SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ . પરિશિષ્ટ , 1243 - a) જ્ઞાનચેતના :- શેયના (પદાર્થના) સામાન્ય વિશેષ ધર્મનું જાણપણું કરે તે જ્ઞાનચેતના. b) કર્મચેતના:- ઈષ્ટાનિષ્ટ ભાવો પ્રતિ વિધિનિષેધ રૂપ પ્રવર્તન કરે તે કર્મચેતના. રાગદ્વેષ પરિણતિ રૂપે છે. c) કર્મફળચેતના :- ઈષ્ટાનિષ્ટ, સંયોગ-વિયોગમાં જે સુખદુઃખાદિની લાગણી થવી તે કર્મફળચેતના જાણવી. હર્ષ શોકના પરિણામ થવા તે કર્મ ફળ ચેતના છે. - a) જ્ઞાનચેતના :- આ પ્રમાણે પ્રત્યેક ભિન્ન-ભિન્ન જીવાત્માની ત્રિવિધ ચેતના નિરંતર ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રવર્તે છે, પરંતુ જડ દ્રવ્યોમાં કોઈ પણ પ્રકારની ચેતના હોતી નથી. સ્વ-પરના વિવેકી શુદ્ધ આત્મદ્રવ્યને વિશે (પરમાત્માને) ત્રિવિધ ચેતના સંપૂર્ણ સ્વાધીન હોય છે. જ્યારે અશુદ્ધ આત્મતત્ત્વમાં તે કથંચિત્ પરાધીન એટલે કર્માધીન હોય છે તેમજ કથંચિત્ સ્વાધીન હોય છે. જ્ઞાનચેતનાનું સ્વરૂપ - એક જીવાત્મામાં એક સાથે બેત્રણ કે ચાર લાયોપથમિક જ્ઞાનની લબ્ધિ (શક્તિ), તો હોય છે, પરંતુ ઉપયોગ તો એક સમયે એક જ જ્ઞાનનો હોય છે. તેમ છતાં છઘસ્થ - જીવોને જ્ઞાનનો ઉપયોગ અંતર્મુહુર્તે પરાવર્તિ હોય છે. જ્યારે કેવળી પરમાત્માને તો ક્ષાયિક ભાવે નિરંતર સહજ ભાવે, સંપૂર્ણ વિષયક કેવળોપયોગ પ્રવર્તે છે અને તેથી તેઓનું સમસ્ત પરિણમન પણ યથાર્થ અવિસંવાદીભાવે કેવળ-ઉપયોગાન્તર્ગત જ હોય છે. એ નિર્વિકલ્પ ઉપયોગવંતતા હોય છે. કેવલ્યાવસ્થામાં સંકલ્પ, વિકલ્પ કે ઉપયોગ મૂકવાપણું હોતું નથી. ઉપયોગ એટલે જ્ઞાનલબ્ધિ દ્વારા શેયને જાણવા માટેનો આત્માનો રાગ કાઢીશું તો ઈચ્છા નીકળશે અને વિકલ્પરસ્તિતા આવશે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy