SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમિનાથજી 855 આપણો ચેતન ચકવો, શુભમતિ નામની ચકવી સાથે ઉપશમ સરોવરમાં નિરંતર ક્રીડા કરતો હોય, તો આપણે નમિજિનના ચરણોની વાસ્તવમાં ઉપાસના કરી કહેવાય. ઉપાસના એ બાહ્ય તત્ત્વ નથી. એ લોકોની નજરમાં આવે એવું નથી. બાહ્યભક્તિ એ ઉપાસના નથી પણ બાહ્યભક્તિ કરતાં ઉપાસ્ય જેવા થવાની તમન્ના, ઉપાસ્યની સાથે અભેદ પામવાનો તલસાટ અને પ્રતિ સમય ઉપાસ્યની દિશામાં ઉધ્વરોહણ એ ઉપાસના છે. ઉપાસના એ ઉપાસકને ઉપાસ્યથી અભિન બનાવે છે. જો ઉપાસ્યની ઉપાસના કરતાં ઉપાસક ઉપાસ્યથી અભિન્ન ન બને તો તે ઉપાસના શાની ? અહિંયા પહેલી કડીમાં યોગીરાજનું એ ભારપૂર્વક કહેવું છે કે તમે છ યે દર્શનોમાંથી એકપણ દર્શન પ્રત્યે વિપરીતભાવ ન લાવો ! કોઈના પ્રત્યે વિરોધી વર્તને ન કરો ! એ સર્વજ્ઞ પ્રણીત નથી માટે એની ઠેકડી ન ઉડાડો! એના પ્રણેતા વીતરાગ નથી માટે તેની હાંસી ન ઉડાવો કારણકે સર્વજ્ઞ ન હોવા છતાં પ્રામાણિક છે. વીતરાગ ન હોવા છતાં વિરાગી છે, તો તેમાં રહેલી તેટલી સચ્ચાઈનો સ્વીકાર કરો! તેઓ પણ આત્મા-મોક્ષને માને છે, આસ્તિક છે, નાસ્તિક નથી એટલા અંશે; તેને આદરથી જુઓ અને કદાચ તેઓ પોતાના દર્શનમાં અજ્ઞાનના કારણે આગ્રહી હોય તો તેમની કરૂણા ચિંતવો કે હે પ્રભો ! તેઓમાં રહેલ આટલો દોષ કોઈ પણ રીતે નીકળી જાય ! તે પણ વીતરાગ માર્ગના ઉપાસક બનો! એવી ભાવનાથી તમારા હૃદયને ભાવિત કરો, તો જ તમને નમિજિનના ચરણો સેવતા આવડ્યું છે; એમ મનાય. મોક્ષને પામવાનો આ જ માર્ગ છે. બીજાને ખોટા કહીને-ખરાબ કહીને ક્યારેય મોક્ષે ન જવાય કારણકે તેમ કરવાથી આપણી પરિણતિ દૂષિત થવાનો સંભવ છે. દર્શનમોહનીયકર્મનો ઉપશમ એટલે ઉપશમસમકિતનો ઉદય.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy