SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથજી , 1063 જ્યારે પોતાનામાં વીતરાગ-ધર્મને ધારણ કરે છે ત્યારે જ અવિચલ સુખને પોતાનામાં વેદે છે. આમ ભાવધર્મરૂપે પરિણમેલો આત્મા પોતે જ ધર્મ છે. તેથી જ કહ્યું છે કે “ધર્મસ્ય મર્મ ધારયતિ ઈતિ ધર્મ” એ વ્યુત્પત્તિથી શુદ્ધ ધર્મને જ ધારણ કરવાનો છે માટે મિથ્યાત્વનો નાશ થયો હોય ત્યારે જ સાચા ધર્મની શરૂઆત થાય છે. મોહ-દષ્ટિ જાય પછી જ ધર્મની શરૂઆત થાય છે. વીતરાગ-ચારિત્રમાં આરૂઢ થયેલા મુનિવરો સાક્ષાત્ ધર્મ સ્વરૂપ છે. શુભાશુભ ભાવમાં આરૂઢ થયેલા અને માત્ર પુણ્યકર્મમાં રાચતા આત્માઓને વાસ્તવમાં ધર્મી કહ્યા નથી. મોહથી ન્યારો નિર્મોહતા સ્વરૂપ ધર્મ છે. સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે ય ભાવો મોહથી ન્યારા છે કારણકે તેમાં રાગનો અંશ માત્ર પણ નથી. ચતુર્થ ગુણસ્થાનકે જે રાગ ભાવ છે તે સમ્યગદર્શન ધર્મમાં સમાતો નથી તેમ મુનિદશામાં જે સંજ્વલન કષાય છે તે ચારિત્ર-ધર્મમાં નથી સમાતો. રાગ તે ચારિત્રમોહ છે તે ચારિત્ર-મોહથી ન્યારો ભાવ તે ચારિત્ર ધર્મ છે આમ ધર્મભાવનાના ચિંતનથી રાજીમતિના ચિત્તમાંથી સરાગી ભાવો વિલીન થવા લાગ્યા, રાગભાવની ઉત્કટતા સર્વથા ઓગળી ગઈ. ધર્મભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – . . - “નિજ આતમા કો જાનના, પહિચાનના હી ધર્મ છે, નિજ આતમા કી સાધના, આરાધના હી ઘર્મ હૈ, - શુદ્ધાત્મા કી સાધના, આરાધના કા મર્મ હૈ, - નિજ આતમા કી ઔર, બઢતી ભાવના હી ધર્મ હૈ.” આ રીતે તેરે તેર ગાથાઓમાં અનિત્યાદિ ભાવનાથી લઈ ધર્મભાવના સુધીનું ગૂંથણ કરીને શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સ્વ-પર બોધાર્થે ઉક્ત કડી “ધરી ભાવના રે” માં “ભાવના” શબ્દનો ઉલ્લેખ કરીને મહાન પ્રજ્ઞારૂપી છીણીથી, જ્ઞાન અને કર્મના ઉદયને છૂટા પાડીને, કર્મના ઉદયને નહિ વેદતા, જે માત્ર સ્વરૂપને-જ્ઞાનદશાને વેદે છે; તે ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન લઈ શકે છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy