SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથજી 971 તેમ હે નાથ ! ચૌદરાજલોકમય સભાના આપને સર્વોચ્ચ શિખરાન્વિત સ્થાને બિરાજવું હોય તો આપને બંધ-પરિણામમાંથી નીકળીને અબંધ-પરિણામરૂપ મોક્ષમાર્ગમાં આવવું જોઈએ. કારણકે ષદ્ભવ્યાત્મક આ વિશ્વમાં જીવ દ્રવ્ય સર્વોપરિ છે અને નવતત્ત્વાત્મક વિશ્વમાં છેલ્લું મોક્ષતત્ત્વ એ જ શ્રેષ્ઠ છે, તેમાં બેસવું એ જ આપની શોભા છે. ‘આત્મા છે અને આત્મા નિત્ય છે'; એ સ્થાપન છે અર્થાત્ સિદ્ધાંત છે. એમાં સ્થાપિત થવા માટે આત્માના કર્તાપણાનું અને ભોક્તાપણાનું ઉત્થાપન-ઉચ્છેદન કરવાનું છે અને મોક્ષને પામવાના ઉપાય માટે મોક્ષના માર્ગે પ્રસ્થાન કરવાનું છે, અર્થાત્ પ્રયાણ કરવાનું છે. ચૌદરાજલોકમય આ વિશ્વ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ઠાંસીઠાસીને ભરેલો છે. તેમાં પણ ચારગતિમય આ વિશ્વમાં ચોર્યાશી લાખ જીવાયોનિમાં રહેલા જીવો પોતાના કર્મના વિપાકને ભોગવી રહ્યા છે. એક ક્ષણમાત્ર પણ તેઓ સુખ-શાંતિ-સમાધિ અનુભવી શકતા નથી. રાગાદિભાવોથી તેઓ પોતાની શુદ્ધ ચેતનાનો ઘાત અનંતકાળથી કરતા આવ્યા છે. અને કરી રહ્યા છે તેમાંથી હે નાથ ! છુટકારો પામવો એ જ આપનું એકમાત્ર કર્તવ્ય છે. આત્મા તો ચૈતન્યમૂર્તિ છે, અખંડ પરમાનંદ વિલાસી છે. તેને ન ઓળખતા, વર્તમાન અવસ્થામાં જે શુભાશુભભાવો થાય છે તેને અજ્ઞાની જીવો પોતાનું સ્વરૂપ માની લે છે અને તેથી તેઓ પોતાની શુદ્ધ ચેતનાનો ઘાત કરી રહ્યા છે અને આ જ સંસારમાં રખડવાનું મૂળિયું છે. આ જ મિથ્યાત્વ છે અને આ જ મહાબંધ છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજા રાજીમતિના સ્વાંગમાં ઉપરોક્ત કડી ઉચ્ચારે છે ત્યારે ‘રાજસભા' ને ચૌદરાજલોક સાથેના સાંકેતિક અર્થમાં ભૂતકાળ દૃષ્ટાંતરૂપ છે. ભવિષ્યકાળ લક્ષ્યરૂપ છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy