SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમિનાથજી A 853 સદ્દગતિમાં જાય એ હેતુથી એને સત્ય કહેલ છે અર્થાત આપેક્ષિક સત્ય છે પણ નિરપેક્ષ સત્ય નથી. સાપેક્ષ સત્યના એવા આગ્રહી ન બનાય કે જેનાથી નિરપેક્ષ સત્યને પામવાનું ચૂકી જવાય. શાસ્ત્રની પંક્તિઓ-વચનો પણ સાપેક્ષ સત્ય છે માટે તેના પણ આગ્રહી ન બનાય. એનું પાલન કરતાં દેશકાળ અવશ્ય લક્ષમાં લેવા પડે. દેશ-કાળ સાપેક્ષ રહીને સ્વ-પરની ઉપશમ પરિણતિ ટકી રહે-વૃદ્ધિ પામે અને આપણા પરિચયમાં આવનારા-આપણને માનનારા-આપણા વચન ઉપર વિશ્વાસ મૂકનારાઆપણા ઉપર આદર-બહુમાન ધરાવનારા મુક્તિગામી બને તે રીતે દેશ-કાળ સાપેક્ષ શાસ્ત્ર પંક્તિનું યોજન એ શાસ્ત્ર પરિકર્મિત ગીતાર્થતા છે અને આવા ગીતાર્થોનો તેમજ તેની નિશ્રાએ ચાલનારાઓનો મોક્ષ છે; બીજાઓનો નહિ આ વાત કદી ભૂલવા જેવી નથી. - છયે દર્શન એ જિનેશ્વર પરમાત્માના અંગરૂપ હોવાથી અર્થાત્ પ્રભુથી તે જુદા ન હોવાથી તે છયે દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કરી, માધ્યસ્થ દૃષ્ટિથી-વિશાળ દૃષ્ટિકોણથી-હૃદયની અત્યંત ઉદારતા અને પ્રામાણિકતા પૂર્વક સ્યાદ્વાદ શૈલિથી તુલના કરી, જે છયે દર્શનોને પોતાના કરૂણાપુત હૃદયમાં સ્થાન આપશે–સ્થાપન કરશે અર્થાત્ તેમના ખંડન-મંડનમાં ન પડતા તેમનામાં રહેલ આંશિક સત્યતા, સાધનાના વિકલ્પોનો સ્વીકાર કરશે તે નમિજિનના ચરણનો સાચો ઉપાસક બનશે. નમિજિનના ચરણોની ઉપાસના માત્ર બાહ્ય પુજા-પ્રભાવનાભક્તિમાં ચરિતાર્થ થઈ જતી નથી. પરંતુ જેવી રીતે પ્રભુએ, જે રીતે સંસારની બાહ્ય ખટપટોથી અલિપ્ત રહી, કોઇપણ ગચ્છ, સંપ્રદાય, મત દર્શનમોહનીયકર્મનો ઉદય એટલે મિથ્યાત્વમોહનીયનો ઉધ્ય.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy