SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ 9 1261 ગણિતાનુયોગ : જીવાજીવ પદાર્થોની તેમજ તેના ગુણધર્મોની આત્મસાધનામાં સાધક-બાધકરૂપે ગણના કરવી છે. જેમાં સંસારી તથા સિદ્ધના જીવો તેમજ અજીવના પ્રમાણ-ઉuantum ની વિચારણા છે. - દ્રવ્યાનુયોગઃ જીવાવરૂપ છે એ દ્રવ્યોના શુદ્ધાશુદ્ધ પરિણમનોનું ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપે યથાર્થ અવિરૂદ્ધ જે જ્ઞાન કહ્યું છે તે. જેમાં પદ્રવ્યોની વિચારણાથી સ્વરૂપવિચારણા છે. આ ચારે પ્રકારના અનુયોગથી આત્મા-આત્મદર્શિતા પ્રાપ્ત કરે છે, તેમાં દ્રવ્યાનુયોગનું જ્ઞાન, જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તેમજ શુદ્ધિમાં વિશેષ ઉપકારક છે અને સમ્યગ્દર્શનની શુદ્ધિ, તે ચારિત્રશુદ્ધિનું કારણ છે. ૩) મૂર્ત - છ એ દ્રવ્યોમાં નિશ્ચયદ્રષ્ટિએ માત્ર પુદ્ગલદ્રવ્યો જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત હોવાથી રૂપી છે. જ્યારે બાકીના પાંચે દ્રિવ્યો તેથી વિપરીત એટલે વર્ણાદિ રહિત હોવાથી અરૂપી છે. પરંતુ વ્યવહાર દ્રષ્ટિએ પુદ્ગલ સંયોગ-જીવને વિશે રૂપીપણું છે. અર્થાત્ સંસારીજીવ રૂપારૂપી છે. તે પ્રમાણે વ્યવહારથી પરમાણુ વિગેરે અત્યંત સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યોને અરૂપી પણ કહેવાય છે. જે દેખાય તે મૂર્ત અને ન દેખાય તે અમૂર્ત એ વ્યાખ્યા સાચી નથી. કારણકે તેના અનુસાર ચાની સાકર પણ દેખાતી નથી તો તે પણ અરૂપી=અમૂર્ત બની જશે. તે ઈષ્ટ નથી. જે પરિભ્રમણશીલ અને પરિવર્તનશીલ છે તે મૂર્ત-રૂપી છે અને જેમાં પરિભ્રમણતા કે પરિવર્તનતા નથી પણ સ્થિરતા અને નિત્યતા છે તે અરૂપી છે. - નિત્ય ૫ રજ પીજેનું એક જ રૂપ છે તે અરૂપી છે અને જેનું રૂપમાંથી રૂપાંતર થાય છે તે રૂપી છે. જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન આનંદ છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy