SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથજી , 1005 શ્રેણીએ આ રીતે જ ચઢે છે પરંતુ ઉપરની કક્ષાએ રહેલા જીવો માટે તો શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા સ્વરૂપ, પરમાર્થ પ્રતિક્રમણ જ ઉપાદેય કહ્યું છે. વ્યવહાર પ્રતિક્રમણમાં પણ જ્યારે પાપનો પશ્ચાતાપ, દોષોનો સરળ હૃદયે એકરાર, વગેરે શુભ પરિણતિનું લક્ષ્ય ચૂકાઈ જાય છે ત્યારે તે પ્રતિક્રમણ ક્રિયા-જડતામાં પરિણમે છે અને ત્યારે તે વ્યવહારમાં ટીકાને પાત્ર બને છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ અધ્યાત્મસારના યોગ અધિકારમાં કહ્યું છે કે જેને આત્મામાં જ રતિ છે, આત્મામાં જ તૃપ્તતા છે, જે આત્મામાં જ સંતુષ્ટ છે, તેને બીજી કોઈ ક્રિયાનું પ્રયોજન નથી. સિંહગુફાવાસી મુનિ તેમજ બીજા તેવા પ્રકારના આત્મામાં રમણ કરતાં જીવોની અપેક્ષાએ એ પરમાર્થ પ્રતિક્રમણની સાર્થકતા છે. જેમાં રતિ અને અરતિનો અવકાશ નિષિદ્ધ થઈ ગયેલો છે તેવા સતત ધ્યાનનું અવલંબન કરીને આત્મામાં રહેલા મહામુનિઓને કઈ ક્રિયાનું પ્રયોજન છે? અર્થાત્ કોઈપણ ક્રિયાનું પ્રયોજન નથી. આ જ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને સમયસારના કર્તા ભગવાનશ્રી કુંદકુંદાચાર્યે સમયસારમાં વ્યવહાર પ્રતિક્રમણને વિષકુંભ કહ્યો છે, વિષના ઝાડ ઉગાડવા સમાન કહ્યો છે કારણકે શુભક્રિયાથી જન્મેલ શુભભાવરૂપ પરિણતિ પુણ્યપરિણામ રૂપ ફળને જ આપે છે અને શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા સ્વરૂપ અમૃત પ્રક્રિયા અને અમૃત-પરિણામની અપેક્ષાએ તો તે શુભ પરિણામ અશુદ્ધતા રૂપ જ છે, જેનાથી કર્મબંધ છે અને તે કર્મબંધથી તો ફરી પાછું જન્મમરણના ચક્કરમાં જ આવવું પડે છે. શુભાશુભ ભાવરૂપ વ્યાપાર એ તો આશ્રવ માર્ગ છે અને આશ્રવ માર્ગને તો જ્ઞાનીઓએ સર્વથા હેય કહ્યો છે. સંવર માર્ગને જ અધ્યાત્મમાં ઉપયોગી ગણ્યો છે. આશ્રવભાવથી તો આત્માનું તેજ હણાય છે. આત્મા પોતાના સ્વરૂપથી પરાશમુખ થાય છે. શુભભાવ શબ્દનો અર્થ એ તત્વ નથી. શબ્દની પાછળનો આશય એજ ખરું તત્ત્વ છે, એજ શબ્દનો લક્ષ્યાર્થ છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy