SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 952 હૃદય નયન નિહાળે જગધણી પશુ જનની- તેમાં પશુ એટલે પશુતા-જડતા-અજ્ઞાન-અંધકારમિથ્યાત્વ ભવાભિનંદિતા આ બધા પશુભાવો છે. તેનાથી ઉપર ઉઠવાપણું, દિવ્યભાવ-અંતરાત્મભાવ-શિવભાવ-પરમાત્મભાવમાં આવવાપણું, અનાદિ અનંતકાળથી જે પરભાવોમાં રમણતા હતી-બહિરાત્મપણું હતું તેને છોડવું તે જ કરૂણા છે. તે જ અનુગ્રહપણું જાણવું. (આણી હૃદય વિચાર) - એટલે કે પ્રાકૃતિક ભાવોમાંથી મારો પણ ઉદ્ધાર કરો ! પ્રાકૃતિકપણું તે જડતા છે. તેમાં રમણતા એ સ્વની હિંસા છે. માનવી ઉત્તમ પાત્ર છે. તે હંમેશા કલ્યાણકામી જ હોય. પ્રાકૃતિક ભાવોથી ઉપર ઉઠવાપણાના પરમ પુરુષાર્થથી યુક્ત હોવાથી સભાનતાપૂર્વકની આત્મજાગૃતિ કેવળ મનુષ્યપણામાં જ પ્રાપ્ત થઇ શકે છે. બાકી મનુષ્ય અને પશુમાં શું ફરક હોઇ શકે ? અજ્ઞાનના અંધકારમાંમિથ્યાત્વમાં, અવિરતિપણામાં, કષાયભાવોમાં રાચવું, યોગોની ચંચળતા તે જ માણસમાં જોવા મળે કે જેમાં આત્મજાગૃતિ વિકસિત ન થઈ હોય અને તેથી તેવા માણસને નીતિશાસ્ત્રમાં પશુ સમાન ગણ્યો છે; માત્ર તેને શિંગડા અને પુછડું જ નથી. આકૃતિ પશુની નથી પણ આચાર તો પશુભાવ જેવા જ છે. પશુભાવથી જો ઉપર ઉઠવાપણું ન હોય તો તેનો ઉદ્ધાર શી રીતે થાય ? (કુણ ઘર આચાર ?) આ સંસારમાં બહિરાત્મભાવમાં રમતા જીવો જ વિશેષપણે જોવામાં આવી રહ્યા છે. દાન-શીલ-વ્રત-તપ-જપ વગેરે દ્વારા લૌકિક અને ભૌતિક અનુકૂળ સંયોગોને જ ઈચ્છનાર, તેમાં ધર્મ માનનાર અને મનાવનાર, એ દ્વારા લોકોત્તર ધર્મને પણ લૌકિક બનાવનાર એવા આત્માઓને પૂછવું પડે કે આ વળી કયા ઘરનો આચાર છે ? અદ્વૈત તત્ત્વના આગ્રહી થવું અને ભોગી પણ બનવું.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy