________________
1266 હૃદય નયન નિહાળે જગધણી
(પરિણમન) વિશેષથી અભિન્ન હોવા છતાં કંઈક વિશેષથી-તફાવતથી તેનો જુદા-જુદા ભેદથી જણાવાય છે.
સચેતન કે અચેતન દ્રવ્યોના પર્યાયોમાં અથવા પરિણામી દ્રવ્યોમાં જ અભિન્ન ભાવે દ્રવ્યાદિ દશ પ્રકારના કાળનો વ્યપદેશ કરાય છે. તેમાં ભાવકાળમાં ચાર પ્રકારની સ્થિતિ જાણવી અત્યંત જરૂરી છે.
૧) દ્રવ્યકાળ : દ્રવ્યની વિવિધ પ્રકારની વર્તના તે દ્રવ્યકાળ. તે માટે દ્રવ્ય જ દ્રવ્યકાળ, અથવા દ્રવ્યોની ચાર પ્રકારની સ્થિતિ તે દ્રવ્યકાળ.
૨) ક્ષેત્રકાળ : તે અવસર્પિણી-ઉત્સર્પિણી તેમજ નો અવસર્પિણીનો ઉત્સર્પિણીના ક્ષેત્ર સંબંધી ભાવો તે ક્ષેત્રકાળ.
૩) અદ્ધાકાળ ઃ સૂર્ય ચંદ્રની ગતિથી પ્રગટ થતો (દિવસ-રાત્રિરૂપ) અઢીદ્વીપાન્તરવર્તી કાળ તે અદ્ધાકાળ.
૪) યથાયુષ્કકાળ : નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના જીવનરૂપકાળ તે યથાયુકકાળ.
૫) ઉપક્રમકાળ : મોડી પ્રાપ્ત થતી વસ્તુને (અર્થને) જલ્દી પ્રાપ્ત કરવાનો ઉપાય તે ઉપક્રમકાળ જાણવો, અકાલ કરણ.
૬) અવસરકાળ અથવા દેશકાળ ઃ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવા રૂપ અવસરકાળ, તે દેશકાળ જાણવો.
૭) મરણકાળ : મરણ પામવા રૂપકાળ તે, અથવા પ્રત્યેક સમયે આયુષ્ય પૂર્ણ થઈ રહ્યું છે તે આવિચિમરણ તે મરણકાળ.
૮) પ્રમાણકાળ : દિવસ, રાત્રિ, ગ્રહ, નક્ષત્ર, રાશિ વગેરેનો યોગ તે.
દ્વૈતમાં અચ્છેરું બને. અદ્વૈતમાં અચ્છેરું નહિ બને.