SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 856 હૃદય નયન નિહાળે જગધણી શાસ્ત્રોમાં જે એકાંત દર્શનોનું ખંડન જોવા મળે છે, તે તેમાં રહેલ એકાંતતા અને વિશ્વવ્યવસ્થા ન બતાવવાના કારણે છે. જે વ્યવહારનયનો એપ્રોચ-અભિગમ છે. તે બતાવવા પાછળનો મહાપુરુષોનો આશય એ છે કે સર્વાંગી દર્શન મળ્યા પછી એકાંગી દર્શન તરફ લોકો ન ચાલ્યા જાય અને તેમાં સર્વાંગીતાની બુદ્ધિ ન કરી બેસે. મધ્યમબુદ્ધિવાળા મધ્યમ સત્વવાળા અને મધ્યમગુણોવાળા જીવોને દરેક વિષયમાંથી તત્ત્વ ખેંચવા આવડતું નથી એટલે જો તે ત્યાંથી સારું માની લેવા જાય તો ત્યાંનુ સારું તો લઇ ન શકે અને પોતાનુ જે કાંઇ સારું છે તે પણ ગુમાવી દે તો, અતો ભ્રષ્ટ-તતો ભ્રષ્ટ થાય. હવેલી લેતા ગુજરાત ખોવા જેવા હાલ થાય. ધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટનો એવી સ્થિતિ થાય; માટે મધ્યમબુદ્ધિવાળા જીવો પોતાને જે કાંઇ સારું મળ્યું છે, તે જ પકડી રાખે અન તેમાં જ સારાપણાની બુદ્ધિ કરીને જીવે, તે તેમને માટે હિતકારી છે. આ જૈનશાસન નિર્દિષ્ટ વ્યવહાર માર્ગ છે, જે ઉપર ચઢવા માટે ક્રમિક વિકાસના સોપાનરૂપ છે. ત્યાં પણ એટલો ખ્યાલ તો જરૂર રાખવાનો કે આપણામાં જે છે તે આપણે પકડી રાખીએ, તેને ન છોડીએ, બીજામાં રહેલ જે સારું છે, તે આપણે ભલે ગ્રહણ ન કરી શકીએ પણ આપણી દૃષ્ટિએ બીજામાં જે ઉતરતું છે તેની હલકાઈ-નિંદા-બદબોઈગેઝેટીંગ-પ્રચાર તો ન જ થાય. તો જ આપણો વ્યવહાર ધર્મ વિશુદ્ધ કહેવાય અન્યથા તે વ્યવહાર ધર્મ પણ મલિન બને, જેનાથી ક્રમિક વિકાસના પગથિયા પણ ન ચઢાય. બીજામાં જે સારું છે તેનો સ્યાદ્વાદરષ્ટિથી સ્વીકાર કરવો તે દર્શનમોહનીયકર્મનો ક્ષય એટલે ક્ષાયિક સમકિતનો ઉય.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy