SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 930 હૃદય નયન નિહાળે જગધણી જ આપણા સહુના માટે આ જ કર્તવ્ય છે એવો ધ્વનિ ગુંજિત કર્યો છે. . હવે સ્તવનની શરૂઆત કરવામાં આવે છે. ભગવાનશ્રી નેમિનાથપ્રભુ ઉગ્રસેન રાજાની કન્યા રાજીમતિને પરણવા જાન લઈને આવ્યા હતા પણ પશુઓની કરૂણાને લીધે પરણવાનું માંડી વાળી પોતાનો રથ પાછો લઇ જતા હતા; તે વખતે રાજીમતિએ કરેલીં વિનતિરૂપ આ સ્તવના છે; જેમાં શાબ્દિક અર્થ કરતાં આધ્યાત્મિક અર્થઘટન કાંઈક જુદુ જ છે, જે વાચક પરમાત્માને એકાગ્રચિત્તે વાંચતામનન કરતાં સમજાશે. અષ્ટ ભવાંતર વાલણી રે, તું મજ આતમરામ, મનરાવાલા, મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કોઈ ન કામ. મનરા..૧ ઘર આવો હો વાલમ ! ઘર આવો, મારી આશાના વિસરામ, મ. રથ ફેરો હો સાજન ! ૨થ ફેરો, મારા મનના મનોરથ સાથ.. મનર...૨ :: અર્થ : હે નાથ ! આ ભવમાં આપ નેમીશ્વર, થયા છો અને હું રાજીતિ થઈ છું. આપની સાથેનો મારો સંબંધ માત્ર આ ભવનો જ નથી; તે પહેલા પણ આઠ-આઠ ભવોથી આપ મારા પ્રાણનાથ થયેલા છો, આપે મને આપની પ્રાણપ્યારી વલ્લભા ગણીને સ્વીકારી છે, તેથી આ નવમા ભવે પણ આપ જ મારા આતમરામ છો. મારા આત્મામાં આપ જ રમી રહ્યા છો. વળી આપ જ મારા મનના સ્વામી છો, તેથી હું કહું છું કે, હવે આપે જે મુક્તિરૂપી સ્ત્રી સાથે પરણવાની ઇચ્છા કરી છે, તેની સાથે સગપણ રાખવાનું કોઇ જ કામ નથી કારણકે મારો અને આપનો આઠ ભવોનો સ્નેહ છે તેથી હે નાથ ! આપના મનમાં જે મુક્તિરૂપી સ્ત્રી સાથે પરણવાની ઈચ્છા થઇ છે, તેને કાઢી નાંખો. જ્ઞાતાની ખરી વ્યાખ્યા એ છે કે, એ જાણવા જતો નથી, કરવા જતો નથી અને જોવા જતો નથી. Not going to know. Not going to do. Not going to see.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy