SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી નેમિનાથજી , 1045 - Us - હવે ત્રીજી કડી સંસાર ભાવના પર કેવો પડઘો પાડી રહી છે, તે કહે છે. નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ ! મ. ઈશ્વર અધગે ઘરી રે, તું મુજ ઝાલે ન હાથ. મનરા.૩ પ્રાકૃતિક ભાવોમાં ચંચળતાને કારણે મેં રાગાદિ પરિણામોને જીવંત રાખ્યા, તેમાં રુચિપૂર્વકની તન્મયતા કરી, સ્વયંની પુરુષાર્થ-ચેતનાને ન ઢંઢોળી, તો હવે પાણિગ્રહણ ક્યાંથી થાય ? અર્થાત્ પારગામી ક્યાંથી બનાય? સંયોગ-વિયોગથી ભરેલા સંસારભાવને જ નિરંતર ઇચ્છયો છે, તો હવે સુખી કેમ થવાય? - અનાદિ મિથ્યાત્વના ઉદયથી જેમાં એક તસુભાર પણ સુખ નથી, એવા સંસારમાં ચતુર્ગતિ પરિભ્રમણ કર્યું છે, ત્રાસ-સ્થાવરના ભાવોમાં ઘોર દુઃખો અનુભવ્યા છે, જન્મ-મરણના ચકરાવા કર્યા છે, પાપભાવો દ્વારા અશુભમાં પ્રવર્તન કર્યું છે, આ વિષયચક્રમાંથી તે ક્યારે પણ બહાર નીકળ્યો જ નથી. આમ ચોર્યાશી લાખ જીવાયોનિમાં ભટકવાપણાને જીવત રાખ્યું છે. વીતરાગ-સર્વજ્ઞદેવ પ્રણીત સત્યાર્થ ધર્મની વાંછા પણ ન કરી, આમ પોતાના વાસ્તવિક સ્વરૂપથી અજાણ, જીવ નવા-નવા કર્મો બાંધતો જ રહ્યો છે, સંસારને લંબાવતો જ રહ્યો છે. આમ વાસ્તવિકતાનું ભાન થતાં રાજીમતિને સમજાયું કે સંસાર-ભાવનાના અવલંબને સંસારની અસારતા અને પોતાના સ્વરૂપની સારભૂતતાનું ચિંતન જ એક શ્રેય-માર્ગ છે. | મારામાં રહેલા બહિરાત્મલક્ષી ભાવો જ મને સંસારથી ભિન્ન એવાં આત્માના શુદ્ધચૈતન્ય સ્વભાવનું ભાન કરવા દેતા નથી, તેથી નેમિપ્રભુને જે વસ્તુ પરિણામે પણ દુઃખરૂપ છે, તેમાં સુખબુદ્ધિ-ભોગવૃત્તિ કરવી, તેનું નામ પણ મોહ, મૂઢતા, રાગ, મિથ્યાત્વ.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy