SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમિનાથજી , 875 ૨) પાણી ૩) અગ્નિ ૪) વાયુ અને ૫) આકાશ છે તેને જ માને છે અને આ દેખાતું સમગ્ર જગત એ પંચભૂતનો વિકાર છે એમ કહે છે. - પેટ-કુખ, એ તળિયા વગરની કોઠી છે. એમાં ગમે તેટલું નાંખો તો પણ પાછુ ખાલીને ખાલી. અથવા તો પેટનો-જઠરનો જઠરાગ્નિ એવો તો ભસ્માસુર રાક્ષસ છે કે એને ગમે એટલી આહુતિઓ આપવામાં આવે તો તે બધીય સ્વાહા-ભસ્મીભૂત થઈ જાય છે. એ આગ એવી છે કે જે કદીય ઠરતી નથી, બુઝાતી નથી. આયુર્વેદમાં અનેક રોગોમાંનો એક રોગ ભસ્મક છે કે જેમાં તે ગમે તેટલું ખાય તો પણ પાછો તે ભૂખ્યોને ભૂખ્યો, તેના જેવું આ પેટ છે. કુરગડુ મુનિને આવો ભસ્મક રોગ હતો. જ્ઞાની કહે છે કે અનંતા મેરૂના ઢગલા થાય તેટલું આ જીવે આજ સુધી ખાધું છે છતાં પણ ધરાયો નથી. આવું જે માનવીનું પેટ છે તે અભાવ સૂચક છે. અર્થાત્ નાસ્તિ સૂચક છે અને ચાર્વાકમત એ નાસ્તિકવાદ હોવાથી એને પેટમાં-કુખમાં સ્થાન આપ્યું હોય એવી સંભાવના થઈ શકે છે. યોગીરાજ પોતે યોગસિદ્ધ મહાપુરુષ હતા તેથી તેમના જ્ઞાનમાં કેવા યોગના ચમકારા ચમકે છે તે વિચારી શકાય છે. યોગ ચમત્કાર એ કોઈની મોનોપોલી નથી. જે કોઈપણ સાધના દ્વારા શુદ્ધિને વરે તે એ પામી શકે છે. વળી આ નાસ્તિક મત પંચમહાભૂતને માને છે. પેટમાં જે કાંઈ ભોજન પધરાવવામાં આવે છે, તે પંચમહાભૂતમાંથી બનેલું હોય છે અને પંચમહાભૂત વડે બનાવાયેલું હોય છે અને પેટમાં ગયા બાદ તે પંચમહાભૂત રૂપે જ પરિણમે છે. દેહનિર્માણ, દેહવિસર્જન અને વચ્ચે દેહની વૃદ્ધિ-દેહની પુષ્ટિ બોધિનીજ એ પચ્યાત્મ તત્ત્વનું બીજ છે અને સમાધિ તેની સાધના છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy