________________
868
હૃદય નયન નિહાળે જગધણી
સમ્યજ્ઞાન અને પૂર્ણજ્ઞાન થતાં મિથ્યા છે એવો નિર્ણય થાય છે. પછી તેને મિથ્યા માનીને માત્ર વ્યવહાર જ થાય છે. વેદાંતના આ વાદને વિવર્તવાદ-માયાવાદ-ભ્રમણા કહેવાય છે.
આ મતથી સંસારને મિથ્યા સમજી આત્માનું લક્ષ્ય કરી આત્મા જ પરમાત્મા છે, એવું દઢ કરી આત્મકેન્દ્રિત બની આત્માને પામવાની પોઝિટીવ સાધના કરવાની છે, જે જ્ઞાનપ્રધાન નિશ્ચયનયની સાધના છે, જેમાં આપણે જે પરમાત્મ તત્ત્વ દબાયેલું છે તેના ઉપર ઉપયોગનું ફોકસ કરી તેને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' એ સૂત્ર સાધનાના સંદર્ભમાં પરમ શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ કહેવાયું છે. પરમ પારણિામિક ભાવ એ જ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. તે સિવાય જે કાંઈ છે, તે જીવનું શુદ્ધ સ્વરૂપ નથી અને તેથી જીવના શુદ્ધસ્વરૂપ સિવાયનું બધું જ મિથ્યા છે, તે અપેક્ષાએ ચાર ગતિ વગેરે જે કાંઈ પ્રગટ દેખાય છે; એ તમામ મિથ્યા છે. આ ત્યાગ, વ્રત, દીક્ષા, ભણવું-ભણાવવું વગેરે પણ મિથ્યા છે, માયા છે કારણકે તે જીવનું અસલ સ્વરૂપ નથી. જો આપણું કશું નથી તો મમત્વ શા માટે કરવું? મોક્ષનું પહેલું કારણ આ છે કે બધું માયાવી અર્થાત્ આત્માથી ભિન્ન લાગવું જોઈએ અને તે હૃદયથી લાગવું જોઈએ. આ અપેક્ષાએ શુદ્ધનિશ્ચય નય સિવાયના તમામ નયો પણ માયાના જ વિષય બને છે. સાધના માર્ગનો નિષ્કર્ષ એ છે કે પરમ પરિણામિકભાવનું લક્ષ્ય રાખજે! જે કાંઈ અનુભવ આવે તેને છોડતા જવાનું છે. આ સમજણ આવવી જ પ્રભુનો અનુગ્રહ છે, આ જ બોધિબીજ છે.
પર પદાર્થમાં તો મમત્વ ન જ કરવું પણ આપણી પોતાની શુદ્ધ કે અશુદ્ધ કોઈ પણ પર્યાયમાં પણ હું પણું ન કરવું. આમ થાય તો
શરીરનું સુખ જે છોડે છે, તે મોહભાવોનો નાશ કરી શકે છે. માટે જ સર્વવિરતિઘર્મ, પંચ મહાવ્રત, સંયમને રાજમાર્ગ જણાવેલ છે.