SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથજી - 11/1 સર્વદેશીય તત્ત્વને એકદેશીય દૃષ્ટાંતથી પૂરેપૂરું, સર્વાગી સમજાવી શકાતું નથી. તેથી તેને અનેક દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે અને અનેક વિશેષણોથી નવાજવામાં આવે છે. | સર્વદેશીય તત્ત્વની વીતરાગતા અને નિર્વિકલ્પતા સમજવા માટે દર્પણનું દષ્ટાંત અપાય છે અને “ચિદાદર્શ વિશેષણથી નવાજવામાં આવે છે. પ્રકાશકતા સૂર્ય (આદિત્ય)ના દૃષ્ટાંતથી સમજાવામાં આવે છે અને “ચિદાદિત્યના વિશેષણથી નવાજવામાં-ઓળખાવામાં આવે છે. વ્યાપકતા સમજાવવા આકાશનું દૃષ્ટાંત અપાય છે અને “ચિદાકાશ' વિશેષણથી નવાજવામાં આવે છે. | સર્વદેશીય તત્ત્વની વીતરાગતા, નિર્વિકલ્પતા, પ્રકાશકતા અને વ્યાપકતા પર સાપેક્ષ છે એટલે કે પરક્ષેત્રે પરપ્રતિ હોય છે જ્યારે સ્વક્ષેત્રે તો આનંદવેદન છે અને તેથી જ તે ચૈતન્ય તત્ત્વ છે અને તે છે તો જ વીતરાગતા, વ્યાપકતા, પ્રકાશકતાની કિંમત છે. જીવને સ્વક્ષેત્રે સ્વપ્રતિ પ્રશ્ન વેદનનો છે, જે આનંદ વેદના છે. તેથી જ આત્મા ચિદાદર્શ, ચિદાદિત્ય, ચિદાકાશ હોવા સાથે ચિદાનંદ પણ છે, જે એનું વિધેયાત્મક અનુજીવી વિશેષણ છે. આ ચાર વિશેષણથી આત્માની સર્વતોમુખી સર્વાગી પરિપૂર્ણ સમજ છદ્મસ્થને કંઇક અંશે બુદ્ધિગમ્ય બને છે. - કેવળી ભગવંતો પોતાના દિવ્યજ્ઞાન વડે પર દ્રવ્યોને જાણે છે પણ પરને ગ્રહણ કરતા નથી તેમ જ પરરૂપે પરિણમતા પણ નથી. માત્ર સર્વ શેયોને સર્વાત્મપ્રદેશથી દેખે છે અને જાણે છે, તેમ છતાં પોતાના શુદ્ધસ્વભાવમાં જ પરિણમે છે, જે કેવળી ભગવંતની વીતરાગતાનો ઉદ્યોત કરે છે. * સમ્યકત્વ મોહનીય એટલે દર્શનમોહનીયનો ક્ષયોપશમ. એનો અર્થ એ કે મોહ-પ્રકૃતિ-કર્મ ઉપર જીવની સત્તા. અર્થાત્ નિર્મોહ ભાવે જીવાતું જીવન.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy