SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ & 1267 ૯) વર્ણકાળ ઃ વિવિધપદ પ્રાપ્તિ અથવા વર્ણાદિમાં ફેરફાર થવો તે. ૧૦) ભાવકાળ : ઔદયિકાદિ ભાવમાં, સાદિ સપર્યવસિતાદિ ચાર ચાર ભેદવાળો કાળ તે ભાવકાળ. ચારે ગતિને વિષે સમસ્ત જીવોના, જન્મ, જીવન અને મરણાદિ સમસ્ત દયિક ભાવો સાદિ-સાન્ત ભાંગે છે. મિથ્યાત્વાદિ પરિણામ ભવ્યજીવોની અપેક્ષાએ અનાદિ-સાન્ત છે અને અભિવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. ઓપશમિક સમ્યકત્વ અને ચારિત્ર એ બન્ને પ્રકારનો ઉપશમ ભાવ સાદિસાત્ત છે. - ક્ષયોપશમભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ ભવ્યજીવોને અનાદિ સાન્ત અને અભવ્યને અનાદિ-અનંત હોય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય આ ચાર લાયોપથમિક જ્ઞાનોમાં ભવ્યજીવોને પ્રથમના બે અનાદિ-સાન્ત અને પાછળના બે સાદિ-સાન્ત હોય છે. • નવ ક્ષાયિક ભાવ :. ૧) કેવળજ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૨) કેવળદર્શન : દર્શનાવરણીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૩) ક્ષાયિક સમ્યત્વ ઃ દર્શન મોહનીયકર્મના ક્ષયથી પ્રગટે છે. ૪) ક્ષાયિક ચારિત્ર: ચારિત્ર મોહનીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૫) ક્ષાયિક ભાવની દાનલબ્ધિ : અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૬) ક્ષાયિક ભાવની લાભલબ્ધિઃ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. આત્મા સ્વરૂપથી કેવો છે? એ અનુભવવાની ચીજ છે. જ્યારે કેવો નથી ? એ કહેવાની ચીજ છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy