SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ 1268 હૃદય નયન નિહાળે જગધણી ૭) ક્ષાયિક ભાવની ભોગલબ્ધિ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૮) ક્ષાયિક ભાવની ઉપભોગલબ્ધિ : અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૯) ક્ષાયિક ભાવની વીલબ્ધિ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. આ ભાવો સાદિ અનંત હોય છે. બીજાં સર્વ પુલ પરિણમન તે ઔદયિક તેમજ પરિણામિક ભાવે હોઈ સાદિ-સાન્ત ભાંગે છે. તત્વાર્થસૂત્રમાં પરિણમનો બે પ્રકારના કહ્યા છે. શરિરહિનાન્ન એટલે કે અનાદિ અને આદિમાન. તેમાં પેવ્વારિકાનું અને ચોપયોગી નીવેષ એમ કહ્યું છે. જીવનો સાંસારિક તેમ જ સર્વ દ્રવ્યોનું પારિણામિકભાવે પરિણમન અનાદિકાળથી છે. જ્યારે રૂપી પુદ્ગલ દ્રવ્યનો તો પૂરણ-ગલન સ્વભાવ જ હોવાથી, તમામ રૂપી પરિણમનને આદિમાન જાણવા. પુદ્ગલને વિશે જે શાશ્વત કહ્યા છે તે અપેક્ષા વિશેષથી સમજવા | વિશેષતઃ જીવદ્રવ્યને વિષે વિભિન્ન યોગ-પરિણમન તેમજ ઉપયોગ પરિણમન બન્નેને આદિમાન સમજવા. તેમાં યોગ-પરિણમનમાં એક જ યોગસ્થાનકે એક જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી રહે છે. તેમજ ઉપયોગ-પરિણામ કેવળીને એક સમયનો અને છદ્મસ્થ જીવોને અંતર્મુહૂર્ત પરાવર્તી જાણવો. ભાવકાળના ઉપર મુજબ જણાવેલ સર્વે ભેદો જીવ-અજીવના પરિણમનથી અભિન્ન હોવાથી કાળને જીવાજીવરૂપ પણ જણાવેલ છે. અનુભવ, યુક્તિ અને શાસ્ત્ર, એ ત્રણેય એક થાય તે પરમ સત્ય! '
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy