SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથજી , 1131 અવેધ સંવેદન છે. ચતુર્થ ગુણસ્થાનકથી વેદસંવેદ્ય પદ માન્યું છે તેનું કારણ એ છે કે જે પદાર્થ જે રીતે વેદવા યોગ્ય છે તે પદાર્થનું તે રીતનું વેદન જ માન્યતામાં સ્વીકાર્ય હોય છે એટલે અવિરતિના ઉદયથી - કર્મના ધક્કાથી પુગલ ભાવનું વેદન સારું લાગે, તો પણ ત્યાં તેનો હેય રૂપે જ સ્વીકાર છે એટલે આત્મા આત્મતત્ત્વના વિષયમાં પ્રામાણિક બન્યો છે. આ પ્રામાણિકતા આવી એટલે એટલા અંશમાં વેધસંવેદ્યપદ આવ્યું. પછી ઉપર ઉપરની દૃષ્ટિમાં વેદસંવેદ્યપદ બળવત્તર બનતું જાય છે અને અંતે ક્ષપકશ્રેણી દ્વારા કેવલ્ય અવસ્થા અને સિદ્ધ અવસ્થામાં તો પૂર્ણપણે સ્વરૂપનું જ વેદન છે અને પર પ્રતિ પૂર્ણ જ્ઞાતા દૃષ્ટાભાવ જ છે. - મિથ્યાત્વના ઉદય કાળે ઉપયોગમાં ઊંધી દષ્ટિ-અવળી સમજ અને વિપરીત માન્યતાનું જોર હોવાથી જીવને પર પદાર્થને પ્રાપ્ત કરવાની તેમજ તેને ભોગવવાની ઈચ્છા રહ્યા કરે છે. તેનાથી આત્મામાં ખોટી વાસના-વિપરીત સંસ્કારો બંધાય છે, જેના ઉદયે ફરીથી પાછી ભોગની ઇચ્છા-પ્રવૃત્તિ-ભોગવટાનું ચક્કર ચાલે છે. અજ્ઞાનના કારણે ચાલતું આ ચક્ર એ કષાયચક્ર છે-વિષચક્ર છે. તેમાંથી જ્યારે અજ્ઞાન ટળે છે; દૃષ્ટિ સવળી બને છે, ઉપયોગમાં સ્વરૂપનો મહિમા આવે છે, ઉપયોગ વારંવાર સ્વરૂપ તરફ જોડાય છે ત્યારે અમૃત ચક્ર શરૂ થાય છે. " હવે આગળની ૩, ૪, ૫ અને ૬ ગાથાઓમાં અનુક્રમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કેવળજ્ઞાની સર્વ શેયને નિશ્ચિત સ્થાનમાં રહીને જાણી ન શકે, તેવી શંકા ઉઠાવીને ઉત્તરાર્ધમાં તેનો જવાબ યોગીરાજ આપવાના છે પણ તે ગાથાઓમાં પ્રવેશ કરતા પહેલાં સામાન્યથી જ્ઞાન થવામાં પ્રક્રિયા શું બને છે? તે જાણવું જરૂરી છે. સાદાઈ, સરળતા, સંરકારિતા, પવિત્રતા; એ મોક્ષમાર્ગ છે, જે આવરણનો અંત આણે છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy