SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ 1989 બે દ્રવ્યોમાં જ ક્રિયત્વ ગુણ રહેલો છે. બાકીના ચારે અને સિદ્ધના આત્મા અક્રિય છે. પરંતુ કર્તુત્વ ધર્મ માત્ર જીવમાં જ છે. ૮) નિત્ય :- નિશ્ચયદ્રષ્ટિએ છ એ દ્રવ્યો, દ્રવ્યત્વ-સ્વરૂપે, અનાદિ અનંત સ્વગુણપર્યાય સહિત નિત્ય છે. પરંતુ જીવ અને પુદ્ગલ એ-બે દ્રવ્યોને, વ્યવહાર પર-પરિણામી ભાવે, અનિત્યપણું છે. જ્યારે પર્યાયાર્થિકનયદ્રષ્ટિએ તો છએ દ્રવ્યોના સકળ પર્યાય-પરિણમનો અનિત્ય છે. . - ૯) કારણ :- સર્વજ્ઞ શાસ્ત્રમાં છએ દ્રવ્યોના પરિણમનમાં, જીવ-દ્રવ્યનું પરિણમન, અન્ય કોઈ દ્રવ્યને કારણરૂપ નહિ હોવાથી, જીવ દ્રવ્યને અકારણ જણાવેલ છે. જ્યારે બાકીના પાંચ દ્રવ્યોને કારણતા છે, આમ છતાં, વ્યવહારનયની દ્રષ્ટિએ સંસારી જીવો પોતપોતાનાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણના વ્યવહારથી અન્ય જીવને અનુગ્રહકારક થાય છે. તેમજ હિંસાદિ યોગ પરિણામ વડે અન્ય જીવન - વ્યવહાર ઉપઘાત કરતા હોઈ તત્ત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રદ નીવાનામ્ એ સૂત્રથી સમસ્ત સંસારી જીવને વિષે ઉપર જણાવ્યા મુજબ અનુગ્રહ તેમ જ ઉપઘાતકતા થકી ઉપચારે કારણતા દર્શાવી છે. " -૧૦) કર્તા - છએ દ્રવ્યોમાં, સકલ જીવ દ્રવ્યોને વિશે પોતપોતાના અસંખ્યાત પ્રદેશો પૈકી પ્રતિ-પ્રદેશ-ભિન્નભિન્ન સમગ્ર ગુણ ક્રિયાને, એકત્વભાવે, અવ્યાબાધપણે પરિણાવવાની શક્તિ હોવાથી જીવદ્રવ્યમાં જ કર્તાપણું છે. - આ રીતે જીવદ્રવ્યને વિષે સકળ આત્મપ્રદેશની એકાકારવૃત્તિ વીતરાગતાપૂર્વક પ્રેમ કરવાનો છે અને પ્રેમપૂર્વક વીતરાગતા રાખવાની છે. વીતરણતા વિહોણો પ્રેમ રાગ છે અને પ્રેમ વિનાની વીતરાગતા દેષ છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy