SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમિનાથજી , 907 મર્યાદાનું પાલન કરવા રૂપ ધર્મ જ છે. પરંતુ આપણી જેમ જ બીજાએ પણ વર્તવુ જોઈએ અને તે ન દેખાય તો શાસ્ત્રના નામે કે બીજી કોઈ પણ ચીજના નામે ખંડનમંડનના પાટા ઉપર ઉતરવું, પત્રિકાબાજી કરવી, વાયુદ્ધ કરવું, એ કોઈપણ રીતે ઉચિત લાગતું નથી. અમે જે કાંઈ કરીએ છીએ તે જ બરાબર છે, તે જ શાસ્ત્રસંમત છે, તે જ દેશકાળ ઉચિત છે અને બીજાઓ જે કરે છે તે બરાબર નથી, શાસ્ત્રવિરુદ્ધ છે; આમ બોલવું તથા તે દ્વારા અનેક લોકોનો બુદ્ધિભેદ કરવો, મતિ ભ્રમ ઉભો કરવો, એ વિવેક નથી. જે ચીજ પ્રભુશાસનમાં ઘણા બધા આચરતા હોય તેને ખોટી કહેતા પહેલાં લાખ-લાખ વિચાર કરવા જેવો છે. અન્યથા આવી પ્રરૂપણા દ્વારા એવા ભયંકર પાપકર્મના બંધના ભાગીદાર થવું પડે છે કે જે ઉદયમાં આવતા જીભ ન મળે, જીભનું કેન્સર થાય. બોલવાની શક્તિ હણાઈ જાય; કાંઈ બોલવું હોય અને કાંઈ બોલાઈ જાય માટે આવા વિષયમાં મૌન રહેવું અને જે બની રહ્યું છે, તેનો ગર્ભિત સ્વીકાર કરવો એ જ સર્વશપ્રણીત માર્ગ છે. * શાસ્ત્રોમાં દરેક વસ્તુની પુષ્ટિ કરનારા દૃષ્ટાંતો, તર્કો મળી શકે તેમ છે. એકાંતવાદીને પણ પોતાની સિદ્ધિ માટે યુક્તિઓ, તર્કો, દષ્ટાંતો મળે છે તો પછી સર્વજ્ઞ શાસનમાં કેમ ન મળે ? પણ તેનો ઉપયોગ પોતાના સમર્થનમાં ન કરાય. એ જ વિચારવું જોઈએ કે આના દ્વારા સ્વ અને પર ઉભયની પરિણતિ તો બગડતી નથી ને? એ ખ્યાલ રાખીને જ આ માર્ગમાં આગળ વધવાનું છે. આ વિષયમાં ઉપમિતિ ભવપ્રપંચ કથાના રચયિતા સિદ્ધર્ષિગણિ મહારાજા પીઠિકામાં લખે છે કે – મૌન ધારણ કરીને બેસી રહેવાથી કોઈને જ્ઞાન-દર્શન-ચારિત્ર આપવાનું બની શકે તેમ નથી અને બીજા પ્રાણીઓને જ્ઞાન-દર્શન-ચારિત્ર સંપાદન કરાવવારૂપ ઉપકાર કરવો એ જે ‘સ્વ'ને જાણે છે તે ચેતન છે. જે “સ્વ'ને જાણે છે તે પર’ એવાં વિરોધી તત્ત્વને પણ જાણે છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy