બન્યો છે, તેથી ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ મળી છે; તો વાણી પ્રયોગને ટેપરેકૉર્ડ વાગી રહી છે; એમ સમજી તેના પણ માત્ર જોનારા અને જાણનારા બની રહેવાનું છે. આ મોન સાધના છે, ચૂપ સાધનાછે જે અત્યંતર તપ છે. આ વચનગુપ્તિ છે. વળી આત્મા એના શુદ્ધસ્વરૂપમાં વિકલ્પરહિત-ઇચ્છારહિતમોહરહિત-ભાવરહિત એવો નિર્મમ, નિર્મોહી, નિરીહ, વીતરાગ સ્વભાવી છે માટે તેને મનના વિચારો-વિકલ્પોના જોનારા ને જાણનારા અમન બની રહેવાનું છે. જે કાંઈ ભીતરમાં ઉઠે તેને શાંતભાવે પસાર થવા દેવાનું છે તેની કોઈ અસર એટલે કે છાપ ઉપયોગપર પડવા, દેવાની નથી. આ મનોગુપ્તિ છે. બુદ્ધિને સત્બુદ્ધિ બનાવી, પ્રાજ્ઞતા કેળવી સંયોગો-પ્રસંગો-પરિસ્થિતિ તથા વસ્તુ અને વ્યક્તિના સ્વીકારભાવમાં આવી જઇ સમભાવથી ભાવિત બની સંસારને ખાલી કરી નાંખવાનો છે. સ્વમાં સમાઈ જવાનું છે. બુદ્ધિમાંથી બુદ્ધ, પ્રબુદ્ધ બની અંતે અબુધ થઈને રહેવાનું છે અર્થાત્ સઘળું જાણવા છતાં હું કાંઇ જ જાણતો નથી એવા સરળ અને સહજાસહજ ભાવમાં રહેવાનું છે. ચંચળ ચિત્તને ભાવના, તત્ત્વચિંતન વિગેરેથી સ્થિર કરી વર્તમાનમાં બુદ્ધિ સત્ય (પરમાત્મ તત્વ)નો પક્ષ કરે અને હ્રદય સત્ય પરત્વે લાગણી ઉત્પન્ન કરે; ત્યારે નિષ્કપટ ભાવ આવે; જે અત્યંતર ચારિત્ર લાવે. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી. શ્રી નામનાથજી , 1085 વર્તીને કાળનો કોળિયો કરવાનો છે અને અકાળ એવા કેવલ્યજ્ઞાન અને સિદ્ધત્વની પ્રાપ્તિ કરવાની છે અર્થાત્ ઉપયોગની નિષ્પકંપતા અને પ્રદેશોની પરમસ્થિરતા પ્રાપ્ત કરવાની છે. ચિત્તને ચિત્ર બનાવી દેશકાળ પરિચ્છિન્નતામાંથી દેશકાળ અપરિચ્છિન્નદશામાં આવવાનું છે. જે ચિ છે તે સત્ અને આનંદ સ્વરૂપ છે, એવી સમજપૂર્વક આનંદસ્વરૂપના લક્ષ્ય સ્વરૂપધ્યાનમાં રહેવાનું છે. સ્વાદિ સાતે ય તત્ત્વો એ પર્યાય છે જ્યારે તેનામાં છૂપાયેલ અખંડ ચૈતન્ય-જ્યોતિ એ ત્રિકાળી શુદ્ધ નિજપરમાત્મતત્ત્વ છે, જેનું લક્ષણ પરમપરિણામિક ભાવ છે. સાતેય તત્ત્વોનો બોધ કરી એમાં પર્યાયનો બોધ દૃઢ કરી તેને શ્રદ્ધામાં ન લેતાં એકમાત્ર અખંડ, નિર્મળ ચૈતન્ય-જ્યોતિ તે જ હું-ક્ષણક્ષણની પર્યાય તે હું નહિ એમ શ્રદ્ધાન કરી. અંતર્મુખ ઉપયોગના બળે આશ્રવથી અટકવાનું છે, સંવરમાં રહેવાનું છે અને સંવરપૂર્વક નિર્જરા કરી અજીવના બંધનમાંથી સર્વથા છૂટી મોક્ષ પામવો એ જ નવતત્ત્વની જોયતા છે; જેનાથી અજીવ તત્ત્વથી છૂટાય છે અને આત્માનું પરમાત્મ-સ્વરૂપ જે સર્વથા ઉપાદેય છે, તે પમાય છે. - વારંવારના મનોમંથનના પરિણામે રાજીમતિને જે અધ્યાત્મનું 'નવનીત પ્રાપ્ત થયું; તેને કવિવર્ય યોગીરાજજીએ આ સોળમી કડીમાં મૂકયું છે, જે એક યોગ-ચમત્કૃતિરૂપ રચના છે. પ્રસ્તુત સોળમી કડીમાં “ત્રિવિધ”, “ધારણ-પોષણ-તારણો” અને “નવસર મુક્તાહાર” જેવા શબ્દપ્રયોગ કરીને યોગીરાજશ્રીએ નાનકડી ગાગરમાં અધ્યાત્મનો સાગર ભરી દીધો છે અને જગતને અમૃતરસનું પાન કરાવ્યું છે. નેમિનાથ ભગવાન જે સાચા અર્થમાં ભરથાર છે તે સાચા બૌદ્ધિક ભેદજ્ઞાન એ વ્યવહાર સમકિત છે. વ્યવહાર સમકિતને, સાઘન બનાવીને, જીવનમાં અનુભવો, ત્યારે નિશ્ચય સમકિત પ્રાપ્ત થાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ 1086 , હૃદય નયન નિહાળે જગધણી અર્થમાં સુખથી ભરી દેનારા અને સુખમાં ઠારનારા ભરથાર છે. લગ્નના માંડવે કન્યા પતિના ગળામાં વરમાળા નાંખતી હોય છે તેમ અત્રે લગ્નના પ્રસંગે ચોરીનાં મંગળસૂત્રરૂપ જે નવસેરો હાર પહેરાવવાનો હોય છે તે કેવો છે? તે બતાવતા કહે છે કે મુક્તિને આપનારો છે અને આત્માને એના પરમાત્મસ્વરૂપને પમાડનારો છે. સ્વયંને સ્વયથી વરાવનારો અર્થાત્ સ્વયંવરને પ્રાપ્ત કરાવનારો હાર પહેરાવ્યો છે જે મુક્તિમાળ છે-મોક્ષમાળા છે. ભગવાન શ્રી નેમિનાથે આદરેલો અને વિવાહ કરી જાન લઈને. આવીને પાછા ફરતાં નિર્દેશેલો જે ત્રિવિધ-યોગનો માર્ગ છે, તે જ ભગવાન આત્મા કે જે સ્વયંનો નાથ છે-ભરથાર છે કે જે સુખથી ભરી દેનારો-ભરપૂર સુખમાં ઠારનારો છે; તેને પામવાનો માર્ગ છે. ત્રણ પ્રકારનો જે મિથ્યાયોગ છે તેનો ત્યાગ કરવાનો છે અને જે તારનારો, આત્મધર્મને પોષનારો ત્રણ પ્રકારનો સમ્યોગ છે તે ધારવાનો છે-આદરવાનો છે-આરાધવાનો છે. તેનાથી જ આત્માને પોતાના ત્રણ સ્વરૂપયોગની પ્રાપ્તિ થાય છે. ત્રણ પ્રકારનો જે મિથ્યાયોગ ત્યાજ્ય છે-હેય છે એટલે કે ઉપેક્ષનીય છે પણ દ્વેષ કરવા યોગ્ય નથી. તે નીચે પ્રમાણે છે. ૧) મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર ૨) અશુભ મન-વચન-કાયયોગ અને તેનાથી થતું કરણ-કરાવણ અનુમોદનરૂપ યોગ જે મનોદંડ-વચનદંડ-કાયદંડ છે. (૩) કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ ૪) રિદ્ધિગારવ-સિદ્ધિગારવ-શાતાગારવ ૫) કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર વિયાર એટલે પદાર્થના સ્વરૂપની બૌદ્ધિક તપાસ. Page #259 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નેમિનાથજી , 1087 ૬) માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય ૭) કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોતલેશ્યા ૮) હાસ્ય-રતિ-અરતિ ૯) ભય-શોક-દુગંછા આ નવ પ્રકારના ત્રિવિધ મિથ્યાયોગનો ત્યાગ કરીને નીચેના નવપ્રકારના વિવિધ સમ્યયોગને ધારણ કરીને આરાધના કરવાની છે. ૧) સમ્યગ્રદર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્ર ૨) મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિ ૩) આત્મરાગ (પરમાત્મરાગ)-આત્મસ્નેહ-આત્મષ્ટિ (દ્રવ્યદૃષ્ટિ) ૪) આત્મરિદ્ધિ (આત્મવૈભવ)-આત્મસિદ્ધિ (પરમાત્મત્વની પ્રાપ્તિ)-શાશ્વત્ આત્મસુખ ૫) વીતરાગ-સર્વશદેવ-નિર્ગદગુરુ-અહિંસાધર્મ (આત્મધર્મ) ૬) સમ્યકત્વ-સરળતા-સમર્પિતતા ૭) તેજો-પપ્ર-શુક્લલેશ્યા . ૮) પ્રસન્નતા-સ્થિતપ્રજ્ઞતા-સ્વરૂપસ્થતા . ૯) અભય-અશોક-અદુગંછા છોડવા જેવા મિથ્યાત્વને છોડવાથી અને મેળવવા જેવા સમ્યકત્વની પ્રાપ્તિથી મુક્તાહારને વરાય છે એટલે કે મોક્ષ પમાય છે અર્થાત્ આત્મા એના સર્વકાલીન, શુદ્ધ, પરમ પરિણામિકભાવ સ્વરૂપ જ્ઞાયક આત્માથી અભેદ થઈ સ્વરૂપ ભોક્તા-સચ્ચિદાનંદ બને છે. સત્ એવો ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા છે, છે તો ચિસ્વરૂપ પણ એના આનંદસ્વરૂપથી વિખૂટો પડી ગયેલ એવા એ આનંદને પ્રાપ્ત કરતાં જ સચ્ચિદાનંદ પદે બિરાજમાન થાય છે. ભાવના એટલે લક્ષ્યને આંબવાની લગની. Page #260 -------------------------------------------------------------------------- ________________ 1088 હૃદય નયન નિહાળે જગધણી મુક્તાત્મા-સિદ્ધાત્મા થતાં ૧) જન્મ-જરા-મૃત્યુ ૨) આધિવ્યાધિ-ઉપાધિ ૩) મન-વચન-કાયા ૪) કરણ-કરાવણ-અનુમોદન ૫) અધોલોક-તિછલોક-ઉર્ધ્વલોકના પરિભ્રમણ ૬) ઇચ્છા-વિચારઆવરણ ૭) ગુણદોષ-પુણ્યપાપ-સુખદુઃખ ૮) કષાય-નોકષાય-અજ્ઞાન ૯) ભૂત-ભાવિ-વર્તમાન કાળથી સર્વથા છૂટી જાય છે. આ માટે ૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન મેળવી ૨) અહિંસાસંયમ-તપધર્મની આરાધના કરી ૩) ઈચ્છાયોગ-શાસ્ત્રયોગ-સામર્થ્યયોગ - સાધી ૪) ચરમયથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરકણ-અનિવૃત્તિકરણ કરી ૫) સુદેવ-સુગુરુ-સુધર્મરૂપ તત્ત્વત્રયીના ઉપાસક બની ૬) સમ્યમ્ દર્શનજ્ઞાન-ચારિત્રના આરાધક બની ૭) અનુકૂળ સાધન દ્વારા સાધ્યને અનુરૂપ સાધના કરી સાધ્યની સિદ્ધિ કરી ૮) ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકરૂપતાઅભેદતા સાધી ૯) યોગાવંચક-ક્રિયાવંચક-ફલાવંચક બનવાનું હોય છે. આ જ નવસેરા મુગતાહારના ધારણથી આત્મભાવનું પોષણ થાય છે અને ભવનિસ્તરણ થાય છે માટે તે જ ધારણ-પોષણ-તારણો નવસર મુગતાહાર કહેલ છે. આત્મા પોતે જ પોતાના વડે પોતાનામાં રમણતા કરે ત્યારે પરમાત્મભાવને પામે છે; એ નિર્વિકલ્પદશાના સિદ્ધાંતને યોગીરાજે આ સોળમી કડીમાં ઉજ્જાગર કર્યો છે. મોક્ષ પામવા માટે આ જ એક ઉપાય છે. તે જ વાતને હવે ઉપસંહાર રૂપે છેલ્લી કડીમાં જણાવે છે. કારણ રૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ, મ. કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ.. મનરા..૧૭ અર્થ વ્યવહારનયે જે નેમિનાથ પ્રભુ છે તે જ નિશ્ચય નયે મારો ધ્યાન એટલે ધ્યેયમાં એકાગ્રતા. Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1089 નિજ કારણ-પરમાત્મા છે. મારા કાર્યમાં સફળતા મળશે કે નહિ એની ગણના કર્યા વિના હે પ્રભો ! મેં આપને ભજ્યા છે. રાત દિ આપની જ ભક્તિમાં મારો આત્મા લાગેલો છે; તો હે પ્રભો ! કૃપા કરીને આપ મને આપનું આનંદઘનપદ આપો અર્થાત્ મુક્તિનું સામ્રાજ્ય આપની કૃપાથી મને મળો; એમ હું ઇચ્છું છું. વિવેચનઃ યોગીરાજ આનંદઘનજી મહારાજે અંતિમ ગાથામાં નિચોડરૂપ.કારણ-કાર્ય, ઉપાદાન-નિમિત્ત, વગેરેને રાજીમતિના મુખકમળ દ્વારા પ્રગટિત કરીને નિજપરમાત્માની ભજના કરવા દ્વારા પરમાત્મતત્ત્વમાં 'નિમજ્જન થવા અનેરી વાત કરી છે. પોતાના આંતર-બાહ્ય પરિણામોને ગણનામાં ન લેવા દ્વારા એક જ અભિલાષ વ્યક્ત કર્યો છે કે તે તેમનાથ ભગવાન ! આપ જેમ સ્વ વડે સ્વમાં લીન થયા છો, પારગામી બન્યા છો તેવો જ મારો સ્વરૂપલીનતારૂપ આ વ્યાપાર સ્વામીપણાને પ્રાપ્ત થાય. હું મુક્તિને વરું તેવા મારા આંતર-અભિલાષને પૂર્ણ કરો. 1. એવા પોતાના આંતર-મનોરથને વ્યક્ત કરવાદ્વારા એક ઉન્નતકોટિની લાક્ષણિકતાને જ સ્વ-પર બોધાર્થે મુખરિત કરી છે. આ “કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ.” તે પોતાની ચિંતનાત્મક ભૂમિકામાં રાજીમતિને પરમાત્મસ્વરૂપ ચિંતવતા અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, સ-અસત્ વગેરે પરસ્પર વિરોધી-ધર્મો દરેક દ્રવ્યમાં રહેલા જણાયા. પરસ્પર વિરોધી-ધર્મો એક જ આત્મામાં રહેતા હોવા છતાં તે વસ્તુ સ્વભાવને જ સિદ્ધ કરે છે તેમ જણાયું. | સહજ અનંતગુણાત્મક ત્રિકાળી એવું આત્મદ્રવ્ય કે જે માત્ર જ્ઞાયક છે તેનો જ જીવને સદા આધાર હોવાથી તે કારણ-પરમાત્મા છે તેના સાધનાના પ્રયોગ, સ્વયં સાધક બનીને ન કરો, તો કદિ સિદ્ધિ નહિ મળે. Page #262 -------------------------------------------------------------------------- ________________ 1090 , હૃદય નયન નિહાળે જગધણી અવલંબને-તેના આશ્રયે જ પર્યાયમાં કાર્યશુદ્ધ-પરમાત્મા પ્રગટે છે. કારણપરમાત્માની જ ભાવના નિરંતર થતી રહે તો કાર્યપરમાત્મા થવાય મારો કારણપરમાત્મા તે હું છું. હું દ્રવ્યસામાન્ય ત્રિકાળી છું. અને પર્યાય વિશેષરૂપ પરિણામોમાં હું નથી. પરિણામો તે ભેદરૂપ છે અને હું તો અભેદ-સ્વરૂપ, જ્ઞાયક, ચૈતન્ય પરમાત્મા છું. બહારમાં બધેથી ઉપયોગને ખેંચી લઈ ભીતરમાં પોતાના આત્મામાં વાળવાનો આ રાધાવેધ છે. જ્ઞાનાદિ નિજશક્તિથી આત્મા સ્વયં નિર્મળ કાર્યરૂપે પરિણમે છે પરંતુ પરના અવલંબનથી નહિ. આ જ્ઞાનસ્વરૂપી આત્મદ્રવ્ય એવું છે કે અન્ય વડે તે ક્યારેય કરાયેલું નથી એટલે તે અકાર્ય છે-અકાજ છે. અને પોતે પણ કોઈ અન્યને કરતું નથી એટલે “અકારણ છે. આ રીતે વિચારતાં જણાય છે કે જ્ઞાન-સ્વભાવી આત્મા અકાર્યકારણપણારૂપ ધર્મથી સહિત છે. મારા “કારણકાર્ય મારામાં જ છે અને આ જ તો સ્વાધીનતા છે. જે સ્વયંભૂ હોય તે સ્વતઃ સિદ્ધ અને સ્વયં સિદ્ધ જ હોય એ ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે. ' , જ્ઞાનનું કાર્ય તો જ્ઞાનરૂપ જ હોય કારણ કે સંવર-નિર્જરા-મોક્ષરૂપ નિર્મળ પર્યાય સહિતના આત્માને જ આત્મા ગણ્યો છે. આવા આત્માની શ્રદ્ધા થતાં આવા આત્માનું ભાન થતાં પરના કાર્યોમાંથી દષ્ટિ છૂટી જાય છે અને સ્વ-કાર્યના કારણરૂપ નિજસ્વભાવ ઉપર દૃષ્ટિ જાય છે એટલે સમ્યગ્દર્શન, વગેરે નિર્મળ કાર્ય થાય છે. તેથી જ સંતો વારંવાર પોકાર કરીને કહે છે કે હે ચેતન! તું તારા સહજ સ્વભાવને-શાયકમાત્ર ભાવને ગ્રહણ કર ! કારણ કે તેના ફળરૂપે તને કેવળજ્ઞાન પ્રગટે એવો તારો સ્વ-સ્વભાવ છે. ભાવનું ભવન સ્વમાં થવું તે જ સ્વભાવને પામવું છે. કેવળજ્ઞાનનો સહજ ઉપયોગ એ સ્વાધીનતા છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1091 * રાજીમતિની પ્રગાઢ તત્ત્વપ્રેરક ચિંતવનાએ તેને કારણપરમાત્માનું અવલંબન લેવા પ્રેરી. જે દૃષ્ટિ પહેલા જગતના શેય ભાવો તરફ હતી, તે હવે ત્યાંથી હઠીને જ્ઞાન સન્મુખ થવા લાગી. પરમાં હું નથી અને હું માં પર નથી; આવી શ્રદ્ધા થતાં ઉપયોગ ચૈતન્યઘરમાં સ્થિર થવા લાગ્યો. સંકલ્પ વિકલ્પો શાંત થવા લાગ્યા. અજ્ઞાનકાળમાં જે પરાશ્રયપણું હતું, પરાધીનતા હતી, જે પરની ગુલામી હતી તેના કારણે આર્તરૌદ્રના જે જાળા આત્મા ઉપર બાઝતા હતા; તે બધું બરાબર દૃષ્ટિગોચર થયું. બંધમાર્ગ તે બધો “અકાજ એટલે અકાર્યરૂપે જણાયો અને સંવર-નિર્જરા રૂ૫ અબંધ માર્ગ તે જ “કાજ' એટલે કાર્યરૂપે સમજાયો. એ પણ ખ્યાલ આવ્યો કે જે જાણે છે તે પર્યાય હું નથી પણ જે જણાય છે તે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તે જ “હું છું. બોધની સ્પષ્ટતા થતાં જે પૂર્વમાં “અકાજ એટલે અકાર્યરૂપે હતું તે સઘળું ‘કાજ' એટલે કાર્યરૂપે પરિણમી ગયું. . . સઘળા ય પરિણામો પછી તે શુભ હોય કે અશુભ હોય કે શુદ્ધ હોય ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક દ્રવ્યની અપેક્ષાએ વિચારતાં આત્માની બહાર જ છે કારણ કે પરિણામ તે પર્યાય છે અને દૃષ્ટિપ્રધાન અધ્યાત્મ-શૈલિમાં ' જ્ઞાયક ઉપર દૃષ્ટિ સ્થિર કરવા માટે પર્યાયને હેય માનવામાં આવી છે. પર્યાયને પદ્રવ્ય યાવત્ અદ્રવ્ય માનવામાં આવેલ છે. પર્યાય ક્ષણિક છે. "ક્ષણે-ક્ષણે પલટાય છે ક્ષણિકના આશ્રયે મોક્ષમાર્ગ કે મોક્ષ ક્યારેય પણ પમાતો નથી. અપૂર્ણના આધારે પૂર્ણને પમાય નહિ. પૂર્ણના આધારે જ પૂર્ણને પમાય. . રાજીમતિને એ સમજાયું કે હવે તો પારગામી થવું એ જ શ્રેષ્ઠ છે. નેમનાથ પ્રભુના ચરણોમાં સમર્પિત થાઉં ત્યારે જ સિદ્ધિપદને પમાય. કેવળજ્ઞાનનો સરળ ઉપયોગ એ વીતરાગતા છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ 1092 , હૃદય નયન નિહાળે જગધણી સાચી વિશ્રાંતિ તેને જ કહી છે. તેથી પ્રભુનું શરણ અંગીકાર કરવું એ જ શ્રેયમાર્ગ છે. કૃપા કરી મુજ દીજીએ રે આનંદઘન પદ રાજ” કૃપાનો અર્થ પ્રાર્થના-ભાવના કરી શકાય અને દીજીએ નો અર્થ ન્યાલ કરો, પારગામી બનાવો, શરણ આપો, વગેરે કરી શકાય. જે કૃતાર્થ-કૃતકૃત્ય બનાવવાનું પાવન કાર્ય કરે છે તે કૃપા છે. રાજીમતિ પ્રભુને વિનંતી કરી રહી છે કે હે નાથ ! આપ તો અભયને દેનાર છો! પરમ શરણ્ય એવા જગન્નાથ છો! તો મારી આપના શરણમાં આવવાની પ્રાર્થના ને આપ ધ્યાનમાં લો ! મારી વિનંતીને આપ સ્વીકારો ! હે નાથ ! આપ સંકલ્પ કર્યા વિના જ કલ્પવૃક્ષ સમાન ઈષ્ટ-ફળને આપનાર છો! ચિંતવ્યા વિના જ ચિંતામણિ સમાન ઉત્તમ ફળને આપનાર છો ! હે નાથ ! આપ અદ્વિતીય લોકોત્તમ પુરુષ છો ! આપ શાશ્વત્ મંગળસ્વરૂપ છો ! અરિ(શત્રુ)ને પણ ઈષ્ટ એવા આપ તો અરિષ્ટ નેમિ છો! તેથી આપ મારી વિનંતીને ધ્યાનમાં લો અને મને સંસારથી પાર ઉતારો અને આપની જેમ આનંદઘન પ્રભુનું સામ્રાજ્ય આપો ! આપના આશ્રયે રહેલાને મોક્ષ હસ્તામલકવત્ થાય છે અને મુક્તિનું પરમ સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે. રાજીમતિની પ્રાર્થનાને સ્વીકારીને નેમિ પ્રભુએ તેને સંયમ આપ્યું. પરમ શરણ્ય બક્યું. અને રાજીમતિજી પણ સંયમ લઈ ભાવધર્મને વર્યા. જ્ઞાનમાત્ર ભાવનું આલંબન લઈ નિજ-આત્માના ધ્યાનમાં જ તલ્લીન થયા, શુક્લધ્યાનને સ્પર્શવા દ્વારા ઘાતી-અઘાતી કર્મોનો ક્ષય કરી પ્રભુ પહેલા જ સિદ્ધિ પદને વર્યા. આનંદઘન સ્વરૂપ નિજ-સામ્રાજ્યને વર્યા. સંસાર સાગરને તરી ગયા, આમ પોતાના જ ઉપાદાનની યોગ્યતાથી નેમિ કેવળજ્ઞાનનો સતત ઉપયોગ એ નિત્યતા છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી , 1093 $ 1093 પ્રભુ જેવા સમર્થ આત્માનું નિમિત્ત પામીને સ્વથી સ્વમાં લીન થવારૂપ સ્વામીપણાને પામ્યા. યોગીરાજ આનંદઘનજી મહારાજે પ્રથમ ગાથામાં કરેલ “અષ્ટભવાંતર' શબ્દની અર્થગાંભીર્યતા ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોમાં કરી હતી. અર્થાત્ પુનઃ પુનઃ ભવોની આવૃત્તિ યુક્ત અષ્ટકર્મોથી બંધાવાપણામાં કરેલ અને છેલ્લે તેને છેલ્લી સત્તરમી કડીમાં ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોથી મુકાવાપણાથી સિદ્ધિગતિને પામવા રૂપે બતાવીને પૂર્ણાહુતિ કરી. રાજીમતિની પૂર્ણતા સુખ' શબ્દની વ્યાખ્યામાં ‘આનંદ’ને નિર્દેશે છે. આનંદ એ અતીન્દ્રિય સુખ છે અને તે આત્માના સ્વભાવમાં સદાયે ભરેલું પડ્યું છે. પર્યાયે અંદરમાં જઈને સુખસમુદ્રમાં ડૂબકી મારીને ચૈતન્ય-ભગવાનનો એટલે આનંદઘન સ્વરૂપ નિજ-પરમાત્માનો ભેટો કર્યો ત્યાં જ આનંદ પ્રગટ્યો. જ્યાંથી આનંદની સરવાણી ફુટે છે તે આનંદશ્રોતનો ભેટો થયો. અનાદિથી અજ્ઞાનભાવે રાગને ભેટતાં જ દુઃખ હતું તે ટળી ગયું. દુઃખનો આત્યંતિક અભાવ થયો અને અવ્યાબાધ અનંત-અમાપ-અપાર-અસીમ સુખના સાગરની લહેર ઊઠી. * અસંખ્યપ્રદેશી આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિ અનંતગુણો અને તેનું નિર્મળ પરિણમન આ ત્રણે ય થઈને અખંડ આત્મવસ્તુ છે તેને લક્ષમાં લેતાં સમયે સમયે નવો નવો આનંદ પ્રગટે છે જે સમગ્ર આત્મામાં વ્યાપે છે. રાજીમતિનો ઈચ્છાયોગ એ સામર્થ્યયોગમાં પરિણમ્યો અને તેઓ આનંદઘનપદના સામ્રાજ્યને વર્યા. સ્વસ્વરૂપમાં લીન થયા. યોગાવંચક થઈ, ક્રિયાવંચક બની, ફળાવંચકપણાને પામી કૃતકૃત્ય બન્યાકૃતાર્થ થયા. ઈચ્છા-લક્ષ્ય અને દૃષ્ટિ ઉપર જ સાધનામાર્ગ છે. જેવી ઈચ્છા-લક્ષ્ય અને દૃષ્ટિ તેવો આત્મા ! Page #266 -------------------------------------------------------------------------- ________________ 1094 , હૃદય નયન નિહાળે જગધણી આ, છે તો દેવી રાજુલનો નેમિરાજની રાજરાણી બનવા માટેનો વિલાપ. એ વિલાપ-એ વિખવાદ વૈરાગ્ય બની સલાપમાં બદલાઈને વીતરાગતામાં પરિણમિત થાય છે. હતું આર્તધ્યાન, જે ધર્મધ્યાનમાં પલટો ખાઈને શુક્લધ્યાનમાં પરિણમિત થઈ શુક્લદશા-શુદ્ધદશા-શુભ્રતાને પામે છે. કારણકે એ વિલાપ-એ વિખવાદ અવિનાશી એવાં વીતરાગી પરમાત્મા અરિષ્ટનેમિને પામવા માટેનો હતો. અવિનાશી સાથેનો સંબંધ મિત્રતાનો હોય કે શત્રુતાનો પણ જો. પાત્રતા હોય તો તે અવિનાશી બનાવ્યા વગર રહેતો નથી. શત્રુ એવા ગોશાળાને પણ અવિનાશી એવાં મહાવીર પ્રભુની સાથેના સંબંધોએ સમકિત પ્રાપ્ત કરાવ્યું. અવિનાશીની સાથે જોડાયેલાં આપણા તન-મનધન વચન અવિનાશીતા અર્થાત્ ચિરંજીવતાને પામે છે, કવિ જ્ઞાનવિમલજીની વીતરાગ એમ જશ સુણીને, રાગી રાગ કરે, આપ અરૂપી રાગ નિમિત્તે, દાસ અરૂપ ધરે; રે મનના મોહનીયા. આ પંક્તિઓને અત્રે યાદ કરવા જેવી છે કે રાગીનો રાગ રાગી બનાવે અને વિનાશીનો સંગ વિનાશી બનાવે પરંતુ વીતરાગનો રાગ તો વીતરાગી બનાવે અને અવિનાશીનો સંગ અવિનાશી બનાવે ! ભલે ભગવાન અકલ-અરૂપી-અવિનાશી-વીતરાગી રહ્યા પણ એ વીતરાગીનો જશ, એની આદયતા, એની આકર્ષકતા, એનું ગુણસોંદર્ય, એના મુખારવિંદ ઉપર ઝગારા મારતું ઝગમગતું જ્ઞાનતેજ તો ભલભલાને આકર્ષિત કરી, મોહિત કરી, પ્રભાવિત કરી, આશ્રિત બનાવી, રાગી બનાવી, સ્વાશ્રિત, નિર્મોહી, નિરીહ, વીતરાગી, અવિનાશી બનાવે છે. એ જ એ અવિનાશી વીતરાગી સર્વજ્ઞ ભગવાનનો અતિશય છે-પ્રભાવ છે કે જે એના શરણને પામે છે તેને વિભાવમાંથી સ્વભાવમાં સ્થાપિત કરે છે. સાધન, સાયા ખોટાની તપાસ-ચકાસણી કરતાં તો, સાધનાના સાયા ખોટા પણાની તપાસ મહત્વની છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજી 1095 આ કૃતિ દેખીતી રીતે તો દેવી રાજુલનો નેમિકુમાર માટેનો વિલાપ છે. જે ગર્ભિત રીતે ચેતના (પર્યાય)નો ચેતન (દ્રવ્ય) સાથે અભેદરૂપ પરિણમન માટેનો આર્તનાદ-પોકાર છે. એ ચેતનાની જાગૃતિના અને ચેતનની સાથે અભેદ થવાના તરફડાટ-તલસાટ હોવાના એંધાણરૂપ છે. વળી આ કૃતિ દ્વારા યોગીરાજજીએ સ્ત્રી મોક્ષના સમર્થનથી ઉપાદાનની બળવત્તરતાને યોગ્ય રીતે ઉજ્જાગર કરેલ છે. યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ નર હોય કે નારી પરંતુ મહીંનું ઉપાદાન તો પુરુષ-આત્મા જ છે, તે જો વિકસિત છે તો યોગ્ય નિમિત્તકારણ (નેમનાથજી)ને પામીને તે કારણરૂપ ઉપાદાન બનતા સ્વયંના કાર્યરૂપ ઉપાદાનતા કે જે કૃતકૃત્યતા સ્વરૂપ છે તેને નર હોય કે નારી પોતાના પૌરુષત્વ-આત્મત્ત્વને સ્વયં સ્વપુરુષાર્થથી પ્રગટ કરશે. એ એક વરવી વાસ્તવિકતા છે કે જ્યાં સુધી નિમિત્તને પામીને કારણરૂપ ઉપાદાનતા આવતી નથી ત્યાં સુધી કાર્યરૂપ ઉપાદાનતા જે માત્ર સ્વપુરુષાર્થથી જ પ્રગટે છે તે પ્રગટ થતી નથી. એ જ કૃતકૃત્યતા છે. ૨૧મા નમિનાથના સ્તવનની જેમ આ ૨૨મા નેમનાથ ભગવાનનું સ્તવન પણ યોગીરાજજી આનંદઘનજી શ્વેતામ્બર મૂર્તિપૂજક આમ્નાયના હોવાનો નિર્દેશ કરે છે. છતાં એ નિસ્પૃહી અલગારી અવધુતયોગી માટે તો એમ જ કહી શકાય કે એઓશ્રી વીતરાગ-સર્વજ્ઞના ઉપદેશેલ મોક્ષમાર્ગ આમ્નાયના ચાહક હતાં, આત્મસાત્ કરનાર હતાં. આત્મસાધકને સંપ્રદાયના વાડા નડતાં નથી. દુઃખમાં જીવ દીન થતો નથી અને સુખમાં લીન થતો નથી; તેમાં કારણભૂત ઈશ્વરધ્યાન-સજ્ઝાય છે. મંદિર-મૂર્તિ-દેવ-ગુરૂ-ધર્મ-સત્સંગ, આદિથી જીવનમાં સંતુલન-સમતુલા આવે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ 1096 હૃદય નયન નિહાળે જગધણી 23 શ્રી પાર્શ્વનાથ જિન સ્તવને ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિષ્કામી ગુણરાય; સુજ્ઞાની નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાયી સુ.૧ | સર્વવ્યાપી કહે સર્વ જાણગપણે, પર પરિણમન સ્વરૂપ; સુ. પર રૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિદરૂપ | સુપર શેય અનેકે હો જ્ઞાન અનેકતા, જળ ભાજન રવિ જેમ, સુ. દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજપદ રમતા હો એમ / સુ.૩ પર ક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુ . અસ્તિપણે નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મળતા ગુણમાના સુ.૪ શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વર, કાળ પ્રમાણે રે થાય; સુ.. સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાવી સુ.૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ; સુ. આત્મ ચતુષ્કમયી પરમાં નહિ, તો કિમ સહુનો રે જાણી સુ.૬ કર્મસત્તાને, જે સાધક આત્મશક્તિ અને આત્મસત્તા કરતાં, વિશેષ બળવાન માને, તે કદી સત્યદર્શનને પામી શકે નહિ. Page #269 -------------------------------------------------------------------------- ________________ PAROSH W Á BH A GAWAN NODODJULIUDIS DOUDOULD कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्य-मनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः॥ ॥२३॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ નામ : ૨૩ મા શ્રી પાર્શ્વનાથ લાંછન : સર્પ રાશિ : તુલા | ગણ : રાક્ષસી માતા : વામાદેવી પિતા : અશ્વસેન ગર્ભવાસ : E-૬ દીક્ષા પર્યાય : 90 વર્ષ સર્વ આયુષ્ય : ૧૦૦ વર્ષ સભ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૧0 ભવ - ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથું : વિશામા ફ્રા. વ.૪ પાર્શ્વનાથજી કલ્યાણક નક્ષત્ર સાથે : વિશામાં માગ. વ.૧0 દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે ઃ વિશામાં માગ. વ.૧ ૧ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : વિશામાં હૃા. વ.૪ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : વિશામાં શ્રા. સુ.૮ જન્મનગરી : વારાણસી દીક્ષાનગરી : વારાણસી કેવળજ્ઞાનનગરી : વારાણસી નિર્વાણભૂમિ : સમેતશિખર Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1097 અગુરુ લઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત; સુ. સાધારણ ગુણની સાધર્ખતા; દર્પણ જળ દૃષ્ટાંતા શ્રી પારસ જિન પારસ રસ સમો, પણ ઈહાં પારસ નાહિ; સુ. પૂરણ રસીઓ હો નિજગુણ પરસનો, આનંદઘન મુજ માંહિil સુ.૮ જૈનશાસનને પામેલ દરેક વ્યક્તિને પ્રાયઃ એ વાત વિદિત છે કે યોગીરાજ આનંદઘનજીનો પ્રભુ શાસનમાં જન્મ સાધના દ્વારા સાધ્યને નિકટ લાવવા માટે જ થયો હતો. જેને શાસન નિર્દિષ્ટ લોકોત્તર ત્યાગ માર્ગ સ્વીકારીને આ મહાપુરુષે સાહિત્ય સર્જન કે પ્રભાવનાનો માર્ગ ન પકડતા, એક માત્ર સાધના–ધ્યાન સાધના દ્વારા આત્માના અનંત આનંદના ખજાનાને જ અનુભવ્યો છે અને તથા-પ્રકારનો યોગ હશે તેથી લોકો પણ તે આનંદ ખજાનાને માણે તે હેતુથી સ્તવન ચોવીસીની યોગ ચમત્કૃતિ રચના અનાયાસે થઈ ગઈ છે. . - આત્માના વિકાસક્રમના એકથી ચૌદ પગથિયામાં તેઓ સાતમા પગથિયા સુધી પહોંચી ગયા હતા. દ્રવ્ય-પર્યાયની અભેદ અનુભૂતિ સુધી પહોંચવા છતાં કાયમ માટેની પૂર્ણતા ને પામવા તેમજ આપણે સહુ પણ તે માર્ગે ચાલીને આગળ વધીએ એવા એક માત્ર પવિત્ર આશયથી તેઓ પાર્થપ્રભુને સંબોધી રહ્યા છે. સાથે સાથે પાર્થપ્રભુની સ્તવનાના માધ્યમે એઓશ્રી સ્વમાં સ્થિત રહેવાપૂર્વકની જ્ઞાનની સર્વવ્યાપકતાને સુપેરે સમજાવી રહ્યા છે. - શ્રીયુત્ મો.બિ.કાપડિયા જેવા સંશોધક વિદ્વાનોનું કહેવું એવું છે કે પૂ. આનંદઘનજી મહારાજે સ્તવન ચોવીસીના પહેલા બાવીસ સ્તવનો જ રચેલ છે. બાકીના બે, ત્રેવીસમા અને ચોવીસમા ભગવાનના મળી સમભાવ, અન્ય જીવો પરત્વે રાખવાનો છે અને સ્વરૂપ ભાવ, જીવે પોતે પોતામાં જાગૃતિપૂર્વક રાખવાનો છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ 1098 હૃદય નયન નિહાળે જગધણી આવતા સ્તવનો આનંદઘનજીના નામે અન્ય રચિત છે. સ્તવનના અર્થગાંભીર્યને લક્ષમાં લેતાં આ છેલ્લા બે સ્તવનો મહામહોપાધ્યાય યશોવિજયજી રચિત હોવાની સંભાવના છે. ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન તત્ત્વચર્ચાથી સભર છે અને તત્ત્વજ્ઞાનના ઊંડાણમાં લઇ જનાર છે. જૈન દર્શનના સ્યાદ્વાદ. દર્શનઅનેકાંત દર્શનની, નિત્યાનિત્યની, ભેદાભેદની વાત અને તત્ત્વજ્ઞાનના જે રહસ્યો છે તે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયથી સમજવામાં ખૂબ સહાયક છે. સિક્કાને બે બાજુ હોય છે. સવળી અને અવળી. સવળી બાજુથી જોનારાને તે સવળો જણાય અને અવળી બાજુથી જોનારને તે અવળો દેખાય છે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી જોનારને પદાર્થ નિત્ય જણાય છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી જોનારને પદાર્થ અનિત્ય જણાય છે. સર્વાંગી દૃષ્ટિકોણથી જોનારને પદાર્થનું સર્વાંગીદર્શન થાય છે. સિક્કો ગોળ છે. તેને જે ખૂણેથી-જે દૃષ્ટિકોણથી-જે Angle થી જોવામાં આવે, તે દૃષ્ટિકોણ પ્રમાણે, તે સિક્કાનું દર્શન થાય છે. સ્યાદ્વાદને સમજવો અને પચાવવો ઘણો કપરો છે. એકવાર જો તે સમજાઈ જાય તો દરેક વસ્તુ દીવા જેવી ચોખ્ખી ચણાક-સાફ જણાય. દરેક પદાર્થનું નિઃશંકપણે સ્પષ્ટ, સત્ય નિરૂપણ થઇ શકે. બાકી તો કહ્યું છે કે || સંશયાત્મા વિનશ્યતિ।। સત્ય તત્ત્વ સમજમાં આવી જાય તો ડહોળામણ અને ગૂંચવાડા દૂર કરનારું આ સ્તવન છે. ધ્રુવ પદ રામી હો સ્વામી માહરા, નિષ્કામી ગુણરાય સુજ્ઞાની નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય.. સુશાની..૧ અર્થ : હે સ્વામી! હે નાથ! આપ ધ્રુવ પદમાં રમણતા કરી રહ્યા પર વસ્તુ-સાઘન તત્ત્વોનો સદુપયોગ કરાય જ્યારે સ્વ વસ્તુ એવાં જ્ઞાન-દર્શન-યાસ્ત્રિનો અનુભવ કરાય. Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી છો અને આપના આલંબને અમારે પણ ધ્રુવ પદ પામવું છે. ધ્રુવ પદ એટલે છે-છે અને છે. જે હતું-છે અને રહેવાનું છે, જેનો નાશ કોઈ પણ કાળે નથી તે ત્રિકાલાબાધિત ધ્રુવ પદ એટલે નિશ્ચયી અચળ સ્થાન. તેમાં રમણતા કરનારા, આરામ કરનારા એવા માહરા સ્વામી એ પોતે નિષ્કામી છે એટલે સર્વકામનાઓ જેમની શાંત થઈ ગઈ છે, તેવા પૂર્ણકામ છે. ગુણોના રાજા છે, સર્વ ગુણોની સંપદા ક્ષાયિકભાવે જેમને વરેલી છે, કેવળજ્ઞાની છે, એવા ત્રણ લોકના નાથ, અનંત કરૂણાને કરનારા પરમાત્માને, જે ધણી તરીકે પામે છે; તે પોતે નિજગુણકામી બનીને એટલે સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા બનીને અંતે શાશ્વત શાંતિ પ્રાપ્ત કરનાર ધ્રુવ આરામી બને છે. આતમ આરામી કેવળજ્ઞાની બને છે. 1099 વિવેચન : પ્રાણી માત્ર સત્તાએ શુદ્ધ-પરમ શુદ્ધ-સિદ્ધ સમાન હોવા છતાં અનાદિ-અનંતકાળથી ચારે ગતિમાં કર્મ સંયોગે જન્મ-મરણ • કરતાં થકાં અધ્રુવ સ્વરૂપે ભટકી રહ્યા છે. તેનું મુખ્ય કારણ મળેલા સંયોગોમાં તેની બુદ્ધિ અટવાઇ ગઇ છે. પોતાનું ધ્રુવ-નિત્ય-શાશ્વતઅવિંચળ સ્વરૂપ તે અનંતકાળથી ભૂલી ગયો છે અને અધ્રુવ-અનિત્યવિનાશી-પરિવર્તનશીલ, ક્ષણભંગુર સ્વરૂપવાળા પુદ્ગલોની મોહજાળમાં તે કસાયો છે. ગીતામાં કહ્યું છે કે – यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अधुवं नष्टमेव च । ।। अधुवे असासयंम्मि संसारम्मि दुःक्ख पऊराए। ઉત્તરાધ્યયન સૂત્ર સુદેવ-સુગુરૂ-સુધર્મને પામ્યા છતાં, જો પોતે ‘સુ’ નહિ બને; તો નહિ તરે. પરંતુ જો કુદેવ-કુગુરૂ-કુધર્મને માનનાર, પોતે જો ‘સુ' બને, તો તરી જશે. Page #274 -------------------------------------------------------------------------- ________________ 1100 , હૃદય નયન નિહાળે જગધણી સંસાર આખોએ અધુવ, અશાશ્વત્ અને અનંતદુઃખથી ભરપૂર છે, આશ્ચર્યની વાત તો એ છે કે જીવ સ્વરૂપ ભ્રષ્ટ થયો હોવા છતાં તેને તેની ખબર સુદ્ધાં પણ નથી કે હું સ્વરૂપ ભ્રષ્ટ થઈ ભટકી રહ્યો છું. પરંતુ જ્યારે કોઈક ધન્યપળે પ્રબળ પુણ્યોદયે આત્મજ્ઞાની સદ્ગુરુની કૃપાથી, નિતાન્ત ધ્રુવ પદમાં મહાલતા શ્રી પાર્શ્વપ્રભુને જાણ્યા ત્યારે જીવને ખ્યાલ આવ્યો કે ઓહ! આ મહારા પ્રભુ તો પોતાના સ્વરૂપમાં નિત્ય પદમાં ડૂબકી મારીને અનંત આનંદની મસ્તી માણી રહ્યા છે. આ ધ્રુવપદ અક્ષય, અકલંક, અનંત, પૂર્ણ, નિત્ય, અવ્યાબાધ, સહજ, નિરૂપચરિત, અકૃત, સ્વાધીન, સ્વપદ છે અને આ પદમાં રમનાર હોવાથી જ તેઓ નિષ્કામી બન્યા છે-અર્થાત્ પૂર્ણકામી થયા છે. તેઓ અશરીરી વીતરાગપૂર્ણકામ બન્યા હોવાથી તેમને હવે ધનની કામના નથી, પૌદ્ગલિક ભોગોની કામના નથી, પદ-પદાર્થ, પ્રતિષ્ઠા, પ્રશંસા માત્રથી ઉપર ઉઠેલા હોવાથી પોતાના અનંત ગુણોનું ઐશ્વર્ય પ્રતિ સમય તેઓ માણી રહ્યા છે. પોતાના ક્ષાયિક ભાવોમાં તે વિલસી રહ્યા છે. આ સ્વરૂપ પર-નૈમિત્તિક નહિ પણ ધ્રુવ એવા સ્વ-આધારિત હોવાથી નિત્ય . | સ્વરૂપમાં પૂર્ણપણે રમણતા એ જ આત્માનું સાચું ઐશ્વર્ય છે કે જે પ્રાપ્ત થયા પછી જાય નહિ અને જેને ભોગવવા, વિકલ્પ કરવા જેટલો પણ શ્રમ ન કરવો પડે, તે જ આત્માનું સાચું સ્વરૂપ છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિથી પ્રગટ થયેલ લોકાલોક પ્રકાશકતા, તથા તીર્થંકરનામકર્મના ઉદયથી પ્રાપ્ત અષ્ટપ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશયો, પાંત્રીસ વાણીના ગુણોનો બાહ્ય વૈભવ એ વ્યવહારનયે ઐશ્વર્ય ગણાય કે જેનું કાર્ય પરક્ષેત્ર છે. જ્યારે પૂર્ણપણે સાદિ અનંતકાળ માટેનું આનંદ વેદન એ નિશ્ચયનયે ઐશ્વર્યા છે કે જેનું કાર્ય સ્વક્ષેત્ર છે. આની આગળ ઇન્દ્ર, ચક્રી વગેરેના એશ્વર્ય પણ મોહની ઉત્પત્તિ અંદર આત્મામાં છે; જે મોહભાવની ચેષ્ટા પગલદ્રવ્યની સાથે થાય છે અને બહારમાં દેખાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજીક 1101 કોઈ વિસાતમાં નથી કારણકે તે અધુવ પદ છે. જ્ઞાન શક્તિ અને રસ ઉભય રૂપ છે. જ્ઞાન શક્તિથી પૂર્ણ થતાં લોકાલોક પ્રકાશકના રૂપે ઝળકે છે જ્યારે રસથી જ્ઞાન પૂર્ણતાને પામતા તે અનંત આનંદવેદન રૂપે બહાર આવે છે. પ્રકાશકતા પર પ્રતિ છે તેથી બાહ્ય વૈભવ છે. આનંદવેદન સ્વ પ્રતિ છે, જે આંતર વૈભવ છે. પ્રકાશકતા એ જ્ઞાનશક્તિની વ્યક્તતા છે અને આનંદ એ જ્ઞાન રસ વેદન છે. પર દ્રવ્યમાં જ્ઞાન જ્ઞાયક છે જ્યારે સ્વદ્રવ્યમાં જ્ઞાન વેદક છે. પર પ્રતિ જ્ઞાન શકિત રૂપે છે જ્યારે સ્વ પ્રતિ જ્ઞાન રસ રૂપે કામ કરે છે. જેને પોતાના સુખ માટે ક્યાંય નજર કરવાની જરૂર નથી, તેવી વ્યક્તિને જો સ્વામી બનાવવામાં આવે તો ન્યાલ થઈ જવાય. જેની પાસે જે હોય તે જ બીજાને આપી શકે છે. તે જ પુષ્ટ નિમિત્ત બની શકે છે. પાર્શ્વપ્રભુએ પોતાનું જેવું પૂર્ણ સ્વરૂપ, પર્યાયમાં પ્રગટ કર્યું છે તેવું જ સ્વરૂપ પરમ પારિણામિક ભાવે મારા આત્મામાં પણ અનાદિ અનંતકાળથી રહેલું છે. આજ દિ’ સુધી મેં મારા તે સ્વરૂપની શ્રદ્ધા ન કરી અને સ્વરૂપ ભ્રષ્ટ બની જીવ્યો માટે જ મારે અનંતકાળ સંસારની ચાર ગતિમાં ભટકી ભટકીને દુઃખ ભોગવવા પડ્યા છે. પ્રભુની જેમ હું પણ 'મારી પૂર્ણ સ્વરૂપનો ભોક્તા બની શકું છું. તે માટે નિમિત્ત કારણ રૂપે પ્રભુની સેવા એ જ એક અનન્ય ઉપાય છે; એમ સમજીને સાધક અનન્ય અશરણભાવે પ્રભુની શરણાગતિ સ્વીકારે છે. પ્રભુના દર્શને તારામૈત્રક રચાતા પ્રભુની અલૌકિક સમતા તેને જણાય છે. " ભીતરમાંથી મોહનીયનો ક્ષયોપશમ થતાં તેને ખ્યાલ આવે છે કે મારા નાથ, બીજા જીવના મોક્ષના અકર્તા છે કારણકે એ તો પોતે કૃતજ્યતાને - વરેલા છે. વળી પાછા વીતરાગ અને અક્રિય છે. મારા પ્રભુ કાંઈ સક્રિય પર પદાર્થનું ગ્રહણ, એ જ મોહનું કાર્ય છે. મોહ છે ત્યાં સુધી દેહ છે અને દેહ છે ત્યાં સુધી જીવ સંસારી છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ 1102 , હૃદય નયન નિહાળે જગધણી બનીને મારો મોક્ષ કરે નહિ. તો પણ જે સાધક નિજગુણ કામી બનીને પ્રભુના ઉપદેશને આજ્ઞા જ સમજીને પાળે છે, આજ્ઞાવત્ ઉપદેશને પાળે છે, તે અવશ્ય પ્રભુના જેવી પોતાની ધ્રુવસત્તાને પ્રગટ કરી અર્થાત્ નિરાવરણ કરી તેમાં સમાઈ જાય છે અને અનંત તૃપ્તિનો-અનંત આનંદવેદનનો રસાસ્વાદ માણીને રહે છે. પ્રભુ ભલે કારક નથી પણ જે કાર્યસિદ્ધિ થાય તો તેમાં નિમિત્તકારણ તો અવશ્ય છે, તેથી ઉપકારક છે.' આ સ્તવનની કડીના ઉત્તરાર્ધમાં રહેલા ત્રણ શબ્દો આપણને અધ્યાત્મની ગરિમા સમજવા તેમજ પામવા ઉપયોગી છે. ૧) નિજ પદ કામી એટલે ઉપાદાનની યોગ્યતા. સ્વરૂપને પામવાનો તલસાટ જેટલો વધારે તેટલું ઉપાદાન વધુ યોગ્ય ગણાય. નિજપદ કામના ભવ્યત્વ સૂચક છે. ૨) હો પામી તું ઘણી એટલે સાધનાનું સૌદર્ય અને પુષ્ટાલંબનરૂપ એવા પ્રભુને પામ્યાનો ઉછરંગ. ( ૩) ધ્રુવ આરામ થાય એટલે સિદ્ધત્વની પ્રાપ્તિ, ઈષ્ટફલ પ્રાપ્તિની ખાત્રીથી નિર્ભયતા અને નિશ્ચિતતા. ' અનંતકાળમાં પંચ પરમેષ્ઠી આપણને અનંતીવાર મળ્યા પણ આપણું ઉપાદાન-આપણો જીવ સંસારાભિમુખ હોવાથી આપણે તે પ્રભુનો ઉપયોગ પણ સંસારના હેતુથી જ કર્યો એટલે આપણું ભવભ્રમણ અટક્યું નહિ. નિજ પદની કામના જાગવી, સંસાર સાગર તરી જવાની ઈચ્છા થવી, તે બહુ કઠિન છે. અનંતકાળથી જીવ પરિભ્રમણ કરે છે અને સંસારમાં તો જીવ સહજ રીતે અનાદિકાળથી કર્મથી આવૃત જ છે. કર્મથી ઢંકાયેલો, દબાયેલો, કચડાયેલો જ છે. વળી તેમાં અંતરાયકર્મ પૂગલ દ્રવ્ય પરત્વેની આત્માની શુદ્ધ-અશુદ્ધ અને ઈષ્ટ-અનીષ્ટ કે શુભ-અશુભની જે બુદ્ધિ છે, તે જ આત્માનો કર્તા-ભોક્તા ભાવ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1103 આખું દેશઘાતી હોવાથી તેનો ક્ષયોપશમ તેને સદા માટે પ્રાપ્ત જ હતો એટલે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય અને વીર્યંતરાયનો ક્ષયોપશમ સર્વ જીવોને સદાને માટે પ્રાપ્ત હોવાથી તે તે ગુણોનો યત્કિંચિત્ આવિર્ભાવ થતો રહ્યો. હવે સ્વરૂપ આવૃત હોવાથી અને શરીર, ઇન્દ્રિય, વિષયો, પુણ્યકર્મના ઉદયે લબ્ધ હોવાથી જીવે તેનો જ ભોગવટો કર્યો, તેમાં જ રુચિ કરી અને તેથી તેના જ સંસ્કાર અનાદિથી પડતા રહ્યા અને આ રીતે જીવનો સંસાર લંબાતો રહ્યો. જીવને મોહનીય કર્મના ઉદયે સતત કોઈને કોઈ ઇચ્છા ઊભી થયા જ કરે છે. તેની પૂર્તિ માટે તે પ્રયત્ન કરે છે, કર્માનુસારે તે પ્રાપ્ત થાય છે અને પછી તેનો ભોગવટો (પૂર્તિ) કરતાં તે તૃપ્તિ અનુભવે છે. આમ ઈચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ, ભોગવટો (પૂર્તિ), તૃપ્તિનો અનંત ચક્રાવો ચાલુને ચાલુ રહે છે પણ તેમાં મુશ્કેલી એ ઊભી થઈ કે આ તૃપ્તિનો અનુભવ પુદ્ગલ સંબંધી હતો અને દેહના માધયમે હતો. પુદ્ગલનું સ્વરૂપ સાદિ-સાત અસ્થાયી હોવાથી તે તૃપ્તિ પણ સાદિ સાંત અસ્થાયી બનતી રહી અને વળી અતૃપ્તિના ખપ્પરમાં જીવને હોમવાનું બન્યું. વળી પાછા ઈચ્છા-પ્રવૃત્તિ આદિના એના એ જ અંતવિહીન ચક્કરમાં ચકરાવાનું રહ્યું. આ કેફી દ્રવ્યોનો જે આદી એટલે વ્યસની થઈ ગયો હોય છે તે કદી તૃપ્ત થતો જ નથી. તે ફરી ફરીને કેફી દ્રવ્યોને માંગ્યા જ કરે છે. અનાદિની ખોટી લત પડી ગઈ હોય તે છૂટવી બહુ મુશ્કેલ હોય છે. - આમ અનંતકાળ આભાસિક સુખ અને આભાસિક તૃપ્તિમાં પસાર - કરી જીવ થાકે છે, કંટાળે છે. તેને થાય છે કે આ શું? આ બંધન કેમ? આ બધી જન્મ મરણની જંજાળ, ઉપાધિ, પંચાત શા માટે ? આ બધી મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન અને પરમાત્મ તત્ત્વ છૂપાયેલ છે. શાસ્ત્રને સોય બનાવીને, આપણા ભેદરૂપ જીવનને સાંધીને, અભેદ બનાવવું જોઈએ. Page #278 -------------------------------------------------------------------------- ________________ 1104 , હૃદય નયન નિહાળે જગધણી લપનું મૂળ શરીર જ છે. જો હું અશરીરી બનું તો આ બધી લપ છુટે! એમ વિચારી ભાવનાથી ભાવિત બની સંસારના બંધનો, વળગાડથી છુટવા જીવ નિજ પદ કામી બને છે. હવે, સાધક પોતાના શુદ્ધ, નિત્ય સ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છા કરે છે, તેના માટે પ્રવૃતિ કરે છે અને કર્મ મહારાજાની મહેરબાની થતાં, ભવિતવ્યતાની સાનુકૂળતા થતાં, કાલ પરિપક્વ થયે પોતાના પ્રચંડ પુરુષાર્થથી ઘોર સાધનાનો આરંભ કરે છે. ઉપસર્ગ-પરિષદોને સમભાવે વેદે છે, ધ્યાન મગ્ન બને છે, નિત્ય આત્મ તૃપ્ત રહી ક્ષપકશ્રેણીના માધ્યમે પોતાના આત્માના આકાશે કેવલજ્ઞાનનો વિજય ધ્વજ ફરકાવે છે અને સાદિ અનંત ભાંગે આત્મતૃપ્તિને માણે છે. આ પૂર્તિ (તૃપ્તિ) પૂર્ણ. કરનારી અને પૂર્ણ રાખનારી સાચી પૂર્તિ અર્થાત્ સંતૃપ્તિ છે, જે કૃતકૃત્ય બનાવી ચક્રભ્રમણમાંથી છોડાવે છે. આત્મા સ્થાયી અનાદિઅનંત છે તેથી આ પ્રાપ્ત આત્મતૃપ્તિ અનંતકાલીન સ્થાયી હોય છે. હવે, અહિંયા કોઈ પ્રશ્ન કરે કે જો સ્વરૂપ અનાદિકાળથી હતું તો પછી તેનો અનુભવ કેમ થતો નહોતો? તેનું સમાધાન એ છે કે અનાદિકાળથી સત્તામાં હતું પણ ઢંકાયેલું હતું, અવરાયેલું હતું, તેના ઉપર ઘાતીઅઘાતી કર્મોના હિમાલય જેટલા થરો જામેલા હતા માટે તે આવરણો નીકળે નહિ ત્યાં સુધી સ્વરૂપનો અનુભવ કેવી રીતે થાય ? ઘરમાં દટાયેલા ચરુની ભાળ મેળવી, ખોદી કાઢીને મેળવીએ નહિ ત્યાં સુધી એ ચરુનું હોવાપણું, ચરુથી અજ્ઞાતને ન હોવા બરાબર છે. આ તો ધ્રુવપદમાં નિરંતર રમતા પાર્થપ્રભુનું સ્વરૂપ શાસ્ત્રાદેશે જાણું, પ્રગટ આત્મજ્ઞાની પુરુષની કૃપાથી શ્રદ્ધામાં અસ્થિમજ્જા થયું, ત્યારે સમજાયું કે પ્રભુનો જેવો આત્મા છે તેવો જ મારો આત્મા છે. અઘિકરણ વડે કરણ(શરીર) એ સંસારની સ્થાપના છે. ઉપકરણ વડે કરણ એ મોક્ષમાર્ગની સ્થાપના છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1105 દ્રવ્યાર્થિક નયે અમારા બંનેમાં સ્વરૂપની તુલ્યતા છે તો જો પ્રભુ પૂર્ણતાને પામી શકે તો પછી હું કેમ ન પામી શકું? પ્રભુએ પોતાની ઉપરના આવરણો હટાવી પોતાનું આત્મિક સૌંદર્ય પ્રગટ કર્યું તો મારે પણ હવે આ ભવભ્રમણથી સર્યું ! કારણકે આ સંસારમાં ધાર્યું કશું જ થતું નથી અને અણધાર્યું સઘળું બની આવે છે માટે હવે મારે આ સંસાર જ ન જોઈએ. પછી ભલે તે સંસાર ઈન્દ્ર અને ચક્રવર્તીની પદવીનો પણ કેમ ન હોય ! વળી સંસારમાં દુઃખનો કોઈ અંત નથી અને મુક્તિમાં સુખનો કોઈ પાર નથી. . જ્યાં સુધી મોહરૂપી દારુનો નશો ચડેલો હોય ત્યાં સુધી જ આ સંસાર સારો લાગે છે. ભૂતના વળગાડવાળાને અને ઝેર ચડ્યું છે તેને કડવો એવો પણ લીમડો મીઠો લાગે છે. નાકમાં દુર્ગધની ગુટિકા ખોસીને આવેલી માખી, પૂષ્પવાટિકામાં આવવા છતાં પૂષ્પની સુગંધને સમજી કે માણી શકતી નથી. આ સંસારના વાસ્તવિક સ્વરૂપને મોહરૂપી ક્લોરોફોર્મનો નશો ઉતર્યા બાદ જો વિલોકન કરવામાં આવશે તો વિચારકને જણાશે કે હકીકતમાં સંસાર એટલે જ્યાં હંમેશા દુઃખની અનુભૂતિ થાય છે અને સુખનું આશ્વાસને મળ્યા કરે તે છે. સંસારની ભયંકરતા-ભયાનકતા સમજાવવા જ્ઞાનીઓએ સંસારને છઠ્ઠી આંગળીની ઉપમા આપી છે. છઠ્ઠી આંગળી કોઈ કામની નથી. ઉપરથી દરેક કામ કરતાં તે આડી આવે છે માટે તેને સાચવવી પડે છે. જ્યારે પાંચ આંગળી પંચ પરમેષ્ઠી જેવી છે જે આપણને સાચવે છે. " હવે, “હા પામી તું ધણી” પદથી સાધનાનું સૌદર્ય વિચારીએ. પ્રભુ સાધના કરીને મોક્ષે ગયા છે. સાધનાના કાળમાં મરણાંત ઉપસર્ગોની વચ્ચે પણ પ્રભુએ પોતાના આત્માના તેજને હણાવા દીધું નથી. ઉપસર્ગ જેને દષ્ટિ છે, જે દષ્ટિ કરે છે, તે સંસારી જીવ માટે વાત છે. વાત કેવળી ભગવંતની છે, પણ તે છે સંસારી જીવ માટે. Page #280 -------------------------------------------------------------------------- ________________ 1106 હૃદય નયન નિહાળે જગધણી કરવા આવેલા અને ક્રોધના લાવારસથી ધગધગતા જીવો પ્રત્યે પણ પ્રભુએ ક્રોધની આગ નથી ઓકી, વૈર અને તિરસ્કાર નથી કર્યા પણ ક્ષમાના શાંત જળથી તેમને ભીંજવ્યા છે-નવરાવ્યા છે-હાર્યા છે. ખીલા ઠોકવા આવેલાને પણ કર્મનિર્જરામાં સહકારી માન્યા છે. જે દૂર્જન થઈને મારવા, પીટવા, ત્રાસ આપવા આવે છે તેને પણ જે ઉદાર હૃદયે ક્ષમા આપે છે, તેવા આત્માઓને વિશ્વના તમામે તમામ જીવો પ્રત્યે ક્ષમા જ છે તેવું અનુમાન સહેજે કરી શકાય છે. જે પોતાને પ્રાણાંત ઉપસર્ગ કરે તેને પણ ક્ષમા આપે તેને વિશ્વના કાં જીવ પ્રત્યે વૈર હોઈ શકે ? પ્રભુના સાધના કાળનું આ સૌંદર્ય હતું. તેનાથી પ્રભુ દિન-પ્રતિદિન ઘાતીકર્મોના ભુક્કા બોલાવી રહ્યા હતા. પોતાના આંત્મતેજને વિકસાવી રહ્યા હતા. ‘‘નિજ પદ કામી’' બન્યા પછી આવું સાધનાનું સૌંદર્ય આપણા આત્મામાંથી પણ નિખરવું જોઇએ-ઉપસવું જોઇએ-ઉભરવું જોઇએ. પ્રભુ જેવા સમર્થ ધીંગાધણીને પામ્યા પછી આપણને વાતવાતમાં ઓછું આવે, વાતે વાતે ખોટું લાગે, વૈર-વિરોધની લાગણીઓ ભીતરમાં વધતી રહે તો “નિજ ગુણ કામી હો પામી તું ધણી’’ એ પંક્તિની સાર્થકતા ન થઈ કહેવાય. ન પ્રભુની જેમ સ્વરૂપ પ્રગટ કરવાની કામના તો જાગી પણ જો પ્રભુની જેમ આપણામાં સાધનાનું સૌંદર્ય ન નિખરે તો ‘ધ્રુવ પદમાં રમણતા કરનારા સ્વામી તે જ મારા છે બીજું કોઈ નથી !’’ એ વચન પ્રયોગ કેટલો સાર્થક થયો ગણાય ?!! જ્યારથી નિજ પદ કામી થઇને સાધનાના શ્રીગણેશ મંડાય, Real-નિરપેક્ષ સત્યની અપેક્ષાએ, Relative-સાપેક્ષ સત્ય; હંમેશા અસત્ છે-ખોટું છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1107 ત્યારથી જ સાધનાનું સૌંદર્ય નિખરવાનું ચાલુ થઈ જવું જોઇએ. થોર ઉપસર્ગોની વચ્ચે પણ મેરૂની જેવા ધીર, ગંભીર, પ્રશમ રસ નિમગ્ન પ્રભુને જોયા પછી સાધકને કઈ ચીજની ન્યુનતા હોય ? શું ખટકે ? સાધકને શું જોઇએ ? પતિ મળ્યાં પછી પત્નીને શું જોઇએ ? માતા મળ્યા પછી બાળકને શું જોઈએ? સ્ત્રીનું સૌભાગ્ય એના ધણીથી છે અને બાળકનું સર્વસ્વ એની માતા છે. “પામી તું ધણી રે’” દ્વારા કવિરાજ કહે છે કે તારા જેવા ધણી, માલિક, નાથને માથે રાખીને હું મારા આત્માનું સૌભાગ્ય પામીશ. મારા સર્વસ્વને તું સર્વેશ્વરના આલંબનથી પામીશ ! અત્રે સાધ્યને પમાડીને જ રહે એવા સાધનને પામ્યાનો ઉછરંગ છે અને “પામી તું ધણી’’ શબ્દોથી સ્ત્રેણભાવની ભક્તિની અભિવ્યક્તિ છે. • નિમિત્ત કારણના આ રીતના આત્મીય સ્વીકારથી ઉપાદાન .બળવત્તર બનતું જાય છે. સાધનાના માર્ગમાં વીર્યોલ્લાસ, ઉત્સાહ, ચિત્તની પ્રસન્નતા, ધ્યેયને પામવાનો તલસાટ વગેરે ખૂબ જ મહત્વના છે. તારક તત્ત્વોને નિમિત્તરૂપે સ્વીકાર્યા પછી તેના પ્રત્યે જેટલા આદર, બહુમાન, અહોભાવ, વિસ્મય, રોમાંચ, પુલકભેદ પ્રગટે તેટલી નિમિત્તમાં નિમિત્ત કારણતા પ્રગટી કહેવાય અને એના અવલંબને પોતાના સ્વરૂપને પામવાનો તલસાટ જેટલો તીવ્ર બને, પ્રણિધાન દૃઢ બને તેટલી ઉપાદાનમાં ઉપાદાન કારણતા પ્રગટી કહેવાય.. નિમિત્તને વિષે કારણપણું કર્તાના ઉદ્યમે છે, વ્યવસાયે છે આ વાતની દઢતા કરવાની છે. સાધકે નિમિત્તને પામીને ગળિયા બળદની જેમ પગ પહોળા કરીને કે પલાંઠી મારીને બેસી રહેવાનું નથી પણ સતત પુરુષાર્થ કરવાનો છે. મોક્ષજનન ઓઘશક્તિને ભવ્યાત્માએ સમુચિત શક્તિમાં સંસારી જીવો, હંમેશા પરમાત્મ તત્ત્વને છોડીને વાત કરે. જ્યારે અધ્યાત્મ પુરુષો પરમાત્મ તત્ત્વને હાજર રાખીને વાત કરે છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ 1108 હૃદય નયન નિહાળે જગધણી રૂપાંતરિત કરવાનો પુરુષાર્થ ખેડવાનો છે. પરંપર કારણનું અસાધારણ કારણમાં પરિણમન કરવાનું છે. પુષ્ટાલંબન એવા પ્રભુ પાસે “તાર તું તાર” એવી યાચના કરવાની ના નથી કારણકે તેનાથી તેની તરવાની ઘૂંટાયેલી ઈચ્છાની અભિવ્યક્તિ થાય છે પણ પછી તે નિમિત્તકારણનું પ્રતિસમય અવલંબન લેવાનું છે અને ઉપયોગને સ્વરૂપના બીબામાં ઢાળતા રહેવાનું છે; તો જ તે નિમિત્ત, નિમિત્તકારણ રૂપે બની પોતાનામાં કારણતા પ્રગટાવે છે. નિમિત્તકારણને પામીને નૈમિત્તિકમાં, જે કાર્ય થવું અપેક્ષિત હોય તે કાર્યની સિદ્ધિ થાય, તો જ નિમિત્તકારણને નિમિત્તકારણ મનાય. અન્યથા નહિ. આ સંદર્ભ સાધકે સ્વીકારવો જ પડશે. જો જીવનમાં આ અભિગમ નહિ પ્રગટે તો ચાલશે જ નહિ. ‘પામી તું ધણી’’ એ શબ્દો અતિ મહત્વના છે. પ્રતિ સમયની આપણી સમ્યક્ સમજણની પ્રવર્તના જ દેવ-ગુરુમાં નિમિત્ત કારણતા પ્રગટાવી શકે છે બાકી તો જે પ્રવર્તના દેખાય છે તેમાં નિમિત્તકારણતા પ્રગટાવવા વિવેક, ધૈર્ય, સમજણ વગેરેની આવશ્યકતા ઊભીને ઊભીજ રહે છે. અનાદિકાળથી મોટે ભાગે જીવને આરાધના યોગ જ ગમે છે પણ તે આરાધના યોગને સાનુબંધ બનાવનાર તત્ત્વબોધ અને તત્ત્વરુચિ ગમતા નથી. સાચી સમજણ આવ્યા વિના સાચી દિશાનું, સાચા ભાવોનું, સાચું પ્રવર્તન થઇ શકતું નથી. પોતાના જીવનમાં આરાધના કેટલી વધી તેનો તેને ખ્યાલ છે, તેનું સરવૈયુ તે કાઢે છે અને તેને જોઈને તે રાજી પણ થાય છે પરંતુ વિવેક, સમજણ, તત્ત્વબોધ, તત્ત્વરુચિ, મૌન, શાંતતા કેટલા વધ્યા તે તરફ તેની નજર જ જતી નથી. અનંતકાળથી ભટકતા એવા જીવનો આ કરૂણ અંજામ છે. જેને હાથમાં દીવો લઈને અસ્તિપદાર્થને છુપાવનાર જે નિષેધ તત્ત્વ છે, તે પાછો આઘાર તો, અસ્તિપદાર્થનો જ.લે છે; જેને માયિક તત્ત્વ કહેવાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1109 કૂવે પડવું છે તેને જગતમાં કોણ બચાવી શકે તેમ છે ? જેને છુટવું જ નથી તેને કોણ છોડાવી શકે? નિજ પદ કામી એટલે મોક્ષની ઇચ્છાવાળો સાધક પ્રતિસમય દેવગુરુ-શાસ્ત્ર તેમજ પ્રાપ્ત ગુણોનું અવલંબન લઇને સમય પસાર કરે, તો જ પ્રભુ તેના માટે નિમિત્તકારણ બન્યા કહેવાય. સાચું જાણ્યા પછી, સાચું સમજવાનો દાવો કર્યા પછી પણ સાધક જો ગમે તેમ પ્રવર્તન કરે તો સમજવું પડે કે અંદરની તેની મિથ્યા સમજ અને માન્યતા જ કાર્યમાં નિમિત્ત કારણ રૂપે પ્રેરક બની રહી છે. અધ્યાત્મના માર્ગમાંઆત્મોન્નતિની શ્રેણીએ ચડવામાં બહારનો ફટાટોપ-દેખાવ કોઇ કામ આવતો નથી. એટલે કે ધર્મી વર્ગ જ્યારે અનીતિ, વિશ્વાસઘાત વગેરે પાપો રાચીમાચીને, આસક્તિ પૂર્વક, ડંખ વગર કરતો દેખાય ત્યારે માનવું પડે કે અંદરની આસક્તિ અને મિથ્યાત્વનું કહેવાતા ધર્મી આત્માઓ આલંબન લઈ રહ્યા છે. ધર્મક્રિયામાં મન-વચન-કાયાના યોગોનું જોડાણ છે માટે કંઈક પુણ્યબંધ જરૂર થાય છે પણ વાસ્તવમાં તો ભીતરમાં પુદ્ગલની રૂચિ અને અવિવેક હોવાના કારણે મિથ્યાત્વ પ્રેરિત પાપાનુબંધ પણ તૈયાર થતો હોય છે એટલે આવા આત્માઓને જ્યારે સુખ મળશે ત્યારે તેમાં આસક્ત બની દુર્ગતિમાં રવાના થવાની સંભાવના રહેશે. ધર્મ કરનાર કે નહિ કરનાર પ્રાણીમાત્રમાં એ શ્રદ્ધા અસ્થિમજ્જા થયેલી હોવી જોઇએ કે કોઇ પણ સંયોગોમાં, ક્યારેપણ કશું ખોટું કરી શકાય જ નહિ. ધર્મની ક્રિયા અને આ સમજ બંને જુદી વસ્તુ છે. ક્રિયા એ યોગતત્ત્વ છે. સમજ એ ઉપયોગ તત્ત્વ છે. ત્રણે કાળમાં એકલા જ્ઞાનથી, એકલી ક્રિયાથી, એકલા વિચારથી મોક્ષ મળતો નથી પણ તેમાં સમજ, વિવેક અને સત્વ ભળવાથી મોક્ષ મળે છે માટે અધ્યાત્મના અધિકરણનું ઉત્પાદન કરનારો, તે ઉત્પાદિત ભોગ સામગ્રીનો ભોગ, જાગૃત અવસ્થામાં જ કરી શકે છે; તો પછી ઉપકરણ દ્વારા જાગૃતિ-અપ્રમત્તતા રાખ્યા વિના આત્મસુખ શી રીતે પ્રાપ્ત થાય ? Page #284 -------------------------------------------------------------------------- ________________ 1110 હૃદય નયન નિહાળે જગધણી માર્ગમાં સમજ, વિવેક એ અત્યંત મહત્વની ચીજ બની જાય છે; તેને બાજુ પર મૂકીને કાંઇ પણ કરી શકાય નહિ. ઘઉંને જાણવા હોય તેને કાંકરાને જાણવા પડે, સત્ને જાણવા અસત્ જાણવું જરૂરી છે. જ્ઞાનને જાણવા અજ્ઞાન જાણવું જરૂરી છે. અસ્તિને જાણવા નાસ્તિને જાણવું જરૂરી છે; તો જ નાસ્તિની નાસ્તિ કરી અસ્તિની સાથે એકત્વતા સાધી શકાશે. અનીતિથી વેપાર ધંધા કરનાર અને પૈસા કમાનારને ખ્યાલ હોવો જોઇએ કે વર્તમાનમાં કરાતી અનીતિથી તો ભવાંતરે ધન ન મળે તેવું લાભાંતરાય કર્મ જ બંધાય છે. છતાં વર્તમાનમાં જે લાભ થતો દેખાય છે, પૈસા મળતા જણાય છે તે પૂર્વના પાપાનુબંધી પુણ્યના ઉદયથી છે, લાભાંતરાયના ક્ષયોપશમથી છે. આ માટે ‘‘જ્ઞાન દ્રિષ્યાખ્યાનું મોક્ષ:’” એ શાસ્ત્રવચનથી આત્મામાં પરમાત્મ સ્વરૂપ પ્રગટાવવા આત્માને ત્રીજી, ચોથી અને પાંચમી વિભક્તિના અવિરુદ્ધ અર્થમાં જોડવો જોઈએ. ત્રીજી વિભક્તિ કરણ અર્થાત્ સાધન અર્થમાં છે એટલે જ્ઞાન અને ક્રિયા ઉભય વડે મોક્ષ સધાય છે. ઉપાદાન સ્વરૂપ આત્મા, પોતાનામાં ઉપયોગ રૂપ ક્રિયા વડે મોક્ષ સાધે છે એમ સમજવું. ચોથી વિભક્તિમાં જ્ઞાન અને ક્રિયાને પરસ્પરના સંપ્રદાન દ્વારા સહકારી ભાવે જોડવાથી મોક્ષ સધાય છે એટલે ચોથી વિભક્તિનો અર્થ “આત્મગુણોને પરસ્પર સહકારી ભાવે પ્રયોજવાથી’’ મોક્ષ સધાય છે એવો કરવો જોઈએ. પાંચમી વિભક્તિ અપાદાન એટલે છૂટા પડવાના અર્થમાં છે. કર્મપરિણામ રૂપ સમસ્ત પરપર્યાયમાંથી આત્મભાવની દૃષ્ટિ તેમજ પ્રાયઃ ધર્મક્ષેત્રે, જ્યાં રુયિ નથી ત્યાં, જીવ અર્થના અનર્થ કરે છે; પણ સંસારમાં જીવર્ન રુચિ છે ત્યાં તો; તે અર્થના અનર્થ કરવાની અવળચંડાઈ કરતો નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1111 પરપરિણામમાંથી કર્તૃત્વભાવને ખેંચી નાખવાની-અપાકર્ષણનીઅપાદાનની, છૂટા પડવાની જ્ઞાનક્રિયાથી મોક્ષ સધાય છે એમ સમજવું. આમ ત્રીજી, ચોથી ને પાંચમી વિભક્તિના કરાયેલા અર્થને અનુસારે કરાયેલ જ્ઞાન-ક્રિયા મોક્ષપ્રદાયક થાય છે; એવો સૂત્રનો પારમાર્થિક લક્ષ્યાર્થ છે, જે સમજવા અને આદરવા યોગ્ય છે. જોવાની ખૂબી એ છે કે સંસ્કૃતમાં “યિા’ શબ્દની દ્વિવચનમાં ત્રીજી, ચોથી અને પાંચમી વિભક્તિ ‘યિાભ્યામ્' એક સરખી છે. સૂત્રકારની મેધા ઉપર વારી જવાય એવી સૂત્ર રચના છે. જે હંમેશા અવિવેક, મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાયનું અવલંબન લઈને જીવે તેને ગમે ત્યારે નિમિત્તની અશુભતા આવી શકે છે. અર્થાત્ અશુભનમિત્તો પડછાયાની જેમ તેને અનુસરે છે અને કચિત્ શુભનિમિત્ત મળે તો પણ તે તેને સફળ કરી શકતો નથી કારણકે • ભીતરમાં દુર્બુદ્ધિનું સામ્રાજ્ય વ્યાપેલું છે. પ્રયોગી પોતે જ પ્રયોગોની મૂર્છામાં પડ્યો છે એટલે પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયો છે. અત્યારે કોઈ પ્રયોગ ચાલતો હોય, ઊકળતું પાણી હોય, તેમાં હાથ ઘાલવા જાય તો શું થાય ? આમાં નુકસાનની ખબર પડે છે અને આત્માની બાબતમાં નથી પડતી એટલે હાંથ નાખ્યા જ કરે પછી ‘હું જુદો છું’ એવી ભિન્નતા વર્તાય કેવી રીતે? આત્મા જ પ્રયોગી છે. આ દેહ પ્રયોગ છે અને એનાથી જે જુદો છે તે આત્મા છે માટે પ્રયોગમાં ડખલ ન કરવી જોઈએ. ચંદુલાલ પ્રયોગ છે અને શુદ્ધાત્મા પોતે પ્રયોગી છે. પ્રયોગને જ પ્રયોગી માની બેઠા તેનું ફળ ચિંતા, ઉપાધિ, સંક્લેશ, દુર્ધ્યાન છે. કરણ અને ઉપકરણના જે ભેદો છે, તેમાં રહેલ આયાર વિયારના જે ભેદો છે; તે જ સંપ્રદાય અને ગચ્છના ભેદો છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ 1112 હૃદય નયન નિહાળે જગધણી પ્રયોગ કરતી વેળા પ્રયોગી સાવધ હોવો જોઈએ. પ્રયોગી જો મૂર્છિત થઈ જાય તો પ્રયોગ નિષ્ફળ જાય. પ્રયોગીને પ્રતિ પળે એ ભાન હોવું જરૂરી છે કે કર્મના સંયોગથી થતાં ભાવો એ આભાસી ભાવો છે. લેપાયમાન ભાવો છે. મિશ્રચેતનના ભાવો છે; તેનાથી હું તદ્દન નોખો-નોખો અને નોખો જ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં ‘હું’ તો સર્વાંગ શુદ્ધ છું, સંપૂર્ણ શુદ્ધ છું. સ્થૂલ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અર્થાત્ આત્માથી જુદા છે અને પરાધીન છે. એ જાગૃતિ આત્મામાં નિરંતર વર્તવી જોઇએ. “હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હોજો રે’” માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નોખો રે.’ કવિ નવનીત અહિંયા તો શ્રી પાર્શ્વપ્રભુને નિમિત્ત રૂપે સ્વીકાર્યા એટલે તેમના ઉપદેશને સાર રૂપે સ્વીકાર્યો એટલે તેમના ઉપદેશ અનુસાર જીવનશૈલિનું ઘડતર કરવું જોઇએ અને જેટલી તેમની આજ્ઞા ન પાળી શકાય તેના પ્રત્યે પણ કટ્ટર પક્ષપાત રહેવો જોઈએ તેમજ સાથે concious biting-આત્મડંખ સતત ચાલુ રહેવો જોઇએ. સાધક એવો આત્મા, પરમાત્માના નિરૂપદ્રવી વચનોનું આલંબન, સમ્યક્ પરિણમન પમાડવાની બુદ્ધિથી ન લે, તો વાસ્તવમાં તેને પ્રભુનું આલંબન લીધું જ નથી. માત્ર અવિવેક અને મોહનું જ આલંબન લીધું છે, એ હકીકત સિદ્ધ થાય છે. વ્યક્તિ અને શક્તિના રાગી બનવું તે દેહભાવ છે. ગુણાનુરાગી બનવું તે આત્મ ભાવ છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1113 સ્કુલનું શિક્ષણ સારું હોય, શિક્ષક સારા હોય પણ વિદ્યાર્થી પ્રમાદ અને રખડેલ વૃત્તિનું આલંબન લે, તો તે ભણી શકે નહિ – ઠોઠ જ રહે, માત્ર બાહ્ય નિમિત્ત કાર્યસાધક બની શકે નહિ. જન્માંધ કે ઘુવડ સૂર્યને દેખે કે જાણે નહિ તેમાં સૂર્યનો દોષ નથી. તેટલા માત્રથી સૂર્યના અસ્તિત્વને નકારી શકાય નહિ. નિમિત્તનું સ્વરૂપ જ આપણને આપણી સક્રિયતા માટે સભાન બનાવી દે છે. બધા કારણમાં કારણતા છે પણ તે કારણતા કર્તાને આધીન છે. કર્તાના સમ્યગ્ વ્યાપારરૂપ પરિણમન વડે કરીને જ તેમાં કારણતા પ્રગટે છે. જેમાં કારણતા પ્રગટે તે સક્રિય કારણ – સક્રિય નિમિત્ત કહેવાય છે. બાકીના બીજા બધા ઉદાસીન નિમિત્ત-ઉદાસીન કારણ કહેવાય છે. કર્તાના સમ્યગ્ વ્યાપારરૂપ પરિણમનથી જ છ એ કારકોમાં કારકતા પ્રગટે છે અને તેથી કરીને જ તેઓ વાસ્તવિક એવી .કારક સંજ્ઞાને પામે છે. કર્તાના વ્યાપાર વિના તે કારકો ઉદાસીન કારકો એટલે માત્ર નામના અર્થાત્ કહેવાના કારકો હોય છે. પ્રસ્તુતમાં સાધક પ્રતિપળે શ્રીપાર્શ્વપ્રભુને ધણી તરીકે પોતાના અંતરમાં સ્થાપીને તેમના વચનોનું આલંબન લે છે માટે તે અસંગ યોગને પામીને ધ્રુવ આરામી બની શકે છે. હવે ‘‘ધ્રુવ આરામી હો થાય’” એ પંક્તિ ઉપર આપણે વિચારણા કરીએ. આખા સ્તવનનો ઝોક ‘ધ્રુવ' શબ્દ પર રહેલો છે બલ્કે કહો કે તે ‘ધ્રુવ' શબ્દ સ્તવનનો પ્રાણ છે કારણકે આત્માએ, જે પૂર્ણતાને પ્રાપ્ત કરી સાંદિ અનંતકાળ આનંદમાં ડૂબકી લગાવવાની છે, તેમાં આલંબન તરીકે આ ધ્રુવ તત્ત્વ જ છે. આત્મા દ્રવ્ય સ્વરૂપે તો ત્રિકાળ ધ્રુવ જ઼ રહેનાર છે. આત્માના પર્યાયો ગમે તેટલા ફરે, જીવ ગમે તે ગતિમાં મોહનીયની આંઘી અને જ્ઞાનાવરણીયકર્મના વાદળોએ, આત્મારૂપી સૂર્યને ઘેરી લીધો છે-ઢાંકી દીધો છે; જેથી કરીને પ્રકાશસ્વરૂપ-જ્યોતિસ્વરૂપ આત્માને અંઘકાર લાગી ગયો છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ 1114 , હૃદય નયન નિહાળે જગધણી જાય, ગમે તેવા કર્મના ઉદયો આવે, ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય; તો પણ જો પોતાની દૃષ્ટિને પોતાના ધ્રુવ સ્વરૂપ તરફ સ્થિર રાખવાનો પ્રયત્ન કરે, તો ધીમે ધીમે વિનાશી પર્યાયોની અસરથી મુક્ત થવાય છે. સ્થિર, નિત્ય, પૂર્ણની સાથેનું જોડાણ સ્થિરતા, નિત્યતા, પૂર્ણતા અર્થાત્ સ્વરૂપ સ્થિતતા આપી ધ્રુવ આરામી બનાવે છે, જ્યારે અસ્થિર, અનિત્ય, અપૂર્ણની સાથેનું જોડાણ અપૂર્ણ રાખી વિનાશીતા અને અસ્થિરતા આપી ભવભ્રમણ કરાવે છે અને આ જ તો સાધના છે કે જેમાં નિરંતર ઘુવતત્ત્વનું આલંબન લેવાનું છે અને પર્યાયમાં જે ભાવો પ્રગટે તેના ઉપર કોઈ પણ જાતની કોમેન્ટ એટલે કે પ્રતિભાવ આપ્યા વિના, પ્રતિક્રિયા કર્યા વિના તેનો સહજ સ્વીકાર કરી કર્મણિ પ્રયોગમાં રહી આગળ વધવાનું છે. જે પર્યાયો આવી ને ગઈ તે ગઈ. તેની કોઈ કથા-વાર્તા કરવાની નથી. માત્ર પ્રતિપળે ધ્રુવ તત્ત્વનું આલંબન લઈ ઉપયોગને તેમાં ઝબોળતા રહેવાનું છે. આત્માના અસંખ્ય પ્રદેશો નિરંતર સ્વરૂપની ભાવનાથી ભાવિત રહેવા જોઈએ, સ્વરૂપમાં ઝબોળાયેલા રહેવા જોઈએ અને છતાં જે પર્યાયો પ્રગટે તેના ઉપર સર્વદા સર્વત્ર ઉદાસીન ભાવ જ રહેવો જોઈએ. એક પણ પર્યાયને સારી કે મારી માનવાની ભૂલ ન થાય, તે સ્વરૂપ તરફની સાધકની જાગૃતિ સૂચવે છે. અહિંયા ખાસ એ નોંધવું જરૂરી બને છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશો પોતાના દ્રવ્યથી છુટ્ટા પડી શકતાં નથી તે પ્રદેશો સંલગ્ન હોવા છતાં પણ આત્માની જેમ તેમનું ગુણકાર્ય અખંડ નથી. આત્મા ચૈતન્યjજ હોવાથી, અખંડ દ્રવ્ય હોવાથી અને કર્તા દ્રવ્ય હોવાથી તેના એક પ્રદેશે થતું પરિણમન સર્વાત્મ પ્રદેશ અનુભવાય છે, અર્થાત્ આત્માના અસંખ્ય પ્રદેશો એકરૂપ પરિણમન કરે છે જ્યારે ધર્માસ્તિકાય વગેરેમાં જે પ્રદેશે ગતિ પરિણમનાદિ હોય તેની પૂર્ણ એટલે પ્રભુ! અપૂર્ણ એટલે લઘુ! પૂર્ણ એટલે અલવ. લવ (થોડું) નહિ.” એટલે જ ભગવાનને અલવેસરી-પૂણેશ્વર કહ્યાં છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1115 અસર અન્ય પ્રદેશે થતી નથી. ધર્માસ્તિકાય વગેરેમાં થતું ગુણકાર્ય તે તે પ્રદેશો પૂરતું સીમિત છે. આમ તે દ્રવ્ય ખંડ રૂપે છે જ્યારે આત્મા અખંડ દ્રવ્ય છે. આકૃતિથી તો તે ધર્માસ્તિકાય વગેરે અખંડ દ્રવ્ય હોવા છતાં પરિણમન અપેક્ષાએ ખંડ દ્રવ્ય છે જ્યારે આત્મા તો આકૃતિની અપેક્ષાએ તેમજ પરિણમનની અપેક્ષાએ બંને રીતે અખંડ દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશો જ્યારે દેહાકારે હોય છે ત્યારે તે દેહના ખંડમાં પણ આત્માના અસંખ્ય પ્રદેશો અખંડપણે જ રહેલા છે જેમ કે દેવલોકમાં રહેલ દેવ મનુષ્યલોકમાં ઉત્તર વૈક્રિય શરીર બનાવી પ્રભુની દેશના સાંભળવા આવે ત્યારે તેના ‘દેવભવના શરીરમાં પણ આત્મ પ્રદેશો છે. દેશના વખતના ઉત્તર વૈક્રિય શરીરમાં પણ આત્મપ્રદેશો છે તેમ આત્મપ્રદેશો અખંડ અવિભાજીત હોવાના કારણે બંને શરીરની વચ્ચેના દેવલોકથી માંડીને મનુષ્યલોકના ભાગમાં પણ આત્મ પ્રદેશો જોડાયેલા છે. અર્થાત્ બંને શરીરની વચ્ચે પણ આત્માનું-આત્મ પ્રદેશોનું અંતર પડતું નથી. જીવ વિષે આત્મ પ્રદેશોની સંલગ્નતા અતૂટ અને અખંડિત રહે છે. તેમ પરિણમન પણ સર્વાત્મપ્રદેશે અખંડ છે. ઘઉંનો લોટ જેમ ભેગો હોવા છતાં તેના પ્રત્યેક કણો છુટા છે જ્યારે તે જ લોટમાંથી કણેક બનાવતાં તે પિંડ સ્વરૂપ બને છે તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના પ્રદેશો લોટ સ્વરૂપે કહી શકાય જ્યારે આત્માના પ્રદેશો કણેક સ્વરૂપે કહી શકાય કારણકે કર્ણકની જેમ આત્મા અખંડ પિંડ છે. આપણા આત્માના અસંખ્ય પ્રદેશો અનંતકાળથી છે-છે અને છે ૪. આપણે તેને નકારીએ એટલા માત્રથી તેનું અસ્તિત્વ મટી જવાનું નથી. જેની ઉત્પત્તિ કોઇનાથી ન હોય તેનો નાશ પણ કોઈનાથી ન શરીરશ્રમી, બુદ્ધિ વિવેકનંતી, ઈન્દ્રિયો અંતરમુખી, હૃદય અનુરાગી, મન સંયમી અને અહમ્ અભિમાનશૂન્ય હોવો; એ સાયા સાઘના લક્ષણ છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ 1116 , હૃદય નયન નિહાળે જગધણી હોય. આપણી અજ્ઞાનતાથી આપણે ત્રિકાળી ધ્રુવ તત્ત્વનું વિસ્મરણ કરીએ છીએ તેમાં નુકસાન આપણને પોતાને છે, બીજાને નથી કારણકે ધ્રુવ તત્ત્વનું સ્મરણ કરવામાં તો આપણું ત્રિકાળ તત્ત્વ આપણા ઉપયોગમાં સતત નજરાયા કરે અને આપણે તેને મેળવવા કટિબદ્ધ બનીએ તે આપણો કર્મસત્તા સામેનો વિજય છે. આ સહજ છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે એટલે તે સુલભ છે. સાંયોગિક પદાર્થોની પ્રાપ્તિમાં આનંદ માનનારા આપણે સમજી. લેવું જોઈએ કે આ તો મારું જે તત્ત્વ છે-મારું જ સ્વરૂપ છે, ખાલી કર્મથી આવરાયેલું છે, તેને માત્ર ખુલ્લું કરવાની જરૂર છે. અપ્રાપ્તની પ્રાપ્તિ પાછળ પાગલ બનેલો આત્મા, શક્તિથી જે સત્તાએ કરીને પ્રાપ્ત છે તેને માત્ર ઓળખીને તેની નિરંતર શ્રદ્ધા કરીને જીવે, વારંવાર ઉપયોગમાં તેને જ લાવ્યા કરે, તો પ્રયત્નથી તેને ખુલ્લું કરી શકાય છે અને આનંદ વેદન માણી શકાય છે. જે મળેલું છે તેની ભાળ મેળવીને એને ખોળી કાઢીને તે મળેલાને માણવાનું છે અર્થાત્ વેદનમાં લાવવાનું છે. અમાવાસ્યાની ઘોર અંધારી રાત્રિમાં દરિયો પાર કરીને સામા કિનારે જવા માટે નાવમાં બેઠેલા નાવિકને આધાર એક માત્ર ધ્રુવના તારાનો છે. તે ધ્રુવનો તારો નાવિકને દિશા બતાવે છે અને તે મુજબ નાવિક હલેસા મારી આગળ વધે છે. આ ધ્રુવના તારાનો ઉપકાર છે. જો તે ન હોય તો હલેસા આડી અવળી દિશામાં મરાતા નાવ ગમે ત્યાં આડી અવળી ફંટાઈ જાય. પરિણામે ઈષ્ટકાર્યની સિદ્ધિ થઈ શકે નહિ. તે જ રીતે અધ્યાત્મમાં ધ્રુવના તારા સમા ધ્રુવ એવા આત્મદ્રવ્યનું અવલંબન અતિ ઉપયોગી મનાયું છે. ધ્રુવ તત્વ ઉપયોગમાં સતત નજરાયા કરે અને બીજું બધું ભૂલાયા કરે એ સાધકની સાધના છે. આ અશાંત મનમાં, આત્મદર્શન થાય કેવી રીતે? અસ્થિર જલમાં પ્રતિબિંબ શે પડે? સાધુપણું એટલા માટે યુ કહેલ છે કે એઓનું મન શાંત હોય છે અને બાહ્યજીવન નિરપાવિક હોય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1117 સાધના જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સાધક એક એક ગુણસ્થાનક ઉપર ઉત્તરોત્તર આરોહણ કરતો જાય છે. અંતે ક્ષપકશ્રેણી દ્વારા વીતરાગતા પામી કેવલ્યદશાને વરે છે અને આયુષ્ય-કર્મ ક્ષીણ થયે છતે શૈલેશીકરણ દ્વારા આયોગી બની સિદ્ધાલયમાં ધ્રુવ આરામી બને છે. ધ્રુવ તત્ત્વનું આલંબન લઈ કરેલી સાધના સાધકને ધ્રુવ આરામી બનાવે છે. સિદ્ધાવસ્થામાં શ્રમ નથી માટે ત્યાં આશ્રમ પણ નથી અને વિશ્રામ પણ નથી, થાક નથી માટે વિરામ પણ નથી પરંતુ ચારે બાજુથી સંપૂર્ણપણે સ્વરૂપમાં રમણતા કરવા રૂપ આરામ છે. ચૈતન્યની ચિરકાલીન પ્રકૃષ્ટ સ્કુરાયમાનતા છે. સંપૂર્ણતઃ અભય, અખેદ, અપ અવસ્થા છે. સ્તવનની પહેલી કડીમાં યોગીરાજ આપણને સૌને નિજ ગુણ કામી બનવા દ્વારા ધ્રુવ આરામી બનવાની પ્રેરણા કરી રહ્યા છે અને તે માટે ધ્રુવપદમાં શમી, નિષ્કામી, ગુણોના રાજા-ગુણનિધિ એવા પાર્શ્વપ્રભુનું - વ્યવહારનયે આલંબન લેવાની વાત કરી રહ્યા છે કે જે નિશ્ચય નયે પોતાના પરમ પરિણામિક ભાવ રૂપે રહેલ નિજ શુદ્ધ પરમાત્મ તત્ત્વનું જ આલંબન છે. આમ ઉપાસ્ય એવા પાર્વપ્રભુની ઉપાસના દ્વારા ઉપાસકને ઉપાસ્ય બનાવવાની વાત કવિશ્રીએ આ પ્રથમ કડીમાં ગૂંથી છે. ધ્રુવ પદમાં રમણતા કરી રહેલા સિદ્ધ ભગવંતોના અક્ષયઅનંતસ્વરૂપને સર્વ કેવલી ભગવંતો જાણે છે, અનુભવે છે તો પણ તેના સંપૂર્ણ સ્વરૂપને વાણીથી તેઓ કહી શકતા નથી કારણકે તે વેદ્ય સંવેદ્ય પદ છે. સ્વસંવેદ્ય પદ છે. કહ્યું છે કે નિર્વિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ-અનુભવની પ્રીત રે.. ઓર ન કબહુ લખી શકે, આનંદઘન પ્રીત પ્રતીત રે. તીર્થંકર પરમાત્મા પર્યાયાર્થિક નયથી દેશના આપે છે. એનો અર્થ એ છે કે તેઓ જીવોને સીધેસીધા રસ્યો અને મર્મો સમજાવે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ 1118 , હૃદય નયને નિહાળે જગધણી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા પણ લખે છે – यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः। शुद्धानुभवसंवेद्यं, तद्रुपं परमात्मनः ॥ વૈખરી વાણી જે રૂપનું વર્ણન ન કરી શકવાથી પાછી ફરે છે, મનની ગતિ પણ જેમાં પ્રવૃત્તિ કરી શકતી નથી, એવા પ્રકારનું પરમાત્મ સ્વરૂપ માત્ર શુદ્ધ અનુભવજ્ઞાન વડે જાણવા યોગ્ય છે. સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહિ જગકો વ્યવહાર, ક્યા કહીએ, કુછ કહ્યું ન જાયે, તું પ્રભુ અલખ અપાર. નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે નિમિત્તો-વ્યવહારો, ચિદ્ધનવિષે કાંઈ ન મળે. ભલે સો ઈન્દ્રોના તુજ ચરણમાં શિર નમતાં, ભલે ઈન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતાં; નથી એ જોયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો જિનવર. . તીર્થકર નામકર્મના વિપાકોદયનો વૈભવ એ બાહ્ય દશ્યરૂપ હોવાથી દેખી શકાય છે, જ્ઞાનની સંપૂર્ણતા-સર્વજ્ઞતા પણ દેશનાદિના વાણીવ્યવહારથી જાણી શકાય છે. પરંતુ કેવલી ભગવંતના-તીર્થકર ભગવંતના સહજ નિજાનંદને તો સ્વયં કેવલી ભગવંત થયા વિના અનુભવી તો નથી જ શકાતો પણ જણાવી પણ શકાતો નહિ હોવાથી, જાણી પણ શકાતો નથી. એ અનિર્વચનીય છે-અવકતવ્ય છે છતાં ઉપયોગબળને કેળવીએ તો, ઉપયોગબળની તાકાત, કાર્યબળને આપી શકીએ. ઉપયોગ એજ આત્મા છે અને કેવળજ્ઞાન ઉપયોગ -એજ પરમાત્મા છે. જ્ઞાન એ આત્મા છે અને કેવળજ્ઞાન એ પરમાત્મા છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1119 પારિણામિક ભાવે જીવનું પૂર્ણ, અનંત, શુદ્ધ, અખંડ, અભંગ, અક્ષય, શાશ્વત, સર્વોચ્ચ, સ્વાધીન, અપ્રતિષ્ઠત સ્વરૂપ રહેલું છે; તેની શ્રદ્ધા કરી, તેવા સ્વરૂપને પ્રગટાવનાર પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી પાર્શ્વપ્રભુનું આલંબન લઈએ, તો આપણો આત્મા ધ્રુવપદનો ભોગી એટલે ‘ધ્રુવપદરામી’ બની શકે છે. આત્મ રમમાણ બનીને સક્રિય મટી જઈ અક્રિય બની, શ્રમીમાંથી વિશ્રામી થઈ, “ધ્રુવ આરામી હો થાય” એ પંક્તિને ચરિતાર્થ કરનારો બની શકે છે. આત્મરમણતા દ્વારા ‘ધ્રુવપદ’ને પ્રાપ્ત કરાવી આપનાર સાધુની સાધુતાના સર્વભેદની સ્પષ્ટ સમજૂતિ આપનાર પરિશિષ્ટમાં આપેલ વિદુષી સાધ્વીજી શ્રી નંદીયશાશ્રીજીનો ચિંતનાત્મક લેખ જોઇ જવા જિજ્ઞાસુને ભલામણ છે. . સર્વવ્યાપી કહે સર્વ જાણંગપણે, પર પરિણમન સ્વરૂપ સુજ્ઞાની, પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિહ્નરૂપ.. સુજ્ઞાની..૨ અર્થ : હે સ્વામી ! તમને લોક-અલોકમાં વ્યાપીને રહેલ જો કોઈ કહે, તો તે સર્વ જાણંગપણે ઘટી શકે તેમ છે. તમે ત્રણેકાળના, સર્વ ક્ષેત્રના સઘળા પદાર્થોને તેના અનંત અનંત ગુણ-પર્યાયો સહિત એક સમય માત્રમાં જાણો છો! આમ સર્વ વસ્તુના જ્ઞાતાપણાથી જ આપ સર્વ વ્યાપી થઈ શકો છો! બાકી પર વસ્તુમાં પરિણમન પામવા સ્વરૂપે અર્થાત્ પર વસ્તુમય થવા સ્વરૂપે આપનામાં સર્વવ્યાપીપણું ઘટી શકતું નથી. “પર રૂપે કરી'' એટલે પરભાવથી તત્ત્વપણું તે સર્વવ્યાપીપણું નથી (અથવા જો) પરભાવ રૂપે પામવા વડે કરીને સર્વવ્યાપીપણું માનવામાં આવે તો તત્ત્વપણું એટલે આત્મગુણમયતા-આત્મપણું નહિ રહી શકે કેમકે સ્વ સત્તા એટલે આત્મસત્તા તો ચિપ છે, જ્ઞાનરૂપ છે. કાં' તો નિત્યને નિત્ય સમજી નિત્ય બની જા ! અથવા તો અનિત્યને અનિત્ય સમજી અનિત્યથી છૂટી નિત્ય બની જા ! Page #294 -------------------------------------------------------------------------- ________________ 1120 હૃદય નયન નિહાળે જગધણી વિવેચનઃ સર્વ પદાર્થનું જાણવાપણું હોવાને લીધે આત્મા સર્વવ્યાપક છે અર્થાત્ વિભુ છે; એમ કહ્યું તો હવે તેની સામે પૂર્વપક્ષ આપત્તિ આપતાં કહે છે કે તો તો પછી આત્મા જ્ઞાનગુણથી જેને જેને જાણશે તે તે રૂપે તે પરિણામ પામી જશે અને તો જ તે પદાર્થને પૂરેપૂરો જાણી શકશે. સર્વ પદાર્થના જાણકારીપણામાં આત્મામાં ખામી ન હોય તો તેને સર્વ રૂપે પરિણમન પામેલો માનવો પડશે અને જો તે જાણવામાં જરા પણ ખામી રહી જશે તો તે સર્વ રૂપે પરિણામ પામેલ છે તેમ કહી શકાશે નહિ. , ટૂંકમાં પૂર્વપક્ષીનું એમ જ કહેવું છે કે, આત્મામાં સર્વ પદાર્થની જાણકારીને સ્વીકારવી હોય તો આત્મા તે તે સર્વ પદાર્થરૂપે પરિણમે છે તેમ માનવું પડશે અને જો તે સર્વ પદાર્થરૂપ પરિણમે છે તે માન્યતા સ્વીકાર્ય ન હોય તો સર્વ પદાર્થના જાણકાર રૂપે આત્માને કહી શકાશે નહિ. દરેક ગુણ, સ્વભાવે પૂર્ણ હોય છે અપૂર્ણ નહિ. દરેક દ્રવ્ય પોતાનું ગુણકાર્ય પોતાના સ્વભાવ પ્રમાણે પૂર્ણપણે જ કરે છે. જો તે તેમ ન કરે તો તે દ્રવ્યનું તે ગુણ-કાર્ય છે, એમ કહી શકાય નહિ. દરેક દ્રવ્યો પોતાની શુદ્ધ અવસ્થામાં પોતાનું ગુણ કાર્ય સતત, સરળ અને સહજપણે કરે છે, પૂર્ણપણે કરે છે તેમાં ક્યારે પણ આંચ આવતી નથી અને આત્માને સર્વદ્રવ્યના સર્વ પર્યાયોના જાણકાર રૂપે તો તમે માનો જ છો. જો તેમ ન હોય તો પછી “જ્ઞાનમય આત્મા’ એમ કહી શકાશે જ નહિ એટલે આત્માને સર્વદ્રવ્યના જાણકાર રૂપ માનવા જતાં સર્વ દ્રવ્યરુપે આત્માનું પરિણમન પણ માનવું જ પડશે. આવી માન્યતાથી તો જ્ઞાન સર્વદ્રવ્યરૂપે પરિણમતા જ્ઞાન શેયાકાર થઈ જાય અને તેમ થતાં જ્ઞાનથી અભિન્ન આત્મા પણ જોયાકાર રૂપે પરિણમી જશે. એ રીતે જ તેને વિભુ-સર્વવ્યાપી માની શકાશે. એ રીતે જગત જ્ઞાનાકાર છે - જગત શૈયાકાર છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી પરપણું પામી જવાથી દરેક દ્રવ્યોને પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિપણું છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિપણું છે; તે સર્વમાન્ય જૈન સિદ્ધાંતનો અપલાપ થશે. કેમકે પર પદાર્થ માત્રને જાણવા જતાં, જો પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણું પામી જવાય તો તેનું પોતાનું તત્ત્વપણુંસ્વસ્વરૂપપણું ઘટી શકતું નથી. “પર રૂપે કરી તત્ત્વપણું નહિ” - કોઈ પણ દ્રવ્યનું પોતાપણું બીજા દ્રવ્યરૂપે હોઈ શકતું જ નથી. તેથી આત્મદ્રવ્યનું સચેતનપણું, અચેતન એવા પુદ્ગલાદિક અન્ય દ્રવ્ય રૂપે હોઈ શકે નહિ અને જો તેમ થાય તો સર્વજ્ઞ સ્વભાવી આત્મા પોતાનું ચેતનપણું છોડીને જડ રૂપે થઈ જાય. દ્રવ્યાંતર થઈ જાય. અચેતન બની જાય. આત્માને આત્મા છે એમ કહેવું અને પછી તે ચેતન નથી પણ જડ છે તેવો વ્યવહાર કરવો તે બેહુદુ છે. આત્મા કહેવો હોય તો તેને અચેતન-જડ-ચેતના વિનાનો ન કહેવાય અને જો અચેતન તરીકે વ્યવહાર કરવો હોય તો તેને આત્મા ન કહેવાય. • આમ આત્માને સર્વ પદાર્થના જાણકાર રૂપે વ્યાપક માનવા જાવ તો તેનું તમારે પરરૂપે પરિણમન થયેલું માનવું પડશે અને પરરૂપે પરિણમન થયેલ માનવા જતાં તેના ચિરૂપ-ચેતન્ય સ્વરૂપની હાનિ માનવી પડશે. પૂર્વ પક્ષે આપેલ આ આપત્તિનું સમાધાન આપતા જણાવે છે કે, જેનદૃર્શનના મતે જ્ઞાન અને જ્ઞાની એ બે જુદા નથી. બંને વચ્ચે કથંચિત્ ભેદ છે. એ માટે થઈને કેવલજ્ઞાન વડે લોકાલોકને જાણવારૂપે લોકવ્યાપી બને તો તેમાં કાંઈ વાંધો નથી. અન્ય દર્શનકારોની જેમ જૈન દર્શને આત્માને ક્ષેત્રથી વિભુ અર્થાત્ ક્ષેત્ર વ્યાપી વ્યાપક માન્યો નથી. જૈનદર્શનના મતે કેવલજ્ઞાન થાય ત્યારે પણ આત્મા તો દેહ વ્યાપી જ છે અને શરીરરહિત થયા પછી લોકાગ્રે પણ પોતાની અંતિમ અવગાહનાના મોહની અસર સર્વથા જાય એટલે કેવળજ્ઞાન ! શાતા અશાતાની અસર સર્વથા જાય એટલે સિદ્ધત્વ ! Page #296 -------------------------------------------------------------------------- ________________ 1122 . હૃદય નયન નિહાળે જગધણી ૨/૩ ભાગના નિશ્ચિત ક્ષેત્રમાં તે રહે છે. ત્યાં અનંતાનંત આત્માઓ હોવા છતાં દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. કેવલી સમુદ્યાતની આઠ સમયની પ્રક્રિયામાં માત્ર ચોથા સમય જેટલા અતિસૂક્ષ્મ કાળ માટે આત્મપ્રદેશોની લોકવ્યાપી ક્ષેત્ર વ્યાપકતા જૈન દર્શનને માન્ય છે. કેવલી ભગવંતો અને સિદ્ધ ભગવંતોએ સર્વકાળના સર્વ પર્યાયોને, જાણવારૂપ પોતાના કેવળજ્ઞાન ગુણને સંપૂર્ણ નિરાવરણભાવે પ્રાપ્ત કરેલો હોવાથી, તેઓ જગતના સર્વદ્રવ્યના સર્વ ગુણ પર્યાયોને પ્રતિસમય જાણવામાં ઉપયોગવંત હોવાથી જ્ઞાન સંબંધે તેઓને સર્વવ્યાપીપણું : કહેવામાં કોઈ વિરોધ નથી. પરંતુ તેઓ સચેતન કે અચેતન કોઈપણ પદ્રવ્યના કર્તા-હર્તા થતા નથી. તે જગત દૃષ્ટા હોય છે પણ જગત કર્તા નથી હોતા એટલે કે જગત જેવું છે તેવું યથતથ્ય બતાડનારા છે પણ જગતને બનાવનારા નથી. અર્થાત્ જાણનારા હોય છે પણ કરનારા નથી. જાણવું એ આત્માનો મૌલિક સ્વભાવ છે, જેના વડે અન્ય દ્રવ્યોથી આત્માનું જુદાપણું છે. એ આત્માનું લક્ષણ છે. ઓળખ છે. તેઓ તો માત્ર પોતાના શુદ્ધ જ્ઞાનાદિ અનંતગુણોમાં સચ્ચિદાનંદ સ્વરૂપે સમયે સમયે પરિણમી રહ્યા છે. પર રૂપે કરી તત્ત્વપણું નહીં” - પરરૂપે થવામાં તો “સ્વ”નું ખોવાઈ જવાપણું છે તે વાત સાવ સાચી છે. જ્ઞાન શેયને જાણે છે પરંતુ તે પરરૂપ થયા વિના જાણે છે, તે કેવી રીતે? તો એનું સમાધાન એ છે કે જ્ઞાન તો જ્ઞાનની સ્વ પર્યાય કે જે એનું સ્વલ્લેય છે તેને જ જાણે છે. એ કાંઈ પરને જાણવા જતું નથી. જે કાંઈ પર શેય છે તે જ્ઞાનની પર્યાયમાં એના જ્ઞેયત્વ સ્વભાવના કારણે ઝીલાય છે. દર્પણમાં જેમ બિંબનું પ્રતિબિંબ ઝીલાય છે તેવી જ રીતે વીતરાગ જેની ભેદ અવસ્થા છે તેને અભેદ પણ ભેદરૂ૫ છે. જેની અભેદ અવસ્થા છે તેને ભેદ પણ અભેદરૂપ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1123 અને નિર્વિકલ્પ બનેલ જ્ઞાનની પર્યાયમાં સર્વ શેયનું પ્રતિબિંબ ઝળકે છે, સર્વયની પ્રતિકૃતિ ઉપસે છે. જ્ઞાનની સ્વચ્છતા, નિર્મળતા, નિઃશંકતા અને પૂર્ણતાને કારણે જ્ઞાતાને જેમ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે કે જે સ્વજોય છે, તેમ સર્વ શેયો કે જે પર શેય છે તે પણ જણાઈ જાય છે. આમ સ્વ જણાતાં પર પણ જણાઈ જાય છે માટે જ કહ્યું છે. “નો i નાફ, સો સવૅ નાળ - આચારાંગ સૂત્ર શેય, જ્ઞાન અને જ્ઞાતાની સ્વક્ષેત્રે અભેદતા છે. જ્ઞાનમાં જે સ્વલ્લેય જણાય છે તે પરણેય સહિતનું જ જણાય છે. ટૂંકમાં સ્વજોય, સ્વપર્યાયમાં જણાતાં, સ્વપર્યાયમાં પડેલી પરણેયની છાયા પણ જણાઈ જાય છે. - પોતાનું પોતાપણું તે અસ્તિભાવ છે, તો જે પોતે નથી તે પોતાનો નાસ્તિભાવ છે. આમ પોતાનો નિર્ણય અસ્તિ-નાસ્તિ ઉભય ભાંગાથી થાય. આમ સ્વ જણાતા પર જણાઈ જાય છે. - પૂર્ણજ્ઞાનમાં જ્ઞાનને પરનું જાણવા જવાપણું નથી. જાણવા જવાની પ્રક્રિયા નથી. અહીં તો પર સઘળું અપ્રયાસ-સહજ જ જણાઈ જતું હોય છે. ‘going to know નથી પરંતુ ‘come to know' છે. છદ્મસ્થનું જ્ઞાન પરને જાણવા જાય છે તેથી ત્યાં જ્ઞાનનું પરરૂપે થવાપણું છે. ‘going to know'ની સપ્રયાસ જાણવા જવાની પ્રક્રિયા છે, તેથી ત્યાં સ્થૂતતા છે, એટલે કે સ્વમાંથી ખસવાપણું છે. જ્યારે નિર્વિકલ્પપૂર્ણજ્ઞાન-કેવલજ્ઞાનમાં અપ્રયાસ છે. સાહજિકતા છે, સ્વસ્થિતતા છે. આ જ વીતરાગ, નિર્વિકલ્પ બનેલ જ્ઞાનની સર્વોપરિતા છે અને સર્વજ્ઞતા છે. જે અસીમ, અનંત, સર્વ વ્યાપક આકાશ છે, તે પણ એના શેયત્વ સ્વભાવે કરીને જ્ઞાનની પર્યાયમાં શેયરૂપે ઝળકે છે, જ્ઞાનની પર્યાયમાં જે ત્રિકાળ-સર્વકાલિન છે, તે સત્ છે-સત્ય છે-નિત્ય છે. જે અનિત્ય છે, તે અસત્ છે-મિથ્યા છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ 1124 1124 હૃદય નયન નિહાળે જગધણી છે ઝીલાય છે. આમ કેવલજ્ઞાનની પર્યાયમાં સ્વય-જ્ઞાયક જણાતાં લોકાલોક વ્યાપી આકાશ પણ જણાઈ જાય છે. તેમજ આકાશને આધાર બનાવીને આકાશમાં રહેલા સર્વ દ્રવ્યો પણ તેના સર્વ પર્યાયો સહિત જણાઈ જાય છે. તેથી જ ક્ષેત્રથી વ્યાપક એવા આકાશ કરતાં પણ કેવલજ્ઞાન સ્વરૂપ આત્મા મહાન છે. મોટો એવો પર્વત પણ નાની એવી આંખમાં સમાઈ જાય છે. આંખ, દર્શન શક્તિથી મહાન છે તો આત્મા એની જ્ઞાનશક્તિથી મહાન છે. આ જ જ્ઞાત સત્તાની ચિટ્ટપતા છે. દર્પણને જોવાથી જેમ દર્પણમાં પ્રતિબિંબ રૂપે રહેલ સર્વ કાંઈ દર્પણ સહિત દેખાઈ જાય છે, તેવી જ આ શેય, જ્ઞાન, જ્ઞાતાની અભેદરૂપ થતી પ્રક્રિયા છે. દર્પણનું દૃષ્ટાંત એકદેશીય છે. એ જ્ઞાનની વીતરાગતા અને. નિર્વિકલ્પતા એટલે કે અક્રમિકતા સમજવા માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે. દર્પણમાં વસ્તુની છાયા પડે છે, તેમ કેવલજ્ઞાનમાં કાંઈ પદાર્થોની છાયા પડતી નથી, તો પણ કેવલજ્ઞાનમાં બધું જણાઈ જાય છે કારણકે જણાવાની સકલાદેશીય ક્રિયા અસ્તિ-નાસ્તિ ઉભય ભાંગાથી યુક્ત હોય છે. અસ્તિ જણાઈ જાય એટલે નાસ્તિ જણાઈ જ જાય. અતિ રૂપે આત્મા જણાતા આત્મભિન્ન તમામ પદાર્થો નાસ્તિ રૂપે જણાઈ જાય છે. ગણિતના દાખલાનો સાચો જવાબ જેને જણાઈ ગયો તેને દાખલાના બધાં ય ખોટા જવાબો આપોઆપ સહજપણે જણાઈ જાય છે. વળી આત્માનો જે અગુરુલઘુ એટલે કે સમસ્થિતતાનો ગુણ છે તે ગુણ અન્ય અસ્તિકાય દ્રવ્યોનો પણ છે. આ ગુણ વડે આત્માનું અન્ય દ્રવ્યો સાથે સામ્ય છે. તેથી આત્માને જાણતાં આત્મા સિવાયના સર્વદ્રવ્યોની જાણકારી આત્માને સ્વભાવમાં રહીને, પર ક્ષેત્રમાં ગયા વગર અને પરભાવ રૂપે પરિણમ્યા વગર આ અગુરુલઘુગુણના સાધમ્મથી થઈ જાય છે. - સાધનનો ઉપયોગ કરી સિદ્ધ થવું, એ સાધનનો સદુપયોગ છે, સાધનમુક્તિ છે. સાઘનનો ઉપયોગ કરવો અને સિદ્ધ ન થવું, એ સાઘનનો દુરુપયોગ છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1125 આત્માનો એ સ્વભાવ છે, કે જેનામાં શેયત્વ ધર્મ રહેલ છે તે સર્વ શેયો એના કેવલજ્ઞાનમાં-પૂર્ણજ્ઞાનમાં જણાઇ જ જાય. જાણવા માટે એને પરક્ષેત્રમાં જવું પડે નહિ અને પર રૂપે થવું પડે નહિ. પૂર્ણતા આવી જાય એટલે અપૂર્ણતાને સમજવી ના પડે. અપૂર્ણતા આપોઆપ જણાઈ જાયસમજાઈ જાય. પૂર્ણમાં બધું અપૂર્ણ સમાઇ જાય પણ અપૂર્ણમાં પૂર્ણ નહિ સમાય. વળી પૂર્ણમાંથી પૂર્ણ જ નીકળે અને શેષ પાછું પૂર્ણ જ રહે. પૂર્ણની પૂર્ણતામાં ક્યારે અસમતુલતા-વિષમતા ન આવે તે જ પૂર્ણનો અગુરુલઘુ સ્વભાવ ગુણ છે. પૂર્ણની સમાન કોઈ છે નહિ તેથી પૂર્ણ અસમાન છે – અતુલ છે. તેથી અપૂર્ણ તત્ત્વ વડે, છદ્મસ્થ જીવ વડે તેને શબ્દથી સમજાવી શકાય નહિ. એ વચન અગોચર-અનભિલાપ્ય-અકથ્યઅવક્તવ્ય છે. · આત્મા અલક્ષ છે-અલખ છે-અકલ છે. પણ અનાત્મ પદાર્થોનું લક્ષ બેઠું છે તેથી વૈદિક દર્શનમાં આત્માને સમજાવવા માટે ‘નૈતિ, નેતિ”નો નિષેધાત્મક પ્રયોગ કરાયો છે. જે ‘છે’ તે તો સ્વ પદ હોવાથી અનુભવ ગમ્ય છે માટે જે પરરૂપે, તે નથી, એ નથી ને નથી નથી કહીને સમજાવવામાં આવે છે. આ પરિણમન કેવું હોય છે તે પૂ.પાદ દેવચંદ્રજી મહારાજા શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સ્તવનમાં સ્વોપજ્ઞ ટબામાં જણાવે છે કે શ્રી શ્રેયાંસ પ્રભુ તે જીવદ્રવ્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રના પરિણામ રૂપ સાધન રત્નત્રયી તેઓને સમ્યરૂપે પૂર્ણતયા પરિણમી છે તેથી તેઓ સિદ્ધ થયા છે. તે સિદ્ધપણે અસંખ્યાત પ્રદેશી છે, અનંત ગુણી છે, અનંત પર્યાયી છે. વળી તે પ્રભુનો પ્રત્યેક ગુણ ત્રણ-ત્રણ પરિણતિ રૂપ છે. સાઘન સિદ્ધ થવા માટે છે અને નહિ કે અસિદ્ધ રહેવા. Page #300 -------------------------------------------------------------------------- ________________ 1126 હૃદય નયન નિહાળે જગધણી 'સર્વ દ્રવ્યનું અર્થક્રિયાકારીપણું ગુણપરિણતિથી છે; તે મધ્યે અસાધારણપણું વિશેષગુણની મુખ્યતવે છે અને સાધારણગુણની પરિણતિ પણ કર્તાદ્રવ્યની કર્તાને હાથ છે. કર્તા કરે તો પ્રવર્તે, ન કરે તો ન પ્રવર્તે. જીવ દ્રવ્ય સિવાયની પાંચ અકર્તા દ્રવ્યની ગુણ પરિણતિ સદા પરિણમે છે. દ્રવ્યોની અર્થક્રિયાકારીતાની પ્રક્રિયા આવી જ રીતે હોય છે, એટલું જ નહિ પણ જીવદ્રવ્યની ગુણપરિણતિ સિદ્ધ અવસ્થામાં પણ સદા પ્રવર્તે છે પણ કારક ચક્રના પ્રવર્તનથી પ્રવર્તે છે; તે માટે આત્મદ્રવ્યના જ્ઞાનાદિક જે ગુણ છે તે ત્રિવિધ પરિણમે છે. આ ત્રિવિધતા તે કરણ, કાર્ય અને ક્રિયા સ્વરૂપે છે. આ ત્રિવિધતા તે ગુણની તેહી જ ગુણમાં છે. એ ત્રણે પરિણામનો કર્તા તો આત્મા જ છે. અહિંયા જે દરેક ગુણના કરણ, કાર્ય અને ક્રિયા સ્વરૂપે ત્રિવિધ પરિણામ કહ્યા અને તેનો કર્તા આત્મા અર્થાત્ શુદ્ધાત્માં કહ્યો, તે આગમ શૈલિની મુખ્યતાયે જાણવું કારણકે આગમ શૈલિ પોતાના શુદ્ધ ગુણોના કર્તા તરીકે શુદ્ધાત્માને સ્વીકારે છે જ્યારે અધ્યાત્મ શૈલિ તો તે તે સમયના ગુણ-પર્યાયના કર્તા તરીકે તે તે સમયની પર્યાયને જ માને છે. તેના મતે તો તે તે સમયની પર્યાયનું કારણ તે તે સમયની પર્યાય જ છે. દરેક સમય સમયની પર્યાય જ છે. દરેક સમય સમયની પર્યાય પોતપોતાના પકારકથી સ્વતંત્રપણે પરિણમે છે, તેમાં પરમ પરિણામિક ભાવ રૂપે રહેલ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ ઉદાસીન છે. જ્ઞાનીની દૃષ્ટિ જાણનાર ઉપર છે. પર્યાયમાં ધ્રુવ જણાય છે પણ તે દૃષ્ટિ ધ્રુવની અપેક્ષા રાખતી નથી. જ્ઞાનશક્તિનું માહભ્ય જ એવું છે કે જે પરની અપેક્ષા રાખ્યા વિના સમયે સમયે સમ્યમ્ રૂપે પરિણમ્યા જ કરે છે અને તેની સાથે બીજા અનંત ગુણોનું પણ સમ્યગૂ પરિણમન થયા કરે છે. આગમ ષટકારક(વિભક્તિ), યાર નિક્ષેપા, પાંય કારણ, યાર કારણ, સપ્તભંગી અને સાત નયથી સંસાર ચાલે છે તેમ ઘર્મ પણ ચાલે છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પાર્શ્વનાથજી , 1127 શૈલિમાં દ્રવ્યની તેના ગુણપર્યાય સાથે અભેદની મુખ્યતા વિવક્ષિત છે અને તેથી દરેકે દરેક પર્યાય તેના આધારભૂત દ્રવ્યનું અવલંબન લઈને જ ઉત્પન્ન થાય છે. એટલે અહિંયા વિશુદ્ધ પર્યાયની ઉત્પત્તિમાં આધાર તરીકે આત્મદ્રવ્યને અપેક્ષિત માનવામાં આવ્યું છે જ્યારે અધ્યાત્મ શૈલિ એક જ આત્મ તત્ત્વના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ભેદ પાડે છે. તેમાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચય અને સમયે સમયે ઉત્પન્ન થતી પર્યાય તે વ્યવહાર. અધ્યાત્મ શૈલિમાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ પર્યાયનું કારણ મનાયું નથી પરંતુ તે તે શણ જ તે તે પર્યાયની જન્મદાતા માનવામાં આવી છે. આ રીતે જો વિચારવામાં આવે તો પદાર્થ સંગતિ બરાબર કરી શકાય છે. ઉપાદાનપણે પ્રકૃષ્ટ કારણ તે કારણે અને તે કરણનું ફલ સાધ્ય તે કાર્ય તથા કાર્યને થવા માટે કરવારૂપ પ્રવૃત્તિ તે “ક્રિયા એટલે કર્તાનો વ્યાપાર. સિદ્ધ અવસ્થામાં પણ આ ત્રણે કરણ, કાર્ય અને ક્રિયા અભેદરૂપ છે. * જેમ કે જ્ઞાનગુણ તે “કરણ” જાણવું. જ્ઞાનગુણથી જે શેય પદાર્થનું જ્ઞાન થાય છે તે કરણનું ફલ છે-સાધ્ય છે માટે તે કાર્ય જાણવું તથા તે કાર્ય જાણવાને માટે જે જ્ઞાનની ફુરણા થઈ-જ્ઞાનનો વ્યાપાર થયો-જ્ઞાનનું પરિણમન થયું-પ્રવૃત્તિ થઈ તે ક્રિયા જાણવી. એ ત્રણેનો સિદ્ધાવસ્થામાં અભેદ છે. - જ્ઞાનગુણ જે કરણ રૂપ છે તે “ધ્રૌવ્ય” અંશ છે. જ્ઞાનગુણથી - જે શેય પદાર્થનું જ્ઞાન થયું જે કાર્યરૂપ છે તે “ઉત્પાદ” અંશ છે તથા તે કાર્ય જાણવાને જ્ઞાનની ફુરણા એટલે પ્રવૃત્તિ જે ક્રિયારૂપ છે તે “વ્યય” અંશ છે. આ ઉત્પાદ-વ્યય અને ધ્રોવ્ય, એ ત્રણે એક જ સમયે છે અને અભેદરૂપ છે. એ ત્રિવિધ પરિણામે જેને જ્ઞાનગુણ પ્રવર્તે છે, તેમ તે જ આત્માની પોતાની થયેલી ભૂલને સુધારીને, આત્માને દોષરહિત બનાવી, અંતે સ્વરૂપનિષ્ઠ, જે બનાવે છે, તે ઘર્મ છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ 1128 , હૃદય નયન નિહાળે જગધણી સમયે બીજા સર્વ અનંત-અનંત ગુણો પણ ત્રિવિધ રૂપે પરિણમી રહ્યા છે, એટલે પ્રભુના સર્વ ગુણો વ્યક્તપણે સ્વીકાર્યતાને કરે છે. આમ સર્વગુણોનું ત્રિવિધતાએ પરિણમન પ્રતિ સમયે ચાલ્યા જ કરે છે અને પ્રત્યેક ગુણો જ્ઞાનગુણની સહાયથી-સંયુક્તતાથી ચૈતન્યમય બનેલા હોવાથી પ્રતિ સમયે દરેક ગુણમાંથી આનંદ વેદન પણ પ્રગટ થઈ રહ્યું છે. ગુણો અનંત અનંત હોવાથી, દરેક ગુણનું ત્રિવિધતાએ પરિણમન પ્રતિ સમય ચાલુ હોવાથી આનંદ વેદન પણ પ્રતિ સમયે અનંત-અનંત-અનંત હોય છે. જેમ શેયની અનંતતાથી જ્ઞાનની અનંતતા છે, દેશ્યની અનંતતાથી દર્શનની અનંતતા છે તેમ ગુણની અનંતતાથી આનંદની અનંતતા છે. અનંતની અનંતતાને અનંતકાલીન Asitis અકબંધ રાખવા જે શક્તિ જોઈએ તે અનંતવીર્ય છે. શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદભૂત સહજાનંદ રે, ગુણ ઈક વિધ ત્રિક પરિણમ્યો, ઈમ ગુણ અનંતનો છંદ રે, મુનિચંદ જિણંદ અમંદ દિણંદ પદે નિત દીપતો સુખકંદ રે, નિજ શાને કરી યનો, શાયક જ્ઞાતા પદઈશ રે, દેખે નિજ દર્શન કરી, નિજ દૃશ્ય સામાન્ય જગીશ રે મુનિ.. - શ્રેયાંસનાથ જિન સ્તવન - દેવચંદ્રજી મહારાજ આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આત્મા, સર્વ પર દ્રવ્ય અને તેના સર્વ પર્યાયોને જાણવા છતાં, તે રૂપે પરિણામ નથી પામતો પરંતુ પોતાના અનંત જ્ઞાનમાં નિમજ્જન કરીને રહેલો તે અનંત આનંદને પ્રતિ સમયે અનુભવે છે અને “સ્વસત્તા’ ચિઠ્ઠપ બની રહે છે. વસ્તુનું પ્રકાશન કરનાર દીવો કે સૂર્ય પોતા વડે પ્રકાશિત વસ્તુરૂપે થતાં નથી પણ દીવો કે સૂર્ય રૂપે જ રહે છે. સ્યાદ્વાદ્ એટલે આત્માર્થ કરવો, પણ શબ્દાર્થ નહિ કરવો. Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1129 . અહીં એટલું સમજવું જરૂરી છે કે દરેક દ્રવ્યોમાં ‘અપ્રવેશી ગુણધર્મ રહેલો છે. એટલે નિશ્ચય નયથી કોઈ પણ દ્રવ્ય, પોતાનું મૂળભૂત સ્વરૂપ છોડીને અન્ય દ્રવ્ય સ્વરૂપે કોઈ પણ કાળે થતું નથી, એટલે ચેતન, જડ બનવાનો, દ્રવ્યાંતર થવાનો પ્રસંગ નહીં આવે. આમ છતાં વ્યવહારથી જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં સાંયોગિક ભાવે સપ્રવેશીપણું પણ છે માટે પુદ્ગલમાં ઉપચરિત ચેતનત્વ આવે છે. આત્માના સંયોગે શરીરને કાયયોગ અને સચિત્ત સ્કંધની ખ્યાતિ મળે છે અને આત્મા, શરીર સંયોગે ઉપચરિત જડ-દારિક વર્ગણાના સ્કંધ રૂપે જણાય છે. આગમશેલિથી જોતાં જણાય છે કે - “ . આત્મા નિશ્ચયથી નિજગુણનો કર્તા છે. અનુપચરિત વ્યવહાર દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉમચરિત વ્યવહારે નગરાદિનો કર્તા છે. : આ વસ્તુના સ્વીકારથી સાધનામાં પણ વેગ આવે છે. જ્યારે આપણે મોદક રૂપ પુદ્ગલ દ્રવ્યને ભોગવીએ છીએ ત્યારે હકીકતમાં તો આપણે મોદકના સ્વાદને પોતાના રસનેન્દ્રિયના ક્ષયોપશમ વડે મતિજ્ઞાનના ઉપયોગથી જાણીએ છીએ. બીજું કાંઈ જ નથી પણ અજ્ઞાનથી મોદકને સુખનું કારણ કહીએ છીએ. કારણકે અજ્ઞાનથી જીવે પરમાં સ્વપણાની બુદ્ધિ સ્થાપી છે. પોતાના જ વૈભાવિક વિકલ્પનો પરના માધ્યમે ઉપભોગ છે. જડ વસ્તુમાં સુખ આપવાનો ગુણ કે શક્તિ જ નથી. પરની સાથે ઉપયોગનું જોડાણ કરીને પોતાનામાંથી જ નિષ્પાદિત સુખ પોતે પરના માધ્યમે અનુભવે છે અને અજ્ઞાને કરીને પરમથી સુખ મેળવવાની ભ્રાંતિમાં રાચે છે. જો પર સુખદાયી હોય તો પછી તે અન્ય સંયોગોમાં દુઃખદાયી કેમ બની જાય છે? તેનો વિચાર વિવેકી જીવે કરવા જેવો આત્મા જ્ઞાનદશામાં જાગૃત છે, એની નિશાની રૂપે મોહનીય ભાવો ન થાય; તો સમજવું કે આત્મા સજાગ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ 1130 હૃદય નયન નિહાળે જગધણી છે. જેમાં સુખ બુદ્ધિ સ્થાપી છે તેનો જ રાગ છે અને તે જ સુખ આપે છે અન્યથા જેમાં દુઃખ બુદ્ધિ છે, તેનો દ્વેષ છે અને તે એને દુઃખદાયી બને છે. વસ્તુ એની એ જ છે પણ તે એકને સુખદાયી અને બીજાને દુઃખદાયી બને છે તેમાં કારણભૂત તે પદાર્થ પ્રતિ વર્તતા રાગ-દ્વેષ છે. વળી વસ્તુ એ જ હોવા છતાં, વ્યક્તિ પણ તે જ હોવા છતાં કાળ-ફરી જતાં ને ભાવ ફરી જતાં તે સુખદ હોય તો દુઃખદ પણ બની શકે છે અને દુઃબંદ હોય તો સુખદ પણ બની શકે છે. આત્મા એ ચેતન દ્રવ્ય હોવાથી જ્ઞાનાદિકમાં જ પરિણામ પામી શકે પણ પુદ્ગલ દ્રવ્યની જેમ તે વર્ણાદિમાં કાયદેસર પરિણામ પામી શકે નહિ અને પામતો જે અનુભવાય છે તે ભ્રમણા છે-મૂઢતા છે. " જ્ઞાન તો મોદકનો રસાસ્વાદ જાણી શકે પણ તેમાં રમણતા કરાવનાર ચારિત્રનો મિથ્યાઅંશ, ચારિત્ર મોડ ભળેલો છે માટે તે મોદક ખાતા આનંદ અનુભવાય છે અને આ મોદક ખાવામાં જે રમણતાઆનંદ આવે છે તે સાચો છે, તાત્વિક છે, બરાબર છે, એવું જે ભીતરમાં મનાય છે, તે દર્શનમોહના ઉદયથી છે. દર્શનમોહનો-મિથ્યાત્વ મોહનો ઉદય જ્ઞાન સાથે એટલે કે મતિજ્ઞાનના ઉદય સાથે જ્યારે ભળે છેએકમેક થાય છે ત્યારે જ્ઞાન વિકૃત બને છે અને તેથી વિપરીત શ્રદ્ધાન, વિપરીત માન્યતાનું જોર આત્મામાં પ્રવર્તે છે. પોતાના જ્ઞાન સ્વરૂપમાં રમણતા કરવી તે સમ્યગું ચારિત્ર છે; તેના બદલે પર પદાર્થનાઈન્દ્રિયના વિષયમાં કે પરભાવમાં રમણતા કરાય તે મિથ્થા ચારિત્ર સમજવું જેમાં ચારિત્ર મોહનો ઉદય કામ કરી રહ્યો છે. જ્યાં સુધી મોદક સારો છે એવું માન્યતામાં રહ્યા કરે ત્યાં સુધી સત્તા, સમૃદ્ધિ, શક્તિ, કળા એ સંસારમાર્ગ છે, જે આવરણ વધારે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1131 અવેધ સંવેદન છે. ચતુર્થ ગુણસ્થાનકથી વેદસંવેદ્ય પદ માન્યું છે તેનું કારણ એ છે કે જે પદાર્થ જે રીતે વેદવા યોગ્ય છે તે પદાર્થનું તે રીતનું વેદન જ માન્યતામાં સ્વીકાર્ય હોય છે એટલે અવિરતિના ઉદયથી - કર્મના ધક્કાથી પુગલ ભાવનું વેદન સારું લાગે, તો પણ ત્યાં તેનો હેય રૂપે જ સ્વીકાર છે એટલે આત્મા આત્મતત્ત્વના વિષયમાં પ્રામાણિક બન્યો છે. આ પ્રામાણિકતા આવી એટલે એટલા અંશમાં વેધસંવેદ્યપદ આવ્યું. પછી ઉપર ઉપરની દૃષ્ટિમાં વેદસંવેદ્યપદ બળવત્તર બનતું જાય છે અને અંતે ક્ષપકશ્રેણી દ્વારા કેવલ્ય અવસ્થા અને સિદ્ધ અવસ્થામાં તો પૂર્ણપણે સ્વરૂપનું જ વેદન છે અને પર પ્રતિ પૂર્ણ જ્ઞાતા દૃષ્ટાભાવ જ છે. - મિથ્યાત્વના ઉદય કાળે ઉપયોગમાં ઊંધી દષ્ટિ-અવળી સમજ અને વિપરીત માન્યતાનું જોર હોવાથી જીવને પર પદાર્થને પ્રાપ્ત કરવાની તેમજ તેને ભોગવવાની ઈચ્છા રહ્યા કરે છે. તેનાથી આત્મામાં ખોટી વાસના-વિપરીત સંસ્કારો બંધાય છે, જેના ઉદયે ફરીથી પાછી ભોગની ઇચ્છા-પ્રવૃત્તિ-ભોગવટાનું ચક્કર ચાલે છે. અજ્ઞાનના કારણે ચાલતું આ ચક્ર એ કષાયચક્ર છે-વિષચક્ર છે. તેમાંથી જ્યારે અજ્ઞાન ટળે છે; દૃષ્ટિ સવળી બને છે, ઉપયોગમાં સ્વરૂપનો મહિમા આવે છે, ઉપયોગ વારંવાર સ્વરૂપ તરફ જોડાય છે ત્યારે અમૃત ચક્ર શરૂ થાય છે. " હવે આગળની ૩, ૪, ૫ અને ૬ ગાથાઓમાં અનુક્રમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કેવળજ્ઞાની સર્વ શેયને નિશ્ચિત સ્થાનમાં રહીને જાણી ન શકે, તેવી શંકા ઉઠાવીને ઉત્તરાર્ધમાં તેનો જવાબ યોગીરાજ આપવાના છે પણ તે ગાથાઓમાં પ્રવેશ કરતા પહેલાં સામાન્યથી જ્ઞાન થવામાં પ્રક્રિયા શું બને છે? તે જાણવું જરૂરી છે. સાદાઈ, સરળતા, સંરકારિતા, પવિત્રતા; એ મોક્ષમાર્ગ છે, જે આવરણનો અંત આણે છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ 1132 , હૃદય નયન નિહાળે જગધણી ૧) શું જ્ઞાન, શેય એવા પદાર્થ પાસે જાય છે ? કે . ૨) જોય એવા પદાર્થો જ્ઞાન પાસે આવે છે ? કે ૩) શેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે? કે ૪) અજ્ઞાની એવો આત્મા ઈન્દ્રિય નલિકા દ્વારા જોય સુધી જાય છે? કે ૫) આત્માનો જ્ઞાન પ્રકાશ ચંદ્રના કિરણોની જેમ સર્વત્ર ફેલાય છે? આમાં હકીકત શું છે? તેનું સમાધાન એ છે કે ૧) ન જ્ઞાન શેય પદાર્થ પાસે જાય છે. ૨) ન જોય પદાર્થ જ્ઞાન પાસે આવે છે. ૩) ન શેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે. ૪) ન આત્મા શેય પાસે જાય છે. ૫) ન તો જ્ઞાનના કિરણો સર્વત્ર ફેલાય છે કે ન તો શેયના કિરણો જ્ઞાન સુધી ફેલાય છે. ઉપચરિત ભાષામાં જે કહેવું હોય તે કહી શકાય છે. પરંતુ વાસ્તવિક રીતે તો જ્ઞાનશક્તિ જ એવી છે કે “તેવું કાંઈ પણ થયા વિના તે સર્વ કાંઈ જાણી શકે છે જ્ઞાન એવી વિલક્ષણ વસ્તુ છે કે જગતમાં તેનું પૂરેપુરું બંધ બેસતું દૃષ્ટાંત મળે તેમ નથી. વળી આત્મા કે જ્ઞાનને શેયની પાસે જવા પૂર્વકના સંબંધ દ્વારા જ જ્ઞાન થઈ શકતું હોત તો ભૂત અને ભવિષ્યના પદાર્થોને આત્મા શી રીતે જાણી શકે? અનંત ભૂત અને અનંત ભવિષ્ય કેવલજ્ઞાનની એક સમયની પર્યાયમાં જ જણાઈ જાય છે તે બતાવે છે કે જ્ઞાનની શક્તિ અચિંત્ય છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. તેના કિરણોની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે પણ ચંદ્ર કાંઈ ભૂમિરૂપે કોઇ કાળે થતો નથી, એમ પોતાના અનંત જ્ઞાન ગુણ વડે સમસ્ત વિશ્વનો પ્રકાશક એવો આ આત્મા ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી પરંતુ સદા, સર્વદા ચૈતન્ય સ્વરૂપે જ રહે છે. અનંત એવા કેવલજ્ઞાનની અપેક્ષાએ જીવને લોકાલોક પ્રકાશક પગલદ્રવ્ય પ્રતિ માત્ર બે દૃષ્ટિ કરવી. એક તો એ કે એ પરદ્રવ્ય છે અને બીજું પદ્રવ્ય હોવાથી માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવ કરવો પરંતુ સમદષ્ટિ, ભેદ દષ્ટિ કે કર્તા-ભોતાના ભાવ ન કરવા. Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી - 1133 - શ્રી પાર્શ્વનાથજી , 133 માનવો તે વ્યાજબી છે પણ તેથી લોક વ્યાપી-ક્ષેત્રથી વિભુ માનવો તે કોઈ રીતે ઉચિત જણાતું નથી. જ્ઞાનથી જ પૂર્ણ બને છતે સર્વ કાર્યની સિદ્ધિ થઈ જતી હોય તો પછી તેને ક્ષેત્રથી વિભુ-સર્વ વ્યાપક માનવામાં કઈ વિશેષતા છે? વળી નષ્ટ ભૂતકાળ અને અનાગત ભવિષ્યકાળને જાણવાની જે જ્ઞાન શક્તિ આત્મામાં છે, તે કાંઈ આત્માને વિભુ અર્થાત્ ક્ષેત્રથી વ્યાપક માનવાથી ઘટમાન થઈ શકતી નથી. જે દર્શનકારો આત્માને ક્ષેત્રથી વિભ-લોક વ્યાપી માનીને આત્માની પ્રસિદ્ધિના ગાણા ગાય છે; તેઓ તે રીતે આત્માને માનીને આત્માની કઈ વિશેષતા સિદ્ધ કરે છે ? અને જો આત્મા ક્ષેત્રથી વિભુ હોય તો પછી વૈદિક દર્શને આત્માની મહત્તા બતાવવા મહતોડપિ મહીયાનું શબ્દનો પ્રયોગ કર્યો છે અર્થાત્ આત્મા આકાશથી પણ મહાન છે; એવું જે કહ્યું છે, તે કઈ રીતે સત્ય ઠરશેઆકાશને તો સર્વ પદાર્થોને પોતાનામાં સમાવવા લોક વ્યાપી બનવું પડે છે જ્યારે આત્મા તો કેવલ્ય અવસ્થામાં દેહપ્રમાણ ક્ષેત્રમાં રહીને જ લોક-અલોક સર્વને પોતાની માત્ર એક સમયની જ્ઞાનની પર્યાયમાં સમાવી દે છે, તે જ જ્ઞાનમય આત્માની વિશેષતા છેમહાનતા છે. . . આના પરથી એ નક્કી થયું કે પોતાના દેહ પ્રમાણ મર્યાદિત ક્ષેત્રમાં રહીને જ્ઞાન ગુણ વડે વિષય-વિષયભાવ સંબંધથી આત્મા પદાર્થને જાણી શકે છે. જ્ઞાનશક્તિ જ એવી છે કે જે નિરાવરણ થયે છતે તેમાં સર્વ કાંઈ જણાઈ આવે, કાંઈ જ બાકી ન રહે. પ્રવચનસારમાં પણ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય ફરમાવે છે કે – એક જ પદાર્થના સર્વધર્મોને સમકાળે જેવા જાણવા તે સદર્શન, કેવળદર્શન, કેવળજ્ઞાન છે. એ સમ સમુચ્ચય દર્શન-પ્રમાણ દર્શન છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ 1134 હૃદય નયન નિહાળે જગધણી आदा णाण पमाणं, णाणं णेयप्पमाणमुद्दिडं । णेयं लोयालोयं, तम्हा णाणं तु सव्वगयं ।। આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન શેય પ્રમાણ છે. શેય લોકોલોક પ્રમાણ છે માટે જ્ઞાન સર્વ ગત છે. બસ, એ અપેક્ષાએ આત્મા સર્વને જાણતો હોવાથી સર્વ વ્યાપી છે. સર્વ શેય પદાર્થોનો આત્મા જ્ઞાતા જરૂર છે પણ જોય રુપે પરિણમવું એ તેનો સ્વભાવ નથી અને શેયાર્થરૂપે જો પરિણમે તો જ્ઞાન પણ ક્ષાયિક ન કહેવાય, વળી શેયાર્થ રૂપે પરિણમવા દ્વારા જ જાણવાપણું હોય તો અનંતભૂત અને અનંતભવિષ્યને તે ન જાણી શકે. જીવન વ્યવહારમાં પણ નાનકડી એવી આંખે પહાડ જોવા માટે પહાડ જેટલા થવાની જરૂર નથી પડતી. દર્પણમાં દેખાતો મોર એ કાંઈ જીવતો જાગતો મોર નથી. એ દર્પણનું મોરની છાયા સહિતનું તે ક્ષણનું દર્પણત્વ છે. દર્પણ કાંઈ વાસ્તવમાં મોર નથી થયેલ વળી સંસારી અવસ્થામાં પરદ્રવ્યરૂપે પરિણમનારો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવતો નથી પણ કર્મને જ અર્થાત્ કર્મ જનિત શુભાશુભ ભાવોને જ અનુભવે છે; એ સર્વજન વિદિત છે. માટે જ યોગીરાજ આનંદઘનજીએ કહ્યું કે “પરરૂપે કરી તત્ત્વપણું નહીં” - પર રૂપે એટલે શુભાશુભભાવે પરિણમતાં આત્માને તત્ત્વપણું રહેતું નથી. સ્વ આત્મસત્તા તો ચિદ્ઘન સ્વરૂપ છે. માટે લોકાલોકના ભાવો આત્મા જાણે અને દેખે એ તો આત્માના જ્ઞાન અને દર્શન ગુણની વ્યાપકતા છે પણ પર રૂપે પરિણમવામાં તો પોતાના શુદ્ધ સ્વરૂપની કોઈ વ્યવસ્થા જ રહેતી નથી. સ્વભાવને છોડીને પુગલના ઘરમાં જતાં શુભાશુભભાવરૂપ વિકારી ભાવોને જ વેદવાના છે જ્યારે સ્વભાવ પરિણમનમાં તો શાંતરસના જ ફુવારા ઉડવાના છે. વીતરાગતાનો જ અનુભવ થવાનો છે. વળી - સ્યાદ્ એટલે કમ-અપૂર્ણ જ્ઞાન-દર્શન. જ્યારે અસ્પાદુ એટલે અક્રમ.-પૂર્ણજ્ઞાન. કેવળજ્ઞાન-કેવળદર્શન. Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી - 1135 વીતરાગતા છે તેથી જ જ્ઞાન અને દર્શનગુણની લોકાલોક વ્યાપકતા છે. આત્મામાં અનંત શક્તિઓ ઉછળે છે. જ્ઞાન માત્ર આત્મા છે એમ કહીને જ્ઞાનીઓ આત્મામાં જ્ઞાન સાથે અનંત શક્તિઓનું પરિણમન સિદ્ધ કરે છે. વસ્તુ પોતે જ અનંતગુણ સ્વરૂપ છે. તેથી આત્મ દ્રવ્યનું નિર્મળ પરિણમન સિદ્ધ થતાં બધાં જ ગુણો નિર્મળપણે પરિણમી જાય છે. આત્માના અનંતગુણોમાં લક્ષણભેદ ભલે હો, પણ ક્ષેત્રભેદ કે પરિણમનનો કાળ ભેદ નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં એકી સાથે જ અનંત ગુણો વ્યાપીને રહ્યા છે. ગુણોના પરિણમનમાં સાધકને ચાર થી બાર ગુણઠાણા સુધી હીનાધિક્લારુપ તારતમ્યતા છે. ક્ષાયિક સમ્યકત્વનું પરિણમન હોય છતાં ચારિત્રની નિર્મળતા પૂર્ણ ન પણ હોય તેવું બને પરંતુ અહિંયા તે ગુણભેદની મુખ્યતા નથી પરંતુ અભેદ દ્રવ્ય પરિણમતાં બધા ગુણો નિર્મળપણે પરિણમે છે, એમ અભેદની મુખ્યતાથી વાત છે. પરિણમન શબ્દથી નિર્મળ પરિણમનની વાત છે. વિકારના પરિણમનને શક્તિના પરિણમનમાં ગણ્યું જ નથી કારણકે વિકાર તે આત્મા નથી. તત્ત્વદૃષ્ટિમાં વિકાર તે અનાત્મા ગણાયો છે. અધ્યાત્મમાં દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પરિણતિ એ ત્રણેનો અભેદ કરીને તેને જ આત્મા ગણ્યો છે. વિકારને તો “જ્ઞાન તે આત્મા” એમ જ્ઞાન લક્ષણના બળે જ આત્માથી ભિન્ન કરી દીધો છે. " - “જ્ઞાન માત્ર આત્મા” કહીને જ્ઞાનીઓ પર દ્રવ્યથી અને વિકારથી આત્માનું ભેદ જ્ઞાન કરાવે છે, જ્ઞાન લક્ષણ વડે લક્ષિત આત્માની પ્રસિદ્ધિ કરે છે, અને જ્ઞાન માત્ર ભાવમાં આત્માની અનંત શક્તિઓ ભેગી ઉછળે છે એમ સિદ્ધ કરે છે. એક ગુણ નિર્મળ પરિણમે અને બીજા ગુણ સર્વથા મલિન રહે, અંશે પણ નિર્મળ ન થાય, એમ બનતું અસ્તિ(સ) + ભાતિ(વિદ્) + પ્રિય (આનંદ) સચ્ચિદાનંદ Page #310 -------------------------------------------------------------------------- ________________ 1136 . હૃદય નયન નિહાળે જગધણી નથી કારણકે એક ગુણને અનંત ગુણનું રૂપ છે, અર્થાત્ એક ગુણને અનંતગુણની સહાય છે. જ્ઞાન માત્ર ભાવમાં અંતઃપાતિની અનંત શક્તિઓ ઉછળે છે. એનો આશય એ છે કે દ્રવ્ય અભેદપણે પરિણમતાં બધી જ અનંત અનંત શક્તિઓ નિર્મળપણે પરિણમી જાય છે. માટે જ્ઞાન માત્ર સ્વરૂપ એક આત્મામાં જ આદર કરવા યોગ્ય છે, તેનું જ લક્ષ્ય કરવા યોગ્ય છે, પર પદાર્થ કે પર ભાવ માત્ર તે લક્ષ્ય કરવા યોગ્ય નથી. કારણકે તેનાથી જ સંસારનું ઉપાર્જન છે જ્યારે જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ આત્માનું લક્ષ્ય કરતાં સંસાર નીકળતો જાય છે અને મોક્ષ માર્ગ ઊભો થતો જાય છે. પર રૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિટ્ટપ” કહીને યોગીરાજ આનંદઘનજી મહારાજા આપણને સૌને અંગુલિ નિર્દેશ કરતાં કહે છે કે પ્રાણી માત્ર અર્થાત્ આ સંસારના તમામે તમામ નાના મોટા જીવો અનંત કાળથી પુદ્ગલ ભાવમાં રમણતા કરી રહ્યા છે અને તેના પ્રભાવે શુભાશુભરૂપે પરિણમી ચારે ગતિમાં જન્મ-મરણની જાલિમ યાતનાઓ વેઠી રહ્યા છે, જે તેનામાં રહેલી અજ્ઞાનતા છે, બાલિશતા છે. પરરૂપે પરિણમવામાં ક્યારેપણ આત્મ તત્ત્વ હાથમાં આવે નહિ. માત્ર શુભાશુભ ક્રિયાઓ કરવા દ્વારા શુભ અશુભ ભાવે પરિણમતાં સંસારનો અંત ક્યારે પણ આવે નહિ. તત્ત્વ, તત્ત્વરૂપે કયારેય પરિણમે નહિ, તે માટે તો ચૈતન્યમયી-જ્ઞાનાનંદમયી સ્વસત્તાને આત્મજ્ઞાની પુરુષના ચરણોમાં બેસી ઓળખવી પડે અને તેનો જ નિરંતર આદર કરવો પડે. તેમ કરતાં સ્વસત્તામાં પ્રવેશ થવાની તક મળે છે અને અંતે ભવદુઃખમાંથી છુટકારો સાંપડે છે માટે પ્રાણીમાત્ર પરરૂપે પરિણમવાનું બંધ કરે અને ચિરૂપ એવી સ્વસત્તાનો આદર કરે. સ્વ સત્તામાં કેવો આનંદ છે, તેનો દુઃખનું ઉપાદાન કારણ મોહ અને અજ્ઞાન છે અને દુઃખનું નિમિત્ત કારણ દેહ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1137 - 11, પડઘો પાડતાં અપૂર્વ અવસરની કડીમાં લખે છે કે – - સાદિ અનંત-અનંત સમાધિ સુખમાં, - અનંત દર્શન-જ્ઞાન અનંત સહિત જો. પોતાના ઘરમાં જ પોતાપણું હોય અને તે પોતાપણાનું સુખ હોય. પારકાના ઘરમાં પરાયાપણું હોય જે બોજારૂપ અને દુઃખરૂપ હોય. આ વ્યવહારની વાત જેટલી જીવન વ્યવહારમાં લાગુ પાડીએ તેટલી જ તેને અધ્યાત્મ ક્ષેત્રે લાગુ પાડવાની છે. પોતાના ઘરમાં - પોતાની સ્વસત્તામાં જ્ઞાનમય ચિરૂપ રહેવામાં જ જે કાંઈ સર્વ જણાઈ જાય છે, તે સર્વ જાળંગપણાથી સર્વવ્યાપીતા છે. જાણવા જવાની ક્રિયામાં તો સ્વરૂપનું પરરૂપ કરવાપણું છે. પરરૂપે થવામાં તત્ત્વપણું નથી. શેયમાં ભળવાથી જોયાનંદ છે, જે પરભાવવિભાવભાવ છે. શાતાભાવથી જ્ઞાનાનંદ-આત્માનંદ-ચિદાનંદ છે, તે સ્વભાવ છે. વિભાવમાંથી જ્ઞાતા-દષ્ટાભાવરૂપ સાધનાભાવમાં થઈ તેમાંથી આગળ વધી અને સ્વભાવમાં સ્થિર થવું, લીન થવું તે સુજ્ઞાનીનું કર્તવ્ય છે; એવો આ દ્વિતીય ગાથાનો સૂર છે અને તેથી આ દ્વિતીય ગાથા અદ્વિતીય બની જઈ આપણી રોમરાજને ઉલ્લસિત કરે છે. પર રૂપે પરિણમવામાં તત્ત્વપણું નથી એટલે આત્મપણું નથી કારણકે સ્વસત્તા ચિટ્ટુપ છે એ વાતને બીજી કડીમાં બતાવ્યા પછી હવે ત્રીજી કડીમાં પોતાના નિજ પદમાં રમણતા કરવામાં જ ક્ષેમકુશળતા છે, પર ઘરમાં તો દુઃખ જ છે એ વાતને બતાવતા કહે છે - શેય અનેકે હો જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ, સુજ્ઞાની, દ્રવ્ય એત્વપણે ગુણ એક્તા, નિજ પદ રમતો હો એમ. સુજ્ઞાની.૩ બ્રહ્માકાર વૃત્તિ કરવી જોઈએ અને જગદાકાર વૃત્તિ છોડવી જોઈએ. વૃત્તિમાં બ્રહ્મસ્વરૂપ મણતા નિરંતર થવી જોઈએ. Page #312 -------------------------------------------------------------------------- ________________ 1138 હૃદય નયન નિહાળે જગધણી અર્થ : પાણીથી ભરેલા વાસણમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં જેમ સૂર્ય અનેક દેખાય છે તેમ શેયો અનેક હોવાથી જ્ઞાન પણ અનેક બનશે. દ્રવ્યનું એકત્વ હોવાથી ગુણોનું પણ એકત્વ ઘટી શકે છે. પોતાના નિજઘરમાં રમણતા કરવામાં જ ક્ષેમકુશળતા છે, સલામતી છે. વિવેચન : અહિંયા પૂર્વપક્ષી આપત્તિ આપતાં કહે છે કે પાણીથી ભરેલા ભિન્ન ભિન્ન વાસણોમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં અનેક સૂર્યો જણાય છે, તેમ જ્ઞેયો જગતમાં અનેક છે માટે જ્ઞાન પણ અનેક થશે. ભિન્ન ભિન્ન જ્ઞેયોને જાણવામાં જ્ઞાનગુણ પરિણત થવાથી જ્ઞાનગુણ પણ અનેક બનશે અને તેમ થવાથી જ્ઞાનના આધારરૂપ આત્મા પણ અનેક બનશે. આ આપત્તિને દૂર કરવા યોગીરાજ આનંદઘનજી મહારાજા જણાવે છે કે “દ્રવ્ય એકત્વપણે ગુણ એકત્વતા’” અર્થાત્ દ્રવ્યના અભેદપણાથી ગુણોનું પણ અભેદપણું છે. છએ દ્રવ્યોમાં પાંચ અજીવ દ્રવ્યથી એકમાત્ર જીવ દ્રવ્યની ગુણક્રિયા જુદી પડે છે. આ વિશ્વમાં જેટલા જીવ દ્રવ્યો છે, તે બધાં જ જીવ દ્રવ્યમાં પોતપોતાના અસંખ્યાત પ્રદેશોમાંથી પ્રતિ પ્રદેશે ભિન્ન ભિન્ન એવી જે ગુણક્રિયા થાય છે તેને અભેદભાવે, એકત્વભાવે, અવ્યાબાધપણે પરિણમાવવાની શક્તિ જીવ દ્રવ્યમાં રહેલી છે અને આવી એકત્વભાવે પરિણમાવવાની શક્તિના કારણે જીવ દ્રવ્યમાં જ કર્તાપણું જાણવું જ્યારે અન્ય દ્રવ્યોને ભિન્ન ભિન્ન પ્રદેશે ભિન્ન ભિન્ન એવી ગુણક્રિયા હોવા છતાં તેમાં અભેદભાવે-એકત્વરૂપે પરિણમન ન હોવાથી ત્યાં કર્તાપણું નથી. તેમ જ વળી પુદ્ગલ દ્રવ્યને ગતિ-આગતિ(સ્થિતિ)રૂપ ક્રિયાપણું છે પરંતુ તે કર્તૃત્વભાવે નથી. જ્યારે બાકીના ચાર અજીવ દ્રવ્યોમાં તો ગતિ-આગતિ રૂપ અર્થાત્ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવા-આવવારૂપ ક્રિયાપણું પણ નથી. જે સુખમાં આસક્ત થતો નથી, તે જ દુઃખમાં દુઃખી થતો નથી. દુઃખને સુખ કરીને વેદવું અને ભયભીત ન થવું; તે જ મોક્ષમાર્ગ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી - li39 પ્રશ્નમાં જ જવાબ છૂપાયો છે. પ્રશ્નકારે આપેલું દૃષ્ટાંત “જલ ભાજન રવિ જેમ” એ પંક્તિના આધારે જ અર્થઘટન કરી કવિશ્રી જણાવે છે કે ““શેય અનેકે હો જ્ઞાન અનેકતા” એવી સ્થિતિ નથી. જોયો અનેક નહિ પણ અનંત છે. એ જોયો અનંત હોવાથી જ્ઞાન પણ અનંત છે પરંતુ જ્ઞાન ગુણ-શક્તિ પોતે તો એક જ છે. એની વ્યક્તિ એટલે કે પર્યાય તે અનંત છે; જેમકે સૂર્ય-રવિ તો એક જ છે. એ રવિનીછાયા જુદા જુદા નાના મોટા કદના જલથી ભરેલાં ભાજન-વાસણમાં પડે છે. સૂર્ય પ્રકાશ તો એક સરખો જ છે કેમકે પ્રકાશમાં પૂર્ણતા છે જ્યારે વાસણો તો નાના મોટા છે, જે વાસણની અપૂર્ણતા છે. ભાજન પોતાના પ્રમાણ પ્રમાણે સૂર્ય પ્રકાશને પોતાનામાં પરિણમાવે છે અર્થાત્ ઝીલે છે, તેમાં સૂર્યની અપૂર્ણતા નથી. વળી જે પરિણમન છે તે પણ કાંઈ સૂર્યનું પોતાનું નથી. એ તો સૂર્ય પ્રકાશનું છે. જલ ભાજનની અનેકતા અને વિવિધતા એ જલભાજનની પોતાની છે. એનાથી કાંઈ સૂર્ય પ્રકાશમાં કે સૂર્યમાં અનેકતા કે વિવિધતા આવી જતી નથી. એવો જ સંબંધ શેય અને જ્ઞાનનો છે. જ્ઞાન, જ્ઞાનમાં જ રહે છે. અને જોય તેમાં જણાય છે. શેય જેવા રૂપનું નાનું કે મોટું હોય તેવું તે જણાય છે અને શેય અનેક હોય તો જ્ઞાનમાં તે અનેક રૂપે જણાય છે અને જ્ઞાન જે રૂપે જાણે છે તેવી જ તે તે શેયને ખ્યાતિ આપી શકે છે. જ્ઞાન છે તો શેય જણાય છે. જો જગતમાં જ્ઞાન હોત જ નહિ તો જગતને જગતરૂપે ઓળખાવત કોણ? આજ વાતની સાક્ષી આપણને દેવચંદ્રજીકૃત વીસ વિહરમાન જિન સ્તવનમાં ચૌદમા શ્રી ભુજંગસ્વામી સ્તવનની બીજી કડીમાં મળે છે. સહભાવી ગુણો ટળી શકતા નથી. જ્યારે સંયોગી અવસ્થા ટળી શકે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ 1140 , હૃદય નયન નિહાળે જગધણી સામાન્ય સ્વભાવની હો, કે પરિણતિ અસહાયી, ધર્મ વિશેષની હો, કે ગુણને અનુજાઈ, ગુણ સકળ પ્રદેશ હો, કે નિજ-નિજ કાર્ય કરે, સમુદાય પ્રવર્તે છે, કે કર્તાભાવ ધરે.. પુકુખલાવઈ વિજય હો. સમસ્ત જગતના છએ દ્રવ્યોમાં, દ્રવ્યોની પોતપોતાની ગુણસત્તારૂપ સામાન્ય સ્વભાવ તેમજ તે તે ગુણની ઉત્પાદ-વ્યય-ધુવત્વ ભાવે નિરંતર પરિણામ પામતી પર્યાય સ્વરૂપી વિશેષ સત્તા-વિશેષ સ્વભાવ, બંનેના શાશ્વત તેમજ અશાશ્વત સ્વરૂપને કેવલી ભગવંતો કેવલજ્ઞાન અને કેવલદર્શન ગુણ વડે કરીને એકત્વ ભાવે જાણે છે અને જુવે છે. અહીં એટલું જાણવું જરૂરી છે કે સકળ દ્રવ્યોમાં રહેલ સામાન્ય ગુણ સત્તા તો કેવળ સ્વ સ્વરૂપમાં જ પરિણામ પામતી હોવાથી તેનું વ્યવહારમાં કોઈ વિશેષ મહત્વ હોતું નથી પણ સર્વત્ર વિશેષ સત્તાના પરિણામોનું જ વ્યવહારમાં મહત્વ હોય છે. કેવળી પરમાત્માઓમાં સકળ પ્રદેશે સર્વગુણોની નિરાવરણતા રૂપ વિશેષતા, ક્ષાયિક ભાવે હોવાથી પ્રત્યેક પ્રદેશ પ્રત્યેક ગુણ પણ પોત-પોતાના સ્વ-સ્વભાવમાં જ સહજ ભાવે પરિણામ પામતા હોય છે. પરંતુ સર્વાત્મ પ્રદેશે વર્તતી તે તે ગુણક્રિયાને કર્તુત્વભાવે અભેદરૂપે પરિણમન પમાડતા હોવાથી કેવળી ભગવંતો સહજ ભાવે અનંત ગુણ પરિણમનના અનંત અવ્યાબાધ સુખના ભોકતા હોય છે. જડ દ્રવ્યનું પરિણમન કર્તાભાવે નથી તે વાતની સાક્ષી આપતાં કહે છે – સંસારી જીવ ભેદ અવસ્થામાં હોવાથી, અભેદ એવું જીવનું પોતાનું પારમાર્થિક સ્વ૫ પણ, જીવને ભેદ પાડી પાડીને સમજાવાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1141. l141 જડ દ્રવ્ય ચતુષ્ક હો, કે કર્તાભાવ નહિ, સર્વ પ્રદેશ હો કે વૃત્તિ વિભિન્ન કહી, - ચેતન દ્રવ્યને હો કે, સકળ પ્રદેશે મીલે, ગુણ વર્તના વર્તે હો કે વસ્તુને સહજ બને પુકૂખલાવઈ વિજય હો..૩ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ ચારે જડ રૂપી-અરૂપી દ્રવ્યોમાં પોતાના પરિણમન સ્વભાવનું કર્તુત્વપણું નથી કેમકે તેઓ તો પોતાના પ્રતિપ્રદેશે નિરંતર (નિશ્ચયથી) ભિન્ન ભિન્ન પરિણામે પરિણમન પામતાં હોય છે તેમજ જડ હોવાથી તેનું જ્ઞાતૃત્વપણું પણ તેઓમાં હોતું નથી. જ્યારે જીવ દ્રવ્ય તો લોકાકાશના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જેટલાં જ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે અને પ્રતિ પ્રદેશ ભિન્ન ભિન્ન પરિણામી હોવા છતાં પોતાના કર્તૃત્વ સ્વભાવ વડે સકળ પરિણામનું એકત્વ કરીને તેનો ભોગ પણ કરતો હોય છે. આથી જ આઠ રુચક પ્રદેશ સિવાયના બાકીના સર્વાત્મપ્રદેશે વીર્યાદિની તરતમતા હોવા છતાં કર્મનો બંધ તો સર્વ પ્રદેશે એક સરખો થતો હોય છે તેમજ નિર્જરા પણ સર્વાત્મ પ્રદેશે એક સરખી થતી હોય છે. આ રીતે ચાર રૂપી-અરૂપી જડ દ્રવ્યો કરતાં ચેતન એવા આત્મદ્રવ્યનું જુદાપણું છે. સર્વાત્મ પ્રદેશે તરતમભાવે ગુણ સ્વભાવ પરિણમન હોવા છતાં તેઓમાં કર્તૃત્વ સ્વભાવે એકત્વ કરાતું હોય છે. આથી જ આત્મા તો એક અખંડ સ્વરૂપી દ્રવ્ય છે અને પોતાના ઔદયિક, લાયોપથમિક, ઔપશમિક તેમજ ક્ષાયિકભાવોનો પોતાની પર્યાયમાં યથાતથ્ય સ્વરૂપે કર્તા, ભોક્તા અને જ્ઞાતા પણ છે જ્યારે બાકીના ચાર રૂપી-અરૂપી જડ આત્માના પોતાના સ્વરૂપ સ્વભાવમાં ઉત્પાદ-વ્યય ધર્મ નથી પરંતુ પુદ્ગલદ્રવ્યના સંબંધે ઉત્પાદ-વ્યય ઘર્મ સંસારી જીવમાં છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ 1142 હદય નયન નિહાળે જગધણી દ્રવ્યોમાં પ્રતિ સમયે પરિણમન હોવા છતાં તે પરિણમન ભાવોનું કર્તૃત્વ તેમજ ભોકતૃત્વ હોતું નથી, એમ જાણવું. હવે “નિજ પદ રમતા હો ખેમ” એ પંક્તિને ખોલે છે. આત્મ દ્રવ્ય એક છે તેથી દ્રવ્યમાં એકત્વ છે, તો ગુણની પણ એકતા રહેવાની જ છે. ગુણોનું આશ્રય સ્થાન દ્રવ્ય છે અથવા ગુણોનું ઘર દ્રવ્ય છે તેથી નિજઘરમાં રહેવાથી જ અથવા નિજ પદમાં રમણતા કરવાથી જ ક્ષેમકુશળતા, સ્વરૂપ સ્થિરતા રૂપ સ્વસ્થતા જળવાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ.આત્મા માટે નિજ પદ છે, બાકીના રાગ-દ્વેષાદિ ભાવો, એ તો આત્મા માટે અસ્થિર અને અસાર રૂપ છે. એટલું જ નહિ પણ મલિનભાવો હોવાથી આત્મા માટે પરભાવ રૂપ છે. માટે પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં રાગાદિ વિકારો કરી જીવ તેમાં રમણતા કરે, તો તેમાં ક્યાંય ક્ષેમકુશળતા નથી. જ્ઞાન સ્વભાવમાં રમણતા એ જ નિજઘરમાં રમણતા છે. સલામતી, સ્વસ્થતા અને પોતાપણું તો નિજ ઘરમાં જ હોય, પર ઘરમાં ક્યાંય નહિ, પર ઘરમાં જવામાં તો અપમાન, તિરસ્કાર વગેરે જ હોય. રાત્રિના સમયે કોઈ પોતાના ઘરની વંડી કૂદીને બીજાના ઘરમાં જાય તો તેના હાલ શું થાય? તે સમજી શકાય તેમ છે. તેમ આત્માએ પણ પોતાનું ઘર છોડીને લક્ષ્મણ રેખા ઉલ્લંઘીને ક્યારે પણ પર ઘરમાં જવા જેવું નથી. સ્વીકારની ભૂમિકા ઉપર જ અધ્યાત્મની ગરિમા અને મોક્ષની નિકટતા છે. જે કાંઈ પણ સંયોગો આવે તેનું વ્યવહારની ભૂમિકા ઉપર ઉચિત વર્તન કરવું. બાકી ભીતરમાં પરમ શાંત રહેવું એ જ પરમતત્ત્વને પ્રગટાવવાનો ઉપાય છે. સ્વકીયતા એટલે આત્મામાં પોતાપણું આવે તો સ્વીકારની ભૂમિકા ઉપર સહજ રહેવાય. પ્રશ્ન : અહિંયા શિષ્ય પ્રશ્ન કરે કે દ્રાના એકત્વપણાથી તરમાં અભેદ તત્ત્વ જોતાં શીખીશું તો મોહભાવો, ફલેશ, ઉદ્વેગ, સંતાપ, ક્રોધ, માન, માયા, લોભ, આદિ ભેદ તત્ત્વોનો નાશ થશે. Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1143 જ્ઞાનાદિ અનંતગુણોની પણ એકતા હોય તો પછી સર્વ દ્રવ્યોનું જાણકારીપણું કેમ ઘટશે ? એક જ્ઞાન અનંત શેયોને જાણવા માટે કેમ પહોંચી શકશે? શેયો-દ્રવ્યો અનંત છે તો તે બધાને જાણનારું જ્ઞાન પણ અનેક રૂપ થયા વિના રહેશે નહિ. અને જ્ઞાનથી આત્મા અભિન્ન છે માટે જ્ઞાનની અનેકતાથી આત્મા પણ અનેક સ્વરૂપવાળો થઈ જશે. સમાધાન ઃ આમ થવું એ શક્ય નથી. આકાશમાં સૂર્ય એક છે અને આપણાથી કરોડો પ્રકાશવર્ષ દૂર છે છતાં તે જડ-ચેતન પદાર્થોને પ્રકાશિત કરે છે. ઘરમાં રહેલ એક એવો નાનકડો દીવો અનેક પદાર્થોને પ્રકાશિત કરે છે છતાં તે સૂર્ય કે દીવો અનેકતાને પામતા નથી. એક એવો જીવ એના સંસારી સંબંધોથી અનેકના સંબંધોથી સંબંધિત થવા છતાં તે પોતાપણું ગુમાવી દેતો નથી અને પરરૂપે થઈ જતો નથી, અનેકરૂપે બનતો નથી. દીપ પ્રકાશ ચોમેર ફેલાય છે પણ દીવો પોતે કાંઇ ચોમેર ફેલાતો નથી. આંખ કેટલા ય પદાર્થોને જુએ છે છતાં દૃષ્ટિથી દેખાતા પદાર્થો પોતાના સ્વરૂપમાં છે અને દૃષ્ટિ દૃષ્ટાના સ્વરૂપમાં છે, તેમ આત્માનો જ્ઞાનગુણ પણ જો ક્ષાયિકભાવે પ્રગટેલો હોય તો લોકોલોકના સર્વભાવોને હસ્તામલકવત્ જોઇ શકે છે. કેવલજ્ઞાનમાં બધું જ જણાય છે પણ કેવલી ભગવંતો તે પદાર્થના કોઈ પણ ભાવે પરિણમતા નથી. આ પદાર્થ ઘણો સારો છે, આ પદાર્થમાં તો કાંઇ નથી એવા ભાવે કેવલજ્ઞાન ક્યારે પણ પરિણમતું નથી. જગતના પદાર્થોને જ્ઞાનથી જાણ્યા પછી તેમાં ઈષ્ટ-અનિષ્ટના ભાવો કરવા, પદાર્થને જાણવા પદાર્થ સન્મુખ ઉપયોગ કરવો તે કેવળજ્ઞાનનું સ્વરૂપ જ નથી. તે તો વિકારી જ્ઞાનરૂપે પરિણમેલા રાગદ્વેષાદિ ભાવકર્મનું સ્વરૂપ છે. નિર્વિકારી સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા દેહમાં રહેવા છતાં ઉપયોગ (આત્મા)માં ઉપયોગ રાખવો અને પર એવાં કોઈ પદાર્થમાં ઉપયોગ ન રાખવો; એ પરનો શ્રેષ્ઠ ત્યાગ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ 1144 હૃદય નયન નિહાળે જગધણી કરવું એ જ જ્ઞાનનું સ્વરૂપ છે. ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ કાલે સાધકને વીતરાગી આનંદનો અંશ અનુભવાય છે અને ક્ષયોપશમ સમ્યકત્વ કાલે અનુભૂતિ સાથે તેની પ્રતીતિ અને લક્ષ્ય પણ હોય છે. જ્યારે જ્ઞાનગુણ અને વીર્યગુણની તીક્ષણતાથી ઉપયોગની એકાગ્રતા વધે છે ત્યારે ક્ષયોપશમ સમ્યકત્વકાલે અનુભવની વિશેષતા પણ હોય છે. વીતરાગતા અને નિર્વિકલ્પતા એ કેવળજ્ઞાન પ્રાગટ્યની પૂર્વ શરત છે. વર્તે શુદ્ધ સ્વભાવનો, અનુભવ, લક્ષ, પ્રતીત , વૃત્તિ વડે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત સ્તવનની આ કડીનું હાર્દ વિકારી પરિણમનમાંથી નિર્વિકારી પરિણમન પ્રગટાવી હંમેશા સ્વરૂપમાં લીનતા સાધવાનું છે. ” સાધકમાં લૌકિક ઈચ્છા ને પારમાર્થિક ઈચ્છા બંને રહેલી હોવાથી તેનું દ્વન્દ્ર અર્થાત્ ઘર્ષણ ચાલ્યા કરે છે. જ્યારે જીવ સત્સંગ, ધ્યાન, ભજનાદિ કરે છે ત્યારે તો તેનામાં પારમાર્થિક ઈચ્છા જાગૃત રહે છે પણ બાકીના સમયમાં તે ઈચ્છા દબાઈ જાય છે અને લૌકિક ઈચ્છા-ભોગ અને સંગ્રહની ઈચ્છા ઉભી થઈ જાય છે. લૌકિક ઈચ્છાઓ જાગવા પર જીવ સાધનામાં ટકી શકતો નથી. પારમાર્થિક ઈચ્છા દૃઢ થયા વિના કોઈ કાળે ઉન્નતિ શક્ય નથી જ્યારે એક માત્ર પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા, પંદરસો તાપસની જેમ સાધકમાં વેગ પકડે છે ત્યારે ભીતરમાં બધાજ દ્વન્દ્ર શાંત થઈ જાય છે અને એક માત્ર પરમાત્માને પ્રાપ્ત કરવાની ઇચ્છાની જ મુખ્યતા રહેવાથી સાધક બહુ સુગમતાપૂર્વક પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. પરમાત્મા એ અંશી છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તેના તરફ જીવને સ્વ સ્વરૂપને ભૂલી જવું અને પર પદાર્થ સાથે સ્વવત્ સચ્ચિદાનંદરૂપે મોહવશ અભેદ થઈ જવું તે વિભાવદશા છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી - 145 સ્વાભાવિક પણે રુચિ અર્થાત્ આકર્ષણ રહે છે, જેને પ્રેમ કહેવાય છે પણ જ્યારે જીવ તેને ભૂલીને વિનાશી એવા દેહ-પત્ની-પૈસા વગેરે સાથે પોતાનો સંબંધ માની લે છે, ત્યારે તે “પ્રેમ” દબાઈ જાય છે અને કામ” ઉત્પન્ન થઈ જાય છે. જ્યાં સુધી કામ રહે છે ત્યાં સુધી પ્રેમ જાગૃત થતો નથી અને જ્યાં સુધી પ્રેમ જાગૃત થતો નથી ત્યાં સુધી કામનો સર્વથા નાશ પણ થતો નથી. કામનું નિવાસસ્થાન જડ છે. પ્રેમનું નિવાસસ્થાન ચેતન છે. એમ સમજીને કામ ને છોડતા જવાનું છે અને પ્રેમને પ્રગટાવતા જવાનું છે. કહેવાય છે કે રામ હોય ત્યાં કામ નહિ અને કામ હોય ત્યાં રામ નહિ. અહીં રામ શબ્દ આત્મા-આત્મત્વ અર્થમાં પ્રયોજાયેલો છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ ફેરવવા તરફ જીવનું લક્ષ્ય રહે છે પણ લક્ષ્ય નિવૃત્તિ તરફ જોઈએ. કારણ દષ્ટા અયોગી છે, વીતરાગ છે, ઉપયોગ યોગમાં ન અટકતાં સ્વરૂપમાં સમાય તે મહત્વનું છે. તટસ્થ બનીને મનનું નિરીક્ષણ કરવું એ સાધના છે. મનને પ્રગટ થવા દેવું, - અભિવ્યક્ત થવા દેવું, ખુલ્લું થવા દેવું. મનમાં જે ક્રિયા થાય છે તેને રોકવી નહિ, દબાવવી નહિ, એની ઉપેક્ષા કરવી નહિ, એને લક્ષ્ય બહાર જવા દેવી નહિ, એને સાચા સ્વરૂપે સમજવાની ભૂલ કરવી નહિ, માત્ર એને શાંત બનીને જોવાની છે, એની સામે પ્રતિક્રિયા કરવાની નથી, પરંતુ મનની ક્રિયાને એના યથાર્થ સ્વરૂપમાં જાણવાની છે. જાણવાની ક્રિયા સમગ્રપણે કરવાની છે. સમગ્ર આત્મપ્રદેશે ઉપયોગવંત બનીને કરવાની છે. તે રીતે કરવાથી એ ક્રિયાની પુનરાવૃત્તિ નહિ થાય. ક્રિયાને રોકવી એ દમન છે અને ક્રિયાની પુનરાવૃત્તિ કરવી એ સ્વછંદ છે. સાકર જેમ પાણીમાં અભેદ થાય છે-ઓતપ્રોત થાય છે તેવું પરમાત્મા સાથે અભેદ થવાનું છે. દેહભાવે મટી જઈને સ્વયં પરમાત્મા બની જવું તે શ્રેષ્ઠ પરાભક્તિ છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ 1146 હૃદય નયન નિહાળે જગધણી દૃષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન એ જ ધ્યાન છે. જ્યારે મનવચન-કાયાના યોગો કુદરતી વૈજ્ઞાનિક સંયોગો અનુસાર પ્રવર્તે, ત્યારે આત્માએ પોતાના સ્વરૂપમાં રહી-સમ સ્થિતિમાં રહી, તેનો સહજપણે સ્વીકાર કરવો તે ધ્યાન છે અને આની વિસ્મૃતિ એ જ દુર્થાન છે. યોગોનું પ્રવર્તન પણ સહજપણે ચાલવું જોઈએ અને ત્યારે તેને જોવા અને જાણવારૂપ ઉપયોગ પણ અખંડપણે, સહજપણે ચાલવો જોઈએ. આમ યોગ અને ઉપયોગની સહજતા એ મોક્ષમાર્ગ છે. યોગોના સહજ પ્રવર્તનમાં ઉપયોગ અખંડપણે આત્માકારે રહ્યા કરે તે ધ્યાન છે. જ્ઞાની પુરુષોએ બાળ જીવો માટે જે ધર્મની જુદી જુદી ક્રિયાઓ અને તેમાં વિધિમાર્ગ મૂક્યો છે, તેના ફળ સ્વરૂપે અંતે આવા અખંડ આત્માકાર ઉપયોગને પામવાનો છે. આ વાત જો લક્ષ્યમાં રહે તો ક્રિયા માર્ગના અને વિધિમાર્ગના એકાંત આગ્રહી બનીને જે પરિણતિનું લક્ષ્ય ચૂકી જવાય છે તે ચૂકાય નહિ. ધર્મ આરાધવા છતાં આવા એકાંત આગ્રહી બનીને માનવભવમાં સાધનાનું લક્ષ્ય ન ચૂકી જવાય તે માટે આત્મજ્ઞાની સત્ પુરુષ પાસે વિનયભાવે સત્સંગ ઉપાસવાનો છે. નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તે અધ્યાતમ લડીએ રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે તેને અધ્યાતમ કહીએ રે.. આનંદઘનજી કેવલજ્ઞાન કાલે ઉપયોગ સંપૂર્ણપણે આત્મામાં સમાયેલો હોય છે અને પ્રકૃતિ અર્થાત્ યોગ સંપૂર્ણપણે પોતાનામાં હોય છે. આમ બંનેનું સંપૂર્ણપણે પોતાનામાં અવસ્થાન એ વીતરાગી ભાવ મોક્ષ છે. અને ત્યાર બાદ દેહાતીત થતાં સિદ્ધાલયમાં અવસ્થાન તે દ્રવ્યમોક્ષ છે. ચતુર્થ ગુણ સ્થાનકે દૃષ્ટિ મોક્ષ છે. બારમા ગુણસ્થાનકે રાગ મોક્ષ છે. તેમાં ગુણસ્થાનકે અજ્ઞાન મોક્ષ છે અને સિદ્ધાવસ્થામાં પ્રદેશ મોક્ષ છે. દષ્ટિ દ્રવ્યની ગુણ સાથે અભેદતા અનાદિ-અનંત છે. પર્યાયની દ્રવ્યની સાથે અભેદતા સાદિ-સાન્તથી અને સાદિ-અનંતથી છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1147 મોક્ષને વિપસ મોલ અને અજ્ઞાન મોક્ષને છાટ્યસ્થિક શાન મોશ પણ કહી શકાય છે. જેવી રીતે એક એવા સૂર્યનું વિવિધ પ્રકારના જલભાજનો વડે કરીને અનેકરૂપે થવાપણું છે, તેવી જ રીતે એક એવા કેવળજ્ઞાનનું અનેક શેય સાપેક્ષ જ્ઞાનાકાર રૂપે પરિણમન છે. પરંતુ એ જ્ઞાનમય આત્માનો ગુણ હોવાથી દ્રવ્ય સાથેની-જ્ઞાયક સાથેની તેની એકાત્મતા જાળવી રાખે છે અને નિજપદમાં સિદ્ધપદમાં જ રમણતા કરે છે. તેમાં જ્ઞાનગુણ અને જ્ઞાયકતાની કોઈ હાનિ નથી પણ સુરક્ષિતતા છે. - આ જ્ઞાન અઢારમા હાથી જેવું છે, જે અનેક થવા છતાં, અનેકની વચ્ચે પણ એક થઈને રહે છે. નોખું-અનોખું થઈને રહે છે. બધા જોયો જ્ઞાનમાં જણાવા તે જ્ઞાનશક્તિ છે – જ્ઞાત સત્તા છે અને સર્વ જણાતા શેયોની વચ્ચે નિર્લેપ રહેવું તે વીતરાગતા છે અને જ્ઞાયકતા એટલે પોતાના ધ્રુવમાં રમમાણ રહેવું તે સ્વ પ્રતિ વેદકતા છે જે જ્ઞાનરસ છેઆત્મરસ છે. ' જોય ગમનતામાં ક્ષરતા છે. સાધનાકાલીન જ્ઞાતાભાવમાં સ્થિરતા-અક્ષરતા છે. ' ' અને શાકભાવમાં આત્મ રમણતા છે તે અક્ષયતા છે. - દ્રવ્યથી જ્ઞાનસ્વરૂપી આત્માની ઘટના કર્યા પછી હવે ક્ષેત્રથી ઘટના કરે છે. પર ક્ષેત્રે ગત શેયને જાણવે, પર ક્ષેત્રે થયું જ્ઞાન સુજ્ઞાની; અસ્તિપણે નિજક્ષેત્રે રહ્યું, નિર્મળતા ગુણમાન.. સુશાની૪ પાઠાંતરે નિર્મળતા ગુમાન પણ છે. પારમાર્થિક અભેદતા એ છે કે, જેમાં કદિ કાંઈ ભળે નહિ અને જેમાંથી કદિ કાંઈ નીકળે નહિ. Page #322 -------------------------------------------------------------------------- ________________ 1148 હૃદય નયન નિહાળે જગધણી અર્થ આત્મા પોતાના જ્ઞાનગુણ દ્વારા જગતના સર્વ શેયોને જાણે છે, એમ ત્રીજી કડીમાં કહ્યું. તેની સામે પૂર્વપક્ષ પાછી શંકા કરતા કહે છે કે અન્ય ક્ષેત્રોમાં રહેલા જોયોને જાણવાથી તો જ્ઞાન પણ અન્ય ક્ષેત્રીય થયું એટલે જ્ઞાન પોતાનું સ્વ ક્ષેત્ર છોડીને અન્ય પર દ્રવ્યોના ક્ષેત્રમાં ચાલ્યું ગયું. જ્યારે આપે તો અસ્તિપણે નિજ ક્ષેત્રે કહ્યું છે અર્થાત્ ચિરૂપ એ તો પોતાના ક્ષેત્રમાં પોતાના સ્થાનમાં રહેલ છે, એમ આપે જણાવ્યું છે. આત્માના જ્ઞાનગુણની નિર્મળતા એ જ આત્માનું સાચું સ્વરૂપ છે એમ તું માન અર્થાત્ જાણ, સમજ ! અથવા તો પાઠાંતરે “નિર્મળતા ગુમાન ?” એ સંદર્ભમાં વિચારતાં જે અનંત પરક્ષેત્રમાંના શેયોરૂપ અનંત જ્ઞાનો થવાથી તો એક આત્મા અનંત જ્ઞાનરૂપે થવાથી પોતે પણ અનંતરૂપ બની જાય તો પછી પોતાનામાં એક ક્ષેત્રરૂપ એકરૂપપણું આત્મા કેવી રીતે રાખી શકે ? એકપણાનું અભિમાન (ગુમાન) રાખનારને અનેકરૂપે પરિણમવું પડતું હોય તો એકતાનું, નિર્મળતાનું, નિષ્કામતાનું, અસંયોગીપણાનું ગુમાન-ગૌરવ ક્યાં રહ્યું? વાસ્તવિકતા તો એ છે કે અનેકની વચ્ચે એક રહેવું, નોખાન્યારા તરી આવવું તે નિર્લેપતા, નિર્મળતા, વીતરાગતા એ આત્મગુમાન વિવેચનઃ સ્તવનની આ ચોથી કડીમાં પહેલા ત્રણ પાદમાં શંકા ઉઠાવી ચોથા પાદમાં તેનું સમાધાન આપેલ છે. શંકાઃ પર ક્ષેત્રમાં રહેલા પદાર્થોને જાણવા જતાં જ્ઞાન પરક્ષેત્રીય બની જશે. તો પછી જ્ઞાનનું અસ્તિત્વ આત્માના પોતાના ક્ષેત્રમાં છે, એમ જે તમે કહો છો, તે કેવી રીતે સંગત થશે? સુખ આત્માની અંદર છે, બહાર નથી; એ નિર્ણય કરીને સાધુ ભગવંત સંસારને છોડે છે. સુખને અંદરમાં શોધે તો સાધુ ભગવંત આનંદઘન બની જઈ શકે. આત્મ અનુભવ કરવો જોઈએ. Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1149 * ન્યાય દર્શન-નૈયાયિક દર્શનને અનુસારે પૂર્વપક્ષી શંકા કરે છે. ન્યાય દર્શન આત્મા અને જ્ઞાનને અત્યંત ભિન્ન માને છે. જ્ઞાન એ સમવાય સંબંધથી આત્મામાં રહેલું છે. જ્ઞાન એ વિશેષ ગુણ છે અને સઘળા વિશેષ ગુણોના ધ્વંસ સ્વરૂપ મુક્તિ છે એમ તે માને છે. એટલે તેના મતે મુક્તિ થતાં આત્મામાં સમવાય સંબંધે રહેલ જ્ઞાન નીકળી જાય છે. તેથી જ્ઞાનના અભાવ સ્વરૂપ પાષાણ તુલ્ય મોક્ષ તેના મતે છે. ન્યાય મતે સર્વદુઃખના અભાવ સ્વરૂપ મોક્ષ છે પણ અનંત આનંદ વેદન સ્વરૂપ મોક્ષ નથી. એટલે કે નૈયાયિકોએ નિષેધાત્મક મોક્ષ માન્યો છે પરંતુ વિધેયાત્મક મોક્ષ નથી માન્યો. ન્યાય મતે કોઈ પણ પદાર્થનું જ્ઞાન થતાં પહેલા આત્મામાંથી તે જ્ઞાનકિરણો નીકળીને પદાર્થ ઉપર છવાઈ જાય છે અને ત્યાર બાદ પદાર્થનું જ્ઞાન થાય છે. આમ પર ક્ષેત્રમાં રહેલા પદાર્થોને જાણવા માટે જ્ઞાનને બીજા ક્ષેત્રમાં જ્ઞાનરશ્મિ વડે ફેલાવું પડે છે અને તેથી પદાર્થનું જ્ઞાન કરવા જતાં જ્ઞાનનું સ્થાન બદલાઇ જાય છે. - જ્યારે જૈનદર્શન અનુસાર તો આત્મા ગુણી છે અને જ્ઞાન ગુણ છે. બંને વચ્ચે ભેદભેદ છે. “ગુણપર્યાયવદ્ દ્રવ્ય” એ વ્યાખ્યાના અનુસાર દ્રવ્ય એ ગુણપર્યાયવાળું જ છે. આમાં ગુણગુણીભાવે અભેદ છે અને બંને વચ્ચે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનભાવે ભેદ પણ છે. આમ જૈનમતે ગુણ-ગુણી વચ્ચે કથંચિત્ અભેદ અને કથંચિત્ ભેદ છે. જેનો તો જ્ઞાનનું અસ્તિત્વ આત્માના બધાંયે અસંખ્ય પ્રદેશોમાં માને છે, તો પછી આ સંગતિ કેવી રીતે થઈ શકશે? આમ પૂર્વપક્ષ, ન્યાય મતાનુસારે આપત્તિ આપી રહેલ છે અર્થાત્ પૂર્વપક્ષ એમ કહેવા માંગે છે કે પરણેયોને જાણતાં જ્ઞાન પર ક્ષેત્રી બની જશે એટલે જ્ઞાનની નિર્મળતા તમે જે કહી રહ્યા છો તે ઘટી શકશે નહિ. લક્ષ્યથી, ઋયિથી, સ્મરણથી, રટણથી, પરમાત્મ તત્ત્વ સાથે આપણા જ્ઞાન ઉપયોગનો સંબંધ જોડાય છે અને તે પ્રમાણે આકારો પડે છે, જેના સંસ્કાર ઉંડાણમાં જમા થાય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ 1150 1150 હૃદય નયન નિહાળે જગધણી “નિર્મળતા ગુણમાન” એ પંક્તિ દ્વારા સમાધાન આપતા કહે છે કે આરીસામાં તેના સંનિધાનમાં આવેલા પદાર્થો પ્રતિબિંબિત થાય છે. આરીસાની પાછળ રહેલા પદાર્થો પ્રતિબિંબિત થતા નથી. કારણકે પ્રતિબિંબ આરીસામાં ઝીલવા માટેની શરત એ છે કે પદાર્થોએ આરીસાની ચળકતી સપાટી સન્મુખ રહેવું જોઈએ. તેમ થતાં કોઈ પણ જાતના ભેદભાવ વગર પદાર્થો આરીસામાં પ્રતિબિંબિત થયા જ કરે છે. તેવી રીતે જ્ઞાન શયને જાણે છે તે જાણવા માટે પદાર્થોમાં શેયત્વ ધર્મ હોવો જરૂરી છે. આ શેયત્વ ધર્મ હોય તો કોઈ પણ જાતની રોકટોક વગર જ્ઞાન થઈ શકે છે. આરીસાની ચળકતી સપાટી પર ધૂળ, રેતી, તેલનો પાશ હોય તો પ્રતિબિંબ ઝાંખું પડે છે અથવા તો નથી પડતું. તેવી જ રીતે જ્ઞાન મલિન હોય, ઘાતિકર્મોથી આવરાયેલું હોય તો પદાર્થનું જ્ઞાનમાં સ્વચ્છ પ્રતિબિંબ પડી શકતું નથી અને જેટલું પણ પ્રતિબિંબ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પડે છે તે ધૂંધળું હોય છે, જેથી તે પદાર્થનો સંપૂર્ણપણે બોધ કરાવવા અસમર્થ બને છે. પરંતુ જ્યારે ઘનઘાતી કર્મોનો ક્ષય કરી આત્મા નિર્મળ બને છે, ત્યારે તે જ્ઞાન સકળ જોયોને પોતાનામાં ઝીલવા સમર્થ બને છે. અતીત અને અનાગત પર્યાયોમાં પણ શેયત્વ અબાધિત છે તેથી નિર્મળ એવું કેવળજ્ઞાન ત્રણેકાળના સર્વપર્યાયોને જાણી શકે છે. આમ જગતના તમામ શેયો અને તેને સર્વપર્યાયોને જાણવા માટે જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનની નિઃશંકતા અને જ્ઞાનની પૂર્ણતા એ જ પ્રમાણ છે. જ્ઞાનનો આવો ગુણ અર્થાત્ સ્વભાવ એ જ પ્રમાણ છે. આત્માને જોયો જોડે રાગદ્વેષથી બંધન છે અને વીતરાગતાથી આત્મા પર શેયોથી છૂટો ને છૂટો છે. ' ભેદરૂપ પદાર્થના નામે, અભેરૂપ પરમાત્મા કદી નહિ મળે. પરંતુ અભેદરૂપ પરમાત્માના નામે, ભેદરૂપ સઘળાં પદાર્થો મળી શકે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1151 મતિજ્ઞાન વીતરાગ અને નિર્વિકલ્પ એટલે અક્રમિક થયા વિના તેનું કેવળજ્ઞાનરૂપે પરિણમન થતું નથી. | સર્વે સિદ્ધ ભગવંતો, લોકના અગ્રભાગે ૪૫ લાખ યોજના સિદ્ધશિલાની ઉપર, પોતપોતાના આત્મપ્રદેશની ભિન્ન ભિન્ન અવગાહનાએ, પુદ્ગલદ્રવ્યના સંસ્થાન રહિત, નિત્ય એક સ્વરૂપે, કાળથકી સાદિ અનંત મે ભાગે જન્મમરણરહિત સ્થિર પરિણામી છે અને ત્યાં રહ્યા છતાં આત્માની કેવળજ્ઞાનની ઉપયોગ શક્તિ વડે સચરાચર જગતને યથાવત્ જાણે છે. કાળનું લક્ષણ વર્તના છે એટલે કે સાદિ-સાત વિગેરે ચાર ભાંગા માંથી કોઇપણ પ્રકારે પદાર્થનું રહેવાપણું થાય તો પણ પદાર્થની સત્તા તો અબાધિત રહેવાની. ચક્ષુ ઇન્દ્રિયદ્વારા જોઈ શકાય તેવા આકારનો અને રૂપનો અભાવ હોવાથી સિદ્ધ ભગવંતોને અમૂર્ત, અરૂપી કહ્યા છે પરંતુ એના “પ્રદેશાત્મક ગુણના કારણે કહી શકાય કે “અમૂર્ત એવા આત્માનો આકાર ‘ભાજન' પ્રમાણે અર્થાત્ દેહના આકાર પ્રમાણે છે. સિદ્ધ અવસ્થામાં નિત્ય એક એવો આકાર હોવાથી અમૂર્ત અને નિત્ય એક સ્વરૂપ હોવાથી અરૂપી કહેવાય છે. સંસારી અવસ્થામાં રૂપમાંથી રૂપાન્તર અને આકારમાંથી આકારાન્તર થાય છે માટે મૂર્ત અને રૂપી કહેવાય છે. જ્ઞાનમાં ‘ય’ જણાય છે-ઝળકે છે તે વખતે “જ્ઞાન' અખંડ જુદું જ રહે છે અને સામે જોય પદાર્થ પણ પોતાના ભિન્ન સ્વરૂપે અખંડ રહે છે. જ્ઞાન જોયાકાર થયું છે એમ વ્યવહારમાં કહેવાય છે. છતાં “શેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. અર્થાત્ જોયગત સ્વરૂપતા તેનામાં નથી. જોય જેવું હોય તેવું જ જ્ઞાન તેને જાણી લે છે. એ અર્થમાં જ્ઞાનને જોયાકાર કહ્યું છે. દર્પણ” શબ્દ બોલતાં જ દર્પણની સ્વચ્છત્વ શક્તિની જાહેરાત થાય છે. દર્પણની સ્વચ્છતાના કારણે બહારના પદાર્થો એમાં ઝળકે છે પણ દર્પણમાં ઘર્મ અનુષ્ઠાનો, ક્રિયાઓ, સાધના કરવાની છે, તે જીવે પોતાના જ્ઞાન ઉપયોગને નિર્વિકારી-નિર્વિકલ્પ-વીતરાગ-પૂર્ણ-શુદ્ધ-નિત્ય-સ-અવિનાશી બનાવવા માટે કરવાની છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ 1152 , હૃદય નયન નિહાળે જગધણી દેખાતા આ આકારો નિશ્ચયથી સામે ઉપસ્થિત ‘ય’ના નથી પરંતુ ‘ય’ જેવા છે. પદાર્થો દર્પણમાં પેઠા નથી કે પેસી શકે પણ નહિ. બંનેનું ક્ષેત્ર સર્વથા જુદું જ છે. દર્પણની સામે અગ્નિ લાવવામાં આવે તો અગ્નિની દાહકતા દર્પણમાં સંક્રમિત થઈ જતી નથી, થઈ શકતી નથી કારણકે દાહકતા એ અગ્નિની પોતાની અવસ્થા છે એટલે કે શેયકૃત અશુદ્ધતા “જ્ઞાનમાં આવતી નથી. | સામે જેવા શેય હોય છે તેવા જ આકાર જ્ઞાનમાં પોતાની સ્વચ્છત્વ શક્તિ વડે રચાય છે માટે વ્યવહારથી તે શેયના આકાર કહેવાતા હોવા છતાં નિશ્ચયથી તે જ્ઞાનના પોતાના આકારો છે. જ્ઞાન પર્યાયની તત્ સમયની યોગ્યતાથી જ્ઞાનમાં આકાર રચાય છે એ જ્ઞાનનો “સ્વ-કાળ છે. એટલે તત્ત્વદષ્ટિથી વિચારતાં દર્પણમાં મોર નથી જણાતો (કારણકે મોર તો દર્પણની બહાર છે.) પણ મોરનો આકાર માત્ર જણાય છે અને તે આકાર વ્યવહારથી મોરનો કહેવાતો હોવા છતાં તત્ત્વથી તો મોરના આકાર રૂપે પરિણમેલા દર્પણનો છે. તેમ જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિથી અને જ્ઞાનની તત્સમયની યોગ્યતાથી જ્ઞાનમાં જ્ઞાનાંકાર રચાય છે માટે કેવળજ્ઞાનમાં શેયો નથી જણાતા-જોયાકારો નથી જણાતા પણ શાનાકારો જ જણાય છે અને જ્ઞાનાકાર તો આત્મા જ છે માટે કેવલજ્ઞાનમાં આત્મા જ જણાય છે. છતાં આ ચોથી કડીમાં યોગીરાજે પરક્ષેત્રે રહેલા જોયોને, કેવલજ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહ્યું થયું જાણે છે એમ જે કહ્યું તે વ્યવહાર નયનો પ્રયોગ સમજવો. ખરેખર પર જણાતું નથી પણ પર’ જેવું છે એવું જ “જાણપણું અંદર જણાય એવી એક શક્તિ ભીતરમાં છે. એનું નામ “સ્વ-પરગ્રાહક શક્તિ છે, એ સ્વ-પર પ્રકાશન સામર્થ્ય છે. બહારમાં જોવા પ્રતિ સમયે સંજ્વલના કષાયનો નાશ શીઘતાએ થાય અને ક્ષપકશ્રેણિ શીધ મંડાય; એવા ભાવ ન હોય તો સાધુપણું ભાવથી શું? Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1153 શેયાકારો છે, તેવા જ જ્ઞાનાકારો જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતાના કારણે સ્વયં પોતાથી પ્રગટે છે ત્યારે ‘પર’ને જાણ્યું, અથવા તો ‘પર’ જણાયું એવું વ્યવહારથી કથન કરવામાં આવે છે. ‘સ્વ’માં જ્ઞાયક ભગવાન અને ‘પર’માં પરસંબંધીનું સમગ્ર જાણપણું જ્ઞાનની પર્યાયમાં સ્વયં જણાઈ જાય છે. જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાયક ભગવાન ધ્રુવ આત્મા તે “સ્વશેય’’ અને બાકીનું બધું પર જ્ઞેય તરીકે ઝળકે છે. સ્વ-પરનો પ્રતિભાસ એક સાથે થાય તેવું જ્ઞાનનું અપૂર્વ સ્વચ્છત્વ છે. એ પર્યાય પ્રવાહરૂપે ધ્રુવ થઇ જાય છે એટલે શાતા-જ્ઞાન અને શેય ત્રણે ય એકરૂપ થાય છે અને ત્યારે તેમાંથી પ્રતિ સમયે અનંત-અનંત આનંદ વેદાય છે. નિર્મળતા ગુણનું જ આ પરિણમન છે તેથી કવિશ્રી ‘નિર્મળતા ગુણમાન’ કહે છે. એ જ તો આત્માનું આત્મગૌરવ-આત્મત્વ છે માટે તેને ‘નિર્મળતા ગુમાન’ એ સંદર્ભમાં પણ કહી શકાય છે. પર ક્ષેત્રે જઈ જે જ્ઞાન, હ્યેયને જાણવા જાય છે તે જ્ઞાન, જ્ઞાયકમાંથી બહાર નીકળી પર ક્ષેત્રે જઇ કરાયેલું જ્ઞાન છે, એ જ્ઞાનમાં પ્રયોજન હોય છે. એ અસ્તિનું નાસ્તિ થવાપણું છે. નિજ ક્ષેત્રે એટલે કે ધ્રુવમાં રમવાપણું-રહેવાપણું એ જ અસ્તિપણું છે; એમાં હોવાપણું છે. પરંતુ કરવાપણું, થવાપણું કે બનવાપણું નથી એ જ 'જ્ઞાનની અવિકારીતા-નિર્મળતા-વીતરાગતા છે. વીતરાગતા એ જ જ્ઞાનનું કેવલજ્ઞાન રૂપે હોવાનું માપ છે. માન છે. તે ગુણનું માન છે; એ જ જ્ઞાનગુણની ગરિમા-ગૌરવ-ગુમાન છે. આ ચોથી કડીનો કેન્દ્રધ્વનિ છે. હવે કાલથી ઘટના કરતા જ્ઞાન સ્વરૂપી આત્માને જણાવતા કહે છે અધર્મ એટલે રાગ-ગ્રહણ-ભોગ. જેનું ફળ દુઃખ તેનું નામ અધર્મ ! Page #328 -------------------------------------------------------------------------- ________________ 1154 હૃદય નયન નિહાળે જગધણી શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરુ, કાળ પ્રમાણે થાય સુજ્ઞાની, સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય.. સુજ્ઞાની..૫ અર્થ : જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવા યોગ્ય પદાર્થ, તેનો નાશ થતાં, તે પદાર્થને જાણવારૂપ જ્ઞાનનો નાશ થાય છે. આવું તો કાળ પ્રમાણે એટલે સમયે સમયે બન્યા કરે છે-થયા કરે છે પણ જ્ઞાતા અને જ્ઞાનનો પોતાની સત્તા વડે ક્યારે પણ નાશ થતો નથી. “તે પર રીતે ન જાય’” એટલે જ્ઞેય પદાર્થના નાશની રીતે જ્ઞાન કે જ્ઞાતાનો ક્યારે પણ નાશં થતો નથી. વિવેચન ઃ ઘટ-પટાદિ પદાર્થો એ શેય કહેવાય છે. તે પદાર્થો સમયે સમયે અવસ્થાથી બદલાય છે-પલટાય છે એટલે તેને જાણવા માટે પ્રવર્તેલો ઉપયોગ પણ સમયે સમયે બદલાય છે અને તે ઘટ-પટાદિ પદાર્થોનો નાશ થતાં અન્ય શેયોનું જ્ઞાન કરવા રૂપે ઉપયોગ પાછો ઉત્પન્ન થાય છે એટલે કે જીવનો ઉપયોગ એક પર્યાયરૂપે નાશ પામે તો અન્ય પર્યાયરૂપે ઉત્પન્ન થાય. આ વસ્તુ સ્વભાવ છે અને લોકસ્થિતિ પણ છે. પર્યાયથી દરેક વસ્તુ પલટાય છે તે વાત જૈન દર્શનને માન્ય છે પણ પૂર્વપક્ષી તો જ્ઞેયનો નાશ થતાં જ્ઞાનગુણનો પણ નાશ થયો અને જ્ઞાનગુણનો નાશ થતાં જ્ઞાનથી અભિન્ન આત્મા પણ નાશવંત ઠર્યો માટે પહેલી કડીમાં કહેલ ધ્રુવપદરામીપણું ઘટતું નથી એમ આપત્તિ આપે છે. તેનું સમાધાન આપતા આ જ કડીના ઉત્તરાર્ધમાં કહે છે. ‘સ્વકાલે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય’ જ્ઞાન ગુણ તો આત્માનો સહભાવી પર્યાય છે. એ દ્રવ્યનું દ્રવ્યત્વ છે કે જેવી પુષ્પની સુવાસ છે અથવા તો સોનાની પીળાશ છે-ચીકાશ ઘર્મ એટલે વિરાગ-ત્યાગ-સહિષ્ણુતા. જેના ફળ સ્વરૂપે દુઃખરહિતતા અને સુખાનુભવ મળે તે ધર્મ ! Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી & 1155 છે. તેનો નાશ તો છે જ નહીં, તેનો નાશ કોઈ કરી શકે પણ નહીં, પણ પ્રતિ સમયે જે જ્ઞાનગુણના ક્રમભાવી પર્યાયો છે તેનો નાશ થાય છે છતાંય તેમાં જ્ઞાન ગુણ તો અબાધિત જ રહે છે. ક્રમભાવી પર્યાયો જ્ઞાનની અવસ્થાને બદલવા સમર્થ છે પણ તે કાંઈ જ્ઞાનનો નાશ કરવા સમર્થ નથી. જ્ઞાનના ક્રમભાવી પ્રત્યેક પર્યાયમાં જ્ઞાનગુણ અનુસ્મૃત છે; જેમ માળાનો પ્રત્યેક મણકો દોરામાં પરોવાયેલો છે તેમ દરેક દ્રવ્યો અને તેના મૌલિક ગુણો પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ છે-અસ્તિ છે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી-અસત્ છે, નાસ્તિ છે. જૈન દર્શને આપેલા આ સ્યાદ્વાદ સિદ્ધાંતને ફેરવવા વિશ્વની કોઈ પણ સત્તા સમર્થ નથી કારણકે દરેક પદાર્થ તેના સ્વભાવને અનુસરે છે અને સ્વભાવ હંમેશા ત્રિકાલ અબાધિત હોય છે. આ રીતે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ દરેક પદાર્થો પોતાની સત્તા અર્થાત્ અસ્તિત્વ ટકાવી રાખતા હોવાથી શેયના વિનાશે આત્મસત્તા કે જે ચિઠ્ઠપ છે તેને કોઈ બાધા પહોંચતી નથી. “તે પર રીતે ન જાય” એટલે કે આત્મસત્તા પોતાનું ચિરૂપ છોડીને ક્યારે પણ પર રૂપે ન જ થાય. - જે કારણથી વસ્તુ સામાન્ય વિશેષાત્મક સિદ્ધ થાય છે, તે જ કારણથી દ્રવ્ય-પર્યાયમય સિદ્ધ થાય છે. દ્રવ્ય સામાન્ય છે અને પર્યાય વિશેષ છે. વળી જેમ સામાન્યની ઉપલબ્ધિ અને અભિવ્યક્તિ તેના કોઈને કોઈ વિશેષમાં થાય છે, તેમ દ્રવ્યની ઉપલબ્ધિ અને અભિવ્યક્તિ પણ તેના કોઈને કોઈ વિશેષમાં એટલે કે પર્યાયમાં જ થાય છે. જેમ સામાન્ય રહિત વિશેષ નથી અને વિશેષ રહિત સામાન્ય નથી તેમ પર્યાય રહિતનું દ્રવ્ય કે દ્રવ્ય વિનાની પર્યાય કદાપિ પ્રાપ્ત થાય નહિ. આ એના જેવું છે કે સાકર અને સાકરની મિઠાશ એક બીજાથી જુદા સ્વતંત્ર નહિ હોય. ત્યાગ કરે અને માણસ ત્યાગની ટેક ન છોડે, તો રાગ મટી જશે; જે વ્યવહારથી નિશ્ચય છે. રાગ ઘટે અને વિરાગ સાયો આવે, તો બાહ્ય ત્યાગ આવશે જે નિશ્ચયથી વ્યવહાર છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ 1156 , હૃદય નયન નિહાળે જગધણી TI , ટૂંકમાં સામાન્ય સત્તા અને વિશેષ સત્તા તાદાભ્ય સ્વરૂપ છે અર્થાત્ એકાત્મક છે. તે પૃથક પૃથક વસ્તુ નથી. એક બીજાની અભિવ્યંજક છે. શેયની પરાવર્તનાને લીધે સિદ્ધાવસ્થામાં પણ શેય સાપેક્ષ જ્ઞાનની , પર્યાય પલટાય છે પણ તેથી આત્માના અનંત જ્ઞાન-દર્શનને ક્યારે પણ આંચ આવતી નથી માટે આત્મા શાશ્વત છે, તેમ તેના અનંત જ્ઞાનાદિ ગુણો પણ શાશ્વત છે. સમયે સમયે જેમ પ્રત્યેક જડ-ચેતન દ્રવ્યોનું પરિણમન સહેતુક ઉત્પાદ-વ્યય સ્વરૂપી હોય છે, તેમ સિદ્ધ ભગવંતોનું જ્ઞાન પણ સમયે સમયે તેવા પ્રકારે ઉત્પાદ-વ્યય સ્વરૂપી અવશ્ય હોય છે. પરંતુ દ્રવ્ય ધર્મથી જોતાં તેઓએ પોતે પોતાની સકળ ગુણસંપદાને ક્ષાયિકભાવે અભેદરૂપે પરિણાવેલ હોવાથી તેઓને હવે કોઇપણ કાળે પોતાના દ્રવ્યત્વ સ્વભાવથી અર્થાત્ પોતાના શુદ્ધ અનંત-અક્ષય-ગુણ સંપદાથી ટ્યુત થવાપણું નથી; કેમકે તેઓ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપમાંજ ઉત્પાદ-વ્યય-સ્વરૂપે પરિણામ પામતા હોય છે. આથી તેઓ સાદિ-અનંત ભાંગે અક્ષય-સ્થિર પરિણામી હોય છે માટે જ તેઓ ધ્રુવ પદ રામી હોય છે. પર્યાય પલટાય છે જરૂર પણ તેમાં પરિવર્તનતા કે પરિભ્રમણતા ન હોવાથી ધ્રુવતા છે એટલે સદશતા છે જ્યારે છમસ્થના પર્યાયમાં પરિવર્તનતા અને પરિભ્રમણતા હોવાના કારણે વિસદશતા છે. આ ધ્રુવ પદ રામી બનવું હોય તો જૈન દર્શને બતાવેલા અનેકાંતવાદને સારી રીતે જાણી તેને જીવનમાં ઉતારવા સાધના કરવી જોઈએ. જૈન દર્શન અનેકાંતવાદને બતાવતું હોવા છતાં તે એકાંતે અનેકાંતવાદી નથી કારણકે મિથ્યા એકાંતને તે માન્ય કરતું નથી પણ સમ્યગુ એકાંતને તે સારી રીતે આવકારે છે અને તેથી જ તે કહે છે કે દષ્ટિમાંથી રાગ-દ્વેષ નીકળી જાય કે ઓછા થાય, તે દર્શનમોહનીયનો ક્ષય કે પ્રયોપશમ. જ્યારે વર્તન, સંયમ અને તપ વડે સુધરે તેનું નામ યારિત્ર્ય મોહનીયનો ક્ષયોપશમ. Page #331 -------------------------------------------------------------------------- ________________ - શ્રી પાર્શ્વનાથજી , 1157 અનેકાંતવાદ માત્ર વસ્તુની સિદ્ધિ કરવા માટે જ નથી પરંતુ એકાંતિક અને આત્યંતિક એવા મોક્ષપદની પ્રાપ્તિ માટે છે. તેથી જ જૈનદર્શન જણાવે છે કે સમ્યગૂ એકાન્ત સ્વરૂપી આત્માનો એકત્વપૂર્વક અનુભવ કરવાથી સમ્યગૂ અનેકાન્ત સ્વરૂપી જગત જ્ઞાનમાં જણાય છે. ભિન્ન ભિન્ન એકાંત દર્શનોને જૈનદર્શનનો અનેકાંત સિદ્ધાંત પોતાની વ્યાપક અનેકાંત દૃષ્ટિમાં યથાયોગ્ય સ્થાન પ્રદાન કરે છે. એકાંત દર્શનો દૃષ્ટિ નિરપેક્ષ છે. તેમની પાસે પદાર્થને યથાર્થ રીતે જોવાની દૃષ્ટિ નથી તેથી નિરાધાર છે, તેને નય સાપેક્ષતા બક્ષીને સદ્ધર કરે છે. અનેકાંતની વિશાળ સૃષ્ટિના દર્શન કરાવી, એકાંતના સંકુચિત ઢાંચામાં રુંધાતી તે દૃષ્ટિને મુક્ત કરી તેમાં નવા પ્રાણ પૂરે છે. એકાંતના આગ્રહની પકડમાંથી, મિથ્યાત્વને કારણે પ્રાપ્ત થયેલી મિથ્યાષ્ટિમાંથી મુક્ત કરી પ્રાણી માત્રને સમ્યતા બક્ષે છે. આમ ધ્રુવપદ રામી બનવામાં અનેકાંત દૃષ્ટિ અત્યંત ઉપકારક છે. અધ્યાત્મના માર્ગમાં શીઘમોક્ષ પામવા એકલી સાધના જ નહિ પણ દૃષ્ટિની સ્વચ્છતા, હૃદયની વિશાળતા, ઉદારતા અને ગુણગ્રાહિતા સુદ્ધા પણ અત્યંત જરૂરી છે; એ વાત જરાપણ ભૂલવા જેવી નથી. - શેયના વિનાશથી એટલે કે શેયનો પર્યાય બદલાવાથી, એ શેયનો જ્ઞાનમાં ઉપસેલો જ્ઞાનાકાર પણ બદલાય છે. પર્યાય પળે પળે પલટાય છે, પર્યાયમાં ક્રમબદ્ધતા છે. ક્રમે કરીને પર્યાયમાં પરિવર્તન આવે છે. પર્યાય ભિન્ન હોય તો તેનું રૂપ પણ બદલાય છે અને તેથી એક પર્યાય જતાં તેના સ્થાને બીજો પર્યાય બીજારૂપે પરિવર્તન પામીને આવે છે પણ જો પર્યાય સદશ હોય તો પર્યાય એવોને એવો જ રહે છે એટલે કે રૂપ નથી બદલાતું પરંતુ એવો ને એવો બીજો પર્યાય આવે છે જે સંખ્યાથી ભેદ જડ શરીરને હું માનેલ છે, તે દેહભાવને કાઢવા માટે પથ્થરની પ્રતિમામાં ભગવાન માનવાના છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ 1158 , હૃદય નયન નિહાળે જગધણી બતાડે છે અને જો પર્યાય વિસદશ હોય તો કાળ પ્રમાણે બધું ય ફરતુંબદલાતું રહે છે પરંતુ સદશ પર્યાય હોય તો માત્ર સંખ્યાથી બદલાવાપણું છે પણ રૂપથી બદલાવાપણું નથી. જ્યાં પર્યાયમાં સદશતા છે ત્યાં પરિવર્તનતા અને પરિભ્રમણતા નથી, અર્થાત્ પર્યાય એવી ને એવી છે . પણ એની એ નથી. દાખલા તરીકે ભોજન લેનારનો કોળિયો એવો ને એવો છે પણ એનો એ નથી. અથવા તો વહેતી નદીમાં સ્નાન કરનાર એવા ને એવા પાણીમાં સ્નાન કરે છે પરંતુ પાણી એનું એ નથી , - કેવળજ્ઞાનીના જ્ઞાનમાં નિશ્ચિત કાળે નિશ્ચિત પર્યાય જે જણાવેલ છે, તે જ પ્રમાણે નિશ્ચિત ભવિતવ્યતા ઘટમાન થાય છે. માટે જ કવિશ્રી કહે છે કે કાળ પ્રમાણે થાય મવતિ તદ્ ભવિતવ્યનું કેવું ભાવિમાં થનાર છે તેવું જ કેવળજ્ઞાની ભગવંત જણાવે છે અને એમના જણાવ્યા મુજબ જ ઘટના ઘટે છે, તે કેવળીભગવંતની જ્ઞાતસત્તા છે. વર્તમાનમાં જેવું ઘટી રહ્યું છે અને ભૂતકાળમાં જેવું બન્યું છે તેવું જ અક્ષરશઃ જણાવે છે તે કેવળીભગવંતની વીતરાગતા છે. સ્વકાળમાં સ્વસત્તા છે. તે સદાય એક સરખી રહે છે. તેને કાળની કોઈ અસર નથી એટલે કે કાળે કરીને કોઈ ઘસારો પહોંચતો નથી. તેથી તે કાલાતીત છે અને એને પોતાને કોઈ કાળ જ નથી એટલે કે તે વર્તમાનમાં જ વર્તે છે તેથી અકાલ છે. કારણકે તે સ્વમય છે તેથી સમયરૂપ છે એટલે જ જે સ્વસત્તામાં છે-જ્ઞાયકભાવમાં છે, તે ક્યારેય પરરૂપે પરિણમી જતો નથી એટલેકે પરરૂપે થતો નથી. આ પરરૂપ થતો નથી તેથી જે તેની સ્વસત્તા છે અને એના જ્ઞાનમાં જુએ છે તે જ પ્રમાણે ઘટના ઘટે છે તે એની જ્ઞાતસત્તા-સ્વસત્તા છે અને જેવું ઘટે છે તેવું જ લેશમાત્ર ફેરફાર વિનાનું જેમ છે તેમ જુએ છે તે એની વીતરાગતા છે પરમાત્મા સર્વના છે એટલે પરમાત્મા મારા છે. પરમાત્મા સર્વ રૂપ છે . એટલે મારે પરમાત્મા સિવાય બીજું કોઈ નહિ. આ આપણો દર્શનાયાર છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1159 - આ જ પાંચમી કડીનો પ્રધાન સૂર છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ રૂપ આત્મચતુષ્કમયિ સત્તા પરમાં છે જ નહીં તો આત્મા પરદ્રવ્યનો જાણકાર કઈ રીતે? એ જ વાતને છઠ્ઠી ગાથામાં વિસ્તારે છે. પર ભાવે કરી પરતા પામતાં, સ્વસત્તા થિર ઠાણ સુજ્ઞાની, આત્મચતુષ્કોયિ પરમાં નહિ, તો કિમ સહુનો રે જાણ.. સુજ્ઞાની અર્થ આત્મા જ્યારે પોતાનાથી ભિન્ન એવા પરમાણુ-આકાશાદિ પદાર્થોનું જ્ઞાન કરે છે ત્યારે, તે જ્ઞાન, તે પદાર્થમય થાય તે સ્વાભાવિક છે અને તેમ થવાથી તો પરપણું પામી જવાય એ પણ સ્વાભાવિક છે. - “સ્વ સત્તા ચિર ઠાણ" - જ્યારે સ્વ સત્તા તો પોતાનામાં સ્થિરપણે રહેવા સ્વરૂપ છે. પોતાના સ્વભાવમાં રહેવું તેનું નામ જ સ્વસત્તા છે અને પર પર્યાયપણું પામવામાં તો પદાર્થની સ્વસત્તા રહેતી નથી. આત્માના પોતાના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા પદાર્થમાં તો સંભવી શકતા નથી, તો પછી આત્મા અન્ય સર્વ પદાર્થોનો જાણકાર બને તે કેમ સંભવી શકે ? - કાં તો પર પદાર્થને જાણવા જતાં પર સ્વરૂપ બની જાય છે, એમ સ્વીકારવું જોઈએ, અથવા તો આત્મા પોતાનો જ જાણકાર છે, પોતાના સિવાય અન્યનો જાણકાર નથી એમ માનવું જોઈએ. આ જ વાતને પૂર્વપક્ષરૂપે વિંશતિ વિંશિકામાં કહી છે. जीवो य ण सव्वगओ, तो तद्धम्मो कहं भवइ बाही ?। ૬ વાડનો ઘમ્માડડડુ-વિરહિ છ કાન્ત?il (૧૮/૧૮) કર્મના ઉદયમાં હે જીવ! તું સ્વતંત્ર નથી પરંતુ કર્મના ઉદય વખતે નવો કર્મબંધ નહિ થાય. અગર અલ્પ થાય; તેવાં અધ્યવસાય કરવામાં સ્વતંત્ર છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ 1160 હૃદય નયન નિહાળે જગધણી જીવ જો સર્વ વ્યાપક નથી તો તેનો ધર્મ જે જ્ઞાન, તે (આત્માથી) બહાર કેમ હોઈ શકે ? અને ધર્માસ્તિકાયાદિકથી રહિત એવા અંત વિનાના અલોકમાં (તે જ્ઞાન અને જ્ઞાનાત્મા) કેમ જઈ શકે ? ટૂંકમાં પૂર્વપક્ષીનું શંકરૂપે એટલું જ કહેવું છે કે જો જ્ઞાન, અનેકરૂપે, વિનશ્વર રૂપે, પરભાવરૂપે કે પરક્ષેત્રરૂપે બનશે તો તેના આશ્રયભૂત-આધારરૂપ આત્માને પણ તમારે અનેક, વિનશ્વર, પરંભાવ અને પરક્ષેત્રરૂપ માનવાની આપત્તિ આવશે. છ એ દ્રવ્યોમાં કાળ સિવાયના પાંચેય દ્રવ્યો માટે જ્ઞાનીઓએ અસ્તિકાય શબ્દ વાપર્યો છે. તો પ્રશ્ન થાય કે આવા શબ્દ પ્રયોગ પાછળનું રહસ્ય શું છે ? તો કહે છે કે અસ્તિકાયમાં ‘અસ્તિ’ શબ્દનો શબ્દાર્થ ‘છે’ થાય. અસ્તિ=છે. આ ‘છે' એ ક્રિયાપદ છે. અસ્ ધાતુ ઉપરથી બનેલ ક્રિયાપદ છે, જેનો અર્થ ‘To be’ એટલે હોવું છે. તે કર્તા વિના સિદ્ધ થાય નહિ, જે ‘છે’ તે વિશ્વમાં શું છે ? એ પ્રશ્ન ઉઠે ત્યારે ‘અસ્તિ’ ‘To be’શબ્દના લક્ષ્યાર્થ સુધી પહોંચવું પડે છે. અસ્તિ એટલે પ્રદેશ. કારણકે પ્રદેશ છે-છે અને છે. ત્રિકાલ હોવાના કારણે એને અસ્તિ શબ્દથી ઓળખાવાયેલ છે. પ્રદેશ અનાદિ, અનંત, અનુત્પન્ન, સ્વયંભુ, સ્વયંસિદ્ધ-સ્વાધીન અને અવિનાશી છે. સ્વયંભુ એટલે જેની ઉત્પત્તિ કોઇનાથી ન હોય અને ક્યારે પણ ન હોય અને જેની ઉત્પત્તિ કોઈનાથી ન હોય તેનો નાશ પણ ક્યારે ય ન જ થાય. હવે કાય શબ્દનો વિચાર કરતાં તેનો શબ્દાર્થ કાય એટલે શરીર થાય. પણ કાય શબ્દનો લક્ષ્યાર્થ છે સમુહ. અર્થાત્ પ્રદેશોનો સમુહ તે દુઃખનું મૂળ દૃષ્ટિ છે. ભયંકર દેહભાવ કરીને દેહ વિષે અભેદષ્ટિ રાખનાર અજ્ઞાની છે અને એજ એના દુઃખનું મૂળ કારણ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1161 અસ્તિકાય. આવા અસ્તિકાય જીવ અજીવાદિ પાંચ પ્રકારે છે માટે પંચાસ્તિકાય શબ્દનો પ્રયોગ છે. આ વિશ્વ પાંચદ્રવ્યોના સમુહાત્મક છે માટે પંચાસ્તિકાય કહેવાય છે. તેમાં આકાશ અસીમ છે જ્યારે બાકીના ચાર દ્રવ્યો સીમાન્ત છે. વળી તે પાંચ દ્રવ્યો સ્થિર છે કે અસ્થિર ? નિત્ય છે કે અનિત્ય ? સ્થિરત્વઅસ્થિરત્વ એ પ્રદેશને લાગુ પડે છે અને તે ક્ષેત્રથી સંબંધિત છે જ્યારે નિત્યત્વ-અનિત્યત્વ એ ગુણ-પર્યાયને લાગુ પડે છે અને તે કાળથી સંબંધિત છે. જીવ અને પુદ્ગલના પ્રદેશો અસ્થિર છે જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધના જીવોના પ્રદેશો સ્થિર છે. જે ક્ષેત્રથી સ્થિર હોય તે કાળથી નિત્ય જ હોય અને જે કાળથી નિત્ય હોય તે ક્ષેત્રથી સ્થિર જ હોય એવો સિદ્ધાંત છે. વળી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધના જીવોના પ્રદેશો સ્થિર છે,, તો તેમના ગુણ-પર્યાય નિત્ય છે અર્થાત્ ગુણ-પર્યાયનો અભેદ છે. પ્રતિ સમયે સદશ પર્યાયની જ સંતતિ ચાલે છે જ્યારે સંસારી જીવ અને પુદ્ગલના પ્રદેશો અસ્થિર છે તો તેના ગુણપર્યાય પણ અનિત્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં વર્ણત્વ, ગંધત્વ એ ગુણ છે જ્યારે વર્ણાન્તર, ગંધાન્તર એ પર્યાય છે. જીવના જ્ઞાનમાં જ્ઞાનત્વ એ ગુણ છે જ્ઞાનાંતર એ પર્યાય છે. ક્ષેત્રાંતરતા એ પરિભ્રમણતા છે અને કાલાંતરતા એ પરિવર્તનતા છે. આ નિયમ જ છે કે જે દ્રવ્યની પ્રદેશપિંડાકૃતિ સ્થિર હોય તેના ગુણ-પર્યાય નિત્ય જ હોય અને જે દ્રવ્યની પ્રદેશપિંડાકૃતિ અસ્થિર હોય તેના ગુણપર્યાય અનિત્ય જ હોય. અનિત્યતા હોય ત્યાં પરિવર્તનતા અને પરિભ્રમણતા હોય જ. નિત્યતા હોય ત્યાં સમરૂપતા અને સ્થિરતા હોય જ. દેહભાવ એ દેહમાં અભેદબુદ્ધિ છે અને દેહભાન એ દેહમાં સુખબુદ્ધિ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ 1162 , હૃદય નયન નિહાળે જગધણી આત્મા જ્યારે સંસારી અવસ્થામાં છે ત્યારે તેનું જ્ઞાન કર્મથી ઢંકાયેલું હોવાના કારણે તે જ્ઞાન પર પદાર્થને જાણવા માટે જાય છે એટલે ત્યાં જ્ઞાનોપયોગ પર પદાર્થમય બને છે; એનો ખ્યાલ કરીને પૂર્વપક્ષી આ આપત્તિ આપે છે કે તો પછી આત્મ સત્તા-જ્ઞાન સત્તા તો પોતાનામાં રહેવા સ્વરૂપ છે, તે કેવી રીતે ઘટી શકશે? તેનું સમાધાન કવિશ્રી અગુરુલઘુગુણના સાધમ્પના દૃષ્ટાંતથી સાતમી કડીમાં આપે છે અને જણાવે છે કે આ અગુરુલઘુ એવા નિજગુણને દેખતાં કેવલી અને સિદ્ધના જીવો, સકળ પર દ્રવ્યોને જોઈ રહ્યા છે. આ ગુણની સ્વચ્છતા, નિર્મળતાના પ્રભાવે પર પદાર્થનું જ્ઞાન કરવા છતાં તેઓ પોતાનામાં જ રહે છે કારણકે ત્યાં જ્ઞાનોપયોગ પરને જાણવા જતો નથી પણ દર્પણથી પણ અધિક સ્વચ્છ કેવલજ્ઞાનમાં આખું જગત તેમાં રહેલ શેયત્વ ગુણના કારણે આ જ્ઞાનત્વ શક્તિના અચિંત્ય પ્રભાવથી એક સમયમાં જ જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય છે. એ અગુરુલઘુગુણ શું છે તેનું સ્વરૂપ વિસ્તારથી સાતમી કડીના વિવેચનમાં જણાવાયેલ છે. આત્મા કર્મનો ઉદય અને સંયોગોને આધીન બનીને જ્યારે શુભાશુભ ભાવ કે જેને અધ્યાત્મ શૈલિમાં અનાત્મભાવ કહે છે, તેને કરે છે ત્યારે પરપણું પમાય છે અને તેમ થતાં અપૂર્ણ, અસ્થિર બનાય છે. જ્યારે સ્વસત્તા અવિનાશી, પૂર્ણ અને નિત્ય હોવાથી સ્વસત્તામાં રહેવા વડે કરીને સ્થિર બનાય છે. સ્થાયી થવાય છે. પછી અસ્થાયીતા એટલે પરિભ્રમણતાભવભ્રમણતા, અનિત્યતા, પરિવર્તનતા પણ ટળી જાય છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યનું પરાકાષ્ટાએ સ્વરૂપગુણમાં પરિણમન, તે જ અનંત ચતુષ્કમયિ સ્વ સત્તા છે, તે પ્રગટે છે, ત્યારે આત્મા સ્વમય બની ગયેલો હોવાથી દેહભાવ ભૂલવો એ જ્ઞાનદશા વિવેક (ભેદજ્ઞાન) છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1163 સર્વમય બની જાય છે. એ એકાકાર થવાથી સર્વકાર બની જાય છે અને શૂન્યાકાર (એટલે અસરની અભાવવાળો થઈને) રહે છે. તેના શાનમાં આખું વિશ્વ સમાઈ જાય છે એટલે તે સહુનો બનીને રહે છે. આકાશ સહુને પોતાનામાં સમાવે છે, તેથી આકાશ સહુ કોઈનું બનીને રહે છે. એ જ રીતે કેવળજ્ઞાન પોતાનામાં સહુ જોયોને સમાવવા દ્વારા સર્વાકાર છે પણ શેયમય ન થતાં તેનાથી નિર્લેપ પોતે પોતાના શાયક સ્વભાવમાં જ રહે છે તેથી શૂન્યાકાર છે. આકાશ સહુને સમાવે છે પરંતુ તે કોઈનું થતું નથી તેમ જ્ઞાન સહુ કોઈ શેયને સમાવે છે પણ જ્ઞાન કોઈ શેયરૂપ થતું નથી એ અનેક વચ્ચે પણ એક થઈને જ રહે છે. એની વીતરાગતા પ્રેમપૂર્વકની હોય છે અને એનો પ્રેમ વીતરાગતા પૂર્વકનો હોય છે. એના પ્રવર્તનમાં સરળતા એટલે કે ભેદભાવ રહિતતા, સહજતા એટલે કે અપ્રયાસતા અને સાતત્યતા એટલે કે નિરંતરતા હોય છે. આ છે છઠ્ઠી કડીનો મર્મ. . છે. છઠ્ઠી કડીમાં ઉઠાવેલ શંકાના સમાધાનરૂપે હવે સાતમી કડીમાં કહે છે –. આ અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત સુશાની સાધારણ ગુણની સાધર્મેતા, દર્પણ જલ દષ્ટાન્ત... સુજ્ઞાની.૭ . અર્થઃ અગુરુલઘુ એવા નિજગુણને દેખતાં કેવલી અને સિદ્ધના જીવો સકળ પર દ્રવ્યને જોઈ રહ્યાં છે. અગુરુલઘુપણું એ સાધારણ એટલે સર્વવસ્તુમાં વ્યાપીને રહેલ વ્યાપક સામાન્ય ગુણ છે. તે ગુણની આત્મા સાથે સાધર્મતા અર્થાત્ સમાન ધર્મતા રહેલી છે. માટે આત્મામાં સર્વ પરપદાર્થોનું પ્રતિબિંબ પડે છે. તે માટે દૃષ્ટાંત આપતાં કહે છે કે દર્પણ એટલે કે અરીસો અને જલ એટલે કે પાણીમાં પ્રતિબિંબ ગ્રાહકતા રૂપ દેહભાન ભૂલવું એ યાત્રિ ઉપયોગ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ 1164 , હૃદય નયન નિહાળે જગધણી ગુણ હોવાથી, કોઈપણ ચીજનું પ્રતિબિંબ પડી શકે છે. તે દષ્ટાંતથી અગુરુલઘુગુણની અત્યંત સ્વચ્છતાના કારણે આત્મામાં પણ પરવસ્તુ પ્રતિભાસિત થાય છે. વિવેચનઃ આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં અગુરુલઘુ સ્વભાવનો છે. આત્મા ભારે નથી હલકો નથી. ગુરુ નથી લઘુ પણ નથી, જાડો નથી, પાતળો નથી, ઊંચો નથી, નીચો નથી. તેમ આત્માના અનંતા ગુણો પણ તેવા જ અગુરુલઘુ સ્વભાવે છે. તેમજ દરેક ગુણની પ્રતિ સમયની પર્યાયો પણ અગુરુલઘુ સ્વભાવે છે. આત્મા અગુરુલઘુ સ્વભાવનો છે. જ્યારે આત્માના સ્વાભાવિક ગુણોથી અતિરિક્ત બીજા બધા વૈભાવિક ગુણો ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મોહ તેમજ ક્ષયોપશમ ભાવને પામેલ મૈત્રી, પ્રમોદ, કરૂણા, વાત્સલ્ય, ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ આદિ બધા હાનિ-વૃદ્ધિવાળા એટલે ગુરુલઘુ આદિ સ્વભાવના છે અર્થાત્ તરતમતાવાળા છે. ક્રોધ આવે ત્યારે શરૂઆતમાં થોડો હોય પણ પછી વધતો વધતો ટોચે જાય અને ત્યાંથી પાછો ઊતરવા માંડે અને ખલાસ થાય; તેથી આપણને તેની ખબર પણ પડે. જ્યારે આત્મામાં અને તેના પૂર્ણ ગુણોમાં આવી ચઢ-ઉતર કે વધ-ઘટ ક્યારે પણ નથી. એ જેવો છે તેવો છે અને જેમ છે તેમ છે. As it is forever. અગુરુલઘુ સ્વભાવના કારણે દરેક દ્રવ્યોનું દ્રવ્યત્વ, દરેક દ્રવ્યના ગુણો અને તેની પર્યાયો જેમ છે તેમ જ રહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થતું નથી. એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી તેમ એક પર્યાય બીજી પર્યાયરૂપે થતી નથી અર્થાત્ દ્રવ્યાંતર પણ નથી, ગુણાતર પણ નથી અને સ્થિત્યાંતર પણ નથી. વસ્તુના વસ્તુસ્વભાવની સદાકાળની સર્વદા, સર્વત્ર, તારે સેલ્ફ (mહર)-સ્વયં બનવાનું છે, તે સમજીને સાવન કરજે. બહારનું સાઘન-આલંબન લેવું પડે તો લેજે પરંતુ પરાવલમ્બી રહેવા માટે નહિ. Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1165 સર્વથા સમરૂપતા એ જ એની અગુરુલઘુતા છે. ઉપર મુજબની હકીકત હોવા છતાં ય દ્રવ્યના “સહભાવી ગુણો વચ્ચે સચરત્વ કે સહઅસ્તિત્વ રહેલું છે. Perfect Harmony and Balance સંપૂર્ણ સુસંવાદિતા અને સમતુલ્યતા રહેલાં છે. એટલે દ્રવ્યના નિયત ગુણો પરસ્પરથી ક્યારેય વિખૂટા પડતા નથી તેમ એકબીજારૂપે એકમેક-એકરૂપ પણ થઈ જતાં નથી પણ પોતાની નિર્ધારિત સીમામાં રહી પરિણમન પામે છે. બધા જ દ્રવ્યો એક સાથે રહેવા છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે અનંતકાળમાં ક્યારે પણ થતું નથી. - ટૂંકમાં દરેક દ્રવ્યમાં સ્વતંત્રતા છે, દરેક ગુણોમાં સ્વતંત્રતા છે અને દરેક પર્યાયોમાં પણ સ્વતંત્રતા છે અને પાછી સાથે સાથે સુસંવાદીતા અને સમતુલ્યતા છે. આ અગુરુલઘુ ગુણ દરેક દ્રવ્યોને, તેના દરેકે દરેક ગુણોને તેમજ દરેક પર્યાયોને સમતોલ રાખે છે. ગુણકાર્ય થવા છતાં, વીર્ય વ્યાપાર થવા છતાં કોઈ ઘસારો પહોંચતો નથી અને ષગુણ હાનિવૃદ્ધિ થવા છતાં સમતુલા લેશમાત્ર ખોટવાતી નથી. બલ્ક પદ્ગણ હાનિવૃદ્ધિથી જ સમતુલાસમરૂપતા જળવાઈ રહે છે. આ કારણે દરેક દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાનામાં જ પ્રતિષ્ઠિત થઈને રહે છે. આ અગુરુલઘુ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. જેમ જ્ઞાન ગુણ સર્વગુણોમાં ભળેલ હોવાના કારણે આત્માના બધા ગુણો ચેતનવંતા છે, તેમ આ ગુણ પણ સર્વગુણોમાં વ્યાપીને રહેલ હોવાથી આત્માના બધા ગુણો દેદીપ્યમાન છે, ઝળહળતા છે. તે જ રીતે જ્ઞાન પર્યાય, દર્શન પર્યાય, ચારિત્ર પર્યાય બધામાં આ ગુણ ભળેલો છે. બધામાં રહેલો હોવા છતાં બધા સાથે હળીમળીને રહે છે અને કોઈને ઉપદ્રવ કરતો નથી. પરંતુ બધાંયની સમતુલા સાચવવા પૂર્વક બધાંયને સુસંવાદીત રાખવામાં કારણભૂત બને છે. જગતને શાંતિ આપી શકે તે ગુરૂ સાયા. જગતને શાંતિ અતભાવ બતાડીને આપી શકાશે અને નહિકે દૈતભાવની ઘમાલથી. Page #340 -------------------------------------------------------------------------- ________________ 1166 હૃદય નયન નિહાળે જગધણી આત્માની બધીજ પર્યાયોમાં આ અગુરુલઘુગુણની વ્યાપકતાને કારણે છ પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ પ્રતિ સમયે થાય છે. છતાં પણ તે પોતાના સ્વરૂપમાં જેમ છે તેમ જ રહે છે. તે હાનિ વૃદ્ધિ આ પ્રમાણે છે. ૧) સંખ્યાત ભાગ હાનિ ૨) અસંખ્યાત ભાગ હાનિ ૩) અનંતભાગ હાનિ ૭) સંખ્યાત ગુણ હાનિ ૮) અસંખ્યાત ગુણ હાનિ ૯) અનંતગુણ હાનિ ૪) સંખ્યાત ગુણ વૃદ્ધિ ૫) અસંખ્યાત ગુણ વૃદ્ધિ ૬) અનંતગુણ વૃદ્ધિ ૧૦) સંખ્યાત ભાગ વૃદ્ધિ ૧૧) અસંખ્યાત ભાગ વૃદ્ધિ ૧૨) અનંત ભાગ વૃદ્ધિ પાણીની રેંટમાં, જેમ જે ઘડાઓ ઉપર જાય ત્યારે તેમાં પાણી ભરાય છે અને જે ઘડાઓ નીચે જાય તેમાંથી પાણી ખાલી થાય છે તેમ અહિંયા પણ અસંખ્યાત પ્રદેશમાંથી પ્રત્યેક પ્રદેશે પ્રદેશે અનંતા ગુણો પૈકી પ્રત્યેક ગુણોની પ્રત્યેક પર્યાયોમાં ઉપર બતાવેલ હાનિ વૃદ્ધિ પ્રમાણે પરિણમન થયા કરે છે. કોઇક પ્રદેશે હાનિથી ગુણનું પરિણમન હોય તો કોઇક પ્રદેશે વૃદ્ધિથી તે જ ગુણનું પરિણમન હોય છે. તેમ જ એક સમયે જે પ્રદેશ ઉપર હાનિથી ગુણનું પરિણમન હોય તો બીજા સમયે તે જ પ્રદેશ ઉપર તે જ ગુણનું વૃદ્ધિથી પણ પરિણમન હોય છે. આ અગુરુલઘુગુણ કેવલીગમ્ય છે. તેથી તેનું સંપૂર્ણપણે યથાર્થ વિશ્લેષણ કરવું તો છદ્મસ્થને માટે શક્ય નથી છતાં પણ તેને ઓળખાવવાનો યથા શક્ય પ્રયાસ અત્રે કરાયેલ છે. છ દર્શનોને જાણવા સહેલા છે. તેની અપેક્ષાએ છ દ્રવ્યોને જાણવા કઠિન છે. તેમાં પણ આત્મ દ્રવ્યને જાણવું અતિ કઠિન છે. અને તેમાં પણ આત્માના અનંતગુણોમાંથી આ એક જે અસ્તિત્વથી ત્રિકાળ છે, જેનો કોઈ ગુણ (જાતિ) છે અને ગુણ પ્રમાણેનું જેનું કાર્ય છે; તે દ્રવ્ય છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1167 અગુરુલઘુગુણને જાણવો-ઓળખવો તે સૌથી વધુ કઠિન છે. તે ઓળખાયા પછી કશું જ ઓળખવાનું બાકી રહેતું નથી. અગુરુલઘુગુણ ઓળખાતા આત્માનું સ્વરૂપ ઓળખાઈ જાય છે, તો સાધનાનું સ્વરૂપ પણ ઓળખાઈ જાય છે. સાધનાનો માર્ગ અતિ સરળ બની જાય છે અને ઠેઠ મોક્ષ પ્રાપ્તિ સુધીના બધા જ દરવાજા ખુલી જાય છે. સ્વયં કેવળજ્ઞાની બન્યા સિવાય આ અગુરુલગુણની સત્ય સુસ્પષ્ટ સમજ શક્ય નથી. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન પણ માત્ર રૂપી પદાર્થને જાણી શકવા સમર્થ છે પણ અરૂપીને નહિ. અરૂપીને જાણવાની શક્તિ આ અગુરુલગુણને આધારિત હોય એવી સંભાવના છે. આ ગુણ અત્યંત નિર્મળ, સ્વચ્છ, સ્વયં પ્રકાશિત છે. તેમાં જ્ઞાનાષ્ટિ કરવાથી આત્મા સઘળા દ્રવ્યોને એક સાથે જોઈ તેમજ જાણી શકે છે. પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં બધા દ્રવ્યોની છાયા એક સાથે પડે છે, તેને એક સાથે જોઇ અને જાણી લેવાની ટિશ શક્તિ અને જ્ઞાન શક્તિ આત્મામાં હોવા છતાં, જો આ અગુરુલઘુગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપીને રહેલો ન હોય તો જ્ઞાનરૂપી અરીસો પોતાનામાં પડતી પદાર્થોની છાયાને પકડી શકે નહિ. સંસારી અવસ્થામાં આત્મા કર્મરજથી મલિન થયેલો હોવા છતાંય આ ગુણને લીધે પોતાની હદ-મર્યાદામાં આવેલા પદાર્થોને જ્ઞાનરૂપી દર્પણમાં સ્પષ્ટપણે જોઇ શકે તેટલું ઉજળાપણું કર્મથી મલિન બનેલી અવસ્થામાં પણ ખુલ્લું રહે છે તો પછી સંપૂર્ણ કર્મક્ષય થવાથી આત્માની શક્તિમાં નિષ્કલંકતા પ્રગટ થયે છતે તે સંપૂર્ણ ચૌદ રાજલોકમાં આવેલા સર્વ પદાર્થોને તેના સર્વગુણ-પર્યાયો સહિત અલોકાકાશને એક સમય માત્રમાં, હાથમાં રહેલ આંબળાની જેમ અત્યંત સ્પષ્ટપણે જાણી લે તેમાં આશ્ચર્ય શું છે ? આત્માને દેહ નથી એટલે અરૂપી-વ્યાતીત છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ [1168 , હૃદય નયન નિહાળે જગધણી હતા આ શનગ તેથી તેની છે તે દરેક ગુણો ગુણ પણ ભળે પણ જેવા ઉ કાચ અને પાણી બંને પારદર્શક છે પરંતુ તેઓ પોતાનામાં પડતાં પર પદાર્થના પ્રતિબિંબને છાયા ચિત્રરૂપે અસ્પષ્ટપણે બતાવે છે પણ તે-જ કાચ ઉપર ચાંદી અને સિંદુરનો લેપ લગાડવાથી તે કાચ હવે કાચ મટીને આરીસો બની જાય છે, તેથી પોતાનામાં પડતા પદાર્થના પ્રતિબિંબને સ્પષ્ટપણે ઉપસાવી શકે છે. કારણકે કાચરૂપ દ્રવ્ય હવે કાચ ન રહેતા આરીસો બની ગયો, દ્રવ્ય પલટાઈ ગયું, તેમ આત્માના અનંત ગુણો કે જે દરેકમાં જ્ઞાન ગુણ ભળેલો છે તે માત્ર કાચ કે પાણી જેવા સ્વચ્છ છે તેમ કલ્પી શકાય. તેથી તેનામાં વિશ્વ આખાના પદાર્થોને ઝીલવા સ્વરૂપ પ્રતિબિંબ ગ્રાહકતા નથી પરંતુ તે દરેક ગુણોમાં જ્ઞાનગુણ સાથે અગુરુલઘુગુણ પણ ભળેલો હોવાથી તે બધા ગુણો દર્પણ જેવા ઉજ્જવળ થઈ ગયા એટલે વિશ્વ આખાના પદાર્થો તેના ગુણો અને તેના સૈકાલિક પર્યાયો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપમાં જોવાની-દેખવાની શક્તિ તેમાં આવી ગઈ. ઉપર કહ્યું તેમ જડ એવા કાચમાંથી દર્પણ બનતાં તેનામાં પણ જો શક્તિ પલટાઈ જાય છે, તો પછી વીતરાગ નિર્વિકલ્પ બનવાથી અગુરુલઘુ થયેલા આત્માની અનંત શક્તિનું તો પૂછવું જ શું? માટે આત્માની અનંત શક્તિ-આત્માના અનંત ગુણોનો વિચાર કરી તેમાં જ રમણતા કરવા જેવી છે, એવો આ ગાથાનો સાર છે. સકળ સંસારી આત્માનું યોગવીર્ય તો ચાર પ્રકારની જ હાનિ વૃદ્ધિથી પ્રવર્તે છે; તે આ પ્રમાણે છે. ૧) સંખ્યાત ભાગ વૃદ્ધિ ૫) સંખ્યાત ભાગ હાનિ ૨) અસંખ્યાત ભાગ વૃદ્ધિ ૬) અસંખ્યાત ભાગ હાનિ ૩) સંખ્યાત ગુણ વૃદ્ધિ ૭) સંખ્યાત ગુણ હાનિ આત્મા લોકાલોક (સ્વ-પર) પ્રકાશકરૂપ વ્યાપક છે એટલે ક્ષેત્રતીત છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1169 છે '108 * ૪) અસંખ્યાત ગુણ વૃદ્ધિ ૮) અસંખ્યાત ગુણ હાનિ જ્યારે શુદ્ધ આત્મામાં તો આગળમાં બતાવ્યા પ્રકારે છે પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ એમ બાર ભાવમાં વીર્યનું પરિણમન હોય છે. - આત્માના જ્ઞાનાદિ અનંત ગુણો ભિન્ન ભિન્ન સ્વરૂપે એક જ આત્મદ્રવ્યમાં અગુરુલઘુ ગુણની વર્તનાથી અસંખ્ય પ્રદેશે પદ્ગણ હાનિ વૃદ્ધિથી અભેદરૂપે પ્રવર્તે છે. કારણકે સર્વદ્રવ્યોની સમસ્ત વર્તના એક અગુરુલઘુ ગુણ થકી અભિન્ન હોય છે. આ ગુણને લીધે એક જ દ્રવ્યમાં ભિન્ન ભિન્ન ગુણકાર્યને કરતા અનંતગુણો એક સાંકળની જેમ બંધાયેલા રહે છે તેમજ પદ્ગણ હાનિ વૃદ્ધિથી પ્રવર્તતા અનંતાગુણોનું અભેદ પરિણમન હોવાથી સર્વાત્મ પ્રદેશોથી જોવા-જાણવા રૂપે થતું કાર્ય કે આનંદ વેદન એક સરખું જ અનુભવાય છે-જણાય છે. - સકળ દ્રવ્યોના સઘળાં ગુણો પ્રતિ સમયે પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે. આવી રીતે પોતપોતાની પર્યાયમાં હોવાપણું, રહેવાપણું, વર્તવાપણું તેને વર્તના કહેવાય છે અને તે વર્તનાનો સાધારણ આધાર પોતપોતાનો અગુરુલઘુ ગુણ છે અર્થાત્ આ ગુણ જડ-ચેતન દરેક દ્રવ્યોમાં રહેલો છે તથા આ ગુણને કારણે જ તે તે દ્રવ્યના તે તે ગુણો પરસ્પર હળીમળીને અભેદરૂપે પરિણમી રહ્યા છે. આથી જ કરીને આ અગુરુલઘુ ગુણની સાધારણતાએ અર્થાત્ સાધર્મેતાના કારણે કેવળી ભગવંતો પોતાના અગુરુલઘુ ગુણને જાણતા-દેખતાં થકાં સર્વ દ્રવ્યોના સર્વ ભાવોને જાણે છે અને દેખે છે. - દર્પણ, જળ વગેરે દ્રવ્યોમાં તેની સામે આવેલ અન્ય દ્રવ્યોની પ્રતિછાયા, જેમ આપોઆપ પડે છે તે જ પ્રમાણે અનંત ગુણયુક્ત સર્વજ્ઞ આત્માનું જ્ઞાન કમિક નથી પણ અક્રમિક છે એટલે કાળાતીત છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ 1170 હૃદય નયન નિહાળે જગધણી અને સર્વદર્શી સિદ્ધ ભગવંતોમાં પણ પોતપોતાના અનંત ગુણોની ત્રિવિધ (કરણ, ક્રિયા, કાર્ય સ્વરૂપી) વર્તના પણ એક અગુરુલઘુગુણની વર્તનામાં પરિણામ પામતી હોય છે. આથી સર્વ કેવલી ભગવંતો કેવળજ્ઞાને કરીને પોતાની અનાદિ-અનંત નિત્યતાને પ્રત્યક્ષ સ્વરૂપે જાણતા હોવાથી, તેમના જ્ઞાનમાં જગતના તમામે તમામ જડ-ચેતન દ્રવ્યોના સૈકાલિક પરિણામો પણ જણાતા હોવાથી, તે તમામ જડ-ચેતન દ્રવ્યોનું પણ અનાદિ-અનંત નિત્યપણું જણાવ્યું છે અને આથી જ જગતના સમસ્ત દ્રવ્યોના, વિવિધ . હેતુઓ સહિત પરિણામ પામતાં સમસ્ત પરિણામોને યથાર્થ-અવિરુદ્ધ સ્વરૂપે જણાવ્યા છે. જળ અને દર્પણમાં કોઈ પદાર્થો પ્રવેશ કરતા નથી. તે જ પ્રમાણે, દર્પણ અને જળ પણ કોઈ પદાર્થોમાં પ્રવેશ કરતા નથી, છતાં દર્પણની સામે આવનારા પદાર્થો દર્પણમાં સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે શેયનો જ્ઞાનમાં કે જ્ઞાનનો શેયમાં પ્રવેશ થયા વિના કે સન્મુખ થયા વિના આત્માને પ્રત્યેક પદાર્થનું જ્ઞાન થાય છે. વળી અરીસામાં દેખાતા પોપટ કે ચકલા બીજે ઉડી જાય તો તેથી અરીસાને કોઈ નુકસાન નથી, તેવી જ રીતે જ્ઞાનમાં ભાસતા શેય પદાર્થોનો નાશ થઈ જાય કે અન્ય રૂપે રૂપાંતર-પર્યાયાન્તર થઈ જાય તો તેનાથી આત્માના જ્ઞાન સ્વભાવનો કાંઈ નાશ થઈ શકતો નથી. જળ અને દર્પણમાં પ્રતિબિંબિત થવા માટે પર્દાથનું જળ અને દર્પણની સન્મુખ હોવું જરૂરી છે. એ એકદેશીય દૃષ્ટાંત છે. જ્ઞાનની વિલક્ષણતા અને મહાનતા તો એ છે કે જ્ઞાન સન્મુખ ન હોવા છતાંય સર્વજ્ઞેયો જ્ઞાનમાં દેખાય-જણાય છે. પ્રત્યેક વસ્તુમાં શેયત્વ ગુણ રહેલ છે તેથી જ વસ્તુ જ્ઞાતા સન્મુખ નહિ હોવા છતાં તેની જાણ-તેનું જ્ઞાન શક્ય બને છે. આત્મા માત્ર ભાવ સ્વરૂપ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી - 11/1 સર્વદેશીય તત્ત્વને એકદેશીય દૃષ્ટાંતથી પૂરેપૂરું, સર્વાગી સમજાવી શકાતું નથી. તેથી તેને અનેક દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે અને અનેક વિશેષણોથી નવાજવામાં આવે છે. | સર્વદેશીય તત્ત્વની વીતરાગતા અને નિર્વિકલ્પતા સમજવા માટે દર્પણનું દષ્ટાંત અપાય છે અને “ચિદાદર્શ વિશેષણથી નવાજવામાં આવે છે. પ્રકાશકતા સૂર્ય (આદિત્ય)ના દૃષ્ટાંતથી સમજાવામાં આવે છે અને “ચિદાદિત્યના વિશેષણથી નવાજવામાં-ઓળખાવામાં આવે છે. વ્યાપકતા સમજાવવા આકાશનું દૃષ્ટાંત અપાય છે અને “ચિદાકાશ' વિશેષણથી નવાજવામાં આવે છે. | સર્વદેશીય તત્ત્વની વીતરાગતા, નિર્વિકલ્પતા, પ્રકાશકતા અને વ્યાપકતા પર સાપેક્ષ છે એટલે કે પરક્ષેત્રે પરપ્રતિ હોય છે જ્યારે સ્વક્ષેત્રે તો આનંદવેદન છે અને તેથી જ તે ચૈતન્ય તત્ત્વ છે અને તે છે તો જ વીતરાગતા, વ્યાપકતા, પ્રકાશકતાની કિંમત છે. જીવને સ્વક્ષેત્રે સ્વપ્રતિ પ્રશ્ન વેદનનો છે, જે આનંદ વેદના છે. તેથી જ આત્મા ચિદાદર્શ, ચિદાદિત્ય, ચિદાકાશ હોવા સાથે ચિદાનંદ પણ છે, જે એનું વિધેયાત્મક અનુજીવી વિશેષણ છે. આ ચાર વિશેષણથી આત્માની સર્વતોમુખી સર્વાગી પરિપૂર્ણ સમજ છદ્મસ્થને કંઇક અંશે બુદ્ધિગમ્ય બને છે. - કેવળી ભગવંતો પોતાના દિવ્યજ્ઞાન વડે પર દ્રવ્યોને જાણે છે પણ પરને ગ્રહણ કરતા નથી તેમ જ પરરૂપે પરિણમતા પણ નથી. માત્ર સર્વ શેયોને સર્વાત્મપ્રદેશથી દેખે છે અને જાણે છે, તેમ છતાં પોતાના શુદ્ધસ્વભાવમાં જ પરિણમે છે, જે કેવળી ભગવંતની વીતરાગતાનો ઉદ્યોત કરે છે. * સમ્યકત્વ મોહનીય એટલે દર્શનમોહનીયનો ક્ષયોપશમ. એનો અર્થ એ કે મોહ-પ્રકૃતિ-કર્મ ઉપર જીવની સત્તા. અર્થાત્ નિર્મોહ ભાવે જીવાતું જીવન. Page #346 -------------------------------------------------------------------------- ________________ 1172 હૃદય નયન નિહાળે જગધણી એટલે જ “નિયમસાર’’માં નયની અપેક્ષાએ ભગવાન શ્રી કુંદકુંદ દેવે ફરમાવ્યું છે કે નિશ્ચય નયની અપેક્ષાએ કેવળી ભગવાન સ્વ-આત્માને જાણે છે જ્યારે વ્યવહાર નયની અપેક્ષાએ લોકાલોકના ભાવોને જાણે છે અને દેખે છે. જ્યારે રમણતા તો પોતાના અનંતગુણોમાં જ કરે છે. સર્વદ્રવ્યોમાં સાધારણ પણે અગુરુલઘુ પર્યાય નિરંતર વર્તે છે એટલે સર્વજ્ઞ ભગવંતો પોતાની જ્ઞાનશક્તિથી પોતાનો અગુરુલઘુ પર્યાય જેમ જાણે છે તેમ સર્વ દ્રવ્યોની પણ પ્રત્યેક સમયની ભિન્ન ભિન્ન વર્તનારૂપ અગુરુલઘુ · પર્યાયને પણ જાણે છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગથી પ્રત્યેક સમયની અગુરુલઘુ પર્યાયરૂપ વર્તનાને સામાન્યપણે અને વિશેષપણે જાણે છે. અગુરુલઘુ શબ્દ ત્રણ સ્થાનમાં વપરાય છે ૧) નામકર્મની પ્રત્યેક પ્રકૃતિના આઠ ભેદમાંનો એક ભેદ અગુરુલઘુ છે. ૨) ગોત્ર કર્મ સંબંધી ઉચ્ચગોત્ર નીચગોત્રની વિચારણામાં ગોત્ર કર્મના ક્ષયથી પ્રાપ્ત થતાં ગુણમાં અગુરુલઘુ શબ્દ વપરાય છે ૩) પરના યોગે પરિણામ પામવા સ્વરૂપ તેમ જ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ષડ્ડણહાનિવૃદ્ધિથી પ્રવર્તના રૂપ અગુરુલઘુગુણ. આમ ત્રણ સ્થાનમાં તેનો પ્રયોગ થાય છે. ૧) નામકર્મની પ્રત્યેક પ્રકૃતિના આઠ ભેદમાંના એક ભેદ તરીકે વપરાયેલ અગુરુલઘુ શબ્દ શરીરને-દેહને લાગુ પડે છે. એ કાય પ્રધાન પ્રકૃતિ છે. જે શરીર, હલન-ચલનની પ્રવૃત્તિમાં અનુકૂળ હોય, પછી તે જાડું હોય કે પાતળું હોય તો તે અગુરુલઘુ છે. પુદ્ગલના સ્પર્શગુણના આઠ ભેદોમાં ગુરુલઘુભેદનો, હલકા ભારે પણામાં સમાવેશ નાય છે. ૨) સંસારમાં ગોત્ર કર્મના કારણે ઉચ્ચ નચના ભેદ રહે છે, આ કર્મના કારણે જીવ કીડીના, હાથીના, કૂતરાના ખોળિયામાં આવે છે. સાઘ્ય-પરમાત્મસ્વરૂપ સાથે સંબંઘ સંલગ્ન રાખવાથી મોહનીયનો ક્ષયોપશમ થાય છે. માત્ર સાધન સાથે સંબંધ રાખવાથી અર્થાત્ માત્ર ઘર્મીક્રયાથી મોહનીયનો ક્ષયોપશમ થતો નથી. Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1173 મનુષ્ય યોનિમાં પણ ઊંચા નીચા સ્થાનોમાં આવે છે; તે આ કર્મના ઉદયથી છે. પરંતુ આત્મપ્રદેશોની નાની મોટી દેહાકૃતિને તેમજ ધાતીકર્મના ઉદય કે ક્ષયોપશમથી થતાં ચડ ઉતરના ભાવોને અગુરુલઘુ નહિ કહેવાય. આ ગોત્ર કર્મનો ભેદ સિદ્ધાવસ્થામાં નથી માટે ગોત્ર કર્મના નાશથી સિદ્ધ ભગવંતોને જે અગુરુલઘુગુણ પ્રાપ્ત થાય છે, તે અગુરુલઘુશબ્દનો આધ્યાત્મિક-પારિભાષિક અર્થ છે; જે સમરૂપતા અર્થાત્ સમસ્થિતિ Equilibrium- Equal Status સૂચક છે. ૩) પાંચે અસ્તિકાયો એકક્ષેત્રી હોવા છતાં જડ દ્રવ્ય જડ રહે છે, ચેતન દ્રવ્ય ચેતન રહે છે. તે ઉપરાંત દરેક દ્રવ્યનો જે પરમભાવ છે, (જેમ કે ધર્માસ્તિકાયનો પરમભાવ, જે પુદ્ગલ અને જીવને ગતિમાં સહાયક થવાનો છે; વગેરે) તે પણ એવોને એવો રહે છે તે આ સ્વરૂપ પ્રતિષ્ઠાનું કારણ, સર્વગુણોને સમતોલ રાખવાનું કારણ તેમજ બધા જ ગુણપર્યાયોના આધારભૂત અગુરુલઘુ ગુણ છે. કવિશ્રી આ સ્તવનની સાતમી કડીમાં જે અગુરુલઘુ ગુણનો મહિમા ગાઈ રહ્યા છે; તે આ ત્રીજા પ્રકારના અગુરુલઘુ ગુણ નો મહિમા છે. દરેક પદાર્થ એક જ ભાવમાં નિયત રૂપે રહેતો નથી પણ જુદા જુદા ભાવમાં પરિણમે છે. એ તે તે ભાવરૂપે પરિણામ પામવામાં આ અગુરુલઘુગુણ સહાય કરે છે. આ ગુણ દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપીને રહેલો છે. એનું કાર્ય દરેકને અનુકૂળ વર્તવાનું છે એટલે એ દરેકમાં ભળવા છતાં જ્યાં જાય છે ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી જાય છે; કોઇને પણ ક્યારે પણ પ્રતિકૂળ વર્તતો નથી કે જરા પણ ઉપદ્રવ કરતો નથી. અગુરુલઘુ ગુણની સહાયથી દરેક દ્રવ્યો પોતપોતાની મર્યાદામાં રહીને જુદા જુદા ભાવમાં પરિણમે છે. ઉપકરણ-સાધન સામગ્રીનું આલંબન લઈને અત્યંતર ભાવમાં જવાનું છે-આત્માભિમુખ થવાનું છે. જો અંદર નહિ જઇએ, તો બહાર સાઘનોના ભેદના ઝઘડામાં રહેવાશે. Page #348 -------------------------------------------------------------------------- ________________ 1174 . હૃદય નયન નિહાળે જગધણી દ્રવ્યાર્થિક નયથી દ્રવ્ય ધ્રુવ છે. પર્યાયાર્થિક નયથી દ્રવ્ય પરિણામી છે એટલે કેવળીના પર્યાય પણ પર્યાયાર્થિક નયથી તે તે સમયની યોગ્યતા પ્રમાણે બદલાય છે. યોગ્ય એ દ્રવ્ય છે. એ આધાર છે, જે પ્રદેશપિંડ છે. Proprietor છે. યોગ્યતા એ શક્તિ છે-ગુણ છે. એ દ્રવ્યનું કે વસ્તુનું વસ્તુત 89. Properties 89. યોગ્યતાનું ભવન એ ફળ છે, પર્યાય છે, કાર્ય છે, પરિણમન છે and USISIE 89. Function of Properties 89. પદાર્થમાં થવારૂપે પરિણમન છે જ્યારે કેવળજ્ઞાનમાં જોવારૂપ પરિણમન છે. તમે સામેથી ઉઠીને બીજે બેઠા તો જોવારૂપે પરિણમનનું કાર્ય પણ બદલાય છે. દ્રવ્યોમાં અગુરુલઘુ ગુણ પદ્ગણ હાનિ વૃદ્ધિ રૂપે પ્રવર્તી રહ્યો છે માટે છ દ્રવ્યો વિષયક જ્ઞાનીનું જ્ઞાન પણ પદ્ગણ હાનિવૃદ્ધિરૂપે થશે. દા.ત. ક્ષમાં ગુણ લઈએ કે ક્રોધ દોષ લઈએ તો ભિન્ન ભિન્ન જીવોમાં તેનું તરતમભાવે પરિણમન રહેવાનું. સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતા તો આ પરિણમન અસંખ્યાત ભેદે હોવા છતાં જ્ઞાનીઓ તેને જગતના જીવોને સમજાવવા છે પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ એમ બાર ભાવમાં સમાવે છે. પુદ્ગલ દ્રવ્યમાં પણ કોઈ નાના પત્થરની અપેક્ષાએ મોટા તેનાથી મોટા પત્થરોમાં સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણ પરમાણુઓની અધિકતા હોઈ શકે છે તેમ વિપરીત સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ કે અનંતભાગ પરમાણુઓની ન્યુનતા પણ ઘટી શકે છે. ઘર્મસાધક, વિરોધી માણસને કેમ સહન કરે છે તે ઉપર અધ્યાત્મનો આધાર છે. જો સમતા રાખીએ તો વિરોધી આપણા પાપ ધૂએ છે જ્યારે અવિરોધી આપણા પુણ્યને ટેકો આપે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ - શ્રી પાર્શ્વનાથજી 1175 • આત્માની દૃષ્ટિએ વિચારતાં ચૌદપૂર્વધર જેવા બધાંય મહાપુરુષો શ્રુતજ્ઞાનથી એક સરખા હોય તો પણ મતિજ્ઞાનના ક્ષયોપશમના ઓછાવત્તા પણાથી ત્યાં પણ સ્થાન પતિતપણું બતાવ્યું છે, તરતમતા ઘટાવેલ છે. માત્ર એક જ આકાશ પ્રદેશમાં એક પરમાણુથી માંડીને સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી કે અનંત પ્રદેશી ઢંધો સમાય છે કારણકે અગુરુલઘુ ગુણ આકાશ અને પુદ્ગલ બંનેમાં છે જ્યારે એક નાનામાં નાના નિગોદ જેવો જીવ પણ રહેવા માટે આકાશના અસંખ્યાત પ્રદેશોમાં જ રહી શકે છે પણ તેનાથી ઓછામાં નહિ. તેમાં જીવનું ક્ષેત્ર પરિણમન એ કારણ છે પણ તેમાં આકાશનો કોઈ વાંક નથી. - એક સિદ્ધનો જીવ જેટલા આકાશ પ્રદેશની અવગાહનામાં અરૂપી અને અમૂર્ત રૂપે રહેલ છે બરાબર તેટલા જ આકાશ પ્રદેશમાં અને તે જ આકાશ પ્રદેશમાં અનંત સિદ્ધો અવગાહના લઈ સાદિ અનંતકાળ રહી શકે છે. તેનું કારણ પણ આકાશ અને સિદ્ધના જીવોમાં રહેલ આ અગુરુલઘુગુણ છે. વાત કેવલી ગમ્ય છે પણ શ્રદ્ધાળુને શ્રુતગમ્ય છે. - સિંદ્ધના જીવોના સદશ પર્યાયોના ઉત્પાદ-વ્યય સ્વતઃ છે. સંસારી જીવોના જ્ઞાન પર્યાયના ઉત્પાદ વ્યય સ્વતઃ છે, જ્યારે કર્મજન્ય જન્માદિ પર્યાયો પરતઃ છે. છ એ દ્રવ્યોનું ઉત્પાદ-વ્યય-ધ્રુવ રૂપે પરિણામ પામવું તેં પરિણામિક ભાવ છે. ધૃવત્વ પણ પારિણામિક છે, જીવમાં પારિણામિક ભાવનું પરિણમન મુખ્યત્વે બે પ્રકારે છે. ભવ્યત્વ અને અભવ્યત્વ. આત્માનો દ્રવ્ય પર્યાય એક છે, ગુણ પર્યાયો અનંતા છે. વળી સૈકાલિક હોય તે વ્યંજન પર્યાય કહેવાય અને વર્તમાનકાલીન હોય તે અર્થ પર્યાય કહેવાય. સાવરણ છે એને નિરાવરણ કરવાનું છે એટલે કે અંદર રહેલ તત્ત્વને બહાર લાવવાનું છે. પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે એટલે કે પ્રગટીકરણ કરવાનું છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ 1176 હૃદય નયન નિહાળે જગધણી ગુણોનું પરિણમન અગુરુલઘુભાવે છે. દરેક ગુણ નિત્ય છે માટે તે વ્યંજન પર્યાય છે અને અર્થપર્યાયથી તે અનિત્ય છે. અગુરુલઘુગુણથી નિત્ય છે પર્યાયથી અનિત્ય છે. સર્વ ગુણોમાં અગુરુલઘુગુણના આધારે પદ્ગણ હાનિવૃદ્ધિ થયા કરે છે. અગુરુલઘુગુણ વીર્યને સહાય કરે છે. અગુરુલઘુગુણનું કામ પ્રાપ્ત થયેલા ગુણને તેના તે સ્વરૂપમાં ટકાવી રાખવાનું છે- જારી રાખવાનું છે. ગુણ પ્રાપ્ત કરવાનું કામ જીવનું છે. દ્રવ્યના પર્યાયમાં ફેરફાર થવા છતાં તે તે દ્રવ્યને તે તે સ્વરૂપમાં ટકાવી, રાખનાર અગુરુલઘુગુણ છે. સ્વસ્વભાવને પકડી રાખનાર, સ્વ સ્વભાવમાં સ્થિર રાખનાર અને બીજાના સંબંધમાં આવવા છતાં પણ પોતાના સ્વભાવથી ચલિત નહિ કરનાર અને અય્યત રાખનાર ગુણ અગુરુલઘુગુણ છે. આત્મા દેહપર્યાયથી પાંચ વર્ષનો હોય કે પચ્ચીસ-પચાસ વર્ષનો હોય છતાં પોતાના દેહપ્રમાણ રહે છે એ અગુરુલઘુત્વ છે. તેમાં ફેરફાર થાય છે અને નથી પણ થતો. માણસની બુદ્ધિમાં ફેરફાર થાય છે. પર પ્રત્યયિક ભાવથી તે સ્થૂલ અને સૂક્ષ્મ બની શકે છે. આમ્રવૃક્ષની શાખા ઉપર રહેલ કેરીઓ સૌથી પહેલા મરવા રૂપે નાની હોય છે પછી ધીમે ધીમે મોટી થાય છે ત્યારે શાખાઓ નમે છે પણ કેરીઓ મોટી થવા છતાં તે શાખાઓ ઉપર જ રહે છે. તે કેરીઓ વજનથી લચી પડે છે પણ નીચે નથી પડી જતી; તે અગુરુલઘુગુણને આભારી છે. અગુરુલઘુગુણને કારણે શાખાઓને કેરીનું વજન, વજનરૂપે લાગતું નથી જ્યારે તે જ કેરીઓની જગ્યાએ તેટલા જ વજનના કે તેનાથી અડધા વજનના કાટલા મૂકવામાં આવે તો તે શાખા ઉપર ટકી શકતા નથી. શાખાઓ-ડાળીઓ તૂટી જાય છે. વળી આ ગુણના લીધે જીવને પોતાના માથાનું વજન લાગતું નથી પણ માથા પર ઘડો કે પોટલું મૂક્યું હોય તો એવંભૂત નય એ પરમાત્માનું સ્વરૂપ છે. સાતે નય એ સીડીના પગથિયાં છે. ” સાતે નય કારણ કાર્ય ભાવરૂપ છે. પરમાત્મા માત્ર કાર્યરૂપ છે-કૃતકૃત્ય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1177 - તેનું વજન જરૂરથી લાગે છે. માથું ગરમ પણ થઈ જાય છે જેથી ઘડાને કે પોટલાને થોડીવારમાં ફેરવવું પડે છે. આવા દૃષ્ટાંતથી અગુરુલઘુગુણની કાર્યશીલતા યત્કિંચિત જાણી શકાય છે. પ્રત્યેક વચનયોગ અને મનોયોગમાં કાયયોગ વણાયેલો જ છે. મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કાયયોગથી થતું હોવાથી તે નિશ્ચયનયથી અગુરુલઘુગુણ બધા ગુણોમાં વણાયેલો છે. અને તેથી જ બધા ગુણો પ્રતિસમયે પડ્ઝણ હાનિ વૃદ્ધિ રૂપે પરિણમે છે. બધા દ્રવ્યોમાં અગુરુલઘુગુણ સામાન્ય ભાવે છે. અગુરુલઘુગુણે કરીને આખું જગત અભિન્ન છે. સર્વ દ્રવ્યો શેયભાવથી અભિન્ન છે. પ્રત્યેક સમયના વર્તમાન પર્યાયને જાણવાથી પર્યાયથી અભિન્ન એવું દ્રવ્ય પણ જણાઈ આવે છે. ભગવાન ક્ષાયિકભાવમાં પોતાનું નિત્યત્વ પ્રગટ કરે છે પછી જ બીજા પર્યાયોને જોઈ શકે છે. નો માં ગાબડું સો સળં નાખફા . શંકા જ્ઞાનથી જ જોય જણાય છે અને કેવળજ્ઞાન દ્વારા સર્વ જોયો જણાઈ જાય છે તો પછી કવિશ્રીએ, “અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, - દ્રવ્ય સકલ દેખત” આવી વાત કેમ કરી ? . સમાધાનઃ જ્ઞાનથી જોય જણાય છે એ વાત સાચી છે પણ અગુરુલઘુગુણની સાધમ્મતાના માધ્યમે આખું જગત જાણવું છે તેથી પહેલા આ વાત કરી. વળી શરૂઆતમાં જ જણાવી આવ્યા છીએ કે પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં સકળ દ્રવ્યોને એક સાથે જોવા જાણવાની શક્તિ જ્ઞાનમાં રહેલી છે પણ જો આ અગુરુલઘુગુણ આત્માના અનંતગુણો અને પ્રત્યેક સમયની અનંત અનંત પર્યાયોમાં વ્યાપેલો ન હોય સપ્તભંગી પૂર્ણ તત્ત્વનું લક્ષ્ય કરાવે છે. જ્યારે સાત નય પૂર્ણ તત્ત્વની પ્રાપ્તિ અંગે વિકાસ કરાવીને પૂર્ણતાએ પહોંચાડે છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ 1178 હૃદય નયન નિહાળે જગધણી તો જ્ઞાનરૂપી અરીસો પોતાનામાં પડતી પદાર્થોની છાયાને પકડી શકે નહિ. જ્ઞાનમાં પડતા પદાર્થોના છાયા ચિત્રને સ્પષ્ટપણે ઉપસાવવાનું કામ અગુરુલઘુગુણની સહાય થકી થાય છે. અગુરુલઘુગુણની સહાય થકી જ્ઞાનગુણ તેમજ બીજા અનંતાગુણો ઉજ્જવળતાને ધારણ કરે છે, માટે કવિએ “અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત” એ વાત કરી છે; જે યુક્તિયુક્ત છે, તર્ક સંગત છે તેમજ શાસ્ત્ર પાઠથી પણ સિદ્ધ છે. આત્મામાં જ્ઞાન-દર્શનાદિ જેમ વિશેષ ગુણ છે, તેમ ૧) અસ્તિત્વ, ૨) વસ્તુત્વ, ૩) દ્રવ્યત્વ, ૪) પ્રમેયત્વ (જ્ઞેયત્વ) ૫) અગુરુલઘુત્વ અને ૬) પ્રદેશત્વ એ છ સામાન્ય ગુણો કહેલા છે. સામાન્ય એટલા માટે કહ્યા કે તે જીવમાં રહે છે, તેમ બાકીના પાંચ અજીવ દ્રવ્યમાં પણ રહે છે. તેમાંનો એક અગુરુલઘુગુણ છે કે જેની આપણે અહિંયા વિચારણા કરી રહ્યાં છીએ. ૧) જે ગુણને લીધે દ્રવ્યોનો નાશ ન થાય તે અસ્તિત્વ ગુણ કહેવાય. ૨) જે ગુણને લીધે દ્રવ્યમાં અર્થક્રિયા થયા કરે તે વસ્તુત્વ ગુણ કહેવાય. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમયે પર્યાયો પલટાતા જ હોય છે એટલે પ્રતિસમયે અર્થ ક્રિયા ચાલુ જ હોય છે. દા.ત. ખુરસી પર કોઇ બેસે કે ન બેસે તો પણ તે અવગાહના આપવા રૂપ પોતાનો ગુણધર્મ બજાવી જ રહી છે. જેમાં ગુણ અને પર્યાય વસે છે તેને વસ્તુ કહેવાય. ૩) જેના લીધે ઉત્પાદ-વ્યયરૂપ પ્રવહણ અર્થાત્ દ્રવણ અખંડ પ્રવાહરૂપે દ્રવ્યમાં સતત ચાલ્યા કરે છે, તે પર્યાયત્વ જ દ્રવ્યનું દ્રવ્યત્વ ગુણ છે. II પ્રવૃતિ કૃતિ દ્રવ્ય વેદાંતના સાઘન યતુષ્ટયમાં જે વિવેક છે, તે જ સ્યાદ્વાદ છે. જૈન દર્શને બીજાં બધાંય દર્શનને સાપેક્ષ સત્ય કહેલ છે. ખોટા નથી વ્હેલ, એ લક્ષમાં રાખવા જેવું છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1179 - ૪) જે ગુણને લીધે દ્રવ્ય, જ્ઞાનનો વિષય બને તે પ્રમેયત્વ કહેવાય. ૫) જે ગુણને લીધે એક દ્રવ્ય, બીજા દ્રવ્ય રૂપે ન થાય તેમજ એક દ્રવ્યના ગુણ પર્યાયો અન્ય દ્રવ્યના ગુણ પર્યાય રૂપે ન થાય, પ્રત્યેક દ્રવ્ય પોતાનું અબાધિતપણું-અવ્યાબાધતા, અખંડતા, સંલગ્નતા જાળવી શકે, તે અગુરુલઘુગુણ કહેવાય. વ્યવહારથી જે ઉંચે જાય તે લઘુ, નીચે જાય તે ગુરુ તીરછું જાય તે ગુરુલઘુ અને સર્વત્ર જાય તે અગુરુલઘુ. દા.ત. શબ્દ. એક મણ લાકડાને બાળીએ તો તેની રાખ એક મણ નહિ થાય અને એક મણ કપુરને બાળીએ તો કાંઈ પાછળ રહે જ નહિ કેમકે બધું ધુમાડો થઈને હવામાં ભળી ગયું હોય. આ અગુરુલઘુગુણનું પરિણમન છે. આ અગુરુલઘુગુણ એક માત્ર ગોત્રનામકર્મથી આવરાયેલ એવો આત્માનો નિષેધાત્મક પ્રતિજીવી ગુણ છે, જે ગોત્રકર્મના નાશથી પ્રગટ થાય છે. એ દ્રવ્યને અખંડ, અભંગ, અવ્યય, અય્યત રાખે છે. અગુરુલઘુ પર્યાય સર્વદ્રવ્યોમાં સાધારણપણે નિરંતર વર્તે છે. ) જેના લીધે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ, આત્મા વગેરેને કંઈને કંઈ આકાર હોય છે તે પ્રદેશત્વ ગુણ છે. * ૧) અસ્તિત્વ ગુણની શ્રદ્ધાથી થતા લાભ.. " પ્રત્યેક દ્રવ્યમાં પોતાનો અસ્તિત્વ ગુણ છે એટલે દરેક દ્રવ્યની સત્તા ભિન્ન છે. બે કે વધુ દ્રવ્યો મળીને એક સત્તા થતી નથી, તેમ જ નવા દ્રવ્યો ઉત્પન્ન થઈ તેમની સંખ્યા પણ વધતી નથી. આ સત્તાઅસ્તિત્વ માટે, કોઈ પણ પરદ્રવ્યની સહાયની જરૂર પડતી નથી. સાધનામાં જગત સાથેનો સંબંધ, ત્યાગ અને સહિષ્ણુતા યુક્ત પ્રેમ અને ઉદારતાભર્યો આત્મીય. રાખવાનો છે. જ્યારે અત્યંતરમાં જ્ઞાન-ધ્યાનથી પરમાત્મા સાથે અભેદ સંબંઘ કરવાનો છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ 1180 હૃદય નયન નિહાળે જગધણી લોક સંજ્ઞાએ કરીને અણસમજથી લોકો મનુષ્ય પર્યાયના નાશથી પોતાનો નાશ માની નિરર્થક દુઃખી થાય છે. પ્રત્યેક પર્યાયના નાશ સાથે તે જ સમયે નવા પર્યાયની ઉત્પત્તિ થતી હોય છે અને દ્રવ્ય તો સદેવ જેમ છે તેમ કાયમ રહે છે, તેની જાણ અને શ્રદ્ધા બરાબર થાય; તો મૃત્યુનું દુઃખ, ભય, આકુળતા તેમજ બીજા બધા ભયો નીકળી જાય તેમ છે. એટલું જ નહિ પણ હસવા-રડવામાંથી-હરખ-શોકમાંથી મુક્તિ મળી જાય છે. એ જ જ્ઞાનીની જ્ઞાનદશા છે. જ્ઞાની પુરુષની કૃપાથી પ્રતીતિ થાય છે કે મારું અસ્તિત્વ મારા કારણે જ છે. મને ઉત્પન્ન કરનાર-રક્ષણ કરનાર અને વિનાશં કરનાર બીજું કોઈ જ નથી. હું જ બ્રહ્મા-હું જ વિષ્ણુ અને હું જ મહેશ છું અર્થાત્ હું જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય સ્વરૂપ છું. આ શ્રદ્ધા થવાથી હીનતાદીનતા-ગુલામી-પરાધીનતા-ઓશિયાળાપણું નીકળી જાય છે. સ્વ પ્રતિ સૃષ્ટિ કેન્દ્રિત થવાથી અમર થવાની કળા આત્મસાત્ થાય છે. અજ્ઞાનથી કૈહ સાથેના સંયોગ વિયોગને આપણાં ‘જન્મ-મૃત્યુ’ સમજતા હતા અને એ કલ્પનાથી જ નિરર્થક દુઃખી થતાં હતા. હવે પોતાના આત્માના અસ્તિત્વ ગુણની યથાર્થ સમજથી આ બધાં દુઃખો આપોઆપ દૂર થઈ જાય છે અને હું ‘જ્ઞાયક' જ છું, અનાદિથી હું જ્ઞાયક રૂપે છું છું અને છું જ અને અનંતકાળ રહેવાનો છું; એનું શ્રદ્ધાન તીવ્ર થતાં પરમાત્મા થવાના શ્રીગણેશ મંડાય છે. ટૂંકમાં અસ્તિત્વગુણની શ્રદ્ધાથી મોતનો ભય ટળે છે અને ત્રિકાળવિદ્યમાન અસ્તિત્વ સાથે એકાત્મ થવાની પ્રરેણા મળે છે. અસ્તિત્વ એ આધાર છે-માલિક છે-Proprietor છે. ૨) વસ્તુત્વ ગુણની શ્રદ્ધાથી થતા લાભ... દરેક દ્રવ્યમાં પોતાની ક્રિયા પોતાથી કરવાની શક્તિ હોય છે, તેને અર્થ ક્રિયાકારી સત્ વસ્તુત્વ છે. જે દ્રવ્યનો જે ગુણ હોય તે ભાવ મુજબની સહજ ક્રિયા તે વસ્તુત્વ છે. આપણે આપણા જ્ઞાનને વસ્તુત્વ ધર્મમાં લાવવો તે પુરુષાર્થ છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1181 વસ્તુત્વ ગુણ કહે છે. વસ્તુત્વ ગુણથી દ્રવ્યને વસ્તુ એવું નામ પ્રાપ્ત થાય છે. ગુણપર્યાય જેમાં વસે છે તેને વસ્તુ કહેવાય. વસ્તુત્વ ગુણ જે વસ્તુની Property ગુણધર્મ છે જેનાથી વસ્તુની ઓળખ થાય છે. માટે તેને વસ્તુ કહેવાય છે. દરેક દ્રવ્યનું જે પોતાના ગુણ-પર્યાય અનુસાર પ્રતિસમયે પરિણમન ચાલુ જ રહે છે. આ પરિણમનનું કાર્ય એક ક્ષણ માટે પણ થંભ્યા વિના અનાદિ અનંતકાળથી અવિરતપણે ચાલુ જ છે; તે આ વસ્તુત્વ ગુણના કારણે છે. દરેક ગુણ પોતાનું કાર્ય કરે છે પણ બીજાનું કાર્ય કરતો નથી. જ્ઞાનગુણ શ્રદ્ધાગુણનું કાર્ય કરતો નથી. શ્રદ્ધાળુણ ચારિત્ર ગુણનું કાર્ય કરતો નથી. પ્રત્યેક દ્રવ્ય અને તેના ગુણો પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા કરતા હોય છે માટે કોઈ પણ દ્રવ્ય કે ગુણો નકામા નથી, નિરર્થક નથી. હું આત્મદ્રવ્ય છું અને “જાનન ક્રિયા-જાણવું તે મારું કાર્ય છે, એની બરાબર શ્રદ્ધા થતાં પર દ્રવ્યો અને તેના ભાવો પ્રત્યે કર્તા બુદ્ધિ નીકળી જાય છે અને અનધિકારી ચેષ્ટાનો અંત આવે છે એટલે મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. પર દ્રવ્યોનું પરિણમન' તેના પોતાના કારણે થાય છે એમ જાણવાથી પરદ્રવ્યો પ્રત્યે “રાગ-દ્વેષ' ઉત્પન્ન થતાં નથી અને કર્તુત્વભાવ નીકળી જાય છે અર્થાત્ દ્રવ્યનું દ્રવ્યત્વ-વસ્તુત્વ પોતાના ગુણે-પર્યાયમાં છે. ટૂંકમાં વસ્તુત્વ ગુણ જે વસ્તુની Property-ગુણધર્મ છે જેનાથી વસ્તુની ઓળખ થાય છે. ( ૩) દ્રવ્યત્વ ગુણની શ્રદ્ધાથી લાભ.. દ્રવ્યત્વ એટલે “સ્વભાવમાં દ્રવવું. દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય અખંડ પ્રવાહરૂપે સતત ચાલુ જ રહે છે. પોતાની “અવસ્થા' નિરંતર તીર્થંકર પરમાત્મા તથા સર્વજ્ઞ કેવળીભગવંતો આપણા સાયા માતા પિતા, મિત્ર, બંધુ જ્ઞાનથી અને પ્રેમથી છે. સંસારી માતાપિતા, મિત્ર, બંધુ આદિ તો સાપેક્ષ પ્રેમી છે; જે સ્વાર્થી પણ હોઈ શકે. Page #356 -------------------------------------------------------------------------- ________________ 1182 હૃદય નયન નિહાળે જગધણી બદલવાનો આ ગુણ પ્રત્યેક દ્રવ્યમાં ન હોત તો ‘ફ્રૂટસ્થ’ બનવાનો પ્રસંગ ઉભો થાત. દ્રવ્ય એક જ સ્થિતિમાં કાયમ રહ્યું હોત તો રોગી, રોગી જ રહ્યો હોત ક્યારે પણ નીરોગી થયો ન હોત. સાધકની સંસાર અવસ્થાનો નાશ થઇ સિદ્ધ અવસ્થા થઇ ન હોત, બાળક નાનું જ રહ્યું હોત-જુવાન ન થયું હોત પરંતુ વસ્તુનું એવું સ્વરૂપ નથી. એ સાદિસાન્ત પૂર્વક અનાદિ અનંત છે તેથી જ સાદિ-અનંત સિદ્ધત્વને પામી શકાય છે. પ્રત્યેક દ્રવ્ય અનાદિ અનંત રહીને પણ પોતાની અવસ્થાથી તેં નિરંતર બદલાતું રહે છે, એ દ્રવ્યત્વ ગુણને કારણે થાય છે. બીજા કોઇની પણ પર્યાય, મારા કારણે બદલી શકાતી નથી..‘ આજ સુધી હું બીજા કોઇનો કર્તા-હર્તા છું એવી ‘મિથ્યાબુદ્ધિ’ રાખતો હતો તેનો પણ નાશ થાય છે. ‘અવસ્થા' પૂરતો જ ‘હું' એમ પોતાને માનવાને કારણે દુઃખી થતો હતો પણ અનિત્યતા એટલે બદલાવું તે પર્યાયગત સ્વભાવ છે અને હું અનાદિ અનંત નિત્ય છું-એમ જાણવાથી ‘આકુળતા’ મટી જાય છે. કોઈ પ્રિય વ્યક્તિ કેમ મરી ગઇ ? પહેલા સંપત્તિ હતી, હવે ગરીબી કેમ આવી ? કોઇને અપંગત્વ શા માટે ? આ ઘટના બની જ કેમ ? ઈત્યાદિ વિચારોનું ઘમસાણ મચે છે અને આપણે ચિંતિત થઈ જઇએ છીએ. દ્રવ્યત્વ ગુણને કારણે આ સમયે આ જ પરિણમન જે યોગ્ય હતું તે જ થયું છે એમ સમજાવવાથી મનને શાંતિ મળે છે. દુઃખમાં દીન બનાતું નથી અને સુખમાં લીન થવાતું નથી. દર્શનમોહનીયનું કાર્ય સમ્યગ્ દષ્ટિપાત, બોઘ, સતનું દર્શન, લક્ષ્ય રૂયિ ન થવા દેવાનું છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી મિથ્યાત્વ પર્યાયનો નાશ કરીને સમ્યકત્વ પર્યાય પ્રગટ કરી શકાય છે, તેવી શ્રદ્ધા થાય છે. ટૂંકમાં કૂટસ્થતા, મિથ્યાત્વતા, આકુળતાનો નાશ અને શાંતતા તથા પ્રશાંતતા-સિદ્ધત્વની પ્રાપ્તિ આ દ્રવ્યત્વગુણને આભારી છે. દ્રવ્યત્વ એ Function of Properties છે. ૪) પ્રમેયત્વ ગુણની શ્રદ્ધાનો લાભ. આત્મા પોતાના જ્ઞાન ગુણ દ્વારા પોતાને જાણી શકે છે. પ્રમેયત્વ ગુણથી પોતાના જ્ઞાનમાં આવી શકે છે. આત્મા પોતે સ્વ શેય છે-જ્ઞાયક છે એની યથાર્થ શ્રદ્ધા થવાથી પર શેય પ્રત્યે ઉદાસીનતા સારી રીતે લાવી શકાય છે. ટૂંકમાં પ્રમેયત્વ (જોયત્વ) ગુણના કારણે વસ્તુનું જ્ઞાન શક્ય બને છે. અને જોય જ્ઞાતા સન્મુખ ન હોવા છતાં જણાય છે તે આ શેયત્વ ગુણને આભારી છે. ૫) અગુરુલઘુત્વ ગુણથી થતાં લાભ.. • નિશ્ચયદૃષ્ટિથી પ્રત્યેક આત્મા સત્તા અને શક્તિએ કરીને સમાન છે એટલે કે ઊંચ કે નીચ નથી અથવા તો ચઢિયાતો કે ઊતરતો નથી : “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.” - આમ દરેક આત્મામાં જે “શક્તિ અને યોગ્યતામૂલક સામ્ય કે સમાનપણું રહેલું છે તે ટકાવી રાખનાર “સહજગુણ શક્તિને “અગુરુલઘુત્વ” ગુણ કહેવામાં આવે છે. વ્યવહારનયની દૃષ્ટિએ જે ભવ્યજીવમાં પુરુષાર્થ વર્તે છે, જેને આત્માર્થ વર્તે છે અને જેનામાં ઊંચ-નીચના ભાવોમાં વર્તવાપણું નથી યારિત્રમોહનીયનું કાર્ય સન્ દષ્ટિપાત આવ્યા છતાં, બોઘ થયાં છતાં, વીતરાગ સ્વરૂપે પ્રગટ ન થવા દેવાનું છે. બોઘ થયાં છતાં બુદ્ધ થતાં અટકાવવાનું છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ 1184 ( હૃદય નયન નિહાળે જગધણી એવા સાધકનો અગુરુલઘુગુણ પ્રગટ થતો જાય છે અને ગોત્રકર્મરૂપ આવરણો દૂર થવા માંડે છે. અગુરુલઘુગુણના કારણે જ આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એકપણ પ્રદેશની વધઘટ થતી નથી. દેહ કુંજરનો મળે કે કીડીનો, આત્મપ્રદેશની સંખ્યા સદા, સર્વત્ર એક સરખી અસંખ્યાત જ રહે છે. જીવ જ્યારે નિગોદની અવ્યવહાર રાશિમાંથી, કોઈ એક સિદ્ધાત્માની કૃપાએ કરીને બહાર આવે છે ત્યારે પોતાના-જ અસંખ્યાત આત્મ પ્રદેશના ” આત્મપિંડને લઈને બહાર વ્યવહાર રાશિમાં આવે છે. એમાં એક પણ આત્મપ્રદેશ ઓછો કે વધારે હોતો નથી તે આ અગુરુલઘુગુણનું કાર્ય છે. ટુંકમાં અગુરુલઘુગુણના કારણે આત્મપ્રદેશોની અખંડતા, અભંગતા. અને સંલગ્નતા છે. ૬) પ્રદેશત્વ ગુણથી થતા લાભ.. પ્રત્યેક દ્રવ્યને કોઈને કોઈ આકાર હોય જ છે. પ્રત્યેક દ્રવ્યનો આકાર તેના પોતાના “પ્રદેશત્વ ગુણને લીધે બને છે, કોઈ પણ પર દ્રવ્ય’ તે આકારનો “કર્તા હોઇ શકતો નથી. પુદ્ગલ દ્રવ્યનો આકાર “મૂર્તિક છે અન્ય પાંચ દ્રવ્યોનો આકાર અમૂર્તિક (અરૂપી) છે. આત્મદ્રવ્યના આકારમાં સંકોચ વિસ્તાર થાય તો પણ તેના અસંખ્યાત પ્રદેશ કાયમ રહે છે. તેમાં વધઘટ થતી નથી તેની સંલગ્નતા-અખંડતાનો પણ ભંગ થતો નથી. ટૂંકમાં પ્રત્યેક દ્રવ્યનો આકાર નિગોદમાં કે સિદ્ધાવસ્થામાં સ્વ વૈયક્તિતા-Self Identification છે, તે આ પ્રદેશત્વગુણને આભારી છે. આ બધી દાર્શનિક ચર્ચાવિચારણાનો સાર એ છે કે આત્મા સર્વજ્ઞ છે અને તેની સર્વજ્ઞતાનું કારણ પ્રત્યેક દ્રવ્યમાં સામાન્યપણે રહેલ મનનું સુખ અને દુઃખ એ રતિ-અરતિ છે, જે મોહનીયકર્મ છે. જ્યારે તન અને ? ઈન્દ્રિયોનું સુખ એ શાતા વેદનીયકર્મ છે અને તન અને ઇન્દ્રિયોનું દુઃખ એ અશાતા વેદનીયકર્મ છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1185 છે '4િ5 અગુરુલઘુગુણનું પ્રાગટ્ય છે. એ ગુણ તો પોતાના આત્માનો જ છે, જે અન્ય દ્રવ્યોમાં પણ રહેલ છે. એ નિજગુણ પ્રાપ્ત થતાં તે ગુણના વેદનમાં અર્થાત્ તે ગુણના પ્રકાશમાં અન્ય દ્રવ્યનો પણ જે સમાનધર્મ અગુરુલઘુ છે તે દેખાતા સર્વ શેયોનું જાણંગાણું થઈ જાય છે. એક દેશીય દૃષ્ટાંત આપતાં બતાવે છે કે જેમ જલમાં અને દર્પણમાં નિર્મળતા અને સ્થિરતા આવવાથી બિંબનું પ્રતિબિંબ પડી જાય છે તેમ વીતરાગતા, સ્થિરતા, નિર્વિકલ્પતા આવવાથી આત્માના અગુરુલઘુગુણમાં અન્ય દ્રવ્યોના અગુરુલઘુગુણ દેખાતા સર્વ શેયોનું જાણંગપણું સહજ જ આવી જાય છે. સ્તવનની સાતમી કડીનો આ અર્ક છે-નિચોડ છે. ' શ્રી પારસજિન પારસરસ સમો, પણ ઈહાં પારસ નાંહી, સુજ્ઞાની પૂરણ રસીયો હો નિજગુણ પરસનો, આનંદઘન મુજ માંહી.. સુજ્ઞાની.૮ અર્થ શ્રી પાર્થપ્રભુ પારસમણિ જેવા હોવા છતાં મોક્ષમાર્ગમાં તે પારસ નથી. પાર્થપ્રભુ જગતને તારવામાં નિમિત્તકારણ બનતા હોવા છતાં તેમનામાં કારકતા નથી. પૂર્ણ રસથી ભરપુર, પોતાના ગુણોમાં પ્રસન્ન • અર્થાત નિમગ્ન એવા આનંદઘન તો મારામાં જ રહેલા છે. અર્થાત્ આનંદના ઘન સમાન ઐશ્વર્ય તો મારામાં જ રહેલું છે માટે મારે બહારમાં ક્યાંય જવાની જરૂર નથી. વિવેચનઃ પારસમણિના સ્પર્શથી લોઢું જેમ સોનું બને છે તેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ બતાવેલા માર્ગને સમજી તેમને ભક્તિ-ભાવપૂર્વક વંદન કરતો આત્મા સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કરી મોક્ષના શાશ્વત સુખને મેળવવાવાળો થાય છે. ક્ષણભંગુરતા-અનિત્યતા-ક્રમિકતાનો જે ત્યાગ કરે, તેને વિવેકજ્ઞાન ઉત્પન્ન થાય, અક્રમિક બને અને નિત્યતાને પ્રાપ્ત કરે. Page #360 -------------------------------------------------------------------------- ________________ 1186 હૃદય નયન નિહાળે જગધણી પરંતુ અત્રે કવિરાજે તો તે પારસમણિના સ્પર્શથી આત્મશુદ્ધિનો માર્ગ ન બતાવતાં, નિમિત્ત કારણની સાર્થકતા જે થકી થાય છે તે ઉપાદાન કારણની વિશેષતા સમજાવી છે કેમકે, જેઓ પૂર્ણ પરમાનંદી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના શુદ્ધ-અનંત-અક્ષય સ્વગુણ પર્યાય પરિણમનને યથાર્થ અવિરુદ્ધ સ્વરૂપે જાણીને તે પ્રાપ્ત કરવાના ધ્યેયપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરે છે તેઓ નિશ્ચયે પોતામાં સત્તાગતે રહેલા ચિન-આનંદઘનનો આવિર્ભાવે અનુભવ કરવાવાળા થાય છે... વ્યવહારમાં આપણે જ્ઞાન મેળવીએ છીએ એવો પ્રયોગ કરીએ છીએ પરંતુ વાસ્તવિકતા તો એ છે કે જ્ઞાન-કેવળજ્ઞાન તો અંતરમાં સત્તાગત રહેલું જ છે. વળી પાછું તે બધાંમાં સરખું જ રહેલું છે. એ સત્તાગત કેવળજ્ઞાન ઉપર કર્મના આવરણો છવાઈ ગયા છે. હવે જે આપણી જ્ઞાન મેળવવાની ક્રિયા છે, તે જ્ઞાન મેળવવાની હિ પણ જ્ઞાન ઉપરના આવરણ હઠાવવાની છે અર્થાત્ અજ્ઞાનને ટાળવાની ક્રિયા છે-જ્ઞાનાવરણીય કર્મને હઠાવવાની ક્રિયા છે. જેમ જેમ જ્ઞાન ઉપરના આવરણ હઠતા જાય તેમ તેમ જ્ઞાન, પ્રગટ થતું જાય. આવરણ પૂર્ણપણે હઠી જાય તો પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટે. પ્રત્યેક વ્યક્તિનું સત્તાગત જ્ઞાન એક સરખું હોવા છતાં જ્ઞાન ઉપરના આવરણો જુદા જુદા છે. તેથી જ વક્તાનું જ્ઞાન બધા જ શ્રોતાઓને એક સાથે, એક સમયે, એકજ ક્ષેત્રમાં સરખું મળતું હોવા છતાં પ્રત્યેકને જુદું જુદું પરિણમે છે કારણ કે પ્રત્યેકના આવરણ જુદા જુદા છે, તેને દૂર થવામાં તરતમતા રહે છે અને તેથી જ ક્યારેક વિધિવત્ જ્ઞાન સંપાદન કર્યા વિના ભક્તિયોગથી કે ગુરુકૃપાદિ બીજા યોગ સંયોગને કારણે જીવમાં શુદ્ધિ થઈ જાય તો આવરણ આપોઆપ આત્માના સુખનો અનુભવ કાયક્રિયાથી નહિ થાય પરંતુ વૃત્તિથી થાય. સ્વરૂપ લક્ષ્ય કરીને વૃત્તિક્રિયા કરીને આવરણ હઠાવવાનું છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1187 હઠી જાય છે અને ભીતરના તિરોહિત જ્ઞાનના આવિર્ભાવ થઈ જાય છે. તે પણ એટલા સુધીનો કે ભલભલા પંડિતો અને શાસ્ત્રજ્ઞોને પણ તે આશ્ચર્ય મુગ્ધ કરી દે તેવો હોય છે. પુસ્તકિયું જ્ઞાન હવાડાના પાણી જેવું છે. સાધના દ્વારા કે ગુરુકૃપા દ્વારા વિશુદ્ધિથી પ્રગટ થયેલું જ્ઞાન એ જલધર-પાતાળ કૂવામાંથી ફૂટતી સેર જેવું છે-કદી ન ખૂટે તેવી સરવાણી જેવું છે. નિજ ગુણ પોતામાં જ રહેલાં છે. બહારથી તેને મેળવવાના નથી પણ અંતરમાંથી જ તેને બહાર લાવવાના છે એટલે કે ઉજાગર કરવાના છે. એ નિજગુણની પરસના-સ્પર્શના થાય તો તેમાંથી ગુણસુખ મળે તેમ છે અને તો સ્વગુણ પ્રસન્નતા આવે. અને એ પ્રગટ થયેલી પ્રસન્નતા વળી પાછા એ જ ગુણના રસીયા બનાવે અને પૂર્ણરસ મેળવવા પ્રેરીત કરે; તેથી ગુણો પૂર્ણપણે વિકસે એટલે કે પ્રગટે. પરિણામે પોતે પોતાને ‘ચિદ્દનઆનંદઘન’રૂપે અનુભવે. પોતાનામાં જ આનંદઘનતા-પારસતા રહેલી છે, જેની ફરસનાસ્પર્શના આપણે કરવાની છે કે જેવી સ્પર્શના પાર્શ્વપ્રભુએ કરી છે કે જેઓ ચૈતન્યપુંજ પારસમણિ છે. ઉપાદાન, નિમિત્તનું જે ભાવે અવલંબન લે, તે ભાવે કાર્ય થાય છે. અત્યાર સુધી શ્રી અરિહંતપ્રભુ આપણને અનંતી વાર મળ્યા પણ આપણું ઉપાદાન અશુદ્ધ હોવાથી તેમનો ઉપયોગ ભૌતિક સ્વાર્થ સાધવા માટે કર્યો તેથી આધ્યાત્મિક સફળતા ન મળી. સાધક પરમાત્મા થવાના લક્ષે પ્રભુનું આલંબન લે તો પોતાના આનંદઘન સ્વરૂપને માણી શકે છે. મોક્ષ એટલે ત્યાગ ! આઠ કર્મ અને શરીરનો ત્યાગ ! જ્યારે સંસાર એટલે આઠ કર્મ અને દેહનું ગ્રહણ. Page #362 -------------------------------------------------------------------------- ________________ હૃદય નયન નિહાળે જગધણી ભીતરની ચૈતન્યની જાગૃતિ એ ઉપાદાન છે. આ જગત ભ્રાંતિ સ્વરૂપ છે. ભ્રાંતિને ભ્રાંતિ સ્વરૂપે જાણે ત્યારથી ઉપાદાનની શરૂઆત થાય છે. આત્મા એટલે સંપૂર્ણ જાગૃતિ અને ઉપાદાન એટલે જેટલી જાગૃતિ એણે ઉત્પન્ન કરી છે તે. અર્થાત્ આત્મજાગૃતિનું પ્રમાણ. આત્મજાગૃતિના પ્રમાણને દર્શાવતું બેરોમીટર-તે પ્રમાણ. 1188 ઉપાદાન એ આત્મા નથી પણ આત્મા પ્રાપ્ત કરવા કયા લેવલે આવ્યો છે તે સ્થાન-તે જગ્યા એ ઉપાદાન છે. ઉપાદાન એટલે એના પહેલાના જ્ઞાનનો ભંડોળ એટલે કે અનુભવનો ભંડોળ, જ્ઞાન-દર્શન એ અનુભવ ના કહેવાય પણ જ્ઞાન-દર્શનનું જે ફળ આવે તે અનુભવ છે. ઉપાદાન એટલે અનંત અવતારથી ભટકતાં-ભટકતાં ભેગો કરેલો જાત અનુભવ. અત્યારે ઉપાદાનનું પ્રમાણ ખોળવું હોય તો અહીં જેની જેટલી કોઠાસૂઝ પડેલી છે તે તેનું ઉપાદાન કહેવાય. કોઈ ગુસ્સો કરે તો ય પોતે સમતા રાખે એ ઉપાદાનનો પ્રતાપ છે. જ્યાં લડવાના વિચારો આવી શકે છે ત્યાં સમતા રાખે છે એટલે આ ઉપાદાન, એની પાસે સમતા રાખવાનું સાધન છે, એ પોતાની મિલ્કત છે એટલે આ જાગૃતિ એ પોતાની સત્તા છે. અનંત અવતારથી ભટકતાં ભટકતાં ભેગી થયેલી જાગૃતિની સિલક એનું નામ ઉપાદાન અને એ ઉપાદાન-સિલક પૂરી થઇ જાય-Complete થઇ જાય એટલે તે આત્મા થઇ ગયો. ઉપાદાન નામની જે શક્તિ ઊભી થાય છે તે Full-Perfect-પૂર્ણ થાય ત્યારે તે શુદ્ધાત્મા-પરમાત્મા થઇ જાય. ઉપાદાન અને નિમિત્ત બે ભેગા થાય ત્યારે જ કાર્ય થાય છે માટે બંનેની જરૂર છે. તેથી નિમિત્તને ઉડાડવું એ ભયંકર ગુનો છે. જ્યાં આખો સંસાર નિમિત્ત-નૈમિત્તિક ભાવે અનુભવાઈ રહ્યો છે ત્યાં નિમિત્ત મોક્ષ તત્ત્વની પ્રાપ્તિ એટલે ત્યાગ-વિરાણ-સંવર-નિર્જરા. એ મોક્ષપ્રાપ્તિની નિષઘાત્મક સાધના છે. જ્યારે વિધેયાત્મકસાઘના એટલે સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું ધ્યાન. Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 1189 ન કાંઇ કરતું નથી એમ બોલાય નહિ તેમ નિમિત્ત જ બધું કરે છે ઉપાદાનને કાંઈ કરવાની જરૂર નથી એમ પણ ન બોલાય. અધ્યાત્મના માર્ગમાં કે સંસારના માર્ગમાં નિમિત્તને વખોડવાનું નથી તેમ નિમિત્તને પંપાળવાનું પણ નથી માત્ર નિમિત્તનો સદુપયોગ કરી જાગૃતિ વધારતાં જવાનું છે. નિમિત્તમાં કારકતા ભલે ન હોય પણ કારણતા તો અવશ્ય છે જ! નિમિત્ત કાંઈ કરતું નથી કે અકિંચિત્કર છે, તે એક પડખાનું સત્ય છે. બીજે પડખે એ પણ નક્કર સત્ય-નકરી વાસ્તવિકતા છે કે નિમિત્ત વગર કાંઈ થતું નથી. એવા નિમિત્તને સામેથી મેળવવા જવું એ પુરુષાર્થ છે અને એવું નિમિત્ત અનાયાસે આવી મળવું એ ભવિતવ્યતા અર્થાત્ ક્રમબદ્ધ પર્યાય છે. આપણી ભવિતવ્યતા એટલે કે હવે પછીનો પર્યાય શું છે તે જાણતા નથી તેથી હાથ જોડીને બેસી રહી પુરુષાર્થ ન કરવો તે નિષ્ક્રિયતા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી. દરેક દ્રવ્યો સ્વંતત્રપણે પરિણમી રહ્યા છે. આવા શાસ્ત્રના વચનો લઈ નિમિત્ત ઉપાદાનને કાંઇ કરતું નથી.એમ ના કહેવાય. ભગવાન કુંદકુંદાચાર્યે સમયસારમાં ઉપાદાનનું મહત્વ આંક્યું છે પણ તેનું અર્થઘટન ખોટું ચાલી રહ્યું છે. તેમનું એમ કહેવું છે કે નિમિત્ત તરીકે તમને શાસ્ત્રો મળશે, તીર્થંકરો મળશે, શાન મળશે પણ તમારું ઉપાદાન જાગૃત નહિ હોય તો કામ નહિ થાય. એટલે જ્ઞાની પુરુષ જેવું ભવ્ય, અનન્ય ઉપકારક નિમિત્ત મળે તે પહેલાં તમારું ઉપાદાન-જાગૃતિ કેળવી લો ! જેમ ખેડૂત વરસાદ આવતાં પહેલા જમીનને હળથી ખેડે છે-ફળદ્રુપ બનાવે છે, તેમાં વાવણી કરીને તૈયાર રાખે છે, તો વરસાદ વરસતાં તેમાંથી ધાન્ય ઊગી નીકળે છે. શાસ્ત્રોમાં ઉપાદાનની મહત્તા બતાવનારા જેમ વચન પ્રયોગ જ્ઞાન ગુણને ઘારણ કરે તે વ્યજ્ઞાની, જ્યારે જ્ઞાનને ભાવમાં પરિણામાવે અર્થાત્ મોહનીયકર્મનો ક્ષયોપશમ કરે તે ભાવજ્ઞાની ! Page #364 -------------------------------------------------------------------------- ________________ 1190 , હૃદય નયન નિહાળે જગધણી જોવા મળે છે તેમ નિમિત્તની મહત્તા બતાવનારા વચન પ્રયોગો તો તેનાથી અધિક મળે છે. નિમિત્તોની પાછળ કેવળ ભમ્યા કરતો હોય અને ઉપાદાનને જાગૃત ન રાખતો હોય ત્યારે શાસ્ત્રો ઉપાદાન કેળવવા ઘણા વચન પ્રયોગ કરે કે ઉપાદાનની જરૂર પડશે-ઉપાદાનની જરૂર પડશે ત્યારે કોઈ એવો અર્થ પકડી લે કે નિમિત્તની જરૂર નથી ઉપાદાનની જ જરૂર છે તો તે વ્યાજબી વાત નથી. સાધકે સંદર્ભને આધીન સત્ય સમજવું જોઈએ. માણસને એનું નિસર્ગ ઉપાદાન હોય તો નિમિત્તની જરૂર નથી એમ કહેવાય પણ એવું તો છે નહિ. તીર્થકરોનું ઉપાદાન પણ નિસર્ગથી નથી. એ પણ ઘણું અથડાય, કુટાય, ઊંચી નીચી ગતિઓમાં જાય પછી. જ આગળ વધે છે. નિસર્ગ ઉપાદાન એટલે ક્યારે પણ કોઈપણ ભવમાં કોઈ ભોમિયો-માર્ગદર્શક મળ્યો ન હોય અને જાગૃતિ આવી ગઈ હોય. જ્યાં સુધી ઉપાદાન છે ત્યાં સુધી નિમિત્ત છે અને તે ઉપકારી છે. ઉપાદાન તરફ દૃષ્ટિ રાખીને જોશો તો તમને નિમિત્ત કાંઈ કરતુ નહિ દેખાય અને નિમિત્ત તરફ દૃષ્ટિ રાખીને જોશો તો તે તમને ઘણું કરતું દેખાશે. આ તો દૃષ્ટિ દૃષ્ટિનો ફેર છે. જ્યારે ઉપાદાન શુદ્ધાત્માપરમાત્મા બને છે, પછી ત્યાં નિમિત્ત રહેતું નથી. પછી નિમિત્ત એ નિકાલી બાબત બની રહે છે. નિમિત્ત એકલું કાંઈ જ કરી શકતું નથી તેમ ઉપાદાન પોતે એકલું કાંઈ કરી શકતું નથી. માટે જ ઉપાદાન વિશે કહ્યું કે ઉપાદાન જાગૃત હશે તો નિમિત્ત ફળશે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એ વાત તો અમને માન્ય છે પણ નિમિત્ત અને ઉપાદાન એ બન્ને કેવળજ્ઞાન પરવ્ય અનૈમિત્તિક છે, પૂર્ણ છે. જ્યારે મતિજ્ઞાન આદિ યારે જ્ઞાન પદ્રવ્ય નૈમિત્તિક છે. કારણ કર્મ આવરણ છે અને તેથી અપૂર્ણ છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1191. ભિન્ન સ્વભાવવાળા દ્રવ્ય છે એ વાત ખોટી છે. ઉપાદાન પણ ગુરુલઘુસ્વભાવવાળું છે અને નિમિત્ત પણ ગુરુલઘુસ્વભાવવાળું છે જ્યારે આત્મા અગુરુલઘુ સ્વભાવવાળો છે. દરેક દ્રવ્ય પોતાની પરમ શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. ત્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ આપતું પણ નથી અને બીજા દ્રવ્ય પાસેથી કાંઈ લેતું પણ નથી. શુદ્ધ ચેતન દ્રવ્ય અને શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય બને જુદા જ છે. એ બંને પોતપોતાના સ્વભાવમાં જ કામ કરે છે. કોઈ વિભાવનું કામ કરતું નથી. દ્રવ્યોનો સ્વભાવ તો આવો જ હોય છે પણ મનુષ્યો કે તેના ઉપલક્ષણથી બધા જ સંસારી જીવો એ દ્રવ્યનું વિકૃત સ્વરૂપ છે એટલે કે શુદ્ધ ચેતન પણ નથી અને શુદ્ધ પુદ્ગલ પણ નથી પણ બંનેના સંયોગથી થયેલ વિકૃત દ્રવ્ય છે. મનુષ્ય દેહ સ્વાભાવિક પુદ્ગલ પણ નથી કારણકે ચેતન સાથે પુદ્ગલ ક્ષીરનીરન્યાયે મળ્યું છે. માટે મનુષ્ય શરીરને કાયયોગ, સચિત્ત સ્કંધ વગેરેની ઉપમા મળે છે. જે ખાલી સ્વાભાવિક પુલ નથી પણ ઉપદેશ, જ્ઞાની પુરુષના હાવ-ભાવ, તત્વનું ચિંતન એ બધું વૈભાવિક-વિકૃત પુગલ જ છે કારણકે તેમાં ચેતન દ્રવ્ય અને પુલનો સંયોગ ભળેલો જ છે. તો વિકૃત પુદ્ગલ પોતે વિકૃત પુલનું કાંઈ કરે તો તેમાં ખોટું શું છે? વર્તમાનકાલીન આપણી આ અવસ્થા પણ કર્મના ઉદયને પામીને જ થઈ છે ને? વિકૃતતા કરે છે પણ વિભાવભાવને પામેલ પુલ અને વિકૃતતા મટાડે છે પણ તેવું જ પુગલ. માત્ર વિકૃતતા મટાડવા જ્ઞાનીપુરુષના નિમિત્ત રૂપ વિશિષ્ટ આલંબન જોઈએ, જે મળતાં વિકૃત પુદ્ગલ પોતાની વિકૃતતાને છોડીને ચૈતન્યથી છુટું પડી જાય છે. શરીર બંધન નથી. પરંતુ શરીર વિષે જે “હું પણું છે તે જ બંધનરૂપ છે. દોરડું બંધનરૂપ નથી પણ દોરડાની જે વીંટ (આંટા) છે અને ગાંઠો પડી છે તે જ બંધનરૂપ છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ 1192 , હૃદય નયન નિહાળે જગધણી નિમિત્તની અસર ઉપાદાન ઉપર થાય છે માટે જ જ્ઞાની પુરુષો સત્સંગ સેવન ઉપર આટલો બધો ભાર મૂકે છે અર્થાત્ તેના અનિવાર્યપણાને જણાવે છે. તરવાના સઘળા નિમિત્તોમાં સત્સંગને બળવાન નિમિત્ત ગણાવે છે. દ્રવ્યો પોતાની શુદ્ધ અવસ્થામાં કાંઈ જ કરતા નથી અને પોતાનામાં જ રહે છે માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી એમ કહેવામાં આવ્યું છે પણ નિમિત્ત, ઉપાદાનને કાંઈ કરી શકતું નથી એવું લખવામાં આવ્યું નથી. બાકી પોતાની સમજણ ફેરથી કાંઈ દુનિયા ચાલે નહિ. નિશ્ચય દૃષ્ટિથી બધા જ દ્રવ્યો સંકોત્કીર્ણ છે, પોતપોતાના સ્વભાવમાં છે. નિશ્ચય દૃષ્ટિથી કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં એકાકાર થાય નહિ. જો થાય તો એનો સ્વભાવ બદલાઈ જાય પણ એવું થતું નથી. વીંટીમાં સોનું અને તાંબુ બે ભેગા થયેલા છે. છતાં સોનુ તાંબાને કાંઈ કરી શકતું નથી અને તાંબુ સોનાને કાંઈ કરી શકતું નથી. એ બે છૂટાં પાડી શકાય તેમ છે પણ તે એમને એમ જુદા પડી શકે નહિ. તેને જુદા પાડનાર સાયન્ટિસ્ટ જોઈએ. તેમ દેહ અને આત્મા એક ક્ષેત્રે આવી મળ્યા છે. એકમેક થયા છે પણ એકરૂપ નથી થયાં. તેને જુદા પાડનાર આત્મજ્ઞાની કે પરમજ્ઞાની સ્વરૂપ સાયન્ટિસ્ટ જોઈએ-વીતરાગ વિજ્ઞાન અને તેનો પ્રયોગ જોઈએ. જ્ઞાની separator છે જે I (હું) ને My (મારા) થી separate કરે છે. નિમિત્ત એટલે હું કાંઈ તમને આપતો નથી કે લેતો નથી પણ તમારામાં જ રહેલું તમને તમારું જ દેખાડું છું. નિમિત્ત તો માત્ર માર્ગદર્શક છે, પ્રેરક છે, કારક નથી અને તેથી કર્તા પણ નથી. નિમિત્તની હાજરીમાં નિમિત્ત ઉપરના આદર-બહુમાનથી ઉપાદાનની આત્મા આત્માનો ભાવ કરે તે ઘર્મ. આત્મા આત્માના ભાવ ન કરે તે અધર્મ. Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી , 1193 જાગૃતિ એકદમ વધી જાય છે. જેમ પોતે દરિદ્રી હોય પણ કોઈ રાજાની ઓળખાણવાળો હોય તો કામ થઈ જાય છે ને? ચંડકૌશિકનું ઉપાદાન કેવું હતું છતાં છદ્મસ્થ અવસ્થામાં રહેલા એવા પણ ભગવાન મળતાં કેવું કામ થઈ ગયું ને?! ઉપાદાનને સાહિત્યની ભાષામાં ઉrasping Power-પ્રજ્ઞાપનીયતાcatching capacity કહેવાય છે. ઉપાદાન એટલે ગ્રામ્પીંગ પાવરની જાગૃતિ. ગ્રહણશક્તિ વિકસિત થઈ હોય તો નિમિત્તને ઝીલી શકાય. નિમિત્ત ઉપરી પણ હોતા નથી, અંડર હેન્ડ પણ નહિ, નિમિત્ત એટલે નિમિત્ત. તેના માટે બીજુ કશું જ બોલાય નહિ એ catalytic Agentઉદ્દીપકનું કામ કરે છે. આ આખો સંસાર ભ્રાંતિથી ચાલે છે-ચાલી રહ્યો છે, તે ભ્રાંતિને ઉડાડી આત્મ સ્વરૂપની શ્રદ્ધા કરી આગળ વધવાનું છે. જ્ઞાનીપુરુષ જ્ઞાન આપે છે, આત્માનું સચોટ લક્ષ્ય બેસાડે છે એટલે તેમની હાજરીમાં પુદ્ગલનું જોર એકદમ ઓછું થઈ જાય છે. એક વખત આત્માનું સચોટ લક્ષ્ય બેસી ગયા પછી જ્ઞાની પુરુષની ગેરહાજરીમાં પુદ્ગલનું જોર વધે - તો પણ આત્માનું લક્ષ્ય બેસેલું હોવાના કારણે પુલ ઝપાટાબંધ ઓગળી જાય છે. ભ્રાંતિ એ પણ એક પ્રકારની વિપરીત શ્રદ્ધા જ છે. એક સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે બોલો વિદ્યાર્થીઓ ભ્રાંતિ અને શ્રદ્ધામાં શું ફેર છે તે તમે જાણો છો? શિક્ષકને એમ હતું કે આનો જવાબ કોઈ આપી શકશે નહિ પણ એક વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ! હું ભ્રાંતિ અને શ્રદ્ધાના તફાવતને બરાબર સમજ્યો છું. ઘર્મ (વસ્તુ સ્વભાવ) એ જીવનું લક્ષણ છે. જીવના એ લક્ષણની જે વિકૃતિ થઈ છે તે અધર્મ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ 1194 હૃદય નયન નિહાળે જગધણી તમે જે અમને શીખવી રહ્યા છો અને તેના કારણે અમે માનીએ છીએ કે અમે બરાબર સમજ્યા છીએ તે અમારી તમારા તરફની શ્રદ્ધા છે જ્યારે તમે જેમ એ માનો છો કે હું જે ભણાવું છું તે મારા વિદ્યાર્થીઓ બરાબર સમજી ગયા છે તે તમારી ભ્રાંતિ છે. અર્થાત્ તમે ભ્રાંતિમાં છો, તમારે તેને દૂર કરવાની જરૂર છે. દર્પણમાંની ચકલીને સાચી માની જીવંત ચકલી ચાંચ મારે છે, તે જેમ ચકલીની ભ્રાંતિ છે, તેવી સંસારીઓની સંસારની ભ્રાંતિ છે. શ્રદ્ધેયમાં શ્રદ્ધા થાય તો ભ્રાંતિ જાય. પ્રકૃતિનો હિસાબ ચૂકવવાથી સંસારનો અંત આવે છે. તે માટે આપણે કશું જ કરવાનું નથી માત્ર કર્તાભાવથી ખાલી થઇ જવાનું છે એટલે એ હિસાબો એની મેળે પૂરા થઇ જશે. આપણે તો એટલું જ જોવાનું કે કેટલો હિસાબ ચૂકવાયો અને કેટલો બાકી રહ્યો ? આત્મજ્ઞાની મહાપુરુષ પાસેથી મેળવેલ આત્માનાં જ્ઞાન દ્વારા જો આપણે શાંત અને સ્થિર બનીને જીવીએ તો તે આખી દુનિયાના સાયક્લોનને ઉડાડી મૂકે તેમ છે. જ્યાં સુધી અહંકારનો પડદો પડ્યો છે, ભીતરમાં ખોટી માન્યતાના જાળા બાઝ્યા છે ત્યાં સુધી આપણો ફોટો ખરાબ જ આવવાનો. ચીકણી ફાઈલ (પ્રતિકુળ સંયોગ) આવે ત્યારે જો ફાઇલની ચિકાશ દેખાશે તો તેનો સમભાવે નિકાલ નહિ થાય પણ જો પોતાની પ્રકૃતિની જ ચિકાશ દેખાશે તો ફાઈલનો સમભાવે નિકાલ થવાથી આગળ વધાશે. આપણી અંદરમાં પડેલી અનંત ભવોની આડાઇઓ, વક્રતા, વિચિત્રતા, બીજાના દોષ જોવાની વૃત્તિ, આપણા અહંકારને જે જીવ તેનાથી વિરુદ્ધ પદાર્થ એવા અજીવ પુદ્ગલ તત્ત્વ ઉપરની ભોગદૃષ્ટિ ઉઠાવી લઈ, તે પર વિજય પ્રાપ્ત કરે છે, તે જિન છે અને વિજયી થવાનો પ્રયત્ન કરે છે તે જૈન છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી & 1195 થાબડવાની વૃત્તિ હોવાથી આપણી સામે લગભગ બધી જ ફાઈલો ચીકણી આવે છે અને આપણામાં જાગૃતિ ન હોવાથી તે આવતા આપણે ગૂંચવાઈ જઈએ છીએ, જે આપણું સ્વરૂપ નથી. પરમાત્મસ્વરૂપ ક્યારે પણ લેપાયમાન ન હોય, આભાસી ન હોય, ગૂંચવાડાવાળું ન હોય. સ્વકીયતા આવશે તો સ્વીકાર્યતા આવશે. અનંત ભવોથી પાપના પોટલા બાંધતા આવ્યા છીએ અને અહંકારના પડઘા પાડતા આવ્યા છીએ. આજે આપણે કદાચ ડાહ્યા, શાંત, સમજૂ અને વિવેકી દેખાતા હોઈએ તો પણ જ્યાં સુધી એ પડઘા સ્વયં ના શમે ત્યાં સુધી સમતાભાવે રહી સમય પસાર કરવાનો છે. સાધકને એ વાતનો ખ્યાલ હોવો જરૂરી છે કે જગત ફરે કે ના ફરે, પણ મારે ફરી જવાનું છે. અંદરનું તત્ત્વ આરીસા જેવું સ્વચ્છ કરવાનું છે. ભીતરમાં અટકણ પડેલી છે માટે બહારમાં લોકોને આકર્ષણ નથી થતું. તે જો જાય, તો પછી તમારો એક એક શબ્દ બ્રહ્મ વાક્ય થઈ પડશે. શાની પુરુષની કૃપા અને પોતાના જબરજસ્ત પુરુષાર્થથી અટકણ તૂટે છે, અનંત સમાધિ પ્રગટે છે, જો તે અટકણને આપણે નહિ ઉખેડીએ તો તે આપણને ઉખેડી નાંખશે. અટકણ ખટકે તો અટકણ અટકે અને ભટકણનો અંત આવે. . અંદરમાં બધાના જ પ્રત્યે હદયથી પ્રતિક્રમણ કરીને ચોખ્ખા થઈ ગયા હોઈએ તો પછી વાઘ પણ અનુકૂળ વર્તે. વાઘમાં અને મનુષ્યમાં કશો ફેર નથી. આપણા સ્પંદનોના ફેરને કારણે વાવમાં તેની અસરો દેખાય છે. આપણે શુદ્ધ થઈ ગયા હોઈએ અને હુમાં શુદ્ધાત્મા જોતા હોઈએ તો પછી વાઘ પણ આપણી સામે હિંસક બની કેવળી ભગવંત પોતાના જ્ઞાનને વેદ છે અને વિશ્વના પદાર્થોને જાણે છે. જ્યારે છવસ્થા પોતાના જ્ઞાનને વેદતો નથી પણ માત્ર જાણે છે અને વિશ્વના પદાર્થોને જાણવા સાથે વેદવા મથે છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ 1196 હૃદય નયન નિહાળે જગધણી શકે નહિ. અને આપણા પ્રભાવ વર્તુળમાં હોય ત્યાં સુધી અન્ય પ્રતિ પણ હિંસક થઈ શકે નહિ. આત્માની અનુભૂતિ કરાવે તેવું આધ્યાત્મિક પદ વિષયને સુસંગત હોઈ, અત્રે રજુ કરાય છે. મેર સત્ ચિત્ આનંદરૂપ, કોઈ કોઈ જાને રે, મેં હું અખંડ સ્વરૂપ કોઈ કોઈ જાને રે... સર્વ જગતસે મેં હું ન્યારા, સિદ્ધ જૈસા સ્વરૂપ હમારા, મેં હું શુદ્ધ સ્વરૂપ, કોઈ કોઈ જાને રે... જ્ઞાન દર્શન રૂપ હૈ મેરા, આત્મ રમણકા સ્વભાવ હમારા, મેં હું પૂર્ણ સ્વરૂપ, કોઈ કોઈ જાને રે.. . ૩ મેરા મૃત્યુ કભી નહીં હોતા, છેદન ભેદન કભી નહીં હોતા, મેરા અજર અમર સ્વરૂપ, કોઈ કોઈ જાને રે.. ૪ એસા ચિંતન નિત્ય હી કરના, આત્મ સ્વરૂપ કી ખોજ કરના, તો પ્રગટે જ્ઞાન કી જ્યોત, કોઈ કોઈ જાને રે.. . ૫ મેરા સચિત્ આનંદરૂપ, કોઈ કોઈ જાને રે. આનંદઘન-ચિદ્દન-પરમાત્મસ્વરૂપ મારી મહીં એટલે કે મારી ભીતરમાં જ ભંડારાયેલ પડ્યું છે. એ તો મારો જ નિજગુણ અર્થાત્ મારું પોતાપણું છે. એ પૂર્ણસ્વરૂપના જ પૂરેપૂરા રસિયા બનીને મારે એને સ્પર્શવાનું છે એટલેકે અનુભૂતિમાં-વેદનમાં લાવીને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. 'પર' વસ્તુમાં રસ રેડવો તે આવરણ છે અને સ્વરૂપરસનું વિસ્મરણ થવું તે તેનું પરિણામ છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથજી 110 . પાર્શ્વજિન તો પાર્શ્વજિન સમા જ છે. એવા એ પાર્શ્વજિનનો જે પૂર્ણરસ-પૂર્ણસ્વરૂપ છે તેનો પા એટલે કે ચોથા ભાગનો રસ પણ મારામાં નથી. પાર્શ્વજિન જે પૂર્ણરસ-પારસને પામ્યા છે – વેદી રહ્યાં છે, તે આનંદઘન-આનંદરસ મારામાં જ રહ્યો છે. એ પૂર્ણરસને મારે જ મારામાંથી પાર્શ્વજિનના આલંબને પ્રગટ કરવાનો છે અને મારે મારામાંથી મારા જ પુરુષાર્થે વેચવાનો છે. સહુ કોઈ એ પુરણરસના રસિયા બની એને પોતામાં વેદે એવી અભિલાષા ! સત્ય દર્શન એ અદ્વૈત દર્શન છે. જગત અદ્વૈત સ્વરૂપ છે. અદ્વૈતને કૈતરૂપે જોવું એ ભ્રમદર્શન છે. જગતને દૈત સ્વરૂપે જોવું તે ભ્રમદર્શન છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ [1198 હૃદય નયન નિહાળે જગધણી 24 શ્રી વરિ પરમાત્માનું સ્તવને વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે મારું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યે રાઈ વી.૧ છઉમ– વીરજ લેગ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે; - સૂક્ષ્મ થુલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રા. વિ.૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે; પુદ્ગલ ગણ તેણે લેસુ વિશેષે, યથાશક્તિ મતિ લેખે રા વી.૩ ઉત્કૃષ્ટ વીરજને વેસે, યોગક્રિયા નવિ પેસે રે, યોગતણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રો વી.૪ કામવીર્ય વિશે જિમ ભોગી, તિમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાયે તેહ અયોગી રે, વી.પ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રી વી.૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે વી.૭ . વસ્તુઓ અને વ્યક્તિઓ વચ્ચે અને સાથે તેમજ દેહધર્મના સેવનમાં આત્મભાવે રાગ-દ્વેષ રહિત થઈ જીવવું તે નિર્વિકલ્પદશા છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ UAHAVEER BHAGWAN श्रीमते वीरनाथाय, सनाथायाद्भुतश्रिया। महानन्द-सरो-राजमरालायार्हते नमः॥ ॥२४॥ Page #374 -------------------------------------------------------------------------- ________________ નામ : ૨૪ મા શ્રી મહાવીર સ્વામી લાંછન : સિંહ રાશિ : કન્યા પણ : માનવ માતા : ત્રિશલાદેવી પિતા : સિદ્ધાર્થ ગર્ભવાસ : -છા . દીક્ષા પર્યાય : ૪૨ વર્ષ સર્વ આયુષ્ય : ૭૨ વર્ષ. સભ્યત્વ પામ્યા પછીની ભવ સંખ્યા : ૨૭ (મોટા) ભવ ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે : -ઉત્તરાષાઢા અ. સુ.૬ મહાવીરજી A જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે : ઉત્તરાષાઢા ચૈ. સુ. ૧૩ દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે : ઉત્તરાષાઢા કા. વ. ૧૦ કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે : ઉત્તરાષાઢા વૈ. સુ.૧૦ નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે : સ્વાતિ આસો વ૦)) જન્મનગરી : ક્ષત્રિયઝુંડ દીક્ષાનગરી : ક્ષત્રિયકુંડ કેવળજ્ઞાનનગરી : ઋજુવાલિકાનદી , નિર્વાણભૂમિ : પાવાપુરી Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી , 1199 . સંશોધકોનું કહેવું છે કે આ સ્તવન આનંદઘનજીના નામે અન્ય દ્વારા રચાયેલ છે. એ જે હોય તે જ્ઞાની જાણે પણ આ સ્તવન અત્યંત વિચારણીય તો જરૂર છે જ. વીર્યંતરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી અનંત વીર્ય પ્રભુને પ્રગટ થએલ હોવાથી, પ્રભુ સાચા વીર બન્યા હોવાથી તેમની પાસે વીરપણાની માંગણીરૂપ આ સ્તવન છે. વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માંગુ રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યે, જિત નગારું વાગ્યું રે. વીર.૧ અર્થ અત્યંત અદ્ર બનીને કવિશ્રી કરૂણાસાગર મહાવીર પ્રભુના ચરણોમાં પડીને તેમની ચરણરજ માથે ચડાવી રહ્યા છે અને ભાવવિભોર બનીને વીર પ્રભુ પાસે વીરત્વની માંગણી કરી રહ્યા છે કે હે કરૂણાવંત કૃપાળુ દેવ ! આપે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી બાપુકી મિલ્કત સમજીને આત્મઘરમાં પેસી ગયેલા કર્મોને મારી હટાવવા કર્મસત્તા સામે આંતર જંગ ખેલ્યો, વીર રસ પ્રગટાવ્યો, વિજય મેળવ્યો તેવો વીરરસ મારામાં ઉછળતો જ નથી તેને પ્રગટાવવાનું જોમ-કૌવત જે બહાર આવવું જોઈએ તે આવતું નથી. તે વીરરસની માંગણી કવિશ્રી પ્રભુ પાસે કરી રહ્યા છે. . તેઓશ્રીની આવી માંગણી તેમની આંતરદશાને સૂચવે છે કે તેમના આત્મામાંથી મિથ્યાત્વનો-અજ્ઞાનનો અનાદિકાલીન અંધકાર દૂર થયો છે, શુદ્ધ સમ્યકત્વ પ્રકાશ્ય છે, તેથી કર્મસત્તા ઉપર વિજય મેળવવા રૂપ નોબતનો નાદ ધ્વનિ વાગી રહ્યો છે. જ્યારે આત્મા કર્મસત્તા સામે વિજય મેળવે છે ત્યારે પ્રકૃતિ ખુશ થઈને તે આત્માના મસ્તકના અંદરના ભાગમાં નોબતના દિવ્ય નાદ વાગતા હોય તેવો અનુભવ સાધકને કરાવે છે. આત્મવિજ્ઞાનથી બધાં ભેદ ટળે અને બધાં પ્રત્યે આત્મભાવ આવે તો અભેદતા આવે. Page #376 -------------------------------------------------------------------------- ________________ 1200 , હૃદય નયન નિહાળે જગધણી વિવેચનઃ બાહ્ય અભ્યતર તપ વડે કરીને પ્રભુએ નિરંતર આત્મયોગ જ સાધ્યો છે. પ્રતિ સમય કર્મનું વિદારણ જ કર્યું છે. આમ તપ અને વીર્યથી યુક્ત હોવાના કારણે પ્રભુ વીર કહેવાયા છે. પ્રભુએ પોતાનું વીર્ય-પરાક્રમ કર્મ ક્ષયના માર્ગે જ ફોરવ્યું હતું. પોતાની સામે ગોશાળા, સંગમદેવ, ચંડકૌશિક કે ગોવાળિયો; જે કોઈપણ ઉપસર્ગ કરવા આવ્યા, તેમને મારી હટાવવા પ્રભુએ લેશ માત્ર પણ પ્રયત્ન કર્યો નથી, ઉપરથી ચંડકૌશિક ગોશાળા વગેરેનો તો ઉદ્ધાર જ કર્યો છે અને સંગમ પ્રત્યે કરુણાભીના થયા છે. ઉપકાર કરનારા ઉપર પણ મનુષ્યો તેટલો ઉપકાર કરી શકતા નથી, જેટલો ઉપકાર પ્રભુએ અપકાર કરનારા ઉપર કર્યો છે. ભગવાને જેમ મિથ્યાત્વ મોહરૂપી અંધકારને ભગાડ્યો, અજ્ઞાન, કષાયો વગેરેને ઉલેચી નાંખ્યા અને પોતાના આત્મામાં જિત નગારૂં વગાડ્યું, તેમ આપણા આત્મામાંથી પણ મિથ્યાત્વ મોહ, અજ્ઞાન, કષાયો નીકળી જાય તો જિત નગારું વાગી શકે તેમ છે. પ્રભુએ સાધના દ્વારા જેવું વીરત્વ પ્રગટાવ્યું અને ઘનઘોર ઘાતકર્મના ભૂક્કા બોલાવ્યા તેવું ક્ષાયિકભાવનું વીરપણુ કવિશ્રી પ્રભુચરણે પડીને માંગી રહ્યા છે. પ્રભુ આઠે કર્મોનું વિદારણ કરનારા છે અને તપ વડે શોભાયમાન છે. આમ તપ અને વીર્યથી યુક્ત હોવાથી પ્રભુ વીર કહેવાયા છે. विदारयति यत् कर्म, तपसा च विराजते। तपोवीर्येण युक्तश्च, तस्मात् वीर इति स्मृतः ।। . વીરપ્રભુમાં વીરતા તો હતી જ તેથી તો તે મહાવીર કહેવાયા પરંતુ એમની વીરતા; ધીરતા, સ્થિરતા અને અચલતાથી યુક્ત હતી. કવિશ્રીને મનનું નમન (અમન) એટલે મનનું પરિણમન અને મનનું પરિણમન એટલે પરમાત્મ તત્ત્વનું પ્રાગટીકરણ ! Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી - 1201. ઘાતકર્મો પાડી રહ્યા છે. ક્ષપકશ્રેણી પ્રાયોગ્ય વીરરસ ન ઉછળે ત્યાં સુધી તેઓને સંતોષ નથી. આત્મામાં વીરરસ ન ઉછળે ત્યાં સુધી કર્મની સામે જંગ માંડી શકાતો નથી. જેમ જેમ પ્રકૃતિ ઉપર વિજય મળતો જાય છે, અંદરની વિશુદ્ધિ વધતી જાય છે, ઉપર ઉપરના ગુણસ્થાનકની સ્પર્શના થતી જાય છે તેમ તેમ અંદરમાં આનંદના ઉછાળા આવે છે. સાધક તેને પોતાની જાગૃતિના બળે સમાવે છે. ધ્યાન સાધના દ્વારા ભીતરની વિશુદ્ધિ વધતાં આત્મામાં દૃઢતા, નિર્ભીકતા, સાધ્યની નિકટતા, સમાધિની અપૂર્વતા વગેરે ભાવો અનુભવાય છે. આત્માની અંદરમાં પડેલ અજ્ઞાનના અંધારાને ઉલચેવા માટે તેમજ જન્મ મરણાદિ દુઃખોની બેડીઓમાંથી છૂટકારો પામવા, પોતાના શાશ્વત જ્ઞાનાનંદ સ્વરૂપ પરમપદને પામવા, સ્વભાવદશામાં જ વીર્યને ફોરવવાનો અંગુલિ નિર્દેશ યોગીરાજ કરી રહ્યા છે. અજ્ઞાનના યોગે અનાદિકાળથી આરંભ-સમારંભ તેમજ બીજાઓને પ્રતિકૂળ વર્તવા રૂપે વીર્ય ફોરવીને ઉન્માર્ગ ઉપર ચાલવામાં આ જીવે કાંઈ બાકી રાખ્યું નથી. તેનાથી કલ્પનામાં પણ ન આવે તેવા નરકાદિના ઘોર દુઃખો આ જીવ પામ્યો છે. હવે તેનાથી બચવા કવિશ્રી પોતાના માધ્યમે આપણને સન્માર્ગ બતાવી " રહ્યા છે અને મોહની નિદ્રામાં સૂતેલા એવા આપણને જગાડી રહ્યા છે. . વીર્યનું ફુરણ તો આ જગતમાં બધાં જ કરી રહ્યા છે પણ તે સ્કુરણ ક્યાં કરવું તેનું ભાન, અજ્ઞાનથી પીડાતા જગતને નથી. જ્યાં સુધી ભીતરમાં અજ્ઞાન પડ્યું છે, ત્યાં સુધી વીર્યસ્કુરણને સમ્યમ્ દિશા નહિ મળે. આત્માનું મૂળભૂત શુદ્ધ સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં આવે, શ્રદ્ધાપૂર્વક અંતરમાં ભાસે, શુદ્ધ ઉપયોગનું સામર્થ્ય સમજાય, ભીતરમાં ઉપયોગ અને પરિણતિ વળે; તો રાગાદિ વિભાવભાવોની ત્રાસદાયકતા આપોઆપ ઉપયોગથી મોહ અને આસક્તિએ કરીને અને પ્રદેશથી શીખીની જેમ આત્મા અને દેહનો બહુ અભેદ સંબંધ જે છે તે જ દેહભાવ છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ 1202 , હૃદય નયન નિહાળે જગધણી 1202 અનુભવાય. જેમ જેમ ભેદવિજ્ઞાનનો પ્રયોગ વધતો જાય તેમ તેમ સાધકને એ ખ્યાલ આવે છે કે, રાગાદિ મારું સ્વરૂપ નથી, મારા સુખનું કારણ નથી, હવે હું તેને રાખી શકું તેમ નથી. એમ શુભભાવની તીવ્રતા થતાં પરિણતિમાંથી રાગાદિ સ્વયં છૂટી જાય છે. પછી વિકલ્પને છોડવા નથી પડતાં પણ સ્વયં છૂટી જાય છે. આત્મા ઉપર સાચો પ્રેમ પ્રગટે છે ત્યારે રાગાદિનું મમત્વ અનુભવાતું નથી. જીવસ્થાન, યોગસ્થાન, અધ્યવસાય સ્થાન, ગુણસ્થાન, માર્ગણા સ્થાન, બધાંથી આત્મા સાવ નિરાળો છે. તેમાં આત્માનો કાયમી વસવાટ નથી. આ રીતે અંતરમાં ભેદજ્ઞાનની પરિણતિથી ભાવિત થતાં કેવળજ્ઞાન-કેવળદર્શનને ઢંઢોળવાનું કામ શરૂ થાય છે. જેમ જેમ ભેદજ્ઞાન તીવ્ર-તીવ્રતર થતું જાય છે તેમ તેમ ઘાતકર્મો ખરતાં જાય છે અને કેવળજ્ઞાનની ખાણ નજીક આવતી જાય છે અને કોઈક જીવનની ધન્ય પળે ક્ષપકશ્રેણી મંડાઈ જતાં કેવલ્યલક્ષ્મી જીવને સામે ચાલીને વરે છે. ભેદજ્ઞાનના પ્રયોગથી ઉપયોગ સૂમ બનતો જાય છે એટલે અજ્ઞાન અને રાગાદિ નિરાધાર થઈને ચાલ્યા જાય છે. વીરપણું પ્રગટતાં ઉપર ઉપરના ગુણસ્થાનકની સ્પર્શના દ્વારા વિશુદ્ધિ અનુભવાતાં આત્મામાં આનંદનું જિત નગારું એક વખત ચોક્કસ વાગે છે. એ વિજયસૂચક વિજય ડંકા છે, જે જીતની જાહેરાત છે. એ અદષ્ટ દિવ્યશક્તિ દ્વારા કરાયેલા શુદ્ધિના વધામણા છે. વીરપણું પામવા માટે વીર્યગુણની સહાય અપેક્ષિત છે અને તે વીર્ય છદ્મસ્થને કેવા પ્રકારનું હોય છે તે માટે હવે બીજી કડી કહે છે છઉંમ© વીર્ય લેગ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે, સૂક્ષ્મ શૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે.. વીર..૨ * આત્મદ્રવ્ય, નિત્ય હોવા છતાં અનિત્ય એવાં પગલદ્રવ્યનું શરણ લે એટલે, ” બકરી વાઘને ખાય તેવો ન્યાય થયો. Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી 1203 અર્થ : લેશ્યાયુક્ત છદ્મસ્થ જીવનું વીર્ય અભિસંધિજ અને અનભિસંધિજ એમ બે પ્રકારે છે. સ્થૂલ અને સૂક્ષ્મ મન, વચન, કાયાના યોગોની ક્રિયાથી આત્મા પ્રત્યેક સમયે રંગાઈ રહ્યો છે અને તેથી અયોગી અને સિદ્ધ સ્વરૂપી એવો આત્મા આજે ઉત્સાહથી-ઉમંગથી યોગી બન્યો છે. અર્થાત્ તેને પરાણે કોઈએ યોગી બનાવ્યો નથી પણ બે પ્રકારના વીર્યનું જોડાણ સતત મન-વચન-કાયા સાથે થવાથી તે સહજપણે યોગી બન્યો છે. અર્થાત્ સંસારી બન્યો છે. વિવેચન ઃ હકીકતમાં જોઇએ તો સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ પરમ યોગ છે. એ યોગને સાધે તે ખરો યોગી કહેવાય. તેવો જ યોગી અંતે અયોગી બનીને સિદ્ધ થાય છે. આત્મ સ્વરૂપનું લક્ષ્ય ચૂકીને પર પદાર્થમાં સુખબુદ્ધિએ જે મન-વચન-કાયાના યોગોમાં વીર્ય વપરાય છે, તે તો ભોગ છે. તેનાથી જીવને સંસારમાં રખડવું પડે છે. વીર્યંતરાય કર્મના દેશક્ષયથી ઉત્પન્ન થયેલ વીર્ય, છદ્મસ્થ જીવોને હોય છે. જ્યારે સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલ વીર્ય કેવળી ભગવંતોને હોય છે. છદ્મસ્થ વીર્ય અભિસંધિજ અને અનભિસંધિજ એમ બે પ્રકારે છે. બુદ્ધિ પૂર્વક, ઉપયોગ પૂર્વક, ઇચ્છા પૂર્વક મન, વચન, કાયાની પ્રવૃત્તિ થાય તે અભિસંધિજ વીર્ય કહેવાય જેને સપ્રયાસ વીર્ય કહી શકાય. તે સિવાય લીધેલા ખોરાકનું સાત ધાતુ રૂપે પરિણમન થાય, ઉંઘમાં શ્વાસોશ્વાસ ચાલે, રૂધિરાભિસરણ ચાલે, તેમાં જે વીર્ય છે, તે અનભિસંધિજ વીર્ય છે; જેને અપ્રયાસ-સહજ વીર્ય કહી શકાય. વીર્ય સંબંધે કર્મપ્રકૃતિમાં ગાથા છે - विरियङतराय, વેસ− -વૈજ્વળ સવ્વ-સ્વપ્ન વા તદ્વી अभिसंधिजमियरं वा तत्ता विरियं स - लेसस्स ॥ દેહભાવ એટલે સુખબુદ્ધિ અને ભોગવૃત્તિએ આત્મા અને દેહનો સુમેળ. Page #380 -------------------------------------------------------------------------- ________________ 1204 હૃદય નયન નિહાળે જગધણી વીર્યંતરાય કર્મના દેશથી કે સર્વથી ક્ષય થવાથી પ્રાણીઓને-જે લબ્ધિ ઉત્પન્ન થાય છે અને તેને લીધે છદ્મસ્થ એટલે કે લેશ્યાવાળા સર્વજીવોને જે વીર્ય હોય છે, તે અભિસંધિજ અથવા અનભિસંધિજ વીર્ય કહેવાય છે. બાકીના કેવળજ્ઞાની અને સિદ્ધભગવંતોને ક્ષાયિકવીર્ય કહેવાય છે. ઉત્સાહ, ઉમંગ, પરાક્રમ, વીરતા, ચેષ્ટા, શક્તિ, બળ, તાકાત, કૌવત, સામર્થ્ય આદિ યોગવીર્યના નામો છે. મન, વચન, કાયાના ત્રણે યોગથી થતી શુભાશુભ પ્રવૃત્તિના મૂળમાં, જે વૃત્તિ-વલણ છે તે લેશ્યા છે. એ પ્રવૃત્તિની પૂર્વે મન અને બુદ્ધિમાં ઉઠતાં સંકલ્પ-વિકલ્પના રંગો અને તરંગો છે. જલમાં જેમ લહેરો-તરંગો ઊઠે છે અને તેની સતત આવન જાવન-રહે છે, તેમ જીવ સરોવરમાં લહેરાતા મનના રંગતરંગ એ લેશ્યા છે. સ્વાનુભૂતિ સંપન્ન ખીમજી બાપા અભિસંધિજ વીર્યનું અર્થઘટન કરતાં જણાવે છે કે છદ્મસ્થાવસ્થામાં વીર્યશક્તિનું શુભલેશ્યા સાથે સંગતિ થવાથી જે અભિસંધિ એટલે જોડાણ થયું અને સ્વરૂપ અભિમુખતા આવી તે અભિસંધિજ મતિ છે અર્થાત્ છદ્મસ્થાવસ્થામાં વીર્યના શુભલેશ્યા સાથેના સંધાણથી શુભલેશ્યા સંપન્ન વીર્યવાળી મતિ એ અભિસંધિજ મતિ છે. આવી અભિસંધિજ મતિના કારણે જે બદલાવ-પરિવર્તન આવ્યું, તેનાથી સ્થૂલ એટલે બાહ્ય ક્રિયા અને સૂક્ષ્મ એટલે અત્યંતરક્રિયા, જે શુભ લેશ્યાયુક્ત વીર્યથી શુભરંગે રંગીન અને સંગીન બનવા લાગી એટલે જીવ ભોગી મટી ઉરના ઉમળકાપૂર્વક ઉમંગથી યોગી થયો અને તેથી જ જ્યાં ભેદ હોય ત્યાં ઔદયિક ભાવ હોય અંગર ક્ષયોપશમ ભાવ હોય. જ્યાં અભેદ ભાવ હોય ત્યાં ક્ષાયિકભાવ હોય અને પારિણામિક ભાવ હોય. Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી 1205 કવિશ્રીના ઉદ્ગાર છે કે, “સૂક્ષ્મ થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે.’’ છદ્મસ્થ જીવોના વીર્યની સાથે છએ લેશ્યાઓનું જોડાણ રહેલું છે. તેમાં જ્યાં સુધી મિથ્યાત્વયુક્ત પરિણામ છે ત્યાં સુધી ક્લિષ્ટ પરિણામી ત્રણ લેશ્યાઓની સંભાવના વધુ રહે છે. પછી જેમ જેમ ચિત્તશુદ્ધિ થતી જાય છે, તેમ તેમ લેશ્યાઓની શુદ્ધિ સાથે વીર્યની શુદ્ધિ પણ થતી જાય છે. અશુભ લેશ્યાકાળે મતિ જડ જેવી હોવાથી અને લેશ્યા તથા વીર્યનો સંબંધ, તેવા પ્રકારની મતિ સાથે હોવાથી ઉપયોગનું ખેંચાણ જડ પ્રત્યે થાય એ સ્વાભાવિક છે. જડ અને ચેતન સ્વભાવથી ભિન્ન છે. છતાં જડ પ્રત્યેના રાગના કારણે કાર્મણ વર્ગણાઓ ખેંચાઈને ચિત્તભૂમિને આવરે છે અને કર્મરૂપે પરિણમી જઈ આત્મા સાથે એકમેક થઇ જાય છે. આ સંધિ કાયમી ન હોવાથી તેને કૃત્રિમ કહી શકાય. આત્માની પ્રત્યેક સમયની પર્યાયમાં અજ્ઞાન ઝળકતું હોવાથી આ પરિણમન થઇ રહ્યું છે અને તેથી આ સંધિ ટકી છે. અજ્ઞાનના કારણે નિરંતર વર્તતા રાગ-દ્વેષના ભાવોથી આ જોડાણ સતત ચાલુને ચાલુ જ છે. તેનું ભેદજ્ઞાન કરીને સ્વમાં રંગાવું એ જ સાચો માર્ગ છે; એવી સમજણ આવવાથી યોગીરાજ આંતર સાધનાનો માર્ગ શોધી રહ્યા છે અને તે માર્ગ તેમને જડી જવાથી-ચિત્તમાં ઉપસવાથી હવે તે સાચા અર્થમાં યોગી બની ઉમંગમાં આવી ગયા છે. ખરેખર જે સાચા અર્થમાં હૃદયથી સંસારથી છૂટવાનો કામી બન્યો છે તેને છૂટવાના નિમિત્તો ભવિતવ્યતા મેળવી આપે છે. પાટણમાં યોગીરાજનું ચાતુર્માસ હતું ત્યારે વ્યાખ્યાનનો સમય વીતી રહ્યો હતો, નગરશેઠની રાહ જોવા છતાં તે આવ્યા નહોતા, આનંદઘનજી મહારાજ (છદ્મસ્થ) જ્ઞાનમાં ચિત્રામણ પાડવું એ વૃત્તિ અને વિકાર કહેવાય. (કેવળ) જ્ઞાનમાં પ્રતિબિંબ પડે-પ્રતિભાસે તેને નિવૃત્તિ-નિર્વિકાર કહેવાય. Page #382 -------------------------------------------------------------------------- ________________ 1206 . હૃદય નયન નિહાળે જગધણી મતાગ્રહી નહોતા, તેમને સાધુપદનું માન હતું, સમયની કિંમત તેમને વિશેષ સમજાયેલી હતી, સંસારી જીવોના વિચારોથી તેમના વિચારો જુદા હતા તેથી નગરશેઠ હાજર ન હોવા છતાં તેમણે વ્યાખ્યાન શરૂ કરી દીધું અને પાછળથી તે ખબર પડતાં નગરશેઠને દુઃખ થયું, આનંદઘનજી મહારાજને તેમણે આ જે કર્યું તે બરાબર નથી કર્યું; એમ કહી પોતે જે ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરે વહોરાવે છે તે વાત યાદ કરાવી અને યોગીરાજનો આત્મા ભીતરમાંથી જાગી ઉઠ્યો. પોતાની પાસે જે કાંઈ હતું. તે બધું જ ઉપાશ્રયમાં મૂકી જંગલની વાટ પકડી. પ્રબળ નિમિત્ત કારણ મળતાં સાચા અર્થમાં ઉમંગે યોગી બન્યા. અર્થાત્ પોતાની સ્વયં ફુરણાથી યોગી બની સાધનાનો માર્ગ અપનાવ્યો. અજ્ઞાનના યોગે સંસારી આત્માઓ પોતાની જ્ઞાનશક્તિ અને વીર્યશક્તિને વિનાશી તત્ત્વો સાથે જોડી ઉમંગથી-ઉત્સાહથી સંસાર યોગ સાધે છે; એ સંસારમાં મન, વચન, કાયાના યોગમાં વપરાતું યોગવીર્ય છે, એ લબ્ધિ વીર્ય છે, તે ગ્રહણ કરાયેલ આહારનું સાત ધાતુમાં પરિણમન થવાથી ઉત્પન્ન થતું પુદ્ગલ વીર્ય છે. આવું વીર્ય પણ પરિણમન ત્યારે જ પામે કે જ્યારે શરીરમાં આત્માની હાજરી હોય છે અને જીવ વીર્ય કાર્યાન્વિત હોય છે. વીર્ય એ શરીરનો રાજા છે. વીર્યહીન શરીર કાર્ય કરવાને અશક્ત હોય છે, વીર્ય છે તો ઓજસ-તેજ-લાવણ્ય છે અને શરીર કાર્ય કરવા સશક્ત બને છે. શરીરની તેજસ્વીતા અને લાવણ્યતાના મૂળમાં વીર્ય છે. યોગવીર્યના મૂળમાં પણ આત્મવીર્ય છે, ઉપયોગવીર્ય છે. વીર્ય એ આત્માનો ગુણ છે. અયોગી બનેલ સિદ્ધોમાં પણ વીર્ય હોય છે, જે અનંત વીર્ય છે અને તે ક્ષાયિકભાવે છે. અપ્રયાસી વીર્ય છે. વીર્ય એ આત્મ પોતા પાસે રહેલ તન-મન-ધન-વચન-સમય આદિને “પર” ત્યારે જ માન્યા કહેવાય, જ્યારે આ સઘળાંનો પોતે ભોગ નહિ કરતાં અન્ય સહના સદુપયોગમાં લગાવી દે. Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી 1207 શક્તિ છે જે છદ્મસ્થાવસ્થામાં યોગવીર્યરૂપે કાર્યાન્વિત થતી હોય છે. આત્મા જ્યારે જાગે છે ત્યારે તેટલા જ ઉત્સાહથી ત્યાંથી પાછા ફરી ઉમંગથી-ઉત્સાહથી આત્મયોગ સાધે છે. મારો આત્મા ભવિતવ્યતા અનુકૂળ થવાથી સંસારયોગ ત્યાગીને ઉમંગથી આત્મયોગ સાધી રહ્યો છે અને સાચા અર્થમાં યોગી બન્યો છે તેવો ગુઢાર્થ કવિશ્રી આ કડીમાં વ્યક્ત કરી રહ્યા છે. જેમ જેમ ઉપયોગ શાંત થતો જાય છે, વિકલ્પો અલ્પ થતાં જાય છે, આવેલ વિકલ્પોના પણ દષ્ટા બનાય છે. તેમજ ઉપયોગ સ્વરૂપમાં લીનતા સાધે છે; તેમ તેમ ઉપયોગવીર્ય બળવાન થતું જાય છે અને ઉપયોગ દ્વારા ત્યાગ, તપ, સંયમનું પાલન જેમ જેમ યથાર્થ થતું જાય છે, તેમ તેમ યોગ, વીર્ય બળવાન બનતું જાય છે. યોગવીર્યની બળવત્તા, પ્રધાનપણે સ્વચ્છ,પુણ્યબંધ કરાવે છે, તેમ સારા સંસ્કારનું પણ આધાન કરે છે. જ્યારે ઉપયોગવીર્યની બળવત્તાથી પ્રધાનપણે સંવરનિર્જરા થાય છે ત્યારે તેના દ્વારા મોક્ષમાર્ગ સધાય છે. વીર્યાન્તરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું વીર્ય એ ઉપયોગવીર્ય છે–આત્મવીર્ય છે. દ્રવ્યદૃષ્ટિથી આત્મા પૂર્ણ હોવા છતાં પર્યાયમાં રહેલી અધુરાશ ખટકે, તો જ અપ્રમત્તપણે અંતરંગ પુરુષાર્થ થાય. યોગીરાજ આનંદઘનજીનું જીવન અને ઉપદેશ એ વાતનો અંગુલિ નિર્દેશ કરે છે કે, પર્યાયમાં અપ્રમત્તભાવ પ્રગટાવ્યા વિના કોઇને પણ, ક્યારે પણ મોક્ષપ્રાપ્તિ થઈ નથી અને થશે નહિ. માટે અધ્યાત્મમાં ઉમંગથી યોગી બનવા જેવું છે. ઉમંગથી યોગી થતાં પહેલા અત્યાર સુધી આત્માને મળેલ વીર્યશક્તિ દ્વારા શું થયું છે ? તે જણાવે છે. પાંસે છે અને છોડી દીધું છે તે પ્રાપ્તનો-પરિગ્રહનો ત્યાગ છે. પાસે છે નહિ અને જોઈતું પણ નથી એ અપ્રાપ્તનો-અગ્રહણનો ત્યાગ છે-વૈરાગ્ય છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ 1208 , હૃદય નયન નિહાળે જગધણી અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંબે રે પુદ્ગલ ગણ તેણે લેસુ વિશેષ, યથાશક્તિ મતિ લેખે રે..વીર...૩ અર્થ: પ્રત્યેક આત્માના અસંખ્ય આત્મપ્રદેશ હોય છે અને એક એક પ્રદેશે “અસંખે એટલે ગણત્રી ન કરી શકાય, કલ્પનામાં ન આવી શકે તેટલું વીર્ય છે. આથી જ કરીને અસંખિત કંખે રે – અગિણત પ્રકારે જીવ મન-વચન-કાયાના વ્યાપાર સ્વરૂપ યોગને અભિષે છે અર્થાત્ અગણિત પ્રકારે યોગોમાં વીર્યને ફોરવે છે. તેથી કરીને તે તે સમયની વેશ્યા પ્રમાણે બુદ્ધિના અનુસાર દારિક, કાર્મણ વર્ગણાનું ગ્રહણ થતું રહે છે. વિવેચનઃ આત્માના અસંખ્ય આત્મ પ્રદેશ અગણિત વીર્ય પ્રવર્તી રહ્યું છે. અનંતકાળથી આત્માના પ્રદેશો કાર્મણવર્ગણાના બનેલા કર્મ સાથે જોડાયેલા છે. કર્મના સંબંધે આત્માનું જોડાણ હોવાથી ભવે ભવે ઓદારિક કે વૈક્રિય વર્ગણાના પુદ્ગલોથી બનેલ ઔદારિક કે વૈક્રિય દેહ સાથે તેનું જોડાણ થતું રહ્યું છે અને તેથી તે તે ભવે પ્રાપ્ત મન-વચન અને કાયાના યોગોનું પ્રવર્તન થતું રહ્યું છે. અનંતકાળથી સંસારમાં ભટકતાં જીવે, અન્ય જીવો સાથે તેમજ પુદ્ગલ સાથે સંબંધમાં આવીને પોતાનું વીર્ય ફોરવ્યું છે અને તેવા પ્રકારના શુભાશુભભાવો તેમજ શુભાશુભલેશ્યા દ્વારા કલ્પનામાં ન આવે તેટલા કર્મના જથ્થા ભેગા કર્યા છે. દરેક ભવે ભવે પુદ્ગલ ભાવમાં-જડ ભાવમાં વીર્યને ફોરવવા દ્વારા આત્મયોગ ચૂક્યો છે અને અનંત-અનંત સંસારનું પરિભ્રમણ વધાર્યું છે. મળેલી વીર્ય શક્તિનો આ પ્રકૃષ્ટપણે થયેલ દુરુપયોગ છે. આવું અસંખ્ય પ્રદેશ રહેલ વીર્ય, અસંગતિ યોગે એટલે કે અશુભ દાંઈ હતું નહિ, ઇડરૂપે તષ્ઠિ, હું જાણતા જ નહિં, ' એવું જે જ્ઞાન છે, તે જ વાસ્તવિક સત્ય, નિત્ય, જ્ઞાન છે, જે કેવળજ્ઞાન છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી 1209 લેશ્યાના સંગમાં અસંખ્ય પ્રકારે જે અશુભ યોગમાં પ્રવર્તğ છે – વપરાયું છે; તે હવે ખૂંચે છે, ડંખે છે, કઠે છે, દુઃખી કરે છે. હવે અભિસંધિજ મતિથી શક્તિ પ્રમાણે વિવેકી બનીને એ પુદ્ગલ પરમાણુને વિશેષે કરીને એટલે કે શુભભાવે લેસુ અર્થાત્ અશુભકર્મને શુભરૂપે પરિણમાવશું અને નવા શુભ પુદ્ગલ પરમાણુ ગ્રહીશું-લઇશું જેથી વીર્યનું શુદ્ધના લક્ષ્ય શુભમાં જ પ્રવર્તન રહે. આજે પણ દરેક જીવના આત્મા પર અસંખ્ય ભવોના કર્મો ચોટેલા છે. અસંખ્ય ભવોના કર્મો અને અનંતભવોના સંસ્કારોના કાફલાને લઈને જીવ માત્ર એક ગતિમાંથી બીજી ગતિમાં રવાના થાય છે, આત્માને જગાડનાર, આત્માને ઓળખાવનાર, આત્મજ્ઞાની સદ્ગુરુનો યોગ ન મળે, ત્યાં સુધી અજ્ઞાન-મહા અજ્ઞાન-મહામિથ્યાત્વ પડેલું હોવાના કારણે જીવને આશ્રવ અને બંધનો જ માર્ગ છે. અજ્ઞાનીના લલાટે વિધાતા સંવર નિર્જરાના લેખ કેમ લખી શકે? જ્યારે જ્યારે આર્યદેશાદિ સામગ્રી સંપન્ન સંસ્કારી માનવ ભવ મળ્યો; તે છુટવા માટે જ મળ્યો હતો પણ જીવે કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગને વશ થઇને નવા નવા કર્મો ઉપાર્જન કરવામાં જ તેને વેડફ્યો. અસંખ્ય પ્રકારે દેહ ધારણ કર્યાં, અગણિત કાંક્ષાઓ-ઇચ્છાઓ કરી, એકે યપૂરી ન થઈ, અધુરી ઇચ્છાઓમાં જીવ અનંતીવાર મર્યો. એટલે જ એક ચિંતકે મોત અને મોક્ષની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે... મોહરૂપી જગતનો જ્ઞાનથી નાશ કરવાનો છે. પછી જગત નિરંતર જ્ઞાનમાં પ્રતિબિંબિત રહે છે. શ્વાસ ખૂટી જાય અને ઈચ્છા બાકી રહે એનું નામ મોત, શ્વાસ બાકી હોય અને ઈચ્છા ખૂટી જાય એનું નામ મોક્ષ. પોતે અગુરુલઘુ સ્વભાવનો હોવા છતાં અનંતી વાર કર્મોથી ભારે Page #386 -------------------------------------------------------------------------- ________________ 1210 હૃદય નયન નિહાળે જગધણી થઈને મર્યો. હવે કેવી રીતે ઊંચો આવે? તેનો કોઈ માર્ગ જડતો નથી. છુટવાની ઈચ્છા થવા છતાં સાચો માર્ગ હાથ ન જડ્યો. - “પાણી વલોવ્યું એકલું રે, ચતુર ન ચઢીયો હાથે' એ ઉક્તિને સાર્થક કરી. “પુદ્ગલ ગણ તેણે લેસુ વિશેષે - આંતરિક તેવા પ્રકારના કર્મનો ઉદય અને બહારમાં તેવા પ્રકારના નિમિત્ત મળવાથી જીવ મન, વચન, કાયાના યોગમાં-વ્યાપારમાં પ્રવર્તે છે અને ત્યારે તેવા તેવા પ્રકારની ભીતરમાં વર્તતી લેશ્યાના આધારે પુદ્ગલકર્મનો જથ્થો-કાશ્મણ વર્ગણાનો સમુહ કર્મરૂપે આત્મામાં એકઠો કરે છે. યથા શક્તિ મતિ લેખે રે - કર્મ ઉપાર્જન વખતે જીવના જેવા ભાવ-જેવી લેણ્યા હોય તે પ્રમાણે બુદ્ધિ લેખે એટલે પુદ્ગલોને ગ્રહણ કરવાની અનુમતિ આપે છે. કર્મબંધમાં મુખ્ય કારણ તો બુદ્ધિ જ છે. બુદ્ધિના માધ્યમે જ જીવ પ્રાપ્ત સંયોગોમાં લાલચુ બની પોતાને ઠગે છે. જીવ અનંતકાળથી બુદ્ધિનો દુરુપયોગ કરીને પોતાને ઠગતો આવ્યો છે અને અનંતીવાર નરકાદિનો મહેમાન બન્યો છે. ભૌતિક પદાર્થોની પ્રાપ્તિમાં સુખ માનતો અને તેનો લાલચુ બનેલો જીવ, અનંતીવાર સંયોગોથી ઠગાયો છે. સંક્ષીપણું પામી મન, વચન, કાયાનો વ્યાપાર કરી આધ્યાત્મિક જગતમાં અનંતી વાર દેવાળિયો બન્યો છે. શાહુકારીનો વ્યાપાર કરતા તેને આવડ્યો જ નથી. આત્મા અને તેના અનંતગુણો પૈકી, એક એક ગુણોમાં જ સુખ છે અને બહારમાં તો દુઃખ, દુઃખ ને દુઃખ જ છે, એવું શ્રદ્ધાન જાગ્યા વિના શાહુકારીનો વ્યાપાર થઈ શકવો કઠિન છે. સ્વયં તરવાની ભાવના દઢ બન્યા વિના નિમિત્ત કારણો જીવને ક્યારે પણ તારી શકતા નથી. સહન કરવું, કરી છૂટવું, જતું કરવું તે વૈરાગ્ય છે. નહિતર દેહભાવો છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ | શ્રી મહાવીરજી , 1211 . પ્રભુની પાસે “તું તાર, તું તાર” એમ બોલીએ પણ શ્રદ્ધાનો વળાંક જ વિનાશી તત્ત્વો તરફ ઢળેલો હોય તો માત્ર બોલવાથી શું વળે? અધ્યાત્મના માર્ગમાં આગળ વધી શીઘ મોક્ષ પામવા; કોરી ક્રિયા કે કોરા શબ્દોની નહિ પણ હૃદયની કિંમત છે. જે હૃદયમાં સરળતા, લઘુતા, મૃદુતાદિ ગુણોનો વાસ છે, તે હૃદયમાં પ્રભુનો વાસ છે. આ કડીમાં કવિશ્રી જીવની અનંતકાળની વણથંભી ચાલી રહેલ સંસાર યાત્રાને ઓળખાવી રહ્યા છે અને તેમાંથી છુટી મુક્તિને પામવા સન્મતિથી વીર્ય શક્તિનો સદુપયોગ કરવા જણાવી રહ્યા છે. - બુદ્ધિ એ બેધારી તલવાર છે, એ બગાડે પણ અને સુધારે પણ. બગડેલી બુદ્ધિ બગાડે, સુધરેલી બુદ્ધિ સુધારે. માટે કહ્યું છે કે બુદ્ધિમાં વધારો નહિ માંગવો પણ સુધારો માંગવો, સુધરેલી બુદ્ધિ એ સદ્ગદ્ધિ છે-પ્રજ્ઞા છે-વિવેક છે. : વર્તમાનમાં અનેક પ્રકારની વિડંબનાઓ વેઠીને કદર્થનાપૂર્વક બૂરી હાલતે મરતાં અનેક જીવોના મૃત્યુને જોઈને હે જીવ! તું એ વિચાર કે પૂર્વના અનેક ભવોમાં તારા પણ આવા જ મૃત્યુ થયેલા છે. વારંવાર વિચાર કરીને તે જીવ ! તું આ સંસારથી વિરામ પામ, પાપથી પાછો 'ફર અને વૈરાગ્યને પ્રગટાવ ! વર્તમાનમાં જુદા જુદા જીવોના જુદા જુદા પ્રકારના મૃત્યુ, એ તારા પૂર્વના અનેક ભવોના સરવાળાના મૃત્યુ રૂપ છે. આ સંસાર દેહ સંબંધે પોતાનો લાગે છે-સાચો લાગે છે-સારો લાગે છે. જીવને અનાદિકાળથી દેહમાં હું પણું છે તેથી દેહ સંબંધી પદાર્થોમાં લાગણી પ્રવર્તે છે. તે પદાર્થોનો વિયોગ થતાં લાગણી કચડાય છે અને તેથી દુઃખ અનુભવાય છે. પરંતુ દેહ જ પોતાનો નથી-મિથ્યા આસનસ્થ રહેવું એ કાયયોગનું ધ્યાન છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ 1212 , હૃદય નયન નિહાળે જગધણી છે, દેહમાં હું પણાની બુદ્ધિ એ જ ભ્રાન્તિ છે; એ સમજાઈ જાય તો દેહ અને દેહના સંબંધોમાં પોતાપણું, સાચાપણું ને સારાપણું લાગે નહિ. આવી સમજ જો આવે તો ગમે તેવા સંયોગ-વિયોગમાં પણ દુઃખ ન થાય. પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય આત્મામાં નિરંતર દૃષ્ટિ ટકે, તો જ સંસારનો અંત આવે અન્યથા નહિ. “શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો.” વીર્ય ગુણ બળવાન થાય ત્યારે શું થાય ? તે હવે યોગીરાજ જણાવી રહ્યા છે – ઉત્કૃષ્ટ વીરજને વેસે, યોગ ક્રિયા નવિ પેસે રે, યોગમણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રે.. વીર.૪ અર્થ : જ્યારે આત્માનો વીર્ય ગુણ ઉત્કૃષ્ટપણે ખીલી ઉઠે છે ત્યારે મન, વચન, કાયાના યોગોની પ્રવૃતિ તેમાં પ્રવેશ પામી શકતી નથી, યોગ શક્તિ જ્યારે ધ્રુવતાને અર્થાત્ સ્થિરતાને પામે છે ત્યારે આત્મ વીર્ય તે સ્થિરતાને ખસેડતું નથી. ત્રીજી કડીમાં શુભમાં પ્રવેશ કરવાની વાત વણી લેવાઈ છે હવે ચોથી કડીમાં શુભમાંથી શુદ્ધની પરાકાષ્ઠાને પામવાની પ્રક્રિયાને કવિશ્રીએ ગૂંથી લીધી છે. વિવેચનઃ જેમ જેમ ઉપયોગની વિશુદ્ધિ વર્ધમાન બને છે, તેમ તેમ ઉપર-ઉપરના ગુણસ્થાનક ઉપર આરોહણ થતું જાય છે અને ત્યારે મન-વચન-કાયાની પ્રવૃતિ પણ ઘટતી જાય છે. આ યોગની જે સ્થિરતા પુણ્યનો ઉદય, દુઃખને દબાવે છે; દુઃખનો નાશ નથી કરી શકતો. જે પાપનો નાશ કરી શકે છે તે દુઃખનો નાશ કરી શકે છે. માટે જ “સત્વ પાણાસણો” કહ્યું છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી , 1213 - I218 પ્રગટે છે, તેને વિશુદ્ધ બનેલ ઉપયોગ ખસેડતી નથી અર્થાતુ યોગોની અચલતાને તે ડગાવી શકતી નથી. વર્ધમાન વિશુદ્ધ ઉપયોગકાલે યોગોની સ્થિરતા પણ વર્ધમાન બને છે. જો કે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે કાયયોગ અને વચનયોગના માધ્યમે આહાર, વિહાર, દેશનાદિની પ્રવૃત્તિ હોય છે; તેને લીધે એક સમયનો ઇર્યાપથિક બંધ હોય છે પણ તે બંધ સંસારને વધારનારો હોતો નથી. કારણકે ત્યાં પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ જ હોય છે, રસબંધ અને સ્થિતિબંધ નથી હોતા. બળી ગયેલી સિંદરી-દોરડી જેવો બંધ હોય છે. પહેલે સમયે બંધ, બીજે સમયે ઉદય અને ત્રીજે સમયે તે નિર્જરી જાય છે. કારણકે ત્યાં અકાષાયિક યોગકંપન એટલે કે માત્ર આત્મ પ્રદેશોમાં સામાન્ય કંપન હોય છે. જ્યારે તેનાથી નીચેના ગુણસ્થાનકોમાં તો યોગની સાથે કષાય હોય ત્યારે તો આત્માના પ્રદેશો ચૂલા પર ચડેલા પાણીની જેમ ખદબદતા-ઉછળતા હોય છે એટલે ત્યાં વીર્યગુણનું સહજ પ્રવર્તન નથી હોતું. જ્યારે ચૌદમા અયોગી ગુણસ્થાનકે તો યોગ નિરોધ હોવાથી સંપૂર્ણપણે યોગોની સ્થિરતા છે તેથી ત્યાં આત્મપ્રદેશોનું જરા પણ કંપની નથી. ચૌદમા ગુણસ્થાનકે શેલેશીકરણ છે એટલે મેરૂની જેમ અડોલ અને નિષ્પકંપ બનેલ છે. એટલે ત્યાં કોઈ પણ કર્મપ્રકૃતિનો બંધ નથી અને સિદ્ધ અવસ્થામાં તો શુદ્ધ, નિરંજન, નિરાકાર સ્થિતિને તે પ્રાપ્ત કરે છે. " મોહનીય કર્મના સદ્દભાવમાં, વેદનીય કર્મ પહેલાં સુખ-દુખની લાગણી ઉત્પન્ન કરતું હતું, તે અસર હવે સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ એટલે કેવલી અવસ્થામાં શાતા-અશાતા માત્ર દશ્યરૂપે રહી. નામકર્મ તથા ગોત્રકર્મ, પહેલાં દેહભાવ અને અભિમાન પોષવામાં નિમિત્ત બનતા હતાં, તે હવે આત્મભાવકારક અને પૂર્ણ પ્રભુતાદર્શક બને છે. આયુષ્ય કર્મ સ્વરૂપને દબાવી શકે છે પણ સ્વરૂપનો નાશ નથી કરી શકતાં. જ્યારે પાપનો નાશ થઈ શકે છે પણ પાપ છૂપાવી નથી શકાતું. Page #390 -------------------------------------------------------------------------- ________________ 1214 , હૃદય નયન નિહાળે જગધણી , કર્મ, પહેલાં દેહની મૂછ વધારનારું બનતું હતું, તે હવે લોકોપકારક બનીને રહે છે. આમ ઘાતકર્મનો નાશ થતાં અઘાતી કર્મ માત્ર આકાર રૂપે જ રહી જાય છે. ઘાતી કર્મોની સીધી અસર ઉપયોગ પર પડે છે જ્યારે અઘાતકર્મોની અસર આત્મપ્રદેશ અને દેહ ઉપર પડે છે. આમ આ ચોથી કડીમાં વીર્યગુણને વિશુદ્ધ અને વર્ધમાન કરવા દ્વારા યોગોની સ્થિરતા વધારતાં વધારતાં અંતે અયોગી અને સિદ્ધ બનવાની વાત કવિશ્રી કરી રહ્યા છે. આખીય આત્મઉત્થાનની એટલે કે આત્માના પરમાત્મસ્વરૂપની પ્રગટી કરણની-આત્મ વિકાસની પ્રક્રિયા આ પ્રમાણે છે. ચોથુ ગુણઠાણું પ્રાપ્ત થતાં મિથ્યાત્વરૂપ પર પરિણતિ જાય છે એટલે કે ત્યાં વિપર્યાસ મુક્તિ મળે છે. પાંચમું અને છઠું ગુણઠાણું પ્રાપ્ત થતાં અવિરતિરૂપ પર પરિણતિ જાય છે એટલે ત્યાં ભોગમુક્તિ મળે છે. સાતમા ગુણઠાણે પ્રમાદરૂપ પરિણતિ જતાં પ્રમાદમુક્તિ મળે છે. આઠમા ગુણઠાણે ધર્માનુષ્ઠાનરૂપ પરપરિણતિ જાય છે એટલે ક્રિયામુક્તિ મળે છે. નવમા અને દશમા ગુણઠાણે પણ ક્રિયામુક્તિ જ છે. કારણકે ઉપયોગ સ્વરૂપમાં લીન-લીનતર બન્યો છે. બારમા ગુણસ્થાનકે કષાય સર્વથા નાશ પામ્યા હોવાથી મોડમુક્તિ મળે છે. તેરમા ગુણસ્થાનકે છદ્મસ્થભાવરૂપ પર પરિણતિનો નાશ હોવાથી મૌન રહેવું એ વયનયોગનું ધ્યાન છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી , 1215 અજ્ઞાન મુક્તિ મળે છે, ઉપયોગકંપન મુક્તિ મળે છે. ચૌદમા ગુણસ્થાનકે શૈલેષીકરણના બળથી યોગવ્યાપારરૂપ પરપરિણતિ જાય છે એટલે યોગકંપન મુક્તિ મળે છે. સિદ્ધ અવસ્થાના પ્રાગટ્યથી પ્રદેશ અસ્થિરતારૂપ પરપરિણતિનો નાશ થવાથી પ્રદેશ સ્થિરત્વરૂપ મુક્તિ મળે છે. કવિશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે પરાકાષ્ટાના વીર્ય પ્રવર્તનથી યોગક્રિયા શુભ હોય કે અશુભ એમાં પ્રવેશ થશે નહિ. યોગ નિવૃત્તિ થતાં અર્થાત્ યોગસંન્યાસ આવતા યોગધૈર્ય એટલેકે શેલેશીકરણ થશે. જેનાથી આત્મા અનંતવીર્યના બળે હેજે ખસશે નહિ-ચલિત થશે નહિ. એ અચલ, અમ્રુત, અવ્યય, અવ્યાબાધ બનશે. કાળની ગતિ વિષમ છે. ભલભલા ચક્રવર્તીઓ પણ જોતજોતામાં ચાલતા થઈ ગયા છે. માટે પ્રમાદી ન બનવા ઉપર આ કડીમાં ભાર મૂકવામાં આવ્યો છે. ' અયોગી અવસ્થાને આત્મા કેવી રીતે પ્રાપ્ત કરે છે, તેને હવે કવિશ્રી જણાવી રહ્યા છે. કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે, - શૂરપણે આતમ ઉપયોગી થાય તિણે અયોગી રે.. વીર..૫ અર્થ કામ વાસનાને વશ થએલો મનુષ્ય, જેમ પોતાના વીર્યને ભોગોમાં ફોરવવા દ્વારા ભોગી બને છે; તેમ શૂરવીર પુરુષ પોતાના આત્મામાં જ ઉપયોગ વીર્યને ફોરવીને તેના બળે અયોગી બને છે. વિવેચનઃ પુરુષ વેદના ઉદયથી જીવ સ્ત્રીને ભોગવવાની ઈચ્છા નિર્વિચાર-નિર્વિકલ્પ બનવું એ મનોયોગનું ધ્યાન છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ 1216 , હૃદય નયન નિહાળે જગધણી કરે છે અને સ્ત્રી વેદના ઉદયથી પુરુષને ભોગવવાની ઇચ્છા થાય છે, જેને ઈચ્છાકામ કહેવાય છે અને પછી તે ઇચ્છાની તૃપ્તિ કરવા ભોગવે છે, જેને મદન કામ કહી શકાય. તેવી જ રીતે શૂરવીર બનીને-પરાક્રમ ફોરવીને નિજ સ્વરૂપમાં ઉપયોગવંત બનીને કાળ પસાર કરતાં અંતે આત્મા અયોગી બને છે. કામવાસનાના બળે ભોગ ભોગવવાની ઈચ્છા થતાં ભોગો ભોગવીને અનંતા આત્માઓ ભોગી બન્યા છે, બને છે અને ભવિષ્યમાં બનશે. મનુષ્ય લોકના તો ઠીક પણ દેવલોકની દેવાંગનાઓ સાથેના કામભાગોને પણ આ જીવે અનંતીવાર ભોગવ્યા છે; તો પણ જીવ ક્યાંય તૃપ્તિ પામ્યો નથી. પૂ.પાદ ધર્મદાસ ગણિ ઉપદેશમાળામાં જણાવે છે કે, “પાપી, પ્રમાદને વશ, સંસાર કાર્યમાં ઉઘુક્ત એવા આ જીવે અનંતીવાર નરક ગતિના દુઃખો ભોગવ્યા છતાં સંસારથી નિર્વેદને પામ્યો નહિ અને અનંતીવાર દેવલોકના સુખો ભોગવ્યા છતાં તૃપ્તિને પામ્યો નહિ. જેમ જેમ દુઃખ આવે તેમ તેમ તેનાથી બચવા તેનાથી છુટવા જીવ નવા નવા પાપો કર્યા કરે છે અને જેમ જેમ સુખ મળે તેમ તેમ નવા નવા સુખોની ઈચ્છા કર્યા કરે છે એટલે તૃપ્તિ ક્યાંથી થાય?” દુઃખને સમાધિપૂર્વક ભોગવવા એ દુઃખથી છૂટવાનો માર્ગ છે. પણ દુઃખના કાળમાં નવા નવા પાપો કરવા, એ વધુ દુઃખી થવાનો અને સંસારમાં રખડવાનો માર્ગ છે. વૈરાગ્ય કલ્પલતામાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા લખે છે કે – रम्यं सुखं यद्विषयोपनीतं, नरेन्द्रचक्रि त्रिदशाधिपानाम् । समाहितास्तज्जवलदिन्द्रियाग्नि-ज्वालाघृताहुत्युपमं विदन्ति॥ . જે સંપ્રદાય પાસે કર્મયોગની વાત નથી તે ગમાર છે અને જે સંપ્રદાય પાસે, જ્ઞાનયોગની વાત નથી તે બેવકૂફ છે. દરેક સંપ્રદાય પાસે કર્મયોગ તેમજ જ્ઞાનયોગ હોવો જોઈએ. Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી 1217 નરેન્દ્ર, ચક્રવર્તી અને ઇન્દ્રોને વિષયોના ભોગવટાથી જે અત્યંત રમણીય સુખ પ્રાપ્ત થાય છે તે સુખને, સમાધિમાં મગ્ન બનેલા યોગીઓ સળગતા અગ્નિમાં ઘીની આહુતિ આપવા તુલ્ય ગણે છે. મનુષ્યલોકના ભોગોની અપેક્ષાએ દેવલોકના સુખોનો કાળ પલ્યોપમ અને સાગરોપમોનો છે. ત્યાંના આટલા દીર્ઘકાળના ઊંચા સુખોથી જે તૃપ્તિ નથી પામ્યો તે મનુષ્યલોકના અલ્પકાળના તુચ્છ સુખોથી તૃપ્તિ કેમ પામશે ? જે સિંધુથી તૃપ્તિ નથી પામ્યો તે બિંદુથી કેમ પામશે ? સંસારના એ સુખો બિંદુ તુલ્ય તો છે જ પણ પાછા અસ્થાયી છે. એની આગળ અને પાછળ દુઃખ છે ઉપરાંત પરના માધ્યમથી મળતું હોવાથી તે પરાધીન છે. આવા સુખને ભોગવનારને ભોગી કહ્યો છે કારણકે એમાં આત્મસુખનો-સ્વભાવનો ભોગ લેવાય છે. ધન વૈભવ કે વિષયોના વારંવારના ભોગવટાથી તૃપ્તિ છે જ નહિ. તૃપ્તિ તો જ્ઞાન અને ધ્યાનથી જ છે. વિષયોથી અતૃપ્ત બનેલાં ઇન્દ્ર, નરેન્દ્ર કે ઉપેન્દ્રાદિ પણ સુખી નથી; આ શ્રદ્ધાને વારંવાર દઢ કરી જીવે વિષયોમાંથી ઉપયોગને પાછો ફેરવવાનો છે અને પોતાનું વીર્યપરાક્રમ-શૌર્ય પોતાના સ્વરૂપની દિશામાં જ વાળતાં રહેવાનું છે. એટલે કે પોતાના ઉપયોગને ઉપયોગમાં રાખવાનો છે. સાધનાકાળમાં પ્રયત્નપૂર્વક દરેક પરિસ્થિતિના દષ્ટા બની રહેવાનું છે. સાધનાતીત થયે છતે તો સહજ જ્ઞાતાદષ્ટા બની રહેવાય છે અને નરસુખ, સુરસુખની પેલે પારનું શાશ્વત સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ, શુદ્ધ, સહજ શિવસુખ ભોગવાય છે. સ્વરૂપની દિશામાં વીર્યને ફોરવવાથી ભીતરમાં પડેલો સંસાર નીકળતો જ જાય છે, બીજી કોઇ રીતે નહિ. દિશા બદલાયા વિના દશા કોઈ કાળે બદલાય નહિ એવો નિયમ છે. કર્મ અને ધર્મની લડાઈમાં અંતિમ વિજય ધર્મનો જે જીવ પોતાનામાં રહેલ કર્તા-ભોક્તા ભાવના દર્શન કરે છે, તે સ્વદોષ દર્શન કરી શકે છે અને તે જીવ પરમાત્માના દર્શન પામી શકે છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ 1218 અ 1218 હૃદય નયન નિહાળે જગધણી જ હોય, જો કર્મનો વિજય હોત તો આજે ૪૫ લાખ યોજનાની સિદ્ધશિલા ખાલી હોત, પણ સિદ્ધશિલા ઉપર રહેલા અનંતા સિદ્ધો ધર્મના અંતિમ વિજયની સાક્ષી પૂરે છે. સ્વરૂપની નિરંતર સાધના દ્વારા ચિદાનંદની મસ્તીમાં મસ્ત બનેલ આત્મા, ક્ષપકશ્રેણી ગત સર્વોત્કૃષ્ટ વીર્ય ફોરવી, વીતરાગ-સર્વજ્ઞ બની, અયોગી બનવા દ્વારા સિદ્ધત્વને પામે છે અને પર્યાય સદશતા અને પ્રદેશ સ્થિરતાને પામે છે. મનુષ્ય જન્મ અને પ્રભુશાસન ઘણી ઘણી પુન્યાઇથી મળેલ છે. જીવન પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યું છે. તેને ભોગ, નિંદા, કુથલી વગેરેમાં ન વેડફતાં એકમાત્ર ધ્યાન સાધનામાં જોડી, આપણે સાધ્યના શિખરો સર કરવાના છે, એવું તાત્પર્ય આ કડીમાંથી નીકળે છે. - કવિશ્રીના સ્તવનની પ્રત્યેક કડીનું હાર્દ પરમાંથી નીકળી સ્વમાં સમાવા તરફનું જ હોય છે. મોક્ષગામી એ મહાત્મા આપણને સહુને પણ મોક્ષ પ્રતિ ગમન કરવા પ્રેરી રહ્યા છે. ' , સાચુ વીરપણું એ આત્મામાં કરવામાં જ છે; એવા ભાવને જણાવતી હવે આ કડી છે. વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવ પદ પચિાણે રે..વીર..૬ અર્થ કવિશ્રી જાણે કે પ્રભુને ઉદ્દેશીને કહી રહ્યા છે કે હે નાથ! આપની વાણી દ્વારા- આપના શાસ્ત્રો દ્વારા તેમજ મારી શક્તિ મુજબ ધ્યાન-વિજ્ઞાને કરીને હું એવું સમજ્યો છું કે, વીરપણું એ ઉપર ઉપરના સ્વરૂપનું વેદન આત્મ નિવેદન વિના થઈ શકે નહિ. Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી 1219 ગુણસ્થાનકની શ્રેણીએ ચઢવામાં છે. પોતાનું સ્થિરપદ-વીરપણું એ પોતાનામાં જ છે, તેને જીવ પિછાને અર્થાત્ ઓળખે-પહેચાને. ઃ વિવેચન : પ્રભુ પાસે વીરપણું માંગવાનો વિચાર કરતાં કવિશ્રીને પ્રભુએ કહેલા ઉપદેશનું સ્મરણ થયું એટલે તેઓ પોતે જ ખુશી થઇને કહે છે કે હે નાથ! મેં આપની પાસે વીરપણું માંગ્યું ત્યારે મારી સ્મૃતિમાંથી આપની કહેલી વાત ભૂલાઇ ગઇ હતી કે, “દરેક જીવો સત્તાએ આપના જેવા જ છે એટલે કે દરેકના આત્મામાં સત્તાએ વીરપણું રહેલું જ છે. દરેક જીવો પોતાના ગુણોએ કરીને પૂર્ણ છે” એ વાત સ્મૃતિમાં આવતા ખાત્રી થઇ કે તે વીરપણું તો મારામાં જ છે, તેના પ્રત્યક્ષ અનુભવ થઇ શકે છે તેમજ ગુરુપરંપરાથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેના માધ્યમે પણ વીરત્વનો અનુભવ કરી શકાય છે. જ્ઞાન અને ધ્યાન જેમ જેમ વધતાં જાય છે, તેમ તેમ આત્માનુભૂતિની દિશા ખુલતી જાય છે. “વીરપણું તે આતમ ઠાણે'' કહેવા દ્વારા કવિશ્રી જણાવે છે કે પોતાના આત્મામાં રહેવામાં જ સાચું વીરપણું છે. આત્મામાં ઠરવામાં જ સાચી વીરતા છે. વીર્યની અનંતતાથી વીરપણું છે. મારા આ વીરપણાની જાણ હે નાથ ! આપની વાણીથી થઈ છે કે જેવી ઘેટાંના ટોળામાં ઉછરેલા સિંહબાળને એના સિંહપણાની ઓળખ વનરાજ સિંહે કરાવી હતી. ભગવાન પતંજલિ પણ કહે છે કે, આપ્ત પુરુષના વચનરૂપ આગમ વડે, એ આગમને અનુસરનારા અનુમાન જ્ઞાન વડે તેમજ સમિતિ ગુપ્ત્યાદિના પાલનરૂપ યોગાભ્યાસ રસ વડે; એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને સમ્યગ્ બનાવતો-નિર્મળ બનાવતો આત્મા, પાપરૂપી સંમોહનો નાશ કરી શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન દ્વારા આત્મતત્ત્વના સાક્ષાત્કાર રૂપ ઉત્તમ તત્ત્વને પામે છે; અન્યથા નહિ. શ્રુતજ્ઞાન પાણી જેવું છે, જે તરસ તીર્થંકર ભગવંતનું જન્મકલ્યાણક એટલે સમકિત વર્તે છે અને મિથ્યાત્વનો નાશ કરેલ છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ 1220 , હૃદય નયન નિહાળે જગધણી 1220 % છીપાવે છે. ચિંતાજ્ઞાન દૂધ જેવું છે, જે ભૂખ ભાંગે છે અને પોષણ કરે છે જ્યારે ભાવના જ્ઞાન અમૃત જેવું છે, જે મૃત્યુ નિવારે છે. આત્મ તત્ત્વનો સાક્ષાત્કાર કરવા માટેનો આ રાજમાર્ગ છે. જેણે આત્મા જાણ્યો તેણે બધું જ જાણ્યું. જૈન કુળમાં જન્મીને અને વીતરાગને માથે રાખીને પણ જેણે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માનું શોધન નથી કર્યું, તે ભાવ જૈન નથી. પછી ભલેને તે પંચમહાવ્રતધારી સાધુ કેમ ન હોય? પરમાત્મા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે તેથી પરમાત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ-પર્યાય સ્વરૂપનું ધ્યાન કરવાથી અનંતા સિદ્ધોનું ધ્યાન થાય છે. આત્માના પ્રત્યેક ગુણને પવિત્ર રાખવો તે જ આત્માનો ધર્મ છે.. “વિનાણે” એટલે સમજણના ઘરમાં કરવું એ જ ધર્મ પ્રાપ્તિની સાચી ક્રિયા છે. આત્માને પોતાની વીરત્વ શક્તિની પિછાન થઈ નથી માટે જ બધી ગરબડ ચાલે છે. તેની પિછાન થયા પછી મિથ્યાત્વ ભાગવા માંડે છે. જેનામાં વીરરસ ઉછળ્યો તે પુરુષ મળે છે. તે આંતર શત્રુઓને ખતમ કરવામાં પાછી પાની કરતો નથી. શ્રી વીર વાણીનો આ લલકાર છે કે હે આત્મ! તું પોતે જ વીર છો! વીરત્વ બહારમાં ક્યાંય નથી ! તારામાં જ છે ! તારી ભૂલથી જ તારું વીરત્વ ઢંકાઈ ગયું છે, જેથી તે તારામાં હોવા છતાં તારી નજરે ચડતું નથી. તારા અનંતાનંત ગુણો ઉપર કાર્મણ વર્ગણા કર્મરૂપ બનીને ચોંટી ગઈ છે, તેને સાફ કરવાનું અને ગુણોને પવિત્ર કરવાનું કામ ધ્યાન દ્વારા જ થશે. તારો ધર્મ તારી ભીતરમાં પડ્યો છે. ધ્યાનની પ્રક્રિયા દ્વારા કેવળી ભગવંતનું અપાતિકર્મના ઉદયરૂપ, જેવું ઉપયોગથી અદિય અને , યોગથી સક્રિય જીવન છે, એવું આપણે સાધનાકાળમાં છાયારૂપે ઉતારવાનું છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી & 1221 અંતરના ભાવો વિશુદ્ધ બને છે ત્યારે આત્માનો આત્મધર્મ આત્મામાંથી પ્રગટે છે. આત્મા પોતે જ અવિચળ ધ્રુવ તત્ત્વ છે. નિજ ધ્રુવ પદ પહિચાણેપોતાના ધ્રુવ પદની ઓળખાણ આત્માને, તે જ્ઞાન અને ધ્યાનની ક્રિયા જ કરાવશે. આમાં ઉતાવળ કામ લાગે તેમ નથી. ધૈર્ય રાખી સાધનાના માર્ગે ડગ માંડતા રહેવાનું છે. સંકુચિતતાને દૂર કરી વિશાળતા અને ઉદારતાદિ ગુણોની વૃદ્ધિ થતાં સાધકને જરૂર પોતાનો આત્મા એક વખત પરમાત્મ સ્વરૂપે અનુભવાય છે. આ પરમાત્મ સ્વરૂપની અનુભૂતિ એ જ સાચું વીરત્વ છે અને વીરત્વની પ્રત્યક્ષ પહેચાન છે. એ આત્મા સાક્ષાત્કાર છે. ' - આનંદઘન પ્રભુ આત્મા જાગે છે ત્યારે કર્મો તેનાથી દૂર ભાગી જાય છે; તે વાતને હવે કવિશ્રી જણાવી રહ્યા છે. : આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, “આનંદઘન” પ્રભુ જાગે રે.. વીર.૭ ' અર્થઃ અખંડ જ્ઞાન, દર્શન અને વૈરાગ્યની સાધનાના બળે ભીતરમાં રહેલ આનંદઘન પ્રભુ; જ્યારે જાગે છે ત્યારે અસમર્થ દશામાં લીધેલા મન-વચન-કાયા અને બીજા બહારના આલંબનો-ઉપકરણો છૂટતા જાય છે અને પુદ્ગલ પરિણતિ-પર પરિણતિ દૂર ભાગી જાય છે. વિવેચનઃ આત્મા જ્યારે અસમર્થ હોય છે ત્યારે તેને આગળ વધવા માટે દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે બહારના આલંબનોનો આધાર ઘણો લેવો પડે છે. જીવમાત્ર નિમિત્ત વાસી છે અનાદિથી આપણે નિમિત્તોના આધારે જ જીવવા ટેવાયેલા છીએ એટલે જ્ઞાની પુરુષો અશુભ નિમિત્તના તીર્થકર ભગવંતનું દીક્ષાકલ્યાણક એટલે અવિરતિનો નાશ કરેલ છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ 1222 હૃદય નયન નિહાળે જગધણી અવલંબનથી થતાં નુકસાનથી બચવા શુભનમિત્તનું આલંબન લેવાનું કહે છે; તેના અવલંબને શુભભાવ કરવા બહુ સહેલા બને છે. શુભ ભાવ દ્વારા શુભપરિણતિને અસ્થિમજ્જા બનાવવાની છે. તે અસ્થિમજ્જા થયા પછી પોતાના શુદ્ધ ચૈતન્યમાં આસન જમાવવાનું છે. મૂળને પકડવાથી શીઘ્ર પરિણામ મળે છે. આપણે અપૂર્ણ (Imperfect) - છદ્મસ્થ આત્મા હોવાના કારણે પરમાત્માને પામવાના ધ્યેય માટે આપણાથી ઓછા અપૂર્ણ એટલે આપણાથી કંઈક ઊંચા-આગળ વધેલા આત્માની સહાય લઇને આગળ વધીએ છીએ કે જેઓ જગતમાં ગુરુ તરીકે ઓળખાય છે. પરંતુ આ ધાર્મિક યાત્રામાં ચોક્કસપણે એક એવો સમય આવે છે કે જ્યાં આપણને બહારના માર્ગદર્શકો કે ધર્મશાસ્ત્રો મદદ કરી શકતા નથી. આત્માની શોધમાં-ધાર્મિક યાત્રાના આ છેલ્લા ચરણમાં, સાધકે પોતે પોતાના અંતકરણના માર્ગદર્શન પ્રમાણે, જાતે જ પુરુષાર્થ કરવાનો છે. આંતર શક્તિથી આ લડાઈ લડવાની છે. પોતાની આંતરિક જાગૃતિના સહારે જ આત્માએ મોક્ષ તરફ યાત્રા કરવાની છે અને બહારના બધા આવરણો અને પરિબળોથી મુક્ત થવાનું છે. જો કોઈપણ પ્રકારના પૂર્વગ્રહોમાં આપણે રાચતા હોઇશું તો શાસ્ત્રો આપણા માટે શસ્ત્રસમાન પૂરવાર થશે. જે પરમ સત્ય છે તેને માત્ર તર્કની દૃષ્ટિથી જ નહિ જોતાં અનુભવની એરણ ઉપર ચઢાવીને પ્રાપ્ત કરવાનું છે. મતદષ્ટિથી નહિ પણ તત્ત્વદ્યષ્ટિથી; ષડ્દર્શનની મીમાંસા કરતાં આત્માને વીતરાગ દર્શનની પ્રામાણિકતા સિદ્ધ થાય છે. આત્મજ્ઞાનની સમ્યક્ પ્રાપ્તિ વિના કેવળ તીર્થંકર ભગવંતનું કેવળજ્ઞાન કલ્યાણક એટલે કષાયનો નાશ કરેલ છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી ભક 1223 બાહ્ય ક્રિયા, વ્રતાદિ પાલન વગેરે કરવાથી ભીતરનો મોક્ષમાર્ગ ખુલતો નથી. તત્ત્વજ્ઞાનની પરિણતિ એ જાગરણ છે. તેના વિના કરાએલા આચરણ કાર્યકારી થતાં નથી. આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાની તૈયારી ન હોય તો વ્રત, તપ, જપ કરવા છતાં પણ સાધનામાં ઊંડાણ આવતું નથી, આત્માને ઓળખ્યો ન હોવાથી કલ્યાણ થયું નહિ, કેવળ બાહ્ય ક્રિયાઓ કરવાથી આત્મસિદ્ધિ થતી નથી. વસ્તુસ્થિતિ એ છે કે અભિપ્રાયમાં જરાપણ ભૂલ રહી જાય તો સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. તેથી પોતાની સર્વ શક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાડી દેવી તે શ્રેયસ્કર છે. સત્વ, રજ, તમો ગુણ સ્વરૂપ ત્રિગુણાત્મક પ્રકૃતિ ઉપર બહુ ભાર આપવા કરતાં પોતાના ત્રિકાળ ધ્રુવ પરમ પરિણામિકભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં આસન જમાવવું તે વધારે સારું છે. કષાયો એ તો કૌરવો જેવા છે. તેની સામે જ્ઞાની પુરુષની આજ્ઞા એ પાંડવો જેવી છે. એના સહારે પ્રકૃતિના રણમાં અહિંસક યુદ્ધ ખેલવાનું છે. વિજ્ઞાન વગર આ પ્રકૃતિનું યુદ્ધ જીતવું અશક્ય છે. બીજાને સમજાવવાનો બહુ પ્રયત્ન ન કરવો જોઈએ. આપણે બીજાને સમજાવી શકતા નથી. દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર અનુસાર જ સમજે છે. અંતર્ગત તો બધામાં એક સરખો પરમાત્મા રહેલો છે માટે બીજાના ગુણ કે દોષને નહિ જોતાં પોતાના અહંને જ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાધના જેમ જેમ દેઢ થતી જાય છે તેમ તેમ વૈરાગ્ય વધતો જાય છે. જ્ઞાન-દર્શન ઉપયોગ બહારમાં ન જતાં ભીતરમાં સ્થિર થવા માંડે છે. તે જેમ જેમ સ્થિર થાય છે તેમ તેમ બહારના શુભાશુભ તીર્થકર ભગવંતનું નિર્વાણ કલ્યાણક એટલે યોગ (દેહ)નો નાશ કરેલ છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ 1224 , હૃદય નયન નિહાળે જગધણી 12246 આલંબનો ઓટોમેટિક છૂટતા જાય છે અને તેમ થતાં શુભાશુભ પરિણતિ પણ આપમેળે જ દૂર થઈ જતાં શુભાશુભભાવથી પર એવી શુદ્ધાવસ્થાને જીવ પામે છે. स्वभाव सुखमग्नस्य जगत्तत्वावलोकिनः। । નૃત્વ નાચમાવાનાં, સાત્વિનશષ્યા - શાનસાર જેઓને પોતાના આત્માની, અન્ય દ્રવ્યથી ભિન્ન, એકાકી, શુદ્ધ પરમતત્ત્વસ્વરૂપ અવસ્થા ક્ષાયિકભાવે પ્રાપ્ત થયેલી છે, તેવા આત્માઓ તો અન્યદ્રવ્યના ગુણ-પર્યાયના કેવળ જ્ઞાતા-દૃષ્ટા હોવાથી તેઓને અન્યદ્રવ્યના કોઈપણ પરિણમનભાવનું કર્તુત્વ કે ભોકતૃત્વ હોતું નથી. ત્યાગ-તપ-સંયમની નિષેધાત્મક સાધના અને શાન-ધ્યાનની વિધેયાત્મક સાધના દ્વારા ભીતરમાં સુષુપ્ત રીતે રહેલા અનંત જ્ઞાનદર્શનમય આત્માને પર્યાયમાં પ્રગટ કરવાનો છે. એ જ્યારે જાગે છે ત્યારે પર પરિણતિને પર્યાયમાંથી ઉચાળા ભરવા પડે છે. અનાદિકાળથી અહો જમાવીને રહેલી પુગલ પરિણતિ, સ્વરૂપ સત્તાના જાગરણ સામે ટકી શકતી નથી. પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવા બહારના સાધનો કામ આવતા નથી. તે માટે તો ઉપયોગની કેળવણી એ જ એક અનન્ય સાધન છે. કેળવાયેલો ઉપયોગ જ સ્વરૂપમાં રહેવા સમર્થ બને છે. તેનાથી જ સંસાર પરિભ્રમણનો અંત આવે છે. સાધના દ્વારા સાધ્યની પ્રાપ્તિ માટે આગળ વધતાં સાધકને વિદનોની વણઝારમાંથી પસાર થવું પડે છે. તે વખતે પ્રણિધાન-સંકલ્પ દઢ ન હોય તો સાધનામાંથી નીચે ઉતરતા વાર લાગતી નથી. આ વિષયમાં મહાન તત્ત્વ ચિંતક ખલિલ જીબ્રાન લખે છે કે, સગવડોની દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિસ્તાર છે વ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ. Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરજી 1225 તૃષ્ણા આત્માની ભાવનાઓનું ખૂન કરે છે અને પછી તેની સ્મશાનયાત્રામાં તૃષ્ણા પાછળ દાંત કાઢતી ચાલે છે પણ હે અનંત આકાશના બાળકો ! તમે તૃષ્ણાના પાંજરામાં ન પૂરાઓ! જીવતાઓ માટે મરેલાઓએ બાંધી રાખેલી તૃષ્ણાની કબરોમાં તમે વસો નહીં ! તમે તમારા ઘરમાં તૃષ્ણાને સંઘરો નહિ કારણકે જે અનંત તમારામાં રહેલું છે તેનો વસવાટ તો આકાશના ભુવનમાં છે. પ્રભાતની ઝાકળ તેનું બારણું છે અર્થાત્ કુદરતના ખોળે જીવાતું જીવન એ તેનો દરવાજો છે અને રાત્રિના ગાન અને મૌન તેની બારીઓ છે અર્થાત્ સાધનામય જીવન તેની બારીઓ છે જેના દ્વારા અલ્પ, અલ્પ પ્રકાશ પ્રવેશી શકે છે. તેના દ્વારા જ તમે તમારી ભીતરમાં પ્રવેશી શકશો અને અનંત આકાશમાં છુપાયેલ તમારા તત્ત્વને તમે પામી શકશો ! અધ્યાત્મમાં લોકમાન્યને વ્યવહાર કહ્યો છે. જે બહુલતાએ બાહ્ય દશ્યસ્વરૂપ અને ક્રિયારૂપ છે. મોક્ષમાન્યને નિશ્ચય ગણ્યો છે જે અનુભૂતિ સ્વરૂપ છે. શુભ ક્રિયા, શુભ ભાવ, શુભ પરિણતિ એ બધો વ્યવહાર છે. શુદ્ધ પરિણતિ, શુદ્ધ સ્વરૂપમાં રમણતા એ નિશ્ચય છે. નિશ્ચય જેમ જેમ વર્ધમાન બને છે, તેમ તેમ વ્યવહાર છૂટતો જાય છે અને અંતે આનંદઘન પ્રભુ સ્વરૂપમાં સદાને માટે લીન બને છે. આદર્શ વ્યવહારના અવલંબને આનંદઘન પ્રભુને પામવા એ જ અધ્યાત્મનું ફળ છે. ક્રિયાના આધારે ભાવમાં પ્રવેશ છે અને ભાવના આધારે દૃષ્ટિ ખૂલતાં સ્વભાવની પ્રાપ્તિ છે. સૌ કોઈ આત્મા પોતાના આત્માને આનંદઘનમય બનાવે એ જ શુભભાવના ! કર્મબંઘ અને કર્મનો ઉદય એ જીવે કરેલા અધ્યાવસાયના પ્રતીક છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ 1226 હૃદય નયન નિહાળે જગધણી સામાન્ય જૈિન સ્તવન "" રાગ : સારંગ ... “પ્રભુ દર્શનની લગન...' નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે, કૈસે મિલેંગે, કૈસે મિલેંગે? દૂર દેખું મેં દરિયા ડુંગર, ઉંચે બાદલ નીચે જમીયું તલે રે. ધરતીમેં ઢુંઢું તિહાં ન પીછાનું, અનિ સહું તો મેરી દેહ જલે રે. આનંદધન કહે જસ સુનો બાતાં, એહિ મિલે તો મેરો ફેરો ટલે રે. નિરંજન૦૧ રૂપીનું લક્ષણ છે પ્રદેશ અસ્થિરત્વ અને પર્યાયની વિસદશતા. અરૂપીનું લક્ષણ છે પ્રદેશ સ્થિરત્વ અને પર્યાયની સદશતા. નિરંજન૦૨ નિરંજન૦૪ પોતાના સમકાલીન જ્ઞાની સાધક આત્મા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી આગળ પોતાની આંતરવ્યથા ઠાલવવા રૂપ પરમાત્મદર્શનની તરસની અભિવ્યક્તિ કરતું યોગીરાજશ્રી આનંદઘનજી પ્રભુગાન છે. ગાન કરી શકાય, ગાયકી થઈ શકે એવું ટૂંકામાં ટૂંકુ પણ ઊંડામાં ઊંડી વાત કરનારું ખૂબ જ સુંદર ગેય છે. નિરંજન૦૩ Page #403 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ हीं अहँ श्री सीमंधर स्वामीने नमः॥ Simandhar Swami Page #404 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વિયની મહાવટેહ હો યુએલવઈ વિજયના કુંડટિક પાર્ટ નગી મધ્યે વેર્તમાને વિચીતા અષ્ટ પ્રાતિહાર્યોથી શોભત, મોહક, આકર્ષક, ચોં-ઝીસ અતિશયોથી પ્રભાવક, માહિમાવંત, પાંત્રીસ ગુણ અલંકૃત વાણીથી તીર્થના સ્થાપક વિદ્યમાન તીર્થકટ ભગવંત શ્રી સીમંધરસ્વામીને અત્યંત ભાવ પૂર્વક ત્રિવધે 24ધે કોટી કોટી વંદના ! Page #405 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તવન 1227 જેને કોઈ અંજન નથી, કર્મના કાળા કલંક નથી, એવો જે નિઃઅંજન-નિરંજન, નિષ્કલંક છે, એવો મારો નાથ- મારો પરમાત્મા મને કેવી રીતે મળશે ? ‘કૈસે મિલેંગે ?'' ની પુનરુક્તિ કરે છે. ધૂન લગાવે છે અને પ્યાસ વ્યક્ત કરે છે. ક્યાં મળશે ? ક્યારે મળશે ? કેવી રીતે મળશે ? કોના થકી મળશે ? મળશે કે નહિ ? પરમાત્માના વિરહનો વલોપાત વ્યક્ત કરે છે. દૂર દૂર જ્યાં સુધી દેખી શકાય, નજર જ્યાં સુધી પહોંચે ત્યાં લાંબે લાંબે સુધી દેખવાનો - પરમાત્માને શોધવાનો થાય તેટલો પ્રયત્ન કરું છું ! દરિયા ઉપર નજર માંડું છું ! ડુંગરના શિખર ઉપર, કોતરોમાં, ગુફામાં, બખોલમાં બધે જ શોધ શોધ કરું છું ! ઊંચે ઊંચે આકાશમાં જોઉં છું ! આકાશમાંના વાદળોમાં શોધું છું ! જમીન ઉપર ભૂતલમાં અને જમીનની નીચે પાતાળમાં એમ ચોમેર દશે દિશામાં જલમાં, સ્થળમાં, સ્વર્ગમાં, પાતાળમાં પરમાત્માને શોધતો હું ફરું છું. હઠયોગીની જેમ ધરતીમાં સમાધિ લઉં છું તો ત્યાં પણ તે મળતો નથી. જલસમાધિથી કે હિમાલયની હાડ ઠારી નાંખતી શીતળ કંદરાઓમાં પણ તે જડતો નથી. બહારમાં બધેય ફરી વળતાં ક્યાંય તેનો અતોપતો મળતો નથી, તો ભીતરની હૃદયધરા ઉપર તેને ઢુંઢું છું-ખોજું છું-ખોળું છું ! પોતાના ખોળિયામાં પોતામાં જ એને હું ખોળું છું પણ ત્યાં હું એને ઓળખીપિછાની–પહેચાની શકતો નથી. અગ્નિ સહું છું ! એ ખોવાયેલાને ખોળવા પંચાગ્નિ તપ તપું છું ! પણ એમાં તો દેહ જલે છે - બળે છે. પરંતુ જે છું નહિ બળનારો અને નહિ બાળનારો એવો ઠરનારો અને ઠારનારો-સ્થિર - જેમ ત્રણ સરખી બાજુ અને ત્રણ સરખા ખૂણા મળતાં સમભૂજ ત્રિકોણ બને છે; એમ વીતરાગતા, સર્વજ્ઞતા અને નિર્વિકલ્પકતા; એ ત્રણે ભેગાં થતાં ત્રિભુવનપતિ બને છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ 1228 હૃદય નયન નિહાળે જગધણી રહેનારો અને સ્થિર રાખનારો આત્મા-પરમાત્મા મને જડતો નથી. જાતમાં જ જડાયેલો એ જડતો નથી. હે! યશોવિજયજી જવિજય મારી આનંદઘન-લાભાનંદની વાત કાન દઈ સાંભળો ! સંસારમાં કાળક્રમે કરીને સર્વ અપ્રાપ્તની તો પ્રાપ્તિ થઈ જઈ શકે છે પરંતુ જે પ્રાપ્ત જ છે તે પ્રાપ્તની પ્રાપ્તિ અત્યંત કઠિન છે. એ મળી જાય- એનો ભેટો થઈ જાય તો પછી આ જનમમરણના ફેરા અને ફેરફારી ને ફેરાફેરી બધું ટળી જાય એમ છે. ન માગવાનું રહે કે ન ત્યાગવાનું રહે ! ન મેળવવાનું રહે કે ન મેલવા મૂકવાનું રહે ! પર્યાય સદશતા અને પ્રદેશ સ્થિરત્વની પ્રાપ્તિ થઈ જતાં, પરમસ્થિરત્વને પ્રાપ્ત કરાય એમ છે. માટે જ એ નિત્યની ખોજ છે, જે એક માત્ર કરવા જેવી છે. મારે તમારે બધાંએ ! ન -- શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે અને મતિજ્ઞાન શ્રુતપૂર્વક હોય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ , 1229 - 1229 નિગોદથી નિવણ સુધીની નય સાપેક્ષ યાત્રી નય એ વિકલ્પ છે - દૃષ્ટિકોણ છે. વિકલ્પ છે તે વિચાર છે. વિચાર છે ત્યાં વ્યવહાર છે. વ્યવહાર છે ત્યાં અપેક્ષા છે તેથી સાપેક્ષતા છે. નય એ માન્યતાનો વિષય નથી. પણ વસ્તુતત્ત્વનો કોઈ એક દૃષ્ટિકોણથી સાપેક્ષ સ્વીકારનો વિષય છે. . નયની સમજથી સ્વરૂપની સમજ છે. માટે નય એ સાધન છે, જેનાથી સાધના થાય છે. નયમાંથી નયાતીત થવું તે લક્ષ્ય-સાધ્ય છે, જ્યાં પછી વ્યવહાર નથી, તેથી અપેક્ષા નથી એટલે કે નિરપેક્ષતા છે. નિગોદથી નિર્વાણ સુધીની નયાતીત થવાની નયાધારિત સાધના છે તે જીવને સાપેક્ષતામાંથી એટલે કે પરાધીનતામાંથી નિરપેક્ષતા અર્થાત્ સ્વાધીનતામાં લઈ જઈ શિવ બનાવે છે. નય સાપેક્ષ નિગોદથી માંડીને નિર્વાણ સુધીની જીવની યાત્રા, વિચાર કરતાં સંભવિત કાંઈક આવી હોવી જણાય છે. નૈગમ-સંગ્રહનય :- જીવનું નિગોદમાં હોવું અને સહુ અન્ય એક ક્ષણ પણ આત્મા સ્વરૂપથી જૂદો પડતો નથી. પરંતુ ભૂલ ત્યાં થાય છે, કે જ્યાં સ્વ૫ પોતાનું નથી ત્યાં, પરમાં-બહારમાં સ્વરૂપ સુખ શોધે છે, જેને ગ્રહણ કહેવાય છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ 1230 હૃદય નયન નિહાળે જગધણી નિગોદના જીવો સાથે જીવવું, મરવું એ નેગમ અને સંગ્રહનય સાપેક્ષ છે. નિગોદમાં જીવનું જડવત્ જીવન હોવા છતાં જીવતત્ત્વનો અને ગર્ભિત (પ્રચ્છન્ન-સત્તાગત) પરમાત્મતત્ત્વનો સ્વીકાર કરવો એ નૈગમનય સાપેક્ષ મંતવ્ય છે. વળી બધાય જીવોને પોતાના જેવા જ જીવરૂપ ગણવા એ સંગ્રહનય સાપેક્ષ મંતવ્ય છે. જાતિ ઐક્યતા એ સંગ્રહનય છે. સંગ્રહનય એ અભેદગ્રાહી હોવાથી બધા જીવોને જાતિ અપેક્ષા વડે અભેદથી ગ્રહણ કરે છે. નૈગમનય ભેદ-અભેદગ્રાહક છે. નૈગમનય ભેદ-અભેદગ્રાહી હોવાથી સંગ્રહ અને વ્યવહાર એ અપેક્ષાથી નેગમના ભેદ કહેવાય છે. સંગ્રહનય એ અભેદગ્રાહક નૈગમનય છે તો વ્યવહારનય એ ભેદગ્રાહક નૈગમનય છે. વ્યવહાર નય :- કાળ, સ્વભાવ, કર્મ, ભવિતવ્યતા અને પુરુષાર્થ આ પાંચ કારણ સમવાયમાંથી ભવિતવ્યતાની મુખ્યતા થયે છતે તે નિગોદના જીવનું સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી બહાર વ્યવહારમાં આવવું અને તેનું પૃથ્વીકાય આદિ નામકરણ થવું, બીજાની સાથે વ્યવહારમાં એટલે કે સંગમાં આવવું અને બીજાની સાથે વ્યવહાર થવો એ વ્યવહાર નય સાપેક્ષ મંતવ્ય છે અર્થાત્ તે વ્યવહારનય સંમત ક્રિયા છે કે, જેમાં જીવનું નામકરણ અને જીવના ભેદ છે. એ જીવનું નિગોદની અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવાગમન છે. એ અવ્યવહારરાશિની સુષુપ્તાવસ્થામાંથી વ્યવહારરાશિની સક્રિયતામાં પ્રવેશ છે. વ્યવહાર એ સંગ્રહનો વિધિપૂર્વક ભેદ કરે છે અને પર પુદ્ગલ સાથે અભેદ વ્યવહાર કરે છે. સ્થૂલ ઋજુસૂત્ર નય ઃ- વ્યવહાર રાશિમાં, ભવિતવ્યતાના પરિપાકથી આવ્યે છતે કાળનો પરિપાક થતાં જીવ અચરમાવર્તકાળ ઓળંગી ઘર્મનો અર્થ એ છે કે દેહના કર્તા-ભોક્તા ભાવ છોડવા, જ્યારે અઘર્મ એટલે દેહના કર્તા-ભોક્તા ભાવ યાલુ રાખવા. Page #409 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ , 1231 ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવે છે. ત્યાં પણ કર્મ પરિણામ મહારાજાની મહેરબાની થતાં જીવને પોતે કોણ છે?” તેની ઓળખ થાય છે. પોતે જડ નથી પણ ચેતન છે. ચેતનમાં પણ અતીત અનાગત સ્વરૂપે નથી, પણ વર્તમાનમાં વર્તતો છે. વર્તમાનમાં પણ વર્તતા અનંતા પોતાના જેવા બીજા જીવો છે, પરંતુ તે બીજા જીવોથી તદ્દન ભિન્ન સ્વકીય રૂપે છે પણ પરકીય નથી. આવી પોતાની આગવી ઓળખ જ્યાં થાય છે તે સ્થૂલ ઋજુસૂત્રનય સાપેક્ષ જીવ વિષયક વિચારણા છે, જે સ્વરૂપ વિચારણા છે. પોતાપણાની આગવી પ્રતીતિ અત્રે થાય છે. “હું” નું ભાન થાય છે. સ્વ ભાન થતાં જે પૂર્વે અભાન અને બેભાન હતો તે સભાન થાય છે. - સૂક્ષ્મ ઋજુસૂત્રનય :- આ નયની માન્યતા અનુસાર જીવને પોતાનું અંતઃકરણ એ જ પોતાનું લાગે છે પણ તે જ અંતઃકરણની તદ્દન નજીક અડીને રહેલ કાયા, વાણી, શ્વાસોચ્છવાસ, હલન ચલનાદિ ચેષ્ટા સેતાના લાગતા નથી. અહિંયા અંતઃકરણને સુધારવા ઉપર લક્ષ્ય છે. તેથી અંતઃકરણમાં વર્તતી રાગાદિભાવોની વિકૃતિ એ પણ પોતાની લાગતી નથી પણ અતઃકરણની નિર્મળતા, ગુણોનો વિકાસ, દોષોનો લાસ અને તેમાં પણ અહમ્ વૃત્તિનું અનુત્થાન, અહંનું અપ્રવર્તન એ જ પોતાના સમજાય છે. ટૂંકમાં કહીએ તો અહિંયા આત્મા એના મૌલિક સ્વરૂપમાં જેવો છે તેવો હજી સમજાયો નથી, તેથી તેની તે સ્વરૂપે શ્રદ્ધા થઈ નથી. તેથી ઉપયોગમાં શુદ્ધ આત્મતત્ત્વની ઝલક આવી નથી પણ મનઃસ્થિતિ કેવી હોવી જોઈએ એની સમજ-ઊંડાણ પકડાયું છે, તેથી મનને નિર્મળ બનાવવા ઉપર પ્રતિ સમયની જાગૃતિ વર્તે છે. માત્ર શબ્દના અર્થને સમજવાપણું જ નથી પણ ભાવને પકડીને તેના ઉપર આરૂઢ થઈ સમગ્ર અંતઃકરણને બદલી નાંખવા ઉપરનું લક્ષ્ય છે. શાસ્ત્રમાં જે વિહંગમ્ માર્ગ ઘર્મમાં પરિણમવું હોય તો નમ્રમાં નમ્ર બનો ! જાતને કીટવત્ સમજે ! અપમાન દરેકના સહન કરો ! સહન કરશો તો અહમ્ ગળશે. Page #410 -------------------------------------------------------------------------- ________________ 1232 , હૃદય નયન નિહાળે જગધણી અને પિપીલીકા માર્ગ બતાવેલ છે તે ઉભયમાંથી પિપલીકા માર્ગ પકડી ઉધ્વરોહણ-ઉર્ધ્વગતિનો પ્રારંભ આ ભૂમિકાએ થાય છે. આ તબક્કે અતીત, અનાગત અને પરકીયતા સ્વરૂપ વક્રતાનો ત્યાગ છે તથા વર્તમાનનો તેમજ સ્વકીય રૂપ ઋજુતાનો સ્વીકાર છે, માટે ઋજુસૂત્રતા છે. સર્પ દરમાં પેસતા પહેલાં વક્રગતિ છોડી સરળગતિ-સીધીગતિ પડે તેવી સ્વધામ-મુક્તિધામમાં પ્રવેશ પૂર્વેની સરળતા-ઋજુતા આ તબક્કે આવે છે. ઊંધાઈ-અવળાઈ હતી તે સીધાઈ-સવળાપણામાં પલટાય છે. . . નૈગમ અને વ્યવહારનય સંમત માન્યતામાં જીવનું પાપથી બચવાનું. લક્ષ્ય હોઈ શકે છે. પાપથી બચવા માટે થઈને પાપ પ્રવૃત્તિ ઘટી શકે છે. પરંતુ અંતઃકરણની એના યથાર્થ સ્વરૂપમાં ઓળખ નથી. વચન અને કાયા બહિષ્કરણ એટલે કે બહારના બાહ્ય સાધન છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણ એટલે કે અંદરના અત્યંતર સાધન છે, એવો ભેદ હજી પકડાયો નથી; તેથી મનમાં શુભભાવો વર્તે તો પણ પુણ્યબંધ દ્વારા સદ્ગતિનો માર્ગ છે પણ અંતઃકરણની યથાર્થ ઓળખ ન હોવાના કારણે અધ્યાત્મનો માર્ગ નથી. ગુણો ગમે છે, દોષો નથી ગમતા પરંતુ ગુણો જ ગમે છે, ગુણોની જરૂચિ છે એમ નથી અને દોષો ન જ જોઈએ તેમ નથી. દોષો પ્રત્યે તીવ્ર નફરત, તીવ્ર અરૂચિ નથી માટે કષાયોનું દબાવાપણું છે અને તેથી સદ્ગતિ હોઈ શકે પણ દોષો અને કષાયોનું ઘટવાપણું નથી. દોષોનો, કષાયોનો પાવર (ફોર્સ) ઘટે છે પણ તેની જાત બદલાતી નથી, બળ-પાવર ઘટે છે પણ તેની જાત બદલાતી નથી. દળ ઘટતુ નથી માત્ર ભાત બદલાય છે. તેથી આત્મવિકાસ અને સાનુબંધ સદ્ગતિ નથી. ઉપશમ છે પણ ક્ષય નથી. કષાયોની કાલિમાને ઢાંકવાપણું છે પણ કષાયોના કાઢવાપણાથી ઉજળાપણું એટલે કે શુદ્ધિકરણ નથી. જ્યારે અનંતાનુબંધી કષાય એટલે સ્થૂલતાએ દેહમાં “હું” બુદ્ધિ. તેમ સંજ્વલના કષાય એટલે સૂટમતાએ દેહમાં “હું” બુદ્ધિ. Page #411 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ $ 1233 ઋજુસૂત્રનય સંમત માન્યતામાં અંતઃકરણની યથાર્થ ઓળખ છે. દોષોના નાશનું અને ગુણવિકાસનું લક્ષ્ય છે. પ્રતિપળે જાગૃતિ છે માટે કષાયોનો સાનુબંધ નાશ સાનુબંધ ગુણોની પ્રાપ્તિ અને ઉત્તરોત્તર આત્મવિકાસ તેમજ સદ્ગતિની પરંપરા છે. અહિંયા રહેલ જીવ ગુણોની તીવ્રરૂચિના બળે ગ્રંથિભેદ કરી સમ્યગદર્શન પામી શકે છે. અહિંયા અંતઃકરણ અને આત્મા એ બેનો ભેદ-મર્મ પકડાયો નથી માટે અંતઃકરણને જ આત્મા માની ચાલવાપણું છે, આગળ વધવાપણું છે. : આ ભૂમિકાએ શ્રુતના આધારે આત્મબોધ થાય છે, જાતિ, લિંગ, વચન, કાળ ઇત્યાદિના ભેદ પડે છે. આ નય પૂર્વના નય કરતાં સૂક્ષ્મ હોવાથી અહિંયા શબ્દનું યથાર્થ અર્થઘટન છે અને તેના અનુસારે પ્રવર્તન છે. આ નયની માન્યતામાં વર્તતા જીવને આત્મા શબ્દના ઉચ્ચારણથી આત્મતત્ત્વ યથાર્થ પકડાય છે. અહિંયા રહેલા જીવને એ ખબર પડે છે કે અંતઃકરણ અને આત્મા બંને એકબીજાની નજીક નજીક છે પણ બંને એક નથી. સમીપતા છે પણ સરૂપતા નથી. અંતઃકરણ એ શેય છે અને “હું,' આત્મા-શુદ્ધાત્મા-ત્રિકાલ ધ્રુવ પરમપરિણામિકભાવ રૂપ કેવળ વિજ્ઞાન સ્વરૂપ છું. “હું,” અંતઃકરણ તેમજ બહિષ્કરણનો જ્ઞાતા છું. અહિંયા પ્રજ્ઞાનો પ્રકાશ તીવ્ર હોવાના કારણે અંતઃકરણને સુધારવા રૂપ જાગૃતિ વર્તે છે. પરંતુ ગમે તેટલું અંતઃકરણ નિર્મળ બને તો પણ તેને મારું માનવા રૂપ અજાગૃતિ વર્તતી નથી. પરંતુ અંત:કરણથી જુદા પડી તેમાં વર્તતા ભાવોને જોવા રૂપ અને સ્વીકારવા રૂપ દેખા ભાવ વર્તે છે. આ છે વિહંગમ્ માર્ગ. અહિંયા રહેલ આત્મા ક્યાંય અટવાતો નથી, ક્યાંય ઊભો રહેતો નથી. સડસડાટ આગળ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો પિપીલીકા માર્ગ એ ટ્રેનનો માર્ગ છે, પછી તે ટ્રેન લોકલ ટ્રેન હોય કે શબ્દ ભાવ વિહોણા નથી. પરંતુ આપણે જ ભાવહીન થઈને શબ્દને રટીએ છીએ અને શબ્દથી ભાવને પકડતા નથી, માટે ભાવ આવતાં નથી. Page #412 -------------------------------------------------------------------------- ________________ 1234 હૃદય નયન નિહાળે જગધણી ફાસ્ટ ટ્રેનનો માર્ગ હોય તે વાત જુદી છે. એથી અંતઃકરણમાં સુધારા સાથે મારાપણું છે, તેથી ત્યાં થોભવાપણું છે, અટકવાપણું છે. જ્યારે વિહંગમ્ માર્ગ એ પ્લેનનો માર્ગ છે, જ્યાં ક્યાંય મારાપણું કરવાનું નથી એટલે ત્યાં થોભવાપણું નથી પણ ઝડપી વિકાસથી આગળ વધવાપણું છે. પિપલીકા માર્ગમાં રહેલ જીવ-વિવેકી હોય તો એટલે કે પ્રાપ્ત ઔદયિક ભાવ કે ક્ષયોપશમ ભાવમાં મારાપણું ન કરે તો ૪-૫-૬-૭ ગુણસ્થાનકની સ્પર્શના કરી શકે છે, તે જ રીતે વિહંગમ માર્ગમાં પણ જીવ ૪-૫-૬-. ૭ ગુણસ્થાનક સ્પર્શી શકે છે. માત્ર ફેર એટલો જ છે કે પિપાલીકા માર્ગમાં ૪-૫-૬-૭ ગુણસ્થાનકે નીચેના કે મધ્યના અધ્યવસાય સ્થાનોની સ્પર્શના હોય છે જ્યારે વિહંગમ માર્ગમાં ઉપરના અધ્યવસાય સ્થાનોની સ્પર્શના હોય છે. પિપીલીકા માર્ગ સાતિચાર હોઈ શકે છે જ્યારે વિહંગમ માર્ગમાં તેનો સંભવ જણાતો નથી. પિપીલિકા માર્ગમાં ઉદયનું બળ વધારે છે તે અપેક્ષાએ વિવેકનું બળ અલ્પ છે માટે અટકીઅટકીને, ભવો કરી-કરીને મોક્ષે જાય છે જ્યારે વિહંગમ માર્ગમાં વિવેકનું બળ તીવ્ર છે અને તેની અપેક્ષાએ ઉદયનું બળ અલ્પ છે તેથી સડસડાટ મોક્ષ તરફ પ્રયાણ કરે છે. પિપીલીકા માર્ગમાં જીવને અટકવાપણું છે. અટકવાપણાનો સંભવ છે કારણકે તે ટ્રેનનો માર્ગ છે. ટ્રેનના માર્ગમાં મુસાફરી કરતા જીવને આજુબાજુ ઝાડ-પાન-વૃક્ષ-ગ્રીનરી-મકાનો, હવેલીઓ-ઝુંપડાઓ બધું જ જોવા મળે છે તેથી તેમાં સારા ખોટાની તુલના ન કરવી હોય તો પણ થઈ જાય છે એટલે ત્યાં મન ઊભું થઈ જાય છે. સારા ખોટાની ટકાવારી માંડે છે, અભિપ્રાય આપે છે. પુદ્ગલની દુનિયાનો ત્યાં સ્પર્શ છે એટલે અટકવાપણાનો સંભવ છે તેમ પિપલીકામાર્ગમાં અંતઃકરણ નિર્મળ આપણે ઘર્મકિયા (બાહ્ય) કરીએ છીએ પણ ઘર્મની ક્રિયા(અત્યંતર) કરતાં નથી. Page #413 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ , 1235 બનતાં જીવને તેમાં ગમો પેદા થઈ જાય છે એટલે ત્યાં ન અણગમો, ન ગમો એવી સ્વરૂપ વીતરાગતા જળવાતી નથી, એ જ ત્યાં અટકવાપણું કહી શકાય અથવા તો મંદગતિ કહેવાય. જ્યારે વિહંગમ માર્ગ એ પ્લેનનો કે રોકેટનો માર્ગ છે. જેમાં ઉપર ઉડતો ઉડતાં આકાશ-આકાશ અને કેવળ આકાશ જ દેખાય છે. પોતે સ્વયં ચિદાકાશ અને પોતે જ્યાં ઉડી રહ્યો છે તે આકાશ બંને અરૂપી, નિર્લેપ, નિર્મમ છે. પુદ્ગલની દુનિયાનો સ્પર્શ નથી તેથી મૂંઝારો નથી, ચકરાવો નથી, ભમરાવો નથી. માત્ર ગતિ નથી પણ પ્રગતિ છે. અટકવાપણું નથી, વિચારવાપણું નથી અને તેથી પુદ્ગલમાં ભાવમાં વિહરવાપણું પણ નથી. ત્યાં તો કેવળ ઉડવાપણું-ઉઠવાપણું છે; તે પણ ઉપર-ઉપર અને ઉપર જ! આમ પિપલીકા માર્ગ-ટ્રેનનો માર્ગ અને વિહંગમ્ માર્ગ - પ્લેનનો માર્ગએ બંનેનો ભેદ દષ્ટાંતથી પણ સ્પષ્ટ સમજી શકાય છે. પિપીલીકા માર્ગ એ ચાલવાનો-ચઢવાનો માર્ગ છે.જ્યારે વિહંગમ માર્ગ એ ઉંડવાનો માર્ગ છે. પિપીલીકા માર્ગમાં મનોવર્ગણાના પુદ્ગલોની સહાય લઈને તેને નિયત આકાર આપી તેની સહાયથી ચિંતન કરવાનું હોય છે એટલે ત્યાં અંતઃકરણને નિર્મળ કરવા રૂપ સ્પર્શના છે. જ્યારે વિહંગમ માર્ગમાં મનોવર્ગણાના પુદ્ગલોના અવલંબનની મુખ્યતા નથી. લાકડીનો ટેકો નથી. અંતઃકરણને જોવાની પ્રધાનતા છે. એટલે સ્પર્શવાપણું નથી પણ ઉડવાપણું છે. જ્યાં સ્પર્શ છે ત્યાં અસર છે માટે ત્યાં તેટલી કસર છે. જ્યારે ઉડવાપણામાં સ્પર્શ નથી પરંતુ છૂટા પડીને માત્ર જોવાપણું છે. ઉપસર્ગો આવે તો પણ જોવાપણું છે. આત્મામાં સમાઈ જવાપણું છે. એટલે ત્યાં અસર નથી માટે કસર નથી પણ અસર રહિતતા છે અને તે જ વીતરાગતા છે. અધ્યાત્મના માર્ગમાં આ રીતે વીતરાગતા તરફ ઉશ્યન બાહ્યદષ્ટિ એ બાલદષ્ટિ છે. આંતરદષ્ટિ એ પર્યાપ્ત(અધ્યાત્મ) દષ્ટિ છે. સમદષ્ટિ એ બ્રહ્મદષ્ટિ છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ 1236 હૃદય નયન નિહાળે જગધણી કરવાનું છે અને રાગમય સંસાર તરફ પીઠ કરતા જવાનું છે. અથવા તો એમ કહી શકાય કે એક માર્ગ, દાદરના એક એક પગથિયાની સ્પર્શના કરીને ઉપર પહોંચવાનો માર્ગ છે; તો બીજો માર્ગ લીફ્ટ/એલિવેટરમાં બેસી જઈ સડસડાટ ઉપર પહોંચવાનો માર્ગ છે. એકમાં પર્યાયને નિર્મળ કરતાં કરતાં ઉપર પહોંચવાપણું છે તો બીજામાં પલટાતી પર્યાયને પર-વિનાશી લેખી ધ્રુવ એવા દ્રવ્યને સ્વ-અવિનાશીને પકડીને સીધા જ દ્રવ્યથી અભેદ થવાપણું છે. રાગમય સંસાર તરફ પીઠ કરતા જવાનું છે. આ વિષયમાં કવિરાજ નવનીતના ઉદ્ગારો ઃ કેસરિયા વીરના યા હોમ, ફત્તેહ વિના ઝંપે નહિ, રણયોદ્ધાના ઉદ્ગારો કે, પરસત્તામાં અમે નહિ, ગ્રંથિબીજને કહી દીધું, તમે નહિં કે અમે નહિં, આતમજ્ઞાન સરળ સીધું સહજ થયે છકે નહિ, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખ્ખો હોજો રે ! માનવકાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નોખો રે ! સમભિરૂઢ નય :- આ નય વ્યુત્પત્તિ ભેદે, ભેદ માનતો હોવાથી પૂર્વના નય કરતાં સૂક્ષ્મ છે અથવા તો શબ્દ નય સૂક્ષ્મ છે તો સમભિરૂઢ નય સૂક્ષ્મતર છે. આ નવે પુણ્યાત્મા, પાપાત્મા, જીવાત્મા, શુદ્ધાત્મા, વિશુદ્ધાત્મા પરમાત્મા એક નથી પણ જુદા જુદા છે. આ નયનું કહેવું એમ છે કે શબ્દ ફરે એટલે અર્થ ફરે. પુણ્યબંધની પ્રધાનતાયે પુણ્યાત્મા, પાપબંધની પ્રધાનતાએ પાપાત્મા, દશપ્રાણોની પ્રધાનતાએ જીવાત્મા, અંતઃકરણની વિશુદ્ધતાએ શુદ્ધાત્મા, શેય-શાતાભાવની યથાર્થ જાગૃતિએ વિશુદ્ધાત્મા તો તેની પરમ જાગૃતિએ વિશુદ્ધ વિશુદ્ધાત્મા ક્ષપકશ્રેણિ આરૂઢ લોકેષણા (માનમોહનીય)નું ફળ લોક(યૌદરાજલોક) ભ્રમણ છે. લોકોની વાહ વાહ એ આત્માનું સ્વરૂપ નથી. Page #415 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 1237 જીવ અર્થાત્ ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં વર્તતા જીવોનો આત્મવિકાસ સમભિરૂઢનય માન્યતા અનુસારનો છે. અહિંયા વર્તતો જીવ સુપરસોનીક જેટવિમાનની ગતિએ પોતાના સિદ્ધિના શિખરો સર કરી રહ્યો છે. અહિંયા વર્તતા જીવને સાધ્ય નજીક નજીક આવી રહ્યું છે. આ ભૂમિકાએ સાધનામાં ઘનીભૂતતા છે અને કાળની પરિમિતતા છે. અહિંયા એકમાં જ અભિરૂઢ થયો થકો અત્યંત લીનતા પામે છે. એવંભૂત નય - આ નય પૂર્વના નય કરતાં પણ સૂક્ષ્મ છે એટલે કે સૂક્ષ્મતમ છે. અહિંયા વર્તતો જીવ આત્મા શબ્દનું યથાર્થ અર્થઘટન કરી તેમાં અવસ્થાન પામતો હોય છે. આત્મા શબ્દ વાસ્તવમાં તો પરમાત્મામાં જ ઘટી શકે. તેથી એવંભૂત નય ૧૩ મે ૧૪ મે ગુણસ્થાનકે કેવલી બનેલા આત્માને જ પરમાત્મા માનતો હોય છે. અહિંયા હવે ગતિ નથી હોતી, સ્થિતિ હોય છે. પ્રવાસ નથી હોતો, મુકામ હોય છે. આત્મવિકાસની આ અંતિમ અવસ્થા છે. ચરમ સીમા છે. આત્મા શબ્દનો ઔદંપર્યાય અહિંયા પમાય છે. નિગોદ એ આત્માની-ચેતનાની નિષ્કૃષ્ટ અવસ્થા છે. જેમાં અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો હોય છે. જ્યારે ૧૩-૧૪ મે ગુણ સ્થાનકે અનંતજ્ઞાન અને અનંત આનંદ ખુલ્લુ થયું હોય છે. એ આત્માનીચેતનાની ઉત્કૃષ્ટ અવસ્થા છે. દ્રવ્ય અને પર્યાયનું અભેદભાવે મિલન એ પરમાત્મ અવસ્થા છે. તેમાં પણ ૧૩ મે ગુણ સ્થાનકે યોગ પ્રવર્તન હોવાને કારણે યોગકંપને છે. જ્યારે ૧૪મે ગુણ સ્થાનકે યોગ નિરોધ હોવાથી શૈલેશીકરણ છે. યોગ શૈર્ય છે. જ્યારે સિદ્ધાવસ્થામાં તો પ્રદેશ સ્થિરત્વ છે અને પર્યાય સશિતા છે. નૈગમન સંકલ્પ છે તો એવંભૂતનય સંકલ્પસિદ્ધિ છે. સ્યાદ્વાર દર્શનમાં ગમ નયે આત્માના અસ્તિત્વનો એની નિકૃષ્ટ અવસ્થામાં પણ સ્વીકાર છે. સંગ્રહાયે જીવમાત્રમાં પોતાના લૉષણાએ કરીને આપણે ઊંચું નામકર્મ ઇચ્છીએ છીએ, જ્યારે વીશ સાગરોપમથી અધિક કાળના કર્મ, આત્મપ્રદેશે રહી શકતા નથી, તો પછી અનંતકાળ સુધી નામ ક્યાંથી રહેશે ? Page #416 -------------------------------------------------------------------------- ________________ 1238 હૃદય નયન નિહાળે જગધણી તૂલ્ય આત્મતત્ત્વનો સ્વીકાર છે પછી તે સંસારી આત્મા હોય કે પરમાત્મા હોય તે વાત જુદી. સંગ્રહનયથી જાતિસામ્યતાનો સ્વીકાર છે. જ્યારે વ્યવહાર નયે આત્મતત્ત્વનો સ્થૂલદષ્ટિથી સ્વીકાર છે તેમજ સત્કાર્યની રૂચિ એ પુણ્યબંધ દ્વારા સદ્ગતિનો માર્ગ છે પણ અહિંયા સુધી અધ્યાત્મ નથી કારણકે આત્મતત્ત્વની સાચી ઓળખ નથી. અધ્યાત્મની શરૂઆત ઋજુસૂત્રનયથી છે. તેમાં પણ સૂક્ષ્મ ઋજુસૂત્રનયની માન્યતાથી છે, નહિ કે સ્થૂલ ઋજુસૂત્રની માન્યતાએ. · સ્થૂલ ઋજુસૂત્ર નયે આત્મતત્ત્વની તાત્ત્વિક ઓળખમાં ભજના છે એટલે જો એ સૂક્ષ્મ ઋજુસૂત્ર સુધી પહોંચે તો આત્મતત્ત્વ ની ઓળખ કરી શકે છે, નહિ તો ત્યાં માત્ર શાબ્દિક ઓળખ છે પણ શબ્દોનું એના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાપણું નથી. શબ્દનયથી અધ્યાત્મ વેગ પકડે છે અને પ્લેન ગતિએ અધ્યાત્મમાં આગળ વધે છે. શરીર હોવા છતાં જાણે સાવ હલકુફુલ લાગે અથવા તો શરીર જાણે છે જ નહિ એવો ભાસ થાય તે શબ્દનય સંમત આધ્યાત્મિક વિકાસ છે. સમભિરૂઢ નયથી અધ્યાત્મમાં રોકેટ ગતિ છે. ત્યાં કર્મરૂપી ઈંધનને બાળી નાંખવા દાવાનળ તુલ્ય વિશુદ્ધિ વર્તે છે. આ નયમાં વર્તતા જીવનો ઉપયોગ એટલો વ્યાપક અને એટલો ઊંડાણમાં ગયેલો હોય છે કે અનાદિકાળથી પેંધી ગયેલા કર્મો અને અજ્ઞાનને ત્યાંથી હવે ઉચાળા ભરવા પડે છે. જેમ કોઈક ગુંડાને પકડવા C.B... ના માણસો પાછળ પડ્યા હોય અને મહામહેનતે પકડાય ત્યારે તેને જે રીતે ઢોર માર મારીને તેના હાડકા પાંસળાના કરચ કરચ કરી નાંખી તેનું સર્વ સામર્થ્ય ખતમ કરી નાંખે તેમ અહિંયા કર્મને ખતમ કરવા ખેલાતો અંતિમ જંગ હોય છે. જેના ફળ સ્વરૂપે એવંભૂતનય સંમત પરમાત્મ તત્ત્વને (૧૩મું ૧૪મું પાપબંધ ન કરવો તે પાપ ઉપર વિજય કર્યો કહેવાય. જ્યારે પાપના ઉદયમાં દુઃખ નહિ વેદતાં સમભાવ-આત્મભાવમાં રહેવાય તો પાપ ઉપર વિજય મેળવ્યો કહેવાય. Page #417 -------------------------------------------------------------------------- ________________ | પરિશિષ્ટ 1239 પરિશિષ્ટ 1239 ગુણસ્થાનક) પામી સ્વરૂપના મહેલમાં નિશ્ચિત થઈ મહાલે છે. આ છે જીવની નિગોદથી માંડીને નિર્વાણ સુધી ની યાત્રા, જેમાં નૈગમ અને સંગ્રહનયમાં ચિંતન તથા સંકલ્પ છે, વ્યવહારનયમાં માત્ર ક્રિયા છે, ઋજુસૂત્રનયમાં નિશ્ચયના લક્ષ્ય વર્તના છે, શબ્દનયમાં દઢતા ને સચોટતા છે, સમભિરૂઢમાં યથાર્થ સ્પર્શના છે અને એવંભૂતમયમાં નગમનયથી કરાયેલા સંકલ્પની સિદ્ધિ છે. ઉપસંહાર : આ વિષય ઉપર પ્રાપ્ત શક્તિ-ક્ષયોપશમ મુજબ વિચારણા કરી આત્મતત્ત્વને ખુલ્લુ કર્યું છે તે યથાર્થ જ છે તેવો દાવો નથી. એકાંત નથી. તેથી મુમુક્ષુ જીવોએ તેની ઉપર માધ્યસ્થષ્ટિથી વિચારણા કરી સારું લાગે તો સ્વીકાર કરવો. - અધ્યાત્મનો માર્ગ ઘણો ગહન છે માટે તેમાં ગમે તેવા ઊંચા વિકલ્પો સ્પર્શે તો પણ આ જ અંતિમ નિષ્કર્ષ છે અને આનાથી આગળ વધારે બીજું કાંઈ નથી એવા આગ્રહ અને એકાંતમાં ન પડતા, આના સિવાય બીજા પણ સારા ઊંચા વિકલ્પો હોઈ શકે છે, તેનો સરળ ભાવે સ્વીકાર કરવો એ સાચા અર્થમાં ઋજુસૂત્રતા છે. તેથી જ ઋજુસૂત્રનય સંમત માન્યતાએ અધ્યાત્મની શરૂઆત જૈનદર્શન બતાવે છે. - પોતપોતાની માન્યતામાં સત્યનો આગ્રહ રાખવો એ દૃષ્ટિનો દોષ છે. તે હોય ત્યારે અધ્યાત્મનું ઉચ્ચારણ હોય છે પણ ઉચ્ચરણ એટલે કે ઉર્વીકરણ હોતું નથી. દૃષ્ટિના દોષથી ઉચ્ચારણમાં જ ઉચ્ચરણ માની લેવાની ભૂલ થઈ જાય છે. - વ્યવહાર એટલે પૂર્વભવની ગુનેગારી છે અને તેનો સમભાવે નિકાલ કરવો, એ જીવમાત્રનું કર્તવ્ય છે. માટે તે આચરણીય છે, ઘર્મી પાપી ન હોય. ઘર્મી દુઃખી ન હોય. Page #418 -------------------------------------------------------------------------- ________________ 1240 , હૃદય નયન નિહાળે જગધણી આદરણીય છે પણ હૃદયમાં સ્થાપનીય તો નથી નથી અને નથી જ. સ્થાપનીય તો પરમ પરિણામિક રૂપે અંદરમાં રહેલ વિશુદ્ધ એવું પરમાત્મતત્ત્વ જ છે કારણકે તે સદાકાળ રહેનાર છે અને તેનાથી અનંત આનંદની પ્રાપ્તિ છે. કેમકે આત્મા સ્વરૂપે તો ટૂંકોત્કીર્ણ આનંદસ્વરૂપ છે. અલ્પના આધારે સર્વ યા પૂર્ણ થવાતું નથી પણ પૂર્ણના આધારે પૂર્ણ થવાય છે. માટે અહીં પર્યાયદૃષ્ટિ નહિ પરંતુ દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતા છે. અનુભવ જરૂર પર્યાયમાં છે પણ તે અનિત્ય એવા પર્યાય પ્રત્યે દૃષ્ટિ કરવાથી નથી પરંતુ નિત્ય એવા દ્રવ્ય પ્રત્યે જે પૂર્ણ શુદ્ધ છે તેના પ્રતિની દ્રવ્યદૃષ્ટિથી છે. જેમ પિયરમાંથી પરણીને સાસરે ગયેલ કન્યાને સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી વિગેરે અનુકરણીય અને આદરણીય છે પણ હૃદયમાં સ્થાપનીય નથી કારણકે બાકીનાથી તેની સુરક્ષા છે, પણ આનંદ નથી. જ્યારે પતિ એ તો હૃદયમાં સ્થાપનીય છે કારણકે તેના દ્વારા સુરક્ષા છે તેમ સાથે આનંદની પ્રાપ્તિ પણ છે. વળી તે અન્ય સંબંધોના મૂળમાં પણ પતિનો સંબંધ છે. વ્યવહારધર્મથી સુરક્ષા છે જ્યારે નૈશ્ચિયિક ધર્મથી સુરક્ષા સાથે અનંત આનંદ પણ છે. નિશ્ચયવ્યવહારની આ ગૂંચ જેને ઉકલી જાય છે તે વ્યવહારમાં મૂંઝાતો નથીમલકાતો નથી, અટવાતો નથી પણ રોકેટ ગતિએ આગળ વધી ઠેઠ મોક્ષે પહોંચી જાય છે. જેને આ ગુંચ ન ઉકેલાય તેને અટકવાપણું છે અને રૂલવાપણું છે. છતાં હું આગળ વધી રહ્યો છે એવો ખ્યાલ તે બફમ છેભ્રાંતિ છે-મિથ્યાત્વ છે. અજ્ઞાનનો મહા અંધકાર છે અને તે જ સંસાર છે, દુઃખ છે અને દુર્ગતિ છે. વ્યવહાર સાધન છે જ્યારે નિશ્ચય સાધન સાધ્ય ઉભય છે. નિશ્ચિતની (લક્ષિત લક્ષ્યોની) પ્રાપ્તિ પછી વ્યવહાર જે સાધન છે તે છૂટી જાય છે. ગંતવ્ય સ્થાને પહોંચતા ત્યાં લઈ જનારું વાહન છૂટી જાય છે. - પં. મુક્તિદર્શનવિજય દેહમુક્તિથી મુક્તિ નથી કહેલ પણ કષાયમુક્તિથી મુક્તિ કહેલ છે. ' Page #419 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ તત્ત્વ વિયારા પરિશિષ્ટ 1241 પરિણામી જીવ મુર્ત્ત, સપએસા` એગ' ખિત્ત કિરિયા ય ણિચ્ચું કારણ કત્તા॰, સર્વાંગય૧૧ ઈયર અપવેસે૧૨ નવતત્ત્વની આ ચૌદમી ગાથા અધ્યાત્મ સમજવામાં ખૂબ ખૂબ ઉપયોગી હોવાથી અગત્યની છે. આ ગાથામાં છયે દ્રવ્યોની બાર દ્વારોથી વિશદ વિચારણા છે. વિશ્વ છ દ્રવ્યાત્મક હોવાથી એમ કહી શકાય કે આ ૧૪મી ગાથા એટલે વિશ્વવિચારણા. અહીં બાર દ્વારો છદ્રવ્યમાં વિચારીએ ૧. પરિણામી, ૨. જીવ, ૩. મુર્ત્ત, ૪. સપએસા ૫. એગ, ૬. ખિત્ત, ૭. કિરિયાય, ૮. યણિચ્ચ, ૯. કારણ, ૧૦. કત્તા, ૧૧. સર્વાંગય, ૧૨. ઈયર અપ્પવેસે. ૧) પરિણામી :- નિશ્ચયનયદૃષ્ટિ મુજબ છએ દ્રવ્યો નિરંતર, પોત-પોતાના સ્વ-સ્વભાવમાં સમયે-સમયે ઉત્પાદ વ્યય-ધ્રુવ સ્વરૂપે પરિણામ પામતા હોવાથી પરિણામી છે. જેનો અનુભવ ન રહે તેનું નામ, ‘‘નથી’’. જેનો અનુભવ ટળવાનો જ નથી તેનું નામ ‘‘છે’’. Page #420 -------------------------------------------------------------------------- ________________ 1242 , હૃદય નયન નિહાળે જગધણી પરંતુ વ્યવહારનયદષ્ટિએ સમસ્ત જીવ દ્રવ્યો અને સમસ્ત પુદ્ગલ દ્રવ્યો એ બે દ્રવ્યોને જ પર-સંયોગે પર-પરિણામીપણું છે. એટલે જીવ પુદ્ગલ પરિણામી બને છે અને પુદ્ગલ, જીવ પરિણામ પણ બને છે. આથી જ અરૂપી જીવને સંસારીપણું છે, જે પ્રત્યક્ષ છે અને જડપુદ્ગલને સચિતપણું-ઔદયિક ભાવ મળે છે. જીવ અને પુદ્ગલ વૈભાવિકશક્તિના કારણે સ્વપરિણામી હોવા ઉપરાંત પરપરિણામી પણ છે. " ૨) જીવ દ્રવ્યઃ- છ એ દ્રવ્યોમાં માત્ર સકળ જીવદ્રવ્યો જ સ્વસ્વપરિણામના કર્તા, ભોક્તા અને જ્ઞાતાસ્વરૂપી ચેતનાવાન હોવાથી, ચેતના નક્ષણો નીવ. એ ચિતિ લક્ષણથી જીવત છે, જ્યારે અન્ય પાંચે દ્રવ્યો તેથી વિપરીત સ્વભાવવાળા હોવાથી અજીવ છે. ' . (અહીં જેવદ્રવ્યની વિશેષ સમજણ માટે આત્મચેતનાના શાસ્ત્રાનુસારે ત્રણ ભેદો જણાવીએ છીએ. (એ) પ્રત્યેક આત્માને પોત-પોતાની જ્ઞાનચેતના જ વિવેક અને પ્રવૃત્તિનું કારણ હોઈ સમસ્ત સુખ-દુઃખનું કારણ પણ જ્ઞાનચેતના જ છે. આ માટે કહ્યું છે કે ચં પંવિë ના, તબ્બાય ગુખાય પવા ૨ સલ્વેજિં ના નાહિં સિયે . - ત્રિકાલિક સત્તા વડે, પ્રત્યેક આત્માનું જ્ઞાન, જ્ઞાયક તરીકે દ્રવ્યરૂપ છે પરંતુ સ્વ અને પરને જાણવાની શક્તિરૂપે તે ગુણરૂપ છે. જ્ઞાનગુણની વિવિધતા તે ગુણ છે એ શેયને જાણવા રૂપ કાર્યપરિણામ તે જ્ઞાનપર્યાય જાણવો. આ રીતે દ્રવ્ય-ગુણ અને પર્યાયરૂપ જ્ઞાનવડે આત્માને પરમ જ્ઞાનીઓએ સર્વાત્મક જણાવેલ છે. આ માટે હવે એ ત્રિવિધ ચેતનાની પરિભાષા વિચારીએ. રાગ-વિકલ્પ-ઈચ્છાનું પરિણામ દુઃખ-જન્મ-મરણની પરંપરા. Page #421 -------------------------------------------------------------------------- ________________ . પરિશિષ્ટ , 1243 - a) જ્ઞાનચેતના :- શેયના (પદાર્થના) સામાન્ય વિશેષ ધર્મનું જાણપણું કરે તે જ્ઞાનચેતના. b) કર્મચેતના:- ઈષ્ટાનિષ્ટ ભાવો પ્રતિ વિધિનિષેધ રૂપ પ્રવર્તન કરે તે કર્મચેતના. રાગદ્વેષ પરિણતિ રૂપે છે. c) કર્મફળચેતના :- ઈષ્ટાનિષ્ટ, સંયોગ-વિયોગમાં જે સુખદુઃખાદિની લાગણી થવી તે કર્મફળચેતના જાણવી. હર્ષ શોકના પરિણામ થવા તે કર્મ ફળ ચેતના છે. - a) જ્ઞાનચેતના :- આ પ્રમાણે પ્રત્યેક ભિન્ન-ભિન્ન જીવાત્માની ત્રિવિધ ચેતના નિરંતર ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રવર્તે છે, પરંતુ જડ દ્રવ્યોમાં કોઈ પણ પ્રકારની ચેતના હોતી નથી. સ્વ-પરના વિવેકી શુદ્ધ આત્મદ્રવ્યને વિશે (પરમાત્માને) ત્રિવિધ ચેતના સંપૂર્ણ સ્વાધીન હોય છે. જ્યારે અશુદ્ધ આત્મતત્ત્વમાં તે કથંચિત્ પરાધીન એટલે કર્માધીન હોય છે તેમજ કથંચિત્ સ્વાધીન હોય છે. જ્ઞાનચેતનાનું સ્વરૂપ - એક જીવાત્મામાં એક સાથે બેત્રણ કે ચાર લાયોપથમિક જ્ઞાનની લબ્ધિ (શક્તિ), તો હોય છે, પરંતુ ઉપયોગ તો એક સમયે એક જ જ્ઞાનનો હોય છે. તેમ છતાં છઘસ્થ - જીવોને જ્ઞાનનો ઉપયોગ અંતર્મુહુર્તે પરાવર્તિ હોય છે. જ્યારે કેવળી પરમાત્માને તો ક્ષાયિક ભાવે નિરંતર સહજ ભાવે, સંપૂર્ણ વિષયક કેવળોપયોગ પ્રવર્તે છે અને તેથી તેઓનું સમસ્ત પરિણમન પણ યથાર્થ અવિસંવાદીભાવે કેવળ-ઉપયોગાન્તર્ગત જ હોય છે. એ નિર્વિકલ્પ ઉપયોગવંતતા હોય છે. કેવલ્યાવસ્થામાં સંકલ્પ, વિકલ્પ કે ઉપયોગ મૂકવાપણું હોતું નથી. ઉપયોગ એટલે જ્ઞાનલબ્ધિ દ્વારા શેયને જાણવા માટેનો આત્માનો રાગ કાઢીશું તો ઈચ્છા નીકળશે અને વિકલ્પરસ્તિતા આવશે. Page #422 -------------------------------------------------------------------------- ________________ 1244 હૃદય નયન નિહાળે જગધણી જ્ઞાન વ્યાપાર. પ્રત્યેક આત્માને આવો ઉપયોગવ્યાપાર ક્ષેય સંબંધે બે પ્રકારનો હોય છે. ૧) સામાન્યથી અને ૨) વિશેષ સ્વરૂપથી. આ બન્ને પ્રકારનો વ્યાપાર સ્વ-પર સંબંધે શુદ્ધાશુદ્ધ હોય છે. આત્માને વિશે શેયને જાણવા રૂપ શક્તિ તે જ્ઞાનગુણ જાણવો. આ જ્ઞાન ગુણ થકી કર્તા આત્મા, શેયને જાણવા માટે જે ક્રિયા કરે છે, તેને ઉપયોગ ગુણ જાણવો. આ રીતે કર્તા-ક્રિયા અને કાર્ય એટલે અર્થબોધ એ ત્રણેને વળી આત્માથી ભિન્નભિન્ન જાણવા. ઉપયોગ જો કે એક હોય છે. તથાપિ એક ઉપયોગમાં અનેકવિધતા જરૂર હોઈ શકે છે. પરંતુ એક સમયે બે જ્ઞાનોપયોગ કે બે ભિન્ન અર્થબોધ ન હોય. વળી એક સમયે અનેકવિધ ક્રિયાઓમાં પણ ઉપયોગ તો એક જ હોય. એ જ રીતે વેદન પણ એકથી અધિક હોઈ શકે છે પણ ઉપયોગ તો એક સમયે એક જ હોય પરંતુ સમયની સુક્ષ્મતાને લઈને ભિન્ન ભિન્ન અર્થબોધ એક સાથે જણાય તો ત્યાં સમયનો ભેદ અવશ્ય વિચારવો. ઉદાહરણ તરીકે વ્યક્તિ નદીમાં ઊભી છે. નીચે પગ શીતળતા અનુભવે છે જ્યારે માથે સૂર્ય તપતો હોવાથી ઉષ્ણતા અનુભવાય છે. એમ વેદન બે છે પરંતુ ઉપયોગ તો એકમાં જ હોય છે. नाप्रमाणं प्रमाणं वा, सर्वमप्यविशेषितम् विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता।। જે સામાન્ય નિરપેક્ષ-નિરાકાર, જ્ઞાનોપયોગ છે તે પ્રમાણરૂપ નથી. તેમજ સાકાર જ્ઞાનના કારણરૂપે અપ્રમાણ પણ નથી. પરંતુ સ્વપર સંબંધી હિતાહિતના યથાર્થ વિવેકવાળો સાકારોપયોગ જ તે પ્રમાણરૂપ છે એટલે કે સમ્યક જ્ઞાનોપયોગ જ તે પારમાર્થિક-સત્ય છે. ' ના જે સાપેક્ષ અને પરાધીન સુખ હોય તેનો થાક લાગ્યા વિના રહે નહિ. Page #423 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ & 1245 અન્યત્ર જણાવેલ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્કપ્રમાણ, આગમપ્રમાણ, ઉપમા, અર્થપત્તિ, સંભવ આદિ તમામ પ્રમાણો, મતિ-શ્રુત ઉભયાંતર હોવાથી પરોક્ષ પ્રમાણરૂપ છે વળી મતિ-શ્રુત બને જ્ઞાનો હીનાધિક હોવાથી પોતપોતાના જુદા જુદા કર્મોના આવરણોના ક્ષયોપશમ મુજબ થતાં હોવાથી, એક જ વ્યક્તિમાં તે બન્ને ઉપયોગ સંબંધી અનેક પ્રકારની વિચિત્રતા પ્રત્યક્ષ દેખાય છે. આ સાથે દર્શન મોહનીયના ઉદયજન્ય તેમજ ક્ષયોપશમજન્ય જ્ઞાનોપયોગની અનુભૂતિ, તેમજ પ્રવૃત્તિમાં પણ અનેક પ્રકારની શુદ્ધાશુદ્ધતા સમજવા માટે એકવીસ પ્રકારના મિથ્યાત્વ (વળી બીજા ચાર ‘- પરિણામ મિથ્યાત્વ, પ્રદેશ મિથ્યાત્વ, પ્રરૂપણા મિથ્યાત્વ, પ્રવર્તન મિથ્યાત્વ) પણ સમજવા જરૂરી છે. તથા છ પ્રકારના સમ્યત્વના લક્ષણોનું સ્વરૂપ શાસ્ત્રથી અવશ્ય જાણી લેવું જરૂરી છે. - જે જીવો કેવળી ભાષિત (સર્વ જીવોને કલ્યાણકારી તેમજ કિાલાબાધિત) શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને, પોતાની અનાદિની સ્વચ્છેદાચારી ઓઘદષ્ટિએ (વિષય-કષાય વર્ધક) શુભાશુભયોગ પ્રવર્તન કરે છે, તેથી તેઓને કેવળ સંસારનું વધવાપણું જ (ભવ-ભ્રમણતા) પ્રાપ્ત થાય છે. આ માટે કહ્યું છે કે, નાણરહિત જે શુભ ક્રિયા, ક્રિયા રહિત શુભ નાણ; . યોગદષ્ટિ સમુચ્ચય કહ્યો, અંતર-ખજુઆ ભાણ ૧ ખજુઆ સમ કિરિયા કહી, નાણ ભાણ સમ જોય; - કલિયુગ એક પટંતરો, વિરલા બુઝે કોય ૨ ક્રિયા માત્ર કૃત કર્મક્ષય, દર્દૂર ચૂર્ણ સમાન જ્ઞાન કહ્યો ઉપદેશપદ, તાસ છાર સમ જાણ. ૩ અનાત્મભાવ ઉત્પન્ન થયેલ દુઃખ આત્મભાવે જ દૂર થઈ શકશે. Page #424 -------------------------------------------------------------------------- ________________ [1246 , હૃદય નયન નિહાળે જગધણી પ. પૂ. આનંદઘનજી મ. સા. શ્રી અનંતનાથ પ્રભુના સ્તવનમાં કહે છે કે, એક કહે સેવીયે, વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. આથી સ્પષ્ટ સમજાય છે કે મોક્ષાર્થી-સમ્યગ્દષ્ટિ આત્માઓએ તાર્થ સૂત્રના પ્રથમસૂત્ર – II સચદશર્ન-જ્ઞાન-ચારિત્રાળ મોક્ષમા II એ સૂત્રનું નિરંતર સમ્યગૂ પરિશીલન કરવું જરૂરી છે. અનાદિ મિથ્યાષ્ટિ આત્માને આત્માર્થ સાધવા માટે સૌ પ્રથમ સમ્યત્વની અનિવાર્ય આવશ્યકતા છે. તત્ત્વાર્થના આ સૂત્રની પૂર્વના અને પશ્ચાત્મા એક જ્ઞાનીએ વિચારેલ સૂત્રની જાણકારીથી પ્રસ્તુત સૂત્રની સમજ સુસ્પષ્ટ થાય છે અને સૂત્ર પ્રતિના આદર બહુમાનમાં વૃદ્ધિ થાય છે. In મિથ્યા રર્શન-જ્ઞાન-ચારિત્રાળ સંસાર | II પૂર્ણ વર્શન-જ્ઞાન-વારિત્રાળિ મોક્ષ: II તેથી જ કહે છે કે છોડવા જેવું મિથ્યાત્વ, મેળવવા જેવું સમ્યકત્વ અને પામવા જેવો મોક્ષ. સમ્યકત્વની પ્રાપ્તિ મોટે ભાગે સમ્યગુ દ્રવ્યકૃત (નવે તત્ત્વોના હેયોપાદેયતા)માં યથાર્થ શ્રદ્ધા-રૂચિ ઉત્પન્ન કરવાથી પ્રાપ્ત થતી હોવાથી ગીતાર્થ-ગુરૂભગવંત પાસેથી નવ તત્ત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવા નિરંતર ઉદ્યમ કરવો જરૂરી છે. આ માટે કહ્યું છે કે, (દશવૈ. અ.૪ ગા.૧૨) जो जीवे वि न याणेइ, अजीवे वि न याणइ। जीवाजीवे अयाणंतो, कहं सो नाहीइ संजमं ।।१२।। જે આત્માને જીવતત્ત્વનું તેમજ અજીવતત્ત્વનું તેમ જ જીવાજીવના ઉદયમાં આવેલ પુણ્યનો જે ભોગવટો કરે છે તે અનંત દુખને આમંત્રણ દે છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ . - 1247 ભિન્ન-ભિન્ન તેમજ ઉભય પર્યાયનું યથાર્થ (કેવળી ભાષિત અર્થથી અવિરૂદ્ધ) જ્ઞાન જ નથી, તે આત્મા સંયમને કેવી રીતે જાણે? વળી કોઈ પણ આત્માને આત્મ-સંયમ વગર ભાવ સંવરરૂપ ચારિત્ર સંભવતું નથી અને ચારિત્ર ગુણ વિના કર્મથી મુક્તિ હોઈ શકે નહિ અને સર્વકર્મક્ષય વગર મોક્ષ પ્રાપ્તિ થતી નથી. આ માટે જ્ઞાજ્યિાખ્યાં મોક્ષ: એ શાસ્ત્રવચનથી આત્મકારકતામાં, ત્રીજી-ચોથી અને પાંચમી વિભક્તિના અવિરૂદ્ધ અર્થમાં આત્માને જોડવો જોઈએ. ( ૩) ત્રીજી વિભક્તિના અર્થમાં જ્ઞાન અને ક્રિયા ઉભય વડે મોક્ષ સધાય છે ત્યાં ઉપાદાન કારણરૂપ શુદ્ધ આત્મા, ઉપયોગરૂપ ક્રિયા વડે એમ ધારવું. , . ૪) ચોથી વિભક્તિના અર્થમાં જ્ઞાન અને ક્રિયાને પરસ્પર સંપ્રદાનતા વડે સહકારી બનાવવાથી મોક્ષ સધાય છે. એટલે આત્મગુણોને પરસ્પર સહકારી ભાવે યોજવાથી એમ સમજવું. . ૫) પાંચમી વિભક્તિના અપાદાનતાના અર્થમાં, કર્મપરિણામરૂપ સમસ્ત-પર પર્યાયમાંથી, આત્મભાવપણાની દૃષ્ટિ તેમજ પર પરિણામના કર્તુત્વ ભાવને કાઢી નાંખવાથી મોક્ષ સધાય છે. - આ ત્રણે અર્થોને શાસ્ત્રથી અવિરૂદ્ધ આત્મસ્વરૂપમાં કરણકારક, સંપ્રદાનકારક, તેમજ અપાદાનકારક ભાવે યોજવા જોઈએ. જોવાની ખૂબી એ છે કે સંસ્કૃત વ્યાકરણ અનુસાર ત્રીજી, ચોથી અને પાંચમી ત્રણ વિભક્તિનો દ્વિવચનનો પ્રત્યય ચામું છે. તેથી અર્થઘટન જે સહજ, સતત અને સરળ છે તે સત્ છે, નિત્ય છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ 1248 હૃદય નયન નિહાળે જગધણી સંસ્કૃત વ્યાકરણને સુસંગત છે. આ જ તો પૂર્વાચાર્યોની સૂત્રાત્મક બોધ આપવાની વિલક્ષણતા છે. (જીવ બાળવીર્યથી પરલોકની ક્રિયા = સાંસારિક સુખ માટેની ક્રિયા કરે છે. પરંતુ બાળપંડીતવીર્ય અને પંડીતવીર્યથી પરલોકની અને પરમલોકની ક્રિયા કરતો નથી.) b) કર્મચેતના :– પ્રત્યેક આત્માને સુખ ઈષ્ટ હોય છે અને દુઃખ અનિષ્ટ હોય છે. આથી દરેક આત્મા સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે નિરંતર પ્રયત્ન કરતો હોય છે તેને કર્મચેતના જાણવી. આમાં આત્માર્થે અજ્ઞાન તેમજ મિથ્યાદષ્ટિ આત્માની સઘળી પ્રવૃત્તિઓ, આધિ-વ્યાધિ અને ઉપાધિને તેમજ જન્મ-જરા અને મરણના દુઃખોની પરંપરાને જાણે-અજાણે વધારતી હોય છે. આ માટે કહ્યું છે કે, अज्ञानं हि खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थं हितमहितं वा, न वेत्ति येनावृत्तो जीवः ।। ક્રોધાદિ સર્વ પાપો કરતાં પણ આત્માને આત્મસ્વરૂપનું અજ્ઞાન વધુ કષ્ટદાયી છે, કેમકે અજ્ઞાની આત્મા, પોતાનું હિત કેમ કરવું, તેમજ પોતે જ પોતાના આત્માનું કેવી રીતે અહિત કરી રહ્યો છે તે જાણતો નથી, તેથી અનાદિથી ચારગતિરૂપ સંસારમાં અથડાયા કરે છે. ઇન્દ્રિયજન્ય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિ ના ૨૩ વિષયો ને ૨૪૦ વિકારો નીચેના કોઠામાં જણાવ્યા મુજબના હોય છે. (એક ચા પણ ગરમ, ગુલાબી અને સોડમવાળી મળે છે, તેમાં પણ ઇંદ્રિયના ચાર વિષયો છે.) સંસારમાં પ્રતિસમય આપણું વલણ અજ્ઞાનભાવે દેસુખ માટે છે. ઘર્મમાં પ્રતિસમય આપણું વલણ જ્ઞાનભાવે આત્મસુખ માટે છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય પ્રકાર સ્પર્શ રસ ગંધ ચક્ષુ શ્રોત ૫ ८ ૫(૬) . ૫ શુભ-અશુભ| રતિ-અતિ . . ૨ . - ર ર પરિશિષ્ટ ૩ ૩ ૩ સચિત વિકારના અચિત મિશ્ર | કુલ પ્રકાર 1249 ૯૬ ૬૦(૭૨) ૧૨ ૬૦ ૧૨ ૨૩(૨૪) ૨૪૦(૨૫૨) નોંધ : ઘણા મીઠું-Salt, ને મધુર રસથી જુદો ખારો રસ ગણે છે તેના મતે ૬ રસ થવાથી ૭૨ વિકાર થાય છે તે અપેક્ષાએ કુલ ૨૫૨ પ્રકારના વિકાર છે. વિકાર એટલે જેને ફરી ભોગવવાનું મન થાય તે. જે ડૂબેલા છે તેને જે તારે છે તે પરમાત્માનુ દેણું ચૂકવે છે. સદ્ગુરૂ આ પ્રમાણે અન્યોને તારવામાં સહાયક બને છે અને દેણુ ચૂકવે છે. ઇંદ્રિયજન્ય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિ વિષયોમાં આસક્ત આત્માઓ, વિવિધ વિષયોના સંયોગ-વિયોગમાં અજ્ઞાન અને સંમોહને કાંરણે રતિ-અતિ રૂપ મોહ કરીને, ક્રોધ-માન-માયા અને લોભ પરિણામથી અનેક પ્રકારના કર્મોનું બંધન પ્રાપ્ત કરે છે. વળી તે શુભાશુભ કર્મબંધના ઉદયના યોગે તે જીવને ફરી પાછા આ સંસારમાં અનેક પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થયા કરે છે. ફરી પણ તે કર્મોદયે પ્રાપ્ત ઔદયિકક્ષણિક અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં આત્મ-સ્વરૂપના અજ્ઞાની આત્મા અજ્ઞાન અને સંમોહને લઇને, ફરી રિત-અરિત કરીને નવાં કર્મો બાંધે છે. આ રીતે અનાદિથી મિથ્યાદષ્ટિ-અજ્ઞાની આત્મા આ સંસારમાં ચારે ગતિમાં ચોરાશી લાખ જીવાયોનિમાં અને ચૌદ રાજલોક વ્યાપી ક્ષેત્રમાં Page #428 -------------------------------------------------------------------------- ________________ 1250 , હૃદય નયન નિહાળે જગધણી જન્મ-મરણ કરતો થઈને, સર્વત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિના અનેક દુઃખો ભોગવતો રહ્યો છે. જે ઉત્તમ આત્માઓ, પૂર્વકર્મોદયથી–પ્રાપ્ત શુભ કે અશુભ સંયોગવિયોગાદિમાં અલિપ્ત રહે છે, એટલે કે ઔદયિક પરપરિણામ સંબંધે ક્રોધ-માન, માયા કે લોભાદિ પરિણામથી અળગા રહે છે તેઓ, તથા પ્રકારની જાગરૂકતા સાથે, પ્રાપ્ત ક્ષાયોપથમિક શુદ્ધ આત્મિક જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરતા થકાં, અંતે સર્વકર્મના બંધનોથી મુક્ત થઈ અજરઅમર-અનંત-અક્ષય-અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવ્યા મુજબ ઓદયિક તેમજ ક્ષયોપશમાદિ બન્ને કર્મચેતનાના શુદ્ધાશુદ્ધસ્વરૂપને વળી પણ વિશેષથી જાણી કર્મબંધથી અટકવું જરૂરી છે. અનાદિથી કર્મોના સંબંધથી જકડાતો આત્મા, કાર્મણ શરીર (આત્માએ પોતે કષાય પરિણામ અને યોગ હેતુ વડે બાંધેલા કર્મો) સાથે ક્ષીરનીરવત્ સંબંધવાળો જ્યાં સુધી છે, ત્યાં સુધી આત્મા જન્મ-મરણ રહિત શાશ્વત સિદ્ધ ગતિને પામતો નથી. આનું કારણ એ છે કે કાશ્મણશરીર (બાંધેલા કર્મો) વિશિષ્ટભાવે આત્માને અનુસરે છે. જેથી આત્મા ચારે ગતિમાં ભમ્યા કરે છે. ચારે ગતિમાં આત્મા દારિકાદિ શરીરને, દર્શન મોહનીયના ઉદયે દેહાધ્યાસથી આત્મીય ભાવે અનુસરીને નવીન કર્મો બાંધે છે. ભવાંતરમાં એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં આત્મા-બાંધેલા કર્મોરૂપ કાર્મણ શરીર, સહિત જતો હોવાથી, તે થકી ઉદયાનુસારે નવીન ઔદારિકાદિ શરીરની રચના કરી, તે શરીરસંબંધે ફરી મન-વચન અને કાયયોગદ્વારા અનેક પ્રકારના કર્મોનું ગ્રહણ-બંધન કરે છે. કોણ અને શું? નો જવાબ દ્રવ્યમાં છે. કેવો ? કેવું? નો જવાબ ગુણ પર્યાયમાં છે. ભાવ છે. ક્યાં? કેવડું? નો જવાબ ક્ષેત્ર છે. ક્યારે ? નો જવાબ કાળ છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - 1251 આ યોગ બે પ્રકારનો હોય છે. છદ્મસ્થ સંસારી જીવોને કષાય સહિત સાંપરાયિક કષાયરહિત તે ઈર્યાપથિક યોગ. માત્ર કેવળી ભગવતેને હોય અભિસંધિજ (સપ્રયત્ન-ઐચ્છિક) આ કારણ-કાર્યભાવ સાપેક્ષ હોય છે. અનભિસંધિજ (અપ્રયત્ન-સહજ અનેચ્છિક) સમૂર્છાિમની જેમ કારણ કાર્ય ભાવ નિરપેક્ષ હોય છે. પ્રથમ તો આત્માના વીર્યગુણોનું પ્રવર્તન સલેશી અને અલેશી એમ બે પ્રકારનું હોય છે. તેમાં પ્રથમ સલેશીવીર્ય પ્રવર્તનમાં આત્મ પ્રદેશોનું મન-વચન અને કાયયોગાન્તર્ગત વર્ગણાઓ સાથે જે પરિસ્પંદન, તે દ્રવ્યયોગ. અને તતુક જે આત્માનો પરિણામ તે ભાવયોગ જાણવો. - વ્યવહારનય દૃષ્ટિએ દ્રવ્યયોગ, શુભ તેમજ અશુભ બન્ને પ્રકારનો હોઈ શકે છે. પરંતુ શુભાશુભમિશ્ર યોગ હોતો નથી. - નિશ્ચયનય દૃષ્ટિએ શુભ કે અશુભ એકજ પ્રકારનો યોગ જાણવો. દ્રવ્યયોગ દ્વારા આત્મા કાર્મણ વર્ગણાઓનું ગ્રહણ કરે છે અને તે સાથે જ તે સમયે જ ભાવયોગ મુજબ ગ્રહિત સકળ કાર્પણ વર્ગણાઓમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વિભાગની રચના કરીને, કાર્મણ શરીર સાથે તેને જોડી દે છે – તેને કર્મબંધ જાણવો. સાંપરાયિક યોગને શાસ્ત્રમાં કષાય ભાવથકી અનંતાનુબંધી, રાગ-ભોગ-ગ્રહણ એ અધર્મ છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ 1252 , હૃદય નયન નિહાળે જગધણી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ચાર ભેદથી ક્રોધમાન-માયા અને લોભારૂપ કષાય પરિણામથી સોળ પ્રકારનો મુખ્યતયા જણાવેલ છે અને દ્રવ્યયોગને જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ શુભાશુભતા વડે મુખ્યતયા છ પ્રકારના લશ્યાના સ્વરૂપથી જણાવેલ છે અને તે સાથે તેમાં પણ દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યાનાં ભેદો પણ જણાવેલ છે. ઉપર જણાવેલ યોગવીર્ય સ્વરૂપથી તેમજ વિવિધ કષાય પરિણામથી જીવે આત્મપ્રદેશ સાથે કરેલ કર્મબંધન પણ અનેકવિધ વિવિધ કારણો વડે અનેક સ્વરૂપવાળું હોય છે તે વળી પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એમ ચાર સ્વરૂપવાળું હોય છે. આ પ્રમાણે આત્મકર્તૃત્વ પરિણામથી પ્રત્યેક સમયે જે જે હેતુઓ વડે જે જે પ્રકારના કર્મ બંધાય છે તેમજ કરણવિશેષથી બાંધેલા કર્મોમાં જે જે ફેરફારો થતાં રહે છે, તેનું વિસ્તારથી યથાર્થ સ્વરૂપ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવું. વળી કષાયરહિત જે યોગ તે ઈર્યાપથિક યોગ જાણવો અને આત્માનું આત્મગુણોમાં પ્રવર્તન તે અલેશી-અકરણ વીર્ય પ્રવર્તન જાણવું. આ અકરણ વીર્ય પ્રવર્તનને શાસ્ત્રકારોએ ભાવ ચારિત્ર કહ્યું છે – आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् आत्मनि । तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम्।। વળી પણ આ માટે કહ્યું છે કે, જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો. વિરાગ-સહિષ્ણુતા-ત્યાગ એ ઘર્મ છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ, 1253 . આથી સ્પષ્ટ સમજવું કે આત્માની આત્મજ્ઞાનમાં રમણતા અને સ્થિરતા તે ચારિત્ર ગુણ છે. કેવળી પરમાત્માઓ અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે ત્યારે, છેલ્લા તેરમા ગુણસ્થાનકે અને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિરૂપ સહજ ધ્યાન ક્રિયા વડે, ઉપર જણાવેલ બન્ને પ્રકારના ઔદારિક યોગરહિત થઈને ચૌદમે ગુણસ્થાનકે આવે છે. ત્યાં મેરૂની જેમ નિષ્પકંપ અયોગી બનેલા પરમાત્માઓ, યોગવ્યાપારરહિત હોવાથી કાર્પણ વર્ગણાઓનું ગ્રહણ કરતા નથી, તેથી તે વખતે ચૌદમે ગુણસ્થાનકે તેમને કોઈ જ કર્મબંધન હોતું નથી. ૧, ૩, ૩, ૪, – આ પાંચ હસ્વ સ્વરાક્ષર ઉચ્ચારમાત્ર કાળી ચૌદમે ગુણસ્થાનકે તેઓ વ્યછિન્નક્રિયાનિવૃત્તિરૂપ શુક્લધ્યાનના ચોથા પાયાની ક્રિયા થકી, બાકી રહેલા ચારે અઘાતિ કર્મોનો, સર્વથા ક્ષય કરી પોતાના આત્માને કાશ્મણ શરીરથી સર્વથા મુક્ત કરી, એકજ સમયની શીધ્ર ગતિએ, તેઓ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. અહીં કરે છે એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતાએ - આખીય પ્રક્રિયા સહજપણે સહજયોગે થતી હોય છે. સિદ્ધાવસ્થામાં પરમાત્મા પોતાના અક્ષય-અનંત-શાશ્વત-પૂર્ણ-શુદ્ધ સ્વરૂપના અનંત સુખને, અવ્યાબાધપણે સાદિ-અનંતમે ભાગે ભોગવે છે. કર્મપ્રકૃતિ - વળી કર્મોની બંધમાં ૧૨૦ પ્રકૃતિ ઉદયમાં ૧૨૨ (સમ્યત્વ, મિશ્ર મોહનીય ઉમેરતાં) સત્તામાં ૧૫૮ પ્રકૃતિ જાણવી ઉપર મુજબ બંધાતી કુલ ૧૨૦ પ્રકૃતિઓમાં ૪૫ ઘાતી અને ૭૫ અઘાતી છે. ૪૫ ઘાતીમાંની ૨૫ પ્રકૃતિ દેશઘાતિ હોય છે અને ૨૦ સર્વઘાતિ હોય છે, જેની વિગત નીચે મુજબ છે. સુખ દુખ એ આનંદની વિકૃતિ છે જ્યારે આનંદ એ આત્માનો ગુણ છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ 1254 , હૃદય નયન નિહાળે જગધણી સર્વઘાતી પ્રકૃતિ ૨૦ ૧) કેવળજ્ઞાનાવરણીય ૪) અનંતાનુબંધી કષાય ૧) કેવળદર્શનાવરણીય ૪) અપ્રત્યાખ્યાન કષાય ૫) નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, ૪) પ્રત્યાખ્યાન કષાય પ્રચલા-પ્રચલાને થીણદ્ધિ ૧) મિથ્યાત્વ મોહનીય. ૧૩ + ૭. ૨૦ સર્વઘાતી દેશઘાતી ૨૫ પ્રકૃતિ ૪ - મતિ-શ્રુત, અવધિ, મનઃપયર્વજ્ઞાનાવરણીય ” ૩ – ચક્ષુ, અચલુ, અવધિદર્શનાવરણીય ૫ - દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યંતરાય ૪ – સંજ્વલન કષાય ૯ - ત્રણવેદ + ૬ હાસ્યાદિ. ૨૫ કુલ દેશઘાતી પ્રકૃતિ જાણવી. વળી તેનું વિશેષ સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. ૧ મતિજ્ઞાનાવરણીય ૧ શ્રુતજ્ઞાનાવરણીય ૧ અચક્ષુદર્શનાવરણીય ૫ અંતરાય આ આઠે પ્રકૃતિઓ બંધમાં સર્વઘાતી છે. પરંતુ ઉદયમાં દેશઘાતીપણે જ ઉદયમાં આવતી હોવાથી દરેક જીવને આ આઠે પ્રકૃતિઓનો ઓછા-વત્તો ક્ષયોપશમ હોય છે જ. ઘર્મ કરવાનો હેતુ તો મોહનીય કર્મના ઉદયને ક્ષયોપશમમાં પલટાવવાનો છે અને અંતે એનો ક્ષય કરવાનો છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧ અવધિજ્ઞાનાવરણીય કર્મ ૧ મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ ૧ ચક્ષુદર્શનાવરણીય કર્મ ૧ અવધિ દર્શનાવરણીય કર્મ પરિશિષ્ટ ૧ કેવળજ્ઞાનાવરણીય કર્મ ૧ કેવળ દર્શનાવરણીય કર્મ પનિદ્રા-પંચક 1255 આ ચારે પ્રકૃતિઓ બંધમાં સર્વઘાતી છે. પરંતુ ઉદયમાં સર્વઘાતી તેમજ દેશઘાતી એ બન્ને રૂપે પણ ઉદયમાં આવે છે. તેથી દેશઘાતી ઉદયે તેનો તે મુજબનો ક્ષયોપશમ હોય છે. આ સાતે પ્રકૃતિઓ બંધમાં સર્વઘાતી છે. તેમજ ઉદયમાં પણ સર્વઘાતી છે. તેથી તેના ઉદયે. જીવને રૂપારૂપી વિષયક પ્રત્યક્ષ સંપૂર્ણ સ્પષ્ટાવબોધ હોતો નથી. કોઈ પણ જીવ જ્ઞાન-દર્શન ગુણના ઉપયોગ રહિત ક્યારે ય હોતો નથી. વળી સર્વ ઘાતી કર્મપ્રકૃતિઓનો ઉદય પણ એક સરખો હોતો નથી પરંતુ તેમાં પણ તીવ્ર-મંદતા હોય છે. આમ છતાં, એ સ્પષ્ટ સમજવું કે કોઈ પણ જીવને અરૂપી પ્રત્યક્ષ ઓછું કે વત્તું કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્યારેય હોતું નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીયકર્મના બંધ અને ઉદય સંબંધે શાસ્ત્રમાં જણાવેલ છે કે, જ્ઞાનાવરણીયકર્મના ઉદયે જીવ, દર્શનાવરણીય કર્મ બાંધે છે અને નિદ્રાદિ પ્રમાદરૂપ તીવ્ર દર્શનાવરણીયકર્મના ઉદયે જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે અને મિથ્યાત્વ (દર્શન) મોહનીયના કોઈ મારે માટે નહિ અનો કોઈના વડે છું નહિ એ જે અવસ્થા છે તે જ સિદ્ધાવસ્થા-પરમાત્માવસ્થા ! Page #434 -------------------------------------------------------------------------- ________________ 1256 હૃદય નયન નિહાળે જગધણી ઉદયે જીવ આઠે કર્મો બાંધે છે. આથી આત્માર્થી આત્માઓને અપ્રમતતા તેમજ સમ્યગ્ જ્ઞાનોપયોગ રૂપ જ્ઞાનક્રિયાનું મહત્ત્વ આપોઆપ સમજાય છે. ૪ અનંતાનુબંધી કષાયો ૪ અપ્રત્યાખ્યાનીય કષાયો ૪ પ્રત્યાખ્યાનીય કષાયો ૧ મિથ્યાત્વ (દર્શન) મોહનીય આ ૧૩ પ્રકૃતિઓ બંધમાં પણ સર્વઘાતી છે અને ઉદયમાં પણ સર્વઘાતી છે એટલે તીવ્ર રસોદય સહિત-ઉદય હોતે છતે, તેનો ક્ષયોપશમ હોતો નથી. ૪ સંજ્વલન કષાયો ૯ નોકષાય-(હાસ્યાદિ ૬ વેદ ૩) આ ૧૩ પ્રકૃતિઓનો બંધ સર્વઘાતી છે. તથાપિ દેશઘાતી રૂપે જ ઉદયમાં આવતી હોવાથી તેનો રસોદય ક્ષયોપશમનો વિરોધી નથી. આથી ઉદય વખતે તેનો ક્ષયોપશમ થઇ શકે છે. ઉપરની હકીકતથી સમજાશે કે સર્વઘાતી મોહનીય કર્મમાં મંદ રસોદય વખતે, આત્મા - જ્ઞાનાવરણીયના વિશિષ્ટ ક્ષયોપશમ દ્વારા, મોહનીય કર્મોનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરી શકે છે. આથી જ જ્ઞાનચેતનામાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની મહત્તા સર્વ આપ્ત પુરુષોએ દર્શાવેલી છે અને સ્વીકારેલી છે. c) કર્મફળચેતના :– જીવને સુખ કે દુઃખનો પરિણામ તે કર્મફળચેતના સમજવી. સમસ્ત સંસારી જીવોને પોત-પોતાની, શુભાશુભ પ્રવૃત્તિ સમતા એ મોહનીય ઉપર વિજય છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 1257 નિવૃત્તિ વડે તેના ફળ સ્વરૂપ સુખ-દુઃખનો પરિણામ હોય છે. આ પરિણામ, જીવમાત્રને ઇષ્ટાનિષ્ટ પદાર્થના સંયોગ-વિયોગથી ઉત્પન્ન થાય છે. કર્મફળચેતના માટે જીવની સમસ્ત પ્રવૃત્તિ અને તે થકી પ્રાપ્ત થતા સંયોગ-વિયોગને જાણવા જરૂરી છે. પૂર્વે કર્મ-ચેતનામાં સમસ્ત કર્મ પરિણામનું કિંચિત્ સ્વરૂપ જણાવેલ છે. શાસ્ત્રોમાં તેને ઔયિક ભાવનું સ્વરૂપ કહેલ છે. તે ઉપરાંત જે જે જીવને જે જે સ્વરૂપે ઓપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપશમિક ભાવનું આત્મપરિણમન હોય છે, તે થકી પણ તે આત્માને શુદ્ધ ભાવે કર્મફળ ચેતનાનું આસ્વાદન હોય છે કેમકે પ્રત્યેક આત્મપરિણમન રૂપ ક્રિયાનું આસ્વાદન દરેક આત્માને અવશ્ય હોય છે. તેથી જ શુદ્ધ સાધ્ય-સાધન દાવમાં, આત્મિકશુદ્ધિના અનુભવમાં સાધકને પ્રીતિ, પ્રતીતિ અને રૂચિ પ્રગટાવવા કહ્યું છે. તમેવ સમ્બં નિઃસં॰ નં બિળેર્દિ વેડ્સ અહીં પ્રીતિ છે. કારણકે જીવને જિનેશ્વરોએ કહેલું છે તે જ સત્ય અને નિઃશંક લાગે છે. સે અકે, પુત્તે પરમકે, સેલ્સે અળકે અહીં પહેલાં બે Step માં પ્રીતિ છે. તે સિવાય બધું અનર્થકારી લાગે છે તે પ્રતીતિ છે. અને પછી તે શુદ્ધાત્મસ્વરૂપ મેળવવાનું મન થાય છે તે રૂચિ છે. નિર્વિકલ્પ-ધ્યેય અનુભવે, અનુભવ-અનુભવની પ્રીત રે, ઓર ન કબહુ લખી શકે, આનંદઘન પ્રીત પ્રતીત રે. જો કે કેવળ સંપૂર્ણશુદ્ધ ક્ષાયિકભાવના સિદ્ધપરમાત્માના અનંતઅક્ષય સ્વરૂપને સર્વે કેવળી ભગવંતો જાણે તો છે જ તથાપિ તેઓ પણ સંપૂર્ણ સ્વરૂપે તેને શબ્દથી યથાર્થ જણાવી શકતા નથી. આ માટે કહ્યું છે કે, વિશ્વ સાથે ત્યાગ-વિરાગ કેળવો અને અંતર સાથે જ્ઞાન ધ્યાન કેળવો. Page #436 -------------------------------------------------------------------------- ________________ 1258 હૃદય નયન નિહાળે જગધણી यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभवसंवेद्यं, तद्रुपं परमात्मनः ।। આમ છતાં કથંચિત્ વક્તવ્ય ભાવે જણાવેલ છે કે, शब्दोपरं तद्रुपं, बोधकृन्नयपद्धतिः । निर्विकल्पं तु तद्रूपं, गम्यं नानुभवं विना ॥ આથી સિદ્ધ પરમાત્માના દ્રવ્ય-ગુણ, પર્યાય સ્વરૂપને જણાવતાં શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે, अविद्याजनितैः सर्वेः विकारैरनुपद्रुतः । व्यक्त्या शिवपदस्थोऽसौ शक्त्या जयति सर्वगः ।। ' સત્તા શુદ્ધ અરૂપી તેરી નહિ જગકો વહાર, - કયા કહિયે કુછ કહ્યુ ન જાયે, તું પ્રભુ અલખ અપાર. અનાદિ સંસારી આત્મા પોતે પૂર્વે બાંધેલા અષ્ટવિધ દ્રવ્ય-કર્મોના ઉદયાનુસારે, ચારેગતિમાં પ્રાપ્ત શુભાશુભ સંયોગ-વિયોગ રૂપ નોકર્મના નિમિત્તે રાગ-દ્વેષાદિરૂપ ભાવકર્મ કરવા વડે, નવિન અનંતા-અનંત કર્મોનો સમયે સમયે બંધ કરે છે. આ કર્મબંધની પરંપરામાંથી આત્માએઆત્માને છોડાવવા માટે, પ્રથમ તો સમ્યગ્દર્શન વડે, દ્રવ્ય કર્મના ઉદયે પ્રાપ્ત, નોકર્મથી-એટલે દેહ, ધન, સ્ત્રી, પુત્ર-પુત્રાદિકના મમત્વરૂપ પરિગ્રહથી આત્માને, દ્રવ્યથી તેમજ ભાવથી અળગો કરવો જોઈએ, પરના ગ્રહણ રૂપ પરિગ્રહથી છોડાવવો જોઈએ. આ રીતે નોકર્મથી અળગો થયેલો આત્મા અનુક્રમે રાગ-દ્વેષનો સંપૂર્ણ ક્ષય કરીને, સંપૂર્ણ વીતરાગતા વડે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, અંતે અયોગી થઈને સર્વદ્રવ્યકર્મો (કાર્મણ દૃશ્ય પ્રત્યેની દૃષ્ટિ ધ્યાનમાં જવાથી ખસી જશે. એટલું જ નહિ દૃશ્ય પદાર્થ પ્રત્યેનો રાગ પણ પરિણામે ખસી જશે. Page #437 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - 1259 શરીર)થી મુક્ત થઈ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવેલ કર્મક્ષયના અનુક્રમ માટે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, पुट्विं रागाइयाविभावा, सव्वओ विभज्जिज्जा, पच्छा दव्वा कम्मा, सव्वविभिन्नो निओ अप्पा ।। તેમજ વળી કર્મબંધ માટે પણ કહ્યું છે કે, परंसंगेण बंधो, मोक्खो परभाव चायणे होई। सव्वदोषाण मूलं परभावाणुभवपरिणामो॥ સંસારી આત્માને કર્મોદયાનુસારે અનિચ્છાએ પણ આ સંસારમાં ચોરાશી લાખ જીવાયોનિમાં જન્મ-મરણના દુઃખો ભોગવવાં જ પડે છે. અનંત કાળથી ભોગવવી પડતી અનંતા દુઃખોની આ ભવ-પરંપરામાંથી મુક્ત થવા પૂર્વે અનેક આત્માર્થી-આત્માઓએ સર્વજ્ઞ અને સર્વદર્શી કેવળી * ભગવંતોએ, ઉપર જણાવ્યાં મુજબના ઉપાયમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ કરીને, વિધિ માર્ગને અનુસરીને, જન્મ-મરણ રહિત મોક્ષપદની પ્રાપ્તિ કરી છે. આ સ્વરૂપને ગીતાર્થ ગુરૂભગવંતની નિશ્રામાં શાસ્ત્રાધારે કથાનુયોગથી યથાર્થ જાણીને અનુક્રમે ગુણસ્થાનકક્રમારોહણ વડે, આત્માને પૂર્ણ શુદ્ધ કરવા પ્રથમ-જ્ઞાનાદિ અનંતચતુષ્પગુણની અક્ષય સ્વાધીનતાનો, સ્વામી બનાવવો જોઈએ જેથી અંતે ભવ પરંપરાના હેતુભુત કાર્પણ શરીરનું બંધને સર્વથા તૂટતાં, સર્વ દુઃખોનો અંત પ્રાપ્ત થાય એ માટે કહ્યું છે કે, दग्धे बीजे, यथात्यन्तं, प्रादुर्भवति नाङ्करः कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ।। સંસારી આત્માને શુભાશુભ દેહ-ધન-સ્ત્રી-પુત્રાદિના સંયોગ હું એક” પણ અનેક રૂપ થયો છું. અંદરમાં મારી વૃત્તિઓ વડે અને બહારમાં દશ્યો વડે. Page #438 -------------------------------------------------------------------------- ________________ 1260 હૃદય નયન નિહાળે જગધણી સંબંધી રૂપ નોકર્મનો સંબંધ પોતે પૂર્વે બાંધેલા કર્મોના ઉદયાનુસાર પ્રાપ્ત થાય છે. પરંતુ તે થકી અજ્ઞાન અને સંમોહના જોરે, જે આત્મા, રાગદ્વેષાદિ વિભાવ પરિણામનો કર્તા બનીને, નવીન કર્મ બાંધે છે તે આત્મા સંસારમાં ભટકે છે. માટે આત્માર્થી આત્માએ, અજ્ઞાન અને સંમોહને દૂર કરી રાગ-દ્વેષના કર્તુત્વથી મુક્ત થવાનો, નિરંતર શક્ય પ્રયત્ન કરવો, જેથી સંવર અને નિર્જરા વડે, સહજ પરમપદની પ્રાપ્તિ થશે.' જૈનદર્શનના ચારે અનુયોગમાં સમ્યજ્ઞાન-દર્શન ચરિત્રાણિ મોક્ષમાર્ગ એ સર્વમાન્ય સિદ્ધાંત છે અને તે સર્વસ્વીકૃત છે. તેમાં પણ કાર્ય-કારણભાવની વિવક્ષા કરતાં જણાવેલ છે કે, દ્રવ્ય-સભ્ય શ્રુતજ્ઞાન એટલે નવતત્ત્વોનો ગુરૂગમથી હેયોપાદેયાત્મક અવિરૂદ્ધ બોધ, તે સમ્યગ્દર્શનનું કારણ છે. આ સમ્યગ્દર્શન જે શમ, સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણવાળુ છે, તે ગ્રંથિ ભેદ થકી જીવને પ્રાપ્ત થાય છે. આ દર્શન ગુણથી જીવને ભાવ ચારિત્રગુણની પ્રાપ્તિ થાય છે. આ માટે કહ્યું છે કે, चरण पडिवत्तिहेतु धम्म-कहाकाल दिक्खमाइया। दविण दंसण सोही, सणसुद्धस्स चरणं तु॥ ધર્મકથાનુયોગ ઃ તે ઉત્તમ પુરુષોના ચારિત્રોને ચારે નિક્ષેપાથી શુદ્ધ જણાવે. જેમાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરેલ વ્યક્તિવિશેષના જીવનચારિત્રની ઉદાહરણરૂપ વિચારણા છે. ચરણકરણાનુયોગ : આત્માને ચારિત્ર ગુણમાં ઉપકારક બાહ્યવિધિ નિષેધરૂપ આચાર જણાવે છે. જેમાં શુદ્ધિકરણથી સ્વરૂપ પ્રાપ્તિની વિચારણા છે. રાગ, મોહ અને ઈચ્છા આપણી જ શક્તિઓ છે પણ તે અસત્ પરપદાર્થો પ્રત્યે ઊંધે માર્ગ છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 9 1261 ગણિતાનુયોગ : જીવાજીવ પદાર્થોની તેમજ તેના ગુણધર્મોની આત્મસાધનામાં સાધક-બાધકરૂપે ગણના કરવી છે. જેમાં સંસારી તથા સિદ્ધના જીવો તેમજ અજીવના પ્રમાણ-ઉuantum ની વિચારણા છે. - દ્રવ્યાનુયોગઃ જીવાવરૂપ છે એ દ્રવ્યોના શુદ્ધાશુદ્ધ પરિણમનોનું ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપે યથાર્થ અવિરૂદ્ધ જે જ્ઞાન કહ્યું છે તે. જેમાં પદ્રવ્યોની વિચારણાથી સ્વરૂપવિચારણા છે. આ ચારે પ્રકારના અનુયોગથી આત્મા-આત્મદર્શિતા પ્રાપ્ત કરે છે, તેમાં દ્રવ્યાનુયોગનું જ્ઞાન, જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તેમજ શુદ્ધિમાં વિશેષ ઉપકારક છે અને સમ્યગ્દર્શનની શુદ્ધિ, તે ચારિત્રશુદ્ધિનું કારણ છે. ૩) મૂર્ત - છ એ દ્રવ્યોમાં નિશ્ચયદ્રષ્ટિએ માત્ર પુદ્ગલદ્રવ્યો જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત હોવાથી રૂપી છે. જ્યારે બાકીના પાંચે દ્રિવ્યો તેથી વિપરીત એટલે વર્ણાદિ રહિત હોવાથી અરૂપી છે. પરંતુ વ્યવહાર દ્રષ્ટિએ પુદ્ગલ સંયોગ-જીવને વિશે રૂપીપણું છે. અર્થાત્ સંસારીજીવ રૂપારૂપી છે. તે પ્રમાણે વ્યવહારથી પરમાણુ વિગેરે અત્યંત સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યોને અરૂપી પણ કહેવાય છે. જે દેખાય તે મૂર્ત અને ન દેખાય તે અમૂર્ત એ વ્યાખ્યા સાચી નથી. કારણકે તેના અનુસાર ચાની સાકર પણ દેખાતી નથી તો તે પણ અરૂપી=અમૂર્ત બની જશે. તે ઈષ્ટ નથી. જે પરિભ્રમણશીલ અને પરિવર્તનશીલ છે તે મૂર્ત-રૂપી છે અને જેમાં પરિભ્રમણતા કે પરિવર્તનતા નથી પણ સ્થિરતા અને નિત્યતા છે તે અરૂપી છે. - નિત્ય ૫ રજ પીજેનું એક જ રૂપ છે તે અરૂપી છે અને જેનું રૂપમાંથી રૂપાંતર થાય છે તે રૂપી છે. જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન આનંદ છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ 1262 હૃદય નયન નિહાળે જગધણી ૪) સપ્રદેશી - a) ધર્માસ્તિકાય 5) અધર્માસ્તિકાય 'C) પ્રત્યેકજીવના તથા લોકકાશના એકસરખા અસંખ્ય પ્રદેશો છે. d) પણ આકાશાસ્તિકાય લોકાલોક સ્વરૂપી, અનંતાનંત પ્રદેશવાળો છે. eઈ કાળ દ્રવ્ય એક સમયરૂપ હોઈ તેને પ્રદેશો નથી તેથી કાળની આસ્તિકામાં ગણત્રી નથી થતી વળી ) પુદ્ગલ પરમાણુ જો કે પરમાણુ સ્વરૂપે એકપ્રદેશ છે. જ્યારે અનેક પુદ્ગલ પરમાણુ દ્રવ્યોના વિવિધ સ્કંધોમાં સંખ્યાત, અસંખ્યાત કે અનંતા પ્રદેશો હોય છે. તેમજ વળી તૈક્ષયિક પરિણામતા વડે પરમાણુમાં પણ પડ્યૂણહાનીવૃદ્ધિરૂપ વિવિધ પરિણામીપણું હોવાથી, તે અપેક્ષાએ પરમાણુને પણ ઉપચારે સપ્રદેશીપણું શાસ્ત્રમાં જણાવ્યું છે. . ૫) એક - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો અખંડ-એક-એક છે. જ્યારે જીવો અનંતા છે અને પુદ્ગલો તેનાથી અનંતાનંત છે અને કાળ, જીવ અને અજીવ બને દ્રવ્યોની વર્તનારૂપ હોઈ તેથી પણ અનંતો છે. જ્યારે જીવદ્રવ્યોના ગુણો અને તેના સૈકાલિક પર્યાયો તેથી પણ અનંતગુણ જાણવા. ૬) ક્ષેત્ર :- છ એ દ્રવ્યોમાં માત્ર આકાશાસ્તિકાય દ્રવ્ય તે ક્ષેત્રદ્રવ્ય છે અને બાકીના પાંચે દ્રવ્યો ક્ષેત્રી છે. આ રીતે પાંચે દ્રવ્યો આધેય છે. આથી પાચે દ્રવ્યો એક જ આકાશ રૂપ આધાર-દ્રવ્યમાં આધાર-આધેય ભાવે અબાધિત ભાવે રહેલા છે. આનું કારણ, પાંચે દ્રવ્યોમાં રહેલો અગુરુલઘુ સ્વભાવ જાણવો. ૭) ક્રિયત્વ - છએ દ્રવ્યોમાં માત્ર સંસારી જીવ અને પુદ્ગલ એ પૂર્ણતા, સ્થિરતા અને નિત્યતા પ્રત્યેક જીવ ઈચ્છે છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 1989 બે દ્રવ્યોમાં જ ક્રિયત્વ ગુણ રહેલો છે. બાકીના ચારે અને સિદ્ધના આત્મા અક્રિય છે. પરંતુ કર્તુત્વ ધર્મ માત્ર જીવમાં જ છે. ૮) નિત્ય :- નિશ્ચયદ્રષ્ટિએ છ એ દ્રવ્યો, દ્રવ્યત્વ-સ્વરૂપે, અનાદિ અનંત સ્વગુણપર્યાય સહિત નિત્ય છે. પરંતુ જીવ અને પુદ્ગલ એ-બે દ્રવ્યોને, વ્યવહાર પર-પરિણામી ભાવે, અનિત્યપણું છે. જ્યારે પર્યાયાર્થિકનયદ્રષ્ટિએ તો છએ દ્રવ્યોના સકળ પર્યાય-પરિણમનો અનિત્ય છે. . - ૯) કારણ :- સર્વજ્ઞ શાસ્ત્રમાં છએ દ્રવ્યોના પરિણમનમાં, જીવ-દ્રવ્યનું પરિણમન, અન્ય કોઈ દ્રવ્યને કારણરૂપ નહિ હોવાથી, જીવ દ્રવ્યને અકારણ જણાવેલ છે. જ્યારે બાકીના પાંચ દ્રવ્યોને કારણતા છે, આમ છતાં, વ્યવહારનયની દ્રષ્ટિએ સંસારી જીવો પોતપોતાનાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણના વ્યવહારથી અન્ય જીવને અનુગ્રહકારક થાય છે. તેમજ હિંસાદિ યોગ પરિણામ વડે અન્ય જીવન - વ્યવહાર ઉપઘાત કરતા હોઈ તત્ત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રદ નીવાનામ્ એ સૂત્રથી સમસ્ત સંસારી જીવને વિષે ઉપર જણાવ્યા મુજબ અનુગ્રહ તેમ જ ઉપઘાતકતા થકી ઉપચારે કારણતા દર્શાવી છે. " -૧૦) કર્તા - છએ દ્રવ્યોમાં, સકલ જીવ દ્રવ્યોને વિશે પોતપોતાના અસંખ્યાત પ્રદેશો પૈકી પ્રતિ-પ્રદેશ-ભિન્નભિન્ન સમગ્ર ગુણ ક્રિયાને, એકત્વભાવે, અવ્યાબાધપણે પરિણાવવાની શક્તિ હોવાથી જીવદ્રવ્યમાં જ કર્તાપણું છે. - આ રીતે જીવદ્રવ્યને વિષે સકળ આત્મપ્રદેશની એકાકારવૃત્તિ વીતરાગતાપૂર્વક પ્રેમ કરવાનો છે અને પ્રેમપૂર્વક વીતરાગતા રાખવાની છે. વીતરણતા વિહોણો પ્રેમ રાગ છે અને પ્રેમ વિનાની વીતરાગતા દેષ છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ 1264 હૃદય નયન નિહાળે જગધણી (એક પ્રદેશ સ્વભાવતા) વડે કર્તૃત્વપણું જાણવું. જ્યારે અન્ય દ્રવ્યોને ભિન્નભિન્ન પ્રદેશે ભિન્નવૃત્તિત્વપણું હોઈ, કર્તૃત્વપણું નથી, તેમજ વળી પુદ્ગલ દ્રવ્યોને ગત્યાદિ ક્રિયત્વપણું છે પરંતુ તે કર્તુત્વભાવે હોતું નથી, જ્યારે બાકીના ચારે દ્રવ્યોમાં તો ક્રિયત્વપણું પણ નથી. ૧૧) સર્વગત :- છએ દ્રવ્યોમાં માત્ર આકાશાસ્તિકાય દ્રવ્ય જ સમસ્ત લોકાલોક વ્યાપી હોવાથી સર્વગત છે, બાકીના પાંચે દ્રવ્યો અસર્વગત છે. તેમાં વળી વ્યવહારથી કાળ દ્રવ્ય તો, જ્યાં જ્યોતિષ ચક્ર છે તેટલા અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જ છે. ૧૨) અપ્રવેશી :- નિશ્ચયનય દૃષ્ટિએ તો, છએ દ્રવ્યો અપ્રવેશી છે એટલે કોઈ પણ દ્રવ્ય પોતાનું મૂળ સ્વરૂપ છોડીને, અન્ય દ્રવ્ય સ્વરૂપે કોઈ કાળે પણ બનતું નથી. આમ છતાં વ્યવહારથી જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં સાંયોગિક ભાવે સપ્રવેશીપણું પણ છે. જ્યારે અન્ય ચાર દ્રવ્યોમાં તો સંયોગી પરિણમન-વ્યવહારથી પણ નથી તેથી તેઓને અપ્રવેશી જાણવા. ઉપર જણાવેલ બારે દ્વારોથી છએ દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ વિસ્તારથી ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી સ્યાદ્વાદ શૈલિએ, અવિસંવાદી સ્વરૂપે, હેયોપાદેયભાવે અવધારતાં, જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. કેમકે શ્રી જિનેશ્વર ભગવંતોએ આ જગત જીવ અને અજીવની રાશિરૂપ જણાવેલ છે, તેને જ વિસ્તારથી છ દ્રવ્યાત્મક સ્વરૂપે જણાવેલ છે અને સાત તત્ત્વો કે નવ તત્ત્વાત્મક સ્વરૂપ પણ તેનો જ વિસ્તાર છે. આથી જ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે સ્પષ્ટ જણાવ્યું છે કે II તન્તિસર્વાધિ“માદા। એટલે નિસર્ગ અને અધિગમ એ બે હેતુ વડે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપ પ્રત્યે જાગૃતિ અને લક્ષ્ય અપ્રમત્તતા એ સાઘકનું વીરત્વ છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - 1265 મુખ્યતાએ મનુષ્યભવમાં સમ્યકત્વની પ્રાપ્તિ માટે સંવેગી-ગીતાર્થ ગુરૂગમથી નવ તત્ત્વોનો નય-નિક્ષેપ-પ્રમાણ સાપેક્ષ બોધ કરવો સુલભ છે, જ્યારે બીજા કારણરૂપ નિસર્ગની હેતુતા નરકાદિ ચારે ગતિ આશ્રયી હોઈ ગૌણ છે, આથી વળી સ્પષ્ટ સમજવું કે નિસર્ગ હેતુતામાં ભવિતવ્યતાની મુખ્યતા છે, જ્યારે અધિગમમાં પુરુષાર્થની મુખ્યતા છે. નિસર્ગ ની બીજી વાત એ છે કે સિદ્ધ નિમિત્ત સિવાય જેનાથી વૈરાગ્યાદિ થાય તે નિસર્ગ છે. વ્યાખ્યા, ઉપદેશશ્રવણ, જિનમૂર્તિ વિ. સમ્યકત્વ તથા વૈરાગ્યાદિ સિદ્ધ નિમિત્ત છે. એ નિમિત્ત સિવાય પીળું પાંદળું, વૃદ્ધાવસ્થા, શબ વિ. જોઈને સમકિત થાય છે તે નિસર્ગ નિમિત્ત સમજવું. અહીં જીવની ઉપાદાનની યોગ્યતા-ઉત્તમતા-પાત્રતા કારણ છે. કાળ • પંચાસ્તિકાય દ્રવ્યોના પરિણમનરૂપ પર્યાયમાં ઉપચાર કરવા રૂપ હોઈ કાળ એ ઉપચરિત દ્રવ્ય છે. કાળના લિંગો તથા ભેદો :૧) વર્તના નવા પુરાણાદિ રૂપે નિરંતર વર્તવું તે વર્તના. ૨) પરિણામ : નવા પર્યાયની પ્રાપ્તિ-ઉપલબ્ધિ છે. (૩) ક્રિયા : એક સ્થાનેથી બીજા સ્થાને જવા રૂપ ક્રિયામાં જે વિલંબ તે. ૪) પરત્વ-અપરત્વ: પ્રથમ સ્થાન અથવા બીજા, ત્રીજા સ્થાનની . યોજનાને પરત્વ, અપરત્વ તરીકે જાણવું આ બધા લક્ષણો દ્રવ્યના પર્યાય સ્યાદ્વાદ એટલે સર્વતોમુખી દર્શન ! Page #444 -------------------------------------------------------------------------- ________________ 1266 હૃદય નયન નિહાળે જગધણી (પરિણમન) વિશેષથી અભિન્ન હોવા છતાં કંઈક વિશેષથી-તફાવતથી તેનો જુદા-જુદા ભેદથી જણાવાય છે. સચેતન કે અચેતન દ્રવ્યોના પર્યાયોમાં અથવા પરિણામી દ્રવ્યોમાં જ અભિન્ન ભાવે દ્રવ્યાદિ દશ પ્રકારના કાળનો વ્યપદેશ કરાય છે. તેમાં ભાવકાળમાં ચાર પ્રકારની સ્થિતિ જાણવી અત્યંત જરૂરી છે. ૧) દ્રવ્યકાળ : દ્રવ્યની વિવિધ પ્રકારની વર્તના તે દ્રવ્યકાળ. તે માટે દ્રવ્ય જ દ્રવ્યકાળ, અથવા દ્રવ્યોની ચાર પ્રકારની સ્થિતિ તે દ્રવ્યકાળ. ૨) ક્ષેત્રકાળ : તે અવસર્પિણી-ઉત્સર્પિણી તેમજ નો અવસર્પિણીનો ઉત્સર્પિણીના ક્ષેત્ર સંબંધી ભાવો તે ક્ષેત્રકાળ. ૩) અદ્ધાકાળ ઃ સૂર્ય ચંદ્રની ગતિથી પ્રગટ થતો (દિવસ-રાત્રિરૂપ) અઢીદ્વીપાન્તરવર્તી કાળ તે અદ્ધાકાળ. ૪) યથાયુષ્કકાળ : નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના જીવનરૂપકાળ તે યથાયુકકાળ. ૫) ઉપક્રમકાળ : મોડી પ્રાપ્ત થતી વસ્તુને (અર્થને) જલ્દી પ્રાપ્ત કરવાનો ઉપાય તે ઉપક્રમકાળ જાણવો, અકાલ કરણ. ૬) અવસરકાળ અથવા દેશકાળ ઃ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવા રૂપ અવસરકાળ, તે દેશકાળ જાણવો. ૭) મરણકાળ : મરણ પામવા રૂપકાળ તે, અથવા પ્રત્યેક સમયે આયુષ્ય પૂર્ણ થઈ રહ્યું છે તે આવિચિમરણ તે મરણકાળ. ૮) પ્રમાણકાળ : દિવસ, રાત્રિ, ગ્રહ, નક્ષત્ર, રાશિ વગેરેનો યોગ તે. દ્વૈતમાં અચ્છેરું બને. અદ્વૈતમાં અચ્છેરું નહિ બને. Page #445 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ & 1267 ૯) વર્ણકાળ ઃ વિવિધપદ પ્રાપ્તિ અથવા વર્ણાદિમાં ફેરફાર થવો તે. ૧૦) ભાવકાળ : ઔદયિકાદિ ભાવમાં, સાદિ સપર્યવસિતાદિ ચાર ચાર ભેદવાળો કાળ તે ભાવકાળ. ચારે ગતિને વિષે સમસ્ત જીવોના, જન્મ, જીવન અને મરણાદિ સમસ્ત દયિક ભાવો સાદિ-સાન્ત ભાંગે છે. મિથ્યાત્વાદિ પરિણામ ભવ્યજીવોની અપેક્ષાએ અનાદિ-સાન્ત છે અને અભિવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. ઓપશમિક સમ્યકત્વ અને ચારિત્ર એ બન્ને પ્રકારનો ઉપશમ ભાવ સાદિસાત્ત છે. - ક્ષયોપશમભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ ભવ્યજીવોને અનાદિ સાન્ત અને અભવ્યને અનાદિ-અનંત હોય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય આ ચાર લાયોપથમિક જ્ઞાનોમાં ભવ્યજીવોને પ્રથમના બે અનાદિ-સાન્ત અને પાછળના બે સાદિ-સાન્ત હોય છે. • નવ ક્ષાયિક ભાવ :. ૧) કેવળજ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૨) કેવળદર્શન : દર્શનાવરણીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૩) ક્ષાયિક સમ્યત્વ ઃ દર્શન મોહનીયકર્મના ક્ષયથી પ્રગટે છે. ૪) ક્ષાયિક ચારિત્ર: ચારિત્ર મોહનીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૫) ક્ષાયિક ભાવની દાનલબ્ધિ : અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૬) ક્ષાયિક ભાવની લાભલબ્ધિઃ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. આત્મા સ્વરૂપથી કેવો છે? એ અનુભવવાની ચીજ છે. જ્યારે કેવો નથી ? એ કહેવાની ચીજ છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ 1268 હૃદય નયન નિહાળે જગધણી ૭) ક્ષાયિક ભાવની ભોગલબ્ધિ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૮) ક્ષાયિક ભાવની ઉપભોગલબ્ધિ : અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૯) ક્ષાયિક ભાવની વીલબ્ધિ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. આ ભાવો સાદિ અનંત હોય છે. બીજાં સર્વ પુલ પરિણમન તે ઔદયિક તેમજ પરિણામિક ભાવે હોઈ સાદિ-સાન્ત ભાંગે છે. તત્વાર્થસૂત્રમાં પરિણમનો બે પ્રકારના કહ્યા છે. શરિરહિનાન્ન એટલે કે અનાદિ અને આદિમાન. તેમાં પેવ્વારિકાનું અને ચોપયોગી નીવેષ એમ કહ્યું છે. જીવનો સાંસારિક તેમ જ સર્વ દ્રવ્યોનું પારિણામિકભાવે પરિણમન અનાદિકાળથી છે. જ્યારે રૂપી પુદ્ગલ દ્રવ્યનો તો પૂરણ-ગલન સ્વભાવ જ હોવાથી, તમામ રૂપી પરિણમનને આદિમાન જાણવા. પુદ્ગલને વિશે જે શાશ્વત કહ્યા છે તે અપેક્ષા વિશેષથી સમજવા | વિશેષતઃ જીવદ્રવ્યને વિષે વિભિન્ન યોગ-પરિણમન તેમજ ઉપયોગ પરિણમન બન્નેને આદિમાન સમજવા. તેમાં યોગ-પરિણમનમાં એક જ યોગસ્થાનકે એક જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી રહે છે. તેમજ ઉપયોગ-પરિણામ કેવળીને એક સમયનો અને છદ્મસ્થ જીવોને અંતર્મુહૂર્ત પરાવર્તી જાણવો. ભાવકાળના ઉપર મુજબ જણાવેલ સર્વે ભેદો જીવ-અજીવના પરિણમનથી અભિન્ન હોવાથી કાળને જીવાજીવરૂપ પણ જણાવેલ છે. અનુભવ, યુક્તિ અને શાસ્ત્ર, એ ત્રણેય એક થાય તે પરમ સત્ય! ' Page #447 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ , 1269 . પ્રમાણકાળ જે કહ્યો છે તેમાં તિથ્વલોકમાં અઢીદ્વીપાન્તરગત ચર સૂર્યચંદ્રની ગતિથી પ્રગટ થતો દિવસ-રાત્રિ રૂપ કાળ તે અદ્ધાકાળ છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. અવિભાજ્ય કાળનો અવયવ - જે અત્યંત સૂક્ષ્મ છે તે સમય છે આવા અસંખ્ય સમયોની આવલિકા. ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા = ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ ૩૦ મુહૂર્ત અથવા ૨૪ કલાક અથવા ૧૪૪૦ મિનિટનો = ૧ દિવસ-રાત્રિકાળ. ૩૦ દિવસ = ૧ માસ ૧૨ માસ = ૧ વર્ષ. તેમાં જે વિશેષ છે તે સમજવું જરૂરી છે. કર્મમાસ : ૩૦ મુહૂર્તનો ૧ દિવસ, * ૧ માસના મુહૂર્ત ૯૦૦ અને એક વર્ષના દિવસ ૩૬૦. ચંદ્રમાસ : ૨૯ ૩૨/૬૨ મુહૂર્તનો ૧ દિવસ. ૧ માસના મુહૂર્ત ૮૮૫ ૩૦/૬૨ * એક વર્ષના દિવસ ૩૫૪ ૧૨/૬૨. સૂર્યમાસ : ૩૦ ૧/૨ મુહુર્તનો ૧ દિવસ. ૧ માસના મુહૂર્ત ૯૧૫ એક વર્ષના દિવસ ૩૬૬. આથી સ્પષ્ટ સમજાય છે કે સૂર્યમાસ વડે (૬) અધિક રાત્રિ થાય છે અને ચંદ્રમાસ વડે (૬) અવરાત્રિ થાય છે. આ માટે કહ્યું છે કે, આકાશ કુસુમ' લઈ, વંધ્યાપુત્ર ઝાંઝવાના નીમાં નાહ્યો; એ વિઘાન જેવું અર્થહીન છે; તેવી જ સંસારની સઘળી વાતો અર્થહીન, આભાસી અને અસ–મિથ્યા છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ 1270 . હૃદય નયન નિહાળે જગધણી न हानिः क्वापि कालस्य, न च वृद्धिः स्वरूपतः। नतोऽत्रावमरात्राऽपि, मासादीनां कथा वृथा ॥१॥ विवक्ष्येते हानि वृद्धि, कालस्य न तु वास्तवी। वस्तुतस्तेषु, नियतस्वरुपः परिवर्तते तथादि-चन्दमास विवक्षायां, कर्ममास व्यपेक्षया। कालस्य हानि-वृद्धिश्च, सूर्यमास विवक्षणे ||રામ . ઉપરની હકીકતથી સ્પષ્ટ સમજાશે કે કાળ એ વર્તનાદિ લક્ષણરૂપ ઉપચરિત દ્રવ્ય છે. ભાવે સ્વરૂપ ભાવ એટલે દ્રવ્યનું ગુણ પરિણમન સ્વરૂપ. અર્થાત્ પર્યાય સ્વરૂપ. આ માટે કહ્યું છે કે, ૧) ગુણપર્યાયવ દ્રવ્યમ્ ૨) દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા ૩) તદ્ભાવઃ પરિણામ ૪) વિવક્ષિત પરિણામો હિ ભાવઃ ૫) પરિણમન પજાઓ. પ્રત્યેક દ્રવ્યનું પર્યાયસ્વરૂપી પરિણમન મુખ્ય બે પ્રકારનું હોય છે. ૧) સ્વતઃ પરિણમન ૨) પરતઃ પરિણમન. જાગૃતિ અને પીડાની તાકાત એ છે કે, તે ભેદ પાડે છે અને તેથી આગળ પર જૂદા પડે છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - 1271 * જીવાજીવાદિ સમસ્ત દ્રવ્યોનું સ્વગુણ ધર્મમાં પરિણામિક ભાવે જે પરિણમન થાય છે તે સ્વતઃ પરિણમન જાણવું. કેમકે તેમાં સ્વ-સ્વભાવની અનુપચરિત હેતુતા હોય છે. - જ્યારે પરતઃ પરિણમનમાં પરદ્રવ્યની સભૂત અસભૂત તેમજ ઉપચરિત હેતુતા છે. આ માટે જીદ્રવ્યમાંના સકળ પરિણમનનું વિશેષ સ્વરૂપ નીચે મુજબ શાસ્ત્રથી અવિરૂદ્ધ અવધારવું. જીવમાં ક્ષાયિક ભાવનું પરિણમન સંપૂર્ણ સ્વાધીનભાવે જાણવું અને ક્ષયોપશમ ભાવના પરિણમનમાં, સ્વગુણની સ્વાધીનતા-ગૌણભાવે અને કર્મ પરિણમનની પરાધીનતા મુખ્ય જાણવી. તેમજ ઉપશમભાવમાં સ્વગુણની સ્વાધીનતા મુખ્ય અને પરાધીનતા ગૌણ હોય છે. જ્યારે તીવ્ર (પ્રબળ) ઓદયિકભાવનું પરિણમન આત્માને કેવળ પરાધીનભાવે જાણવું. સમસ્ત સંસારી જીવોને પાંચે ભાવોની પરિણમનતામાં સ્વતની સ્વાધીનતા અને પરતની પરાધીનતામાં આત્મગુણોની આવિર્ભાવતા તેમ જ તિરોભાવ સાથે વિવિધ પ્રકારના કર્મોદયની મુખ્યતાએ ઓદયિક ભાવ સાથે સંબંધ છે. તે માટે પાંચે ભાવોનું વિસ્તારથી (૫૩ ભેદવાળું) સ્વરૂપ સમજવું જરૂરી છે. કેમકે પ્રત્યેક આત્માને પોતાના શુદ્ધક્ષાયોપશમિકાદિ ગુણોમાં પરિણમનની સ્વાધીનતા વડે જેટલી-જેટલી શુદ્ધ પરિણમનતા હોય છે, તે થકી તે આત્મા, તથાભાવે આત્મરમણતા વડે સાચા આત્મિક ગુણોનો અનુભવ કરી શકે છે. આ માટે જ શુદ્ધ આત્મ-પરિણમન સંબંધે શાસ્ત્રમાં કહ્યું છે કે, દેહસુખના પ્રાપ્તકાળ કરતાં અપ્રાપ્તકાળ વધુ છે, માટે સુખ ભ્રમ છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ 1272 , હૃદય નયન નિહાળે જગધણી परमरहस्समिसीणं, समत्तगणि-पिडगधरिय साराणं। परिणामियं पमाणं, निच्छयमवलंबमाणाणं ।।१।। અર્થ - સમસ્ત ગણિપિટકના સારને ધારણ કરનારા ક્ષીઓનું કથન છે કે નિશ્ચયનયને અવલંબતા જીવો માટે અહીં પરિણામ જ પ્રમાણ છે. તેમજ વળી શુદ્ધભાવધર્મની વિશેષતા માટે કહ્યું છે કે, निच्चुन्नो तंबोलो, पासेण - विणा न हु होइ जह रंगो। તદ તાળ-શનિ-તવ-માવાઝો, બદનામો ભાવ વિUTIJરા અર્થ:- ચૂનાના પાસ વિના પાનમાં રંગ આવતો નથી તેવી રીતે દાન, શીલ, તપ, ભાવના (ધર્મ) પણ ભાવ વિના નિષ્ફળ જાણવા. વળી કર્મબંધન માટે પણ ભાવની મુખ્યતા હોઈ તે સંબંધે કહ્યું છે કે, जह नवि भणिओ बंधो जीवस्स वहे वि समिइ-गुत्तिधरो। भावो तत्थ पमाणं, न पमाणं काय ववहारो।।३।। અર્થ - સમિતિ ગુપ્તિને ધારણ કરનારને જીવનો વધ થવા છતાં જેમ બંધ કહ્યો નથી. ત્યાં ભાવ પ્રમાણ છે. કાયાનો વ્યવહાર એ પ્રમાણ નથી. સંસારી જીવને અનાદિથી, કર્માનુસારે મતિ-કષાય-લિંગાદિ (૨૧) પ્રકારે ઔદયિક ભાવનું પરિણમન હોય છે. તે સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને દાનાદિ પાંચ લબ્ધિઓનો ઓછા-વત્તો ક્ષયોપશમ પણ દરેક જીવને અવશ્ય હોય છે. પરંતુ જ્યાં સુધી જીવને દર્શન મોહનીયનો ક્ષયોપશમ હોતો નથી, ત્યાં સુધી તે આત્મા આત્માર્થ સાધી શ્રુતજ્ઞાન વડે મતિજ્ઞાનનો વિકાસ સાધીને, તે વિકસિત મતિજ્ઞાનથી શુક્લ ધ્યાન ધરી, કેવળજ્ઞાનની પ્રાપ્ત કરવી. Page #451 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - 1273 શકતો નથી. માટે ક્ષયોપશમ ભાવના ૧૮ પ્રકારો સમજવા જરૂરી છે. ક્ષયોપશમમાં ઉદીત કર્મોનો રસોદય હોય છે તે ભોગવીને ખલાસ કરે છે અને બીજા કર્મોની અનુદિત અવસ્થાના કર્મોના રસને ક્ષીણ કરી ઉદયમાં ન આવી શકે તેવી ઉપશમ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે. આઠે કર્મોનો ઉદય એ ઓદયિક ભાવ છે. આઠે કર્મોનો ક્ષય એ ક્ષાયિક ભાવ છે. દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય કર્મોનો ઉપશમ કરી જીવ, ૨ પ્રકારે ઉપશમભાવ - ઉપશમ સમકિત અને ઉપશમ ચારિત્ર પામે છે. શ્રી સિદ્ધ પરમાત્માઓ ક્ષાયિક અને પરિણામિક ભાવમાં નિરંતર પરિણામ પામતા હોય છે. માટે ચોથા કર્મગ્રંથમાં સિદ્ધોને આ બે ભાવનો સાંયોગિક કે સાંનિપાતિક ભાવ ઘટી શકે છે. * સયોગી કેવળી ભગવંતો ચાર અઘાતિ કર્મોનો યથાસંભવ ઔદયિક ભાવ સાથે ક્ષાયિક અને પારિણામિક ભાવોમાં પરિણામ પામતા હોય છે. આ પુદ્ગલ દ્રવ્ય માટે :- સંસારી જીવ વડે પરિણામ પમાડાયેલા પુદ્ગલોને (કર્મોને) તથાવિધ ઔદયિક ભાવનું પરિણમન હોય છે. આથી પુદ્ગલો, સ્વતઃ પારિણામિક અને પરતઃ ઔદયિક એમ બે ભાવમાં પરિણામ પામે છે. સમસ્ત જીવોનું પરિણામિક ભાવનું પરિણમન જો કે અનેક પ્રકારનું છે. પરંતુ તેમાં મુખ્ય જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે ભાવ એકબીજાથી અવિરૂદ્ધ ભાવે સમજવા જોઈએ. જ્ઞાનની પરાકાષ્ઠા કેવળજ્ઞાન છે. જ્ઞાનાયારની પરાકાષ્ઠા દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ 1274 હૃદય નયન નિહાળે જગધણી પારિણામિક ભાવે જીવનું પૂર્ણ, અનંત, શુદ્ધ, અક્ષય, શાશ્વત સ્વરૂપ રહેલું છે તેની શ્રદ્ધા કરી, તેને પ્રગટાવનાર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અવલંબન લઈએ તો આત્મા પોતે પોતાના ધ્રુવપદનો ભોગી બની શકે. - નંદીયશાશ્રીજી સાધુતી ૧) દ્રવ્ય સાધુઃ (ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, કુષ્ય, સુવર્ણ દ્વિપદ અને ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહના ત્યાગી હોય છે. ૨) ક્ષેત્ર સાધુઃ અણગારી (વર-ક્ષેત્રાદિ સ્થાનના પ્રતિબંધ વગરના) હોય તે. ૩) કાળ સાધુ જાવજીવ સુધીની મહાવ્રતાદિ પ્રતિજ્ઞાવંત હોય તે. ૪) ભાવ સાધુઃ રાગ-દ્વેષાદિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરતાં હોય તે. ઉપરના ચાર નિક્ષેપના પ્રત્યેકના ચાર-ચાર ભેદો પણ વિચારવા. ૧) દ્રવ્યથી દ્રવ્ય સાધુઃ લિંગ ઉપકરણાદિ યુક્ત હોય તે. ૨) ક્ષેત્રથી દ્રવ્ય સાધુઃ ગૃહસ્થના આવાસથી અળગો હોય તે. ૩) કાળથી દ્રવ્ય સાધુ પર્વ કલ્યાણકાદિ તિથિનો આરાધક હોય તે. ૪) ભાવથી દ્રવ્ય સાધુ: આજ્ઞાવર્તી (= અઢાર હજાર શીલાંગ રથના ધારક) હોય તે. દર્શનની પરાકાષ્ઠા કેવળદર્શન છે. દર્શનાયારની પરાકાષ્ઠા બ્રહ્મવષ્ટિ છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - 1275 ૧) દ્રવ્યથી ક્ષેત્ર સાધુ મઠ, મંદિર ઉપાશ્રયના ધારક હોય છે. ૨) ક્ષેત્રથી ક્ષેત્ર સાધુ આસન સ્થિર હોય તે. ૩) કાળથી ક્ષેત્ર સાધુઃ નવકલ્પી વિહારવંત હોય તે. ૪) ભાવથી ક્ષેત્ર સાધુ: આયતન સ્થાનમાં રહે તે. ૧) દ્રવ્યથી કાળ સાધુઃ કાળે યથોચિત ભિન્ન ભિન્ન આવશ્યકાદિ ક્રિયાઓ કરનાર. ૨) શેત્રથી કાળ સાધુ કાળાનુસારે યોગ્ય ક્ષેત્રે વિહાર કરે તે. ૩) કાળથી કાળ સાધુઃ કાળાનુસારે આત્માર્થ સાધે છે. રાત્રે कालं समायरे। ૪) ભાવથી કાળ સાધુઃ સર્વ સમય સાવધાન રહે છે. ૧) દ્રવ્યથી ભાવ સાધુ: કોઈ પણ દ્રવ્યના પ્રતિબંધ વગરના હોય તે. ૨) ક્ષેત્રથી ભાવ સાધુ કોઈ પણ ક્ષેત્રના પ્રતિબંધ વગરના હોય તે. ૩) કાળથી ભાવ સાધુઃ કોઈ પણ કાળના પ્રતિબંધ વગરના હોય તે. ૪) ભાવથી ભાવ સાધુ શુભાશુભ કોઈપણ ભાવના પ્રતિબંધ વગરના હોય તે " - સમ્યત્વની નિર્મળતા માટે પણ વિચારવું કે ચાર પ્રકારના ધર્મઅર્થ-કામ-મોક્ષ પુરુષાર્થ છે. એમાં કામ અને મોક્ષ એ સાધ્યપુરુષાર્થ છે જ્યારે અર્થ અને ધર્મ અનુક્રમે સાધન પુરુષાર્થ છે. આ ચાર પુરુષાર્થ પણ ચતુર્વિધ હોય છે એટલે આત્માએ ખૂબ ચોકસાઈથી પોતાના પરિણામોને તપાસવા જરૂરી છે. યારિત્રની પરાકાષ્ઠા સિદ્ધાવસ્થા-પરમ શૈર્ય છે. યાત્રિાયારની પરાકાષ્ઠા જિનકલ્પ છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ 1276 હૃદય નયન નિહાળે જગધણી ધર્મ પુરુષાર્થ ૧) ધર્મ પુરુષાર્થ અર્થ માટે :- પંડિતો, વિધિકારકો, પૂજામંડળ, યાત્રાપ્રવાસ વિગેરે. ૨) ધર્મ પુરુષાર્થ કામ માટે :- પ્રભાવના, પારણા, બેસણા કરાવે તો વર્ષીતપ થાય આમાં સુખશીલતા છે. ૩) ધર્મ પુરુષાર્થ ધર્મ માટે :- દીક્ષા લઈને રત્નત્રયીની વૃદ્ધિ કરવી, પ્રાપ્ત ગુણથી રત્નત્રયીની વૃદ્ધિ કરવી. = ૪) ધર્મ પુરુષાર્થ મોક્ષ માટે :- પાલ્રાણં કમ્માણ નિગ્ધાયણટ્ઠાએ કર્મક્ષય માટે અહીં જાગૃતિ છે કે ક્રિયાથી આશ્રવ થાય છે અને રાગ-દ્વેષથી બંધ થાય છે. માટે રાગ-દ્વેષ ન થાય તેની સતત જાગૃતિ રાખે છે. અહીં ક્ષયોપશમ રત્નત્રયીને ક્ષાયિક રત્નત્રયી મેળવવાના અભિલાષે સતત પુરુષાર્થ કરવામાં આવે છે. અહીં ભાવધર્મની મુખ્યતા છે. સાધનને સાધ્યની પ્રાપ્તિ માટે સાધનામાં જોડવું, તે ભાવ છે. એટલે ક્ષયોપશમ રત્નત્રયીને ક્ષાયિક બનાવવાના લક્ષ્ય વિકસાવતાં રહેવું તે ભાવ છે. પૂર્ણનું લક્ષ્ય જેને હોય તેને અપૂર્ણની પ્રાપ્તિમાં ક્યારેય સંતોષ, અભિમાન કે અટકાયત આવતી નથી. કારણકે તે સમજે છે કે અપૂર્ણના સરવાળા કદી પૂર્ણ બની શકતા નથી. અપૂર્ણ અને પૂર્ણની જાતિમાં જ ફેર છે. માટે પૂર્ણ-ધ્રુવપદનું લક્ષ્ય તીવ્રતમ બન્યું રહેવું જોઇએ. તપની પરાકાષ્ઠા પૂર્ણકામ, અણાહારીપદ, અશરીરી-અરૂપીપણું છે. તપાયારની પરાકાષ્ઠા અનશન છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - 1277 અર્થ પુરષાથી ૧) અર્થ પુરુષાર્થ અર્થ માટે :- જેઓ પૈસાને પૈસા ભેગા કરવા, લોભ સંતોષવા જ મેળવે છે, પૈસાનો ઉપયોગ જીવનનિર્વાહ માટે પણ શાંતિથી કરતા નથી તેનો અર્થ પુરુષાર્થ અર્થ માટે છે. દ્રષ્ટાંતમાં મમ્મણ શેઠ. ૨) અર્થ પુરુષાર્થ કામ માટે - ભોગી જીવોને લાગુ પડે. જેઓ કમાઈને ભોગની પાછળ પડેલા છે. પશ્ચિમપરસ્ત ઉપભોક્તાવાદીનો આમાં સમાવેશ થઈ શકે. ( ૩) અર્થ પુરુષાર્થ ધર્મ માટે - કોઈ દીક્ષાર્થીને ઘરમાં કોઈ વડીલ ન હોય ને પાંચ લાખ રૂા. કમાઈને આપે તો જ દીક્ષાની રજા મળી શકે તેમ છે તેવાનો અર્થ પુરુષાર્થ ધર્મ માટે સમજવો. ( ૪) અર્થ પુરુષાર્થ મોક્ષ માટે :- ભરત ચક્રીની જાગૃતિ હતી. મોક્ષની જ તમન્ના હતી પણ પખંડની જીત ન કરે તો ચક્રવર્તીનું પુણ્ય ન ખપે તેવા આત્માની, નિકાચિત કર્મના ઉદયથી થતી પ્રવૃત્તિ પોતે જાગૃત હોવાથી કર્મક્ષય-આંશિક મોક્ષ માટે થાય છે. આ કામ પુરષાથી ૧) કામ પુરુષાર્થ અર્થ માટે - વેશ્યાને હોઈ શકે છે. ૨) કામ પુરુષાર્થ કામ માટે :- ભોગીને, વ્યભિચારી ને હોય. ૩) કામ પુરુષાર્થ ઘર્મ માટે :- સતી સ્ત્રીને અથવા દીક્ષાર્થી પુરુષને બાળક આવ્યા પછી દીક્ષાની રજા મળે તેમ છે તેવી વ્યક્તિનો કામ પુરુષાર્થ ધર્મ માટે સમજવો. જ્ઞાની તે છે કે, જે તન કે મનથી પોતે પીડાતો નથી અને અન્યને પીડતો નથી. Page #456 -------------------------------------------------------------------------- ________________ 1278 હૃદય નયન નિહાળે જગધણી ૪) કામ પુરુષાર્થ મોક્ષ માટે :- માત્ર તીર્થંકરનો ગૃહસ્થાવાસ લઈ શકાય. તથા નંદીષેણ વિગેરેના નિકાચિત કર્મોદયનો પણ અહીં સમાવેશ થઇ શકે. મોક્ષ પુરુષાર્થ ૧) જે માયાવી પૈસા ભેગા કરવા માટે ચારિત્ર પાળે તો (કહેવાતો) મોક્ષ પુરુષાર્થ અર્થ માટે છે. ૨) જે માયાવી ખાવા-પીવા તથા સુખસંજ્ઞાને પોષવા માટે ચારિત્ર પાળે તેનો મોક્ષ પુરુષાર્થ કામ માટે સમજવો. ૩) જે સાધક પંચાચારની વૃદ્ધિ માટે ચારિત્ર લે તેનો મોક્ષ પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ માટે છે. ૪) જેઓ કર્મક્ષય માટે ચારિત્ર પાળે છે તેવા ગજસુકુમાલ વિગેરેને મોક્ષપુરુષાર્થ મોક્ષ માટે સમજવો. મોક્ષ પુરુષાર્થી પુણ્યના ઉદયથી અળગા થવાનું શીખે. કર્મનો સંયોગ બાહ્ય સામગ્રી આપે, તેમાં કારણતા ખરી પણ કારકતા તો આત્માની જ સમજવી. માટે જ જંબુસ્વામીજીનો પ્રબળ પુણ્યનો ઉદય હતો, પણ તેઓ નિર્લેપ રહ્યા તો મોક્ષ મેળવી શક્યા. ઈંદ્રિયોના વિષયોથી અળગા થવાય તો જ પ્રત્યાહાર થઇ શકે. સારૂં ખાવાનો વિચાર ન કરો. કોઈની નિંદા ન સાંભળો, તમારી પ્રશંસા સાંભળવાનું મન પણ ન થવું જોઇએ. ઈંદ્રિયો હંમેશા મનની પાસે વિષયોની ભીખ માંગતી રહે છે અને મન ઈંદ્રિયની માંગણી આત્માને જણાવે (મન એ દલાલ છે) ત્યારે તેમાં ‘પર’ છે તે દુઃખદ છે, વિનાશી છે માટે વૈરાગ છે. ‘સ્વ’ છે તે સુખદ છે, અવિનાશી છે, નિત્ય છે અને ત્યાં વૈરાગ્ય નથી પણ સ્વાનુભૂતિ છે-સંવેદન છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ | પરિશિષ્ટ , 1279 પરિશિષ્ટ આત્મા જો આસક્ત થઈ જાય તો પતન અને જાગૃત રહે તો ફસાય નહીં. સમકિતી પુગલના વિષયોને વિષ્ટાથી પણ વધારે ભૂંડા ચિંતવે, તે તરફ મન પણ જવા ન દે. આજે તો તપસ્વીઓને ખાવાની અભિલાષ હોય છે. - અભિમાનનો, મોટાઈનો, પ્રસિદ્ધિનો મોહ હોય છે. તપના ઉજમણામાં પૈસા ખર્ચાવા જ જોઈએ વિગેરે ઇચ્છાઓ, આગ્રહો બાધક જાણવા.. આપણે ઈન્દ્રિયોને મારવાનો પ્રયત્ન પહેલાં કરીએ છીએ પણ સૌ પ્રથમ મનને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરવો જરૂરી છે કારણકે શાસ્ત્રમાં કહ્યું છે. મનરને ફન્દ્રિયમર, જિયભરને મૂર, મ્પનરને मुक्तिसुहं अव्वाबाह। મનને બાંધવા માટે આત્માને પોતાના હિતાહિતનું ભાન-જ્ઞાન જોઈએ. જેમ કુંભે બાંધ્યું જળ રહે તેમ જ્ઞાને બાંધ્યું મન રહે. પણ ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાત ન ભૂલવી. - અનાદિકાળથી મને ઈંદ્રિયોથી વિષયનો અનુભવ કર્યો છે તેથી તેમાં વાસના બંધાઈ છે તેથી ખાતા-પીતા ન હોવા છતાં મન વિષયોની દલાલી કરે છે. હવે મન ઈન્દ્રિયોની દલાલી છોડીને પંચ પરમેષ્ઠીની દલાલી કરે તો કામ થઈ જાય. * પર વસ્તુમાં સુખ આપવાનું લક્ષણ છે જ નહીં, એમ સમજી મન પરભાવમાં સુખબુદ્ધિ અને ભોગવૃત્તિનો ત્યાગ કરવાની પ્રેરણા આપતું રહે તો તે મન ઉપકારક બની શકે. ક્રિયાથી આશ્રવ થાય છે. રાગ-દ્વેષથી બંધ થાય છે. એટલે બાહ્ય ભાવથી સર્વથા અળગા ન થવાય તો પણ વિવેકી બની શકાય છે. વિતરણ એટલે નિરારંભી, નિષ્પાપ, નિષ્પરિગ્રહી, નિરપાવિક, નિરાલંબી, નિર્વિકલ્પ, નીરિહ. Page #458 -------------------------------------------------------------------------- ________________ 1280 , હૃદય નયન નિહાળે જગધણી ભગવાનની આજ્ઞા મુજબ વિહાર વિગેરે કરવાથી કર્મબંધ નથી અને સ્વચ્છંદતાથી ઇચ્છા મુજબ વિહાર વિગેરે કરવાથી કર્મબંધ છે. સાત નય સાપેક્ષ મોક્ષ પુરુષાર્થનો વિચાર કરતાં, ૧) નૈગમનયથી સર્વવિરતિધર એ મોક્ષપુરુષાર્થ કહેવાય. ૨) સંગ્રહનયથી સમકિત+સર્વવિરતિ એ મોક્ષપુરુષાર્થી કહેવાય. ૩) વ્યવહાર નયથી ઘરબાર રહિત અણગાર જે પંચમહાવ્રતધારી છે. નવકલ્પી વિહાર કરે છે. દશકલ્પનું સેવન કરે છે. દશવિધ સામાચારીનું પાલન કરે છે. દશવિધ યતિધર્મને પ્રગટ કરે છે. તે મોક્ષપુરુષાર્થ સમજવો. ૪) ઋજુસૂત્ર નયથી પ્રતિ પળે અમને જવાનો પ્રયત્ન કરે છે તે મોક્ષપુરુષાર્થ સાધક કહી શકાય. ૫) શબ્દનયથી ભગવાનની આજ્ઞા નિરતિચાર પાળે છે તે મોક્ષપુરુષાર્થ જાણવો. ૬) સમભિરૂઢનયથી ક્ષપકશ્રેણીમાં રહેલો મોક્ષપુરુષાર્થી છે. ૭) એવંભૂતનયથી કેવળી મોક્ષપુરુષાર્થી છે. સિદ્ધ પરમાત્મા તો સમયે સમયે પોતાના આવિભવિ પ્રાપ્ત જ્ઞાનાદિ અનંત, અક્ષય, અરૂપી, અવ્યાબાધ તેમજ અગુરુલઘુ આદિ અનેક સ્વગુણોમાં નિકામી પણ તેમ જ સહજ પણે ક્ષાયિકભાવે પરિણામ પામતા રહે છે. આ ધ્રુવપદનું નિરંતર સાધક આત્માએ અવલંબન લેવાનું છે જેના ફળસ્વરૂપે તે ધ્રુવ પદ રામી બની શકે છે. - નંદીયશાશ્રીજી સાધ્યપ્રાપ્તિમાં બાધકનો રોધક તે સાધક! Page #459 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મસ્વરૂપ શિક વિશેષણો પરમાત્માના વિશેષણ છધસ્થના-પુદ્ગલના વિરત વિશેષણ પરમાત્માના વિશેષણ છાસ્થના-પુદગલના વિરુદ્ધ વિશેષણ સકામ નાસ્તિ ભોગી મર રેવું પ્રભ તિરોભાવ પરિચ્છેદ દેશ્ય જન્ય લક્ષ્ય આત પ્રતિપાતિ પ્રતિત અકામ અસ્તિ અભોગી અજર અમર અરૂવું આવિર્ભાવ અપરિચ્છેદ અદેશ્ય અજન્ય અલક્ષ્ય અનાહત અપ્રતિપાતિ અપ્રતિષ્ઠત અમોધ અરૂહત અનાસક્ત અચલ એકાંતિક આત્યંતિક અપરિણામી અપ્રવેશી અરૂપી અગોચર અગમ્ય અકલ સકલ અનાદિઅનંત સાદિ અનંત (ક્ષાયિકભાવ) મોઘ રહંત ભેદ આસક્ત ચલિત કે ચલ અનેકાંતિક અપૂર્ણ પરમ અપરમ પ્રધાન ગૌણ પ્રમાણ અપ્રમાણ - પ્રત્યક્ષ પરોક્ષ પુરુષ પ્રકૃતિ લઘુ પૂર્ણકામ સકામ વિષમ : પ્રેક્ષક નટ-નાટક પારગત અપારગત વિકૃત પારમાર્થિક વ્યવ્હારિક પ્રકાશ અંધકાર પ્રશાંત અશાંત પ્રસન્ન અપ્રસન્ન એક અનેક અભેદ અક્રમિક ક્રમિક અવિકલ્પ સવિકલ્પ અંત્યે અનંતર પરંપર અંય ઉપાંત્ય અહમ્ અનુપચરિત ઉપચરિત • અનારોગ્ય આરોગ્ય અનિમિત્તિક નિમિત્તિક અતિ '. અલખ. A અભંગ , અક્રિય સક્રિય અનંતરાય (અનુ+અંતરાય) અંતરાય અત્ત અઘ અસંખ્ય સંખ્ય અનંત અપૂર્વ અવ્યય વ્યય અયુક્ત યુક્ત અનન્ય અન્ય અનર્થ અંતિક અંત્ય પરિણામી સપ્રવેશી રૂપી ગોચર ગમ્ય વિકલ લખ ભંગ અનાદિસાંત (ક્રમિક) સાદિસાંત (ઓપશમિકઔદયિક-ક્ષાયોપથમિક) અરિહંત ક્ષય કાલ સકર્મી સશરીરી અરિહંત અક્ષય અકાલ અકર્મી અશરીરી અલ્પ અલવ અપર્યવ અપરિવર્તિત અનો અલ્પ અંત લવ સપર્યવ સપરિવર્તિત અદ્વિતીય અલિપ્ત દ્વિતીય લિપ્ત અર્થ Page #460 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના વિશેષણ છધસ્થના-પુગલના વિરુદ્ધ વિશેષણ પરમાત્માના વિશેષણ છપસ્થના-પુગલના વિરુદ્ધ વિશેષણ સકલંક સમલ સલેશી સયોગી સીમ સીમિત મીત વ્યક્ત સકષાય અનાત્મા પૌગલિક તાર્કય જડ. અનાપ્ત ઈન્દ્રિય કાઢ્યા સાધારણ છેદ્ય ' અંગ ભેઘ જીત વિનાશી અનિત્ય ક્ષર સભય શોક-સશોક અંશ અવ્યક્ત અકષાય આત્મા અપીગલિક અતાય અજડ આપ્ત અકાટ્ય અછઘ અભેધ અવિનાશી નિત્ય નિરંશ નિરાવરણ નિરવદ્ય નિર્વિકલ્પ નાથ નિર્વિશેષ નિવસગ્ન નિશંક નિરવધિ નિર્મમ નિશ્ચય નિરવકાશ નિક્સ નિરપેક્ષ નિરાકાર નિશ્ચિત નિરંજન નિરવયવ જન્મજા અલંક અમલ અલેશી અયોગી અસીમ અસીમ અમીત અતીન્દ્રિય અસાધારણ અનંગ અજીત અક્ષર અભય અશોક અમૃત અજન્મા અબદ્ધ અરિહા નીરિહા અવાચ્ય અવિનશ્વર અખંડ અખંડ અવિભાજ્ય અણાહારી અસુપ્ત અનિદ્રા અસંગ અર્જા અભોક્તા અકલપ્ય અપ્રપંચી અસંયુક્ત અસ્યા અનામી અનાવતારી અષ્ટ અમૂર્ત અકાપ્ય અશેષ અવેદી અનંત ચતુષ્ક અવિકારી અમ્રુત બદ્ધ ઈચ્છા વાચ્ય વિનશ્વર ખંડ ખંડિત ભાજ્ય આહારી સુસુપ્ત કે સુખ નિદ્રાયુક્ત સાવરણ સાવધ. સવિકલ્પ અનાથ : સવિશેષ ઉવસગ્ગ શંક સાવધિ સમમાં વ્યવહાર અવકાશ-અકાશ સલ સાપેક્ષ સાકાર અનિશ્ચિત અંજન સાવયવ અનીશ્વર અનિયત સંગ કર્તા ભોક્તા કલખ્ય ઈશ્વર નિયત સપ્રપંચી અતૃપ્ત સમોડી સંયુક્ત સ્યાદ્ નામી અવતારી દૃષ્ટ નીરિહી નિર્મોહી નીરિહા નિર્લેપ ઈ નિર્મલ કાપ્ય શેષ સવેદી અંતકૃત ચતુષ્ક વિકારી યુત નિર્મોહ નિર્દોષ નિર્ગુણ નિરાવલંબી નિરારંભ નિરાગી સલેપ સમલ સંમોહ સદોષ સગુણ સાવલંબી-પરાવલંબી આરંભ-સમારંભયુક્ત સરાગી તિરસ્કાર્ય નમસ્કાર્ય Page #461 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના વિશેષણ છધસ્થના-પુલના વિરુદ્ધ વિશેષણ પરમાત્માના વિશેષણ છાસ્થના-પુદ્ગલના વિરુદ્ધ વિશેષણ નિષ્કપટ ઉપાસ્ય ઉત્સર્ગસ્વરૂપ ઉપાદાન ઉન્નત ઉત્કૃષ્ટ ઉત્તમ ઉજાગરદશા ઉપાદેય ઉપશાંત સંસ્કૃત સનાતન સકપટ અનુપાસ્ય અપવાદસ્વરૂપ નિમિત્ત અવનત નિકૃષ્ટ અધમ-મધ્યમ નિદ્રા-સ્વપ્ન-જાગૃત દશા અનુપાદેય અશાંત પ્રાકૃત-વિકૃત પુરાતન-અદ્યતન અશુદ્ધ વિરસ અલ્પર્શી સર્વશક્તિમાન શુભંકર સંતૃપ્ત ઈશ. ઈષ્ટ ઈશ્વર કલ્યાણ કેવલ્ય કૃતકૃત્ય અશક્તિમાન અશુભંકર અતૃપ્ત અનીશ અનીષ્ટ અનીશ્વર અલ્યાણ એક્વલ્ય અકૃતકૃત્ય અકાર્ય કાર્ય ચેતન ચિત-ચિંદ્ર બ્રહ્મ સરસ સર્વદર્શી ભદ્રંકર ભગવાન અદ્ય સંઘ અભૂત શૂન્ય-સૂક્ષ્મ અસભૂત સ્કૂલ-સૂક્ષ્મ અસિદ્ધ-સાધક-બાધક અસત્ય સિદ્ધ ભાવ દૃષ્ટા દુર્લભ દિવ્ય અચિત-અચિદ્ર અબ્રહ્મ અબુદ્ધ ભયંકર હેવાન-ઇન્સાનભાગ્યવાન-કમનસીબ અભાવ દેશ્ય સુલભ અદિવ્ય-પાર્થિવ દાનવ-દેત્ય-માનવ અધુવ-અસ્થિર સરાગ અધ્યાપક . અવિશ્રામ સત્ય સતું અસત્ સર્વ : સહજ "સ્થિર અસર્વ કૃત્રિમ અસ્થિર 'સ્વરૂપ, શેય સ્વભાવ સ્વયંભૂ શિવ : વીતરાગ વ્યાપક વિશ્રામ જ્ઞાતા જ્ઞાન મંગલ મૂલ ક્ષાયિકભાવી ચિત્ત સાર વિરૂપ-કુરૂપ વિભાવ-પરભાવ નિમિત્તભૂ અશિવ અસાર વિસ્મય અશાંત અજ્ઞ-અલ્પજ્ઞ અશરણ્ય અસમ્યગુ-મિથ્યા અફલ-નિષ્ફલા સમય-તન્મય શાંત સર્વજ્ઞ શરણ્ય' મહાને અમંગલ અમૂલ ઔદયિક-ઔપથમિકક્ષાયોપથમિકભાવી અમUશુદ્ર-તુચ્છ લઘુ લૌકિક કે લોકોત્તર તમઃ જન્ય અતીર્થ અતૃપ્ત અતારક લોકોત્તમ જ્યોતિ તદ્રુપ સલ શંકર સ્વતંત્ર સ્વાધીન તીર્થ પરતંત્ર પરાધીન અસમર્થ સર્વસમર્થ તૃપ્ત તારક કેરીના છોતરા કાઢીને કેરીના રસ સાથે જેમ અભેદ થઈને રસાસ્વાદ માણીએ છીએ એમ પરમાત્મ તત્ત્વના કોઈ વિશેષણને લઈને એમાં આપણો રસ રેડી અભેદ થવું તે ખરી સાધના છે. - રૂપ ચિંત શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી Page #462 -------------------------------------------------------------------------- ________________ દ્વૈત | અદ્વૈત ક્રિયા છે તેથી કંપન છે. એના પરિણામે ક્ષેત્રક્ષેત્રાંતરતા અને રૂપરૂપાંતરતા એટલે કે પરિભ્રમણ અને પરિવર્તનતા છે. માટે જ ગુપ્તિ એ સાધના છે અને સ્થિતિ-પરમધૈર્ય એ સિદ્ધિ છે. . પૂર્ણ એવો આત્મા આજે, કરવાપણાના ભાવથી કર્મસંયોગે અપૂર્ણ બન્યો છે. અક્રિય એવો સક્રિય બન્યો છે. અકંપિત એવો સ્પંદિત-કંપિત બન્યો છે. નિસ્તરંગ એવો તરંગિત બન્યો છે. નિર્વિકલ્પ એવો સવિકલ્પ બન્યો છે. નીરિહી-નિર્મોહી-વીતરાગી એવો મોહી-રાગીદ્વેષી બન્યો છે. નિરાહારી એવો આહારી બન્યો છે. જ્ઞાની એવો અલ્પજ્ઞાની-અજ્ઞાની બન્યો છે. અનામીઅરૂપી-અમૂર્ત એવો નામી-રૂપી-મૂર્ત બન્યો છે. અમન એવો સમન થયો છે. અયોગી-અદહી-અશરીરી એવો સયોગી-સદેહી-સશરીરી થયો છે. અથ્યત એવો સ્થૂત થયો છે. અચલ-નિશ્ચલ એવો સચલ-ચંચળ થયો છે. અખંડ-અભંગ એવો ખંડિત થયો છે, નિત્ય એવો અનિત્ય થયો છે. અક્ષર એવો ક્ષર થયો છે. તેથી જ આનંદસ્વરૂપ અદ્વૈત એવો સુખ-દુઃખરૂપ દ્વૈત બન્યો છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ત્રિવેધ યોગ ધરી દર્યો રે, નેમિનાથ ભરથાર; તરહી. ધોરણ પોષણ તોરણો રે, , નેવે સ્ટ દૃર્તા, દ્રવ્ય સંકળ ખેત. સાધારણ ગુણની સાધમ્મત, દર્પણ જળ દૃષ્ટાંત. અગુરુલઘુ નેજ ગુણને દેખત, Page #464 -------------------------------------------------------------------------- ________________ जवने शिव जनावनार ભીતરમાં ગર્ભિત પરમાત્મ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરાવનાર પ્રયોગાત્મક આત્મવિજ્ઞાન એટલે જ આપના કરકમલમાં રહેલ સંથા એ આનંદસ્વરૂપી આભાને આનંદઘન બનાવનાર આનંદઘન પ્રરૂપિત આનંદઘનાવ છે. આ તો તિજોરીમાં રહેલું ઝવેરાત છે. બહુ બહુ પુણ્યરાશિના સ્વામીને જ દર્શન કરવા મળે ! જે કોઈ પુણ્યશાળી આત્મા હશે, તે જ એના 'દર્શન, મનન, ચિંતન, કરવા ભાગ્યશાળી બનશે ! અને 'વર્તમાનમાં આત્મિક આનંદને પામી | 'ભાવિમાં કૈવલ્યાનંદને પામવા સૌભાગ્યશાળી થશે ! FORT વધુ શું કહીએ ? 'આપ જાતે જ ઝવેરી બનીને મુલ્યાંકન કરો ! અને આંકેલું મૂલ્ય જણાવો... MULTY GRAPHICS (022) 23873222 23884222