SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથજી , 1079 દેવ, ખોટા ગુરુ અને ખોટા ધર્મથી છૂટાય. એ માટે સદ્ગુરુનો સુયોગ થવો જોઈએ. જે સાચા દેવ અને સાચા ધર્મતત્ત્વની ઓળખ કરાવે. ગીતાર્થ, સંવિગ્ન, નિગ્રંથ, ત્યાગી ગુરૂ એ પરમાત્મ-તત્ત્વના ચાહક અને વાહક છે. તેઓ પરમાત્માની તેમજ પરમાત્મા જેનાથી બનાય છે તે દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગરૂપ ધર્મની ઓળખ કરાવે છે અને એના દ્વારા મોક્ષમાર્ગના દર્શક બને છે. વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માની ઓળખ થવાની સાથે ભીતરના નિજપરમાત્માની ઓળખ થાય છે. સાધક આત્માનો વર્તમાન પર્યાય અલ્પજ્ઞ છે પણ તેનું દ્રવ્ય તો પરમાત્માતુલ્ય પૂર્ણ જ છે. એ નિજ પરિપૂર્ણતાના આશ્રયે દ્રવ્યદૃષ્ટિ કેળવી પરિપૂર્ણ થવાશે પણ અલ્પજ્ઞ પર્યાયના આશ્રયે પરિપૂર્ણ થવાશે નહિ કારણકે જે પોતે સ્વયં જ અપૂર્ણ છે તેના આશ્રયે પૂર્ણ કેમ બનાય ? પૂર્ણના આશ્રયે જ પૂર્ણતા પ્રગટે એવો ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે. આથી જ પ્રભુશાસનમાં દ્રવ્યદૃષ્ટિનો મહિમા અદકેરો બતાવવામાં આવ્યો છે. અલ્પજ્ઞ પર્યાયના આશ્રયે જ સંસાર લંબાય છે, તેને દ્રવ્યદૃષ્ટિનું આલંબન લઈ ટૂંકાવી નાંખવાનો છે અને મોક્ષે જવાનું છે. આમ વિચાર-વલોણું કરતાં નિષ્કર્ષરૂપી નવનીત લાધ્યું કે આત્મકામી-આત્મસ્નેહી-આત્મલક્ષી થવા માટે વીતરાગ પરમાત્મા એવા સુદેવનો, નિગ્રંથ એવા સુગુરુનો અને આત્માને આત્મામાં ધારી રાખનારા સુધર્મનો યોગ થવો જોઈએ. પોતામાં પોતાપણાનું શ્રદ્ધાન એ જ આત્મવિશ્વાસ-આત્મદઢતા છે કે જે સમ્યગુ દર્શન છે, પોતામાં રહેલ પોતાપણાની જાણ એટલે કે હું કોણ? એ યક્ષ પ્રશ્નનો ઉકેલ તે આત્મજ્ઞાન, એ જ સભ્ય જ્ઞાન મૂર્તિમાં ભગવાનના દર્શન કરી, પોતાના આવરણનો ભંગ કરી, નિરાવરણ બનીએ, તો નિશ્ચયથી ઘર્મ થયો કહેવાય.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy